SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત તેમાં સહયોગથી થતાં કામ- તે શકટકર્મ ૪- વણઝારા, રાવળ વગેરેનું ઘોડા, ઊંટ, બળદ વગેરેને ભાડે આપવાનું અથવા સાયકલ-સ્કુટર, બસ, ટ્રેન આદિ ભાડેથી આપવાનું કામ- તે ભાટકકર્મ ૫- ઓડ-કોન્ટ્રાક્ટર વગેરેનું કૂવા-વાવ, તળાવ, વગેરે ખોદવા-ખોદાવવાથી થતાં કામ - તે ફોટકકર્મએ પાંચેય કર્મ શ્રાવકે અત્યન્તપણે છોડી દેવા જોઈએ. વળી) ૧દંતવાણિજ્ય= હાથીદાંત વગેરે દાંતનો વ્યાપાર ૨- લકુખવાણિજ્ય-લાખ, કસુંબો, હરતાળ વગેરેનો વ્યાપાર ૩- રસ-વાણિજ્યઘી, તેલ વગેરેનો વ્યાપાર ૪-કેશ વાણિજ્ય = મોર, પોપટ, ગાય, ઘોડા, ઘેટા વગેરેના વાળનો વ્યાપાર અને પ- વિસ વિસયં-વાણિજ્ય= ‘વિસ”અફીણ, સોમલ વગેરે ઝેરી પદાર્થો અને જંતુનાશક દવાઓ પ્રવાહી-પાવડર કે ગોળી આકારમાં વ્યાપાર અને ‘વિસર્ય”- તલવાર, છરી, ધનુષ્ય, ગન, બંદુક, મશીનગન, ભાલા વગેરે શસ્ત્રોનો વ્યાપાર, (આ પ્રમાણે) પાંચેય પ્રકારના વ્યાપારને પણ શ્રાવકે અત્યન્ત વર્જવા જોઈએ. (૨૨) એ જ પ્રમાણે ૧- યંત્ર પીલન કર્ય=ઘંટી, ચરખા, ઘાણી-મિલ વગેરે ચલાવવાથી લાગતું કર્મ - નિલંછનકર્મ= તે ઊંટ, બળદ વગેરેના નાકકાન વીંધવાથી લાગતું કર્મ ૩-દવ-દાન-કર્મ = જંગલ, ઘર વગેરેમાં આગ લગાડવાથી લાગતું કર્મ ૪- શોષણ કર્મ=સરોવર-ઝરા તથા તળાવ વગેરેનું પાણી સુકાવી નાખવાથી લાગતું કર્મ અને પ- અસતિ પોષણ કર્મ =કુતરાબિલાડા વગેરે હિંસક પ્રાણીઓનું અને દુરાચારી માણસો (વ્યભિચારી સ્ત્રી આદિ)નું પોષણ કરવાથી લાગતું કર્મ, આ પાંચેય પ્રકારનું કર્મશ્રાવકે વર્જવું જોઈએ. (૨૩) (આ રીતે સાતમા વ્રત (બીજા ભોગોપભોગ પરિમાણ ગુણવ્રત) ના મૂળ સચિત્ત – આહાર આદિ ૫ અતિચાર અને ૧૫ કર્માદાનના મળીને ૨૦ અતિચાર થાય છે) (અનર્થ વિરમણ વ્રતના અતિચાર) સસ્થગ્નિ મુસલ જંતગ, તણ કદ્દે મંત મૂલ ભેસજે, દિન્ને દવાવિએ વા, પડિક્કમે દેસિમં સવં. (૨૪) હાણુ બૈટ્ટણ વન્નગ, વિલવણે સદ્ રૂવ રસ ગંધે,
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy