________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૯
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (1) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
(ચરવળાવાળા ઉભા થઈને કાઉસ્સગ્ન કરે)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુખખય કમ્મખય નિમિત્ત કાઉસ્સગ્ન કરું? “ઇચ્છે'
દુખખય કમ્મખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ. હે ભગવન્!દુષ્કર્મ અને કુકર્મનિમિત્તે કાઉસ્સગ કરું? આજ્ઞા માન્ય છે. દુષ્કર્મ અને કુકર્મનિમિત્તે કાઉસ્સગ્ન કરું છું.