________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૩૯
કાઉસ્સગના ૧૬ આગાર છુટનું) વર્ણન
અન્નત્થ ઊસસિએણે, નીસિએણે, ખાસિએણં, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧)
સુહમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિક્ટ્રિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિં આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે, વોસિરામિ. (૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩- ઉધરસ આવવાથી, ૪- છીંક આવવાથી, પ- બગાસુ આવવાથી, ૬- ઓડકાર આવવાથી, ૭- વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂછ આવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચારથંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨)
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, આત્માને વોસિરાવું છું. (૫)
અનાદિકાળથી જે કાયા પોતાની નથી, તેને પોતાની માનવાનો જે દેહાધ્યાસ (મિથ્થામાન્યતા) કર્યો છે. તેનો ત્યાગ કરવાનો છે. કાયા હું નથી, પરંતુ કાયાને પ્રવતવનાર આત્મા એ હું છું. કાયા સંબંધી આ “હું” પણાના ભાવને આ પ્રતિજ્ઞા દ્વારા ત્યાગવાનો છે. કાયોત્સર્ગના યથાર્થ ઉપયોગથી ઈન્દ્રિયો, કષાયો, રાગદ્વેષ તથા મનને જીતી શકાય છે, સમત્વ સાધી શકાય છે પરિણામે આત્માનો સાક્ષાત્કાર કરી પરમસિદ્ધિને પામી શકાય છે.