________________
XXXIV
પ્રતિક્રમણમાં કાળ વખતે માથે કામળી ઓઢીને જવું.
કાળ વખતે લઘુનીતિ પેશાબ વગેરે કારણે ખુલ્લા આકાશમાં જવું પડે ત્યારે ચિત્રમાં બતાવ્યા
મુજબ માથે કામળી ઓઢીને જવું. માતરૂં-પેશાબ-લઘુ શંકાદિ કરવા જવું પડે અને તે વખતે કામળીનો કાળ થઈ ગયો હોય (મુંબઇમાં હો અને ૪ વાગી ગયા હોય) ત્યારે, અથવા વરસાદની ફર ફર હોય ત્યારે, કામળી ઓઢીને જ માતરૂં જવું જોઈએ. કામળી ભૂલી ગયા હોય તો કોઈની પાસેથી માંગી લેવી અથવા શ્રી સંઘે ઓઢવાની ધાબળી રાખવી, મુહપત્તી કેડે ખોસવી, ચરવળો બગલમાં રાખવો, માતરૂં કર્યા પછી અચિત્ત પાણીથી હાથ ધોઇ નાંખવા.