SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત _ _૭૩ તેના હડપ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે આ, કૂડતુલ કૂડમાણે, પડિક્કમે દેસિ સળં. (૧૪) ત્રીજા અણુવ્રતના સ્થૂળ રીતે બીજાના દ્રવ્યના હરણથી વિરતિને આશ્રયીને આચરણ થયું હોય, તેમાં પ્રમાદના વશથી, અપ્રશસ્ત ભાવથી ૧- ચોરે ચોરેલી વસ્તુ લીધી હોય, ૨-ચોરને ચોરી કરવા પ્રેરણા કરી હોય, ૩- મૂળ વસ્તુના બદલે ભળતી વસ્તુ આપી હોય, ૪- દાણચોરી વગેરે રાજવિરૂદ્ધ આચરણ કર્યું હોય અને પ- ખોટા તોલ અને ખોટા માપથી વ્યાપાર કર્યો હોય, તે પાંચ પ્રકારના ત્રીજા અણુવ્રતનાં અતિચારમાં દિવસ સંબંધી સર્વેને હું પડિક્કમું છું. (૧૩, ૧૪) (મૈથુનના અતિચાર) ચઉલ્થ અણુવયમ્મિ, નિર્ચો પર દાર ગમણ વિરઇઓ, આયરિય મપૂસલ્ય, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૫) અપરિગ્દહિઆ ઈત્તર, અણંગ વિવાહ તિવ્ર અણુરાગે, ચઉત્થ વયસ્સઇઆરે, પડિક્રમે દેસિઅં સળં. (૧૬) ચોથા અણુવ્રતમાં સદાની (હંમેશા) પારકી સ્ત્રી અથવા પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરવાની વિરતિને આશ્રયીને આચરણ કર્યું હોય. આમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- અપરિગૃહીતાગમન = કોઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ નથી કરી એવી કુંવારી કન્યા અથવા વિધવા સ્ત્રી આદિ સાથે મૈથુન સેવન કરવું તે, ૨- ઇત્વર- પરિગૃહિતાગમન અમુક દિવસ સુધી બીજાએ રાખેલી વેશ્યા સાથે મૈથુન સેવન કરવું તે, (સ્વદારા સંતોષના નિયમવાળાને આ બંને અતિચારો અનાચાર તરીકે સમજવા), ૩- અનંગ ક્રીડા- પારકી સ્ત્રીઓના અંગોપાંગ વિકાર દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરુદ્ધ કામચેષ્ટા કરવી તે, ૪- પરવિવાહકરણ પોતાના પુત્રાદિ સિવાય પારકા વિવાહ પ્રમુખ કરવા તે અને ૫) કામભોગ-તીવ્રઅભિલાષા= કામ-ભોગની તીવ્ર અભિલાષા કરવી તે (રૂપ) ચોથા અણુ
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy