________________
૮૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧- આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી ૨- પર-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે જેવા સુખ મળે એવી ઈચ્છા કરવા) સંબંધી ૩- જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી ૪- મરણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા કરવા) સંબંધી અને ૫- કામભોગની વાંચ્છા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એક પણ) મને મરણાંત સુધી ન હોજો. (૩૩)
(ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર) કાણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ,
મણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈ આરસ્સ. (૩૪) ૧- અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી ૨- અશુભ વચનથી લાગેલા અતિચારને શુભ-વચનયોગથી અને ૩- અશુભ મનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૩૪)
વંદણ વય સિદ્ધા, ગારવેસુ સન્ના કસાય દંડસુ, ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઈઆરો અ તં નિંદ. (૩૫)
૧- વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન) ૨- વ્રત બાર પ્રકારનાં, પ-અણુવ્રત, ૩- ગુણવ્રત અને ૪ -શિક્ષાવ્રત) ૩-શિક્ષા (બે પ્રકારની, ગ્રહણ શિક્ષા=સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવો તે અને આસેવન શિક્ષા =કર્તવ્યોનું પાલન કરવું તે) ૪-ગારવ (ત્રણ પ્રકારના ૧-રસગારવ=ઘી, દુધ, દહીંઆદિ રસવાળા પદાર્થો મળતાં અભિમાન કરવું અને ન મળે તો તેની લાલસા) ઈચ્છા કરવી તે, ર–ઋદ્ધિગારવ= ધન વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે અને ૩- શાતાગારવ = સુખ, આરોગ્ય વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે) પ- સંજ્ઞા (સંક્ષેપથી ચાર પ્રકારે છે. ૧- આહાર સંજ્ઞા ૨- ભય સંજ્ઞા ૩-મૈથુન સંજ્ઞા અને ૪-પરિગ્રહ