SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Xvi (૯) અખોડા અને (૯) પખોડા પડિલેહણ વિધિ (૯) અખોડા પછી મધ્યભાગનો છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લેવો કે જેથી બરાબર બે પડની ઘડી વળી જાય. અને (તે બે પડવાળી થયેલી મુહપત્તી) દષ્ટિ સન્મુખ આવી જાય. ત્યારબાદ તરત તેના ત્રણ વધૂટક કરીને જમણા હાથની ચાર અંગુલીઓના ત્રણ આંતરામાં ભરાવવા-દાબવા અને તેવી રીતે ત્રણ વર્ઘટક કરેલી મુહપત્તીને ડાબા હાથની હથેળી ઉપર હથેલીને ન અડે-ના સ્પર્શે તેવી રીતે પ્રથમ ત્રણવાર કાંડા સુધી લઈ જવી અને એ પ્રમાણે ત્રણ વખત વચ્ચે વચ્ચે આગળ કહેવાતા પખોડા કરવા પૂર્વક ત્રણ ત્રણ વાર અંદર લેવી તે ૯ અકુખોડા અથવા ૯ આખોટક અથવા ૯ આસ્ફોટક કહેવાય. (તેમાં ગ્રહણ કરવાનું હોવાથી ખંખેરવાનું નથી.) (૯) પખોડા પ્રમાર્જના) : ઉપર કહ્યા પ્રમાણે પહેલી વાર કાંડા તરફ ચઢતાં ત્રણ અખોડા કરીને નીચે ઉતરતી વખતે હથેલીને મુહપત્તી અડે = સ્પર્શે એવી રીતે (મુહપત્તી વડે) ત્રણ ઘસરકા ડાબી હથેલીને કરવા-તે પહેલી ૩ પ્રમાર્જના ત્યારબાદ (કાંડા તરફ ચડતા ૩ અખોડા કરી) બીજા વાર ઊતરતાં ૩પ્રમાના અને એજ પ્રમાણે (વચ્ચે ૩ અખાડા કરી) પુનઃ ત્રીજી વખત ૩ પ્રમાર્જના કરવી, તે ૯ પ્રમાર્જના અથવા ૯ પકૂખોડા અથવા ૯ પ્રસ્ફોટક કહેવાય. (ઉપર કહેલા ૬ પ્રસ્ફોટક તે આથી જુદા જાણવા, કારણ કે ૬ ઊર્ધ્વ પફોડા અથવા ૬ પુરિમ કહેવાય છે, પરંતુ પ્રસિદ્ધિમાં ૯ પખોડા ગણાય છે, તો તે આ પ્રમાર્જનાનું નામ છે.) એ ૯ અકૂખોડા અને ૯ પકૂખોડા તિગ તિગ અંતરિયા એટલે પરસ્પર ત્રણ ત્રણને આંતરે થાય છે, તે આ પ્રમાણે-પ્રથમ હથેલીએ ચઢતાં ૩ પકુખોડા કરવા, ત્યારબાદ હથેલી ઉપરથી ઊતરતાં ૩ અકુખોડા કરવા, ત્યારબાદ પુનઃ ૩પખોડા, પુનઃ ૩ અખોડા, પુનઃ ૩ પખોડા, પુનઃ ૩ અખોડા, એ અનુક્રમે ૯ પખોડા, અને ૯ અખોડા પરસ્પર અંતરિત ગણાય છે. અથવા પખોડાના આંતરે અખોડા એમ પણ ગણાય છે.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy