SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત સદ્દગુરુના ગુણોનું વર્ણન પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભર્ચર ગુત્તિધરો, ચઉવિહ કસાય મુકો, ઇઅ અટ્ટારસ ગુણહિં સંજુરો. (૧) પંચ મહત્વય જુત્તો, પંચ વિહાયાર પાલણ સમન્થો, પંચ સમિઓ તિ ગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મઝ. (૨) પાંચ ઈન્દ્રિયો (ના વિષયો)નો નિગ્રહ કરનાર તથા રોકનાર અને નવા પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર, ચાર કષાયથી મુક્ત, એ અઢાર ગુણોથી સંયુક્ત. (૧) પાંચ મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચારોના પાલન કરવા માટે સમર્થ, પાંચ સમિતિવાળા અને ત્રણ ગુપ્તિવાળા, એછત્રીશ ગુણોવાળા મારા ગુરુછે. (૨) આ સૂત્રમાં આચાર્ય મહારાજના ૩૬ ગુણોનું વર્ણન છે. સ્થાપનાચાર્ય રૂપે સ્થાપના કરતી વખતે આ સૂત્ર બોલાય છે. ગુરુ મહારાજ ન હોય તો સ્થાપનાચાર્ય કે પુસ્તકને ઊંચા સ્થાને સ્થાપી તેની સામે ક્રિયા કરવા નવકાર મંત્રપૂર્વક આ સૂત્રનું ઉચ્ચારણ કરાય છે. દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્થણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧) આ સૂત્રથી દેવ અને ગુરુને વંદન થાય છે. આ વંદન બે પગ, બે હાથ અને મસ્તક એમ પાંચ અંગ નમાવીને થતું હોવાથી આ ખમાસમણ સૂત્રને પંચાંગ અથવા પ્રણિપાત સુત્ર પણ કહેવાય છે. સૂત્રો કેવી રીતે બોલવા જોઈએ? બે હાથ જોડી, મુહપત્તિ મુખ આગળ રાખી, ચંચળતા છોડી, સ્થાપનાજી સન્મુખ નજર રાખી, સ્થિર ભાવે, શુદ્ધ ઉચ્ચારપૂર્વક, મધુર અને સ્પષ્ટ સ્વરે, ધીમે ધીમે, ભાવપૂર્વક, અર્થ ચિન્તન સહિત, ગાથાએ ગાથાએ જરાક અટકી અટકીને સંપદા સાથે પ્રતિક્રમણનાં સૂત્રો બોલવા જોઈએ. ખમાસમણ કેવું દેવું જોઈએ? ખમાસમણ એટલે પંચાંગ પ્રણિપાત. જેમાં પાંચેય અંગો -બે હાથ, બે પગ અને મસ્તક જમીન સુધી અડવા જોઈએ. ચરવળાવાળાએ ખમાસમણ પૂરેપૂરા ઉભા થઈને દેવાનાં હોય છે.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy