________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ : આયંબિલ-નીવિ-એકાસણું અને બીજું બિયાસણું કરીને ઉઠતી વખતે અને છૂટાવાળાએ રાત્રિ દરમ્યાન પાણી પીવાની છૂટ રાખનારે આ પચ્ચખાણ અવશ્ય કરવું જોઇએ.)
દુવિહાર પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે
દિવસ-ચરિમં પચ્ચખાઇ (પચ્ચકખામિ) દુવિહં પિ આહાર અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં,
સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) . દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ પર્યત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેમાં બે પ્રકારના આહાર એટલે અશન (=ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ : પૂ.ગુરુ ભગવંતની આજ્ઞા મેળવ્યા પછી, રાત્રે સમાધિ ટકે અને ચોવિહાર સુધી પહુંચવાની શક્તિ પ્રાપ્ત થાય, તે માટે આ પચ્ચક્ખાણ, ઔષધ-પાણી લેનારે લેવું).
(આમ અહીં પહેલું “સામાયિક આવશ્યક અને છઠ્ઠ ‘પચ્ચખાણ' આવશ્યક આ બંનેની આરાધના થઈ ગઈ.)