SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત જયતિ વિજિતાજ તેજાર, સુરા સુરાધિશ સેવિતઃ શ્રીમાનું, વિમલ સ્ત્રાસ વિરહિત, સ્ત્રિભુવન ચૂડામણિ ર્ભગવાન્ (૨૮) અપરાધ કરનાર માણસ ઉપર પણ દયા વડે નમેલી છે બે કીકીઓ જેની અને થોડા અશ્રુથી ભીંજાયેલાં એવા શ્રી વીરજિનેશ્વરના બે નેત્રો તમારું કલ્યાણ કરનારા થાઓ. (૨૭) વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા, દેવ-દાનવના સ્વામી વડે સેવાયેલા, કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીવાળા, નિર્મળ, વિશેષ પ્રકારે ભયથી રહિત, ત્રણ ભુવનમાં મુકુટસમાન શ્રી વીરસ્વામી) ભગવંત જયપામે છે. (૨૮) વિરઃ સર્વ સુરા સુરેન્દ્ર માહિતી વીરં બુધાઃ સંશ્રિતા , વિરેણા ભિહતઃ સ્વકર્મ નિચયો, વીરાય નિત્ય નમઃ, વિરાત્તીર્થ મિદં પ્રવૃત્ત મતુલ, વીરસ્ય ઘોર તપો, વીરે શ્રી વૃતિ કીર્તિ કાંતિ નિચયઃ શ્રી વીર ! ભદ્ર દિશ (૨૯) અવનિતલગતાનાં કૃત્રિમા કૃત્રિમાનાં, વર ભવન ગતાનાં, દિવ્ય વૈમાનિકાનામ્, ઈહ મનુજ કૃતાનાં, દેવ રાજાચિતાનાં, જિનવર ભવનાનાં ભાવતોહં નમામિ (૩૦) શ્રી વીરસ્વામી દેવ-દાનવોના ઇન્દ્રો વડે પૂજાયેલા છે, પંડિતો શ્રી વીરસ્વામીને આશ્રયે રહેલા છે, પોતાના કર્મનો સમૂહ શ્રી વીર વડે હણાયો છે, શ્રી વીરને હંમેશાં નમસ્કાર થાઓ. શ્રી વીર પરમાત્માથી ઘોર તપ તપાયો છે, શ્રી વીરસ્વામીમાં લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ છે. હે શ્રી વીર ! અમને કલ્યાણ આપો. (૨૯) પૃથ્વીતલ ઉપર રહેલા, અશાશ્વત અને શાશ્વત રૂપે, શ્રેષ્ઠ ભવનપતિના આવાસોમાં રહેલા, દિવ્ય વિમાનોમાં રહેલા, આ લોકમાં મનુષ્યોએ કરેલા, દેવતાઓના રાજાઓએ પૂજેલ એવા જિનેશ્વરનાચેત્યોનેહંભાવથી નમું છું. (૩૦)
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy