________________
૪
સગવડ ખાતર બાર પરિચ્છેદ અને દરેક પરિચ્છેદમાં ચાર પાંચ અનંતર પ્રકરણો પાડવામાં આવ્યા છે. મૂળગ્રંથમાં પ્રસ્તાવના અને પ્રસંગે પ્રસંગે મૂકેલા બીજા મળીને લગભગ સોએક શ્લોકો છે. તેમાંના કોઈ કોઈ આમાં લીધા છે, કેટલાકનું પદ્યમાં જ ભાષાંતર આપવાનું ચાપલુ કર્યું છે. અને કેટલાકના માત્ર ભાવાર્થ મૂકેલા છે. ભાષાંતર જેમ બને તેમ સરળ રાખવા પ્રયત્ન કર્યો છે. એકાદ બે સ્થળે જ શ્લિષ્ટ ભાગ દુર્બોધ છે તે સ્થળે ખાસ ટીપ્પણ કર્યું છે.
લિ. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ