________________
૧૨૪
કુમી રાજાનું પતન ભવભ્રમણથી થાકેલાને અતિ જરૂરી -
કુશીલના ભયંકર પરિણામને અને ઉત્તમ ભાવે તથા ગુણેની ઘાતકતાને વિચાર રાખી કુશીલ અને કુશી- લના માર્ગથી દેઢ ગાઉ દૂર રહેવું જોઈએ. ઉત્તમ પ્રકારની શુભ ભાવ-ભાવના અને ગુણે એ તે જુગ જુના મલિન હૃદયને પ્રક્ષાલવાના સુંદર ઉપાય છે. એ અહીં સુલભ છે, અને ભવભ્રમણથી થાકેલા જીવમાત્રને એની આવશ્યકતા છે. એ મહાન પ્રક્રિયાને એક કુટિલ નંદા કુશી. -લના નાદ પાછળું ગુમાવવા જેવી બીજી મૂર્ખાઈ કઈ હોય ? - નગરીના રાજા પ્રગટ થાય છે ,
- કુશીલને ટાળી સુશીલ બન્યા રહેનારની બલિહારી છે. રાજકુમારે એને જીવનભર ખપ કર્યો છે. એને પ્રભાવ આ, કે પેલે હિરણ્યકરટી નગરીને રાજા શરમને માર્યો કંપી ઊઠે છે કે મેટું શું બતાવવું ? પણ પાછું કૌતુક છે કે જે તે ખરો કે “ઉપર શું ચાલી રહ્યું છે ? સમાચાર સાંભળવા અને નજરે જોવામાં ઘણે ફેર, આ રાંકડી શરમમાં આવે અતિ દુર્લભ પ્રસંગ જેવાને ગુમાવીશ તે ગયે વખત એ ફરી નહિ મળે.” એમ હિંમત કરીને એ ઉપર આવ્યા.
અદ્દભુત દર્શન – ' '
બંને રાજા કુમાર મહર્ષિ પાસે આવે છે. ત્યાં શું અદ્ભુત દેખે છે? કલ્પનામાં ન આવે એવું મને રમ -દશ્ય! કે જે જોતાં પત્થર-શે. હૈયા પણ પીગળી જાય. -અને કાયરને ય પાણી ચઢી જાય.