________________
અને ઉત્થાન
૧૫૯
પિતાના જ આત્માની જેને ચિંતા–વિચાર ન હોય, એ સંતાનના આત્માનું શું વિચારે?
દેએ કુમાર મહર્ષિના દર્શન-જ્ઞાન–ચારિત્ર પર સિકકો માર્યો. દેવોને સિકકો એમ ને એમ મળે? ના, સદ્ધર માલ હેય તે જ મળે. એ હતે માટે તે દેવે દેડી આવ્યા ! મહાન જાહોજલાલી કરી દેવીઓ નાચી ઉઠી ! આ બધું બનવા પર બંને શત્ર રાજાઓ અને બીજા કેટલાય સંસારત્યાગી બની એમના શિષ્ય બની ગયા.
બસ, દેવ-દેવીઓ રવાના થયા, આ અધિકાર ત્રિભુવન ગુરુ મહાવીર પ્રભુએ કહેતાં ગણધર ગૌતમ સ્વામીજી પ્રભુને નમસ્કાર કરી હાથ જોડીને પૂછે છે,
હે ભગવાન ! એ મહાયશસ્વી સુગૃહીત નામધેય કુમાર મહર્ષિ આટલા બધા સુલભ બધિ શું થઈ શક્યા ?
ગૌતમ મહારાજને પ્રશ્ન વ્યાજબી છે. અહીં બધિ એટલે માત્ર સમ્યગ્દર્શન નહિ કિન્તુ એ સહિત ઉચ્ચ ચારિત્ર સુધીને ધર્મ “ધિ તરીકે સમજવાને છે. આ વસ્તુ એમને આટલી બધી સુલભ કેમ બની ? એની પાછળ પૂર્વભવની કઈ એવી સાધના કામ કરી રહી છે ? આ પ્રશ્ન છે.
મૌન અને દયાથી સુલભ બોધિ –
ભગવાન કહે છે, “ગૌતમ ! એ પૂર્વ જન્મમાં શ્રમણ મુનિ હતા ત્યારે એકવાર એમનાથી વચનદંડ સેવાઈ