Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 488
________________ અને ઉત્થાન ૪૭ : સા મનની ગાંઠ છૂટે, વિષય મળ્યા વિષ વાત છે કે વિષય સાથે બંધાયેલ મનની ગાંઠ છોડવી નથી, એટલે પછી બિચારું મન ભગવાન તરફ ક્યાંથી દોડે નહીં તે બ્રાહ્મણીએ કરાવેલ તત્વ-દર્શન પર વિદ્વાન પણ ગેવિંદ બ્રાહ્મણે ક્યાંથી ઝુકાવ્યું હોત? એણે છેવટે એ ઓળખ કરાવી દીધી કે – “આ માનવદેહને વિષય મળ્યા એ વિષ મળ્યું સમજો.’ ભલે અત્યાર સુધી મનગમતા ઇન્દ્રિય-વિષ અમૃત જેવા મીઠા લાગતા હતા, પરંતુ એ જીવની અજ્ઞાન દશા, હતી, મૂઢતા હતી. ખરેખર તો એ હળાહળ ઝેર જેવા જ છે, એ રીતની એના તરફ દષ્ટિ બાંધવા જેવી છે. વિદ્વાન બ્રાહ્મણની આ ઓળખ કરાવવા ઉપર જ્યાં મનની વિષય સાથેની ગાંઠ છૂટી ગઈ એટલે લેકોને બ્રાહ્મણી માટે ઊંચે ખ્યાલ અને એણે બતાવેલ શુદ્ધ હિતમાર્ગ ઉપર ભારે આકર્ષણ ઊભું થઈ ગયું. સૌ ઊઠીને બ્રાહ્મણીના ચરણે નમસ્કાર કરે છે. ભગવાન કહે છે, “હે ગૌતમ! પછી તે તે ગેવિંદ બ્રાહ્મણ આદિ અનેક પુરુષો અને સ્ત્રીઓના સમૂહ અલ્પ કાળ જ ટકવાવાળા સ્વજન-મિત્ર-નેહી–પરિવાર તથા ઘરબાર અને વૈભવ-સંપત્તિના સુખને ત્યાગ કરી શાશ્વત શિવ

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498