________________
.૩૦૦
રુમી રાજાનું પતન
ત્યાગથી જ ધરપત ’
એ ગણિત પર મેટા ચક્રવતી પણ દીક્ષા લઈ શકે છે.
ચક્રવતી' મુનિની ભવ્ય સાધના.
એ ‘ત્યાગથી જ ધરપત થવા’ના ગણિત પર રુકમી જીવ ચક્રવતી એ સમસ્ત સમૃદ્ધિ છેડી ! સંસાર ત્યજી સાધુસુનિ અણુગાર બન્યા, સહેજ પણ હૃદયને આંચકા ન આવ્યેા. સાધુપણુ' એટલે કંચન નહિ, કામિની નહિ, ઘરબાર નહિં, સગાં નહિ, વાહન નહિ, ઉઘાડે માથે, ઉઘાડે પગે વિહરવાનું ! નિર્દોષ ભિક્ષા માગી એના પર જ નભાવવાનું ! એમાંય કેટકેટલી તપસ્યાએ, રસત્યાગાદિ, વળી ક્ષુધાદિપરીષહે સહુવાના ! દિન-રાત શાસ્ત્ર-સ્વાધ્યાય, ગુરુસેવામાં મગ્ન રહેવાનું! ચક્રવતીના ઠાઠ-ઠઠારા, માનમખા, સગવડ-સાહ્યખી, ભાગવિલાસ વગેરે છે।ડી આ ચારિત્રજીવન પ્રસન્ન હૃદચે સ્વીકારી લીધું! અને વધતા ઉલ્લાસે પાળવા લાગ્યા !
હવે તે આત્માત્થાન જ કરવા છે, એટલે એના માટે જ્ઞાનીઓએ જે જે કઠિન-કપરી પણ-સાધનાએ બતાવી છે, એ કરવામાં શી સુંવાળાશ ? શે। સકાચ ? કઈ પાછીપાની કરવાની હાય ?