Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 469
________________ ૪૫૨ રુકમી રાજાનું પતને તે શાથી? તમને લાગશે કે “બે સમાન દરદી એક જ જાતની દવા પીએ. તે જેમ બંનેને સરખી અસર થાય, એમ અહીં કેમ ન બને?' પણ ત્યાંય એ નિયમ નથી. એનું કારણ દરદ તે ઉપરથી સમાન દેખાય છે, તાવ છે. કે માથું દુઃખે છે. પરંતુ અંદરના કારણભૂત વાત-પિત્તકફની વિષમ વિચિત્રતારૂપદરદની પરિસ્થિતિ જુદી હોય ત્યાં દવાથી સરખી અસર શી રીતે થાય? તે અહીં પણ એજ તપાસવાનું છે કે સત્ શ્રવણની દવા કેવા વાંધાને લીધે. અસર નથી કરતી? સત શ્રવણની અસર ન થવાનાં કારણે – (૧) એક તે આ, કે ચિત્ત બીજે હોય, તે સાંભળેલું ગ્રહણ જ ન થાય, પછી એની અસર શી રીતે થાય? (૨) બીજું આ, કે ચિત્ત તે સાંભળવા પર રાખ્યું પરંતુ એટલું જ કે એમાં કથાભાગ શે આવ્યો? સચોટ તર્ક-દલીલ શી આવી? અલંકારિક ભાષા કેવી આવી? મહારાજે એમાં તેની ખબર લઈ નાખી? ઈત્યાદિ પર જ ધ્યાન હોય તે કહેવાયેલ મુખ્ય જે ઉપદેશ–અંશ, એનું લક્ષ ન રહેવાથી અસર શી થાય? (૩) વળી, માને ને કે ઉપદેશની વસ્તુ પર ધ્યાન રહ્યું પણ ખરું, કિન્તુ પહેલેથી નક્કી કરીને જ બેઠા હતા કે આપણે જ્યાં છીએ એનાથી આગળ વધાય એમ જ નથી, પછી ભલે ને લાખ સારું સાંભળવા મળે, એની અસર લેવાની વાત જ ક્યાં રહે?

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498