________________
૩૨૬
ફેમી રાજાનું પતન રાણીને પુત્ર રાજ્યગાદી ન પામે અને પિતાને પુત્ર રાજ્ય પામે એટલા માટે એવું ચિંતવેલું કે “આ શાક્યરાણ મરે તે સારું ! જેથી એને દીકરે મારે વશ રહી એવી મારી બેદરકાર સંભાળથી માંડ જીવતે રહે કે એને રાજ્ય ન મળતાં સશક્ત એવા મારા પુત્રને રાજ્યગાદી મળી જાય.” એ ચિંતવનમાત્રના પાપે એને અહીં જન્મતાં જ એની માતાને દેહાંત થયે.
દુઃખદ કુદરત કેણ સજે છે ? :
માણસની કઈ એક પણ સાંસારિક લાલસાનું જોર એવું કુટિલ વાંકું હોય છે કે માણસને એ ભયંકર પાપી વિચારમાં ધકેલી દે છે. આ તે પિતાના પુત્રને રાજ્યગાદી મળે એ લાલસાએ શક્યરાણીના વગર–ગુને એનું મત ચિંતવ્યું. તો એનું દુઃખદ ફળ અંકિત થઈ ગયું. જન્મતાં જ માતાનો વિયેાગ ! આ કુદરત કેણ સજે છે? એને કેણ હટાવી શકે છે? આત્મા પિતે જ મૂર્ખ બની એને ઊભી કરે છે, ને પછી હટાવવાનું એના હાથમાં નથી હતું. હા, પહેલેથી ચેતીને ચાલે અને એ લાલસા કુવિચારથી બચે, તે એવી કુદરત સર્જાતી અટકે. સમજ આ જોઈએ કેમેલી લાલસા-કુવિચારથી બચવા માટે સમજ
“મારા કુવિચારની ઘેરી અસર મારા પિતાના પર એવી પડે જ છે કે જેના દુઃખદ ફળ માટે મારે તૈયાર રહેવું જ પડશે. કુવિચાર તે ક્ષણને અને સરળતાથી