________________
૨૪૪
રુમી રાજાનું પતન પ્રામાણિક-પષ્ટ–સાફ-પવિત્ર દિલને વ્યવહાર કરવાને તે આપણું આત્મામાંથી શિયાળ-કાગડા-બિલાડા વગેરેના. અવતારમાં પિષેલી માયાવૃત્તિના સંસ્કાર નાબૂદ કરવા માટે છે
આ ઉત્તમ મનુષ્યભવ તે જુગજુના તિર્યચાદિભવ-સુલભ દગુણોની કુવાસનાઓ તેડવા માટે છે.
એમાં વળી આ લેથ કયાં ઊંચકવી કે “મારું માન જળવાય ત્યાં તે ગુણ દાખવું, પણ માન હાનિ થતી હોય ત્યાં દુણ ભલે સેવાય ?” દુનિયાના સર્ટિફિકેટ પાછળ મરીએ છીએ એટલે જ દુર્ગણ સેવતાં, દુર્ગણોના પક્ષમાં રહેતાં, આંચકે નથી આવતા. ગુરુ ગંભીર છે એમ આખી દુનિયા ભલે ગંભીર ન હોય, પરંતુ આપણે નિખાલસસાફ-સરળ વ્યવહાર રાખી દિલને પવિત્ર રાખવાનું છે તે આપણી જુગજૂની કુવાસનાઓ તેડી ગુણસ્થાનકમાં આગળ વધવા માટેની ભૂમિકા સજવા માટે. પછી ત્યાં આપણું માન જળવાયા ન જળવાયાનો વિચાર શા માટે કરે ? ભૂલતા નહિ,
ગુણસ્થાનક પર ચઢવા માટેની ભૂમિકા માયાવી-કપટી, મુત્સદ્દી દિલ અને વર્તાવ ઉપર નથી સજી શકાતી. એ માયા-કપટ-મુત્સદ્દીગીરી તે ઉલટું ગુણસ્થાનકની પાયરીએ નીચા ઉતારે છે. ખુદ મેટા મલિનાથ ભગવાનના જીવ જેવાએ પૂર્વ ભવમાં એક બાજુ તે તીર્થકર નામકર્મ ઉપજે એવી કઠોર તપ વગેરે વીસ સ્થાનકની જબરદસ્ત