________________
અને ઉન્માન
૧૨૭ માણસનાં ગુમાન કયાં ટકી શકે ?
કવિ કહે છે કે, “દશ શિર રાવણ રડવડ્યાં, ચાંચ દીએ શિર કાગ રે, ઘેર ઉધમાત મચાવનાર રાવણનું માથું યુદ્ધભૂમિ પર જ્યારે લક્ષમણે ફેકેલા ચક્રથી ખટાક છેદાઈ ગયું હશે ત્યારે એ દશ્ય કેટલું કરુણ હશે ? કુદરત જ જાણે કુરપણે હસી ન રહી હોય ! રાવણની આખી સેના અને મદેન્મત્ત સેનાપતિ-સુભટનાં કાળજા કેવાં કંપી ઊઠયાં હશે ? આ વિચિત્રતા સર્જનાર સંસારની કેવી દુઃખમયતા !
કર્મ–કમહેતુ-કર્મવિપાક –
મહર્ષિ સંસારના વિચિત્ર-વિષમ-વિષમય સ્વરૂપને અતાવવા સાથે એની પાછળ કામ કરી રહેલ જ્ઞાનાવરણીચાદિ આઠ કર્મ અને એના ભેદ-પ્રભેદનું વર્ણન કરે છે, કેવી કેવી રીતે એને બંધ પડે છે, કેટકેટલી દીર્ધ કાળસ્થિતિ હોય છે, કેવા મંદ–તીણ રસ બંધાય છે, એ એ બધું થવામાં નિમિત્તભૂત મિથ્યાત્વ-અવિરતિ-કષાયચાગના વિવિધ પ્રકાર કેવા કેવા સ્વરૂપનાં હેય છે! જીના પ્રમાદ, વિષયલંપટતા, સ્વાર્થ સાધુતા, રાગ-દ્વેષના આવેશ, અજ્ઞાન-મૂઢ દશા, આપમતિ, અહંત વગેરે કરી ભયંકર કર્મ ઉપાવાની મહા મુસ્નઈ, કર્મના દારુણ વિપાક, દુર્ગતિઓમાં દુખની ભઠ્ઠીમાં શેકાવાનું, વગેરે વગેરે એવું વર્ણવ્યું કે સાંભળતાં કમકમી થાય!