Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પ્રથમ પલ્લવ. 37 નિશાળે મૂક્યો. પૂર્વ પૂણ્યના પ્રભાવથી ધન્યકુમારે બહુજ સહેલાઈથી બધી કળા ગ્રહણ કરી, શિક્ષક તે ફક્ત સાક્ષીરૂપજ થયા. સર્વ શાસ્રરૂપી પર્વત પર ચડવામાં નિસરણ જેવું શબ્દશાસ્ત્ર તે તેણે હેડેજ કરી નાંખ્યું. પ્રમાણાદિ ન્યાય વિષયમાં તે સર્વથી હુશિયાર થઈ ગયે. શૃંગારરસના શાસ્ત્રોમાં રહસ્ય તથા અર્થને જાણનારે થયો. કાવ્યકળામાં પોતાની બુદ્ધિથી પૂર્વ કવિઓના કરેલા કાવ્યમાં દેષ તથા ગુણે બતાવવા લાગ્યો. બુદ્ધિ નિર્મળ હેવાથી સાહિત્યના વિષયમાં અવસરચિત વાત કરતાં તે કદિ છેતરાતે નહિ. પુરાણ ગ્રંથમાં પણ તેની બુદ્ધિ ઝળકી નિકળવા લાગી. ગણિત શાસ્ત્ર બરાબર સમજેલ હોવાથી ગ્રહ તથા નક્ષત્રોની સમજુતિ તે બરાબર આપી શકતો હતો. કુશાગ્ર બુદ્ધિવાળો હોવાથી વાદવિવાદમાં જલદી જવાબ આપતા હતા. પ્રહેલિકા, અંતર્લીપિકા, બહિર્લીપિકા વિગેરે અલંકારશાસ્ત્ર તે બાળકની લીલા માફક તે જલદી સમજી ગયે. સમશ્યાઓનો તે તે સાંભળવા સાથે જ ઉત્તર આપતે. જુદી જુદી લિપિઓ વાંચવામાં તે કદિ ખલના પામતે નહિ. લીલાવતી વિગેરે સંખ્યા શાસ્ત્રોમાં તે અસાધારણ જ્ઞાનવાળા બ. વ્યાધિનું નિદાન કરવું, ચિકિત્સા કરવી તથા રોગનું મૂળ કારણ શોધી કાઢવું વિગેરે વૈદ્યક ક્રિયાઓમાં નિઘંટુ વિગેરે શાશ્નોના અભ્યાસથી તે પ્રખ્યાત થશે. સર્વ ઔષધના તથા યેગના પ્રગમાં તે આમ્નાયને સમજનાર થે. વાતે તથા મશ્કરી કરવામાં પોતાની અસાધારણ શક્તિથી તે સામા માણસને તરતજ નિરૂત્તર કરી નાખત. રહસ્ય ન સમજી શકાય તેવા શ્લેકેનિરાકરણ તે ઝટ કરી નાંખતે (સમજાવી શક્તો). નાટ્ય ગ્રંથ રૂપ ' કસટી ઉપર પિતાની મતિરૂપ સુવર્ણ ઘસીને તેણે ઉઘોતિત