Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ચતુર્થ પીવ. 153 પત્રિકાઓની આવજા થવાથી તમારા વચ્ચે ગાઢ સ્નેહ ઉત્પન્ન છે, પરંતુ મળવાનું બની શકતું નહતું; છેવટ કૌમુદી મહેત્સવના અવસરનો લાભ લઈ દેરડાની નિસરણી દ્વારા મળવાને સંકેત કર્યો, તમે બન્ને શરીર અસ્વસ્થ હેવાને બહાને ઘરમાં રહ્યા, રાતના પહેલા ભાગમાં દાસી મારફત નિસરણી મૂકાવી. આ વખતે તારી જાણ બહારની એક વાત બની હતી તે સાંભળ– “તે શહેરમાં એક ધૂતારે રહેતા હતા. તે ધુતમાં બહુ ધન હારી જવાથી દુઃખી થઈ રખડતા હતા. કૌમુદી મહોત્સવને દિવસે જયારે બધા લેકે બહાર ક્રીડા કરવા ગયા ત્યારે કોઈ ગૃહસ્થનું ઘર ફાડવાની ઈચ્છીએ તે એક પહોર રાત ગઈ એટલે ભમ ભમતે કર્મ ને તમારા સંકેતસ્થાન પાસે આવી ચડ્યો. નિસરણી વિગેરે જોઈને સંકેતની કલ્પના કરી લઇ તેદુષ્ટ બુદ્ધિવાળે નિસરણી ઉપર ચડી ગયે. સખીએ નિસરણી ચાલતી જોઈ તેને કહ્યું કે તમે આવ્યા ? ધૂર્તે હા પાડવાથી સખી પણ શેઠિને પુત્ર આ લે છે તેમજ સમજી ત્યાં ઉભી ઉભી તેણીએ તને વધામણી દી તું રાજી થઈ, તે ધૃષ્ટ ધૂતારે આટલું કહેતા વેત ઉપર ચડી આવ્યું. આ વખતે સખીઓના ટોળાને આવતું જઈને દાસીએ દવે ઓલવી નાખ્યો. તેને હાથ ઝાલી દાસીએ તેને તારા પલંગમાં મૂકે. સખીઓને સમજાવી બીજાં કામ માટે મેકલી દીધી. અંધારામાં તે ધૂતારાને રૂપસેન સમજી તે તેને તારી સાથે સંગ કરવા દીધે. પેલી સખીઓ પાછી આવવાના ભયથી તે તેની સાથે વાત પણ કરી નહી. “સંગ મળતાં વાત કરશું તેમ કહી સખીએ તેને જવા કહ્યું. તે સાંભળી તુટેલ હાર વિગેરે લઈ તે ચાલતો થયે.”