Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ - અષ્ટમ પહાવ. 391 તેની સાથે ગઈ; પછી વાસવદત્તા અને વત્સરાજ હરતીની નજીક ગયા. વીણા વગાડવાપૂર્વક બંનેને સ્વરમેળ કરીને એવી રીતે ગીતગાનને આલાપ કર્યો કે જેનાથી તે ગજ તરતજ મદ છોડી દઈને તેઓની પાસે માથું ધુણાવતે આવીને સ્થિર થઇ. ઉભે રહ્યો. વત્સરાજ ઉદાયને બે ઘડી સુધી બહુ પ્રબળ ગીતગાતેથી તેને તૃપ્ત કર્યો, શાંત પાડ્યો, એટલે તે સરલ થઈ ગયે. તે શાંત થતાંજ કુમાર ઠેકડો મારી તેની ઉપર ચઢી બેઠા. પછી સુખેથી બંધરથાને લઈ જઈને તેને દ્રઢ બંધનવડે બાંધી રાજાની પાસે જઈ બધી હકીકત નિવેદન કરી. રાજાએ તે બંનેના ઘણા વખાણ કર્યા અને તેઓને વિસર્જન કર્યા. પછી અભયનું બુદ્ધિ કશૌલ્ય જોઈને બહુ સંતુષ્ટ થયેલ રાજા કહેવા લાગે કે-હે સુબુદ્ધિના નિધાન ! ગૃહ ગમન સિવાય જે કાંઈ ઈચ્છા હોય તે વર માગ.” અભય કુમારે પ્રથમની માફક તે વર પણ થાપણ તરીકે રખા. એકદા વસંતઋતુ આવી ત્યારે આનંદિત થયેલા રાજાએ નગરીની પાસેના ઉપવનમાં ગાંધર્વની ગણીને આરંભ કર્યો. તે વખતે વત્સરાજને યોગધરાયણ નામે મંત્રી તેના સ્વામીની તપાસ કરવા ત્યાં આવ્યું હતું અને ઉજ્જયિનીમાં જુદે જુદે વેષ પહેરીને ત્રિપથ, ચતુષ્પથમાં ફરતો હતો. તે ફરતાં ફરતાં બોલતો કે यदि तो चैव तां चैव, तां चैवायतलोचनाम् / . न हरामि नृपस्यार्थे, नाहं यौगन्धरायणः / આ પ્લેકબેલ બોલતો તેનગરમાં ફરતા હતા, પણ તે પ્લેકને ભાવાર્યકઈ સમજતું નહતું. એક દિવસ તે ફરતે ફરતે રાજ્યમહેલને રસ્તે નીક. પ્રદ્યોતરાજા તેને આ પ્રમાણે બેલ