Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 513 અષ્ટમ પલ્લવ. તેઓ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં મહાક દેવપણે દેવકમાં ઉત્પન્ન થાય છે અને પછી થોડા વખતમાંજ સંસારને અંત કરી મોક્ષમાર્ગ સાધ્ય કરે છે. આ જગતમાં આવા પુરૂષે વિરલ હેયછે–ડા હોય છે કે જેઓ ભગદેવની જેમ ચપળ–ચંચળ ગતિવાળી લક્ષ્મીથી પણ છેતરાતા નથી. જેઓ ત્યાગ, ભેગ, વિલાસ, તથા ઉપકાવડે લક્ષ્મીને રસ ચાખીને પછી તે નિર્માલ્ય છે તેમ ગણી તેને ત્યજી દે છે, તેઓના ગુણે દીર્ધકાળ પયંત ગવાયા કરે છે. તેથી હે કેરલકુમાર ! જ્યાં સુધી અનર્થમાં તત્પર એવી લક્ષ્મી પિતાને છોડે નહિ, ત્યાં સુધીમાં જેઓ તેને છોડી દે છે તેઓ મહાવતા પામે છે; પણ જેઓને લક્ષ્મી છેડી દે છે, તે પુરૂષ આ લેકમાં લધુતા પામે છે, કે જે વર્ણવવી પણ મુશ્કેલ છે. તેથી જો નિરાબાધ સુખની ઇચ્છા હોય તે સર્વ અનર્થના મૂળભૂત રાજયાદિક પરભાવવાળી વસ્તુ ઉપરની મૂછ ત્યજી દઈને સંયમમાર્ગમાં પ્રીતિ કર.” આ પ્રમાણેની કેવળીભગવંતની દેશના સાંભળીને તરતમાં રાય ત્યજવાને અશક્ત હેવાથી આત્માને સંયમમાં રાખવા માટે તેણે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. પછી અરિહંત ભગવંતને નમ કાર કરીને કેરલકુમાર ઘેર ગયે.અને ઘણા કાળ સુધી સભ્યત્વ સહિત શ્રાવકધર્મને કસેટીએ કસીને સંયમ લેવાને તે ઉજમાળ થે. એકદા પાછલી રાત્રિએ ધર્મજાગરણ કરતાં તે ચિંતવવા લાગે કે-“પ્રથમ તે શ્રી જિનેશ્વર ભગવંતે ઉપદેશદ્વારા મને જાગ્રત કર્યો હતું, પણ સંયમ લેવાને અશક્ત એવા મેં તે સમયે ગૃહરધમ અંગીકાર કર્યો હતો તે વ્રતે યથાશક્તિ મેં આજ સુધી પાળ્યા, ઇંદ્રિયસુખ પણ ઈચ્છાનુસાર ભોગવ્યું, હવે કોઈ જાતની ન્યૂનતા રહી નથી. હવે જો મારા પુણ્યાનુબંધી પુણ્યને ઉદય વર્તતે હેય