Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 744
________________ . નવમ પવિ. 705 વાસી આત્માની પરિણતિમાં ફેરફાર થઈ જતાં વાર લાગતી નથી, તેથી ત્યાં સુધી વિલંબ કર એગ્ય નથી, માટે જ્યારે સારા પરિણામ થાય ત્યારે તે કાર્ય તેજ સમયે કરી લેવું. ધર્મની ત્વરિત ગતિ છે.' તે વચન પ્રમાણે ધર્મકૃત્યમાં વિલંબ કરવો નહિ; તેથી મેં તેને મૂર્ખ કહે છે. તે વખતે તે પ્રિયાઓએ વિલાસપૂર્વક નીતિવાક્યને અનુસરીને કહ્યું કે “સ્વામિન ! આ જગતમાં અતિ ઉગ્ર કાર્ય કરવા માટે બેલનારા તે બહુ હોય છે, પરંતુ તે કાર્ય કરવામાં તત્પર તે કોઈકજ માડીજાય હેય છે, સર્વે હેતા નથી. આવી સં. પત્તિ અને સ્ત્રીઓને ત્યજવાને તેજ સમર્થ છે, બીજે દેઈ સમર્થ થાય તેવું જણાતું નથી. તે વખતે એક પ્રિયાએ આગળ થઈને વિલાસપૂર્વક કહ્યું કે–“હાથમાં કંકણ હોય ત્યારે આરીસાનું શું પ્રજન? શાલિભદ્રને બત્રીશ પત્નીને સમૂહ છે, તે તમારે આઠ પ્રિયા છે, જે તમે ખરા શુરવીર હે તે એક સાથે આ બધીને કેમ તજતા નથી? આ પ્રમાણેનું પત્નીનું વાક્ય સાંભળીને હર્ષપૂર્વક ધન્યકુમારે કહ્યું કે–“અહે ! તે સાચું કહું ! કુલવંતી સ્ત્રીઓ પાસેજ આવાં વાક હોય છે કે જે અવસરે તેવાં હિતકારી વાક્ય બોલી શકે છે! હે સ્ત્રી ! હું આજેજ આઠે પ્રિયાને ત્યજું છું.” તે પ્રમાણે કહીને તે જ ક્ષણે બધી પ્રિયાઓને ત્યજી દઈને ચારિત્ર ગ્રહણ કરવાને તેઓ ઉઘુક્ત થયા. પ્રિયાઓને પણ પ્રતિબંધીને ચારિત્ર ગ્રહણમાં તત્પર કરી અને શાલિભદ્રને વિલંબ તેજાવ્યું. આ પણ મોટું આશ્ચર્ય છે. આ પ્રમાણે ધન્યકુમારના ચરિત્રમાં પાંચ મેટા આશ્ચર્યો છે. આ પ્રમાણે ધન્યમુનિ તથા શાલિભદ્ર મુનિનું ચરિત્ર સંસ્કૃત ભાષામાં ગઘબંધવડે મેં રચ્યું તે મારી ચતુરાઈ દેખાડવા માટે, - પંડિતાઈ દેખાડવા માટે અથવા તો બીજા કોઈ ઇર્ષ્યાદિ કારણે

Loading...

Page Navigation
1 ... 742 743 744 745 746 747 748