Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 719
________________ ધન્યકુમાર ચરિત્ર. વિસ્મય તથા હર્ષથી પૂરાયેલા મનેવાળા થયા સતા તેની સ્તુતિ કરવા લાગ્યા કે-“અહો ! અને વૈરાગ્ય રંગ! અહે આનો નિઃસંગતાનો રંગ! અહો ! આનું સત્ત! અહે. આની તત્વ દ્રષ્ટિ! અહે આની ઉદાસીનતા! અહે! આની સંસાર ઉપરથી સહસા પરામુખતા ! અહે! આનું સંયમમાં ઉત્સાહ પ્રાગભ્ય ! અહા ! સુરલેકની ઉપમાવાળી ઋદ્ધિના વિસ્તાર ઉપર આને નિરભિલાષ! અહે! આનું બુદ્ધિશાળીપણું! એની જન્મને ધન્ય છે, તેનું ધન્ય નામ તેણે સાર્થક કર્યું છે. યુવાવસ્થામાં પણ વ્રત લેવાની તેની શક્તિને ધન્ય છે, આ પતિપત્નીનાં સં ગને ધન્ય છે, નિર્વિઘકારી એવા તેમના ધર્મના ઉદયને ધન્ય છે, તેમના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને પણ ધન્ય છે, કેત્તર અને ઉપમા ન આપી શકાય તેવા એના ભાગ્યને પણ ધન્ય છે કે, જગન્નાથ શ્રી વીરભગવંતના હાથે તેઓ દીક્ષા ગ્રહણ કરશે. તેમના જીવિતને પણ ધન્ય છે, આપણી આજના દિવસને અને આપણા જન્મને પણ ધન્ય છે કે, ધર્મમૂર્તિ એવા ધન્યકુમારના આપણને દર્શન થશે. તેવા મહંત પુરૂષોનાં નામ હણથી પણ પાપને નાશ થાય છે.” આ પ્રમાણે સ્તુતિ કરતા હજારે પૌરજને તેમને નમસ્કાર કરવા લાગ્યા. પરજનોથી કરાતી તેવી પ્રસંશા સાંભળતા ધન્યકુમાર ગુણશીલ વનમાં આવ્યા. પૌરજનનાં તથા ઘરનાં માણસે ના મુખેથી તે વૃત્તાંત સાંભળીને લીલાશાળી શાલિભદ્ર પણ સં. વેગથી વ્રત લેવામાં ઉત્સુક થયા પછી માતાની પાસે જઈને યુક્તિપૂર્વક માતાને સમજાવી. માતા પ્રત્યુત્તર દેવાનેજ સક્તિવત થઈ નહિ. પૂર્વે ધન્યકુમારે વચનની યુતિથી તેને શિથિળ કરી દીધી હતી; એટલે શાલિભદ્રને વ્રત ગ્રહણ કરવાને નિ

Loading...

Page Navigation
1 ... 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748