Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 468 ધન્યકુમાર ચરિત્ર. બહુ કલેશ તથા ઘણા પાવડે કદાચ પૂર્વ પુણ્યના ઉદયથી ધન મળે તે પણ તેને સાચવવામાં ઘણું દુઃખ છે, કારણકે ધનને ઘણું ભય છે. કહ્યું છે કે - दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमीभुजो, ग्रणति च्छलमाकलय्य हुतभुग भस्मीकरोति क्षणात् / अम्भः प्लावयते क्षितौ विनिहितं यक्षा हरन्ति ध्रुवं, दुर्वृत्तास्तनया नयन्ति निधनं धिग् बहधीनं धनं // ગેત્રીઓ તેની ઈચ્છા કરે છે, ચેરે ચરી જાય છે, રાજાઓ છળ કરીને ગ્રહણ કરે છે, અગ્નિ ક્ષણમાં ભસ્મીભૂત કરે છે, પાણું પલાળીને નાશ કરે છે, ભૂમિમાં ગોપવીને રાખેલું હરી જાય છે અને છોકરાઓ જે કુમાર્ગગામી થાય છે તે તેને નાશ કરે છે. અહે ! આવાં બહુ જનેને આધીન ધનને ધિક્કાર છે!' bઈ વખતે પાપના ઉદયથી ધનને નાશ થાય તે લેટેમાં વ્યવહાર, આજીવિકા, દ્રવ્યથી મળતું સુખ–તે સર્વને વિરહ થવાથી તે મનુષ્ય મહા વિષાદ તથા શોકને પામે છે. અનેક કવિકથી આકુળવ્યાકુળ થયેલ નિર્ધન માણસ આર્તા અને રૌદ્ર ધ્યાન કરતાં દુષ્ટ એવાં આઠે કર્મો બાંધે છે. લક્ષ્મીના નાશથી વિચારશ્રેણિમાં મૂઢ થઈ જઈને સારે માણસ મરણ પણ પામે છે, અને મરણ પામીને નરક નિદાદિકમાં અપરિમિત દુઃખ પામે છે. વળી કદાચિત્ સુકૃત્યનાં ઉદયથી મળેલું ધન જન્મથી માંડીને મરણપયત સ્થિર થઈને રહે છે તે પ્રકૃતિથી જ દુષ્ટ આશયવાળી તે લક્ષ્મી કામ તથા ભેગને માટે ધનવંતને પ્રેરે છે. કામાસક્ત જીવ કામગને માટે, વિષયલાલસા તૃપ્ત કરવા માટે