Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પંચમ પલ્લવ 205 “કુક્સા તથા ઢોકળાં વિગેરે જે હતું તે ખાધું છે. આ પ્રમાણેની (તેની વાત સાંભળીને સર્વે તેની નિંદા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા–“અહે ! આજે આવા પર્વને દિવસે આવું રસ વગરનું ભેજન તેં કેમ કર્યું ? આજે તે ફક્ત ખીરજ ખાવી જોઈએ.” આ પ્રમાણેની ચારવા આવેલા છોકરાઓની વાત સાંભળીને સંગમ ઘરે આવે અને ડોશીને પગે લાગી કહેવા લાગ્યો કે-“હે માતા ! આજે તે મને ઘી તથા ખાંડવાળી ખીર ખાવા આપ પુત્રનાં આવાં વચન સાંભળી તેડશી રોવા લાગી અને બોલી કે “અહો ! હું એટલી બધી નિધન છું કે મારા એકના એક પુત્રને ખીર ખાવાને મને રથ પણ પૂર્ણ કરવાને શક્તિવાન નથી, તેથી મારા જન્મને અને જીવિતવ્યને ધિક્કાર છે! !" માતાને આ પ્રમાણે રૂદન કરતી જોઈ સંગમે તે વિશેષ રૂદન કરવા લાગે. તેઓનું રૂદન સાંભળી દળે એવી પાડોશી સ્ત્રીઓ એકઠી થઈ ગઇ અને ડોશીને રવાનું કારણ પૂછવા લાગી, ત્યારે ડોશીએ રોતાં રોતાં કહ્યું કે-“હે પુન્યવંતી હેને! આ મારે પુત્ર કોઈ દિવસ કાંઈ પણ ખાવા પીવાને મને રથ કરતે નથી. જે કાંઈ હું આપું છું તેજ ખોય છે, જરાપણ હઠ કરતો નથી. આજે કેઇને ઘેર બૌધકને ખીર ખાતાં દેખીને તે પણ મારી પાસે ખીરના ભજનની માગણી કરે છે. હું તે તદ્દન નિધન છું, તેથી ( પિસ વિન ખીર કેવી રીતે થઈ શકે? તેથી હું રૂદન કરૂં છું.' આ પ્રમાણેના તેનાં દીન વેચને સાંભળીને એક પાડોશણ બેલી કે–“હું તને દુધ આપીશ. તેનું આ પ્રમાણેનું કથન સાંભળી બીજી બેલી કે- “હું તને ચેખા આપીશ.” ત્રીજી બોલી કે-“હું ધી આપીશ.” એથીએ કહ્યું કે “અતિ ઉજવલ એવી ખાંડ હું