Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પવિ. 275 હસીના પાત્ર બનશે.” આ સાંભળીને તેઓ બેલી કે–અરે દિયરજી! તમને તે અમે ઘણા વખતથી ઓળખીએ છીએ, પણ માથા કપટ કરીને તમે તમારી જાતને ગેપ છે, પરંતુ તમારા પુણ્યદયથી ઉત્પન્ન થયેલી તમારા પગપરની નિશાની છુપાવવા તમે શક્તિવાન નથી. તેથી તે મંત્રીઓ આ ધન્યરાજાના અમે પગ જોઈએ, જેથી તે પગે ઉપર રહેલા પદ્મના દર્શન થવાથી અમારા અંતઃકરણમાં પણ નિર્ણય થાય. આ પ્રમાણે કહીને તેઓ તેના પગ દેવા તૈયાર થઇ, એટલે ધન્યકુમાર બેલ્યા– હું પરેસ્ત્રીઓ સાથે આલાપ પણ કરવા ઈચ્છતા નથી, તે પગ દેવાથી તે તમારે દૂર જ રહેવું છે આ પ્રમાણે ધન્યકુમારે તે સ્ત્રીઓને પગ પખાળતી રોકી, તેથી પાસે ઉભેલા પ્રધાને કહેવા લાગ્યા કે-“અરે સાધ ! અરે સ્વામિન શું કરવા નકામા વાર્તાલાપ કરે છે અને નકામે શ્રેમ લે છે? . આ તમારી જ ભાભીઓ છે, તે નિર્ણય અમને થઈ ચૂક્યો છે. આપની જેવા સમર્થ પુરૂષને દંભ પૂર્વક તમારી ભાભીઓ સાથે ગાઈ કરવી કે તેનાથી જાતિને ગોપવવી તે ઉચિત નથી. આ ( સ્ત્રીઓએ પ્રથમ તેમણે અનુભવેલા તમારાં ઘણાં ગુણેનું વર્ણન બહુ પ્રકારે અમારી પાસે કર્યું છે. હમણાં તમારી પ્રવૃત્તિ તેથી કાંઈક જુદા પ્રકારની દેખીને અમારા મનમાં મહાન આશ્ચર્ય થાય છે. પરંતુ સજજન પુરૂષ તે આંબે, શેરડી, ચંદન, અગર, વંશ વિગેરે વૃક્ષો કે જેઓને પત્થરથી તાડના કરે, પીલે, ઘસે, બાળે તથા છેદે તે પણ પારકા ઉપર ઉપકાર કરે છે, તેની જેમ ઉપકાર કસ્નારાજ હોય છે. તમે તે સજજન પુરૂષોમાં અગ્રેસર છે, તેને આ કેમ શોભે? તમારામાં આવા દંભને સંભવજ કેમ - તે