Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 304 ધન્યકમાર ચરિત્ર. તેને દાન અને ભેસમાં વ્યય કરવાવડે મારે કૃતકૃત્ય થાવું; માટે - હવે તે પ્રતાણી વિદ્યા સાધીને હું ઇચ્છિત કાર્ય કરીશ.” આ પ્રમાણે કેહ્યાધિપતિના ધનના વ્યયની વાંછા રાખતે તે મગધ - ચંડિકા દેવીને મંદિરે ગયે. તે શક્તિદેવીને નમસ્કાર કરીને “ત મારા પ્રસાદથી મારા કાર્યની સિદ્ધિ થાઓ' તેવી રીતે બોલીને સાવધાન મનવાળે થઈ તે ચારણ વિદ્યાનું આરાધન કરવા અર્થ મેળવું અથવા તે દેહ પાડું એ મનમાં નિશ્ચય કરીને વિનયપૂર્વક તે દેવી સન્મુખ બેઠો અને વિધિપૂર્વક એકવીશ ઉપવાસ તેણે કર્યો. આ પ્રમાણે તે ચારણે મૌનવ્રત તથા તપ, મંત્ર, જાપ, હેમાદિવડે અનેક પ્રકારે તે મંત્રની અને દેવીની આરાધના કરતાં છેવટે તે ચિંડિક તેના ઉપર પ્રસન્ન થઈ અને પ્રત્યક્ષ થઈને તે ચારણને કહેવા લાગી પુત્ર! તારી ભક્તિવડે હું પ્રસન્ન થઈ છું, જે તારી ઇચ્છા હોય તે વર માગ.” આ પ્રમાણે દેવીની વાણું સાંભળીને તે ચારણ દેવીને નમસ્કાર કરીને માગવા લાગે કે, હે માતા ! હે ઈણિત આપનારી દેવી ! જો તમે મારા ઉપર | સંતુષ્ટ થયા છે, તે મને રૂપિપરવિંર્તીની વિદ્યા અને ગત કાળનું 'સ્મરણ થાય તેવું જ્ઞાન આપે.” ત્યારે દેવી પણ તેના આશય પ્રમાણે ઈચ્છિત વર તેને આપીને અંતર્ધાન થઈ ગઈ. પ્રસન્ન થયેલા દેવતાઓ શું શું આપતા નથી? ત્યાર પછી તે ચારણ અતિશય આનંદ પામતે હર્ષિત ચિત્તવાળ થઈને ત્યાંથી ઉઠી | પિતાને ઘેર ગયે અને પારણું કરીને અવસરની–ગ્ય સમયની રિાહ જેવા લાગે. /\ ; છે હવે એક વખતે ધનકર્મા શેઠ પિતાના કાર્યની સાધના માટે બીજે ગામ ગયે, તે વખતે સમય મળવાથી પેલે ચારણે દેવીએ