Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 388 ધન્યકુમાર ચરિત્ર. હું ગયું હતું. તે કાર્ય સંપૂર્ણ કરીને હું તરતજ અહીં પાછા આવ્યો છું. આ ઘણા વખતના પરિચિત મારા સેવકે મને ઓળખતા જ ન હોય તેમ વર્તે છે, અને મને ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી. " આ પ્રમાણેનાં તે શ્રેષ્ઠીનાં વચન સાંભળીને તે સર્વે પણ વિચારમાં પડી ગયા. “આ ધનકર્મ કોણ? ઘરની અંદર છે તે કોણ? આ જે કહે છે તે પણ સાચું લાગે છે. ઘરની અંદર રહેલ પણ સાચે જણાય છે, આ બેની વચ્ચે કિયે ધનકર્મા સાચે અને કે ખોટ ? અતિશય જ્ઞાની વગર આ વાતને ભેદે કોણ જાણે?” ત્યારપછી તેમાંથી એક બે કે-“ઘરની અંદર રહેલ શ્રેષ્ઠીને બહાર લાવીને બંનેને સંગ કરી મેળવણું કરી જોઈએ, તો 'સત્યાસત્યની તરત પરીક્ષા થશે.” તે સાંભળીને કઈ ખોટા ધનકર્મા તરફથી મળેળ ખાનપાન તથા તેનાં મિષ્ટ વચનથી તૃપ્ત થયેલા તેને આધીન થયેલા બોલી ઉઠ્યા કે_આ ધનર્મા bણ છે? ધનકર્મા તે ઘરમાં રહીને આનંદ કરે છે. આ તે કઈ ધૂતારે અહીં આવેલે જણાય છે. ત્યારે કોઈ બુદ્ધિવંત તત્ત્વગ્રાહી બે કે–“ભાઈઓ ! મને તે આ બહાર ઉભેલે ધનકર્માજ સારો લાગે છે, કારણ કે પ્રકૃતિ અને પ્રાણ સાથેજ જાય છે. કેઈને તત્ત્વજ્ઞાનના શ્રવણથી પ્રતિબોધ થાય, અને કઈ રીતે સ્વભાવમાં પરિવર્તન થાય, પણ મૂળથી તેને સ્વભાવ ફરી જતો નથી. આ ધનકર્મા તે મૂળ પ્રકૃતિવાળે ધનકર્મા દેખાય છે. પ્રકૃતિથી તેનામાં ફેરફાર થયે હોય અથવા તે ફરી ગયે હેય તેમ દેખાતું નથી. ગુરૂમહારાજના ઉપદેશના શ્રવણથી કૂપણ પણ દાનાદિક આપે છે, તે પણ તે યોગ્યયોગ્ય ભેદ પાડીને આપે છે, જેમ તેમ પિતાનું દ્રવ્ય ઉડાવી નાખતું નથી. મોટા કષ્ટવડે અને મહા