Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ચતુર્થ પીંવ. 91 ઉતારી. પછી બીજી જે જે ચીજો તેમાં હતી તે પણ કાઢીને જમીન ઉપર લઈ આવ્યા. એટલે વહાણને તળીઆમાંથી ખારી માટીથી ભરેલા હજારો લટકાઓ નિકળ્યા. રાજા વિગેરે સર્વ લેકે તે જોઈને મનમાં વિચારવા લાગ્યા કે–આ વહાણના માલીકના નગરમાં જરૂર આવી માટીની તાણ હેવી જોઈએ, તેથીજ કઈક ' બંદરમાંથી આ મીઠાથી ભરેલા લેટકાઓ લઇ લીધો જણાય છે.' 0 રાજાએ પ્રતિષ્ઠાનપુરના શેડીઆઓને બોલાવીને બધી વેચવાની ચીજ બતાવીને કહ્યું કે શેઠીઆઓ! આ વહાણની ચી તમને કેઈને ખોટ ન જાય તેવી રીતે વેપારીવર્ગમાં અપાતી કિંમત દઇને તમે લઈ જાઓ, એટલે તેની અંદરથી તમને સહુ સહુના ભાગ્ય પ્રમાણે લાભ મળશે. રજાનું કહેવું સાંભળીને વેપારીઓ અંદર અંદર વિચારવા લાગ્યા કે–“રાજાને વેચવાની આ સર્વ ચીજો બધા વેપારીઓને લાવીને વેંચી લઈએ, એટલે રાજાને આપવાની કિંમત સર્વે મળીને આપી દેય, એકથી કાંઇ એટલે બધે બેજો ઉપાડી શકાય નહિ, માટે આવતી કાલે બધા વિપારીઓને બોલાવી યોગ્યતા પ્રમાણે વહેંચીને આપણે લઈ જશું.' આ પ્રમાણે વિચાર કરી રાજાને કહીને સહુ સહુને ઘેર ગયા. 0 પછી સવારના ફરી મળ્યા ત્યારે એક જણે કહ્યું કે- ધનસારને ઘરેથી કેઈ આવ્યું નથી, માટે તેને પણ આપણે આમંત્રશું કરવું જોઈએ. એટલે તેઓએ ધનસારને ઘરે બોલાવવા એક માણસને મેક. ધનસારે પિતાના ત્રણે મોટા પુત્રને જવાની Xઆજ્ઞા કરી એટલે હૃદયમાં ઈર્ષ્યાથી બળતા તેઓએ કહ્યું કેપિતાજી! અમને શા માટે મેકલે છે? આપના હુંશિયાર પુત્રને શા માટે એકલતા નથી? તેને મેકલે. એટલે ચીજ લેવામાં તેની