Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
[णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स.] श्री वंदित्तुसूत्रनी आदिमां मंगल तरीके उच्चारवामां आवतो | શ્રી નવકાર મહામંત્ર : સાર્થ છે.
શ્રી જિનશાસનમાં ચૌદપૂર્વના સાર તરીકે પ્રસિદ્ધ એ શ્રી પંચપરમેષ્ટિને નમસ્કારરૂપ મહામંત્ર નવકાર સર્વમંગલમાં શ્રેષ્ઠ ભાવમંગલ છે. આમ તો તે ભાવમંગલ, તપ વિગેરે અનેક પ્રકારે છે, છતાં પણ આ પરમેષ્ઠી પંચકને નમસ્કારરૂપ ભાવમંગલ, “પરમેષિઓનું મંગલપણું–લોકોત્તમપણું અને શરણપણું કહેલ હોવાથી વિશેષ કરીને ઉપાદેય છે. વારિ મં&િ૦ આદિ ગાથાઓ વડે અરિહંત, સિદ્ધ અને સાધુઓને મંગલ તરીકે જણાવેલ છે.
અને નવકારમાં જણાવેલા તે પાંચ પરમેષ્ઠિને કરવામાં આવતા નમસ્કારનું સર્વ પાપને નાશ કરવાપણું હવાવડે કરીને સર્વવિદોને શાંત કરવાનું હતુપણું હોવાથી ભાવમંગલપણું છે. કહ્યું છે કે:-us v% નમરા, સર્વપાપકનારાના મકાનાં જ , પ્રથમ મતિ મફ૪૬ શા ” અર્થ-આ પંચપરમેષ્ઠિને કરાતે નમસ્કાર, સર્વ પાપનો પ્રકા, પણે નાશ કરનાર છે, અને સર્વમંગલેમાં પ્રથમ મંગલરૂપ થાય છે. આ ૧
આ પંચ પરમેષ્ઠીને કરવામાં આવનાર નમસ્કાર એ પ્રમાણે પાપનાશક તેમજ શ્રેષ્ઠ મંગલરૂપ હોવાથી જ તે પંચપરમેષ્ટિ નમસ્કારને સમરત શ્રુતસ્કંધની આદિમાં લેવાય છે. અને તેથી જ તે નમસ્કારને “વહુચરāપડદમંત મૂળો –સમસ્ત શ્રુતસ્ક ધોની અંદર હોવા તરીકે જણાવાય છે. આથી કરીને જ (આ શ્રી વંદિત્તસૂત્ર નામક) શાસ્ત્રની આદિમાં પાંચ પરમેષ્ઠીના નમસ્કાર રૂ૫ નવકાર મહામંત્રને બેલવામાં આવે છે કે____ " णमो अरिहंताणं ॥१॥ णमो सिद्धाणं ॥२॥ णमो आयरियाणं ॥३॥ णमो उवज्झायाणं ॥४॥ णमो लोए सव्वसाहूणं ॥५॥ एसो पञ्च नमुक्कारो ॥६॥ सवपावप्पणासणो ॥७॥ मङ्गलाणं च सवेसिं ॥८॥ पढमं हवइ मङ्गलम् ॥९॥
અહિં, આ નવકાર મહામંત્રના “શ્રી ભગવતી સૂત્રને આધારે 'એકેક પદને વિસ્તારથી કમસર અર્થ અપાય છે.
આ નવકાર મહામંત્રમાંની બળો દિંતાળ” સંપદામાં જે “નમ:' પદ છે તે “રેવાશં પદ છે. એટલે કે–અરિહંત પદથી માંડીને સાધુપદ સુધીમાં આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org