________________
મારવાડ
[૪૫
ખડું કરેજ છે–બતાવેજ છે. આવા ધનાઢય અને જેનોની મોટી વસ્તીવાળા પ્રાન્તમાં તો કઈ સારા સ્થળે બધાઓના સંગઠન પૂર્વક એક વિશાળ ગુરૂકુલ ખોલવામાં આવે, તો ડાં વર્ષોમાં આ દેશ પ્રકાશમાં આવી શકે. પરતુ ચૌદમી સદીમાં જીવી રહેલી પ્રજા અને વાતવાતમાં ઝઘડા ઉભા કરનારી પ્રજા આટલા સંગઠનની સ્થિતિએ આવે, એને તે કદાચ સે વર્ષ જોઇશે. જાલોરનો કિલ્લે
આ પ્રાન્તમાં કેટલાંક દર્શનીય સ્થાને, ઇતિહાસ અને પુરાતત્વના શોખીનને માટે પણ ઘણાં ઉપયોગી છે. આવાં સ્થાનમાં “જાલોરને કિલ્લો ” એ સારામાં સારું સ્થાન ગણી શકાય. “ જાલોરને કિલ્લે” એ ઈતિહાસ પ્રસિદ્ધ એક વખતનો સુવર્ણગિરિ છે. જેનશાસ્ત્રોમાં સુવર્ણ ગિરિ, કનકાચલ, સુવર્ણચલ, સુવર્ણભૂભૂત કલ્યાણભૂધર, કાચનગિરિ, કનકાદિ, સુવર્ણશૈલ વિગેરે અનેક નામોથી એને ઉલ્લેખ મળે છે. આ પર્વતના ઉલ્લેખ સાથે જાવાલિપુરનો ઉલ્લેખ પણ આવે છે. આ જાવાલિ પુર એજ આ સુવર્ણગિરિની તળેટીમાં વસેલું અત્યારનું જાલોર છે.
આચાર્ય મેરૂતુંગસૂરિએ, પિતાના “વિચારશ્રેણી” ગ્રંથમાં રાજા નાહડના રાજ્યકાલનું વર્ણન લખ્યું છે. એમાં જણાવ્યું છે કે –
નાહડ રાજાના વખતમાં ૯૯ લાખ રૂપિયાની મિલકત ધરાવનારાઓને પણ જ્યાં રહેવાને સ્થાન નહોતું મળતું, એવા જોરની પાસેના સુવર્ણગિરિ પર્વતના શિખર ઉપર “ ચક્ષવસતિ ” નામને મહાવીર સ્વામિને મહાપ્રસાદ તૈયાર થયે.”
આ કથન બતાવી આપે છે કે એક વખતે આ કિલ્લા ઉપર કરડાધિપતિજ રહેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org