________________
વિહારમાં પ્રવૃત્તિ
[૧૭
ઉત્તર– હા, એકલાં નહિં, મદિરાની સાથે. પ્રશ્ન- દારૂ પીઓ છે ? ઉત્તર- એકલો નહિં, વેશ્યાની પાસે બેસીને. પ્રશ્ન- વેશ્યાને ત્યાં જાઓ છો? ઉત્તર- હા, દુશ્મનના માથા ઉપર પગ મૂકીને. પ્રશ્ન- તમારા જેવા સાધુને દુશ્મન છે? ઉત્તર- હા, ચોર છું. રેજ ચોરી કરું છું. પ્રશ્નન- તમે સાધુ થઈને ચોરી કરે છે ? ઉત્તર- હા, જુગાર ખેલવો પડે છે, પૈસા ક્યાંથી કાટું? પ્રશ્ન- ત્યારે શું તમારામાં બધા યે દુર્ણ છે?
ઉત્તર- હા, જે માણસ નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે, આચાર ચૂકી જાય છે, એનામાં કોઈ વિચાર રહેતું નથી.
ભેજ રાજાને માલૂમ પડયું કે આ કેઈ સાધુ ફકીર નથી, પણ કાલીદાસ પંડિત છે. રાજાને ખાતરી થઈ કે ખરેખર એક પગથિયું ચૂકનાર નીચે જ પડે છે.
આજના ગૃહસ્થોનો ગૃહસ્થાશ્રમ જૂઓ. હજારે લાખે ઘરમાં દેખાય છે ક્યાંય શુદ્ધ ગૃહસ્થાશ્રમ ? સાધુઓના પતનમાં પણ એ ગૃહરો તરફથી મળતાં પ્રલોભનો વધારે કારણભૂત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org