________________
૧૭૬ ]
- મારી સિંધયાત્રા
સંસ્થાઓ ચાલી રહી છે કે જે બધાને ઉલ્લેખ આ સ્થાને બિલકુલ અશકય છે.
પ્રભુતત્વ પ્ર. મંડળ
હા, ગુજરાતી તરીકેનું અભિમાન રાખનાર, બધી કામમાં એક્ય અને પ્રેમભાવ ઉત્પન્ન કરાવવા માટે પ્રયત્ન કરનાર અને જાહેર જીવનમાં જ પોતાની જીંદગી અપ ચૂકેલ શ્રીયુત જમીયત આચાર્ય અને ભાઈ નરીમાન ગોળવાળાના નેતૃત્વ નીચે ચાલતુ “પ્રભુત્વ પ્રચારક મંડળ પણ ભૂલી શકાય તેમ નથી. આ મંડળ ઉદાર ભાવે, સર્વ ધર્મોની વચમાં પ્રેમવૃદ્ધિ ઉત્પન્ન કરવાના અને દરેક ધર્મવાળાઓને બહુ જ નજીકમાં લાવવાના બની શકતા દરેક પ્રયત્ન કરે છે. ગુજરાતીઓની ઉદારતા
- કરાચીના ગુજરાતીઓનું સ્થાન ન કેવળ એક પિતાના દાયરા પૂરતું જ મર્યાદિત છે. આજે ભારતના કેઈ પણ ખૂણામાં ધરતીકંપ થાય કે દુકાળ પડે, જલપ્રલય થાય કે ગોળીબાર થાય, સત્યાગ્રહ થાય કે હિઝરત થાય ગમે તે પ્રસંગે કરાચીના ગુજરાતીઓ તન-મન-ધનથી મદદ કરી, એક ગુજરાતી તરીકેનું પોતાનું મસ્તક ઉંચું રાખે છે. કરાચીમાં થતા ફાળાઓમાંથી જે ગુજરાતીઓનો ફાળો બાદ કરવામાં આવે, તો ભાગ્યે જ કોઈ પણ ફાળામાં જીવન જેવી વસ્તુ જોઈ શકાય. રાજકીય પ્રવૃત્તિ
ન કેવળ ગુજરાતીઓએ સામાજિક, ધાર્મિક કે વ્યાપારિક પ્રવૃત્તિમાંજ પિતાનું સ્થાન રાખ્યું છે. રાજકીય પ્રવૃત્તિમાં પણ ગુજરાતીઓનું સ્થાન નીચે તો નથી જ. સિંધની ધારાસભામાં ભાઈ જમશેદ મહેતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org