Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/034020/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેાતીચંદ્ર કાપડિયા ગ્રંથમાળા ગ્રંથાંક-૫ શ્રી આનંદઘન-ચોવીશી [ પાઠાંતર, શબ્દાર્થ, અર્થ, શ્રી જ્ઞાનવિમલસૂરિષ્કૃત ટખાના આધુનિક ભાષામાં અવતરણ તથા વિવેચન સહિત ] લેખક સ્વ, મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા ખી. એ., એલએલ. ખી., સોલિસિટર અને નેટરી પબ્લિક સંપાદક રતિલાલ દીપચંદ્ભ દેસાઈ SINCE 1915 શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજયસ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : હિતેશ ચીમનલાલ દોશી મુકેશ ભાયચંદ મહેતા હસમુખ ઉગળચંદ ગઢેચા માનદ્ મંત્રીશ્રીઓ – મુખ્ય કાર્યાલય શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્યસ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. Email: headoffice@smiv.org પ્રાપ્તિ સ્થાનો: (૧) શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્યસ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. ફોન નં. ૦૨૨-૨૬૭૧૮૬૪૧ (૨) શ્રી મહાવીર જૈન વિદ્યાલય હીલ ડ્રાઈવ, તળાજા રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૨. ફોન નં. ૦૨૭૮-૨પ૬૩૯૬૯, Email: bhavnagar@smjv.org પહેલી આવૃત્તિઃ વિ.સં. ૨૦૨૬ : શ્રાવણ વીર નિર્વાણ સંવત : ૨૪૯૬ ઈ.સં. ૧૯૭૦: ઑગસ્ટ દ્વિતિય આવૃત્તિ ઃ વિ.સં. ૨૦૪૧ : ચૈત્ર વીર નિર્વાણ સંવત : ૨૫૧૧ ઈ.સં. ૧૯૮૫ : માર્ચ તૃતિય આવૃત્તિ: વિ.સં. ૨૦૭૩: શ્રાવણ વીર નિર્વાણ સંવત : ૨૫૪૩ ઈ.સં. ૨૦૧૭ : ઑગસ્ટ કિંમતઃ ૨૨૦/નકલ : ૭૫૦ મુદ્રક: વિનાયક પ્રિન્ટર્સ વિજ્ઞાપન ભવન, તાર ઑફિસ સામે, ભદ્ર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. (મો) ૯૯૭૯૨૦૬૦૬૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન (ત્રીજી આવૃત્તિ પ્રસંગે) શ્રી આનંદઘન ચોવીશી ગ્રંથની સતત વધતી જતી માગને સંતોષવા ગ્રંથનું પુનઃમુદ્રણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્માનુરાગી અભ્યાસુ ભાઈ-બહેનોની ગ્રંથની માગણી સંતોષવા અમે હર્ષ અનુભવીએ છીએ. આ નવસંપાદન પૂ. કનકચંદ્ર શાહની પ્રેરણાથી શ્રી જૈન ધર્મ પેઢી શ્રી શ્રીમાળી પોળ જૈન સંઘ, ભરૂચની ઉદાર સહાયનું શુભ પરિણામ છે. શ્રી સંઘની અમે ભરિ ભુરિ અનુમોદના કરીએ છીએ. તેમજ આ સંસ્થાના ટ્રસ્ટીગણ અને અન્ય મહાનુભાવોએ આ પવિત્ર કાર્યની સફળતા માટે અમને સર્વ સહકાર આપ્યો છે. કૃતજ્ઞતાપૂર્વક અમે એમનો આભાર માનીએ છીએ. પુનઃમુદ્રણ કાર્ય અતિ સુંદર રીતે કરનાર શ્રી નૌતમભાઈ રતિલાલ શાહનો અને મુફ રીડીંગનું વિકટ કાર્ય પણ એટલી જ સુંદર રીતે કરવા માટે શ્રી શ્રેણિકભાઈ કીર્તિભાઈ શાહના અમે ઋણી છીએ. એમનો પણ આભાર માનીએ છીએ. લિ. ભવદીય હિતેશ ચીમનલાલ દોશી મુકેશ બી. મહેતા હસમુખ યુ. ગઢેચા માનદ્ મંત્રીશ્રીઓ સ્થળ : મુંબઈ. તા. ૨૪/૦૮/૨૦૧૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન (બીજી આવૃત્તિ પ્રસંગે) જેઓનું નામ અને કામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સાથે સતત જોડાયેલ છે તે સ્વ. શ્રી મોતીચંદભાઈ કાપડિયાને રોજ સામાયિક કરીને લખવાનો નિયમ હતા. એમણે ઊંડા શાસ્ત્રાભ્યાસને કારણે યોગીરાજ આનંદઘનજીના તાત્વિક સ્તવનેનું ગહન ચિંતન-મનન કર્યું હતું. આ રીતે “શ્રી આનંદઘનજી ચોવીશી'ની કૃતિનું સર્જન થયું છે. પરિણામે શ્રી આનંદધનજીની રચેલ સવે કૃતિઓ સરળ અને કપ્રિય શબ્દાર્થ અને ભાવાર્થ વાચકોને કંઠસ્થ કરવાનું સરળ થઈ રહ્યું છે. - શ્રી આનંદધન ચોવીસીનું સંપાદન વિદ્વાન વિચારક, ચિંતક અને લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ કરતાં આ ગ્રંથની સામગ્રીની વિશેષતા અને ચાહના વધી છે. આ ગ્રંથ ઉપરનું સંપાદકીય વિવેચન બહુ સરળ અને સાદી ભાષામાં આલેખાયેલ હોઈ સામાન્ય વ્યક્તિ પણ તુરત ગ્રહણ કરી શકે છે, અને સંશોધકોને નવી કેડી પ્રાપ્ત થાય છે. પરિણામે શ્રી આનંદધનજીની કૃતિઓની વિશેષતા નો વિચારપ્રવાહ પૂરો પાડે છે. આ ગ્રંથની સતત માગણી રહેતાં, તેનું પુનઃમુદ્રણ થયું છે. જિજ્ઞાસુ અને વાંચકોને આ પ્રકાશન જરૂર ઉપયોગી થશે અને લાંબા સમયની વાંચકેની જરૂરિયાત આ રીતે સંસ્થા દ્વારા સંતોષાય છે અને અમને આનંદ છે. આ ગ્રંથનું સ્વચ્છ અને સુઘડ મુદ્રણ અમદાવાદના શારદા મુદ્રણાલયે કરી આપ્યું, તેના પ્રફ રીડિંગનું કામ શ્રી રોહિતભાઈ શાહે સંભાળી લીધું અને બાઈડિંગ ભગવતી બાઇડિંગ વર્કસવાળા શ્રી નાનાલાલ વ્યાસે કરી આપ્યું છે, તેઓ સર્વે પ્રત્યે અમે કૃતજ્ઞતાની લાગણીઓ દર્શાવીએ છીએ. ઓગસ્ટ ક્રાંતિ માગ મુંબઈ-૪૦૦૦૩૬ ચૈત્ર સુદિ ૧૩, બુધવાર તા. ૩-૪–૧૯૮૫ જયંતિલાલ રતનચંદ શાહ જગજીવન પોપટલાલ શાહ ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ મંત્રીએ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રી મહાવીર જૈન વિદ્યાલયના નામ અને કમને વિચાર કરીએ અને સ્વર્ગસ્થ સ્વનામધન્ય શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાનું પુણ્યસ્મરણ ન થઈ આવે એવું બને જ નહીં : એવા ગાઢ આત્મીય ભાવે તેઓ વિદ્યાલય સાથે સંકળાયેલા હતા. વિદ્યાલયની સ્થાપનામાં, એના કારોબારને સુવ્યવસ્થિત બનાવવામાં, એને આર્થિક દૃષ્ટિએ પગભર કરવામાં, ઝંઝાવાત જેવી મુસીબત વખતે એના અસ્તિત્વને ટકાવી રાખવામાં અને સ સ્થાના વિદ્યાથીઓના સંસ્કાર ઘડતરમાં તેઓએ જે લાગણી અને નિષ્ઠાભરી કામગીરી બજાવી હતી તે બેનમૂન અને અન્ય સંચાલકોને માટે ઉત્તમ આદર્શની કે પ્રકાશની ગરજ સારે એવી હતી. સાચે જ, તેઓ સંસ્થાના પ્રાણ હતા, અને એમના રમામમાં સંસ્થાના હિત અને વિકાસની તમન્ના ધબકતી હતી. શ્રી મોતીચંદભાઈના જીવનમાં જેમ સમાજ કલ્યાણની ભાવના ઓતપ્રેત બનેલી હતી, તેમ ધર્માનુરાગ અને વિદ્યાનુરાગ પણ એમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા. એમની ધર્મભક્તિ બાહ્યાડંબરી કે ઉપરછલ્લી રહેવાને બદલે જીવનસ્પશી બની હતી; અને તેથી એ એમને ધર્મશાસ્ત્રોના અવલોકન-અધ્યયન -ચિંતન તરફ દોરી ગઈ હતી : શાસ્ત્રીય વિષયોનું અધ્યયન અને આલેખન એ એમને નિત્ય ક્રમ બની ગયું હતું. સંખ્યાબંધ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેઓ સ્વસ્થ ચિત્તો સમાયિક કરવાનું ન ચૂકતા, અને એમાં શાસ્ત્રીય વાચન-મનન અને લેખનનું કાર્ય અવિરતપણે કરતા. ઉપમિતિભવપ્રપંચાકથા, અધ્યાત્મકલ્પદ્રુમ કે શ્રી આનંદધનજીનાં પદો જેવા પ્રાચીન, દુર્ગમ ગ્રંથનું સરળ-સુગમ-રોચક ભાષાંતર કે વિવેચન, એ એમના સામાયિકનું જ ફળ લેખી શકાય. પ્રાચીન ધર્મગ્રંથનાં ભાષાંતર વિવેચન ઉપરાંત તેઓએ કેટલીક સ્વતંત્ર કૃતિઓ પણ ચી છે. આ ઉપરથી એમ કહી શકાય કે ધર્માત્મા પૂણિયા શ્રાવકનું સામાયિક એક રીતે અમર બની ગયું, તે શ્રી મોતીચંદભાઈ સામાયિક સાહિત્યસનરૂપે, બીજી રીતે, યાદગાર બની ગયું ! “શ્રી આનંદધનપદ્યરત્નાવલી” (બીજી આવૃત્તિ “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ પહેલે)ની પ્રસ્તાવનામાં તેઓએ પોતે જ કહ્યું છે કે “દરરોજ સવારના સામાયિક કરવાના નિયમનું આ પરિણામ છે.” આજે “શ્રી આનંદધન ચોવીશી”ને આ દળદાર ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે તે પણ શ્રી મોતીચંદ ભાઈના સામાયિક અને શાસ્ત્રાભ્યાસનું જ સુપરિણામ છે. પિતાના અવસાનના છ-સાત મહિના પહેલાં– સને ૧૯૫૦ ના ઑગસ્ટ માસમાં–જ શ્રી મોતીચંદભાઈએ આ ગ્રંથ પૂરો કર્યો હતો અને પ્રકાશન માટે વિદ્યાલયને સોંપ્યો હતો. આજે વીસે વર્ષ એ ગ્રંથ પહેલી જ વાર સંસ્થા તરફથી પ્રગટ થાય છે. અને વિદ્વાનો અને જિજ્ઞાસુઓ સમક્ષ આ કૃતિ રજૂ કરવાનો સુઅવસર અમને સાંપડે છે, એને એમને ખૂબ સંતેષ અને હર્ષ છે. આવા પ્રસંગે શ્રી મોતીચંદભાઈની વિશિષ્ટ શક્તિઓ અને અનેકવિધ સેવાઓને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ થઈ આવે એ સ્વાભાવિક છે. અમે તેઓના પવિત્ર આત્માને અમારી ભાવભરી અંજલિ અર્પણ કરીએ છીએ. આ ગ્રંથમાં, શ્રી મોતીચંદભાઈએ યોગીરાજ શ્રી આનંદધનજીએ રચેલ તાત્ત્વિક અને આધ્યાત્મિક સ્તવનના પાઠાંતર, અર્થ, શબ્દાર્થ તથા શ્રી જ્ઞાનવિમલસૂરિકૃતિ ટકાને સાર આપવા સાથે, બધાંય સ્તવનોની એકએક કડીનું સવિસ્તર વિવેચન કર્યું છે. અને તેથી આ ગ્રંથ પણ, એમના બીજા કેટલાક ગ્રંથની જેમ. Page #6 -------------------------------------------------------------------------- ________________ ઠીક ઠીક માટે બને છે. શ્રી મોતીચંદભાઈના “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ બીજે નામે વિવેચન ગ્રંથની જેમ, આ ગ્રંથનું સંપાદન પણ ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈને સોંપવામાં આવ્યું હતું. એ કામ તેઓએ પૂરું કરી આપ્યું, તેને અમને આનંદ છે, અને તે માટે એમને ધન્યવાદ ઘટે છે. શ્રી આનંદઘનજીનાં સ્તવને તેમ જ શ્રી મોતીચંદભાઈના વિવેચન વગેરે અંગે કે સમગ્ર રીતે આ ગ્રંથ અંગે જે કંઈ કહેવા જેવું છે તે વિશે તેઓએ એમના સંપાદકીય નિવેદનમાં લખ્યું છે, એટલે એ બાબતમાં અમારે કંઈ કહેવાનું રહેતું નથી. આ ગ્રંથનું સ્વચ્છ–સૂધડ મુદ્રણ અમદાવાદના સુપ્રસિદ્ધ મધુરમ ટાઈપ સેટિંગ્સ કરી આપ્યું છે. અને એનું બાઇડિંગ સાંભારે એન્ડ બ્રધર્સે કરી આપ્યું છે. એ બન્નેને અમે આભાર માનીએ છીએ. શ્રી આનંદઘનજીની ખૂબ જાણીતી છતાં અત્યાર લગી અલ્પવિચિત આ કાવ્યકૃતિઓ જેટલી દુર્ગમ અને અર્થગંભીર છે, એટલી જ, એને અર્થ ફુટ થતાં, નિજાનંદ ઉપજાવે એવી હૃદયસ્પર્શી છે. શ્રી મોતીચંદ ભાઈની જ્ઞાને પાસનાની પ્રસાદીરૂપ આ વિવેચનથી આ કૃતિઓ સુગમ અને વિશેષ આસ્વાદ્ય બનશે, એવી અમને ઉમેદ છે. ઓગસ્ટ ક્રાંતિ માર્ગ ચંદુલાલ વર્ધમાન શાહ મુંબઈ-૨૬ જયંતીલાલ રતનચંદ શાહ વિ. સં. ૨૦૨૬, જેઠ વદિ ૯ બાલચંદ જી. દોશી તા. ૨૭-૬-૧૯૭૦ માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય Page #7 -------------------------------------------------------------------------- ________________ સપાદકીય સ્વગ`સ્થ શ્રીયુત મોતીચ ંદભાઈ ગિરધરલાલ કાપડિયાની ધમ`રુચિ અને વિદ્યાપ્રીતિ જાણીતી હતી. એમના વનમાં સધાયેલ ધર્માં અને વિદ્યાના સુમેળને લીધે તે ધમ શાસ્ત્રોના અભ્યાસ તરફ સારી રીતે આકર્ષાયા હતા, એટલું જ નહી, ધર્માંત્ર થાનુ સતત અધ્યયન અને ચિ ંતન તેમ જ ધર્માંતŌાના પરિચાયક અને ધર્મોસંસ્કારોના પોષક સાહિત્યનું સર્જન, એ એમના જીવનનો નિત્યક્રમ બની ગયા હતા. સાહિત્યના અવલાકન અને આલેખનની આવી ઉત્કટ રુચિને લીધે તે સોલિસિટર જેવા ગંભીર વ્યવસાય વચ્ચે તેમ જ રાષ્ટ્રીય, સામાજિક અને શિક્ષણને લગતી જવાબદારીભરી સંખ્યાબંધ પ્રવૃત્તિએની વચ્ચે પણ ચિત્તની સ્થિરતા, બુદ્ધિની નિમ`ળતા અને આત્માની સ્વસ્થતારૂપે નિજાન ંદનો અનુભવ કરી શકતા હતા, અને પોતાના સમગ્ર જીવનને ધાર્મિકતા અને સંસ્કારિતાથી સુરભિત બનાવી શક્યા હતા. વિદ્યાપરાયણતા, ધામિ`કતા અને સંસ્કારપરાયણતારૂપ ત્રિવેણીસ ગમ સાધીને તેએએ પોતાના જીવનને કૃતાથ બનાવ્યું હતું. તેની ધાર્મિકતા કદાગ્રહી સાંપ્રદાયિકતા, અંધશ્રદ્ધાભરી સંકુચિતતા અને મા` ભુલાવનાર અહંકારથી મુક્ત, વ્યાપક તેમજ ગુણાની ચાહક હતી તેથી જ તેઓ જૈન ધ શાસ્ત્રોની જેમ અન્ય ધર્મના સાહિત્યનું પણ આદરપૂર્વક વાચન-મનન કરી શક્યા હતા. આમ તે। શ્રી મોતીચંદભાઈ એ અનેક વિષયના ધર્મગ્રંથાનુ અધ્યયન કર્યું હતું અને એમાંના કેટલાક ગ્રંથાનું ભાષાંતર કે વિવેચન પણ કર્યુ` હતુ`. પણ, એમ લાગે છે કે, યોગીરાજ શ્રી આન દધનજીએ એમના ચિત્ત ઉપર જાણે એક જાતનુ કામણ કર્યું હતું; અને એને લીધે તે, પદો અને સ્તવનારૂપે વ્યક્ત થયેલી, એમની તાત્ત્વિક અને મસ્તીભરી બધીય કાવ્યકૃતિએ મ`સ્પશી અને સ`ગ્રાહી અભ્યાસ કરવા પ્રેરાયા હતા. મમી. આનંદધનછની ચિંતનપૂર્ણ કાવ્યકૃતિના મમ'ને પામવામાં દિવસેા અને મહિનાઓ સુધી સહયતા અને નિષ્ઠાભર્યો પ્રયત્ન કરવામાં તેઓએ કયારેય સમયના લાભ ર્યાં નથી; ઊલટું, એ રીતે સમયને ઉપયોગ કરવામાં તેઓએ એક પ્રકારના આંતરિક સ ંતોષ અને આહ્લાદને જ અનુભવ કર્યાં હતા. યાગપુરુષ આન ધનજી સાથે શ્રી મોતીચંદભાઈના સવ યાગ જાણે એકરૂપ બની ગયા હતા. તેથી જ વિ. સં. ૧૯૬૭થી શરૂ થયેલ તેના આનદધન-સ્વાધ્યાય છેક વિ. સં. ૨૦૦૬ સુધી, લગભગ ચાર દાયકા સુધી, છૂટક છૂટક ચાલતા રહ્યો હતા ! અને એના પરિપાકરૂપે તેઓ શ્રી આનદધનજીની સમગ્ર કાવ્યકૃતિનું (૧૦૮ પદો અને ૨૨+૬ ક્ષેપક મળીને કુલ ૨૮ સ્તવનાનું) સવિસ્તર વિવેચન લખી શકયા હતા. આ પદોના અભ્યાસની શરૂઆત કેવી રીતે થઈ, તે અંગે શ્રી મેાતીચંદભાઈ એ પોતે જ “શ્રી આનંદ પહેલી આવૃતિ “શ્રી આનંદધન પદ્ય-રત્નાવલી” નામે પ્રગટ થઈ હતી, ધનજીનાં પદો ” ભાગ પહેલા કે જેની તેની પ્રસ્તાવનામાં લખ્યું છે કે~~ “આ પદો જિનમંદિરમાં, અન્ય ધામિ`ક પ્રસ ંગે ગવાતાં સાંભળ્યાં હતાં, પરંતુ એક પ્રસંગે તે વાંચવાના પ્રસ`ગ પ્રાપ્ત થતાં જણાયું કે તે પદો સામાન્ય રીતે સમજી શકાય તેમ નથી, તે સમજવા માટે શાસ્ત્રશૈલીનું ધણુ સ્પષ્ટ જ્ઞાન હેાય અને શ્રી આન ંદધનજીની ભાષા સમજતા હેાય તેવા અભ્યાસી વિદ્વાનની મદદની ખાસ આવશ્યકતા છે એમ લાગ્યું. અધ્યાત્મકલ્પદ્રુમનું મૂળ સંસ્કૃતમાં છે, તેને લાભ લેનારા કરતાં પણ આવાં પદોને શ્રવણ-મનન દ્વારા લાભ લેનાર વિશેષ મળવા સ ંભવિત ધારી તેની અંગવેષણા કરવા માંડી. દરમિયાન સંવત ૧૯૬૭ ના ચૈત્ર-વૈશાખની ઉનાળાની રજાના વખતમાં શ્રી ભાવનગર જવાનું થતાં ત્યાં શાંતમૂર્તિ શ્રીમદ્ વૃધ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય પન્યાસજી શ્રી ગંભીરવિજયજી ગણિ, જેનુ આગમનું જ્ઞાન અનુભવસિદ્ધ અનેક પ્રસંગે થયું હતું, તેને આ પદના અર્થા સંભળાવવા વિનંતિ કરી. ܕ Page #8 -------------------------------------------------------------------------- ________________ તેઓએ જરા ઇરછા બતાવી તેથી બીજે દિવસે છાપેલ પુસ્તકની બે કોપી લઈ તેઓ પાસે ગયો. તેઓએ પ્રથમ ત્રણ પદ સમજાવ્યાં, તેમાં બહુ જ આનંદ થયો.” આ રીતે વિ. સં. ૧૯૬૭ માં શ્રી મતીચંદભાઈએ શ્રી આનંદધનજી મહારાજની રચનાઓને અભ્યાસ શરૂ કર્યો. આ જ હકીક્ત શ્રી મોતીચંદભાઈએ “શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ બીજાની વિ. સં. ૨૦૦૧ના માહ શુદિ પાંચમના રોજ લખેલી પ્રસ્તાવનામાં પણ આપી છે. આ અભ્યાસના પહેલા ફળરૂપે “શ્રી આનંદઘનપદ્યરત્નાવલી” નામે ગ્રંથ કે જેમાં શ્રી મોતીભાઈ એ શ્રી આનંદધનજીનાં ૫૦ પદોનું વિવેચન હ્યું હતું, તેની પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૭૧ માં, ભાવનગરની શ્રી જેમધર્મ પ્રસારક સભા તરફથી પ્રગટ થઈ હતી. આ અર્થ એ થયો કે શ્રી મોતીચંદભાઈએ આ પદોને અભ્યાસ કરવાની શરૂઆત કરી તે પછી ચાર જ વર્ષમાં ૫૦ પદના સવિસ્તર વિવેચન અને ૧૦૨ પાનાં જેટલા વિસ્તૃત, માહિતીસભર, અભ્યાસપૂણ ઉપધાત સાથે આ દળકાર ગ્રંથ પ્રગટ થયો હતો. ઉપર જે ફકરે આપ્યો છે, તે આ આવૃત્તિની પ્રસ્તાવનામાંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તક અલભ્ય બનતાં એની બીજી આવૃત્તિ, શ્રી આનંદધનજીનાં પદો' એ નામથી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી, શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળાના ત્રીજા ગ્રંથાંકરૂપે, વિ. સં. ૨૦૧૨ માં, પ્રગટ કરવામાં આવી હતી. શ્રી મોતીચંદભાઈએ “શ્રી આનંદધનજીનાં પદ” ભાગ બીજાની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ, તેઓએ શ્રી આનંદઘનજીનાં ૫૦ પછીનાં પદોનું વિવેચન લખવાને નિશ્ચય વિ. સં. ૧૯૯૦ માં કર્યો હતો. આ પછી આ કાર્ય તેઓએ તરત જ શરૂ કર્યું હતું એમ ૫૧ મા પદનું વિવેચન ભાવનગરની શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફથી પ્રગટ થતા “શ્રી જૈનધમ પ્રકાશ” માસિકના વિ. સં. ૧૯૯૦ના વેશાખ માસના અંકમાં પાયું હતું, તે ઉપરથી જાણી શકાય છે. ૫૧ મા પદ ઉપરાંત પર થી ૬૨ સુધીનાં અને ૧૦૦ મા એમ કુલ ૧૩ પદોનું વિવેચન “શ્રી જૈન ધમ પ્રકાશ” માસિકના વિ. સં. ૧૯૯૦ થી તે વિ. સં. ૧૯૯૯ સુધીના અંકોમાં છૂટક છૂટક છપાયું હતું. આ ૧૩ પદોનું વિવેચન ક્યારે લખાયું હતું, તેની માહિતી મળી નથી, પણ તે સિવાયનાં ૬૩ થી ૧૦૮ સુધીનાં પદોનું વિવેચન સને ૧૯૪૨ની શરૂઆતથી તે સને ૧૯૪૪ના અંત સુધીમાં લખાયું હતું. ૫૧ થી ૧૦૮ સુધીનાં પદોનું વિવેચન “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ બી એ નામથી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી, શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળાના ચેથા ગ્રંથાંકરૂપે, વિ. સં. ૨૦૨માં પ્રગટ થયું હતું. શ્રી આનંદધનજીનાં સ્તવનનું વિવેચન સને ૧૯૪૭ના ઑગસ્ટથી તે સને ૧૯૫૦ના ઑગસ્ટ સુધીમાં ૩ વર્ષ દરમ્યાન શ્રી મોતીચંદભાઈએ લખ્યું હતું, જે અત્યારે આ પુસ્તકરૂપે પ્રગટ થાય છે. આ વિગતો ઉપરથી જોઈ શકાશે કે મોતીચંદભાઈએ શ્રી આનંદઘનજીની બધી કૃતિઓનું ટક છૂટક પરિશીલન કરવામાં અને એ ઉપર વિવેચન લખવામાં લગભગ ૪૦ વર્ષ જેટલો સમય લીધો હત—અલબત્ત, આ સમય દરમ્યાન તેઓએ અધ્યયન અને લેખનની બીજી પણ પ્રવૃત્તિ કરી હતી, એમ તેઓના સાહિત્યસર્જનની વિગત ઉપરથી જાણી શકાય છે. શ્રી આનંદઘનજીની કૃતિઓ અત્યારની પ્રચલિત પરિભાષામાં વિચારીએ તો “આનંદધન” એ નામ નહીં પણ તખલ્લુસ છે; એમનું પિતાનું નામ તે લાભાનંદ હતું. અને તે એ તખલ્લુસના ધારક સંતના ચિત્તનું નિજાનંદગામી એટલે કે આત્મિક આનંદના અનુભવના આશક વલણનું સૂચક છે. આવી આત્મિક કે આધ્યાત્મિક મસ્તી તરફની આંતરિક ચાહનાથી પ્રેરાઈને જ શ્રી લાભાનંદજીએ બાહ્ય ક્રિયાકાંડે અને ગચ્છ અને પંથની માન્યતાઓના અતિઆગ્રહોને શુષ્ક અને લાંબો માગ મૂકીને આત્મહત્ત્વના સાક્ષાત્કારમાં સીધેસીધે ઉપયોગી થઈ શકે એવો યોગસાધનાને માગ પસંદ કર્યો હતો; અને સર્વ આશાઓ, આકાંક્ષાઓ અને લેકેશણાઓથી પર બનીને અથવા તો પર Page #9 -------------------------------------------------------------------------- ________________ બનવા માટે શાંત, એકાંત, એકલવાયું, સમતાસભર અને મસ્તીભર્યું જીવન જીવવાની રાહ અપનાવ્યું હતું. પિતાના આત્મદેવને પ્રસન્ન કરવા માટે તેઓએ આદરેલી આંતરિક સાધના દરમ્યાન એમના હૃદયમહેરામણમાં પ્રાર્થના, પસ્તાવા, મસ્તી કે તત્ત્વદર્શનરૂપે કેટકેટલી લાગણીઓના કેવા તર ગો ઊડ્યા હશે, એ તે કોઈક યોગીપુરુષ જ જાણી શકે. એમાંની જે લાગણીઓ પ્રબળ અને અદમ્ય બનીને ભાષારૂપે વહી નીકળી તે તેઓની હૃદયસ્પર્શી કાવ્યકૃત્તિઓ બની ગઈ શ્રી આનંદધનજીની બધી કાવ્યકૃતિઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે: પદે અને સ્તવને. એમનાં પદોના સંગ્રહ માટે “આનંદઘન બહોતેરી' એવું નામ પ્રચલિત છે. અને એમના સ્તવનેના સંગ્રહ માટે આનંદઘન-ચોવીશી” એવું નામ પ્રસિદ્ધ છે. આ નામનો અર્થ એવો થાય કે શ્રી આનંદધનજીએ રચેલાં પદોની સંખ્યા બહોંતેર અને સ્તવનોની સંખ્યા એવી છે. પણ વસ્તુસ્થિતિ આથી જુદી છે. નામ પ્રમાણે એમનાં પદો બહોતેર હોવાં જોઈએ, છતાં જે પદને અંતે એમનું નામ મળે છે એવાં પદોની સંખ્યા એથી બરાબર દોઢી એટલે કે ૧૦૮ જેટલી છે. સ્વર્ગસ્થ યોગાભ્યાસી આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ એમના “આનંદધના પદ સંગ્રહ-ભાવાર્થ” નામે ગ્રંથમાં તેમ જ શ્રી મોતીચંદભાઈએ એમના “શ્રી આનંદધનજીનાં પદો” નામે બે ભાગમાં પ્રકાશિત થયેલ ગ્રંથમાં ૧૦૮ પદ ઉપર વિવેચન કર્યું છે. આનાથી ઊલટું, સ્તવને માટે “વીશી શબ્દનો પ્રયોગ થયેલ હોવા છતાં, તેમ જ જેમાં ર્તા તરીકે “આનંદધન” નામને સ્પષ્ટ નિર્દેશ મળે છે એવાં સ્તવનોની સંખ્યા ૨૪ કરતાં પણ વધારે મળી આવતી હોવા છતાં, કેટલાક પ્રમાણભૂત પુરાવા એવા મળે છે કે જેને આધારે નિશ્ચિતપણે માનવું પડે કે તેઓએ બાવીશ જ સ્તવને રચ્યાં હતાં. આ પુરાવાઓ આ છે : (૧) આ મૂળ સ્તવની પ્રાચીન પ્રતેિમાં બાવીશ જ સ્તવને મળે છે. (૨) શ્રી જ્ઞાનવિમલસુરજીએ બાવીશ સ્તવને ઉપર જ ટ ર છે. (૩) શ્રી જ્ઞાનસારજીએ પણ બાવીશ સ્તવનોનો જ અર્થ લખે છે – જોકે તેઓએ પાછળથી મળેલાં અને અંતમાં “આનંદઘન” શબ્દને ઉલ્લેખ ધરાવતાં બે સ્તવને પણ શ્રી આનંદઘનજીનાં હોવાનું સૂચવ્યું છે ખરું. (૪) શ્રી મોતીચંદભાઈએ પોતે પણ આ ગ્રંથમાં આપેલ ભગવાન મહાવીરસ્વામીનું ત્રીજુ સ્તવન કે જે, એ સ્તવનને અંતે આવતા સ્પષ્ટ નામનિદેશને કારણે, શ્રી જ્ઞાનવિમલસૂરિજીની જ કૃતિ છે, એના વિવેચનના ઉપસંહારમાં (પૂ. ૪૯૮) નિશ્ચિતરૂપે લખ્યું છે કે “મારા પિતાના મત પ્રમાણે તે પ્રથમ બાવીશ સ્તવન આનંદધન (લાભાનંદ)નાં પિતાનાં બનાવેલાં છે અને બાકીનાં ક્ષેપક છે.” આને સામાન્ય અર્થ એ થયો કે, નરસિંહ મહેતા, મીરાંબાઈ કે કબીરજી જેવા સંતોની કાવ્યકતિઓની જેમ, શ્રી આનંદઘનજીની કૃતિઓ પણ જનસમૂહમાં અને ખાસ કરીને ચાગ દ્વારા આત્મસાધના માટે પ્રયત્નશીલ રહેનાર સાધકોના વર્તુળમાં એવી લોકપ્રિય અને માર્ગદર્શક બની ગઈ હશે કે, આવી સાધના કરતાં કરતાં, કેટલાક આત્માઓએ પિતાના અંતરમાં પ્રગટેલ કાવ્યકૃતિઓને, નિમમભાવે, શ્રી આનંદઘનજીના નામે અર્પણ કરી દેવામાં ધન્યતા અનુભવી હશે. બીજાઓએ આનંદઘનજીના નામે ચડાવી દીધેલી કૃતિઓમાં આનંદધનજીની પોતાની કૃતિઓ જેટલી ગુણવત્તા ન હોય એ બનવા જોગ છે; પણ આ રીતે શ્રી આનંદધનજીને નામે પિતાની કૃતિઓ ચડાવી દેનાર સાધકને આશય ખોટો હતે એવું દષારે પણ તે એમના ઉપર ન જ કરી શકાય. એટલે આપણે તો એવા અજ્ઞાત સાધકોની નિલે પવૃત્તિ અને સમર્પણભાવનાની કદર જ કરવી ઘટે. પ્રસ્તુત ગ્રંથ અને તેનું સંપાદન આ ગ્રંથમાં શ્રી મોતીચંદભાઈએ કુલ અઠ્ઠાવીસ સ્તવને, દરેકના પાઠાંતરો, શબ્દાર્થ, અર્થ, શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ટબાના અત્યારની ગુજરાતી ભાષામાં અવતરણ અને સવિસ્તર વિવેચન સાથે, આપ્યાં છે, તેની વિગત આ પ્રમાણે છે : શ્રી આનંદઘનજીએ પોતે રચેલાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન સુધીના Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તીર્થકરનાં ૨૨ સ્તવને; શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૩ સ્તવને, જેમાં બેના કર્તા તરીકે સ્તવનની છેલ્લી કડીમાં “આનંદઘન' નામ આવે છે, અને ત્રીજું સ્તવન શ્રી જ્ઞાનવિમલસૂરિજીની કૃતિ છે; એ જ રીતે શ્રી મહાવીર સ્વામીનાં પણ ૩ સ્તવને આપ્યાં છે, જેમાં બેના કર્તા તરીકે સ્તવનની છેલ્લી કડીમાં “આનંદધન નામ આપેલ છે, અને ત્રીજુ સ્તવન શ્રી જ્ઞાનવિમળસૂરિજીની રચના છે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે મુંબઈના જૈન સાહિત્ય વિકાસ મંડળનું સંચાલન સંભાળતા, વિદ્યાવ્યાસંગી ભાઈ શ્રી સુબોધચંદ્ર નાનાલાલ જૈનને, જૂની હસ્તપ્રતોના સંશોધન દરમ્યાન આશરે બસે વર્ષ જના એક ગુટકામાંથી શ્રી વીર જિનેશ્વરનું એક અપ્રગટ સ્તવન મળી આવ્યું હતું, જેને અંતે ર્તા તરીકે આનંદધન’નું નાથ આપવામાં આવ્યું છે. આ સ્તવન તેઓએ સૌરાષ્ટ્રમાં લાખાબાવળથી પ્રસિદ્ધ થતા “શ્રી મહાવીર શાસન” માસિકના વર્ષ ૧૪, અંક ૯, વિ. સં. ૨૦૨૨ ના ભાદ્રપદ માસના અંકમાં પ્રસિદ્ધ કર્યું હતું. મારી વિનતિથી એમાં કેટલીક અશુદ્ધિઓ હતી તે તેઓએ સુધારી આપી હતી. એ સુધારેલું સ્તવન અહી સાભાર રજૂ કરવામાં આવે છે: આનંદઘનજીવિરચિત શ્રી વિરજિનસ્તવન વીર જિસેસર પરમેસર , જગજીવન જિનભૂપ; અનુભવ મિત્તે રે ચિત્તે હિત કરી, દાખ્યું તાસ સરૂપ. વીર જેિણેસર૦ ૧ જેહ અગોચર માનસ વચનને, જેહ અતીન્દ્રિય રૂપ; અનુભવ મિત્તે રે વ્યક શક્તિસ્યું, ભાખ્યું તાસ સરૂપ. વીર જિણેસર૦ ૨ નય નિક્ષેપે રે જેહ ન જાણીઈ, નવિ જિહાં પ્રસરે પ્રમાણ; શુદ્ધ સરૂપે રે તે સદ્ય દાખવે, કેવલ અનુભવ ભાણ. વીર જિણેસર૦ ૩ અલખ અગોચર અનુપમ અને, કુણુ કહિ જાણે રે ભેદ, સહજ વિશુદ્ધાં રે અનુભવ વિણ જે, શાસ્ત્ર તે સઘલો રે ખેદ. વીર જિણેસર. ૪ દિસી દેખાડી શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક બાધક રહિત એ, અનુભવ મિત્ર વિખ્યાત. વીર જિણેસર ૫ અહો ચતુરાઈ રે અનુભવમિત્તની, અહો તસ પ્રીત અપ્રીત; અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્રશું પ્રીત. વીર જિણેસર ૬ અનુભવ સંગે રે રંગે પ્રભુ મિલ્યા, સફલ ફેલ્યાં સલિ કાજ; નિજ પદ સંપદ સહજે અનુભ, “આનંદઘન મહારાજ. વીર જિણેસર૦ ૭ વિ. સં. ૨૦૨૦ ની સાલમાં “શ્રી આનંદઘનજીનાં પદો ” ભાગ બીજાનું પ્રકાશન શ્રી મહાવીર જૈન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૧. વિદ્યાલય તરફથી થયું, તે પછી આ ગ્રંથનું પ્રકાશન હાથ ધરવાનું વિદ્યાલયે નકકી કર્યું અને એનું સંપાદન પણ વિદ્યાલયના સંચાલકોએ મને સંપ્યું. શ્રી આનંદઘનજી જેવા મમી અને નિજાનંદી સંત યોગીપુરુષના અક્ષરદેહના અમૃતનું યત્કિંચિત પાન કરવાનો આ બીજો અવસર વિદ્યાલયે મને આપે, તે માટે હું વિદ્યાલયના ભાવનાશીલ સંચાલકને અંતઃકરણથી આભાર માનું છું. - આ રીતે આ ગ્રંથના સંપાદનનું કામ તે મને પાંચેક વર્ષ પહેલાં સોપવામાં આવ્યું હતું, પરંતુ વિદ્યાલયના સુવર્ણ મહોત્સવની અને સુવર્ણ મહોત્સવ ગ્રંથની પૂર્વ તૈયારીનાં તેમ જ મહત્સવની ઉજવણીનાં તથા સુવર્ણ મહોત્સવ ગ્રંથના પ્રકાશનનાં તાત્કાલિક કામોને લીધે ત્રણેક વર્ષ સુધી એ કામ હાથ ધરવાનું ન બન્યું, એટલે હું આશરે બે વર્ષ પહેલાં જ આ ગ્રંથનું સંપાદન શરૂ કરી શક્યો. આજે આ ગ્રંથ પ્રગટ થાય છે, તેથી સ્વાભાવિક રીતે જ ચિત્ત આહૂલાદ અનુભવે છે. શ્રી આનંદઘનજીનાં સ્તવનેનું વિવેચન પણ શ્રી મોતીચંદભાઈએ, શ્રી આનંદઘનજીનાં પદોના વિવેચનની જેમ, વિસ્તારથી અને પિતાની સમજણને સ્પષ્ટ કરવાની દષ્ટિથી તેમ જ મુખ્યત્વે પિતાના સંતોષ ખાતર કર્યું છે. એટલે એમાં અવારનવાર વિષયનિરૂપણની કે દાખલા-દલીલેની પુનરુક્તિ જોવામાં આવતી હતી. તેથી એવી પુનરુક્તિઓને તેમ જ વિષય નિરૂપણના વિસ્તારને યથાશક્ય કમી કરીને વિવેચનને બની શકે તેટલું ટૂંકાવવું જરૂરી લાગતું હતું. આમ કરવાથી ગ્રંથની મહત્તા કે ઉપયોગિતામાં કઈ પણ પ્રકારની ખામી આવવાને સંભવ ન હતા, એટલું જ નહીં, ઊલટું ગ્રંથ વધારે વાચનક્ષમ અને રોચક બનવાની મને ખાતરી હતી. એટલે મેં, “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ બીજાના લખાણની જેમ, આ લખાણને પણ સંક્ષેપ કરવાની અનુમતિ વિદ્યાલયના સંચાલક પાસેથી મેળવીને સ્તવનોના વિવેચનને ટૂંકાવ્યું છે. મૂળ લખાણને આ રીતે ટૂંકુ કરવાને લીધે ગ્રંથના કદમાં આશરે છાપેલાં પોણાબસેથી બસો પાનાં જેટલું ઘટાડો થઈ શક્યો છે. આ ગ્રંથમાં સંપાદન-પદ્ધતિ તથા એની પાછળની મારી દષ્ટિ “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ બીજા જેવી જ છે; એટલે એને ખ્યાલ આપવા માટે, કંઈ નવું નિરૂપણ લખવાને બદલે“શ્રી આનંદઘનજીનાં પદ' ભાગ બીજાના મારા સંપાદકીય નિવેદનમાંને આ બાબતને લગતો ઉલ્લેખ જ અહીં રજૂ કરવો ઉચિત છે. મારા એ નિવેદનમાં મેં કહ્યું હતું કે “અહીં હું નમ્રતાપૂર્વક એટલું જણાવવાની રજા લઉં છું કે આ ગ્રંથનું સંપાદન કરતાં એક ધર્મગ્રંથનું સંપાદન કરવાની જવાબદારી માથે લીધી હોય એવી ચિંતાની લાગણી મેં સતત અનભવી છે. એટલે વિવેચનમાંથી પુનરુક્તિ વગેરે દૂર કરીને એનો સંક્ષેપ કરવામાં મેં એ બાબતની પૂરેપૂરી ચીવટ રાખી છે કે જેથી અસંગતિમાં જરા પણ ખામી ન આવવા પામે, વિવેચનમાં જરાય અધૂરાપણું ન રહે કે કઈ પણ મુદ્દો અસ્પષ્ટ ન રહી જાય. મતલબ કે વિવેચનકારના મૂળ હેતુને કે કથનની મૂળ વસ્તુને જરા પણ હાનિ ન પહોંચે એ રીતે જ આ સંક્ષેપ કરવામાં આવ્યો છે. આમ છતાં આવી કોઈ ક્ષતિ આમાં આવી જવા પામી હોય તે તે તરફ ધ્યાન દેરી વિદ્વાનો મને આભારી કરે એટલું માગી લઉં છું. “આ સંક્ષેપ એવી રીતે કર્યો છે જેથી વચમાંનું અમુક લખાણ કમી કરવા છતાં આગળપાછળ સંબંધ બરાબર મળી રહે અને અર્થસંગતિ, વાકસંગતિ કે વિષયસંગતિમાં કોઈ પણ જાતને વિસંવાદ રહેવા ન પામે. આ રીતે લખાણની સુસંગતતા જાળવવામાં મારા તરફથી મેં એક પણ અક્ષર ઉમેર્યો નથી; જે કંઈ છે તે શ્રી મોતીચંદભાઈનું જ છે. મોતીચંદભાઈની મૂળ હસ્તપ્રતમાંથી (પ્રેસ-કેપીમાંથી) જે લખાણ મેં કમી કર્યું છે તે લાલ પેન્સિલથી મી કર્યું છે, અને એ અનોખી હસ્તપ્રત સાચવી રાખી છે, એટલે જરૂર લાગે ત્યારે એને ઉપયોગ થઈ શકશે.” Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨. પદના વિવેચનગ્રંથની જેમ આ ગ્રંથમાં પણ દરેક સ્તવનના વિવેચનની શરૂઆતમાં ભૂમિકા કે ઉસ્થાનિકારૂપે “સંબંધ” નામે લખાણ મૂક્યું છે. પછી સ્તવનની એક એક કડી મૂકીને એની નીચે પાદોંધરૂપે તે તે કડીને પાઠાંતરો અને શબ્દાર્થ મૂક્યા છે, અને કડીની સાથે જ્ઞાનવિમલસૂરિજીના ટબાનું વર્તમાન ગુજરાતીમાં અવતરણ અને છેવટે વિવેચન મૂક્યું છે. અને આખા સ્તવનના વિવેચનને અંતે ઉપસંહારનું લખાણ મૂક્યુ છે. આ રીતે પ્રત્યેક સ્તવનનું વિવેચન “સંબંધથી શરૂ થાય છે, અને “ઉપસંહારથી પૂરું થાય છે. બધાં સ્તવનોનું વિવેચન પૂરું થયા પછી, પદોના વિવેચનગ્રંથમાં સ્વીકારેલ પદ્ધતિ પ્રમાણે, બધાં મૂળ સ્તવન એક્સાથે આપી દીધાં છે. આ ગ્રંથનું લખાણ શ્રી મોતીચંદભાઈની હયાતીમાં પ્રગટ થયેલ એમનું છેલ્લું પુસ્તક હતું “વ્યાપારકૌશલ્ય. એ પુસ્તક સને ૧૯૫૦ (વિ. સં. ૨૦૦૬)માં પ્રગટ થયું હતું. એનું પ્રારંભિક નિવેદન તેઓએ તા. ૨૩-૬-૧૯૫૦ ના રોજ લખ્યું હતું, જ્યારે “શ્રી આનંદઘન-વીશીના છેલ્લા સ્તવનનું વિવેચન તેઓએ સને ૧૯૫૦ ના ઓગસ્ટ માસમાં (વિ.સં. ૨૦૦૬ માં) પૂરું કર્યું હતું. આ ચોવીશીના પહેલા સ્તવનનું વિવેચન તેઓએ સને ૧૯૪૭ના ઓગસ્ટમાં, બીજા સ્તવનનું વિવેચન સને ૧૯૪૭ના ઓકટોબરમાં અને ત્રીજા સ્તવનનું વિવેચન સને ૧૯૪૮ ના એપ્રિલમાં લખ્યું હતું, સને ૧૯૪૮ ના ઑગસ્ટમાં તેઓ ગંભીર માંદગીમાં સપડાયા. તેથી ચોથાથી લઈને તે બાકીનાં બધાં સ્તવનનું વિવેચન તેઓએ ૧૯૪૯ ના મે માસથી તે સને ૧૯૫૦ ના ઑગસ્ટ માસ સુધીમાં પૂરું કર્યું હતું. અને છેલ્લા સ્તવનના વિવેચન પછી સાત મહિને, તા. ર૭–૩–૧૯૫૧ ના રોજ, તેઓને સ્વર્ગવાસ થયઆને અર્થ એ થયો કે તેઓએ આ ગ્રંથને મોટા ભાગ તેઓની માંદગી દરમ્યાન જ લખ્યો હતો. એટલે આ ગ્રંથને તેમ જ શ્રી ઉમાસ્વાતિવાચકવિરચિત “પ્રશમરતિ'ના વિવેચનને એમની અંતિમ સાહિત્ય પ્રસાદી લેખી શકાય. આ વિવેચન શ્રી મેતીચંદભાઈએ માંદગી દરમ્યાન છેલ્લી અવસ્થામાં લખ્યું તે પછી, એમની ટેવ મુજબ, એમને પિતાને એ ઝીણવટપૂર્વક ફરી તપાસી જવાનો કે, “શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ બીજાની જેમ, શ્રી ફતેહચંદ ઝવેરભાઈ શાહ કે એમના જેવા અધિકારી વિદ્વાન મિત્ર પાસે વંચાવી-તપાસરાવી લેવાને અવકાશ મળે નહીં. જો એમ થઈ શક્યું હોત તે વિવેચનના લખાણમાં તેઓએ જાતે જ કેટલાક સુધારાવધારા કરીને એને વધારે સ્પષ્ટ અને સચોટ બનાવ્યું હોત આમ છતાં તેઓએ જે કંઈ લખ્યું છે, તે પૂરેપૂરું ઉપયોગી અને ઉપકારક છે, એમાં તો જરાય શંકા નથી. અને આ માટે આપણે તેઓના ચિરકાળ પર્યત ઋણી રહીશું. આ ગ્રંથમાં શ્રી જ્ઞાનવિમલસૂરિજીના ટબાનું શ્રી મોતીચંદભાઈ એ ચાલુ ગુજરાતી ભાષામાં અવતરણ આપ્યું છે. પણ આ અવતરણ સ્તવનેને ભાવ સમજવામાં શ્રી મોતીચંદભાઈએ પોતે કરેલા અર્થ અને વિવેચન કરતાં, ભાગ્યે જ વિશેષ ઉપયોગી થતું હોય એમ લાગે છે. એટલે મારે નમ્ર મત એ છે કે, જ્યારે પણ આ ગ્રંથની બીજી આવૃત્તિ છાપવામાં આવે ત્યારે યા તે ટબાનું આ અવતરણ કમી કરવામાં આવે, અથવા તે મૂળ ટબાનું અધિકારી વિદ્વાન પાસે સંશોધન-સંપાદન કરાવીને ટબાના અવતરણના સ્થાને એ ટબ જ ગ્રંથમાં આપી દેવામાં આવે. જેઓને શ્રી મોતીચંદભાઈએ ટબાનું ચાલુ ભાષામાં કરેલ અવતરણ જેવું હશે તેઓ આ પહેલી આવૃત્તિ ઉપરથી એ જોઈ શકશે. એ જ રીતે પાઠશુદ્ધિ અને અર્થસંગતિની દષ્ટિએ આ ગ્રંથમાં આપવામાં આવેલા પાઠાંતરોમાં પણ, બીજી પ્રતોના આધારે, કેટલાક ફેરફાર કરવાની જરૂર દેખાય છે. શ્રી મોતીચંદભાઈની ભાવના આ ગ્રંથનું શ્રી મોતીચંદભાઈનું લખાણ જોતાં તેઓની ભાવના આ ગ્રંથને સમજવામાં ઉપયોગી થાય Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૩ એવું કેટલુંક લખાણ તૈયાર કરવાની હતી, એમ જાણી શકાય છે. તેની વિગતે તેઓની નીચે મુજબની છે. ઉપરથી મળી શકે છે : (૧) ત્રીજા સ્તવનના વિવેચનની શરૂઆતમાં તેઓએ નોંધ્યું છે કે “કારણ-કાય પર નોટ લખવી.” (૨) ચેથા સ્તવનના પહેલે પાને તેઓએ નેંધ કરી છે કે “આ સ્તવન છપાવતાં વિસ્તારથી ઇંડેક્સ કરવી અને શબ્દોની પણ કરવી; ભેદ-પેટભેદના પારિભાષિક શબ્દોની કરવી; વિષયોની કરવી.” (૩) પૃ. ૬૧માં તેઓ લખે છે કે “આને મળતી હકીકત હજુ બે-ત્રણ સ્થાન પર આગળ જતાં આપવાની છે. ત્યાં અને ઉપોદઘાતમાં એની સ્પષ્ટતા થશે.” (૪) પૃ. ૯૬ માં તેઓ લખે છે કે “એ મૂળ ગાથા મેળવવાનો પ્રયાસ ચાલુ છે. તેનો ઉલ્લેખ જરૂર થશે.” (૫) પૃ. ૧૭૧ માં તેઓ નોંધે છે કે “તે (નયવાદના ) વિષય પર સ્વતંત્ર પુસ્તિકારૂપે ઉલ્લેખ કરવાની ભાવના છે.” (૬) પૃ. ૧૪૭ માં તેઓ લખે છે કે “તેને માટે (દર્શનને માટે), બનશે તે સ્વતંત્ર ઉલ્લેખ કરવાને વિચાર રાખ્યો છે.” (૭) પૃ. ૨૦૭માં લખ્યું છે કે “તેની વિગત તદ્યોગ્ય ઉપોદઘાતમાં તમને પ્રાપ્ત થશે.” (૮) પૃ. ૨૬૯માં તેઓએ લખ્યું છે કે “તે માટે જુઓ ઉપોદઘાતમાં આનંદઘનચરિત્ર.” (૯) પૃ. ૨૮૪માં નિર્દેશ છે કે “આ નયવાદ માટે ઘણું કહેવાનું છે અને આયુષ્ય હશે તે તે પર એક લેખ લખવાને મારો વિચાર છે.” (૧૦) પૃ. ૩૧૬માં લખ્યું છે કે “જૈન દષ્ટિએ યોગ’ના બીજા વિભાગમાં હું એ વિષય ઉપર યોગ. બત્રીશી' વગેરેના અભ્યાસને સાર આપવા ઈચ્છું છું.” (૧૧) પૃ. ૩૩પમાં ઉલ્લેખ છે કે “આનંદધનની ભાષા પર ઉપોદઘાત ઉપર ધ્યાન ખેંચવામાં આવશે.” (૧૨) પૃ. ૪૩૫માં તેઓ લખે છે કે “તે સંબધી (નવ રસ સંબંધી) અલંકારશાસ્ત્રના અભ્યાસ અનુસાર, એક લેખ લખવાની ભાવના છે.” આ ગ્રંથમાંના ઉપરના ઉલ્લેખ જોતાં શ્રી મોતીચંદભાઈ આ ગ્રંથને સવિસ્તર ઉપદ્યાત લખવા ઇચ્છતા હતા. તે જ બીજી કેટલીક બાબતનું સ્પષ્ટીકરણ-વિવેચન લેખવાની એમની ભાવના હતી, એ સ્પષ્ટપણે જાણી શકાય છે. આયુષ્ય પૂરું થવાને કારણે તેઓ આ કાર્યા ન કરી શક્યા એમાં ખરી ખોટ એમને નહીં પણ તત્વજિજ્ઞાસુઓને ગઈ. તેઓ તે જિંદગીની છેલ્લી ક્ષણ સુધી ધર્મ અને ધર્મશાસ્ત્રોનું જ ચિંતન-મનન કરીને પિતાના જીવનને કૃતાર્થ અને ઊર્ધ્વગામી બનાવીને “માવના મવનાશિની” એ મમવાણીને ચરિતાર્થ કરતા ગયા ! સ્તવનના સર્જક અને વિવેચક ગીશ્વર આનંદઘનજીનું સ્મરણ થાય છે અને આત્માની ખેજ માટે અંતરની ઊંડી, અગોચર અને કષ્ટસાધ્ય કેદીઓનું પૂણ હર્ષોલ્લાસથી ખેડાણ કરનાર કઈ મસ્ત આત્મવીરનાં દર્શન થાય છે. શરીરની, સુખસગવડની, નામને-કીર્તિની કશી જ ખેવના નહીં; ઝંખના એકમાત્ર આત્મતત્ત્વનાં સાંગોપાંગ દશન પામીને સમગ્ર વિશ્વ સાથે તાદામ્ય સાધવાની-મિત્તી ને સવમૂકું ને વિશ્વમંત્ર જીવનના અણુઅણુમાં ધ્વનિત કરવાની ! એમ લાગે છે કે શ્રી આનંદધનજીએ પિતાની શાંત, એકાંત, ઉત્કટ આત્મસાધનાને બળે પિતાના જીવનમાં જાણે ભક્ત અને ભગવાનની એકરૂપતા પ્રાપ્ત કરી લીધી હતી. આવા એક પ્રશાંત પુરુષાથી સંતના જીવન અને એમની સાધનાની ઝીણી-મોટી વિગતે જાણવાની કેટલી તીવ્ર જિજ્ઞાસા અંતરમાં જાગે છે ! પણ જાણે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ એમનું જીવન પોતાની જાતનું સંપૂર્ણ વિલીનીકરણ કરે અને પરમાત્માના સ્વરૂપને પિતાની જાતમાં પ્રગટાવો” –એ સત્યનું પ્રત્યક્ષ ઉધન કરતું હોય એમ આવી બધી જિજ્ઞાસાઓ અણપૂરાયેલી જ રહે છે. એટલે આ મહાત્મા પુરુષ અંગે “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ બીજામાં અંજલિરૂપે જે કંઈ લખ્યું છે, તેથી વિશેષ અહીં લખી શકાય એમ ન હોવાથી ત્યાં જે કંઈ રજૂઆત થઈ છે તેટલાથી જ સંતોષ માનવાને રહે છે. જે વાત શ્રી આનંદઘનજી સંબંધી વિશેષ માહિતી ન મળવા અંગે ઉપર કહી, એ જ વાત સ્તવનના વિવેચક શ્રી મોતીચંદભાઈ અંગે અહીં કહેવી પડે એવી સ્થિતિ છે. “શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ બીજામાં શ્રી મોતીચંદભાઈને જીવન, કાર્યો અને સાહિત્યસજન સંબંધી જે સવિસ્તર માહિતી મેં મારી અંજલિમાં રજ કરી હતી, તેથી વિશેષ નવી માહિતી આ ગ્રંથમાં આપવાની મારી હોંશ હતી. પણ, એ માટે પ્રયત્ન કરવા છતાં, આવી કશી સામગ્રી હું મેળવી શક્યો નહીં હોવાથી મારી એ ઇચ્છા પૂરી થઈ શકી નથી. શ્રી મોતીચંદભાઈ અંગે એટલું જરૂર કહેવું જોઈએ કે, જેમ શ્રી આનંદધનજીના જીવનમાં ભક્ત અને ભગવાન એકરૂપ બની ગયા હતા, તેમ શ્રી મોતીચંદભાઈના જીવનમાં ભક્તિ અને વિદ્વત્તા એકરૂપ બની ગઈ હતી અને આ એકરૂપતા એમને જીવનની ધન્યતા તરફ દોરી ગઈ હતી. સંશોધનની જરૂર શ્રી આનંદધનજીની પદ કે સ્તવનોરૂપ કૃતિઓનું અત્યાર સુધીમાં જે કંઈ અલ્પ-સ્વલ્પ વાચન-ચિંતન થઈ શક્યું તે ઉપરથી સ્પષ્ટ લાગે છે કે આ બધી જ કૃતિઓનું ધરમૂળથી અધ્યયન અને સંશોધન થવાની ખાસ જરૂર છે. ઉપલબ્ધ પદે અને સ્તવમાંથી સાચેસાચ એમની કૃતિ કઈ હોઈ શકે એ નક્કી કરવાની સાથે સાથે એક એક પદ કે સ્તવનની પ્રત્યેક કડીનું, અથસંગતિની દષ્ટિએ, શુદ્ધિકરણ થવાની ખાસ જરૂર છે. આ માટે મૂળ પદો કે સ્તવનોની તેમ જ એના ઉપરના ટબા કે બાલાવબોધરૂપ વિવેચનની સંખ્યાબંધ હસ્તપ્રત જ્ઞાનભંડારોમાંથી મળી શકે એમ છે. એ બધી સામગ્રી તેમ જ બીજી પણ ઉપયોગી સામગ્રી એકત્ર કરીને ગપ્રક્રિયાના તથા આત્મતત્ત્વના અનુભવી જાણકારે, જિજ્ઞાસુઓ અને વિદ્વાનોનું—ખાસ કરીને આવા મુનિવરેનું એક જૂથ અમુક વખત સુધી એકાગ્રતાપૂર્વક આ કામ કરે તે જરૂર એ કામ સાંગોપાંગ પૂરું થઈ શકે. શ્રી આનંદધનજીના આ અપૂર્વ વારસાને સુરક્ષિત કરવાની દૃષ્ટિએ આ કાર્ય કરવું એ આપણી ફરજ છે. ઉપસંહાર શ્રી મોતીચંદભાઈના હસ્તાક્ષરની છબી “શ્રી આનંદધનજીનાં પદે ” ભાગ બીજામાં આપેલ છે, તેથી આ ગ્રંથમાં નવી છબી આપી નથી. પ્રફે તપાસવામાં પંડિત શ્રી હરિશંકરભાઈ અંબારામ પડયાએ સહાય કરી છે; શુદ્ધિપત્રક પણ તેઓએ જ તૈયાર કરી આપ્યું છે. જરૂર પડતાં ટબાને અર્થ સમજવામાં તેમ જ પ્રાચીન પાઠોને શુદ્ધ કરવામાં પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલે જરૂરી મદદ કરી છે. આ બન્ને સાથીઓને હું આભાર માનું છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આગમ પ્રકાશનના કાર્ય નિમિરો એક્સાથે કામ કરવાને અમને ત્રણેને લહાવો મળે છે. તેમ જ મૂળ વસ્તુના નિરૂપણમાં, શરતચૂકથી કે સાચી સમજણના અભાવને કારણે, પુસ્તકમાં જે કંઈ ભૂલ રહી ગઈ હોય તે માટે હું માફી ચાહું છું. લુણાવાડા, મોટી પિળ સામે જૈન ઉપાશ્રય, અમદાવાદ-૧, વિ. સં. ૨૦૨૬, શ્રાવણ સુદિ એકમ, રતિલાલ દીપચંદ દેસાઈ તા. ૩-૮-૧૯૭૦, સોમવાર Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અનુક્રમણિકા, પ્રકાશકીય નિવેદન (બીજી આવૃત્તિ પ્રસંગે) પ્રકાશકનું નિવેદન (પહેલી આવૃત્તિ પ્રસંગે) પ્રકાશકનું નિવેદન (ત્રીજી આવૃત્તિ પ્રસંગે) સંપાદકીય ૧૦૩ ૧૫૧ અનુક્રમણિકા ૧. શ્રી કષભદેવ સ્તવન (ઓગસ્ટ : ૧૯૪૭) શ્રી અજિતનાથ સ્તવન (ઓકટોબર : ૧૯૪૭) શ્રી સંભવનાથ સ્તવન (એપ્રીલ : ૧૯૪૮) શ્રી અભિનંદન જિન સ્તવન (મે : ૧૯૪૯) શ્રી સુમતિનાથ જિન સ્તવન (નવેમ્બર : ૧૯૪૯) શ્રી પપ્રભુ જિન સ્તવન (ડિસેમ્બર : ૧૯૪૯) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન (ડિસેમ્બર : ૧૯૪૯) શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન (જાન્યુઆરી : ૧૯૫૦) શ્રી સુવિધિનાથ જિન સ્તવન (જાન્યુઆરી : ૧૯૫૦) શ્રી શીતળનાથ જિન સ્તવન (ફેબ્રુઆરી : ૧૯૫૦) ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન (ફેબ્રુઆરી : ૧૯૫૦) ૧૨. શ્રી વાસુપૂજય જિન સ્તવન (ફેબ્રુઆરી : ૧૯૫૦) ૧૬૭ ૧૮૨ ૧૯૬ ૨ ૦૮ ૨ ૨૬ ૨ ૩૮ ૨ ૪૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧૩. ૨ ૫૯ ૧૪. ૨ ૭૧ ૨૮ ૫ ૩૦૦ ૩૪૧ ૩૫૮ ૩૭૭ ૨ ૧. શ્રી વિમળ જિન સ્તવન (ફેબ્રુઆરી : ૧૯૫૦) શ્રી અનંતનાથ જિન સ્તવન (ફેબ્રુઆરી : ૧૯૫૦) શ્રી ધર્મનાથ જિન સ્તવન (ફેબ્રુઆરી : ૧૯૫૦) શ્રી શાંતિનાથ જિન સ્તવન (માર્ચ : ૧૯૫૦) શ્રી કુંથુનાથ જિન સ્તવન (ફેબ્રુઆરી-માર્ચ : ૧૯૫૦) શ્રી અરનાથ જિન સ્તવન (માર્ચ : ૧૯૫૦) શ્રી મલ્લિનાથ જિન સ્તવન (માર્ચ : ૧૯૫૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન (એપ્રિલ-મે : ૧૯૫૦) શ્રી નમિનાથ જિન સ્તવન (મે : ૧૯૫૦) શ્રી નેમિનાથ જિન સ્તવન (મે : ૧૯૫૦) (૧) શ્રી પાથ જિન સ્તવન (મે-જૂન : ૧૯૫૦) (૨) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (જૂન : ૧૯૫૦) (૩) શ્રી પાસ્તાથ જિન સ્તવન (જુલાઈ : ૧૯૫૦) (૧) શ્રી મહાવીર જિન સ્તવન (મે : ૧૯૫૦) (૨) શ્રી મહાવીર જિન સ્તવન (જુલાઈ : ૧૯૫૦) (૩) શ્રી મહાવીર જિન સ્તવન (ઑગસ્ટ : ૧૯૫૦) મૂળ સ્તવનો ૩૯૪ ૨ ૨. ૪૧૫ ૨ ૩. ४४० ૪૫ર ૪૬૧ ૨ ૪. ૪૬૯ ૨ ૪. ४७८ ૨૪. ૪૮૭ ૫૦૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીવીશી [[ પાઠાંતર, શબ્દાર્થ, અર્થ, કબ તથા વિવેચન સહિત ] Page #18 --------------------------------------------------------------------------  Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્તવન [ ખરા પ્રભુપ્રેમનુ* સ્વરૂપ; અલખની લીલા-વીતરાગતા; ચિત્તપ્રસન્નતા-આન'દમયતા ] સંબંધ—શ્રી આનંદઘનજીની ચેાવીશી ઉપર જ્ઞાનસાર અને જ્ઞાનવિમળસૂરિના માળાવખાધ અને ટા ઉપલબ્ધ છે. શ્રી જ્ઞાનસારના ખાલાવબેધ શ્રી ભીમશી માણેકે છપાવેલ છે. જ્ઞાનવિમળસૂરિના ટમે સક્ષિપ્ત અને સુંદર છે. તેની ભાષાને જરૂરી વમાન રૂપક આપી અર્થ પછી મૂકેલ છે. એને આશય લઈને શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ વિ. સં. ૧૯૮૨માં અર્થ-ભાવાર્થ પ્રકટ કર્યા છે. એ સાધનાના મે' ઉપયોગ કર્યો છે. બે-ત્રણ પ્રતા મૂળના પાઠાંતરો જાણવા એકઠી કરી છે. તે પ્રતા મને શ્રી મુંબઇ ગાડીજી મહારાજના ભંડારમાંથી મળી છે. એક એક સ્તવન પર લગભગ એક એક માસ સુધી મેં' વિચાર કર્યો છે. દેરાસરમાં તે ગાયેલ છે, તેના પર યથાવકાશ પરિશીલન કર્યુ છે અને તેને અંગે જે વિચાર થયા તે અત્રે મારા પોતાના વિચારોની સ્પષ્ટતા માટે નોંધી લીધા છે. મને ઘણાં વર્ષોથી એમ લાગ્યું છે કે જ્ઞાનસારજીની ભાષામાં કહીએ તે · આશય આનદધન તણા, અતિ ગંભીર ઉદાર ’હાર્દ, તેના પર જેમ જેમ વિચારણા કરવામાં આવે તેમ તેમ નવીન નવીન સત્ય સાંપડે તેમ છે. લેખક પોતે જાતે અનુભવી હતા, મહાન યાગી હતા અને સ્પષ્ટ વક્તા હતા. એમના મનમાં જૈન ધર્માંના રંગ ખરાખર લાગી ગયેલા હતા. અને એમને દુનિયાની દરકાર નહેાતી, એટલે એમના વચનમાંથી સારતત્ત્વ ખૂબ સાંપડે તેવું છે અને એમની જીવનદોરી આત્મલક્ષી અને આંતરલક્ષી હાઈ અંદરથી જાગ્રત કરે તેવી તેમની માર્મિક શબ્દરચના છે. પેાતે કવિ હાવાના દાવેા ન કરનાર હાર્ટ, મનમાં સૂઝ્યું તે ગાઈ અતાવનાર છે, અને લેાકપ્રશ'સા કે જનસ્તુતિથી પર હાર્ટ માત્ર ચેતન-પ્રગતિસાધક છે; એટલે એમના હૃદયગાનમાંથી ઘણાં જીવવા-જાણવા જેવાં તત્ત્વા સાંપડે તેમ છે. આ દૃષ્ટિથી માત્ર સ્વલાભની નજરે જે સૂઝયું તે અહીં નોંધી લીધું છે. એમાં અન્ય કોઈ અપેક્ષા નથી, પ્રશંસાના મેહ નથી, સાક્ષરતા બતાવવાના આશય નથી. આ દૃષ્ટિ સતત ધ્યાનમાં રહી છે. હું આ પ્રત્યેક સ્તવન ગાઉં છું, ત્યારે મને ઊંડી અનુભવવેદના થાય છે, અને તેના કોઈ કોઈ ભાગ લેખરૂપે કાયમ થાય તેા સ` રીતે સ્વને લાભકારક છે એટલી દૃષ્ટિએ આ નોંધ કરી છે. જનપ્રવાહમાં એવી દંતકથા ચાલે છે કે, એક વખત આનંદઘન મહારાજ ( લાભાનંદજી ) ચાલ્યા જતા હતા, ત્યાં કોઇ સ્ત્રી પોતાના પતિ પાછળ સતી થવાને શ્મશાનયાત્રામાં જતી હતી. લોકો સતીના જય જય પોકારતા હતા અને સતીના મુખમાંથી કંકુ નીકળતું હતું. આજુબાજુ અનતા બનાવે। તરફ સાધારણ રીતે દુર્લક્ષ કરનાર યાગીરાજને કોઇએ કહ્યું કે આ ખાઈ પેાતાના પ્રીતમ–ધણી પાછળ સતી થવા જાય છે. પેાતાના ખેળામાં પતિનું માથું રાખી પોતે પતિની Page #20 -------------------------------------------------------------------------- ________________ ૪] શ્રી આનંદઘનચોવીશી ચિતામાં સાથે બળશે અને લેકે વાજા વગાડશે. આનંદઘનજીને આ અજ્ઞાન-મરણ પર વિચાર આવ્ય, સંસારના મેહની વિષમતા પર વિચાર આવ્ય, કર્મના સ્વરૂપ અને સંસારની વિષમ પર્યટન પર ખ્યાલ આવ્યું અને અજ્ઞાન-કણ પર વિચાર કરતાં ખરી પ્રીત કેવી હોય, ક્યારે થાય અને કેવી રીતે થાય, તેની ભવ્ય કલ્પના તેમને નૈસર્ગિક રીતે બેસી ગઈ. એટલે એમણે પ્રીતિ–પ્રેમનું આખું સ્વરૂપ આ સ્તવનમાં વણી દીધું. ચોવીશીનું આ પ્રથમ સ્તવન ગાનરૂપે આનંદઘનજીના મુખમાંથી નીકળી પડવાને આ પ્રસંગ હતું, એવી એક લોકવાયકા છે. અન્ય કહે છે કે તેમને કઈ જિજ્ઞાસુએ સવાલ કર્યો કે પ્રભુ-પ્રેમ કેવો હોય અને સાચું પૂજન કેમ થાય અને પરમાત્માની સાચી રિઝામણ ક્યારે થાય? તેના જવાબમાં પિતાને થયેલા અનુભવની નોંધણીરૂપે આ સ્તવનની રચના થઈ. એ ગમે તેમ હોય, આ સ્તવનમાં પ્રેમપ્રીતિનું તત્વજ્ઞાન અને સાચી પ્રભુપૂજાની વિચારણું ખૂબ સરસ શબ્દોમાં વગર પ્રયાસે આંતરધ્વનિ તરીકે નીકળી છે. આપણે તે નજરે પ્રેમનું તત્ત્વજ્ઞાન વિચારીએ. સ્તવન (“કમ પરીક્ષા કરણ કુમર ચલ્યો ”—એ રાગ; રાગ-મારુ) ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંતઃ રીઝ સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે. ૧. અર્થ–મારે ખરે પતિ-દેવ તે માટે રાષભદેવ ભગવાન છે અને બીજા કોઈને હું મારા પતિ તરીકે ચાહતી પણ નથી, કારણ કે મારે પતિ જે એક વાર બરાબર રીઝી જાય, તે સાદિ-અનંતમે ભાગે એ મારી સોબત ન છોડે, એ મારે સથવારે ભાંગી ન પડે. (૧). ટ -(કર્તા શ્રી જ્ઞાનવિમલસૂરી) પ્રથમ સ્તવનને દબો લખતાં શ્રી જ્ઞાનવિમળસૂરિ કહે છે – श्रीआनदघनअर्हतः स्तवचतुविशते : स्फुटं भावार्थो लिरव्यते श्रीमत्ज्ञानविमलसूरिभिः । ચિદાનંદમય જિનવરૂ, સદા મુદા ધરી પ્રેમ; પ્રભુમી પરમ પ્રમોદશું, જયનાયક જગએમ. ૧ જિનગુણથુતિ કરતાં થકાં, પૂજક જિન હુઈ જાય; તે ભણી જિનગુણકીર્તના, કરતાં પાપ પુલાય. ૨ પાઠાંતર–જિનેસર – જિનેશ્વર. રે – બે પ્રતમાં રે નથી. પ્રીતમ – પ્રિતમ. (સંસ્કૃત નિયમ પ્રમાણે દીધ ઈ છે. તગમ શબ્દમાં રચના ફેરવાય નહિ.) પરિહરે રે– પરિહરઈ, (રે મૂકી દે છે.) ભાંગે – ભાંગે. (૧) | શબ્દાર્થ–ઋષભજિનેશ્વર = આદિનાથ, પ્રથમ તીર્થંકર. પ્રીતમ = વલ્લભ, વહાલ વણી. માહરે = મારો. એર = બીજો. ચાહું = ઈછું. કંત = પતિ, ધણી. રીઝયો = રાજી થયેલે, સંતોષ પામેલે. સાહેબ = ઈશ્વર, મોટો માણસ. સંગ = સબત, સમાગમ. પરહરે = છોડે, તજી દે. ભાંગે = પ્રકારે, વિભાગે (જેન પારિભાષિક શબ્દ છે. વિવેચન જુઓ). સાદિ = જેની આદિ એટલે શરૂઆત છે તે. અનંત = જેને અંત-છેડો નથી તે. (૧) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧: શ્રી ઋષભદેવ સ્તવન [પ ૩% નમઃ શ્રી આનંદઘનની વીશી અર્થે કરી લખીએ છીએ. શુદ્ધ ચેતના અને આત્માને શિક્ષારૂપ વિનંતી દ્વારે શ્રી વીતરાગ-સ્તુતિ-સ્તોત્ર કરી લખીએ છીએ તે અધ્યાત્મરૂપ છે. શ્રી કષભજિનેશ્વર તે મુજને અત્યંત વલ્લભ છે. શુદ્ધ ચેતના કહે છે તે “વૃષ” કહેતાં આત્મસ્વભાવરૂપ ધર્મ, તેણે કરી “ભ૦ કહેતાં શેભે એ જિનેશ્વર રાગદ્વેષને જિપક; તેહી જ મારે પ્રીતમ–વાલો છે. અવર અશુદ્ધ રાગાદિ મલિન આત્મા તથા દેવ, તેહને કંત પરે ચાહું નહિ, ઇચછું નહિ. તે સાહેબ રીઝક્યો હોય તે કહીં–એક વાર પણ–સંગ ન મૂકે, અભેદ રૂપે મળ્યો ભિન્ન ન થાય, તે સાદિ અને અનંત ભાગે સંગ ન મૂકે. “ભંગી” એટલે અનંત શુદ્ધ સ્વભાવ પ્રગટયો તે સાદિ અનંત સ્વભાવ તે ત્રિકાલે અક્ષય, તે માટે તથા વીતરાગપણે પ્રતીત કર્યો તે સાદિ, તસ્વરૂપભાવી તન્મયભાવ આચરણ હેતુએ કરી થયે તે અનંત. વિવેચન–ખરા પ્રેમનું લક્ષણ એ છે કે જેની સાથે પ્રીતિ બાંધી તેની સાથે હંમેશને માટે પ્રીતિ ચાલુ રહેવી જોઈએ. આજે એક સ્ત્રીને “વહાલી–વહાલી” કરી બોલાવવી, બે-પાંચ માસ કે વર્ષ ગયા પછી બીજી સ્ત્રીના વિયોગે ઝૂરવું અને વળી ત્રીજી સ્ત્રી સાથે પ્રેમમાં મસ્ત થવું, એનું નામ ખરે પ્રેમ કહેવાય નહિ “કેળભાઈને કૂબો અને એક મૂઓ ને બીજે ઊભો” એ સાચી પ્રીતિનું લક્ષણ નહિ. આપણે પૂર્વકાળનાં ચરિત્ર વાંચીએ છીએ, તે ત્યાં આજીવન એકપત્નીવ્રત અને એકપતિવ્રતને મહિમા ગવાય છે. શ્રી રામના અનેક ગુણોમાં એકપત્નીવ્રતને બહુ આગળ પડતું સ્થાન રામાયણમાં મળે છે. અને અનેક સતી સ્ત્રીએ પોતાના પતિ પાછળ ગૂરી ઝૂરીને મરતી અથવા સતી થતી આપણે જાણીએ છીએ. એટલે સાચી પ્રીતમાં આંતરે ન હોય, ત્રુટિ ન હોય; એ તે જેને હદય એક વાર સોંપ્યું તે સંપ્યું, તેમાં પછી મીનમેષ થાય નહિ. પછી ગમે તેટલી યાતના સહન કરવી પડે, પણ જેને હૃદય એક વાર આપ્યું તે આમરણાંત પતિ : આર્ય સંસ્કારને પતિપ્રેમ આવા પ્રકાર હોય છે. પતિ એને મારે-કૂટ, પણ એ પતિપ્રાણા, પતિવત્સલા જ રહે. એના સંકલ્પમાં પણ અન્ય તરફ પ્રેમ ન થાય. આનંદઘનજી કહે છે કે આ આર્ય સંસ્કૃતિને આજીવન પ્રેમ છે, તેના કરતાં પણ આત્મપ્રેમ–પ્રભુપ્રેમ વધારે સ્થાયી, વધારે ચોક્કસ અને તેટલા કારણે વધારે અનુકરણીય છે. આત્માની શુદ્ધ દશામાં વર્તનને શુદ્ધ ચેતના કહેવામાં આવે છે. શુદ્ધ ચેતના એટલે આત્માની વિશુદ્ધ દશા. એને રૂપક આપી તેની પાસે આ સ્તવન ગવરાવ્યું છે. એ શુદ્ધ ચેતના ખૂબ ઉલ્લાસમાં આવી ગાન કરે છે. એને ઊર્મિઉદ્ગાર આપણે સાંભળીએ, થ્થાઈએ. ' એ કહે છે કે મારે પ્રીતમ તે શ્રી ઋષભદેવ ભગવાન છે. એને ચરણે મારું મસ્તક છે, એની બાજુએ રહેવાના મારા કોડ છે, એની સાથેની મારી પ્રીતિ ભારે મૂલ્યવતી, પરિણામવતી, સસત્તા ( Pregnant) છે. એ મારા પતિદેવને જ હું ચાહું છું, એના પર વારી જોઉં છું, એની બતમાં મારા અસ્તિત્વની સફળતા માનું છું. એનું એક મુખ્ય કારણ એ છે કે એ મારા પતિદેવને રીઝવ્યો હોય તે પછી અનંતકાળ સુધી એ મારો સંગ છેડે તેવું નથી. દુનિયા Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬] શ્રી આનંદઘન–ચોવીશી દારીના પતિ તે વધારે દેખાવડી પત્ની મળે કે અન્ય કોઈ બહારનું પ્રેમપાત્ર મળી જાય, તે પિતાને પ્રેમ ફેરવી નાખે. સ્ત્રી ઘરડી થાય કે માંદી પડે કે ધીમે ધીમે પ્રેમમાં ઢીલાશ થતી જાય, પણ આ મારો પતિ તે એક વાર મારી ઉપર રિઝાયો એટલે પછી અનંતકાળ સુધી મારી સોબત મૂકે નહિ. જે પ્રીતિમાં આંતર પડે, જે પ્રીતિ સદાકાળ ચાલે નહિ, જે પ્રીતિમાં સ્વાર્થ, આકાંક્ષા કે આશય હોય તે પ્રીતિ ખરી જામે નહિ, જામે તે ટકે નહિ અને ટકે તે હંમેશને માટે સ્થાયી થાય નહિ. એને ખરી પ્રીતિ કેમ કહેવાય? કારણ કે એવી પ્રીતિ, બહુ બહુ તે, આ જીવન પર્યંત ચાલે, પછી અંતે એનો છેડે આવ્યા વગર ન રહે. વિયોગના અનેક કારણો બને, અને સદંતર વિયોગ પણ થઈ જાય; પણ ભગવાન સાથે મેળાપ તે સાદિ-અનંતમે ભાગે હોઈએ સ્થાયી જ રહે અને એને જ ખરે પ્રેમ કહેવાય. આ સાદિ-અનંત ભાગે આ રીતે થાય; પ્રેમ અને પ્રેમના છેડાને અંગે ચાર વિકલ્પ શક્ય છે : (૧) જેની શરૂઆત હોય અને છેડો પણ હોય તે સાદિ-સાંત. દુનિયાદારીને પ્રેમ ઘણેખરે આ કટિમાં આવે. (૨) પ્રેમની જેમાં શરૂઆત જ ન હોય, પણ અંત હોય એ અનાદિ સાંત વિકલ્પ અશક્ય છે, જેની આદિ ન હોય તેમાં અંતની શક્યતા જ ન હોય. (૩) અનાદિ અને અનંત વિકલ્પ એક વ્યક્તિને અંગે હોઈ શકે નહિ; વૈયક્તિક પ્રેમને શરૂઆત હોવી જ જોઈએ. અને (૪) ચોથે વિકલ્પ સાદિ અનંત છે. એમાં પ્રેમની શરૂઆત હોય, પણ શરૂઆત થયા પછી એને અનંતકાળે પણ અંત ન જ આવે. આ ચોથો વિકલ્પ અહીં પ્રસ્તુત છે. ત્યારે શુદ્ધ ચેતનાના પતિદેવ ખરેખરા રીઝે અને પ્રેમ બાંધે, તે પછી એ તો જીવસટોસટની વાત થાય; એમાં પ્રેમને છેડે કે અંત ન જ હોય. એ તે એક વાર પ્રેમ બાંધે તે બ. શુદ્ધ ચેતના કહે છે કે મારા રાષભદેવ પતિ એ જ મારા પ્રીતમ છે. એને જ હું ચાહું છું અને બીજાને હું ચાહુતી નથી, કારણ કે મારા નાથને મેં એક વાર રીઝવ્યા હોય તે પછી એ સાદિ-અનંતમે ભાંગે (વિકલ્પ) મારે સંગ છેડે નહિ, મારે પછી અનંત કાળ સુધી કેઈને રીઝવવાનું રહે નહિ અને મારી ભવની ભાવઠ ભાંગી જાય. ભાષભ શબ્દમાં ઘણો ચમત્કાર છે. દુનિયામાં સારામાં સારી ચીજ હોય તેને રાષભ અથવા વૃષભ કહેવામાં આવે છે. દા. ત. નરવૃષભ એટલે માણસમાં શ્રેષ્ઠ. અથવા જવું એટલે આગળ વધવું. પ્રગતિસૂચક એ ધાતુમાં “ભ” વધવાથી એની શોભા વધે છે. આવા વૃષભદેવ એ મારા હદયના નાથ છે. એમનામાં મારું જીવન સર્વસ્વ અર્પણ કરી દઉં છું, અને એમના સિવાય અન્ય કેઈને હું મારા પતિ તરીકે ચાહતી નથી. (૧) પ્રીત-સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત-સગાઈ રે નિરુપાધિક કહી રે, સપાધક ધન ખાય. સષભ૦ ૨ પાઠાંતર-રે- બે પ્રત છોડી દે છે કે પહેલા અને ત્રીજા બને પદમાં પ્રીત – પ્રિત (સાચું રૂપ પ્રી માં દીર્ઘ ઈ છે. (૨) શબ્દાર્થ–પ્રીત = પ્રેમ, હેત. સગાઈ = સંબંધ, વિવાહને સંબંધ. જગમાં = દુનિયામાં, લેકમાં. રાહુ = Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧ : શ્રી ઋષભદેવ સ્તવન [ ૭ અર્થ–પ્રેમસંબંધ તે જગતમાં સર્વે કરે છે, પણ એ પ્રેમસંબંધ કાંઈ નથી, એમાં દમ નથી. પ્રેમસગપણ સંબંધ તે ચિંતા–જંજાળ વગરને હોય તે જ સાચો સંબંધ કહેવાય. કારણ કે ઉપાધિવાળ સંબંધ તે (આત્મ)ધનને પણ નાશ કરે. (એટલે એ સાચે સંબંધ કહેવાય નહિ.) (૨) ટબે–જગમાં સહ કેઈ પ્રીતિની સગાઈ તથા પ્રીત બાંધીને સગાઈ–સંબંધ કરે છે, પણ પ્રીતની સગાઈ–સંબંધ કેઈ નથી તે જાણવું. જે માટે પ્રીતિ–પ્રીતસગાઈ તે નિરુપધિક કહી છે. જયાં પરભાવ મેળવી પ્રીત બાંધવી, તે પાધિક કહી છે અને સોપાધિક પ્રીતિ–સગાઈ તે ધન ખે –આત્મગુણને નાશ કરે એટલે અશુભ છે. (અશભનીક શબ્દ હોય એમ લાગે છે. ન શેભે તેવો.) રાષભ જિનેશ્વર પ્રીતમ માહરે છે. (૨) વિવેચન–પ્રીતિ કે સગપણ સંબંધ તે દુનિયામાં સહુ કોઈ કરે છે. જનાવરે પણ પરસ્પર આકર્ષણ કરે છે, અને સ્ત્રી-પુરુષે પણ એકબીજા તરફ ખેંચાય છે; પણ એ દુન્યવી પ્રેમમાં ખરી પ્રીતિ નથી, એમાં દેહસંબંધ થાય છે. એમાં મેહને આવિર્ભાવ હોય છે, એમાં બાહ્ય આકર્ષણનું વધતું-ઓછું તત્વ હોય છે, એમાં ખબર ન પડે તેવી રીતનું પૌગલિક આકર્ષણ વચ્ચે હોય છે; એમાં ચેતન-ચેતનને સીધો મેળાપ થતું નથી, એમાં આત્મા - આત્માને સંબંધ થત નથી, પણ એમાં રાગ-કેસરી મહારાજના ઇંદ્રિયવિષયે કામ કરે છે. એમાં આકાંક્ષા, વિયેગ, દિન આદિ અનેક પ્રકારની બાહ્ય ઉપાધિઓની દરમિયાનગીરી હોય છે. એમાં આકાંક્ષા, આકર્ષણ અને ધબકારા હોય છે. આ સર્વ પૌગલિક ઉપાધિઓ છે. આ સર્વ ક્ષણિક રંગરાગ છે. એક વાત સમજી લેવા જેવી છે. જ્યાં જ્યાં બાહ્ય ઉપચાર, દેખાવ કે દખલગીરી આવી, ત્યાં ઉપલયિાપણું અને અલ્પસ્થાયીપણું આવે છે. એવા પ્રકારની પ્રીતિ ચાલી ચાલીને કેટલી ચાલે? પિદુગલિક બાહ્ય પ્રેમ તે, પ્રેમનું કારણ ઢીલું થતાં, ખલાસ થઈ જાય, એટલે આવી બાહ્ય ઉપાધિવાળીને પ્રીતિનું નામ આપવું તે પણ ચેતન જેવા મહારાજને અઘટિત છે. ચેતનરાજની પ્રીતિ તે ઉપાધિ વગરની હોય, અપેક્ષા–આશા વગરની હેય, અંત વગરની હોય. પ્રેમમાં ઉપાધિ આવી એટલે પ્રેમ પ્રેમના નામને અયોગ્ય બની જાય છે. અને અહીં તે કહેવાતે પ્રેમ અનેક મનોવિકારને વશ હોઈ, ગમે ત્યારે ખલાસ થઈ જવાનો સંભવ છે. અને કદાચ બહુ ચાલે તે દેહ છૂટતાં તે તેને છેડો જરૂર આવે છે. આખું મહરાજાનું કાર્યશીલન વિચારીએ તે એવા રાગને પરિણામે થતા પ્રેમમાં સ્થાયીપણું દેખાતું નથી. ઘડપણ, ઈર્ષ્યા, હરીફાઈ વગેરે અનેક કારણે એ પ્રેમને બંધ તુટી જાય છે અને હોય ત્યારે પણ આત્મધનને ઓછું કરે છે. આવા સંબંધને પ્રીતસગાઈ કહેવી તે ખોટી વાત છે. એમાં તે અંદરનું જે સાચું આત્મધન છે તે ઊલટું ખોઈ બેસાય છે. સવ, બધાં. ન કઈ = નકે (મરાઠી) કોઈ નથી, જેવી ચીજ જ નથી. પ્રીતસગાઈ = પ્રીતિનો સંબંધ નેહસંબંધ. નિરુપાધિક = ઉપાધિ વગરની. ( ઉપાધિ = જ જાળ, પીય, આપદા.) કહી = બતાવી, પ્રતિપાદન કરી. સો પાધિક = ઉપાધિવાળી. ધન = આત્મધન, ખાય = નાશ કરે. (૨) Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘન-ચોવીશી આવી સપાધિક પ્રીતિને, ખરી રીતે, પ્રીતિ કે સગપણ કહેવાય જ નહિ. એમાં તે ચેતન નરમ પડે, નીચે ઊતરે, વમળમાં અટવાઈ જાય અને ભારે થતું જાય. નિરપાધિક પ્રીતિ હોય તે સાચી પ્રીતિ; જ્યાં પૌગલિક ભાવ કે રાગદ્વેષ આવ્યા ત્યાં રખડપટા અને દુનિયાદારી આવી જાય. એમાં પછી આત્મભાવ ઘટતો જાય છે, એમાં આત્મા અટવાઈ જાય છે, એમાં ચેતનને શોધ પણ મુશ્કેલ પડે છે. એવી પ્રીતિને પ્રીતિ કહેવાય નહિ. જગતમાં થતા દુન્યવી પ્રેમ કે સંબંધે આત્મિક નજરે અર્થશૂન્ય અને આડે રસ્તે દોરનાર હોઈ તે ખરી પ્રીત કે સગાઈના નામને પણ યોગ્ય નથી. પાધિક સંબંધ અને નિરુપાધિક સંબંધ ખૂબ સમજી લેવા જેવો છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં કામદેવ ખૂબ કામ કરે છે, એ તે આપણે જાણીએ છીએ; પણ બહેન ભાઈના સંબંધમાં પણ મહરાજ અંદરથી ઘણું કામ કરે છે. એમાં મોહ જુદા પ્રકારને આકાર ધારણ કરે છે. પુત્ર-પિતાના પ્રેમમાં એનું ત્રીજું સ્વરૂપ હોય છે. અને વ્યવહારથી નિર્દોષ દેખાતા મિત્રમિત્રના સ્નેહમાં અલગ સ્વરૂપ ધારણ કરે છે. જ્ઞાતિજન પ્રત્યે પ્રેમ, દેશને પ્રેમ એ સર્વની પાછળ અમુક આકાંક્ષા, અમુક અપેક્ષા, અમુક હેતુ હોય છે. સામાન્ય જનતાની કક્ષાએ એ પ્રેમની માત્રા ઊંચી હોય, તે પણ એમાં મહારાજાને મહિમા પૃથક્કરણમાં તરી આવે છે, એમાં મારાપણાને ભાવ આવે છે અને મેહરાજાને મંત્ર જ કહ્યું અને મને છે. મારું અને તારું થયું, ત્યાં દુનિયાદારી છે, વ્યવહાર છે, અંતરના ભામાં છે અને પરિણામિક રખડપટો છે. આવી કોઈ પણ પ્રકારની બાહ્ય ઉપાધિ હોય, ત્યાં અંતરને પ્રેમ થતું નથી, અનંતકાળ ચાલે તે પ્રેમ થતું નથી અને સાચા પ્રેમના નામને છાજે તેવી ચિરસ્થાયી પ્રીતિની જમાવટ થતી નથી. સાચી પ્રીતિમાં ઉપાધિનું નામ ન હોય, બાહ્ય ઉપચાર ન હોય, ગણતરી, ગાંઠ કે એકપક્ષીયતા ન હોય. ભવભૂતિ કહે છે કે – व्यतिषजति पदार्थानान्तरः कोऽपि हेतुः न खलु बहिरुपाधीन् प्रीतयः संश्रयन्ते । એને ભાવ એવો છે કે પદાર્થોને કેઈ અંદરને હેતુ જેડે છે, એમાં બહારની ઉપાધિને સ્થાન નથી, આટલી વાત કરીને પછી એ કમળ ને સૂર્યના ઉદયને સંબંધ અંતરના હેત તરીકે જણાવે છે. ચંદ્ર ઊગે અને કુમુદ ખીલે : આ તે મનની કલ્પના છે, પણ એમાં ઊંડો ભાવ ઉપાધિને છે. ખરા પ્રેમમાં બાહ્ય ઉપાધિ ન હોય એ સાચી વાત છે. અને આપણે આસપાસ જે પ્રીતિ જોઈએ છીએ, તેમાં તે બાહ્ય ઉપાધિ જ દેખાય છે. ચાલુ નજરે, ઉપટિયા ભાવે જોતાં એ ન દેખાય તે તેમાં જેનારની શક્તિનું માપ છે; પણ ઉપાધિ જરૂર છે અને એ પ્રીતિનો અંત ચક્કસ છે. આનંદઘન અનુભવને અંતે કહે છે કે, એવી પ્રીતિ તે આત્મિક ધન હોય તેને ખાઈ બેસે છે, જરા જરા આત્મદ્રવ્યને સંચય કરેલું હોય, તેને પણ એ ખેવરાવી નાંખે છે અને એટલા માટે એ પ્રીતિના નામને વેગ્ય નથી. (૨) Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧ : શ્રી ઋષભદેવ સ્તવન | [ ૯ કઈ કંત કારણ કાષ્ઠ-ભક્ષણ કરે છે, મિલરચું કંતને ધાય; એ મેલો નવિ કહિયે સંભવે રે, મેલો ઠામ ન ઠાય. ઋષભ૦ ૩ અર્થ કઈ કઈ તે પતિ(ને મળવાની ખાતર લાકડાભેગાં થાય છે ( સાથે બળી મરે છે ). (એને હેતુ એ હોય છે કે એમ કરી પતિને જલદી મળી જવાશે. પણ એવા પ્રકારને મેળાપ કોઈ પણ સ્થળે થે સંભવ નથી, કારણ કે મેળાપનું એમાં ઠેકાણું નથી, ઠેકાણું એક સ્થાનકે ચેકકસ રહેવાનું નથી. (૩) ટ –કેટલાએક કંતને પામવાને કાષ્ટભક્ષણાદિ કષ્ટ કરે છે એટલે અજ્ઞાન–કષ્ટાદિ તથા કાઠે (લાકડાની ચિતા પર) ચઢવાદિક સાધે છે, એમ કરતાં કંતને જઈને મિલશું એવું ઘણું ચિત્તમાં ધરે છે, પણ એ મેળો કહીએ સંભવે નહિ, મિથ્યા અજ્ઞાન-કષ્ટ કીધે પરમાત્મા ન પામીએ. એ મેળામાં પરમાતમ પ્રીત શું? ? ઠામઠેકાણું નથી જાણત, તે પતિને કિહાથકી પામીએ? 2ષભ જિનેશ્વર પ્રીતમ માહરે છે. (૩) વિવેચન—દુનિયાદારીના પ્રેમ-પ્રીતિના ઊંચા પ્રકારના દાખલા જોઈએ. મિલા–મિલીનાં ચેનચાળા, રાતના નિસાસા, વિયેગનાં રુદન વગેરેમાં તે મેહુરાજાનું સામ્રાજ્ય ઉઘાડું છે, પણ સાધારણ રીતે ઊંચી કક્ષાઓના દાખલાઓમાં પણ પ્રીતિની વિડંબના જ છે, મેળાપનાં ભામાં છે, વિવેકદ્રષ્ટિને અભાવ છે. આ વાત વિચારણાથી આપણને જણાશે. પૂર્વકાળમાં પતિને મળવા માટે સ્ત્રીઓ સતી થતી હતી. એ પતિ પરભવમાં મળે એટલા સારુ એના માથાને ખોળામાં મૂકી ચિતામાં પતિની સાથે સૂતી હતી. આ દેહાપણ અર્થ વગરનું હતું. એ બળી મળનાર સ્ત્રી એમ માનતી હતી કે પતિ પાછળ બળી મરવાથી આવતા ભવમાં એ જ પતિ મળશે. આ આખી માન્યતા ભ્રામક હતી, વ્યવહારમૂલક પણ પાયા વગરની હતી, આત્મઘાતી હતી. એનું આખું તત્ત્વજ્ઞાન વિચારી જતાં એમાં આત્મદષ્ટિની અલ્પતા, વિશ્વવ્યવસ્થાનું અજ્ઞાન, ગતિ આગતિનાં કારણોનું અ૫ ભાન અને નામ રાખવા અભિમાનના અંશને પરિણામે કરેલ આપઘાતને સ્થાન મળેલું દેખાય છે. એમાં સ્થાયી પ્રેમ કે અનંત પ્રીતિને અવકાશ જ નથી. એમાં પ્રીતિને ખરા અર્થમાં સ્થાન પણ નથી. આ હકીક્ત આપણા પૂર્વગ્રહને આઘાત કરાવે તેવી છે, પણ પૃથક્કરણ કરીને ગ્રાહ્યમાં લેવા જેવી છે. આપણે તે પાઠાંતર–કરે રે - કરે, કઈ મિલક્યું – મળશું. કંતને ધાય -- કેતનઈ ધાય. કહિ – કઈએ, કહીઈ. સંભવે રે – સંભવઈ મેલે – મેળો. (૩) | શબ્દાર્થ –કઈ = કઈ કઈ દુનિયાદારી છે. કંત = પતિ, નાથ. કારણ = માટે. કાષ્ઠભક્ષણ = લાકડે ચઢવું, ચિતાએ સૂવું, સાથે બળવું (સતી થવું તે). મિસ્ડ = મળશું, પાછા એકઠા થશે. ધાય = દોડીને જલદી, સત્ત્વર. મેળો = મેળાપ, સંગ નવિ = નહિ, ના. કહિપે = કહી પણ, કોઈ પણ સ્થળે. સંભવે = શક્ય. ઠામ = પત્તો, ઠેકાણું. ન ઠાય = સ્થિર નથી, ચોક્કસ નથી. (૩) Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૦] શ્રી આનંદવન–વીશી જરા વિચારી જઈએ. કેઈ ધનવાન પતિની સ્ત્રી પતિ મરે એટલે સગાંવહાલાંથી વીંટળાઈ જાય, બધાં કકળાટ કરવા લાગે, મેં વાળે, છાજિયાં લે અને અત્યારે ચૂડીકર્મ કરતાં જેણે અવકન કર્યું હોય તેવી સ્થિતિ નીપજાવે. સ્ત્રી પરાધીન બને, એને આભ ફાટ્યું હોય તેમ લાગે, એને જીવન અકારું અને પરાધીન દેખાય, અને પછી એ સહસા નિર્ણય કરે કે પતિ સાથે બળી મરવું એ જ એને માટે સારું છે. આમાં નર્યું અજ્ઞાન, વિવેક વગરને મેહ અને દુઃખમાંથી છૂટી જવાનાં અર્થ વગરનાં ફાંફાં છે. જે સતી થનાર બાઈ આવતા ભવમાં એ જ પતિ મળશે, એ અપેક્ષાએ સતી થવા જતી હોય તે એ મેળાપ સંભવત પણ નથી. પતિ કઈ ગતિએ જશે અને પિતે ક્યાં જશે તેનું પણ ઠેકાણું નથી. ત્યાં પિતે સ્ત્રી થશે કે પુરુષ તેને પણ નિર્ણય નથી. એને બાળક પતિ એને જ વરશે એને પત્તો નથી અને ભવચકની સ્થિતિ વિચારતાં અને ગતિઓની વિવિધતા જોતાં એ મેળે કદાચ થાય તે પણ કેટલા ટકે? અને એવા મેળાનું ઠેકાણું શું? આખા સંસારચકનો વિચાર કરીએ તે આ પ્રકારને આપઘાત તદ્દન અજ્ઞાનમૂલક છે, કર્મના અચળ સિદ્ધાંતનું અજ્ઞાન છે વ્યવહારની સામાન્ય બુદ્ધિનું દેવાળું છે. એમાં માત્ર કુળવાનપણાના અભિમાનનું પિષણ છે અને દુનિયામાં નામના કાઢવાની તમન્નાનું દિગ્દર્શન છે. સવાલ સ્વાભાવિક છે કે માણસ નામના ખાતર ધન ખરચે, કષ્ટ–અગવડ વેઠે, ભૂખ્યા રહે, પણ પ્રાણ આપે ખરા ? જવાબ સીધે છે : કેસરીઆ કરનાર રજપૂતના દાખલા જાણીતા છે, ફાંસીએ જનાર બહારવટીઆઓના દાખલા પ્રસિદ્ધ છે અને રાજદ્વારી ક્ષેત્રમાં તે અમુક વાદને ખાતર પ્રાણ આપનારના દાખલા નંધાયેલા છે. આવા પ્રકારની પ્રીતિને ખરી પ્રીતિ ન કહેવાય. જે પ્રીતિ સ્થાયી નથી, જેમાં સ્વાર્થ અને અંધતા છે, જે પ્રીતિ ઘડપણ આવતાં ટકતી નથી, તેવી પ્રીતિ ખાતર મનખાદેહ એળે ગુમાવ અને ચિતા ઉપર ચઢવું એમાં પ્રીતિના આખા શાસ્ત્રનું અજ્ઞાન છે. “કાષ્ઠભક્ષણમાં પંચાગ્નિ તપને પણ સમાવેશ થાય. ચારે બાજુ સળગતે અગ્નિ રાખવું અને માથે સૂર્યનો સખ્ત તાપ, એ પંચાગ્નિ તપ કહેવાય છે. એની ભાવના, એવા અજ્ઞાનતપને પરિણામે, અંતે પરબ્રહ્મને મેળવવાની હોય છે. પંચાગ્નિ તપથી તે માનસિક અવ્યવસ્થા જ થાય, ગરમીથી શાંતિને લેપ થાય. અને અજ્ઞાન-કટથી કદાચ ખરાબ કર્મ બંધાતાં ઓછાં થાય, તે પણ એમાં પરબ્રહ્મ ન મળે; એવા મેળાપને સંભવ જ ન ગણાય. આવા અજ્ઞાન મરણ કે કષ્ટ સહનને બાળમરણ કહેવામાં આવે છે. એનાથી કદાચ સ્વર્ગ મળે, પણ પરબ્રહ્મ–ચેતનરાજને મેળાપ ન થાય. એમાં મેળાનું ઠામઠેકાણું પણ નથી, એટલે એ અજ્ઞાન-કણ પણ પ્રીતિની નજરે અર્થ વગરનું છે, માત્ર અહિક દેહદમન જ છે. અહીં સામાન્ય રીતે દેહદમનના બીજા અનેક પ્રસંગ કલ્પીચચી શકાય. કેઈ ભરવજપને આશ્રય લઈ પ્રભુ–મેળાપ માટે ઊંચેથી પડતું મૂકે, કઈ હિમાચળમાં જઈ બરફમાં સમાઈ જાય ( હિમાળો ગળી જાય), કઈ કાશીએ જઈ કરવત મુકાવે, કોઈ ઘેાડી સામે રાખી લાંઘણ કરે, કઈ જમીનમાં-માટીમાં અરધા દટાઈ જાય, કેઈ આસન કરે, કેઈ ઊંધે માથે લટકી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧: શ્રી ઋભુદેવ સ્તવન [ ૧૧ રહે વગેરે અનેક કષ્ટો ખમે, પણ એ જો પ્રીતિ શી ચીજ છે, કોની સાથે કરવાની છે, શા માટે કરવાની છે, એનાં પરિણામ શું છે—એ વિચાર્યા વગર કરે તે એને પ્રયાસ નકામા થાય, અને એની ધારણા ભ્રષ્ટ થાય. સમજ્યા વગર થતી ક્રિયામાં આ જ મોટી અગવડ છે, પ્રાણી લાંખે। થઈ જાય છતાં એને પ્રયાસ પૂરતા ઇષ્ટલાભ ન મળે. એવી પ્રીતિને કે પ્રીતિનાં વલખાંને બરાબર એળખવાં જોઈએ, પ્રીતિના આખા વિષયને વિચારવા જોઇએ અને અજ્ઞાનકષ્ટ કે ખાળઆચારથી ચેતવું જોઇએ. બાહ્ય પ્રીતિ શરીર પૂરતી છે, શરીરનો નાશ થતાં એના છેડો આવે છે અને એવી પ્રીતિ તે સંસારવિડ બનાને વધારે છે, રખડપાટાને ટેકો આપે છે અને મનને દુર્ધ્યાન કરાવે છે. બાહ્ય પ્રીતિનું આ સ્વરૂપ છે, સમજ્યા વગરના કષ્ટસહુનનાં આ પરિણામ છે અને વસ્તુ અજ્ઞાન અને આત્મસ્વરૂપના અણુજાણપણામાં આ રીતે પ્રાણી સંસારને વધારી મૂકે છે. આ બાહ્ય મહને—અજ્ઞાન કષ્ટ, સમજણુ વગરના પ્રેમને—હજુ વધારે ખારીકાઇથી વિચારીએ. (૩) કોઈ પતિ ર ંજણ અતિ ઘણા તપ કરે રે, પતિ રંજણ તનુ તાપ; એ પતિ જણ મેં નવિ ચિત્ત ધર્યા રે, રજણ ધાતુ-મિલાપ. ઋષભ૦ ૪ અ—કેટલાંક માણસો પતિ ( પરમાત્માનાથ )ને રીઝવવાને અંગે ઘણાં આકરાં તપ કરે છે અને એવા પ્રકારના રંજન સારું (આતાપના, સ્નાન વગેરે) શરીરનાં કષ્ટો પણ ખમે છે. ( આનંદઘન કહે છે કે) આવા પ્રકારનાં રંજનને પણ મેં મનમાં સ્થાન આપ્યું નથી. હું ધાતુના મેળાપ જેવું એકરૂપ થનાર રજન હેાય તેને જ રજન કહું. (૪) ટમે—વળી, કેટલાંએક પ્રાણી પતિને રજવા-રાજી કરવાને ઘણાં તપ કરે છે—દ્રવ્ય સંવરાક્રિક. એમ કરી પતિ-કતને રાગી કરવા. તે તનું-શરીરને તાપ હાય. એવા પતિરંજન તે મેં ચિત્તમાં નથી ધર્યાં, પણ મેં શુદ્ધ ચેતના રૂપ પરમાત્મા, તે મે ધર્યાં છે. કેણુ આત્મા પતિર’જન, તે કહું છું. જે ધાતુએ ધાતુ મળે, વીતરાગને વીતરાગપણે મળે તે ધાતુમિલાપ. બીજો તે તનુ તાપ જાણવા. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહુરો. (૪) પાઠાંતર—રજણ – રંજન. ઘણો – ધણું. તનું – તન. કરે રે – કરઈ. મેં – મઇ. ધર્યો – ધર્યું. મિલાપ – મેળાપ. રે – બન્ને પ્રતમાં બન્ને સ્થાને નથી. (૪) શબ્દા—કાઈ = કેટલાંક ( પ્રાણીએ ). પતિર ંજણ = નાથને રીઝવવા માટે. અતિ ધા = મહાત, ખૂબ, સારી પેઠે. તપ = તપસ્યા, ઇંદ્રિયદમન, લાંધણ, ઊપવાસ, એકાસણાં, પતિ જણ = પરમાત્માને રાજી કરવા સારુ તનુ તાપ = કાયાને કષ્ટ આપવું તે. એ = એવા પ્રકારનું. પતિરંજણ = નાથને રાજી કરવાનું. મે = મ્હે', લેખકે, આનંદને. નવિ = નહિ. ચિત્ત ધર્યું = મનથી સ્વીકાર્યું, કબૂલ કર્યુ..રજણ = ખરું રિઝામણ. ધાતુમિલાપ = સાત ધાતુના મેળાપ જેવું એકરૂપ હાય તે. ધાતુ સાત છે : રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મા અને શુક્ર; અથવા સાનું, રૂપું, ત્રાંશુ, કીર, જસત, સીસુ અને લાઢું. એ ધાતુઓના ભેડાણ જેવુ'. (૪) Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૨] શ્રી આનંદઘન-ચાવીશી વિવેચન–આત્માની શુદ્ધ દશા, જેને આપણે શુદ્ધ ચેતના”ના નામનું રૂપક આપ્યું છે, તે કહે છે કે વીતરાગદશાનો સાક્ષાત્કાર કરનાર, વ્યવહારદશામાંથી ઊંચે ચાલી જનાર અને નિરંજન નિરાકાર ભાવને સાક્ષાત્કાર કરનાર ઋષભ જિનેશ્વર જ મારો પતિ છે. મારે એની સાથે એક્તાન જમાવવું છે. મારે મોહ-માયામાં મસ્ત થનાર, થોડા વખતના સ્નેહમાં પણ અનેક પલટી મારનાર દુન્યવી પતિને પ્રેમ ન ખપે, સર્વ કાળ મને સહકાર આપે, અનંત કાળ સુધી મને પિતામય બનાવી દે, અને કદી પણ મને વિયેગનું દુઃખ ન આપે એ જ મારે હૃદયેશ્વર છે. શુદ્ધ ચેતના વ્યવહારુ દાખલા આપી પિતાને નિર્ણય મક્કમપણે જણાવે છે. એ કહે છે કે વ્યવહારમાં કે વનવાસમાં તમે પતિરંજનના અનેક દાખલાઓ જેશે. કેટલીક સ્ત્રીઓ પતિને પ્રસન્ન કરવા નાનાં-મોટાં બાળ–અજ્ઞાન તપ કરે છે, સૌભાગ્ય માટે સધવા સ્ત્રીઓને ચાંડલા કરે છે, રાત્રિ જાગરણ કરે છે–એ દેહદમનનો તપ થાય. અને કેટલાંક પ્રાણીઓ પરબ્રહ્મને પામવા કાયાકષ્ટ કરે છે, ભૂખ્યાં રહે છે, મહિના મહિનાના ઉપવાસ કરે છે અને વનવાસ વેઠે છે, વનમાં મળતાં ફળ-કંદ પર ઉદરનિર્વાહ કરે છે, અને એવી રીતે અનેક પ્રકારનો શરીરને તાપ ખમે છે. આવા પ્રકારનું સ્ત્રીઓનું અજ્ઞાન તપ કે આત્માની બરાબર ઓળખાણ કર્યા વગર તનતાપ મેં મારા મનમાં મોટો માન્ય નથી. મારી નજરમાં તે ધાતુએ ધાતુનો મેળાપ થાય તેવા પ્રકારનું પતિરંજન હોય, તેને હું સાચો મેળાપ કહું છું. ધાતએ ધાતને મેળાપ થાય ત્યારે ત્યાં એકરસ જામી જાય છે, એકતા થઈ જાય છે. તેવા મેળાપ તે સાચે મેળાપ કહેવાય. સેના અને રૂપાને કે સેને સેનાને કે લેહ સાથે કાંસાને મેળાપ થાય ત્યારે એક જીવ થઈ જાય છે, એમાં સોનું જુદું તરી આવે અને કથીર જુદું રહી જાય, એ ઉપર ઉપરને મેળ હેતો નથી. ચેતના કહે છે કે હું તે ખરો મેળાપ એને જ કહું કે જેમાં તદ્રુપતા થઈ જાય, છે એકવાક્યતા થઈ જાય, પ્રેમ કરનાર અને પ્રેમપાત્રમાં અભેદ થઈ જાય. અંબડ તાપસે એટલી મોટી તપસ્યા કરી હતી કે એનું વર્ણન વાંચતાં માંચ થઈ આવે, પણ એને સમ્યજ્ઞાન થતાં એ સાચું પતિરંજન શીખે અને જ્યારે ભગવાન શ્રી મહાવીરે એની મારફત સુલતાને ધર્મલાભ કહેવરાવ્યા ત્યારે એને વિચાર થયે કે ભગવાન નાગસારથિ (ગાડી હાંકનાર)ની પત્નીને ધર્મલાભ કહેવરાવે, તેને બોલાવજે એમ કહે, એ તે ભારે નવાઈની વાત કહેવાય ! આ સુલસાના આખા ઇતિહાસની પાછળ સાચા પતિરંજનનું આબેહૂબ ચિત્ર છે. એના દેવદત્ત બત્રીસ છોકરાઓ એકસાથે નાશ પામી ગયા, ચિલ્લણને મેળવવામાં શ્રેણિકે બત્રીશને ભેગ આયે, ત્યારે પણ એ પતિરંજન કરનાર માતાનું હૃદય ધડકયું નહિ, તેનું કારણ એનામાં વાત્સલ્યને અ૫ ભાવ કે અભાવ નહોતું, પણ એ ખરું પતિરંજન સમજતી હતી. અંબડ પરિવ્રાજકે એની પરીક્ષા કરી ત્યારે તપથી થતા દેહદમન અને સાચા પતિરંજન વચ્ચેનો તફાવત તેને સમજવામાં આવ્યો. સાચા પતિરંજનમાં આનંદના તાંતણ ચાલે છે, અંતરને વિકાસ થાય છે અને નિરંતરની પ્રીતિ જામે છે. તુલસીને લલચાવવા અંબડ મહાવીરનું રૂપ ધારણ કરે કે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧: શ્રી ઋષભદેવ સ્તવન [૧૩ સમવસરણની રચના કરે, પણ જ્યાં સુધી અંતરના તાંતણા હાલે નહિ, ત્યાં સુધી સુલસા તેને નમવા જાય નહિ. આવા પ્રકારનું નિર્મળ પતિરંજન એ રંજનના સાચા નામને ગણાય, બાકી બધી વાત ઠીક જ છે. માર્ગે ચઢાવનાર કઈ કઈ હકીક્ત બને, પણ શુદ્ધ ચેતના જેવી નિર્મળ ગૃહિણીના મનમાં એવા વેવલાપણાના પતિરંજનને સ્થાન ન હોય. એની નજરે તે સે ટચનું સોનું જ જોઈએ. એમાં ૯૯૯ ટચ પણ ચાલે નહિ. આ ગાથામાં પતિરંજનની ઉત્કૃષ્ટ દશાની ભાવના છે, શુદ્ધ સ્વરૂપે ચેતન કેવું હોય, તેની પરિણતિ કેવી હોય અને તેને આ ઝોક કેવો હોય તેની રજૂઆત છે. એટલે સુવિહિત સાધનધર્મોને ત્યાગ સમજ નહિ, પણ સાધનને સાધ્ય માની લેવાની ભૂલ ન કરવી. સાધનનું મૂલ્ય સાધન જેટલું જરૂર ગણવું, પણ મૂળ પ્રાપ્ય વસ્તુ તરફ ધ્યાન બરાબર રાખવું. નહિ તે ઘણીવાર સાધનમાં ને સાધનમાં જ જીવતર પૂરું થઈ જાય છે અને એમાં ઇતિકર્તવ્યતા માનનાર ભુલાવામાં રહી જાય છે. ઉચ્ચ વિશિષ્ટ દૃષ્ટિએ બાહ્ય ભાવ, ઉપર ઉપર તપ કે દ્રવ્ય પૂજનને અહીં શું સ્થાન છે તે વ્યવહાર નજરે સમજવું, નિશ્ચયને લક્ષ્યમાં રાખવે અને સાચું પતિરંજન સાધવાની વિચારસ્પષ્ટતા અને આદર્શ રાખવો, એ માર્ગધનમાં વ્યવહાર અને નિશ્ચયન સમવય છે અને એની આવડત એ જૈન તત્ત્વજ્ઞાનની મહાન ફતેહ છે. અહીં એક વાત જરા સ્પષ્ટ કરવી જરૂરી લાગે છે. જે આદીશ્વર ભગવાનનું આ સ્તવન છે, તેમણે એક વર્ષ સુધી ઉપવાસ કર્યા એ દેહદમનની કક્ષામાં આવે કે નહિ, કે શ્રી મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષ સુધી ઉગ્ર ઉપસર્ગો સહન કર્યા એમાં પતિરંજન થાય કે નહિ, તે સવાલ વિચારણા માગે છે. અહીં શુદ્ધ ચેતનાની દષ્ટિ છે. એ કહે કે તમારે પતિરંજન કરવું હોય તે ધાતુમેળાપ થાય તેવું કરે. ધાતુને મેળાપ કરવા માટે તમારે તેને ગરમ કરવી પડે કે તેને ૫૦૦ ડિગ્રી તાપ આપવો પડે, તેની સાથે મારે લેવાદેવા નથી. તમારે જોઈએ તે રીતે કામ લે, પણ રંજન એવું કરો કે એકમયતા થઈ જાય. આદિનાથ ભગવાનનું રંજન કે શ્રી મહાવીરનું ઉપદ્રવસહન યોગ્ય માર્ગ હતું. પણ મારે તેની સાથે લેવાદેવા નથી. મારી તે એક જ વાત છે, તમને ગમે તે માર્ગ લે, તમારે ફાવે તેવાં સાધનોનો ઉપયોગ કરો, મારે સાધનની વિચારણાની જરૂર નથી, મારે તે એક જ વાત છે ધાતુમેળાપ થાય, એવો પતિમેળાપ કરે. શુદ્ધ ચેતના અહીં દેહદમનને નિષેધ નથી કરતી, પણ એ વાતને પોતે મોટી માનતી નથી. આ વાત સ્પષ્ટ કરવાની જરૂર એટલા માટે લાગી છે કે વ્યવહાર નિશ્ચયને સમન્વય ન કરનાર કોઈ વખત આ પદનો એકાંત અર્થ કરવા જતાં આડે માગે ચઢી જાય. અહીં તપને નિષેધ નથી, પણ પતિરંજન વિશિષ્ટ નજરે કેવું હોવું જોઈએ, તેનું પ્રતિપાદન છે. મુદ્દો સમજ્યા વગર, પ્રતિષ્ઠા મેળવવા ખાતર કે ચેતનને બરાબર ઓળખ્યા વગર ગમે તેટલાં દૈહિક કષ્ટ સહન કરવામાં આવે કે ભૂખ્યા રહેવામાં આવે, તે શુદ્ધ આત્મદશાને ખ્યાલમાં રાખતાં નિરર્થક છે. આ તફાવત બરાબર લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. અને વ્યવહાર નિશ્ચયને સમન્વય કરવાની આવડત બને તેટલી ખીલવવા યોગ્ય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૪] શ્રી આનંદઘન-વશી “ધાતુ ”ને અર્થ મેદ, માંસ, અસ્થિ (હાડકાં), રસ, રુધિર, મજજા અને વીર્યને પણ શક્ય છે, પણ તેને મેળાપ પતિરંજન સાથે ઘટી શકતું નથી. અને કવચિત્ “ધાતુ” શબ્દમાં પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશને સમાવેશ કરવામાં આવે છે, અને કોઈ વાત, પિત્ત, કફને ધાતુ ગણે છે. આમાને કોઈ ભાવ સ્થાયી પતિરંજન સાથે મેળ ખાય તેમ ગોઠવો. મને તે ધાતુને અર્થ સોના, રૂપાદિ મૂળ ધાતુ સાથે બંધબેસતે બરાબર લાગે છે. આ આખી હકીકત શુદ્ધ ચેતનાના મુખમાં મૂકી છે અને એ વિશિષ્ટ પતિ જન બતાવે છે, તે વાત અર્થવિચારણા કરતાં લક્ષ્યમાં રાખવી. (૪) કેઈ કહે લીલા રે લલક અલખ તણી રે, લખ પૂરે મન આસ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ-વિલાસ. ઋષભ૦ ૫ અર્થ આ તે અલખના લક્ષ્ય રૂપની લીલા–કીડા છે એમ કેટલાક કહે છે અને લક્ષ્યસ્વરૂપ મનની જે કાંઈ આશા હોય તે સર્વે સંતોષે છે, પૂરી કરે છે. પણ (આનંદઘન કહે છે કે, જે સર્વ પાપ-દોષથી રહિત હોય તેને લીલા–કીડા જ ઘટે નહિ, શેભે નહીં, સંભવે નહિ; કારણ કે લીલા તે દેની જન્મભૂમિ છે, રંગભૂમિ છે. (૫) ટ –અલખ લખી ન જાય, કળી ન જાય; જેવી ભક્તની ઇચ્છા તેની તેમ પૂરે. તેને કીસી (શેની) ખોટ છે? ઈલાવે (અલાવે–મેળવી આપે) તેના મનની આશા પૂરવે છે. એ પણ બાધક વચન છે. જે માટે દોષ રહિત પરમેસરને લીલા, જે સાંસારિક અવસ્થા કલા, તે પરમેસરને ઘટતાં નથી, નિશ્ચયે. સંસારી લીલા તે દેષના વિલાસ, તેની લડુરી છે. જે રાગે દેસ હોય તે સંસારની લીલા વાંછે આપે. ઉત્પત્તિ, સૃષ્ટિ, પાળવું ઈત્યાદિક તેના વિલાસ છે. અષભ૦ (૫). વિવેચન–હવે આ પ્રેમના વિષયને બીજી ભૂમિકા પર લઈ જાય છે. દુનિયાદારીના પ્રેમની નિરર્થકતા વિચાર્યા પછી કેટલાંક પ્રાણીઓ પ્રેમ કરવા કે પ્રેમ મેળવવા બિલકુલ પ્રયાસ કરવા ઇચ્છતા નથી, તે આખી માન્યતા સમજણ વગરની છે, એ વાત બતાવવા દ્વારા પ્રચલિત નિરક્ષિતા પણ નિરર્થક છે એ બતાવે છે. એની વિચારણામાં અલખ અને લખનું સ્વરૂપ જાણી લેવું પડે. અલખ એટલે અલક્ષ્યIncomprehensible, જે સમજી ન શકાય, જેની તુલના કે ગણતરી ન થઈ શકે તે અલખ. પાઠાંતર–કહે - કહઈ લલક અલખ – અલખ અલખ, લલઅલષ, લલકઅલક, લખ – લપ. પૂરે – પૂરઈ. મન – મનિ. આસ – આશ. રહિતને – રહિતને રે. ઘરે – ઘટઈ. (૫). શબ્દાર્થ–કઈ કેટલીક. કહે = જણાવે છે કે, લીલા = કીડા. લલક = લક્ષ્યમાં આવે તેવી. અલખતણી = અલક્ષ્મન જાણી શકાય તેવા વી. લખ = લય, જાણી શકાય તે. પૂરે = સંતે, ઘરની . મને આશા = મનડાની આશા.એ, ઈચ્છાઓ. દોષ રહિતને = પાપ વગરનાને. લીલા = કીલ. નવિ = ન. ઘટે = શોભે, સંભવે. ષવિલાસ = ઉપાધિ પાપનું રમણ–રટણ છે, સ્થાન છે. (૫) Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧: શ્રી ઋષભદેવ સ્તવન [૧૫ પરબ્રહ્મ એટલા ભગ્ન છે, એવા વિશાળ છે કે એના ખ્યાલ કરવા એ પણ માણસની બુદ્ધિથી પર છે. આ અલખને અનેક જોગી-બાવાએ જગાવે છે, અહુલેક કરે ત્યારે આ અલક્ષ્ય સ્વરૂપને ધ્વનિનું રૂપ આપે છે; આ અલક્ષ્ય સ્વરૂપ પ્રમાણે માણસની મર્યાદિત બુદ્ધિમાં પરબ્રહ્મનું સ્વરૂપ અવતરવાની અશકશ્રતા માનવામાં આવે છે; પણ એ અલખનું લક્ષ્ય સ્વરૂપ પણ હોય છે. એટલે એ અલખમાંથી લક્ષ્ય સ્વરૂપ જન્મે છે, જે મર્યાદિત બુદ્ધિશક્તિવાળા માણસાનાં મગજમાં પણ ઊતરી શકે. દાખલા તરીકે ગૂઢ અલખના કૃષ્ણ વગેરે રૂપો કલ્પાય કે હાય, તે તેનું લક્ષ્ય સ્વરૂપ છે. અલખનું લખ બ્રહ્મરૂપ સૃષ્ટિનું ઉત્પાદન કરે, અલખનું લખ વિષ્ણુરૂપ સૃષ્ટિનું સંરક્ષણ કરે, અલખનું લખ શિવ-રૌદ્ર રૂપ સૃષ્ટિના સંહાર કરે. આ લક્ષ્ય રવરૂપ જેમ ઇચ્છે તેમ સૃષ્ટિના ઉદ્ગમ, રક્ષણ અને નાશ થાય છે અને એ અલખના લખ સ્વરૂપની જયા૨ે ઇચ્છા થશે ત્યારે લખ સાથે આપણી સાચી પ્રીતિ થશે, અને ટકશે. એટલા માટે ભગવાનની ઇચ્છા બળવાન છે, ભગવાનનું લખ રૂપ આપણી આશાઓ પૂરશે, આપણામાં સાચી પ્રીતિ જન્માવશે અને એમ થશે ત્યારે આપણા દહાડો વળશે. માટે પ્રભુની પ્રીતિ મેળવવા માટે કે પરબ્રહ્માની પ્રાપ્તિ માટે તપ કરવાં કે કાષ્ઠમાં બળી મરવું એ કાંઇ જરૂરનું નથી, ઇશ્વરેચ્છા ખલીયસી–પ્રભુની ઇચ્છા બળવાન છે. એ જયારે થશે ત્યારે સર્વાં સારાં વાનાં થઇ આવશે. ભક્તની જે કાંઇ ઇચ્છા હશે તે લખ (લક્ષ્ય ) પૂરશે, કારણ કે આ સર્વ ભગવાનની લીલા છે, અલખના લખ સ્વરૂપની લીલા છે, માટે કાંઈ કરવાની જરૂર નથી જ્યારે લખ તુષ્ટમાન થશે, ત્યારે પ્રભુની પ્રીતિ મળશે અને તેમ થશે ત્યારે મનની સ` આશા ફળશે. આ લક્ષ્યાલક્ષ્ય સ્વરૂપ, લીલાની પરમ કારણભૂત માયા અને અલખલખ વચ્ચેના સંબંધ ખાસ સમજવા યોગ્ય છે. છતાં અને એવી પિરભાષામાં ગૂંચવી નાખ્યા છે કે એ જાણે વચનાતીત હાય, માણસની શક્તિની બહારના વિષય હાય અને ઊંડી અકલ્પ્ય ગૂઢતાથી આચ્છાદિત હોય, તેવી તેને ફરી માયા રચાઈ ગઇ છે. માયાને સમજવાની વાત પણ માયામાં ગૂંચવાઇ ગઇ છે; અલખના લખ સ્વરૂપને સમજવાની કે વિચારવાની વાત પણ ગેાટે ચઢી ગઇ છે; ભગવાનની લીલા જાણે બુદ્ધિને લીલામમાં મૂકી દેતી હેાય એવી પરિસ્થિતિ થઇ છે. પ્રશ્ન એ થાય છે કે અલખનિરંજન જ્યેાતિમય પરબ્રહ્મ તે રાગદ્વેષથી પર છે. એને પુદ્ગલ સાથે સંબંધ નથી. એની વિચારણામાં પુદ્ગલને સ્થાન નથી. એવા અલખ ભગવાન, સચ્ચિદાનંદ સ્વરૂપને લીલા હાય ? લીલા તેા લહેર છે, મેાજ છે, આનંદ છે. તે આવા અલખ પરબ્રહ્મ લીલા કરે? શા માટે કરે ? એવી લીલાની પ્રેરણા કોણ કરે ? આવી લીલા કરવાના હેતુ શે ? અને લીલા કરે તે આવી સૃષ્ટિ બનાવે? અતવાની વિચારણા કરે તે આવી સૃષ્ટિ કરે? લીલા કરે એમાં સમજણુ-અક્કલ તે હાય ને ? આ દુનિયામાં જે જાતની વક્રતા છે, જે વિયેાગ-શાક-કંટાળા-દુઃખ-દારિદ્ર છે, આંટાફેરા-નિરાશા-નિસાસા અને મનોવિકારો છે, જેમાં ભય, દુર્ગંછા, માયા, કપટ, અભિમાન, નિંદ્યા વગેરે અનેક ગોટાળા અને પશ્ચાત્તાપા છે, તેવી સૃષ્ટિની રચના કરવાની વિચારણા કે વ્યવસ્થા કોઇ કરે ? અને એવી રચના કરે તેને અલખની લીલા કહેવાય? લીલા કોઈ વિષયી રાજા કરે, કોઈ અક્કલ વગરના શેઠિયા કરે, Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] શ્રી આનંદઘન-ચાવીશી કોઇ નાટક જોવાનો શોખીન માણુસ કરે-કરાવે; પણ રાગદ્વેષથી પર, દુનિયાના વૈભવને પૌદ્ ગલિક ગણનાર, માયાથી અતીત, સ્વગુણમાં મસ્ત સમજુ માણસ લીલા કરે ખરો ? લીલા તે દોષોની ર’ગભૂમિ છે, રખડપટ્ટીની પશ્ચાદ્ભૂમિ છે અને અહલેક જગાડનારને શરમાવે તેવી મેહુમાયા અને ઐહિક અધમ દશા છે. કાં અલખની વિશિષ્ટ ઉચ્ચ ભૂમિકા અને કચાં લખની આ કલ્પિત લીલા ! એને મેળ જ બેસે તેમ નથી. દોષ રહિત નિરક્ષર પરબ્રહ્મ કે એના લક્ષ્ય સ્વરૂપમાં લીલા સ`ભવે નહિં, લીલાનેા આભાસ પણ ઘટી શકે નહિ. રાગદ્વેષ વગર આવી લીલા સંભવે નહિ. અને લક્ષ્યસ્વરૂપ કરી કરીને આવી લીલા કરે એ વાત અક્કલમાં ઊતરે તેમ પણ નથી. આવી લીલા તે દોષના વિલાસ છે. આ કોઇ એવે ભરોસે બેસી રહે કે તે સાહેબ રીઝશે; બાકી, ત્યાં સુધી તે લખની લીલા છે, અને પ્રભુની ઇચ્છા થશે ત્યારે ચાલે તેમ ચાલવા દેવું અને વહેવારમાં નાચ્યા કરવું, તે લખની પ્રીતિ થવાની હશે ત્યારે થશે, અને તેમ ન થાય ત્યાં સુધી નિષ્ક્રિય રહેવું અને પાછળથી ધક્કો આવે કે પવન આવે તે પ્રમાણે ચાલ્યા કરવું, તે તે વાતમાં પણ માલ નથી. લીલાની પાછળ રાગદ્વેષ છે; અલખમાં રાગદ્વેષની કલ્પના પણ ન ઘટે, પણ લક્ષ્ય સ્વરૂપમાં પણ રાગદ્વેષ ન હોય. અને રાગદ્વેષ વગર આવી સ`સારની લીલા કોઇ વાંધે નહિ, ઇચ્છે નહિ અને એવી લીલાની પ્રેરણા કરનાર રાગદ્વેષ વગરના હોઇ શકે નહિ. અને આવી લીલાની કલ્પના કરી, પછી ભગવાનને ઇચ્છા થશે ત્યારે આપણને ખેલાવી લેશે એની પ્રીતિ થશે ત્યારે આપણી લીલા સંકેલાઇ જશે, આ આખી વિચારણા પાછળ દેખીતા વિરોધ છે. ભગવાનની અનંત દયા અને લીલાને દોષિવલાસ જોતાં આખી કલ્પના પાછળ વિચારણાના અભાવ છે. આવી રીતે પ્રભુની પ્રીત થશે એવી કલ્પના પાછળ બેસી રહેવા જેવું નથી; એમ કરવા જતાં તેા આખા પુરુષા - વાદ માર્યો જાય તેમ છે. અહીં સૃષ્ટિકર્તૃત્વના આખા સવાલ પ્રસ્તુત થાય. એ સવાલ અડી ચી શકાય તેટલું રથાન નથી. વાત અનાદિત્વની છે. પ્રીતિ એ સાંસારિક અર્થીમાં પૌદ્ગલિક છે, આત્મિક જગતમાં ઉચ્ચ કોટિની છે, તેને કોઇ બનાવે, પ્રેરે કે પૂર્વે એ ન બની શકે તેવી વાત છે. એટલે આવી અલૌકિક પ્રીતિ ઈશ્વરાધીન છે. એમ કહી એ વાતને અળગી કરવી એ તદ્ન અજુગતી વાત છે. અલખ ગમે તેટલા અનિર્વાંચનીય હાય, પણ એક સાદી વાત તે આપણી મર્યાદિત બુદ્ધિમાં પણ ઊતરે તેવી છે અને તે એ છે કે એમાં મારા-તારાપણું, રાગ-દ્વેષ કે માયા-મમતા તેા ન જ હાવાં જોઇએ. અને કહેવાતી લીલા રાગદ્વેષ વગર અશકય છે. અને આવી લીલા કરવા પાછળ ઉદ્દેશ શા? શું અલખસ્વરૂપી કે અલખના લખસ્વરૂપી બેઠા બેઠા નાટક જુએ છે? આપણે જાણે રંગભૂમિ પર નાટક કરતા હોઈએ અને દેખનાર વ્યક્તિ આપણા પ્રત્યેક વિકારને જોઇ નોંધ કરી રાખતા હોય ! આ આખા વિચાર મગજમાં બેસે તેવેા નથી, અને અલખ પરબ્રહ્મની વીતરાગદશાને બાધક થાય તેવા છે. માટે પ્રીતિ કરવાને અંગે બાહ્ય તપ કે કાષ્ઠનું શરણ લેવું જેટલું બિનજરૂરી છે તેટલું જ બિનજરૂરી લીલાના સ્વરૂપની માન્યતા રાખી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧ : શ્રી ઋષભદેવ સ્તવન [ ૧૭ ઈશ્વરની ઈચ્છા થશે ત્યારે પ્રીતિ મળશે, એવી આશાએ બેસી રહેવાનું છે. માટે મારા પ્રીતમ તે ઇષભદેવ જ સાચા છે, અને બીજા પતિને હું ચાહુતી નથી. કોઈ લખ સ્વરૂપ મારી આશા પૂરશે અને મને પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે એ વાત બને તેવી નથી, અને તેને આધારે રહી નિષ્ક્રિય થવા જેવું નથી. મારે તે નિરુપાધિક, અનંત કાળ ચાલે તે અને પારકી આશા પર નહિ પણ પિતાના પુરુષાર્થને પરિણામે જન્મેલે અનંત પ્રેમ જોઈએ. (૫) ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કલ્યો રે, પૂજા અખંડિત નેહ, કપટ રહિત થઈ આતમ આપણે રે, આનંદઘન પદ રેહ. ઋષભ૦ ૬ અથ_ચિત્ત અંદરથી રાજી રાજી થઈ જાય ત્યારે પૂજનનું ખરું ફળ પ્રાપ્ત થાય છે, એમ કહેવામાં આવ્યું છે. અને સળંગ અખંડ પૂજા તે એ જ ગણાય. એમાં કઈ પ્રકારની માયા કે દંભ-કપટ વગર આપણો આત્મા આનંદઘનની રેખા રૂપ થઈ જાય છે. (“અરપણ” અગત્યનો પાઠાંતર છે. તે તેને અર્થ આ પ્રમાણે કરેઃ કપટ રહિત થઈને આત્માર્પણ કરવું તે આનંદઘન પદની રેખા છે.) આ અખંડ પૂજા છે. એના પાત્ર કષભદેવ મારા પ્રીતમ છે. (૬) ટ –ચિત્તપ્રસન્નતા-નિર્વિકાર નિર્વિકલ્પ ચિત્તે વર્તવું—એને જ પૂજનફળ કહેલ છે એમ જાણવું. અખંડ પૂજા અવિરછેદ પણે પૂજે તેને જ કહીએ, જે ચિત્ત માંહેથી વિકલ્પ ટાળી શુભ કરે તે કલપવાસી મન. એટલા માટે આપણા આત્માને કપટ રહિત થઈને આપણું જે આનંદ છે ઘનનિવિડપણે જ્યાં, એ પદ લે શિવપદ, તેની રેખા-મર્યાદા તે ભજે–પામે. કોણ? આનંદઘન સેવક. શું કહ્યું? નિરુપાધિક ધર્મમય શ્રી બાષભદેવ તેહી જ કંત, તેહી જ વલ્લભ. એવાને જે શુદ્ધ ચેતના કહે છે, જે નિરુપાધિક સ્વભાવે નિઃકપટપણે કરી ભજીએ. (૬) વિવેચન–પ્રીતિનું અનેક દૃષ્ટિબિન્દુઓથી દર્શન કર્યું, તેના પર વિચાર કર્યા. જગતની વ્યાવહારિક પ્રીતિ એ ખરી પ્રીતિ નથી, કારણ કે એને છેડે આવ્યા વગર રહેતું નથી, તેમ જ પતિ પાછળ ચિતામાં પોઢવું, ત્યાં તે મેળાપ થવા સંભવ પણ નથી. અને પતિને મેળવવા તપ કરવાં, કરવત મુકાવવું કે શરીરકષ્ટ ખમવાં એવું રંજન પણ ધ્યાનમાં ન આવ્યું, કારણ કે એવા મેળાપમાં પણ એકરૂપતા થતી નથી અને અહલેક જગાવી લખ આશા પૂરશે એવી આશાએ પાઠાંતરપ્રસન્ન રે– પ્રસન્નઈ રે. કહ્યો. રે – કહ્યું, કહ્યો પૂજા – પૂજ. આપણો રે-અરપણા રે (પ્રતમાં અરપણ કઈ સ્થાને જોવામાં આવતું નથી.). પ્રતમાં પહેલા અને ત્રીજા પાદમાં “રે' છેડી દીધેલ છેઃ અસલ રાગની લે’ માં કદાચ તેની જરૂર નહિ જ હોય એમ લાગે છે.(૬) શબ્દાર્થ_ચિતમન. પ્રસન્ન = રાજી થયે, રિઝાઈ ગયું. પૂજન = પૂજાનું. ફળ = પરિણામ. કહ્યું = બતાવ્યું. પૂજા = અર્ચા, અખંડિત = અત્રુટિત, ભાંગફોડ વગરની, આખી. એહ = એ. કપટ = માયા, દંભ, દેખાવ રહિત = વગર, આતમ = આત્મા, ચેતન. આપણે = પિતાને. રેહ = (દાંતે જાવેલી નાની નાની) ટપકી. નાની ખીલી, ઉખર ભૂમિની ખારી માટી, ઉત્તર-દક્ષિણ રેખા, લંકાથી મેની લાઈન. (૬). Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮] શ્રી આનંદઘન-ચોવીશી બેસી રહેવું એ તે લીલા-લહેરના પ્રદેશમાં જાય છે અને અલખના આખા સ્વરૂપને અપમાને છે. ત્યારે ખરી પ્રીતિ કેમ થાય? ક્યારે થાય? કેની સાથે થાય?—એ સવાલને મુદ્દામ રીતે, વિચારણાના સારરૂપે અને શાસ્ત્રના દોહનરૂપે નિર્ણય આવે છે તે ખાસ અવધારવા યોગ્ય છે. પૂજન બે પ્રકારનું છે : દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય-પૂજનમાં તે સ્થૂળ દ્રવ્યોથી ઔપચારિક પૂજન થાય. એ તે બાહ્ય જીવનની વાત થાય. ભાવ-પૂજનમાં પૂજક, પૂજ્ય અને પૂજાની એક્તા થાય, પૂજા કરનાર ધ્યાતા, દયેય અને ધ્યાનની એકતા સાધે, અનંત પરમાત્મા સાથે તન્મય થતું જાય. અને તે વખતે એના દિલમાં પ્રસન્નતા થઈ જાય, એમાં મન દ્વારા શરીરમાં રોમાંચ થઈ આવે, એને આત્મસંતોષના ઓડકાર આવે, એને ચારે તરફ નીરવ શાંતિ, સંતોષ અને સુવ્યવસ્થા લાગે એ સાચી પૂજા છે. એમાં પૂજાનું ખરું ફળ બતાવ્યું છે, એમાં સારું પતિસેવન છે અને એવા પતિસેવનમાં જીવનની સફળતા છે. આવા પ્રકારનું પતિસેવન કરવું એ અખંડ પૂજા છે, એમાં વીતરાગ ભગવાન સાથે મેળાપ થાય તે અખંડ રહે છે, અને એવા પ્રકારને પતિમેળાપ એ સાચે નિરંતરને આદર્શ મેળાપ છે. એટલે પતિદેવ સાથે સારો અને સ્થાયી મેળ બેસાડવો હોય તે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ. - એવા પ્રકારની પૂજાને અખંડ પૂજા કહેવાય, એમાં સાચા પૂજનની ચાલુ ધારા સતત વહ્યા કરે, એમાં આપણે આત્મા કપટ રહિત થઈ કઈ જાતના દેખાવ, ધમાલ કે તમાશાનો ખ્યાલ છેડી દઈ આનંદઘનપદની રેખાએ પહોંચી જાય, એની મર્યાદા આનંદસ્વરૂપ સુધી પહોંચી જાય. ઘણી વખત પૂજનમાં બાહ્ય ભાવ થઈ જવાનો સંભવ રહે છે. લોકે પિતાને ધમી કે આરિતક કહે તેટલા માટે પ્રાણી પૈસા ખરચે છે, મોટા મેળાવડા કરે છે અને તેની પ્રશંસા સાંભળી રાજી થાય છે. એમાં દુન્યવી આબરૂ મળે ખરી, પણ આપણે આત્મા આનંદઘનની રેખાને ન ભજે, એ રેખા તે આખી જુદી વસ્તુ છે. એમાં અંદરના કલોલ થાય છે, એમાં અનિર્વચનીય આંતર સુખ અનુભવાય છે. આવું સુખ તે આનંદઘનપદની રેખા છે, એ પ્રભુ પ્રત્યેની સાચી પ્રીતિ છે, એ નિરતિશય આનંદ છે, એ ભવ્ય ભાવ ભાવિત આત્મિક દશા છે. આવા પ્રકારની પ્રીતિ કરવી એ ખરા પ્રેમના નામને યેગ્ય છે. કપટ રહિત” શબ્દ મૂકવામાં ભારે વિચારણા દાખવી છે. એ શબ્દના ઉપયોગથી આખી માનસિક કલ્પના અને ચાલુ વ્યવહારનું સ્વરૂપ એક સપાટે બાદ કરી નાખ્યું છે અને એમાં વ્યવહારને જરા પણ લેપ કે વિરોધ કર્યા વગર આંતર વિશિષ્ટ દશાને પ્રાધાન્ય આપ્યું છે. અને આનંદઘન પદની વાત કેવી છે? એની રેખા-જડ ક્યાં આવે ? કેમ આવે? ક્યારે આવે?—તેની આખી ચાવી આ સ્તવનમાં બતાવી છે. આનંદ એટલે અંતરને આનંદ, વિકલ્પ વગરનો આનંદ, વિકાર વગરને આનંદ. એમાં પૌગલિક ભાવને સંબંધ નહિ, માન-આબરૂને સંબંધ નહિ. એ આત્મિક દશા બતાવનાર ગરૂઢ શબ્દ પર અનેક સ્થાને વિવેચન કર્યું છે. આનંદઘનનાં ઘણાં પદોને છેડે એ શબ્દ પર વિવરણ થઈ ગયું છે. એમાં કોઈ વ્યક્તિનું નામ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧ : શ્રી ઋષભદેવ સ્તવન [૧૦ નથી, કેઈ ગચ્છ, ગણ કે ઉપાસકનું નામ નથી, એમાં કઈ મત, ફિરકા કે દર્શનનું નામ નથી. આનંદ એટલે આત્માની નિર્વિકારી દશા અને તેની વિપુલતા તેની નક્કરતા તે આનંદઘન લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એ ત્રણેના સમૂહને ઘન (Cubic) કહેવામાં આવે છે. અથવા છ સરખી બાજુની આકૃતિને ઘન કહેવામાં આવે છે. એટલે આનંદના ઘનને અડી નજર સન્મુખ રાખ્યા છે, એમાં યોગ ભાષામાં સમજાવેલ આનંદને નિર્વિકારી મૂળભાવ ઠાંસી ઠાંસીને ભરેલ હોય છે. આનંદઘન એ આત્મદશા છે, ચૈતન્યભાવ છે, વચનાતીત વિશિષ્ટ યોગદશા છે. એ આનંદઘનપદ પ્રાપ્ત કરવા આપણે સર્વના કેડ છે. ત્રષભદેવની-વીતરાગદશાની પ્રીતિને અને વ્યવહારુ સાંસારિક સ્નેહને કેવો સંબંધ છે તે બતાવી છેવટે એ પ્રીતિને જમાવવાની ભલામણ કરતાં ગીરાજ કહે છે કે મન જેમાં અંદરથી પ્રસન્ન થાય, અને નિષ્કપટ ભાવમાં આપણો આત્મા વડે ત્યારે આનંદઘનપદની રેખા એ અનુભવે છે, અથવા એવા પ્રકારની પૂજામાં આનંદઘનપદની જડ છે. “સેતુ” શબ્દ ખાસ વિચારવા જેવો લાગે છે. સામાન્ય ભાવ ઉપર રજૂ કર્યો છે, પણ એ શબ્દમાં ઘણું રહસ્ય હોય એમ ભાસે છે. “રેડને અર્થ હિંદી કોષ પ્રમાણે “ઊખર (ખારાપાટવાળી જમીન, જેમાં કાંઈ પાકે નહિ તેવી) જમીન, મેદાનમાં ખાર મળેલી માટી” એ થાય છે. એ પ્રમાણે આત્મા કપટ રહિત અખંડ પૂજા કરે ત્યારે તેની સાથેની ભૂમિકા ઊખર જમીન થઈ જાય છે; એમાં પછી કર્મને પાક જ આખો અટકી જાય છે અને મેદાન સફાચટ થઈ જાય છે. “હ” શબ્દનો અર્થ ઘણાખરા અર્થકારેએ “રેખા” કર્યો છે. એ રેખા શબ્દ પણ ભારે ચમત્કારી છે. લંકાથી મેરુ સુધી, દક્ષિણથી ઉત્તર સુધી જે સીધી લીટી દોરવામાં આવે, જેમાં બરાબર સમાશે ઉજજયિની નગરી વચ્ચે આવે છે. તેને (longitude ની પંક્તિને) રેખાંશ કહેવામાં આવે છે. આ પવિત્ર રેખાંશમાં સર્વદા પવિત્રતા, પ્રકાશ અને વિશુદ્ધ નિર્મળતા રહે છે. ભયંકર અંધકારમાં પણ તે રૂપેરી દોરારૂપે સર્વદા પ્રકાશ અને માર્ગદર્શક રહે છે. ચેતનના આઠ રુચકપ્રદેશનું એ રૂપક છે અને યોગીરાજ કહે છે કે અખંડ પૂજામાં ચિત્તની પ્રસન્નતા થાય અને એ વખતે કપટ રહિત દશામાં આપણો આત્મા વતે તે જ આનંદઘનપદની રેખા છે. એ અનંત કલેશમય સંસારમાં રૂપેરી દોરી છે અને એને ઓળખવાથી સંસારની આધિ વ્યાધિ-ઉપાધિ દૂર થાય છે. રેડને રેખા અર્થ કરી જ્ઞાનવિમળસૂરિ એની અર્થમર્યાદા કરે છે, અને પછી “ભજે—પામે એ શબ્દ અધ્યાહાર ગણું રેખાને મર્યાદાના અર્થમાં મૂકે છે તે વિચારણીય છે. જ્ઞાનસાર રેખાને અર્થ મેળાપ કરે છે, તે વાત બેસતી નથી. એકંદરે આ પ્રથમ સ્તવન ઘણું રહસ્યમય છે અને છેલલી ગાથા ગપ્રવેશમાં ખૂબ ઉપયોગી છે અને દીર્ઘ વિચારણા માગે છે એમ મને વારંવાર લાગ્યું છે. આ છેલી ગાથામાં આધુનિક પ્રતમાં “કપટ રહિત થઈ રે આતમ અરપણા રે એવો પાઠ જોવામાં આવે છે અને ખાસ કરીને છાપેલ સ્તવમાં અને જ્ઞાનસાર દ્વારા તે પાઠ સ્વીકારાયેલ છે. એ પાઠને સ્વીકારવામાં આવે તો તેનો અર્થ નીચે પ્રમાણે બેસે છેઃ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૦] શ્રી આનંદઘન-ચાવીશી આવા પ્રકારની અખંડ આસેવનામાં મનનાં મનામણ કરવામાં નહિ કે મુત્સદ્દીપણાની ચાલ ચલાવવાની નહિ. એ પ્રેમની પાછળ તે ગાંડા થઈ જવું ઘટે, એની ખાતર ખુવાર થઈ જવામાં પણ સંકેચ આણ ન ઘટે. નિષ્કપટ ભાવે, શાંત નજરે પિતાની જાતનું સર્વસ્વ પ્રભુચરણે રજૂ થઈ જાય અને પ્રભુમય જીવન બની જાય, એ ખરી પૂજા, એ સાચો પ્રેમ, એ અખંડ પ્રીતિ. આ આત્માર્પણને આખા સિદ્ધાંત ખાસ લક્ષ્યમાં લેવા યોગ્ય છે. એમાં અને વૈષ્ણવીય સમર્પણના સિદ્ધાંતમાં ખૂબ ફેરફાર છે આમાં તે આદર્શ ખાતર પિતાની જાતને વિસરી જવાની વાત છે. આમાં તદ્રુપતા કેળવવાને આદર્શ છે અને આમાં પર ભાવને છોડી આત્મભાવ સાથે એક્તા સાધવાની હકીકત છે. આ આત્માપણના વિષય પર પાંચમાં સુમતિનાથના સ્તવનમાં ખૂબ વિસ્તાર કરવાનું હોઈ અત્ર તે સમર્પણની હકીકતને માત્ર સ્પર્શ કરવામાં આવ્યો છે. હકીકત એમ છે કે આત્માની ત્રણ પ્રકારની દશા વર્તે છેબહિરાત્મભાવ, અંતરાત્મદશા અને પરમાત્મદશા. ઘરબાર, ધનદોલત, સ્ત્રીપુત્રાદિને પિતાનાં માનવી અને તેને માટે તનતોડ મહેનત કરવી, તે બહિરાત્મદશા. મનેવિકારે પર વિજય મેળવી આત્મદશાની વિચારણામાં ઊંડા ઊતરવું અને વ્યવહારનાં કાર્યોમાં અથવા શરીરના સંબંધમાં માત્ર સાક્ષીભાવ રાખવો તે અંતરાત્મદશા, અને બાહ્ય ઉપાધિને ત્યાગ કરી જ્ઞાનાનંદમાં મસ્ત રહેવું અને વિષય-કષાયની ઉપર થઈ જવું તે પરમાત્મદશા. કોઈ પણ પ્રકારના કપટભાવને છોડી દઈ આત્માનું સમર્પણ કરી દેવું, બહિરાત્મદશાને ત્યાગ કરી અંતરાત્મદશામાં વિહરવું એનું નામ આત્માપણ કહેવાય છે. આવા પ્રકારનું શુદ્ધ આત્માર્પણ થાય, બાહ્યાભદશાને ત્યાગ થાય અને ખોટો દેખાવ કે ટૅગ કરવાની વૃત્તિ પણ ન રહે, એવા પ્રકારની આત્મદશા થાય તે આનંદઘનપદની રેખા છે, જડ છે. એ સાચી પ્રીતિ છે, એ અનંત પ્રેમ છે. “આતમ અરપણમાં આત્માના બાહ્ય ભાવનું વિસર્જન, બુદ્ધિના વિલાસ પર અંકુશ, પર ભાવને ત્યાગ અને શુદ્ધ ચેતનાના પતિ વિશુદ્ધ આત્માની સાથે એકલયતા એવી થઈ જાય કે એમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એક થઈ જાય ? આવું આત્માર્પણ થાય તે ખરી પ્રીતિ છે, અને યેગીનું લક્ષ્ય હમેશ એ પ્રીતિને સાક્ષાત્કાર કરવામાં હોય છે. આવા પ્રકારને ભાવ પાઠાંતરમાં આવતા “સમર્પણને અંગે કહી શકાય. જ્ઞાનસારે એ પાઠ સ્વીકાર્યો છે અને ત્યાર પછી જે પુસ્તકમાં આ સ્તવન છપાયું, તેમાં એ પાઠ સ્વીકારા છે. છેવટે એટલું જણાવવાનું કે “કપટ રહિત થઈ આતમ આપણો રે' પાઠ વધારે સુયોગ્ય, રુચિકર સને ચાલતા વિષયને વધારે બંધબેસતે મને લાગતું હોઈ મેં મૂળમાં એ પાઠને સ્વીકાર્યો છે. (૬) ઉપસંહાર પ્રભુપ્રીતિ–આ પ્રથમ સ્તવનને મુખ્ય ઝોક પ્રીતિનું સ્વરૂપ બતાવવાનો અને દુનિયાદારીની પ્રીતિમાં અને આત્મિક પ્રીતિમાં તફાવત કયાં, કેવો અને શા માટે છે તે વાત ધ્વનિરૂપે રજુ કરવાને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧: શ્રી ઋષભદેવ સ્તવન | [૨૧ જણાય છે. શ્રી દેવચંદ્રજી મમ્હારાજે પણ ચોવીશીની શરૂઆત પ્રીતિના સ્વરૂપદર્શનથી કરી છે. એમણે પ્રીતિ શા માટે કરવી તેને ચતુર માણસને સવાલ પૂછડ્યો છે. અને પછી પ્રીતિનું શાસ્ત્ર ચર્યું છે. એમણે તે ઉઘાડી રીતે જણાવ્યું છે કે દુનિયાદારીની પ્રીતિ તે ઝેરથી ભરેલી છે, નાશવંત છે એને રાગ રહિત ભગવંતમાં એવી પ્રીતિ સંભવે નહિ. અને છેવટે “પર” સાથેની ચાલુ પ્રીતિ તેડે તે પ્રભુ સાથેની પ્રીતે જોડે એ વાત કરી છે અને એવા પ્રકારની પ્રીતિને એકત્વતા જ કહી છે. આ પ્રીતિને આખે વિષય તેમણે પ્રથમ સ્તવનમાં ચીને પ્રીતિના વિષયને લગભગ આનંદઘનજીની રીતે જ ચર્ચો છે; પણ આનંદઘનજીએ યોગીની દષ્ટિએ ચર્યો છે, જ્યારે દેવચંદ્રજીએ બુદ્ધિની નજરે ચર્ચે છે. પ્રભુપ્રેમ કેવો કરવો, એને અંગે દેવચંદ્રજીનું એ પ્રથમ સ્તવન (ષભજિકુંદણું પ્રીતડી) વાંચવા વિચારવા યોગ્ય છે, ત્યારે તત્વશિરોમણિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પ્રભુપ્રીતિના વિષયને તદ્દન જુદી રીતે હાથ ધર્યો છે. એ બીજા શ્રી અજિતનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુપ્રીતિની આદેયતા સ્વીકારીને જ ચાલે છે, અને પછી એવી પ્રીતિમાં જે રસ લેનાર હોય, તે બીજી દુન્યવી પ્રીતિની લપછપમાં પડે જ નહિ, એ ધોરણે ચાલ્યા છે. એમણે “રાગના વિષયને ચર્ચતાં, રાગની દશમી સઝાયમાં કહ્યું છે કે “રાગ ન કરશે કઈ જન કેઈશું રે, નહિ રહેવાય તે કરજો મુનિશું રે.” એનો આશય એમણે તદ્દન જુદી રીતે લીધે છે. એ તે કહે છે કે રાગ કરવો જ નહિ અને કરે તે મુનિ સાથે કરે, દેવ સાથે કરે, કારણ કે રાગ વ્યાધિ છે, અને ભગવાન સાથે સ્નેહ કરવાથી રાગમાં રહેલું ઝેરનું તત્ત્વ નાશ પામી જાય છે. આવી રીતે એમણે રાગના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે પ્રકાર પાડ્યા છે અને પછી પ્રશસ્ત રાગ તરફ ભળી જવા સૂચન કર્યું છે. અને પછી, એક વાર પ્રભુ પ્રત્યે રાગ થયે એટલે, મનનું આખું વલણ જ એવું થઈ જશે કે સ્થળ પૌગલિક રાગ ગમશે જ નહિ; રાગ તરફ કાં તે વિરાગ થાય અથવા રાગના પ્રવાહને સારે માગે ઉતારી દેવાય. આવી રીતે પ્રભુપ્રેમ જેવા સાદા વિષયને અને વિષય બનાવી શકાય છે. આપણે ચાલુ વ્યવહારુ કવિઓને જઈશું તે તેઓ ભક્તિમાર્ગને એવી રીતે સૂચવશે કે પ્રભુપ્રેમમાં લયલીનતા બતાવી આપશે, પછી પ્રભુને અનેક રૂપકો આપશે, એની સાથે વાતે કરાવશે, એને માશુકનું રૂપક આપશે એની સાથે ઇશ્ક સધાવશે વગેરે. વ્યવહારુ-દુન્યવી પ્રેમને ચાલુ કક્ષામાંથી ઊંચે લઈ જવાને આ એક પ્રકાર છે, કારણ કે પ્રાણી હજુ બાહ્ય દશામાં હોય ત્યાં એની પાસે ઉચ્ચ ભૂમિકાની વાત કરવાથી એ પિતાની ભૂમિકાને ગોટાળે ચઢાવી દે અને એકદમ ઉચ્ચ ભૂમિકાએ ચઢી ન શકે. એટલા માટે શરૂઆતમાં બાહ્ય આકર્ષણને પણ સ્થાન આપવામાં આવ્યું છે અને પ્રેમની ભૂમિકામાં આગળ ધપવાના પાઠો આપવામાં આવ્યા છે. ગમે તે રીતે પ્રભુપ્રેમ કરીને અંતે તેને આત્મિક દશામાં લઈ જવો અને યોગમાર્ગે પ્રગતિ કરી ચેતનને વિકાસ સાધવો એ આ પ્રેમમાર્ગદર્શનનો આશય હોય છે. અને છતાં એમાં સ્વાર્થધતા નથી, એમાં પરમાર્થ દષ્ટિ છે અને એમાં આત્માની મૂળ સ્થિતિ પ્રકટ કરવાના કેડ છે. બાકી તે, પરમાર્થને એક નજરે ઉત્કૃષ્ટ સ્વાર્થ પણ કહી શકાય, પણ એ સ્વાર્થ પણ આદેયની કક્ષામાં આવી જાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૨] શ્રી આનંદ્યન-ચાવીશી લગભગ જૈન કવિએ પ્રભુપ્રેમને પ્રાથમિક દશામાં કતવ્યરૂપે વર્ણવેલ છે. લટકાળા મેહુનવિજયે ‘ પ્રીતલડી બંધાણી રે અજીત જિષ્ણુ દશું ' એવું કવન કરી પ્રેમનું ગાંડપણ પણ કર્તવ્યરૂપે ગાયું છે અને પ્રેમ દ્વારા ભવભયભાવઠ ભાંગવાની કક્ષા સુધી પ્રેમને લઈ ગયા છે. અનેક કવિઓએ આ પ્રભુપ્રેમના વિષયને ઘણી ઘણી રીતે બહુલાવ્યા છે, અને સના આશય વિશુદ્ધ હાર્દ, ખૂબ વિચારણા માગે તેવી રીતે તે વિષયને ઝળકાવ્યા છે. અને યશેવિજયજી ઉપાધ્યાયે તે એ પ્રેમને અનેક દિશાએ દાખવ્યા છે. ચંદ્રપ્રભુના સ્તવનમાં એને ચાતક અને વરસાદની રાહુ સાથે સરખાવી એક લહેરમાં દુઃખ ડરવાની કોટિ સુધી ખેંચી આણ્યા છે. અને 'ડિત વીરવિજયજીએ પ્રેમને વ્યવહારુ રૂપમાં અનેક પૂજાએ અને સ્તવનામાં મૂકયો છે. એટલા માટે પ્રેમનું સ્વરૂપ બરાબર સમજવાની જરૂર છે. પોતાની ભૂમિકા વિચારી પ્રથમ બાહ્ય રૂપે, આગળ વધતાં આંતર રૂપે, પછી ત્યાગ રૂપે અને છેવટે આત્મપ્રેમની સાથે એકતા સાધવાની, અને યાગમાં પ્રગતિ કરી પ્રભુના આત્માની પોતાના આત્મા સાથે ગુદૃષ્ટિએ એકતા વિચારી પ્રભુમય–વીતરાગમય અને છેવટે નિરંજન-નિરાકાર દશાએ ક્રમસર વધવાની આવશ્યકતા સ્વય' દેખાઇ આવે છે. અને એમાં પ્રગતિ કરતાં આત્મદન થવાની શકયતા હોવાથી પ્રેમ' ને માગે પ્રભુપ્રેમ જમાવવાની અને તેમાં આગળ વધારા કરવાની વાત અત્ર કરી છે. C એમ કરવા જતાં ઘણી વખત સ્થૂળ પ્રેમના આભાસમાં ઘસડાઈ જવાય છે, ઘણી વાર પોતાના સુખચેન માટે પ્રેમના દેખાવેા કરવાનું મન થઈ જાય છે અને કોઇ વાર પ્રાર'ભિક દશાને અંતિમ સાધ્ય દશા માની લેવાની ભૂલ થઇ જાય છે. એટલા માટે અગ્નિમાં બળી મરવાની અને ખાળતપની વાતા કરી ચેતવણી આપવામાં આવી છે અને આત્મિક પ્રેમ પર આધાર રાખવાની અને તેમાં પ્રગતિ કરવાની ભલામણ કરવામાં આવી છે. પ્રેમ કરવા દ્વારા રાગ પર વિજય મેળવવાની, અને જે સાહેબ અનંત કાળ સુધી સંગતિ ન છેડે તેને આશ્રય કરવાની વાત સ્વીકારવા જેવી છે. પ્રભુપ્રેમની મુદ્દામ વાત આ સ્તવનમાં કરી છે. એમાં વીરા સાળવીની કૃષ્ણ તરફની દુન્યવી ભક્તિ ન ચાલે, એમાં લક્ષ્મણા સાધ્વીની ઉપરઉપરની અધૂરી ભક્તિ ન ચાલે, એમાં મેઘકુમાર જેવા પરીષહુસહન તરફ અભાવ ન ચાલે; એમાં તે ગૌતમસ્વામી જેવે વીર ભગવાન તરને પ્રેમ જોઇએ, એમાં મૃગ, ખળદેવ અને રથકારક જેવા પ્રેમ જોઇએ, એમાં મુનિ તરફ નયસાર જેવે સાચા પ્રેમ જોઇએ. એમાં ગૌતમસ્વામી જેવી પ્રશસ્ત રાગતા હોય તે અતે રસ્તા જડી આવે; પણ આહુબળ જેવું કષાયનું સામ્રાજય હાય તા વાત વટકી પણ જાય. મમ્મણશેઠે મુનિરાજને મેદક આપી પછી પોતાની જાતની નિંદા કરી તેવી અથવા અત્યારે ફાળા ભરી ઘેર આવે ત્યારે પશ્ચાત્તાપ કરવાની વાતને સ્થાન ન હેાય. આવી પ્રભુપ્રીતિને સમજવી, કાયમ કરવી અને છેવટે ધ્યાનધારાએ ચઢી સાધક અને સાધ્યની એકતા વિચારી પેાતાની જાતને પરમાત્મભાવમાં એકરસ કરી નાખવી—આ મા પ્રભુપ્રેમના છે. એટલા માટે શ્રી યશેવિજય ઉપાધ્યાયે શ્રી ધર્મીનાથના સ્તવનમાં નીરાગીની સેવાના પ્રશ્ન પણ હાથ ધર્યો છે. અને કોઈને સવાલ થાય કે વીતરાગ જેવા નીરાગી આપણને શું આપી દેવાના હતા ? આને જવાબ આપતાં પ્રભુભક્તિ શું Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧: શ્રી ઋષભદેવ સ્તવન [૨૩ કરે તેને વિસ્તાર કરતાં પ્રભુપ્રેમની મહત્તા તેમણે દાખવી છે અને ચિંતામણિને દાખલે આપી નીરોગી તરફનો પ્રેમ સ્વીકાર્ય બતાવ્યું છે. એ જ મહાન દ્રષ્ટાએ અનંતનાથના સ્તવનમાં પ્રભુપ્રેમને ળ મજીઠનો રંગ જમાવવા ખૂબ પ્રેરણા કરી છે. જગગુરુ તરફને સાચો પ્રેમ પ્રાણીને અંતે અક્ષય અને અભંગ બનાવે છે, એ વાત એમણે મુક્તકંઠે સ્વીકારી છે. એમને અભિપ્રાય એવો છે કે ચંદનનો સ્વભાવ શીતળતા નીપજાવવાનું છે, અગ્નિને સ્વભાવ ગરમી આપવાનું છે, તેમ જ પ્રભુગુણપ્રેમને સ્વભાવ સેવકનાં દુઃખ દૂર કરવાનો અને ભભવ ભટકવાની વિડંબના દૂર કરવાનો છે. આવી રીતે પ્રીતિને વ્યવહાર અને આત્મિક એવા બે ભાગમાં વહેંચી, મેહુથી ભરેલી, કષાયમાંથી ઉદ્ભવેલી અને પુલભાવથી પિષાયેલી પ્રીતિને અનાદેય ગણાવી છે. અને સાધનધર્મ તરીકે પ્રભુપ્રીતિને સ્વીકાર્ય ગણાવી છે. આનંદઘનજીએ તે એને શરૂઆતથી જ બહુ ઊંચી કક્ષામાં મૂકી છે અને પ્રેમનું આખું શાસ્ત્ર ગ્રાહ્ય વિભાગમાં લાવવા સાથે એની અતિ વિશિષ્ટ ઉચ્ચ ભાવના જાળવી રાખીને એને યોગની ભૂમિકા પર મૂકી દીધી છે. અને અલખની લીલા અને લખની આશા પૂરવાની ભૂમિકાને સ્પર્શ કરીને એમણે આદર્શ પ્રભુનું દર્શન કરાવ્યું છે. એમની ગદષ્ટિમાં લક્ષ્યાલક્ષ્ય સ્વરૂપ બરાબર સમજાયુ છે અને પિતાના અનુભવને અંતે એમણે સ્થાપના કરી છે કે કહેવાતી લીલા દેષ રહિત પ્રભુમાં ન ઘટે. પ્રથમ સ્તવનને અગત્યને ઝેક પ્રેમનું સ્વરૂપ બતાવવાના પ્રસંગને અંગે આખું “લીલાનું સ્વરૂપ વિશિષ્ટ પ્રેમની કટિમાં ન આવે તે બતાવવાનો છે. એમ કરતાં એમણે આડકતરી રીતે જગતનું અનાદિત્વ, બહારની કઈ શક્તિ આપણને મોક્ષ અપાવી દે (મન આસ પૂરે એ વાતની અનાદેયતા અને અનંત શક્તિના ધણી ચેતનરાજાની પિતાના બળની વિશિષ્ટતા બતાવી આપી છે. પ્રથમ સ્તવનમાં આ બીજે મડુત્વને વિષય છે. અને મેગી લક્ષ્યાલક્ષ્ય સ્વરૂપ તરફ કઈ નજરે જુએ, અથવા તેમણે તે તરફ ક્યા દષ્ટિબિંદુથી જેવું જોઈએ, તેનું નિદર્શન કરાવ્યું છે. અને ખરી કમાલ તે પૂજનને અંગે ચિત્તપ્રસન્નતાના ભાવને આગળ કરવામાં કરી છે. પ્રેમ-પ્રીતિમાં બાહ્ય વિનોદ કે દેખાવ કરવાના ન હોય, ત્યાં તે મન પ્રસન્ન થાય, અંતરાત્મા પોતાની દિશામાં મસ્ત રહે અને પરભાવને બદલે આત્મભાવ અંદરનું સ્થાન લે, ત્યારે આનંદઘનની રેખા અનુભવાય છે, ત્યારે અખંડ પૂજા થાય છે અને વિશુદ્ધ પરિણતિએ ચઢેલ ચેતનરાજ ખરા પ્રેમના પાત્ર થાય છે. વ્યવહારુ પ્રેમ શબ્દને અડી આત્મિક ભૂમિકા પર લઈ જવામાં આવ્યો છે, અને સ્વને સ્વીકાર અને પરને ત્યાગ અહીં આદર્શ પ્રીતિમાં સ્થાન પામેલ છે. પૂજનને ભાવપૂજનની કક્ષામાં કઈ રીતે લઈ જવાય, પૂજનને સારો લાભ કેમ લઈ શકાય, એની ચાવી બતાવી દીધી છે. પ્રેમને અને પ્રેમીના ચિત્તને અભેદ છે એમ બતાવતાં બાહ્ય ભાવને ઠોકર મારી ફેકી ન દેતાં ચિત્તપ્રસન્નતાના આંતર ભાવને ખૂબ મહત્તા આપી છે. આ પ્રાણી વિભાવમાં એટલે ઓતપ્રોત થઈ ગયું છે કે એને આત્મભાવનાં દર્શન થવા દુર્લભ થઈ પડ્યાં છે. ગીરાજ કહે છે કે તમે પૂજન કરી ખરે લાભ લેવા ઇચ્છતા હો તે ચિત્તની પ્રસન્નતા મેળવે, ચેતનના મૂળગુણને જમાવો અને બાહ્ય ભાવને વિસારી મૂકે. આ રીતે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૪] શ્રી આનંદઘન-વશી પૂજાનું ખરું ફળ બેસશે. બાકી, તમે બાહ્ય-દ્રવ્ય પૂજન કરશે તે તેમાં વાંધો નથી, પણ આનંદઘનપદની રેખા જોવી હોય તે ચિત્તપ્રસન્નતાને માગે લાગી જાઓ. વિચારસ્પષ્ટતાને અંગે, તેટલા માટે, અનુષ્ઠાનના પ્રકારની વિચારણા કરવી પ્રસ્તુત છે. ધમની ક્રિયાના હાર્દમાં ઉતરતાં તેમાં કેટલે ફેર હોય છે તે જાણવામાં આવતાં ‘ચિત્ત પ્રસને રે પૂજનફળ કહ્યું કે એને અંતર આશય સ્પષ્ટ થશે. આ કિયા-અનુષ્ઠાનનો આ વિષય ખૂબ વિચારવા યોગ્ય છે, અને તે બરાબર ખ્યાલમાં આવશે ત્યારે આપણે વિકાસમાગમાં કઈ ભૂમિકા પર છીએ તેને ખ્યાલ આવશે. અનુષ્ઠાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ. પ્રીતિ અનુષ્ઠાન માં અનુષ્ઠાન કરતી વખતે મનમાં તે તરફ રાગ થાય. દાખલા તરીકે છ આવશ્યક પૈકી પ્રતિકમણ (શ્રાવક માટે વંદિતાસૂત્ર, સાધુ માટે યતિપગાસક્ઝાય), કાઉસગ્ગ અને પચ્ચખાણ અનુષ્ઠાનમાં પ્રીતિ-અનુષ્ઠાનને પ્રસંગ પ્રાપ્ત થાય છે. ભક્તિ-અનુષ્ઠાન માં પ્રથમનાં ત્રણ આવશ્યકમાં ભક્તિને પ્રાગભાર જાગ્રત થાય છે. સામાયકરૂપ ચારિત્ર, ચોવીશ તીર્થંકરના નામરૂપ લેગસ્સ અને વાંદણામાં નમસ્કાર એટલે સામાથકમાં ચારિત્ર, લેગસમાં દેવવંદન અને વાંદગામાં ગુરુવંદન–આ ત્રણેમાં ભક્તિપૂર્ણ ક્રિયા છે. પૂર્ણ પુરુષોનાં વચન અનુસાર અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવામાં આવે તે વચન-અનુષ્ઠાન અને પોતાની ટેવ પડી જતાં કોઈને આધાર વગર સ્વયં અનુષ્ઠાન થાય તે “અસંગ-અનુષ્ઠાન.” આ ચાર પ્રકારનાં અનુષ્ઠાનમાં પ્રીતિ અને ભક્તિ-અનુષ્ઠાનમાં આ લેકને આશય અને પરેલેકમાં સુખપ્રાપ્તિની કલપના હોવાને સંભવ રહે. વચન-અનુષ્ઠાન કરતાં કરતાં આગળ ઉપર અસંગ-અનુષ્ઠાન કરવાના પ્રસંગો પ્રાણ સહેજે પ્રાપ્ત કરી શકે. અસંગ-અનુષ્ઠાન ઉત્તમોત્તમની કેટિમાં આવે. પ્રીતિ-અનુષ્ઠાન કે ભકિત-અનુષ્ઠાન કાઢી નાખવા જેવી નથી. પ્રાથમિક દશામાં એ બન્ને પ્રકારનાં અનુષ્ઠાનોનો પણ ઉપયોગ છે અને તેની ઉપયોગિતા એ દૃષ્ટિએ સ્વીકારવામાં આવી છે. અનુષ્ઠાનના આ ચાર પ્રકાર જાણ્યા પછી તેને અંગે થતી ક્રિયાના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે, તે પણ જાણી લેવા યોગ્ય છે. એક રીતે એ અનુષ્ઠાનના જ પ્રકારે છે, કારણ કે અનુષ્ઠાન અને કિયા પર્યાયવાચી શબ્દો છે. પાંચ પ્રકારની ક્રિયાનાં નામે અનુક્રમે આ પ્રમાણે છે : ૧. વિષ, ૨. ગરલ, ૩. અનુષ્ઠાન, ૪. તહેતુ, પ. અમૃત. આ પાંચ પ્રકારની કિયાને સમજતાં વિચારસ્પષ્ટતા જરૂર થઈ જશે. એમાં ત્રીજી અનુષ્ઠાનકિયા આવે છે, તે ક્રિયાના એક પ્રકારનું પારિભાષિક નામ છે, જે એની વ્યાખ્યા કરતાં વિચારપથમાં આવી જશે. કિયાઓ પૈકી પ્રથમની ત્રણ કિયા ધર્મ કિયા હોવાને કારણે ઠીક છે, પણ એ ચારિત્રવંતનું ચારિત્ર દગ્ધ કરનાર હોવાથી, સંસાર-પરિભ્રમણ વધારનાર હોવાથી અને પરિણામે દુઃખ આપનાર Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧ : શ્રી ઋષભદેવ સ્તવન [ શ્ય હોવાથી આદરવા લાયક નથી. પાછળના બે પ્રકારોવાળી ક્રિયા પરિણામે સ'સાર-બંધન મુકાવનાર હાવાને કારણે આદરવા યાગ્ય છે. આ પાંચે પ્રકારની ક્રિયાઓને સ્પષ્ટ સમજવા પ્રયત્ન કરીએ. વિષક્રિયા ધર્મની ક્રિયા કરું' તો લેાકોમાં મારું માન વધે, મને વ્યાખ્યાન-પૌષધમાં આગળ પડતું સ્થાન મળે, હું દીક્ષા લઉં તે મોટા રાજા-મહારાજા મને પગે લાગે—આવી કોઇ પણ પ્રકારની આ ભવની ઇચ્છાથી ક્રિયા કરે તે વિષક્રિયા કહેવાય. આ સવ કપટક્રિયા છે. એનાથી નજીવા લાભ થાય, પણ એકદરે નુકસાન ઘણું થાય અને જન્મજન્માંતરની સખ્યામાં વધારો થઇ જાય. વિષ–ઝેર લેવાથી પ્રાણીનું તુરત મરણ થાય છે, તેમ આવા કોઈ પણ આશયથી કરેલ ક્રિયાને પરિણામે દુર્ગાંતિ તુરત થાય છે; અને ધર્માંદૃષ્ટિએ એ તાત્કાલિક મરણુ જ ગણાય. માનપત્ર કે હારતારા ખાતર થતી ક્રિયાએ આ કક્ષામાં આવે. સેવાના બદ્દલામાં સત્કાર થાય, સ્વયં આદર થાય તે જુદી વાત છે અને તે મેળવવા ખાતર ક્રિયા થાય એ અલગ બાબત છે. તે પ્રકારની ધમ ક્રિયાઓને વર્જ્ય ગણવામાં આવી છે. ગરલક્રિયા—ક્રિયાના બીજો પ્રકાર ‘ ગરલ ’ના નામથી ઓળખાય છે. ગરલ નામનું ધીમું ઝેર આવે છે; તાલપુર વિષ લેતાંની સાથે મારે છે, ત્યારે ગરલ નામનું ઝેર ધીમે ધીમે વધે છ મહિને મરણુ નિપજાવે છે. જ્યારે પરભવમાં રાજ્યઋદ્ધિ કે દેવદેવેન્દ્ર-વિદ્યાધર-ચક્રવતીની પદવી મેળવવાની ઇચ્છાથી ધર્મક્રિયા કરવામાં આવે ત્યારે તે ક્રિયાઓને ગરલક્રિયાનું નામ આપવામાં આવે છે. આવાં પ્રાણી ક્રિયા બરાબર કરે, પણ અંદરને આશય ક્રિયારુચિપૂર્વકના અને ક્રિયા ખાતર ક્રિયા કરવાના ન હેાઇ અને પરભવમાં કે લાંબે ગાળે ભવિષ્યમાં પૌદ્ગલિક લાભ લેવાનો આશય હાઈ, એવા પ્રકારની ક્રિયાએને પણ વર્જ્ય ગણવામાં આવે છે. આ ક્રિયા કરનારને ઘણીવાર ઇષ્ટ વસ્તુ મળે પણ ખરી, પણ સંસારવૃદ્ધિ થવાને કારણે એ ક્રિયાને ત્યાજય –અનાદરણીયના વિભાગમાં મૂકવામાં આવી છે. C અનુષ્ઠાનક્રિયા—ક્રિયાનો ત્રીજો પ્રકાર · અનુષ્ઠાન ’ના નામથી જાણીતો છે. કચિત્ એને અનનુષ્ઠાન ' પણ કહેવામાં આવે છે. ગતાનુગતિક રીતે ક્રિયા કરવી, વિધિ કે આશયને વિવેક ન રાખવેા, આગળ બેસનાર કરે તેમ કર્યા કરવું, એ આ અનુષ્ઠાન-વિભાગમાં આવે છે. આવા નકલી ક્રિયા કરનાર ગતાનુગતિક પડિલેડ, પ્રતિક્રમણુ, આવશ્યકાદિ કરે એ માત્ર યંત્રવત્ હોય છે. એવા ક્રિયા કરનારમાં વિવેક, વિચારણા કે આશય-રહસ્યને અભ્યાસ કે એને માટેની જિજ્ઞાસા કે રુચિ હતાં નથી; એનામાં દેખાદેખી જ માત્ર હોય છે. આવી ગતાનુગતિક ક્રિયાઓ પણ નિષ્ફળ નીવડે છે, અને ચેતનના વિકાસમાં પેાતાના મુદ્દામ ફાળા આપતી નથી. વિષ અને ગરલક્રિયાની માર્કેક આ અનુષ્ઠાનક્રિયા પણ ઉપયેગી ક્રિયાની કોટિમાં નથી આવતી. એને માટે · અન્યાનુષ્ઠાન ' શબ્દ પણ વપરાય છે અને તે શબ્દપ્રયોગ આ પ્રકારની ક્રિયા માટે વધારે સમીચીન લાગે છે. આ પ્રથમની ત્રણે ક્રિયાએ થાડો-ઘણા લાભ તો જરૂર કરાવે છે, પણ ઉચ્ચ આશયને અગે એ બિનકારગત નીવડે છે. ४ Page #42 -------------------------------------------------------------------------- ________________ ર૬] શ્રી આનંદઘન-વીશી - તહેવુકિયા–કિયાના હેતુ અને આશય સમજી સંસારથી ઉદ્વિગ્ન થઈ તેને ત્યાગ કરે, ક્રિયાના રહસ્યને અભ્યાસ કરે અને સમજવા પ્રયત્ન કરે, તેને પરિણામે થતી કિયાને તદ્દહેતુકિયા કહેવામાં આવે છે. આ પ્રકારની ક્રિયા કરનારાઓમાં એનો આશય અને રુચિ, એની ક્રિયા તરફની પક્ષપાતતા, એને સ્વીકાર્ય ભાવ અને પ્રશ્નો પૂછવાની કે આશય જાણી લેવાની વૃત્તિ ઉત્કટ હોય છે. આવા પ્રકારની ક્રિયામાં વિધિની ચોખવટ કે સેવન ઓછાં હોય તે પણ આશયની વિશુદ્ધિ અને જિજ્ઞાસાવૃત્તિને કારણે આવા પ્રકારના કિયાકલાપને આદરણીય વિભાગમાં મૂકવામાં આવ્યું છે. હેતુ-રહસ્યના જ્ઞાનપૂર્વક, પૃથકકરણના પ્રયત્નપૂર્વક અને તત્વજિજ્ઞાસાના પ્રયત્નને અંગે થતી ક્રિયામાં કદાચ વિધિદોષ છેડે થઈ જાય તે તે ક્ષેતવ્ય ગણાય છે, કારણ કે કિયાની ફલાવાપ્તિમાં કિયા કરનારને આશય વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. અમૃતકિયા–અને છેલ્લી “અમૃત કિયામાં ઉત્કૃષ્ટ ક્રિયાયોગની સાધના થાય છે. ક્રિયાને આશય સમજી, વિગતવાર વિધિની ઘટનાઓમાં ઊતરી, માત્ર ચેતનની પ્રગતિ સાધવા કિયા થાય, જેમાં આ ભવને કે પરભવનો કોઈ પ્રકારને આશય ન હોય, જેમાં પરિણામની ધારા નિર્મળ હોય, તે પ્રકારની ક્રિયાને અમૃતકિયા કહેવામાં આવે છે. અમૃત જેમ દેવને સંજીવનકાર્ય કરે છે, અમૃત જેમ તાત્કાલિક અને પરિણામિક લાભ કરે છે, તેમ આ અમૃત વિભાગમાં આવતી ક્રિયાઓ, કોઈ જાતના હેતુ કે આશયથી થયેલ ન હોવાને કારણે અને રહસ્ય અને વિધિના જ્ઞાન પૂર્વક થઈ હેવાને કારણે, ખાસ સુગ્રાહ્ય છે અને ચિતામણિરત્ન સમાન હોઈ રક્ષણ, પિષણ અને વિકાસને યોગ્ય છે. ક્રિયા કરવામાં કિયા ખાતર ક્રિયા કરવાની ન હોય, કિયાને આશય આત્મવિકાસ હય, ક્રિયા કરવાને પરિણામે કઈ સાંસારિક અપેક્ષા ન હોય, અને તેના રસ્ય, હેતુ અને આત્મવિકાસ સાથે સંબંધ સમજાવેલ હોય; એ ક્યારે કરવી, કેમ કરવી, શા માટે કરવી એ બરાબર સમજી ક્રિયા થાય એ આ અમૃતક્રિયાની કક્ષામાં આવે છે. આ વિશિષ્ટ વિચારકે એ શુદ્ધ કિયાનાં નીચે પ્રમાણેના લક્ષણો બતાવ્યાં છે. એ સર્વ લક્ષણોની પ્રાપ્તિ અમૃતકિયામાં થાય છે. એ લક્ષણે આ પ્રમાણે છે – (૧) ધર્મક્રિયા કરવામાં ખૂબ પ્રીતિ રાખવી (પ્રીતિ લિંગ). (૨) ધર્મકિયા તરફ અંતરને આદર હોય, એમાં દેખાડા કે ગોટાળાને સ્થાન ન હોય (આદર લિંગ). (૩) ક્રિયાના રહસ્યને અને એના પ્રયત્નને જાણવાની અંદરથી જિજ્ઞાસા રહે. રડસ્ય-જિજ્ઞાસા ખૂબ તીવ્ર હોય (જિજ્ઞાસા-લિંગ). " (૪) એ સેબત કિયારુચિ જીવની જ કરે, એને વિકથા કરનાર, ગપ્પાં મારનારની સંગતિ ન ગમે, એને હરવા-ફરવા-બેસવા ઊઠવાનું સ્થાન ક્રિયા રુચિવત જ હોય (સંગ લિગ). (૫) મૂળ ગ્રંથમાં કે આકર ગ્રંથમાં વિશુદ્ધ કિયાગ બતાવ્યું હોય તે જાણે, તેને સહે, તેને સ્વીકારે (શુભાગમ-લિંગ) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧: શ્રી ઋષભદેવ સ્તવન [૨૭ (૨) નિર્વિઘ્નતા એ શુદ્ધ કિયાનું છેલ્લું લિંગ છે. બીજા વ્યાવહારિક ગમે તેટલાં વિદને આવે તેની તે દરકાર ન કરે. આજે લૌકિકે જવું છે અને કાલે નાતના મેળાવડામાં જવું છે, બપોરે જમણમાં જવું છે અને રાત્રે ઊંઘ આવે છે–આવાં બડાનાં કે પ્રસંગે એ એઠાં તરીકે સેવે નહિ (નિર્વિઘ્નતા લિંગ). એને મન કિયા એ સર્વસ્વ હોય, એ કિયા કરે ત્યારે જ એના મનમાં મજા આવે અને એ કિયાના પ્રસંગો અને એની તક શોધતો ફરે. એને ગોટા વાળવાનું હોય નહિ, એને બહાનાં શોધવાનું ગમે નહિ અને એ તે કિયા કરે ત્યારે જાણે પિતાને ઘેબર-ઘારીનું કે દૂધપાક-પૂરીનું ભેજન મળે છે એવી એને તૃપ્તિ થાય. - અમૃતક્રિયાનું લક્ષણ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રીપાળના રાસમાં (ખંડ છે, ઢાળ પહેલી) બહુ સ્પષ્ટ રીતે આપ્યું છે. તેઓ સાતમી ગાથામાં કહે છે : તદ્ગત ચિત્ત સમ્ય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિઘણે છે; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃતક્રિયા તણે છે. જે કિયા કરતું હોય તે જ કિયાને તેને ઉપયોગ થતો હોય (૧); સમયવિધાન એટલે પૂર્વ-પુરૂએ જે સમયે જે ક્રિયા કરવાની કહી હોય તે સમય સાધવો(૨); સમયોચિત કિયા કરતું હોય તેમાં અંદર ચિત્તને ઉલાસ હોય અને કિયા કરનારની પરિણામધારા વૃદ્ધિ પામતી ચાલે (૩); કિયા કરતી વખતે એને સંસારને સાચે ભય લાગે, એને જન્મ-જરા-મરણના ફેરા આકરા લાગે, એને ખાડામાં પડવા-આખડવાને કંટાળે આવે (ક); કિયાથી પિતાને ખૂબ લાભ થનાર છે, કિયામાં પુછતર સાધ્યની કારણતા છે, એ વિચારથી એના મનમાં અસાધારણ ચમત્કાર લાગે, એને વિશિષ્ટ આશ્ચર્ય લાગે (૫); એને કિયા કરતી વખતે રેગમ થાય, આખા શરીરની રેમરાજ હર્ષથી પુલકિત થાય; જાણે કાંઈ નૂતન વસ્તુ મેળવું છું એ વિચારે એ ખુશખુશ થઈ જાય (૬); અને એને અંદરથી ખૂબ હરખ થઈ જાય, રોમરાજી ઊભી થવા ઉપરાંત એને આત્મિક સુખાનુભવ થાય (૭). આંધળાને ચીરતી આંખ મળી જાય લડાઈમાં મોટી જીત થાય, તે વખતે જે આનંદકલેલ અંદર જામે છે, તેને હરખ-હર્ષ કહેવામાં આવે છે. આવું અમૃતકિયાનું વર્ણન શ્રી મયણાસુંદરી પિતાની સાસુ કમળપ્રભા પાસ કરી રહી હતી. એ કહેતી હતી કે આજે સાયં પૂજામાં મને એટલે આનંદ થયે, મને ભય કે હર્ષનું કેઈ બીજું કારણ ન હોવા છતાં મારા આખા શરીરમાં એને રે ગમ થયો અને હજુ પણ મારા દિલમાં એ હર્ષ ઊભરાઈ રહ્યો છે કે હજુ પણ મારા મનમાં આનંદ સમાતે નથી. આવા પ્રકારની અંદરથી જાગતી અને જામતી પુલકેગમની રેખાને અમૃતકિયા કહેવામાં આવે છે. એવા પ્રકારની પૂજા જીવનમાં એકાદ વખત થઈ જાય તો પણ પૂજા કરવાના અનેક Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૮] શ્રી આનંદઘન-ચાવેશી વખત કરેલા પ્રયાસને માથે ફળ બેસે છે. એને માટે આનંદઘનજી કહે છે કે ચિત્તની પ્રસન્નતા થાય ત્યારે પૂજનનું ફળ બેસે છે. મયણાને સાંસારિક ફળ લેવું નહોતું, પણ એવા પ્રકારના પૂજનનું વર્ણન કરી એ પિતાની સાસુ કમળપ્રભાને કહે છે કે અમૃતકિયા હમેશાં તાત્કાલિક ફળ આપે છે, એટલે નિમિત્તશાસ્ત્ર પ્રમાણે તમારા પુત્રની સાથે આજે મેળાપ થ જ જોઈએ. ધ્યાનમાં રહે કે મયણા સુંદરી અમૃતકિયાનું ફળ માગતી નથી, ઈચ્છતી નથી, પણ એ જ્ઞાનવાન છે, લક્ષણવંતી છે, અને પુત્રપ્રેમી વાત્સલ્યભરપૂર માતાની શાંતિ માટે કહે છે કે, “માજી! આજે તમારા પુત્ર અને મારા વાલમને મેળાપ જરૂર થી જોઈએ.” આમાં ધ્યાન, તગત ચિત્તવિધાન, ધર્મ રૂચિ, બનાવ ઉપરથી બનવાના બનાવની આગાહી કરવાની આવડત અને અમૃતકિયાને પારખવાની શક્તિ, એ સર્વ ધ્યાન ખેંચે તેવી બાબત છે. અમૃતકિયા તો મોક્ષ આપનાર છે, પણ આડકતરી રીતે એ વ્યાવહારિક લાભ પણ જરૂર આપે છે અને તત્કાળ આપે છે એ વાત પણ ખૂબ આકર્ષક બને છે. અને તે જ વખતે પોતાની પ્રિયાનું વચન સાચું કરવા “માજી ! બારણું ઉઘાડે” એમ શ્રીપાળ કહે છે ત્યારે શ્રોતાને મેગમ થાય છે. આનું નામ અમૃતકિયા ! આનું નામ ચિત્તપ્રસન્નતા ! આનું નામ પૂજન ! આનું નામ અસંગ-અનુષ્ઠાન ! ઘરનાં બારણું ખૂલે છે, શ્રીપાળ મહારાજ ઘરમાં પેસે છે, પિતે માતાજીને પગે લાગે છે, મયણે શ્રીપાળને પગે લાગે છે, ન ધારેલું બને છે ! આખા નગરની ચારે બાજુ લશ્કર છે, નગરના સર્વ દરવાજા બંધ છે, આખું નગર પરચકના ભયથી સમસમી રહ્યું છે, ત્યારે શ્રીપાળના ઘરમાં ભવ્ય નાટક જામી ગયું છે, ન કલ્પી શકાય તેવા અણધાર્યો મેળાપ થયે છે અને અમૃતકિયાની તાત્કાલિક ફલવત્તાનાં પરિણામને અનુભવ થાય છે. પછી માતાને ખભા ઉપર, મયણાને જમણે હાથ પર બેસાડી શ્રીપાળ નગરની બહાર નાખેલી પોતાની લશ્કરી છાવણીમાં જાય છે. ત્યાં ભદ્રાસને બેસાડેલા માતાજીને આઠ સ્ત્રીઓ એક પછી એક નમે છે, અને મોટી બહેન મયણાસુંદરીને પણ નમે છે. આ સર્વ વિશિષ્ટ પૂજનનો પ્રતાપ છે. અમૃતકિયા કરનાર કદાપિ સાંસારિક ફળ માગે નહિ, પણ એને લાભ જરૂર થઈ આવે અને આવું અસંગ અનુષ્ઠાન ચિત્તના આહ્વાદ સાથે જિંદગીમાં કઈ કઈ વખત થઈ જાય તો પણ સર્વ તકલીફ અને તૈયારી પર વિશિષ્ટ ફળ બેસે છે. આવી પૂજા તે અખંડિત પૂજા કહેવાય. આવી પૂજા કરે ત્યારે આપણે આત્મા આનંદઘનની રેખાને અનુભવે છે, અને સંસારમાં રહ્યા રહ્યા પણ મુક્તિના સુખની વાનગી ચાખે છે. સામાન્ય ચાલુ પૂજાને જરા પણ હીણી પાડ્યા વગર આ વિશિષ્ટ પ્રકારની પૂજાની મહત્તા આનંદઘને ગાઈ છે, આ અમૃતકિયા કરતાં ચેતનને અંદરથી પ્રીતિ જામે, એને પાછી એવી ક્રિયા કરવાની તાલાવેલી લાગે, પાછો બીજે દિવસે એ વખત ક્યારે આવે કે જયારે પિતે ક્રિયા કરે_એવી એને અંતરની ઊર્મિ જામે. ક્રિયા કર્યા પછી “ચાલે, હવે ટટ્યા ! નિરાંત થઈ એવી વૃત્તિ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧ : શ્રી ઋષભદેવ સ્તવન [૨૯ એને કદી ન થાય. અને તેા મનમાં થયા જ કરે, કયારે બીજી સવાર પડે અને પોતે ક્રિયા ફરી વાર આદરી બેસે. આ વૃત્તિ અમૃતક્રિયા કરનારની, અસંગ અનુષ્ઠાન કરનારની હેાય, અને એના ચિત્તની પ્રસન્નતા એટલી પુષ્ટ હાય કે એને, મહાન ઋદ્ધિ પ્રાપ્ત થતાં જેવા આનંદ સંસાર-રસીઆને થાય છે તેવે, બલકે તેથી પણ વધારે નિજાનંદ, કોઇ પણ પ્રકારના ઢાંગ કે આડંબર વગર થયા કરે. પ્રીતિના આખા તત્ત્વજ્ઞાનનું રહસ્ય, ટૂંકામાં કહીએ તા, એ જ છે કે વ્યાવહારિક-સાંસારિક સ્થૂળ પ્રીતિ એ થોડા વખત માટેની છે, અને સાપાધિક છે. ખરી પ્રીતિ કરવી હાય તે પહેલાં પ્રીતિને ઓળખવી, પ્રીતિના પ્રકાર જાણી લેવા, એમાં જે સ્થાયી પ્રીતિ હેાય તે સ્વીકારવી અને એવી પ્રીતિમાં આનંદઘનપદની રેખા છે એમ સમજી એને સ્વીકાર કરવે. આ પ્રમાણે પ્રીતિનું આખું રહસ્ય સમજી સાચી, સ્થાયી, અખંડ પ્રીતિ કરવાની વાત બહુ સ્પષ્ટ રીતે કરી છે. તેની ચેખવટમાં આખા ક્રિયાયેાગનું રહસ્ય લાવી શકાય તેમ છે. તેમાંની ઘેાડી વાત અત્ર રજૂ કરી. છેવટે ‘આનંદઘન ’ શબ્દ ખૂબ વિચારણા માગે છે. તે પર પ્રાસંગિક જરૂરી વિચાર કરી લઈએ. સાંપ્રદાયિક હકીકત એમ સંભળાય છે કે આ સ્તવન કરનારનું સાધુ તરીકેનું નામ લાભાનંદ હતું, પણ પાતે જે કૃતિએ કરી છે તેમાં આનંદઘન શબ્દનો ઉપયોગ કર્યાં છે. આ વાત બરાબર છે એમ સ્વીકારી આ ‘ આનંદધન’ શબ્દમાં શે! ચમત્કાર છે, એની પાછળ શે ઇતિહાસ છે, એ પર વિચારણા અને સ`શેાધન કરી આનંદ શબ્દના રહસ્યને પકડવા પ્રયત્ન કરીએ. (૧) એગસ્ટ, ૧૯૪૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ * શ્રી અજિતનાથ સ્તવન [મા દર્શનના ચાર ઉપાચા; વત માને ચારે ઉપાચેાની વિરલતા; ભવિષ્યમાં પથદર્શનની આશા] સબંધ—પ્રથમ સ્તવનમાં શુદ્ધ ચેતનાએ પોતાના આદર્શ પતિ તરીકે ઋષભદેવના સ્વીકાર કર્યાં. એણે જોયું કે આ દુનિયામાં જે સંબંધ પ્રીતિરૂપે થાય છે, તે ઉપાધિ સહિત હોવાને કારણે અંતે ઘટી જાય છે, તૂટી જાય છે, વીસરાળ થઇ જાય છે, અને પાન્ડાને તે અનંત કાળ સુધી ચાલે તેવી પ્રીતિ કરવી છે, એટલે એણે એવી પ્રીતિના પાત્ર શ્રી વીતરાગદેવને આનંદ સ્વરૂપે સ્વીકાર્યા. આ રીતે પ્રેમપાત્રના આદશ નક્કી કર્યાં. અને છેવટે નિણ ય કરી લીધા કે કપટ રહિત વિશુદ્ધ ભાવે આપણા આત્મા-પોતે જાતે પ્રસન્ન થાય, સર્વ પ્રકારના દંભને છેડી વીતરાગભાવ સાથે એકતા સાધે ત્યારે તે આનંદસ્વરૂપ બને. સદરહુ નિર્ણયને અંગે એણે સાંસારિક પ્રીતિની અવાસ્તવિકતા વિચારી લીધી અને જે પ્રીતિના વહેલે કે મેડે અંત આવે, તેને ખરી પ્રીતિનું નામ આપવું એ પણ યોગ્ય નથી એમ મનમાં નક્કી કરી નાખ્યું. એણે સતીનું કાભક્ષણ કે ભગવાનની લીલા જેવી ઉચ્ચ પ્રકારની ત્યાગવૃત્તિની પશુ ગૌણતા બતાવી દીધી અને યોગીની નજરે ચિત્તપ્રસન્નતાને ઉચ્ચ સ્થાને મૂકી. પૃથક્કરણ—શુદ્ધ ચેતનાએ આંતર વૃત્તિને આટલું આગળ પડતું સ્થાન આપ્યું, ત્યારે વ્યવહારમાં રાચી રહેલા છતાં આંતર વૃત્તિથી વિકાસ કરવાની ઇચ્છાવાળા ચેતનરાજ આ આખી વિચારણામાં ભાગ લઈ રહ્યો હતો. એને આ આખી વિચારણા અતિ ઉન્નત સ્થાનીય પણ અભિનવ લાગી. એને ઋષભદેવમાં રસ પડયો, વીતરાગભાવમાં આનંદ દેખાયા, ચેતનાની વિચારણામાં સુગ્રાહ્ય ભાવ લાગ્યા. એટલે એને વર્તમાન પરિસ્થિતિમાં વીતરાગભાવને આખા મા કેવી રીતે ચાલે છે અને પેાતાનું સ્થાન એમાં કયાં છે એ શેાધવાનું મન થયું. એટલે એણે અવલોકન કરવા માંડ્યું. આ પથના અલેકનમાં અને તેને અંગે પેાતાના સ્થાનની શેાધમાં અને તેના નિષ્ણુયમાં આ બીજું સ્તવન રચવામાં આવ્યું જણાય છે. એ વ્યવહારમાં વતા આત્મલક્ષી ચેતનરાજના મુખમાં મૂકયુ છે. આખા સ્તવનનું નીચે પ્રમાણે પૃથક્કરણ થઈ શકે: ૬. આત્મવિકાસમાં ચેતનનું વમાન સ્થાન. ૩. માદનના ચાર પ્રકારના ઉષાયેા અને વતે કાળે એ ચારે ઉષાયેાની વિરલતા. ૧. અને યાગ્ય કાળે પથદર્શનની આશા. આ ત્રણે વિભાગે પરસ્પર સાલંબન છે અને છતાં ચેતનને ખૂબ લાભકારી છે; મહાન સત્યાને સ્પષ્ટ કરે છે અને વાસ્તવિકને છેડી દીધા વગર અને જાતે નિરાશ થયા વગર એને સુયેાગ્ય માગે રાખે છે તે આપણે જોઇશું. પ્રથમ સ્તવન શુદ્ધ ચેતનાના મુખમાં સૂયું છે; આ ખીજું સ્તવન વિકાસમાગે ચઢવાની તીવ્ર ઇચ્છાવાળા, વીતરાગમાવને સ્વીકારવાને રસ્તે ચઢેલ વહેવારુ અંતરાત્માના મુખમાં મૂક્યુ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨ઃ શ્રી અજિતનાથ સ્તવન | [૩૧ ચેતનના સુખમાં શા માટે?—કોઈ વિવેચનકારે આ સ્તવન શુદ્ધ ચેતનાના મુખમાં મૂક્યું છે, પણ આ રતવનની પ્રથમ ગાથામાં “પુરુષ” શબ્દ અને છેલ્લી ગાથામાં “જન” શબ્દ એમ કરવામાં આડા આવે છે, એટલે આ આખા સ્તવનને, પ્રથમ સ્તવનને અંતે કરેલા નિર્ણયને પરિણામે, ચેતનરાજના મુખમાં મૂકવું એ મને વધારે વાસ્તવિક લાગે છે. ચેતનાના મુખમાં એને મૂકીએ તે કાવ્યનું ગેયતત્ત્વ કવિનાં ઉડ્ડયન અને કલ્પનાને ભવ્યતર બતાવે છે; માર્ગ પ્રતીક્ષા પ્રેમી સ્ત્રી કરે, વિરહી સ્ત્રી પતિના માર્ગની અવલેકના કરે, એ વાત સમુચિત લાગે છે, પણ એમ કરવા જતાં પ્રથમ ગાથાનું આખું વાક્ય અને વિચારધારા અપ્રસ્તુત થઈ જાય છે, એટલે ચાલુ પરિસ્થિતિમાં વર્તતા પણ વિકાસ સાધવાને ઉઘુક્ત થયેલા ચેતનરાજના મુખમાં મૂકવું એ વધારે વાસ્તવિક લાગ્યું છે. અને આખા સ્તવનમાં વિરહી સ્ત્રીની માર્ગ પ્રતીક્ષાને બદલે મુમુક્ષુની માનસિક તાલાવેલી વધારે કામ કરતી જણાય છે અને છેલ્લી ગાથામાં “જન ' શબ્દને ઉપયોગ એ વાતને વધારે સ્પષ્ટ રીતે દર્શાવે છે. એટલે હું આ સ્તવનને ચેતનરાજના મુખમાં મૂકવાની હકીકતને વધારે સાર્થક અને સંબંધને અનુરૂપ માનું છું. આ ચેતન હજુ સંસારી છે. સંસારમાં હરતે ફરે છે, મને વિકાર પર સામ્રાજ્ય મેળવવાની ઇચ્છાવાળો છે, પણ શુદ્ધ ચેતનાના સ્વામીત્વ ભાવને સંપૂર્ણ ભાવે વરેલ નથી, પણ એ લાયકાતવાળે થતું જાય અથવા તે માગે છે, એટલી વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ચેતનનું અત્યારે શું સ્થાન છે એ પ્રથમ ગાથામાં પિતાના શબ્દોમાં જ બતાવનાર છે, ત્યાં એને પરિચય થઈ જશે. એ દૃષ્ટિએ વર્તમાન જિજ્ઞાસુ અને મુમુક્ષુ સ્થિતિમાં મધ્યમ કક્ષાના મારા-તમારા જેવા વહેવારુ મુખમાં મૂકયું છે. માગપ્રાપ્તિની વિષમતા–વીતરાગભાવને પ્રાપ્ત કરવાની અને તેને સાચે માગે ચઢવાની વિષમતા કેટલી છે, તેને પૂરો ખ્યાલ ઊડી વિચારણા વગર આવે તેમ નથી. વિચાર કરતાં જણાશે કે પ્રાણી અનેક વાર પિતાની જાતને છેતરે છે, વધારે પડતું ડહાપણ કરવા જતાં આડે માગે ઊતરી જાય છે અને માત્ર બુદ્ધિ પર આધાર રાખવા જતાં કથેરે ચઢી જાય છે કે ઠોકર ખાઈ બેસે છે. તેથી વિશુદ્ધ પતિદેવના માર્ગની ગવેષણ કરવાના અદ્ભુત આંતર નિષ્ઠાવાળા આ સ્તવનને ઊંડે ભેદ સમજવા પ્રયત્ન કરવા યોગ્ય છે. એમાં વ્યવહારને ભેગે નિશ્ચયની પોષણ નથી, પણ વાસ્તવિક પરિસ્થિતિનું સ્પષ્ટ લાક્ષણિક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. એને સમજવાના પ્રયત્નમાં પણ એક પ્રકારને આનંદ થાય તેમ છે અને ચેતન પોતે ઊભે છે તેને ખ્યાલ આવે તેમ છે. એક વાત પર ધ્યાન ખેંચવાની જરૂર ગણાય છે. માત્ર બુદ્ધિના માર્ગો અને પ્રગત ગીની આત્મિક વિચારણાના ઝોકમાં તફાવત તે રહે જ, પણ એને સમન્વય કરવાની કળા પ્રાપ્ત થઈ જાય તે પછી જે વાસ્તવિકતાનું સહજ ભાન થાય છે, તેની મોજ ઔર પ્રકારની છે. એ આંતર દષ્ટિએ પ્રેરક બને છે અને સહજભાવે ચેતનને વિકાસને પંથે આગળ ધપાવે છે. માર્ગ પ્રાપ્તિની વિષમતા જોઈ જાણી ચેતનરાજ ગભરાઈ જાય તેવા તે કાચાપોચા નથી, પણ એની બુદ્ધિજન્ય જિજ્ઞાસાવૃત્તિ એને વાસ્તવિક વિચારણાને પંથે લઈ જઈ એને કેવા સુંદર નિર્ણય પર લઈ આવે છે તે ખાસ વિચારવા જેવું છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] શ્રી આન ઘન-ચાવીશી ગેયતા—સ્તવન પરનું સીધું વિવેચન શરૂ કરવા પહેલાં તેને અંગેના જરૂરી ખુલાસા કરવા પ્રાસ્તાવિક છે. આનંદઘનમાં સ` સ્તવનોની ગેયતા અદ્ભુત હાય છે, પણુ તેમાં પણ આ સ્તવનની ગેયતા તા કાંઇ અનેરી છે. દરેક ગાથાને છેડે ‘ પથડો નિડ્ડાળુ` રે ખીન્ન જિન તણેા ૨’–એ ખેલતાં મનમાં ભારે લહેર આવે છે. જાણે વાયુવાન (એરોપ્લેન)માં બેઠા બેઠા રેલમા, નદીમા, સમુદ્રમાર્ગ, ગાડાના ચીલા અને ખેતરની કેડીએ નિડ્ડાળતા હોઇએ એવા ભાવ આવે છે; પણ જ્યારે બીજી વ.૨ ‘વાટડી વિલેાકુ રે બીજા જનની ૨' તેની પછી તુરત ગાવામાં આવે છે, ત્યારે તેા અતરની માજ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. જો આ સ્તવન પદ્ધતિસર ગાવામાં આવે તે અંદરથી ભારે હલક લાગે તેવું છે, એને હૃદયમાં ઉલ્લાસ જાગે તેવી એની પદ્ધતિસર આગળ ધપતી રચના છે, અને છતાં એમાં કવિની રચના કરતાં ચેગીના હૃદયના આલાપાનું એકત્રીકરણ હૃદયંગમ થયા વગર રહે તેમ નથી. આ · વાટડી મિલેકવા ’ની ટેક (આંકણી ) પ્રતેામાં જ છે, પણ ભારે અસરકારક છે અને પ્રભુમ`દિરમાં કે એકાંત સ્થાનમાં શાંતિ વચ્ચે બેલવામાં આવે ત્યારે ભારે સુંદર વાતાવરણ જમાવે છે. 6 રે ’કાર કોઈ પણ વધારો કે ઘટાડો · રે ’કારને અંગે પાઠાંતરોમાં ઘણા ભેદ્ર છે. કોઇ કોઇ પ્રતમાં તે ‘ સ્થાને નથી. રે 'કાર ગાવાની પદ્ધતિ પર આધાર રાખે છે અને એને કરવામાં આવે તે તેથી પાઠની અશુદ્ધિ થતી નથી. એનું કારણ એ છે કે આ કાવ્ય કાંઈ માત્રામેળના છંદ્ર નથી. અતે દેશીના રાગેામાં‘રે’કે ‘લાલ ’વધારી-ઘટાડી શકાય છે. આ સ્તવન ખૂબ અનુભવને અંતે લખાયેલું જણાય છે અને એમાં ઊંડી વિચારગ઼ા અને લાંબી દૃષ્ટિની નજર તારવી શકાય તેમ છે. આ સ્તવન ખૂબ વિચારણા માગે છે અને પૃથક્કરણ કરી સમજવા યાગ્ય છે. એક વધારે ખુલાસો પણ પ્રસ્તુત છે. આ સ્તવનામાં તીર્થંકરદેવનું નામ આવે ત્યારે તેના અર્થ અંતરાત્માને ગમતી પરમાત્મદશા અથવા વીતરાગભાવનું રૂપક સમજવું. એ દૃષ્ટિએ સર્વાં જિનેશ્વરે એકસરખા છે, સ`માં અનંત ગુણ ભરેલા છે, સ વીતરાગ, વીતદ્વેષ છે, અઢાર દૂષણાથી રહિત છે અને વિષય-કષાય પર વિજય મેળવી હિરાત્મભાવ છોડી, અંતરાત્મદશા પ્રાપ્ત કરી છેવટે પરમાત્મદશાએ પહેોંચેલ હેાય છે. આ દૃષ્ટિએ સવીતરાગેામાં સમાનતા છે; એ આદશ ગુણ્ણાને અજિતદેવને નામે ઓળખીએ કે શાંતિનાથને નામે વર્ણવીએ, તેમાં જરા પણ ફેર પડતો નથી. એટલે આદિનાથની મૂર્તિ કે ચિત્તમૂર્તિ સામે આપણે અજિતનાથનું સ્તવન ખેલીએ તે તેમાં જરા પણ વાંધો નથી; કારણ કે વીતરાગદેવ કાંઇ લેતા નથી, દેતા નથી; એ તે પાતે જન્મ-જરા-મરણથી મુક્ત થયેલા, રાગદ્વેષ વગરના, કોઈ પર ઉપકાર-અપકાર ન કરનાર, માત્ર આદર્શ છે અને પરમાત્મભાવની સમજણુ દ્વારા અંતરાત્મદશા તરફ પ્રેરક છે, એટલે જ્યાં જ્યાં અમુક એક તીર્થંકરનું નામ આવે ત્યાં આદર્શ પરમાત્મા વીતરાગ છે એમ સમજવું. એટલે આ ખીજું સ્તવન અજિતનાથ ભગવાનને ઉદ્દેશીને લખાયેલું છે, છતાં એ વીતરાગભાવને પામેલ મહાઉપકારી ભાવત્યાગી કોઇ પણ વીતરાગને લાગુ પડી શકે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨ : શ્રી અજિતનાથ સ્તવન [૩૩ આ વીતરાગદશા આંતરસ્પર્શી છે, અંદરના હૃદયતંતુઓને હલાવનાર છે અને તેને જાગૃત કરી ચાલુ કરવી એ આ સ્તવનાના ઉદ્દેશ હેાય છે. ભક્તિ દ્વારા, જ્ઞાન દ્વારા, વિચારણા દ્વારા, ધ્યાન દ્વારા, એકાગ્રતા દ્વારા કે સમાધિ દ્વારા આ અંતરના તારને હુલાવવાના પ્રયત્ન વખતે નામથી ગોથવાઈ જવા જેવું નથી; નામ એક હોય અને સામે મૂર્તિ અનેરાની હોય એમાં કોઇ પ્રકારના વિરાધ થઇ જાય છે એમ ધારવા જેવું નથી. આ આદર્શને યાગીએએ કે કવિએ ચિત્ર તરીકે રજૂ કર્યા છે અને તેના નામ સાથે કશે ખાસ સબંધ નથી એ ધ્યાનમાં રાખવું. આટલી ચેાખવટની ખાસ જરૂર છે. સ` સ્તવનાના આંતર ધ્વનિ શું છે એ પર લક્ષ્ય રાખવા જેવું છે. બાકી, ચાર, નિક્ષેપામાં નામનિક્ષેપે સમજી જવાય તે નામનું નિક્ષેપણ ગમે તેના પર ગમે તેમ થઈ શકે તેમ છે. મતલખ, જ્યાં અમુક તીથ કરની મૂર્તિ મનમાં કે સ્થૂળ રૂપે સામે હાય તેની પાસે અનેરા તીર્થંકરના નામનું સ્તવન ખેલવામાં જરા પણ વાંધે નથી. એટલે જ્યાં જ્યાં તીર્થંકરનું નામ આવે ત્યાં સ્તવનમાં પરમાત્મસ્વરૂપને સમજવું, નામ ઉપચાર માત્ર છે એમ ધારવું અને અંતરંગ શત્રુ પર વિજયના આદશને લક્ષ્યમાં રાખી એ રચાયેલું છે એ વાત પર ધ્યાન આપવું. આ પ્રકારના આત્મનિણ ય થતાં ગમે તે વખતે ગમે તે મદિરમાં કોઈ પણ સ્તવન ખેલવામાં ગૂ ́ચવણ નહિ થાય. આ ખામત આનંદઘનજીનાં યાત્ર-સ્તવનને તે ખાસ લાગુ પડે તેવી છે. નામનિક્ષેપ સમજનારને આ વાત દીવા જેવી લાગે તેમ છે. આટલા જરૂરી ખુલાસા પ્રસ્તાવનારૂપે વિચારી આપણે હવે સ્તવન પર વિચારણા કરીએ. સ્તવન ( વેલીની દેશી; મનડું માદ્યો રે શ્રી સિદ્ધાચલે રે–એ દેશી ) પથડો નિહાલું રે બીજા જે તે જીત્યા રે તિણે હું જિનતા રે, અજિત અજિત ગુણધામ; જીતીયા રે, પુરુષ કર્યું મુજ નામ. પથડા નિહાલુ રે બીજા જિનતણા રે. વાટડી વિલાક રે બીજા જિનતણી રે. ૧ પાઠાંતર—નિહાલું રે — નિહાલૂ રે. તારે—( કેટલી પ્રતમાં ‘ રે ’ નથી. ) તે – સ્થાને તઈ. તેણે – તિઈ. મુજ – માહરું. વિલાપુ = જોઉં. વાડી વિલે રે ખીન્ન જિનતણી રે – એ આખું ટેકનું પદ એક પ્રતમાં કે છાપેલ પુસ્તકમાં નથી. રે – ત્રીજા ચરણ તથા ટેકને અંતે નથી. (૧) – શબ્દા—પથડો = રસ્તો, માગ, વાટ. નિહાલુ = જોઉં, અવલો. ખીજા = પહેલા પછીના, દ્વિતીય. જિન = તીથંકર. ત = તા. અજિત = બીજા તીથંકર મહારાજનું નામ. અજિત = ( સામાન્ય રીતે) ( : નહિ જિતાયલા એવા. ગુણ = સારાં લક્ષણ, સદ્ગુણ. તેના ધામ = ધર, ઠેકાણું, સ્થાન. * કોઈ પ્રતમાં રાગનું નામ ‘ આસાઉરી ' જણાવે છે. છાપેલ પુસ્તક્માં વિમલાચલે રે’-એ દેશી બતાવી છે. જે = જે રાગદ્વેષ, ાય ‘મારું મન મોહ્યું રે શ્રી પ્ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪] શ્રી આનંદઘનચોવીશી અથ–શ્રી અજિતનાથ ભગવાન-બીજા જિનેશ્વરદેવ–ને માર્ગ-આવવાને રસ્તે, તેમને પહચવાને રસ્તો હું બારીકીથી તપાસું છું. એમણે જે માગે કામ સાધ્યું તે બારીકાઈથી અવલકું છું. એ અજિતનાથ ભગવાન કેવા છે? મારા જેવાએ નહિ જીતેલા સદ્ગુણોના ધામ છે. તેમને માર્ગ નિહાળતાં તેમને હું નીચે પ્રમાણે કહું છું કે મારા દેવ! જેને તે જીત્યા છે, તેણે મને છે અથવા તેનાથી હું જિતાઈ ગયે છું. આવા બીજાથી જિતાઈ ગયેલા એવા મુજનું –મારું પુરુષ નામ કેમ કહેવાય? મારી પુરુષ તરીકેની-નર તરીકેની–ગણના કેમ થાય ? હાલ તે હું તમે જે માગે ગયા તે આખી વાટ જોવાને, તેને અવેલેકવાને પ્રયત્ન કરું છું. (૧) ટબો–(અજિતનાથ ભગવાનના–બીજા સ્તવનને જ્ઞાનવિમળસૂરિને ટબો.) પ્રથમ સ્તવનમાં કહ્યો છે એવો સ્વામી કેમ પામીએ તેને પંથ જેવાને કહે છે બીજું સ્તવન. પંથડો એટલે વાટનિહાળું એટલે જોઉં. બીજા જિન એટલે અજિત નાથને. મનમાં કુણ વાટે આવશે તે જોવું પંથ. તે પંથ બે પ્રકારે છે, એક શુદ્ધ, બીજે અશુદ્ધ. તેમાં શુદ્ધ પંથે આવશે. તે અજિતનાથ કેવા છે? અજિત જે ગુણ, તેના ધામ એટલે ઘર છે શ્રી જિન. જે કર્માદિ શત્રુ રાગદ્વેષને તમે જીત્યા તેણે રાગાદિકે હું જ છું, તેને વશ થયે છું. તેવારે (ત્યારે) મારું પુરુષ નામ તે શું? પુરુષકારપણું શું કામે આવ્યું, જેવારે (જ્યારે) મહાદિક જીતી ન શકીએ. એવા બીજા અજિતનાથની વાટ જોઉં છું. (૧) વિવેચન–સ્તવનના વિવેચનની શરૂઆતમાં એક બાબત ખૂબ વિચારવા જેવી લાગી છે. આ સ્તવનમાં માર્ગ “નિહાળવા ની હકીકત કહી છે, એમાં ઊંડે ભાવ જણાય છે. નિહાળવામાં અને જોવામાં, નજર નાખવામાં અને પ્રતીક્ષા કરવામાં, દેખવામાં અને અવલોકન કરવામાં બહુ ફેર છે. અમુક રસ્તા પર નજર નાખી જવી અને રસ્તાને નિહાળવે, એમાં જમીન-આસમાન જેટલો ફેર છે. “નિહાળવું” એટલે ધારીને જોવું, ઉદ્દેશ પૂર્વક જેવું. પ્રેમીને પંથ જોઈને તેની પ્રતીક્ષા કરવી અને વીતરાગના માર્ગને નિહાળવે, એ બન્ને વચ્ચે ઘણે તફાવત છે. એમાં માત્ર નજર નાખી ઉપર ટપકેથી આંખને પસાર કરી જવાની વાત નથી. નિહાળવામાં ધારીધારીને જોવાની, જોઈને અંતરમાં ઉતારવાની અને ઉતારીને તદનુસાર વિકાસમાગે ગોઠવવાની વાત સાથે જ છે. વંધ્ય અવેલેકનને આત્મવિકાસકક્ષામાં સ્થાન નથી, માત્ર જ્ઞાનને, જૈન યોગીઓ મહત્ત્વ આપતા નથી, ત્યાં જ્ઞાનનું ફળ વિરતિ બતાવ્યું છે અને ફળ વગરના જ્ઞાનમાં અને અજ્ઞાનમાં તફાવત નથી એમ પણ બતાવ્યું છે. અને કઈ કઈ વાર તે શુષ્ક જ્ઞાનને નિયંસપણું કરનાર હોઈ નુકસાન કરનાર તરીકે પણ બતાવ્યું છે. એ સર્વ બાબતને આશય વિચારતાં નિહાળવાની બાબત ખૂબ વિચારણા માંગે છે. આ ધારી ધારીને જોવાની પદ્ધતિનાં સારાં ફળ આ સ્તવનમાં આગળ જતાં સ્પષ્ટ થઈ જશે. વગેરેને બીજી વિભક્તિ છે. છત્યા = જેના પર તે વિજય મેળવ્યો, જેને તેં છત્યા. તિણે = તેણે, તે શત્રુઓએ હ = મને, તે શત્રુઓએ મને છો અથવા તેના વડે હું જિતાયો. પુરુષ = ભાયડ, માણસ, નર. શૂરવીર. કિસ્ = શા માટે, કેમ. મુજ = મારું. નામ = સંજ્ઞા, કીર્તિ, વાટડી = પંથડા પર્યાય શબ્દ, વિલકુ = જોઉં (૨). Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨: શ્રી અજિતનાથ સ્તવન [૩પ સ્તવનના ત્રણ વિભાગ ઉપર પાડયા તેને પ્રથમ વિભાગ આ પહેલી ગાથામાં આવે છે. આત્મવિકાસમાં પિતાનું શું સ્થાન છે, તેની પ્રસ્તાવના કરી પછી ચેતનરાજ માર્ગ અવલેકના કરવા અને તેને નિહાળવા પ્રયત્ન કરશે. પ્રથમ એ વીતરાગભાવને અજિતનાથ ભગવાનના નામાભિધાન સાથે ઉદ્દેશ છે. મારા જેવા સંસારમાં રખડતા પ્રાણીથી નહિ જિતાયેલા ગુણોના ધામરૂપ અજિતનાથ ! હે વીતરાગદેવ ! મારી વાત સાંભળે ! આપ તે અનંત ગુણના તીર્થસ્થાન બનીને ખરેખરા અજિત બની ગયા છે. આપે ગુણસૃષ્ટિ પર વિજય મેળવ્યું છે. આપના અનંત ગુણનું ગાન કરવા તે આપ પિતે કે કઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. અનંત ગુણે તે શબ્દને વિષય પણ થયા નથી. આવા અનંત ગુણોની શી વાત કરું ? પણ આપ અઢાર દૂષણોથી રહિત હોઈ જે ગુણો નીપજાવ્યા છે, તેની નામનિદશના તે જરૂર કરું. આપ અઢાર દૂષણ રહિત હોઈ આપનામાં અનંત ગુણો પ્રકટ થયા છે. એ અઢાર દૂષણ નીચે પ્રમાણે છે : ૧. દાનાંતરાય. ૨. લાભાંતરાય. ૩. ભેગાંતરાય. ૪. ઉપભોગતરાય. પ. વીર્યાતરાય. ૬. હાસ્ય. ૭. રતિ. ૮. અરતિ. ૯. શેક. ૧૦. ભય. ૧૧. દુર્ગછા. ૧૩. અજ્ઞાન. ૧૪. મિથ્યાત્વ. ૧૫. નિદ્રા. ૧૬. અવ્રત. ૧૭. રાગ. ૧૮ દ્રષ. આ અઢાર મહાદૂષણ છે. એ અઢાર દૂષણ પર ખૂબ વિસ્તારથી વિચારણા ઓગણીશમાં શ્રીમવિલનાથ ભગવાનના સ્તવનમાં કરવાની છે. અત્રે વક્તવ્ય એક જ છે કે પ્રત્યેક દૂષણની ઉપર વિજય મેળવવાને પરિણામે શ્રી વીતરાગદેવે અનેકાનેક ગુણો મેળવ્યા છે, એ ગુણોના એ ધામ' બની ગયા છે. આપણે બનારસ કે શત્રુંજય જઈએ ત્યારે તેને ધામ” કહીએ છીએ. તીર્થસ્થાનને પવિત્ર ભૂમિ તરીકે ધામ” કહેવામાં આવે છે. સ્થાનમાં અને ધામમાં ઘણો મોટો તફાવત છે. ધામ એ તે પિતે જ પવિત્ર છે, એના ક્ષેત્રને મહિમા મેટો છે અને દ્રવ્ય ક્ષેત્રકાળભાવમાં એ ક્ષેત્રને અંગે ભવ્ય કક્ષા ભેગવે છે. એક એક દૂષણ ઉપરના વિજયથી અનેક ગુણ આવે છે. દાનતરાયના વિજયથી, દાખલા તરીકે, અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, કીર્તિદાન, ઉચિતદાનના ગુણ આવે છે, વિવેકબુદ્ધિ આવે છે, અંતરથી સહાનુભૂતિ ખીલે છે અને ત્યાગધર્મની શરૂઆત દાનાંતરાય પર વિજય મેળવવાથી થાય છે. આ સિવાય સ્વપરની વિવેચના અને આત્મસ્વરૂપ તરફ લક્ષ્ય આ દાનગુણથી આવે છે અથવા દાનાંતરાયના દૂષણ પર વિજય મેળવવાથી પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે રાગ કે દ્વેષ પર વિજય મેળવવાથી આખા સંસાર પર કાબૂ આવી જાય છે, વસ્તુને વસ્તુ સ્વરૂપે ૧. અઢાર દૂષણના વર્ણન માટે તે સ્તવન અને તે પરનું વિવેચન જુઓ. ૧૨. કામ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૬] શ્રી આનંદઘન-ચોવીશી જોવાની આવડત આવી જાય છે, અને આડાઅવળા રખડવાના ચેનચાળાને છેડે આવી જાય છે. રાગ અને દ્વેષ એટલે સંસાર, મારું-તારું, મેહ-મમત્વ અને અર્થ વગરની અવ્યવસ્થિત દેડાદોડ. આખા સંસાર પર કાબૂ અપાવનાર આ રાગદ્વેષ પર વિજય એક જ અનંત ગુણોને આણું આપે છે. એનાથી કષા પર વિજય આવી જાય છે, મન પર અંકુશ આવી જાય છે અને આવતા સંભવનાથ ભગવાનના સ્તવનમાં આવનાર મહાવિશાળ અભય, અદ્વેષ અને અખેદ વિશેષણની પ્રાપ્તિ થાય છે. આગમગ્રંથમાં અને પ્રકરણગ્રંથોમાં સ્તુતિરૂપે આપના ગુણોને અંગે અનેક વિશેષણો વપરાયાં છે. એ વિશેષણને સંગ્રહ કરું તે પણ પાર આવે તેમ નથી. નામ-સ્તવમાં આપના ગુણોને અંગે કહે છે કે વેસુ નિસ્ટાર), વારૂ મુ અહિ વ ાસથરા 1 સાવર સમીપ (ચંદ્રથી પણ વધારે નિર્મળ, સૂર્યથી પણ વધારે પ્રકાશ કરનારા, મેટા સમુદ્રથી પણ વધારે ગંભીર )–આ ત્રણ વિશેષણ પર વિચાર કરતાં આપની ગુણસમૃદ્ધિને મહિમા મન પર આવે છે. આવાં તે અનેક વિશેષણે આપને સમુચિત રીતે લાગુ પડે છે. આપ તે ગુણના ધામ રહ્યા અને મારે તે હજુ એને ઓળખવાના છે. આપના પંથને બારીક અભ્યાસ કરવા પ્રયત્ન કરી રહ્યો છું. આપને રાગદ્વેષ પર, હાસ્ય-રતિ અરતિ પર, ક્રોધ-માન-માયા-લેભ પરને વિજય કે આપને કામદેવ પર વિજય જ્યારે હું વિચારું છું ત્યારે પ્રથમ નજરે જ મને દેખાઈ આવે છે કે આપે જેને જીત્યા છે, તેનાથી જ હું તે જિતાઈ ગયે છું. આપ ખરેખરા વિજયી મહાપુરુષ છે. આપે તે એવા એવા આંતર શત્રુઓ પર વિજય મેળવ્યું છે કે આપની હું કેટલી પ્રશંસા કરું? જ્યારે આપને પંથે હું નિહાળું છું, ત્યારે મને થાય છે, પુરુષના નામને પણ કેમ એગ્ય ગણાઉં ? મારા અજિતનાથ દેવ! આપ આપની માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી વિજયા રાણી માતા (અજિતનાથ ભગવાનની માતા) આપના પિતા જિતશત્રુ સાથે ચોપાટ કે શતરંજ ખેલવામાં કદી હાર્યા નહિ, એટલે આપનું એમણે “અજિત” નામ આપ્યું. એ તે વહેવારું વાત થઈ, પણ આપે જીવન જીવી ગુણપ્રાપ્તિ એવી કરી કે જે ગુણેને હું જીતી શક્યો નથી તેના આપ તે ધામ બની ગયા. જ્યારે જ્યારે આપને વિચાર કરું છું, ત્યારે મને આપને માર્ગ ધારી ધારીને જોવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે, આપના ગુણને બહુલાવવાની વૃત્તિ થઈ આવે છે, અને તેની સાથે મારી જાત પર નજર કરું છું, ત્યારે મને શંકા પડી જાય છે કે મારું પુરુષ નામ મને છાજે છે? આપના પથદર્શનની જિજ્ઞાસાવાળા મારા આતમરામને થાય છે કે આ તે પુરુષ નામને ન છાજે તેવી તેની પિતાની (મારી) દશા બની રહી છે, તે માર્ગદર્શન તે કરીએ. રસ્તે જે હશે તે એ રસ્તે જવાનું કઈ વખત બનશે. એટલે આપના પંથનું અવલેકન કરવા હું નિર્ણય કરી રહ્યો છું. આ પ્રાથમિક અવલેકનામાં મને શું દેખાયું છે તે આપની પાસે નમ્ર ભાવે રજૂ કરું. Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ ર: શ્રી અજિતનાથ સ્તવન પાંચ સમવાયી કારણમાં “પુરુષાર્થ” પાંચમાં ભવ્ય સ્થાને આવે છે. કાળ, સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણોને સમુદાય એકઠો થાય ત્યારે કઈ પણ કાર્ય બને છે. જૈન તત્વમાં આ પાંચ કારણમાં પુરુષાર્થને પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે. જે પુરુષાર્થ અથવા ઉદ્યમને સ્થાન ન હોય તે કર્મો તે જોર પકડી પ્રાણુને સંસારમાં રખડાવ્યા જ કરે. અને, ખરી રીતે જોઈએ તે, સારા કે ખરાબ કર્મને બાંધનાર પણ પુરુષાર્થ (ઉદ્યમ) જ છે. વળી, આત્મા જ્યારે ઉદ્યમ કરે ત્યારે એ કર્મની ઉપર વિજય મેળવી લે છે અને પિતા માટે અજર-અમર.નિરંજન-નિરાકાર સ્થાન પ્રાપ્ત કરી શકે છે. એટલે પુરુષાર્થને વિકાસમાગમાં અતિમહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એ પુરુષાર્થને જે અમલ કરે તે પુરુષ” કહેવાય. વીતરાગ ભગવાનને ચેતનરાજ કહે છે કે આપે તે પુરુષાર્થ કરી કર્મો પર વિજય મેળવ્યું એટલે આપ તે સામ્રાજ્યશાળી નરપુંગવ થયા, પણ મને એમ થાય છે કે મારું “પુરુષ” નામ કેમ ઘટે? કઈ મને ચેતનરામ કહે, કે મને આત્મારામ કહે, કોઈ મને આનંદઘન કહે છે કે ઈ મને લડે વીર કહે, પણ હું એ (ઉપર જણાવેલા-પુરુષ) નામને યોગ્ય કેમ કહેવાઉં? એટલા માટે મેં વીતરાગ દેવનો આદર્શ સ્વીકાર્યો. આપને પ્રીતમ-પ્રિયતમ તરીકે સ્વીકાર્યા, તે આપને માર્ગ નિહાળી, આપને માગે આવી જવાની હવે મારી ફરજ બને છે. ચેતનરાજને અહીં શંકા પડી કે જેને ભગવાને જીત્યા તેનાથી જ પિતે જિતાઈ ગયે છે ભગવાનને જે પગ તળે છે, તે પિતાને માથે સરદારી કરી રહ્યા છે તે ભગવાનના જેવા થવાને રસ્તે ખરેખર તે એ જ છે કે વીતરાગ જે માગે ચાલ્યા તે પંથને નિહાળો અને વીતરાગના પંથને અનુસરવું એ રસ્તે પિતાને નિસ્તાર થશે અને એમ બનશે ત્યારે પિતાનું “પુરુષ નામ સાર્થક થશે એ વિચારે ચેતનજીએ અજિતનાથ ભગવાન–વીતરાગદેવના માર્ગનું વિલેકન કરવા નિર્ણય કર્યો. વિલેકન માત્ર જિજ્ઞાસા તૃપ્તિ માટે નથી, પણ એમાં પિતાના પુરુષાર્થને અવકાશ આપવાની તીવ્ર ઇચ્છા પણ જણાઈ આવે છે. ચેતન વીતરાગના આદર્શ માર્ગને નિહાળવાના કામમાં પડે છે, ત્યાં એને કે અનુભવ થાય છે અને છેવટે એ આશાવાદી ચેતનરાજ કેવા નિર્ણય પર આવે છે તે હવે વિચારીએ. (૧) ચરમ નયણુ કરી મારગ જેવા રે, ભૂલો સહેલ સંસાર; જીણ નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પંડાર પાઠાંતર–ચર – ચર્મ (છાપેલ પુસ્તકમાં જ). નયણ – નયણે. જેવતો – જોવતાં. ભૂલે – ભૂલ્યો (છાપેલમાં જ). એક પ્રતમાં ટેકનું પદ “વાટડી વિલેકું રે” દરેક ગાથાને છેડે મૂકે છે. (૨) શબ્દાર્થ–ચરમ = અંતિમ; ચમ, ચામડાની, રધૂળ. નયન કરી = નયણ વડે નયને, આંખે વડે (તૃતીયા). જોવતાં = જોતાં, દેખતાં. ભૂલે = આડે રસ્તે ચઢી ગયેલો, ખોટે મારગે ઊતરી ગયેલો, ( વિશેષણ). ભૂલે – ગફલતી ખાઈ ગયો ( ક્રિયાપદ). યેલ = આખે. સંસાર = જનતાને સમૂહ, લોકોનું સમુચ્ચય નામ. જીણ = જે. જોઈએ = જેવો જોઈએ. ત્યણ = આંખ. દિવ્ય = અદ્ભુત, અલૌકિક, વિશિષ્ટ. દિવ્ય નયન = જ્ઞાનદષ્ટિ (જાઓ ગાથા પાંચમી) વિચાર – જાગુ, ધાર, સમજ (અનિયમિત વર્તમાન બીજા પુરુષનું એક વચન), (૨) Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] શ્રી આન‘ઘન-ચાવીશી અ` મારી સ્થૂળ ( ચામડાની—ચાલુ ) નજરે તમારા માગતાં આખા સ'સાર ભૂલે પડી ગયા હાય એમ લાગે છે; અથવાં આખા સ`સાર ભૂલ ખાઈ ગયેા હાય એમ દેખાય છે. જે નજરે કરીને તમારો માર્ગ જોવા જોઇએ, તે તે દ્વિવ્ય નયન જોઇએ, એમ તું ધાર. ( ચાલુ નજરથી જોતાં સંસાર આડા ઊતરી ગયા એમ જણાય છે, પણ વધારે ઉચ્ચ નજરે જોર્ટ એ સ'ખ'ધી વિચાર કરવાની જરૂર જણાય છે. ) (૨) ટમે—ચરમ ચક્ષુએ કરી વીતરાગભાવ માગ જોઈએ છીએ, સકલ સ'સારી ભૂલે ભ્રમ રૂપ હોઇ સંસારમાગે છે, વીતરાગભાવપણું ન પામે, અને જેણે કરી વીતરાગમાગ જોઇએ, તે તેા નયન દ્વિવ્ય એટલે જ્ઞાનદૃષ્ટિ કરીએ, જ્ઞાનનેત્રે જોતાં વીતરાગમાગ પામીએ, જાણીએ. (ર) વિવેચન—પ્રભુના પંથને નિડાળવાના ચાર જુદા જુદા માર્ગી છે, ચાર પ્રકારના ઉપાયા છેઃ— (૧) ચમ નયણથી—સ્થૂળ નજરથી પથદર્શન કરવું. (૨) પુરુષપરપરાની નજરે થટ્ઠ'ન કરવું. (૩) આગમ-મૂળ સૂત્રો વાંચી-સાંભળી-સમજી પનિય કરવા. (૪) ત–ન્યાયની ચર્ચા કરી પથ-મા` પર નિણૅય પર આવવું. આ ચારે પ્રકારના પથ-દનના માર્ગોમાં મને શું સૂઝયુ' છે તે આપને હું કહી બતાવું. અને પછી મારું સ્થાન કયાં આવશે અને આ આશાવાદી ચેતન છેવટે કયાં જશે, તેની વાત પણ મારી નજરે મને બેઠી છે તે, આપની પાસે કહી બતાવું છું. આપ તે સાંભળી લેશે. (ચેતનરાજ પોતે ભગવાનને આ સ` હકીકત કહે છે તે આપણે ઉપર જોઇ ગયા છીએ.) આપણી સ્થૂળ આંખે સૉંસારને જોતાં જાણે આખા સ'સાર ભૂલેા પડી ગયા હાય એમ લાગે છે. યૂથભ્રષ્ટ થયેલ હરિણી કે રસ્તા ભૂલેલ માણસ જે ફાંફાં મારે છે, તે તે આપણે જોયેલાં છે; એ જ પ્રકારે સ'સારી જીવ કોઈ જાતના ઉદ્દેશ વગર પુદ્ગલમાં રાચે છે, નાટક કરે છે અને અહીંથી ત્યાં અને ત્યાંથી પણે—એમ અફળાયા કરે છે. એ બાળક હોય ત્યારે પરાધીન હોય છે, જુવાન થાય ત્યારે કામદેવ કે ધનદેવને આધીન હોય છે અને ઘરડો થાય ત્યારે તદ્દન પરાધીન થઈ જાય છે. એના હાલવા-ચાલવામાં, ખેલવા-બેસવામાં ધન એકઠું કરવામાં કે ભીખ માગવામાં કાંઈ વ્યવસ્થા લાગશે નહિ, ધન કમાવા ખાતર એ કાંઈક કાળાંધેાળાં કરે અને આખરે દોરાના ધાગા પણ અહી મૂકી જાય છે. એ જ પ્રમાણે એ આળસમાં પડ્યો રહે, તે તેમાં પણ કામધધા વગરનો, અને જાણે જીવનમાં કાંઇ સત્ત્વ જ ન હોય તેમ ભૂલેા પડી બેસી ગયેલા દેખાય છે. એ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, એ એક ખાડામાંથી ખીજામાં પડે, એ ચારે તરફે અથડાય–કુટાય, છતાં એ સ'સારને ચાટયે જતા જાય. એને સ્ત્રી લાત મારે અને એ સ્ત્રીને પગે પડતા જાય; એને શેઠ પાઈનેા કરી નાખે, તા પણ એ શેઠનાં વખાણ કર્યા કરે; અને એ કૂથલી કરવા બેસે તે જાણે આખી દુનિયાનું Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨ : શ્રી અજિતનાથ સ્તવન [૩૯ ડહાપણ એનામાં આવી ગયું છે એ એને દમામ દેખાય. એના મને વિકારે, એની સ્વાર્થધતા, એની મુત્સદીગીરી, એના કાવાદાવા અને ભાવા-અભાવ જોયાં હોય તે તુરત જણાઈ આવે છે કે એની શેઠાઈમાં સાર નથી, નમ્રતામાં કસ નથી, આદરમાં અંતરંગ નથી; અને માત્ર એક જ ચીજ દેખાય છે કે એ હેતુ વગર, લાંબી વિચારણા વગર, પાછળથી ધક્કો આવે તેમ, તેની ગાડી ચલાવે રાખે છે, અને ગાડી અટકે એટલે એ અહીંથી ચાલતી પકડી બીજે ઘેર જાય છે. પાંચ-પચીસ કે સો વર્ષ માટે આટઆટલી જમાવટ કરવી અને હાશ કરી ઠરી ઠામ થવાયન થવાય ત્યાં તે ચાલતી પકડવી અને છતાં એવા ટૂક વખતના રહેઠાણ પર મેહ કરવો, અને એવી નેકરી પર વારી જવું, એ તે ભૂલા પડેલા માણસનાં ફાંફાં જ છે. અને આવાં ફાંફાં મારે સંસાર આખે હેતુ વગર કુટયે જ જાય છે. અને આપને વીતરાગમાર્ગ ઉપલકિયા નજરે જોઈએ તે ત્યાં પણ જગત જાણે ભૂલું પડી ગયું હોય તેમ જ દેખાય છે. બાહ્ય નજરે આપના પંથમાં પણ શું દેખવામાં આવે ? એ તે જેનારની જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. ચર્મચક્ષુએ જોતાં આપ કેમ સ્નાન કરતા હતા, કેવી ગાડીમાં બેસતા હતા, પરણ્યા ત્યારે આપે કેવાં વસ્ત્ર પહેર્યા હતાં, આવી આવી વાત જ નજરે પડે. દીક્ષા કે કેવળજ્ઞાન થયા પછી આપ આહાર લેતા હતા કે નહિ, વસ્ત્ર રાખતા કે નગ્ન રહેતા–આવું આવું ચર્મચક્ષુથી દેખાય અને એ વિચારણા કે દર્શનમાં તે સંસાર ભૂલે પડી જાય. વસ્તુનું હાર્દ સમજવામાં ન આવે, એમાં ઊંડા ઊતરવાની આવડત ન હોય, તે ઉપલકિયા દર્શનમાં કંઈ વળે નહિ, અને આપ અજિતગુણના ધામ કેમ બન્યા તેને ખુલાસો બેસે નહિ. એટલે, મને એમ લાગે છે કે, આપના પંથનું અવલકન તે દિવ્ય નજરે જ કરવું ઘટે. આપને પંથે જાણવા માટે લાંબી નજરવાળી, રહસ્ય સમજનારી ચક્ષુઓ જોઈએ. નહિ તે બાહ્ય પ્રવર્તન પરથી કેટલીયે વાત ન સમજાય તેવી લાગે તેમ છે. આ સાધુધર્મ સમજવા માટે દેહ–આત્માને સંબંધ, સ્વપર ભાવ, કમને સંબંધ વગેરે અનેક વાત જાણવી જોઈએ. સ્યાદ્વાદની રચનામાં રહેલ ભેદ પામવો જોઈએ અને આખા ચકપરિભ્રમણની ગોઠવણ સમજવી જોઈએ; બાહ્યાત્મભાવ, અંતરાત્મસ્વરૂપ અને તમે પિતે પરમાત્મા થયા તેનો આખો માર્ગ સમજે જોઈએ અને તેને માટે આત્માના ભવાંતરેના ભેદે પકડવા જોઈએ. એને માટે મારાં સ્થળ ચક્ષુ પૂરતાં ન ગણાય; એને માટે અલૌકિક નજર અને ઊંડો અભ્યાસ જરૂરી થઈ પડે. આ સર્વ ભૂલા પડેલા સંસારી જીવના આંટાફેરા પાછળ કોઈ ધારણ છે કે અકસ્માત માત્ર જ છે, આવી અનેક હકીકત તે અલૌકિક નજરે સમજી શકાય એમ કરવામાં આવે તે ચેતનને આખા વિકાસમાર્ગ જોઈ શકાય. બાકી, ચર્મચક્ષુથી જોતાં તે, અત્યારના અનેક પંથે અને દર્શને જાણે ગોથાં ખાઈ રહ્યાં હોય એમ લાગે છે. આપને માર્ગ સમજવા માટે અને બીજાઓ કેવી રીતે માર્ગ ભૂલ્યા છે, એને સાચે નિર્ણય કરવા માટે માત્ર ચર્મચક્ષુ પૂરાં કારગત નીવડે એમ મને લાગતું નથી. તેટલા માટે ચેતન કહે છે કે, જે નજરે માર્ગ જેવો જોઈએ તે દિવ્ય નયન છે, એમ તું વિચાર. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૦] શ્રી આનંદઘન–વીશી માત્ર સ્થળ ચક્ષુથી જોતાં તે જોઈ જોઈને કેટલું જોવાને હતે? તારી લાંબામાં લાંબી સ્થળ નજર કેટલા માઈલ પહોંચે? તું શૂળ નજરે આગળપાછળ હિસાબ, કે નયભંગ, અંશસત્ય, પ્રમાણ સત્ય અને કુદરતના નિયમો કેમ જાણ? એટલે આપના પંથને નિડાળવા માટે ચર્મચક્ષુ માત્ર પૂરતાં હોય એમ મને લાગતું નથી. “ભૂલે – ભૂલ્ય” – આ શબ્દ અટપટો છે એ વિશેષણ હોય તે તેને અર્થ ઉપર કર્યો છે તે થાય એટલે કે આડે રસ્તે ચઢી ગયું હોય એમ લાગે છે. ક્રિયાપદ તરીકે તેને ગણવામાં આવે તે તેને અર્થ ભૂલમાં પડી ગયે, એમ થાય; “લેભાઈ ગ” અને “ખોઈ બેઠો” એ ભાવ પણ નીકળે છે. મતલબ, સંસાર પેટે રવાડે ચઢી હોય, અને હેતુ કે અર્થ વગરની પ્રવૃત્તિનો ભંગ થઈ પડ્યો હોય, એ ભાવ એમાંથી તારવી શકાય. સમજુ માણસ વગર પરિણામનું કે શૂન્ય પરિણામનું કામ ન કરે, એને બદલે સંસાર આખો જાણે આડમાગે ચઢી ગયે હેય, એમ લાગે છે. માર્ગ ભૂલેલા સંસારને સમજવા માટે તે કઈ દિવ્ય ચક્ષુની જરૂર પડે. આ વાત પાંચમી ગાથામાં વધારે સ્પષ્ટ થશે. પિતાની જાતને ભાન ભૂલેલી કહેવી એ આકરી વાત છે, પણ સંસારને માર્ગ અને પ્રભુને આખો પંથ જોતાં સમજુ ચેતનને એમ જરૂર થાય તેમ છે કે આ બધી દોડાદોડ શેની? વધારે બારીકીથી નિહાળતાં એને એમ લાગે છે કે સંસારને બરાબર સમજવા માટે ચર્મચક્ષુ પૂરતાં નથી; એને માટે આંતર ચક્ષુ જોઈએ. અને તેને અત્ર “દિવ્ય ચક્ષુ કહેવામાં આવ્યાં છે. દિવ્ય ચક્ષુ એટલે આંતર ભાન, અંદરનું ઊંડું જ્ઞાન. પુરુષપરંપરા અનુભવ જોવતાં રે, અંધે અંધ પીલાય; વસ્તુ વિચારે રે જે આગામે કરી, ચરણ ધરણ નહીં થાય. પંથડો૦ ૩ પાઠાંતર–વતાં રે – જયા રે. પીલાય – પલાય, પુલાય, પિલાય. ચરણ – તે ચરણ (૩) શબ્દાર્થ–પુરુષ પર પર = સંપ્રદાયથી ચાલ્યું આવતું, ઊતરી આવતું, વગર લખાયેલું, કર્ણાનુકણ ચાલ્યું આવતું જ્ઞાન. અનુભવે = માગદશન, રૌલી, પદ્ધતિ. જેવાતાં = જોતાં, દેખતાં. અંધ અંધ પીલાય = અંધની પાછળ અંધની જેમ કુટાઈ પડે; “પીલવું નું પ્રેરક અને કર્મણિરૂપ પીલાય થાય છે. પીલવાનો અર્થ હેરાન કરવું, કનડવું થાય છે. હિંદીમાં તેનો અર્થ મુકવું, ઢળી પડવું અથવા પ્રવૃત્ત થવું એમ થાય છે. વસ્તુ = દ્રવ્ય, કેઈ પણ ચીજ કે પ્રવૃત્તિનું મૂળ. વિચારે = (પ્રાણી) નિગાહમાં લે, એના મૂળ પર લક્ષ્ય આપે. આગને કરી = આગમ દષ્ટિએ, સિદ્ધાન્તને મુદ્દે ચરણ = પગ, ચર્યા. ધરણ = મૂકવાનું, ધારણ કરવાનું. ડાય = ઠામ, પત્તો, ઠેકાણું. (૩) ૧. “ચમ' ને બદલે “ચરમ” પાઠ ઘણી પ્રતમાં છે. “ચરમ ને અર્થ છેલ્લું', “અંતિમ ” એવો થાય. ચરમ ન્યણ એટલે છેવટની ચણ, આખરી આંખ, એવો અર્થ કરીએ તો વિશિષ્ટ – સંપૂર્ણ – જ્ઞાનીની આંખ, એવો ભાવ નીકળે. એટલે આવી ચરમ નજરે જોતાં સંસાર ભૂલે સંસાર પડી ગયેલું લાગે, એ અર્થ બરાબર છે; પણ એ અર્થ કરવા જતાં ચરમ અને દિવ્ય નયણ લગભગ એક જ હોઈ આ જ ગાથાના છેલ્લા પાદ સાથે એનો મેળ બેસે તેમ નથી, તેથી “ચરમ પાઠને મેં ચાલુ ભાષાનો “ચમ અપભ્રંશ આકાર જ સ્વીકાર્યો છે. આ બાબત મને જે સૂચિત અર્થ લાગ્યો તે અત્રે નોંધ્યો છે; પણ એ સૂચિત અર્થ આખા સ્તવનના સ્થૂળ રૂપને | વિચારતાં બંધબેસતો લાગતો નથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ [૪૧ ૨: શ્રી અજિતનાથ સ્તવન અર્થ–સંપ્રદાયથી ચાલ્યું આવતું અનુભવજ્ઞાન અથવા પરંપરાની નજરે દેખતાં તે આંધળાની હારની હાર એકની પાછળ એક ચાલી જતી હોય એમ લાગે છે. અને મૂળ સિદ્ધાન્તની નજરે વસ્તુતત્વને વિચાર કરવામાં આવે છે, ત્યાં તે જાણે પગ મૂકવાનું ઠામ-ઠેકાણું ન હોય એમ લાગે છે. (૩) - ટબે—એવા બીજા પુરુષપરંપરાએ જે અનુભવ જોઈએ તે ગાડરિયે પ્રવાહ થાય તે વારે તે “અધોધ પીલાય” એ ન્યાય થાય છે, તે મારે તે પ્રમાણે થાય. અને જે વસ્તુગત વિચાર જોતાં આગમસિદ્ધાંત કરી ચારિત્રમર્યાદા દુર્લભ લાગે, તે ચરણના ધરણહાર ચારિત્રમર્યાદાએ ધરતી પર પ્રગટતા નથી અથવા ચરણસ્થાનક તે સંયમસ્થાનક આગમે કરી દુર્લભતા લાગે છે. બીજા અજિતજિન. (૩) વિવેચન-આપને નિહાળવાને, આપને પંથ બરાબર જોવાને માટે સ્થળ ચક્ષુ પૂરતાં નથી, એમ જણાતાં માર્ગદર્શનના બીજા ઉપાય તરફ નજર કરવી રહી. એટલે તેને માટે ચાલી આવતી પરંપરા તરફ જોવાની સહજ વૃત્તિ થાય. જ્યાં આપણું નજર ન પહોંચે, ત્યાં બીજા અનુભવીઓ તેને અંગે શું કહે છે, તે જેવા–તપાસવાનું કે પૂછવાનું જરૂર મન થાય. માર્ગ દર્શન માટે તેટલા સારુ પુરુષપરંપરાને અનુભવ જે-તપાસી જવાની ઈચ્છા થાય તે માર્ગ પ્રાપ્તિ અંગે સ્વાભાવિક વલણ રહે છે. શાસ્ત્ર-સંપ્રદાયમાં કેટલીયે વાત લખાયેલી હતી નથી. તે પરંપરાથી ચાલી આવતી હોય છે. અનેક વાતે ગુરુ પોતાના જિજ્ઞાસુ શિષ્યને ભણાવતી વખતે કહી આપે અને શિષ્ય પોતાના શિષ્યને સમજાવી દે. આવું સંપ્રદાય-જ્ઞાન ઘણું મહત્ત્વનું ગણાય છે, કારણ કે જ્યાં શાસ્ત્રમાં વાત રસીધી લખેલી ન હોય, ત્યાં સાંપ્રદાયિક જ્ઞાન ઉપર જ આધાર રાખવાને રહે છે અને ઘણું પ્રેરક અને ખુલાસો આપનારી બાબતે ત્યાંથી મળતી રહે છે. એક-બે દાખલા આપવાથી આ વાત વધારે સ્પષ્ટ થશે. દા. ત. પ્રતિક્રમણ કરવા બેસતી વખતે નવકાર-પંચિંદિયસંવરણોથી સ્થાપના કરવી તેમાં જમણા હાથને લાંબે કરી સ્થાપના સન્મુખ અવળે રાખો અને પારતી વખતે સવળે રાખવો. આટલે વિધિ બતાવવામાં આવ્યો હોય, પણ અવળા-સવળાનું કારણ શાસ્ત્રમાં ન જણાવ્યું હોય, પણ ગુરુપરંપરાએ તે ઊતરી આવેલ હોય. ગર સમજાવે, શિષ્ય ધારી લે, એવી જ રીતે અનેક પ્રકારની મુદ્રાઓ, અનેક આસનેનાં કારણે તે સંપ્રદાયાંતર્ગત પરંપરા દ્વારા જ જણાય. વિધિવાદને અંગે અનેક બાબતે પરંપરાથી જણાય. આવા પરંપરા-જ્ઞાનને અંગે અનુભવને માર્ગ નિહાળતાં એમાં મતાગ્રડ અને અંધ. પરંપરા ખૂબ ચાલી દેખાય છે. આપણે આજ સુધીને જૈન ઇતિહાસ તપાસીએ છીએ ત્યારે એમાં ગચ્છના ભેદો અને પેટભેદ અને એને અંગેના હઠાગ્રહ અને પક્ષના ભેદો અને કોઈ કઈ સંગેમાં અંદરઅંદરનાં વૈમનસ્ય જોતાં એ રસ્તે પરિપૂર્ણ માર્ગદર્શન થાય કે કેમ તેને આ જિજ્ઞાસુને પ્રશ્ન થાય છે. સાંવત્સરિક પ્રતિક્રમણ એથે કરવું કે પાંચમે કરવું, પ્રતિક્રમણ કે દેવવંદનમાં ત્રણ સ્તુતિ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] શ્રી આન‘ઘન-ચાવીશી ,, ( થાય ) ખેલવી કે ચાર ખેાલવી, સામાયક કરતી વખતે કરેમિ ભંતેના પાઠ એક વાર ખેલવેા કે ત્રણ વાર ખેલા, મૂર્તિપૂજા કરવી જોઇએ કે નહીં— —આવા નાના-મોટા મતભેદો પાર વગરના થયા છે. એમાંના બહુ જાણીતા ઝઘડા કે મતભેદોના ઉપરછલ્લા ઉલ્લેખ “નવયુગના જૈન નામના મારા પુસ્તકમાં થયા છે. એ ઝઘડાનાં મૂળાના આખા ઇતિહાસ જોતાં શ્રી સુયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુત સ્કંધના પ્રથમ અધ્યયનના બીજા ઉદ્દેશકની ૧૯મી ગાથા યાદ કરવાનું મન થઈ જાય છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે— अंधो अंध पहं नितो दूरमद्वाण गच्छति । आवज्जे उप्पहं जंतू अदुवा पंथाणुगामिए ॥ અધ માણસ આંધળાને દોરીને લઇ જાય તે વિવક્ષિત માથી જુદા જ માગે લઈ જાય છે અર્થાત્ અંધ જન્તુ ઉત્પથમાં જઇ પડે છે. અથવા તે અન્ય માર્ગને અનુસરે છે. દોરવણી આપનાર અને દોરવણી લેનાર બન્ને અંધ હોય ત્યાં ધારેલ સ્થાનકે પહોંચવાના સવાલ જ રહેતો નથી. એમાં તે આખું લશ્કર કૂવામાં પડી જવાના પણ ભય રહે. આવી ખાખત અનેક પ્રસંગે બની છે. સ્યાદ્વાદના પ્રરૂપ, ભાષાસમિતિને ખૂબ મહત્ત્વ આપનાર જ્યારે સંપ્રદાય કે ગચ્છના ઝઘડામાં પડી જાય છે, ત્યારે વિવેક, સભ્યતા કે અનેકાંતવાદિતા સ ભૂલી જાય છે. એને પેાતાના અભિપ્રાયના એવે આગ્રહ થઇ જાય છે કે એને પોતાની માન્યતાવાળી વાત જ સાચી લાગે છે અને તે સિવાય અન્ય કે અન્યત્ર સત્ય હોઇ શકે, એવે! ખ્યાલ પણ એસી શકતા નથી. ધમની ખાખત આવે ત્યાં અપેક્ષાવાદને સમજનાર પણ અપેક્ષાષ્ટિ ગુમાવી બેસે છે; ત્યાં મતાગ્રહ એવા ચીકટ જામી જાય છે કે એ એકાંતવાદી બની જાય છે. પુરાણા કાળના મતભેદો જુએ કે વમાન કાળના ઝઘડાઓ તપાસો, એમાં અંધપર’પરા અને એકાંત ઉપદેશ જ દેખાશે. આવા નાના-મોટા મતભેદોમાં એના આગેવાના પરપરાને જ આગળ કરે છે. એમાં વિવેક કે વિચારણા કરતાં પેાતાની વાત ખરી કરવાની વૃત્તિ જ વધારે આગળ પડતા ભાગ લે છે. ગચ્છના અને પરપરાના મતભેદોને અંગે આપણા ઇતિહાસ અત્યંત દુઃખ ઉપજાવે તેવે છે. અને એનું પૃથક્કરણ કરતાં ત્યાંથી નિર્ભેળ સત્ય કે સ્યાદ્વાદ-સત્ય મળે તેને માટે ઘણી ચિંતા થાય તેવું છે. આવી પરિસ્થિતિમાં અધપર'પરા ચાલે છે અને પરસ્પર કુટાઈને અથડાયા કરે છે. એટલે પથ નિડ્ડાળવાને અંગે પર`પરા-સંપ્રદાયના આશ્રયમાં શી પરિસ્થિતિ તેને ખ્યાલ આવશે. એટલે જેમ સ્થૂળ નજરથી પ્રભુપ'થને નિહાળવાના ઉપાય કારગત લાગ્યા નહિ, તેમ પરંપરાગત સ ́પ્રદાયમાં પણ અંધની હાર ચાલી જતી હેાય તેમ જોવામાં આવે છે. આ રીતે પથડો નિહાળવામાં આ પર'પરાગત સ`પ્રદાયના આશ્રય પણ ખેંચતાણુ અને એકાંતપ્રિયતાનું પોષણ કરનાર હાઇ પૂરતું કામ આપે તેવા જિજ્ઞાસુની દૃષ્ટિએ લાગતા નથી, એમ કહેવાના આશય જણાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨: શ્રી અજિતનાથ સ્તવન [૪૩ અહીં જણાવવાની જરૂર છે કે ખુદ આનંદઘન મહારાજને પરંપરા અનુભવને માટે ખૂબ માન છે. એ સમયપુરુષનાં છ અંગ બરાબર સ્વીકારે છે. એકવીશમા (નમિનાથના) સ્તવનની આઠમી ગાથામાં એ સમયપુરુષનાં અંગ બતાવતાં નીચેની છયે બાબતેને પૂરતું સ્થાન આપે છે : મૂળસૂત્રના અર્થ કરવામાં-(૧) ચૂણિ એટલે તષ્યિદકૃત છૂટક પદની વ્યાખ્યા, (૨) ભાષ્ય એટલે સૂત્રમાં કહેલે અર્થ, (૩) સૂત્ર એટલે ગણધરરચિત મૂળસૂત્ર, (૪) નિર્યુક્તિ એટલે નિષ્ણાત કરેલ પ્રાકૃત ટીકા અને (૫) વૃત્તિ એટલે પૂર્વાચાર્ય કૃત સંસ્કૃત ટીકા. સમયપુરુષનાં આ પાંચ અંગે ઉપરાંત એની સાથે જ છઠ્ઠા અંગ તરીકે પરંપરા અનુભવને એટલું જ મહત્ત્વનું સ્થાન તેઓશ્રી આપે છે. એટલે એ પરંપરાગત સંપ્રદાયજ્ઞાનને ફેકી દેતા નથી, એટલું જ નહિ, પણ એવા અંગને જે છેદે–કાપી નાખે તેને દુર્ભવી કહે છે, સંસારમાં ખૂબ રખડનાર ગણે છે અને ચૌદમાં (અનંતનાથના) સ્તવનમાં નિરપેક્ષ અને સાપેક્ષ વચનને અગત્ય કેટલી આપવી તેની તલના કરે છે (જુઓ સદર સ્તવનની ગાથા ૪ થી). છતાં ભગવાનને પંથડે નિડાળવાની બાબત આવે છે ત્યારે આ અંધપરંપરાને શું સ્થાન આપવા ગ્ય તેમને લાગ્યું છે, તે ખાસ વિચારવા ગ્ય છે. અને “અંધ અંધ પિલાય” એને સ્પષ્ટ અર્થ સમજવા માટે આંધળાની હાર ચાલી જતી કલ્પવી. તેઓને અંદરઅંદર આલાપ સાંભળો. તેઓ પિતાના વગર દીઠેલ હકીકતના નિર્ણયને વળગી રહેવાની બાબતમાં કેવા ચીકણા હોય છે તે જોવું, એટલે “અંધે અંધ પિલાય” એ વાતની કલ્પના બરાબર બેસી જશે. એટલે પંથ નિહાળવાની જિજ્ઞાસાવૃત્તિ થાય ત્યારે શાંત ચિંતવન, નિર્ભેળ સત્ય શોધવાની વૃત્તિ, અમુક ક્રિયાને અંગે દેશ-કાળ-ભાવને મળેલું સ્થાન વગેરે મહત્વની બાબતે વિચારવાને બદલે પરંપરાને વળગી રહેવાની જ બાબતને આગળ કરવામાં આવે તે અંધપરંપરાની સ્થિતિ નીપજે છે એ વાત અત્ર બતાવી. કોઈ સ્થાને પલાય” એવો પાઠ જોવામાં આવે છે, તેનો અર્થ “ડયો જાય” એવો થાય છે. એટલે અંધની પાછળ અંધ દોડે એ ભાવ પ્રાપ્ત થાય છે. તે પાઠને અને “પીલાય” પાઠને કાંઈ વાંધો આવતો નથી. જિજ્ઞાસુ જ્યારે વીતરાગમાર્ગને નિહાળે છે, ત્યારે એને માત્ર પરંપરાને અનુસરવામાં રહેલા જોખમને ખ્યાલ નજર સન્મુખ થાય છે. એ પરંપરાના અનુભવને માનની અને સ્વીકારની નજરે જુએ છે, છતાં પંથડાની અવેલેકનામાં વર્તમાન અને ભૂતકાળના સમાજની કેવી સ્થિતિ થઈ ગઈ છે, માત્ર પરંપરાને આધાર રાખી પંથને નિહાળવામાં કઈ જગ્યાએ ભયસ્થાન છે, તેની તાત્વિક નજરે મીમાંસા કરે છે અને સમય પુરુષના અંગ તરીકે પરંપરાના અને સંપ્રદાયના જ્ઞાનની અગત્ય સ્વીકારવા છતાં માર્ગદર્શનના ઉપાય તરીકે તેનું કારગતપણું કઈ કક્ષામાં આવે છે તેને અત્ર નિર્દેશ કર્યો છે. એક વાત ખ્યાલમાં રાખવા જેવી છે : આનંદઘનજી પરંપરાને બરાબર સ્વીકાર કરે છે, Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] શ્રી આનંદઘનચાવીશી પણ તેના ઉપર જ મક્કમપણે આધાર રાખનારા અને એમાં કારણ, ઉપયુક્તતા અને અસરકારકતાને અંગે દેશ-કાળનાં સૂત્રને વિસારી મૂકનારાએ કેવી અધપરપરા ચલાવી છે તે તરફ ધ્યાન ખેચ્યું છે. આ સંબંધી ખૂબ વિચારણા કરવાની અને તુલનાત્મક દૃષ્ટિ વિકસાવવાની જરૂર છે. આ ષ્ટિ સમજાય નહિ તેા આનંદઘનજીને નિશ્ચયવાદી સમજવાની ભૂલ અનેકે કરી છે તે સ્ખલનામાં તુરત પડી જવાય તેમ છે. એ વાત તથ્ય નથી. નિશ્ચય-વ્યવહારના સમન્વય કરવાની સ્યાદ્વાદમામાં ખાસ આવશ્યકતા છે અને તે ચાવી યાગી આનધનને બરાબર પ્રાપ્ત થઈ હતી તે વાત અત્ર વિચારકને જરૂર પ્રાપ્ત થાય છે અને તે સમજવા જેવી છે. જેને એમ કરતાં આવડયું નથી, તેમણે આનંદઘનજીને ઘણીવાર સમજ્યા વગર અન્યાય કર્યો છે તે વાત પર યથાસ્થાને વિચારણા થશે. અહી તે પથદર્શનને અંગે મા અવલેાકનામાં પુરુષ-પરંપરાનું શું સ્થાન છે તેને નિર્દેશ કર્યાં છે. માત્ર આવી રીતે, માત્ર સ્થૂળ નજરે જોતાં, આખા સ`સાર ભૂલા પડી ગયેલે જણાયે અને નિહાળવામાં અધપર પરા ચાલતી દેખાણી એટલે જિજ્ઞાસુ ચૈતનરાજે મૂળ આગમગ્રંથો દ્વારા માર્ગ નિહાળવાના માર્ગ શેાધ્યા. શ્રી વીર પરમાત્માને સપૂર્ણ જ્ઞાન (કૈવલ્ય ) પ્રાપ્ત થયા પછી તેઓ ગણધરોની સ્થાપના કરે છે. ગણધરો તેમના મુખ્ય શિષ્ય થાય છે અને ભગવાન તેમને ત્રિપટ્ટી આપે છે તેના પર વિચાર કરીને તેએ જે દ્વાદશાંગીની રચના કરે તેને આગમ ’ગ્રંથા કહેવામાં આવે છે. આ આગમગ્રંથો મૂળ સૂત્રેા છે, અને તે જૈન ધર્માંનાં ‘બાઇબલ’ છે. એમાં ચાર પ્રકારના અનુયાગો ભરેલા હોય છે એને એમાં મૂળમાના વિસ્તારથી પણ મુદ્દામ આદર્શ રજૂ થયેલ હાય છે. ભગવાનના મૂળ મા શા છે તેના સંબંધમાં વિચારણા ચાલે ત્યારે આગમગ્રંથોના આધાર છેવટના ગણાય છે. એ જૈન સિદ્ધાંત( આગમ )ના ગ્રંથમાં તત્ત્વજ્ઞાન, ચારિત્રક્રિયા, ગણિત, વનવિકાસના પ્રકાર, સમ્યક્ત્વનું સ્વરૂપ, ગુણુસ્થાનક્રમારોહ, ત્રણ કરણ, ભેદાભેદ, જીવના પ્રકાર, સપ્તમ`ગી, સાત નય, નિગેાદ, નવ તત્ત્વ વગેરે અનેકાનેક વાતા, સવાલ-જવાબ, કથાઓ અને વિધિએ બતાવેલ હોય છે. જૈનધર્મના મૂળ સિદ્ધાંત, સાધનધર્મોની વિગતો અને વર્તનના નિયમોના આકર જેવા આ આગમા આપણેા આધાર છે અને માર્ગ નિહાળવા માટે એની ઉપર નજર જાય તે તદ્દન સ્વાભાવિક છે. આગમામાં તત્ત્વજ્ઞાન અને ચરણકરણની વિગતો ભેળસેળ કરી આપવામાં આવેલ હાય છે એટલે એમાં સયમ, ત્યાગ અને અહિંસાની ખાખોને વણી નાખવામાં આવેલી હોય છે. ચેતનને એળખવા માટે ચેતનના વિકાસ કઈ રીતે થાય છે, એને વિકાસ કરવામાં કેવી કેવી મુશ્કેલીઓ નડે છે, એને આગળ વધતાં કેવી કેવી લાલચેા આવે છે અને એ સસારમાં કયાં અને કેવી રીતે અટવાઈ જાય છે, એની વિગતા પણ આગમામાં બતાવવામાં આવેલ હાય છે. એની સાથે આગમમાં ત્યાગમાને બહુ વિસ્તારથી બતાવવામાં આવેલ હોય છે. એના સાધુધર્મોની વિગતામાં ઊતરતાં કે એના પિંડના ૪૨ દોષો વિચારતાં, એના અહિંસાના સ્વરૂપને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨: શ્રી અજિતનાથ સ્તવન [પ ખ્યાલ કરતાં કે એના પરિષહ અને ઉપસર્ગોને બરાબર લક્ષ્યમાં લેતાં, એનાં તપ, ત્યાગ અને મહાવ્રતની ભાવનાએ વિચારતાં કે એના ત્યાગ વખતે થતી વિચારણાને લક્ષ્યમાં લેતાં એ માર્ગ ઘણે આકરે લાગે છે. જે માગે પ્રભુ ગયા, જે મહાન ત્યાગ પ્રભુએ કર્યો, જે ભેગો વીતરાગ દેવે આપ્યા, જે સ્વપરનું વિવેચન જિનદેવે કર્યું, જે સંસારને ભગવાને તિલાંજલિ આપી, જે ખાવાપીવાની કે ભેગવવાની વસ્તુ પર કાબૂ મેળવ્યું, ત્યાં તે આપણને પગ મૂકવાનું પણ સ્થાન રહેતું નથી, ત્યાં નિહાળવાની વાત તે બાજુ પર રહી, પણ અંદર પગ ટકાવવાનું કે મૂકવાનું ઠેકાણું પણ મળતું નથી. ચરણધરણના બે અર્થ સૂઝે છે : ચરણ એટલે પગ અથવા ચરણ એટલે ચારિત્રમાં ચર્યા. માત્ર આગમદષ્ટિએ વસ્તુને વિચાર કરવામાં આવે તે ચરણસિત્તરી-કરણસિત્તરી ધારણ કરવાનું મહાઆકરું લાગે છે, એને માટે કામ મળતું નથી અથવા આગમદષ્ટિએ વસ્તુ વિચારણા કરવામાં આવે તે પગ મૂકવાનું કામ પણ મળતું નથી. વીતરાગદેવે વસ્તુના વસ્તુગત ભાવે બતાવ્યા છે, એમાં ઇન્દ્રિય પર અને કષાય-વિકાર પર સંયમ રાખવાની જે વિગતે બતાવી છે, એમણે જે પરિષહ-ઉપસર્ગો સહન કર્યા છે, એમણે જે કર દેષ રહિત આહાર લેવાનો પિંડવ્યવહાર બતાવ્યું છે અને એમણે જે શરીર પર મહમમતાને ત્યાગ બતાવી મન પર સંયમ રાખવાની અનેક બાબતે ભારે ઝીણવટથી પણ ચેખવટ પૂર્વક બતાવી છે, ત્યાં તે માર્ગ નિહાળવાનું એટલે એને સમજીને અનુસરવા કે તેમણે બતાવેલ માગે વર્તવાની વાત તે શી કરવી, પણ ત્યાં તે પગ મૂકવાની વાતનાં પણ ઠેકાણું પડે તેવું નથી. અહીં માગે નિહાળવામાં અને અવેલેકન કરવાની બાબતને તફાવત બરાબર ધ્યાન પર આવે છે. માર્ગનું અવલોકન કરી જવું હોય તે તે આગમના ગ્રંથની અવલોકન થાય એટલે વાત પતી જાય, એના અભ્યાસથી માર્ગ કે છે તે સમજાય અને વસ્તુવિચારણા થઈ જાય, પણ એ વંધ્ય અવકનાને “પંથડના નિહાળવામાં સ્થાન નથી. ફળ વગરની અવેલેકના નિરર્થક છે, ત્યાગભાવ વગરનું જ્ઞાન નિષ્ફળ છે, અમલ વગરની કથા-વાર્તા કે ચર્ચા નકામી છે. “પથડાને નિષ્ફળ એટલે માર્ગને જોઈ-જાણી-વિચારી તેને અનુસરો. અને એ રીતે જોતાં પ્રભુ વીતરાગદેવે જેને જીત્યા તેનાથી પિતે જિવાઈ ગયે એ વાતની અને પ્રતીતિ થાય છે. એટલા માટે જ્ઞાનવિમળસૂરિ ચરણને અર્થ ચર્યા બતાવી ચારિત્રની દુર્લભતા લાગે એટલે ચરણના ધરણહાર ધરતી પર પ્રગટતા નથી અથવા ચરણસ્થાનક એટલે સંયમસ્થાનકની આગમદષ્ટિએ દુર્લભતા લાગે છે એ અર્થ સૂચવે છે, તે પણ ખાસ વિચારવાયેગ્ય છે. ત્યાં “ધરણ” એટલે ધરણી–પૃથ્વી એ અર્થ કર્યો છે એટલે ચરણ-ચારિત્ર-સંયમને ધરણી પર નથી એ ભાવ બતાવ્યા છે તે વીતરા ગમાર્ગની દુર્લભતા સૂચવે છે. આ સૂચિત અર્થે વિચારતાં ચારિત્રની મુશ્કેલી સૂચવાય છે. પણ અશક્યતા બતાવાતી નથી, એ ધ્યાન પર રાખવા ગ્ય છે. બાકી માર્ગ નિહાળવાની બાબત, Page #62 -------------------------------------------------------------------------- ________________ [૪૬ શ્રી આનંદઘન-ચાવીશી એ બચ્ચાના ખેલ નથી એ વાત પર ધ્યાન ખેંચવા સાથે એની અશક્યતા ખૂંચે તે બારીક અવકન થાય, એ વાત પણ ધ્યાનમાં રાખવા લાયક છે. આ રીતે આ ત્રીજી ગાથામાં માર્ગદર્શનના બે અગત્યના ઉપા–પુરુષપરંપરાના અનુભવનું દર્શન અને આગમશાસ્ત્રોમાં બતાવેલ વસ્તુ વિચારણ—એની મુશ્કેલી કે વિરલતા બતાવી અને એ રીતે વીતરાગદેવના પંથને ઊંડા ઊતરી વ્યવહારુ આકારે નિહાળવામાં કેવી કેવી અડચણે નડે છે તેને બહાર આણી. પણ હજુ પણ આ પ્રાણી અવલોકનને છોડી દેતું નથી. એને ચીવટ ઘણું છે, એને અંદરથી તમન્ના લાગી ગઈ છે અને એ અવલોકના દ્વારા નિહાળવાની વાતની પાછળ પડ્યો છે. હજુ પણ તે નિહાળવાના કામમાં આગળ વધે છે. આમાં અમુક રીતે ક્રિયા થાય તે જ ભગવાનને પંથ સાંપડે, એથી ઊલટી રીતે કે ફેરફાર કરનાર ધર્મવિધી કહેવાય અને ક્રિયામાગમાં એકાંત આગ્રહીને ધર્મ વિકાસમાં કયું સ્થાન આપે તે સ્વતઃ વિચારી લેવું. કિયાની સમાનતા ઉપયોગી છે, પણ અપેક્ષાદૃષ્ટિએ સમજણપૂર્વક ફેરફાર કરવામાં આવે તે, ધર્મબુદ્ધિ નાશ ન થતી હોવાને કારણે, આરાધક ભાવ રહે છે એ વાત સમજી જવાય તે ગચ્છ કે મતના જે ઝઘડા ઠામઠામ દેખાય છે, તે અર્થ વગરના થઈ જાય છે અથવા એની અંદરનું અણુઈચ્છવા ગ્ય ઝેરી તત્વ ખલાસ થઈ જાય, એ વાત ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. ચરણસ્થાનકને જરા પણ ઢીલું પાડ્યા વગર ગચ્છના ભેદોની અપેક્ષા સમજવામાં આવે તે ઇરિહાવહિયા બે વાર બોલનાર અને એક વાર બેલનાર અપેક્ષાએ આરાધક હોઈ શકે, પાંચમ કે એથને દિવસે સાંવત્સરિક પ્રતિકમણ કરનાર અતિહાસિક દષ્ટિએ સાચા હોઈ શકે. આવી અપેક્ષા સમજવામાં આવે તે વસ્તુવિચારણને અંગે અને સાપેક્ષ નજરે બને સાચા હોઈ શકે અને છતાં જૈન સંયમ-થાન કે ચારિત્રવહુનને વાંધો ન આવે, એટલું સમજાય તે પિતપોતાની સમજણ પ્રમાણે કિયા કરવા છતાં ધર્માનુસારીપણું ચાલુ રહી શકે છે, એ વાત ગળે ઊતરી જાય. આ દૃષ્ટિએ આખી વીતરાગમાર્ગની વાટડીને અવલોકવાની ખાસ જરૂર છે. એ માર્ગને નિહાળવાના બીજા એક વધારે ઉપાયની વિચારણા કરીએ. (૩) તર્કવિચારે ૨ વાદ પરંપરા રે, પાર ન પહુંચે કેય; અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જેય. પંથડો૪ અથ–તર્કની રીતે-ન્યાયની ઝડીમાં ઊતરીએ છીએ તે તેમાં તે વાદવિવાદની ચર્ચામાં તણાઈ જવાય છે અને તે રીતે તે કઈ છેડ–કાંઠો મેળવી શકતું નથી. અને આપણને લાભ પાઠાંતર–પહુંચે--પહોંચે, પિકચે. અભિમત - અભિમતે. વસ્તુગતે – વસ્તુગતિ. જગ – જગિ (૪). શબ્દાર્થ –તકે વિચારે = ન્યાયમાગે, વાદવિવાદ–ચર્ચાની નજરે, અથવા તક એટલે કલ્પના, મનઘડંત વિચારણ વાદ = ભાંજગડ, શાસ્ત્રાર્થ, થીયરી Theory. પરંપરા = શ્રેણી, હાર. પાર = છેડો, કાંઠે. ન પહોંચે ન જઈ શકે. કેય = કોઈ પણ અભિમત = ઈચ્છિત, ઈન્ટ, મેળવવા યોગ્ય, પરિણામે લાભકારક. વસ્તુ = ચીજ, સાર, તત્ત્વ. વસ્તુગતે = જેવી હોય તેવી, બરાબર, યુક્ત. કહે = જણાવે, બતાવે, સમજાવે. વિરલા = ભાગ્યે જ મળી આવતા, થોડા. જગ = જગતમાં, દુનિયામાં. જોય = જોવામાં આવે છે, જોઈએ છીએ.(૪). Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨ : શ્રી અજિતનાથ સ્તવન [ ૪૭ કરનાર ઇચ્છિત વસ્તુને, એના લાભકારક અને પરિપૂર્ણ અંશે ખરાખર કહે તેવા માણસો તે આ દુનિયામાં ભાગ્યે જ સાંપડે છે, કવચિત જ મળી આવે છે. ટમે—અને તક વિચાર કરતા વાદપરપરાવચન વિતંડા થાય છે, કુયુક્તિના પાર કોઈ પામતા નથી. અભિમત જે આગમષ્ટિ વસ્તુગત મધ્યસ્થભાવે હઠ વિના જે કહે તેવા પુરુષ સ'સારમાં ઘેાડા દીસે છે. ખીજા શ્રી અજિતનાથ. (૪) 6 વિવેચન—ત-ન્યાયને માગે પથ નિહાળવાના ઉપાય વિચારતાં આખું જૈન તત્ત્વજ્ઞાન તને અનુકુળ, એના આખા નયવિભાગ, સમભ’ગી, મેાક્ષમાર્ગનું વાહીપણું વગેરે અનેક ખાખ તની સાથે, તની કસોટીમાં ખરાખર મેળ ખાય તેવી છે. અને ‘સ્યાદ્વાદરત્નાકર ’‘ અનેકાંતજયપતાકા ’ અને સન્મતિતક આદિ ગ્રંથે। અને તત્ત્વાથ પરની મહાન ટીકાએ તથા ' ખ’ડનખાદ્ય' જેવા તર્કના આકર ગ્રંથાના વિચાર કરતાં અથવા ‘ સ્યાદ્વાદમંજરી ’ આદિ અનેક ગ્રંથવૈભવના ખ્યાલ કરતાં ન્યાય કે તના એ જબરજસ્ત કિલ્લા છક કરી નાખે તેવા છે. પણ ન્યાય અને તર્કના તિ શ્વેત્...TM ( એમ ધારતા હો તો.......નહિ.) એ રીતે શંકા–જિજ્ઞાસા અને ચર્ચાને એમાં એટલું બધું સ્થાન છે કે એને પાર જ આવે નહિ. એક આત્માની સિદ્ધિમાં આયુષ્ય પૂરું થઈ જાય એટલા ગ્રંથા હોય કે એક પરભવ હેાય કે નહિ એની વિચારણા અને ચર્ચામાં અરધા ભવ પૂરો થઈ જાય તેટલી રાત-દિવસ ચર્ચા ચાલે ત્યાં પારકાં પમાય ? અને ચર્ચા કે પ્રશ્નપર’પરા, શંકાસમાધાન કે વાવવાદનું તા એવું છે કે એની ઝપટમાં પ્રાણી આવે તે પછી એક વાતમાંથી બીજી અને ખીજીમાંથી ત્રીજી—એમ ચાલ્યા જ કરે છે. ઘણીવાર તર્ક પર પરાની રમઝટમાં કયાંથી વાત શરૂ કરી હતી અને કઈ વસ્તુથી સિદ્ધિ માટે દલીલબાજી આદરી હતી, તેનું પણ ધ્યાન રહેતું નથી અને વાદવિવાદનું રૂપ લઇ અનેકવાર અંગત આકાર પકડી લે છે. અને કેટલીક વાર ચર્ચા શરૂ કર્યા પછી કઈ બાબતની ચર્ચા ચાલી હતી તે વીસરાઈ જતા આડે રસ્તે ઊતરી જવાય છે. અને કેટલીક વખત કયા ગ્રંથાને કે કયાં વચનાને આધારભૂત-પ્રમાણભૂત ગણવાં તેની આડચર્ચામાં મૂળ વાત વીસરાઈ જાય છે. તની વાત જેટલી તત્ત્વને લાગે છે, તેટલી જ ક્રિયામાને પણ લાગુ પડે છે. આત્મા છે કે નહિ વગેરે તત્ત્વની બાબતમા તક મેટાં રણાંગણા રચે છે તેટલી જ ગંભીરતાથી ક્રિયામા ના અઘડામા તર્કના ભારે દુરુપયોગ થાય છે અને સામસામા આક્ષેપના મારચા મ`ડાય છે. અને કેટલીક વાર તા છાવણીએ બધાઇ જાય છે. તેા ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી કહે છે તેમ— वादांच प्रतिवादांश्च वदन्तो निश्चितान् तथा । तत्त्वान्त नैव गच्छन्ति तीवपीलकवद् गतौ ॥ (વાદવિવાદ અને પ્રતિવાદ કરતાં ઘાંચીની ઘાણીની ગતિ થાય છે, તેમાં તત્ત્વના પાર પમાતા નથી.) અને ઘાણીની માફક ગાળ ગતિ (arguments in a circle ) બહુ ભયંકર ચીજ છે; પણ વાવિવાદ કરનારને ખૂબ સુલભ છે. તેઓની પેાતાની વાત સાચી કરવાની પદ્ધતિ જરા ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી હોય તે એમાં તેા કઢી છેડો આવે કે કોઈ ચર્ચા " Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૮] શ્રી આનંદઘન વીશી કરનાર પિતાને પક્ષ છેડે એમ થતું દેખાતું નથી. એવી ચર્ચા-વાર્તામાં પણ જ્યાં હેત્વાભાસોની ઝડી ચાલતી હોય, જ્યાં પ્રમાણગ્રંથની એક્તા ન હય, જ્યાં એક પક્ષકાર આસ્તિક હોય અને સામે બિનજવાબદાર તકરારી હોય, ત્યાં તે ન્યાયની પદ્ધતિસરની ચર્ચાને સ્થાને આખે ઉઠાવ અંગત બની જાય છે અને પછી તે સત્યશોધને બદલે વિદ્વત્તાનું પ્રદર્શન બની જાય છે. એટલે તર્ક કે ન્યાયની ચર્ચા દ્વારા પંથે નિહાળવાની આશા રાખવાને બદલે ગૂંચવણમાં વધારે અને નિર્ણયમાં ગેટાળ થવાનો સંભવ વધારે રહે તેમ છે. અડી તર્કશાસ્ત્રો પર આક્ષેપ નથી, પણ તેનો ઉપયોગ કરવામાં વિદ્વાન ગણાતા માણસે જે પદ્ધતિ સ્વીકારે છે, તે માગે વસ્તુગત તત્ત્વને નિહાળવાનું બની શકે કે નહિ તે પર ગાનિષ્ણાત સ્તવનકારને અભિપ્રાય છે, અને તેને અનુભવ કરે હોય તે બે-ચાર નૈયાયિકને નિત્યત્વ કે અનિત્યત્વ કે એવા કેઈ વિષય પર ચર્ચા કરતા સાંભળવા અથવા ન્યાય કે તર્કના કેઈ પણ ગ્રંથનું અવગાહન કરી જવું. એટલે જૈન તત્વજ્ઞાનની તર્કશીલતા છે એમ આપણે શરૂઆતમાં સ્વીકાર્યું, છતાં એ તર્કશાસ્ત્રને જે રીતે ઉપયોગ થતે જોવામાં આવે છે, તે રીતે પાર પાર પામવાની વાત તદ્દન જુદો જ આકાર ધારણ કરે છે. એટલે વાડાભેદ, ખેંચતાણ, દુરાગ્રહ અને સત્યશોધનવૃત્તિને સ્થાને પિતાના અભિપ્રાયને સાચે કરવાની મનુષ્યસુલભ અવૃત્તિની પિષણને પરિણામે સત્યશોધન કે માર્ગનું નિડાલન તક દ્વારા થાય તે પણ વર્તમાન પરિસ્થિતિ જોતાં ઉપાય તરીકે કારગત થાય તેમ લાગતું નથી. આ વાત સત્તરમી સદીમાં હતી તે જ પ્રમાણે વશમી સદીમાં પગ ઉપાય તરીકે નિરર્થક માલમ પડે તેમ જણાય છે. અત્યારે વસ્તુને સમજવાની શક્તિ વધારે વિસ્તૃત પ્રમાણમાં પ્રાપ્ય છે, સાધનોની સુલભ્યતા છે, ચર્ચાનાં શાસ્ત્રોને વિસ્તાર વધે છે, પણ વસ્તુગત સત્યના શોધનની વૃત્તિને સ્થાને મતાગ્ર ઘણું વધ્યું છે. એમાં વળી બેવડી અગવડ પણ ઊભી થઈ છે. અત્યારે લેકેને પંથ નિહાળવાની કે અંતિમ સત્ય શોધવાની પડી પણ નથી; આત્મા, પરભવ, પુણ્ય પાપ કર્મ વગેરે ચર્ચા નવરા માણસનું કામ છે અથવા કાર્ય વહેંચણીને અંગે ત્યાગી વર્ગની જવાબદારી છે, એવી ધારણાને પરિણામે વસ્તુધર્મવિચારણા તરફ કાં તે બેદરકારી વધતી જાય છે, અથવા એની ઉપેક્ષા રહે છે. અતિવ્યવસાયમાં પડેલ પ્રાણીઓના વ્યવસાયે પાછળ કયાં જીવનત કામ કરી રહ્યાં છે અને જીવનવિકાસમાં આંતર વિકાને કર્યું સ્થાન છે, અને આકાંક્ષા, મેડ, રતિ, અરતિ, કષાયનું અંતિમ પૃથક્કરણ કરતાં શું હાથમાં આવે છે, તે વિચારવાનું પણ બંધ થઈ જાય છે, એટલે વધેલ તર્કશક્તિને ઉપગ કાં તે ઉપેક્ષા તરફ ઘસડી જાય છે અથવા ઘણી ઉપટિયા ચર્ચા સત્યશોધનની આખી વાતને જ મારી નાખે છે. આ રીતે વીતરાગને માર્ગ નિહાળવાના ચારે ઉપાયને વિચાર કર્યો. સ્થળ આંખથી સંસારને નિહાળતાં આખો સંસાર ભૂલ પડી ગયેલ હોય અને આડે રવાડે ચઢી ગયા હોય એમ લાગે છે પુરુષપરંપરામાં અંધની પાછળ અંધની હાર આંખો બંધ રાખીને ચાલતી જણાય છે. માત્ર આગમદષ્ટિએ વસ્તુવિચારણા કરવામાં આવે તે પગ મૂકવાનું ઠેકાણું કે ચારિત્ર ધારણ કરવાનું Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨ : શ્રી અજિતનાથ સ્તવન [ ૪૯ ઠામ મળતું નથી અને તર્કવિચારણમાં તો છેડો દેખાતા નથી, નિશ્ચય થઈ શકે તેવુ' અવલેકન પ્રાપ્ત થતું નથી. એટલે આપણે જે વસ્તુ પામવા માટે પ્રયત્ન આદર્યો છે, તેવી વસ્તુને વસ્તુગત ધર્માંના અસલ સ્વરૂપે કહે એવાં પ્રાણી તે દુનિયામાં વિરલ જ દેખાય છે. પથને નિહાળવા માટે પ્રયત્ન કરતાં શુદ્ધ વસ્તુને વસ્તુધર્માંના પૂરતા ખ્યાલ કરી આપણે સમજી શકીએ તેવી શુદ્ધ સ્પષ્ટ સરલ ભાષામાં કહેનાર કે સમજાવનારની ભારે અલ્પતા છે અને ઉપર જે ચારે ઉપાયે પથ સમજવા માટે વિગતથી વિચાર્યો તે દૃષ્ટિએ જોઈએ તે તે એવા પુરુષાના મેળાપ અશકય ન હોય તે વિરલ તે જરૂર છે. વસ્તુને વસ્તુગતે કહેવી, પેાતાના રાગદ્વેષથી મુક્ત રહીને કહેવી, અ'ગત તત્ત્વને તેમાં પ્રવેશ સરખા પણુ થવા દેવા નહિ, એ બહુ મુશ્કેલ ખાખત છે; જ્યાં નજર કરવામાં આવશે ત્યાં વ્યક્તિગત અહુ ભાવ, સત્ય પાતાને જ પ્રાપ્ત થયું છે એવેા દાવેા, ખીજી આંખ ઉઘાડવાની વાતનેા પણ ઇનકાર અને સત્યદર્શનને બદલે અખંડ મારચા અને ગૂ'ચવણમાં વધારા જ પ્રાપ્ત થાય તેવી પરિસ્થિતિ છે, અને ખરાખર અવલેાકન કરવમાં આવે તે એ એક અથવા ખીજા આકારમાં પ્રવર્તીમાન પ"ચમ કાળમાં, પૂર્વ કાળમાં અને વર્તીમાન કાળે ચાલુ જ છે. વસ્તુગત વસ્તુનું દર્શીન એટલે વસ્તુના અસલ ધમ હોય તેવે સ્વરૂપે તેનું રજૂ કરવું. તેમાં રાગદ્વેષ વગર કે પેાતાના અંગત અભિપ્રાય કે પૂર્વગ્રાહને અવકાશ આપ્યા વગર જેવું બતાવવામાં આવ્યું છે તેવા સ્વરૂપમાં રજૂ કરવું એ હકીકત હઠભાવ વગર મધ્યસ્થભાવે અભિમત વસ્તુના કહેનાર ઘણા વિરલ છે, છતાં જ્યારે પણ એવા અધિકારી પાસે પથ નિહાળવા માટે જવાનું થાય, ત્યારે તેમના દાવા તે આગમષ્ટિને રહેવાના, એટલે એમને કદી હઠ કે આગ્રહમાં પોતે પણ પડી ગયા છે એ વાત તે બેસવાની જ નહિ. 6 શ્રીમદ્ યશે।વિજયજી મહારાજે સત્તરમા પાપસ્થાનકની સઝાયમાં શુદ્ધ ભાષકની બલિહારી બતાવી છે અને · અધ્યાત્મસાર ’ ગ્રંથમાં દંભ પર આખું પ્રકરણ લખ્યું છે, તેના આશય વિચારતાં શુદ્ધ ભાષકની વિરલતા બરાબર સમજાઈ જાય છે; એવા અધિકારપદે બેઠેલાને તેા આ વાત રુચે નહિ તેવી છે, પણ ઉપાધ્યાય મહારાજ જેવાની સાક્ષી ન હેાય તે યાગીરાજ જેવાને તે એએ નિશ્ચયમાગી કહેવા લલચાઈ જાય. સવાલ-જવાબ વખતે, કાં વ્યાખ્યાન પ્રસંગે પેાતાના મતાગ્રહને કેવી રીતે ખેંચવામાં આવે છે, તેનું ખરાખર અવલેાકન કરવામાં આવે, તે શુદ્ધ ભાષકની વિરલતા સાલે તેમ છે અને એ હકીકતને આનદઘન મહારાજે મહાર પાડવામાં ધર્મની અને આત્મસાક્ષાત્કારની સેવા જ કરી છે. વસ્તુગત ધર્મોને ધ્યાનમાં રાખી વસ્તુના ભાવે કહેવા, તેની વિરલતા ક્રિયામાને અંગે દેખાય છે, તે તે સમજી શકાય તેવી વાત છે. ત્યાં સત્યશોધનવૃત્તિને બદલે સ્વીકારેલ વાત સાચી છે અને પછી સાચી હોવી જ જોઇએ, એ ધેારણે જ વસ્તુગત પદાર્થોનું દન કરાવાય છે. એમાં ત્રણ સ્તુતિ માનનાર એને ફાવે તેવાં સૂત્રોને આગળ કરે; ચાર સ્તુતિવાળા એનાં ७ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૦] શ્રી આનંદઘન–ચોવીશી સૂત્રને આગળ કરે, બન્ને આંખ મીંચીને આંધળુકિયા કરે, સામા પક્ષની દલીલમાં કાંઈક તે વિચારવા જેવું હશે, એટલું માન પણ સામાની દલીલશક્તિને ન આપે અને કાળે અકાળે આક્ષેપ કરવા મંડી જાય. પણ ખરી મજાની વાત તે શાસ્ત્રનાં દાખલા કે દૃષ્ટાંતેને લાગુ પાડવામાં એ કેવી આત્મવંચના કરે છે તે વખતે બને છે. જ્યાં દાખલા પિતાને અનુકૂળ ન હોય ત્યાં એ ચોથા આરાના દાખલા કહી એને ઉવેખી મૂકશે; જ્યાં પિતાને ઘાટ ન બેસે તે દાખલે આવે ત્યાં એને અપવાદની ટિમાં મૂકશે અને એવી રીતે આખી વિચારદર્શન કે ચર્ચાની બાબતના પાયામાં સુરંગ ભરશે. ક્રિયામાર્ગની ચર્ચામાં તે આવું ખૂબ થયું છે, પણ તત્ત્વચર્ચામાં પણ પિતાને એકાંત પક્ષ સ્થાપવાની, સાબિત કરવાની અને તેને ચીવટથી વળગી રહેવાની વાતને મોટા તૈયાયિકે છોડી શકતા નથી. આ રીતે તત્વચર્ચા કે વિજ્ઞાનનિદર્શનમાં, ચારિત્રગુણોના પ્રકાશનમાં કે કિયામાર્ગની સ્પષ્ટતામાં અભિમત વસ્તુને વસ્તુસ્વરૂપે કહેનાર વિરલ છે એ વાતને અત્ર ખેદ બતાવ્યું. વસ્તુગત એટલે વસ્તુ જેવી હોય તેવી બરાબર કહેવી છે. એમાં જરા પણ અતિશયોક્તિ ન કરવી, ખેંચતાણ ન કરવી, જેવી જાણ હોય તેવી તેને બરાબર સ્વરૂપે કહેવી, તે વસ્તુને વસ્તુગતે કહેવી એમ ભાવ બેસે છે. આગ્રહ, ખેંચતાણ વગર કિયા કે તત્ત્વજ્ઞાનની હકીકતને કહેનારાની વિરલતા કેટલી છે એને અભ્યાસ કરવો હોય તે ગચ્છના ભેદો અથવા તૈયાયિકેતાર્કિકની દલીલબાજી જેવી. એમાં પિતાના મતનું ઝનૂન અને વાતાવરણમાં જે ગરમી દેખાય છે, તે જોતાં ત્યાંથી વસ્તુગત વસ્તુવિચારની પ્રાપ્તિ વિરલ છે એ વાતની પ્રતીતિ થાય તેમ છે. (૪) વસ્તુવિચારે રે દિવ્ય નયનતણે રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ ગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો૫. અથ–વસ્તુતત્ત્વની વિચારણાને અંગે દિવ્યનયન–પ્રત્યક્ષજ્ઞાનને વિરહ એક્કસ પડ્યો છે. એટલે ઓછાં-વત્તાં સાધનને કારણે અત્યારે બોધ થાય છે તે પણ ઓછા-વધતા સંસ્કારની ગંધવાળે થાય છે અને હાલ તે) તે જ આધાર છે, તેને ટેકે છે. (૫) આગમની દષ્ટિ જેઉ તે વસ્તુ વિચાર, તે દિવ્ય નયને કરી વસ્તુને વિચાર કરે તે દિવ્ય નયન. તેવાને તે વિરહ પડ્યો, અતિશય જ્ઞાનીને વિરહ નિરધાર. તે વાટે શું માગ નહિ છે એમ પણ નહિ. તરતમયેગે યથાગે તરતમવાસનાઓ જેવા આપણા ક્ષપશમ એ ગુરુપારત, એ શાસ્ત્ર વાસિત બેધ, તેને આધાર, વચનને આધાર છે. જ્ઞાન શબ્દ જ્ઞાન-તવાતત્વની પ્રાપ્તિ. બેધ તે જ્ઞાન, જાણવા સ્વરૂપ વચનાતું. બીજા શ્રી અજિત. પાઠાંતર–દિવ્ય-દૈવ. જેગે-યોગે. આધાર-આચાર. | શબ્દાર્થ–વસ્તુ =સાર, તત્ત્વ. વિચારે = વિચારણાને અંગે. દિવ્ય = જ્ઞાન, ધૂળથી પર, વિશિષ્ટ દિવ્ય નયન = જ્ઞાનનેત્ર, પ્રત્યક્ષજ્ઞાન. વિરહ = અંતર, વિયોગ, જુદા પડવું તે. પડ્યો = થઈ ગયો. નિરધાર = ચોક્કસ તરતમ = ઓવતું. ગે = પ્રાપ્તિએ. તરતમ = વધારે ઓછી, મળી આવતી. વાસના = સંસ્કાર, જ્ઞાનહેતુ. અભિલાષા, શ્રદ્ધા. વાસિત = ગંધિત, એની ગંધવાળો. બધ = સમજણ, જ્ઞાન. આધાર = ટેકે, આલંબન. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨: શ્રી અજિતનાથ સ્તવન [પ૧ વિવેચન–આવી રીતે અજિતનાથ ભગવાનના પંથનું અવલોકન કરતાં તે ખરેખર એમ લાગી જાય છે કે આ કાળમાં દિવ્ય ચક્ષુની ખરેખર ખામી પડી ગઈ છે. આ દિવ્ય નયણની ગેરહાજરી સાલે તેવી છે, કારણ કે વસ્તુવિચારણામાં જ્યાં મતભેદ પડે ત્યાં સાચી વિચારણા કઈ હશે તેને પાકે અને ચોક્કસ નિર્ણય કરવા માટે જે વિશિષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન જોઈએ અથવા તેને બતાવનારને શોધીએ તે આ કાળમાં તે પ્રાપ્ત થઈ શક્તા નથી. જ્ઞાન બે પ્રકારનું છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. આત્માને સીધેસીધું જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એમાં આંખ, કાન કે બીજી કઈ પણ ઈન્દ્રિયની દરમિયાનગીરી હોતી નથી. આત્મા પિતે જ જે વાત દેખે તેને જૈન પરિભાષામાં પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. ડાકો : પ્રતિ પ્રત્યક્ષમ્ ! અહીં “અક્ષમ્ ”ને અર્થ આત્મા થાય છે. આપણે વ્યવહારમાં જેને પ્રત્યક્ષ જ્ઞાન કહીએ છીએ, તેને જૈન પરિભાષામાં “પરોક્ષ” જ્ઞાન કહેવામાં આવે છે, જે કઈ જ્ઞાન થવામાં વચ્ચે ઇંદ્રિય આવે, ઇન્દ્રિય ન હોય તે જ્ઞાન ન થાય, તે પરોક્ષ જ્ઞાન સમજવું. આંખ જાય કે બંધ કરવામાં આવે તે તે વગર જ્ઞાન ન થાય. તે પ્રમાણે બાકીની ચાર ઇદ્રિ–સ્પર્શ રસ, પ્રાણ કે શ્રોત્ર-માટે સમજવું. પક્ષ જ્ઞાન અને ઉપર ચરમ નયણ” (ગાથા બીજી)ની હકીકત આવી તે એક જ વાત છે. ત્યાં ચરમ નયણથી જોતાં સંસાર કેવું લાગે છે તે બતાવ્યું હતું. દિવ્ય નયન પ્રાપ્ત થાય, આત્મપ્રત્યક્ષ જ્ઞાન થાય, ત્યારે વસ્તુગતે વસ્તુનું રહસ્ય સમજાય, એટલે અત્યારે દિવ્ય નયન આપણને પિતાને નથી અથવા દિવ્ય નયણવાળા અન્યની પ્રાપ્તિ આ કાળમાં આ ક્ષેત્રમાં અશક્ય છે, એટલે એને વિરહ વસ્તુવિચારણામાં જરૂર લાગી આવે તેમ છે. બાકી, જ્યાં શંકા પડે કે મતભેદ પડે ત્યાં જે દિવ્ય જ્ઞાન હોય અથવા દિવ્ય જ્ઞાનવાળા નજીકમાં હોય, તે તેની પાસેથી વસ્તુગત પદાર્થની ચોખવટ કરી શકાય. આત્મપ્રત્યક્ષ જ્ઞાનમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને સમાવેશ થાય છે, જ્યારે અત્યારે આપણને થતાં પક્ષ જ્ઞાનમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને સમાવેશ થાય છે. આ જ્ઞાનને વિષય ઘણે વિસ્તૃત છે. પ્રત્યક્ષ-પરોક્ષ જ્ઞાનને સમજવાની અને તેને તફાવત સમજવાની જરૂર છે. (જુઓ, જૈન દૃષ્ટિએ કર્મ” નામને મારે ઉલ્લેખ) અહીં કહેવાની વાત એ છે કે વસ્તુગતે વસ્તુની વિચારણા કરવામાં આવે છે, ત્યારે દિવ્ય નયણનો-પ્રત્યક્ષ જ્ઞાન-વિરહ પડે છે. અત્યારે તેની આપણને પ્રાપ્તિ નથી એ વાત બરાબર યાદ આવે છે. એટલે હવે આ કાળમાં કેવા પ્રકારના જ્ઞાનને આધાર લેવો એ જ વિચારવાનું રહ્યું. દિવ્ય નયનને વિરહ છે; એટલે પંથે નિહાળવાની વાત જ મૂકી દેવી કે જેવા પ્રકારને નિહાળવાને માર્ગ સાંપડે તેથી ચલાવી લેવું, એની વચ્ચેની પસંદગીને પ્રશ્ન પ્રાપ્ત થાય છે. ધર્મપ્રાપ્તિને માટે યોગ થવો એ પણ મડાવિકાસનો હેતુ છે. ગાવંચકપણે પણ મહાલાભનું નિમિત્ત છે. પ્રાણીની સ્થિતિ પાકવા આવી હોય ત્યારે ગાવંચકપણું પ્રાપ્ત થાય Page #68 -------------------------------------------------------------------------- ________________ પર ] શ્રી આનંદઘન ચોવીશી છે. યોગ એટલે ગ–મેળાપ. એ શબ્દ મેળાપ અથવા સહુચારના ખાસ અર્થમાં વપરાય છે. મિત્રને વેગ-ગ થાય, ધનને જેગ થાય, એ યોગને એક અર્થ છે. એ રીતે જ્ઞાન, જ્ઞાનને બતાવનાર, જ્ઞાનપ્રાપ્તિ માટે પુસ્તક આદિ સાધન, જ્ઞાન ગ્રડણ કરવાની શક્તિ, સંગ્રાહક–પૃથકરણસમીકરણ શક્તિએ સર્વને ગ થાય તેને ગાવંચકપણું કહેવામાં આવે છે. પ્રાણી સંસાર તરફ, પરભાવ તરફ એટલે આસક્ત હોય છે કે એને ગાવંચકપણું પ્રાપ્ત થવું જ દુર્લભ છે. એ ધન, માલ, સ્ત્રી, પુત્ર કે સ્થાનના મેહમાં ધર્મ તરફ કે આત્મા તરફ નજર પણ કરતું નથી. છતાં કઈ વખત એને “નદી ગોળ પાષાણ” ન્યાયે યેગ થઈ જાય છે. આ યોગ થાય, ધર્મ પ્રાપ્તિના કે વિશિષ્ટ જ્ઞાનના પ્રસંગે આવે, ત્યારે તેને લાભ લે તે પ્રમાણે એનું અજ્ઞાન ઓછું થાય છે, અને વસ્તુસ્વરૂપને પ્રકાશ તેના પર પડે છે. એ જ્ઞાન પ્રમાણે એની વાસના જાગે છે. ધર્મજિજ્ઞાસા, ધર્મ રુચિ અને ધર્મભાવના યોગાવંચકપણાને પરિણામે એને થતી જાય છે. આ વાસના એટલે અભિલાષા અથવા શ્રદ્ધાને સંસ્કાર સાથે ખાસ સંબંધ છે. યોગ થાય તે સંસ્કાર જાગે, જાગ્યા પછી જામે અને જાણ્યા પછી સ્થિર થાય. આવા પ્રકારને વાસિત બોધ હોય તેને જ આ કાળમાં આધાર છે. પ્રાણીને જે ગ થાય તેવી–તેના પ્રમાણમાં વાસના થાય અને એવી વાસનાથી સુગંધિત થયેલે બોધ થાય. હવે યોગાવંચકપણામાં તે વધઘટ ઘણું હોય છે, કોઈ પ્રાણીને વધારે સારા યેગે મળી જાય, એના ગુરુ ખૂબ પ્રૌઢ અને અનુભવી હાય, એને સ્થાન-સંગ-સહચાર-સોબત બોધને અનુકૂળ હોય, બીજાને ગુરુ સારા હોય પણ પિતાની ગ્રહણશક્તિ-યાદશક્તિ કમ હોય, એટલે આ ગાવંચકપણામાં તરતમતા ઘણી રહે છે. આ રીતે મેગની વધઘટને પરિણામે વાસનાની તરતમતા જરૂર થાય. આપણે ચારે તરફ નજર કરીએ તે જણાય છે કે પ્રાણીના બેધમાં વધઘટ ઘણી હોય છે. કેઈને ક્ષોપશમ એવો જબ હોય છે કે એની પાસે ગમે તેવી નવી વાત મૂકવામાં આવે તે એના જામી ગયેલા બોધ અને વિશાળ વાચન અને અનુભવને પરિણામે એ બરાબર પાકા નિર્ણય પર નવા સંગોમાં પણ આવી શકે છે. આપણે હીરપ્રક્ષ, સેનપ્રશ્ન વગેરે ગ્રંથે જોઈએ છીએ ત્યારે એમ જણાય છે કે તેઓ તદ્દન નવીન સંયોગોના પ્રશ્નના જવાબે ખૂબ બુદ્ધિપૂર્વક આપે છે. બોધની તરતમતાના આ ઉત્કૃષ્ટ દાખલા છે. અને જૈન શાસ્ત્રકાર તે અનેક સ્થાનકે કહે છે કે શ્રુતજ્ઞાની જ્યારે બરાબર ઉપગ મૂકે અને તેને બંધ બરાબર જામેલ અને પૂરતું વિશાળ હોય, તે તેઓ ગમે તેવા સૂક્ષ્મ ભાવને કેવળી ભગવાનની સમાન કહી શકે. પ્રાણીને તરતમ યોગ થાય તે પ્રમાણે એને સંસ્કાર થાય છે અને એવા સંસ્કારીને જે બોધ થાય તે આ કાળમાં તે આધાર ભૂત છે. એટલે અત્યારે તે એ સમય વતે છે કે જેમાં દિવ્ય જ્ઞાનને વિરહ પડે છે, જેમાં માર્ગદર્શનના ચારે પ્રકારે પૂરતા કારગત નીવડવાની મુશ્કેલી દેખાય છે. આવા વખતમાં તરતમ વેગથી વાસિત થયેલ બેધને આધાર લેવે જ રહ્યો. દિવ્ય નયણ નથી તેથી બોધ ન જ થાય એમ ધારવાનું નથી. પણ ગૂંચવણ આવી પડે ત્યારે, દિવ્ય નયણની Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨: શ્રી અજિતનાથ સ્તવન [૫૩ ગેરહાજરીમાં, ઉત્કૃષ્ટ બધથી વાસિત થયેલા વિશિષ્ટ જ્ઞાની પાસેથી બેધ લે, એમાં જરા પણ વાંધો નથી. જે એમ કરવામાં ન આવે અને માત્ર દિવ્ય જ્ઞાની મળશે તે જ બોધને સ્વીકાર કરવામાં આવશે એવો આગ્રહ રાખવામાં આવે તે ભારે અગવડ થાય; ડી વધારે પ્રગતિ પણ અટકી જાય અને આત્મા ભારે થઈ સંસારચકમાં રખડી પડે અને અટવાઈ જાય. માટે મળી શકતાં સાધનને લાભ લેવો અને જે પ્રાપ્ય બેધ છે તેનું અવલંબન કરી તેનાથી બનતી પ્રગતિ સાધવી; માત્ર તેની મર્યાદા ક્યાં છે અને શા માટે છે, તેને ખ્યાલ કરી રાખો. આ ખ્યાલને પરિણામે બોધને તજી દેવાથી દુબુદ્ધિ ન થાય, પણ પ્રાપ્ય સાધનને બનતે આધાર લેવાય અને તેની સાથે સાધનની મર્યાદા ધ્યાનમાં રહે, એ વાત સમજણમાં રાખવા યોગ્ય છે. (૫) કાળલબધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રેજિનજી! જાણીયો રે, “આનંદઘન” મત અંબ. પંથડો. ૬ અનુસાર વખત આવશે ત્યારે આપને માર્ગ આગળ ઉપર જશું, પ્રાપ્ત કરશે. એવી આશાને ટેકે હે ભગવાન! આ પ્રાણ (હું) અત્યારે તે આનંદઘનના શુદ્ધ આત્મદશારૂપ આંબાના ફળની આશાએ જીવે છે, ટકી રહે છે, કાળ નિગમન કરે છે. અથવા હે આનંદસ્વરૂપ આંબા ! આ પ્રાણું એના ફળની પ્રાપ્તિ ભવિષ્યમાં થઈ જશે, એ આશાએ હાલ તે ટકી રહેલ છે. (૯) ટ —કાળલબ્ધિ પામી જે શુદ્ધ પંથ-માર્ગ નિહાળશે, જોશે એ જ આશાને અવલંબન છે. તેટલા માટે હે જિન! એમ કરી જાણજો કે એ જન–પ્રાણી મારી સરખે એમ જ કરી જવે છે. તે આનંદઘન મત, જે સ્યાદ્વાદ મત, એ જ આંબે ફળે છે અથવા અંબર-આકાશ અનંત છે. બીજા એટલે બીજા તીર્થકર શ્રી અજિતનાથની વિનતી એ કહી. (૬) વિવેચન—પણ આ પ્રાણી (નિહાળનાર ચેતનરાજ) તે વિકાસગામી . પ્રગતિસાધક માગે ગમન કરનાર (Optimist) છે અને માર્ગદર્શનના ઉપાયની પૂરી કારગતતાને અભાવે એ વાતને છોડી દે તેવું નથી. એટલે એને આશાવાદ આખરે ઝળકી ઊઠે છે. એને પંથ જરૂર નિહાળો છે, એટલે એને વીતરાગમાર્ગનું અવલોકન કરી એનું અનુસરણ જરૂર કરવું છે. એને મને વિકારોએ એટલે રાગદ્વેષ આદિ અનેક શત્રુઓએ જીતી લીધું છે, એના માર્ગ નિહાલનના ઉપાયે પૂરતા નથી એ વાત એના ધ્યાનમાં છે, તરતમ યોગના આધારે થયેલ બોધના પાઠાંતર–નિહાળશે રે.- નિહાલસઈ રે, નિહાળશે રે, નિહાળીએ રે. અવલંબ – અવિલંબ જાણી રે - જાણજો રે, નહિ જાણીઓ છે. ત્રીજું ચરણ – એ જન જીવે રે જિન નહિ જણિયા રે (૬). શબ્દાર્થ –કાળ = સમય, તક લબ્ધિ = પ્રાપ્તિ, લાભ લઈ = મેળવી. પંથ = માગ. નિહાળશું = જશે, દેખશે, મેળવશું. આશા = આસ્થા, આકીન, વિશ્વાસ. અવલંબ = ટેકે, આધાર. એ જન = હું પોતે. જીવે = ચલાવ્યા કરે છે, સમ પસાર કરે છે. જિન = પ્રભુજી, નાથજી. આનંદધન = આમાનંદ. મત = દર્શન, અભિપ્રાય. અંબ = આંબો, આમ્ર વૃક્ષ, સદા ફળનું ઝાડ, અવલંબન. (૬) Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪] શ્રી આનંદઘન-ચોવીશી આધારે એણે માર્ગદર્શન કરવાનું હાથ ધર્યું છે, પણ એને પૂરેપૂરી આશા છે કે વખત જતાં, યોગ્ય અવસર આવશે ત્યારે, વીતરાગમાર્ગને બરાબર નિહાળશું. અહીં, આગળ જણાવ્યું છે તેમ, નિડાળવાને અર્થ અવેલેકવાને કે ઉપરઉપરથી જેઈ જવાને નથી, પણ સ્પષ્ટતાથી તેને અનુસરવાને છે. તતમ બેધને પરિણામે આ વીતરાગમાર્ગ અનુસરવા ગ્ય છે એમ તે એને બરાબર જણાયું છે, પણ શારીરિક-માનસિક નિર્બળતાને કારણે અને તદ્યોગ્ય નિર્ણયશક્તિને અભાવે એ પંથને નિહાળવાનું કામ હાલમાં પૂરેપૂરું કરી શકે તેમ નથી. પણ એથી એ નાસીપાસ થતું નથી. એને મનમાં પૂરેપૂરી આશા છે કે વખત થશે, સ્થિતિ પાકશે, ત્યારે એનું માર્ગ નિહાલનનું કામ બરાબર થઈ જશે. કાળલબ્ધિને બરાબર ઓળખવાને પ્રયત્ન કરીએ. પાંચ સમવાયી કારણમાં કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને ઉદ્યોગ–એમ પાંચને જૈન વિકાસમાર્ગમાં ઉપયુક્ત સ્થાન છે. પાંચે કારણને વેગ મળે ત્યારે એક કાર્ય થાય છે. કઈ પણ વસ્તુ થવામાં એ થવાનો સમય પાક જોઈએ. આ અમુક સમયે જ પાકે, ગર્ભ નવ માસે જ પાકે, ઉનાળામાં ગરમી પડે, શિયાળામાં ઠંડી પડે, દૂધનું દહીં ત્રણ પોર પછી જ થાય વગેરેમાં કાળને સમવાયી કારમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે જ્યારે કાળને લાભ (લબ્ધિ) પાકશે ત્યારે પંથનું નિહાલન મારાથી બની આવશે એ આશાના ટેકાએ હાલ તે હું જીવું છું. આ આશા કાંઈ જેવી તેવી ચીજ નથી અને એ નિરાશાવાદીનું વચન નથી. તરતમ બોધથી એ સમજી ગયા છે કે માર્ગદર્શનની મુશ્કેલી છે, છતાં જ્યારે એને સ્થિતિકાળ પાકશે ત્યારે એનું પંથ નિહાલનનું કામ જરૂર પૂરું થશે, આખરે આનંદઘનના મત રૂપ અંબે જરૂર ફળવંતે થશે, અને ગ્ય સમયે આપે જે ગુણો પર વિજય મેળવી આપ તેના ધામ બન્યા છો, અને જેનાથી હું જિતાઈ ગયે છું, તેના ઉપર વિજય મેળવીને હું પણ માગે ચઢી જઈશ. પ્રથમ “કાળલબ્ધિ” શબ્દને સમજીએ. પાઈયસમહષ્ણુમાં લબ્ધિ (લદ્ધિ) શબ્દના અનેક અર્થ આપ્યા છે.૧ કાળલબ્ધિ એટલે સમયને પરિપાક. તદ્યોગ્ય કાળને વિપાક. આ “કાળલબ્ધિ” શબ્દ પર ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીએ શ્રીસંભવનાથના સ્તવનમાં ભારે મજા કરી છે. તેઓ કહે છે : કાળલબ્ધિ નહિ મતિ ગણો, ભાવલબ્ધિ તુમ હાથે રે; લથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગજવર સાથે રે. સંભવ જિનવર વિનતિ. પ્રભુને કહે છે કે, અત્યારે કાળલબ્ધિ નથી એમ આપ ન ગણી લે; એ ગણતરી કરો તે મારે રખડવું પડે. એટલે અત્યારે મક્ષ જવા યોગ્ય કાળ નથી એમ આપ ન ગણે આપ એમ ગણો તે માટે આપને જણાવવું પડશે કે આપની પાસે ભાવલબ્ધિ છે, મોક્ષગમન મેગ્ય ૧. લબ્ધિ ને અર્થ પક્ષમ, સામર્થવિશેષ, અહિંસા, પ્રાપ્તિ, લાભ, યોગ્યતા–આટલા અર્થ પ્રાકૃત શબ્દકોશમાં આપ્યા છે. ૨. “મતિ” એટલે મત નહિ ( dont ); મતિનો અર્થ અહીં બુદ્ધિ નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨ : શ્રી અજિતનાથ સ્તવન [ ૫૫ આત્મશક્તિ આપનામાં વ્યક્ત થયેલી છે. તેમાંથી જરૂર જેટલી શક્તિ મને આપે. એકલી ભાવલબ્ધિથી મારું કામ થઇ જશે. એકાદ દાખલા આપું : હાથીના બચ્ચામાં ચાલવા જેટલી શક્તિ હોતી નથી, એનું શરીર ડગમગતું હાય છે, એના પગ જમીન પર ટકતા નથી; આવું બચ્ચું પણ જ્યારે ગજવરની પાસે હોય ત્યારે એના અંગમાં જોર આવી જાય છે અને એ ગાજવા મ`ડી જાય છે. તેમ આપ મારામાં શક્તિ પ્રેરા, તા મારું કામ થઈ જાય. મારે તે આપના (ગજવરના) ટેકાની જરૂર છે; માટે કાળલબ્ધિની વાત જવા દો અને આપની પાસે ભાવલબ્ધિ છે તેમાંથી જરા મને આપે. આ ટાંચણમાં · કાળલબ્ધિ ’શબ્દ સમયની યેાગ્યતાના અર્થમાં વપરાયા છે. તે અર્થાંમાં ચાલુ છઠ્ઠી ગાથામાં આનંદઘનજીએ એ શબ્દ વાપર્યો હોય, એમ છે. આ ચેતનરાજને ખાતરી છે કે પાંચ સમવાયી કારણેા પૈકી કાળ–સમયની યાગ્યતા પ્રાપ્ત થશે, તદ્યોગ્ય સમય આવશે, ત્યારે પથને નિહાળવાનું કામ ખરાબર થઇ આવશે. ત્યાં સુધી તે તરતમ યેાગે એછી-વત્તી વાસના થાય તેની છાંટવાળા બેોધ જ આધારભૂત છે. 6 આશા આશા 'ના સબંધમાં આનંદઘનજી પોતે અઠ્ઠાવીશમા પટ્ટમાં ગાઈ ગયા છે કે આરનકી કયા કીજે ?' અને છતાં અહીં આશા ઉપર માટે ટેકો ગણ્યા છે. અન્ને વાતમાં જરા પણ વિશેષ નથી. ત્યાં પારકી આશા એટલે તેમાં સ્થૂળ અથવા પૌદ્ગલિક વસ્તુની પ્રાપ્તિને અંગેની હકીકત છે અને એવી આશા કરનારને પૂંછડી હલાવનાર કૂતરાની સાથે સરખાવેલ છે; પણ કાળલબ્ધિ મળે ત્યારે પથ નિહાળવાના પરિણામની આશા રાખી તેનું અવલ’બન કરવું તેના વાંધા નથી, કારણ કે કાળલબ્ધિ પ્રાપ્તિ થયે જે અનુભવ થવાના છે, તેમાં તે આશા દાસી પર વિજય મેળવવાના છે. એટલે એવી આશા રાખીને બેસી રહેવું અથવા તઘોગ્ય પ્રયાસ કરવેા, એમાં જરા પણ વિરોધ નથી. આ ચેતનરાજ (પ્રાણી )–પોતે આવા પ્રકારની આશાના અવલબને ( જ ટકી રહ્યો છે. · આનંદઘનમત ’—શુદ્ધ આત્મદશાના મત. આનંદઘન મહુારાજનું આખું જીવન આત્મશેાધન, આત્મચિંતવન અને આત્મમાના વિલેાકનમાં ગયું છે. એને એક રીતે આનંદઘન મત કહી શકાય. ખાકી ગચ્છના અને વાડાના ભેદો તરફ અણગમો તેમણે દાખવ્યા છે; તે જોતાં આનંદધન પેાતાના કોઈ જાતના મત ચલાવવા ઇચ્છતા હાય કે તેવા કોઈ મત તે કાળે ચાલતા હોય, તે વાત તે વ્યવહારથી, ઇતિહાસથી કે ધાર્મિક દૃષ્ટિથી અકલ્પ્ય છે. ‘આનંદઘનમત 'ના બીજો અર્થ · સ્યાદ્વાદમત ’એમ પણ થઈ શકે. આનંદઘન મહારાજના કોઈ પણ અલગ મત, સંપ્રદાય કે ગચ્છ નહાતા, તે તે તે કાળના ઇતિહાસ સાક્ષી પૂરે છે. શ્રીમાન યશેાવિજયજી ઉપાધ્યાય મહારાજ જેવા એમને અષ્ટપદી લખીને માટું માન આપે એ વાત મતના ઉપરના અર્થની સાથે મેળ ખવરાવે તેવી પણ નથી. એ જિનજી કેવા છે? એ આનદધનના મત એટલે અભિપ્રાયના આંબા જેવા છે. આમા દર વર્ષે ફળે છે, એની મીઠાશ સદૈવ વધતી અને એમાં કડવાશ, તુરાશ કે ખારાશને સ્થાન Page #72 -------------------------------------------------------------------------- ________________ પ૬] શ્રી આનંદઘન-ચોવીશી નથી. આવા આનંદઘનના અભિપ્રાયના આંબા તુલ્ય હે જિનરાજ દેવ! આ પ્રાણી આપને આનંદઘન અભિપ્રાયના આંબા તુલ્ય ગણે છે અને આપને પંથ કેઈ કાળે બરાબર નિહાળવાનું એને બની આવશે એ આશા પર જીવે છે. સંસારી જીવને ધન, સંતતિ, સુખચેન પ્રાપ્ત કરવાની આશા હોય છે, અને એવી આશાના તાંતણા પર એ ટકી રહે છે, તેવી રીતે આ ચેતન કાળની યેગ્યતા પ્રાપ્ત કરી વખત આવ્યે પથડાને જરૂર નિહાળશે, એ આશાએ એ ટકી રહેલ છે એના આત્મિક જીવનનું જીવનપણું, એનું ધ્યેયલક્ષ્મીપણું અને એની સમુચિતતા એ આશાના અવલંબન પર છે એમ, મારા દેવ! આપ બરાબર જાણશેઃ આ પ્રમાણે અર્થ કરવામાં “આનંદઘનમતઅંબ” ને એક સમાસ ગણી એક શબ્દ તરીકે એને સંબોધનમાં મૂક્યા છે, અને એનું વ્યાકરણ “જિનજી!” શબ્દની સાથે સમાનાધિકરણ– સમાન વિભક્તિમાં ગણ્યું છે. આ અર્થ પ્રથમ દષ્ટિએ બંધબેસતે લાગે છે. આનંદઘન-અભિપ્રાયના આંબા–કેરી તુલ્ય હે જિનદેવ! આપ બરાબર સ્વીકારજે કે આગળ ઉપર કાળલબ્ધિ પ્રાપ્ત થતાં આપના પંથને નિહાળવાની મને પૂરેપૂરી આશા છે અને એ આશાના ટેકા પર જ આ પ્રાણી અત્યારે તે ટકી રહેલ છે. ઉન્નત ભાવનાશાળી, પ્રગતિગામી, આત્મલક્ષ્મી જીવને પિતાના જીવનની વાસ્તવિકતા કાં તે પ્રાપ્તિમાં લાગે, કાં તે પ્રાપ્તિના પ્રયત્નમાં લાગે અથવા છેવટે પોતે પ્રાપ્તિની આશાને માગે છે તે પર લાગે. આ રીતે પિતાના જીવનની વાસ્તવતા બતાવવા સાથે પંથે નિહાળી શક્યો નથી એ વાતને સ્વીકાર પણ કરી દે છે. આનંદઘનમતને બ” શા માટે કહ્યો, એ વાત તે ઉઘાડી છે. એ જુદે મત નથી, એ સંપ્રદાય નથી, એ તે આત્મદર્શનને માર્ગ છે, અનેકાંતમતનું જીવન છે, આત્માને સક્ષાત્કાર કરવાને રસ્તે છે. એટલે આંબે જેમ ગરમીથી ત્રાસ પામેલાને આશ્રય આપે અને ફળરૂપે મધર કેરીઓ આપે, તેમ સંસારના પારાવાર તાપથી ગરમ બની ગયેલ પ્રાણીઓને આ આનંદ ઘનમત શાંતિ અને આશ્રય આપે અને યોગ્ય કાળે મધુર ફળ આપે. આવા આનંદઘનમતના આંબા તુલ્ય તે જિનવરદેવ છે અને તેના સંબોધનમાં આ “આનંદઘનમત અંબ” શબ્દ વપરાય છે, એ ભાવ મુખ્યત્વે આ ગાથામાંથી ફલિત થાય છે. આનંદઘનમતને આ કારણે આંબાનું રૂપ યોગ્ય રીતે અપાયું હોય એમ લાગે છે. સંસારી જીવની અપેક્ષાએ જોઈએ તે, પ્રાણી અમુક શેઠ કે અધિકારી, રાજા મહારાજા કે દીવાન કઈ દિવસ ફળશે એવી આશામાં વર્ષો ગાળે છે, તેમ આ સાધ્યસન્મુખ થયેલે ચેતન ભગવાનને કહે છે કે કાળલબ્ધિ લેશું ત્યારે પંથને જરૂર નિહાળશુંઆવી આશાના અવલંબને આ પ્રાણી પિતાનું આત્મિક જીવન ટકાવી રહેલ છે. એટલે પ્રથમ સ્તવનમાં પ્રભુને પ્રીતમભાવ સ્વીકાર્યો અને બીજા સ્તવનમાં એને પ્રભુને માર્ગ નિહાળવાની સાચી આશા બંધાણી એટલે સુધી વાત આવી. ધ્યાનમાં રહે કે હજુ સુધી એના વિશિષ્ટ અર્થમાં પ્રાણીને માર્ગ પ્રાપ્તિ થઈ નથી, માર્ગ દર્શન થયું નથી, ગાવંચકપણું પ્રાપ્ત થયું નથી, પણ સાચી દિશા સાંપડી છે અને એ માગે અંતે પિતાને ઉદ્ધાર થશે એવી ખાતરી થતાં એ માર્ગે આગળ વધવા એ આશાના Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨: શ્રી અજિતનાથ સ્તવન [પ૭ અવલંબને ખેંચાય છે. વિકાસમાર્ગમાં એનું હુજુ કર્યું સ્થાન છે એ લક્ષ્યમાં રાખવું. સૂચિત અર્થ_આનંદઘન મત અંબ” આ પદને મને એક નવીન અર્થ સૂચિત થાય છે. હે આનંદઘન! તું ખાટો થઈ જા મા, તું નારાજ ન થા. “અંબ” શબ્દનો અર્થ પ્રાકૃત કેશ પ્રમાણે ખાટ, અસ્ત થાય છે. અંબ શબ્દ નામ હોય ત્યારે તેને અર્થ આંબો થાય છે; “છાશ, મો, નિષ્ફર વચન વગેરે અર્થો પણ થાય છે. અને એ શબ્દ વિશેષણ હોય ત્યારે એને અર્થ તામ્ર કે લાલવર્ણવાળે” થાય છે. એ કિયાપદ હેય તે “અંબ” ધાતુને અર્થ “જવું” થાય છે. હકીકત એમ છે કે પ્રભુની સ્તુતિ કરતાં અને પંથનું અવલેકન કરતાં આ પ્રાણી જરા મૂંઝવણમાં પડી ગયે, એને અવલોકન કરતાં જણાવ્યું કે રાગ-દ્વેષાદિ મહામલેને ભગવાને જીત્યા છે, તેનાથી તે પિતે જિતાઈ ગયું છે. એને શંકા પડી કે પિતે એવા સંગમાં પુરુષનું–નરનું -બહાદરનું નામ ધારણ કરી શકે ખરો ? અને પછી એણે માર્ગ નિહાળવાને એકથી વધારે ઉપાયે વિચાર્યા, એમાં પણ એને બરાબર ઘાટ ન બેઠો, એને માર્ગદર્શનના ચાર માર્ગોમાં વિરલતા લાગી. અંતે એને દિવ્ય નયન (વિશિષ્ટ જ્ઞાન)ને વિરહ સાલે અને છેવટે વત્તા-ઓછા યેગને અનુસરે વત્તા-ઓછો બેધ માત્ર આધાર છે એમ લાગ્યું. પણ એને ખાતરી થઈ ગઈ કે કાળલબ્ધિની નજરે યોગ્ય કાળે આવશે ત્યારે પિતે માર્ગને બરાબર નિહાળશે. આ આશાના ટેકાએ આ પ્રાણી જીવે છે, એમ હે પ્રભુ! તમે જાણજે. અહીં ચેતનની સ્તવના કે ચિંતવના પૂરી થાય છે. - પછી એ પિતાની જાતને કહે છે કે હે આનંદઘન! હે ચેતન ! તું ખાટો થઈ જઈશ મા, નિરાશા ધારણ કરીશ નહિ. તને એમ લાગ્યું કે તારું નામ પુરુષ કેમ હોઈ શકે?—એવી ચિંતા કરવાની જરૂર નથી. કાળલબ્ધિને લઈને તારાથી પણ પંથને નિહાળવાનું કામ બની શકશે અને એ સફળ આશાના ટેકા ઉપર જ જીવવાનું બને છે, એમ એ પિતે ભગવાનને ચેખા શબ્દમાં કહી દે છે અને છેવટે પિતાની જાતને કહે છે કે હે આનંદમય ચેતન! તું અંબ (ખા) મત ( મા નહિ) થઈ જા ! તારે માટે સારું ભવિષ્ય છે, સ્થિતિ પરિપકવ થવાની તારે આશા છે અને એ આશા એ મેટ ટેકે છે. આ પ્રમાણે સૂચિત અર્થ કરતાં ચેતનરાજે પથડે નિહાળવાનું જે કામ સ્તવનની શરૂઆતમાં આદર્યું અને માર્ગદર્શનમાં જે મુશ્કેલીઓ જણાય તેને અંગે ભવિષ્યમાં સર્વ ઠીક થઈ જશે એ આશા પર વાત મૂકી, ત્યાં એનું કથન પૂરું થાય છે અને પછી તે પોતાની જાતને ૧. આ પ્રમાણે સૂચિત અર્થ કરવામાં “અંબ” શબ્દને આજ્ઞાથે બીજા પુરુષનું એક વચન ગયું અને મતને અર્થ “મા” “નહિ” એમ ગણ્યો. આ સુચિત અર્થે વિચારવા યોગ્ય છે. સંસ્કૃત કેશ પ્રમાણે 1' ધાતુ આત્મને પદ, પ્રથમ ગણને છે, તેનો અર્થ “જવું' એવો થાય છે. તે. આ ભાવ લેવામાં આવે તો હે આનંદઘન, તું જા મા’-નિરાશ ન થઈ જા, તારે માટે હજુ ભવિષ્ય છે–આ પ્રમાણે ભાવાર્થ થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] શ્રી આનંદઘન-ચાવીશી કહે છે કે તેટલા માટે તારે ખાટા-પીળા થઈ જવાની જરૂર નથી. તું પુરુષ નામને યાગ્ય નથી એમ ધારીને માથે હાથ દઇ બેસી જવા જેવું નથી. તારે માટે આધાર છે, ભવિષ્ય છે, આશા છે, અવલ બન છે, ટેકો છે, માટે આગળ ધપાવ. આ સૂચિત અર્થ વિચારવા યોગ્ય છે. એમાં પ્રથમ ગાંથામાં જે નિરાશાવાદ આવ્યા છે, તેમાંથી જરા મા મળે છે, ભવિષ્યના રસ્તા આશાસ્પદ લાગે છે અને પેાતાની આશાના અવલ'મનને ઇષ્ટ માર્ગ મળે છે. અને આનધનને અમુક મત, સંપ્રદાય કે ગચ્છ હતા એવા અર્થ કરવાની જરૂર રહેતી નથી. જે મહાન યેગીએ ગચ્છના ભેદ પર ટીકા કરી હોય, ગચ્છનાયકો તત્ત્વની વાત કરતાં લાજતા નથી, એવું આકરું વચન વાપર્યું હોય અને જે પેાતાના આત્મા સાથે વાત કરી ‘નમે મુજ, નમે મુજ રે' એવી વાત કરી શકતા હાય, તે પોતાના મત ચલાવે કે મત જેવા શબ્દ પેાતાના સંબધમાં વાપરે, એ વાત જરા 'ધબેસતી પણ લાગતી નથી; એટલા માટે આ છેલ્લા ચરણના અર્થ બીજી રીતે ઘટાવવા પ્રયત્ન કર્યો છે—એ યાગમાના ખપી જીવેાની વિચારણા માટે છે. ગમે તે અથ કરવામાં આવે, પણ મુદ્દાની વાત એ છે કે આ પ્રાણીને પેાતાના ભવિષ્યની ચિંતા થઈ છે, આશા બંધાણી છે અને એ આશાના અવલ બને જ પાતે ટકી રહેલ છે. અને કાળલબ્ધિના પ્રસાદના સ્વીકારમાં જ એની ભાવી ભવ્યતા રહેલ છે. હજુ સુધી માČદન થયું નથી, પણ ભાવના જાગી છે, રસ્તા દેખાય છે, પ્રભાત થયું છે અને કામ પાર પડવાની આશા પૂરેપૂરી બંધાણી છે: આટલે સુધી આ ખીજા સ્તવનની આખરે આવ્યા. (૬) ઉપસ હાર અજિતનાથ ભગવાનનું આ સ્તવન બહુ ઊંડા ભાવાર્થથી ભરપૂર છે. એના મુખ્ય આશય પંથને અવલેાકી બેસી રહેવાના નથી, પણ એને અનુસરવાના છે અને ત્યાં રહેલ સાધ્ય પ્રાપ્ત કરવાના છે. એ આશય પાર પાડવામાં એમણે માદનના ચારે ઉપાયે પર ચર્ચા કરી તે ખૂમ વિચારણા માગે છે. દનપ્રાપ્તિ ઘણી સહેલી ચીજ છે એમ ધારવા જેવું નથી; તેની સાથે તે ભારે મુશ્કેલ ચીજ છે એમ પણ ધારવા જેવું નથી. એમણે ચારે ઉપાયોની વિચારણા કરી; તેની આખી ધાટી જ બળવત્તર છે. અને તે ચારે ઉપાયાની અપૂર્ણતા એમને બરાબર દેખાણી છે. એ વ્યક્ત કરવાની તેમની આખી રીત અનેાખી છે, અને એમનું વિચારણાનું ધારણ ખડુ ઉચ્ચ છે. સાધારણુ રીતે પ્રાણી પોતાની પાસે પ્રાપ્ત થયેલાં સાધનાથી અવલેાકન કરે, બહુ બહુ તે વૈજ્ઞાનિક પદ્ધતિનાં નવીન સાધના વધારે ઊ'ડા ઊતરવા સારુ વાપરું, પશુ આ યોગીને સ્થૂળ માર્ગ જોવા નથી, એને તે આત્મિક માર્ગ જોવે છે, એટલે વમાન સાધનો એની નજરે તદ્ન નબળાં કે નકામાં દેખાય, એમાં નવાઈ નથી. એટલે એને સ્થૂળ દૃષ્ટિની અવલેાકનાને પરિણામે જણાયું કે માત્ર સ્થૂળ નજરે માદન અધૂ રુ જ રહેવાનું છે. સ્થૂળ દૃષ્ટિની વ્યવહારુ અવલેાકનાની અપૂર્ણતા એમના લક્ષ્યમાં આવવા પછી એમની નજર પરંપરાથી ચાલ્યા આવતા માર્ગ પર ગઈ. ત્યાં એમણે નિરંક ખાખતા પરનાં મમત્વે, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨: શ્રી આજતનાથ સ્તવન [૫૯ પિતાને મત સ્થાપવાની આતુરતા, અને અનુભવ કરતાં ગાદીને બચાવ કરવાની વૃત્તિ દેખી, એટલે એમને એમ લાગ્યું કે અહીં પણ સાચો માર્ગ સાંપડે તેવા પ્રસંગો ઓછા છે. ત્યાર પછી એમની નજર આગમ-મૂળ સૂત્રે-ઉપર જાય છે. માર્ગ નિહાલનના આ ત્રીજા ઉપાયમાં પણ તેમને વહેવારુ મુશ્કેલી જણાય છે. માત્ર આગમની દષ્ટિએ વિચારણા કરવામાં આવે તે તે પગ મૂકવાનું કે બોલવા-બેસવાનું ઠામ રહે તેમ નથી. કારણ કે ત્યાં તે જે પ્રકારનાં જીવસ્થાને, જીવભેદો અને ક્રિયાના દોષે બતાવ્યાં છે, તે રીતે તે હાલી ચાલી કે બેલી શકાય તેમ નથી. માર્ગ પ્રર્વતન માટે આગમનું સંપૂર્ણ ઉચ્ચ ધોરણ ઇચ્છવા યોગ્ય હોય, છતાં વ્યવહારુ ન જ નીવડે. એમાં વહેવારને સ્થાન આપવું જ પડે. નહિ તે વાઉકાયની રક્ષા, સર્વ જીવની રક્ષા બને નહિ અને કાંઈ નહિ તે ઈર્યા પથિકી કિયા તે લાગે જ લાગે. એટલે માત્ર આગમને ધરણે માર્ગનું નિહાલન કરવું એ પણ પૂરું કારગત નીવડે તેવું તેમને લાગ્યું નહિ. ત્યારે તેમણે માર્ગદર્શન માટે તર્ક-વિચારણા પર નજર માંડી. ત્યાં “નનું ન ર” અને “રૂર ચેન ની હારની હાર જોઈ, નિત્યાનિત્યની બાબત પર કે આત્માના અમરત્વની બાબતમાં કે પરભવ કે મુક્તિની બાબતમાં પાર વગરના ઝઘડા જોયા; એમાં પક્ષકારોના મરચા અને સામસામી દલીલબાજીમાં થતી માનસિક કસરત જોઈ એમને લાગ્યું કે આ રીતે તે જીવનભર તકરાર અને દલીલે ચાલે તોપણ એમાંથી સાર્વત્રિક નિર્ભેળ સત્ય લાધવું ભારે મુશ્કેલ જણાય છે. આ રીતે પંથ નિહાળવાના ચારે મુખ્ય માર્ગો એમને કપરા માલૂમ પડ્યા છે એમ તેમનું વક્તવ્ય છે. એમાંના કઈ માર્ગ ખોટા છે કે અગ્ય છે એમ એમનું કહેવું નથી, પણ જે ઉદ્દેશથી માર્ગ નિહાળવામાં આવે છે, તે ઉદ્દેશ વર્તમાન સમયમાં પૂરેપૂરો બર આવે એવું એમને લાગતું નથી. એટલે એમની ઇચ્છા માર્ગ નિહાળી તેને અનુસરવાની હતી તેમાં તેમની નજરે દિવ્ય જ્ઞાનની ગેરહાજરી સાલતી હોય એમ લાગે છે. તેઓ જાણે છે કે આપણી નજર અત્યારે મર્યાદિત છે, આ કાળમાં કોઈ વિશિષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન થાય તેવું નથી, એટલે માર્ગ નિહાળવાની બાબતમાં પ્રત્યક્ષ જ્ઞાનને અભાવે અમુક પ્રકારની ગૂંચવણ તેમને લાગે છે. એમની બારીક નજરે દેખાયું છે કે આવા દિવ્ય જ્ઞાનની ગેરહાજરીવાળા વખતમાં વસ્તુને વસ્તુસ્વરૂપે કહે તેવા તે વિરલા પ્રાણીઓ છે. બાકી તે, “સબ અપની અપની ગાવે”—એવી વાત બને છે અને એમાંથી નિર્ભેળ સત્ય પામવાની મુશ્કેલીઓ દેખાય છે. ત્યારે આ કાળમાં તે ઓછા-વત્તા સંયોગ અનુસાર જે બધ પ્રાપ્ય થાય તેને જ આધાર રહે છે. આ ગાવંચકપણે પ્રાપ્ત થતે વત્તા-ઓછો બેધ, એ ઘણી મહત્ત્વની બાબત છે. એ કોણ છે? કે હોય ? અને એની મહત્તા શી છે? તેને બરાબર ખ્યાલ કરવો હોય તે સિદ્ધિષિ મહારાજની “ઉપમિતિભવપ્રપંચાકથા’માં જીવંત કરેલ ‘સદાગમ”નું પાત્ર વિચારવું. એ પાત્રને બરાબર બારીકીથી અભ્યાસ કરવામાં આવે તે આ “ધ” શી વસ્તુ છે, એનો ઉપયોગ કે અને કેટલે છે, તેને ખ્યાલ આવે. બીજા પ્રસ્તાવમાં તે પાત્રનો પરિચય કરાવતાં પ્રજ્ઞાવિશાળા તેનું જે વર્ણન કરે છે, તે વાંચતાં આ અતિગંભીર ૧. જુઓ ઉપમિતિ, ભાષાંતર, પ્રસ્તાવ ૨, પ્રકરણ ૧, પૃષ્ઠ ૨૮૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] શ્રી આનંદઘન-ચાવીશી 6 મહાપુરુષને બરાબર પિછાની શકાય છે. એ જ મહાપુરુષ સ્પર્શીનની સાથેના ભવજ તુને સ ંબંધ મુકાવે છે તે વખતે જે ભારે કુનેહથી કામ લે છે,૧ તે સદાગમ અને તે ખરેખરા · મેધ ’ છે; બાકી ચારિત્રરાજના પરિવારમાં સદ્બેધ મંત્રીના પાંચ મિત્રો પૈકી આ બીજા મિત્ર સદાગમનું જે વન રજૂ કરવામાં આવ્યું છે, તે પરથી જણાય છે કે ચારિત્રરાજના આખા પરિવારમાં એનું અતિભવ્ય સ્થાન છે. સદ્મધ મંત્રીના આ સદાગમ મિત્ર એલકે છે; બાકીના ચારે મિત્રો ( આભિનિબોધ, અવધિ, મન:પર્યાય અને કેવળ) તે મૂંગા છે.૨ આવી રીતે પરિચિત થયેલા એધ આ કાળમાં તે ખાસ મહત્ત્વનું સ્થાન ભોગવે છે. અને એ સદાગમને બરાબર એળખવા માટે શ્રી સિદ્ધર્ષિં મહારાજના સદર પુસ્તકના આઠમા પ્રસ્તાવ વાંચવા જરૂરી છે. કહેવાની વાત એ છે કે આ કાળમાં તે વત્તા-ઓછા યાગને આધારે જે સુવાસના થાય તેની ફોરમથી થતા મેધ જ આધારભૂત છે અને એ માગે` ચઢેલ પ્રાણીના સંબંધમાં ભવિષ્યમાં પથને જરૂર નિહાળવાના સભવ ગણાય, એ આશા પર મુમુક્ષુનુ જીવન છે. આ પ્રમાણે આ ખીજા સ્તવનમાં સંક્ષેપામાં તાત્પર્યા જણાયા છે. પ્રથમ સ્તવનમાં સાધ્યને અંગે કેને અનુસરવું એની જિજ્ઞાસા થતાં વીતરાગદેવને સાધ્ય તરીકે સ્વીકારવા નિણ ય કર્યા અને એની સાથે પ્રીતિ કરવી તે કેવી કરવી, એના નિણ્ય-સાથે એ આરાધ્ય માર્ગે આગળ ધપવાને પરિણામે ચેતનરાજ આનંદમય થઈ જાય એમ જણાવ્યું. આ બીજા સ્તવનમાં એ ઈષ્ટ-વલ્લભ શ્રી વીતરાગદેવના માર્ગને નિહાળવામાં ભાસતી અડચણા અને ભવિષ્ય સાટે રહેતી આશાઓનુ અવલખન સ્વીકારવાનુ. લક્ષ્ય-ધ્યેય સ્વીકાર્યુ. આ રીતે ચેતનરાજની પ્રગતિ થતી જાય છે. હજુ એના પ્રગતિપથમાં અનેક પ્રકારની વિચારણાએ અને ગૂંચવણેા છે, તેને કેવી રીતે વટાવવી તે આગળ ઉપર વિચારાશે. ભગવદર્શીન થતાં પહેલાં કેવી ભૂમિકા તૈયાર કરવી જોઇએ, તે પર પણ વિચાર થશે. સમર્પણ અને આત્માણુને સિદ્ધાંત પણ વિચારવામાં આવશે. આ સવ વિચારણાની ભૂમિકા હજુ તેા તૈયાર થાય છે. આ પ્રાણી પથ નિહાળવાના વિચાર કરે છે. અહી નિહાળવું એટલે, ઉપર જણાવ્યું તેમ, માત્ર જોઇ જવું એ અર્થ નથી,પણ આ નિહાળવાનું કાર્ય એટલે એને જોઈ-જાણી-વિચારી-સમજી એના મય થઇ જવાનું કાર્યં સમજવું. એને અંગે આ પ્રાણીને જે જે અડચણા નજરમાં આવી તે તે એણે પ્રભુ પાસે ગાઇ બતાવી છે; તેનો આશય એ અગવડોને આગળ કરી તેમાંથી નીકળી જવાનેા મા શેાધવાની વાત નથી; હૃદયથી યાગગાન કરનારને એવા આશય હાય પણ નહીં. પણ એ હકીકતને આકાર આપી તેમાંથી માત્ર શેાધવાની એની તમન્ના છે. આ આશય જો બરાબર ધ્યાનમાં ન આવે તે વસ્તુવિચારણાના આખા પ્રસ ́ગ માર્યો જાય તેમ છે. કારણ વ્યવહાર અને નિશ્ચયના સમન્વય સાધવાની ભારે વિશિષ્ટ આવડત શ્રી આનંદઘનજીના સંબંધમાં દેખી-દેખાડી શકાય છે. અને કોઈ તેમને નિશ્ચયવાદી કહેવા લલચાઈ જાય છે, તે તેમને પૂરા ન સમજવાનુ જ પરિણામ છે. ૧. જુએ સદર, પ્રસ્તાવ ૩, પ્રકરણ ૩, પૃષ્ઠ ૩૭૬ થી આગળ (ભાષાંતર ) ૨. જુઓ સદર ભાષાંતર, પ્રસ્તાવ ૪, પ્રકરણ ૩૬, પૃષ્ઠ ૧૦૯૧–૨. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨ : શ્રી અજિતનાથ સ્તવન [૬૧ જૈન મત એટલે જ વ્યવખ્તાર અને નિશ્ચયને સમન્વય, જેને એ સમન્વય કરતાં ન આવડે, તે જૈન ધર્મ કે જૈન તત્વને અધૂરે અભ્યાસી છે એમ જાણવું. અને આનંદઘન જેવા મહાન યોગીએ આ સમન્વયની ચાવીઓ પ્રાપ્ત કરી છે એવું એમના ઊંડા અભ્યાસને પરિણામે લાગ્યા વગર રહે તેમ નથી. આટલી ચોખવટ ખાસ કરીને પુરુષ-પરંપરાને અંગે “અંધ અંધ પિલાય’ના સંબંધમાં કરી નાખવાની જરૂર છે, માત્ર કિયામાં રાચનારની નજરમાં આ શબ્દો આકરા લાગે તેવા છે. એને ક્રિયામાં જરા ફેરફાર થાય, ત્યાં આખું શાસન જોખમાઈ જતું લાગે છે, અને એવા ફેરફારને અંગે મોટા મરચા બાંધવાના આવેશમાં એ ખૂબ જહેમત ઉઠાવીને પિતાના અભિપ્રાયને અંગે જંગ જમાવી બેસે છે. મહાન ત્યાગી, આત્માથી ચેતનને આ બાબતમાં ભારે આઘાત થાય તે હકીકત સમજાય તેવી છે અને તેથી તે “અંધ પરંપરા” શબ્દ વાપરે તે તેમાં જરા પણ વાંધા જેવું નથી. આને મળતી હકીક્ત હજુ બે-ત્રણ સ્થાન પર આગળ જતાં આવવાની છે, ત્યાં અને ઉદ્દઘાતમાં એની સ્પષ્ટતા થશે. એમાં કઈ પર આક્ષેપ નથી, એમાં મરચા સામે મોરચા બંધવાની વાત નથી, પણ એમાં સાપેક્ષવૃત્તિ તરફ લક્ષ્ય ખેંચી ભાવનાશીલ થવાની અને ખેંચતાણ છેડી દઈ આત્મવિકાસ પર એકલક્ષી થઈ જવાની સૂચના છે. આ હકીકત પર પ્રસંગે ઘણું કહેવા યોગ્ય પ્રાપ્ત થયું છે અને થશે. વાત કહેવાની એ છે કે આત્માથી યોગી ભાવનાશીલ અને આંતર વિકાસને ઈચ્છક હોઈ, એને આવા પ્રકારની ચર્ચામાં કે સંપ્રદાયવાદમાં ખેંચતાણ અને શક્તિનો દુર્વ્યય જ લાગે. આ પ્રસંગ આત્મદ્રષ્ટિએ અવધારી રાખવા જેવો છે અને ગચ્છ-મત-વાદમાં ન પડેલા યોગીને માટે સુલભ છે; જ્યારે ચાલુ પ્રવાહમાં રાચનારને માટે દુર્ઘટ છે. આ બીજા સ્તવનને સર્વથી રોચક અને મેહક ભાવ આશાના અવલંબનને છે. પંથને નિહાળવાનું અત્યારે સંપૂર્ણ અંશે બને તેમાં અનેક મુશ્કેલી દેખાણી છે, પણ તેથી ચેતનરાજ હિંમત હારી જાતે નથી; એ પ્રયત્ન છોડી દેતું નથી. એનું યોગજીવન કે ધર્મજીવન સાધ્યપ્રાપ્તિ તરફ જ દોરાયેલું છે. એને પિતાના પ્રીતમને પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી છે અને એને અંદર ઊતરી આનંદઘનપદ પ્રાપ્ત કરવું છે. તે માટે એ પંથનું અવલેકન કરે છે, ત્યારે તેને એમાં વિશિષ્ટ જ્ઞાનને અભાવે અડચણો દેખાય છે, પણ ભવિષ્યમાં એ ગૂંચ પણ નીકળી જશે અને પિતે પંથનું નિહાલન બરાબર કરશે, એવી આશા એ સેવી રહ્યો છે. આ આશા અને આશા એરનકી કયા કીજે ?” એ અફૂાવીશમાં પદમાં બતાવેલી આશામાં ઘણે ફેર છે. સ્થૂળ, પગલિક, સાંસારિક આશાને એમણે ઘર ઘર ભટકનાર કૂતરાની સાથે સરખાવી છે, ત્યારે તે જ પદમાં અનુભવની લાલી કયારે અને કેમ જાગે એ બતાવી આપ્યું છે. એવા અગમ “પિયાલાને પીવો” એ તે જીવનને લહાવે છે, પ્રગતિને પંથે છે. અને એમાં ચેતનના ખેલ છે. એ ખેલ ચેતન ખેલે છે, જ્યારે દુનિયા તમાસે જોયા કરે છે. આવા પ્રકારના જીવનને જીવવું એ આનંદઘનને વિલાસ છે અને એની આશા પર જીવવું એ આખા સ્તવનને સારે છે. એ આશા અને Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] શ્રી આનંદઘન ચાવીશી અઠ્ઠાવીશમા પદમાં બતાવેલી આશાને ખરાખર સમજી અડ્ડી બતાવેલી આશા અને ત્યાં બતાવેલી આશા વચ્ચેના ફક ધ્યાનમાં રાખવા જેવા છે. બાકી, અહીં પથડાને નિહાળવાની આશા બંધાણી એ પણ વિશાળ આત્મભાવના છે. એમાં મતવાદ નથી, સ’કુચિત મનોદશા નથી. આનંદઘન મતવાદ કે ભેદવાદથી વિરુદ્ધ છે, એ તે એમણે અનેક સ્થાને બતાવ્યું છે. એ સત્તાવીશમા પટ્ટમાં મતવાળાને મતમાં રાતા કહી એને મઝધારીની સાથે જ મૂકે છે અને અનેક સ્થાને એમણે મતાગ્રડુ કે પંથસંકુચિતતા સામે પ્રહારો કર્યાં છે. અહી’· પનિડાલન ’એ યોગના શબ્દ છે. ‘ નિહાલન’ એટલે ‘ અનુસરણ’ છે અને આત્મદૃષ્ટિવાળા આત્મપ્રગતિવાંચ્છુની હૃદયભાવના છે. આ છેલ્લી વાત બરાબર લક્ષ્ય પર લેવા માટે આનંદઘનની ભાવના અને ઉદ્દેશ સાફ રીતે સમજવાં, અને ચેતનરાજના વિકાસ માટે વીતરાગદેવના પથનું નિહાલન કરવું અથવા આ કાળમાં તે માટેની આશા સેવવી. આશાના અવલંબનને વળગી રહેલા ચેતન હવે પેાતાની ભૂમિકાશુદ્ધિના રસ્તા કેવી રીતે શોધે છે તે આગળ જોશું. અહીં સુધી પ્રીતિના પાત્રની પિછાણુ અને તેના પથના નિહાલનની આશા ઉત્પન્ન થઈ. આ સ` વિચારની ભૂમિકા છે, નિર્ણય થયા પહેલાંની પ્રાથમિક દશા છે, એ ધ્યાનમાં રાખવું. હજુ એને મા સાંપડચો નથી, આત્મદર્શન થયું નથી; કાર્ય કરવા પહેલાંની વિચારદશામાં વતા જીવને આશા બંધાણી છે, પેાતાને પથ નિહાળીને તેને અનુસરવામાં પેાતાના કન્યની પરિસીમા છે એમ તેને જણાયું છે, અને દરમ્યાન પોતાના ઉદ્ધાર ( આધાર ) બેધ-સદાગમ-પ્રાપ્તિ પર અવલ એ છે અને તેની પ્રગતિ થતાં યોગ્ય કાળે પથ નિહાળવાનું બનશે એવી વિચારણા સુધી તે આવ્યા છે. (૨) ટોમ્બર : ૧૯૪૭] Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ સ્તવન [સેવન–કારણ : ભગવાનની સેવા અગમ અને અનુપ છે; ભૂમિકામાં નિર્ભયતા, દ્વેષરહિતતા, અથાકત છે; સાચી સેવા પ્રાપ્ત કરવી એ જીવનનો લહાવે છે.] સંબંધ—પ્રથમ આદિનાથ ભગવાનના સ્તવનમાં પિતાને આદર્શ મુકરર કર્યો, વીતરાગને પ્રીતમ તરીકે સ્વીકાર કર્યો અને એની ભાવનાએ પહોંચી એના જેવા થવા માટે એને પરમ પ્રેમી-ઈષ્ટ વલ્લભ-તરીકે ભજવા, એવો નિર્ણય કર્યો. બીજા અજિતનાથ ભગવાનના સ્તવનમાં જે વીતરાગને આદર્શ તરીકે સ્વીકાર (પ્રથમ સ્તવનમાં) નિર્ણય કર્યો, તેને માર્ગ નિહાળવા માંડ્યો. નિહાળવામાં માત્ર અવેલેકન કરી જવાની વાત નથી, પણ અનુસરણની વાત સામેલ છે, એટલું લક્ષ્યમાં રાખી નિહાલનના ચારે ઉપાયની વિષમતા વિચારી લીધી અને કાળલબ્ધિઓ પંથનું બરાબર નિડાલનકાર્ય થશે એ આશા પર વાતને છેડી. પણ માત્ર આશા પર વાત છોડી દેવી અને હાથ-પગ હલાવવા નહિ, એ તે પ્રગતિને પથે પડેલા પ્રાણીને પાલવે નહિ. એણે વીતરાગદેવનું સાધ્ય સ્વીકાર્યું, એણે આદર્શને નિર્ણય કર્યો અને આદર્શને સાધવા ધારણ કરી. એટલે હુવે આદર્શ સિદ્ધિને માટે આગળ ધપવાનું રહ્યું. આ આગળ ધપવાના કાર્યને “ગ” પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જૈન આમ્નાય પ્રમાણે “મોક્ષ સાધક શુભ વ્યાપારીને યુગ કહેવામાં આવે છે. ગુણ ધાતુને અર્થ “જેવું થાય છે. એ ધાતુમાંથી નીકળેલ “ગ” શબ્દ મક્ષ સાથે આત્માને જોડે તે અર્થમાં વપરાય છે. એટલે મોક્ષ સાધક ધર્મવ્યાપારને અથવા મોક્ષપ્રાપક શુભ વ્યવહારને વેગ કહેવામાં આવે છે. સંસાર અભિમુખ વૃત્તિને રોકવી અને મોક્ષને અનુકૂળ વ્યાપાર કરે એને યોગ કહેવાને પરિણામે હરિભદ્રસૂરિની “ગ” શબ્દની આ વ્યાખ્યા એટલી વિશાળ બની છે કે એમાં સર્વ શુભ વ્યાપારને સમાવેશ થઈ જાય છે. યોગની વિચારણામાં આ વ્યાખ્યા ખૂબ દયાનમાં રાખવા જેવી છે. એ વ્યાખ્યા પ્રમાણે નાની પ્રશસ્ત શુભ કિયાથી માંડીને સંપ્રજ્ઞાત યુગ સુધીની અથવા જૈન પરિભાષા પ્રમાણે શેલેશીકરણ સુધીની સર્વ કિયાઓ અને ચિત્તવૃત્તિને નિરોધ એ સર્વને ગમાં સમાવેશ થાય છે. આ રીતે યોગનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. એમાં માર્ગાનુસારીના વ્યવહારથી માંડીને યોગનિરોધ સુધીની સર્વ અવસ્થાને સમાવેશ થાય છે. આનંદઘનજીએ યોગની આ જુદી જુદી અવસ્થાને ખ્યાલ બહુ સારી રીતે આવે છે. એમણે પ્રાથમિક યુગથી માંડીને ઉત્કૃષ્ટ યુગ સુધીની દશાને અનુભવ બહુ અસરકારક રીતે કરાવ્યું છે. રતવને અને પદોનાં વિવેચનમાં આપણે તેને ખ્યાલ કરવા પ્રયત્ન કરીએ છીએ. આ સ્તવનમાં યોગ પ્રાપ્તિ માટે પૂર્વસેવાને અંગે ભૂમિકાની શુદ્ધિ બતાવી છે, તે પર વિચાર કરવાને અંગે યુગપ્રાપ્તિ માટે પૂર્વ સેવા’ની વિગત શ્રી હરિભદ્રસૂરિએ “ગબિન્દુ ” ગ્રંથમાં બતાવી છે, તેની સંક્ષેપથી વિગત રજૂ કરીએ –– Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૪] શ્રી આનંદઘન ચોવીશી શ્રી હરિભદ્રસૂરિએ “ગબિન્દુ ગ્રંથમાં “પૂર્વસેવા” ના વિષય પર લેક ૧૦૯ થી ૧૫૧ કલેક સુધીમાં વિવેચન કર્યું છે, તેને સાર “જૈન દૃષ્ટિએ ગ” (પૃ. ૯-૧૦૦)માં મેં આપે છે. તેમાં મુદ્દો એ છે કે મુક્તિપ્રાપ્તિને અંગે વિશિષ્ટ યુગમાં પ્રવેશ કરવા પહેલાં પ્રાણી તેના ઉપાયોની સેવા કરે છે. વ્યાધિ મટાડવા માટે જેમ ઔષધની સેવા કરવી પડે છે, તેમ સંસારવ્યાધિ મટાડવા માટે પૂર્વસેવા કરી ધર્મશરીર-સ્વાધ્ય સુધારવા માટે પ્રયત્ન કરવા પડે છે, શ્રી હરિભદ્રસૂરિ મહારાજે એ પૂર્વસેવાના ચાર પ્રકાર બતાવ્યા છે ૧. દેવગુરુપૂજન ૨. સદાચાર (દાન વગેરે); ૩. તપ વગેરે૪. મોક્ષ-અષ. પૂર્વસેવામાં આ ચાર પ્રકારની બહુ વિગતે આપી છે. પ્રાણીને આખે ઝોક સંસાર તરફ હોય છે, એને સંસારના રગડાઝઘડા, મને વિકાર અને પરભાવ રમણમાં જ પડે છે. એને વિષયસેવનમાં મજા આવે છે. એમાંથી ઓસરવા પૂરતું જ્યારે એને ઝેક ફેરવાય છે, ત્યારે એને પ્રથમ આ ઉપરની ચાર બાબતમાં મજા આવવા માંડે છે. એને પિતાના ઈષ્ટ દેવ કે વડીલ વર્ગ તરફ પ્રેમ અને ભક્તિ થાય છે, પરિગ્રહવૃત્તિમાં પ્રવૃત્તિને સ્થાને ત્યાગમાં મજા આવે છે, અને આ સંસારમાં રસ પડે ચાલુ રહે તે પણ મોક્ષ તરફ અદ્વેષ થાય છે, એટલે એની સંસારપરિણતિમાં મોટો ફેર પડવા માંડે છે. આ પૂર્વસેવાના ચારે પ્રકારમાં ઘણી વિશાળતા બતાવવામાં આવી છે. એમાં “દેવ” શબ્દમાં સર્વ દેને સમાવેશ કરવામાં આવ્યા છે અને “ચારિસંજીવનીચાર” ન્યાયે એ એમાંથી સાર તત્વ પ્રાપ્ત કરી લે છે, અને છેવટે જિતેદ્રિય, જિતકોઇ વિશેષણોને આશ્રય કરીને ભયંકર અભેદ્ય લાગતા કિલાઓને પણ તરી જવાની શક્તિ પ્રાપ્ત કરે છે એમ બતાવ્યું છે. ગુરુ શબ્દમાં માતા-પિતા, વડીલ ભાઈ બહેન, જ્ઞાનવૃદ્ધ કે વયેવૃદ્ધને તેમ જ સગાંસંબંધીને સમાવેશ કરે છે. આવી વિશાળતાને પરિણામે પ્રાણી યોગમાર્ગમાં પ્રવેશ કરી પછી તેમાં પ્રગતિ કરે છે. અને સદાચારને પૂર્વસેવામાં અગ્ર સ્થાન આપવાનું કારણ તે વતન પર અંકુશ આવવાનું સમજાય તેવું છે. એમાં કાપવાદભીરુપણું, દીન-અનાથને ઉદ્ધાર, કરેલ ગુણને બદલે વાળવાની વૃત્તિ અને સુજનપણું તથા પરનિંદાને ત્યાગ, સાધુપુરુષના ગુણોનું સંકીર્તન, આપત્તિમાં અદીનતા, સંપત્તિમાં નમ્રતા જેવા સાદા પણ વિશિષ્ટ આચારને સમાવેશ થઈ જાય છે. એમાં નીતિનાં સારાં નિયમ અને ધરણેને પણ સમાવેશ થાય છે. આ પૂર્વસેવામાં ત્રીજું સ્થાન “તપ”ને આપવામાં આવ્યું છે. એમાં બાહ્ય તપના અનેક પ્રકાર બતાવવામાં આવ્યા છે. મુદ્દો સંયમમાર્ગ પર જવાનું છે અને બાહ્ય ત્યાગથી થતી શરૂઆત અંતે સર્વત્યાગના માગે ગમન કરાવી શકે એવી એમાં શક્યતા છે. અને પૂર્વસેવાને અંગે જે પ્રકાર “ક્તિઅવ બતાવ્યું છે. મોક્ષ તરફ શ્વેષ ન હો એ અતિ ઉપયોગી અધ્યવસાય છે એ નકારાત્મક હોવા છતાં બહુ ઉપયોગી અને ખાસ જરૂરી પૂર્વસેવા છે. એને અંગે આ સ્તવનના વિવેચનમાં વિસ્તાર કરવાનું હોવાથી અત્રે તે તેના નામને નિર્દેશ માત્ર કરવામાં આવ્યું છે, Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩ઃ શ્રી સંભવનાથ સ્તવન [૬પ પૂર્વસેવાના આવા પ્રકારથી પ્રાણી ગપ્રાપ્તિને લાયક બને છે. જ્યાં સુધી ભૂમિકાની શુદ્ધિ ન થાય, ત્યાં સુધી તેના પર ચિતરામણ થતું નથી. તે જ પ્રમાણે આ પૂર્વસેવાના પ્રકારે કરવા માટે પણ આત્મિક ભૂમિકાની શુદ્ધિ કરવાના અનેક માર્ગો બતાવવામાં આવ્યા છે. આ ભૂમિકાશુદ્ધિને માટે એક દષ્ટાંત રજૂ કરવા યોગ્ય જાણવામાં આવેલ છે. એક રાજાને ત્યાં બે સુપ્રસિદ્ધ ચિતારાઓ આવ્યા અને પિતાના કામની પ્રશંસા કરવા લાગ્યા. બન્ને દૂર દેશના અને એકબીજાથી તદ્ધ સ્વતંત્ર હોઈ રાજા પાસે કામ અને ઈનામ ચાહતા હતા. રાજાએ બનેના કામને જોઈ ઇનામ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. અને ચિત્રકારોએ પિતાની આવડતને પરિચય કરાવવા કબૂલાત આપી. રાજાએ તેમને એક વિશાળ મંદિરના મોટા હેલની બે સામસામી ભીતે પર પિતપેતાની કારીગીરી બતાવવા હુકમ કર્યો, અને એકબીજાના કાર્યની છેવટ સુધી ગુપ્તતા જળવાય તેટલા માટે વચ્ચે પડદે કરાવી દીધા. બન્ને ચિત્રકારેએ પિતાપિતાની ભીતે પર કામ આદર્યું. એક ચિત્રકારે સૃષ્ટિસૌંદર્યનાં અનેક દ પિતાને સેપેલ ભીંત પર ચીતર્યા. એ તે દરરોજ અવનવા રંગો મંગાવે અને તેનાં મિશ્રણ અજમાવે અને કામ ધપાવે. બીજા ચિત્રકારે તે રંગ જ ન મંગાવ્યા. તેણે ભીંતને સાફ કરી ઘસવા માંડી, ઘસતાં ઘસતાં એને બિલેરી કાચ જેવી શુદ્ધ બનાવી. રાજાને બરાબર ખાનગી સમાચાર મળ્યા કરતા હતા : એક ચિત્રકાર નવા નવા રંગ દરરોજ મંગાવે છે અને બીજે ચિત્રકાર તે જાતે અને માણસને રાખીને ભીંતને ઘસ ઘસ કર્યા કરે છે, કાંઈ રંગ કે પછી મંગાવતે નથી. એ વાત સાંભળી રાજાને ઘણી નવાઈ લાગી. બને કારીગરોને છ માસને સમય આપવામાં આવ્યું હતું. રાજાજી જાતે નિહાળવા અગાઉથી મુકરર કરેલ દિવસે હાજર થયા. પ્રથમ ખૂબ રંગરોગાન વાપરનારનું ચિત્રકામ જોયું. રાજાને ચિત્રકારની દૈવી કળા માટે ખૂબ માન થયું. પછી રાજા બીજા ચિતારા પાસે આવ્યો. તેણે ભીંતને ઘસી ઘસીને બિલોરી કાચ જેવી બનાવી દીધી હતી, પણ તેના પર રંગનું છાંટણું પણ કર્યું ન હતું. રાજાને થયું કે એ ચિત્રકાર કાં તે ગાંડે અથવા તેરી હશે. એણે ચિત્રકારને પૂછયું કે આમાં ચિત્રકામ ક્યાં? ચિતારાએ કહ્યું : “વચ્ચે પડદો દૂર કરા.” પડદો દુર થતાં સામા ચિત્રકારની ભીંતનાં ચિત્રોની છાયા આ ભીંત પર પડી. અભુત દ નજરે પડ્યાં. સામેના ચિત્રકારનું કામ છાયાચિત્રમાં હજારગણું સુંદર રજૂ થયું. રાજાને આશ્ચર્ય લાગ્યું. ચિત્રકારે ખુલાસો કર્યો કે ચિતરામણ રજૂ કરવા માટે ભીંતની ભૂમિકાની શુદ્ધિ કરવી ઘટે અને ભીત શુદ્ધ થાય છે તેમાં જે છાયા પડે તે અલૌકિક સ્વરૂપ ધારણ કરે. રાજાને ખાતરી થઈ કે ચિતરામણ બરાબર કરવું હોય તે ભૂમિકાની શુદ્ધિ એ અગત્યની વસ્તુ છે. રાજાએ પ્રથમના ચિત્રકારને ઈનામ આપ્યું, પણ બીજા ભીંત ઘસનાર ચિતારાને ભારે સન્માનપૂર્વક મોટું ઈનામ આપ્યું. એટલા માટે ગપ્રગતિ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુને તદ્યોગ્ય ભૂમિકા તૈયાર કરવાની ખૂબ જરૂર છે. આ ભૂમિક-શુદ્ધિ માટે ઉપર જણાવેલા ચારે પ્રકાર (દેવગુરુપૂજન, સદાચાર, તપ અને મેક્ષ અષ) એને વિશાળ અર્થમાં બહુ ઉપયેગી ભાગ ભજવે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘન-વીશી આની સાથે એક બીજી અગત્યની વાત એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે અનંત કાળચક્રમાં ફરતાં–રખડતાં પ્રાણી જ્યારે છેવટના ભ્રમણ-પરાવર્તામાં આવે છે, ત્યારે સ્વભાવકારણ નિમિત્તે એનામાં મહાન ફેરફાર થાય છે. અને તે માટે પાંચ સમવાયી કારણોને એને આશ્રય કરવો પડે છે. એની આત્મપરિણતિમાં પ્રગતિની સ્વાભાવિકતા હોવી જોઈએ; એ માટે સમય પાકેલ હોવો જોઈએ; તદ્યોગ્ય ભવિતવ્યતા હોવી જોઈએ; કર્મ પર સામ્રાજ્ય મેળવવાની યોગ્યતા આવવી જોઈએ અને તે પુરુષાર્થ હોવો જોઈએ. આ પાંચે સમવાયી કારણને સગ કેટલે જરૂરી અને ઉપયોગી છે, તે ઝીણવટથી સમજી લેવાની જરૂર છે. જ્યાં સુધી સંસારને સદ્ભાવ લાંબે હોય, મલિનતાની અતિશયતા હોય, અને અતત્વને અભિનિવેશ હોય, ત્યાં સુધી ગપ્રગતિ થતી નથી. એટલા માટે આ કાર્યકારણભાવ સૂમ બુદ્ધિથી સમજી લેવાની જરૂર છે. આ સમવાયી કારણે સામાન્ય બોધ મેં કર્મના પરિચયમાં આવે છે, તેને માટે વિનયવિજય ઉપાધ્યાયનું પંચ કારણનું સ્તવન વાંચવા ગ્ય છે; અને વિસ્તારથી સમજવા માટે ગબિન્દુ અને શાસ્ત્રવાર્તાસમુચ્ચય (હરિભદ્ર) જેવા યોગ્ય છે. અત્રે પ્રસ્તુત વાત પ્રસ્તાવનારૂપે એટલી કરવાની છે કે ભૂમિકાશુદ્ધિ જેટલી જ અગત્યની વાત પાંચ કારણોની અનુકૂળતા થઈ જવાની છે. કારણ-કાર્યસંબંધ સમજી પંચ કારણનો સહયોગ મેળવવાની અને તેને માટે યોગ્યતા પ્રાપ્ત કરવાની તાલાવેલી ઉત્પન્ન કરવાની કેટલી જરૂર છે, તે આ સ્તવનના વિવેચનમાં વિચારવાનું પ્રાપ્ત થશે. અને સેવાનું કામ ઉપરચેટિયું યા ઔપચારિક હોય, તે વાત જલદી જામે તેવી સહેલી નથી. દેખાવ કે આડંબરને અવકાશ નથી. આ આખી સેવનની ભૂમિકા તૈયાર કરવાને, તૈયાર કરવા માટે તેને સમજવાનો અને સમજીને તેને વ્યવહારમાં મૂકવાનો આ સ્તવનને આશય છે. એ ગપ્રગતિની ભૂમિકા માટેની ભૂમિકા તૈયાર કર્યા પછી આપણે હવે એ સ્તવનના હાઈમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરીએ. અહી એક હકીકત, પુનરાવર્તનને ભેગે પણ, સ્પષ્ટ કરવાની જરૂર છે જ્યાં જ્યાં અમુક તીર્થકરનું નામ આવે ત્યાં ત્યાં આદર્શ મહાન યોગી, સ્વપરઉપકારી, ભવ્ય આદર્શ સમજી લેવો. એમાં અમુક વ્યક્તિ સાથે સંબંધ નથી, અમુક નામ સાથે સંબંધ નથી કે અમુક ઇતિહાસ (વૈયક્તિક) સાથે સંબંધ નથી. એટલે તીર્થંકરનાં નામ ઔપચારિક હોવા છતાં આદર્શ રજ કરે છે, એ હકીકત સર્વદા મન પર રાખવી. ઉપરના મુદ્દાને ધ્યાનમાં રાખીને અત્ર વક્તવ્ય એટલું છે કે સંભવનાથ ચાલતી વીશીમાં ત્રીજા તીર્થકર થયા. પિતા જિતારિ, માતા સેના રાણી અને જન્મસ્થાન શ્રાવસ્તી નગરી, એને સાવથીનું નામ પણ અપાય છે; કુણાલ દેશની એ રાજધાની હતી. ગંડા જિલ્લામાં અકીનાથી પાંચ માઈલ દૂર અને બલરામપુરથી પશ્ચિમે બાર માઈલ દૂર રાપતી નદીના પશ્ચિમ તટ પર આ શહેર હતું. અત્યારે સહેઠમહેઠના નામથી એ ગામ પ્રસિદ્ધ છે અને એ શ્રાવસ્તીનું અવશેષ Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭ ૩: શ્રી સંભવનાથ સ્તવન છે, એમ શોધક વિદ્વાન કહે છે. *પિતાને ઘેર એમના અવતરણ પછી વરસાદ વરસ્ય, દુકાળ દૂર થયે અને ધન ધાન્ય પાકવાની સંભાવના થઈ તેની યાદગીરીમાં માતા-પિતાએ તેમનું “સંભવ' નામ રાખ્યું. એમને સુવર્ણ દેહ અને અશ્વચિત છે. આ પ્રાસંગિક ોંધ જાણવા માટે જ કરી છે, બાકી સ્તવનના મજકુર કે ભાવાર્થ સાથે અમુક તીર્થકરને કશો સંબંધ નથી, એ વાત લક્ષ્યમાં રાખવી. સ્તવન (રાગ-રામગિરિ; રાતલી રમીને કિંહાથી આવી રે–એ દેશી) સંભવદેવ તે ધૃર સેવો સવે રે, લહી પ્રભુસેવન ભેદ, સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. સંભવદેવ તે ધૂર સેવો સવે રે. ૧. અથ–પ્રભુ –વીતરાગદેવની સેવાનું ઊંડું રહસ્ય સમજી-જાણી સર્વે સૌથી અગાડી વીતરાગ આદર્શ શ્રી સંભવનાથ ભગવાનની સેવા કરે અથવા સંભવનાથના દેવત્વને સે. સેવા કરવાના કારણરૂપ સૌથી અગત્યની વાત ભૂમિકાનું સંમાર્જન છે, એટલે ભૂમિકાની શુદ્ધિ કરવાની છે. એ ભૂમિકાનાં ત્રણ વિશેષણો સમજી લે, એ અભય (ભયરહિતપણું, અષ(શ્રેષરહિતપણું) અને અખેદ (થાકરહિતપણું) છે. (આ ત્રણ ભૂમિકાશે ધનના વિશેષણ પર નીચેની બીજી ગાથામાં ભેગી કવિ પોતે જ થેડી વિગત આપે છે.) બો–(જ્ઞાનવિમળસૂરિને ટો) એ જિનને જે વારે તેડયા તે વારે તેમની સેવા કેમ કરીએ તે કહે છે. સુખ ઉપજે તેનાથી એવા સંભવનાથ કહીએ, ત્રીજા તીર્થકર. તે પ્રત્યેદૈવત કહેતાં સાચ કરી સકલ પ્રાણી જન સેવે; અથવા દૈવત કહેતાં બૈર્ય તથા ભાવ ધરી પ્રથમ પાઠાંતરદેવ તે – દેવત. ધૂર સેવ સેવે રે - ચિત ધરી સેવીએ. લહી - લહે. પ્રભુ - ઈજી, રેપ્રથમ અને ત્રીજા પદમાં એક પ્રતમાં મૂકી દીધેલ છે (૧) શબ્દાર્થ–સંભવદેવ = આ વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર; વીતરાગ આદર્શના એક પ્રતીક. દેવત = (પાઠાંતર) સત્ત્વ, સાર, દીય (જ્ઞા.). ધૂર = પ્રથમ, સવથી પહેલાં. સેવો = પૂજે, ની સેવા કરે, સ = સવે, બધાં. લહી = મેળવી, પ્રાપ્ત કરી, જાણી. સેવનભેદ = સેવાના પ્રકાર, સેવાનું અંદરનું રહસ્ય, તફાવત. સેવન–કારણ = સેવા કરવાનો પ્રસંગ, સેવાનો હેતુ. પહેલી = મૂળે, શરૂઆતમાં, ભૂમિકા = ચિત્તની અવસ્થા (દા. ત. ગમાં પાંચ બતાવેલી છે : ક્ષિપ્ત, ગૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. આનંદઘન મતે નીચે બતાવેલી મનની ત્રણ અવસ્થા અભય = ( ચિત્તની અવસ્થાની પ્રથમ ભૂમિકા) ભયરહિતપણું વિશેષ માટે બીજી ગાથા. અદેપ = ( ચિત્તની અવસ્થાની બીજી ભૂમિકા) પરહિતપણું; વિશેષ માટે બીજી ગાથા. અખેદ = (ચિત્તની અવસ્થાની ત્રીજી ભૂમિકા) થાકરહિતપણું, વિશેષ માટે બીજી ગાથા. (૧) એક પં. શ્રી કલ્યાણવિજ્યજીકૃત “શ્રમથ ભગવાન મહાવીર', પૃ. ૩૯૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૮] શ્રી આનંદઘન-વીશી આપીને સે. પ્રભુસેવાના અનેક પ્રકાર છે તે લો-જાણો. સેવના કારણે પ્રત્યે–સેવના અર્થ પહેલી ભૂમિકા સમારવી. ત્યાં ત્રણ દેષ ટાળવા, ભય ૧, દ્વેષ ૨, ખેદ ૩, એ ત્રણે દોષ ટાળવા. તે ટાળવાથી ત્રણ ગુણ ઉપજે, તે કયા : અભય ૧, અદ્વેષ ૨, અખેદ ૩. સંભવદેવ પ્રત્યે ચિત્ત ધરી સેવીએ. (૧) વિવેચન–સંભવનાથ આદર્શ તીર્થપતિ થયા, તેને “દેવ” શબ્દના ઉપનામથી બેલાવીને તેની સેવા કરવાની પ્રેરણ કરતાં તે સેવાને લાયક થવાની ભૂમિકા ઉત્પન્ન કરવાની હકીક્તથી શરૂઆત કરે છે. “દેવ” એટલે ધેર્ય, ગાંભીર્ય, પોપકાર, અનંત જ્ઞાનાદિ ગુણોથી અનુભવિત થયેલ સેવ્ય વ્યક્તિ. સામાન્ય કે વધારેડા ગુણો હોવાથી દેવત્વ પ્રાપ્ત થતું નથી, પણ પરિપૂર્ણતાના શિખરે પહોંચનાર દેવ તરીકે ઓળખાય છે, એ અભિધાનથી ઉદ્દેશાવાને ગ્ય હોય છે અને એ આદર્શનું સ્થાન બને છે. “દેવ” શબ્દ સાથે કવચિત્ જનતા કે પ્રાણીઓના વ્યવહારને નિયંતૃભાવ અથવા સારાં–ખરાબ કાર્યના ફળને આપવાની શક્તિમત્તાને સમાવેશ થઈ જાય છે, તે અત્રે કઈ આશય નથી. અહીં તે દેવ એટલે પિતાના પુરુષાર્થના ઉપયોગથી મહાન ગુણોને પ્રાપ્ત થયેલ વ્યક્તિ અને આદર્શ પૂરો પાડનાર મહાગી. આ આદર્શ ભાવનામૂતિને ગુણાનુરાગથી “દેવ” કહેવામાં આવે છે. એનામાં મહાન દૈવત હોય છે, એનામાં અનંત ગુણોને એના ઉત્કૃષ્ટ આકારમાં આવિર્ભાવ થયેલું હોય છે અને એવા “દેવ” નમન-સેવન-પૂજન કરવાને ગ્ય હોય છે. પણ અહીં તે એ દેવ સેવન કરવા યંગ્ય છે કે નહિ એ સવાલ નથી. એટલે એની વિચારણા કે ચર્ચા કરવાને પ્રસંગ પણ રહેતું નથી; નહિ તે બતાવી શકાય તેમ છે કે ન્યાય કે તર્કવિચારણામાં આ દુનિયાના પ્રપંચ-વ્યવહારને કેઈ નિયંતા હોઈ શકે નહિ અને એને કઈ બનાવનાર કે રચનાર હોય તે તે આવી કચવાટ-કકળાટ ભરેલી દુનિયા બનાવે નહિ. અહીં તે આદર્શ નક્કી કરવા માટે મહાન ઉપકારી દેવને સેવ્ય સ્થાન આપવામાં આવ્યું છે અને તેને સેવન કરવા માટે પોતાની લાયકાત મેળવવાની ભૂમિકા તૈયાર કરવાની સૂચનાથી શરૂઆત કરવામાં આવી છે. કોઈ પણ કાર્ય કરવું હોય તે તે માટેની ભૂમિકા તૈયાર કરવી પડે છે, ભૂમિકા વગર કોઈ કાર્ય થઈ શકતું નથી. * બીજા સ્તવનની આખરે પંથે નિહાળવાના કેડ કર્યા અને તેને પરિણામે વિચારણા કરતાં જણાયું કે યોગ્ય સમય આવી પહોંચશે ત્યારે પંથના નિહાલનનું કાર્ય બની આવશે. આવી આશા પર જીવતે ચેતનરાજ હવે પિતાની જાતને અને અન્ય મુમુક્ષુઓને કહે છે કે તમે બીજાં સર્વ કામ છેડી દઈને એ મહત્યાગી, તપસ્વી, વૈરાગી, ઉપકારી શ્રી જિનદેવને ભજે. જે તમને આ ચકબ્રમણને કંટાળો આવ્યો હોય, જે તમારી પંથને નિહાળવાની આશા પાકા પાયા પર રચાઈ હોય, જે તમારે સર્વસંગત્યાગી થવું હોય, તે તમે સેવાનું રહસ્ય જાણી આદર્શ દેવની સેવા કરે. જે સેવન કરવાની ઈચ્છા બરાબર થઈ હોય તે સેવનના ભેદ બરાબર જાણી લે. આ સેવનના ભેદમાં તેના અનેક પ્રકારો અને તેની અંદરના રહસ્યને જાણી લેવાની વાત છે. કઈ પણ વસ્તુની કે વ્યક્તિની રક્ષા કરવી હોય તે તેનું રહસ્ય મેળવવાની ખાસ જરૂર છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩: સંભવનાથ સ્તવન [ ૬૯ એટલે આદશ દેવને સેવન કરવા માટે એના સેવનના પ્રકાર અને તેનું રહસ્ય અને તેનો અંગેનો તફાવત પ્રથમ જાણી લે. જે આ ભેદ કહ્યા વગર સેવન કરવામાં આવે તે ભૂલા પડી જવાય છે. પણ આ રહસ્યજ્ઞાનની પણ પહેલાં તમારે તઘોગ્ય ભૂમિકા તૈયાર કરવાની જરૂર છે. તમારે સારી છબી ચીતરવી હોય તે કેન્વાસ સારું સાફ અને ડાઘડુઘ વગરનું જેશે. તે પ્રમાણે સંભવદેવથી કે કઈ પણ આદર્શની સેવા કરવી હશે તે તે માટેની ભૂમિકા તૈયાર કરવી પડશે. કારણ” ત્રણ પ્રકારનાં હોય છે. સમવાયી, અસમવાયી અને નિમિત્ત. સમવાયી કારણ નિત્ય કારણ છે, જટું ન પડે તેવું કારણ છે; અસમવાયી તે સમવાયી કારણની તદ્દન નજીકનું કારણ હોય છે, જ્યારે નિમિત્તકારણ પ્રસંગ ઊભું કરે છે. અહીં સેવન-કારણની હકીકત કહી છે તે નિમિત્તકરણને અંગે છે. તમે જે આદર્શ દેવની સેવા કરવા તત્પર થયા હો તે તદ્યોગ્ય ભૂમિકાની તૈયારી કરવાની ખાસ જરૂર છે એ વાતને બરાબર જાણી લે. સેવનનું નિમિત્ત ભૂમિકા છે, એ વાત તમારા ધ્યાનમાં લઈ લે. ભૂમિકાને સેવન યેગ્ય કર્યા વગર તમે સેવાના કાર્યમાં પ્રવેશ કરશે તે તમે જોઈએ તેવું પરિણામ લાવી શકશે નહિ. માટે સેવનને ભેદ સમજી સેવન યેગ્ય ભૂમિકા તૈયાર કરે. ભૂમિકા બરાબર તૈયાર થઈ હશે તે તેના ઉપર સેવનનું ચિતરામણ થઈ શકશે. ધ્યાનમાં રાખવું કે સેવનનું નિમિત્તકારણ મળવાથી સેવન થઈ જશે એમ સમજવાનું નથી. પણ સેવન થયાનું નિમિત્ત પ્રાપ્ત થશે, સેવન થવાને પ્રસંગ સાંપડશે અને આદશને નિહાળવાના પંથે પ્રગતિ થશે. આ રીતે સેવનનું નિમિત્ત-ભૂમિકા મેળવવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી મેગીમહારાજ પોતે જ ગભૂમિકાનું વર્ણન કરે છે અને તેને માટે ત્રણ વિશેષણો વાપરે છે : અભય, અષ, અખેર. એટલે તમારે જે ગ–પ્રગતિ કરી પથડે નિહાળો હોય અને દેવદર્શન કરી તેના જેવું થવું હોય તે પ્રથમ આ ત્રણ વિશેષણથી વિશિષ્ટ ભૂમિકા તૈયાર કરે. આ ત્રણ વિશેષણની સમજણ જરૂરી વિસ્તારથી સ્તવનકાર પોતે જ આગળ આપનાર છે. એ વિશેષણોમાં ભારે ખૂબી છે. એમાં ગનું રહસ્ય છે; એમાં ચેતનના ઉત્થાનનાં ઊંડાં તત્ત્વ છે, એમાં પ્રગતિનાં સુનિશ્ચિત સ્થાને છે અને એમાં ચેતન સન્મુખ દશા છે. જે ભૂમિકા સેવનનું નિમિત્ત થવાની શક્યતા ધરાવે છે તે ઉપર જણાવેલાં ત્રણ વિશેષણોથી વિશિષ્ટ હોવી ઘટે. એ ત્રણેને વિસ્તાર આવતી બીજી ગાથામાં આ જ સ્તવનમાં યોગીકવિ કરવાના છે. એ ભૂમિકા ન હોય તે પ્રગતિ મુશ્કેલ છે, એ વાત કરવા સાથે બીજી પણ એક વાત સ્પષ્ટ કરી દેવાની જરૂર છે કે, આ ત્રણ વિશેષણથી વિશિષ્ટ ભૂમિકા તૈયાર કરવા ઉપરાંત યોગપ્રગતિને અંગે બીજી પણ અનેક પ્રાસંગિક ભૂમિકા તૈયાર કરવાની હકીકત આગળ આવશે. જેમ કે, પ્રગતિ ગ્ય કાળ પરિપકવ થવો જોઈએ; ગદષ્ટિમાંથી પ્રથમની ચાર દષ્ટિ લાધવી જોઈએ; પ્રાણીમાં કાંઈ નહિ તે માર્ગાનુસારીના ગુણ હોવા જોઈએ અને મેક્ષસન્મુખ દશા હોવી જોઈએ. એટલે એ ત્રણ વિશેષણ ભૂમિકા તૈયાર કરવા માટે દાખલારૂપે અથવા અંતર્ગણનારૂપે હોય તેમ જણાય છે, પણ તે પરિપૂર્ણ નથી, છતાં તે એટલાં મહત્ત્વનાં છે કે એ ત્રણ વિશેષણ હોય તે ભૂમિકા લગભગ તૈયાર થઈ જાય તેવું છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ eo ] શ્રી આનંદઘન-ચાવીશી : : આ ગાથામાં દેવત' પાઠાંતર છે તેને અથ જ્ઞાનવમળસૂરિએ ‘ ધૈ ' કર્યો છે, તે જરા તે તાણીખેંચીને કર્યો હાય તેમ જણાય છે; અને દેવ તે’ પાઠ બરાબર બેસતા આવે છે; અને; ઘણીખરી પ્રતામાં એ જ પાઠ છે, એટલે ‘· દેવત' પાઠને વિચારવાની બહુ જરૂર રહેતી નથી. ‘ધુર ’ શબ્દ ખડું સૂચક છે. એનો અર્થ · સ`થી પહેલાં' એમ થાય છે; એટલે તમારે યોગપ્રગતિ કરવી હાય તે સથી પહેલાં તે તમારે આદશ દેવની સેવા કરવી, આ પ્રમાણે આદેશ આપીને પછી સેવન યેાગ્ય ભૂમિકા તૈયાર કરવાની વાત કરે છે; ત્યાં પણ · પહિલી શબ્દ વાપરીને આ ભૂમિકા તૈયાર કરવાના ભાવને ખૂબ ભાર આપે છે. સુદ્દાની વાત એ છે કે યાગવાંચકપણું પ્રાપ્ત કરવા પહેલાં ભૂમિકા તૈયાર થવાની જરૂર છે. અ યેાગાવ’ચકપણાની હકીકત આગળ આઠમા રતવનમાં કહેવાની છે. તે પહેલાં તેની પ્રાથમિક તૈયારી કરવા માટે અને આદશ દેવનાં દન કરવા માટે આ સ્તવનમાં મુદ્દામ છ માખતા પૂર્વ પીઠ તરીકે બતાવી છે, તેને અનુક્રમે આપણે વિચારીશું. મારા આ સ્તવનના વાચન અને વિચારણાને અંગે નીચે પ્રમાણે પીઠિકા મને લાધી છેઃ— ૧. ભૂમિકા—સમાન : અભય, અદ્વેષ, અખેદ. ૨. પિરાંતના રિપાક (કાળકારણની પ્રાપ્તિ ). ૩. પ્રવચનની પ્રાપ્તિ. યાગાવ ચકતા. ૪. સંત–સાધુપુરુષોના પરિચય. ૫. અકુશળ ચિત્ત પર વિજય. ૬. અધ્યાત્મગ્રંથાનું પરિશીલન. પૃથક્કરણ કરતાં આ પીઠિકારૂપે છ બાબતે આ સ્તવનમાંથી પ્રાપ્ત થાય છે. બાકી તા, પાંચે સમવાયી કારણેાને પણ તેમાંથી તારવી શકાય તેમ છે. આ રીતે પીઢરચના થઈ જાય, પછી પ્રભુદનની તીવ્ર લાલસા જાગે, પછી તેવા થવાથી તમન્ના થાય અને એ રીતે ક્રિયાવ ચકપણું અને છેવટે ફ્ળાવ'ચકપણું પ્રાપ્ત થતાં આત્મદર્શન થતું જાય અને અંતે પરમાત્મભાવ પ્રાપ્ત થાય. આ આખા ક્રમ પદ્ધતિસર આ સ્તવનોમાં યાગીરાજે બતાવ્યા છે, તે આપણે વિવેચનમાં જોતા જઈશુ. રખડતા રઝળતો આત્મા પાતે અંતરાત્મભાવમાં વિલીન થઇ પરમાત્મા થઇ શકે છે અને આપણે સર્વ પ્રયાસ પરભાવમણુતા છેોડી ચેતનના સ્વભાવ પ્રાપ્ત કરવાના છે : આટલી વાત સમજાય તે આખું યાગનું રહસ્ય પ્રાપ્ત થઈ જાય છે. તે શેાધીને સમજવાના માર્ગ અત્ર બતાવ્યા છે. ઉત્કૃષ્ટ પરમાત્મદશામાં પશુ તેનું વ્યક્તિત્વ રહે છે તે ભાવ સમજવા માટે ખૂબ વિચારણા થશે પ્રયાસનું પરિણામ અનુકૂળતાના ઉપયોગને લઇને એ ભાવ પ્રાપ્ત કરવામાં આવશે. એ વિચારણાથી પરિણામધારા મજબૂત થશે. આપણે તેટલા માટે આદશ-સેવનની ભૂમિકાને વિચારીએ. એ સેવાનું રહસ્ય જાણવા અને સ્વીકારવાની જરૂર આત્મપ્રગતિને અંગે પ્રથમ સ્થાન ધરાવે છે. (1) Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩: શ્રી સંભવનાથ સ્તવન [૭૧ ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હે કરતાં થાકીએ રે, દોષ અબોધ લિખાવ. સંભવત્ર ૨ અથ – પિતાના વિચારોનું અસ્થિરપણું તે ભય; હકીકત પર અરુચિ કે છૂણ થાય તે શ્રેષ; અને સેવા કરવાને વ્યવસાય કરતાં થાક લાગે તે ખેદ–આ ત્રણે (ભય, દ્વેષ અને ખેદ) અજ્ઞાનનું પરિણામ છે એમ સમજવું (અથવા તું એમ જણ). અબેધનું પરિણામ જાહેર કરે છે. (૨) ટબો—તેને અર્થ કહે છે જે પરિણામની ચપળતા–ત્રિગે મનગની અસ્થિરતા – તે ભય કહીએ-૧. ધર્મકરણ વિષેની બાબતમાં રુચિભાવ નડુિ તે દ્વેષ–૨. જે ધર્મકરણી કરતાં શ્રમ પામીએ-થાકીએ–શજવેઠની પરે (જેવું) થાય તે ખેદ કહીએ-૩. એ દોષને શું જાણે? અબોધ–અજ્ઞાનપણું જણાવે. સંભવદેવ પ્રત્યે ચિત્ત ધરી સેવીએ. (૨). વિવેચન–ભૂમિકા સંમાર્જનમાં ત્રણ બાબતે કહી છે. અભય, અદ્વેષ અને અખે. જો આપણે આત્મદર્શન કરવું હોય, જે આપણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું હોય, જે આ સંસારના ઇંદ્રને છેડો લાવવો હોય, જે પૌગલિક ભાવના સંબંધ સાથે આપણને ખરે કંટાળો આવ્યો હોય. તે સ્વભાવપ્રાપ્તિનો માર્ગ પ્રગતિ કરવા માટે પ્રથમ તદ્યોગ્ય ભૂમિકા તૈયાર કરવી ઘટે. એ ભૂમિકા તૈયાર કરવા માટે અત્ર ત્રણ વિશેષણો વાપર્યા છે એટલે તેવી ભૂમિકા બનાવવી જોઈએ. ઉપર જણાવ્યું તેમ, પૂર્વસેવનના અનેક માર્ગો બતાવ્યા છે. શ્રી હરિભદ્રસૂરિએ ભૂમિકા તૈયાર કરવાને અંગે દેવગુરૂપૂજન, સદાચાર, તપ અને મેક્ષ–અષનું આસેવન શ્રી ગબિંદુ ગ્રંથમાં બતાવ્યું છે. શ્રીમાન હેમચંદ્રાચાર્યે તેને માર્ગાનુસારીના ૩૨ ગુણો પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે અને યોગીરાજ આનંદઘને ત્રણ વિશેષણથી વિશિષ્ટ ભૂમિકા બનાવવાની હકીક્ત કહી છે. આપણે આ ત્રણ વિશેષણને ભાવ સમજવા પ્રયત્ન કરીએ. પૂર્વભૂમિકા સેવનકારણરૂપે લેવાથી તેના અનેક રસ્તાઓ બતાવવામાં આવે તે, જુદા જુદા દષ્ટિબિન્દને લઈને હોય છે, અને શાસ્ત્રકાર મહારાજા કહે છે કે યોગ તે અસંખ્ય છે. જે યોગ દ્વારા પિતાના આત્માને વિસ્તાર થાય તે હેગ તેને માટે ઉપયોગી ગણાય. પાઠાંતર–ર–પ્રથમ અને ત્રીજા પદમાં મૂકી દીધા છે. આ દરેક ગાથાને લાગુ પડે છે. પ્રવૃત્તિ-પ્રવતે લિખાવ લખાવ, લખાવિ. (૨) શબ્દાર્થ–ભય બીક, ડર, ચંચળતા=અધીરાપણું. ક્ષણિકપણું ડગમગાટ, અસ્થિરપણું. પરિણામની=મનની (જૈન), વિચારની. ષ =ઈર્ષા, વૈર, તિરસ્કાર. (સામાન્ય અર્થ); અહીં અર્થ યોગીઓ સાથે જ આપ્યો છે તે અરોચક ભાવ=વસ્તુ ન ગમવી તે, વસ્તુ તરફ ધૃણા થાય તે (એ જીવ-જીવને લાગે). ખેદ=શક, સંતાપ, દિલગીરી; અહીં આગળ અથ આવ્યા છે તે થાકસહિતપણું. પ્રવૃત્તિ વ્યવસાય. ઉદ્યોગ, હિલચાલ, મચ્યા રહેવું તે. થાકીએ=વિસામો લઈએ, કામ કર્યાને લઈને શિથિલ થઈએ. દષ=ોડ ખાંપણ, ખામી. અબોધ અજ્ઞાન, સમજણની ગેરહાજરી. લિખાવ સમજાય, જણાવે. (નામ હોય તે હિંદીમાં તેને અર્થ લક્ષણ, ચિહ્ન અથવા પિછાણ થાય છે. (૨) Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] શ્રી આનંદઘનચાવીશી તેથી, સાપેક્ષ દૃષ્ટિએ, સં યાગનું ઉપયાગીપણું સ્વીકારાયેલું છે. સાધ્યનુ સ્પષ્ટપણું નિણી ત હાય તા તઘોગ્ય વાતાવરણ કે ભૂમિકા જમાવવાને અંગે યાગની ઉપયાગતા છે; એમાં વિરોધ કે વિસંગતપણું... હોઈ શકે નહિ. એ ચાવી જે સમજી જાય તે ક્રિયામાના મતભેદ્રથી ગભરાઈ જાય નહિ કે મતભેદને કારણે વિતડામાં પડી જાય નહિ. આપણે ભૂમિકાશુદ્ધિનાં યેગીરાજે બતાવેલાં સેવનકારરૂપે ખાસ આવશ્યક ગણાતાં ત્રણે વિશેષણા વિચારીએ : અભય : સાત પ્રકારના ભય ખતાવવામાં આવ્યા છે. પ્રથમ તેમના પરિચય કરીએ, પછી તે શું છે તે સમજવા પ્રયત્ન કરીએ - 6 ૧. ‘ઇહલેાકભય * : દુષ્ટ મનુષ્યના તરફથી અથવા બળવાન મનુષ્ય તરફથી અડચણુ, ત્રાસ થશે એવી કલ્પના કે વિચારણા. અથવા અગાઉથી થતી ચિંતાની આગાહી કે ધુજારો. ૨. • પલાકભય 1 : મરણ પછી કયાં જવાનું થશે, કઈ ગતિમાં આંટા મારવા પડશે, ત્યાં પરમાધામીના કેવા ત્રાસે થશે, અથવા ઢોર, કીડા, વનસ્પતિ કે પાણીમાં કેવા હાલ થશે તેના ડર. આદાનભય · ઘર-દુકાનમાં ચારી થઇ જવાની બીક, એક ગામથી બીજે ગામ જતાં લૂંટારાની બીક. પોતાનાં નાણાં કયાં હોય તેના ભાવ બેસી જવાની આગાહીથી થતી થરથરાટી. , 3. 6 ૪. અકસ્માતભય • : કોઈના તરફથી ન થાય તે એકાએક થતા ભય. વીજળી પડવાથી કે મોટરથી, એરપ્લેનથી કે રેલવેના ડબે આડો પડવાથી પીડા થવાના ભય લાગ્યા કરે તે. • આજીવિકાલય · : ભાવ વધતા જાય છે, જીવનકલહુ આકરા થતા જાય છે, નાકરી ચાલી જશે, વેપારધ ́ધા તૂટી પડશે, બૈરીછોકરાં ટળવળશે, આવી ચિંતા ચાલુ રહ્યા કરે તે. ૫. ܕ ૬. ‘ મૃત્યુભય * : કયારે મૃત્યુ થશે તેની ચિ'તા, મરણુ પછી ઘરબાર, બાળક-પત્નીનું શું થશે, આ વસાવેલી રિયાસત મૂકી ચાલ્યા જવું પડશે, એવી ચિંતા. મ`ઢવાડમાં થતાં આત્ત ધ્યાન, પરલેાકભય અને મૃત્યુભય તદ્દન જુદા છે. અને માનસ દૃષ્ટિએ ખરાખર અલગ રાખવા યાગ્ય અને રાખી શકાય તેવા છે. ૭. · અપયશભય * : આ કામ કરવાથી કે અમુક લાઈન લેવાથી દુનિયામાં કલ ક લાગશે, સગાંસ્નેહીમાં માનહાનિ થશે, નાતજાતમાં પોતે હલકો પડશે અથવા રાજદરબારમાં પેાતાનુ' સ્થાન જશે આવી ચિતા થયા કરે તે. " આવા પ્રકારના ભયેાથી મુક્ત થઇ જવું, ભય લાગે નહુિ તેવું માનસ કેળવવું અને પેાતાના અંતરાત્માને યાગ્ય લાગે તે કાર્ય આત્મદૃષ્ટિએ કરવાની વૃત્તિ કેળવવી, એ · અભય ભૂમિકા ’ કહેવાય છે. ભય રાખવાથી પ્રાણી પૂરા જોસથી કામ કરી શકતા નથી અને શ’કાશીલ આત્મા વિનાશ પામે છે. પણ જ્યારે પ્રાણી અભયતા કેળવે છે ત્યારે એનામાં એક પ્રકારનુ આંતરિક ખળ આવે છે અને નીડરપણે કા સાધના કરે છે, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩: શ્રી સંભવનાથ સ્તવન [૭૩ ભય કે બીક એ માનસિક વ્યાધિ છે. કારણ વગર સામાની શેહમાં દબાઈ મરવું, સામો શું કરશે કે પિતાનું કે પિતાનાનું શું થશે, એવી ચિંતા કર્યા કરવી એ સર્વને સમાવેશ “ભયમાં થાય છે. અને ભય એક પ્રકારની મેહની છે, મોહજાળ છે, અને એ વિચાર વાતાવરણને ડળી નાખનાર હોઈ ભારે નુકસાન કરનાર નીવડે છે. “પરિણામને અર્થ સાધારણ રીતે નતીજે કે અંત થાય છે, પણ જૈન પરિભાષામાં તેને અર્થ “વિચારધારા” થાય છે. મનમાં જે વિચાર આવે તેને પરિણતિ કહેવામાં આવે છે અને પરિણતિના કાર્યને પરિણામ કહેવામાં આવે છે. પરિણામ એટલે વિચારધારા અધ્યવસાય, મનેભાવ (પાઈયસદમડુણવે. પૃ. ૬૮૪). એ પરિણામમાં ચંચળતા હોય ત્યારે કાર્યનું જેશ તૂટી જાય છે. આવા પ્રકારની વિચારધારાની અસ્થિરતા, માનસિક અધીરાપણું અથવા વિચારની ક્ષણિકતાને ચંચળતા કહેવામાં આવે છે. પરિણતિની અસ્થિરતા પર કાબૂ આવે ત્યારે “અભયભાવ ખીલે છે. અને સેવાકાર્ય નીપજાવવા માટે અભયપણની ભૂમિકા ખાસ જરૂરિયાતની હોય તે વાત સમજણ અને નિર્ણય માગે છે. અને ભયમાંના ઘણાખરા તે કલ્પિત અને મગજના તરંગનાં આંદોલને જ હોય છે. ચિત્તવિકાર (emotions)માં સર્વથી ભારે હાનિકારક ભાવ તે “ભય” છે. ભયવાળે કે ભયને આધીન થનારે માણસ માનસિક દષ્ટિએ બાપડે કે બિચારો થઈ જાય છે. પરિણામની ચંચળતાને ભય કહેવામાં આવે છે. ભયવાન પ્રાણી કોઈ કાર્ય છાતી ઠોકીને કરી શકતું નથી અને જ્યાં સુધી ઉદ્દેશની ચોખવટ ન હોય અને તેને પહોંચવાનો પાકે નિર્ણય ન હોય, ત્યાં સુધી ત્યાં ગબડી જતાં વાર લાગતી નથી. માટે સેવન-કારણભૂમિકામાં અભય”ને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. ભયની અંદર જે ચંચળ ભાવ રહેલા છે, તે ગની એકત્વતાને માટે વિરોધ કરનાર માનસિક દશા છે, એટલે યુગમાં પ્રવેશ કરનાર, સેવન કારણભૂમિકા તૈયાર કરવા સારુ નિર્ભયપણું કેળવવું જ રહ્યું. અદ્વેષ? : સેવન-કારણ-ભૂમિકા તૈયાર કરવામાં બીજું સ્થાન આવે છે અદ્વેષનું. અષને ઓળખવા માટે શ્રેષને ઓળખવો પડે. અહીં જે અદ્વેષ નિરૂપવામાં આવેલ છે તેને શ્રી હરિભદ્રસૂરિ મહારાજ યોગપૂર્વસેવામાં મેક્ષ-અદ્વેષ કહે છે તે સમજ. એનું સ્વરૂપ બતાવતાં ગબિન્દુ ગ્રંથમાં તે મહાન યોગી કહે છે તેની મતલબ એ છે કે સર્વ કર્મના ક્ષય થવાવાળી મુક્તિ ઇંદ્રિયના ભેગ સંબંધથી રહિત હોઈ ભવાભિનંદી પ્રાણીઓને એના પર દ્વેષ થાય છે. એને વિચાર થાય છે કે મેક્ષમાં તે ખાવાપીવાનું નહિ, નાચગાન નહિ, એમાં મજા શું આવે? ખુદ શ્રી હરિભદ્રસૂરિએ ગાલવ નામના તત્કાલીન પંથ પ્રવર્તકને દાખલ યોગબિન્દુ (લેક ૧૩૮)માં આવે છે. એ ગાલવ પિતાના શિષ્યને ઉપદેશ કરે છે કે વૃન્દાવનમાં શિયાળપણું મળે તે સારું, પણ તદ્દન અવિષય મેક્ષમાં તે શી મજા આવે? આવા આવા શ્રવણને પણ અયોગ્ય આલાપ મોક્ષની વિરુદ્ધને સંભળાય છે, એનું કારણ એમ સમજાય છે કે પ્રાણીને સંસાર તરફ એટલી આસક્તિ લાગેલી હોય છે કે, મોક્ષની સામે ગમે તેવો બકવાદ કરનારા ૧૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ શ્રી આનંદઘન વીશી પણ નીકળી આવે છે. ભવબીજને ત્યાગ કરનાર કલ્યાણભાગી પ્રાણીઓમાં મોક્ષ તરફ આવા પ્રકારને દ્વેષ ન હોય. એ કદાચ સંસારને ત્યાગ ન કરી શકે કે આસક્તિ-મુક્ત ન થઈ શકે તે પણ એને મોક્ષ તરફ ષ તે ન જ હોવો જોઈએ, છેવટે કાંઈ નહિ તે એને મોક્ષ તરફ અદ્વેષ તે હોવો જ જોઈએ, દ્વેષ ન હો અને અદ્વેષ હો એ અલગ અલગ ભાવે છે. અદ્વેષ એટલે મધ્યસ્થ ભાવ. આનંદઘન મહારાજ દ્વેષને અરોચક ભાવની કક્ષામાં મૂકે છે. કઈ પણ પ્રકારના રેચક ભાવની ગેરહાજરી તે અચકભાવ. શુભ પ્રવૃત્તિમાં આગળ વધવા તરફ અરુચિ, એને અચકભાવ કહેવાય, એટલે ગપ્રવૃત્તિ તરફ સુરુચિને અભાવ તે દ્વેષ. ભૂમિકા શુદ્ધિ કરવા માટે ભૂમિને “અષ” બનાવવી ઘટે. એમાં સુરુચિને ભંગ થવા ન ઘટે અને અરુચિને સ્થાન ન હોવું જોઈએ. પ્રગતિ થાય કે નહિ, પ્રવૃત્તિ બને કે નહિ, તે સવાલ અત્ર નથી, પણ પ્રગતિ કે પ્રવૃત્તિ તરફ રુચિને અભાવ તે ન જ હવે જોઈએ અને તેટલા જ માટે શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાય અગિયારમા પાપસ્થાનક બ્રેષ’ની સજઝાયમાં સ્પષ્ટ રીતે કહે છે કે – યોગનું અંગ અપ છે. પહેલું, સાધન સવિ લહે તેથી વહેલું લાલન, તેહથી વહેલું.' એટલે કેગના અંગની શોધ કરવી હોય તો તેની ચાવી બતાવતાં તેઓ કહે છે કે અષ્ટાંગ યોગનું સાધન કરવા ઈચ્છનારને પ્રથમથી જ અષી થવું ઘટે છે. આ પ્રમાણે અષમય ભૂમિકા તૈયાર કરવાની ખાસ જરૂરિયાત પર સર્વ યેગીઓએ ભાર મૂક્યો છે. શ્રેષને સાધારણ અર્થ ઠેષ, ઘેર, ઈર્ષ્યા વગેરે થાય છે. અહીં યોગની ભૂમિકા તરીકે અદ્વેષ એટલે અરુચિપણને અભાવ એવો અર્થ છે, એમ યોગીરાજ પોતે જ જણાવી દે છે. આવી રીતે ગપ્રવેશ કરતી વખતે યુગના સેવન માટે ભૂમિકા તૈયાર કરવાની—એને અભય અને અદ્વેષ બનાવવાની–જરૂરિયાત બતાવી. બાકી, ઉપમિતિભાવપ્રપંચી કથામાં અવિવેકિતાના પતિ અને મહારાજા મહરાયના ફટાયા તરીકે જે દ્વેષગજેન્દ્રને બતાવવામાં આવ્યો છે, તેવો છેષ સર્વથા ન હોવાની દશા તે વીતરાગભાવ મળે ત્યારે પ્રાપ્ત થાય છે. વીતરાગભાવ આવે ત્યારે સાથે વીતદ્વેષ થવાય છે. એ ભાવ અત્ર નથી. ધર્મ તરફ અરુચિપણને અભાવ, મોક્ષ તરફ તિરસ્કારને અભાવ, સચ્ચારિત્ર તરફ અરુચિને અભાવ, એને અષ કહેવામાં આવેલ છે અને સેવનકાર્ય માટે એવી ભૂમિકા તૈયાર કરવાની જરૂરિયાત પર અત્ર ધ્યાન ખેંચવામાં આવ્યું છે. એ જ હકીકતને હકારાત્મક આકારમાં મકીએ તે એમાં ધર્મ કે મોક્ષ તરફ અંતરની રુચિ રહ્યા કરે, ચિત્ત એવા પ્રકારના પ્રસંગો આવી પડે ત્યારે હોંસથી એને ગ્રહુણ કરે એવી ભૂમિકા થવી જોઈએ. આ રીતે મોક્ષ તરફ રુચિ અને ધર્મ, કિયા. ધ્યાન-એકાગ્રતા તરફ આકર્ષણ થાય તેને અષ” ભૂમિકા કહેવામાં આવે છે. આ “અષની ભૂમિકાને સ્વીકાર સર્વ યેગીઓએ એકમતે કર્યો છે. અખેદ' સેવન-કારણ-ભૂમિકા તૈયાર થઈ હોય કે થતી હોય તેનું ત્રીજું વિશેષણ “અખેદ” છે. આ ભૂમિકામાં શુભ કિયાને અંગે થાક ન લાગવો જોઈએ, એને કંટાળો ન થવો જોઈએ, Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩:સભવનાથ સ્તવન [ ૭૫ એના તરફ શ્રમની લાગણી પણ ન થવી જોઇએ. દરરોજ સવારે ઊઠીને પડિકમણું કરવું કે દરરોજ બે વાર દેરાસરે જવું કે વળી સાંજના પ્રતિક્રમણ કરવું અથવા ડુંગર ચઢી યાત્રા કરવી, એમાં ખેદ ન લાગવા જોઇએ; ઊલટું એમાં મજા આવવી જોઇએ. અથવા મેાટી પ્રતિષ્ઠાવિધિ કે પ ણુના આઠ દિવસ આલેચનક્રિયા-ખમતખામણાં કર્યા પછી નવમે દિવસે ‘ હાશ ! છૂટયા’ એવે ભાવ ન થયેા જોઇએ; પણ મનમાં વિચારણા થવી જોઇએ કે મારે એવે દિવસ વળી ફરી વાર કયારે સાંપડશે ? સામાયક એ ઘડીનું લેવામાં આવે છે ત્યાર બાદ સામાયક પૂરું થાય તે વખતે ગુરુશિષ્ય વચ્ચે રા માંગવાને અંગે સવાલજવાય યાયા છે તે આ ‘ અખેદ ’ ભૂમિકાને અંગે વિચારવા યેાગ્ય છે. શિષ્ય પૂછે—સામાયક પારું ? ગુરુ જવાબ આપે—પુનો વાયવ્યો એટલે સમાયક ફરી વાર કતવ્ય છે, એની ગુરુએ જવાબમાં સૂચના કરી. શિષ્ય તે જવાબ સાંળળી કહે—યથારાના—શક્તિ પ્રમાણે કતવ્ય બજાવીશ. પછી શિષ્ય પોતાના નિણ ય બતાવે. તે કહે– સામાયક પાયું.’ આના જવાબમાં ગુરુ કહે-બાયરો ન મુત્તવ્યો. આ સામાયક તરફના આદર છેડી દેવા યાગ્ય નથી. એના આશય એવા છે કે અત્યારે તને સમય ન હોય તેપણ મારી તને ભલામણ છે કે એ સામાયક તરફના આદર ન મૂકતે, એટલે જ્યારે જ્યારે તને વખત મળે ત્યારે ત્યારે સામાયક કરવાની વૃત્તિ રાખજે. એના જવાબમાં મુમુક્ષુ દ્દત્તિ-ગુરુદેવનું વચન બરાબર છે, એવા જવાબ આપે. આવા પ્રકારના આદરભાવ એ અખેદ ભૂમિકા છે. એક-બે દાખલા વિચારીએ એટલે આ ભૂમિકાની વધારે સ્પષ્ટતા થશે. એક વ્યક્તિએ ઉપધાન કર્યા. ૪૫ દિવસ સુધી ઉપવાસ-નીવિ કર્યા, વિધિવિધાન કર્યાં. પારણાને દિવસે એ એમ વિચારે કે ચાલે, હવે આ પંચાતમાંથી છૂટયા !—તે એની અખેદ-ભૂમિકા થઇ નથી એમ સમજવું. એના મનમાં તે દિવસે ભાવના થાય કે ધન્ય અવતાર થયા ! વળી બીજી અનુકૂળતા થશે તે પાંત્રીશું ( બીજા ઉપધાન) કરીશ. આમ થાય તેને અખેદની ભૂમિકા મળી છે એમ માનસ પૃથક્કરણ નજરે સમજાય છે. નાનાભાઈ વિદ્વાન, સેકડો શિષ્યને પાઠ આપે. મોટા ભાઈ ભલે-ભાળા, યોગ્ય ચારિત્ર પાળે. નાનાભાઈને એક રાત્રે ઊંઘ આવતી હતી, શિષ્ય રાત્રે પાઠ લેવા આવ્યો. કંટાળીને એ બેાલી ગયા કે આ ભણતર અને ફફડાટને બદલે મોટો ભાઇ સુખી છે ( પાંચમી કથા-વરદત્ત ચરિત્ર). આવી વૃત્તિ થાય અને અભ્યાસ તરફ ખેદ થાય ત્યારે સમજવું કે હજુ એ વ્યક્તિને ‘ અખેદ ’ ભૂમિકા પ્રાપ્ત થઇ નથી. વાત એ છે કે પ્રાણીને વિભાવદશામાં પૌલિક બાબતામાં જેવી મજા આવે તેવી જ મજા યોગપ્રવૃત્તિમાં અને પ્રગતિમાં આવવી ઘટે. એ આવે ત્યારે એને અખેટ્ઠ–ભૂમિકા પ્રાપ્ત થઈ છે એમ સમજવું. આ રીતે થતા ત્રણે દોષો—ભય, દ્વેષ અને ખેદ——એ અજ્ઞાનને પરિણામે થાય છે. આ અખાધ-અજ્ઞાનને ખરાબર સમજવા યોગ્ય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૬] શ્રી આનંદઘન-વીશી અબોધ” : અજ્ઞાન, અલ્પ પરિચય. અબોધને પરિણામે સંસાર તરફ રુચિ રહે છે, આત્માનું ભાન નહિવત બની જાય છે, પાપમાં આસક્તિ જામતી જાય છે અને ભાવાભિનંદીપણાને મોકળાશ મળે છે. એને પરિણામે પ્રાણી દીન, મસરી, બીકણ, માયાવી મૂખ અને સંસારમાં આસકત રહે છે. અને પરિણામે અનેક ખેટાં કામ કરી પિતાના આત્મિક પ્રગતિના માર્ગને ડોળી–ડખોળી નાખે છે. અજ્ઞાન અને અધ લગભગ એક જ છે. અનાદિ સંસારનું એ મૂળ કારણ છે. સાંખ્ય એને “દિક્ષા” કહે છે, શો એને “ભવબીજ' કહે છે, વેદાન્તિકે એને ભ્રાંતિરૂપ “અવિવા” કહે છે બૌદ્ધો એને અનાદિલેશરૂપ “વાસના” કહે છે અને જેને એને “મિથ્યાત્વ, “અજ્ઞાન” અથવા “અધ” કહે છે. ઉપર જણાવેલા ત્રણે દોષે–ભય, દ્વેષ, અને ખેદ–અબોધને લઈને થાય છે એમ સમજ. લિખાવમાં “લિખા” એ સંજ્ઞા છે. એમ સમજી એ એને ભાવ છે. અજ્ઞાનને પરિણામે પ્રાણી પિતાને પણ બરાબર પિછાન નથી, અને પવન આવે તેમ વિકારવશ થઈ આંટા મારે છે, માટે જેણે સેવન યોગ્ય ભૂમિકા તૈયાર કરવી હોય, તેણે ભય, દ્વેષ અને ખેદ નામના દે પર વિજય મેળવવા અને તેમ કરવા માટે તે દોષને બરાબર ઓળખવા અને પછી અભય, અધેષ અને અખેદની ભૂમિકાને તૈયાર કરવી. જ્યાં પરિણામની ચંચળતા બતાવનાર ભય હાય, જ્યાં અરોચક ભાવથી વ્યક્ત થતે દ્વેષ હોય અને જ્યાં શુભ પ્રવૃત્તિ કરતાં થાક લાગતું હોય ત્યાં ખેદ નામને દેષ છે અને તે અબોધન પરિણામ છે અને ભવાભિનંદીપણાની પિછાણ છે. આ છેલ્લે ભાવ વધારે સુસ્પષ્ટ જણાય છે. આ પ્રમાણે અર્થ ઘટાવતાં આખી ગાથાને ભાવ પરસ્પર મેળ ખાઈ જાય છે. આ રીતે ભૂમિકાશદ્ધિ થાય ત્યારે પ્રાણી માગે પ્રગતિ કરે છે. હવે આપણે તદ્યોગ્ય સમય અને વાતાવરણ ક્યારે તૈયાર થાય તે ગદષ્ટિએ વિચાર કરીએ. (૨) ચરમાવરત ચમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી ૨; પ્રાપતિ પ્રવચન વાક. સંભવ૦ ૩ પાઠાંતર–ચરમાવરત – ચરમાવર્તન. પ્રાપતિ – પ્રાપ્તિ. (૩) શબ્દાર્થ—ચરમાવરત = ચરમ એટલે છેલું; આવર્ત = આંટ, ચકરાવો; ચરમાવર્ત એટલે પુગળપરાવતને છેલ્લે કાળચક્રનો કાળ (વિવેચન જુઓ. ચરમકરણ = યથાપ્રત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણમાંનું છેલ્લું કરણ (જુઓ વિવેચન). ભવ = સંસાર, ગત્યાગતિમાં જવું–આવવું તે. પરિણતિ = સ્વભાવ, તે તરીકે થવું તે, ટેવ. પરિપાક = છેડો આવો તે, અંત આવવો તે. દેષ = (ઉપર જણાવેલી) ખામીઓ. ટળે = દૂર થાય, ખસી જાય. વળી = અને, એ ઉપરાંત. દષ્ટિ = નજર (outlook). ભલી = સરસ મજાની. પ્રાપતિ = પ્રાપ્તિ, લાભ. પ્રવચન = સિદ્ધાંતવાક, ભલે પ્રકારે શ્રોતાને સમજાવીને કહેવું છે. વાક = વાણી, વાક્ય, વચન. (૩) ૧. ગબિન્દુ, શ્લેક ૧૬૯. ૨. “ લિખાવને અર્થ હિંદમાં ‘ચિહ્ન” અથવા “લક્ષણ” થાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩ : શ્રી સંભવનાથ સ્તવન [ ૭૭ અથ—અને જણાવે છે કે, જ્યારે છેલ્લું પુગળપરાવર્ત આવી પહોંચે અને ત્રણ કરણમાંનું ત્રીજું કારણ થાય અને સંસારમાં રખડવાની ટેવને છેડે આવી પહોંચે, ત્યારે ઉપર જણાવેલા દોષ (ભય, દ્વેષ અને ખેદ) ખસી જાય, સારી મજાની દૃષ્ટિ ઊઘડી જાય અને પ્રવચનસિદ્ધાંતનાં વચનને લાભ થાય. (૨) ટબ છેલ્લું પુગળપરાવર્તન તથા ચરમ યથાપ્રવૃત્તિકરણ એટલે શું કહ્યું? અનંત પદુગળપરાવર્ત થયા, યથાપ્રવૃત્તિકરણ પણ અકામનિર્જરા હેતુ થયા, પણ ચરમપુગળપરાવર્તન તથા યથાપ્રવૃત્તિકરણ મિથ્યાત, અવિરતિ, કષાય, મદ ટળે, પરિણામે તે યથાપ્રવતિ કહીએ ભવ; ઉપમા જેહને નહિ. અને વળી માર્ગાનુસારી ગુણની દષ્ટિ વચનની પ્રાપ્તિ ખૂલે, ઉઘડે તે વારે પ્રવચનના વચનની પ્રાપ્તિ થાય. રાગદ્વેષરહિતનું વચન તે પ્રવચન એટલી વાસના નિસર્ગ પણે થાય. (૩) વિવેચન–યોગ પ્રાપ્તિના સદુપાયે કરવા જોઈએ તેને અંગે મહાન યોગીઓએ અધ્યાત્મપ્રાપ્તિનો માર્ગ બતાવતાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે “અધ્યાત્મ એ એક જ વેગ પ્રગતિનો સાચો ઉપાય છે, વાદ-વિવાદમાં કદી તવપ્રાપ્તિ થતી નથી અને તત્ત્વપરિણતિ થયા વગર રેયમાં જ્ઞાનની પ્રવૃત્તિ થતી નથી. એટલે અધ્યાત્મ ઉપર લક્ષ્ય ખેંચતાં ગમાર્ગના જ્ઞાતા નિષ્પાપ મહાયોગીઓએ ભાવી યેગીના હિતને માટે અધ્યાત્મ પર ખૂબ ભાર મૂક્યો છે અને એને જ ગપ્રાપ્તિને પરમ ઉપાય બતાવ્યો છે (ગબિન્દુ કલેક ૬૮.) આવા અધ્યાત્મ-સપાય ક્યારે મળે તેને અંગે હવે વાત કરે છે. ઉપર જણાવ્યું તેમ, પાંચે સમવાયી કારણ (કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ)ને સહગ થાય ત્યારે એક કાર્ય બને છે. ગપ્રગતિને અંગે કાળ અને તદ્યોગ્ય વાતાવરણ ક્યારે થાય તેની સ્પષ્ટતા કરે છે. ગબિન્દુના ૭૨મા કલેકમાં શ્રીમાન્ હરિભદ્રસૂરિ કહે છે કે જીવ શુકલપાક્ષિક હોય તે જ્યારે છેલ્લા પુગળપરાવર્તામાં આવે અને ગ્રંથિને ભેદ કરે, જાતે દેશથી કે સર્વથી ચારિત્રી ( સાવદ્ય આસારથી નિવૃત્ત) થાય, તેને અધ્યાત્મની પ્રાપ્તિ થાય. તે આ ચરમ (છેલ્લું) પુદ્ગળપરાવત શું અને ગ્રંથિભેદ એટલે શું અને તે કેવી રીતે ક્યારે થાય, તે પ્રથમ સમજવા પ્રયત્ન કરીએ. પદગળપરાવત’૧ એ જૈન પારિભાષિક શબ્દ છે. દ્રવ્યથી સામાન્ય પ્રકારે સર્વ પદુગળનું ગ્રહણ અને ત્યાગ (ઉંઝન) થાય તેનું નામ પુગળપરાવર્ત કહેવાય છે. ૨ ઔદારિક, વૈકિય, તેજસ, કાર્મણ, ભાષા, ધાસોશ્વાસ અને મને વર્ગણપણે ચૌદ રાજલોકમાં સર્વ ૧. આ પુગળપરાવર્ત અને ત્રણ કરણને વિષય પારિભાષિક છે; તેને સરળ કરવા પ્રયત્ન કર્યો છે. એમાં ગુરુગમ હોય તો તેને સમજવામાં સરળતા થાય તેમ છે. ૨. જુઓ ગબિન્દુ શ્લોક ૭ર પણ ટીકા : વરમે પર્યન્તર્તિનિ પુત્રવતે દ્રતઃ સામાન્યન સ. पुद्गलग्रहणोज्झरूपे प्रवृते सति । Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૮] શ્રી આનંદઘન વીશી પુગળો ભરેલાં છે, તેને પરિણમા એટલે પ્રત્યેક વર્ગણારૂપે દરેક પુગળ–પરમાણુ પરિણુમાવે ત્યારે દ્રવ્યથી બાદર પુદ્ગીપરાવર્ત થાય છે. એ જ પુગળ-પરમાણુને પ્રથમ દારિક વણારૂપે ભેગવે, ત્યાર પછી અનુક્રમે વૈકિય વણારૂપે ભોગવે, યાવતુ મનોવર્ગણ રૂપે ભગવે, તેમાં એક પરમાણુને ઔદારિક તરીકે ભગવ્યા પછી વચ્ચે કિયાદિરૂપે ગમેતેટલી વાર ભોગવે તે ન ગણાય. એવી રીતે અનુક્રમે સાત વર્ગણારૂપે સર્વ પુગળ ભગવાય ત્યારે દ્રવ્યથી સૂમ પુદગીપરાવર્ત થાય. કાકાશના અસંખ્ય પ્રદેશ છે. પ્રત્યેક પ્રદેશને મરણથી સ્પર્શવામાં આવે ત્યારે ક્ષેત્રથી બાદર પુદગળ પરાવત થાય અને કાકાશના પ્રત્યેક પ્રદેશને અનુકમે એક પછી એકને મરણથી સ્પશે ત્યારે ક્ષેત્રથી સૂમ પુદગળપરાવત થાય આ ક્ષેત્રથી સૂક્રમ પુદ્ગળ પરાવર્તામાં કોઈ પણ એક પ્રદેશે મરણ થયા પછી તેના અનંતર પ્રદેશે મરણ થાય તે જ પ્રદેશ ગણવે; બાકી અન્ય પ્રદેશોએ વચ્ચે વખતમાં ગમે તેટલાં મરણ થાય તે ગણવામાં નહિ. ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વે સમયે આડાઅવળા મરણથી સ્પશે ત્યારે કાળથી બાદર પુગળપરાવર્ત થાય, અને ઉપર બતાવેલી રીત પ્રમાણે કાળચકના સમયને મરણ વડે અનુક્રમે સ્પશે ત્યારે કાળથી સૂર્મ પુદગળપરાવર્ત થાય. આ પછવાડેની ગણતરીમાં ઉત્સર્પિણીમાં પ્રથમ સમયે કાળ કર્યા પછી તેની પછીના બીજા સમયે બીજી કઈ પણ ઉત્સપિણીમાં કાળ કરે તે જ ગણતરીમાં આવે; બાકીના વચ્ચેના મરણ સમયે ગણાતા નથી. કષાયથી અધ્યવસાય થાય અને તેને લઈને કર્મ બંધ થાય. કષાય મંદ, મંદતર, તીવ્ર, તીવ્રતર હોય તે પ્રમાણે કર્મબંધ બહ તરતમતા થાય છે. કષાયની મંદતા-તીવ્રતાનાં અસંખ્ય સ્થાને હોય છે, એટલે અનુબંધસ્થાન અસંખ્ય છે. વાસના વિવિધ પ્રકારની છે અને તેટલાં અનુબંધસ્થાન થાય છે, એટલે અનુબંધસ્થાન અસંખ્ય છે. એ સર્વ અનુબંધસ્થાનક આગળ-પાછળ મરણ વડે ફરસીને પૂરાં કરે ત્યારે ભાવથી બાદર પુપિરાવત થાય. અને પ્રથમ અલ્પ કષાયદયના અધ્યવસાયે મરણ પામે, ત્યાર પછીના અનંતર રહેલા અધ્યવસાયસ્થાનને મરણ પ્રાપ્ત કરે તેને જ ગણવાને, બાકીનાં બીજા અધ્યવસાયસ્થાને ગણવાં નહિ. એ રીતે અનુકમે સર્વ અધ્યવસાયસ્થાનોને મરણથી સ્પશે ત્યારે ભાવથી સૂક્ષ્મ પુદગળપરાવત થાય. આવાં અંનત પુગળપરાવર્તે પ્રાણીએ કર્યા છે. સંસારમાં એણે એટલાં પુગળપરાવર્તો કર્યા છે કે એને ગણતરીએ તે પાર આવે તેમ નથી. આવી રીતે અથડાતાં-કુટાતાં પ્રાણી સંસારમાં રખડતે આવ્યા છે. એણે પાર વગરનાં અનંત પુદ્ગળપરાવર્તે અત્યાર સુધીમાં કરી નાખ્યાં છે. શાસ્ત્રકાર તે ત્યાં સુધી કહી છે કે ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અંગે બાદર પરાવર્તો બતાવ્યાં છે, તે તે માત્ર સમજવા ખાતર જણાવ્યાં છે, બાકી પ્રાણીઓ જે અનંત પુગળપરાવર્તો કર્યા એમ જણાવ્યું તે તે સૂક્ષ્મ સમજવાં. હવે જરા વિચાર કરીએ. દશ કડાકોડી સાગરોપમને કાળ જાય ત્યારે એક ઉત્સર્પિણી થાય. તેના એક પ્રથમ સમયે મરણ થાય ત્યાર પછી બીજી ઉત્સર્પિણીમાં બીજે જ સમયે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩: શ્રી સભવનાથ સ્તવન [ ce મરણ થાય તે ગણાય અને વચ્ચેના સમયમાં અનેક મરણ થયાં તે ફોક. અને બીજી ઉત્સર્પિણી પણ અનંતર ખીજે સમયે મરણ થાય તે જ ગણવાનું અને આંખ મી'ચીને ઉઘાડીએ તેમાં તે અસંખ્ય સમય થાય. અને સાગરોપમનાં તે અસખ્ય વર્ષો થાય. એવા દશ કરોડને કરડે ગુણીએ એવડો મોટો ઉત્સર્પિણી કાળ થાય. કલ્પના કરતાં અધધધ થઈ જાય તેવી આ ગણતરી છે અને તેવા તે અનંત પુગળપરાવર્તી થઈ ગયા અને તે પણ ખાદર નહિ પણ સૂક્ષ્મ ગણતરીએ ! આવી રીતે સંસારમાં રખડતાં જ્યારે પ્રાણીનું છેલ્લું પુદ્ગળપરાવત આવે, ત્યારે તેની એષ્ટિ મટીને યાગષ્ટિ થવા માંડે છે. એ કારે થાય અને થાય ત્યારે શુ થાય, તે હવે પછી જોઇશુ’. પ્રાણી જ્યારે ફરતા ફરતા છેલ્લા પુાળપરાવતમાં આવે ત્યારે આ યૌગિક ફેરફાર થાય છે. એટલી વાત સુધી આપણે આવ્યા. ચમકરણુ : આ સંસારમાં પરિભ્રમણ કરતાં, ઉપર પુગળપરાવના વિવેચનમાં જણાવ્યું તેમ, પ્રાણી અબેધ-અજ્ઞાનદશામાં અનંત કાળથી સખડચા કરે છે, એ રાગદ્વેષમાં આસક્ત, સ'સારમાં રસિક થઇ અનેક પ્રકારની સ્થૂળ અને સૂક્ષ્મ યાતનાઓ સહન કરે છે; એક ખાડામાંથી બીજામાં પડે છે; કોઈ વાર દેવગતિમાં જઈ સ્થૂળ સુખા અનુભવે છે તે વળી અનેક વાર નરકગતિમાં જઈ મહાકના પામે છે; અને કોઈ વાર એક આંખ મીચીને ઉઘાડીએ તેટલા કાળમાં સોળ વાર મરે છે અને સત્તર વાર જન્મે છે. જ્યાં સુધી એને સાચા દેવ ગુરુ-ધર્માંની પિછાણુ નથી થતી, જ્યાં સુધી એને પૌલિક ભાવેામાં મેજ આવે છે, ત્યાં સુધી સંસારની રખડપાટી, પરભાવરમણુતા, એ એના સ્વભાવ બની જાય છે. અને ધમાધમ એ એની ર'ગભૂમિ બની જાય છે. આ ધમપછાડામાં કોઇ વાર એને પૌલિક સુખ પણ મળે છે; પણ તે ક્ષણજીવી અને નાશ પામનારું હોઇ અંતે સાચા સુખની વ્યાખ્યામાં આવતું નથી. જ્યારે એના સાચા મા પર આવવાનો રાડુ થવા માંડે ત્યારે, ઉપર જણાવ્યું તેમ, ચરમ પુદ્ગળપરાવમાં આવી પહોંચેલ હાય છે. અહી એઘદૃષ્ટિ મૂકી એ ચેાગઢષ્ટિમાં પ્રવેશ કરે છે. એ એષ્ટિ અને યોગદિષ્ટનું રવરૂપ ખૂબ સમજવા યોગ્ય છે. તેને માટે ‘યેગાસિમુચ્ચય’માં શ્રીમાન હરિભદ્રસૂરિએ ખૂબ સુંદર ખ્યાલ આપ્યો છે. જૈનના આખા વિકાસમા સમજવા માટે આ એઘદિષ્ટ, ચાગદૃષ્ટિ અને ત્રણ કરણની વાત ખાસ સમજમાં લેવાની જરૂર છે. ચાલુ વ્યવહારની દૃષ્ટિ છેડી દર્દ, જ્યારે એ યગદષ્ટિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ધીમે ધીમે તેમાં આગળ વધતો જાય છે. આત્મવિચારણા, યોગ્યનિયંત્રણુ અને યાગ્ય માગે વન કરીને અને સુનીતિને પંથે અનુસરીને એ ગુણપ્રાપ્તિમાં ધીમે ધીમે આગળ વધતા જાય છે અને વ્યવહારકુશળ તથા આત્માથી બને છે. અહી' સમક્તિ-પ્રાપ્તિ થયા પહેલાં પ્રાણી ત્રણ કરણ કરે છે, તે અત્ર પ્રસ્તુત વિષય છે. તેને સમજતાં ચરમકરણ સમજાઇ જશે. ત્રણ કરણેામાં ચરમ (છેલ્લું) કરણ અત્ર ખાસ પ્રસ્તુત છે. ૧. તેનાં જરૂરી અવતરણ માટે જુએ શ્રી યશોવિજ∞ ઉપાધ્યાયકૃત આઠ દૃષ્ટિની સજ્ઝાય અને મારા જૈન દૃષ્ટિએ યાગ ' પૃ. ૧૬ થી આગળ. 6 Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૦] શ્રી આનંદઘન-ચોવીશી (૧) યથા પ્રવૃત્તિકરણઃ ત્રણે કરણે સમ્યક્ત્વપ્રાપ્તિનાં કારણે છે. સમ્યક્ત્વ એટલે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની પિછાણ અને સ્વીકાર. પ્રથમ યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રાણીની પૂર્વકાળમાં ચાલુ પ્રવૃત્તિ હતી, તેમાં ફેરફાર ન થાય, એ પ્રવૃત્તિ હતી તેવી ચાલુ રહે, પરંતુ એની પ્રગતિ થવા માંડેલી હોવાથી અને સાતે કર્મોની સ્થિતિ ઘટેલી હોવાથી મિથ્યાત્વનું જોર અહીં મંદ થતું જાય છે. પ્રાણી સકામ અને અકામ નિર્જરા દ્વારા કમ પર કાંઈક કાંઈક કાબૂ મેળવતો જાય છે. નિર્જરા એટલે કમને ક્ષય અથવા પચાવ. ઈચ્છાપૂર્વક આત્મસંયમ વડે થાય તેને “સકામ નિજરા” કહેવામાં આવે છે. તપસ્યા, વાચન, ધ્યાન અને ત્યાગ દ્વારા નિર્જર થાય તે સકામ નિર્જરા કહેવાય છે; એનાથી કર્મને ત્યાગ સમજણપૂર્વક થાય છે. ઈરાદા વગર પણ વેદનથી નિર્જરા થાય તે “અકામ નિજ રા’બે, ત્રણ, ઈદ્રિયવાળા છ મન વગર દુઃખે ખપે છે. એવાં પ્રાણીઓ સમજ્યા વગર, ઈરાદા વગર કે ઈચ્છા વગર પડે-આખડે તે વખતે જે કર્મ ખપે તેને અકામ નિર્જરા કહેવાય. પશુઓ, મનુષ્ય પરાધીનપણે સહન કરે, કે પ્રાણીનાં છેદન-ભેદન વખતે સહન કરવાની બાબતે બની આવે, તેને અકામ નિજેરામાં સમાવેશ કરવામાં આવે છે. આવી રીતે સમજીને અથવા પરિસ્થિતિને તાબે થઈને કર્મનિર્જરા થાય, થઈ જાય; તેમ કરતાં કઈ વખત આયુષ્યકર્મ સિવાયની સ્થિતિ એક કડાકડિ સાગરોપમની થઈ જાય છે. એની હકીકત આ પ્રમાણે બને છે. - જ્ઞાનાવરણીય, દર્શનારવણીય, વેદનીય અને અંતરાય, એ ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડા કેડિ સાગરોપમની હોય છે. એકડા ઉપર ચૌદ મીંડાં ચઢે ત્યારે કેડાર્કડિ થાય એવા સાગરોપમે ૩૦ વખત થાય ત્યારે એટલે કાળ જાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ એ ચાર કર્મોની હોય છે. એટલે એક વખત બાંધેલા જ્ઞાનાવરણીય કર્મને વધારેમાં વધારે ઉદયકાળ તેટલા વખત સુધી ચાલે છે, એટલે કર્મફળ વધારેમાં વધારે એટલાં વર્ષો સુધી ચાલે છે. આ તે એક વખત બાંધેલાં જ્ઞાનવરણીય કર્મની હકીકત થઈ. એના ઉદયકાળમાં કે દરમ્યાનમાં તે બીજા જ્ઞાનવરણીય કર્મ બાંધેલાં હોય છે. અને તે પ્રકારે દશનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મ માટે સમજવું. એ પ્રમાણે નામકર્મ અને ગે2કર્મની ઉત્કૃષ્ટ ઉદયકાળ સ્થિતિ વીશ કેડાયેડિ સાગરોપમની હોઈ શકે છે અને મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કેડાર્કડિ સાગરોપમની હોય છે. આવી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાંથી સહુજ ઓછી એક કડાકડિ સાગરોપમની સ્થિતિ પ્રાણી રહેવા દે ત્યારે પ્રાણીઓ “યથાપ્રવૃત્તિકરણ કર્યું કહેવાય છે. આમાં આઠમા આયુષ્ય કર્મની વાત ન કરી, તેનું કારણ એ છે કે એ કર્મ ભવઆશ્રયી હોઈ એને યથાપ્રવૃત્તિકરણ સાથે સંબંધ રહી શકતું નથી. સાત કર્મની સ્થિતિ, એ રીતે, એક કેડાર્કડિ સાગરોપમથી કાંઈક ન્યૂન પ્રાણી પિતે પુરુષાર્થથી કરે અથવા અકામ નિજાને પરિણામે થઈ જાય, તેને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે. અહીં કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના પ્રમાણમાં સાતે કર્મોની સ્થિતિ ઘણી ઓછી બની જાય છે. આવું કરણ તે સંસાર-પરિસ્થિતિમાં ચેતને અનેક વાર કરેલ હોય છે; એવી પરિસ્થિતિ આત્મવીર્યથી અને Page #97 -------------------------------------------------------------------------- ________________ [૮૧ ૩: સંભવનાથ સ્તવન કઈ વાર સંગ બળે બની આવે છે. આ યથાપ્રવૃત્તિકરણની બાબત તે સંસારના રખડપાટમાં અનેક વાર બની આવતી કે બની જતી હોઈ તેની ઉપયોગિતા ખાસ નથી, પણ એવી સ્થિતિ થયા પછી કોઈ વાર પ્રાણી બીજુ કરણ કરે છે અને એ ગ્રંથિભેદ કરે છે તેને મહત્ત્વનું ગણવામાં આવે છે. આ ગ્રંથિભેદ અને બીજા કરણને આપણે ઓળખવા પ્રયત્ન કરીએ. જે ગ્રંથિભેદ કર્યા વગર પ્રાણી પાછો ચાલ્યો જાય, તે યથાપ્રવૃત્તિકરણને ઉપગ રહેતું નથી. અને આવા પ્રકારનાં યથાપ્રવૃત્તિકરણ તે પ્રત્યેક પ્રાણીના સંબંધમાં અનેક વાર બની ગયેલાં હોય છે. આવેલી તક નજીક હોય, છતાં ગુમાવી બેસવાની હકીકતે અનેક વાર બને છે તેને આ દાખલે છે. ભવચકના પરિભ્રમણમાં પ્રાણીએ આવાં યથાપ્રવૃત્તિકરણ તે અનંત વાર કરી નાખેલ હોય છે. (૨) અપૂવકરણ–ગ્રંથિભેદ : બીજું કારણ તે અપૂર્વકરણ કહેવાય છે. યથાપ્રવૃત્તિ કરણ કરેલ પ્રાણી રાગદ્વેષની નિબિડ ગાંઠને કાપી નાખે તેને ગ્રંથિભેદ કહેવામાં આવે છે. કરણ આત્માના અધ્યવસાયરૂપ છે અને કરણમાં આગળ વધતા જાય છે તેમ પરિણતિની નિર્મળતા વધારે વધારે થતી જાય છે. રાગદ્વેષની આકરી ગાંઠને કાપી નાખવાની સકિયાને ગ્રંથિભેદ કહેવામાં આવે છે. પ્રાણીએ પિતાની સંસારચર્યામાં આ ગ્રંથિભેદ કઈ વાર કરેલ ન હોવાને કારણે અને એ રાગદ્વેષની પાકી ગાંઠને તેડી નાખવાને આ પહેલે જ પ્રસંગ હોવાને કારણે આ અભૂતપૂર્વ આત્મશક્તિના ઉજજવલ કાર્યને “અપૂર્વકરણ” કહેવામાં આવે છે. એની ગ્રંથિ તૂટવાથી ચેતન રાગદ્વેષ ઉપર કુઠારાઘાત કરે છે, પિતાની પ્રગતિ માટે આ ન ગમાર્ગ ઉઘાડે કરી દે છે અને અપૂર્વ આત્મશક્તિને ચમત્કાર આગળ ધપાવવાની શરૂઆત કરે છે. આ ગ્રંથિભેદના કાર્યને અપૂર્વકરણ કહેવામાં આવે છે. યથાપ્રવૃત્તિકરણ કરેલ પ્રાણી જ આ બીજુ અપૂર્વકરણ કરી શકે છે, એટલે આ બીજા અપૂર્વકરણના પૂર્વકરણ તરીકે પ્રથમ જણાવેલા યથાપ્રવૃત્તિકરણની ઉપયુક્તતા ખૂબ મોટી છે. યથાપ્રવૃત્તિકરણ કરનાર અપૂર્વકરણ જરૂર કરે એવું નથી, પણ અપૂર્વકરણ કરનારે યથાપ્રવૃત્તિકરણ કરેલું હોવું જ જોઈએ. અપૂર્વકરણને અંગે કીડીને દાખલે આપવામાં આવે છે. ચાલતી ચાલતી કીડી ખીલા કે ભીત નજીક આવે, એટલે કેઈ કોઈ પાછી ચાલી જાય છે અને કોઈ ભીંત પર કે ખીલી પર ચડી બેસે છે અને કેઈ આગળ વધે છે. આમાં જે ભીંત કે ખીલાને જોતાં પાછી ચાલી જાય તેને કાંઈ લાભ ન થાય; ખીલા પર ચઢી બેસે તે અપૂર્વકરણ કરે; અને આગળ વધે તે અનિવૃત્તિકરણ નામનું ત્રીજું કરણ કરે. સંસારમાં રહેવાને કાળ અર્ધ પુગળપરાવત બાકી રહે ત્યારે આ અપૂર્વકરણ થાય છે. અહીં ગ્રંથિ તૂટવાથી રાગદ્વેષને નાશ થતું નથી, પણ એની ગાંઠ પડેલી હોય છે તે છૂટી જાય છે અને એને સર્વથા નાશ કરવાને માર્ગ ખુલ્લે થાય છે. (૩) અનિવૃત્તિકરણ-ચરમકરણ-અંતરકરણઃ અપૂર્વ વીર્ષોલ્લાસને પરિણામે ગ્રંથિભેદ કર્યા પછી પ્રાણી અંતર્મુહૂત કાળમાં અનિવૃત્તિકરણે જાય. અહીં અપૂર્વકરણ કરતી વખતે પ્રાણીની નિર્મળતા થઈ હતી તે કરતાં પણ વધારે નિર્મળતા થાય છે. મિથ્યાત્વ-અજ્ઞાનનાં ૧૧ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૨] શ્રી આનંદઘન-ચાવીશી એકઠાં કરેલાં દળિયાંના એ અહીં એ ભાગ પાડી દે છે. એક વિભાગમાં એ અંતર્મુહૂત કાળ ભાગવાય તેટલે તેને પુજ કરે છે અને બીજા વિભાગમાં સહજ ઊણાં એક કોડાકોડ સાગરોપમ કાળમાં વેદ્ય મેહનીય દળિયાં રહ્યાં હતાં તેમાંથી અંતર્મુહૂતનાં આછાં કરે છે. આવી રીતે કરેલા એ પુજમાંથી અંતર્મુહૂત કાળનાં દળિયાંવાળા નાના પુંજ હતા તેને એ ક્ષય કરે છે અને ખાકીના પુજને ઉપશમાવી દે છે. અંતર્મુહૂત કાળ એટલે ૪૮ મિનિટથી સહેજ આછા કાળ. ઉપશમાનવું એટલે અંદર પડી રહે તેમ દાખી દેવું. જેના તાત્કાલિક ઉદ્દય ન થાય, તેમ જ સ॰થા નાશ ન થાય, તેને ઉપશમ કહેવાય છે. આ રીતે અનિવૃત્તિકરણે પ્રાણી એ કાર્યાં કરે : મિથ્યાત્વ સ્થિતિના એ ભાગ કરી અંતકરણ કરે, નાના પુંજનેા ક્ષય કરી નાખે અને તે જ ક્ષણે એને ઉપશમ નામનું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય. આનું નામ અંતરકરણ ’. અંતરકરણને પ્રથમ સમયે સમક્તિની પ્રાપ્તિ થાય અને એ રીતે થતું આ અનિવ્રુત્તિકરણ નામનું ત્રીજુ` કરણ તે ચરમકરણ સમજવું. આવશ્યકમાં કહ્યુ છે કે અનાદિ કાળચક્રમાં ભમતાં પ્રાણી કર્મોને ખપાવીને ‘નદીગેાળપાષાણુ ’ ન્યાયે યથાપ્રવૃત્તિકરણ કરે, એટલે નદીની અંદરને પથ્થર અથડાતા-કુટાતા ગેાળ થઈ જાય એ રીતે આગળ વધતાં એણે કદી ભેઢી નથી એવી રાગદ્વેષની ગાંઠને એ ભેદે અને એ માટે એ અપૂર્વકરણની આકરી વધારાના ઉપયાગ કરે અને પછી બહુ કર્મીને ખપાવે તે વખતે મિથ્યાત્વનાં દળિયાં ઉદય આવે તેને ક્ષય કરે અને ઉદયાભિમુખ ન થયાં હેાય તેને ઉપશમાવે, એટલે ઉદીરણાદિક કરણના જોરથી પણ જે દળે વિપાકાય કે પ્રદેશેાયમાં જઈ ન શકે તેને દાબી દે. મિથ્યાત્વનાં દળિયાંમાં આવી રીતે અંતર પાડવામાં આવે તે વખતે પ્રાણીને જે આનંદ થાય તેની સરખામણી આકરા રણમાં ઉનાળાના કાળમાં બપોરના બાર વાગે લૂ અને તાપથી પ્રાણી વિદ્ભવળ થયેલ હાય તે વખતે કોઇ એના પર ખાવનાચંદનનાં છાંટણાં કરે અથવા એને oasis ( રણમાં લીલે। પ્રદેશ ) મળી જાય તે વખતે જેવા આનંદ થાય અને એ શાતા પામે તેવી તેની અદ્ભુત આનંદમય પરિસ્થિતિ થઇ જાય છે. આવેા આનંદ અનિવૃત્તિકરણને અંતે અને અંતરકરણને પ્રથમ સમયે પ્રાણીને થાય છે. એ વખતે એના ગાઢ તિમિર અજ્ઞાન મિથ્યાત્વમાં તીવ્રતા ઓછી થઈ જાય, એના આકરા ( અનંતાનુબંધી ) કષાયેા ખસી જાય અને મિથ્યાત્વે તેને નિપજાવેલે ચાલુ આકરો પરિતાપ મટી જાય. જે મિથ્યાત્વના જોરે પ્રાણી સંસારમાં રખડતા હતા અને અનાદિકાળથી જેની જાળમાં એ ફસાયલા હતા તેના અત આવતા જોઇ એને ખૂબ આનંદ થાય છે અને પછી એને સમકિતની પ્રાપ્તિ થાય એટલે એની પ્રગતિ થતી જાય છે. એ સમકિત કેવું હાય, એના પ્રકાર કેટલા હાય અને એક વાર સમકિત પામેલા પ્રાણીના વિકાસ કઈ ધારાએ વધે તે ચોથા અભિનંદન સ્વામીના સ્તવનમાં આવશે. અહી તે ચરમપુદ્ગળપરાવર્તીમાં ત્રીજા અનિવૃત્તિકરણ સુધી પ્રાણી આવ્યા. ‘ ભવપરિણતિપરિપાક ’ એટલે સાંસારમાં પરિણમન પામી જવાની ચાલુ ટેવના ઇંડા આવે ત્યારે ભવ એટલે સ'સાર. આ ચેતનના મૂળ અસલ સ્વભાવ તે અનંત જ્ઞાન, અનત Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩: શ્રી સંભવનાથ સ્તવન [૮૩ દર્શન, અનંત ચારિત્ર આદિ અનંત ગુણમય છે; પણ રાગદ્વેષની પરિણતિને લઈને એને મૂળ સ્વભાવ દબાઈ ગયું છે અને એની અનંત ગુણદશા દબાઈ ગયેલી હોઈ ભવપરિણતિ એ એને સ્વભાવ થઈ પડ્યો છે. એટલે અનંત ગુણવાળે એ ચેતનરાજ જાણે કે સંસારસ્વભાવવાળ થઈ ગયું છે, જાણે કે સંસારમાં મરવું-જન્મવું, આંટા મારવા, પૌગલિક બાબતે કે ચીને પિતાની માનવી, એમાં માણવું–રાચવું, એ એને સ્વભાવ થઈ પડ્યો છે. પરંભાવરમણતા કે પરપરિણતિમાં રસોત્પાદન એ સંસારની રખડપાટનું દિગ્દર્શન છે. આવા પ્રકારની પર પરિણતિને છેડે આવે ત્યારે રસ્તે સાંપડે છે, સેવન કરવાની બુદ્ધિ થાય છે અને તે વખતે ભૂમિકાશુદ્ધિ કરવાની સૂઝ પડે છે. અનંત સંસારમાં હોય ત્યાં સુધી તે એને સંસારના સર્વ સંબંધમાં રસ પડે છે; સંસારની વસ્તુને એ પિતાની માની બેસે છે; પરભાવ એને સ્વભાવ બની ગયેલ હોય છે અને રાગદ્વેષ એના ઘરના મને વિકાર હોય એમ લાગે છે. આનું નામ “ભવપરિણતિ.” આવા પ્રકારની ભવપરિણતિને કાંઠે દેખાવા માંડ્યો હોય ત્યારે, એટલે હજુ સંસારને છેડે નથી આવ્યું, પણ સંસાર તરફની પરિણતિને અંત આવ્યો હોય છે, ત્યારે. એટલે ચરમપુગળપરાવર્તામાં આવ્યા પછી, પ્રાણી ત્રીજુ અનિવૃત્તિકરણ કરે તે વખતે એની સંસારપરિણતિને છેડે આવે, એનું અનાદિ અજ્ઞાન દૂર થઈ જાય, ત્યારે શું શું થાય તે હવે બતાવે છે. અહીં ચરમ આવર્ત એટલે છેવું પુગળ પરાવર્તકાળ (નામનું કારણ) બતાવે છે; ત્રીજુ અનિવૃત્તિકરણ એ પુરુષાર્થ (નામનું કારણ) બતાવે છે; ભવપરિણતિને પરિપાક તે સ્વભાવ (નામનું કારણ), ભવિતવ્યતા (નામનું કારણ) અને કર્મ (નામનું કારણ) બતાવે છે. એટલે પાંચે સમવાયી કારણો એકઠાં થાય ત્યારે આ પાંચ કારણ પર આ જ સ્તવનની પાંચમી ગાથામાં વધારે પ્રસંગે આવશે ત્યારે વિસ્તાર થશે. આમાં ગ્રંથિભેદ વખતે કાળ, ભવિતવ્યતા, પુરુષાર્થ, કર્મ અને સ્વભાવનો સહકારી કારણ તરીકે કેવો નિગ થાય છે અને એ પાંચેની સામગ્રી કાર્ય હેતુ તરીકે કેવી રીતે કામ કરે છે, તેને ખૂબ વિસ્તાર શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કર્યો છે અને તેને ઉલ્લેખ ગબિન્દુમાં પણ પિતે કર્યો છે. ત્યાં આ હકીક્તને વિસ્તાર કરતાં શ્રીમાન કહે છે કે ચરમપુગળપરાવર્ત વગરના તે પહેલાના કાળમાં પ્રાણી ભવાભિનંદી હોય છે અને કદાચ કોઈ વાર સહજ ધર્મ કરે તે તે લકસંજ્ઞાએ કરનારા હોઈ એમાં એને દહાડે વળે નહિ. આ લેકપક્તિથી પ્રાણી કેટલીક વાર દાન આપે, સંભાષણ કરે, સન્માન આપે; પણ તે લૌકિક ભાવે હોય છે, એને લોકપક્તિ કહેવામાં આવે છે; એ ગાભાસ છે, એનાથી કદાચ સંસાર લાભ થાય, પણ આમપ્રગતિ થતી નથી. પણ જ્યારે પ્રાણી ચરમપુગળપરાવર્તામાં આવે, એ ત્રીજું કરણ કરે અને એને ભવસ્થિતિ પરિપાકદશાને પામી હોય ત્યારે શું થાય તે હવે કહે છે: ૧. સમવાયી કારણો પાંચ છે : કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને ઉદ્યોગ. આ ગાથાના પ્રથમ બે ચરણમાં એ પાંચ કારણોનો ઉલ્લેખ છે એમ અત્ર બતાવ્યું છે. ૨. જુઓ. યોગબિન્દુ, બ્લેક ૮૩. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘન-ચોવીશી “દોષ ટળે’ : ઉપર પ્રમાણે કારણોની પ્રાપ્તિ થાય ત્યારે સંસારસન્મુખપણાના અનેક દોષ ટળી જાય. એટલે કે ભય, દ્વેષ અને ખેદ રૂપ જે ત્રણ દોષે ઉપર બતાવ્યા તે દૂર થઈ જાય; અથવા કોધ, માન, માયા અને લોભ, જેને અનંતાનુબંધીની સંજ્ઞા આપવામાં આવી છે, તેવા પ્રકારના ચીકણ આકરા હોય તે દો ટળી જાય. અહીં ધ્યાન માં રાખવાનું છે કે દોને સર્વથા નાશ થતો નથી, પણ એ દૂર ખસી જાય છે. અને ચરમપુગળપરાવર્તામાં આવી, પ્રાણી, ત્રીજુ અનિવૃત્તિકરણ કરે અને એની ભવસ્થિતિને પરિપાક થયો હોય, ત્યારે બીજું વધારે શું થાય તે કહે છે : “ભવ દષ્ટિ ખૂલે’ : આ “દૃષ્ટિ” શબ્દ બને છે એના પર શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુરચય નામનો ગ્રંથ લખે છે. એના પર સંક્ષિપ્ત વિવેચન અને ટૂંક સાર મેં મારા જૈન દષ્ટિએ ગ’માં કરેલ છે (પૃ. ૧૬ થી પ૫). “દષ્ટિ” એટલે “સાચી શ્રદ્ધા સાથે બોધ” સમજ્યા વગરની શ્રદ્ધા રાખવી તે બિનઉપયેગી બાબત છે અને બોધ વગરની શ્રદ્ધા ટકી શકતી નથી. દષ્ટિમાં શ્રદ્ધા અને બોધ બન્નેને સહકાર અને સહચાર છે. એટલે વિચારપૂર્વક શ્રદ્ધા રાખી નિર્ણય કરે અને સાચા સ્વરૂપનું જ્ઞાન કરવું એનું નામ “દષ્ટિ” કહેવામાં આવે છે. શરૂઆતમાં ઓઘદષ્ટિ હોય છે. ચાલુ સંસારી જી ગતાનુગતિક રીતે ચાલ્યાં આવતાં કામે ર્યા કરે, વ્યવહારને પોષે, જનસંમત કામ કર્યા કરે, પોતાની અલ–આવડતને ઉપગ પ્રગતિ માટે ન કરે, એનું નામ ઓઘદૃષ્ટિ. આમાં એકાંત દષ્ટિબિન્દુ હોય છે, પરભાવમાં રમણતા હોય છે અને ચાલું વ્યવહારમાં આંટાફેરા ખાવાને અને લેકસંજ્ઞા જાળવવાને મુદ્દો હોય છે. વિવેક દષ્ટિ ખીલતી જાય, સ્વપરનું વિવેચન થાય, તપ-ત્યાગના મુદ્દા પર પ્રાણી આવી જાય, તેમ તેમ તેની દૃષ્ટિ આત્મસન્મુખ થતી જાય છે. એવી ખુલતી દષ્ટિના આઠ વિભાગ પાડવામાં આવ્યા છે. તેનાં નામે અનુક્રમે મિત્રા, તારા, બલા, દીકા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા છે. આ પ્રત્યેક દષ્ટિમાં ચેતન આગળ વધતું જાય છે, તેમ તેમ તેના આત્મગુણો વધારે વધારે વિકાસ પામતા જાય છે, એનું દૃષ્ટિબિન્દુ સંસાર સન્મુખ હતું તેની દિશા બદલાતી જાય છે, એ ચેતનની પ્રગતિ કરવાના આત્મિક માર્ગે આવતે થાય છે, મેક્ષ સન્મુખ થતું જાય છે અને એને વિકાસ સાચે માગે થતું જાય છે. આ દષ્ટિને વિષય ખાસ સમજવા યોગ્ય છે અને સમજીને પિતાનું સ્થાન શું છે અને ક્યાં છે એની શોધ-ભાળ કરવા યોગ્ય છે. મુમુક્ષુએ ઉપર લખેલ ગ્રંથને અભ્યાસ કરવાથી એ કાર્યમાં ઘણી મદદ મળશે. એમાં ઓઘદષ્ટિ પછી ઉન્નતિકમમાં જે યોગદષ્ટિઓ બતાવવામાં આવી છે, તે દૃષ્ટિ ખૂલવા લાગે છે એટલે પ્રાગતિક પથે પડેલ ચેતનની દૃષ્ટિ ઊઘડતી જાય છે. ધીમે ધીમે પ્રાણી મનેવિકારે પર વિર્ય મેળવતે જાય છે, એની અનેકાંત દષ્ટિ ખીલતી જાય છે, એના અત્યાર સુધીના અભિનિવેશે દૂર થતા જાય છે, એને સંસાર પરને રાગ ઓછો થતો જાય છે, એનામાં સ્થિરતા, શાંતિ અને નમ્રતા આવતી જાય છે, એને કદાગ્રહ દૂર થતું જાય છે, એ પિતાનું શું છે અને પારકું શું છે, પિતાને લાભકારક શું છે અને સંસારમાં રખડાવનાર કોણ છે– Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩: શ્રી સંભવનાથ સ્તવન [૮૫ આવી બાબતને એને વિચાર આવતે જાય છે અને એ ધીમે ધીમે આગળ ધપતે જાય છે. આ પરિસ્થિતિમાં ઓઘદષ્ટિને મૂકી એ ગદષ્ટિમાં આવે અને મોક્ષમાર્ગ તરફ નજર કરે, એનું નામ “દષ્ટિ ખૂલે” એ ભાવ અત્ર જાયે છે. શ્રી જ્ઞાનવિમળસૂરિ “એને માર્ગાનુસારીની દષ્ટિ ખૂલે” એ અર્થ કરે છે. એ વાત પણ સમુચિત છે. પ્રથમની ચાર દૃષ્ટિમાં ગુણની પ્રાપ્તિ થાય છે તે સર્વ માર્ગાનુસારીપણાના ગુણને વિસ્તાર છે, એટલે કે પ્રાણીને હજુ સમકિતની પ્રાપ્તિ થઈ નથી, હજુ તેણે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મને જાણી-સમજીને તેને સ્વીકાર કર્યો નથી, પણ તે રસ્તે ચઢી ગયો છે. સમ્યકત્વ-પ્રાપ્તિના માર્ગનું અનુસરણ તે “માનુસારીપણું છે. એનું વર્ણન કરતાં શ્રીમાનું હેમચંદ્રાચાર્ય પિતાના ગશાસ્ત્રમાં તેના પાંત્રીશ ગુણોને વર્ણવે છે. આ ગુણો જેનામાં હોય અથવા જેને જીવનપ્રવાહ એ પાંત્રીશ વિશેષણને અનુરૂપ થાય, તે રસ્તે ચડ્યો છે એમ સમજવું. - શ્રી યોગશાસ્ત્રના પ્રથમ પ્રસ્તાવ ગાથા ૪૭-૫૬ દશ ગાથામાં એને (માર્ગાનુસારીને) વર્ણવી એને ગૃહસ્થ ધર્મને માર્ગે ચઢેલ કહે છે. આ હકીકત લેગસેવાને માર્ગે આગળ વધવાની ઇચ્છાવાળા મુમુક્ષુને અતિ ઉપયોગી હોઈ અત્ર તેને ઉલેખ છે, જિજ્ઞાસુએ યોગશાસ્ત્ર (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત)માંથી એને વિસ્તાર જોઈ લે. અહીં ધ્યાનમાં લેવાની વાત એ છે કે માનુસારીના પાંત્રીસ ગુણોવાળે પ્રાણી હજુ રસ્તે ચઢયો છે, એટલે કે અત્યાર સુધી ભવાટવીમાં ભટકતાં એ માર્ગ ભૂલ્યું હતું, આડેઅવળે રખડત–રઝળતું હતું, તેને બદલે એને હવે સડક હાથ લાગી છે, એની આડીઅવળી રખડપાટી પૂરી થઈ છે; પણ છતાં હજુ એને સમક્તિ પ્રાપ્ત થયું નથી, હજુ એને સંસારને છેડે ચક્કસ થવાનું છે એમ એના સંબધમાં ધારવાનું નથી. માર્ગાનુસારીપણાના ગુણને વિચાર કરતાં એ પ્રતિના ઘણા પ્રાણીઓ યથાપ્રવૃત્તિકરણની કક્ષા સુધી પહોંચેલ છે એમ કહી શકાય. એણે મોક્ષમાર્ગનું અનુસરણ કરવું શરૂ કર્યું છે એમ કહી શકાય, પણ હજુ એની રાગદ્વેષની ગાંઠને ભેદ થયો નથી; હજુ એને સંસાર મર્યાદિત થયે છે એમ કહી શકાય નહિ, હજુ એણે વેદ્યસંવેદ્ય પદ પ્રાપ્ત કર્યું છે એમ કહેવાય નહિ. પ્રથમની ચાર દૃષ્ટિમાં આ માર્ગાનુસારીપણાના ગુણે આવે અને એ ગુણની પ્રાપ્તિ એટલે દષ્ટિ ખૂલવાનું ચેતનને બને એવા અર્થની જે સૂચના જ્ઞાનવિમળસૂરિએ કરી છે તેને આ આશય જણાય છે. સ્થળસંકોચને કારણે માર્ગાનુસારીના ગુણો તથા પ્રથમની ચાર દષ્ટિનું વર્ણન અત્ર પ્રસ્તુત છે, તેને યોગ્ય સ્થાનેથી જોઈ લેવા સૂચન કર્યું છે. આ સ્તવનમાં બીજી ઘણી બાબતે જણાવવા યોગ્ય લાગવાથી અત્ર સદર બાબતે પર સીધો ઉલ્લેખ કરવાનું છોડી દીધું છે. એટલે ચરમપુગળપરાવર્તમાં પ્રાણી આવે, ત્રીજુ અનિવૃત્તિકરણ કરે અને સંસારની પરિણતિને પરિપાક થાય, ત્યારે એના દોષ દૂર થતા જાય છે અને એની દષ્ટિ ખૂલતી જાય છે. એની ચાર દષ્ટિ ખૂલી જાય છે ત્યારે એને વેદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિ થાય છે અને પછી એની દૃષ્ટિ આગળ આગળ ખૂલતી જાય છે અને એને વિકાસ આગળ વધતું જાય છે. આ પ્રસંગે એક વધારે હકીકત પણ તેના સંબંધમાં બને છે તે હવે કહે છે : Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮] શ્રી આનંદઘન ચાવીશી · પ્રાપતિ પ્રવચન વાક ’ એટલે ચેતનને પ્રવચનની વાણીની પ્રાપ્તિ થાય; · પ્રવચન ' એટલે સિદ્ધાંતવાકય. વક્તાના સુયેાગ્ય ગુણપૂર્વક શ્રોતાને મહામૂલ્યવાન સિદ્ધાંતનાં મહાન સત્યે સમજાવવાનું કાર્યાં તે પ્રવચન કહેવાય. સિદ્ધાંતના યથાસ્થિત વાકયને પણ પ્રવચન કહેવામાં આવે છે. આવા પ્રકારના પરમેોપકારી સિદ્ધાંતનાં મહાન સૂત્રોની પ્રાપ્તિ થાય છે. દુનિયાદારીનાં સૂત્રોમાં સંસારરસિકતા, પૌદ્ગલિક પ્રેમ અને આકષ ણા એવાં જોડાઈ જાય છે કે ઘણીવાર સંભાળ રાખવા છતાં પણ પ્રાણી સ`સારનું પાષણ કરી બેસે છે, પણ જ્યારે એની પાસે પ્રવચનનાં નિર્દોષ પ્રેરક વચના આવી પહોંચે, જ્યારે એને પ્રવચનની વાણી પર શ્રદ્ધા બેસે, ત્યારે એને સેવન-કારણ-ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. જૈન શાસ્ત્રકાર જેમ શ્રદ્ધાની અગત્ય વારંવાર સમજાવે છે અને દેવ-ગુરુ-ધર્મ પરની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે, તેમ જ શ્રદ્ધાની સ્થિરતા માટે બેધની જરૂર સ્વીકારે છે. ધ માટે શુદ્ધ પ્રવચનના મહિમા તેમાં વારંવાર ભાર મૂકીને બતાવ્યા છે. આ પ્રવચન-અંજનના મહિમા પદરમા ધર્મનાથના સ્તવનમાં આગળ ખૂબ વિસ્તારથી આપવાના છે; ત્યાં તે પ્રસગે જરૂરી વિવેચન થશે. અહી' કહેવાની બાબત એ છે કે ભવપરિણિતના પરિપાક થાય તે વખતે દોષો ટળી જાય છે. ષ્ટિ ખૂલતી જાય છે અને શુદ્ધ પ્રવચનની વાણીના શ્રવણને લાભ પ્રાપ્ત થાય છે. · પ્રવચન ’ ના અ` જિનદેવપ્રણીત સિદ્ધાંત થાય છે. ભગવતીસૂત્ર અને વિશેષાવશ્યકના મતે એ શબ્દ પારિભાષિક છે અને આગમજ્ઞાનના અર્થમાં વપરાય છે. પ્રવચન માટે માગધી શબ્દ ‘ પવયણ ' છે અને તેના અર્થ ‘જૈન સંઘ ’ પશુ થાય છે. અત્ર પ્રવચનની વાણીની પ્રાપ્તિની હકીકત સૂચવી છે, તે સુવિહિત જિનાગમની વાણી સમજવી. એ પ્રવચનથી સંસારનું સ્વરૂપ ઓળખાય છે, સ્વપરનું વિવેચન થાય છે અને મેક્ષમાના પ્રયાણને વધારે પાકુ અને ચોક્કસ સ્થિર બનાવાય છે. આવા પ્રવચનના વચનથી પ્રતીતિ બરાબર થાય છે અને જામેલ શ્રદ્ધા કે કરેલ પ્રગતિ પાકી બનતી જાય છે. શ્રી ઉપમિતિભવપ્રપ ચા કથામાં પ્રથમ પ્રસ્તાવમાં જે સ્થાન ધમ એધિકર ’રસવતીપતિને આપવામાં આવ્યું છે, બીજા પ્રસ્તાવમાં સદાગમને જે સ્થાન આપવામાં આવ્યું છે, તેવા સદ્ગુરુને ચેગ એ પ્રવચનપ્રાપ્તિ છે. એવા પ્રવચનની પ્રાપ્તિ કરાવનાર શાંત, ધીર, નિષ્પક્ષ અને સમતાવાન હોય; એનામાં સહિષ્ણુતા, આવડત અને સમજાવટ કરવાની કુનેહ હોય; એની ઉપકારબુદ્ધિ અતુલ્ય અને અજોડ હાય; એનામાં આક્ષેપષ્ટિ કે તોડી પાડવાની પદ્ધતિ ન હાય—એવા વિશિષ્ટ ઉપદેશક પાસેથી પ્રવચનવાણીની પ્રાપ્તિ થાય, ત્યારે મા પલટો થાય છે. પ્રવચનવાણીની પ્રાપ્તિનું મહત્ત્વ આગળ જતાં તેરમા સ્તવન (ગાથા ૪)માં આવવાનું છે. સદ્ગુરુકૃત પ્રવચન અંજનનો મહિમા પદરમા સ્તવનમાં (ગાથા ૩)માં આવવાના છે અને વિશિષ્ટ વાણીનાં પરિણામેા કેટલાં સુંદર નીવડે છે, તે પર વિચારણા અનેક દૃષ્ટિબિન્દુથી કરવાના પ્રસ`ગ આગળ આવે છે. અહીં વાત એટલી થઈ કે પ્રાણી છેલ્લા પુદ્ગળપરાવમાં આવે અને ત્રીજુ` કરણ કરે અને જ્યારે એની સ’સાપરિણતિના પરિપાક થાય ત્યારે Page #103 -------------------------------------------------------------------------- ________________ [૮૭ ૩: શ્રી સંભવનાથ સ્તવન (૧) એના દેષ ટળતા જાય છે, (૨) એની દૃષ્ટિ ખૂલતી જાય છે અને એને (૩) શુદ્ધ પ્રવચનની વાણીના શ્રવણને પ્રસંગે પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત એને શું શું થાય તે હજુ આગળ વિસ્તારે છે. (૩) પરિચય પાતિક ઘાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સંભવ. ૪ અર્થ—(એમ થાય ત્યારે) પાપનો નાશ કરનાર સાધુ સાથે પરિચય વધતે ચાલે અને મન સંબંધી અકલ્યાણકારિતાનો ઘટાડે થતું જાય અને આત્મિક વિચાર કરનાર (અધ્યાત્મના) ગ્રંથનું સાંભળવાનું અને વિચારવાનું, આત્મિક સેવન માટે અને દૃષ્ટિબિન્દુ ધારવા માટે બની આવે. (૪) ટબે–તે વારે (ત્યારે) પાતિકના ઘાતક એટલે અશુભ કર્મને હણે એવા સાધુને પરિચય કરે તે વારે અકુશળ–માટે સંકલ્પ ન જોડે તે અકુશળ કહીએ; એને અપચય એટલે નાશ કરે એવું ચિત્ત થાય તે વારે (ત્યારે) અધ્યાતમ ગ્રંથ-જ્ઞાન-દર્શન-ચારિત્રાદિકની જ્યાં સુગમતા એવા જે ગ્રંથ આપ્તપ્રણત, તેને અધ્યાત્મ ગ્રંથ કહીએ. તેનું શ્રવણ-સાંભળવું, મનન એટલે વિચાર, તેણે કરી સકળ નય-નંગમાદિક હેતુ ઉપાદાન અસાધારણ, કારણાદિક, તેની પરિશીલના સ્યાદ્વાદમુદ્રાએ અભિગ્રહાદિ હરહિતપણે સેવે. (૪) વિવેચન–તધોગ્ય ભૂમિકાની તેયારી થાય ત્યારે બીજી કઈ કઈ બાબતે બને તે બતાવે છે. ધ્યાનમાં રહે છે, અંતિમ પુગળપરાવર્તમાં ત્રીજું કારણ થયા પછી આ હકીકત બને છે. કોઈ પ્રાણી સન્મુખ થયેલ છે કે નહિ તેને નિર્ણય કરવા માટે પણ આ બાબત ઉપયોગી છે, એ પ્રગતિનું નિદર્શન કરાવનાર છે અને પ્રગતિ પોષક છેઆ ગાથામાં પ્રગતિષિક અને નિદર્શન ત્રણ બાબતે તરફ ધ્યાન ખેંચ્યું છે તે આ પ્રમાણે છે : B. સત્સંગતિ–સાધુપરિચય . માનસિક અકુશળતાને નાશ. 7. અધ્યાત્મગ્રંથનું પરિશીલન. આ ત્રણે બાબતે ખૂબ મહત્ત્વની છે અને તેટલા માટે ખૂબ વિચારણા માગે છે. આપણે એ પ્રત્યેકને વિચારીએ – પાઠાંતર–પાતિક – પાતક. ઘાતક ઘાતિક. સાધુશું – સાધશું. મનન – મનને. પરિશીલન – પરિમલનયનય હેત. (૪) | શબ્દાર્થ –પરિચય = સહવાસ, ઓળખાણ. પાતિક = પાપ, ઘાતક = નાશ કરનાર, દૂર કરનાર. સાધશે = સાધુ–ત્યાગી સાથે અકુશળ = પરિણામે નહિ સારું, અકલ્યાણકારી. અપચય = ક્ય હાનિ, ઘટાડો. ચેત = ( વિશે. પણ) ચિત્ત સંબંધીની, મન સંબંધી, (નામ) ચિત્તવૃત્તિ. ગ્રંથ = પુસ્તક, શાસ્ત્ર. અધ્યાતમ = અધ્યાત્મ, આત્મા સંબંધી. શ્રવણ = સાંભળવું તે. મનન = ચિંતવન, વિચારણા. કરી = કરવામાં આવે પરિશીલન = દીધી સેવન, કેઈ પણ વિષયને સારી રીતે સેચી – વિચારીને ધ્યાન પર લે, ભેટવું તે. નય = દષ્ટિબિન્દુ, કારણ–વિચારણ. હત = હેતુઓ, માટે. (૪) Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૮] શ્રી આનંદઘન-ચોવીશી () સાધુપરિચય અથવા સત્સંગ–પ્રાણીના અનંત સંસારને છેડે આવે અને એ માર્ગને અનુસરતે થઈ મેક્ષ સન્મુખ થાય, ત્યારે એને સજ્જન પુરુષની સબત થાય, અને એને સંત પુરૂષના સમાગમમાં જ આનંદ આવે. માણસ કે છે તેની પિછાન કરવી હોય તે તેના સંબતીઓ કેવા છે તેની તપાસ કરવી, કારણ કે એકસરખી ટેવ હોય અને એકસરખું ચારિત્ર હોય તેને જ મેળ ખાય છે. સમાનઃ વસન, સહ-એ જાણીતી વાત છે. મતલબ, સારા માણસને સારા સાથે સેબત થાય છે, અને એવા પ્રકારની સંગતિ જામે છે. મૈત્રી કે પરિચયની વાત અલગ છે અને અકસ્માત મેળાપની વાત અલગ છે. દીર્ઘ પરિચય, લાંબી મૈત્રી કે સ્થાયી સબત તે સરખી કક્ષાના માણસો વચ્ચે જ થાય છે, અને પરિચયની બાબત લાંબા વખત સહવાસ અને વારંવાર મળવાનું માગે છે. હાલતાં ચાલતાં કે મુસાફરીમાં ઉપરછલ્લી ઓળખાણ થઈ જાય તેને પરિચય કહેવાય નહિ. પ્રાણીની પ્રગતિ થાય અથવા એ પ્રગતિને પંથે ચઢે, ત્યારે તેને સાધુપુરુષ સાથે પરિચય થાય છે. સાધુપુરુષની સંગતિ કે પરિચય મહાન પુણ્ય હોય ત્યારે જ થાય છે એવી લેક્તિમાં ભારે રહસ્ય છે. સાધુપુરુષે પિતાનું આત્મિક તેજ પિતાના પરિચિત જનમાં જરૂર આપે છે. એક જાણીતા સુભાષિતમાં કહ્યું છે કે “સત્સંગ બુદ્ધિની જડતાને નાશ કરે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે, માન અપાવે છે, ઉન્નતિને રસ્તે બતાવે છે, પાપને ધોઈ નાખે છે, ચિત્તની પ્રસન્નતા કરાવે છે, ચારે દિશામાં કીર્તિને ફેલાવે છે—સત્સંગતિ પ્રાણીના સંબંધમાં શું શું નથી કરતી તે કહે. આ સત્સંગને મહિમા અનુભવીઓએ ગાયે છે અને અનેક આકારમાં સંગ્રહી રાખે છે. સાધુપુરુષની સલાહમાં હમેશા સીધા, સરળ અને પ્રગતિ માર્ગો જ હોય અને એની વાણી, વિચાર કે વર્તનમાં પાપની વાત ન હોય; એનું માર્ગદર્શન પાપને નાશ કરનારું હોય, ત્યારે, પ્રગતિને પંથે ખૂબ કપાઈ જાય છે અને પાછા પડવાની બાબત પર એક પ્રકારની બ્રેક (અટકાયત) આવી જાય છે. ભૂમિકા શુદ્ધિ થાય ત્યારે પાતિકનો નાશ કરનાર સાધુપુરુષને પરિચય થાય છે. સાધુપુરુષ એટલે અમુક પ્રકારને વેશ ધારણ કરેલી વ્યક્તિઓ, એમ ધારવાનું નથી. જે ખરા સજજન હોય, જેના વર્તન, વાણી અને વિચારમાં એકતા હોય, જેના જીવનવ્યવહારમાં આત્મવિચારણાને અગ્ર સ્થાન હોય, જેને સંસારની રખડપાટીને ત્રાસ લાગ્યા હોય અને જેને વ્યવસાય આત્મપ્રગતિ તરફ હોય, આવા પ્રાણીને પરિચય થાય તે પાતિકને ઘાત કરાવનાર નીવડે છે. અને એવા સાચા સપુરુષને પરિચય એ સેવન કારણ નીવડતી ભૂમિકાની પ્રાપ્તિને અંગે અથવા તેના સંબંધના અનુસંધાનમાં પ્રાપ્ત થાય છે. (8) માનસિક અકુશળતાનો ત્યાગ–સેવન-કારણ-ભૂમિકા તૈયાર કરવામાં અકુશળ ચેતને અપચય થાય છે એટલે અકલ્યાણકારી મન સંબંધી પરિસ્થિતિને ક્ષય અથવા ઘટાડે થાય છે. “અપચય” શબ્દમાં જ ધાતુને મા ઉપસર્ગ લાગે છે તેને અર્થ વ્યય, હાનિ કે અપહરણ १. जाडयं धियो हरति सिञ्चति वाचि सत्य, मानोन्नति दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति, सत्संगतिः कथय कि न करोति पुंसाम् ? ।। Page #105 -------------------------------------------------------------------------- ________________ [૮૯ ૩ : શ્રી સંભવનાથ સ્તવન થાય છે. અને “ચેતને અર્થ કેશકાર ચિત્તની વૃત્તિ કે ચેતના કરે છે. એ નામ પણ છે અને વિશેષણ તરીકે પણ વપરાય છે. તથા અકુશળ એટલે અકલ્યાણકારી. મતલબ કે અકલ્યાણકારી ચિત્તવૃત્તિને તે વખતે નાશ થાય છે. આ ભાવ થાય છે. આ અકુશળ ચેત-ચિત્તવૃત્તિ કેવા પ્રકારની હોય છે, તે જાણી લેવા જેવું છે. એના સ્વરૂપ સંબંધમાં શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં શ્રી સિદ્ધર્ષિ મહારાજે ત્રીજા પ્રસ્તાવમાં વિસ્તૃત ઉલ્લેખ કર્યો છે. ત્યાં પ્રસંગ સ્પર્શનઇદ્રિયનો પ્રભાવ બતાવવાનું છે. એને અંગે બાળ, મધ્યબુદ્ધિ અને મનીષીના સંબંધમાં સ્પર્શન કેવી રીતે કામ લે છે તે બતાવતાં બાળની માતાને “અકુશળમાળા’નું સુગ્ય નામધેય આપવામાં આવ્યું છે. એ અકુશળમાળાની સલાહથી બાળ કેવી ભૂલ કરે છે અને ઇંદ્રિયેના વિકારને અંગે સ્પશન-ઇંદ્રિયના ભેગે ભેગવવા જતાં કે હેરાન થાય છે અને કર્મ વિલાસ મહારાજાને આ અકુશળમાળા સાથે કેવો સંબંધ હોય છે, તે વિચારતાં અકુશળ માનસનાં ભયંકર પરિણામો ખ્યાલમાં આવે છે. મતલબ એ છે કે જ્યાં સુધી ચિત્તમાં સ્થિરતા ન આવે, જ્યાં સુધી એને પૌગલિક બાબતે, ભેગવિલાસ કે ઉપભેગમાં આનંદ આવે અને જ્યાં સુધી એના પર રાગકેસરીને દોર ચાલ્યા કરે, ત્યાં સુધી એનું ચેતસ્ અકુશળ છે. એને વસ્તુસ્વરૂપની ઓળખાણ થઈ નથી, એની સંસારની વાસના ઓછી થઈ નથી અને એણે વસ્તુનાં મૂલ્યાંકને બરાબર કર્યા નથી એમ સમજવું. યોગમાર્ગે ચઢવા પહેલાં વેગને રસ્તે સાંપડે જોઈએ અને એને રસ્તે મેળવવા માટે મનમાં એને વસ્તુની કિંમત થવી જોઈએ. જ્યાં સુધી એ મનમાં સાચાં મૂલ્ય ન સમજે ત્યાં સુધી એને સાચા રાહ પર આવવાની તક પણ મળતી નથી. અને અકુશળમાનસવાળે ભવાભિનંદી પ્રાણ તે વસ્તુઓને, વસ્તુ અને ચેતનને અને બન્નેને પરસ્પર સંબંધ કે, કેટલે અને કેટલા વખત સુધી છે, એ જાણતું ન હોવાથી એના ઉપટિયા ખ્યાલમાં તન્મય થઈ જાય છે અને સંસારને ચાહવા જતાં તેમાં ડૂબી જાય છે. આવા પ્રકારનું અકુશળ માનસ હોય ત્યાં સુધી પ્રાણીને નિસ્વાર થતું નથી. એનું અજ્ઞાન અને એને અધ એને સંસારસન્મુખ રાખે છે. એને વ્યવહારમાં રાચવામાં મજા આવે છે. એને ઇદ્રિયના ભાગમાં જીવનનું સાર્થક્ય લાગે છે અને એ પિતાને પરિણામિક લાભ ક્યાં છે તે સમજી શકતું નથી, અને ઉપર ઉપરના ખ્યાલમાં લેવાઈ જાય છે. અકુશળપણું હોય ત્યાં સુધી પ્રાણી કોધ-માન-માયા-લેભ જેવા માનસિક વિકારને ઓળખી શકે નહિ, એ રાગ-દ્વેષને યથાસ્વરૂપે જાણી શકે નહિ અને પછી તે ભય, શોક, રતિ, અરતિ કે કામકીડામાં લેવાઈ જાય, મેહના ચકરાવામાં પડી જાય અને અતવાભિનિવેશને ભેગ બની અનાદિ સંસારમાં ગમે ત્યાં તણાઈ જાય છે અને પરિણામે જરા ઊંચે આવ્યા હોય, જરા રસ્તાસર સ્થિતિમાં આવતે થયેલ હોય તે પણ ગુમાવી બેસે છે અને સંસારના રાગ-દ્વેષની તાણાવાણમાં ભયંકર વાયરે ચઢી જાય છે. આવા પ્રકારના માનસને અકુશળ માનસ કહેવામાં આવે છે. એમાં પરિણામદર્શિતા ન હોય. એમાં સદસદ્વિવેક ન હોય, એમાં સ્વપરના ભેદ ન હોય, એમાં લાંબા ગાળાની દીર્ઘ નજર ન હોય અને એમાં વસ્તુ ૧૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૦] શ્રી આનંદઘન–ચોવીશી અને ચેતનના સંબંધની કે વસ્તુની મૂલ્યવત્તા ન હોય. અકુશળમાળાના સંબંધને કારણે અને તેની સલાહને અનુસરવાને પરિણામે બાળકના કેવા હાલહવાલ થાય છે તે (ઉ. ભ. પ્રપંચા કથાના) ત્રીજા પ્રસ્તાવમાંથી વાંચી વિચારવા ગ્ય છે. અને એ હાલહવાલ તે એક ઇંદ્રિય(સ્પર્શન)ની પરાધીનતાનાં પરિણામ છે, પણ પ્રાણીની સર્વ ઇંદ્રિયે મેકળી હોય, એની એને સાચી પિછાન પણ ન થઈ હોય કે એને ઓળખાવનાર પ્રબોધકાચાર્ય જેવા સાથે એને પરિચય પણ ન હોય, તે પછી એણે સેવન-કારણ-ભૂમિકા પ્રાપ્ત કરવાની પણ આશા શા માટે રાખવી? ચાલુ વ્યવહારમાં ઘસડાવાને ટેવાયેલા પ્રાણીને આ ટાયેલાં લાગે તેવી વાત છે, પણ સંસારને છેડે લાવવા સારુ યેગ માર્ગે ચઢવાની પાકી ઈચ્છા હોય તે આ હકીકતને પચાવે જ છૂટકે છે. એમાં તે પ્રબોધનરતિ જેવા આચાર્યને પરિચય જોઈએ અને અકુશળમાનસને ત્યાગ જોઈએ. હજુ એક વધારે ચીજની પણ આ પ્રાથમિક પૂર્વસેવાને અંગે જરૂર છે તે પણ બતાવવામાં આવેલ છે. (1) અધ્યાત્મગ્રંથનું પરિશીલન–પ્રગતિશિક અને પ્રગતિનિદર્શન મહત્વની બાબત અધ્યાત્મગ્રંથનું પરિશીલન છે. કર્મનિજરને અંગે છ પ્રકારનાં અભ્યતર તપ બતાવવામાં આવ્યાં છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ, તે પૈકી પ્રકાર, સ્વાધ્યાયનો છે. ચારિત્રધર્મરાજનાં દાનમુખ, શીલમુખ, તપમુખ અને ભાવમુખ વર્ણવી એ વિશિષ્ટ મહારાજાને ચતુર્મુખ બતાવ્યાં છે, ત્યાં તપનું સ્થાન ત્રીજુ આવે છે. લાગેલાં કર્મોને દર કરવાનું કારણ તપ બને છે, તેમાં પણ સ્વાધ્યાયને ઘણું અગત્યનું સ્થાન છે. શ્રદ્ધાને સ્થિર કરનાર, યેગમાર્ગમાં પાકી પ્રગતિ કરાવનાર “સ્વાધ્યાય” મનુષ્યગતિને લહાવે છે, અને સાધુજીવનની પરાકાષ્ઠા છે. આત્માને ઓળખાવનાર, સ્વપરનું પૃથક્કકરણ કરી આપનાર અને પુદુગળને યથાસ્વરૂપની કક્ષામાં ગોઠવી આપનાર સ્વાધ્યાયની તે ખરેખર બલિહારી છે. “સ્વાધ્યાય’–સઝાયધ્યાન એ અત્યંતર તપને વિભાગ છે. અભ્યાસને અંગે એના પાંચ ભેદ પાડવામાં આવ્યા છે. તેને પ્રથમ ખ્યાલ કરી લઈએ. તેનાં નામે અનુક્રમે વાચના, પૃચ્છના, પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મકથા છે. વાચના –એટલે વાચન, વાંચવું તે, લખેલું મનમાં કે મોટેથી ઉકેલવું તે, પિતે ભણવું. શિષ્યને ભણાવવું અથવા જાહેરમાં કે એકાંતમાં લખેલું ઉકેલી જવું તે. પૃચ્છના’—ગુરુ કે જ્ઞાનીને શંકા પૂછવી, અંદર અંદર ચર્ચા કરવી, શંકાનું નિવારણ સવાલ-જવાબ દ્વારા કરવું તે. પરાવના-પૂવે અભ્યાસ કરેલ બાબતેને યાદ કરી જવી, કરેલ પાઠને ફરી ફરી સંભાર. આમાં revision અને review પુનરીક્ષણ અને પુનર્દશન તથા પરીક્ષણને સમાવેશ ૧. ઉપમિતિભવપ્રપંચ કથા, અવતરણ, પ્રસ્તાવ ૩, સ્પર્શન-કથનાક પૃ. ૩૭૪ થી શરૂ થાય છે. ચોમા પ્રકરણ સુધી એ કથા ચાલે છે. ૨. સદર, પ્રસ્તાવ ૪, પ્રકરણ ૩૪, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૩: શ્રી સંભવનાથે સ્તવન [૯૧ થાય છે. સંશોધનકાર્યને સમાવેશ પણ આ પરાવર્તન-વિભાગના સ્વાધ્યાયમાં આવે. “અનુપ્રેક્ષા–અગાઉ જે અથ ધારેલું હોય તેનું ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા. પરાવર્તનમાં ગ્રહણશક્તિ અને યાદશક્તિ સાથે સંબંધ રહે છે, જ્યારે અનુપ્રેક્ષામાં વિચારશક્તિ અને પૃથકકરણશક્તિ સાથે સંબંધ રહે છે. ધર્મસ્થા –ધર્મકથા કહેવી, ધર્મને ઉપદેશ કરે, અને ધર્મમય વાતાવરણ જમાવવા માટે વિવિધ પ્રકારના જાહેર પ્રયત્ન કરવા. આ પાંચ પ્રકારના તપને સ્વાધ્યાય નામને અત્યંતર તપ કહેવામાં આવે છે અને સર્વ અત્યંતર તપની પેઠે કર્મનિર્જરા માટે એ બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ધર્મમાં સ્થિર કરવા માટે તત્વનું જ્ઞાન ભારે મહત્ત્વને ભાગ ભજવે છે. અહીં ભૂમિકા તૈયાર કરવામાં પ્રવેશ અંગે અધ્યાત્મગ્રંથનું શ્રવણ, મનન અને પરિશીલન કરવાની હકીકત કહી છે. એટલે પ્રથમ અધ્યાત્મગ્રંથે કેને કહેવા તે માટે અધ્યાત્મને ઓળખવા પ્રયત્ન કરીએ. “અધ્યાત્મ –આત્માને લગતી બાબત તે અધ્યાત્મ કહેવાય છે. બ્રાહ્મનિ યંગ્રામમ. જે ગ્રંથમાં આત્માને લગતી વાત આવે તે અધ્યાત્મગ્રંથ કહેવાય. આત્મા છે કે નહિ, એને અનાદિ કર્મ સાથે સંબંધ કે છે, તે સંબંધ કેમ દૂર થાય, એ આવતાં કર્મોને કેમ રોકાય, એ લાગેલાં કર્મોને ભેગવટો કેમ થાય, નવીન કર્મો અને જૂનાં કર્મોને સંબંધ કેમ થાય, કર્મબંધન અને કષાયને સંબંધ કેટલે છે, મને વિકારને એમાં શું સ્થાન છે, અનાભોગ અને કર્મસંબંધ, કર્મ પર સામ્રાજ્ય મેળવવામાં ભાવનાને સ્થાન, આત્માનું અમરત્વ, એની છુપાયેલી શક્તિ, એ શક્તિને વ્યક્ત કરવાના સાધનો, યુગના પ્રકારે, ત્રિકરણશુદ્ધિ, રાગદ્વેષને આત્મા સાથે સંબંધ, કર્મ ફળ આપે ત્યારે ચેતનમાં થતા પરિણામિક ભાવ, આત્મા અને પરભાવનો સંબંધ, આત્માનો મોક્ષ થવાનાં સાધનો-વગેરે અનેક બાબતે “અધ્યાત્મની કહેવાય અને જે પુસ્તકમાં આ બાબતે પૈકી કોઈ કોઈની વિચારણા બતાવી હોય તેને આધ્યાત્મગ્રંથ કહેવાય. શાસ્ત્રના ઘણા ગ્રંથમાં આત્મા સંબંધી વાત હોય છે. પણ કેટલાંક પુસ્તકે તે આત્માની જ વાત કરે છે તે ખાસ અધ્યાત્મ કહેવાય. દાખલા તરીકે, હરિભદ્રસૂરિ મહારાજના ગબિન્દુ, ગદષ્ટિસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય કે શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયની બત્રીશ બત્રીશી કે અધ્યાત્મસાર અથવા શ્રી મુનિસુંદરસૂરિ મહારાજને અધ્યાત્મકલ્પદ્રુમ કે શ્રી વિનયવિજય મહારાજને શાંતસુધારસ કે શ્રી હેમચંદ્રાચાર્યનું યેગશાસ્ત્ર—એ અને એવા આત્મા સંબંધી વિચાર આપનારા થે અધ્યાત્મગ્રંથ કહેવાય. ભૂમિકા તૈયાર કરવામાં અધ્યાત્મગ્રંથે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. સાધુપુરુષે પરિચય, અકુશળ ચિત્ત પર અંકુશ અને અધ્યાત્મગ્રંથનું વારંવાર મનન કરવાથી યોગકારણની ભૂમિકા તૈયાર થાય છે અને તૈયાર થયેલી ભૂમિકા પર સમુચિત ચિતરામણ થાય છે, જે પ્રગતિને ખૂબ મદદ આપે છે. અહીં યાદ રાખવાનું કે શાસ્ત્રમાં જેને “અધ્યાત્મગ' કહેવામાં આવે છે અને જેના પર શ્રી ગબિન્દુ ગ્રંથમાં પુષ્કળ વિવેચન કરવામાં Page #108 -------------------------------------------------------------------------- ________________ કર] શ્રી આનંદવન-ચોવીશી આવ્યું છે અને જેના પર શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાયે દ્વાત્રિશદ્ધાત્રિ શિકાની અઢારમી બત્રીશીમાં વિસ્તાર કર્યો છે, તેવા પ્રકારનો અધ્યાત્મવેગ હજુ પ્રાપ્ત થયું નથી કે તેમાં પ્રવેશ થયે નથી,૧ પણ એને પ્રાપ્ત કરવાની ભૂમિકા મેળવવા માટે અધ્યાત્મગ્રંથનું શ્રવણ, મનન, પરિશીલન બહુ જરૂરી છે. યહેત’–નય એટલે દષ્ટિબિન્દુ, તેને સમજવા માટે અને તેને વિવેક કરવા માટે અધ્યાત્મને અભ્યાસ ખાસ ઉપયોગી છે. નયવાદ એ જૈન તત્ત્વજ્ઞાનને અપૂર્વ વિષય છે. જુદાં જુદાં દૃષ્ટિબિન્દુઓને લક્ષ્યમાં રાખવાથી અંશ સત્ય મળે છે અને એવાં અનેક દષ્ટિ. બિન્દુઓ નજરમાં રહે ત્યારે પ્રમાણ- સત્ય પ્રાપ્ત થાય છે. અપેક્ષાવાદમાં આ સર્વ હકીકત બતાવવામાં આવી છે. આ અંશ-સત્ય અને પ્રમાણ સત્ય, જેને નયવાદ અથવા અપેક્ષાવાદ કહેવામાં આવે છે અને જે તત્વજ્ઞાનની ખાસ વિશેષતા છે, તેના પર જેનને અનેકાંતવાદ રચાયેલ છે અને એ જૈન તત્વજ્ઞાનની ખાસ વિશેષતા ગણાય છે. અધ્યાત્મગ્રંથનું શ્રવણ કરવું, એમાં બતાવેલ આદર્શોનું મનન કરવું અને એનું દીર્ઘ સેવન કરવું, તેમાં મુદ્દો દષ્ટિબિન્દુઓ (નય) સમજવાનું છે. દષ્ટિબિંદુ સમજવામાં આવે તે પછી આ સંસારમાં વર્તતા આસક્તિભાવ, એનાં કારણો અને પરિણામેના મુદ્દા પર લક્ષ્ય જાય અને અધ્યાત્મગ્રંથની પ્રસાદીના ઉપયોગને લઈને છેવટે આ સંસારચકની રખડપાટીનાં કારણે સમજાય અને તેમાંથી બહાર નીકળી જવાના મુદ્દા પર લક્ષ્ય જાય. આ નયવાદને સમજવો એ જૈનધર્મની ચાવી છે. એના બધ કે એ તરફ લક્ષ્ય જતાં સેવનકારણની ભૂમિકા તૈયાર થઈ જાય છે. એટલે મુદ્દાઓ અને વિગતે સમજવા માટે, આખા સંસારનાં કારણે અને એના સ્વરૂપને ખ્યાલ કરવા માટે નય-દષ્ટિબિન્દુઓ જાણવાની જરૂર છે અને તેની પરસ્પરની કિંમત સમજવા માટે અધ્યાત્મગ્રંથનું શ્રવણ, મનન કે પરિશીલન ખાસ ઉપયોગી નીવડે છે. અથવા “નયહેત” એટલે “નય માટે? એવો પણ અર્થ થાય. નયવાદ એ જૈન તત્વજ્ઞાનને પામે છે, દરેક અંશ-સત્યને સમજવાને રાજમાર્ગ છે અને અનેકાંતવાદને આધાર છે. એટલે અધ્યાત્મગ્રંથી આત્માને ઓળખી ધર્મ-તત્વજ્ઞાનને બરાબર સમજવા કે ઓળખવાની ભૂમિકા આ નયજ્ઞાન પૂરી પાડે છે અને સેવન દ્વારા આત્મપ્રગતિ સાધવાનું એ અગત્યનું દ્વાર છે. નયવાદની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે વિરોધી દેખાતા વિચારોના વાસ્તવિક અવિરધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેવા વિચારને સમન્વય કરનાર શાસ્ત્રી તે નયવાદ. નયવાદમાં પરસ્પર વિરોધી દેખાતા અને છતાં વાસ્તવિક રીતે જોતાં અવિરોધી એવા વિચારોના અવિરધીપણાનાં કારણોનું ગષણ મુખ્યપણે હોય છે. આ ગષણના કાર્યને પરિણામે ચેતન આત્માને (પોતાને) ઓળખે છે, અંશ-સત્યાની મર્યાદા સમજી પ્રમાણ સત્ય શોધે છે અને એ રીતે એની ભૂમિકા વિશિષ્ટ થતી હોવાને પરિણામે એ સેવનકાર્યમાં આગળ ધપે છે. ૧. અધ્યાત્મયોગના સંક્ષિપ્ત વર્ણન માટે જુઓ મારે “જૈન દષ્ટિએ યોગ' પૃ. ૬૧ – ૬૫ (પ્રથમત્તિ.) ૨. તત્ત્વાર્થ, અધ્યાય ૧, સૂત્ર ૩૪, (પં. સુખલાલજીકૃત વિવેચન) ૫ ૬૯. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩: શ્રી સંભવનાથ સ્તવને [૯૩ આ રીતે ચેતન જ્યારે ચરમ પુદ્ગળપરાવર્તામાં આવે, ત્રીજુ અનિવૃત્તિકરણ કરે અને એની ભવપરિસ્થિતિ પરિપાક થઈ હોય, ત્યારે એ ભૂમિકાને અભય, અદ્વેષ અને અખેદ બનાવે અને એની વિશુદ્ધિ માટે એ સાચા સપુરુષને પરિચય કરે, મનની અકુશળતાને ઘટાડે કરે અને અધ્યાત્મના ગ્રંથોનું શ્રવણ, મનન, ચિંતવન કરે. (૪). કારણ ભેગે હો કારજ નીપજે રે, એહમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉનમાદ. સંભવ–પ અર્થ–(સહકારી કે સમવાયી) કારણોની પ્રાપ્તિ થયે કાર્ય નીપજાવી શકાય, એ બાબતમાં કઈ પ્રકારની ભાંજગડ કે મતભેદને અવકાશ નથી; કારણની પ્રાપ્તિ વગર અમે કાર્ય નિપજાવી શકીશું એવી સ્થાપના કે વિચારણા, એ તે નર્યો પિતાના અંગત અભિપ્રાયને તેર છે, એ એક પ્રકારની ઘેલછા છે. (૫) ટબે—જે માટે કારણને વેગે જ કાર્ય નીપજે એ ન્યાય છે. જેવું કારણ તેવું કાર્ય. સ્યાદ્વાદ હેતુએ સ્યાદ્વાદ પ્રાપ્તિ ફળ કાર્ય થાય. હઠના હેતુએ હઠપ્રાપ્તિ ફળ નીપજે–એમાં કઈ વાદ નથી, સર્વ સંમત છે. પણ વળી કારણ મેળવ્યા વિના જે કાર્ય સાધવા જાય, તે તે આપ મતને ઉન્માદ જાણો. કારણ કે વચન માગે વીર્ય ફેરવતા હતા, પણ કરણીના નહિ અને ફળ સાધવા હીંડે; થયા વાડમાત્ર સારા–પરમાર્થશૂન્યા એ ન્યાય થાય. એક પ્રતમાં ઉમેરે છે એ રીતના પરિપાકે કરી અનાદિના આઠ દોષ–સુદ્રાદિક ટળે, ક્ષુદ્ર ૧, લેભ ૨, રત ૩, ભયવાન ૪, મચ્છરી ૫, શઠ ૬, અજ્ઞ ૭, ભવાભિનંદી ૮. (૫) - વિવેચન—ઉપર પ્રમાણે ભૂમિકા તૈયાર કરવાની વાત કરી, તેમાં કાર્યકારણભાવસંબંધ કેવો હોય છે તે બતાવી ભેગી મહારાજ ન્યાયના એક મોટા જાણીતા સૂત્રની વાત રજ કરી તેને પિતાના સેવાભાવની પ્રેરણાની ભૂમિકા સાથે વણી દે છે; એને માટે પ્રથમ આપણે કાર્ય કારણસંબંધ શું છે તે જાણી લઈએ. કારણકાર્યસંબંધ-જેના વગર પરિણામ ન નીપજે તે કારણ કહેવાય. કારણ ગતિમાન થાય, એટલે જ્યારે એને વ્યાપાર ચાલુ થાય, ત્યારે તેમાંથી કાર્ય થાય. જે કાર્યની સાથે સમવાય પાઠાંતર–જેગે–ગઈ.નીપજે-નિપજઈ. એહમાં-એમાં. વિણ-વિષ્ણુસાધીએ-સાધી. ઉનમાદ-ઉન્માદ (0 શબ્દાર્થ-કારણ-કાર્યની ઉત્પત્તિનું મૂળ, હેતુ, સબબ. જેગે=ાગે, પ્રાપ્તિએ. કારજ=કાય, પરિણામ નીપજે ઉત્પન્ન થાય, પેદા થાય, લાભ થાય. વાદઃભાંજગડ, તકરાર. કારણ વિણ=પ્રયોજન વગર, પ્રાથમિક પ્રસંગ વગર. કારજ=ધારેલ મુદ્દો, સાધ્ય. સાધીએ=નીપજાવીએ. નિજ=પોતાના. મત=મતિ, બુદ્ધિ, અભિપ્રાય. પંથ, ધર્મ, સંપ્રદાય. ઉનમાદ-ગાંડાપણું, કેફીપણું, ઘેલછા, તાર, તોફાન. (૫) ૧. આ ચોથી ગાથામાં “સાધુશે'ને બદલે કોઈ પ્રતમાં ‘સાધશું” એવો પાઠાંતર છે એ અર્થ વગરને છે સ્તવન બેલતાં બેલતાં સાધશું એટલે વશ કરશું એવો ભાવ જમાવી દીધો છે, પણ એને પરિચય પાતિક અને ઘાતક સાથે કાંઈ મેળ ખાય તેમ નથી. એટલે એ પાઠને સ્વીકાર થઈ શકે તેમ નથી. બાકીનાં પાઠાંતરો સમજાઈ જાય તેવાં છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ [૯૪ શ્રી આનંદઘનચોવીશી સબધે વર્તે, એટલે જેને સંબંધ ખૂબ ગાઢ હોય તે સમવાયી કારણ” કહેવાય. સમવાયી કારણમાં એક જ પરિણામ લાવવા સાટે સમવેત રહી કાર્ય લાવવામાં કાર્ય તરીકે કે કારણ તરીકે જોડાઈ બાજુમાં સાથે રહે તે “અસમવાયી કારણ” અને માત્ર નિમિત્ત પૂરું પાડે તે “નિમિત્તકરણ.” સૂતરમાંથી કાપડ બને એટલે સૂતર અને કાપડને સંબંધ સમવાય સંબંધ કહેવાય. પટ બનાવવાના કાર્યની સાથે તંતુમાં રહે તે તંતુસંગ પટનું અસમવાયી કારણ કહેવાય. બાકી શાળ વગેરે નિમિત્તકારણે છે. તે જ પ્રમાણે ઘટ બનાવવામાં માટી સમવાયી કારણ છે, માટીને રંગ અસમવાયી કારણ છે અને કુંભારને દંડ, ચાકડે, દેરી વગેરે નિમિત્તકારણ છે. કઈ પણ કાર્ય નિપજાવવા માટે કારણોની હાજરી જરૂર જોઈએ. કારણની હાજરી વગર કાર્ય થઈ શકે નહિ, નીપજી શકે નહિ. ઉપાદાન કારણ તે સમવાયી કારણ છે, તે બહુ જ જરૂરી ગણાય છે; નિમિત્તકારણ તે પ્રસંગ પૂરો પાડે છે. આવી રીતે કારણકાર્ય સંબંધ વિચારી કારણેને સંગ્રહવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીં જણાવે છે કે કારણને વેગ હોય તે કાર્ય થાય, એ વાતમાં કોઈ જાતને વાદવિવાદ કે મતભેદ નથી. જો તમારે પ્રગતિ કરવી હોય, જે તમારે ચેતનને કર્મ સાથે સંબંધ સદાને માટે દૂર કરે હોય, તે તમારે સેવન યોગ્ય ભૂમિકા તૈયાર કરવી જ રહી. જે ઘડો તૈયાર કરવો હોય તે દંડ, ચક, ચીવર, દેરી મેળવી તદ્યોગ્ય પરિસ્થિતિ જમાવવી જ પડે. તે વગર તમે ઘડો તૈયાર કરવાની આશા રાખે એ વહેવારુ વાત નથી. તમારે બહાર ગામ જવું હોય તે તદ્યોગ્ય તૈયારી કરી તેનાં સાધને એકઠાં કરવાં જ પડે. અહીં તમારે સ્વરૂપાનુંસંધાન કરવું છે, ચેતનને કર્મમળ દૂર કરે છે, તે તેને માટે ભૂમિકા તૈયાર કરવી જ પડે. આ બાબતમાં મતભેદ કે મતફેરને અવકાશ જ ન હોઈ શકે. આખા જીવનમાં અવકન કરી કારણકાર્ય સંબંધ વિચારી જેશે તે જણાશે કે કારણે મેળવ્યા વગર અને કારણ યોગ્ય ભૂમિકા તૈયાર કર્યા વગર દુનિયામાં કઈ કાર્ય થતું નથી. તમારે મંદિર બાંધવું હોય તે તે પહેલાં તદ્યોગ્ય ભૂમિ તૈયાર કરવી જ પડે. આવી રીતે કારણો સાંપડે તે કાર્ય જરૂર થાય, એ વાતમાં ભાંજગડ જેવું કાંઈ નથી; એ તે સ્વયંસિદ્ધ નિયમ છે, છતાં કેઈ ધષ્ટતાથી એમ માનતે હોય કે અમે તે વગર કારણે કાર્યને ઉત્પન્ન કરશું, અમે વગર ત્યાગ કર્યો ચેતનને કર્મ જાળમાંથી છોડાવી દેશું, અમે ભૂમિકાની તૈયારી કર્યા વગર સેવનકાર્ય નિપજાવી શકીશું, તે તે પિતાના અભિપ્રાયનું ગાંડપણ છે. તમારે ત્યાગ કરવો નથી, મેજમજા માણવી છે, અને છતાં આનંદઘનપદ મેળવી નિત્ય શાંતિ માણવી છે : આ વાતમાં કાંઈ માલ નથી. આ વાત વિચાર વગરની, પરિણામશૂન્ય અને વગરવિચારનાં ભામાં છે. - જૈન તત્વજ્ઞાનીઓ કહે છે કે કઈ પણ હકીકત બનવાને અંગે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યોગ એ પાંચ કારણોની હાજરી જોઈએ. વસ્તુ બનવાનો સમય પાક જોઈએ; તે પ્રમાણે થવાને વસ્તુને સ્વભાવ હોવા જોઈએ; તે પ્રમાણે વસ્તુ બનવાની હોવી જોઈએ; તોગ્ય કર્મ હોવું જોઈએ અને તે પ્રમાણે કરવાનો પ્રયત્ન હવે જોઈએ. આ પાંચ કારણોને સમુદાય Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩: શ્રી સંભવનાથ સ્તવન [૯પ એકઠો ન થાય તે કામ ન બને. આ કારણે પૈકી કઈ કઈ પ્રસંગે પાંચમાંના એકને અગ્રસ્થાન આપવાને આગ્રહ કરવામાં આવે છે, પણ એ “નિજ મતને ઉન્માદ” છે, હાથથી પાંચ આંગળીને મેળ મેળવવા જેવી એ હકીકત છે. લડાઈમાં ઘણીવાર સેનાપતિને જીત મેળવવાનું માન મળે છે, પણ સુભટના કાર્યનું એ પરિણામ હોય છે, તેમ કારણો પૈકી એક કારણને કઈ વાર આગળ પડવાનું દેખાઈ આવે છે, પણ પાંચ કારણો એકઠાં મળે ત્યારે જ કાર્ય થાય છે, એ વાત ધ્યાનમાં રાખવી. સ્વભાવ, કાળ, ભવિતવ્યતા, ઉદ્યમ અને કર્મ—એ પાંચે સહકારી કારણો એકઠાં થાય ત્યારે તાંતણાઓમાંથી પટ બને છે. એ પ્રમાણે નિયતિને વશ પડી હળુકમ થઈ પ્રાણ નિગોદમાંથી નીકળે છે; તદ્યોગ્ય સમય થાય ત્યારે અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવે છે. એવી રીતે નીકળી આગળ વધવાને અને અંતે નિકર્મા થઈ મેક્ષ જવાને એને સ્વભાવ હોવો જોઈએ. પુણ્યથી એને મનુષ્યગતિ, સદ્દગુરુગ વગેરે સાધનસામગ્રી મળે છે અને પુરુષાર્થ કરી એ પિતાના નિજગુણો પ્રકટ કરે છે. આ સહકારી કારણે હોય તે ભવસ્થિતિ પરિપાક થાય ત્યારે તેનામાં પંડિતવીર્યની ફુરણું થાય છે અને એ શિવગતિ પ્રાપ્ત કરે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી કારણ યોગ મેળવ્યા વગર કાર્ય સાધી લેવાની ધૃષ્ટતા બતાવવી એ ખરેખર એક જાતનો ઉન્માદ છે. તમારે જે સંભવદેવની સાચી સેવા કરવી હોય, તમારે આકરા સંસારસમુદ્રને તરી જ હોય, તે ભૂમિકાને અભય-અષ-અખેદ બનાવે, સાચા સાધુપુરુષનો પરિચય કરો, અકુશળ ચિત્ત ઉપર અંકુશ લાવે, આધ્યાત્મગ્રંથનું પરિશીલન કરે; બાકી સ્વને સ્વીકાર અને પર ત્યાગ કરે નથી અને છતાં આનંદઘન પદ મેળવવું છે તે તમને સીધે જવાબ એ છે કે એ તે દુરાગ્રહનું પ્રદર્શન છે. મતને અર્થ બે પ્રકાર છેએક પિતાને અભિપ્રાય અથવા મતિ. કેટલાક ઘટ્ટ પ્રાણનો અંગત મત એવો હોઈ શકે છે કે કારણ-બારણ તે બહાનાં છે, કામ કરવા મંડે અને કામ થાય જ. આવા મતવાળાએ એક જાતનાં ગાંડાં કાઢે છે, કેઈ બાબતમાં ફાવી ગયા હોય એટલે ગમે કેમ કે રાખે છે. “મતને બીજો અર્થ સંપ્રદાય કે પંથ છે. કેટલાક મતવાળા એમ માને છે કે કારણના ચકરાવામાં પડવાની જરૂર નથી, એ તે આગળ વધે અને સર્વ આવી મળશે. આવા સાંપ્રદાયિક અભિપ્રાયથી ખોટે રસ્તે દોરવાઈ જવા જેવું નથી. કારણ વગર કાર્ય ન જ થઈ જાય એ ચોક્કસ છે. માટે સાથે પહોંચવું હોય તે તે માટે સમવાયી કારણો, નિમિત્તકારણો અને સાધન મેળવે, તઘોગ્ય ભૂમિકા તૈયાર કરે, તેના પ્રસંગે જમાવે અને તેમાં આગળ વધતા જાઓ. બાકી, જ્ઞાનવિમળસૂરિ કહે છે તેમ, વચનના ફડાકા માર્યા કરે, વાણીને વિકાસ કર્યા કરે તેને તેઓ (જ્ઞાનવિમળસૂરિ) વાણીમાત્ર સારા પણ પરમાર્થ શૂન્ય કહે છે. આવા પ્રકારની સ્થિતિ ન થવા દેવી હોય તે સેવન યેગ્ય ભૂમિકા તૈયાર કરવાની ખાસ જરૂર છે, એને પ્રથમ અભય-અષ-અખેદ બનાવી આગળ વધવા જેવું છે અને એ કરવામાં નિમિત્તો ઊભાં કરવાં Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૬] શ્રી આનંદઘન-વીશી અને એનું વારંવાર પુનરાવર્તન કરવું, એ જ માર્ગ સાધારણ શક્તિવાળા વ્યવહારુ જીવો માટે સ્વીકાર્ય છે. ઘણું ઉન્માદી પ્રાણીઓ બહિરાત્મભાવમાં રાચી જઈ, પિોતાની મામૂલી શક્તિને ભાવ ઘણો મોટો માની લે છે અને શૈલીશીકરણની કે એકાગ્રતાના ધ્યાનની વાત કરે છે, આ અસાધ્ય કેટિની ઘેલછા છે, કુમતિને ચિત્તવિભ્રમ છે. વાતને સાર એ છે કે સેવન-કારણો મેળવે તે સિદ્ધિરૂપ કાર્ય પ્રાપ્ત કરી શકે છે અને આ વાતમાં બે મત નથી. આવી ભૂમિકાશુદ્ધિ કર્યા વગર મુક્તિ મેળવવાની ધારણા કરવી એ અઘટિત વાત છે. અહીં કાર્ય મુક્તિ અને આત્મસિદ્ધિ છે; કારણ તે તદ્યોગ્ય સાધનસામગ્રી અને પરિસ્થિતિ છે. આવી રીતે કાર્યકારણસંબંધ ઓળખી કાર્ય યોગ્ય કારણો એકઠાં કરે તે પ્રાણી મુક્તિમંદિરનાં પગથિયાં ચઢે છે. આ કાર્યકારણભાવમાં કર્મ અને પુરુષાર્થને સમાવેશ થાય છે. એટલે પુરુષાર્થને કેટલે અવકાશ છે, કર્મની કેટલે અંશે પરાધીનતા છે. આત્મવીર્ય સ્ફરે ત્યારે કર્મ પર કેવું સામ્રાજ્ય આણી શકાય છે અને પરાધીનતામાંથી સ્વાધીનતા કેવી રીતે સુપ્રાપ્ય છે, એની ચાવીઓ યોગગ્રંથમાં યોગીઓએ બતાવી છે એને સમજવી, પણ સમજ્યા વગર ઉન્માદમાં ન પડી જવાય તેનું ધ્યાન રાખવું. જ્ઞાનવિમળસૂરિએ, એક પ્રત પ્રમાણે, જે વધારે આ ગાથાના અર્થમાં કર્યો છે, તે પ્રમાણે માત્ર વચન બોલી જનારા પરમાર્થશૂન્ય પ્રાણીઓના ઉન્માદને બતાવતાં તેમણે અનાદિના લાગેલે આઠ દેને આગળ કર્યા છે. એ મૂળ ગાથા મેળવવા પ્રયાસ ચાલુ છે. તેને ઉલ્લેખ જરૂર થશે, પણ તેને ભાવ તે જરૂર કુરે છે. તેઓ કહે છે કે માત્ર વાત કરનારાં, પણ અભિગ્રહ કે નિયમનું કષ્ટ નહિ કરનાર પ્રાણુ અનાદિના આઠ દોષને સેવનારાં હોય છે અને એ દોષને સેવનારમાં એક પ્રકારને ઉન્માદ જ હોય છે અને તે અનાદિ કાળથી લાગેલે હોઈ ચાલુ રહે છે. પાઠમાં અશુદ્ધિ દાખલ થઈ ગઈ છે, પણ ભાવાર્થ સમજાય તેવું અને સુગમ્ય છે. તેમના મતે કારણ મેળવ્યા વગર કાર્ય સાધવાને દાવો કરનારા અનાદિ કાળના આઠ દેશમાં હજ રચેલપચેલ છે એમ જાણવું. કારણ મેળવ્યા વગર, ભૂમિકાની શુદ્ધિ કર્યા વગર, કાર્ય થાય તેમ નથી, એ વાત બરાબર લક્ષ્યમાં લેવા યોગ્ય અને ધારી રાખવા યોગ્ય છે. (૫) મગધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના રે, “આનંદઘન રસ રૂપ. સંભવત્ર ૬ પાઠાંતર–મુગધ - મુગ્ધ, મુગતિ, મુગધિ. દેજે – દે. (૬) શબ્દાર્થ–મુગધ = મુગ્ધ, અણસમજુ, ભેળ, અણધડ, ભકિક લેક. સુગમ = સહેલું, સહજ, આસાન, સરળ. કરી = ધારી, માની લઈ સેવન = સેવાકાર્ય, આદરે = શરૂ કરે, આરંભે. આગમ = અગમ્ય કઠણ, અથાક, જ્યાં કોઈ જઈ ન શકે. અનૂપ = અનુપ, ઉપમારહિત, અજોડ, ઉત્તમ, શ્રેષ્ઠ. દેજે = આપજે, કદાચિત = ક્યારેક, કઈ વખતે, કદી. સેવક = ઉપાસક, ભક્ત(ને). યાચના = વિનંતી, પ્રાર્થના, માગણી. આનંદધનરૂપ = આનંદમયતાના તાદાભ્યસ્વરૂપ (સંબોધન) અથવા વિશેષણ-વિશેષ્ય, સેવા અધ્યાહાર. (૬) Page #113 -------------------------------------------------------------------------- ________________ ૩: શ્રી સ‘ભવનાથ સ્તવન [૯૭ અભાળાભલા માણસો સેવનકા સહેલું માની લઈને શરૂ કરી દે છે, પણ તેમણે જાણવુ જોઇએ કે સેવાનું કાર્ય જેના તેનાથી જાણ્યુ' ન જા જાય તેવું અને કોઈની સાથે સરખાવી ન શકાય તેવું છે. એ કઠણ અને અજોડ છે. તે આન ંદઘનના રસમય પ્રભુ ! આ સેવકની માગણીને કોઇ વખત સફળ કરો અથવા આનંદસમુચ્ચયના રસરૂપ સેવાની માગણીને કોઇ વખતે સફળ કરજો. (૬) ટા—મુગતિને પામવું સેવનાએ સુગમ જાણીને સેવા આદરે, પણ તે સેવાનું સ્વરૂપ તે અગમ-કોઇથી જાણ્યું ન જાય અને એ અનૂપ એટલે ઉપમા જેની નહિ. એટલા માટે સેવકની યાચના પ્રાર્થના એવી છે કે કદાચિત્—કોઇ સમયે-આનંદઘનરસ રૂપ એટલે પરમ સહજાનંદરસસ્વરૂપ જે સેવાથી નીપજે એવી સેવા આપજો. એટલે શુદ્ધાત્મા ભગવંતની સેવાને ભૂમિકાશુદ્ધ દેખાડી. ત્રીજા સ્તવનમાં ભૂમિકાશુદ્ધપણે દર્શીન દેખવું તથા દર્શન સમ્યક્ત્વની દુઃપ્રાપ્યતા કહી છે. (૬) વિવેચનસેવનકારણ ભૂમિકા તૈયાર કરવાની જરૂર બતાવી, સેવન મામૂલી કે નકામી ચીજ નથી, પણ બહુ ભારે અને ખૂબ સમજવા યાગ્ય અને સમજીને આદરવા યાગ્ય ચીજ છે, એ વાત હવે છેવટે જણાવે છે, ઘણા ભલા કે ભેાળા માણસે સેવનકાર્યંને સહેલું, સીધું અને વગર મહેનતનું ગણી એનેા આરભ કરી દે છે. એ બિનઅનુભવી અણુધડાયલા પ્રાણીએ સેવનકાર્ય ને બચ્ચાના ખેલ જેવી વાત ગણી તેની શરૂઆત કરી દે છે અથવા આદરી દેવાને વિચાર કરે છે. એને એમ થાય કે થાડું પાણી રેડી દેશું, કે ટીલાંટપકાં કરશું અને અન્યચિત્ત નિરાદરપણે માળાના મળકા ટપટપાવી દેશું એટલે બેડો પાર થઈ જશે. આ વાત બરાબર નથી. સેવન તે અગમ્ય છે, અનેાપમ છે, મહામૂલ્યવાન છે, પ્રયત્નથી પ્રાપ્ય છે. આ વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરતાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજ યાગબિન્દુની શરૂઆતમાં (બ્લેક ૭૧) સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, સાચા અને અસરકારક ઉપાય અધ્યાત્મ સિવાય ખીજી કોઈ રીતે મળવા મુશ્કેલ છે અને અધ્યાત્મયોગના લાભ ન થાય તેા તત્ત્વપ્રતીતિ તો પછી કયાંથી જ થાય ?' આ અધ્યાત્મયાગની પ્રાપ્તિ ચરમપુગળપરાવત`માં થાય છે અને સંસારસમુદ્રમાં તેની પ્રાપ્તિ દુલ ભ છે. આ સેવનકાય, એની સાધન-સામગ્રી મળવી ભારે મુશ્કેલ છે. એટલે એ વાત વહેવારુ માણસા ધારે તેટલી સહેલી નથી. આ હકીકત ખૂબ ન્યાયસંગત છે, એના ઉપર શાસ્રવાર્તાસમુચ્ચય વગેરે ગ્રંથેામાં ખૂબ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે સહુકારી કારણેા પણ કાર્ય હેતુ હેાવાને કારણે ખૂબ મઢુત્ત્વનાં છે. આ આખી વિચારણા એક વાત બરાબર સૂચવે છે કે સામગ્રીના લાભ લેવા માટે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને ઉદ્યોગ એ પાંચે કારણેાના યેગ મેળવવા જોઇએ, અને એને માટે પૂ॰સેવા કરવી જોઇએ, ગુણુપ્રાપ્તિ માટે યાગ્ય ક્રિયા કરવી જોઇએ, સદાચાર રાખવે જોઇએ અને મુક્તિ તરફ અદ્વેષ થવા જોઇએ. દરેક કાર્યાં કર્તાના ભેદે જુદા જુદા આકાર ધારણ કરે છે. એટલે આ સેવનકાય કેટલાંક પ્રાણીએ સાધારણ સમજી સુગમ છે એમ ધારી લે છે એ વાત ખરાખર નથી. સંસારચક્રમાં ફરતાં ફરતાં જ્યારે સક્રિયા થાય, શુષુપ્રાપ્તિ તરફ સ્વા ૧૩ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૮] શ્રી આનંદઘન-વીશી ભાવિક રુચિ થાય અને સાંસારિક અપેક્ષા વગર ઉચિત ક્રિયા અને વર્તન થાય ત્યારે સેવનોગ્ય ભૂમિકા તૈયાર થાય છે. આવી પરિસ્થિતિ અનુપમેય છે, સંસાર-પરિભ્રમણમાં અનંત કાળે પ્રાપ્ત થાય તેવી છે, પણ થાય ત્યારે કામ થઈ જાય તેવી ભારે વાત છે. અનુષ્ઠાનના પાંચ પ્રકાર અન્યત્ર બતાવ્યા છે : વિષ, ગરલ, અનનુષ્ઠાન, તàત અને અમૃત. બાહ્ય દૃષ્ટિએ સમાન ક્રિયા કરનારનાં અનુષ્ઠાનેમાં ફળની અપેક્ષાએ કે પરિણામની નજરે કેટલે ફરક પડે છે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. વાત એ છે કે સેવન કારણભૂમિકા તૈયાર કરવામાં જે અનુષ્ઠાને કરવાનાં હોય, જે પૂર્વતૈયારી કરવાની જરૂરિયાત બતાવાઈ છે, તેની પ્રાપ્તિ તદ્દન સહેલી કે સુપ્રાપ્ય છે, એમ ધારી લેવા જેવું નથી. એ સેવનગ્ય ભૂમિકા સાંપડી જાય તે પછી સેવનકાર્ય આગળ ધપે, ગુણપ્રાપ્તિ થતી જાય અને સંસારઅટવીના ચકરાવા દૂર થવા ગ્ય માર્ગ સાંપડે. અગમ”—અગમ્ય શબ્દમાંથી એ નીકળેલ છે. એનો અર્થ “કઠણ” અથવા “આકર” વધારે બંધ બેસતે છે. અગમ્ય એટલે જ્યાં કોઈ ન પહોંચી શકે તેવું એ અર્થ પણ થાય છે. અહીં કઠણ અર્થ જ બંધ બેસે છે. અગમ્યને અર્થ ઇન્દ્રિયાતીત પણ થાય છે, પણ તેટલી આકરી ઊંચી હદને આ શબ્દપ્રયોગ અહીં નથી થયે એમ સંબંધ પરથી જણાય છે. અનુપ-અનુપ–આ સમુચિત વિશેષણને ઉપગ બહુ સુસંગત હોઈ માનસિક વાતાવરણમાં અને હૃદય પર સીધી અસર કરે તે છે, સેવનકાર્ય ખરેખર અનુપમેય છે, અજોડ છે, ઉત્તમ છે, ભવચકના અત્યાર સુધીના રખડપાટામાં અનનુભૂત છે. સંસારના આંટાને છેડો લાવવા માટે એ અગમ્ય એટલે કઠણ હોવા છતાં અજોડ સાધન છે અને એટલા માટે સેવન કારણભૂમિકા તૈયાર કરવામાં અને ભારે ઉપયોગ છે. એટલે સેવનનું રહસ્યભેદ) લઈ (સમજી) સેવન કરવાની શરૂઆતમાં પ્રેરણ કરી તે સેવાકાર્ય મામૂલી કે નજીવું છે, એમ ન ધારતાં એની મુશ્કેલી સમજી એની સાથે જ એની અજોડતા વિચારવા સ્વરૂપદર્શન કરાવ્યું છે. મુગ્ધ-ભેળા લોકે કોઈક વાર સેવાનું કાર્ય સહેલું કે સરળ છે એમ ધારીને પછી એની શરૂઆત કરે છે, પણ તે ધારવામાં આવે છે તેવું સહેલું નથી; એમાં તે બાહ્ય ભાવ છોડી અંદર જવું પડે છે, એમાં ભૂમિકા તૈયાર કરવામાં અભય, અદ્વેષ, અખેદનાં વિશેષણો ઓળખવા પડે છે અને એની આદેયતા જાણવા સાથે એની અગમ્યતાનો ખ્યાલ જરૂર રાખ પડે છે. ભૂમિકા મળવી સહેલી નથી, એમ જાણવા સાથે મનમાં એ પણ સમજી લેવા જેવું છે કે એ ભૂમિકાની પ્રાપ્તિ અશક્ય નથી; એની અગમ્યતા વિચારી ભડકીને બેસી જવા જેવું નથી. ત્યારે એને ઉપાય શું? એ કેમ મળે? એ અગમ છે એમ જાણ્યા પછી એની “ગમ્યતા” કેમ કરી શકાય? ઉપર એનાં નિમિત્તકારણ બતાવ્યાં છે તેને પ્રયોગ કરે અને જેમણે એ ભૂમિકા મેળવી હોય તેને વિચાર કરતાં તેના જેવા થઈ જવાની ભાવના કરવી એ જ એને માર્ગ છે. ૧. આ વિષ, ગરલાદિ પાંચ અનુષ્ઠાન માટે જુઓ “જૈન દષ્ટિએ ગ” પૃ. ૧૦૦. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩ : શ્રી સંભવનાથ સ્તવન [૯૯ સાધુપુરુષને પરિચય કરવાથી, ચિત્તની અકુશળતામાં ઘટાડો કરવાથી અને અધ્યાત્મગ્રંથનાં શ્રવણ, મનન અને પરિશીલનથી ભૂમિકા પ્રાપ્ત થવાને ઘણે સંભવ ગણાય. આવા પ્રકારની આનંદઘનરસરૂપ માગણી છે એટલે આનંદમયતાને રસ જેમાં છબછબે છે, તેવા પ્રકારની મારી માગણી કઈ વખતે મને આપી દેજે, કોઈ વખતે મારી માગણને સ્વીકાર કરી દેજે, એટલે મારા સંસારના ફેરા અટકી જાય, મારી રખડપટ્ટી દૂર થાય અને હવે શાંતિથી નિર્ભય થઈ એક ઠામે ઠરીને બેસું, એવી મારી આનંદસ્વરૂપ માગણી છે. જ્યારે કોઈ વાતની તીવ્ર ઈચ્છા થાય છે ત્યારે તે મેળવવા માટે માગણી થાય છે, જેની તેની પાસેથી તે એ મળે તેમ નથી એમ જાણવામાં છે, એટલે જે પરમાત્માએ એ મેળવી છે તેને કહે છે કે મારી આ માગણી આનંદમયતાના તાદામ્ય સ્વરૂપ હોઈ આપ મને આપજે, મને આપના જે બનાવજે. પ્રાણને જે આદર્શ હોય તેને સામે રાખી તેના જેવા થવાની વિચારણા તેની પાસે મૂકવી એ આદર્શ સિદ્ધિને રસ્તે ચઢવાને સુંદર માર્ગ છે. બાકી એમાં કાર્ય તે પિતાને પુરુષાર્થ જ નીપજાવી શકે છે. વીતરાગ ભગવાન કાંઈ આપી દેતા નથી, ઈરછા પૂરી શકતા નથી, પણ સેવક જ્યારે સેવ્ય સન્મુખ હાજર થઈ તેના જેવા થવા પ્રાથે ત્યારે અંદરથી જે પાકે નિર્ણય થાય છે, તે પ્રાણીને રસ્તા પર લાવી મૂકે છે. સંસારમાં રખડતે આ ચેતન કહે છે કે હે દેવ ! સેવા અગમ અને અનુપ છે, છતાં મારી વિજ્ઞપ્તિ સાંભળજો અને સેવનભૂમિકા મને અપાવજે. આનંદઘનરસ રૂપ”—આ શબ્દપ્રયાગના ઘણા ભાવો નીકળે છેઃ () “આનંદઘનરસ રૂપ” સંબોધન હોઈ શકે. આનંદસમૂહને રસ, તદ્રુપ હે ભગવાન! મારી આ યાચના કઈ વખત મને આપજે, મારી માગણી પૂરી પાડજે, મારી ભાવના સફળ કરશે. આપ તે જાતે આનંદના રસ રૂપ છે! આપ જાતે આનંદમય છે અને આપની સેવા અગમ અને અનુપ છે, પણ મારે આપની સેવા કરી આપના જેવા થવું છે. તે તદ્યોગ્ય ભૂમિકા કરી આપશો એટલી મારી વિજ્ઞપ્તિ છે. () મારા સેવનની ભૂમિકા આનંદરસ રૂપ છે, સેવનકાર્યનું પરિણામ આનંદરસને જ મળનાર છે અને જે જેને સરજનાર હોય તે તેના રૂપ હોઈ તન્મય ગણાય છે. તે આનંદઘનરસ રૂપ સેવન છે તે મને કોઈ વખત આપશે, મને આનંદઘનરસ રૂપ સેવન સાંપડી જાય એ મારી સ્થિતિમાં પલટો લાવી દેશે. (T) અથવા મારી યાચના આનંદઘનરસ રૂપ છે, એ માગણી જ એવી છે, એ આનંદ સ્વરૂપ છે, આનંદમય છે, આનંદજનક છે; એ માગણું મને આપી દેજે, એ આનંદ-મંગળમય મારી ભાવના પૂરી પાડજો અને મારા અંતરાત્માને કઈ વખતે આનંદમય બનાવી દેજે. પહેલા અર્થમાં આનંદઘનરસ રૂપને પ્રયોગ નામ તરીકે ગણી સંબધન વિભક્તિમાં ગણ્યો છે. બીજા બે અર્થમાં તેને સમાસ વિશેષણ ગણી એક વાર તેને વિશેષ્ય તરીકે આગલા પદને “સેવક શબ્દ સ્વીકાર્યો છે અને ત્રીજા અર્થમાં તેના વિશેષ્ય તરીકે “યાચનારને ગણેલ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] શ્રી આનંદઘન-ચાવીશી વાત તે એક જ છે કે આંતર આત્મપ્રદેશમાં પ્રગતિ કરવી હોય તો શરૂઆતમાં તદ્યોગ્ય ભૂમિકા તૈયાર કરવી જોઈએ, તેની અંદરના કષાય-વિકારે દૂર કરવા જોઈએ અને એના ઉપર બરાબર ચિતરામણ કરવા માટે એને અભય, અદ્વેષ અને અખેદ બનાવવી જોઈએ. આ રીતે તૈયાર થયેલી ભૂમિકા ઉપર ચિતરામણ બને તેમ હોવાથી એ ભૂમિકા પ્રાપ્ત કરવાની અત્ર આકાંક્ષા બતાવી. - એક બીજી પણ વાત છે. આત્મપ્રગતિ કરવાની ઈચ્છા થઈ હોય તે જે માગે અનુકરણીય પુરુષેએ પ્રયાસ કે ગમન કરેલ હોય તેની દોરવણ કે શિક્ષા સૂચન અનુસાર કામ લેવામાં આવે તે કામ સરળ બને છે અને કાર્ય સિદ્ધિ હસ્તગત થાય છે. એમ થાય તે ગપ્રગતિ જેવા ગહન વિષયમાં આત્મપ્રતારણ કે ખલિત પ્રયાગનો ઘણો ઓછો સંભવ રહે છે, એટલે આવા પ્રગત પુરુષને વિનય કરી, તેમની પાસે માગણી મૂકી, પ્રવાસ શરૂ કરે અથવા શરૂ કરવાની જોગવાઈ કરી આપવા વિજ્ઞપ્તિ કરવી એ ઘણો સલામત રહે છે. કેટલાંક નિશ્રા વગરનાં પ્રાણીઓ યુગને નામે હઠગ, કદર્શન અને આત્મવંચનામાં પડી ગયા છે. અને અણસમજથી આડે રસ્તે ચઢી ગયા હોય તેને ઠેકાણે લઈ આવવા માટે બેવડી માર્ગ વિચારણા કરવી પડે છે. ઊંધે રસ્તે જઈ ચઢાય તે ખોટો રસ્તે પાછો કરવામાં અને નવીન મેળવવામાં બેવડા પ્રયત્ન અને શક્તિનો વધારે પડતે વ્યય કરે પડે છે, એટલે આ યાચના કરવાની પાછળ ઘણી ભવ્ય વિચારણા હોય એમ પણ જણાય છે. અને આનંદઘનસ માટે તે અનેક સ્થળે ઘણી વિચારણા કરી છે. એ શબ્દમાં જ ચમત્કાર છે. એના ચિંતવનમાં લહેર છે, એના ઉચ્ચારણમાં લહાવે છે. અને એના વાતાવરણમાં શાંતિ અને ઉચ્ચગ્રાહિતા છે. એના પર અનેક દૃષ્ટિબિન્દુથી વિચાર કરવા જેવો છે. ભૂમિકા તૈયાર થયા પછી પણ આનંદમય થવાનું છે, ભૂમિકા તૈયાર કરવા માટે પણ આનંદને ઓળખવું પડે તેમ છે અને આ ભૂમિકાની પ્રાપ્તિ થયા પછીય આનંદમાં પ્રગતિ કરી કેવા આંતર સામ્રાજ્યનાં સોણલાં સેવવાનાં છે તેની કલ્પના પણ બનતી ચોખવટથી અત્યારે જ કરી નાખવા જેવી છે. જેવી ભાવના હોય તેવી સિદ્ધિ થાય છે, તેથી ધૃષ્ટતા કર્યા વગર તદ્યોગ્ય વાતાવરણ જમાવવા અથવા તૈિયાર કરવાને નિર્ણય કરી નાખવા જેવું છે અને તેને ગ્ય સામગ્રી તે જરૂર જમાવવા યોગ્ય છે. આ છેલ્લી ગાથામાં “મુગ્ધ” શબ્દને સ્થાને કઈ પ્રતિમાં “મુગતિ” શબ્દ આપે છે અને જ્ઞાનવિમળસૂરીએ એ પાઠને સ્વીકારી તે પર પણ ખાસ અર્થ વિવેચના કરી છે. મુગતિ એટલે મોક્ષ. મોક્ષ મેળવવો સહેલે છે એમ ધારી કેટલાક પ્રાણીઓ સેવાને માર્ગ સ્વીકારી લે છે. તેમને મન એવું હોય છે કે થેલી માળાઓ ગણશું કે છેડે વખત ચેતનરામની વાત ગંભીર મુદ્રાએ કરશું એટલે બેડે પાર પડી જશે, અને મુક્તિ મળી જશે. આવી પ્રકૃતિના માણસોએ જાણવું જોઈએ કે સેવન અગમ્ય છે, અનુપમેય છે, અદ્ભુત છે, ચમત્કારી છે. આ પાઠ પણ સારે ભાવ આપે છે. જ્ઞાનવિમળસૂરિએ “આનંદઘન રસરૂપ” ને “દેજે નું કર્મ બનાવ્યું છે તે પણ બહુ સારે ભાવ આપે છે, અને વિચારણીય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩: શ્રી સંભવનાથ સ્તવન [૧૦૧ આવી રીતે ભૂમિકાની શુદ્ધિના દર્શનની આતુરતા-જિજ્ઞાસા જાગૃત કરનાર, સેવનના પ્રસંગે ઊભા કરી આપનાર વિચારણા આ સ્તવનમાં શરૂ કરી, અને એનાં કારણોની મહત્તા બતાવવા સાથે એ ભૂમિકા મળે ત્યારે શું શું થાય તેને આછો ચિતાર આપ્યો અને એની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરી. (૬) ઉપસંહાર સંભવનાથ તીર્થંકરના નામ સાથે જોડાયેલા આ સ્તવનમાં ભારે મહત્ત્વની વાત કરી છે. એને આખો ઝોક સેવનનું મહત્વ બતાવવાને અને ચેતનને વિકાસ કરવાની ભૂમિકા તૈયાર કરવાની આકાંક્ષા ઉત્પન્ન કરવાનો છે. અને છ ગાથામાં ગપ્રવાહની ગંભીરતા, વિશેષતા અને ભયસ્થાનવાહિતા તરફ ધ્યાન ખેંચી ભારે વિચારણાઓ જાગતી કરી છે. શરૂઆતમાં ભૂમિકાની શુદ્ધિની મહત્તા તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું તે વાતમાં કેટલું મહત્ત્વ છે તે આખા રતવનને ઝોક જાણ્યા પછી બરાબર સમજાઈ જાય તેમ છે. અને ભૂમિકામાં અભય, અદ્વેષ અને અખેદનાં વિશેષણમાં કેવી અર્થ વાહિતા છે તે પર ખાસ ધ્યાન આપવા યોગ્ય છે. માનસશાસ્ત્રની નજરે જોઈએ ત્યારે અસ્થિર માનસ અને ચંચળ પરિણામે આખા જીવન પર કેટલી અવ્યવસ્થા કરે છે, એને ખ્યાલ આવે છે. અને યોગમાર્ગને વિચાર કરતાં જણાય છે કે એમાં ચિત્તવૃત્તિ પર કાબૂ મેળવ, એ વાતને જ પ્રાધાન્ય અપાયું છે અને પરિણામની ચંચળતા જ્યાં હોય ત્યાં વૃત્તિ પર કાબૂને સવાલ જ રહેતો નથી. અને યુગમાં જેટલી અગત્ય મન પર કાબૂ મેળવવાની બાબતને આપવામાં આવે છે, તેટલું જ મહત્વ મનને રાગદ્વેષ વગરનું બનાવવાની બાબતને અપાય છે. ભગવાનમાં રાગ ન હોય ત્યારે વીતરાગતા પ્રાપ્ત થાય છે, તેની સાથે જ વીતષતા સમજવાની છે. શ્રેષની અધમતા ઉઘાડી છે, એટલે વીતરાગ શબ્દમાં વીતષની હકીકત કરતાં વીતરાગતાને ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે, પણ એમાં વીતશ્લેષિતાને તે પાકું અગત્યનું સ્થાન છે જ. અને અહીં તે શ્રેષના સર્વથા ત્યાગની ભૂમિકાએ પહોંચવાની વાત નથી, પણ ભૂમિકાની શુદ્ધિ માટે અરેચકભાવને ત્યાગ કરવાની હદ સુધી જ જવાનું છે. માત્ર કોઈ વસ્તુ કે પ્રાણી તરફ ધૃણુ ન હોવી જોઈએ, તુચ્છકાર ન થે જોઈએ: આ અદ્વેષની પ્રાથમિક ભૂમિકા બહુ મહત્ત્વનું માનસિક કામ બજાવે છે અને વિકાસ માર્ગ પર ચઢવા માટે બહુ જરૂરી છે. જૈનના આચાર-ઉપદેખાઓએ રાગ અને દ્વેષ પર આ ખે સંસાર રચાય છે તે વાતને બતાવી તેનું સ્વરૂપ ખૂબ વિસ્તારથી બતાવ્યું છે. ઠેષ તે દેખાય છે, પણ રાગ મીઠો છે, અંદરથી અજાણપણામાં ઘૂસી જાય તેવે છે અને તેથી વીતરાગ દશામાં રાગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, પણ દ્વેષની અધમતા કે સંસારવાહિતા તેથી જરા પણ ઓછી થતી નથી. મેહ રાજાના એ બને દીકરાઓ એટલે સંસારવિસ્તાર છે. અને અમેદની ભૂમિકા તે ખાસ ચીવટથી વિચારવા યોગ્ય છે. કેટલીક વાર શુભ કાર્યો કે વિચારણા કરતાં પ્રાણ થાકી જાય છે. સારી સમાજસેવાનાં કામ કરે, છેડા આંટાફેરા ખાય, કે Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ શ્રી આનંદઘન-ચાવીશી ધનધાન્ય વસ્તુ આપે અને પછી વિચાર કરે કે હાશ છૂટયા! આ ભાવ ખેદ સૂચક છે. જેને વસ્તુને, કિયાને કે એના ત્યાગને લય લાગ્યું હોય એ તે એ વસ્તુના છેડા પર આવે ત્યારે એને એમ થાય કે ધન્યભાગ્ય કે આ અવસર આવ્યો! આવી તક વારંવાર મળે તે માટે તેની ઝંખના હોય. એ ઉપવાસ કરે કે ઉત્સવ કરે, એ પૌષધ કરે છે ત્યાગ કે સેવનકાર્ય કરે ત્યારે તેને તેમાં આનંદ જ હોય, અને થાક ન હોય. આવી રીતે ભૂમિકાની તૈયારી થવાની જરૂરિયાત બતાવી, સંસાર-પરિભ્રમણમાં તેને પ્રાપ્તિકાળ બતાવ્યું. આ હકીકત બહુ લાંબી નજરે જોતાં શીખવે છે. પુદ્ગળપરાવર્તાની કલ્પના થથરાવી નાખે તેવી છે, પણ એ તે ભૂતકાળને વિષય થઈ ગયે. એ વાતને આપણે તે એટલે લાભ લેવાને છે કે આવા અનંત પુગળપરાવર્તે થઈ ગયા, પણ હજુ કાંઈ સંસારને વિસ્તાર થયું નથી અને જે આ વખતે મળેલી તક ગુમાવવામાં આવશે તે પાછા સંસારના પરિભ્રમણમાં ક્યાંના ક્યાં ઘસડાઈ જવાશે. અને ભૂમિકાની પ્રાપ્તિ થઈ છે કે નહિ તેના નિદર્શનમાં સત્સંગ, ચિત્તની અકુશળતા પર અંકુશ અને આત્મા સંબંધી ગ્રંથના શ્રવણ, મનન, ચિંતવન અને પરિશીલનની વાત પણ ખૂબ વિચારવા યોગ્ય છે. પ્રાણીમાં સેવન યોગ્ય ભૂમિકા જામી છે કે નહિ તેના નિદર્શક તરીકે એ ત્રણે બાબતે ખૂબ મહત્ત્વની દેખાય છે. જ્યારે ભવપરિગતિને પરિપાક થાય, જ્યારે દેવ ટળી જાય અને ગદષ્ટિ ખૂલતી જાય, ત્યારે સત્સંગ, મનમાલિન્ય પર અંકુશ અને અધ્યાત્મગ્રંથનું મનન-ચિંતવન-શ્રવણ થાય છે અને એ રીતે સેવન યેગ્ય ભૂમિકા જામતી જાય છે. માટે સેવન એગ્ય કારણે જમાવવાં, એને અભ્યાસ કરે, એને માટે ચીવટ રાખવી અને એમાં પ્રગતિ કરવાનું પિતાનું કર્તવ્ય ખ્યાલમાં રાખવું. કેટલાંક પ્રાણી આ સેવાકાર્ય મામૂલી ગણી એને પૂરતી મહત્તા આપતા નથી, તેમને ખાસ ચેતવણી આપતાં યેગી ગુરુદેવ કહે છે કે ભાઈઓ સેવન તે ભારે મહત્વની વાત છે, અજોડ હકીકત છે. આ વાત સેવનકાર્યમાં જોડાતાં અટકાવવા માટે નથી કહી, પણ સેવનકાર્યની મહત્તા સમજી એને સ્વીકાર કરવા માટે અને એને ચીવટથી વળગી રહેવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. આ સ્તવનમાં કારણકાર્યભાવ પર અને સંસારના પરિવર્તન માટે ભારે સરસ વાત કરી છે. આનંદ” શબ્દ પર લેખન મર્યાદાને અંગે વધારે વિવેચન કર્યું નથી અને સેવનભૂમિકા પ્રાપ્ત કરવા ભારે પ્રેરણા કરી છે, અને છતાં એ વાત નજીવી, સારી કે સહેલી ન સમજાઈ જાય તે માટે તેનું અનુપમ સ્થાન દર્શાવ્યું છે. મેગીની આ પ્રેરણા ખૂબ વિચારવા યોગ્ય છે, વિચારીને પચાવવા ગ્ય છે, પચાવીને જીવવા યોગ્ય છે. (૩) એપ્રિલ : ૧૯૪૮ ]. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી અભિનંદન જિન સ્તવન [દનપ્રાપ્તિની તલસના; દર્શનપ્રાપ્તિની દુર્લભતા; પ્રભુકૃપાથી એની સુલભતા ] સંબધ—આદિનાથના પ્રથમ સ્તવનમાં પેાતાના આદર્શ પતિ તરીકે જિનદેવને મુકરર કરી ચિત્તની પ્રસન્નતાએ પૂજનફળ પ્રાપ્ત કરવા નિર્ણય કર્યો. બીજા સ્તવનમાં એ પતિના પથનું અવલાકન કર્યું. ત્રીજા સ્તવનમાં સેવનની ભૂમિકાની શુદ્ધિ કરવાને અંગે એને અભય, અદ્વેષ અને અખેદ થવાના આદેશ રજૂ કર્યાં. હવે અહી આગળ વધતાં એ આદશ પતિના દર્શનની શુદ્ધિ કરવાના નિર્ણય કરવાની ઇચ્છાથી એની આકાંક્ષા રજૂ કરે છે. ત્યાં પ્રથમ દન શું, એમાં કયા ભાવ રહ્યા છે અને એ શબ્દ અહી કયા અર્થમાં વપરાય છે, એની ચાખવટ કરી લેવાની જરૂર પ્રાપ્ત થાય છે. -- ‘ દર્શન ’ શબ્દના અર્થ કોષ પ્રમાણે વિવિધ છે : દર્શન શબ્દ નીચેના અર્થમાં વપરાય છે ઃ જોવું, નજર, દૃષ્ટિ, અરીસા, દેખાડવું, ડાળ, ઘાટ, ઉપદેશ, સ્વપ્ન, ધમ` સબંધી જ્ઞાન, બુદ્ધિ, અક્કલ, સાંખ્ય, પાતંજલ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત એવા ષડૂદન પૈકી એક; હામ, યજ્ઞ, દૃષ્ટિમાં પડવું, વારવાર જોવું, મન, વગેરે (શબ્દચિંતામણિ). અથવા શ્રી હરિભદ્રસૂરિના ષડૂદનસમુચ્ચય'ના અભિપ્રાય પ્રમાણે બૌદ્ધ, નૈયાયિક. સાંખ્ય, જૈન, વૈશેષિક અને મીમાંસા (વેદાન્ત) પૈકી એક તત્ત્વજ્ઞાન કે મત–અભિપ્રાય. 6 દર્શનને અથ જૈન પરિભાષામાં · તત્ત્વરુચિ ' અથવા સમ્યક્ત્વ થાય છે. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મની ઓળખાણુ, તેને તે તરીકે સ્વીકાર અને અશુદ્ધ દેવ, ગુરુ અને ધના રિહાર તેને જૈન પિરિભાષામાં દન તરીકે બતાવવામાં આવેલ છે. પ્રભુને અથવા પ્રભુને યાદ કરાવનાર આદર્શોને દેખવું તેને પણ જૈન પિરભાષામાં દર્શન શબ્દથી ઓળખવામાં આવેલ છે. અથવા વસ્તુના સામાન્ય ખાધને દન અને વિશેષ વિગતવાર ધને ‘જ્ઞાન ' કહેવામાં આવે છે. દા. ત. સામેથી ચાલી આવનાર દૂરથી દેખાય ત્યારે તે માણસ છે એટલે બેધ થાય તેને ‘દર્શોન' કહેવામાં આવે છે, અને તે હિંદી છે, કપડાં પહેરેલ છે, વાણીએ છે વગેરે એળખાણુ, તેનું નામ-ગામ જાય તે ‘ જ્ઞાન ' કહેવાય છે. જાતિના ખેધ Knowledge of genus તે દન અને વિશેષ વિગતને બેધ Knowledge of species તે જ્ઞાન. એ રીતે પણ જ્ઞાન અને દન વચ્ચેના તફાવત બતાવી શકાય. શ્રી દેવચંદ્રજીએ છઠ્ઠા પદ્મપ્રભુના સ્તવનમાં ‘તુજ દરસણુ મુજ વાલહે’રે લાલ’–એ ટેક સાથે · દન ' શબ્દ પર વિસ્તારથી તત્ત્વજ્ઞાન સ`કલિત કરી આપ્યું છે, તેમાં પ્રભુના દર્શનને અનેક પ્રકારે જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી ખચી એની મહત્તા બતાવી છે. ત્યાં એમણે ‘ દર્શન ' શબ્દના Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] શ્રી આન’ઘન-ચાવીશી ઉપયેગ તત્ત્વરુચિ અથવા સમ્યક્ત્વના અર્થાંમાં લીધા છે. તેએશ્રી એ દંનને જ કારણરૂપ ગણી શુદ્ધ અને પવિત્ર બતાવે છે અને નયદૃષ્ટિથી દશનની મઢુત્તા બહુ સારી રીતે વણુ વે છે. આ નયવાદની હકીકત સ્તવનની ત્રીજી ગાથામાં આવવાની છે ત્યાં તેના પર ગુરુગમની દૃષ્ટિએ વિસ્તાર થશે, અત્રે નયની નજરે ‘દર્શનને દેવચંદ્રજી મહારાજના નિરૂપણ પ્રમાણે જોઇ લઇએ. સત્તાની નજરે જોઇએ તે જીવ સિદ્ધ સમાન છે, કારણ કે એનામાં સ ક`મલ દૂર કરી મૂળગુણામાં સ્થિરતા લાવવાની શક્તિ છે અને તે એનું પારિણામિક ભાવે સાચું અતિમ સ્વરૂપ છે. એટલે જુદાજુદા નયે દર્શીનને વિચારીએ તે નીચે પ્રમાણે પરિણામ આવે છેઃ— વસ્તુની સત્તા (potentility)ને પકડે તે સંગ્રહ નય. પ્રાણીમાં મેક્ષ જવાની સત્તા છે, માટે તે સ'ગ્રહુનયની નજરે સિદ્ધ કહેવાય. વસ્તુના નામમાત્રને પકડે તે શબ્દ નય. પણ એ સં ક ક્ષય કરી મેાક્ષ પ્રાપ્ત કરે ત્યારે એવ’ભૂત નયની અપેક્ષાએ એ સિદ્ધ થયા કહેવાય. સંગ્રહ ન ભવિષ્યની તાકાતને પણ ગ્રહણ કરે છે; જ્યારે એવભૂત નય તાવ માન રોકડી પરખને જ સ્વીકારે છે. માત્ર આંખેથી પ્રભુનું દČન કરવું તે સ્થૂળ ખાબત નૈગમ નય સ્વીકારે છે. પ્રભુદનને એ દન ગણે, પ્રભુમુદ્રાને જુએ તે પ્રભુદશન થયાં છે એમ એ માને આ વિચારણા નૈગમ નયને આશ્રયીને થઈ. પ્રભુ-શરીરનાં દન પ્રભુના ગુણના યાગ તથા વિકલ્પરૂપ ઉપયાગ ગમે તે ઇંદ્રિયે કરે, એના ગુણગ્રામ કહે અને પ્રશસ્ત રાગે પ્રભુ તરફ આકર્ષાય તે ઋજુસૂત્રનયે પ્રભુદર્શન. અને અંતરંગ પિરણામથી પ્રભુ સાથે વળગણ થાય, તેમની યાગમુદ્રાનું અવલ`બન વીતરાગભાવે થાય અને અંતરંગ આત્મસત્તા પ્રગટ કરવા રૂપ સાધ્યરુચિ સાથે તેમનું દેખવું થાય ત્યારે શબ્દ નયે પ્રભુદન થયું કહેવાય. આવી રીતે જુદા જુદા નયની દૃષ્ટિએ ‘ દન ’ને! આકાર અથવા સ્વરૂપ ફરતા જાય છે; તે ‘દર્શન ’શબ્દને અનેક મુદ્દાથી જોવાની, એના અભ્યાસ કરવાની અને એનું રહસ્ય સમજવાની જરૂરી બાબત પર આ સ્તવનની વિચારણામાં ધ્યાન ખેચવાનું છે. પ્રભુને કે પ્રભુની સ્થાપનાને વંદનનમન કરે, તેની આશાતના વ કરે તે વ્યવહુારનયે પ્રભુદર્શન. દર્શીન ' શબ્દના જુદા જુદા નયેની અપેક્ષાએ ઉપર પ્રમાણે ભાવ બતાવી દેવચંદ્રજી મહારાજ સદર સ્તવનમાં કહે છે કે જેમ ખીજમાં અનંત વૃક્ષ ઉપજાવવાની સત્તા રહેલી છે, પણ તેને સારી જમીન, સુર્યેાગ્ય ખાતર, પાણી વગેરેના યાગ થાય તે એ વૃક્ષ મૂળ ઘાલે, ઊગે, ફૂલેફળે, એ પ્રમાણે ચેતનમાં અનંત શક્તિ છે, પણ તેને શુદ્ધસ્વરૂપી વીતરાગને ચેગ મળે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૦૫ તે તેની અનંત આત્મસંપદા પ્રકટ થાય. એ આત્મસંપત્તિને પ્રકટ કરવાનું નિમિત્તકારણ જિનવરદેવનું ધ્યાન છે અને એ ધ્યાનનું નિમિત્ત જિનવર દર્શન છે, માટે એમણે દર્શનને આત્મગુણ પ્રકટ કરવામાં નિમિત્તકારણ તરીકે ખૂબ મહત્વ આપ્યું છે. અહીં એમણે દર્શન શબ્દને તત્વરુચિ અને સામાન્ય દેખવું એ બને અર્થમાં વાપર્યો છે અને આત્મપ્રગતિ માટે બન્ને અર્થમાં વપરાતે દર્શન શબ્દ બહુ ઉપયોગી છે એમ બતાવી દર્શનની બાબતમાં ખૂબ ચક્કસ થવા પ્રેરણા કરી છે. એ રીતે “દર્શન” શબ્દના તત્પરુચિ, શ્રદ્ધાન અથવા શાસનસેવાને એક અર્થ અને બીજે સામાન્ય દેખવું તે, બીજો અર્થ ખૂબ વિચારવા ગ્ય છે. દર્શનાવરણ કર્મમાં દર્શન’ શબ્દને તદ્દન જુદી રીતે ઉપયોગ થયો જણાય છે. દર્શન એટલે સામાન્ય છે, અને જ્ઞાન એટલે વિશેષ બોધ. ઉપર જણાવ્યું તેમ દૂરથી આવનાર માણસ છે એટલે બંધ થાય તેને દર્શન કહીએ તે, તે પુરુષ છે, અમુક નામનો છે, અમુક જાતને છે તેની વિગતે સાથે બોધ થાય તે જ્ઞાન કહેવાય છે. તકમાં સામાન્ય અને વિશેષને ‘પદાર્થનું સ્થાન આપવામાં આવ્યું છે. એમાં સામાન્ય પદાર્થ અને દર્શનબેધને સરખાવવા યોગ્ય છે અને વિશેષ પદાર્થને જ્ઞાનબોધ સાથે સરખાવવા ગ્ય છે. બધાં કારણેનું છેવટનું કારણ આત્મા છે અને તેટલા માટે તેને ઉપાદાનકારણ કહેવામાં આવે છે. પણ ઉપાદાનને એનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે નિમિત્તો મેળવવાં પડે છે. નિમિત્ત ન મળે તે એનામાં ગમે તેટલી શક્તિ કે સત્તા હોય, પણ એ સર્વ અંદર દબાયેલી પડી રહે છે અને ચેતનરાજ પિતે સંસારમાં અહીં તહીં અફળાયા-કુટાયા કરે છે. આપણામાં વેપાર કરી ધન પ્રાપ્તિ કરવાની કે પગ ચલાવી બે માઈલ પગપાળા મુસાફરી કરી ધારેલ સ્થાનકે પહોંચવાની શક્તિ હોય, પણ વેપાર (પ્રવૃત્તિ) કરવા યોગ્ય સાધને મેળવીએ અથવા પગ ચલાવી મુસાફરી કરીએ તે સાધ્ય ફળે છે, તેમ આત્મામાં ગમે તેટલી શક્તિ હોય, પણ તદ્યોગ્ય નિમિત્તે એને મળે, મેળવી અપાય, તે એની અનંત શક્તિ બહાર તરી આવે છે. અને એને માટે દરિસણદર્શન બહુ ઉપયોગી ભાગ ભજવે છે. માટે “દર્શન ”ને એના જુદા જુદા આકારમાં અને અર્થમાં સમજવાની જરૂર છે. સમજીને ઓળખાણ થાય તે પછી તેને વહેવારુ ઉપયોગ કરાય અથવા ઉપયોગને પરિણામે એ સાધ્યને નજીક લઈ આવે અને છેવટે પ્રાપ્ત કરી આપે. આ દષ્ટિએ નિમિત્તકારણની ઉપયોગિતા ઘણી મોટી છે. એમાં પણ ‘દર્શનને ઘણું આગળ પડતું સ્થાન છે, કારણ કે એ સાધ્ય મેળવવાની બાબત પર સીધી આંતરિક અસર ઉત્પન્ન કરે છે. આત્માને મૂળ ગુણ ચેતના છે, એના પર્યાયને ઉપયોગ કહેવામાં આવે છે. આ ઉપગના બે ભેદ છેઃ જ્ઞાન અને દર્શન. જ્ઞાનને સાકાર ઉપયોગ કહેવામાં આવે છે; દર્શનને નિરાકાર ઉપયોગ કહેવામાં આવે છે. જે ઉપગ પદાર્થના વિશેષ ધર્મોના ગ્રાહક હોય એટલે જેમાં જાતિ, ગુણ, ક્રિયા વગેરેનું ત્રણ થતું હોય, તેને જ્ઞાન કહેવામાં આવે છે, જે ઉપગ પદાર્થના સામાન્ય ધમને ગ્રાહક હોય એટલે કે જે માત્ર સત્તાને જ ગ્રહુણ કરે તેને દર્શન-ઉપગ કહેવામાં આવે ૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] શ્રી આનંદઘન-વીશી છે. અહીં દર્શન-ઉપયોગમાં દર્શન શબ્દ વપરાય છે. અને જેને દર્શનાવરણીય કર્મ સાથે સંબંધ છે તે દર્શન શબ્દને એક પ્રકારને અર્થ બતાવે છે. આ અર્થ પણ દર્શન શબ્દને છે, પણ આ સ્તવનમાં દર્શન શબ્દ બીજા અર્થમાં વપરાય છે તે પર હવે લક્ષ્ય આપીએ. | દર્શન શબ્દને બીજો અર્થ જે વસ્તુ જેવી હોય તેવી તેને સમજવી તે છે. તવાઈશ્રદ્ધાને દર્શન કહેવામાં આવે છે. એ આત્માને ગુણ છે અને એને ઘાત કરનાર કર્મનું નામ દર્શનમેહનીય છે. આ દર્શનમેહનીય કમ ચેતનની એવી દશા કરી મૂકે છે કે તેને પરિણામે એને વસ્તુને સાચે બોધ થતું નથી. એ લાંબી નજરે પિતાને ખરે લાભ ક્યાં થાય છે કે થવાને છે તે સમજી શકતા નથી અને પૌગલિક પરભાવમાં રાચી એ સંસારમાં રખડ્યા કરે છે. એ દર્શનની પ્રાપ્તિ માટે દર્શન મેહનીય કર્મ પર વિજય મેળવી પડે છે. એવી રીતે દર્શનમેહનીય કર્મને દૂર કરી જે બંધ થાય તેને સમ્યકત્વ અથવા તત્વશ્રદ્ધા કે ધર્મ રુચિ કહેવામાં આવે છે અને એનું નામ દશન છે. દર્શનને બરાબર સમજવા માટે મિથ્યાત્વને ઓળખી લેવું જોઈએ. નીચેના મિથ્યાત્વના દશ પ્રકાર સમજવાથી તેને ખ્યાલ આવશે :– ૧. જેને સંસારનાં આકર્ષણ લેભાવી ન શકે, જેને કંચન-કામિની પિતા તરફ ખેંચે નહિ, જેને સાંસારિક લેકેની પ્રશંસા લેભાવી શકે નહિ, એવા સાધુપુરુષને સાધુ ન માનવા. ૨. અને જે સંસારમાં લુબ્ધ હોય, જે પરભાવમાં રાચતા હોય, જે સ્ત્રી-પરિચયમાં રસ લેતા હોય, જે સ્ત્રીકથા કે સ્ત્રીસંગમાં મોજ માણતા હોય, સાંસારિક વૈભવ, ભેગ કે પ્રશંસામાં રાચતા હોય તેવા સાધુવેશધારીઓને સાધુ માનવા. ૩. ક્ષમા, માદવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચનતા અને બહ્મચર્ય એ દશ પ્રકારના ધર્મને અધમ માનવો. ૪. હિંસા કરવી, દારૂ પીવે, જુગાર રમ, બીજાનું ખરાબ ઈચ્છવું વગેરે પ્રક્રિયાને અથવા એવી પ્રક્રિયા પ્રરૂપનારને ધર્મ કે ધમ માનવા. ૫. શરીર, ઇન્દ્રિય અને મન જડ છે એને આત્મા સમજો, અથવા, ટૂંકામાં કહીએ તે, અજીવને જીવ માનવો. ૬. અને જીવને અજીવ માન; જેમ કે ગાય, બકરી, બેલ, મરઘી આદિ પ્રાણીઓમાં આત્મા નથી અને તેટલા માટે તેને ખાવામાં કાંઈ પાપ નથી આવી માન્યતા કરવી. ૭. બેટી કુરીતિ હોય તેને ચલાવી લેવી. પુરાણી કે નવી રીતિ ખોટી હોય તેને સાચી તરીકે સ્વીકારવી. ઉન્માર્ગને સુમાગ માને. નીચેના દશમાં ક્રમ ફેર છે, મૂળ પાઠ નીચે પ્રમાણે છે – जीवे अजीवसन्ना, अजीवे जीवसन्ना, मग्गे उमग्गसन्ना, उमग्गे मग्गसन्ना, सुदेवे अदेवसन्ना, अदेवे सुदेवसान्न, सुसाहुसु असाहुसन्ना, असाहुसु साहुसन्ना, धम्मे अधम्मसन्ना, अधम्मे धम्मसन्ना । Page #123 -------------------------------------------------------------------------- ________________ ૪ : શ્રી અભિન’ન જિન સ્તવન [ ૧૦૭ ૮. અને સુમા ને ઉન્મા` માનવા. ધર્માંના પુરાણા કે નવે સારા હિતવહુ મા હોય તેને ખાટા માર્ગ તરીકે ગણવા. ધમની જેનાથી વૃદ્ધિ થાય તે સુમા; એને ખાટો માનવા. ૯. ક રહિતને ક સહિત માનવા. પ્રભુ રાગદ્વેષ વગરના હોવા છતાં પેાતાના ભક્તને નવાજી નાખશે એમ માનવું અથવા ભગવાન દૈત્યના દાનવના નાશ કરશે એવી માન્યતા સ્વીકારી નિઃકર્માને સકમાં ગણવા. ૧૦. ક`સહિતને ક રર્હુિત માનવા. શત્રુને નાશ કે ભક્તની રક્ષા રાગદ્વેષ વગર બની શકે નહિ. અને રાગદ્વેષ કર્માંસ''ધ વગર અને નહિ, આવા પ્રકારનાં રાગદ્વેષનાં કાય કરનારને ક રહિત માનવા; અને એવી અનેક ખાખતા કરે છે છતાં તેવા ભગવાન અલિપ્ત છે એવી માન્યતા રાખવી. , આ દશ પ્રકારની માન્યતા હોય તેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. આ દશ પ્રકારમાંથી કોઈપણ પ્રકાર ચાલુ હોય ત્યાં મિથ્યાત્ત્વ હોય, ત્યાં દર્શન ન હોય, ત્યાં સાચું વસ્તુસ્થિતિનું જ્ઞાન ન હોય, ત્યાં સાચું તત્ત્વશ્રદ્ધાન ન હોય, ત્યાં પૃથક્કરણપૂર્વકની સાચી ગવેષણા ન હોય. આ દનમાડુનીય–મિથ્યાત્વદશા સાચા દનને અટકાવે છે. એ દનને પ્રાપ્ત કરવાની વાત આ સ્તવનમાં મુખ્યત્વે કરીને આગળ કરવામાં આવી છે. મતલબ કહેવાની એ છે કે ‘ દન ' શબ્દના અનેક અર્થ છે. તેમાં સાચી સદ્ગુણા અને વિવેકપૂર્વકની શ્રદ્ધાના અર્થાંમાં અત્ર દર્શીન શબ્દ વાપરવામાં આવ્યા છે. છતાં દર્શીન શબ્દમાં કોઈ પણ તત્ત્વજ્ઞાન આવે; તેમાં બૌદ્ધ, સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક દર્શીન આવે તેટલા માટે જિનદનને સમિતદન કહેવામાં આવે છે. એમાં શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મની પિછાણ અને સ્વીકાર અને અશુદ્ધ દેવ-ગુરુ-ધમ ને ઓળખી એના અસ્વીકાર કરવા એનું નામ સમકિત અથવા સમ્યકત્વ કહેવામાં આવે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ દનમેાહનીય ક` પરના કામૂ ઉપર આધાર રાખે છે. આ સમ્યગ્દર્શનના પ્રકાર ઘણા છે અને તેના પર તસ્થાને વિવેચન થશે. અહીં પ્રસ્તુત વાત એટલી છે કે આ ચેાથા સ્તવનમાં આનંદધન મડ઼ારાજે દશન શબ્દને વારવાર ઉપયેગ કર્યાં છે, તે સામાન્ય ઉપયેગને દાખવતા અને જ્ઞાન ( વિશેષ ઉપયાગ ) પહેલાં થતા ઉપયાગના અર્થાંમાં સમજવાને નથી, પણ દાનમાહનીય ક`ના ક્ષય કે ક્ષચેાપશમથી થતી તત્ત્વચિ અને સહાના અર્થમાં વપરાયેલ છે, એ વાતનું પ્રસ્તાવનારૂપે ધ્યાન ખે'ચવામાં આવ્યું છે. અને સમ્યગ્દન એક વાર ખરાબર થઈ જાય, ને સાચા એધ અંદર એક વાર પણ થઈ જાય અને તત્ત્વરુચિ થઈ જાય તે બેડો પાર થઈ જાય તેમ છે અને વહેલે મેડો પણ આ જન્મ-મરણના ચકરાવાના અંત આવી જાય તેમ છે. તેથી આ દર્શીનને એના વિશાળ અર્થમાં ખૂબ વિસ્તારથી-વિગતથી સમજી લેવાની જરૂર છે. સમ્યકત્વ ચારે—સમ્યકત્વની પ્રાપ્તિ પહેલાં આ ભયંકર અટવી જેવા અનાદિઅન`ત સ'સારમાં પ્રાણી ભટકયા કરતા હેાય છે, એને બધા પ્રસંગે જ એવા મળે કે એ પરભાવને સ્વભાવ માન્યા કરે, એ રાગ-દ્વેષમય થઈ જાય, એ કષાયાને તાબે થઈ જાય અને પરાધીન થઈ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] શ્રી આનંદઘન–વીશી અજ્ઞાનમાં સબડ્યા કરે. એને સાચી વસ્તુ સાંપડે નહિ, સાચી વસ્તુ બતાવનારને પરિચય થાય નહિ, અને એને સાચે માર્ગ મળે નહિ અને કોઈ વાર દેવગતિમાં લહેર કરે, તે કઈ વાર પરાધીન તિર્યંચ થાય, તે વળી કોઈ વાર મનુષ્ય પણ થઈ જાય. આમ કુટાતે પિટા એ રખડ્યા કરે, પણ એની રખડપટ્ટી પૂરી ન થાય. આમ રખડતાં-કુટાતાં જ્યારે, અગાઉ ત્રીજા સ્તવનમાં કહ્યું તેવું, શરમાવ અને ચરમકરણ એને પ્રાપ્ત થાય ત્યારે એને સમ્યક્ત્વ-દર્શન થાય છે. આ સમ્યગદર્શન. એ દશનનો મહિમા શાસ્ત્રકારે ખૂબ ખૂબ બતાવ્યો છે. વીતરાગ દેવનું વિશિષ્ટપણું, નિલેષપણું, અભિમાનરહિતપણું અને કીર્તિ યશ કે નામનાની આસક્તિનું અભાવપણું જાણી લઈ, તેમને સત્યપ્રદર્શન કરવામાં કાંઈ સ્વાર્થ કે સ્વમત સ્થાપનની ઈચ્છા ન હોતી એની ખાતરી કરી લીધા પછી, તેમના વચન પર શ્રદ્ધા અને રૂચિ રાખવી તેને દર્શન કહે છે, તેને સમ્યકત્વ કહે છે, તેને સહયું કહે છે. એ તવરુચિ અને એમાં પરમાર્થ બુદ્ધિ કેટલાંક પ્રાણીઓને પિતામાંથી સ્વયં ( નિસર્ગોણ) જાગ્રત થાય છે અને કેટલાકને ગુરુઉપદેશથી થાય છે. આ તત્ત્વરુચિ બહુ ઉપયોગી વસ્તુ છે અને જૈન દર્શનને સમજવાની ચાવી છે; અથવા, એક રીતે જોઈએ તે, એને બોધ એ આખા જીવનને ઉત્કૃષ્ટતમ લાભ છે; કારણ કે એનાથી ભવાટવીમાં ભ્રમણને મોટો અસરકારક આઘાત પડી જાય છે અને સાચા માર્ગની પ્રાપ્તિને પરિણામે ચેતનના માર્ગને આખો ઝેક બદલાઈ જાય છે, એટલે ચેતનની સાચે માર્ગે પ્રગતિનું બીજ આ દશનને બંધ થવામાં, તેમાં રુચિ થવામાં અને તેની સહણ સ્વીકારમાં રહેલ છે. આ કારણે દર્શનને બરાબર સમજવાની અને સમજીને તેને સ્વીકાર કરવાની બાબત ઘણી મહત્ત્વની બાબત છે. આ આખા સ્તવનમાં આ દષ્ટિએ “દર્શન’ શબ્દ પર, તેના આશય પર અને તેના ભાવ પર વિચારણા થશે, તેટલી પ્રાસ્તાવિક વાત રજૂ કરી, દર્શનને લગતી ખાસ અગત્યની વાત જણાવી સ્તવનના હાર્દમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરીએ. સર્વથી મુદ્દાની વાત એ છે કે દર્શનારુચિને અતિ મહત્ત્વનું સ્થાન છે તે ધ્યાનમાં રાખવું. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે “બનવા જોગ છે અને સાચી વાત છે કે ચારિત્ર વગરને માણસ કદાચ પણ સિદ્ધ થઈ જાય, પણ દર્શન વગરને પ્રાણ તે સિદ્ધ ન જ થાય. જે શાસ્ત્ર ચારિત્ર ઉપર ખૂબ ખૂબ ભાર મૂકે છે, જેને આખો ઝેક વિષય-કષાયની મંદતા પર જ છે, જે અહિંસા, સંયમ અને તપને ધર્મસર્વસ્વ કહે છે, જેના માર્ગાનુસારીપણાની શરૂઆત પ્રામાણિકપણાના સ્વીકાર અને અમલથી થાય છે, તે જ, શાસ્ત્રકાર કહે છે કે, ચારિત્ર વગર મુક્તિની કલ્પના કરી શકાય તેમ છે, પણ દર્શન વગર તે તે અશક્ય જ છે. એટલે ચારિત્રના કરતાં પણ સમ્યક્ત્વને આત્મવિકાસને અંગે ઘણું વધારે અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે એ બાબત ખૂબ ધ્યાનમાં રાખવા લાયક છે. એટલા માટે એના વિરોધી મિથ્યાત્વને સારી રીતે સમજી લેવાની જરૂર છે. એક સ્થાનકે એના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે, તે આપણે સમજી લઈએ – १. दसणभट्ठो भट्ठो दसणभहस्स नत्थि निव्वाणं । सिज्झति चरणरहिया, दसणरहिया न सिज्झति ॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૩: શ્રી અભિનદન જિન સ્તવન [ ૧૦૯ (૪) અભિગ્રહિક—પોતે ગ્રહુણ કરેલ ધર્મ સાચા છે એમ માને, એની પરીક્ષા કરે નહિ, પ્રવાહધને માને, બાપદાદાની માન્યતાને સમજ્યા–વિચાર્યા વગર પકડી રાખે, પેાતાના મતના હઠ રાખે, સાર'ભી, પરિગ્રહી, કુશીલવાનને ધબુદ્ધિએ પકડવા તેને આદશ માને, પેાતાના ધર્મ જ સાચા છે એવા આગ્રહ રાખે—આ અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. આમાં આગ્રહને પ્રાધાન્ય હાય છે. (૬) અનભિગ્રહિક——બધાં દર્શીન સારાં છે, દરેક ધર્મ ઉત્તમ છે એવી વાત કરે, કાચને અને મણિને સમાન કક્ષાએ મૂકે, આંખ ઉઘાડી જુએ નહિ, પરીક્ષા કરી તુલના ન કરે, બધાને એક લાકડીએ હાંકે એ અનભિગ્રહિક મિથ્યાત્વ. એમાં બુદ્ધિની મંદતા અને જડતાને પ્રાધાન્ય હાય છે. (1) આભિનિવેશિક-પેાતાના આગ્રહને પરિણામે જાણીને જૂઠું ખાલે, ઊલટું લે, સાચી વાત જાણ્યા છતાં ખાટાને વળગી રહે, જોરશેારથી વિપરીત પ્રરૂપણા કરે, નવેા મત કાઢવામાં આગેવાની લે અને પેાતાના નવા મતને નિશ્ચય ખાજુ કે એક બાજુ ઢાળી દેવામાં અને તેને પકડી રાખવામાં ગૌરવ માને—આ અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. જમાલિ જેવા નિહ્નવ એકદેશીય નયવાદને મુખ્યતા કરનાર–નવા ચાતરા ઊભા કરનાર–આ વમાં આવે છે. (૬) સાંશિયક—ધર્મના સત્યને સમજે નહિ, તેને અંગે મનમાં શ’કા, આશકા કે કુશકા રાખે, આ સાચું હશે કે તે, તેની ઘડ ન બેસાડે અને આશકાના ભોગ બની શ્રદ્ધામાં ડગી જાય, એને સાંશયિક મિથ્યાત્વ કહેવામાં આવે છે. અભ્યાસ, ચર્ચા, વાદ, શકા-સમાધાનને અંગે તંદુરસ્ત ચર્ચા માટે વાંધેા નથી, પણ અંદરથી શાંકા-કુશકા રાખવી એ મિથ્યાત્વ છે. (૪) અનાભાગિક—પોતાની ઇચ્છા વગર અનાદિકાળથી એકેદ્રિય વગેરે જીવને લાગેલ ચાલ્યું આવતું મિથ્યાત્વ. સમજણુ પૂર્ણાંકનું નહિ, પણ સમજણુના વિકાસ ન થયેલ હોવાને કારણે આ અનાલેાગિક મિથ્યાત્વ અનાદિકાળથી ચાલ્યું આવતું હોય છે, અને વિકાસ ન પામેલા એકેદ્રિયથી માંડી ઘણા જીવાને હાય છે. આવા પ્રકારના મિથ્યાત્વના ત્યાગ થાય, પાંચેમાંથી કોઈ પણ પ્રકારના મિથ્યાત્વના અશ ન રહે ત્યારે રુચિ થાય છે, એ રુચિના દશ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તે પણ ખાસ વિચારણા માગે છે (૧) પોતાના બુદ્ધિવિજ્ઞાનથી કે જે ભાવા મહાપુરુષોએ બતાવેલા છે તે ભાવને પોતાના નિસગ બળથી સ્વીકારી તે સાચા છે, તે પ્રમાણે જ બરાબર છે અને તે અનુકરણ યાગ્ય છે એવા પ્રકારની રુચિને નિશ્ચલરુચિ અથવા નિસગરુચિ કહેવામાં આવે છે. ૧. निसग्गुवएसरुइ, आणरुइ सुत्त बीयरुइमेव । अभिगमवित्थाररुइ, किरियासंखेविधम्मरुइ || રુચિ એટલે Test, સ્પૃહા, ઇચ્છા, આસક્તિ. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] શ્રી આનંદઘન ચાવીશી (૨) પારકાની પાસેથી જીવાજીવાદિ ભાવ જાણે, તે સાંભળી તેવેા ઉપદેશ વાર'વાર સાંભળવાની લાલસા થયા કરે, ઉપદેશશ્રવણમાં આહ્લાદ આવે, એમાં એકતા જામે, એની હોંશ થયા કરે તે ઉપદેશરુચિ. (૩) પ્રાણી રાગ, દ્વેષ કે અજ્ઞાનથી અસત્ય ખેલે છે, એ ત્રણે દોષો જેના નાશ પામી ગયા હાય તે ખોટી વાત ન કરે, એ ભળતી વાત ન કરે : આવી વીતરાગની વીતરાગતા તપાસી તેની આજ્ઞા તરફ અંતરના આદર દાખવે, એવા પ્રાણી અજાણે પણ જૂઠું ન બેલે એવી ભાવના એ આજ્ઞારુચિ (૪) સૂત્રસિદ્ધાંતને ભણવાની–સાંભળવાની અંતરથી ઇચ્છા રહે, એને માટે ચાહના થયા કરે, એમાં પરમ હિતકારી સત્ય રહ્યુ છે અને ત્યાંથી સાચું માદન થાય છે એવી અંતરની વલણ તે સૂત્રરુચિ. (૫) મુદ્દાની વાત પકડી લે, વસ્તુની જડ પકડે, મુદ્દાની ચાવી હાથ કરી લે અથવા કરવાની ઊડી ભાવના રાખે, ઘેાડું જાણતાં અંદરની બુદ્ધિપ્રભાથી વિસ્તાર કરી લે, ન કહેલી વાત ઉઠાવથી સમજી જાય, પાણીમાં પડેલા તેલના ટીપાની માફક બુદ્ધિવિસ્તારથી ફેલાવે તે બીજચિ. (૬) મૂળ અંગ, ઉપાંગ અને પ્રકીર્ણુ ગ્રંથા ઉત્તરાધ્યયનના મૂળ તથા અના જાણુપણાને માટે અંદરથી રુચિ જાગે, એના અર્થ જાણવા-વિસ્તારવા માટે તમન્ના લાગે તે અભિગમરુચિ. (૭) ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્ય, તેના ભાવા, દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યને પ્રત્યક્ષપરોક્ષ પ્રમાણથી સ્યાદ્વાદશૈલીથી જાણે, સ્યાદ્વાદનું સ્વરૂપ જાણવાની ઉત્કંઠા રાખે તે વિસ્તારરુચિ. (૮) જ્ઞાન, દર્શન, ચારિત્રને અંગે ક્રિયા કરવામાં આનંદ આવે, બાહ્ય-અભ્યંતર તપ, વિનય, સમિતિ, ગુપ્તિની ક્રિયા કરવામાં મેજ આવે, કરનારને સહાય કરવામાં રસ પડે તે ક્રિયાશિ. (૯) ઘેાડું કહેવામાં ઘણું સમજી જાય, બુદ્ધિના ઉપયાગ સારગ્રાહીપણામાં કરે, ચિલાતિપુત્ર ત્રણ શબ્દમાં ધર્મ પામી ગયા તેમ મુદ્દાને પણ ટૂંકો ભાગ પકડી લે, સરળતાથી અને નિપુણુતાથી ઘેાડું કહ્યે ઘણું સમજી જવામાં લાભ માને તે સંક્ષેપચિ. (૧૦) અસ્તિકાયનું સ્વરૂપ જાણવા, હેય ઉપાદેયને આળખવા, સ્વભાવ અને પરભાવને ભેદ પારખવા અને પોતાનું ખરું હિત કયાં અને શેમાં છે તે શેાધવાની અંતર’ગથી લાગણી હોય તે ધમ ચિ. આવા પ્રકારની રુચિવાળા જીવેા મિથ્યાત્વના ત્યાગ કરી દન પામે છે. એ દનને ખરાખર સમજવું એટલે જૈન દનને સમજવા જેવું છે, કારણ કે આખા તત્ત્વજ્ઞાન અને ક્રિયાવિજ્ઞાનના પાયે દશનશુદ્ધિ, દશનવિજ્ઞાન અને દર્શીનની ચાખવટમાં છે. દર્શીન સમ્યક્ત્વ કે પર સાચી સહૃા અને અંતરગની શ્રદ્ધા પર ખૂબ વિસ્તાર કરવા યોગ્ય છે. સમકિતનાં ૬૭ સ્થાન સમજવા યાગ્ય છે અને સમજીને અનુકરણ યોગ્ય છે. આ ચેાથા સ્તવનના વિવેચનમાં આ દનની અનેક લક્ષણાએ પર વિસ્તાર થશે. અહીં એ સમ્યકત્વનાં પાંચ લક્ષણા વિચારી ૧. લક્ષણ = સ્વરૂપપ્રતિપાદક ધર્માં; Characteristic attributes, Page #127 -------------------------------------------------------------------------- ________________ ૩: અભિનંદન સ્તવન [૧૧૧ જઈએ. તે પાંચ આ પ્રમાણે છેઃ સમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા. બહુ સંક્ષેપથી આ લક્ષણોને અત્ર વિચારી જઈએ : સમ—રાગદ્વેષની મંદતાના પ્રમાણમાં સમની વૃદ્ધિ થાય છે. સુખ-દુઃખના પ્રસંગે હર્ષ-વિષાદ ન થાય તે સમ. એ જાણે અને માને કે પાપને ઉદય થાય ત્યારે દુઃખ થાય, પુણ્યનાં ફળ મળે ત્યારે સગવડ કે લહેરના પ્રસંગે થાય અને ત્યારે સુખ દેખાય. એ બન્નેમાં રાએ નહિ, લેવાઈ જાય નહિ, ઊંડાણમાં ઊતરી જાય નહિ, ગભરાઈ જાય નહિ, તે “સમગુણ.” એના મનની સ્થિરતા એકસરખી સર્વ સંગમાં હોય, એને રાગદ્વેષની મંદતા થતી જાય અને એ સુખ-દુઃખ પ્રસંગે હર્ષ-વિષાદ ધરે નહિ. સંવેગ–સમ્યક્ત્વનું બીજું લક્ષણ સંવેગ છે. સંવેગ એટલે મોક્ષને અભિલાષ. એને હંમેશાં એમ રહે કે આ સંસારની આળપંપાળમાંથી ક્યારે છૂટું અને આ રગડા અને ચાલુ ઉપાધિથી રહિત થઈ જ્યારે મારા રખડપાટાનો અંત આવે. આવી અંતરની ભાવનાને પરિણામે એ મોક્ષનાં જે જે નિમિત્તો મળે તેમાં ખૂબ રસ લે, મક્ષ એગ્ય કિયા કરવાની તક આવે ત્યારે તેમાં તે એકરસ થઈ જાય; અને સ્વભાવમાં રમણતા કરે ત્યારે જાણે તે પિતાના ઘરમાં હોય તેવી તેને મેજ આવે. પરભાવમાં રમણ કરે ત્યારે તે આંગળીથી નખ વેગળા હોય તેવી બુદ્ધિએ વતે અને નિજાનંદના પ્રસંગે એના રસની જમાવટ થાય. આ “સંગ” નામનું સમ્યકત્વનું બીજું લક્ષણ. નિવેદ–સંસાર ઉપર ઉદાસીનતા. અહીં એને ગમે તેટલી સગવડ મળી હોય, છતાં એને આ સંસાર કેદખાના જેવો લાગે, એને પૌગલિક વિલાસમાં કૃત્રિમતા, અધમતા અને હેયતા લાગે અને એ બંધનમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રહ્યા કરે. સંવેગમાં મોક્ષની અભિલાષા સામી નજર હોય, ત્યારે નિર્વેદમાં આંતર નજર હોય. સંવેગ objective છે, નિર્વેદ subjective છે. હકારાત્મક અને નકારાત્મક દષ્ટિએ બન્ને લક્ષણ ખૂબ વિચારણા માગે છે. ત્રીજા લક્ષણ નિર્વેદમાં પિગલિક સર્વ ભાવોને પરભાવ ગણી તેનાથી નાસી છૂટવાની તીવ્ર ઇચ્છાને મુખ્યતા છે. અનુકંપા–સમકિતનું ચોથું લક્ષણ અનુકંપા છે. એમાં મૈત્રીભાવને પ્રાધાન્ય છે. સંસારી જીનાં દ્રવ્ય દુઃખ જોઈ એનું હૃદય કમકમી ઊઠે એ જનતાની કે સમાજની સેવાને પિતાનું કર્તવ્ય સમજે, એ પરોપકાર કરવામાં આનંદ લે; કેઈ જીવ પાપ ન કરે, કોઈ જીવ દુઃખી ન થાય, સર્વ જીવે દ્રવ્ય-ભાવથી દુઃખમુક્ત થાય—આવી વાસના તે અનુકંપા લક્ષણ. એના મનમાં એમ થાય કે મારું ચાલે તે આ સર્વ જીવોને ચાલુ બળતી ભઠ્ઠીમાંથી ઉગારી લઈ એવા સ્થાનકે લઈ જઉં કે જ્યાં જન્મ-જરા-મરણના રગડા ન હોય, જ્યાં ધનના ઝઘડા ન હોય, જ્યાં સંગ્રહની પંચાત ન હોય અને જ્યાં અખંડ આનંદ, આંતરિક લહેર અને અનંત સુખ હોય. આ લક્ષણને એવું અનુકંપા લક્ષણ કહેવામાં આવે છે. આસ્તિ –પાંચમું લક્ષણ આસ્તિકપણાનું છે. એ ધર્મની પરીક્ષા કરે, એની આતતા જાણી લે, એનું આત્મા તરફનું ધ્યેય સમજી લે અને પછી એના વચનમાં પ્રતીતિ માને. એ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] શ્રી આનંઘન–ચાવીશી ચર્ચા કરે, દલીલ કરે, પ્રશ્નોત્તર કરે, પણ એના દિલમાં શ’કાકુશંકા ન થાય. એને ધર્મ પર આસ્થા હોય, એ ધમાઁરંગથી વાસિત હોય. સમકિતના આ પાંચમા લક્ષણનું નામ ‘આસ્તિકય ’ કહેવાય છે. આવી રીતનાં દનનાં લક્ષણૢા જાણવાં. એ અતિ ઉપયોગી આત્મિક ગુણને ખરાખર એળખવા માટે સમિતિનાં ૬૭ અધિષ્ઠાન ખાસ બરાબર સમજવા યોગ્ય છે. આ સ્તવનના વિવેચનમાં એ ૬૭ પ્રકારની સમ્યક્ત્વની બાબત જુદા જુદા આકારમાં આવશે. જૈનધર્મનું સ્વરૂપ જાણવા માટે, અને ભવસ્થિતિના મૂળથી અભ્યાસ કરવા માટે આ ‘દર્શન’ શબ્દના ખૂબ અભ્યાસ કરવાની જરૂર છે, માટે આ દનને ખરાખર એળખી, પ્રભુકૃપાથી એને સુલભ્ય કરવાની વિચારણા દ્વારા એને ઓળખવા પ્રયત્ન કરીએ. સ્તવન [ રાગ–ધન્યાસિરિ; સિંધુએ; આજ નિહેજો રે દીસે નાઈલા રે-એ દેશી ] અભિનંદન જિન ! દદરસણ તરસીએ, દરસણ દુરલભ દેવ; મત મત ભેદે રે બે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિનંદ જિન ! રિસણ તરસીએ. ૧. અચાથા ભગવાન શ્રી અભિનંદન દેવના દર્શીનની ઝંખના કરીએ, અને સમજીએ કે દેવનુ' દન મુશ્કેલ છે; કારણ કે મત-મતાંતરોના ભેદ (કરનારાએ)ને જઇને ો સવાલ કરીએ તો દરેકેદરેક પાતપાતાની સ્થાપના કરે છે; પાતાના માગ એ જ ભગવાનના માર્ગ છે, એવું પ્રતિપાદન કરે છે. (૧) ટબા—શ્રી જ્ઞાનવિમળસૂરિ આ સ્તવન સબધે લખે છે : શુદ્ધપણે દર્શીન દેખવું તથા સમ્યક્ત્વ દનની પ્રાપ્યતા કહે છે શ્રી અભિનદન ચેાથા તીર્થંકર. સમસ્ત જંગમાં વ્યાપક આનંદ છે જેને એવે શુદ્ધાત્મા, તેનું દનસ્વરૂપ જોવું. શ્રી અભિનંદન જિનનું દેખવું અથવા દરસન–સમકિત–તેને તરસીએ; પણ તે દર્શીન દુરલભ-દુઃખે પામવા યાગ્ય-દુઃપ્રાપ્ય છે. હે પાઠાંતર—દરસણ = દરસણુ. દરસણ = દરસણ. જો જઈ = જો તે. (૧) શબ્દા—અભિનંદન = સામાન્ય નામ, ચોથા તીથંકરનુ નામ. જિન = રાગ વગેરે શત્રુ પર જય મેળવનાર. દરસણ = દર્શન, શાસ્ત્ર, સમ્યક્ત્વ, શ્રદ્ધા. (તેને). તરસીએ = આતુરતા પૂર્વીક ઇચ્છીએ, ચીવટથી સ્વાધીન કરવા ઇચ્છીએ. દુરલભ = દુલભ. દુ:ખે મળે તેવું, મળવું મુશ્કેલ. દેવ = પ્રભુ, આપ; ( છઠ્ઠી વિભક્તિ) આપનું. મત મતભેદે= જુદા જુદા મતોને, અભિપ્રાયાને, નકારાને, તરફ. જો = = શરત બતાવે છે; ‘જો’ સાથે તા' હોય જ; સંબધી અવ્યય છે. જઈ = બીજા ક્રિયાપદ સાથે આવતાં તે ક્રિયા બરાબર યા ચાસ થવાના કે ચાલુ રહેવાનો ભાવ બતાવે છે. પૂછીએ = તપાસ કરીએ, સવાલ-જવાબથી હકીકત મેળવીએ (તા) સહુ = સર્વાં, પ્રત્યેક. થાપે= ભાર પૂર્ણાંક પ્રતિપાદન કરે, સ્થાપન કરે. અહમેવ = હું જ, હું કહું છું તે જ બરાબર છે, સાચેા માગ છે. (૧) Page #129 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૧૩ દેવ પ્રભુ ! તમારું દર્શન દુર્લભ તેને પામવા માટે અનેક મતના ભેદ છે તેને જોતાં થકાં પૂછીએ તે વારે સહુએ મત આપ આપણા અહમેવ અહંકાર ધરી દર્શનની પ્રાપ્તિ થાય. (૧) વિવેચન ચોથા અભિનંદન ભગવાન ગર્ભમાં આવ્યા, અયોધ્યા નગરીમાં સંવર રાજા પિતા અને સિદ્ધાર્થ રાણીની કુખે તેમણે અવતાર લીધે, ત્યારથી દેવેંદ્ર તેમને અભિનંદન કરી જતા, એટલે માત-પિતાએ એમનું ગુણનિષ્પન્ન “અભિનંદન” નામ આપ્યું. અભિનંદન નામ ધરનાર એ ચોથા પ્રભુના નામ સાથે “દર્શન’ને આખો મહત્ત્વને વિષય શ્રી આનંદઘન મહારાજે વણી દીધો છે. બાકી, અમુક તીર્થંકરની સ્તવના એ તે નિમિત્ત માત્ર છે. સ્તવનમાં થતી આત્મવિચારણા કે પ્રભુસ્તુતિ સર્વસામાન્ય છે. પ્રભુસ્તવનું નિમિત્ત મેળવી આત્મદર્શન કરવાને પ્રસંગ હાથ ધરવામાં આવે છે અથવા ભક્તિ કે ગુણગાનની તક લઈ પ્રભુના ગુણની મહત્તા વિચારતાં અને એની સ્તવના કરતાં એ રીતે આત્મગુણની પ્રશંસા થાય છે અને તે પણ આત્મવિકાસનું મજબૂત સાધન છે. મતલબ, પ્રભુના નામનું નિમિત્ત હાથ ધરી આત્મગુણની પિછાણ થાય છે. એટલા પૂરતું જ નામનિર્દેશને મહિમા છે. બાકી, પ્રત્યેક સ્તવન દરેક તીર્થકરને લાગુ પડે છે, દરેક આત્મવિકાસ ઈચ્છકના પિતાના આત્મિક ગુણને લાગુ પડે છે અને ભક્તિયોગ અથવા આત્મવિચારણાનું પિષક બને છે. આ સ્તવનમાં દર્શનને વિચાર હોઈ અને ધર્મ અને આત્મવિકાસને અનેક દૃષ્ટિએથી વિચારી શકાય તેવી તેમાં અર્થગંભીરતા હોઈ આ સ્તવન ચેતનપ્રગતિની વિચારણામાં ખાસ ઉપગી સ્થાન ધરાવે છે. આ સ્તવનના પ્રાકકથન–પ્રસ્તાવનામાં જણાવ્યું તેમ, આ સ્તવનમાં દર્શન શબ્દ “સહણાના અથવા “શુદ્ધ શ્રદ્ધા”ના અર્થમાં વપરાયે છે. દર્શન એટલે તત્ત્વજ્ઞાનને અર્થ પણ થાય. તત્વદર્શન બતાવનાર દરેક દર્શનકારે સાધ્યપ્રાપ્તિ માટેના માર્ગોનું દર્શન પણ બતાવ્યું હોય છે. આત્મા કે છે, કે થઈ ગયે છે, અસલ સ્વરૂપે કેવો હતો, એની એ અસલ સ્થિતિ કેમ લાવી શકાય અને એના સાધનધર્મોમાં વિવિધતાની પસંદગી માટે કેટલે અવકાશ છે, એની વિચારણા જેમ દર્શનકારે કરી છે તેમ જ આત્મા છે કે નહિ, છે તે કેવો છે, બીજે વિકૃત સ્વરૂપે શા માટે દેખાય છે અને એનું સ્વરૂપ કેવું હતું અને કેવી રીતે પ્રકટ કરી શકાય, એ હકીકત પણ બતાવી છે. મતલબ, દર્શનકારે ચેતનને એના મૂળ સ્વરૂપથી માંડીને અનેક રીતે ચર્ચો છે, એટલે દર્શનને અભ્યાસ કે તેની વિચારણા કરવી એ પિતાની ( આત્માની) વિચારણા કરવા જેવી હકીકત છે અને એનું સાચું દર્શન પ્રાપ્ત કરવું એ મુશ્કેલ હોવા છતાં ખાસ કરવા ગ્ય બાબત છે, એની ભૂમિકા અત્ર બતાવવામાં આવી છે. - જે સાચા દર્શનની ઉપર વાત કરી તે દશનની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ છે. અનંતકાળથી સંસારમાં રખડપાટો ચાલુ હોવા છતાં સાચા દર્શનની પ્રાપ્તિ, તે તરફ સહણ કે તેની પિછાન ન થવાને કારણે પ્રાણી સંસારમાં રખડ્યા કરે છે. જે એકાદ વાર પણ પ્રભુનું સાચું ૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ [૧૧૪ શ્રી આનંદઘનવીશી દર્શન થઈ ગયું હોત તે તેની સંસારવાસના ચાલુ રહી જ ન હોત. તેને હજુ રાગદ્વેષ, કષાય, મેહ હેરાન કર્યા કરે છે અને તે સંસારમાં રાચ્યા કરે છે, કારણ કે તેને સંસારપરિભ્રમણમાં સાચું દર્શન કદી મળ્યું નથી. શ્રી સિદ્ધસેનસૂરિ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતાં કબૂલ મારા દેવ! મેહના અંધકારથી મારી ચક્ષુઓ અવરાઈ ગયેલી છે. એવા પ્રકારના મેં અત્યાર સુધીમાં અગાઉ કઈ પણ વખતે આપનું દર્શન કરેલું જ નથી, કારણ કે અત્યારે મર્મસ્થાનને ભેદનારા જે અનેક કષ્ટો મને ચાલુ થયા કરે છે અને જેને આગળ પડતે ઝોક હજુ આકરે આકાર ધારણ કરી રહ્યો છે તે, જે આપનું દર્શન થયું હોત તે, મને પીડા કેમ જ આપ્યા કરે ?” એને હેતુ એમ બતાવવામાં આવ્યું છે કે સાચા દર્શનની એક વાર પણ પાકી સહણ, અંદરની રૂચિ સાથે, થઈ જાય તે પછી સંસાર તરફની અનેક અનર્થ પરંપરાને એને સ્પર્શ ન જ હોવ ઘટે. એક વાર પણ સાચું દર્શન એને થઈ જાય તે એની ભવની ભાવઠ ભાંગી જાય અને એની રખડપાટી અટકી જાય. એટલા ઉપરથી જણાય છે કે દેવનાં દર્શન દુર્લભ છે, આ મનખાદેહ મળ ભારે મુશ્કેલ છે, અનંતકાળ પરિભ્રમણ કરતાં કઈ વાર એ દેહ મળી જાય અને મળે અને તેને સાચે ઉપગ કરવામાં આવે તે કામ થઈ જાય તેમ છે, એ સ્પષ્ટ બતાવવા દશ દાખલાઓ આપવામાં આવ્યા છે. દશ દષ્ટાન્ત દોહિલે એ મનુષ્યભવ મળવો જેમ મુશ્કેલ છે, તેમ તેથી પણ વધારે દુર્લભ છે પ્રભુદર્શન થવું. આપણે નાનપણમાં સાંભળ્યું છે અને ગાયું છે કે – પ્રભુદરશન સુખસંપદા, પ્રભુદરશન નવનિધ; પ્રભુદરશનથી પામીએ, સકળ પદારથ સિધ નાનપણથી બોલતા અને સાંભળતા આવેલા આ દુહાને પરમાર્થ વિચારીએ છીએ ત્યારે જણાય છે કે ભગવાન દર્શનમાં સુખ છે, સંપત્તિ છે, નવનિધાન છે અને એથી સર્વ પદાર્થોની સિદ્ધિ થાય છે. આ સર્વ સિદ્ધિકર અને મહાસંપન્કર પ્રભુદર્શન જેમ બાહ્ય દૃષ્ટિએ સામે ઊભા રહી દેખવા-જવાનું કે મેળાપનું કાર્ય સૂચવે છે, તેમ વિશિષ્ટ દૃષ્ટિએ એ ભગવાનના મતની સહણ, સ્વીકાર અને શ્રદ્ધા બતાવે છે. એટલા માટે એ દર્શનનો મહિમા અનેક સ્થાને શાસ્ત્રકારે ગાયે છે. આ દર્શનની પ્રાપ્તિ દુર્લભ છે અને અત્યાર સુધી સંસારમાં રખડપાટી ચાલુ રહી છે તેનું મુખ્ય કારણ દર્શનની પ્રાપ્તિની ગેરહાજરી છે. માટે એવા દુર્લભ સમ્યગ્દર્શનને મેળવવા માટે અંતરથી એની ઝંખના કરીએ. એને માટે શરૂઆતમાં જ ત્રણ પ્રકારની શુદ્ધિ १. नूनं न मोहतिमिरावृतलोचनेन, पूर्व विभो ! सकृदपि प्रविलोकितोऽसि । मर्माविधो विधुरयन्ति हि मामनाः , प्रोद्यत्प्रबंधगतयः कथमन्यथते ।। કલ્યાણમંદિરસ્તોત્ર, ગાથા ૩૭ મી. Page #131 -------------------------------------------------------------------------- ________________ [૧૧૫ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન કરવાની વાત બતાવવામાં આવી છેસાચું દર્શન કરવા માટે મનશુદ્ધિ, વચનશદ્ધિ, અને કાયશુદ્ધિની ખાસ ઉપયોગિતા છે. મન-વચન-કાયાની શુદ્ધિ પર અત્ર વિસ્તાર નહિ કરીએ, કારણ કે એ તે સ્વતંત્ર વિષય છે. સામાન્ય રીતે એટલું કહેવા જેવું છે કે મનશુદ્ધિ, વચનશુદ્ધિ, અને કાયશુદ્ધિ પર ગપ્રગતિને આધાર છે અને એની ઉપેક્ષા કરવાથી યોગમાર્ગમાં પ્રગતિ થતી નથી કે પ્રવેશ પણ થતું નથી, અને દર્શનપ્રાપ્તિની જે દુર્લભતા અત્ર વિચારી રહ્યા છીએ તે એ ઉપેક્ષાને પરિણામે કાયમ રહે છે. મનમાં શુદ્ધ વિચાર કરવા, મને વિકાર પર કાબૂ રાખ, એ “મનશુદ્ધિ” બતાવે છે ત્યારે સત્ય-પ્રિય-હિત-મિત અને તથ્ય વચન બોલવું તે “વચનશુદ્ધિ” બતાવે છે. શરીર પર અંકુશ રાખો, તેની પાસેથી કામ લેવું અને તેને ભાડું આપવું, એ “કાયશુદ્ધિ ” છે. આ મન-વચન-કાયાની ત્રણ પ્રકારની શુદ્ધિ એ દર્શનપ્રાપ્તિની પ્રથમ ભૂમિકા છે. એ ત્રણ પ્રકારની શુદ્ધિ વગર પ્રાણીને રસ્તે સીધે થાય નહિ, એ માર્ગ પર આવે નહિ અને એને ઘાટ બેસે નહિ. અને, અગાઉ જણાવ્યું તેમ, દર્શન રહિત પ્રાણીની સિદ્ધિ થાય નહિ, તેના સંસારને છેડો આવે નહિ અને એને કર્મથી મુક્તિ મળે નહિ. માટે આવા દુર્લભ દર્શનની ઝંખના કરીએ. અને એને માટે વિવિધ ઉપાયોની શોધ કરીએ. તરસીએ –એટલે પ્રભુનું દર્શન મેળવવા માટે અંતરથી તલસના કરીએ, એ મેળવવા ખૂબ ખૂબ મનેર કરીએ અને એ મળે ત્યારે જ અંદરથી આરામ થાય તેવી વૃત્તિને કેળવીએ. સાચા “દર્શન” નામને લાયક તે કહેવાય, જેમાં ઉપર ઉપરની વાતે ન હોય, અને જેમાં અરસપરસને કે આગળપાછળને વિરોધ ન હોય. સાપેક્ષ દષ્ટિ વગર દર્શનમાં વિરોધ આવ્યા વગર ન રહે અને એકાંત દષ્ટિ થઈ ગઈ કે પ્રાણી મત આગ્રહમાં પડી ગયા વગર ન જ રહે. આ સર્વ મહત્વની હકીક્ત આ સ્તવનના વિવેચનમાં આગળ આવવાની છે. અહીં મુદ્દો એક જ છે કે દષ્ટિબિન્દુને લક્ષ્યમાં રાખનાર, એકાંત વાત કદી પણ ન કરનાર અને સ્વાદ્વાદની મુદ્દામ વાતને આગળ કરનાર અને અપેક્ષાવાદ પર રચાયેલ અભિનંદન જિનનું દર્શન જોકે મળવું દુર્લભ છે, પણ તલસના કરવાથી અને એની પાછળ ચીવટ રાખવાથી પ્રભુકૃપાએ એ સુલભ થઈ શકે તેવું છે. આ દર્શનમાં તે આત્મદર્શન અને પરમાત્મભાવપ્રકાશનનાં બીજ હોવાને કારણે ખાસ મેળવવા યોગ્ય છે. તેથી આ અનેકાંતવાદવિશુદ્ધ દર્શન, જેને બીજી રીતે અભિનંદન જિનદેવનું દર્શન અથવા સાધારણ રીતે “જૈન દર્શન” કહેવામાં આવે છે, તેને પ્રાપ્ત કરવાની તાલાવેલી લગાવીએ; કારણ કે વિશુદ્ધ દર્શન તરીકે રજૂ થવાની તેમાં પૂરેપૂરી ગુણવત્તા છે. એમાં એકાંત આગ્રહ નથી. એમાં આંખ મીંચીને સ્વીકાર કરવાની સૂચના નથી. એમાં પરીક્ષા કરવાની પરવાનગીનો અભાવ નથી. અને એમાં બતાવેલ આત્મદર્શન વિશુદ્ધ અને દેરવણી આપનાર હોવા સાથે હૃદયંગમ છે, વિશિષ્ટ છે અને અક્કલમાં ઊતરે તેવું છે. મત મત ભેદે પૂછીએ?—તમે કોઈ પણ મત, સંપ્રદાય કે પંથમાં જઈ પૃચ્છા કરશો તે તે તમને એક જ વાત કરશે અમે કહીએ છીએ તે જ સાચું છે, તે સિવાય કોઈને સત્ય Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] શ્રી આન ઘન-ચાવીશી સમજાયું નથી, કોઇને સત્ય પ્રાપ્ત થયું નથી અને કોઈએ સત્ય જાહેર કર્યું નથી. તમે ગમે તે ધમ કે દનકાર પાસે જશે! તે તે સત્યના ઇજારદાર છે એ ભાવે જ તમારી સાથે વાત કરશે અને તમને દાવા સાથે કહેશે કે ભગવાને પાતે એને સત્યની સાચી ચાવીએ આપી દીધી છે અને તે એલે કે સમજાવે છે તે જ સાચી વાત છે અને સાચી વાત તેનામાં જ છે અને અન્યત્ર નથી. આનંદઘનજી મહારાજે આ વિચારને પોતાના અડતાળીશમા પટ્ટમાં ખૂબ સુંદર રીતે મૂકયો છે. એમાં વિશુદ્ધ દૃષ્ટિને કોઇએ નિષ્પક્ષ મૂકી નથી અને સર્વેએ પોતપાતાનું ખેચીને આ શુદ્ધ દૃષ્ટિને પી`ખી નાખી છે, અને જેને જેમ ફાવ્યું તેમ તેને થાપી છે, ઉત્થાપી છે, અને એ રીતે એના અયાગ્ય ઉપયાગ કર્યો છે. અને એને અગે પેાતાની વાત સ્થાપવા જતાં એ વાત જ સાચી છે અને ખીજે સાચી વાત છે જ નડુિ અને હાર્ટ પણ શકે નહિ, પેાતાનાં ડંફાળુ ચલાવ્યાં છે. આ રીતે C • સહુ થાપે અહમેવ ’—પરિણામે આપણે કોઇ પણ મત, સંપ્રદાય, મઝહબ કે ધર્મીને જઈને પૂછીએ તે દરેક · અપની અપની ગાવે ’—પોતાની જ વાતને આગળ કરે, અને તમે જરા વિચાર કે શકા કરશે। તો અધમી થઈ જશે; અને સત્ય અમને જ સાંપડ્યું છે એ વાતની જ સ્થાપના કરશે. એ દલીલ કરવા દેશે નહિ, એ સાચી સ્થિતિ સમજવાની તમારી તાકાત છે એને સ્વીકાર પણ કરશે નહિ. એકાંતના પક્ષ કરનાર, એકાંત સત્યમાં ગૂ ચવાઈ જનાર નાના-મોટા મતે આ રીતે ખેતપેાતાના તાનમાં મસ્ત થઇ ગયા છે. • અહમેવ ’—માં વ−હું જ. હું કહું તે ખરાબર છે. વ-અવ્યય છે; એના અથ ‘ જ -નિશ્ચાયાત્મક છે. હું જ અને બીજો કોઈ નહિ. જ્યાં એકાંતવાદ હાય, જ્યાં ખીજી આંખ ઉઘાડવાની બધી હાય, જ્યાં સત્યશોધનની દશા જ ન હોય, ત્યાં આવી હુંકારાત્મક દશા હોય અને એ સમ્યગ્દર્શન સિવાય સવ્યાપી છે, સ સાધારણ છે અને સત્યપ્રાપ્તિની આડે આવનાર હાય છે. મત, સપ્રદાય કે દન તથા મઝહબની આ દશા એના ફિકાએમાં, એના પેટા વિભાગેામાં, એના ગોમાં અને એના સંઘાડામાં પણ એ જ આકારે ચાલુ જણાશે. દરેક ગઠવાળા પાતે જ સાચું સમજેલ છે એવા દાવાનાં ધેારણે જ ચાલે છે. અનેકાંતવાદને ઉપાસક પણ જ્યારે પેાતાના સંપ્રદાય કે ગચ્છની ગૂ`ચવણીમાં પડી જાય છે ત્યારે એ પોતાના કક્કો ખરો કરવાના આગ્રહમાં પડી જાય છે. આ હકીકત પર ચૌદમા શ્રી અનંતનાથના સ્તવનમાં વિવેચન થવાનું છે; એ બાબત ત્યાં માટે મુલતવી રાખી અત્ર એક વાતને જાણી લઇએ કે ગમે તે મત, સંપ્રદાય કે દનકારની પાસે જઈને પૂછપરછ કરીએ તો તે પાતાની વાત સાચી છે, અને પેાતે જે વાત કહે છે તે ભગવાને પાતે કહી બતાવેલ છે, એવી સ્થાપના વગર સકોચે કરશે. સત્ય તરફ આંખ બંધ રાખવાની આવી વૃત્તિને પરિણામે દુનિયા કેવા ખાટા રસ્તે ઊતરી ગઈ છે, એકાંતવાદની પાષણામાં સત્યને કેટલું ખારંભે નાખી દેવાયું છે, અને પ્રેમ કે એકદિલીને સ્થાને કેટલા દ્વેષ અને મારચાએ ઊભા થઈ ગયા છે, તેના આખો ઇતિહાસ વિચારવા યાગ્ય છે. ܕ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૪ : શ્રી અભિનંદન જિન સ્તવન [૧૧૭ આ આખી એકાંતર્દષ્ટિ જનતાને પીડતી રહી છે, પક્ષના મડાણને નભાવતી રહી છે અને પોતાપણાના અભિમાનને પોષતી રહી છે, અને તેને લઈને સાચા દનની દુલ ભતા પર જે વાત ઉપર જણાવી તે વાતની અગત્ય આપણા લક્ષ્ય પર થતી જાય છે. સાંખ્ય દન અને વેદાંત દન આત્માને ફૂટસ્થ નિત્ય માનતા હાઇ એમાં કઈ જાતને પિરણામ માનતા નથી. હથેાડાના ગમે તેટલા ઘા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે, તેમ દેશકાળ વગેરેના વિવિધ ફેરફારો થવા છતાં વસ્તુ જરાય ફેરફાર નથી પામતી એવી માન્યતા તે ક્રૂટસ્થનિત્યતા. આવી માન્યતાને પરિણામે જ્ઞાન, સુખદુઃખ વગેરે પરિણામેાને તે પ્રકૃતિના જ માને છે. એ દÖનકારો પાસે જવાનું થાય તો તે પોતાની વાતને જ સ્થાપશે, એમાં જરા પણ ફેરફાર કરશે નહિ અને પોતાની આંખ ઉઘાડી સત્યની બીજી માજુ તપાસવાના પ્રયાસ પણ કરશે નહિ. વૈશેષિક અને નૈયાયિકા જ્ઞાન, સુખ-દુઃખને આત્માના ગુણુ માને છે ખરા, પણ આત્માને એકાંત નિત્ય માનતા હાઇ એને અપિરણામી માને છે. ઔદ્ દનકારો આત્મા નિરન્વય પરિણામોના પ્રવાહ માત્ર છે એમ માને છે. એટલે એમના દર્શીન પ્રમાણે ભિન્ન ભિન્ન ક્ષણામાં સુખ-દુઃખ આદિનું ભાન થાય છે તેને પિરણામ માત્ર માનવામાં આવે છે, પશુ એ જુદા જુદા ક્ષણના અનુભવને જોડનાર વચ્ચે સૂત્રરૂપ અખડ ચાલુ તત્ત્વની ગેરહાજરી માનતા હોઈ એને નિરન્વય પરિણામેાના પ્રવાહ કહેવામાં આવે છે. આવી રીતે જે જે દનકારો પાસે જવામાં આવે તે તે સવ પોતપોતાના અભિપ્રાયની સ્થાપના કરે છે અને પોતે જ માત્ર સત્ય સમજ્યા છે એવા દાવેા કરે છે અને પાતા સિવાય અન્યને સત્યની જરા ઝાંખી માત્ર પણ થઇ છે એટલા સ્વીકાર પણ કરતા નથી. એ જ પ્રમાણે આત્માના અને પુદ્ગળના, ચેતનના અને વસ્તુના સંબધને અંગે, વસ્તુ અને આત્માના સબધ છૂટચા પછી આત્માની થતી સ્થિતિને અંગે દરેક દનકાર જુદા જુદા મત ધરાવે છે, પણ દરેક પેાતાની વાતને જ આગ્રહપૂર્વક પકડી રાખે છે અને પરિણામે સત્યશેાધનની ઉન્નત ભાવનાને બદલે પેાતાની વાત સાચી છે એવી મક્કમ સ્થાપના કરે છે. આત્મિક અને પૌદ્ગલિક ખાખતા ઉપરાંત નાની-મોટી અનેક બાબતમાં ઘણાખરા દનકારો પોતાના મતની વાતને આગ્રહપૂર્ણાંક પકડી રાખવામાં ગૌરવ માને છે. એ વાતને પરિણામે પ્રાણીમાં એકાંતવાદના આગ્રહુ થાય છે. તે કેટલેા હાય છે અને તેની ગાઢતા કેટલી ચિકાશ ભરેલી હાય છે તે આ સ્તવનના વિવેચનમાં વિસ્તરાયલી માલૂમ પડશે. માત્ર અભિનંદનસ્વામીનું દશન—જૈન દČન–જ એવું દર્શન છે કે જેણે નયવાદ અને પ્રમાણવાદ દ્વારા અનેકદૃષ્ટિબિન્દુએ ઉઘાડાં રાખ્યાં છે અને અનેકાંતવાદના ધેારણને સ્વીકાર કરીને એક પક્ષમાં કે એક વાદમાં ઢળી જવાની વાત છેડી દીધી છે અને તે હકીકતને એટલે વ્યવહારુ આકાર આપવામાં આવ્યા છે કે એ કઇ અન્ય દશનને તિરસ્કારશે નહિ, અન્ય દર્શનને Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] શ્રી આનંદઘન-વીશી અસત્ય કહેશે થહિ. એના અનેકાંતદર્શનમાં એ સર્વ દર્શનકારેને અંશસત્યાગ્રહી કહેશે, એ કહેશે કે તમને જે સ્વરૂપ સમજાયું છે તે તેટલા પૂરતું સાચું છે, પણ તમારા સ્વરૂપજ્ઞાનને બીજી બાજુ પણ હોઈ શકે છે, અને અંશસત્યને સર્વ સત્ય માનવાની ગફલતી કરવા જેવું પણ નથી. મતલબ, જૈનદર્શનકાર ઢાલની બન્ને બાજુએ જેવાને અને અંશસત્યને પૂર્ણ સત્ય માનવાની ભૂલથી બચવાને આગ્રહ રાખે છે. અને દૃષ્ટિબિન્દુ (નય) ના વિવેકી સિદ્ધાન્તને અપનાવી જૈન દર્શને તે કમાલ કરી છે. એણે કઈને કડવું કહ્યું નથી; એને કેઈને આકારા શબ્દોમાં ઉદ્દેશવાની જરૂર પડી નથી અને એના સપ્તભંગી અને સ્યાદ્વાદના સિદ્ધાન્ત એને તર્કનુસારી, ન્યાયબદ્ધ અને પદ્ધતિસરની પરિસ્થિતિમાં રાખી એને સ્વીકાર કરવા ગ્ય કક્ષામાં રાખે છે. આ હકીકત ખૂબ વિચારણા માગે છે અને દર્શનની સમજણની ચાવીરૂપ છે. વાત એ છે કે દર્શનકારને અંગે જ્યાં જ્યાં વિચારણા કરીએ કે એની પાસે સત્ય સમજવા પૃચ્છા કરીએ, ત્યાં ત્યાં તેઓ તે પિતપતાની જ વાત કરશે, અને પિતા સિવાય અન્ય સર્વ દર્શનકાએ ગોથાં ખાધાં છે એવી હકીકત જણાવશે. અંશસત્ય અને પ્રમાણસત્યના ખુલાસા દ્વારા જૈન દર્શન તે આથી તદ્દન જુદી જ વાત કરે છે. એ કઈ દશનકારને જો નહિ કહે, એ કઈ દર્શનકારની નિંદા નહિ કરે, એ પિતાના અભિપ્રાયને સ્વીકાર કરાવવાને આગ્રહ નહિ રાખેએ માત્ર આંખ ઉઘાડી રાખવાની ભલામણ કરશે અને દર્શનકારેને અંશસત્યની પ્રાપ્તિ થઈ છે એટલું જ જણાવશે. એના નયજ્ઞાનના દષ્ટિબિન્દુમાં એને સત્યને અંશ જણાશે. પણ એની નજરમાં તે જ વખતે પ્રમાણસત્યનો ખ્યાલ રહેશે અને એ કદી એકાંત સ્થાપના કરશે નહિ. એટલા માટે અભિનંદન જિનદેવના દર્શનને તલસાટ કરીએ, એ દર્શન પ્રાપ્ત થાય તેવી ઊડી ચાડના રાખીએ અને મતમતના ભેદને અંગે દર્શનકારેએ એકાંતનું પિષણ કર્યું છે તેને સમજવા દ્વારા સહિષ્ણુતા રાખીએ. સાધારણ રીતે શાંત પ્રાણી હોય તે પણ જ્યારે દર્શનની વાતચીત કે ચર્ચામાં ઊતરે છે ત્યારે ઘણી વાર વિવેક ભૂલી જાય છે અને પછી તે દર્શનના કે મતાગ્રહના મરચા જમાવવા મંડી જાય છે. તેવા પ્રાણીઓને નિર્ભેળ સત્ય સાંપડવું અશક્ય છે. જ્યાં આગ્રહ બંધાઈ ગયે ત્યાં જ્ઞાનચક્ષુ આડું આવરણ આવી જાય છે અને પછી સત્યશોધન બુદ્ધિને સ્થાને પિતાની પકડેલી કે કોઈએ પકડાવેલી હકીકતને ભૂલી-પાતળી, અસ્પષ્ટ દલીલથી કે દલીલાભાસથી બચાવવાની વૃત્તિ થઈ જાય છે, અનેકાંતદષ્ટિબિન્દુ સમજનાર, અંશસત્ય અને પરિપૂર્ણ સત્યને તફાવત જાણનાર અભિનંદન સ્વામીનું દર્શન આ પ્રકારની સ્કૂલનાથી મુક્ત છે, એટલે એને માટે વાંછના કે ઝંખના કરવા યોગ્ય છે. અથવા અભિનંદનજિનદર્શન એટલે આત્મદર્શન. ચેતનને એના મૂળ સ્વરૂપે જોવો એ કામ દુર્ઘટ તે છે જ; પણ આ જીવનવ્યવસાયને એ ખરે લહાવે છે. દરેક દ્રવ્યકિયાને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૧૯ ઉદ્દેશ આત્મદર્શન કરવાનો હોઈ અને દરેક નાનું-મોટું સાચું આત્મદર્શન દુર્લભ ઈ ખૂબ વિચારણા માગે છે. અંશસત્યને સ્વીકાર કરવા જતાં એકાંતપક્ષમતાગ્રહ-બંધાઈ ન જાય તેની સાવધાની રાખવાની જરૂર છે. કોઈ પણ દશનકારે પિતાના દર્શનથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, એમ કહ્યું નથી; સર્વને દાવો શુદ્ધતા, સ્પષ્ટતા અને ગ્યતાનો છે. તેમાંથી સત્યની શોધ કરવી એમાં વિવેક છે, આવડતનો ઉપયોગ છે. અને જીવનનું મહાન કર્તવ્ય છે. સહિષ્ણુતાને ઉચ્ચ આકારમાં રજૂ કરતું, નય દષ્ટિબિન્દુના જ્ઞાનના રહસ્યમાં અંશસત્યને ઢાલની એક બાજુ તરીકે બતાવતું અને છતાં વેરવિધ ન દાખવતું એ અભિનંદનજિનનું દર્શનદુર્લભ હોવા છતાં પ્રભુકૃપાથી સુલભ છે એ વાતને સ્પષ્ટ રીતે સમજાવી સાબિત કરતાં પહેલાં દર્શનને અંગે ચાલુ જનતાનો અથવા પ્રવાહમાં પડેલાનો રસ્તો કેવો હોય છે, તે બતાવી છેવટે દર્શનની સુલભ્યતાના રસ્તા બતાવશે. આ સ્તવનથી જે ઝોક આનંદઘન મહારાજે લીધો છે તે તેમની વિશાળતા, સર્વ દર્શન તરફની સહિષ્ણુતા અને માર્ગ દર્શન કરાવવાની પિતાની કર્તવ્યપરાયણતા બતાવે છે. દર્શનની દુર્લભતા બતાવી દર્શનપ્રાપ્તિ સુલભ કેમ થાય તેને માગે ગિરાજ અજબ રીતે લઈ જાય છે, તે આપણે જોઈએ. દર્શનપ્રાપ્તિની ચાવી હાંસલ કર્યા પછી દર્શનને અંગે આંતર ક્રિયા, દ્રવ્યકિયા, ફિરકાભેદ, ગચ્છની તકરાર વગેરે બાબતો પર આગળ ઉપર અન્યત્ર ધ્યાન ખેંચવામાં આવશે. અહીં તે અનેકાંતદષ્ટિને બહુલાવનાર એ દર્શનને પ્રાપ્ત કરવાની અંદરથી પાકી ઇચ્છા જાગ્રત કરાવવા માટે દર્શન યાને મતમતમાં રહેલા આગ્રહને નરમ પાડી દેવાની હકીકતને મુખ્ય કરવામાં આવશે અને પથડે નિહાળવાને પરિણામે ભૂમિકા શુદ્ધ કરવાના કાર્યનો લાભ ઉઠાવવાની સાચી રીતને દર્શાવી તે દ્વારા આત્મદર્શન કરવાની પ્રેરણા રજૂ થાય છે, તે વાત ખાસ હિતની હોઈ અવધારણ યોગ્ય છે. (૧) સામાન્ય કરી દરિસણ દોહિલું, નિરણય સકલ વિશેષ; મદમેં ઘાર્યો રે અંધ કિમ કરે, રવિ-શશિ-રૂપ વિલેખ. અભિનંદન૨ અર્થ–સાધારણ રીતે જોઈએ તે (પ્રભુનું) દર્શન પ્રાપ્ત થવું મુશ્કેલ છે અને તે સંબંધી પાકે નિર્ણય એ તે વળી એથી પણ વધારે મુશ્કેલ છે, કારણ કે નશાથી ચકચૂર બનેલ અંધ પ્રાણી સૂર્ય કે ચંદ્રના સ્વરૂપનો ચિતાર કેમ લઈ-જાણી-સમજી શકે? (૨) પાઠાંતર–સામાન્ય – સામાન્યઈ. ઘાર્યા – ઘેર્યા. ક્યિ - કેમ (૨) શબ્દાર્થ–સામાન્ય = સાધારણ કરી = ને લીધે, કારણે. સામાન્ય કરી = સાધારણ રીતે. દરિસણ = દેખવું, માગ પામવું. દેહિલું = દોહ્યલું, અધ, મુશ્કેલ. નિરણય = નિર્ણય, ફેંસલો. સકળ = સંપૂર્ણ, તમામ. વિશેષ = વિશેષતઃ અથવા ખાસ કરીને મદમેં = નશામાં, દારૂની અસરમાં. ઘાર્યો = ઘેરાઈ ગયેલે, ચારે તરફથી વીંટળાઈ ગયેલે, તેમાં ડૂબેલો. અંધ = આંધળો માણસ. કિમ = કેમ, કેવી રીતે. રવિ = સૂર્ય(નું), શશી = ચંદ્રનું રૂપ = સૌદર્ય, આકાર, દેખાવ. વિલેખ = વિશેષે જાણવું તે, સમજવું તે. (૨) Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] શ્રી આનંદઘન–ચવશી - ટબ-દર્શન શબ્દ સામાન્ય ગ્રડ (ગ્રાન્ડક), તે પણ દોહિલું, તે સકળ વિશેષ નિર્ણય તે દુર્લભ હોય, એટલે વસ્તુના ધર્મ બે છેઃ સામાન્ય અને વિશેષ. તે વસ્તુને વિષે અભ્રાંતિ રૂપપણે તેને પણ દુર્લભ. કેણ દષ્ટાંતે ? જેમ અંધ પુરુષ મદમાં ઘા-છંદમાં પડ્યો-હાય (અથવા વનમાં પડ્યો હોય, ત્યારે રવિ સૂર્ય અથવા ચંદ્રમાનું રૂપ સામાન્ય–વિશેષે લખીજાણી ન શકે, તેમ અહંકારને ઘાર્યો મિથ્યાત્વે અંધ આવરણ છંદમાં પડેલે પ્રાણી સમ્યગ પણે સ્વરૂપદર્શન ન જાણે. (૨) વિવેચન-મતમતાંતરેને અંગે જ્યાં જ્યાં જઈને તપાસ કરવામાં આવે ત્યાં સર્વ અભિમાનપૂર્વક પિતાની વાત સાચી છે એવી સ્થાપના કરે છે. તેનું પરિણામ શું થાય તે પર હવે વિચાર કરે છે, અને એ પરિસ્થિતિમાં દર્શન પ્રાપ્ત કરવાની મુશ્કેલી વધી જાય છે. તે વાત બતાવવા દ્વારા વરતુતત્વના નિર્ણયની મુશ્કેલી પર ધ્યાન ખેંચે છે. આપણે ઉપર જોઈ ગયા કે દર્શનનો અર્થ આ સ્તવનમાં વસ્તુતત્વનો બોધ અને તેની સાચી સમજણપૂર્વકની શ્રદ્ધા એમ કરવાનો છે. આ દર્શનની મુશ્કેલી બતાવતાં સહણાનું સ્વરૂપ ધ્યાનમાં લેવા યોગ્ય છે. સમ્યકત્વની સ્વરૂપવિચારણાને અંગે ૬૭ મુદ્દાઓ અધિષ્ઠાનો ઉપર જૈનદર્શનકારોએ ભાર મૂક્યો છે; તેમાં સહણાને અંગે ચાર બાબતેને ખાસ અગત્ય આપી છે. સહણના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે : () તરવજ્ઞાનપરિચય–તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા વગર શાસ્ત્રનું રહસ્ય સમજાય નહિ, અંદરના ભેદની ચાવી સાંપડે નહિ અને નિરર્થક શકિતનો વ્યય થતું અટકે નહિ. તેટલા માટે તત્વજ્ઞાનનો પરિચય એ સહણને અંગે બહુ અગત્યની વાત છે. શ્રદ્ધાને રિથર રાખનાર, મગજને અવ્યવસિથત થતું અટકાવનાર અને ગૂંચવણવાળી દલીલ કે હેવાભાસના જાળામાં અટવાઈ પડતાં અટકાવનાર તત્ત્વજ્ઞાનને પાકો પરિચય અનિવાર્ય છે, અતિઆવશ્યક છે, અને ચાલુ પ્રગતિને પિષક હોઈ કષ્ટ કે ઉદ્યમને સફળ બનાવનાર થાય છે. | (a) તત્ત્વજ્ઞાનીની સેવા–તત્ત્વજ્ઞાનની સેવા જેટલી અગત્યની છે તેટલું જ મડુત્વ તત્વજ્ઞાનીની સેવાને આપવામાં આવ્યું છે. લખી લખીને કેટલી વાત લખાય? અનેક ભાવો તે ગુરુ શિષ્યને પિતાની સામે બેસાડી સમજાવે, કેટલીક વાતે બતાવે અને કેટલીક ક્રિયા કરી બતાવે. પડિલેડણ, પચ્ચખાણવિધિ વગેરે અનેક બાબતે, ક્રિયા કરવાની વસ્તુના આકારો અને બનાવટો અને તત્વજ્ઞાનના રહસ્યની ચાવીઓ અને ગમુદ્રાઓ જ્ઞાનીની સેવા કરે ત્યારે જ સાંપડે. વિલાયતમાં રહી પુસ્તક વાંચનારા વિદ્વાનને ઓથે-રોડરણ એટલે ઝાડું જ લાગે, પણ એને આકાર અને ઉપગ નજરે જુએ, કે જ્ઞાનીના પરિચયથી જાણે, ત્યારે તેને અવનવી અને અદ્દભુત હકીકત પ્રાપ્ત થાય છે. સડણાને અંગે જ્ઞાનીને પરિચય ઘણું અગત્યની બાબત છે. (T) વ્યાપન્નદશનીવજન-વ્યાપન્ન” એટલે ઇજા પામેલ, મરેલ. દર્શનભ્રષ્ટ મનુષ્યની સેબત ન કરવી. જેને ધર્મશ્રદ્ધા ન હોય, જેણે શ્રદ્ધા ગુમાવી નાખી હોય, જેણે એક Page #137 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૨૧ વખત દર્શનના સ્વીકાર પછી સ્વાર્થને અંગે કે બેદરકારીને અંગે દર્શનને તજી દીધું હોય તેવા પ્રાણીની સબત કરવાથી પિતે પણ શ્રદ્ધાભ્રષ્ટ થઈ જવાય. એવા ભ્રષ્ટ થયેલાનો પરિચય કરતાં પિતાની મૂળ પૂંજી પણ ગુમાવી બેસાય. એટલા માટે સહણું રાખવાની ઈચ્છાવાળાએ જે પ્રાણીમાંથી દર્શન ગયું છે-વ્યાપન્ન થયું છે-તેની સંગતિ ન કરવી. આ સડણાનો ત્રીજો પ્રકાર છે. (૧) કલિગીસંગવજન—ઉઘાડી રીતે જે પરલિંગ ધારણ કરતા હોય તેની સબત ન કરવી. એની સેબતમાં લાભ ન થાય અને સૂકા સાથે લીલાને બળવાનું થઈ જાય. કુલિંગસંગવજનમાં અને વ્યાપન્નદર્શનીસગવર્જનમાં ઘણે ફેર છે. કુલિંગી ઉઘાડી રીતે ધર્મ વિરુદ્ધ હોય છે અથવા ઉપેક્ષાવાળો હોય છે, ત્યારે વ્યાપનદશનીએ તે એક વાર શુદ્ધ દર્શનનો સ્વીકાર કર્યા પછી તેનો ત્યાગ કરેલ હોય છે. ધર્મશ્રદ્ધા કાયમ રાખવા માટે ધર્મના વિરોધી અને પરધર્મનો સ્વીકાર કરનાર બન્નેની સબત છેડવાની અથવા ન જ કરવાની બાબત ખૂબ સમજવા યોગ્ય છે. એમાં પરલિંગ તરફ તિરસ્કાર નથી, પણ મનુષ્યના સ્વભાવના અભ્યાસની તારવણી છે. સબત અને પરિચયની અસર કેટલી છે તે તે દરરેજના અનુભવનો વિષય છે. અને જેને દર્શન પર સારો પ્રેમ જાગ્યું હોય અથવા જગવવા યોગ્ય છે એ નિર્ણય થયો હોય, તે પ્રાણી વ્યાપન્નદશનીની કે કુલિંગીની સોબત ન કરે એ સ્વતઃ સમજાઈ જાય તેવી વાત છે. આવા પ્રકારની સહણને ઝીલતું દર્શન પ્રાપ્ત થવું એ સાધારણ રીતે મુશ્કેલ છે. એ દર્શનપ્રાપ્તિને અંગે છે સ્થાન બતાવવામાં આવ્યાં છે તે નીચે પ્રમાણે છે : (૧) જીવ છે એમ ચોક્કસ માનવું. (૨) જીવ શાશ્વત છે, એને કદી નાશ થવાને નથી એમ માનવું (૩) પુણ્ય-પાપને કર્તા જીવ છે એવી સ્પષ્ટ માન્યતા રાખવી. (૪) અને કરેલ કર્મને ભક્તા તે જ જીવ છે એવી ચાખી માન્યતા કરવી. (૫) ગ્ય રીતે પુરુષાર્થ કરતાં એ જીવની મુક્તિ છે એવી નિર્ભેળ માન્યતા. (૬) અને એની મુક્તિ માટેના ઉપાય છે એવી માન્યતા રાખવી. આ છ સ્થાનકેને વિચાર કરતાં અને સ્વીકાર કરતાં દર્શન પ્રાપ્તિની અગત્ય સમજાશે. છ સ્થાનેની ચોખવટ અને સ્વીકાર ન થાય તે પ્રાણી આ દુનિયામાં રખડ્યા કરે છે. શા માટે પિતે અફળાય-કુટાય છે તે તે પોતે જાણી પણ શકતા નથી અને આંટા માર્યા કરે છે. એને છ સ્થાનની ખાતરી થાય ત્યારે એની સાચી ઓળખાણ થાય છે અને પછી પિતે આ સંસારમાં શા સારુ “અહોપહો’ અથડાય છે, એ તેના ધ્યાનમાં આવે છે. “સામાન્ય કરી–જેમાં ચાર પ્રકારની સદ્દડણુ અને ઉપર પ્રમાણે બતાવેલાં છ સ્થાન હોય તેવા દર્શનની પ્રાપ્તિ સામાન્ય રીતે કઠણ છે, સંસારના રસમાં લદબદ થઈ ગયેલા આ ૧૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] શ્રી આનંદઘન-ચોવીશી પ્રાણીને સંસારદશામાં મજા આવે છે, એને આંતરમાં ઊતરવું ફાવતું નથી, એમાં એની સર્વ પ્રકારની તકલીફનો છેડે છે એ વાત એને બેસતી નથી અને ઘણાખરા તે એવી વાતની વિચારણાની નજીક પણ આવી શકતા નથી. એને આત્માને અને પુગળને તફાવત જણાતે નથી, એને પુદ્ગળભાવની રમણતા એ વિભાવરમણતા છે એ વાત બેસતી નથી અને એને પ્રભુના દર્શનની પ્રાપ્તિ જ થતી નથી. દીર્ઘ કાળના અભ્યાસથી એ દુનિયામાં રાચે છે, અને વિષયકષાયના કીચડમાં સબડે છે. હિલું–ઘણખર પ્રાણીઓ તે આત્મદર્શનને વિચાર પણ કરતાં નથી અને સંસારના વ્યવહાર-વેપાર-ધંધામાં કે આળસમાં એટલે આનંદ આવે છે કે એને દર્શન સંબંધી વિચાર કરવાની કે એ પ્રાપ્તવ્ય છે એ ખ્યાલ કરવાની તક પણ મળતી નથી. બીજો એક વર્ગ એ છે કે એ મત-મતાંતરના ઝઘડામાં પડી મિથ્યા જ્ઞાનના ચકકરમાં એવા ચઢી જાય કે એ પિતાની માન્યતાથી છૂટી શકતું નથી અને પકડેલ પુચ્છને પાટુ વાગે તે પણ મજબૂતપણે ઝાલી રાખે છે. આવા દુરાગ્રહીને અને આંખ ન ઉઘાડનારને દર્શનપ્રાપ્તિ સામાન્ય રીતે જ કઠણ છે. જેને ચાર પ્રકારની સહણ થઈ નથી અથવા જેને ઉપર જણાવેલાં છ સ્થાને પ્રાપ્ત થયાં નથી તેને દર્શનપ્રાપ્તિ સામાન્ય રીતે દુર્લભ છે. દર્શનપ્રાપ્તિ માટે ત્રણ લિંગ (ચિહ્ન) બતાવવામાં આવ્યાં છે, તે નીચે પ્રમાણે છે : (૧) શુશ્રષા–એને દર્શન સંબંધી હકીકત સાંભળવાની ખૂબ તમન્ના રહ્યા કરે. જ્યાં દર્શન પર વિવેચન થતું હોય, ત્યાં એ પિતાનાં બીજા કામે છેડી દડી જાય, એને તત્વવિચારણા, ચર્ચા, શ્રવણ કે વ્યાખ્યાનમાં સ્વાભાવિક રીતે ખૂબ રસ પડે અને એ પ્રસંગ પ્રાપ્ત થાય કે તરત જ એ તક એ આતુરતાથી ઝડપી લે. (૨) સેવા–એને ધર્મકરણીમાં ખૂબ મજા પડે. પિતાને જેટલો સમય ધર્મકરણીમાં જાય તેટલે જ સાચે સફળ સમય ગમે છે એમ તે અંત:કરણથી માને અને કોઈવાર બીજા કામમાં પડી જાય ત્યારે પણ ક્યારે પિતાને તક મળે અને ધર્મકરણીમાં પિતે જોડાઈ જાય એવી એને ઈચ્છા રહ્યા કરે. (૩) વૈયાવચ્ચ–આ પારિભાષિક શબ્દ છે. એનો અર્થ દેવ અથવા ગુરૂની સેવાચાકરી એવો થાય છે. ઉપકાર કરનાર ગુરુને જરૂરિયાતી ચીજો લાવી આપવી, રેગીની સેવા કરવી, વૃદ્ધને સહાય કરવી, તપસ્વીને સગવડ કરી આપવી–આનું નામ વૈયાવચ્ચ કહેવાય છે. નવયુગ આ વૈયાવચ્ચગુણ (લિંગ) તુરત સમજી શકશે. માંદાની માવજત, સેવા કરનારની સગવડ, સેવા કરવા જનારના કુટુંબીઓની કદર વગેરે વૈયાવચ્ચના અનેક પ્રકાર છે. - આ ત્રણ ચિહ્નો (લિગે) જ્યાં હોય ત્યાં દર્શનપ્રાપ્તિની શક્યતા છે. આ ત્રણ ચિહ્નોને બરાબર ઓળખવા જેવાં છે. આના સંબંધમાં શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાય બહુ સુંદર ઉપમાન પિતાની સડસઠ બેલની સક્ઝાયમાં રજૂ કરે છે એ ધ્યાન ખેંચવા લાયક છે. એ શઋષા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૨૩ લિંગને અંગે કહે છે કે માણસ પોતે જુવાન હોય, એની સ્ત્રી લાવણ્યશાલી, સમજુ અને ઘરરખુ હોય અને એની પાસે કોઈ સંગીત સંભળાવવા આવે અથવા કિન્નર ગાન કરે ત્યારે તેને સંગીતશ્રવણમાં જેવી મજા આવે તેવી ધર્મશ્રવણમાં આવે એ પહેલું લિંગ શુશ્રુષા નામનું છે. બીજા ધર્મરાગ નામના લિંગને વર્ણવતાં શ્રી ઉપાધ્યાયજી કહે છે કે કોઈ માણસ મોટી અટવી વટાવીને થાકીને લેથ થઈ ગયે હોય, એને સખત ભૂખ લાગી હોય, તે વખતે એ મનમાં ઈચ્છા કરે કે અત્યારે ખીર-ખાંડ-ઘેબરનાં ભેજન મળે તે ભારે કામ થઈ જાય! એ વખતે ઘેબરના ભેજન તરફ એનું આકર્ષણ થાય તેવી જ ઈચ્છા ધર્મ પ્રાપ્તિ માટે થાય એ રાગ નામનું બીજું લિંગ બતાવ્યું છે. અને વૈયાવચ્ચ નામના ત્રીજા લિંગને અંગે એમણે વિદ્યાસાધકને દાખલે આપ્યો છે. જેમ વિદ્યા સાધવા તત્પર થયેલ આકાંક્ષી વિદ્યાપ્રાપ્તિની પાછળ પિતાની સર્વ શક્તિ વાપરે, અને તેને અંગે લગારેક પણ આળસ કરે નહિ એમ વૈયાવચ્ચ કરનાર પ્રાણી પિતાના કર્તવ્યમાં વગર સંકોચે વળગી રહે. આવા ત્રણ લિંગવાળું દર્શન પ્રાપ્ત થવું સાધારણ રીતે દોહ્યલું છે, કારણ કે એને અંગે જે માનસિક વિચારધારા, શિસ્ત અને અંકુશે જોઈએ તે આવેલાં હોતાં નથી અને એને સદહણ પ્રાપ્ત કરવાને અંતરથી, ઉપર જણાવ્યા તેવ, રાગ પણ થયેલ હોતો નથી. એની દાનત એવી હોય છે કે જરા પણ ઘસારે ખાધા વગર કે તપ-ત્યાગ-સંયમ કર્યા વગર દશનપ્રાપ્તિ થઈ જતી હોય તે તેને વાંધો નથી. પણ ઘસારે ખાધા વગર અને અંતરના ઉમળકા વગર દર્શનપ્રાપ્તિ સામાન્ય રીતે મુશ્કેલ છે. મતમતાંતરના ભેદો, ઝઘડાઓ અને પક્ષબુદ્ધિ એટલી આકરી હોય છે અને દર્શનની બાબત આવે ત્યારે પ્રાણીની રાગદશા એટલી તીવ્ર બની જાય છે કે એમાં સાચ ક્યાં છે અને સાચું કોણ છે એને નિર્ણય કરે છે તે એથી પણ વધારે આકરી વાત બની જાય છે. “નિર્ણયઃ—એક તે દરેક દર્શન પિતાની જ વાત કર્યા કરે, બીજે સત્ય હોય તેને શોધવાની દરકાર પણ ન કરે અને પિતાના વિવેકચક્ષુને વાપરવાની તકલીફ પણ ન લે, ત્યાં દર્શનની પ્રાપ્તિ પણ મુશ્કેલ છે. અને કદાચ પ્રાપ્તિ થઈ જાય તે અરસપરસના વિરોધશોધક અને દર્શક વાતાવરણમાં સર્વથા નિર્ણય કરે એ પણ એટલું જ મુશ્કેલ છે. કારણ કે ગમે તે મતમાં જાઓ, તેની વાત સાંભળો કે જાણવાનો પ્રયત્ન કરે તે સર્વે પોતપોતાની વાત જ કરશે, પિતે જ સત્યને ઈજા મેળવે છે એવો દાવો કરશે અને બીજી આંખ ઉઘાડવાની પણ સાફ ના સુણાવી દેશે, એટલે પિતા સિવાયના સર્વ જૂઠા છે, એવા અભિનિવેશથી જ વાત કરશે અને ભળતી દલીલેને સાચે-ખટો ટેકે મેળવી પિતાને કક્કો ખરે કરવાની જ પેરવી કરશે. “સકળવિશેષ—પોતે કહે છે તે સિવાય અન્યને સત્ય સાંપડ્યું હોય, સત્યના અંશે અન્યત્ર પણ હોઈ શકે છે, જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી વાતને ઘટાવવાની શકયતા છે એ વાત જ એને બેસે નહિ, એટલે નિર્ણય કરે, નિર્ણય મેળવવો કે નિર્ણય નિરધારવો એ દર્શનની પ્રાપ્તિ કરતાં પણ વધારે મુશ્કેલ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] શ્રી આનંદઘન વીશી મદમેં ઘાર્યો રે, અધો કિમ કરે, રવિ-શશિરૂપ-વિલેખ”—એ નિર્ણયની મુશ્કેલી બાબત પર એક બરાબર ઘટતે આવે એવો દાખલે આપે છે. મદમાં ચકચૂર થયેલ માણસ હોય અને જાતે આંધળો હોય તે સૂર્ય-ચંદ્રના રૂપને કેવી રીતે દેખી શકે? એક તે જન્મથી અંધ હોય અને વળી દારૂ પી, નશે કરી એ ઘેનમાં ડૂબી ગયેલ હોય, તેવો માણસ સૂર્યને પ્રકાશ કે ચંદ્રની ચાંદની કેમ જાણી શકે ? એ પ્રમાણે અજ્ઞાનથી કે મિથ્યા જ્ઞાનથી અંધ બનેલો માણસ હોય તેને દીવા જેવી સાચી વાત પણ કેમ સૂઝે? સર્વાગ સત્યદર્શનની ઝાંખી થવી દોહ્યલી છે. અને મિથ્યા જ્ઞાનમાં તણાઈ ગયેલે પ્રાણી પણ દર્શનને પામી શકતે નથી. એ પિતાના અભિનિવેશમાં કે આગ્રહમાં એટલે ચકચૂર બની જાય છે કે એની સ્થિતિ અજ્ઞાનીના કરતાં પણ બદતર થાય છે અને પિતાના ખોટા કે આડે માગે ઉતારી દેનારા દલીલપ્રવાહમાં એ તણાઈ જઈ સાચા દર્શનની ઝાંખી કરી કરતું નથી. મદમેં ઘા ઘારવું એટલે ઘેરાઈ જવું. જે પ્રાણી મદ-અભિમાનમાં દટાઈ ગયે હોય, તેને સ્વરૂપજ્ઞાન ક્યાંથી આવે ? એને પિતાની જાતનું ભાન ન હોય, એને પિતાના કુળની કે આબરૂની ખેવના ન હોય; એ સારા ખેટાની પરીક્ષા કરી શુદ્ધ નિર્ણય કેમ કરી શકે ? વિલેખ’–‘લેખ એટલે લખવું, જાણવું, જેવું. “વિલેખ” એટલે વિશેષ કરીને અથવા વિગતવાર વધારે જાણવું. જાણવું એટલે વિવેકપૂર્વક સાચા-ખોટાને ખ્યાલ કરે, છાશમાંથી માખણ તાવી લેવું. અધો?–અંધને તે જોવાનું જ બનતું નથી અને સાથે એ પીધેલ હોય પછી તેને ગાંડપણ લાગી જાય છે. પછી એનામાં સામાન્ય દર્શનનો સંભવ રહેતો નથી. તે પ્રમાણે અજ્ઞાન કે મિયાજ્ઞાનમાં ફસડાઈ ગયેલે પ્રાણી સાચા દર્શનને કે સાચા નિર્ણયને કેમ કરી શકે ? અને સાચા દર્શન વગર માર્ગની પિછાન નથી, માર્ગની પિછાન વગર માર્ગને સ્વીકાર નથી અને માર્ગના સ્વીકાર વગર માગે ગમન નથી. પરિણામે દર્શનપ્રાપ્તિની દુર્લભતા, ઉપર જણાવી છે. તે. કાયમ રહે છે અને પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરવાનું ચાલુ રહે છે. સમકિતનાં પાંચ દુષણ બતાવ્યાં છે. એ પાંચ દુષણને ખ્યાલ કરતાં દુરાગ્રહનો મદ પ્રાણીને કેવા કેવા આકારમાં ચઢે છે તેને ખ્યાલ આવશે અને તેનાથી ચેતતા થવાય તે દર્શનની પ્રાપ્તિની સુલભતા સાંપડે એ છેવટે જણાશે. આપણે સમકિતનાં એ પાંચ દુષણો સંક્ષેપમાં સમજી લઈએ? ' (૧) “શકા —આ પ્રથમ દૂષણ છે. જીવ છે કે નહિ, ધર્મ છે કે નહિ, કર્મ છે કે નહિ _આવી મૂળ બાબતની શંકા થયા કરે, તે દૂષણ છે, સમજવા માટે ચર્ચા કરવી, સ્પષ્ટતા કરવા માટે વાદવિવાદ કરવા એ એક વાત છે, અને મનમાં તેને માટે સંદેહ રાખવે એ અલગ વાત છે. વાદ, ચર્ચા, સવાલજવાબ, ધોળ એ કર્તવ્ય છે, પણ અંદરખાનેથી એ હશે કે નહિ એવી તક વિચારણા સમાધાન માટે નહિ, પણ સંદેહ તરીકે કરવી એ દૂષણ છે. આવી શંકા સર્વવિષયી હોય અથવા દેશવિષયી હોય. ધર્મની શંકા, એની શક્યતા આ કાળમાં હોવા સંબંધી અંદરથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૨૫ વિચારણા એ સર્વ શંકા કહેવાય. નિગોદ વગેરેને મેળ ન બેસે, સેયના અગ્ર ભાગ પર અનંત જીવન કેમ રહે એવા પ્રત્યેક મુદ્દા પરની શંકા તે દેશશંકા. આ શંકા નામનું પ્રથમ દૂષણ થયું. (૨) “આકાંક્ષા–પિતાની સંસારથી મુક્તિ અહીંથી થશે કે ત્યાંથી થશે એવી ભ્રમણામાં વિચારણા વગર, જ્યાં ત્યાં માથું નમાવ્યા કરે, કોઈ જગ્યાએ અલ્પસ્વલ્પ ગુણ જુએ ત્યાં તારણહારની કલ્પના કરી, ત્યાં અભિલાષાપૂર્વક દોડ્યો જાય એ આકાંક્ષાદૂષણ છે. પરધર્મમાં રહેલ સત્ય સમજી તેટલા પૂરતી તેની મહત્તા માનવી એ એક વાત છે, પણ એક ગુણમાં સર્વસ્વનો આરોપ કરી ત્યાં વિશ્વાસ ધારણ કરે અને ઘરમાં અવિશ્વાસ રાખે એ આકાંક્ષા દૂષણ છે. (૩) વિતિગિરછા–અમુક ક્રિયા કરવાથી લાભ થશે કે નહિ અથવા એનું પાકું ફળ બેસશે કે નહિ, આવા પ્રકારની શંકા તે વિતગિચ્છા. કિયા કેઈવાર સફળ થાય, કોઈવાર નિષ્ફળ થાય, આવા પ્રકારની મનની ડામાડોળ સ્થિતિ દૂષણરૂપ છે. શંકા નામનું પ્રથમ દૂષણ ઉપર જણાવ્યું તે દ્રવ્ય વિષયે હોય છે, જીવાજીવાદિ પદાર્થ પર થાય છે, જ્યારે કિયા પરત્વે કે કિયાના ફળ પર શંકા-કુશંકા થાય તેને વિતિગિચ્છા કહેવામાં આવે છે અથવા સાધુ-સાધ્વીનાં મલમલિન ગાત્ર જોઈ એના તરફ ઘણું થાય તેને પણ વિતિગિચ્છા કહેવામાં આવે છે. (૪) પ્રશંસા–સાધારણ ત્યાગી કે ચમત્કારી, ઉપરચેટિયા ધર્મક્રિયા કરનાર અન્ય ધર્મનાં ખૂબ જ વધારે પડતાં વખાણ કરવા જતાં અન્યને એ વતન કે સ્વીકારનું કારણ બને. ગુણપ્રશંસાને વાંધો નથી, પણ અલ્પગુણીને આસમાને ચઢાવવા જતાં અન્યને અધર્મનું કારણ બને એટલે પ્રશંસાને પરિણામે હાનિ થાય. અનધિકારીની જાહેર પ્રશંસા પિતાના ગુણને મલીન કરે અને અન્યને અધઃપતનનું કારણ બને માટે અયોગ્યની જાહેર પ્રશંસા ત્યાજ્ય હોઈ દુષણમાં પરિણમે છે. (૫) સંસ્તવ–સદ્દહણ વગરના પ્રાણી સાથે વધારે પડતે પરિચય. કાળાની સાથે ધળાને બાંધવામાં આવે તે વાન ન આવે તે સાન તે જરૂર આવે. એટલે કાચા ધર્મજિજ્ઞાસને બહારના થરની વ્યક્તિની પ્રશંસા પણ ન ઘટે અને તેનું સંસ્તવન પણ ન ઘટે. પરિચય અને પ્રશંસા બને નુકસાનકારક છે, આપેલ ગુણદશા ઉપર વાઘાત કરનાર થઈ પડે છે અને નવાસવા જિજ્ઞાસુને ઊંધે રસ્તે ચઢાવી દે છે કે ઊધે પાડી નાખે છે. આવાં આવાં દૂષણવાળો પ્રાણ પ્રાપ્ત કરેલ ગુણને મલિન કરે છે, તે જ પ્રમાણે ગુણપ્રાપ્તિ પહેલાં પણ શંકા, કુશંકા, વિતિ ગિછા, પ્રશંસા કે સંસ્તવને કારણે ગુણપ્રાપ્તિ જ અટકી જાય છે. જેમ મદમાં ઘેરાઈ ગયેલું પ્રાણી સૂર્ય-ચંદ્રનું દર્શન કરી શક્તા નથી, તેમ આ પાંચ દુષણોમાંથી કઈ પણ દૂષણવાળે પ્રાણી દર્શનને દોહ્યલું બનાવે છે; એ કોઈ પણ જાતને સ્પષ્ટ નિર્ણય લઈ શકાતું નથી અને તદ્દન અચોક્કસ દશામાં મસ્ત બની રહી દોહ્યલા દશનને વધારે મુશ્કેલ બનાવે છે. આ રીતે એ ઘે-સામાન્ય રીતે-દર્શનપ્રાપ્તિ દોહ્યલી છે, મતમતાંતરની ગૂંચવણને કારણે વધારે દોહ્યલી છે અને હવે પછી જોવામાં આવશે તેમ, એનો પાકા નિર્ણયને પરિણામે તે સ્વીકાર વધારે મુશ્કેલ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] શ્રી આનંદઘન-વીશી અહીં અન્ય મતવાદીઓની સાથે કેવી રીતે કામ લેવું ઘટે તેની વિચારણા પ્રાપ્ત થાય છે. સાધારણ રીતે આ દર્શનને વિષય અટપટો છે, એટલે બહારની વ્યક્તિના ખોટા પરિચય કે વધારે પડતી પ્રશંસાને કારણે દર્શનપ્રાપ્તિ જ દુર્લભ બની જાય છે. આ વાત કરવામાં અન્ય ધર્મની અસહિષ્ણુતાની વાત નથી, પણ રસ્તે ચઢેલ પ્રાણી શરૂઆતમાં તે તુરત આડોઅવળે ગબડી જાય કે ઘર ચૂકી પરઘરમાં ચાલ્યા જાય, તેટલા માટે, અન્યલિંગ, પરમત કે બહારના દર્શન તરફ જરા પણ ધિક્કાર કે તિરસ્કાર બતાવ્યા સિવાય એટલું કહી શકાય તેમ છે કે સાચા દર્શનની પ્રાપ્તિ મુશ્કેલ છે, અને તેમાં પણ છેવટને પાકો નિર્ણય લેવો તે તે તેથી પણ વધારે પડતી બાબત છે. આમાં અંધની કક્ષામાં મતધારી આવે અને દારૂડિયાની કક્ષામાં શિથિલાચારી અથવા આગ્રહી ગ૭ધારી આવે. આવા પ્રસંગે કે સોબતને પરિણામે દર્શનપ્રાપ્તિ દોહ્યલી છે એમ બતાવ્યું. અથવા “સામાન્ય” એટલે સાધારણ રીતે, બહુ પારિભાષિક ન થતાં સાધારણ બુદ્ધિએ, દર્શનપ્રાપ્તિ મુશ્કેલ છે. અહીં સામાન્યની સરખામણી હવે પછી આવનાર તર્કવાદ, નયવાદ સાથે સમજવી. એટલે કોઈ પણ પ્રકારના પારિભાષિક ન થતાં માત્ર સામાન્ય બુદ્ધિએ જોઈએ તે પણ દર્શનપ્રાપ્તિની દુર્લભતા દેખાય છે, પારિભાષિક દૃષ્ટિએ નિર્ણયની મુશ્કેલી એટલી જ મોટી છે, તે હવે પછીની આગલી (ત્રીજી) ગાથામાં જોઈશું. અહીં ગ૭ની દષ્ટિને મદિરા સાથે સરખાવી છે તે વાત આગળ ઉપર ચૌદમા સ્તવનમાં ખૂબ વિસ્તારવાની છે. ગીની દશા કેવી વિશિષ્ટ રહે છે, વસ્તુ અને ભાવ તરફ એનું કેવું વલણ રહે છે, તે બરાબર વિચારવા યોગ્ય છે અને પાંચ દૂષણને પણ વિચાર કરી પૂરતે ન્યાય આપવા ગ્ય છે. એ દૂષણ તરફ ઉપેક્ષા કરવાથી આખે વિષવાદ કેમ થઈ જાય છે તે હવે પછીની ત્રીજી ગાથામાં આ સ્તવનમાં જ શું. આખી ગાથાનો સાર એ છે કે જે પ્રાણી મિથ્યાદર્શનથી અંધ થયેલ છે અથવા સ્વઅભિપ્રાયના દુરાગ્રહરૂપ દારૂની અસર નીચે આવી ગયેલ છે, તે સૂર્ય-ચંદ્રના દર્શન જેવા વિશિષ્ટ દર્શનને કેમ કરીને જાણે? એની પ્રાપ્તિ એને કેમ થાય? (૨) હેત-વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હે ગુરુગમ કે નહીં, એ સબળ વિષવાદ. અભિનંદન ૩ પાઠાંતર–સબલે – શબલ (૩) શબ્દાર્થ –હેતુ = કારણ, સબબ, તક અનુમિતિસાધન વ્યાય. વિવાદ = ચર્ચા, પૂર્વ પક્ષ–ઉત્તરપક્ષના મોરચા (તેના વડે). ચિત્ત = મનમાં. ધરી = ધારી, વિચારીને. જોઈએ = સમજીએ. અતિ = ઘણો. દુરગમ = દગમ, મુશ્કેલીથી સમજી શકાય તે કઠણ, ગમ ન પડે તેવ. નયવાદ = ય (દષ્ટિબિન્દુ )નું પ્રતિપાદન. વાદ = તત્ત્વ જાણવાની ઈચ્છા વડે કરેલું કે થયેલું કથન આગમ = મૂળ સૂત્રો, સિદ્ધાંત, ધર્મશાસ્ત્ર. વાદ = કથન, વિચાર, exposition. ગુરુગમ = જાણકાર શિક્ષકની દેરવણી, સંપ્રદાયથી ચાલ્યું આવતું જ્ઞાન બતાવનાર અધ્યાપકે આપેલ જ્ઞાન. કો = કેણ, કઈ સબળે = આકર, ભારે. વિષવાદ = વિખવાદ, ઝેર પેદા થાય તેવી બોલચાલ, કજિયો, તકરાર. (૩) Page #143 -------------------------------------------------------------------------- ________________ ૪ : શ્રી અભિન’જ્જૈન જિન સ્તવન [ ૧૨૭ અતના પૂર્વપક્ષ-ઉત્તરપક્ષના ઝઘડાઓ દ્વારા મનમાં ધારણા કરીને જોઇએ તો સૃષ્ટિબિન્દુના આખા સવાલ ઘણા આકશે, કઠણ અને ગમ ન પડે તેવા મુશ્કેલ દેખાય છે. અને આગમના કથનને અંગે જો ગુરુગમ ન હોય તો એ તા ભારે આકરો-વિખવાદ ઝગડા થઈ જાય છે. ( અથવા અત્યારે એવા ગુરુગમ આપે તેવા કોઇ નથી એટલે એ રીતે પણ ભારે આકરું ભયસ્થાન દેખાઈ આવે છે.) (૩) ટો—હેતુ કારણાદિકના વિવાદ ચિત્તમાં ધરીને જોઇએ, વિચારીએ તેા નયવાદ અત્યંત ગુહીર ( ગુહ્યુ–ગૂઢ) છે અને આગમવાદે જોઇએ તે ગુરુગમ-ગુરુપર'પરાના માર્ગ ન પામીએ એ જ મોટો વિષવાદ મનમાં ઉપજે છે. (૩) અને વિવેચન—ત્યારે આપણને માલૂમ પડે છે કે સામાન્ય રીતે દનપ્રાપ્તિ દોહ્યલી સČથા નિણ ય થવા એ એથી પણ વધારે મુશ્કેલ છે. એમાં આવી પડતા દોષો અને અજ્ઞાનની અધતા અથવા દુરાગ્રહના કેફ સાચા દનની પ્રાપ્તિ આડે આવે છે. ત્યારે હવે શું કરવું ? દનપ્રાપ્તિ વગર મુક્તિ નથી અને મુક્તિ ન થાય ત્યાં સુધી આ નથી; તે પછી દર્શનની પિછાણુ કયે રસ્તે કરવી ? ત્યારે મોટા વિદ્વાનને ચર્ચા કરતા સાંભળીને મનમાં એમ આવે કે દર્શનપ્રાપ્તિને માટે તક કે ન્યાયના આશ્રય લીધે। હોય તે પથડો નિહાળવાના ઉપાય કદાચ હસ્તગત થાય; ત્યાં તે હમણાં જ વિચારી ગયેલ આનંદઘન મહારાજનું સૂત્ર મરણમાં આવે છે કે : તવિચારે રે વાદપરંપરા રે, પાર ન પહાંચે રે કાય.” (સ્તવન ૨, કડી ૪) ત્યાં આ મુદ્દા પર વિચાર કર્યા હતા. ત્યાં જણાવ્યું હતું કે તર્કની વિચારણામાં અથવા તર્ક દ્વારા પથના દર્શનમાં તે વાદવિવાદ જ ચાલે છે અને સાચું રહસ્ય વાદવિવાદની ઝડીમાં સપડાઈ જઈ પ્રાણીને ગાળ ચક્કરમાં નાખી દે છે. અહીં તર્ક કે ન્યાયશાસ્ત્રને નિરર્થક બતાવવાના આશય નથી, હોઇ શકે પણ નહિ; પણ કાચી બુદ્ધિના સંસારરસિયા પ્રાણી જ્યારે પેાતાનું બુદ્ધિબળ બતાવવા મંડી જાય છે ત્યારે સત્યશેાધનની નિષ્ઠાને બદલે પોતાનું હોય તે ખરું કરવાની લાલચમાં પડી જાય છે અને પછી તે ભ્રામક દલીલેા, મરડી-મચડીને કરાતા અર્થા અને હેતુને બદલે હેત્વાભાસાના રાફડો ફાટી નીકળે છે અને સત્યશેાધન કે માષ્ટિને બદલે પેાતાના અભિપ્રાયને સાચા કરવાને માટે છળના અનેક પ્રકારોને આશ્રય લેવામાં આવે છે અને અતિ ઉપયેગી ન્યાય કે તર્કશાસ્ત્રની દલીલખાજી ઊલટી દનપ્રાપ્તિને કોઈ કોઈ વાર વધારે દોહ્યલી મનાવે છે. 66 હરિભદ્રસૂરિ મહારાજ કહે છે તેમ વાદ અને પ્રતિવાદ સામસામી કરતાં તત્ત્વને પાર પમાતા નથી અને તેમાં તે તલ પીલનાર બળદની ગતિને અનુસાર જરા પણ આગળ વધી શકાતું નથી. . वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । તવામાં નૈવ ક્ઝિન્તિ સીવીયર્ હતૌ॥ યાગબિન્દુ, શ્લાક ૬૭. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] શ્રી આનંદઘન-ચોવીશી અહીં તર્કના વિષયને નરમ પાડી દેવાને ઈરાદો નથી, તકjથે કે ન્યાયગ્રંથે નકામા છે એમ કહેવાને આશય નથી, સત્યશોધનને અંગે ન્યાય કે તર્ક નિરર્થક છે એમ જણાવવાને હેતુ નથી, પણ પ્રાથમિક દશામાં પથડે નિહાળવાની કામના હોય અને દર્શન પ્રાપ્તિને માટે વલખાં મારવામાં આવતાં હોય, ત્યાં હેતુ અને વાદવિવાદની ચર્ચામાં પડી જવામાં આવે તે ઘણીવાર સત્યદર્શનનની સહણા પાકી થવાને બદલે “દુર્લભની કટિમાં જ રહે છે એમ ગીરાજનું કહેવું છે આ હેતુ વિવાદને વિચાર કરતાં દર્શનપ્રાપ્તિની દુર્લભતા સમજાય તેમ છે. એમાં સમાનાધિકરણ, પૃથકત્વ, સમત્વ અને દાખલા દલીલની ઝડી ચાલે ત્યાં મહાન ચર્ચા કરનારાં મગજે પણ થાપ ખાઈ જાય તેવી વાત છે. સામાન્ય વ્યક્તિને આ ન્યાયની ચર્ચા દ્વારા અથવા હેતુ વિવાદની ઝડીઓ દ્વારા સમ્યગદર્શનની સહુણા થાય એ ભારે દુર્લભ વાત છે. (અતિ વિદ્વાનેને માટે એ અશક્ય નથી, માટે જ એને દુર્લભ કહેવામાં આવેલ છે, એ વાત પર અત્ર ખાસ લક્ષ્ય દરવું પ્રાસંગિક ગણ્યું છે.) તર્ક-ન્યાયના અભ્યાસ દ્વારા દર્શનપ્રાપ્તિની મુશ્કેલી અત્ર રજૂ કરી, તેથી પણ વધારે મુશ્કેલી નયજ્ઞાન દ્વારા દર્શનપ્રાપ્તિની છે, એ વાત જણાવતાં પહેલાં નય શું છે તેને પરિચય કરે જરૂરી છે. નયવાદ–વસ્તુના અનંત ધર્મો છે. નયજ્ઞાન એટલે અપેક્ષાજ્ઞાન. એક જ વસ્તુ જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી લાગે, એ જુદી જુદી દષ્ટિનું જ્ઞાન તે નયવાદ. અનંત ધર્મોમાંથી અમુક ધર્મને મુખ્ય કરીને બોલાય તે દષ્ટિબિંદુ એટલે નય. વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન તે બધા નયને–દષ્ટિબિન્દુએને–એકત્ર કરવામાં આવે ત્યારે થાય. અને એ અનેક દૃષ્ટિબિન્દુઓને એકીવખતે જાણે-સમજે તે સર્વજ્ઞ કહેવાય. દરમ્યાન જગતની સર્વ પ્રવૃત્તિઓ–પછી તે વ્યવહારિક હોય કે સામાજિક હોય, ધાર્મિક હોય આધ્યાત્મિક હોય, સમૂહગત હોય કે વૈયક્તિક હોય–જે એ અમુક અપેક્ષાને લક્ષ્યમાં રાખીને થયેલ હોય તે તે અપેક્ષામાર્ગને અવલંબના માર્ગ છે. સર્વજ્ઞ સર્વ મુદ્દા લક્ષ્યમાં રાખે તે વિશેષજ્ઞ ઘણા મુદ્દા લક્ષ્યમાં રાખે. આ આખે અપેક્ષાવાદ ખૂબ સમજવા જેવો છે. હાથી અને અંધ પુરુષને દાખલે નયવાદને સમજવા માટે પ્રસ્તુત છે. એક ગામમાં હાથી આવ્યો, તેને જેવા સાત જણ ગયા. એમાં છ અંધ હતા અને એક દેખતો હતે. એમણે હાથીને જોવાનું શરૂ કર્યું. એક અંધના હાથમાં હાથીને કાન આવ્યા; તેણે હાથીને સૂપડા જે કહ્યો. બીજા અંધના હાથમાં હાથીની સૂંઢ આવી; તેણે હાથીને સાંબેલા જેવો કહ્યો. ત્રીજા અંધના હાથમાં હાથીને દાંત આં; તેને હાથીને ભૂંગળા જે ધારી લીધું. ચોથાના હાથમાં હાથીને પગ આવ્ય; તેણે હાથીને થાંભલાના આકારવાળે જણાવ્યું. પાંચમાના હાથમાં હાથીનું પિટ આવ્યું; તેણે પાણીની પખાલ જે વર્ણવ્યા. છટ્ટાના હાથમાં હાથીની પૂંછડી આવી, તેની નજરમાં હાથી સોટી અથવા વાંસડા જેવો જણાય. આ છયેના હાથમાં હાથીને એક એક Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૨૯ અંશ આવ્યું હતું. જે અંશ જેના હાથમાં આવ્યો તે અંશમાં એને પરિપૂર્ણ જ્ઞાન લાગ્યું. આ દરેક અંધ પિતાના મુદ્દામાં અંશભાવે સત્યને સ્વીકાર કરનાર છે, પણ મર્યાદિત દષ્ટિવાળા છે. સાતમે જોનાર દેખતે હતે. એ છયે અંધની મર્યાદા સમજતું હતું, છતાં છયે અધ પિતપોતાના દષ્ટિબિન્દુથી અંશસત્ય સ્વીકારનારા હતા તે પણ એ જોઈ શકતે હતે. આવી રીતે અંશસત્ય અને મર્યાદા સત્ય કે અપેક્ષા સત્યને સમજવું. અપેક્ષાવાદ એટલે દૃષ્ટિબિન્દુના જ્ઞાનનો અભ્યાસ. જે પ્રાણી પિતાની વાત જ સાચી માને, અને પિતાને જ સત્ય જ્ઞાન સાંપડયું છે એમ માની લે તે નયાભાસી છે, કદાગ્રહી છે, એકાંતિક છે. વસ્તુની વિચારણા કરવામાં અપેક્ષાઓના બે વિભાગ પડી શકે છે. દ્રવ્ય (substance) અને પર્યાય ( changes or modifications )-પદાર્થ અને પદાર્થમાં ફેરફારે. દાખલા તરીકે આત્મા કે જીવ એ પિતે દ્રવ્ય છે; પછી તે કઈવાર દેવતા થાય, કોઈવાર માણસ થાય અને કેઈવાર પશુપંખી થાય એ એના પર્યાય છે. પદાર્થ સંબંધી વિચારણા ઉત્પન્ન કરે તે “દ્રવ્યાર્થિક નય” કહેવાય અને પદાર્થમાં થતાં ફેરફાર સંબંધી વિચારણા ઉત્પન્ન કરે તે “પર્યાયાર્થિક નય’ કહેવાય. દ્રવ્યની અપેક્ષાએ થતી વસ્તુ વિચારણાના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે, અને ફેરફાર (પર્યાય)ની અપેક્ષાએ થતી વસ્તુવિચારણાના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. આ સાત વિચારણાના પ્રકારોને સાત નય કહેવામાં આવે છે. એમાં વસ્તુને અંગે ઉત્તરોત્તર વધારે વધારે સૂમ વિચારણે થતી જાય છે અને અપેક્ષાને લક્ષ્યમાં રાખી વસ્તુ-વિચારણા કરવામાં આવે કે તેના અંશને વિચારી, તે જ વખત બીજા અંશેની હયાતી હોય છે તે વાત સમજી અપેક્ષા પર વિચારણા કરવામાં આવે તો નયજ્ઞાન થાય છે. એ અંશસત્ય હોવા છતાં ઉપયોગી જ્ઞાન છે. એને જે પરિપૂર્ણ જ્ઞાન માની તેને આગ્રડ ધરવામાં આવે છે તે નયાભાસ કહેવાય છે. નયવાદ પર પુસ્તકે મોજૂદ છે, દ્વાદશાનિયચક છપાય છે.૧ હરિભદ્રસૂરિ વગેરેએ એના પર પુષ્કળ લખાણ કર્યા છે. અને આ નવા યુગમાં નયવાદ સમજાવનાર જ જનતા પાસે આ દર્શનને સ્વીકાર કરાવી શકશે. હાલ તેના પ્રયત્ન થઈ રહ્યા છે. આ વિવેચન લખનારે પણ અન્યત્ર નયવાદ પર ઉલ્લેખ કર્યો છે. અહીં તે એ વિષયને મહિમા બતાવી વક્તવ્ય એ પ્રામ થયું છે કે સાત વિભાગમાં વહેંચાયેલે નયવાદ એ જૈન દર્શનની ચાવી છે. અતિ મહુવને ઉપયોગી વિષય હોવા છતાં આકરો વિષય છે. એકવીશમાં નમિનાથના સ્તવનમાં આ નયવાદને લક્ષ્યમાં રાખી છ દર્શને જૈન દર્શનનાં અંગે બતાવવામાં આવ્યાં છે અને લેકાયતિકને પણ એમાં જે સ્થાન આપવામાં આવ્યું છે તે જ્યારે વિચારવામાં આવશે ત્યારે નયવાદને આખા ૧. પૂજ્ય વિવર્ય મુનિરાજ શ્રી અંબૂવિજયજી દ્વારા સંપાદિત થઈને આ ગ્રંથ હવે પાઈ ગયો છે. અને એનું પ્રકાશન ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી થયું છે. – સંપાદક ૧૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] શ્રી આનંદઘન-વીશી તત્વજ્ઞાનમાં કેવું ભવ્ય સ્થાન છે અને અપેક્ષાવાદની સિદ્ધિના અંતરમાં પરમસહિષ્ણુતાને કેટલા ઉચ્ચ સ્થાન સુધી લઈ જઈ શકાય છે તે જાણવામાં આવશે. આ નયવાદની ઉપર ત્યાં પ્રાસંગિક વિવેચન કરવાનું રાખી અત્ર તે દર્શનપ્રાપ્તિને અંગે નયજ્ઞાનની જરૂરિયાત અને સાથે સાથે તેની દુરાપતા વિચારવી એટલી હકીક્ત પ્રસ્તુત ગણીએ. નયવાદને સમજનારને પ્રભાવકમાં સ્થાન આપવામાં આવ્યું છે, એટલે એ દુર્ગમ વાદ ઝીલનાર, પચાવનાર અને પ્રસિદ્ધ કરનારને દર્શનને અંગે અગત્યનું સ્થાન છે. જૈન શાસ્ત્રકારે આઠ પ્રકારના પ્રભાવક બતાવ્યા છે, તે શાસન અને સમાજની તરક્કી કરે, પ્રચાર કરે અને દુનિયા પાસે એની ભવ્ય રજુઆત કરી ધર્મના ડંકા વગડાવે. એ આઠ પ્રકારના પ્રભાવક આ પ્રમાણે છે – (૧) “પ્રાવચની શ્રુતજ્ઞાનને પારગામી, શ્રુતને અર્થ કરનાર–સમજનાર, સમજાવનાર અને તેમાં ઊંડો પ્રવેશ કરનાર, (૨) “ધમ થી—વ્યાખ્યાન કરવામાં નિપુણ, હજારેની સભાને રંજન કરે, નંદિષણની જેમ અનેકને બોધ પમાડે, લેકના દિલમાં સંદેડ થાય તેને ભાંગે. (૩) “વાદી’—તકવાદ-નયવાદમાં નિપુણ. અનેક રીતે અભિપ્રાયની સ્થાપના–ઉત્થાપના કરે, પણ કઈ જગાએ સ્કૂલના ન પામે, મુદ્દો ન ચૂકે, પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત યુક્તિ-કુયુક્તિમાં નિપુણ અને તીક્ષણ બુદ્ધિથી ચર્ચા કરનાર, સ્યાદ્વાદમાં નિપુણ અને વાદના નિયમને જાણકાર. (૪) “નિમિત્તી’—કુદરતના નિયમે, અવલોકનશક્તિને પરિણામે કે ગણતરી દ્વારા, જાણે અને તેને આધારે ભવિષ્યકથન કરે. અત્યારે વાયુશાસ્ત્રી હવામાન કહે છે તે પદ્ધતિએ કામ કરનાર અને કામ લેનાર. સંભાવનાને પણ વિશિષ્ટ આગાહી દ્વારા સુસિદ્ધ બતાવે. ખાસ લાભનું કારણ હોય ત્યારે જ આ શક્તિને ઉપગ શાસનસેવાને અંગે કરે. (૫) “તપસ્વી—ધર્મ હિત માટે ભારે તપ કરનાર, આમરણાંત ઉપવાસ કરનાર, તપના પ્રભાવથી વધેલી આંતર શક્તિને ધર્મ માટે ઉપયોગ કરનાર અને દેખાડા માટે નહિ પણ સામાન્ય હિતની વૃદ્ધિ માટે આકરી તપસ્યા કરનાર ધર્મની પ્રભાવના કરે છે. () વિદ્યાસિદ્ધિ–પિતાની પાસે વૈદકીય કે વૈજ્ઞાનિક વિદ્યા હોય, ખાસ અભ્યાસ કે પ્રયોગ દ્વારા વિશિષ્ટતા મેળવેલ હોય, તેને લાભ જનતાને આપે, સુખસગવડ વધે તેવી મોટી શોધખોળ કરે. આ પ્રભાવકને સંબંધ સાયન્સ સાથે કરવો. એમાં હિંસક સાધનને પિષણ ન આપે. છે “સિદ્ધિસંપન્નકઈ બાબતનું ખાસ જ્ઞાન હોય, કોઈ રાસાયણિક શોધખોળ કરેલ હોય કે વૈજ્ઞાનિક વિશિષ્ટતા પ્રાપ્ત કરી હોય તેને ઉપયોગ જનતાના હિતની વૃદ્ધિમાં અથવા આધિવ્યાધિ-ઉપાધિ ઘટાડવા માટે કરે. વિદ્યાસિદ્ધ શેખેળ કરનારને અંગે લાભકારક થાય છે, ત્યારે આ સંપન્નપ્રભાવક પ્રાયોગિક નજરે લાભ કરે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪ : શ્રી અભિન’દૈન જિન સ્તવન [ ૧૩૧ (૮) ‘કવિ’—સાહિત્યસેવી. ચમત્કારી શબ્દપ્રયાગ કરનાર, ભાષાને દીપાવે તેવું સાહિત્ય બનાવનાર અને ધઉન્નતિ માટે તેના ઉપયોગ કરનાર. સાહિત્યકાર પણ રચના દ્વારા પ્રભાવક થઈ શકે એ નોંધવા જેવી બાબત છે. આવા પ્રકારના શાસનપ્રભાવકોની ગણનામાં વાદીને પણ મૂકેલ છે તે બતાવે છે કે જૈન વિકાસમાગ માં તર્ક કે ન્યાયના અભ્યાસને, નયવાદના જ્ઞાનને અને અશસત્ય, પ્રમાણુસત્યના વિજ્ઞાનને અગત્યનું સ્થાન છે. અને છતાં યોગીની નજરે ‘તક વિચારે રે વાદપરપરા રે, પાર ન પહોંચે ૨ કાય' એ વાત તે રહે જ છે. એટલે અભિનંઢનસ્વામીના દનની પ્રાપ્તિ ૬ ભ અને એ દર્શીનમાં બતાવેલ નયવાદ તે માથાં તેાડી નાખે તેવા આકારા વાદ છે, એટલુ' અત્ર જણાવે છે. તે વિષય પર સ્વત ંત્ર પુસ્તિકારૂપે ઉલ્લેખ કરવાની ભાવના છે. અત્ર તે એ વિષયની પ્રાપ્તિ કે અભ્યાસની મુશ્કેલી પર ધ્યાન ખેંચી આગળ વધીએ. આગમવાદ—આ રીતે દનપ્રાપ્તિને અંગે તર્કશાસ્ત્ર અને નયવાદની દુરાપતા વિચારી. હવે એ દર્શીનપ્રાપ્તિનું ત્રીજું સાધન આગમવાદ ગણાય તે પર વિચાર કરે છે. ‘આગમ’ એટલે જૈન દર્શીનનાં મૂળ સૂત્રો, જેમાં જૈન દનના ચારે અનુયાગની બાબત ઢાંસી ઠાંસીને ભરવામાં આવેલ હાય છે. આ આગમના જ્ઞાનને ઉપમિતિભવપ્રપ ચકથાકારે ‘સદાગમ' નામના પાત્રમાં મૂર્તિમાન કરેલ છે. સદ્યાગમની દોરવણી, એનું સૌમ્ય, એની દીર્ઘદર્શિતા અને સર્વાં સયેાગેામાં એને આત્મસયમ અને આજ્ઞાઆરાધકપણા માટેની ચીવટ અને ઉપદેશ ખાસ નોંધવા લાયક છે. આગમ અથવા સૂત્ર-સિદ્ધાંત એટલે ભગવાનના સમયમાં તેમના ગણધરે ત્રિપદી-પ્રાપ્તિને અ`ગે રચેલ તથા પૂના સમયમાં રચાયેલ મૂળ ગ્રંથા. એમાં દ્રવ્યાનુયાગ, ચરકરણાનુયોગ, કથાનુયોગ અને ગણિતાનુયાગ એમ સવ॰ અનુયેગના સમાવેશ થાય છે. આ સૂત્રનાં પાંચ અંગેા બતાવવામાં આવ્યાં છે અને તેના જેટલુ' મહત્ત્વ પર પરાના અનુભવને અથવા ગુરુસ'પ્રદાયથી ઊતરી આવતા જ્ઞાનને આપવામાં આવે છે. એ પાંચ અંગ અને છઠ્ઠો પર પરાવાદ એ છયેને સમયપુરુષનાં અંગ કહ્યાં છે. એના પર વિસ્તારથી વિવેચન શ્રી નમિનાથ ભગવાનના એકવીશમા સ્તવનની આઠમી ગાથાના વિવરણ પ્રસંગે થશે. અત્રે તે તેને નામનિર્દેશ કરવામાં આવ્યા છે. એમાં પરપરાજ્ઞાનને અથવા સપ્રદાયશિક્ષણને જે મહત્ત્વ અને સ્થાન આપવામાં આવ્યું છે તે ણીય હોઈ આ સ્તવનની વિચારણામાં ખાસ પ્રસ્તુત છે. ખૂબ વિચાર આ આગમોમાં તે ચાલુ ધારણેાની હકીકત પણ હોય; આપાદિક (exceptional) સાગામાં પ્રાપ્ત થતી છૂટછાટની વાતા હેાય; એના દાખલા અમુક સયાગેાને આધીન હોય અને એમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોવાની, સયાગો અને જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવાની ચાવીએ હાય; એમાં દ્રવ્યાનુયાગની સાથે ચારિત્રવ્યવઙારની સકલના કરેલ હોય; ધ કથાના એકદેશીય, અનેકદેશીય, સČદેશીય દાખલા હોય; એમાં વિધિસૂત્રો, વગ્નસૂત્રો ભયસૂત્રો, હાય; એટલે આવાં પરસ્પર સાંબંધિક તુલનાત્મક સૂત્રોના અમલ કરવામાં, ઉપદેશ કરવામાં, માદન Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ] શ્રી આનંદઘન-ચાવીશી કરવા-કરાવવામાં, વિશાળ વાચન, પરંપરાનું જ્ઞાન, મનુષ્યસ્વભાવનું અવલેકન અને દરેક બાબતને આપવા યોગ્ય ઓછી-વધતી અગત્યની તુલનાશક્તિ જોઈએ. આ તુલનાશક્તિ ઘણું વિશાળ વાચન પછી, ખૂબ અભ્યાસ પછી અને ગુરુકુળવાસ સેવ્યા પછી જ આવે. એમાં એકલું વાચન કામ ન આવે. એટલે આગમવાદને અંગે સ્થિર પ્રકૃતિના વિશાળ વાચન અને બહોળા અનુભવવાળા ગુરૂગમની બહુ જરૂર રહે છે. ગુરુગમ_એટલે જાણકાર ગુરુ-ઉપદેશકની દોરવણી. આનું મહત્ત્વ બહુ મોટું છે. સંપ્રદાયજ્ઞાન વગર કેવી સ્થિતિ થાય તેને દાખલે મેં એક વાર અનુભવ્યું હતું. અમેરિકાથી તાજા અહીં આવેલ એક જનધર્મના અભ્યાસી (સ્કલર) સાથે ચર્ચા દરમ્યાન જ્યારે “રજોહરણ” સંબંધી વાત ચાલતી હતી ત્યારે મેં એને ચરવળ બતાવ્યો, એટલે એ તે ખરેખર હર્ષના આવેશમાં કૂદી પડ્યો. એણે ઘ, ચરવળે કે પૂજણી નજરે જોયેલ નહિ. એનો અર્થ કરતાં એણે “ઝાડુ” શબ્દ વાંચેલે, એટલે એના ખ્યાલમાં broom એટલે લાંબા હાથાવાળું ઝાડું કે સાવરણી કે સાવરણો જ કલ્પેલ હતાં. પણ રોડરણને નજરે જોતાં એને સંપ્રદાયજ્ઞાન, સંવિલગ્ન વ્યવહાર અને ગુરૂગમના જ્ઞાનની આવશ્યકતા ખ્યાલમાં આવી અને તે એણે સરળ ભાવે સ્વીકારી. મતભેદો, ગ૭ભેદો, સંપ્રદાયભેદ કે કિયા થાય છે તે પણ આ સંપ્રદાયજ્ઞાન અને વિશાળ દૃષ્ટિના અ૫ભાવ કે અભાવને લઈને જ થાય છે. અનેકાંતવાદની પ્રરૂપણા કરનાર જ્યારે પિતાને તે વાદ લગાડવાની કક્ષામાં આવી જાય છે ત્યારે એ પાકા એકાંતિક બની જાય છે. એને બને સ્થાને સત્ય હોઈ શકે એમ બેસતું જ નથી. ચોથને દહાડે સંવત્સરી કરનારા પાંચમમાં માનનારા અસત્ય બોલનાર, માર્ગ લેપનાર મિથ્યાત્વી માને. અને આ રીતે, સામાનું દૃષ્ટિબિન્દુ નહી સમજવાને કારણે, વૈરવિરોધ વધતાં જાય, પછી મોરચા મંડાય અને એ તેફાનમાં સત્ય માર્ય" જાય! સાચી દોરવણી મળે, સંપ્રદાયજ્ઞાન થાય, સત્યને ઈજારો એક સ્થાને હોઈ શક્ત નથી એટલું જણાય, તે એકાંત સત્યપ્રાપ્તિની ચાવી અમુકને જ મળી ગઈ છે એવો દાવો ન કરે આ ગુરુગની મહત્તા છે. વિષવાદ—કેટલાક સૂક્ષમ ભાવે, પદાર્થનાં સ્વરૂપ ગુરુગમ વગર પ્રાપ્ત થાય જ નહિ. મહપત્તિ છે, એના હેતુ શા, એ સર્વ ગુરુમડારાજ શિષ્યને સામે બેસાડી શીખવાડે; એમ ન થાય તો આગમવાદ આ વિષવાદ થઈ પડે. વિષવાદ એટલે ઝેર થાય, તકરાર થાય તેવી બોલચાલ, ગચ્છના ભેદના ભવાડા–આ વિષવાદના નમૂના છે. એમાં સત્યશોધનની વૃત્તિ પર હડતાલ પડેલી હોય છે, એમાં અંગત અભિમાનની તમના જ મુખ્ય ભાગે હોય છે. એ મતભેદ, ગારભેદ, સંપ્રદાયભેદને સમજવા માટે ગુરુગમની જરૂર છે, તે જ પ્રમાણે વસ્તુના સૂક્ષમ ભાવે સમજવા માટે ગુરૂગમની જરૂર છે. ઘણું જ્ઞાન લખાયેલ નથી, ગુરુએ શિષ્યને સામે બેસાડીને સમજાવેલ હોય છે અને તે પરંપરાથી ચાલ્યું આવતું હોય છે. એના દાખલામાં છ આગાર વિચારવા ગ્ય છે. એમાં બહુ મહુવના અપવાદના માર્ગો હોય છે, તે ગુરુગમ વગર સમજાય જ નહિ. તેના છ પ્રકાર નીચે પ્રમાણે છે : ૧. રાયાભિયોગે) ૨. ગગુભિયાગે. ૩. બલા ભિ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [ ૧૩૩ યેગે. ૪. દેવાભિયોગેણ. ૫. ગુરૂનિગ્રહ. ૬. વૃત્તિકાંતાર. સમક્તિનાં ૬૭ અધિષ્ઠાનમાં આ છે પ્રકાર છે. સ્વીકારેલ નિયમમાં આ છ પ્રસંગેએ અપવાદ કરવાથી અભિગ્રહને ભંગ થતો નથી. (૧) એમાં રાજા અથવા રાજ્યને હુકમ પ્રથમ સ્થાન લે છે. રાજાના હુકમથી ન જવું હોય ત્યાં જવું પડે, ન ખાવું હોય તે વખતે ખાવું પડે, રાજ્યના હુકમ નીચે ચેકસ સંયોગોમાં આ અપવાદસેવનની પરવાનગી લઈ શકાય તેની વ્યવસ્થા ગુરુગમથી અનુભવે સાંપડે. (૨) નાતજાત-સંઘ-દેશના હિત ખાતર અપવાદ સેવે પડે તે ગણુભિયેગેણ કહેવાય છે. (૩) ત્રીજો બેલાભિયોગેણને પ્રકાર સામે બળવાન માણસ જેર કરીને મારીને મુસલમાન બનાવે, અભક્ષ્ય વસ્તુ માં નાખી દે એવા પ્રસંગે નિયમભંગ ન થાય એવા પ્રકારની અપવાદને તળવાની શક્તિ પ્રાપ્ત થાય તેને “બલાભિગ” નામને આગાર કહેવામાં આવે છે. (૪) “દેવાભિયોગમાં દેવતા ચલાયમાન કરે, દિવ્ય શક્તિથી માનવી શક્તિને વિકળ કરે, મરણાંત કષ્ટ કરે, તેને પ્રસંગે અપવાદ સેવવો પડે તેથી નિયમને ભંગ થતું નથી (૫) “ગુરુનિરાડુ માં માતાપિતા, શેઠ, વિવાદાતા વગેરે વડીલ વર્ગને સમાવેશ થાય છે. ગુરુ કે માબાપ કાંઈ કહે તે અનિચ્છાએ કરવું પડે, એવા પ્રસંગને ઓળખવા અને ઓળખીને તે વખતને યોગ્ય અપવાદ સેવવાના જ્ઞાનને અંગે ગુરૂગમ અને પરંપરાજ્ઞાનની જરૂરિયાત રહે છે. (૬) અને છઠ્ઠો આગાર વૃત્તિકાંતાર ને બતાવ્યું છે. એમાં ભારે સમજણ અને દીર્ધદષ્ટિ છે. વૃત્તિ એટલે આજીવિકા, એ જ કાંતાર એટલે વન. બને ત્યાં સુધી ખેંચે, પણ ખેંચવાની શક્તિ પણ ન રહે તે પ્રસંગે અપવાદ સેવ પડે, તે છઠ્ઠો વૃત્તિકાંતાર આગાર. આ છયે આગારનું સ્વરૂપ ગુરુગમથી જણાય. આવા પ્રસંગે સમજવામાં અને તે પ્રસંગે વર્તન કરવામાં પણ ગુરૂગમની જરૂર કહે છે. એટલે જ્યાં આગમની નિશ્રાએ જાણવું-સમજવું કે વર્તવું હોય ત્યાં ગુરુગમ ન હોય તે સર્વ ઝેર બની જાય છે, માટે આગમવાદને જે કેર જેવો બનવા ન દે હોય તે ગુરુગમની જરૂરિયાત ઘણી છે. અને દરેક ગુરુ થવાની ગ્યતાવાળા દેતા નથી. માત્ર વાંચન ઘણું હોય તેથી ગુરુ થઈ જવાતું નથી. દીર્ઘ અભ્યાસ, શાંત આસેવન, શ્રદ્ધાપૂર્વક ધર્મનું પચાવન થયેલ હોય, તે ગુરુ થઈ શકે, તે માર્ગદર્શન કરાવી શકે અને તેની આસેવના દ્વારા દર્શનપ્રાપ્તિ થાય ત્યારે માગ મળે. અહી સાચા માર્ગનાં દર્શન કરવાને અંગે આ ગાથામાં ત્રણ પ્રકારની મુશ્કેલી બતાવી : ૧. તર્ક અને ન્યાય અથવા હેતુ અને વાદવિવાદ અટપટા છે. ૨. નયવાદની સમજણ મેળવવી મુશ્કેલ છે. અને ૩. પરંપરાના જ્ઞાન વગર અથવા સંપ્રદાયના સાધક ગુરુ વગર આખો વિષવાદ થઈ જાય છે, અને જિનદેવના દર્શનની તરસના અણુસંતોષાયેલી રહે છે. આવી રીતે દર્શનપ્રાપ્તિની દરાપતા વધારે સાલે છે. ત્યારે હવે શું કરવું ? એટલે પાછી વિચારપરંપરા આગળ ચાલે છે, અને દર્શનપ્રાપ્તિ કઈ રીતે થાય તેના માગશોધનનું કાર્ય વધારે તીવ્ર બને છે. સબળે”—એટલે આકરો. આ કાળમાં નિષ્પક્ષ, નિરભિમાની, સ્વયંપ્રેરિત અને પૂર્ણ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] શ્રી આનંદઘન-ચાવીશી દીઘદૃષ્ટિવાળા, નવયુગ અને પ્રાચીન યુગને સમજનાર અને ધર્માંનાં પરસ્પરાવલ'બી સૂત્રો અને વિધિઓને યથાચિત મૂલ્ય આપી અપનાવનાર ગુરુના યાગ થવાની મુસીબત ભારે છે, એ વાત ખૂબ સમજી લેવા જોગ છે. (૩) ઘાતી ડૂંગર આડા અતિઘણા, તુજ દરસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચ, સેગ્ કાઈ ન સાથ. અભિનંદન ૪ અ—-હે જગતના નાથ ! મારા દેવ ! તારા સાચા દશનની આડે આવનાર અનેક ઘાતી ડુંગરી-પહાડો વચ્ચે પડેલા છે અને પક્કાર્થ કરી કદાચ રસ્તે પડી જ, ચાલવા માંડું, તે માર્ગ દેખાડે તેવા કોઇ સથવારા પણ નથી. (૪) ટમે—ઘાતી કર્મરૂપી ઘણા ડુંગરા વચમાં પડ્યા છે, તમારું દર્શન પામવાને હે જગનાથ ! પોતાની પીઠાઈને અવલ બીને હુઠાનુજોગે કરી તે માગે સંચરુ તે કોઈ સાથે સાથીઓ –માર્ગ દેખાડનાર જ્ઞાતા પુરુષ-સાથે નથી. (૪) વિવેચન—અને મારા નાથ ! તમારું દર્શન પ્રાપ્ત કરવાની આડે અનેક ડુંગર પડેલા છે. દનની આડે તેા નાની સરખી ભીંત હોય તેપણ દન અટકી જાય, તે તમારા સાચા દર્શીનની આડે તે માટા મોટા ડુંગરો દેખાયા કરે છે. અત્યાર અગાઉ ઉપર રજૂ કરેલ ડુગરાના સ'ગ્રહ આ પ્રમાણે થાય : ૧. મતવાળાના પોતાના મત સ્થાપવાના આગ્રહ. ૨. સામાન્ય રીતે દશનપ્રાપ્તિની દુલભતા. ૩. નિણ્ય પર આવવાની તેથી પણ વધારે મુશ્કેલી. ૪. મદના નશા તળે અને અંધકારની અસર તળે સ્વરૂપદનની અશકયતા. ૫. ન્યાય—તની દલીલબાજીની જટિલતા. ૬. નયવાદની દુગમતા. ૭. ગુરુગમની મુસીબત. ૮. સાચા માર્ગોંદ કની ગેરહાજરીને પરિણામે આગમવાદમાં જામી પડેલા વિષવાદ. આટલા ઘાતી ડુંગરોની વાત કરી. તે ઉપરાંત દશનની આડે આવનારા અનેક ઘાતી ડુઇંગરો માગ માં પડેલા છે. જ્ઞાનાવરણીય કર્મો, દશ નાવરણીય કર્મા, દÖનમાડુનીયની વિપુલતા અને અંતરાયકમાં—એ પ્રત્યેક અને એ પ્રત્યેકના પેટાવિભાગેા માટા ડુંગર જેવા છે. પાઠાંતર—ધાતી – ધાતિયાં. ડૂંગર – ડૂ ંગર હા. દરસણ – દરસણુ, મારગ – માગિ. સાંચ ુ – સાંચરું. (૪) શબ્દા—ધાતી = અડચણ કરનારા, વિઘ્ન કરનાર; ક`નું વિશેષણ; જૈન પારિભાષિક શબ્દ છે ( વિવેચન જુએ ). ડૂંગર = પર્યંત, આડે આવતી ચીજ, આડા = વચમાં, અતિધણા = ધણા વધારે, ખૂબ સંખ્યામાં, તુજ = તારા, તમારા. દિરસણ = દર્શીન, સ્વીકાર, ભાવશ્રદ્દા, ભેટ, અવલોકન. જગનાથ = દુનિયાના પ્રભુ, ભગવાન. ધીઠાઈ = ધૃષ્ટતા, બેશરમીપણું, ખંધાઈ, બેદરકારી. કરી = સ્વીકારી, અમમાં મૂકી. મારગ = રસ્તે. સંચરું = ચાલી નીકળું, કૂચ કરું. સેંગુ = માગ બતાવનાર, રસ્તા દેખાડનાર, ભામિયા, સાથી. (આ શબ્દ ગુજરાતી, હિંદી કે સંસ્કૃત કોષમાં નથી; પ્રચલિત લાગે છે. ) કોઈ = ગમે તે એક. સાથ = સેાબત, સથવારામાં. (૪) Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪ : અભિનદન જિન સ્તવન [ ૧૩૫ ઘાતી ડુંગર ’—‘ઘાતી’ એટલે વિઘ્ન કરનાર અને ‘ડુંગર’ એટલે પહાડ. એટલે એના જેવાં મોટાં, આકરાં આવરણા એવા અર્થ સમજાય છે. અનેક આવરણામામાં આડાં પડ્યાં છે, ત્યાં મારી દન કરવાની કે આપને સાચે સ્વરૂપે એળખવાની તૃષા કેમ તૃપ્ત થાય ? જ્ઞાનાવરણ ક`ના ડુંગરા આપને સાચે સ્વરૂપે સમજવા ન દે; કાંઇક ઝાંખી થવાની તક મળે ત્યાં વાદવિવાદ કે હેત્વાભાસની ઝપટમાં નાંખી દે, પૂરતી સમજણને અભાવે શ’કા-ક’ખામાં કે એકાંત ગ્રાહમાં સપડાવી દે. આવા ઘાતી ડુંગરોના ચેડા દાખલાએ યેગીરાજે પોતે આપ્યા છે તે પૂરતા છે. અને તે ઉપરાંત ઘાતી ડુઇંગોની સંખ્યા ઘણી મોટી છે. રાગદ્વેષનાં દ્વંદ્દ, મતના આગ્રહ, બુદ્ધિના દુરુપયોગેા અને સ`થી વધારે સાંસારિક દશા તરફનું આકષ ણુ દર્શનની આડે આવે છે અને સાચા દનનું ભાન થવા દેતાં નથી. 6 જૈનના કર્માંના સિદ્ધાંત આ ‘ ઘાતી' શબ્દને પારિભાષિક બનાવે છે. કર્માંના એ વિભાગ પાડવામાં આવે છે : ઘાતી અને અઘાતી. ચેતનના મૂળ ગુણુ જ્ઞાન-દન-ચારિત્ર-વીય-ઉપયાગ વગેરેના પરિપૂર્ણ કે ઓછા-વધતા ઘાત કરે તે ઘાતી કર્યાં કહેવાય છે. તેના ચાર પ્રકાર બતાવ્યા છે : જ્ઞાન-જાણપણાને વધતા-ઓછે કે સંપુણ ઘાત કરે તે જ્ઞાનાવરણીય કર્યું. સામાન્ય આધ થતા અટકાવે તે દનાવરણીય કમ, બુદ્ધિને ચક્કરમાં નાખી રાગદ્વેષના આશ્રય કરાવી મનેવિકાર દ્વારા, કષાય દ્વારા, વેદોદય દ્વારા વન (ચારિત્ર) પર અસર કરે તે ચારિત્રમેહનીય અને ખુદ દનની આડે આવે તે દશનમેહનીય એ ત્રીજુ અતિ આકરું માહનીય ક`. અને ચેતનની શક્તિને ખીલવા ન દે તે અતરાય ક. આ ચારે ઘાતી કર્મો દર્શનની આડે મેટા ડુંગરાની જેમ પડેલાં છે. બાકીનાં અઘાતી કર્મો વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ સંસારમાં રખડાવનાર તેા જરૂર છે, પણ એ ચેતનના મૂળ સ્વભાવને ઘાત કરનારાં નથી. આ કમ ગ્રંથના સ્વતંત્ર વિષય પર જુદા ઉલ્લેખ કર્યો છે.૧ અહીં કહેવાની ખાખત એ છે કે એ ઘાતી કર્મ દર્શીન પ્રાપ્ત થવા દેતાં નથી. અને તેવા ઘાતી ડુંગરો બે-ચાર-પાંચ નથી, પણ અતિ ઘણા છે. પણ મારે તે એ રસ્તે જવું જ છે. મેં અજિતનાથ મહારાજના પથડો નિયુાળવાના સંકલ્પ કર્યો છે અને સંભવનાથ ભગવાનની સેવના કરવા માટે ભૂમિકાશુદ્ધિ કરવાના પ્રસ`ગે જાણી લીધા છે. એટલે હવે મને દનને માગે ચઢવા આકાંક્ષા થઈ છે; મને એ દનની અનેકાંત પદ્ધતિ અને ચેતનની મૂળ દશાએ એ તરફ આકર્ષ્યા છે, ત્યારે હવે આ ઘાતી ડુંગરશે આડા આવે છે, અને મને દન થવા દેતા નથી. ત્યારે માદનને અંગે હવે તે એક મા રહે છે અને તે એ કે થવાનું હોય તે થાય, હું તે ગમે તેમ કરીને રસ્તે મેળવી લઉં. જ્યારે પ્રાણીને ચારે તરફ મુસીબતા લાગે છે, ત્યારે પછી એ ગમે તેમ કરીને કાર્ય સાધવાની લતમાં પડી જાય છે અને ત્રાગું કરવાની લાઈન ઉપર ઊતરી જાય છે. મુમુક્ષુ કહે છે કે આવી કાઈ જબરદસ્તી કરી આ રસ્તે સંચાર કરું તે તેમાં પણ અગવડ છે; તે હવે બતાવે છે. : ૧. જુએ મારા · જૈન દૃષ્ટિએ મ` ' નામક લેખ. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] શ્રી આનંદઘન-વીશી સંગ્ર”—અસલ એક ગામથી બીજે ગામ જવું હોય તે રસ્તે ન ભુલાય તેટલા માટે મિયાને સાથે લેવા પડતા હતા. આવા ભેમિયા અથવા રખેવાળને સેંગૂ અથવા સેગૂ કહેવામાં આવતા હતા. એ મારવાડી ભાષાને શબ્દ છે. હિંદી કે ગુજરાતી કઈ પણ કષમાં એ શબ્દ મળતું નથી, પણ ચાલુ ઉપગમાં વપરાતે શબ્દ જણાય છે. ભગવાનને આ મુમુક્ષુ કહે છે કે કદાચ ધીઠાઈ કરી–ધષ્ટતા કરી–રસ્તે સંચાર કરું તે માર્ગદર્શક–સથવારે મળતું નથી. એટલે મારે તે બાર ગાઉની અટવીમાં ચક્કરે ચઢી જવાનો ઘણે સંભવ રહે છે. અહીં સેવક ભગવાનને જણાવે છે કે તમારા દર્શનને પ્રાપ્ત કરવાને રસ્તે ચઢે તે મને માર્ગ બતાવનાર સાથે મળતું નથી. એટલે રસ્તામાં આવતાં ડુંગરા, નદીનાળાં અને ઝાંખરામાં હું તે કયાંનો ક્યાં ચાલ્યો જાઉં, અને અટવીમાં ભૂલે પડી જાઉં. “સેંગૂ ” તરીકે કામ કરનારા કાં તે મળતા જ નથી અથવા કઈ ઢોંગ કે ધષ્ટતા કરી ભેમિયા હોવાનો દાવો કરનારા હોય છે, તે પિતે પણ રસ્તે જાણનારા હતા નથી, એટલે એવા ભેમિયા મળ્યા તે ન મળ્યા બરાબર જ ગણાય. શાસ્ત્રકાર આવા ખોટા માર્ગદર્શકની સામે ચેતવણી આપતાં છ પ્રકારની જયણું રાખવાનું બતાવે છે. તે જણાવે છે કેઃ (૧) અધકચરા, વિમાર્ગગામી, કૃતીથ કે સંસારરસિયા માર્ગદર્શકને “વંદન” ન કરવું. (૨) બીજું, એવા અધૂરા અપાત્રને “નમન” ન કરવું, એટલે પદ્ધતિસર-વિધિપૂર્વક એને નમવું નહિ. વંદન બાહ્ય વંદન હોઈ વધતે ઓછે અંશે ઔપચારિક હોય છે, ત્યારે વિધિપૂર્વક થાય તેને નમન કહેવામાં આવે છે. હાથ જોડવા તે વંદન, માથું નમાવવું તે નમન. (૩) એવા સંસારષિઓને “દાન” ન આપવું. એવાને દાન આપવાથી અગ્યનું પોષણ થાય અને સાચા ધર્મને બદલે અનેક માણસને આડે રસ્તે ચઢવાનું નિમિત્ત પાકું થાય. (૪) અને વારંવાર આપવાના પ્રસંગો ઊભા કરવા તેને “પ્રદાન” કહેવામાં આવે છે. એથી પોતાની જાતને અને અન્યને માટે નુકસાન થવાના પ્રસંગો ઊભા થાય છે. (પ-૬) એવા સંસારપોષક કહેવાતા ઉપદેશકે કે પ્રચાર સાથે “આલાપ” અને “સંલાપ” ન કરો. એક વખત બોલવું તે આલાપ કહેવાય, અથવા વગર બેલાબે સામાની સાથે વાતચીત ઉપાડવી તેને આલાપ કહેવાય અને વારંવાર વાતચીત–ચર્ચા કરવી તે સંલાપ કહેવાય. આવી રીતે અન્ય તીથીની સાથે જ પ્રકારનો વહીવટ કરતાં ખૂબ સંભાળ રાખવી તે છ પ્રકારની યતના કહેવાય. કોઈ કઈ આ જયણના છ પ્રકારનો અર્થ એવો કરે છે કે તમે અન્ય ધમની સાથે વાતચીત, પરિચય કે સેબત કરે, તેને કાંઈ આપ-લો અથવા તેની સાથે વ્યવહાર કરે, તે તમારુ સમકિત ચાલ્યું જાય. આ અર્થ બરાબર નથી. વાત એ છે કે જ્યાં સુધી તમે પાકા માર્ગદર્શની ન થઈ ગયા હો ત્યાં સુધી આ નિમિત્તવાસી આત્માને બેટી સેબતે પણ ચઢાવવા જેવો નથી. એટલે અન્ય મત તરફ જરા પણ ધૃણા બતાવ્યા સિવાય અને પરમસહિષ્ણુતાના આદરણીય ગુણ તરફ જરા પણ અવફાદારી બતાવ્યા સિવાય માર્ગદર્શનના અભિલાષીને ચેતવણી આપી શકાય કે ભાઈ! તમે જેની તેની સાથે પરિચય કરતાં, વાતચીત કરતાં સાવધાન રહેશો. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪ : શ્રી અભિનંદુન જિન સ્તવન [ ૧૩૭ માદનની સામે તેર કાઢિયા બતાવવામાં આવ્યા છે. તે પણ દશનની આડા આવી રસ્તા સાંપડવા દે નહિ, અને માગે ચઢવા દે નહિં. આ ઘાતી ડુંગર જેવું કાય કરનારા તેર કાઠિયાનું સામાન્ય સ્વરૂપ જોઈ લઈએ : (૧) આળસ કાઢિયા : ધર્મ કરતાં આળસ થાય, પછી વાત એમ થાય. (૨) મહુ કાઢિયા : સ્ત્રી, પુત્ર, છેકરાં-છૈયાંમાં લપટાઇ જવું તે. (૩) અવળુ વાદ કાઢિયા : ધમ'ની નિંદા કરે, વાંકુ એલે તે. (૪) ઈંભ કાઢિયા : ધમી` હોવાનો દેખાવ કરે, મુખમે રામ બગલમે છૂરી. (૫) ક્રોધ કાઢિયા : ધર્માંની વાત કરે ત્યાં પોતે ધમધમી ઊઠે, રિસાઈ જાય. (૬) પ્રમાદ કાઢિયા : વ્યસનમાં પડી જાય, ચકચૂર બની જાય. (૭) કૃપત્તુ કાઢિયા ઃ ફૂડ-ફાળા ભરવા પડશે એવી ચિતાનું ઘર અને. (૮) ભય કાઢિયા : નરકાદિકની વાતો સાંભળવી પડશે, એ ચિંતાથી સાંભળવું જ બંધ કરે. (૯) શાક કાઢિયા : સગાના ઘરના કે કોઈના મરણનો પ્રસંગ થાય એટલે ખરખરાનું કારણ. (૧૦) અજ્ઞાન કાઢિયા : ધર્મ-અધર્મીના મન જાણે, અજાણપણે રખડે. (૧૧) વિકથા કાર્ડિયા : લાકકથા, રાજકથા, ગામગપાટા આડે ફુરસદ ન મળે. (૧૨) કુતૂહળ કાઢિયા : નાટક, સિનેમા, સરકસ જોવામાં રસ લે. (૧૩) વિષય કાઢિયા : ઇંદ્રિયના ભેગ, ખાવા-પીવામાં, સ્ત્રીસેવનમાં પડી જાય. આ તેર કાઠિયાનુ સ્વરૂપ વિચારતાં એ પૌદ્ગલિક આનંદ અને પરભાવમાં રમણુતા બતાવે છે. એ પ્રત્યેક કાઠિયા એવા કે એ ધર્માંને નજીક આવવા ન દે. આવા કાઢિયા પણ ઘાતી ડુંગરનું કામ કરે છે અને વિશુદ્ધ દનની ઝાંખી થવાના માર્ગની આડે આવે છે. અહી સેંગૂ’ની વાત બરાબર લક્ષ્યમાં લેવા યેાગ્ય છે. ઘણુ ખરું તે પ્રાણીને સાચા દર્શીનની ખેવના જ હાતી નથી, કારણ કે એ દશનની આડા ઘાતી ડુંગરા ઘણા પડયા છે. અને બહારનાં અને અંદરનાં આવરણેાની દરકાર કર્યા વગર ધૃષ્ટતા કરીને રસ્તે ચઢવા પ્રયત્ન કરું છું તે કોઈ રસ્તો દેખાડનાર મળતા નથી. (૪) દિરસણ દિરસણ રટતા જો કિ', તા રણરોઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. પાઠાંતર—દરસણ – દરસણુ, દરશ. ફ્રિ – તે – તે. રણરાઝ – રાનિ વિષપાન – વિસપાન. (૫) – શબ્દા -—દિરસણ = દર્શન, આત્મદર્શન, શુદ્ધ માગ. રસ્તે : આરતા, (ગળામાંથી ખેંચીને અવાજ કાઢવા તે, વારંવાર ખેાલ મેલ કરવુ તે). ફિરુ = ક્રૂ', આમતેમ ચાલું, ગતિ કર્યું. રણ = જંગલ, જંગલી. રોઝ – જંગલમાં રહેનાર ઘેાડાના આકારનું પ્રાણી, અક્કલ વગરનું, ઉપયાગ વગરનું રખડું જનાવર, સમાન = જેવા, જેની સાથે સરખાવી શકાય તેવા (હુ). જેહને = જેને. પિપાસા = તરસ, પાણી પીવાની તીવ્ર વાંછના. અમૃતપાનની = ઢંઢા સુંદર પાણાની. ક્રિમ = કેમ, કઈ રીતે. ભાંજે = ભાંગે, છીપે, તૃપ્ત થાય. વિષપાન = કડવાટનું પીણું, ઝેરનું પીણું. (૫) ૧૮ અભિનંદન ૫ રાજ, ભાંજે – ભાજે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] શ્રી આનંદઘનવીશી અથ—અને “દર્શન’ ‘દર્શન” એવા શબ્દો આરડતે આરડતે જંગલી રેકડાની માફક જ્યાં ત્યાં ફર્યા કરું તે મારી અમૃતનું પાન કરવાની તરસ, મારી ઉચ્ચ પીણું પીવાની તમન્ના, તે ઝેર જેવી કડવાટ પીવાથી કેમ છીપે? કેમ તૃપ્ત થાય? ટબો–દર્શન દર્શન કરી, સ્વમતનું પિષણ હઠે પ્રાપ્ત કરીને, જે ફરતે રહું છું તે જેમ રણમાં રેઝ પશુ ફર્યા કરે છે તેમ તે પ્રાપ્તિ વેગળી થાય છે. જેમ ઉપદેશરત્નાકરમાં ષટ્ પુરુષ સાધ્યા તેમ જેને અમૃતપાનની ઈચ્છા હોય-પિપાસા હોય, તે કાંઇ વિષ પીધે ન ભાંજે; અથવા અમૃતપાનની–દુધપાનની ઈચ્છા તે વિષ કહેતાં પાણીએ તે ન ભાંજે. પીવઉ પીવઉં સર્વ કહે તેમ દરશણ દરશણ સર્વ કહે, પણ મિથ્યાદર્શન સમ્યગ્દરશનને ન ઓળખે. (૫) વિવેચન—દર્શનની દુર્લભતાને વિચાર કરતાં તે ગૂંચવણ વધતી દેખાય છે. નથી તકવાદમાં એની શાંતિ મળતી કે નથી આગમવાદમાં, અને જ્યાં જઈએ ત્યાં અનેક પ્રકારનાં આવરણો, ખાડા-ટેકરાઓ રસ્તામાં જણાય છે. અને એવા માગે સંચાર કરવા ધૃષ્ટતા કરું તે પિલા ઘાતી ડુંગરમાંથી રસ્તે બતાવે એ સાચો મિયે મળતું નથી. ત્યારે હવે કરવું શું? આ તે મારા મનમાં દર્શનની તાલાવેલી થઈ છે એટલે “દર્શન “દર્શન'ની બૂમ માર્યા કરું છું અને અહીંથી દર્શન પ્રાપ્ત કર્યું કે ત્યાંથી સાચું દર્શન મેળવું એવી ઘોષણા કરી દ્વારે દ્વારે રખડું છું, પણ એમાં વળે શું? જંગલમાં એક રેઝ નામનું વનચર પશુ થાય છે. એને આકાર ઘડા જે હોય છે. એને કોઈ નીલગાય પણ કહે છે. એને ઉનાળામાં પાણીની તરસ લાગે ત્યારે એ પાણી પાણી એવા પિકાર કરે અને એને મીઠાં ઠંડાં વહેતાં નિર્મળ જળની તરસ હોય એ કાંઈ ખારા કડવાઝેર જેવા પાણીથી તૃપ્ત થાય? એમાં “પાણી પાણી ના પિકાર કરવાથી કાંઈ વળતું નથી અને એની તરસ છીપતી નથી. ત્યારે મારી તે અત્યારે વગડાઉ રોઝ જેવી દશા થઈ છે. હું ‘દર્શન” “દર્શન” બોલ્યા કરું અથવા ગમે ત્યાં જેવું મળે તેવું અંશસત્ય હોય તેને સર્વસત્ય માની મેં સુંદર જળપાન કર્યું છે એમ માની લઉં, એમાં મારા દહાડા શા વળે? પંથડો નિહાળતાં માર્ગદર્શનની ભૂખ લાગી કે તરસ જાગી, પણ તેટલા માટે કાંઈ દર્શન શબ્દના નામની બૂમ પાડું તેમાં મારું વળે નહિ. અને દર્શન’ ‘દર્શન’ બોલવાથી ભૂખ ભાંગતી નથી, તે જ પ્રમાણે ગમે તેવું દર્શન સ્વીકારવાથી તૃપ્તિ થતી નથી. ખાવાની ઈચ્છા હોય દૂધપાક કે ઘેબરની, અને એને કુશકા કે કળથી મળે એમાં કાંઈ ભૂખ ભાંગે નહિ. એટલે દર્શન’ ‘દર્શન’ના પિકાર કરવાથી તે જંગલના રેઝ જેવી મારી દશા થાય. રેકના દાખલામાં બે પ્રકારની હકીક્ત જણાય છે. એક વાત “દર્શન’ શબ્દની રચનાને અંગે જણાય છે. એટલે ખાલી “દર્શન “દર્શન’ શબ્દના પિકાર કરવા એમાં કદી દર્શનની પ્રાપ્તિ ન થાય. અહીં દર્શન મેળ જ ન થાય તે એક વાતનું દષ્ટાંત થાય. અને દર્શન મળે છતાં તે કુદર્શન હોય, દર્શનને નામે ચાલતું ઢંગધડા વગરનું એકાંત દર્શન હોય, તે તેથી દર્શનની તરસ કેમ ભાંજે? આ બન્ને ભાવ સમીચીન છે, વિચારવા ગ્ય છે, સંબંધને બંધબેસતા છે, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૩૯ સુગ્ય છે. મતલબ કહેવાની એ આવે છે કે માત્ર ‘દર્શન’ની બૂમ મારવાથી દહાડે વળતે નથી. અમૃત પીવાની પાકી ઈચ્છા જાગી હોય અને પછી કડવું ઝેર જેવું પાણી મળે છે તેમાં કાંઈ તરસ છીપે નહિ અને ઠંડા પીણુના ઓડકાર આવે નહિ. - જ્યાં ત્યાં અવ્યવસ્થિતપણે આંટા મારવાથી દર્શનની પ્રાપ્તિ ન થાય. એને માટે ખરું સ્વરૂપ સમજવું હોય તે સમ્યક્તવની છ ભાવના વિચારી તદ્રુપ અનુકૂળ દર્શનની શોધ કરવી ઘટે. સમ્યકત્વની છ ભાવના, આ પ્રકારો ખૂબ વિચારવા જેવા છે. એ ભાવના સમજવાથી દર્શનની તલસને કેવા પ્રકારની હેવી જોઈએ તેને સ્પષ્ટ ખ્યાલ આવી જશે : (૧) ધર્મ મલ’ સમ્યકત્વ છે. સાચી સહણ છે, એ વિચાર કરે એ પ્રથમ ભાવના છે. સાચા સમ્યકત્વ વગર માત્ર બાહ્ય વૃત્તિએ કે ગર્વના પિષણ ખાતર ક્રિયા કરે તે નકામી છે, અને અંતિમ ઉત્કૃષ્ટ લાભ કરનાર નથી એવી ભાવના કરવી. (૨) શુદ્ધ સમ્યકત્વ એ ધર્મનગરનું દ્વાર છે ધર્મ અને સભ્યત્વના પરસ્પરના સંબંધને પ્રવેશદ્વાર સાથે સરખાવી, એ ભાવના પર આખા સમ્યકત્વની આલોચના કરી એ રીતે સમ્યક ત્વનું ચિંતવન કરવું એ બીજી ભાવના છે. (૩) અથવા ધર્મપ્રસાદને પાયે સમકિત છે, એ રીતે ચિંતવી ધર્મ-મહેલના ચણતરમાં સાચી સદ્દહણ વિવેકપૂર્વકની જોઈએ, તે સમ્યક્તવ-વિચારણાને ત્રીજો પ્રકાર છે. કેઈ બંગલે પાયા વગર ઊભું ન રહે, તેમ ધર્મ પ્રાસાદને પાયે સમ્યકતવ છે, એ દષ્ટિબિન્દુથી સમક્તિની ભાવના કરવી એ ત્રીજો પ્રકાર છે. (૪) અથવા સમક્તિ તે નિધાન છે, અખૂટ ખજાને છે અને એકસાથે એકઠા થયેલ ગુણગણની ખાણ છે, એ રીતે સમકિતની ભાવના કરવી એ ચોથે પ્રકાર છે. (૫) સમ્યકત્વને ‘આધાર’ શમ-દમસંગ છે, આ પ્રકારની વાસનાને આગળ કરી જેમ પૃથ્વી સર્વ વસ્તુને આધાર આપે છે તેમ સમ્યકત્વની વાસના ઉપર સર્વ ધર્મને આધાર છે, એ રીતે સમ્ય સંબંધી ટેકારૂપે વિચારણા કરવી એ પાંચમે ભાવનાને પ્રકાર છે. (૬) અને સમ્યકત્વ અનેક ગુણોને ઝીલવાનું ભાજન છે, એમાં અનેક ચીજે-ગુણો સમાઈ જાય છે, એવી ભાવના એ સમ્યકવિની વિચારણને છઠ્ઠો પ્રકાર છે. આ પ્રકારની ભાવના વિચારતાં દર્શનની ભાવના કેવા પ્રકારની હોવી જોઈએ તેને વિચાર બંધાશે. આવ. દર્શનની ભાવના થઈ હોય, આવી વિશિષ્ટ કોટિની પ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છા અને તરસના થઈ હોય, તેને કુસકા કે ફેતરાં મળે એમાં એ કેમ રાજી થાય ? અને એમાં એને દહાડે શું વળે? આ પાંચમી ગાથામાં દર્શનની તૃષ્ણને ખૂબ હલાવી છે. એમાં અમૃતપાન અને વિષપાનને પણ સમજવા જેવાં છે. કોઈ કઈ વાર પ્રાણી ફાંફાં મારીને પછી જે મળે તે લઈ લે Page #156 -------------------------------------------------------------------------- ________________ [૧૪૦ શ્રી આનંદઘન–વીશી છે અને પિતાની મુરાદ પાર પડી એમ માની મનને મનાવી લે છે. એમાં એની તરસ છીપતી નથી; તરસ તે અમૃતપાન થાય ત્યારે જ છિપાય. બાકી વ્યવહારદર્શન કરી એ દર્શન પ્રાપ્ત થયું છે, એમ માને તે એની અથડાઅથડી મટતી નથી, અંદરની આત્મિક ભૂખ ભાંગતી નથી. અમૃતપાન કયા અને કેવા દર્શનની પ્રાપ્તિથી થાય તે જીવનશોધન કરવા ગ્ય છે. અને માલતી ફૂલે મેહવાની ભાવના રાખનારે બાવળથી રાચવું નહિ. અને ગંગાજળમાં રમવાની ઈચ્છા હોય એણે ખાડાના છિલ્લર જળમાં રાચી જવું નહિ. અમૃતપાન ક્યારે થાય તે શોધવા જેવું છે. અંશસત્ય તે ઘણી વાર વિષપાન જેવું નીવડે છે અને એને સર્વસત્ય માનવા જતાં પ્રાણીની ફસામણી થાય છે તે વાત આગળ જતાં સમજાશે. અનેકાંતવાદની ભૂમિકાની પ્રાપ્તિ માટે આગલા સ્તવનમાં “અભય, અષ અને અખેદનાં વિશેષણ આપીને જે ભવ્ય દશા જગવવા જિજ્ઞાસા જાગ્રત કરી હતી, તેને અત્ર અનેકાંત સ્વરૂપદર્શનપ્રાપ્તિની તૃષાના આકારમાં આગળ કરવામાં આવી છે અને એ તૃષા આત્માને સંસારમાં રખડાવનાર ભૌતિક દર્શનની પ્રાપ્તિથી તૃપ્ત ન થાય એવો અંદરને ગર્ભિત આશય છે, તે ખાસ સમજી રાખવા જેવો છે. એ દશા પરત્વે હજુ આગળ ઘણી વિચારણા થવાની છે. અમૃતપાન કેને કહેવું તે વાતનું અત્રે તે સ્પર્શજ્ઞાન છે. જિજ્ઞાસારૂપ અત્ર તેને બીજક્ષેપ થયેલ છે, વિશેષ વાત આગળ વિકાસના વધારામાં આવશે. અત્ર ધારણું માત્ર કરવામાં આવી છે. વિકાસની પ્રાથમિક દશાની અત્ર હજી શરૂઆત છે તે ધ્યાનમાં રહે. (૫) તરસ ન આવે હો મરણજીવન તણો, સીજે જે દરિસણુકાજ; દરિસણ દુરલભ સુલભ કૃપા થકી, “આનંદઘન મહારાજ. અભિનંદન. ૬. અર્થ– આપના દર્શનની પ્રાપ્તિનું મારું કામ થઈ જાય, જામી જાય, તે મરણ જીવનના રખડપાટાને મને જે ત્રાસ થઈ રહ્યો છે તે ન રહે. ( દૂર થઈ જાય). સાધારણ રીતે દર્શનપ્રાપ્તિ દુર્લભ છે, પણ આપશ્રી–આનંદઘન મહારાજ-ની કૃપાથી એ સુલભ છે. એટલા માટે (અભિનંદન) પ્રભુના-જૈનના સાચા દર્શનની અમે ઝંખના કરીએ છીએ. ટબે–તૃષાને તરસ મરણજીવન જન્મમરણને પાર ન આવે, પાર ન પામીએ. જે દર્શનપ્રાપ્તિને કાજે સીજે તે એહવું દરસણ દુરલભ છે તે માટે તુજ કૃપા થકી સુલભ. આનંદઘન પાઠાંતર-તરસ-પાર, સીજે-સીઝે. કાજ-કાજિ. સુલભ-તું જ, દુરલભ-દુર્લભ. (૬) શબ્દાર્થ–તરસ = ત્રાસ, હેરાનગતિ, પીડા, દુઃખ; તૃષા અર્થ પણ થઈ શકે; તરસ એટલે કપા, દયા, રહેમ અર્થ પણ થાય. ન આવે = ન થાય. તરસન = કાપી નાંખવું તે, છેડો. મરણજીવન તણો = મરવાનો અને જીવવાને, રખડપાટીને, આંટા મારવાને. સીજે = સીઝ, પાર પડે, સિદ્ધ થાય. દરિસણુકાજ = દર્શન પ્રાપ્ત કરવાનો મુદ્દો, દર્શન મેળવવાને ઉદ્દેશ. દુરલભ = મુશ્કેલીથી મળે તેવું, દુર્લભ્ય. સુલભ = સુલભ્ય, સહેલાઈથી મળે તેવું. કૃપા=મહેરબાની, દયા, રહેમનજર. આનંદધન = આનંદના સમૂહ. મહારાજ = ભગવાન (ની); છઠ્ઠી વિભક્તિ. (૬) Page #157 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૪૧ મહારાજ શુદ્ધ સ્વરૂપ આત્માનું દર્શન પામે. (એવું દર્શન તે કયા આત્માને સુગમ થાયે તે વાસ્તે પાંચમું તવન કહે છે.) વિવેચન–આવી રીતે અમૃતપાન જેવા દર્શનની પ્રાપ્તિ માટે અંતરની જિજ્ઞાસા ઉત્પન્ન કરી, અને જાણે દર્શનપ્રાપ્તિ એ જીવનનું “કાજ’–કામ હોય તેમ જણાવ્યું અને એની પ્રાપ્તિ આડે કેટલી અડચણે છે તે વાતની રજૂઆત કરી અને એ પ્રાપ્તિને અંગે સ્થૂળ વ્યાવહારિક, માનસિક અને આધ્યાત્મિક સગવડો થાય તે કામ થવાની શરૂઆત થાય એમ મનમાં ધારણ કરી, એ પરમપ્રભુ પરમાત્મા પાસે મનછૂટી વાત અને છેવટની પ્રાર્થના એની પ્રાપ્તિ માટે કરે છે. મારા પ્રભુ ! અત્યારે તે હું ચક્કરે ચઢી ગયો છું. અહીં જરા ઠરીઠામ થાઉં, ત્યાં જમદેવ મને બીજે ધકેલી દે છે, ચારે ગતિમાં રખડધે છે અને મને જન્મ-મરણને ત્રાસ થયા કરે છે. એમ રખડપાટીમાં હું તે હેરાન હેરાન થઈ ગયું છું. જે આપના દર્શનની પ્રાપ્તિનું મારું કામ થાય તે અત્યારે મને તે જન્મ-મરણને ત્રાસ ન આવે–ન થાય. આ તે દર્શનની પ્રાપ્તિના અભાવે મારે કૂટો થઈ રહ્યો છે અને હું જાણે કોઈ વેચવા-લેવાની વસ્તુ હોઉં તેમ મારી ફેકાફેક થઈ રહી છે. તરસ?–અહીં તરસને અથ વાસ કર્યો. જન્મ-મરણનો ત્રાસ તે આપણે દરરાજને વિષય થઈ ગયો છે. સંસારમાં આવવું અને પાછા પડદો પડે એટલે બીજે ચાલ્યા જવું, ત્યાં ગયા એટલે અહીં કરેલી સર્વ જમાવટ ખેદાનમેદાન થઈ જાય અને ત્યાં નવે નામે બીજી સુષ્ટિ માંડવી અને એ રીતે ઠામ ઠામ કુટાવું, એના ત્રાસને કાંઈ પાર નથી. પ્રભુને કહે છે કે આપના દર્શનની પ્રાપ્તિ થાય તે આ જન્મ-મરણને ત્રાસ થતો અટકી જાય અને મને ઠરીઠામ બેસવાના દહાડા મળે. તરસને બીજો અર્થ, કેશ પ્રમાણે, કૃપા, દયા, રહમ થાય છે. આ ભાવ અત્ર લાગતું નથી. એક “તરસના” શબ્દ હિંદી કેશમાં છે, તેનો અર્થ કોઈ વસ્તુ મેળવવા માટે વ્યાકુળ અથવા ઉત્કંઠિત હોવું” એમ કર્યો છે. મને આ “તરસના” શબ્દ અડી તરસ ન’ને અંગે વિચારવા યોગ્ય લાગે છે. જે આપના દર્શનની પ્રાપ્તિનું કામ સિદ્ધ થઈ જાય તે મરણ જીવનની તીવ્ર ઉત્કંઠા આવે, તે પર વિચારણું થાય અને આ બધી શી બાજી મંડાઈ રહી છે તેને ખ્યાલ આવે, તેની ક્ષણિક્તા અને ક્ષુલ્લતા વ્યક્ત થાય. કોઈ પણ રીતે તરસ” શબ્દને “તરસીએ” શબ્દની સાથે લાવવું જોઈએ તે જ ખરો અર્થ જામે, એમ મને બેસે છે. ઉપર પ્રથમ અર્થ કરી તેને અર્થ ત્રાસ કર્યો છે, તેમ કરવામાં તરસવાની અંદર રહેલી તૃષાને આ ભાવ માર્યો જાય છેઆ રીતે અર્થ બેસાડવાને અને તરસના સમાનાધિકરણમાં આ “તરસ ન” ના લાવવાનો પ્રયાસ કરવા જેવો છે. આપનું દર્શન પ્રાપ્ત થાય તે જીવવા- * મરવાને વાસ ન આવે, એ અર્થને હાલ તે કાયમ રાખે છે, પણ વાંચનારે ‘તરસન ને એક શબ્દ ગણી અર્થ કરવા યોગ્ય છે, એટલા સૂચવન સાથે એ વાત અનિર્ણત પરિસ્થિતિમાં છોડી દેવામાં આવે છે. સૂચવન ખાસ વિચારણીય છે, કારણ કે તૃષા અને ત્રાસને મેળ બરાબર જામત નથી અને તરસનમાં તૃષાને ભાવ લાવી શકાય તેવી શક્યતા છે. અર્થ કરવામાં પ્રકમભંગ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] શ્રી આનંદઘન-ચાવીશી ન થવા જોઇએ એ સથા યાદ રાખવા જેવું છે અત્રે ત્રાસ' એવેા અથ કરવામાં તૃષા–તરસની ઉપમા આખી મારી જાય છે, એટલે આ સ્પષ્ટતા સાહિત્ય દૃષ્ટિએ કરવાનું અત્ર પ્રાસંગિક ગણ્યું છે. હિંદી શબ્દકોષમાં ‘ તરસ ' શબ્દના અર્થ આપતાં—કાટના, તરાસના આ પ્રમાણે અ આપી તેના દાખલામાં ' પટ−ત તૂન ઊંદર જ્યો. તરસે’–એ પ્રમાણે દાખલા મૂકયો છે. એ અ બરાબર બેસે છે. આપના દર્શનની પ્રાપ્તિનું કામ જો થઈ જાય તો મારાં જનમ-મરણુ કપાઈ જાય, આ અર્થ બરાબર બેસતા આવે છે અને હિંદી શબ્દ મારવાડી ભાષામાં વપરાય ત્યારે તે તે નરજાતિમાં વપરાય છે. આ રીતે અર્થ કરવામાં ‘તરસન' શબ્દને એક આખા શબ્દ તરીકે ગણવાના છે અને એ નરજાતિના શબ્દ કાપવા-ખલાસ કરવા—ના અર્થાંમાં નામ તરીકે વપરાયા છે. ઉપર પ્રમાણે છેલ્લે સૂચિત અ મને વધારે બ'ધબેસતે અને સમીચીન જણાય છે. જન્મમરણના ત્રાસ એટલો માટે છે અને રખડપાટાના થાક એવેા આકરા છે કે દર્શનપ્રાપ્તિની આવી તલસના સથા યાગ્ય છે, કારણ કે દનપ્રાપ્તિ બરાબર થાય ત્યારે તેને અંગે બીજી ગાથાના વિવેચનમાં પાંચ દૂષણો બતાવ્યાં તે જાય છે; તે ઉપરાંત પાંચ ભૂષણુની પ્રાપ્તિ થાય છે તે વિચારવા લાયક છે. પાંચ ભૂષણુ નીચે પ્રમાણે બતાવ્યાં છે; શરીર જેમ અલંકાર ઘરેણાંથી શાલે છે તેમ ધર્માંદેહ આ ભૂષણોથી શાલે છે (૧) + સ્થય ’—ચિત્તની ચપળતા દૂર થાય, ધર્માંમાં નિીત વિચાર ચાલુ રહે, અ'તરની ગડમથલ અટકી જાય અને કોઇનો ચળાવ્યા પ્રાણી ચલિત ન થાય : આ પાકો નિષ્ણુય જીવને ભારે લાભદાયક નીવડે છે. : (૨) પ્રભાવના 'એ ધ જીવનના મહિમા વધારે, એ આત્મધની પ્રસિદ્ધિ અને પ્રચાર કરે અને એની ઉપયેાગિતા જનતામાં પ્રસારી એ દનનું મૂલ્ય વધારે, જનતાના હાથમાં જાય તેવા તેના અનેક પ્રકારે વિસ્તાર કરે. આમાં ધમ દીપી નીકળે છે. (3) - ભક્તિ ’—જે વસ્તુ કે વિચારની પ્રાપ્તિથી બહુમાન થાય, તેના તરફ ખૂબ પ્રેમ થાય અને વ્યક્ત પ્રતીક ગુરુ વગેરે તરફ રાગ થાય તેની સેવા થાય, તેનું દીપી નીકળે છે. પોતે માર્ગ પર આવી ગયા તે તરફ કરવા તેના દક દેવ કે તેના જીવતા બહુમાન થાય. આથી સદ્ગુણા વધારે (૪) ‘ કુશળતા ’—-ધ વિચારણામાં કુશળતા; પરિકર્મિત બુદ્ધિબળથી માને દીપાવવાની અને અન્યને માગે લઈ આવવાની કુશળતા. (૫) ‘ તી સેવા ’—તી એટલે તરવાની જગ્યા. દ્રવ્યથી તીક્ષેત્ર અને ભાવથી સજ્ઞાન એ બાહ્ય અને અતરક્ષેત્રની હૃદયપૂર્વક સેવા કરવી એ પાંચમું ભૂષણ છે. આ પાંચે ભૂષણો આત્મશરીરને-દનપ્રાપ્તિને-વધારે વધારે શેાભાવે છે, એને હૃદય સાથે જોડે છે અને બાહ્ય પ્રચાર કે આંતર સ્થિરતા દ્વારા એ સદ્ગુણાને વધારે દીપાવે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી અભિનંદન જિન સ્તવન [૧૪૩ દશનપ્રાપ્તિને પરિણામે પ્રાણીમાં દશ પ્રકારના વિનયગુણ આવી જાય છે. એ દશ વિનય સહણની નિર્મળતાને અંગે પ્રાપ્ત કરવા યોગ્ય ગણાય છે. અત્રે દસ પ્રકારના વિનયને નામનિર્દેશ કરી જઈએ. નીચે જણાવેલ દશમાંથી બને તેટલાને તેમના સ્થાનને યોગ્ય માન આપવાથી અને તેમને અનુકૂળ થવાથી પિતાના ગુણની નિર્મળતા થાય છે. એ દશનાં નામો આ પ્રમાણે છે – (૧) આકરા કર્મો પર વિજય મેળવી દુનિયાને ઉપદેશ આપનાર “અરિહંત'; (૨) સર્વ કર્મોને ક્ષય કરી મૂળ–અસલ આત્મદશા પ્રાપ્ત કરનાર “સિદ્ધ'; (૩) પ્રભુની ગેરહાજરીમાં તેમના પ્રતીક માટેનું સ્થાન તે “ચૈત્ય '; (૪) વિશુદ્ધ જ્ઞાન દ્વારા આત્મસ્વરૂપ અને ક્રિયામાર્ગ બતાવનાર “મૃત”; (૫) નય, નિક્ષેપ, સપ્તભંગી, આત્મદશા, વીતરાગભાવ બનાવનાર “ધર્મ'; (૬) મોક્ષમાર્ગને સાધક, બાહ્ય ઉપાધિને ત્યાગી, આદર્શ આરાધક સાધુ ; (૭) સાધુ-સમુદાયને આચાર શીખવે, પિતે પાળે, વર્ગની નિયામણા કરે તે “આચાર્ય'; (૮) ધર્મનાં અંગો વગેરેનો અભ્યાસ કરનાર કરાવનાર, અર્થ પઢાવનાર “ઉપાધ્યાય'; (૯) ધર્મના દ્રવ્યાનુયેગચરણાગને ઉપદેશ આપનાર વક્તા તે “પ્રવચની '; (૧૦) જેની પ્રાપ્તિને આપણે આ સ્તવનમાં વિચાર કરી રહ્યા છીએ તે “દર્શન.” આ દશે પ્રકારના વિનયને વિચાર કરતાં જેમાં “દર્શન” કેન્દ્ર સ્થાને છે, તેમાં આંતર શક્તિ કેટલી વૃદ્ધિ પામતી જાય છે, તે ગ્રાહ્યમાં લેતાં એનું મહત્ત્વ સમજાય છે અને એને વિચાર કરતાં દશનની તલસના, જે આ સ્તવનની શરૂઆતથી જાગતી જતી બતાવી છે; તે ખૂબ વધી જાય છે અને તે મેળવવા વધારે વધારે જિજ્ઞાસા જામતી જાય છે. ભગવાનને કહે છે કે આપના દર્શનને પ્રાપ્ત કરવાની મારી તલસનારૂપ કામ હું હાથમાં લઈને બેઠો છું, તે જે પાકી જાય, જે તે કામ થઈ જાય, તે મારા જન્મ-મરણનો ત્રાસ આળસી જાય અથવા એનું તરસણ થઈ જાય, એની કાપણી થઈ જાય. દરિસન દુલભ –દનપ્રાપ્તિની દુર્લભતા આ આખા સ્તવનમાં ગાઈ છે. જે આપના દર્શનની પ્રાપ્તિનું કામ થઈ જાય તે જનમ-મરણનો ત્રાસ મટી જાય. વસ્તુની મહત્તા લાગી અને સાથે એની દુર્લભતા લાગી, એટલે આ તે વામનજીને ઝાડ પર લકટતું અમૃત જેવું આમ્રફળ મેળવવાની સ્થિતિ થઈ. એ ફળને મૂકયું જાય નહિ અને સહજભાવે એ પ્રાપ્ત થઈ શકે તેમાં ઘણું વિષમતા દેખાણી. સુલભ કપા થકી ”—પણ એ દર્શન મારા આનંદઘન દેવ ! આપની કૃપાથી સુલભ થાય તેમ છે. આ કૃપાની હકીકત ખૂબ વિચારણા માગે છે જ્યાં સુષ્ટિકર્તા ઈશ્વર માનવામાં આવે ત્યાં તે ઈશ્વર-અનુગ્રહ કે ભગવાનની કૃપાથી કઈ પણ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે એ વાત સમજાય તેવી છે, પણ અનાદિ સુષ્ટિ માનનાર જૈન તત્વજ્ઞાનમાં ભગવાનની કૃપાને શું સ્થાન હોઈ શકે, તે ખાસ વિચારણીય પ્રશ્ન છે. આ આખા પ્રશ્નની વિચારણા, પ્રસંગે ઉપસ્થિત Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] શ્રી આન’ઘન-ચાવીશી કરીને, શ્રી સિદ્ધર્ષિં ગણિએ ઉપમિતિભવપ્રપ`ચાકથાના પીઠબધમાં બહુ સારી રીતે રજૂ કરી છે. નિપુણ્યક નામના દરિદ્રી ભિખારી રોગથી સડેલા અને ત્રાસથી હેરાન થયેલે જ્યારે રાજમદિરમાં દાખલ થાય છે ત્યારે ધર્માં બેધક મ`ત્રી જણાવે છે કે સાતમા માળ ઉપર સ્થિત થયેલા સુસ્થિત મહુારાજની કૃપાદૃષ્ટિ' તેના ઉપર પડી. આ ‘કૃપાદૃષ્ટિ ’ના વિસ્તારથી ઉપનય સમજાવતાં શ્રી સિદ્ધષિ ગણી કહે છે : 6 “ એવા મહાત્મા સજ્ઞ મહારાજે અનેક રાગેાથી પીડાતા અને ખીભત્સ દશનવાળા પેલા નિષ્કુણ્યક દરિદ્રીને કરુણાપૂર્વક જોયા, તેવી રીતે આ પ્રાણી પણ પોતાની તથાભવ્યતા પાકી જવાથી આગળ પ્રગતિ કરે છે અને ઉન્નતિના માર્ગ પર આગળ પ્રયાણ કરતે જાય છે, ત્યારે તેના ઉપર પણ ભગવાનની કૃપા થાય છે, કારણુ કે ભગવાનની કૃપા વગર માર્ગાનુસારીપણું પણ પ્રાપ્ત થતું નથી. આ મહાત્માની કૃપા હોય તે જ ભાવપૂર્ણાંક ભગવાનમાં બહુમાન થાય છે, તે વગર થતું નથી. કારણ કે આ બાબતકના ક્ષય અથવા ઉપશમ અથવા તે તેવા ખીજા હેતુ મુખ્ય ભાગ ભજવી શકતા નથી. પ્રગતિ કરવા માટે કર્માંના ક્ષય અથવા ઉપશમની જરૂર છે, પણ તેથી થયેલ વિકાસ ટકી શકતા નથી, એટલે વાસ્તવિક રીતે તેવી ઉપર ઉપરની પ્રગતિ કામની નથી, જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે જ ખરો વિકાસ થાય છે. આ હકીકત લક્ષ્યમાં રાખીને આ પ્રાણી ઉપર ભગવાને વિશેષે કરીને નજર નાખી-ષ્ટિ કરી, એ પ્રમાણે હકીકત ઉપરની કથામાં કડી છે. એ પરમાત્મા–પરમેશ્વરમાં અચિંત્ય શક્તિ હેાવાને લીધે અને અન્ય ઉપર ઉપકાર કરવાનું તેઓને તાન લાગેલું હાવાથી આ પ્રાણીની મોક્ષસન્મુખ અથવા મેક્ષ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિનું પરમ કારણ તેએ જ છે એમ લક્ષ્યમાં રાખવું. આ પરમાત્માનું નિરાકાર સ્વરૂપ પણ આખા જગતના સર્વાં જીવનું કલ્યાણ કરી શકે એટલી શક્તિવાળું છે, એટલે તે રૂપ રહિત છે છતાં તેના આલંબનથી સર્વ પ્રાણી ભાવપૂર્વક માક્ષે જઈ શકે એ ખરાબર હકીકત છે, તેપણ તે, પ્રાણીનું ભવ્યત્વ, કર્મ, કાળ, સ્વભાવ અને નિયતિ વગેરે કારણેાની અપેક્ષાપૂર્વક નિરાકાર રૂપ જગત ઉપર ઉપકાર કરવામાં પ્રવૃત્ત થાય છે; તેથી એકસાથે સર્વ પ્રાણીઓ મૈન્ને જઇ શકતા નથી. જે પ્રાણીનાં કાળ, સ્વભાવ વગેરે કારણો પરિપાકદશાને પામે તે જ પ્રાણી આગળ વધે છે અને તેના ઉપર ભગવાનની દૃષ્ટિ પડે છે. જે જીવનું કલ્યાણ થવાનું હોય છે અને જે ભદ્રક પરિણામી હોય છે તેના ઉપર જ, તેટલા માટે, ભગવાનની દૃષ્ટિ-નજર પડે છે એમ હકીકત કહી છે તે હકીકત આગમાનુસાર જાણવી.” ત્યાર પછી ધધકર મત્રી એ કારણોને લઈને અમુક પ્રાણી પર સુસ્થિત મહારાજાની કૃપા-નજર પડેલી હેવાના નિણ ય કરે છે : એક સ્વકમ`વિવરદ્વારપાળે એને મંદિરમાં કરાવેલે પ્રવેશ; અને બીજી', એ મહરિ તરફ સદર પ્રાણીને થયેલા પક્ષપાત. ૧. ઉપમિતિભવપ્રપ`ચાકથા ભાષાંતર, ભાગ પ્રથમ ( બીજી આવૃત્તિ ), પૃ. ૧૧૧-૧૧૨. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૪૫ પાંચ સમવાયી કારણોની જે હકીકત ઉપર કહી અને સર્વ પ્રાણી એકસાથે મોક્ષે જતા નથી અને પ્રભુની કૃપા કેવી રીતે થાય છે તે પર ત્યાં નીચે પ્રમાણેની અતિ આવશ્યક નેટ મૂકવામાં આવી છે : “પાંચ સમવાયી કારણ કહેવાય છે કાળ (સમય-વખત), સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ અને ઉદ્યોગ (પુરુષાર્થ). આ પાંચે કારણે એકઠાં થાય ત્યારે જ કઈ પણ કાર્ય બને છે. સર્વ પ્રાણીઓને એકસાથે મિક્ષ થઈ શક નથી તેનું કારણ અત્ર બતાવ્યું. પ્રભુની કૃપા તે સર્વને મેક્ષ લઈ જાય તેવી છે, પણ બીજાં સમવાયી કારણોની મોક્ષ જવામાં અપેક્ષા રહે છે એ ધ્યાનમાં રાખવું. સિદ્ધોને અને ગુણોનો શાશ્વતભાવ આવશ્યકનિયું ક્તિમાં બતાવ્યું છે તે અહીં સ્પષ્ટ કર્યો છે. આનંદઘન મહારાજ પણ સિદ્ધને વર્ણવતાં છેવટે કહે છે કે –“શાશ્વતભાવ વિચારકે, પ્રાણું ખેલે અનાદિ અનંત, વિચારી કહા વિચારે રે” (પદ ૨૨ મું). સિદ્ધનું ઉપકારીપણું શાશ્વતભાવને લઈને છે.” પ્રભુકૃપાને આવી રીતે તત્ત્વદષ્ટિએ આગમમાં બહુ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. કહેવાની વાત એ છે કે દર્શનપ્રાપ્તિ તે પાંચ સમવાયી કારણોના મેળાપને અંગે અને આ આખા સ્તવનમાં રજૂ કરેલાં કારણેને અંગે ભારે મુશ્કેલ છે, પણ પ્રભુની કૃપા થઈ જાય તે માટે જન્મમરણને ત્રાસ દૂર થાય અને મને અભિનંદનજિનના દરશનની તરસ થઈ છે તે છીપી જાય. “આનંદઘન મહારાજ આનંદસ્વરૂપ પરમાત્મા ! આપની કૃપા થાય અને મારે સંસારવાસ દૂર થાય, મારું આપના દર્શનનું કામ સિદ્ધ થઈ જાય અને મારો જન્મમરણનો ત્રાસ દૂર થઈ જાય. “આનંદઘન” શબ્દ પર આગળપાછળ ચિંતવન થયા કરે છે. એ આનંદ” શબ્દમાં એટલે ચમત્કાર છે કે એનું નામ લેતાં, એને બોલતાં, એના સંબંધમાં વિચારણા કરતાં, એક અનોખી શાંતિ અંદરથી થઈ આવે છે અને એવા અનંત આનંદના આશ્રયરૂપ ભગવાનની જ્યારે કૃપા થાય, મીઠી નજર આ પ્રાણી ઉપર પડે, એટલે ભવની ભાવઠ ભાંગી જાય, ધારેલ કામ સિદ્ધ થઈ જાય અને અમૃતપાનની પિપાસા છીપી જાય. (૬) ઉપસંહાર આ સ્તવનમાં દર્શનની મહત્તા બતાવી, એને માટે તૃષા ઉત્પન્ન કરી, એને મળવામાં કેટલી મુશ્કેલીઓ છે તેનું વર્ણન કર્યું, એને મેળવવાની આડા ઘાતી ડુંગર ઘણા પડ્યા છે તેનું નિદર્શન કર્યું, ઠંડાં જળ પીવાની તરસ વિષપાનથી છીપતી નથી એ બતાવ્યું અને પ્રભુ દર્શનનું કામ થાય તે જન્મમરણના ત્રાસ મટી જાય, એની પ્રાપ્તિને માટે પ્રભુના અનુગ્રહની, સુલભતા થઈ જાય, એટલી વાત કરી. આ સમ્યક્ત્વનો વિષય ખૂબ મહત્વ છે, સાચે જૈનધર્મ છે, ધર્મનું રહસ્ય છે અને શરૂઆતમાં જણાવ્યું તેમ, એક રીતે એ ધર્મસર્વસ્વ છે. દ્રવ્યાનુગ અને ચરણકરણાનુગના ૧૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬], શ્રી આનંદઘન–ચવીશી અનેક ગ્રંથોમાં એ સમ્યકત્વનો ગુણ ખૂબ ગમે છે અને એની મહત્તા બતાવતાં ત્યાં સુધી કહ્યું છે કે દર્શનથી ભ્રષ્ટ રહેલે પ્રાણ છે, કારણ કે ચારિત્ર રહિત પ્રાણીનો મોક્ષ કદાચ થાય, પણ દર્શન રહિત પ્રાણીને તે મક્ષ કદાપિ પણ ન જ થાય. એટલા માટે રસ્તે ચઢવા ઈચ્છનાર પ્રાણીના અંતરમાં તત્ત્વરુચિ, સહણ અને દર્શનપ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છા ઊભી કરવી એ અતિમહત્ત્વની બાબત છે અને ભૂમિકાશુદ્ધિ કરી આગળ વધવા ને રસ્તે ચઢવાની ઈચ્છા રાખનારને માટે ખાસ વિચારણીય બાબત છે. સમકિત અથવા સમ્યકત્વને ઓળખવા માટે એના ૬૭ બોલ બહુ વિચારવા યોગ્ય છે. એનો બરાબર ખ્યાલ કરવાથી સમ્યક્ત્વને ખ્યાલ આવે તેમ છે અને તેથી શાસ્ત્રગ્રંથમાંથી તારવી એને આ સ્તવનના વિવેચનમાં વણી દીધા છે. સડસઠ બોલ–બલ” એટલે મુદ્દા, લક્ષ્ય આપવા યોગ્ય સ્થાને, તારવી સંક્ષિપ્તમાં એકઠાં કરેલાં સારમય રહસ્ય. આ “બોલ” શબ્દ જૈનને પારિભાષિક છે. એ ખૂબ પ્રચલિત છે. અનેક ભેદ, વિભેદ, પટાભેદ યાદ રાખવા માટે આવા “બેલે ”ના થોકડાઓ તૈયાર કરેલા છે અને તેને મુખપાઠ કરવાનો પહેલાં રિવાજ પણ હતે. એવા ગતિ-આગતિ, દેવવંદન, ગુરુવંદન વગેરેના બોલે પ્રચલિત છે અને અન્યત્ર મુદ્રિત થયેલા છે. સમકિતને લગતા સડસઠ બોલે સુપ્રસિદ્ધ છે. એના પર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે એક પુસ્તક રચેલ છે. અને એ સમક્તિના સડસઠ બોલ પર શ્રી યશોવિજય ઉપાધ્યાયે ગુજરાતી ભાષામાં સક્ઝાયર લખેલી છે. એ સ્વાધ્યાય ખૂબ સરસ રાગો અને ભાવાર્થથી ભરપૂર છે અને વારંવાર પઠન પાઠન કરવા યોગ્ય છે. સમકિતના એ સડસઠ બેલેને આ વિવેચનમાં આડાઅવળા વણી દીધા છે. એની તારવણી, નામનિદેશ અને સ્થાનનિદર્શન સાથે, અત્રે સમુચ્ચયીકરણરૂપે જણાવી દેવી જરૂરી છે. એ આખા ઉલ્લેખને કેન્દ્રસ્થાને હોઈ, પુનરાવર્તનને ભોગે પણ, સ્પષ્ટ દર્શન માગે છે : ત્રણ શુદ્ધિ : મન, વચન, કાયા. (વિવેચન : પ્રથમ ગાથા). ત્રણ લિંગઃ શુશ્રષા, રાગ, વૈયાવચ્ચ. (વિવેચન : દ્વિતીય ગાથા) પાંચ લક્ષણઃ શમ, સંવેગ, નિવેદ, આસ્તિક્ય, અનુકંપા. (પરિચયઃ આરંભે). પાંચ દૂષણઃ શંકા, આકાંક્ષા, વિનિમિચ્છા, પ્રશંસા, સુરત. ( વિવેચન : દ્વિતીય ગાથા) પાંચ ભૂષણઃ ધૈર્ય, પ્રભાવના, ભક્તિ, કુશળતા, તીર્થસેવા. (વિવેચન : છઠ્ઠી ગાથા) આઠ પ્રભાવક પ્રવચની, ધર્મકથી, વાદી નિમિત્તભાષી, તપસ્વી, વિદ્યાસંપન્ન, સિદ્ધ, કવિ. (વિવેચન : ત્રીજી ગાથા) છ આગાર: રાજ્યાભિયોગેણં, ગણાભિયોગેણં, બલાભિયોગેણં, દેવાભિયોગેણં, ગુરનિગ્રહ, વૃત્તિકાંતાર (વિવેચન : ત્રીજી ગાથા) ૧, જુઓ સમ્યકત્વસપ્તતિકા. ૨. જુઓ સજઝાયમાળા; સમક્તિના સડસઠ બોલની સજઝાય. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪ : શ્રી અભિન’દ્ઘન જિન સ્તવન [ ૧૪૭ ચાર સહા : તત્ત્વજ્ઞાનને પરિચય, તત્ત્વજ્ઞાનીની સેવા, વ્યાપન્નદશનીવન, કુલિ’ગીસ`ગવન. ( વિવેચન : ગાથા બીજી ) છ જયણા ઃ કુદેવ કે કુચૈત્ય સાથે છ પ્રકારના વ્યવહાર ન કરવા : વંદન, નમન, દાન, પ્રદાન, આલાપ, સંલાપ. (વિવેચન : ચેાથી ગાથા ) છ ભાવના : આલ’કારિક-સરખામણીના શબ્દો, મૂળ, દ્વાર, પાયા, નિધાન, આધાર, ભાજન. ( પાંચમી ગાથા ) છ સ્થાન : અસ્તિ, નિત્ય, કર્તા, ભેાક્તા, મુક્તિ, ઉપાય. ( બીજી ગાથા ) દસ વિનય : નિ`ળતા માટે નીચેના દશના વિનય કરવા : અરિહંંત, સિદ્ધ, ચૈત્ય, શ્રુત, ધર્મ, સાધુ, આચાય, ઉપાધ્યાય, પ્રવચની, દર્શીન. (વિવેચન : છઠ્ઠી ગાથા ) આ રીતે સમ્યકત્વનાં ૬૭ અધિષ્ઠાન છે. એને આળખતાં અને એને અમલ કરતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, હાય તે તેની નિમળતા થાય છે અને એ વિશિષ્ટ ગુણેા અંતે પ્રાણીને સ જન્મ-જરા-મરણનાં દુ:ખથી મુક્ત કરી એને સ`સાર પૂરો કરી મૂકે છે, એને સ'સારને પેલે છેડે લઈ જાય છે અને એને નિરવધિ સુરસમય કરી સત્ ચિત અને આનંદ સ્વરૂપ બનાવી દે છે. અનંત સુખનો પાયે। આ સમ્યક્ત્વ છે. એનાં અધિષ્ઠાન ઉપર જણાવ્યાં તે છ છે અને એને અમલ કરવા તે જીવનના લહાવા છે. એટલા માટે દર્શીનની દુલ ભતા વિચારવા સાથે એ પ્રાપ્ત થાય ત્યારે તેનું સ્વરૂપ કેવું હેાય અને તેની પિછાણુ કેમ થાય તેને અભ્યાસ કરી લેવે યાગ્ય છે અને તેટલા માટે આ ૬૭ અધિષ્ઠાનાને આ સ્તવનના વિવેચનમાં યથાપ્રસ`ગ વણી લેવામાં આવ્યાં છે. કોઈ સ્થાને આ ૬૭ (સડસઠ) બાબતને સમકિતના સડસઠ ભેદ તરીકે વર્ણવેલ છે. મને સમકિતનાં ૬૭ અધિષ્ઠાન શબ્દ વધારે વાસ્તવિક લાગે છે. સમકિતના પ્રકાર ન હોઈ શકે, પણ એમાં વિકાસને અંગે તરતમતા અને આવિષ્કારમાં અંશભેદ, અવસ્થાભેદ, દશાભે હાઇ શકે. એ સડસઠ અધિષ્ઠાનો ખરાખર અભ્યાસ કરીએ છીએ ત્યારે એમાં બહુ તારતમ્ય, અનેક આવિષ્કાર-પ્રકાર અને વત્તા-ઓછાપણું જણાય છે. સદ્ગુણાને અંગે એ દન જ છે એટલી વાત ધ્યાનમાં રાખવામાં આવે તો એને ભેદ તરીકે ન એળખી શકાય, પણ સ્થાન તરીકે જ ઓળખી શકાય. એટલે એને માટે અધિષ્ઠાન શબ્દ વધારે ઉચિત છે અને દનના આવિર્ભાવની તરતમતાને મરામર બતાવી એના કેન્દ્રસ્થ ભાવને આગળ લાવે છે. દર્શીનને માટે ઘણું જાણવા જેવું છે : એના પ્રકાર, એનાં ગુણસ્થાન, એને પુષ્ટિ કરનાર આઠ ગુણા, એને અંગે મિથ્યાત્વની ઓળખાણ, એની આત્મીય ગુણતા વગેરે અનેક બાબતે વિચારવા યેાગ્ય છે. તેને માટે, બનશે તે, સ્વતંત્ર ઉલ્લેખ કરવાનો વિચાર રાખ્યા છે. અહી એના પર બહુ સામાન્ય અને ખાસ જરૂરી મુદ્દામ ઉલ્લેખ જ કરવામાં આવ્યા છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] શ્રી આનંદઘન-ચવીશી એક વાત સ્પષ્ટ કરવી અહીં પ્રાસંગિક છે. શ્રદ્ધા કે સહણામાં જ્ઞાનને વિરોધ નથી. કેટલાક શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ગૂંચવાઈ જાય છે. “અંધ શબ્દ એમને ભડકાવી મારે છે. એમાં જરા વધારે પૃથક્કરણની જરૂર છે. જે શ્રદ્ધા સમજણ, વિચારણા અને અભ્યાસ પર રચાયેલી હોય છે તે જ કાયમ ટકે છે, તેના પર જ ખર આધાર રાખવા યોગ્ય છે. અને દર્શન શબ્દમાં અંદરખાનેથી જ્ઞાનને મહિમા સાથે જ ગણાય છે. બાકી, અલૌકિક ભાવે અને બાહ્ય દષ્ટિથી ન પહોંચી શકાય તેવા પદાર્થોને અંગે સહણામાં વિશ્વાસને સ્થાન તે જરૂર રહે. એ વિશ્વાસને અંગે એના પ્રણેતાની નિરભિમાન વૃત્તિ અને રાગદ્વેષ પર મેળવેલા વિજયને અંગે એની પ્રામાણિકતા પર નજર રખાય અને એવી સુજ્ઞતાદર્શક પરીક્ષાને પરિણામે અતિસૂક્ષમ ભાવની વિચારણામાં શ્રદ્ધાનું તત્ત્વ આવે તે ખરું, પણ એની સાથે “અંધ” શબ્દ વાપરવાથી મૂળ વાત સાવ મારી જાય છે. એ શ્રદ્ધા જ્ઞાન પર રચાયેલી કે બંધાયેલી હોય તે એની સાથે “અંધ” શબ્દ વાપરી એ દર્શનની અતિ મહત્વની બાબતને વીંખી–પીંખી નાખવી ન ઘટે. બાકી શ્રદ્ધામાં સ્વીકારનો અંશ તે જરૂર આવે. આપણી પાસે પ્રયોગના સાધનો ન હોય, અતિ સૂક્ષ્મ ભાવ ગ્રહણ કરી પચાવી શકે એટલે બુદ્ધિને વિકાસ ન હોય, તે પરીક્ષાપૂર્વક પસંદ કરેલા પુરુષની વાણી પર વિશ્વાસ રાખવો ઘટે. એને અંધતા કહેવી એ અંધતાના સ્વરૂપની વિકૃત સમજણ બતાવે છે. આ સ્તવનમાં અમૃતપાનની તરસ વિષપાનથી ન ભાગે એમ વિચારદર્શન કરાવ્યું છે, તે ઊંડા રહસ્યથી ભરપૂર છેઃ અમૃતપાનની ઈચ્છા થાય તે અમૃત મેળવવું, તેને માટે પ્રયાસો કરવા અને અમૃત મેળવ્યું જ રહેવું. એમાં વિષપાનથી તરંશ છીપે નહીં. ઘણા પ્રાણીઓ દર્શન દર્શનની વાત કરે છે, ઝંખના કરે છે, પણ એને અમૃતપાનની ઈચ્છા હોય છતાં એ વિષપાનના મથાળા નીચે મૂકેલા ઈ એક પ્રકારના જળનું પાન કરી લે છે, પણ એમ કરવામાં એની તરસ છીપતી નથી અને એનું કામ થતું નથી. એકાંતવાદ હોય, સંસારવૃત્તિ હોય, પિતાને મત કે પંથ ચલાવવાની આકાંક્ષા હોય, દુનિયામાં નામના કે માન મેળવવાની ઈચ્છા હોય, ત્યાં ચલાવેલ મત કે પ્રસારેલ સંપ્રદાય વિષપાનનું સ્થાન લે છે. એમાં કદાચ તાત્કાલિક દેખાવ પર રાચવાનું મન થઈ આવે, તે પણ એમાં અમૃતપાન થતું નથી, એમાં તરસ છીપતી નથી અને આત્મિક વિકાસ થતું નથી. અને તેટલી જ અગત્યની વાત “ઘાતી ડુંગરની છે. દરશનપ્રાપ્તિની આડે બહુવિધ લાલચે, તેફાને અને ડુંગરાઓ છે. કષાયના અનેક આવિર્ભાવ આ ઘાતી ડુંગરમાં આવે છે. પિતાની વાતને સાચી કરવા અને એકાંતવાદને પોષવા પ્રાણીઓ કેવાં કેવાં ઇંગલે ચલાવે છે અને દર્શનને નામે કેવા ઢંગધતૂરા ચલાવી રહ્યા છે તે જોઈએ છીએ ત્યારે ઘાતી ડુંગરની વિવિધતા અને નામ રાખવાની સુચ્છ અધમતાને ખ્યાલ આવે છે. અને માર્ગદર્શક ભેમિયાને-સુંગૂને સથવારો મેળવવો એ ભારે મહત્વની બાબત છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૪૯ ઘણાખરા તે સારો સાથ આપતા નથી. કેટલાયે અધે રસ્તે સાથ મૂકી દે છે અને ઘણાખરાને સાથ આપવાની શક્તિ કે વડ જ હોતી નથી. અગાઉ સાથ આપનાર પિતાની સાથે ચાકીપહેરાને બંદોબસ્ત રાખતા, સાથે આવનારને રસ્તા બતાવતા, એને કઈ વખત ભાતું કે પાણી ખૂટે તે મદદ કરતા અને આખે રસ્તે તેને ભાવ પૂછતા અને તેની ચિંતા રાખતા. આવા “સેંગૂ” મળી જાય તે તે ઠીક વાત છે, પણ પોતે માર્ગના જ્ઞાતા અને બીજાને અટવી ઓળગાવવાની ચિંતા સેવનારા તે ભાગ્યને જ સાંપડે છે. એટલે પછી કઠણ થઈ, ધૃષ્ટ બની રસ્તે પડવામાં આવે તે પણ ભેમિયાને અભાવે અટવીના ચક્કરમાં ફસાઈ જવાય છે અને વાટ ભૂલેલાની જે દશા થાય તેવી દશા થાય છે. સર્વથી મહત્વની વાત મુદ્દો સમજી ધ્યાનમાં લઈ લેવાની છે અને તે એ છે કે દર્શનસમત્વ એ એકડે છે. એના પર જ્ઞાન, ચારિત્ર, વીર્ય, ઉપગ આદિ અનેક ગુણોના આંકે ચઢાવવામાં આવે તેમ આત્મિક મૂલ્ય વધતું જાય છે. પણ એ એકડો ન હોય તે તેના વગર ગમે તેટલાં મીઠાં ચઢાવવામાં આવે તેમાં આત્મવિકાસની દષ્ટિએ કાંઈ દહાડે વળતો નથી. તેથી ભૂમિકાશુદ્ધિ કરી ત્યાં સાફ જમીન પર દર્શનને આલેખ કરવો. દર્શન શબ્દને મહિમા મોટો છે. દર્શન આત્માને મૂળ ગુણ હોવાથી ખૂબ આસેવન અને ચીવટ માગે છે. દર્શનને સમજવું એટલે વિગતવાર સમસ્ત જૈન દર્શનની સમજણ હાથ ધરવા જેટલું ઊંડાણ લાગશે, પણ એના સાદા ખ્યાલમાં તે સાચી સહણ, ઊંડો પ્રેમ અને સાચા માર્ગ તરફ જવા અંદરને ઉત્સાહ એટલી જ બાબત છે. એટલે દર્શનના ૬૭ અધિષ્ઠાન જોઈને કે એના પ્રભાવકે કે ભાવનાઓનાં વર્ણન વાંચીને ચિંતામાં પડી જવા જેવું નથી. સડસઠ અધિષ્ઠાનમાં એકની પ્રાપ્તિની અંદર દર્શન પ્રાપ્તિ થઈ જાય તેમ છે. ગુણપ્રાપ્તિ કાયમ કરવી હોય તે આગળ પ્રગતિ કર્યા કરે તે જ સાંપડેલ ગુણ કાયમ રહે એ નિયમ હોઈ દરેક અધિષ્ઠાને પહોંચવા પ્રયત્ન કરવા યોગ્ય છે પણ એનાં મોટાં નામે કે ભવ્ય કલપનાથી એ દુષ્પાય છે, અતિ આકરાં છે, એમ માની લેવા જેવું નથી. એને માટે ચીવટ રાખી પ્રયત્ન કરવામાં આવે તે જનતાના મોટા ભાગને તે એ સુગ્રાહ્ય છે, ચીવટપૂર્વકના અલ્પ પ્રયાસે પણ આરાધ્ય છે અને વિશેષ ચીવટે પ્રગતિ કરાવી આગળ વધવામાં પરસ્પર અસરકારક મદદ કરે તેવા છે. દર્શનની બાબતમાં ઘણું લખી શકાય તેમ છે, એને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે અને પૃથક્કરણ કરી સારતત્ત્વરૂપે ખૂબ સ્વીકારવાસમજવા-મનન કરવા યોગ્ય છે અને જાણીને જીવવા યોગ્ય છે. કેવા પ્રકારના આત્માને આ દર્શનપ્રાપ્તિ થાય એને વિચાર હવે કરવાનો છે. એ થતાં આત્માનો અને દર્શનનો અનિવાર્ય સંબંધ, આત્માની અને દર્શનની એકતા અને દર્શન એ જ આત્મા છે એનો સ્પષ્ટ ખ્યાલ થઈ જશે અને ત્યારે દર્શનની અત્ર બતાવેલી મહત્તા કેવી રીતે કારગત થઈ પડશે, કેવી રીતે કાર્યકર નીવડી શકે છે અને એની ભૂમિકાશુદ્ધિ સાથે વાતાવરણશુદ્ધિ કેવા પ્રકારની લાભકારક થાય છે તે જાણ્યા પછી દર્શનની મહત્તા વધારે સ્પષ્ટ થશે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] શ્રી આનંઘન-ચાવીશી આપણે હવે સમપ ણુના સિદ્ધાંત અને આત્મવિકાસને રસ્તે પડતા ચેતનના ત્રણ ભેદો વગેરે અગત્યની બાબત વિચારવા પાંચમા સ્તવન તરફ પ્રયાણ કરીએ. એ વિચારણા પણ દર્શનની તરશને વધારે ઉઘાડશે; એ દનની તૃષાને વધારી મૂકશે અને એની ખાતર આખા આત્માનું સમણુ થઇ જશે એવી ભવ્ય ભાવનાની પોષણાના આશાવચન સાથે આ આનંદઘનના અદ્ભુત કવન પરના વિવેચનને અત્ર અત્યંત પ્રેરણા, આંતરિક આનંદ અને પ્રભુકૃપાની અપેક્ષાની સૂચનાના ઉત્સાહ સાથે વિરમાવીએ.૧ (૪) મે : ૧૯૪૯ ] ૧. શ્રી મેાતીચંદભાઇ એ આ ચોથા સ્તવનના વિવેચનને અંતે ઉપાધ્યાય શ્રી યોવિજયજીકૃત સમક્તિના સડસઠ ઓલની આખી સજ્ઝાય પરિશિષ્ટરૂપે આપી છે. પણ આ સઝાય અનેક પુસ્તકોમાં છપાઈ ગયેલી હાવાથી આ ગ્રંથમાં એ ફરી નથી છાપી. જિજ્ઞાસુઓએ એ પુસ્તકમાંથી જોઈ લેવી. —સંપાદક Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથ જિન સ્તવન સંબંધ અભિનંદન સ્વામીના દર્શનને નિમિત્તે આપણે આત્માને ચારે તરફ ફેરવી આવ્યા અને તેની આડા ઘાતી ડુંગરો હતા તેને પણ સમજી આવ્યા. આ બહારની બાબતે જતી કરી આત્માને પિતાને જ બરાબર ઓળખ જોઈએ, એટલે એના ત્રણ અવસ્થા પ્રકારે છે તે જ બતાવી આપી તેના વિવેચનમાં આ આખું સ્તવન આનંદઘન (લાભાનંદ) લખે છે. અત્યંત દિલગીરીની વાત છે કે જે આત્માને ઉત્કર્ષ કરે છે, તે આત્માને જ આપણે ઓળખતા નથી. તેથી બીજી દર્શન અને ઘાતી ડુંગરની વાત હાલ તુરતને માટે રહેવા દે છે. આપણે આપણા આત્માને બરાબર જાણી–સમજી લઈએ. આત્માને ન જાણે હોય તે તે બીજી સર્વ વાત જાણેલી નકામી છે. કારણ કે આત્માને જાણ અને એના સર્વ પ્રકારને બરાબર પિછાનવા એ તે કેન્દ્રસ્થાને હોવું જોઈએ. બીજી વાત જાણીએ પણ ખુદ આત્માને ન ઓળખીએ તે સર્વ જાણ્યું નકામું થઈ પડે. શાસ્ત્રકાર કહે છે કે “જે એક આત્માને જાણે તે સર્વને જાણે છે, અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. એટલે આ બધી ધમાલ આત્માને ઓળખવા માટેની હોઈ એને અનેક દષ્ટિબિંદુથી જાણ એ આપણું પવિત્ર ફરજ છે. આત્મા છે' એમ તે આપણને જરૂર લાગે છે, કારણ, મૃતક શરીરને જોઈએ તે શરીર તે તેનું તે રહે છે, પાચે ઈન્દ્રિ-જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિ-સર્વ તેનું તે તેમાં રહે છે, છતાં તે હાલતું ચાલતું નથી, જવાબ આપતું નથી, વિચાર કરી શકતું નથી, તે બતાવે છે કે તેને ચેતના આપનાર કઈ વસ્તુ તેનામાંથી નીકળી ગઈ છે. આ મૃતક શરીરને હલાવનાર, ગતિમાં મૂકનારે આત્મા છે. એક બીજી વાત જોઈએ. સમાન સંગમાં જન્મનાર એક મોટો ધનવાન થાય છે અને બીજે તદ્દન ગરીબ. આવી જ રીતે શરીરનાં બંધારણમાં ફેરફાર; ચાલવાની રીતભાતમાં ફેરફાર બતાવે છે કે એ કમાણ પૂર્વભવની છે. આ પૂર્વભવને સિદ્ધ કરનાર સર્વ દલીલે પણ આત્માની હયાતી સૂચવે છે. આત્મા ન હોય તે એ કમાણી કેની સાથે આવે ? આપણે જોઈએ છીએ, ઘર, પૈસા કે કોઈ પણ ચીજ મરનાર સાથે જતી નથી, પણ તેણે કરેલ સારાં કે ખરાબ કામ તેની સાથે જતાં હોવા જોઈએ, નહિ તે મોટો અન્યાય થઈ જાય અને સારા કે ખરાબ કામના બદલે ન મળે. આ પરભવને સાબિત કરતી બાબત પણ આત્મા જેવી ચીજની હયાતી બતાવે છે અને તેની સાથે તે કૃત્યેનાં ફળ જરૂર જાય છે. આ આત્મા છે એમ સ્વીકારવું અને તેની જુદી જુદી અવસ્થા સમજવી એ આ સ્તવનનો મુખ્ય વિષય છે. આત્મા જેવી કોઈ પ્રેરક અને સંગ્રાહક ચીજને માન્યા વગર ચાલે તેમ જ નથી. નહિ તે કરેલ કાર્યને નાશ થઈ જાય, તે નકામું-નહિવત્ બને, અને ન કરેલ કામ અથવા તેનાં પરિણામ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી આનંદઘન-ચાવીશી આવી પડે. તેટલા માટે આ આત્માને હયાતીને અંગે સ્વીકારીને જ ચાલીએ અને તેની જુદી જુદી અવસ્થાએ કેવી થાય છે તે યાગીશ્વરની નજરે સમજવા પ્રયત્ન કરીએ. આટલી પ્રસ્તાવના સાથે આપણે આ પાંચમા પ્રભુ શ્રી સુમતિનાથના સ્તવનમાં પ્રવેશ કરીએ, સ્તવન (રાગ–વસંત તથા કેદારા ભિવ લોકા તુજ દરશન હાઈ એ-દેશી ) સુમતિ-ચરણ-કજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર, સુગ્યાની; મતિ તરપણ બહુસમ્મત જાણીએ, પરિસર પણ સુવિચાર સુગ્યાની. સુમતિ-ચરણ-કજ આતમ અરણા. ૧ અ—પાંચમા શ્રી સુમતિનાથના ચરણ એટલે પગને માટે તેને આત્મસમર્પણ કરવું; જેમ કાચમાં કોઇ જાતનો વિકાર થતા નથી, જેવી હેાય તેવી ખરાબર છાપ પડે છે. બુદ્ધિની તૃપ્તિ થાય છે. એ વાત ઘણા માણસોએ માન્ય રાખેલી છે એમ જાણવું. એથી સારા માણસે પાછા હઠે છે એ સારા વિચાર છે. (૧) ટમે--જ્ઞાનવિમલસૂરિ પેાતાનો આ સ્તવનનો ટએ લખી ગયા છે તે જણાવે છે કેઃ(સુધારીને) (૧) હૈ ચિદાનંદ આતમ ! શ્રી સુમતિનાથના ચરણુકજ-ચરણકમળની શપણા આપણા આત્મામાં કરો. દણુ–અરીસાની પેરે અવિકાર-વિકારરહિત-નિમ ળ છે, પાપપ’કે મિલન નથી. મતિનું જે તણુ થાપવું તે તે બહુસંમત જાણીએ છીએ. અનેકભેદે મતિના વૈભવ છે તે ભલે વિચારે કરી પરિસંપૂર્ણ કરીએ, અવતારીએ, તે વારે પામીએ (૧) વિવેચન—સુમતિનાથ નામના પાંચમા તીર્થંકરના ચરણકમળમાં આત્માપણુ કરવું તે યેાગની પ્રાથમિક ભૂમિકા છે. આત્માપણુ કરે પ્રાણી પેાતાનાં અને પેાતાના શરીરનાં સ કાર્યં પ્રભુને અર્પણ કરે છે. પહેલાં તે આત્માપણુ એ વસ્તુ સમજી લઈએ. તત્ મુજ્બ મહ્ત્વનું એટલે તારાં સ` કાર્યો મને અપણુ કર, જાણીતા વૈષ્ણવીય સિદ્ધાંત છે. એમાં ખાવું કે પહેરવું, તેનાથી માંડીને જે જે કામ કરવાં તે સમાં મમત્વબુદ્ધિ, પોતે કે પોતા માટે કર્યાં' છે એમ ન માનતાં તે પ્રભુને માટે કર્યા છે અથવા પ્રભુએ પોતે આ વ્યક્તિ મારફત પાઠાંતર- · આતમ અરપણા ’તે સ્થાને પ્રતમાં ‘ આતમ રૂપણ' પાઠ છે, પ્રતમાં પ્રથમનુ સુગ્યાની નથી. ‘સમ્મેત ’ સ્થાને પ્રતમાં ‘સુમતિ' એવે પાઠ છે. (૧) શબ્દા—સુમતિ = સારી બુદ્ધિવાળા, પાંચમા તીર્થંકર. ચરણ-કજ = ચરણકમળ. અર્પણા = અર્પણ કરવું તે. દરપણ = દર્પણ, અરીસા, કાચ. જિમ = જેમ, જેવા. અવિકાર = વિકાર રહિત, ફેરફાર વગર. તિ બુદ્ધિ. તરપણ = તર્પણ, તૃપ્તિ, ભરાઈ જવું તે. બહુસંમત = બહુ જનોને પસંદ, ઘણા માણસોને સ્વીકૃત. પરિસરપણ = પાછા હડવું તે, આગળ વધી જવું તે, ફેલાવો થવા દેવા તે. સુવિચાર = એ સારા વિચાર છે, સાચા નિય છે. (૨) Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૩ ૫: શ્રી સુમતિનાથ જિન સ્તવન કર્યા છે એમ માનવું તે આત્માપણ કહેવાય છે. આત્માર્પણ કરનારે વેપાર કરે કે લડાઈ કરે, ધખોળ કરે કે રસોઈ બનાવે, ટૂંકમાં, એ જે કાંઈ પ્રવૃત્તિ કરે તે પ્રભુના નામે કરે, પ્રભુ પ્રેરણાથી અને કોઈ જાતની બદલાની અપેક્ષા ન રાખતાં પ્રભુપ્રીત્યર્થ કરે, એ આત્માપણ કહેવાય છે. આવી જાતનું ફળની અપેક્ષા રહિતપણું રાખવું એ ગની શરૂઆતમાં ઘણું ઉપયોગી છે. એથી પ્રભુમાં એવી એકલીનતા થઈ જાય છે કે તે પ્રાણી જ પ્રભુમય થઈ ગયે એમ લાગે છે. એને લઈને પ્રાણું એક પ્રકારની નિઃસ્પૃહવૃત્તિ કેળવી પિતાની જાતને ભૂલી જાય છે. આ સમર્પણને સિદ્ધાંત બુદ્ધિને સંતોષ આપે છે, કારણ કે ભગવાન પિતે પણ કાચ જેવા અવિકારી છે. કાચને અવિકારી કહેવાનું કારણ એ છે કે એ જેવો હોય તે આદર્શ બતાવે છે, એ કોઈની શરમ રાખતા નથી. આવી રીતે ભગવાન પિતે પણ અવિકારી છે. તેના હૃદયમાં પણ સાચો ખ્યાલ અવિકારી પણ આવી જાય છે. કેઈ કામ પિતાને હિસાબે કે જોખમે ન રાખતાં ભગવાનને અર્પણ થાય તે એમાં બુદ્ધિ સંતોષાય છે અને પોતે જાણે એનો દ્રષ્ટા જ માત્ર રહે છે. લેકની નજરે આ આત્મર્પણમાં સંમતિ હોય છે, કારણ કે આ આત્માર્પણનો સિદ્ધાંત ઘણાખરા ધર્મોને માન્ય હોય છે અને પિતાની યુગપ્રવૃત્તિ જનસંમત છે એમ જાણી એ પ્રાણીને પણ એક જાતનો સંતોષ થાય છે. આ વ્યવહારનજરે સારી વાત થઈ. પણ એ આત્માર્પણની બુદ્ધિથી પાછા હઠવું તે સાચો વિચાર છે. લેકેની સંમતિ ઉપર ન રાચતાં સમર્પણથી આગળ વધવું અને સમર્પણથી પાછા હઠવું અથવા સમર્પણ તે સર્વસ્વ છે અને હવે સાક્ષીભાવ સિવાય કાંઈ કરવાનું રહેતું નથી એવી જે એકાંત બુદ્ધિ થાય તે બુદ્ધિથી પાછા હઠવું તે સારો વિચાર છે, તે કર્તવ્ય છે, તે અનુકરણીય છે. અહીં લેકસંમતિ અને આત્મપ્રગતિ વચ્ચે ઘણો વિરોધ આવે છે. ઘણા માણસો પસંદ કરે એટલે પિતાનું કર્તવ્ય થઈ ગયું અને પિતામાં પરિપૂર્ણતા આવી ગઈ_એમ ન સમજતાં આગળ વધવું. પૂર્વના સમર્પણના વિચારમાં સર્વસ્વ માનવું એ તે પિતાની બુદ્ધિની કિંમત કરાવે છે. જે પ્રગતિશીલ આત્મા હોય તે આગળ વધે છે અને સમર્પણમાં સર્વ આવી ગયું એમ માનતા હતા તેથી પાછો હઠે છે. પરિસર્પણ”ને કેશને અર્થ “ચારે તરફ જવું” એમ થાય છે; એ રીતે વિચાર કરતાં સર્ષની જેમ આગળ જ વધવું, એકલા આત્મસમર્પણથી અટકવું નહિ, પણ સપ જેમ અવાજ ર્યા વગર આગળ વધે છે તેમ યોગમાર્ગમાં આગળ પ્રગતિ કરવી. યેગમાર્ગમાં પ્રગતિ કેમ થાય તે આપણે આગળ જોશું. એ માર્ગમાં આગળ જવું અને પ્રગતિ કરવી આ અર્થ પણ નીકળે છે. સમર્પણનો સિદ્ધાંત ઠીક છે, પણ તેથી અને તેના પૂરતું અટકવાનું નથી, પણ યોગમાર્ગે બતાવેલ રસ્તે આગળ પ્રગતિ કરવી એ પણ સારો વિચાર છે. આ અર્થ કરતાં પાછા હઠવાની કે અર્પણ કરતાં અટકવાની વાત આવતી નથી, પણ બુદ્ધિને સંતોષ આપે તેવા સમર્પણમાં સંપૂર્ણતા ન માનવી અને સમર્પણ કરતાં પણ આગળ વધવું એ ભાવ નીકળે છે. અને મને ૨૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] શ્રી આનંદઘન ચેવશી તેમ અર્થ કરે વધારે ઉચિત લાગે છે, તે આપણે આગળ ઉપર જેશું. અને પરિસર્ષણને અર્થ ફેલાવો થાય છે તે તે અર્થને પુષ્ટ કરે છે. આ રીતે અર્થ કરીને આપણે પ્રથમ તે આત્માના પ્રકાર વિચારીએ. આત્માને ઓળખવાથી સર્વ વસ્તુ ઓળખાઈ જાય છે, તેથી યેગમાર્ગ જાણવા પહેલાં આત્માને ઓળખી લેવાને આપણે પ્રયત્ન કરીએ. (૧) ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ ધરિ ભેદ, સુગ્યાની; બીજો અંતર આતમા તીસર, પરમાતમ અવિચ્છેદ, સુગ્યાની. સુમતિવર અથ–સર્વ શરીરધારી (માણસ) ના આત્મા ત્રણ જાતના હોય છે. તેને પહેલે પ્રકાર બહિરાત્મા નામને છે, બીજો પ્રકાર અંતરાત્મા નામને છે અને ત્રીજો પ્રકાર પરમાત્મા નામને છે; જે ત્રીજે પ્રકાર કેઈ પ્રકારના વિભાગ વગરને છે. (૨) ટબે-ત્રણ પ્રકારના આત્મા સકલ સંસારી જીવને શરીરધારીને વ્યાપ્ત છે. આતમા તે મહે પ્રથમ ભેદ બહિરાત્મા, બીજો ભેદ અંતરાત્મા, તીસરે પરમાત્મા તે અપેદ, અભેદ, અક્ષય છે. (૨) વિવેચન–શરીરધારીના શરીરને ગતિમાં મૂકનાર આત્મા ત્રણ પ્રકારનો છે. એટલે, એની દશાની અપેક્ષા ધ્યાનમાં લેતાં, દરેક આત્મા આ ત્રણ પ્રકારમાંથી એક પ્રકારમાં આવે. પિતાનો આત્મા આમાંથી કયા પ્રકારમાં આવે છે તે તેનાં લક્ષણ, જે હવે પછી કહેવામાં આવશે, તેનાથી જાણ લઈ નકકી કરવું. એ પ્રકાર નક્કી કરવાનું કારણ પણ જણાવવામાં આવશે. પણ આત્માના આ ત્રણ પ્રકારે ઘણી અગત્યની બાબત છે એ પ્રથમ સમજવા. તે હવે પછીની ગાથામાં ગ્રંથકાર પિતે જ કહેશે અને વિવેચનમાં આપણે બીજા ગ્રંથેનો આધાર પણ લેશું. આ ગાથામાં તે તે ત્રણ પ્રકારને નામમાત્ર જણાવવામાં આવ્યા છે – પ્રથમ પ્રકાર બહિરાત્માને છે. આત્માના ત્રણ પ્રકારમાંથી આ પ્રથમને ભેદ છે. બહિરાત્મા કેને કહે તે આપણે ગ્રંથકારના પોતાના શબ્દોમાં આગળ ત્રીજી ગામામાં જાણવા પ્રયત્ન કરશું. અહીં તેની સંજ્ઞા જ માત્ર આપવામાં આવે છે. બીજે આત્માનો પ્રકાર છે તે અંતરાત્માના નામથી ઓળખવાનું છે. એનું વિસ્તારથી વર્ણન આપણે આ ગ્રંથકાર અને બીજાઓની સમજણને અંગે ત્રીજી ગાથાના વિવેચનમાં કરશું. અને આત્માનો ત્રીજો પ્રકાર તે પરમાત્મા નામથી ઓળખાય છે. એને વિસ્તાર આપણે ચેથી ગાથાના વિવેચન ઉપર રાખશું. આ પરમાત્મા નામનો આત્માનો પ્રકાર છે તે અવિનાશી છે, એક સ્વરૂપે સર્વથા રહેનાર છે અને પછી એના જન્મવા, મરણ પામવાનો અને સંસારમાં પાઠાંતર–“સ” સ્થાને “સલ'. ધુરિ ભેદ સ્થાને “અધરૂપ સુગ્યાની ” આ પાઠ પ્રતમાં છે. આતમાં સ્થાને આતમ. પરિમાતમ એવો પાઠ પણ છેલ્લે છે. શબ્દાર્થ-ત્રિવિધ = ત્રણ પ્રકારને. સકળ = સર્વ, અપવાદ વગર કુલ. તનુધર = શરીરધારી, દેહધારી. ગત = તેમાં રહેલે. બહિરાતમ = બાહ્ય આત્મા. એ એની પ્રથમ દશા થઈ ધુરિ = પહેલે. ભેદ = અવસ્થા, પ્રકાર. તીસરે = ત્રીજે. અવિચ્છેદ = શુદ્ધ, એકસરખે. (૨) Page #171 -------------------------------------------------------------------------- ________________ [૧પપ ૫ : શ્રી સુમતિનાથ જિન સ્તવન ભાગ લેવાનો છેડો આવવાથી એ સર્વદા માટે પિતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. એ આત્માનો નિર્વિભાજ્ય વિભાગ છે અને સર્વથી વધારે સારે પ્રકાર છે, જે આપણે તેના ચોથી ગાથાના વિવેચનમાં વિસ્તારશું. આ આત્માના ત્રણ પ્રકાર કેવી રીતે પાડવામાં આવ્યા છે તે આપણે વિસ્તારથી સમજવા યત્ન કરીએ. ગ્રંથકારે પોતે જ તેનો ત્રીજી અને ચોથી ગાથામાં વિસ્તાર કર્યો છે. આ બીજી ગાથામાં તે તેના નામમાત્ર પ્રકાર બતાવવામાં આવ્યા છે. મોક્ષમાં ગયા પછી તે સર્વ આત્મા એકસરખા હોવાથી તેના ભેદ પડતા નથી, પણ આ ત્રણ પ્રકાર શરીરધારી આત્માના પડે છે તેમ સમજી આપણે હવે આગળ વધીએ. (૨) આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ સુગ્યાની; કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ સુગ્યાની સુમતિ૩ અર્થ—શરીર, વસ્તુ વગેરેને આત્માની બુદ્ધિએ ગ્રહણ કરે તે પાપરૂપ પ્રથમ બહિરાત્માનો પ્રકાર સમજો. અને શરીર વગેરેનો પિતે સાક્ષી થઈ રહે અને દરેક ચીજનો પણ સાક્ષી થઈને રહે, તે બીજે અંતરાત્માને પ્રકાર જાણવો. (૩) ટો– તેહનાં લક્ષણ કહે છે. કાયાદિક પુદ્ગળ પિંડને આત્મારૂપે કરી સંગ્રહ્યો, વિષયકષાયાદિકને આપણા કરી જાણે તે બહિરાત્મા અધિક પાપરૂપ તે જાણ. અને કાયાદિકને સાક્ષી માત્ર જાણે, પણ સ્વરૂપમાં ભિન્ન જાણે તે અંતરાત્મા, તે સાધકરૂપ થાય. (૩) વિવેચન-આત્મા ત્રણ પ્રકારના હોય છે તેમાંથી બહિરાત્મા નામના પ્રથમ પ્રકારનો આ ગાથામાં વિસ્તાર કરે છે. જે શરીરને આત્મા માને તે પાપરૂપ પ્રથમ બહિરાત્માનો પ્રકાર છે. એ ઘણી જાડી બુદ્ધિથી શરીરને જ આત્મા સમજે છે. તે જ પ્રમાણે ઘર-સામગ્રી કે ફરનીચરને આત્મા માનનારી અથવા તે-મય થઈ ગયેલા અને પૈસાને આત્મા માનનાર પણ અનેક પડયા છે. તેઓ સર્વ આ બહિરાત્માના પ્રકારમાં આવે છે. પિતાના ઘરને સળગતું જઈ પિતે બળી -જળી જાય તે પણ ઘરને આત્મા જેવું માનનાર બહિરાત્મારૂપ જ છે અને તે આત્માના પ્રથમ પ્રકારમાં આવે છે. બાહ્ય કઈ પણ વસ્તુમાં તે એ તન્મય થઈ જાય કે તેની અને પર વસ્ત વચ્ચે તફાવત ન રહે, તે બહિરાત્મા નામના પ્રથમ પ્રકારમાં આવે છે. આ સંબંધમાં શાસ્ત્રકાર શું કહે છે તે આપણે આગળ ઉપર જેશું. એવા બહિરાત્માએ પાપરૂપ છે, પાપી છે, જાતે દેષિત છે અને તેના સંબંધમાં આવનારને પણ તે મિથ્યા વાતથી સંગદેષથી દોષિત પાઠાંતર–કાયાદિકન’ પછી ‘હા’ વધારે છે, તે પાદ પૂરણાથે છે. (૩) શબ્દાથી–આતમબુદ્ધ = એ આત્મા છે એવી બુદ્ધિએ, શરીર અને આત્મા એક જ છે એવી બુદિએ. બુ = સમજણે. કાયાદિક = શરીર વગેરે વડે લેવાય. અધરૂપ = પાપરૂપ. કાયાદિકનો = શરીર વગેરેનો. સાખીધર = દ્રષ્ટા, જેનારે. (૩) Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] શ્રી આનંદઘન-ચાવીશી બનાવે છે. બહિરાત્માની વ્યાખ્યા કરતાં શુભચંદ્ર મુનિ પિતાના “જ્ઞાનાવ” નામના ગ્રંથમાં કહે છે કે – “સમજુ અને મેક્ષની વાંછા કરતા હોય તેણે પરપર્યાય રહિત થઈને આત્મા સંબંધમાં સમ્યગુ રીતે નિશ્ચય કરે, એ બહુ જરૂરી છે. દેહધારી સર્વ પ્રાણીઓના આત્મા ત્રણ પ્રકારના હોય છે એવી વિશ્વવ્યવસ્થા છે : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આ ત્રણેનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે. આમવિભ્રમને પરિણામે જે શરીર વગેરેમાં આત્મબુદ્ધિ રાખે છે, એની ચેતના મેહુથી ઊંઘી ગયેલી અને અસ્ત પામેલી હોય છે અને તે પહેલા પ્રકારને બહિરાત્મા છે એમ જાણવું. બાહ્ય ભાવને તજી દઈને આત્મામાં જ આત્મનિશ્ચય કરે છે તેવા પ્રકારના આત્માને જ્ઞાની પુરુષએ અંતરાત્મા કહેલ છે. જે આત્મા કોઈ જાતનો લેપતે નથી એટલે જે નિલેપ રહે છે, જેને શરીર સાથે કશો સંબંધ નથી એટલે જે નિષ્કલ છે અને પિતે તદ્દન શદ્ધ છે એટલે જેને રાગ-દ્વેષની જરા પણ અસર થતી નથી, રહી નથી અને તદ્દન નિવૃત્ત છે અને જેનામાં કઈ જાતનો વિકલ્પ થતું નથી તેને પરમાત્મા કહેવામાં આવે છે. આ આત્માને નિર્વિકપ કેવી રીતે ઓળખે તે મોટો પ્રશ્ન છે. એને શરીર વગેરે પદાર્થોથી અલગ ગણવું જોઈએ. એ અતિપ્રિય છે એ રીતે એને પરમાત્મા તરીકે શોધી યેગીએ તેને જુદે ગણવો જોઈએ. તેટલા માટે યેગી બહિરાત્માને છોડી દઈને, પિતે જાતે કલ્પના વગરને થઈ આત્માને બરાબર ઓળખે અને તેમાં સુસ્થિર થઈને તેનું ધ્યાન કરે તે ખરેખરા લેગીનું લક્ષણ છે. જેની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેઓ આત્માને શરીર સાથે જોડે છે. શરીરથી શરીરધારીને જ્ઞાની માણસ જુદો ધારે છે. શરીરમાં આત્મબુદ્ધિની કલ્પના કેટલાક પ્રાણીઓને થાય છે અને એવા બહિરાત્માઓ આ જગતને પણ પોતાની સંપત્તિ માની ઠગાય છે અને કાંઈ આત્મહિત કરી શકતા નથી. શરીરમાં આત્મા છે અને તે પોતે છે, શરીર જ આત્મા છે આ સંસારબીજ છે. માટે એ બાહ્ય ભાવનો ત્યાગ કરવો અને અંતરંગમાં પ્રવેશ કરે.” આ પ્રમાણે થંડી હકીકત જણાવી. જ્ઞાનાવની અસલ હકીકતે ધર્મધ્યાનની છે. તેમાં આત્માને કેવી રીતે ઓળખ અને ચિંતવ એ સવીયે ધ્યાનની રચનામાં આ હકીકત આપી છે તેને પ્રસ્તુત ધારીને અત્ર આપવામાં આવી છે. આ રીતે બહિરાત્માનો પ્રકાર સમજવા આપણે કાંઈક પ્રયાસ કર્યો. અને ઉપર નામ આપ્યાં તે પદાર્થો અને શરીરનો જે સાક્ષીભાવ રાખે છે. તેને માત્ર સાધનરૂપ ગણે છે, તે આત્માને બીજો પ્રકાર છે, તેને અંતરાત્મા કહેવામાં આવે છે. આ ત્રણે પ્રકારના આત્માને ઓળખવા માટે શ્રી જ્ઞાનર્ણવમાં શુભચંદ્ર મુનિએ ઘણું કહ્યું છે તે અત્રે પ્રસ્તુત હોવાથી અવતરણ યોગ્ય છે. તેઓ જણાવે છે કે – જ્ઞાની વિચાર કરે છે કે ઇન્દ્રિ દ્વારા આત્મસ્વરૂપથી છૂટો થઈને પિતે વિષયમાં મગ્ન થઈ જઈને મેં ખરેખર આત્માને અહુ ભાવથી બરાબર જાણ્યા નથી. બાહ્ય શરીરાદિકમાં આત્મબુદ્ધિને છોડી દઈને જે અંતરાત્મારૂપ થઈ જાય છે અને જે વિષયાદિકમાં પણ આત્મબુદ્ધિ કરતે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૫: શ્રી સુમતિનાથ જિન સ્તવન [૧પ૭ નથી તે યોગી પરમેષ્ઠીના સ્વરૂપને પ્રકાશ કરે છે. જે જે દેખવા યોગ્ય રૂપ છે એ તે પારકું છે, પર છે, અને પિતાનું જે જ્ઞાનમય રૂપ છે તે તદ્દન જુદા પ્રકારનું છે. મારું અસલ રૂપ છે તે જ્ઞાનવાનરૂપ છે તે ત અન્ય પ્રકારનું છે. એ ઈન્દ્રિયજ્ઞાનથી અજ્ઞાત છે. ત્યારે મારે બોલવું પણ કોની સાથે લેકે પોતાની સાથે બોલે અને પોતે લોકોની સાથે બેલે, એ બને પણ વિશ્વનું સ્થાન છે. કારણ કે પોતે (આત્મા) તે પાપરહિત છે, આવો વિચાર કરીને એ કોની સાથે વાતચીત કરે અને કેને ઉદ્દેશીને વાત કરે ? જે આત્મા પિતાને જ ગ્રહણ કરે છે અને જે પિતાથી પરને ઓળખે છે, પણ તેને ગ્રહણ કરતું નથી, તે સમજુ માણસ વિકલ્પ રહિત થઈને ભાવને કરે છે કે હું મારી જાતને જ જાણવા યોગ્ય છું. આવી રીતે વિચાર કરીને અરસપરસ લેવાદેવાનો વ્યવહાર છેડી દે છે. જેની સાંકળમાં સર્ષની બુદ્ધિ છે એવા માણસને કિયાનો ભ્રમ થાય છે. એ રીતે શરીર વગેરેમાં આત્મબુદ્ધિના ભ્રમથી ભેદજ્ઞાન હોવા પહેલાં ભ્રમરૂપ એણે અનેક ક્રિયા કરી છે. જ્યારે સાંકળમાં સપનું જ્ઞાન નાશ પામે તેમ શરીર વગેરે પરથી આત્મત્વનો ભ્રમ દૂર થાય, પતે બ્રમથી રહિત થઈ જાય છે. આવી રીતે શરીર વગેરેને પર-દ્રવ્ય માનીને તેને લગતે સર્વ મમત્વ એ છોડી દે, અને આ નપુંસક છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, કે આ એક છે, બે છે, બહુ છે એવી લિંગ અને સંખ્યાની એને માટે પરવા હોતી નથી, કારણ કે એ પિતાને પોતાની અંદર બરાબર જાણે છે. આ રીતે એ લિંગ અને સંખ્યાનો વિકલ્પ પણ છોડી દે. જે જ્ઞાન નહિ હોવાથી હું અત્યાર સુધી ઊંઘતે હતું અને જેનું જ્ઞાન થવાથી હું ઊડ્યો એ સ્વરૂપ મારે બરાબર પ્રત્યક્ષ જાણવું જોઈએ ? આવા આવા એ પ્રાણી વિચાર કરે. એ આત્માને જ્યોતિર્મય જ્ઞાનપ્રકાશરૂપ દેખે. એના રાગદ્વેષ ક્ષય પામી જાય, એટલે એને કેઈ શત્રુ કે કોઈ મિત્ર ન હોય. આવું પિતાનું સ્વરૂપ, જે લેકે દેખ્યું ન હોય, જાણ્યું ન હોય, તે પિતાનો મિત્ર કે શત્રુ નથી અને જેણે આવું પિતાનું સ્વરૂપ જાણ્યું હોય તે પણ તેને મિત્ર તેમ જ શત્રુ નથી આવા પ્રકારનો એ વિચાર કરે. એવી નજરે જોનારને તે વખત સુધી જાણ્યા પહેલાંની, સર્વ પ્રકારની ચેષ્ટા એને સ્વપ્ન જેવી અથવા ઈંદ્રજાળ જેવી લાગે. એ પિતાના આત્માને પરમ પ્રકાશમય અને અખંડ જ્યોતિમય માને. પોતાના આત્માને પરમાત્માસ્વરૂપ જાણે અને દેખે. ત્યાર પછી આ અંતરાત્મપ્રકારનો પ્રાણી બાહ્ય આત્માને છોડી દઈને પ્રસન્ન રૂપ અંતરાત્મા દ્વારા પિતાની સર્વ કલ્પનાજાળને મટાડી દે, અને પરમાત્માને અભ્યાસોચર કરે. બંધ અને મોક્ષ ભ્રમમય અને નિર્જમમય જાણે. આમાં પસંબંધથી બન્ધ થાય છે અને પર-દ્રવ્યના ભેદથી મોક્ષ થાય છે એવું એ ચિંતવન કરે. અને પછી એ જ્ઞાની પુરુષના આચરણને સમજી લે. એ વિચારે કે જે આચરણથી અજ્ઞાની કર્મબંધ કરે છે તે આચરણમાં જ જ્ઞાની કર્મથી છૂટી જાય છે એ વાતનું એને આશ્ચર્ય લાગે છે. એ અંતરાત્મા ત્યાર પછી વધારે વિચાર કરે છે કે આ સંસારમાં અત્યાર સુધી પોતે ખેદ પામી કંટાળી ગયે તે આત્મા અને અનામાનો તફાવત ન જાણવાને પરિણામે થયેલ છે અને પોતાને તે અત્યંત દુઃખનું ખરું કારણ લાગે છે. બીજા લેક આ સંસારમાં કેમ ડૂબે છે, કેમ રખડે છે અને આત્માને કેમ દેખતા નથી?–આવી રીતની તે ચિંતવના કરે છે. આત્મા આત્મામાં Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] શ્રી આનંદઘન-ચોવીશી જ આત્મા દ્વારા સ્વયં એવ અનુભવન કરે, એનાથી બીજું બીજે ઠેકાણેથી જાણવાનો પ્રયાસ કરે તે નકામું છે, ફળ વગરનું–આ પ્રમાણે તે જાણે. એ હું છું, એ હું છું એમ નિરંતર અભ્યાસ કરતો પુરુષ આ વાસનાને દઢ કરે છે અને આત્મામાં અવસ્થિત થાય છે. અજ્ઞાની પુરુષને જે જે વિષયે પ્રીતિને માટે હોય છે તે જ્ઞાનીને આપત્તિનું સ્થાન થાય છે અને અજ્ઞાની જે તપસ્યાદિકમાં ભય કરે છે તેમાં જ જ્ઞાની આનંદ લે છે. આ રીતે ઇન્દ્રિયના સમૂહ જેને પ્રસન્ન હોય છે તે અંતરાત્મા પરમેષ્ઠીરૂપ છે. જે સિદ્ધનું આત્મસ્વરૂપ છે તે જ મારો આત્મા છે, હું અન્ય કોઈની પૂજા કરવા યોગ્ય નથી અને મને બીજે જાણીને અન્ય કોઈ પિતાની ઉપાસના કરે તેને પિતે યોગ્ય નથી આવી રીતની એ ભાવના કરે. પિતાના આત્માને ઈન્દ્રિયરૂપ વાઘના મુખમાંથી ખેંચી લઈને આત્માની મારફત જ પિતે ચિદાનંદમય છે અને પિતે પોતાના આત્મામાં જ સ્થિર થઈ જાય છે. આ રીતે એ ચૈતન્ય અને આનંદરૂપમાં લીન થઈ જાય. વિભ્રમ સહિત જે મુનિ આત્માને દેહથી રહિત જાણે તે તીવ્ર તપ કરે તો પણ કર્મ બંધનથી છૂટે નહિ. ભેદને જાણનાર મુનિ આત્મા પારકાના અંતરનો ભેદ કરી આનંદરૂપ થઈ જાય છે. એ તપ કરે તે પણ તેના શરીરથી ખિન્ન ન થાય. જે મુનિનું મન રાગાદિક મળથી ભિન્ન થઈ જાય અને તદ્દન નિર્મળ થઈ જાય તે મુનિ આત્માને ભલે પ્રકારે જાણે અને બીજા કઈ પણ હેતુથી આત્માને ન જાણે. વિકલ્પ વગરનું મન તત્વ સ્વરૂપ છે. જે મન વિકલ્પોથી પીડિત છે તે તરવરૂપ નથી હોતું. એ કારણે તત્ત્વની સિદ્ધિને માટે મનને વિકલ્પ રહિત કરવું. જે મન અજ્ઞાનથી બગડેલું હોય તે નિજસ્વરૂપથી છૂટી જાય છે અને જે સમ્યજ્ઞાનથી વાસિત થયેલું હોય તે પિતાના અંતઃકરણમાં પરમાત્માને દેખે છે. મુનિનું મન મોહના ઉદયથી રાગાદિથી પીડિત હોય તે મનને આત્મસ્વરૂપમાં લગાડીને એ પિતાના રાગાદિકને ક્ષણમાત્રમાં ક્ષેપણ કરે છે એટલે તેને તેઓ દૂર કરે છે. અજ્ઞાની આત્મા કાયામાં રત થઈ જાય છે; એ જ મનને સમજુ ચિદાનંદમાં લગાડીને પછી કાયા ઉપર પ્રેમ છોડી દે છે. આપણા વિશ્વમથી ઉત્પન્ન થયેલું દુઃખ આપણું જ્ઞાનથી દૂર થઈ જાય છે. આત્માના વિજ્ઞાનથી રહિત પુરુષ તપથી પોતાને થતું દુઃખ મટાડી શકતું નથી. બહિરાત્મા જે પ્રાણી હોય તે પોતાને માટે સુંદર રૂપ, આયુ, બળ ઈત્યાદિક ચાહે છે અને જે ખરે વિજ્ઞાની પુરુષ છે તે પોતામાં જે સ્વરૂપ કે એવું કાંઈ પણ હોય તેનાથી છૂટવા ચાહે છે. બહિરાત્મા આત્મસ્વભાવથી શ્રુત થઈ અન્ય પદાર્થોમાં અહં. બુદ્ધિ કરે છે અને તેથી બંધાય છે, ત્યારે જ્ઞાની માણસ આત્મામાં જ આત્મબુદ્ધિ કરીને પર પદાર્થોથી છૂટી જાય છે. આ રૂપ અચેતન છે અને ઇન્દ્રિયગ્રાહ્ય છે, પણ એ ચેતનદશ્ય નથી, એથી રૂપાદિક પર પદાર્થો ઉપર જે મારે રાગાદિક છે તે સર્વે નિષ્ફળ છે. હું મારા પિતાના સ્વરૂપનો આશ્રય કરું છું-આ પ્રમાણે એ વિચાર કરે. અજ્ઞાની પ્રાણીઓ બાહ્ય ત્યાગ કરે છે, પણ ખરા તત્વજ્ઞાનીઓ અંતરંગ ત્યાગને ત્રણ કરે છે અને જે શુદ્ધાત્મા હોય તે બાહ્ય અને અંતરંગ બન્ને પ્રકારનો ત્યાગ કરે, અને કોઈ પ્રકારને ઝડણ ન જ કરે. મુનિ આત્માને વચન અને કાયાથી ભિન્ન કરીને મનથી તેનો અભ્યાસ કરે અને બીજા કાર્યો વચન અને કાયાથી કરે, પણ ચિત્તથી ન કરે, ચિત્તથી Page #175 -------------------------------------------------------------------------- ________________ ૫: શ્રી સુમતિનાથ જિન સ્તવન [૧૫૯ તે આત્માનો જ અભ્યાસ કરે. અજ્ઞાન ચિત્તવાળાને આ દુનિયા વિશ્વાસ ને આનંદનું સ્થાન થઈ પડે છે, પણ આત્માનંદ જાણનારને એમાં જરા પણ આનંદ પડતું નથી. પોતે જ પોતાને આનંદરૂપ બનાવે, માને. આત્મજ્ઞાની મુનિ જ્ઞાન સિવાય કઈ પણ કાર્યમાં મનને એક ક્ષણમાત્ર પણ ધારણ કરે નહિ. કદાચ કોઈ કામ કોઈ કારણવશ થઈને કરે તે વચન અને કાયાથી એ આદર વગર તે કામ કરે, પણ જ્ઞાનની વાસના તે તેના મનમાં જરૂર નિરંતર રહે. આત્મજ્ઞાની મુનિ વિચારે કે ઇન્દ્રિય વિષયરૂપ મૂર્તિ છે એ તે પોતાના આત્મસ્વરૂપથી વિલક્ષણ છે અને પોતાનું રૂપ તે અંતરંગ તિર્મય છે, અને આનંદથી ભરેલ અને અંતરંગ તિર્મય છે. યોગાભ્યાસી સાધક મુનિએના અંતરંગમાં દુઃખ હોય અને બાહ્યમાં સુખ હોય, અને સુપ્રતિષ્ઠિત યોગીઓને તેથી ઊલટું હોય, એટલે પ્રતિષ્ઠિત ગીને અંતરંગમાં સુખ હોય છે અને બાહ્યમાં દુઃખ હોય છે. આ સાધક-અવસ્થાની વાત થઈ. મુનિ સર્વ પ્રકારની બ્રાંતિને છોડીને આત્માની સ્થિતિ આત્મામાં જ છે અને એ વિષય જાણવું જોઈએ અને એ વિષય પર પોતે બલવું, સાંભળવું અને વિચાર કરે જોઈએ—આવી મુનિની સ્થિતિ હોય છે. ઈદ્રિયના વિષયમાં એવું કાંઈ પણ નથી કે જેને હિતકારી હોય, પરંતુ અજ્ઞાની મૂખ પ્રાણીને એ વિષયમાં જ પ્રીતિ થાય છે. આ અજ્ઞાનની ચેષ્ટા છે. મૂખ માણસને કેઈ કાંઈ કહે તો પણ તે આત્માને પ્રાપ્ત કરી શકતું નથી અને તેને કહેવાનો પ્રયત્ન કરે તે પણ નકામે છે (નિષ્ફળ છે). જે પિતે પારકાને જણાવવા ચાહે છે તે આત્મિક વસ્તુ નથી અને હું પોતે આત્મા છું, તે પરને ગ્રહણ કરવા યોગ્ય નથી. આથી બીજાને સંબોધન કરવાનો માટે પ્રયત્ન કે ઉદ્યમ નકામે છે, કારણ કે આત્મા તે પોતાનાથી જ જણાય છે, પારકાનું કહેવું કે તેને સાંભળવું તે તે નિમિત્ત માત્ર છે. આ માટે આ સંબંધમાં આગ્રહ રાખે વૃથા છે. અજ્ઞાની પ્રાણ પિતાથી ભિન્ન વસ્તુ ઉપર સંતુષ્ટ થઈ જાય છે, કારણ કે એની અંતતિ યુદ્ધ થઈ ગઈ હોય છે. જ્ઞાની પુરુષ આત્મામાં જ સંતેષ પામે છે, કારણ કે એનો બાહ્ય વિભ્રમ નાશ પામી ગયેલ હોય છે. આ પ્રાણી જ્યાં સુધી મન-વચન-કાયાના સમૂહને આત્માની ઈચ્છાથી ગ્રહણ કરે છે ત્યાં સુધી એને સંસાર છે, જ્યારે એને ભેદજ્ઞાન થાય ત્યારે એને સંસારનો અભાવ થઈ જાય છે. જેમ વસ્ત્ર જીણ થઈ જાય, લાલ થઈ જાય, દઢ થઈ જાય અથવા નાશ પામી જાય છે તેથી જેમ આત્મા કે શરીર જીર્ણ અથવા લાલ થતું નથી, એ પ્રમાણે શરીર જીણું થઈ જાય કે નાશ પામી જાય તે પણ આત્મા જીણું થતું નથી કે નાશ પામતે નથી, આ દૃષ્ટાંતને બરાબર ઘટાવવું. જે મુનિની આત્મા અચળ-અવસ્થિતિ થાય અથવા હેય તેનો મોક્ષ થાય, પણ જે મુનિની આત્માને વિષે અવસ્થિતિ ન થાય તેનો મોક્ષ થતું નથી. સાંખ્ય, નૈયાયિકાદિ કેટલાક એકલા માત્ર જ્ઞાનથી મુક્તિ મને એ વાત બરાબર નથી, પણ સમ્યગ જ્ઞાનપૂર્વક દર્શન અને ચારિત્ર એ જ આત્માની અવસ્થિતિ કહેવાય. અવસ્થિતિ એટલે રહેઠાણ, રહેવું તે. શરીર સહિત પોતે દઢ છે, સ્કૂલ (મેટ) છે, સ્થિર છે, લાંબો છે, જીર્ણ છે, અતિ પાતળે છે, હલકે છે, અથવા ભારે છે આ શરીર સહિત સંબંધ ન કરે તે પુરુષ જ આત્માનું જ્ઞાનસ્વરૂપ જાણે છે, અને તેનો Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦] શ્રી આનંદઘન-વીશી અનુભવ કરે છે. જે આત્માને જાણતા નથી તે પર્વત, ગામ આદિકમાં પોતાને રહેવાનું સ્થાન જાણે છે, પણ જે જ્ઞાની છે તે સર્વ અવસ્થામાં પોતાના આત્મામાં જ પોતાનું નિવાસસ્થાન સમજે છે. શરીરમાં આત્મા છે તે, શરીરને જ આત્મા માને એ પ્રકારના માણસોને આગામી પરિપાટીનું કારણ બને છે. અને પોતાનો આત્મા જ આત્મા છે એવું જ્ઞાન આ શરીરથી બીજા શરીર હોવાનો અભાવ થવાનું કારણ છે. આ આત્મા પોતે જ પોતાને સંસાર રચે છે અને પોતાની મારફત જ પોતે જ પોતાને માટે મોક્ષ નીપજાવે છે, આ કારણને લઈને આપ પોતે જ પોતાને શત્રુ છે અને પોતે જ પોતાને ગુરુ છે, આમ સ્પષ્ટ સમજે. બાકી બીજા પર માણસો કે વસ્તુઓ તે નિમિત્ત માત્ર છે. આત્માને જાણવાવાળે શરીરને આત્માથી જુદું જાણે છે અને શરીરને આત્માથી ભિન્ન જાણે છે, વગર શંકાએ એ શરીરનો ત્યાગ કરી દે છે; જેમ સામાન્ય માણસ મેલાં કપડાંને જોઈ નારાજ થાય છે અને તેનો વગર શંકાએ ત્યાગ કરે છે, તેમ જ આ શરીર પણ ગ્લાનિનું સ્થાન છે, એ કારણે એને ત્યાગ કરવો પડે કે થાય ત્યારે જરા પણ શંકા આણે નહિ. જ્ઞાની માણસ આત્માના સ્વરૂપને અંતરંગમાં દેખીને અને શરીરને બાહ્યમાં દેખીને બનને વચ્ચેના તફાવતથી નિષ્ણાત જ્ઞાતા થઈને આત્માના નિશ્ચયમાં ડગતા નથી અને એવી રીતે એ નિશ્ચળ અંતરાત્મા થઈને રહે છે. જેને આત્માનો નિશ્ચય થઈ ગયું છે એવા, જ્ઞાનીની નજરે આ જગતને ગાંડા (ઉન્મત્ત) જેવું વિચારે છે, ત્યાર પછી આત્માનો દૃઢ અભ્યાસ કરીને એ આખા જગતને પથ્થર જેવું જુએ છે. જે પુરુષ આત્મા અને શરીરને જુદા જુદા સાંભળીને તે પ્રમાણે કહેતે હોય પણ ભેદાભ્યાસથી તેવી નિષ્ઠાવાળો ન થાય ત્યાં સુધી એ શરીરથી છૂટો થતું નથી, કારણું, નિરંતર ભેદજ્ઞાનના અભ્યાસથી જ એનો મમત્વ છૂટે છે. આત્માને આત્માની જ મારફત આત્મામાં જ વિચાર કરે કે આત્મા શરીરથી ભિન્ન છે. જ્યાં સુધી આવા ભેદાભ્યાસથી એ નિષ્ઠિત (નિષ્ઠાવાળે) ન થાય, ત્યાં સુધી એ છૂટતું નથી, કારણ, નિરંતર ભેદજ્ઞાનથી અને તેના અભ્યાસથી જ તેનો મમત્વ છૂટે છે. આત્માને આત્મા દ્વારા આત્મામાં એ શરીરથી જુદો (ભિન) છે એ વિચાર કર, વિચારણા કરવી; એનાથી આ આત્મા સ્વપ્નમાં પણ શરીરની સબતને પ્રાપ્ત ન થાય, એટલે પોતે શરીરમાં છે એવી બુદ્ધિ રવપ્નમાં પણ ન થાય એ નિશ્ચય કરે જોઈએ. તે નિશ્ચય થતાં વ્રત અને અવત શુભ અથવા અશુભ બંધનું કારણ થાય છે અને શુભ અથવા અશુભ કર્મના અભાવથી મોક્ષપ્રાપ્તિ થાય છે, એટલાં કારણથી મોક્ષની ઈચ્છા કરનાર મુનિ વ્રત અથવા અવ્રત બને ત્યાગ કરે છે અને તે પિતે કર્યું છે અથવા પોતે નથી કર્યું તેનું અભિમાન કરતો નથી. વ્રત અને અવ્રતને ત્યાગવાનું કહ્યું છે એ ત્યાગની પહેલાં પ્રથમ એ અસંયમને છોડીને સંયમમાં રક્ત થઈ જાય છે. પછી સમ્યગ પ્રકારે આત્મામાં અવસ્થિતિને પ્રાપ્ત કરીને એ સંયમથી પણ વિરક્ત થઈ જાય, અસંયમ છેડી દઈ, ત્યાર પછી આત્મામાં અવસ્થિતિ પ્રાપ્ત કરીને એ સંયમથી પણ વિરક્ત થઈ જાય. આ રીતે એ સંયમના અભિમાનને પણ ન રાખે અને જાતિ અને લિંગ બને દેહને આશ્રિત છે, અને આ દેહ સ્વરૂપ સંસાર છે; મુનિ એટલા માટે લિંગ અને જાતિને Page #177 -------------------------------------------------------------------------- ________________ પ: શ્રી સુમતિનાથ જિન સ્તવન [૧૬૧ ત્યાગ કરે, એટલે એ બન્ને સંબંધમાં પણ કોઈ પ્રકારનું અભિમાન ધારણ ન કરે. જેમ આંધળા મનુષ્યની કાંધ પર પાંગળો માણસ ચઢીને ચાલે છે, પણ એને ભેદ ન જાણનાર માણસ એ પાંગળાની આંખને આંધળા મનુષ્યની આંખે ગણે છે એ પ્રમાણે આત્મા અને શરીરનો સંબંધ છે. પણ જે એને ભેદ નહિ જાણવાવાળે અજ્ઞાની આત્મા જે દેખાય છે તેને અંગનું દશ્ય જાણે છે. પણ આંધળા અને પાંગળાને ભેદ જાણનાર પુરુષ પાંગળાની આંખને આંધળાની આંખે છે તેમ નથી જાણતે, એ રીતે આત્મા અને શરીરને ભેદ જાણનાર પુરુષ આત્માને દશ્ય હોય તેને દેહના દશ્ય તરીકે જાણે નહિ, કારણ કે આત્મા ચૈતન્ય જ્ઞાનવાન છે, પણ દેહ વગર ચાલી શકતા નથી, તેથી તે પાંગળાની માફક એ ભેદને એ જાણ નથી. દેહ અચેતન (જડ) છે એટલે આ આત્મા અંધ સમાન છે. આ ભેદને જે જાણે તે દેહમાં કાંઈ નથી એમ જાણીને આત્મામાં જ આત્મા છે એમ જાણે છે. અજ્ઞાની કોઈને ગાંડે (ઉન્મત્ત) થયેલે જાણે છે અને તે આત્મા છે એવા વિશ્વમમાં પડી જાય છે એટલે અજ્ઞાની પિતાના આત્માને ભૂલી જાય છે, અને એ ચૈતન્યવંત થાય ત્યારે પિતાની જાતને ઓળખે છે, પણ જે તત્વદશી હોય છે તે સર્વ અવસ્થામાં વિભ્રમમાં ન જ પડી જાય અને સર્વ અવસ્થામાં આત્માને ઓળખે અને કદી ભૂલે નહિ. જે પ્રાણની શરીર પર આત્મબુદ્ધિ હોય છે એ મિથ્યાદષ્ટિ કદાચ જાગતું હોય કે ભણતે હોય તે પણ તે કર્મથી છૂટતું નથી, પણ જેને આત્મા આત્મા સંબંધી નિશ્ચિત થઈ ગયું હોય છે તે સૂઈ જાય કે ઉન્મત્ત બની જાય તે પણ કર્મબંધથી છૂટી જાય છે. જેવી રીતે બત્તી દીવાને પ્રાપ્ત કરીને દી પિતે જ થઈ જાય છે તે પ્રકારે આ આત્મા સિદ્ધસ્વરૂપ અનુભવ કરીને સિદ્ધપણું પ્રાપ્ત કરી લે છે, આત્મા આત્માને આરાધીને પરમાત્માપણાને પામે છે. જેમ ઝાડ પોતાને પિતાથી જ ઘસીને અગ્નિમય થઈ જાય છે તે રીતે તે પરમાત્મા થઈ જાય છે. આ આત્મા ઉપર જણાવેલ પ્રકારના વચનને અગોચર પરમેષિપદને દયાવીને એ પદને પ્રાપ્ત કરે છે અને પછી કદી પાછા આવતા નથી. જે આત્માનું વિજ્ઞાન માત્ર સમ્યગુ પ્રકારે ચાહે છે તેણે જાણવું જોઈએ કે જ્ઞાનીને પરમ પદ (મોક્ષ) વિના પ્રયત્ન જ થઈ ગયું છે. જેમ સ્વમમાં પોતાની જાત ખલાસ થઈ ગઈ, નાશ પામી ગઈ એવું દેખાવા માત્રથી આત્મા નષ્ટ થતું નથી, એમ જ જાગતાં હૃદયને પણ વિનાશ નથી. પણ બને જગાએ જગતના વિનાશને ભ્રમ વિશેષતા વગરને થાય છે. તું આત્માને આત્મામાં પિતાથી જ જાણું કે પોતે અતિન્દ્રિય છે અને પિતે ઇન્દ્રિયને ગોચર નથી. શરીરમાં આ શરીર જ આત્મા છે એ પ્રકારને અભ્યાસ કરનાર અથવા જાણનાર તેણે શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય તે પણ એ કર્મથી છૂટ નથી, શાસ્ત્રશૂન્ય છે. અને જે આત્મામાં આત્માને જાણે અને માને છે તે કર્મથી છૂટી મુક્ત થઈ જાય છે. જે જ્ઞાનને સુખે સુખે અભ્યાસ કર્યો હોય છે તેવું જ્ઞાન દુઃખ આવે ત્યારે સર્વ મૂકે છે, તેથી યેગી દુઃખને અંગીકાર કરે છે અને તત્વને અનુભવ ૨૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ [૧૬૨ શ્રી આનંદઘન–વીશી આટલું લંબાણ ટાંચણ કરવાનું કારણ બહિરાત્મા અને અંતરાત્માને ઓળખાણ આપે તેવું વિવેચન અન્યત્ર (વિવેચક) અપ્રાપ્ત હેવાથી મેં કર્યું છે. ત્યાં પ્રસંગ તે અન્ય છે પણ આપણે આ આત્મસ્વરૂપ સમજવા માટે બહુ કામને છે એમ ધારી આ ટાંચણ ગ્ય આત્માના ઉપયોગ અને સમજણ સારુ કર્યું છે તે યોગ્ય લાગે તેણે સમજવા પ્રયત્ન કરે. જે દેહ, ઈન્દ્રિય, ધન, સંપત્તિ વગેરેને બાહ્ય વસ્તુમાં આત્મબુદ્ધિ કરે તે બહિરાત્મા હોય છે. જે અંતરંગ વિશુદ્ધ દર્શન કરે અને જ્ઞાનમયી ચેતનામાં આત્મબુદ્ધિ કરે અને ચેતનામાં વિકાર થાય છે તે કર્મ જનિત છે તે અંતરાત્મા છે. આ જીવનમાં જે સર્વ કર્મોને ક્ષય કરી કૈવલ્ય પ્રાપ્ત કરે છે તે પરમાત્મા છે. તે પરમાત્માને આપણે આવતી ગાથામાં ઓળખવા પ્રયત્ન કરશું. મોક્ષમાં ગયેલા આત્મા માટે આ વાત નથી, પણ દેહધારી મનુષ્યના આત્માના આ રીતે ત્રણ પ્રકાર પડે છે. આ ગાથામાં આપણે બહિરાત્મા અને અંતરાત્માના સંબંધમાં વિચાર કર્યો અને પ્રસંગે પરમાત્માને પણ વિચાર્યા. આ આત્માના ત્રણે પ્રકારે તનુજારી (શરીર)ને લાગે છે, તે યાદ રાખવું. હવે આપણે પરમાત્માની પિછાન કરીએ. (૩) જ્ઞાનાનંદે પુરણ પાવન, વરજિત સકલ ઉપાધિ, સુગ્યાની; અતીંદ્રિય ગુણગણમણિઆગરુ, ઈમ પરમાતમા સાધ, સુગ્યાની. સુમતિ જ અર્થ—જ્ઞાનના આનંદમાં, તેનાથી પરિપૂર્ણતાને પામેલ અને જાતે પવિત્ર હોય અને સર્વ પ્રકારની ઉપાધિ (દુઃખ) વગરને હોય તે પ્રાણી ઇન્દ્રિયથી ન માલૂમ પડે તેવો છે અને અનેક ગુણના સમુદાયરૂપ રત્નની ખાણુરૂપ થઈ જાય છે–આ રીતે પરમાત્માના ત્રીજા પ્રકારને તું સમજ. (૪) ટો-જ્ઞાનઆનંદ પૂર્ણ પવિત્ર પરમ આનંદમય સકળ કર્મ ઉપાધિ વર્જિત અતી દ્રિય સુખ-મોક્ષસુખનો સાધક છે તે પરમાત્મા. ભાવપ્રતિજ્ઞા દર્શનાદિ અતીન્દ્રિય ગુણ, તેના ગણસમુદાયરૂપ મણિ–રત્નને આગર છે એવો પરમાત્મા-સિદ્ધ રૂપ તે સાધીએ. એવા ત્રણ આતમા જાણીને શું કરવું? (૪) વિવેચન-જ્ઞાનાનંદથી સંપૂર્ણ, પવિત્ર અને સાંસારિક કોઈ પ્રકારની ઉપાધિ રહિત તેમ જ અતીન્દ્રિય ગુણની ખાણ એવો આત્માને ત્રીજો પ્રકાર છે. આવી રીતે પરમાત્માની સાધના કરવી. આ પરમાત્માને કઈ પણ પ્રકારની સાંસારિક ઉપાધિ હોતી નથી. એને કર્મની પણ પાઠાંતર–પ્રતમાં પાવન ” ને બદલે “પાવતો” એણ પાઠ છે. અતી પ્રિય સ્થાને આરિંદ્રિય શબ્દ છે. તેમાં હસ્વઈ દીર્વાઈન ફેર છે. પુરણને બદલે પૂરણ શબ્દ છે તે માત્ર હસ્વઉ કે દીધજીને ફેર છે. પણ તે સંસ્કૃતના નિયમને અનુસરતા ફેરફાર છે. “સાધ’ સ્થાને પ્રતમાં “સાધઈ ” પાઠ છે. (૪) શબ્દા–જ્ઞાનાનંદે= જ્ઞાનના આનંદથી. પુરણ = સંપૂર્ણ. તદ્દન, પાવન = પવિત્ર-purified-થયેલે. વરજિત = જે સર્વ ઉપાધિ તજી દીધેલ છે તે. ઉપાધિ = માનસિક દુઃખ. (૪). .05 0 4 9 (3) Page #179 -------------------------------------------------------------------------- ________________ ૫: શ્રી સુમતિનાથ જિન સ્તવન [૧૬૩ ઉપાધિ નવી થતી નથી અને એ કર્મબંધનથી તદ્દન મુકાયેલું રહે છે. આ શરીરધારી આત્મામાં ઇદ્રિયાતીત ગુણને ભંડાર હોય છે અને એ સર્વ ઉપાધિથી રહિત હોય છે. એ અતીન્દ્રિય સર્વ ગુણોની ખાણ હોય છે, અને અનેક ન કલ્પી શકાય તેવા તેનામાં ગુણ હોય છે. બીજાને ઉપદેશ આપે અને બની શકે તેટલી દુનિયાની પ્રગતિ કરાવી, એવી આ ત્રીજા પ્રકારના આત્મામાં સ્વાભાવિક ટેવ પડી જાય છે. આવા પ્રકારના પરમાત્મભાવની સિદ્ધિને તે પ્રાપ્ત કર. આ જીવનને એ ઉદ્દેશ છે અને પરમાત્મભાવ પ્રકટ કરી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરવું એ ખરી આત્મસિદ્ધિ છે. એ પરમાત્મા પણ આ જ આત્માને ત્રીજો પ્રકાર છે, કારણ કે એક જ આત્મા શરીરધારીને હોય તે આ ત્રણે બહિરાત્મભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મભાવને પામે છે. પરમાત્મભાવ કેવળીને હોય છે. તેમને ચાર ઘાતી કર્મોનો તે ક્ષય થયેલ હોય છે, એટલે સાંસારિક ઉપાધિએથી તેઓ રહિત થયેલા હોય છે અને આપણે જે ઇદ્રિયાતીત ગુણે કલ્પી શકીએ તે તે તેમનામાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે અને એ પરમાત્મભાવ પ્રગટ કરવો એ આ યૌગિક જીવનનો ઉદ્દેશ છે; એ ભાવ પ્રકટ કરવા છેવટે પ્રેરણા કરી છે અને તે ભાવ મેળવવાને પિતાનો ઉદ્દેશ છે સાંસારિક સર્વ આનંદો અપકાલીન હોય છે, પણ આ પરમાત્મભાવ પ્રકટ થતાં જે આનંદ થાય છે તે નિરવધિ છે, મહાકલ્યાણકર છે અને માત્ર અનુભવગમ્ય જ છે. એ પરમાત્મભાવ પ્રયત્નસિદ્ધ છે અને ખરેખર આનંદ આપનાર છે. તેથી શરીરધારીએ તે પરમાત્મભાવને જરૂર વિચાર કરી મેળવે ઘટે. (૪). બહિરાતમ તજ અંતર આતના-રૂપ થઈ થિર ભાવ સુગ્યાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુગ્યાની. સુમતિ પ અ _(આ આત્માના ત્રણે પ્રકાર પૈકી) બહિરાત્મભાવને છોડી દઈને અંતરાત્મભાવના બીજા પ્રકારમાં સ્થિર થઈ જવાથી પરમાત્મભાવ, જે આત્માને ત્રીજો પ્રકાર છે, તે આત્મસાધનને ખરેખર ઉપાય છે. (૫) ટબો–બહિરાત્મા જે પ્રથમ આત્મા કહ્યો છે, તેને તજીને અંતરઆત્મા બીજે તે રૂ૫ થઈ સ્થિરભાવપણે સાધે તે કર્મઉપાધિને નિરાકરે, તે વારે પિતાને આત્મા તે પરમાત્માનુરૂપ થાય એ જે આતમા તેને અર્પણ થાપનાને દાવ કહેતાં યેગ્યતા પામીએ. (૫) વિવેચન-આ ત્રણ પ્રકાર જે આત્માના આપણે જાણ્યા તે પૈકી બહિરાત્માને તજીને અંતરાત્મરૂપ થઈ જવું એટલે શરીર કે સંપત્તિથી આત્માને અલગ જાણી પિતાને મોક્ષ સાધી પાઠાંતર–આતમાને સ્થાને આતમ છે, માત્ર શબ્દફેર છે, અર્થ ફરતા નથી થિર સ્થાને થીર અક્ષરો છે તે માત્ર હસ્વઈ દીર્ઘઈને ફેર છે, જે ભાષામાં સામાન્ય છે. (૫) શબ્દાર્થ –તજ = છોડી દઈને, તજીને. થિર ભાવ = સ્થિર ભાવ. ભાવવું = વિચારવું દાવ = પ્રસંગ. (૫). Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] શ્રી આનંદઘન ચોવીશી ઘાતી કર્મોને ક્ષય કરી સ્થિર ભાવે પરમાત્મા બનવું. આપણો પિતાને જ આત્મા અંતરાત્મભાવમાં આવતાં એ ધીમે ધીમે પ્રગતિ કરી પરમાત્મા થાય છે, આવી રીતે વિચારણા કરવી તે સાચું “આત્માર્પણ” છે અને આત્માર્પણ કરવાને સારો ઉપાય પણ તે જ છે એમ જાણવું. આ સ્તવનની શરૂઆતમાં આત્માર્પણ કેવું હોવું જોઈએ એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતું, તેને અત્ર ખુલાસે થઈ જાય છે. અંતરાત્મામાં પિતાની જાતને અર્પવી અને તેમાં તન્મય થઈ જવું એ ખરું આત્માર્પણ છે. અને આત્માર્પણ બુદ્ધિને તૃપ્ત કરે છે, પણ તે અને ખરું આત્માર્પણ તદ્દન જુદાં જ છે. એટલે બહુજનસંમત જે આત્મા પણ છે, તેનાથી ઓસરી જઈ આ અંતરાત્મમય થઈ જવું એ ખરું આત્માર્પણ છે. અને બુદ્ધિ, જે પૌલિક છે, તેને સંતોષવાની ઈચ્છા ન રાખવી, પણ અંતરાત્મામાં પિતાની જાતને લય કરવી, અને એ આત્મસમર્પણને મોટો ઉપાય છે અને ખરે ઉપાય છે એમ સમજવું. તમે ભાઈ ભાઈના રગડાઓ જુઓ કે વ્યાપારી વ્યાપારી વચ્ચેની લેવડદેવડના ઝઘડાઓ વિચારે, તે તુરત તે સર્વમાં તમને બહિરાત્મભાવ દેખાશે. પણ આત્માને ખરેખર ઓળખ અને આ વસ્તુઓ તથા શરીરથી તેને પર જાણે તેમાં પિતાનું સર્વ દયાન પરોવવું તે ખરેખરં આત્મસમર્પણ છે. તે સાચો આત્મસમર્પણને સિદ્ધાંત તમે સમજે અને તન્મય થાઓ એટલે પ્રગતિ કરતાં આ શરીરે તમે પરમાત્મભાવ પામશે. બાકી, યાદ રાખજો કે, આ જીવનમાં જેને તમે તમારા માને છે તે કોઈ સાથે આવનાર નથી અને મરણ વખતે તે તમને ટેકે આપનાર પણ નથી. આ જીવ એકલે આવ્યો છે અને એક જ જવાનું છે. આ અંતરાત્મામાં તન્મય થવાની સ્થિતિ એ જ ખરું સમર્પણ છે એમ તમે જાણો અને તમે અંતરાત્મય થઈ જાઓ, જેથી આખરે તમે પરમાત્મભાવ પામે એ સ્તવનર્ધાની ભાવના છે. (૫) આતમ-અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ સુગ્યાની; પરમ પદારથ સંપતિ સંપજે, “આનંદઘને રસપોષ સુગ્યાની. સુમતિ- ૬ અર્થ–આત્માપણરૂપ ખરેખરી વસ્તુને વિચાર કરતાં આપણું મનમાં જે કાંઈ શંકાઆશંકા હોય તે દૂર થઈ જાય છે અને બુદ્ધિના સર્વ દે નાશ પામે છે અને અખંડ શાંતિનું અજરામર સ્થાન, તે રૂપ દોલત આપણને પ્રાપ્ત થાય છે અને અનંત આનંદના સમદાયરસને પુષ્ટિ મળે છે. (૬) પાઠાંતર–આતમ અરપણ એ એક સ્થાને જુદા પાડ્યા છે. આતમ પછી જગા રાખીને અર્પણ લખેલ છે તે માત્ર મતભેદ છે, અર્થભેદ એમાં થતું નથી. સંપતિ સ્થાને સંપત્તિ શબ્દ છે, પણ મૂળ સંપત્તિ શબ્દ સંસ્કૃત વ્યવહારને વધારે અનુકૂળ છે. સંસ્કૃતમાં તેને સ્પેલીગ સંપત્તિ થાય છે તે કેશ જેવાથી જણાશે. પ્રતમાં સ્તવન પૂરું કરતાં લખે છે ‘ઇતિ શ્રી સુમતી જિનસ્તવન સંપૂર્ણ ' સુમતીમાંની દીર્ઘઈ તેમાં લખે છે. (૬) શબ્દાર્થ–વસ્તુ = ચીજ; આત્માપણની ચીજ વિચારતાં ભરમ = ભ્રમ, ગેટાળા, આહકદેહ. મતિદોષ = બુદ્ધિના દો. પરમ પદારથ = પરમ પદાથ, મોક્ષ. સંપતિ = મિલક્ત. સંપજે = મળે, સાંપડે. પિષ = પિલાઈ , સાંપડે. (૬) Page #181 -------------------------------------------------------------------------- ________________ પ: શ્રી સુમતિનાથ જિન સ્તવન [૧૬૫ ટબો—એવું આત્માનું જે અર્પણ થાપવું, વસ્તુ વિચારતાં નીપજે વસ્તુ તેને વસ્તુપણે વિચારવું તેને જ પરમાત્માનું અર્પણ કહીએ. તે વખતે શું થાય ? ભ્રમ, વિપયોસાદિક મતિના દોષ છે તે ટળે, તે વારે પરમ ઉત્કૃષ્ટ પદાર્થ સંપજે નીપજે, અને આનંદઘન અતિશય અનિર્વાચ રસને પિષ-પુષ્ટિપણું થાય. એવા શ્રી પરમાત્મા શ્રી સુમતિનાથ આપણે બહિરાત્મપણું ટાળી અંતરાતમામાં વસીએ તે વારે પરમાત્મા થઈએ. (૬) વિવેચન–આત્માર્પણ–વસ્તુને તત્ત્વરૂપે વિચારતાં આ રીતે આત્માને વિચાર કરવો તે ખરું આત્માર્પણ છે એમ જણાય છે. એટલે આત્માર્પણ કરતાં આત્મવિચારણે કરવી એ જ ખરેખરું આત્મસમર્પણ છે એમ જણાય છે. અને તેથી આ સ્તવનની શરૂઆતમાં જે વિભ્રમ થયો હતો તે ટળી જાય છે. આત્માર્પણ એ જરૂર વિચારવા લાયક છે. આત્માને બરાબર ઓળખી આ રીતે તેનું પૃથક્કરણ કરવું અને બહિરાત્મભાવ તજી અંતરાત્મભાવમાં લીન થઈ પરમાત્મપદ આ શરીરે પ્રાપ્ત કરવું અને પછી અનંત કાળ સુધી જન્મ-જરા-મરણની પીડા દૂર કરવી. આ જાતની વિચારણાથી આપણે ખરે આનંદ શું છે તે સમજીએ અને પિષીએ તે તેનાથી જીવનની ખરી સફળતા થાય છે. વાસ્તવિક રીતે બહિરાત્મમાં જરા પણ આનંદ આવે તેવું નથી. તમે પાંચે ઇંદ્રિયમાં સુખ માનીને ભેગે, તેમાં સ્થાયી આનંદ નથી એને પરમાત્મભાવપ્રાપ્તિ પછી તમે જે આનંદ પ્રાપ્ત કરી શકશો તે તે અનંત છે. નિરવધિ કાળને માટેને આનંદ શબ્દમાં જે ચમત્કાર છે તેને રસ તે આ આનંદ સાથે સરખાવવા જેવો છે અને ખરેખર આનંદનામને તે જ યોગ્ય છે. એવા પ્રકારને સ્થાયી આનંદ પ્રાપ્ત કરી આ જીવનને સફળ કરવું અને એ આનંદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો એ આ જીવનનું કર્તવ્ય છે. અને આ બહિરાત્મભાવનું પિષણ કરવું એ તે આત્મશક્તિને વ્યય કરવા જેવું છે. એટલે આ અનંતકાળ સુધી ચાલે તે પરમાત્મભાવ વિચારે અને તે પ્રાપ્ત કરવા અંતરાત્મભાવમાં સ્થિર થાઓ, એ આ સ્તવનને મુખ્ય લય છે. આ ગાળામાં આનંદઘનજીએ પિતાનું નામ કર્તા તરીકે જણાવી દીધું છે તે પણ આડકતરી રીતે છે એમ સમજવું. ઉપસંહાર આવી રીતે આ પાંચમા પ્રભુના સ્તવનને અર્થ આપણે વિચાર્યો અને તે વિચારણા કરતાં જ્ઞાનાર્ણવ ગ્રંથમાંથી આપણે બહિરાત્મભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મભાવ કેવો હોય તે શરીરધારી આત્માના પ્રકારે જાણ્યા, અને આત્મસમર્પણ કરવાનો કર્તાને વિચાર જાયે. આ સંસારરસિક પ્રાણી સંસારમાં રહ્યો રહ્યો બહિરાત્મભાવને ખૂબ પ્રેરણા અને પોષણ આપે છે. જરા સંપત્તિ મળે અથવા જાય ત્યારે એને પિતાની સંપત્તિ આવી અથવા ગઈ એમ માને છે ? એ સર્વ બહિરાત્મભાવ છે એમ સમજવું એ આ પાંચમા સ્તવનો મુખ્ય ઉદ્દેશ છે. એ ગમે તેવા ઇન્દ્રિયના ભેગો ભેગવે, ગમે તેની ખુશામત કરે, ગમે તેને રાજી કરવા પ્રયત્ન કરે એ સર્વ પણ બહિરાત્મભાવ છે. એ બહિરાત્મભાવને ત્યાગ કરી અંતરાત્મભાવને વિકાસ કરતાં Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬] શ્રી આનંદઘન-ચોવીશી એ છેવટે પરમાત્મપદમાં આ જીવનમાં જ ખરેખર પ્રવેશ કરે છે અને ત્યાર પછી એને મોક્ષ થાય ત્યારે તે ચિરકાળને માટે સાચા સુખને અનુભવે છે. એ સુખને સાચું સુખ કહેવાનું કારણ એ છે કે એ સુખ હંમેશને માટે ટકી રહે તેવું છે, તેનો છેડે જ આવતું નથી અને આ પ્રકારે એ નિરવધિ આનંદ પ્રાપ્ત કરી વિલાસમાં જ કરે છે અને એની જન્મ-મરણની સ્થિતિ અટકી જાય છે. એ જ ખરેખરી જ છે, કારણ કે પછી આ એક ખાડામાંથી નીકળી બીજા ખાડામાં પડવાનું તેને રહેતું નથી. એ આનંદ પ્રાપ્ત કરવાના માર્ગો પણ આ સ્તવનમાં બતાવેલ છે. આવી રીતે બહિરાત્મભાવ છોડી દઈ, અંતરાત્મભાવમાં પ્રવેશ કરવો અને પરમાત્મપદની ભાવના કરવી એ આપણું જીવનકર્તવ્ય છે. એ રીતે આ સમર્પણને સિદ્ધાંત બરાબર સમજી આપણા જીવનને સફળ કરીએ અને તે દ્વારા સ્તવનકર્તાની ભાવનાને પંખીએ એ જરૂરી છે. (૫) નવેમ્બર : ૧૯૪૯ ] Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન આંતરા—છેટાપણું સંબંધ—આ છઠ્ઠા સ્તવનમાં પ્રભુ અને મારી વચ્ચે પડેલા આંતરાની વાત કરી છે તે કલ્પિત નથી, વાસ્તવિક હકીકત છે. એ આંતરા દૂર કરવાના અહીં ઉપાય વિચારાય છે, અને ચેતનને ખાતરી છે કે વહેલા-માડો તે આંતરે ભાંગશે. એ ઉપાયે કયા છે અને તેને કારગત કરવા તે આ સ્તવનમાં વિચારવામાં આવ્યું છે. આપણે તેને સ્તવનકર્તાના શબ્દોમાં જ વિચારીએ. સ્તવન સ્વયં પરિપૂર્ણ છે અને ખૂબ વિચારવા લાયક છે. સ્તવન (રાગ–મારુ તથા સિ ંધુએ; ચાંદલીઆ, સ ંદેશા કહેજે મારા ! તને—એ દેશી) પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરુ' રે, કિમ ભાંજે ભગવત ? કરમ વિપાકે કારણ જોઈને રે, કોઈ કહે મતિમત. પદ્મપ્રભ૦ ૧. અ—હે પદ્મપ્રભુ ! હે જિનદેવ ! મારું અને તમારું જે છેટું પડી ગયેલું છે તે હે ભગવત ! કેવી રીતે દૂર થાય? એ આંતરો કેમ ટળે ? ક"ની પરિપકવતા જોઈને કોઈ પણ ડાહ્યા માણસે એવું–ક વિપાકનું કારણ જાણી એનેા જવાબ આપ્યા (કમ પાકે ત્યારે તે તેનાં ફળ આપે, આ કર્માંના વિપાકમાં તેનું કારણ છે, એમ કોઈ સમજુ બુદ્ધિમાને કહ્યું. એટલે એમાં કર્મીના વિપાક જ છે અને ક`વિપાકે એ આંતર ભાગે એમ તેણે જણાવ્યું.) (૧) : ટમે—આ સ્તવનના અથ કરતાં જ્ઞાનવિમળસૂરિ કહે છે (અર્વાચીન ગુજરાતીમાં) : એવા શ્રી પરમાત્મા શ્રી સુમતિનાથ આપણે બહિરાત્મપણું ટાળી અંતરાત્મા આત્મામાં વસે તે વારે પરમાત્મા થઇએ. શ્રી વીતરાગ પરમાત્મા અને સ'સારી અહિરાત્મા તેની વચ્ચે અંતર છે તે કહે છે. છઠ્ઠા હે શ્રી પદ્મપ્રભુ જિન ! એવું જે આંતરું તારી અને મારી વચ્ચે છે, તમે * પાઠાંતર— પદ્મ ' તે સ્થાને એક પ્રતમાં · પદમ ’ શબ્દ છે. ‘ ભગવંત ’તે સ્થાને એક પ્રતમાં ‘ અરિહ’ત ’ શબ્દ છે. ‘ જોઈ તે રે ' સ્થાને ‘ જોઇ ને રે' એવા પાઠ એક પ્રતમાં છે. ‘ મતિમ ંત ’ તે સ્થાને એક પ્રતમાં · મતિવંત ’પાઠ છે. (૧) શબ્દા પદ્મપ્રભ = છઠ્ઠા તીથંકર, છઠ્ઠા ભગવાન; તુજમુજ = તારું-મારું, તમારું અને મારું, આંતરું= અંતર, છેટાપણું, ફેર. કિમ = કેમ, કઈ રીતે ? ભાંજે = ભાંગે, મટે, એને છેડે આવે. ભગવ ત = ભગવાન, નસીબદાર, સર્વાંતે નમન યેાગ્ય. કમ'વિપાકે = મ'ના પરિપાક, કર્યાંનુ પાકવું તે, મ'નું ફળ. જોઈ ને = જાણીને, જ્ઞાન વડે સમજીને. મતિમંત = બુદ્ધિમાન, હુશિયાર, જેણે `નાં ફળ જાણ્યાં છે તે. (૧) Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] શ્રી આનંદઘનવીશી ગુણસિદ્ધ છે, હું ગુણસિદ્ધિ-વિકળ છું, તે સમાન કેમ થાય? હે શ્રી પદ્મપ્રભજિન! તમારી અને મારી વચ્ચે અંતર ઘણે, તે આંતર કેમ ભાગે? હે શ્રી ભગવંત! કેઈ એ ડાહ્યોમતિમંત, કઈ કર્મ વિપાકે કારણ જોઈને કહે. બીજાય પ્રાણી સંસારમાં કર્મ વિપાક ગ્રંથ જેવરાવી પિતાના મૃતકમને દોષ કાઢે છે તે માટે મને પણ આ હેતુ–દોષ ટાળે હે પ્રભુ! તે વારે કર્મવિપાક ગ્રંથ જોઈને અંતરનું કારણ કહે છે. (૧) વિવેચન–ભગવાન અને મારી વચ્ચે છેટું ઘણું પડી ગયું. એ તે સાત રાજ પછી આવેલા મોક્ષમાં ચાલ્યા ગયા અને હું તે અહીં ભગવાનથી સાત રાજ દૂર રહી ગયા. આ છે એટલું બધું છે કે પ્રભુ અને મારી વચ્ચે જે આંતરે પડી ગયું છે તેનું હું તે હજુ કારણ શોધું છું અને આંતરે તે કાંઈ ઘટતું નથી. એ છેટાપણું શાથી દૂર થાય અને છેટું પડવાનું કારણ શું તે હું જાણવા માટે વિદ્વાન માણસને પૂછું છું. મુસાફરી કરવા ગયા હોઈએ ત્યારે આપણું સાથી મુસાફરે અને આપણું વચ્ચે છેટું કેમ પડી ગયું અને એ બન્ને વચ્ચે તફાવત કેમ ભાંગે અને આપણે આપણું સાથીદારની સાથે કેમ થઈ જઈએ એ સ્વાભાવિક સવાલ રહે છે. ભગવાન મારી સાથે રમતા હતા, તેને બદલે આજે મારી અને એમની વચ્ચે ભારે આંતરું પડી ગયું, તેનાં કારણો શોધતાં કેઈ બુદ્ધિશાળી માણસ કર્મ વિપાકનું કારણ મને બતાવે છે. કર્મના વિચારે પ્રાણ પૈસાદાર, ગરીબ, રૂપાળે, કદરૂપિ, લૂલે, લંગડે થાય અને એ કર્મના વિપાકને લઈને ભગવાનને અને મારે આટલું છેટું પડી ગયું છે. ભગવાનને તે કઈ પ્રકારનાં કર્મ અત્યારે લાગતાં નથી અને આપણે તે અત્યારે જ્યાં ત્યાં ટળવળીએ છીએ. મારી અને ભગવાનની વચ્ચે તે આંતરે પડવાનું કારણ આ કર્મના વિપાકમાં છે, અને એ છે ભાંગવાને ઉપાય પણ કર્મના વિપાકમાં જ મારે શોધવાનું છે. કમને વિપાક કેમ થાય છે અને સર્વ કર્મથી રહિત થતાં અંતરે કેમ ભાંગી જાય છે, એ મારે સમજી લેવું અને કર્મને વિપાક મને ન લાગે તે પ્રકારનો માટે પ્રયાસ કરે, તે આંતરું તૂટી જશે અને હું પણ ભગવાન જેવો થઈ નિરંતર આનંદમાં રહીશ. આટલા ઉપરથી હું કર્મવિપાક શું છે અને કેવો થાય છે તે સમજવા પ્રયત્ન કરું છું, અને કર્મનું આખું તત્ત્વજ્ઞાન જાણવા ઈચ્છું છું. કર્મ સંબંધી કમ્મપયડી, કર્મગ્રંથ જેવા ગ્રંથને અભ્યાસ કરે અને કર્મના વિપાકને સમજી નિકર્મા કેમ થવાય અને ભગવાન જગાએ ગયા છે ત્યાં કેમ જવાય એ જાણી એને આંતર ભાંગી નાખવાના કામમાં તમે પણ લાગી જાઓ. પ્રયત્ન કરવાથી સર્વ કાર્ય થાય છે. ભગવાન ભાગ્યશાળી થયા, તેવા થઈ જવાની જેની ઈચ્છા હોય તેણે આ સ્તવનમાં બતાવેલ માર્ગ લેવો. કર્મ વિપાક નામને પ્રથમ કર્મગ્રંથ છે. અને કર્મવિપાક અને દેવી કાળપરિણતિનું ચિત્ર સિદ્ધર્ષિગણિએ સુંદર રીતે તેમના ગ્રંથમાં આપ્યું છે. તે સર્વ વિચારતાં કર્મના વિપાકરૂપે જ મારી અને ભગવાનની વચ્ચે આ છેટું પડી ગયું છે એમ સમજુ માણસો વાજબી રીતે ધારે છે. અને આંતરાનું તે જ કારણ છે એમ મને જણાય છે. તમે આ કર્મને વિષય અહીં સામાન્ય રીતે બતાવ્યું છે તે સમજે, બીજાં પુસ્તકોથી સારી રીતે જાણો અને તમને પણ આ Page #185 -------------------------------------------------------------------------- ________________ [૧૬૯ ૬: શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન છેટું ભાંગી નાખવાની મરજી થતી હોય તે તમે પણ આ કારણની શોધમાં મારી સાથે સામેલ થાઓ. મારે કમ1 વિષયનો ઉલ્લેખ પણ આ સંબંધમાં કેટલુંક અજવાળું પાડે તેમ છે. આપણે અહીં પ્રભુ અને આપણી વચ્ચે પડેલ અંતર દૂર કરવા ઈચ્છીએ છીએ. આત્મા અને કર્મને સંબંધ કેમ બંધાણ? એ કર્મોનું પરિણામ શું છે? એ આંતરે કેમ છૂટે?—-એ સર્વ બાબતની આપણે શેધ કરવા ઉઘુક્ત થયા છીએ અને પ્રભુ અને આપણી વચ્ચેનું છેટું કાપી નાંખવાની આપણને ઇચ્છા થઈ છે. કર્મના વિપાકમાં આ કારણ આપણે શોધી રહ્યા છીએ. હવે આપણે આગળ વધીએ. (૧) પયઈ દિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂળ-ઉત્તર બહુ ભેદ, ઘાતી-અઘાતી હે બંધોદય-ઉદીરણા રે, સત્તા કર્મ-વિછેદ. પદ્મપ્રભ૦ ૨ અર્થ–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ, એ ચારને સમજતાં તથા કર્મના મૂળ ભેદો અને ઉત્તર ભેદને સમજતાં તથા કેટલાંક કર્મો ઘાતી કર્મ હોય છે અને બાકીનાં અઘાતી કર્મો હોય છે તે અંતર પડવાનું કારણ છે. તથા બંધ, ઉદય, ઉદીરણ તથા સત્તા અને તેને વિનાશ થાય એ અંતર પડવાનું કારણ સમજવા જેવું છે. (૨) પાઠાંતર–પાઈ' સ્થાને એક પ્રતમાં પૈકી ' શબ્દ મૂક્યો છે; અર્થમાં ફેર પડતો નથી. “બંધ ઉદયને સ્થાને એક પ્રતમાં “બંધદય” પાઠ છે; અર્થ એ જ રહે છે. “સત્તાને’ સ્થાને “સંત” શબ્દ છે; એનો અર્થ તે જ છે. “બહુ ને સ્થાને એક પ્રતમાં “બહુ” પાઠ છે; અર્થ તે જ રહે છે. “હો ” સ્થાને એકપ્રતમાં હો બે’ પાઠ છે; અર્થ તે જ રહે છે. (૨) શબ્દાર્થ–પગઈ = પ્રકૃતિ, કર્મના બંધ પૈકી પ્રથમ પ્રકૃતિબંધ; એ કર્મ શું ફળ આપનાર છે તેને નિર્ણય. કિઈ = સ્થિતિ. કર્મ ઉદયમાં આવે તે કેટલો વખત રહે અને ક્યારે એને ઉદયકાળ થાય તે બીજે સ્થિતિબંધ; ઉદયકાળ. અણુભાગ = કર્મનું જેર અથવા કમની શક્તિ Intensity; એનું કાર્ય શું છે તેને નિશ્ચય. પ્રદેશ = કમ કેટલા પરમાણુ, પ્રદેશ કે કર્મવર્ગણાનું બનેલ છે તે ચોથી બાબત. ૧. પ્રકૃતિબંધ. ૨. સ્થિતિબંધ, ૩, અનુભાગબંધ અને ૪. પ્રદેશબંધ. આમાંને એ પ્રકાર. મૂળ = કમને મૂળભેદ, કમના આઠ પ્રકાર છે તે. નામો માટે જુઓ વિવેચન. મૂળ ભેદ = એટલે ર્મના મુખ્ય આઠ પ્રકાર. ઉત્તર = પેટા ભેદ, આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિ. (કમને મારો લેખ જુઓ). બહુ = ધણા. ઉપરની વિગતો માટે જુઓ વિવેચન. ભેદ = એના મૂળ ભેદ એટલે પ્રકારે આઠ છે અને ઉત્તર ભેદ ૧૫૮ છે. (જુઓ મારો કમને ઉલ્લેખ) ઘાતી = મૂળ ગુણનો ઘાત કરનાર ચાર ર્મ અને તેના ઉત્તર ભેદો; જુઓ વિવેચન. અધાતી = ચાર ઘાતી કર્મને બાદ કરતાં રહેલાં બાકીનાં ચાર કર્મ; જુઓ વિવેચન બંધદય = બંધ અને ઉદય, કર્મને બંધ અને કમને ઉદય ઉદીરણા = કર્મનાં ફળને આપવાની-કર્મફળ મળવાનું હોય તે પહેલાં ફળ આપવાની પ્રેરણા. સત્તા = કર્મના ઉદય પહેલાં આત્મા સાથે વળગેલ કર્મો જોડાઈને નિષ્ક્રિય રીતે ફળાવાપ્તિ પહેલાં પડી રહ્યાં હોય તે. સત્તા એટલે Potentiality. વિચ્છેદ = નાશ, મોક્ષ, કમ ઉદયથી વિચ્છેદ થાય, ભોગવવાથી ખપી જાય અને નિરાથી ઉદયમાંથી નાશ પામી જાય અને તેને સર્વથા વિચછેદ તે તેને મોક્ષ થયે થાય. (૨) ૧. હવે પછી પ્રગટ થવાનો સંભવ છે. २२ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] શ્રી આનંદઘન-ચાવીશી ટબો–પ્રકૃતિબંધ તે કર્મને સ્વભાવ, જેમ જ્ઞાનાવરણ પદ સમાન જ્ઞાનાદિ આવરણ સ્વભાવ (૧) સ્થિતિબંધ તે કર્મના બંધને સ્થિતિકાળ (૨) અનુભાગબંધ તે કર્મના રસ શુભાશુભ રૂપ (૩) પ્રદેશબંધ તે કર્મવર્ગણાનાં દળિયાં (૪) એ ચારે ભેદે બંધ હોય. કેને? કર્મપ્રકૃતિને. તે પણ બહુ ભેદે મૂળ પ્રકૃતિ ૮, અને ઉત્તર પ્રકૃતિ ૧૫૮ ઈત્યાદિક. તે આઠ કર્મમાં પણ ચાર ઘાતી, જ્ઞાન, દર્શન, મેહનીય, અંતરાય એ આત્માના ગુણને હણે તે માટે ઘાતી, અને વેદનીય, નામ, ગોત્ર અને આયુ એ આવનારા જ્ઞાન દર્શન સમ્યક ગુણને ઘાત ન કરે. પ્રકૃતિ રૂપે ધ્રુવ બંધી ૪૭, અધ્રુવ બંધી ૭૩, ધ્રુવોદયા ૨૭, અધૃદયા , ધ્રુવ સત્તા ૧૩૦, અધ્રુવ સત્તા ૧૨૮, ભવવિપાકી ૧૪, ક્ષેત્રવિપાકી ૪, જીવવિપાકી ૭૮, પુદ્ગલવિપાકી ૩૬, સર્વઘાતીય ૨૦, અઘાતી ૭૫, દેશઘાતી ૨પ, પુણ્યપ્રકૃતિ ૪૨, પાપપ્રકૃતિ ૮૨–એની વિગત કર્મગ્રંથથી જાણવી. ઈત્યાદિ. g-વિહાર-સિ-મન-હુ-ચિત્ત-કુ –મંદFરીજું ને सिं भावा कम्माण वि जाण तह भावा । નવતત્ત્વ પ્રકરણ, ગાથા ૩૬ તેણે કરી મળવું થાય તે પ્રકૃતિબંધ. વળી પ્રકૃતિબંધ ૧૨૦, ઉદયે ૧૨૨, સત્તાએ ૧૫૮, એ સર્વ સમજવું. (૨) વિવેચન—આપણે પ્રથમ તે કામ લાગવાનાં કારણે વિચારીએ. કર્મ લાગવાનાં કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ છે. તેને સત્તાવન બંધહેતુ કહેવામાં આવે છે. આત્માની સાથે કર્મનું જોડાણ આ સત્તાવન બંધહેતુ પૈકીના એક અથવા વધારે હતુઓની હાજરીથી થાય છે. આપણે એ સત્તાવન બંધહેતુઓ પર અગાઉ ઉપર વિચાર કરી ગયા છીએ. એ બંધહતના ઉપર આપણે વિજય મેળવીએ પછી કર્મબંધનું અને કર્મને મેળવવાનું કારણ ટળી જાય. એ એક વાત થઈ. કર્મબંધન થાય છે ત્યારે તેની ૧. પ્રકૃતિ, ૨. સ્થિતિ, ૩. રસ, અને ૪. પ્રદેશ એમ ચાર બાબત બંધન વખતે મુકરર થાય છે. તે શાશ્વપ્રસિદ્ધ મેદના દૃષ્ટાંતથી આપણે સમજીએ અને તે સમજી તે કમને વિચ્છેદ કરીએ. તે ચાર બાબત પર પણ વિવરણ ઉપર થઈ ગયું છે, પણ મૂળગ્રંથકારે એને અગત્ય આપી છે તે જોતાં તેને સંક્ષેપથી અહીં વિચારી જઈએ. ૧. પ્રકતિઃ મોદક કઈ વાયુને હરનાર હોય, કોઈ પિત્તને હરનાર, કોઈ કફને હરનાર હોય, તેમ કર્મ કઈ જ્ઞાનનું આવરણ કરનાર હોય, કઈ દર્શનનું આવરણ કરનાર હોય, કોઈ સુખ આપે અને કોઈ પીડા નિપજાવનાર હોય, કેઈ મમતા-માયામાં પાડી દે તેવું હોય, કઈ તે જન્મમાં કેટલાં વર્ષ રહેવાનું થશે તે દર્શાવનાર હોય, કઈ શરીરના આકાર બાંધનાર હાય, કઈ જાતિમાં હલકાભારેપણું કરનાર હોય, અને કોઈ લાભ કે શક્તિને રોકનાર હોય. એવી દરેક કર્મની પ્રકૃતિ મુકરર કરનાર જે વિભાગ તે પ્રકૃતિ. કમને સ્વભાવ મુકરર કરે તે સ્વભાવને દર્શાવનાર પ્રકૃતિબંધ. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૬: શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન [૧૭૧ ૨. સ્થિતિ : અમુક કમ ક્યારે ફળ આપશે અને આપવા માંડ્યા પછી કેટલા વખત સુધી તે કર્મ ફળ આપશે તે બન્ને બાબતે આ સ્થિતિબંધમાં મુકરર થાય છે. કેટલા વખત સુધી તે કઈ પણ પ્રકારનું ફળ આપ્યા વગર આત્મા સાથે જોડાયેલું જ રહે છે, તે પણ આ સ્થિતિબંધ કરતી વખત મુકરર થાય છે. લાડે કેટલા દિવસ સારો રહેશે, ક્યારે બગડી જશે, તેના વખતને નિર્ણય સ્થિતિબંધમાં થાય છે. મેદકને સારા રહેવાને સમય, બગડવા માંડવાને સમય અને બગડી જવાને સમય આ સ્થિતિબંધમાં મુકરર થાય છે. ૩. રસ : અમુક કર્મની ઘટ્ટતા કેટલી છે, તેનું જેર કેટલું છે, તે રસબંધમાં મુકરર થાય છે. જેમ આપણે દવા લઈએ છીએ તે ગાઢી, પિચી, નરમ, ગરમ હોય છે; મોદક કોઈ એક ગુણ ગળપણવાળ હોય, કઈ દ્વિગુણ અને કોઈ પાંચ ગુણવાળે ગળ્યું હોય, તેમ કર્મની તરતમતા, ગાઢતા વગેરે રસબંધમાં મુકરર થાય છે. ૪. પ્રદેશઃ તે કર્મ કેટલી કર્મ વર્ગણાનું બનેલ છે તે એક-બે હજાર લાખ વગેરે કમની સંખ્યા contents આ પ્રદેશ વિભાગમાં મુકરર થાય છે. કોઈ એક વર્ગણામય હોય, કેઈ હજારે વગણમય હોય. એવી રીતે કર્મની વર્ગણોની સંખ્યા આ પ્રદેશબંધમાં મુકરર થાય છે. જેમ કોઈ લાડ પાશેર, કઈ દોઢ પાશેર અને કઈ તેથી પણ નાનો-મોટો થાય તે તેના વિસ્તાર પર આધાર રાખે છે, તેમ કર્મના પ્રદેશની સંખ્યા આ પ્રદેશબંધ મુકરર કરે છે. આવી રીતે કર્મ જ્યારે ઉપરોક્ત કારણે લાગે, આત્મા સાથે જોડાઈ જાય, તે વખતે તેની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચારે બાબત નિશ્ચિત થાય છે —-એ પ્રથમ સમજવું. આ ચારે પ્રકારે માટે કર્મગ્રંથની શરૂઆતની બીજી તથા ત્રીજી ગાથામાં ઘણો વિસ્તાર છે, તે જાણી લેવો. સમજવા પ્રયત્ન કર. એ રીતે આ બીજી ગાથામાં પ્રથમ ચરણ થયું. આ વસ્તુ બરાબર યાદ રહે તે સારુ શાસ્ત્રસુપ્રસિદ્ધ એક ગાથા આ પ્રમાણે છે: प्रकृतिः समुदायः स्यात्, स्थितिः कालावधारणम् । अनुभागो रसो ज्ञेयः, प्रदेशो दलसञ्चयः ।। આ ગાથામાં ઉપરની જ વાત કહી છે, પણ તે યાદ રહે તેવી ભાષામાં એ વાત કહી છે. પ્રકૃતિ : સમુદાય છે; સ્થિતિ એટલે કાળનું અવધારણ કરવું તે; અનુભાગ (intensity ) એ રસ સમજો અને વર્ગણાના દળને સંગ્રહ તે પ્રદેશ.” આ રીતે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની વાત યાદ રહે તે ભાષામાં શાસકારે બતાવી છે. હવે આપણે આ ગાથાના બીજા ચરણો સંબંધી વિવેચન કરીએ. કર્મની મૂળ પ્રકૃતિ આઠ પ્રકારની છે. આગળ જણાવ્યું તેમ જ્ઞાનનું આવરણ કરે તે પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાન એ તે આત્માને મૂળ ગુણ છે. આ ગુણને આવતા અટકાવે, તેની આડું આવરણ ધરી રાખે તે જ્ઞાનાવરણીય કર્મ. તેવી જ રીતે કર્મો આત્માના દેખવાના-દશન ગુણની આ આચ્છાદન ધરી રાખે તે બીજુ દર્શનાવરણીય કર્મ. પ્રાણીની માન્યતામાં સુખદુઃખ આવે તે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] શ્રી આનંદઘન-ચાવીશી ત્રીજું વેદનીય કર્મ. પ્રાણીને સંસાર તરફ સન્મુખ રાખે તે ચોથું મોહનીય કર્મ. પ્રાણને સંસાર ચીતરે, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય બનાવે, ત્યાં શરીર આપે, તેનાં અંગોપાંગે ગઠવે તે પાંચમું નામકર્મ. આયુષ્યકાળ નિર્માણ કરે, પ્રત્યેક ભવમાં કેટલે કાળ રહેવાનું છે તે નકકી કરી આપે તે છડું આયુષ્યકર્મ. તે પ્રત્યેક ગતિમાં ઊંચ-નીચે થાય તે ગોત્રકર્મ. અને છેલ્લું આઠમું એની શક્તિનું રેકાણ કરે, લાભ ન થવા દે તે અંતરાયકર્મ. આ રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોનીય, નામ, આયુષ્ય, ગોત્ર અને અંતરાય એ કર્મના આઠ મૂળ ભેદ છે. આ આઠ કર્મના મૂળભેદ જાણું એ કમનો સર્વથા ત્યાગ કરે એ સર્વ પ્રાણીને આશય છે. સારા અને ખરાબ કર્મોને સર્વથા ત્યાગ કરે તેનું નામ મોક્ષ. ભગવાનનાં સર્વ કર્મો ગયાં છે, આપણે તે ક્ષય કરવાં છે, તે સમજવાથી પ્રભુ અને આપણું વચ્ચેના અંતરને નાશ થઈ શકે છે તે અહીં પ્રસ્તુત છે. આ કર્મના મૂળ આઠ ભેદ સમજી લેવા, જાણવા એ એને સર્વથા ક્ષય કરવાને માર્ગ છે. અને એ આઠ કર્મની એક અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિ છે, એની વિગત મારા કર્મના વિષયમાં મેં આપેલ છે, તેથી અત્ર તેને વિસ્તાર કરતું નથી, ત્યાંથી જોઈ લેવું. જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિ પાંચ છે, દર્શનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિ નવ છે, વેદનીયની છે, મેહનીયની ૨૮ ઉત્તર પ્રકૃતિ છે, નામકર્મની એક ને ત્રણ પ્રકૃતિ છે, આયુષ્યકર્મની ઉત્તર પ્રકૃતિ ચાર છે, ગે2કર્મની બે અને અંતરાયકર્મની પાંચ ઉત્તર પ્રકૃતિ છે—એમ આઠે મૂળ કર્મની એકને અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિ છે. એની વિગત પ્રથમ કર્મ ગ્રંથમાં આપવામાં આવેલ છે તે જેવી, તેને અભ્યાસ કરે અને તે સર્વ પ્રકૃતિ પર વિજય મેળવી મક્ષ જવાને આપણે ઉદ્દેશ છે તે વારંવાર યાદ રાખવું. આ આઠ કર્મો અને તેની ઉત્તર પ્રવૃતિઓ પૈકી ચાર ઘાતી કર્મ છે, ચાર અઘાતી કર્મ છે અને ઘાતીની ઉત્તર પ્રવૃતિઓ ઘાતી છે અને અઘાતી કર્મોની ઉત્તર પ્રકૃતિ અઘાતી છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો ઘાતી કર્મ કહેવાય છે, કારણ કે તે આત્મના મૂળ ગુણને ઘાત કરે છે. તે સિવાયનાં ચાર કર્મોઃ વેદનીય, નામ, આયુ અને ગોત્ર એ અઘાતી કર્મો કહેવાય છે. તે સંસારમાં રઝળવે છે, પણ તે આત્મિક ગુણને અસર કરતાં નથી, તેથી તેનું અઘાતી કર્મો તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે. કર્મોને ઘાતી તથા અઘાતી વિભાગ વિચારી તે પર સામ્રાજ્ય મેળવવું એ આપણું કર્તવ્ય છે. હવે આપણે કર્મોને બીજી રીતે વિચાર કરી તેને બરાબર ઓળખી લઈએ. બીજા કર્મગ્રંથમાં કર્મને અંગે બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા વિચાર્યા છે, એ ખાસ વિચારવા ગ્ય છે. કર્મના બંધનને અંગે આપણે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ વિચારી ગયા. એ દરેક ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિને બંધ થાય તે પ્રથમ વિચાર્યું છે. એ કર્મ ને બંધ એટલે ન આત્મપ્રદેશ સાથે જોડાવું તે પ્રત્યેક ગુણસ્થાનકે કેટલાં કર્મોનું થાય તે પ્રથમ કર્મને Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૩ ૬ : શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન અંગે બંધને વિચાર છે તે પણ સમજીને લક્ષ્યમાં લઈ આખરે તે બંધને પણ ત્યાગ કરવો જોઈએ. આ કર્મો આત્મા સાથે લાગેલાં છે. તેને કાળ પરિપકવ કયારે થાય અને કયે ગુણસ્થાનકે કેટલાં કર્મો ઉદયમાં આવે, એટલે કેવા કેવા કર્મો ભોગવવા પડે, તે સંબંધી વિચારણું પણ બીજા કર્મ ગ્રંથમાં કરવામાં આવી છે. એ કર્મના ઉદયની વિચારણા કરવી તે કર્મને લગતે ઉદયને બીજે વિષય છે. જ્યારે યોગ્ય કાળે કર્મો ફળ આપે ત્યારે તેને ઉદય થયે છે તે સંબંધી વિચારણા તે ઉદય-વિચારણા. એ પણ સદર બીજા કર્મગ્રંથમાં વિગતવાર કરવામાં આવી છે. જ્યારે કર્મને ઉદયકાળ ન પહોંચી ચૂક્યો હોય તે વખતે તેનું ખેંચવું, તેને કાળ થયા પહેલાં તેને ખેંચી-તાણીને ભેગવવાં, જે શાંત યુદ્ધ કરનાર વીર માણસ યુદ્ધ કરવા માટે બીજાથી પ્રેરાય, તેને છેડીને લડાઈ કરવા તેને પ્રવૃત્ત કરવામાં આવે, તેનું નામ કર્મની ઉદીરણા. આવી ઉદીરણા કર્મને છોડવાને અંગે કોઈ વાર થઈ આવે છે. કયે ગુણસ્થાનકે કેટલાં કર્મોની ઉદીરણું થાય તે વિચારવું તે કર્મોની ઉદીરણા સમજવી. એ પણ બીજા કર્મગ્રંથમાં વિસ્તારથી આપવામાં આવેલ છે. ત્યાંથી વિગત જોઈ જવી. ઉદયકાળ પહેલાં કર્મો આત્માને લાગેલા રહે, ભગવાય નહિ પણ અંદર પડી રહે તે કર્મને અંગે સત્તા-વિચારણા સમજવી. સત્તા એટલે potentiality. કર્મો અંદર પડ્યાં હોય પણ હજુ ફળ આપવાને અંગે તેમને સમય થયું નથી તે. સદર બીજા ગ્રંથમાં પ્રત્યેક ગુણ સ્થાનકે કેટલાં કર્મો સત્તામાં પડ્યાં રહે તેની વિચારણું વિસ્તારથી કરવામાં આવી છે. અને આ કર્મોને અને આત્માને સંબંધ સર્વથા દૂર કરી કર્મને વિચ્છેદ કેમ કર, શું કરવાથી તે આવતાં અટકે અને શું કરવાથી તે નવાં ન બંધાય અને હોય તેને ક્ષય થઈ જાય તે સર્વ આ વિચારણને સાર છે, કારણ કે પ્રાણીને મોક્ષ મેળવે છે અને કર્મ સાથે કઈ પણ પ્રકારનું જોડાણ ન કરવું એ માટે એને આ સર્વ અભ્યાસ અને પ્રયત્ન છે. એ ખરેખર વિચારવાની અતિ મહત્વની બાબત છે અને તે જેમ થઈ શકે તેમ બરાબર રીતે અને યોગ્ય આકારમાં યોગ્ય અંકુશ નીચે કેમ થાય તેની વિચારણા કરવી જોઈએ. કમને સર્વથા વિચ્છેદ થાય તે આપણા સર્વ પ્રયત્ન સફળ છે અને જીવન સફળ બને છે. આ કર્મનાં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા ક્યારે થાય છે, કેમ થાય છે, તે ખાસ સમજવા જેવો વિષય છે, કારણ કે તેને કમની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. અને તે સમજાય ત્યાર પછી કર્મને સર્વથા છેદ કેમ થાય તે પ્રાણી સમજે છે અને તેને છેદ કેમ થાય તે તેના અંતરમાં પછી જાગી ઊઠે છે. તેથી તેની અગત્ય સમજી તેને કર્મગ્રંથ વગેરે ગ્રંથ દ્વારા અભ્યાસ કરવો. (૨) Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] શ્રી આનંદઘન–ચવીશી કનક પલવત્ પયડિ પુરુષ તણી રે, જેડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મપ્રભ૦ ૩ અથ—અનાદિ કાળથી અને પિતાના સ્વભાવથી જેમ સોનું અને માટી મળી રહે છે, તેમ સોના જે આત્મા અન્ય (કર્મ) સાથે જ્યાં સુધી જોડાઈ ગયેલ હોય ત્યાં સુધી એને સંસારી નામ અપાય છે. (૩) ટો-હવે તે પ્રકૃતિને યોગ કનક-પાષાણની પરે અનાદિ આત્મા એટલે પુરુષને લાગે છે એ જે સ્વભાવ અનાદિ છે, જ્યાં લગે આત્મા અન્ય કર્માદિ ગુગળસંગી છે ત્યાં લગે તે સંસારી કહેવાય છે; ચઉતિભ્રમણ સંસારે કરે છે. (૩) વિવેચન – આત્માની પ્રકૃતિ સોના જેવી છે. સેનું જેમ માટી સાથે મળેલ હોય ત્યારે પણું તે તે ત્રણ કાળે સુવર્ણ જ છે. આત્મા સુવર્ણ છે અને અનાદિ કાળથી તેને માટીની પેઠે કર્મ સાથે સંગ થઈ ગયેલ છે. તેને અગ્નિમાં તપાવી આત્માનું સુવર્ણ – સાબિત કરવાને આપણે પ્રયત્ન છે. આ પ્રયત્નમાં જે માનતા હોય તેણે ધ્યાનઅગ્નિથી આત્માનું સુવર્ણત્વ સિદ્ધ કરવાનું છે અને આપણું સર્વ પ્રયત્ન આત્માનું સુવર્ણત્વ પ્રગટ કરવા માટે જ થાય છે. આપણા જીવનને ઉદ્દેશ, અનેક ઉપદેશને હેતુ પણ આ સુવર્ણત્વ સિદ્ધ કરવાનું હોય છે. તેથી સુવર્ણત્વ સ્પષ્ટ કરવા માટે ધ્યાન અને યોગાગ્નિને જરૂર પ્રયોગ કરવો અને તેમ કરી જીવન સફળ કરવું. આત્મા સાથે કર્મો અનાદિ કાળથી લાગેલાં છે. અને એ એક પણ વખત અનાદિ કાળથી આવ્યા નથી, જ્યારે આત્મા કર્મ રહિત થયે હોય. કર્મ રહિત થવું તે પુરુષતન માગે છે. તે ધ્યાનાગ્નિનું જળાવવું માગે છે. તે ઉત્તમ જીવનચર્યા માગે છે. તે સગુણસંપન્નતા માગે છે. અને તે પ્રાપ્ત કરવાને આપણે આદશ છે. જીવના બે ભેદ છે: સિદ્ધ અને સંસારી. જ્યાં સુધી પ્રાણી સંસારી હોય છે ત્યાં સુધી તે એક ગતિમાંથી બીજી ગતિમાં, એક જાતિમાંથી બીજી જાતિમાં ભમ્યા કરે છે અને એ કર્મના ઉદય ઉપર આધાર રાખે છે. જ્યાં સુધી એને આત્મા એક ભવમાંથી બીજા ભવમાં પાઠાંતર–વત માં “તું” ખોડો એક પ્રતમાં નથી, અન્ય સંયોગી પછી “હો ” એક પ્રતમાં વધારે છે. લગે ” સ્થાને , લગ” પાઠ એક પ્રતમાં છે. ત્રીજી પંક્તિમાં રે ” પ્રતમાં વધારેલ છે. કહેવાય સ્થાને કહાય - પાઠ એક પ્રતમાં છે. (૩) શબ્દાર્થ – કનક = સોનું. ઉપલ = પથ્થર. વત = જેમ, પઠે. પડિ = પ્રકૃતિ. જોડી = મળેલી છે, જોડાઈ ગયેલ છે. અનાદિ = જેને કઈ પણ શરૂઆત નથી, અનાદિ સમયથી. સ્વભાવ = સ્વભાવે મળેલી, એને સ્વભાવ જ એવો છે કે સંયોગ સ્વાભાવિક થઈ જાય. અન્ય = આત્મા સિવાયનું બીજુ, પુગળસંગી = સંગવાળો. સંબંધવાળો. આત્મા જ્યાં સુધી પુગળસંયોગી હોય ત્યાં સુધી. જિહાં = જ્યાં. લગે = સુધી; આત્મા જ્યાં સુધી પુગળનો સંબંધ કરે. અથવા એ પુગળ સાથે મળી જાય. સંસારી = જીવના બે ભેદ : સિદ્ધ અને સંસારી, તેમાંથી બીજા પ્રકારને, સંસારમાં રહેનાર, રખડનારો. કહેવાય = ઉદ્દેશાય, જણાય, ઓળખાય. (૩) Page #191 -------------------------------------------------------------------------- ________________ ૬: શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન [૧૭૫ ગમન-આગમન કરે છે ત્યાં સુધી તે સંસારી કહેવાય છે. જ્યાં સુધી કર્મપુદ્ગલ સાથે એ જોડાયેલે–જકડાયેલું રહે છે ત્યાં સુધી એ સંસારી કહેવાય છે, અથવા કર્મનાં વિવિધ પ્રકારનાં ફળ એ જ સંસાર છે અને એ સંસારને છેડો લાવ એ આપણે ઉદ્દેશ છે, શાસ્ત્રને ઉપદેશ છે, અને આપણી સર્વ ક્રિયાનું કેન્દ્ર ત્યાં છે. અહીં સવાલ પ્રભુ સાથે આંતરે પડી ગયા છે તે કેમ મટે એ છે. એથી કર્મ કેવાં છે, અને પ્રાણીને તે સંસારમાં કેવા રખડતા કરે છે તે બરાબર સમજી તે દૂર કરવાના ઉપાયે સેવવાને આપણે ઉઘુક્ત થવાનું છે. એમાં જરા પણ પ્રમાદ ન કરતાં એ કામમાં લાગી જવાની અત્ર સૂચના છે અને એ સૂચનાના અમલીકરણમાં આપણા જીવનનું સાર્થક્ય છે. સોનાને અને માટીને સંબંધ ક્યારે થયે એ જેમ કહી શકાય તેવું નથી, તેમ જ જીવ અને કર્મને અનાદિ કાળથી સંબંધ થયેલ છે. જેમ સેનાને માટી સાથે થયેલે સંબંધ દૂર કરી શકાય છે, અગ્નિ વગેરેના પ્રયોગથી તેનું સુવર્ણવ પ્રકટે છે, તેમ આત્માને સંબંધ કર્મ સાથે અનાદિ કાળથી થયેલ હોય તે પણ દૂર થઈ શકે છે, માટે આ આત્માને ગમે તેટલા કાળથી કર્મ સાથે સંગ થયા હોય તે દૂર કરી શકાય છે અને તે દૂર કરવો તે આપણું કર્તવ્ય છે. જ્યાં સુધી આત્મા અને કર્મ પુદ્ગલને સંબંધ રહે ત્યાં સુધી તે સંસારી કહેવાય છે. એનું નામ સંસારી છે તે કાઢી નાખી તેને મુક્ત કરવો હોય તે આ પુદ્ગલ સાથે સંબંધ દુર કરવો જ રહ્યો. ત્યારે તેનું નામ સંસારી મટી તે મુક્ત કહેવાશે અને પછી તેની જન્મમરણની અત્યારની રીતિ પણ મટી જશે. (૩) કારણ જેગે હૈ બાંધે બંને રે, કારણ મુગતિ મુકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે રે, હેય-ઉપાદેય સુણાય. પદ્મપ્રભ૦ ૪ પાઠાંતર–પ્રથમ પંક્તિમાં “ગે ને સ્થાને એક પ્રતમાં “યોગે ” પાઠ મૂક્યો છે; અર્થમાં ફેર નથી, બંધ ને સ્થાને બંધમે ' એવો પાઠ એક પ્રતમાં છે. “હા” નામને અક્ષર પ્રથમ પંક્તિમાં છે તે પ્રતમાં મકી દીધો છે. “હેય ' સ્થાને થી પંક્તિમાં “ હે પાઠ છે; અર્થ એક જ લાગે છે. * સણાય” સ્થાને એક પ્રતમાં “સુયાણહ” પાઠ છે; અર્થમાં ફેર નથી. “હેય ઉપાદેય ને સ્થાને એક પ્રતમાં “હેઉપાદેય" લખે છે તે અશુદ્ધ જણાય છે. (૪) શબ્દાર્થ –કારણ = વસ્તુ ઉત્પન્ન થવાનું, મેળવવાનું કારણ જેગે = તે મળી જાય, મળ, મેળવે ત્યારે, સંયોગે બાંધે = બંધ કરે, બંધાય. બંધન = કર્મના બંધનને બાંધે. કારણ = તેને મળતાં કારણ મળે, મેળવે ત્યારે, મગતિ = મોક્ષ, કર્મનું દૂર થવું. મુકાય = મૂકે, કર્મોને દૂર કરે. આશ્રવ = કમની આવક, તળાવનું ગરનાળું. સંવર = કમની આવક સામે બારણાં બંધ કરવાં. નામ = નામે, અભિધાન. અનુક્રમે = એક પછી એક કમની આવક તે આશ્રવ, કર્મ સામે બારણાં બંધ કરવાં તે સંવર. હેય = છોડી દેવા લાયક, ત્યાગ કરવા યોગ્ય. ઉપાય = લેવા, સંધરવા લાયક. આશ્રવ હેય છે, સંવર ઉપાય, સુણય = સાંભળીએ છીએ, સાંભળવામાં આવે છે. (૪) Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬] શ્રી આનંદઘન-વશી અથ–જ્યારે કર્મબંધનું કારણ થાય છે ત્યારે આત્મા કર્મને બંધ કરે છે, અને જ્યારે કારણ મળે ત્યારે કર્મથી મુક્તિ મેળવે છે. જ્યારે આત્મા કર્મબંધન કરે ત્યારે તે કર્મની આવકનું નામ આશ્રવ કહેવાય છે અને કમને આવતાં રોકે ત્યારે તેને સંવર કર્યો એમ અનુક્રમે કહેવાય છે. એટલે કર્મની આવકને આશ્રવ અને નવાં કર્મોની આવકના રેકાણને સંવર કહે છે. આશ્રવ તજવા યોગ્ય છે, સંવર આદરવા યોગ્ય છે, એમ સાંભળવામાં આવે છે. (૪) ટબો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, અપ્રશસ્તાદિ ગ—એ સર્વ કારણને બંધ કરે અથવા એ કારણે બંધને બંધ કહેવાય, એ કારણથી મૂકાણો તે વારે જીવને મુક્ત કહીએ. કારણને અનુક્રમે બંધાય તે આશ્રવ કહેવાય, એહવે કારણે સંવરને રોકવે કરી સંવર થાય. તે આશ્રવ તે હેય – છાંડવા યોગ્ય. ઉપાદેય-આદરવા યોગ્ય તે સંવર. એ રીતે ઘણું આગમમાં સૂણાય વાર્તા. (૪) - વિવેચન–આવા પ્રકારને આત્મા સંસારી કહેવાય છે, તેને હવે મુક્ત થયાના અને સંસારને વિચ્છેદ કરવાના કોડ થયા છે, કારણ કે તેને આ જન્મમરણના અને ભવના ફેરા ટાળવાની ઈચ્છા થઈ છે. કારણને જે સંગ થાય તે તે કર્મના બંધને કરીને બંધાઈ જાય છે. આ જીવ નિમિત્તવાસી છે. જે તેને સારાં સાધનો મળી આવે છે તે બંધનથી મુક્ત થઈ જાય અને સંસારને વધારનાર કારણો મળી આવે છે તે સંસારી રહી સંસારમાં રખડ્યા કરે. એને આ પદ્મપ્રભુ સંબંધી વિચાર આવતાની સાથે જ એ પ્રભુ, જે સંસારમાં હતા અને લગભગ પિતાની જેવા જ હતા, તેમની અને પિતાની વચ્ચે આટલે બધે આંતર કેમ પડી ગયો અને એ છેટું કઈ રીતે ભાંગી નાખવું તેને વિચાર થવાની સાથે તેને માલુમ પડ્યું કે જે પિતે સારાં કારણે મેળવે તે પોતે પ્રયત્ન કરી ભગવાન સાથે પડેલે આંતરે કાપી નાખે. આ કારણના વિષય ઉપર ખૂબ વિચાર કરવા યોગ્ય છે. જે વસ્તુ જેનાથી ઊપજે તે તેનું કારણ. તેને હવે સમજાયું કે કારણો સુધારી દેવામાં આવે તે આ સર્વ ભવની ભાવઠ ભાંગી જાય અને પ્રભુ સાથે પડેલ છેટું છૂટી જાય, અને પિતાને પણ આ સંસારમાં જે એક ખાડામાંથી બીજા ખાડામાં પડવાના પ્રસંગ બને છે તે અટકી જાય. તેનું સર્વ કામ કારણાધીન ચાલે છે. જે તેના કારણે સુધરે તે પ્રભુ સાથે પડેલું આંતરું એક સપાટે તૂટી જાય અને પોતે પ્રભુ જે થઈ જાય. સારી સેબત કરવી, પિતાની યોગ્યતા પ્રમાણે તપ-ત્યાગ કરવો અને મેગ્ય કારણો મેળવવાં એ એના મનમાં નિશ્ચય થઈ ગયું છે. અત્યારે એ શુભ અધ્યવસાયમાં આવી ગયું છે. ભવાટવીમાં રખડપાટો કરતાં મનુષ્યઅવતાર, દેવગુરુની જોગવાઈ, ધર્મ સમજની તેની ઇચ્છા આવો સુંદર અવસર કઈ કઈ વાર જ આવે છે અને તેને લાભ તેણે જરૂર લે જ જોઈએ. કર્મબંધનના માર્ગને આસવ નામ આપવામાં આવે છે. જેનાથી આ પ્રાણી બંધાઈ જાય, બંધન કરે તેનું નામ આસવ. આ આસવ અને સંવર કોનું નામ છે, તે કેવા હોય, તેની વિગત ઉમાસ્વાતિના પ્રશમરતિ ગ્રંથમાં છઠ્ઠા ભાવના અધિકાર આપવામાં આવી છે. ત્યાંની સમજણ પ્રમાણે આસવના બેતાલીશ અને સંવરના સત્તાવન પ્રકાર છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૬ : શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન [ ૧૭૭ આ આસ્રવ અને સંવર આત્માની દૃષ્ટિએ અનુક્રમે હેય અને ઉપાદેય છે. જેનાથી આત્મા બંધાય અને સંસારમાં ભટકે તે આવે છે, તે હેય છે, એટલે તજવા યોગ્ય છે. અને જેનાથી આત્મા બંધનથી મુકાઈ જાય તે સંવર છે; તે ઉપાદેય છે, એટલે આદરને યોગ્ય છે. આ ત્યાગવા ગ્ય આસવને ત્યાગ કરી અને સંગ્રહ કરવા ગ્ય સંવરને સ્વીકાર કરી જ્યારે તે પરમાત્મસ્વરૂપ થઈ જાય ત્યારે તેને અને ભગવાનને આંતરે તૂટે. આ પણ કર્મને જ વિષય છે. જ્યારે સોના જેવા આત્મા સાથે લાગેલાં કર્મો આત્મામાં મળતાં બંધ થઈ જાય ત્યારે પ્રભુ સાથે પડેલે આંતર ઘટે, અને પોતે પ્રભુમય થઈ જાય. જો તારે પ્રભુમય થવું હોય તે આ સર્વ કારણે સમજી તેને સુધારી દે અને સંવરના માર્ગો સ્વીકારી તેને સ્વીકાર કરી દે, જેથી તારે મનુષ્યદેહ સફળ થાય અને તારી મનઃકામના સિદ્ધ થાય. નહિ તે આ સંસારમાં ભમવાનું જ છે. તમે તેને સાચો ત્રાસ થયેલ હોય તે સંસારી મટી જા અને તારાં કારણે સંવરને અનુકૂળ કરી દે. એ મુક્તિ પામવાને સાચા ઉપાય છે, સિદ્ધ માગે છે અને તારે તે આદરવા યોગ્ય છે. કારણો સુધારવા તે તારા હાથની બાજી છે અને આ મનખાદેહ સફળ કરવા એ એક જ માર્ગ છે. આ ભવની યાત્રા સફળ કરવા માટે તું આસવ માર્ગોને છોડી દે અને સંવર માર્ગોને સ્વીકાર કરી તેને અનુસર. (૪) યુજનકરણે હો અંતર તુજ પડો રે, ગુણકારણે કરી ભંગ; ગ્રંથ ઊક્ત પંડિત જન કહ્યો રે, અંતરભંગ સુસંગ. પદ્મપ્રભ૦ ૫ અથ–કર્મના જોડાવાથી મારે અને તમારે આંતરે પડી ગયું છે. પણ ગુણ કરવાથી એ આવકને અટકાવ થઈ શકે તેમ છે. આપ તે ભંગને કહી શકે તેમ છે. આ પ્રમાણે વાત પંડિત લેકોએ મને જણાવી છે. આંતર દૂર કરવાને એ સારામાં સારો ઈલાજ છે. (૫) - ટબો–તે માટે યુજનકરણે તમારો અને મારે અંતર પડ્યો છે. કરણ ત્રણ ? એક જ્ઞાનકરણ તે ચેતનારૂપ તેણે કરી જન જડ્યા. આપણું સ્વરૂપે જાણવું તે જાંજનકરણ. તેણે જ અંતર પડયો અને તસ્વરૂપી જાણીને ગુણપણે આચરણ, તેનું નામ ગુણકરણ કહેવાય. પાઠાંતર–પ્રથમ પંક્તિમાં “રે' શબ્દને એક પ્રતે મૂકી દીધો છે. “ ઉક્ત ને સ્થાને ત્રીજી પંક્તિમાં ઉકતિ” પાઠ છે; એ તે ભાષાફેરને લીધે છે. (૫) શબ્દાર્થ—–મુંજનકરણ = કર્મોનું જોડાવું તે, કર્મ અને આત્માને યોગ. અંતર = આંતર, છેટાપણું. તુજ = તમારે તમારી સાથે. ગુણકરણ = ગુણોનું કરવું તે કરી = નીપજાવીને. ભંગ = ભાગી નાખવું, તોડી નાંખવું. ગ્રંથ = આધારભૂત પુસ્તકો, શાસ્ત્રની રચના. ઉકત = કહેલું છે, બતાવ્યું છે. કરી = સાતમી વિભક્તિને પ્રત્યય. પંડિત જન = વિદ્વાનોએ, સમજુ ભણેલાઓએ. જ્હો રે = કહ્યું છે, જણાવ્યું છે. અંતર = આંતર, છેટાપણું; તેનો ભંગ = ભાગી નાંખવો, તેને છેડો લાવવો. સુઅંગ = સુંદર અંગમાં એ ઈલાજ બતાવ્યો છે. (પ) Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮]. શ્રી આનંદઘન–વીશી તેને ભંગ. એ જે આંતરે તેને ભંગ થાય તેને જ ભલે અંગ કહીએ; અથવા એ જ શ્રતઆગમનું અંગ. એ રીતિ પંડિત જને એ કરણને જનવિધિ કહ્યો. અનુક્રમ તેના બંધ વિના ઉદય ગ્ય તેની જ ઉદીરણા અને અનાદિ બંધ અપેક્ષાએ તે સત્તા ઈત્યાદિકે અને ત્રીજો સંસારીકરણ હેતુરૂપ તે પરકરણ જુંજન તે અંતર ભજે. (૫) વિવેચન-કર્મ સાથેનો સંબંધ તે જુંજનકરણ જ્ઞાનવિમળસૂરિના કહેવા પ્રમાણે, કરણ ત્રણ છે. જ્ઞાનકરણ, જંજનકરણ અને ગુણકરણ. આત્માનું કર્મ સાથે જોડાવું તે જાંજનકરણ. અહીં સ્તવનની શરૂઆતમાં પ્રભુ સાથે આટલે બધે આંતરે કેમ પડી ગયે તેને જવાબ આપે છે. મેં હવે જાણ્યું છે, કે આ કર્મોનું આત્મા સાથે જોડાવું થયું તે કારણે મારે પ્રભુ સાથે આંતરે પડી ગયો છે. આ છેટું, ગુણકરણ કરીને તેને ભંગ થઈ શકે તેમ છે. આત્મા તેના અસલ ગુણોની અંદર વર્તે તે ગુણકરણ કહેવાય. આંતરે પડે છે તે આ ગુણકરણ દ્વારા તૂટી જાય. ત્રીજુ જ્ઞાનકરણ, જે જાણવાની વાત છે. વસ્તુને વસ્તુ તરીકે ઓળખાય તે જ્ઞાનકરણ કહેવાય. આ ગુણકારણે કરી જ્યારે આત્મા પિતાના મૂળગુણમાં રમણ કરે ત્યારે નવીન કર્મ બંધાતાં નથી. તેથી પ્રભુ સાથે પડેલ આંતરું પણ ભાંગવાને ઉપાય એ છે કે જનકરણ થવા ન દેવું. આવી રીતે જ્યારે કર્મો અટકી જશે અને જનકરણ થશે નહિ ત્યારે ભગવાન સાથેનું પડેલું છેટાપણું દૂર થશે. અને એ આંતરું ભાંગવાને આ જ અમોઘ ઉપાય છે. જ્યારે નવીન કર્મોને બંધ ન થાય અને આ રીતે આત્મા ભારે થતું અટકે, તે આંતર ભાંગવાને રામબાણ ઉપાય. તેમાં પણ જ્યારે આત્મા સંવરમાં વર્તતે હોય, એટલે એ અષ્ટપ્રવચનમાતાને પાળતે હોય, બાર ભાવના પૈકી પિતાને અનુકૂળ ભાવના ભાવ હોય, દશ યતિધર્મમાં ઉદ્યક્ત હોય, ત્યારે જરૂર એ નવાં કર્મ બાંધતે નથી. તે આસવ રહિત થાય છે અને સંવરમાં પ્રવર્તી ગુણકરણ કરે છે. એટલે નવીન બંધ થતો અટકાવ એ આંતર ભાંગવાનો રામબાણ ઉપાય છે એમ મને વિચાર કરતાં માલૂમ પડે છે. આ જાંજનકરણ અટકાવવું એ આંતરે ભાંગવાનો સરસ ઉપાય છે એમ મને જણાય છે. પંડિત માણસોએ એ રામબાણ ઉપાયને અનેક સ્થળે બતાવ્યું છે. આપણે “ગબત્રીશી', “ગબિન્દુ’ કે ‘યેગશાસ્ત્ર” વગેરેમાં કઈ પણ ગ્રંથ વાંચીએ તે તેઓ પણ આ જનકરણને અટકાવી ગુણકરણ કરવાનું કહે છે. આ જીવનમાં જે સફળ પ્રયેળ થાય તે સંસારયાત્રા સફળ નીવડે છે અને ભવનો ફેરે સકળ થાય છે, નહિ તે પછી જેમ અનાદિકાળથી આ જીવ એક ખાડામાંથી બીજા ખાડામાં પડતે આવ્યો છે, તેનું પુનરાવર્તન જ થાય છે. એ ખાડા અટકાવવા એ આપણો મૂળ ઉદ્દેશ છે અને તેના વ્યવડારપણામાં આ ભવની સફળતા છે. આ સ્તવનની શરૂઆત કરતાં એ આંતર કેમ પડ્યો એ સવાલ થયો અને એ આંતરે કેમ ભાંગે તેનો ઉપાય આખરે આપણને પ્રાપ્ત થાય છે અને તે ઉપાય અજમાવવાની આપણી ફરજ છે. (૫) Page #195 -------------------------------------------------------------------------- ________________ ૬ : શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન તુજ મુજ અંતર અંતર ભાજસે રે, વાજસે મગળ તૂર; જીવ-સરોવર અતિશય વાધશે રે, ‘આનંદધન ’રસપૂર. પદ્મપ્રભ૦ ૬ [ ૧૯૯ અ—મારું અને તમારું આંતરુ' અંતે ભાંગી જશે, મારું અંતર તે આંતરાને કાપી નાંખશે, મ'ગળ વાજા વાગશે અને તે વખતે આત્મારૂપ સરોવર ખૂબ પ્રસન્ન થશે. તે વખતે આનંદના સમૂહ અને તે રૂપ રસ, તેનું પૂર આવશે, પાણી વધશે, ભરતી થશે અને તે રસમાં હું' રસોાળ થઇશ. (૬) ટા—એ રીતે જે વારે, જે સમયે તમારે મારે અ'તર ભાજશે, ધ્યાતા—ધ્યાન–ધ્યેય એકભાવ થશે તે વારે નિર્વિઘ્ન મ’ગલિકનાં વાજા વાગશે, તે વારે જીવસરોવર-આત્મામાનસરોવર-ના અતિશય ગુણુ વાધશે, પરમ આનંદરૂપ ઘન મેઘ તેના રસરૂપ પ્રગટશે એટલે છઠ્ઠા પ્રભુનું સ્તવન થયું. વિવેચન—પ્રભુ! હું હાંસ રાખું છું અને આશા ધરું છુ કે મારી અને તમારી વચ્ચે જે આંતર પડ્યો છે તેનું કારણુ વિચારતાં એ છેટાપણું દૂર થશે એટલે કવિપાકનું જે કારણ છે તે આસ્રવે અને સંવો મારે આધીન હોઈ અંતે તે કારણ હું દૂર કરી શકીશ અને હું આશા રાખું છું કે તમારી અને મારી વચ્ચે જે આંતરો પડી ગયા છે તે અંતે દૂર થઈ જશે. આ આંતો ભાંગવા હું પ્રયત્નશીલ થયા છું, તે કોઈક દિવસ એ આંતરુ જરૂર ભાંગશે. જ્યારે ધ્યાન કરનાર ધ્યાતા, એનું ધ્યેય આપશ્રી પ્રભુ પાતે અને એનું ધ્યાન—તે ત્રણેની એકતા થશે એટલે ધ્યાન કરનાર પ્રભુમય થશે અને તેની અને ધ્યાન કરનાર મારી વચ્ચે જ્યારે એકતા થશે ત્યારે મારી અને તમારી વચ્ચે પડેલ આંતરા દૂર થઇ જશે, અને હું તમારામય થઈ જઈશ. જૈનધર્મીની વિશેષ ખૂખી એ છે કે એના તત્ત્વજ્ઞાન પ્રમાણે યાગ્ય પ્રયત્ન કરવાથી બહિર’ગ આત્મા પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે, અને તેના જન્મ-મરણના ફેરા ટળી જાય છે. તે પરમાત્મરૂપ થઈ જાય એવી એનામાં શક્તિ છે અને મારે તે શક્તિ અજમાવવી છે. આ આત્મિક ગુણ છે અને તે ગુણુકરણે કરીને પ્રાણીને પ્રાપ્ત થાય છે તેથી તેનું અનાદિ સંસારીપણું પાઠાંતર—— ભાંજસે ' તે સ્થાને એક પ્રતમાં ‘ ભાંજસ્યું ' પાઠ છે. ‘ વાજસે ' ને સ્થાને એક પ્રતમાં • વાજત્સ્ય ’ એવા પાડ ભાષાફેરને લીધે છે. ‘ વાધસે ' તે સ્થાને એક પ્રતમાં ‘ વાધસ્યું ’ પાડે છે. પૂર ' ને સ્થાને પ્રતમાં ‘ પુર ' શબ્દ લખ્યા છે. (૬) ' ' " શબ્દા —તુજ મુજ = તમારી અને મારી વચ્ચે, દૂર રહેવાપણું. ભાજસે = ભાંગી જશે, મટી જશે, દૂર થશે. માંગળિક. તુર = વાજા, વાજિંત્રો. વ = ચેતન, આત્મારૂપ તમારા અને મારા. અંતર = આંતરા, છેટાપણું, વાજસે = વાગશે, વાગી ઊઠશે. મંગળ = પવિત્ર, ચેતનસરોવર. સરોવર = પાણી રહે તેવું સાધન, તળાવ. અતિશય = ખૂબ, વધારે. વાધસે = રાજી થશે, વધશે, વાધશે. આનંદધન = આન ંદના સમૂહ, આનંદની જાડાઈ, તેને. રસ = પ્રવાહી. પૂર = ખૂબ વધી જશે. (૬) Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] શ્રી આનંદઘન-વીશી નાશ પામે છે અને સિદ્ધના જીવનમાં તીર્થકર કે સામાન્ય કેવળીનો જરા પણ તફાવત રહે નથી. પછી તે પ્રભુ અને આ જીવ એસ્વરૂપે થઈ જાય છે અને આવા પ્રભુમય થવાને માટે યોગ્ય પ્રયત્ન કરવાની આ જીવને તમન્ના થયેલી છે. આસને દૂર કરવાથી અને સંવરને સ્વીકાર કરવાથી અંતે આ પડેલે આંતર દૂર કરવો એ પ્રાણીને પિતાના પ્રયત્નની જ વાત છે અને તેથી એને આશા બંધાણી છે કે એ આંતરે ભાંગી જશે, અને એક દિવસ પિતે પ્રભુ જેવો જ થઈ પ્રભુ પાસે પહોંચી જશે. માણસને જ્યારે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે ત્યારે તે વાજા વગડાવે એ દુનિયાદારીનો નિયમ છે. આ નિયમને અનુસરી એ કહે છે કે જ્યારે પિતાને અને ભગવાનને આંતરે ભાંગી જશે ત્યારે આનંદનાં વાજા વાગશે. અને તે પ્રસંગ આવશે ત્યારે આ ચેતન આનંદ સરોવરમાં ખૂબ મહાલશે, એ સરવરરૂપ જીવ પણ તેને રસાસ્વાદ કરશે અને રસમાં પિતે લહેર માણશે, તે રસથી પિતે ભરાઈ જશે. આ સુદિન જલદી આવે તે સારું, એમ પ્રાણીની ઈચ્છા છે અને તે વાત પિતાના હાથમાં છે એમ જાણતાં આ પ્રાણી તે જલદી મેળવવા અને પ્રભુ સાથે પડેલ આંતર ભાંગી નાખવા તત્પર થઈ ગયેલ છે. (૬) ઉપસંહાર આ સ્તવનની શરૂઆતમાં તેના કર્તાએ એક ઘણે અગત્યને પ્રશ્ન ઊઠાવ્ય : પ્રભુ ! મારી અને તમારી વચ્ચે આટલું છેટું કેમ પડ્યું ? હવે એ આંતર કેમ ભાંગે?—આવી રીતે ઊઠેલ સવાલનું નિરાકરણ આ આત્માએ શેધતાં એને માલુમ પડ્યું કે પિતાને જે પરની સાથે સંબંધ થયે છે તે જે કાઢી નાખવામાં આવે તે પડેલ આંતરે તૂટી જાય અને પ્રભુ જે સ્થાનકે ગયા છે તે સ્થાનકે પહોંચી આંતરે દૂર કરી શકાય. ઘણી તપાસને પરિણામે આ પર સાથેનો સંબંધ એ આંતર પડી જવાનું કારણ છે એમ આ પ્રાણીને શોધતાં શોધતાં લાગી ગયું. એટલે આંતર દર કેમ થાય તેના માર્ગો તેણે શોધવા માંડ્યા. આ કારણ કમની સાથે લાગે વળગે છે એમ આ પ્રાણીને કર્મના વિપાકથી જણાયું. એ કારણ દૂર થાય તે સંસાર મટી જાય અને પોતે પણ ક્ષે પહોંચી જાય અને પ્રભુ સાથે જે છેટું પડ્યું છે તે દૂર થઈ જાય. ઊઠેલા પ્રશ્નનો આ નિકાલ છે એમ આ પ્રાણીને કમને વિપાક વિચારતાં માલૂમ પડ્યું અને તે બાબતમાં બીજા પુસ્તકકારની શહાદત પણ મળી. એને શરૂઆતમાં જે પ્રશ્ન ઊડ્યો હતો તેને નિકાલ આવી રીતે થતાં પિતે મિક્ષસ્થાનકે જરૂર એક વખત પ્રબળ પ્રયને પહોંચી જશે અને આવડે માટે આંતરે ભાંગી નાખશે અને એક વાર વિજયડંકા વાગશે અને આનંદરસનાં પૂર પોતે વહાવશે એવી ખાતરી થતાં એ રીતે જ કામ લેવાને આ રસિક જીવને-સંસારમાં રચેલપચેલ પ્રાણી-પ્રબળ નિશ્ચય થાય છે અને પિતાને વિજયનાદ ક્યારે સંભળાય અને પિતે આનંદના રસમાં ક્યારે ડૂબી જાય એ વિચારમાં તે પડ્યો છે. આપણે પણ એ વિચારણા સાથે ભળી જઈએ અને વિજયડંકા વગડાવવાની આશા સેવીએ. Page #197 -------------------------------------------------------------------------- ________________ [૧૮૧ ૬: શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન જ્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા થાય ત્યારે પિતે આ આંતર ભાંગી શકે તેમ છે, તેથી કર્મની વિપાકદશા, સત્તામાં પડી રહેવાની શક્તિ અને સર્વ વિચારણે અનેક ગ્રંથોમાંથી કરી, એ નિશ્ચય પર આવી જાય છે કે પદ્મપ્રભુની સાથે પડેલે આંતરે ભાંગી નાખવો અને પિતે આનંદરસના પૂરમાં નાહવું. આ તેને કરેલે નિશ્ચય આ આખા સ્તવનનું ફળ છે. એટલા માટે કર્મો કેવા પ્રકારનાં છે, આત્મા સાથે કેમ બંધાય છે, ક્યારે ઉદયમાં આવે છે, કેવી રીતે તેને ખેંચતાણને ઉદીરણામાં ફેરવાય છે એ સર્વ વાત કર્મગ્રંથાદિક કર્મના વિષયને ચર્ચતા ગ્રંથમાંથી જાણી એના આસો અને સંવરોના માર્ગો જાણી એ સંવરને રસ્તે કર્મ રહિત થવાનું જાણી એ રસ્તે આદરવા આ પ્રાણી પ્રેરાય છે. આ પ્રાણીને તે ખાતરી થઈ ગઈ છે કે આ આંતરે પાડવાનું કારણ જે જાય તે કર્મથી મુક્તિ થઈ જાય અને પોતે અનંત સુખ પ્રાપ્ત કરી આ જન્મમરણના ફેરાથી દૂર થાય અને પછી નિરંતરના આદરમાં પોતે લહેર કરે. આને માટે કમને મારો લેખ તેમ જ કમ્મપયડ, કર્મગ્રંથાદિ પુસ્તકે જોવા અને તે જેમ કહે છે તેમ આસવના માર્ગો તજી સંવરમાગે નવાં કર્મોને રોકવા અને હોય તેને નિર્જરા દ્વારા દૂર કરવા અને એ રીતે પ્રભુ જેવા થઈને પ્રભુ સાથે પડેલે આંતરે દૂર કરવો, ભાંગી નાખવે, એ આ સ્તવનને મુખ્ય આશય અને ઉદ્દેશ છે. આ આંતરે ભાંગી જશે એવી ખાતરી જેને હોય તે તે તેને માટે સુયોગ્ય છે. પણ આપણે તે જવું છે મદ્રાસ અને માર્ગ લીધે છે કાશ્મીરને, એમાં આપણે પત્તો ન ખાય. પત્તો ખાય તેવા માગે કામ લેવું અને ખબર ન પડે ત્યાં સુજ્ઞ ધર્મિષ્ઠ જનને કે આચાર્ય સદુગરને પૂછવું. માર્ગ મળ્યા પછી તે સીધેસટ છે અને આંતરે ભાંગવાના નિશ્ચયમાં જ મિક્ષ છે એ યાદ રાખવું. બાકી તે આગળ મોક્ષ અને સંસાર સમ ગણવાની વાત આવવાની છે, પણ વ્યવહારથી આ આંતરે ભાંગવાની વાત ઠીક છે તેમ વિચારવું (૬) ડિસેમ્બર : ૧૯૪૯] Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્વ જિન સ્તવન અનેક નામ સંબંધ–આપણે ઘાતી ડુંગરે જોયા, તે હટાવી શકાય તેવું છે તે જોયું અને ચિત્તની પ્રસન્નતામાં પૂજનફળ થાય છે તે અનુભવ્યું. આદર્શ નિર્ણય થયા પછી પ્રભુ અને આપણી વચ્ચે પડી ગયેલે માટે આંતરે ભાંગવા આપણે નિર્ણય કર્યો. તે હવે આપણે જેને ભજવા જઈએ છીએ અને જેની સાથે મોટો આંતરે પડી ગયું છે તેને ઓળખવા જોઈએ. દુનિયામાં પ્રભુ અનેક નામે પ્રસિદ્ધ છે અને તેથી આપણે પ્રભુનાં અનેક નામે જાણી, તેમની સાથેની ઓળખાણ કરવી જોઈએ; કારણે, ઓળખાણનું પ્રથમ પગલું એ છે. તેમની સાથે આપણી, નામનિશાન અને પત્તા સાથે, ઓળખાણ કરાવનાર આનંદઘનજી જેવા સુજ્ઞ વિચારક મળ્યા છે અને તેઓ ઓળખાણ કરાવનાર હોઈ આપણે ભેખડે ભરાઈ પડીએ એ તે જરા પણ સંભવ નથી. પરિચય કરાવનાર જ્યારે આ જીવની જન્મ-જરા-મરણથી મુક્તિ કેમ થાય એ એમને શુભ હેત હોય અને એ પરિચય કરાવવામાં તેમને કઈ પ્રકારને અંગત સ્વાર્થ ન હોય ત્યારે આપણે એમના પ્રયત્નને બરાબર ઓળખે જોઈએ અને તેને બની શકતે લાભ લેવો જોઈએ. આવા સુંદર સંગોમાં થયેલા પરિચયને આપણે જરૂર અપનાવીએ અને એવા પરિચયને નેહમાં ફેરવી નાખીએ. કુશળ માણસનું કર્તવ્ય એ છે કે ઓળખાણ અને સ્નેહ એવી વ્યક્તિ સાથે કરવો કે જેને આપણી આવકની રાતી પાઈની પણ અપેક્ષા ન હોય અને જેઓ માન-પ્રતિષ્ઠાના ભૂખ્યા ન હોય. આ નિઃરવાર્થ પરિચય લાંબા કાળ ટકે છે અને તે મિત્રત્વમાં અથવા સ્નેહમાં ફેરવાઈ જાય છે, અને એ પરિચય માટે આપણને જરા પણ ગ્લાનિ થઈ આવતી નથી. તમને એમ લાગશે કે પ્રભુ તે એક ધર્મને છે, તે તમને અહીં જણાવવું પ્રાસંગિક થઈ પડશે કે જે આદરે તે સર્વના તેઓ પ્રભુ છે, એમને જૈનો તરફ ખાસ પક્ષપાત કે પ્રેમભાવ નથી. તેઓ મેક્ષ ગયા છે અને પિતાની સાથે મિક્ષમાં અનેક આવે એવું ઇચ્છનારા છે. તેઓ માટે કેમીભાવ કલ્પવો એ તે જળમાં અગ્નિની કલ્પના તુલ્ય છે. આપણે તેઓની સાથે તે મોક્ષ ન જઈ શક્યા, પણ તેઓના યોગમાર્ગે ચાલી તેઓ જેવા થવાને અને તેમની સાથે પડેલે આંતરે ભગવાને આપણે કાયમ હકક છે. એ રીતે પ્રભુ આ દુનિયામાં અનેક નામે ઓળખાયેલા છે તે સમજી, આપણે તેઓ જેવા થઈને તેમની સાથે પડેલ આંતરી ભાગી નાખીએ, અને એ રીતે આપણી પ્રગતિના આપણે પોતે જ કારણ થઈએ. આ ભવને ફેર સફળ થાય અને આપણી જીવનયાત્રા ફળપ્રદ નીવડે, તેટલા કારણે સ્તવન બહુ ઉપયોગી પ્રભુપરિચય પૂરો પાડે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૭ : શ્રી સુપાથ જિન સ્તવન [૧૮૩ સ્તવન (રાગ સારંગ, મલ્હાર; લલનાની દેશી) શ્રી સુપાસ જિન વંદીએ, સુખ—સંપત્તિને હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ લલના. શ્રી સુપાસ જિન વંદીએ. (ટેક) ૧ અથ શ્રી સુપાર્શ્વ નામના સાતમા તીર્થંકર દેવને નમીએ, વંદીએ, પૂજીએ, કારણ કે તેઓ સર્વ પ્રકારના સુખ અને વ્યાવહારિક તથા પારમાર્થિક ઋદ્ધિના હેતુ એટલે કારણ છે તે માટે. ભગવાન પોતે તે શાંત નામના નવમા રસના સમુદ્ર છે અને સંસારરૂપ સમુદ્રના પુલ જેવા છે. એ બને કારણે એમને વરીએ. (૧) ટબો-જ્ઞાનવિમળસૂરિને બે ભાષાફેર સાથે નીચે પ્રમાણે છે: છ એટલે છઠ્ઠા પદ્મપ્રભુનું સ્તવન થયું. એવા પ્રભુને સ્તવવાને એકતાન હોઈએ, અનેક નામે સ્તુતિ કહીએ છીએ. શ્રીયુક્ત જ્ઞાનાદિ લક્ષ્મીએ સહિત; ભલું પાસું સમીપ છે જેનું અને સુપાર્શ્વ નામના સાતમા જિન, તેને વંદીએ, ત્રિકરણશુદ્ધ, કારણ માટે સુખ અનંત વિવેદ્યરૂપ સંપદા સ્વભાવ પ્રતિ. તે કેવા છે? સમતા રસ નવો અનુભવ શાંત રસને નિધિ-સમુદ્ર છે. એવા ભગવંત છે. ભવ–સંસારરૂપ સાગરને તરવા માટે સેતુ કહેતાં પાળીભૂત છે, અથવા સંસાર સમુદ્ર તરવાને મહામોટી સેતુ-પાજ છે, પરંપાર પામવાને. (૧) વિવેચન–શ્રી સુપાર્શ્વ ભગવાનને વંદીએ, નમીએ, પૂજીએ. સુપાર્શ્વ એટલે સારાં પડખાં છે જેમનાં એવા, શ્રી એટલે લક્ષ્મીએ કરીને યુક્ત. આવા સારાં પડખાંવાળા અને લક્ષમીએ કરીને સહિત જેઓ છે તેવા પ્રભુને આપણે જરૂર નમીએ, તેમની સેવા કરીએ. આવા પ્રભુને નમવામાં આપણને કારણ પણ રહેલું છે. તેઓ જેવા પ્રભુ થયા છે તેવા આપણે તેનું ધ્યાન કરવાથી થઈએ તે આપણા નમનો હેતુ છે. અને નમનનાં બીજાં પણ કારણે છે. આ પ્રાણી સુખને વાંછે છે; સાચું સુખ કોને મળે અને ક્યારે મળે તે આપણે જોતા આવ્યા છીએ. જે પાઠાંતર–વંદીએ” સ્થાને પ્રતમાં “વંદઈ" એવો પાઠ છે; અર્થમાં ફેર નથી. “નિધિ ને સ્થાને પ્રતમાં “ નિધી” એ પાઠ છે. “સુખ ને સ્થાને “સુષ’ શબ્દ પ્રતમાં છે; અથ તે જ રહે છે. “શાંત” સ્થાને શાંતિ પાઠ છે; અર્થ એક જ લાગે છે. “ભવસાગરમાં સ્થાને “ભવસાગરમાંહે” પાઠ પ્રતમાં છે. એક પ્રતમાં માં” સ્થાને ‘માં’ પાઠ છે; અર્થ ફરતે નથી. (૧) શબ્દાર્થ-શ્રી = લક્ષ્મી, જ્ઞાનાદિ લક્ષ્મીવાન. સુપાસ = પડખું છે જેનું સરસ એવા. વંદીએ = નમન કરીએ. સુખ = નવમા રસ શાંત, સમાધિ, શાંત રસના સુખને તે આપનાર છે તે માટે. સંપત્તિ = આત્મિક ઋદ્ધિ, તેને તે (પ્રભુ) આપનાર છે તે માટે. હેતુ = તે માટે; સુખ અને ઋદ્ધિની પ્રાપ્તિ માટે. ભગવાન કેવા છે ? શાંતસુધારસ = શાંતિરૂપી અમૃતને રસ; તેના, જલનિધિ = દરિયો, સમુદ્ર. ભવ = સંસાર, સાગર = દરિયે, સમુદ્ર. સેતુ = પાજ, પાળ, પુલ. (૧) Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] શ્રી આનંદઘન–ચવીશી સુખ સ્થાયી ન હોય, જે સુખની પાછળ અસુખ અથવા દુઃખ ઊભું હોય તેને ખરેખરી રીતે સુખ ન જ કહી શકાય. શાશ્વત સુખ, જે એક વખત થયા પછી તેની પાછળ દુઃખ થતું નથી, એવાં પરમ શાશ્વત સુખ, આ પ્રભુ મારફત આપણને મળે છે, તે માટે આપણે તેમને નમીએ. મન જ્યારે પ્રભુમાં એકાગ્ર થાય, જ્યારે આપણે એકચિત્તે પ્રભુસેવા-ભક્તિ કરીએ, ત્યારે ધ્યાતા અને ધ્યેયની એકતા થતાં, આપણે પ્રભુ જેવા થઈ જઈએ અને અનંતકાળ માટે મોક્ષનું સુખ પામીએ. અનંત કાળનાં સુખ માટે પ્રયાસ કરે તે આપણો ઉદ્દેશ છે. અને તે માગે જવામાં જ આપણું સાચું હિત છે. તે માર્ગ બતાવનાર પ્રભુને આપણે નમીએ. આમાં કદાચ સ્વાર્થ જેવું લાગશે, પણ ઊંચામાં ઊંચે સ્વાર્થ તે પરમાર્થ છે, અને તે મેળવા માટે ઉચિત રસ્તે લેવામાં જે પરમાર્થ રહેલે છે તેને આપણે સ્વાર્થ ગણવામાં આવે તે પછી પરમાર્થને પણ સ્વાર્થ ગણ જોઈએ. જ્યાં પરમાર્થ સાધી શકાય ત્યાં સ્વાર્થ નથી. પ્રભુમય થતાં અનંત સુખ મળે એટલે આપણે તે માર્ગે આગળ ધપવું જ યોગ્ય છે. સ્વર્ગદિકનાં કે મનુષ્યપણામાં પૌગલિક સુખો મળે છે તે છેડા વખત માટેનાં જ સુખ છે, અને જે સુખની પછવાડે અસુખ થવાનું હોય તેને વાસ્તવિક સુખનું નામ જ ન આપી શકાય. આવું અવ્યાબાધ શાશ્વત સુખ મેળવવા માટે આપણે પ્રભુને નમીએ, અને નિરવધિ સુખ પ્રાપ્ત કરવાના કામમાં લાગી જઈએ. પ્રભુને વંદન કરવાને એક બીજે પણ હેતુ છે; તેઓ આપણું જે ખરેખરી આત્માદ્ધિ છે, તેને મેળવી આપનાર છે. આ દુનિયા પૈસા ખાતર અનેક વલખાં મારે છે અને અનેક ખુશામત કરે છે. તે આખર વખતે જાણે છે કે એ ત્રાદ્ધિ કેઈની સાથે ગઈ નથી અને જવાની પણ નથી, છતાં તેની પાછળ આ જીવ પડે છે, તે પછી જે આત્માદ્ધિ મેળવી આપે અને આપણે અનંત કાળ સુધી સુખ ભોગવીએ તેવી આપણા આત્માની મિલક્ત મેળવવામાં જે કારણ થાય, તેને આપણે જરૂર વાંદવા–નમવા-પૂજવા જોઈએ. આપણને સ્થાયી સુખનાં કારણ હોવાથી અને આપણને આત્માદ્ધિ મેળવી આપનાર હોવાથી, આ બન્ને કારણે, આપણે તેમને વંદવા જોઈએ. અને તેમ કરવામાં આપણે પિતાની ફરજ જ બજાવીએ છીએ. અહીં આપણું મનમાં સવાલ થશે કે આ પ્રભુ કેવા છે? તેથી આ પ્રભુને બરાબર ઓળખવા જોઈએ. ચાલે, આપણે આનંદઘન સાથે તેમને ઓળખવા પ્રયત્ન કરીએ. શાંત નામને નવમે રસ છે. આ રસને રસ તરીકે સ્વીકારે કે નહિ તેને માટે સંસારરસિક કવિઓમાં ચર્ચા ચાલે છે. તે ગમે તેમ હો, પણ આ શાંત રસ રસ છે તે માટે આ પુસ્તકમાં પૃથફ ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે શાંત રસના મોટા દરિયા પ્રભુ પિતે છે. શાંત રસને નમૂને જેવો હોય તે પ્રભુને એક વાર જોઈ લે. એ તે શાંતરસમય છે. આવા શાંત રસના સમુદ્રને આપણે નમીએ. આ શાંત રસથી તેઓ ભરપૂર હોવાથી તેઓ એ રસનું બીજાને દાન દેનાર છે એટલે આપણને જે શાંત રસ ગમતું હોય તે આપણે સાતમા જિનને નમીએ, અને તેમની સેવા કરી તેમની પાસેથી શાંત રસ મેળવવા ભાગ્યશાળી થઈએ. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૭: શ્રી સુપાર્શ્વ જિન સ્તવન [૧૮૫ અને વળી ભગવાન કેવા છે? તે તમારે જાણવું, આ સંસારસમુદ્રની પાજ જેવા છે. જેમ ગંગા, યમુના, સિંધુ વગેરે સમુદ્ર જેવી મોટી નદીઓ ઉપર મોટા પુલ બાંધવામાં આવે છે અને તે પુલ દ્વારા સામે પાર જવાય છે તેમ આ સંસારરૂપ સમુદ્રને તરી પેલે કાંઠે જવાને માટે પ્રભુ પુલની ગરજ પૂરી પાડે છે, સેતુ એટલે પાજ, પુલ, અંગ્રેજીમાં જેને bridge કહે છે તે કાર્ય કરનાર અને સામે કાંઠે જવાની આપણી ઈચ્છા પૂરનાર પ્રભુ છે. પ્રભુ આવા હોવાથી આપણું અંતિમ હેતુ માટે આપણે તેમને નમીએ, અને તેમની અને આપણી વચ્ચે પડેલું છેટાપણું ભાંગી નાખીએ. (૧) સાત મહાભય ટાળો, સપ્તમ જિનવર દેવ, લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના. શ્રી સુપાસવ ૨ અર્થ–આ સાતમા તીર્થકર સાત મોટા ભયને દૂર કરનારા છે, તેટલા માટે સાવધાન થઈ એ જિનેશ્વર દેવના પગની સેવા કરે. (૨) ટો–સાત મહાભયને ટાળતા છેઃ ૧. ઈહલેકભય. ૨. પરલેકભય. ૩. આદાનભય. ૪. અકસ્માતમ. પ. આજીવિકાભય. ૬. અપયશભય. ૭. મરણભય, ઈત્યાદિક દ્રવ્યભય; અને ભાવભય તે કામ, ક્રોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ, મિથ્યાત્વને ટાળક એ સાતમો જિન છે. તે તરણતારણ સમર્થ છે. તે માટે સાવધાન, એકાગ્રતા મન કરી ચિતમાં (તેને) અવધારે ધ્યાન કરે. એહી જ જિનચરણરેણુની કમળની પેઠે સેવા કરે. (૨) વિવેચન–આવા શાંત સુધારસના સમુદ્ર અને આ સંસારમાં પુલ સમાન સાતમા શ્રી સુપાર્શ્વનાથ જિનેશ્વરદેવ સાત મહાભયને ટાળનાર છે, એને દૂર રાખનાર છે. ભયમાં પણ સાત મહાભય છે તેનાં નામે આપણે પ્રથમ જાણી લઈએ. ૧. ઈહલોકભય : આ લાકમાં મને કણ ખાવાનું આપશે ? અથવા મારું શું થશે ? તેની ચિંતા, ફિકર ૨. પરલેકભય : પરલોકમાં આવતા જન્મ હું કાગડે, નોળિ થઈશ કે નારકીમાં પડી આકરાં દુઃખ સહન કરી શ તેની બીક લાગે છે. આદાનભય : હું ભિક્ષા લેવા કે કાંઈ માગણી કરવા જઉં છું તે શેઠ આપશે કે કાંઈ બહાનું કાઢી ગોટા વાળશે એવી પ્રથમથી જ ચિંતા કરવી અને પિતાની માગણી મુજબ મળશે કે નહિ તેની અગાઉથી જ બીક પાઠાંતર–સાત ને સ્થાને એક પ્રતમાં “શ્રી સાત” છે; અર્થમાં ફેર નથી, “જિનવર” સ્થાને “અનવર ” પાકે પ્રતમાં છેઃ અર્થ એક જ છે, “સાવધાન’ સ્થાને એક પ્રતમાં ‘સાવ સાધાન’ પાઠ છે; અર્થમાં ફેર નથી, * જિનપદ' સ્થાને એક પ્રતમાં “જિનવર” પાઠ છે, તે વિચારવા યોગ્ય છે. ‘પદ સેવ” સ્થાને એક પ્રતમાં પ્રદેવ” પાઠ છે તેને અર્થ ફેર થતો નથી (૨) | શબ્દાર્થ–સાત મહાભય = સાત પ્રકારના મોટા ભયો ( વિગત માટે જુઓ વિવેચન). ટાળો = દુર રાખતો. ન થવા દેતો. સપ્તમ = સાતમાં. જિનવર વ = જિનેશ્વર પ્રભુ. સાવધાન = એકાગ્ર. મનસા = મન વડે. કરી = કરીને, અમલમાં મૂકીને. ધારો = કરો, અમલમાં મૂકે. જિનપદ = પ્રભુના પગે, પ્રભુના પદો, પ્રભ સેવ = સેવા, અનુસરે, એની પાછળ ચાલે. (૨) २४ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬] શ્રી આનંદઘન-ચોવીશી રાખવી. ૪. અકસ્માતભય : એટલે રસ્તે ચાલીશ ત્યાં મોટર કે ઘેડાગાડીની ભીંસમાં આવી જઈશ કે નહિ તે જાતની અકસમાત થયા પહેલાં બીક રાખવી તે, પોતાને કઈ અકસ્માત થશે એવો ભય. ૫. આજીવિકાભય : મારું ભરણપોષણ થશે કે નહિ, મને આજે ખાવાનું મળશે કે મારે આજે નકોરડા થશે તેવી બીક રાખવી તે. ૬. અપયશભય : કેમાં મારે માટે કેવું લાગે તેની ચિંતા અથવા આ કામથી જરૂર ખરાબ બેલાશે અને પિતાનું નામ બગડશે, એવો ભય રાખે છે. ૭. મરણુભય: પિતે મરી જશે ત્યારે આ નાનાં બચ્ચાંઓનું શું થશે, તેમનું કણ પૂરું કરશે તે જાતની બીક અથવા મરવાની જ બીક. મરવું જરૂર છે, પણ આ જીવને જવું ગમતું નથી અને અમુક કૃત્યથી પિતાનું મરણ થશે એવી આગાહી કરવી અને તે વાતની બીક મનમાં ધારણ કરવી તે ભય. આવા સાત પ્રકારના ભને ટાળનાર પ્રભુ છે એટલે પ્રભુનું જે ધ્યાન કરે તેને આ સાત પ્રકારમાંથી કઈ ભય ન થાય અથવા, એક વિદ્વાનના કહેવા પ્રમાણે, કામ કોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ અને મિથ્યાત્વ કૃત ભને ટાળનાર પ્રભુ છે. એ બીજી રીતે ભય ગણવા તે પણ ઉચિતાર્થ છે. પ્રભુ એવા કેઈ પણ પ્રકારના ભયને દૂર કરનાર છે. આ સાતમા પ્રભુ એ ભયને અટકાવનાર અને કદાચ કોઈ કારણે ભય થઈ જાય તો તેને દૂર કરનાર છે. માટે આવા મેટા ભલેને અટકાવનાર કે દૂર કરનાર હોય તેની સેવના સાવધાન મનથી કરવાની આપણી ફરજ છે. દુનિયાદારીને નિયમ છે કે જે રાજા આપણો બચાવ કરે તેની સેવા-ચાકરી ઊઠાવવી, તેને યોગ્ય સન્માન આપવું, તે આ પ્રભુ તે સાત પ્રકારના મોટા ભયને ટાળનાર હોવાથી તે આપણી સેવાને પાત્ર છે. આવા શાંત સુધારસના દરિયાને અને ભવસાગરના પુલને આરાધ્ય ગણી તેનું ધ્યાન કરવું અને તેમનામાં એકાગ્રતા રાખવી એ આપણું કર્તવ્ય છે. (૨) શિવ શંકર જગદીશ્વર, ચિદાનંદ ભગવાન, લલના; જિન અરિહા તિર્થંકરુ, જયોતિ સ્વરૂપ અસમાન, લલના. શ્રી સુપાસ. ૩ પાઠાંતર–શંકર' સ્થાને એક પ્રતમાં “સંકર ” પાઠ છે, અર્થ એને એ જ રહે છે. “જગદીશ્વર' સ્થાને એક પ્રતમાં “જગદીસરૂ” પાઠ છે; અર્થમાં ફેર નથી. “ અરિહા’ સ્થાને “અરિહંત' શબ્દ એક પ્રતમાં મૂક્યો છે; અર્થ ફરતો નથી “અસમાન” સ્થાને “સમાન” પાઠ એક હસ્તલિખિત પ્રતમાં છે. બીજી પ્રતમાં પણ “સમાન” પાઠ છે. એક પ્રતમાં ત્રીજા પાદની શરૂઆતમાં શ્રી શબ્દ છે. (૩) શબ્દાર્થ –શિવ = ત્રિમૂર્તિમાંના એક, પીડા નિવારક. શંકર = સુખકારી; “શું” એટલે સુખ, તેને કરનાર, જગદીશ્વર = જગતના ઈશ્વર, સ્વામી, જગત ઉપર સત્તા ચલાવનાર; પરોપકારી, પારકા ઉપર ઉપકાર કરનાર. ચિદાનંદ = જ્ઞાનાનંદરૂપ, જ્ઞાનમાહાત્મ્ય, યશવીય વૈરાગ્યવંત. ભગવાન = એશ્વર્યવાન, સત્તાવાળા. જિન = રાગ, દેષ, મોહાદિ શત્રુને જીતનાર અરિહા = અરિહંત, કમરૂપ શત્રુને હણનારા છે માટે. તિર્થંકરું = તીર્થના પ્રવર્તાવનારા, તીર્થકર. ભગવાન પોતે તીર્થ સ્થાપે છે, ચાર પ્રકારને સંધ સ્થાપનાર, જયોતિસ્વરૂપ શુભ ચૈતન્ય૨૫: તેજસ્વરૂપી. અસમાન = જેમની સરખામણી કઈ સાથે ન થઈ શકે તેવા; તેમના સરખી કોઈ દુન્યવી વસ્તુ ન હોવાથી અસમાન; તેમના જેવા કેઈ નથી. (૩) Page #203 -------------------------------------------------------------------------- ________________ [૧૮૭ ૭ : શ્રી સુપાર્શ્વ જિન સ્તવન અર્થ—આ ભગવાનમાં શિવપણું છે, કારણ કે તે કર્મના ઉપદ્રવને નિવારનાર છે તે શંકર છે, કારણ કે મહાકલ્યાણના કરનાર છે. તેમનામાં જ્ઞાનનો આનંદ હોઈ જાતે ચિદાનંદસ્વરૂપ છે. અને ઐશ્વર્યવાળા હોવાથી જાતે ભગવાન છે. વળી, તેઓ શત્રુને જીતનાર હોવાથી જાતે જિન છે, અને કમરૂપ શત્રુને જીતનાર હોવાથી પિતે અરિહંત છે. અને તીર્થના ચલાવનાર હોવાથી તીર્થકર છે. વળી, તેઓ જાતે જ જ્યોતિ સ્વરૂપ છે, તેજવંત છે અને તેમની સાથે સરખાવી શકાય તેવું અન્ય કેઈ ન હોવાથી અસમાન છે. (૩) ટબે–શિવ નિરુપદ્રવ છે, શંકર કહેતાં સુખકારી છે. ત્રણ જગતને ઈશ્વર–સ્વામી છે, પપકારી છે. ચિદાનંદ એટલે જ્ઞાનરૂપી છે. ભગવંત જ્ઞાનમાહાભ્યરૂપ યશ વીર્યવંત છે, ઘણા શ્રેષ્ઠ છે, રાગાદિક જીતનારા છે તેટલા માટે જિન કહેવાય. સકળ જગતના દ્રવ્ય-ભાવપૂજાને યોગ્ય માટે અરિહંત છે. તીર્થકર કહેતાં ચાતુર્વણ્ય, દ્વાદશાંગી, પ્રથમ ગણધર કરવા માટે તીર્થકર તિસ્વરૂપ છે. કોઈની તિના ઉપમાનનું કામ નથી. (૩). વિવેચન–હવે આ પ્રભુ અનેક નામને યોગ્ય છે, તેમાંથી થોડાં નામે બતાવી તે કેવી રીતે તેઓ એ નામને યોગ્ય છે તે આપણે વિચારીએ. એ વિચારણાથી પ્રભુ તરફનો તમારે સેવાભાવ વધારે જાગ્રત થશે અને તમે તમારી ફરજ બજાવતા થશે. આ પ્રભુ કર્મના ઉપદ્રવને અટકાવનાર હોવાથી તેઓ શિવ નામને યોગ્ય છે. શિવ એટલે કર્મની પીડાના નિવારક. શિવ એટલે ઉપદ્રવ નિવારક. આ ભગવાન પોતે શિવ છે, કારણ કે તેઓ કર્મની પીડાનું નિવારણ કરનાર છે. આ દુનિયા જેને શિવ કહે છે તે તે સંહાર કરનાર છે, પણ ભગવાન પોતે કર્મના ઉપદ્રવનો અટકાવ કરનાર હોવાથી તેઓ શિવના નામને મેગ્ય છે. તેથી આપણે ભગવાનને ભજતાં સારા શિવને ભજીએ છીએ. શંકર પણ ભગવાન પોતે જ છે. જેઓ “શ” એટલે સુખ, તેને કરનાર હોય તે શંકર, ભગવાન નિત્યકાળનું સુખ કરનાર હોવાથી શંકરના નામને કે વિશેષણને બધી રીતે યોગ્ય છે. એ ભગવાન “જગદીશ્વર”ના નામને લાયક છે, કારણ કે તેઓ ખરેખરા જગતના ઈશ્વર છે. ઈશ્વર એટલે રાજ્ય કરનાર. તેઓ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણે જગતના ઉપરી હેવાથી, તેઓ જગદીશ્વર કહેવાય છે, અને તેઓને જગદીશ્વર તરીકે ભજવા-માનવા-પૂજવા તે સર્વ રીતે યોગ્ય છે. તેઓનું આશ્વર્ય પણ ઈશ્વરના જેવું હોવાથી તેઓ ખરા જગદીશ્વર છે. વળી તેઓ જ્ઞાનાનંદમય હોવાથી ચિદાનંદના નામને યોગ્ય છે. સાતમા સુપાર્શ્વનાથ ભગવાન પિતે ભગવાન છે. ભગ શબ્દના ચૌદ અર્થો આપવામાં આવ્યા છે (આ માટે જુઓ બારસાની ટીકા-વિનયવિરચિત), તેમાંથી સૂર્ય અને નિ એ બે અર્થ છોડી દઈને બાકીના બાર અર્થ તેઓને લાગુ પડે છે. સુપાર્શ્વ નાથને “જિન” એટલે વિજય કરનારનું જે બિરુદ છે તે તદ્દન એગ્ય છે. તેઓએ પિતાની જાત પર, કામ-ક્રોધાદિક પર, રાગદ્વેષ અને મેહ પર એવી જીત મેળવી છે કે તેઓ જિન તરીકે આ દુનિયામાં ખ્યાતિ પામ્યા છે. શ્રી સુપાસનાથ ભગવાન શત્રુને હરાવનાર હોવાથી અરિહંત છે. તેઓએ કર્મશત્રુઓ પર વિજય મેળવેલ હોવાથી તે સાચી રીતે અરિહંત છે. અરિ એટલે શત્રુ, તેને હણનાર અરિહંત કહેવાય છે. શ્રી સુપાર્શ્વનાથે પિતાનું તીર્થ પ્રવર્તાવેલું Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] શ્રી આનંદઘન-વીશી હોવાથી તેઓ તીર્થકરના નામને તદ્દન એગ્ય છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરવી એ ધર્મ પ્રવૃત્તિનું પ્રથમ પગલું છે અને ત્રિપદી લઈ ગણધરે સૂત્ર રચે તે બીજું પગલું છે. આવું તીર્થ શ્રી સુપાર્શ્વનાથે સ્થાપેલું હોઈ, તેઓ તીર્થકર નામને સાર્થક કરે છે. શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શુદ્ધ ચૈતન્યવાન હોવાથી તેઓ તિસ્વરૂપ છે. અને શ્રી સુપાર્શ્વનાથ ભગવાન “અસમાન” છે. આ દુનિયામાં એવી કોઈ ચીજ નથી, એવું કઈ પ્રાણી નથી, જેની સરખામણી તેમની સાથે થઈ શકે. તેઓ તેના જેવા છે એવું કહી શકાય તેમ નથી. તેઓની ઉપમાને યોગ્ય કઈ વસ્તુ કે પદાર્થ કે પ્રાણી નથી. તેથી આ અસમાનને વાંદો, પૂજે, નમે. (૩) અલખ નિરંજન વચ્છલુ, સકળ જતુ વિસરામ, લલના; અભયદાન-દાતા સદા, પૂરણ આતમરામ, લલના. શ્રી સુપાસ. ૪ અથ—અને સમજી શકાય તેવા, જાણ્યા જાય તેવા ન હોવાથી અલક્ષ્ય છે, અને લેપ વગરના હોવાથી જાતે નિરંજન છે. તેઓ સર્વ પ્રાણીનું હિત કરનાર હોવાથી વત્સલ છે અને સર્વ પ્રાણીઓને આરામરથાન હોવાથી તેઓ સર્વના વિશ્રામ છે અને તેઓ હમેશાં અભયદાનને દેવાવાળા હોવાથી અભયદાની કહેવાય છે. અને તેઓ આત્મામાં આરામ પામતા હોવાથી સંપૂર્ણ આત્મારામ છે. (૪) ટબે-અલક્ષ્ય એટલે કે ઈ સંસારીએ ક ન જાય તેવા છે. નિરંજન કર્મરૂપ અંજન -લેપન નથી, એટલે સર્વ પ્રાણીને વાત્સલ્ય-હિતકારક, સર્વત્ર સ્થાવર જતુ કહેતાં જીવના આધારવિશ્રામભૂત છે. સદેવ-નિરંતર અભયદાનના દાતા છે, દાયક છે. આત્માના ગુણ તેણે કરી પૂર્ણ -ભર્યો આત્મારામ છે. (૪) વિવેચન–અને બીજું પણ પ્રભુનાં અભિધાનો અનેક છે. તેઓ મગજમાં સમજી શકાતા નથી, અક્ષરથી લખી શકાતા નથી અને ઉપમાને યોગ્ય નથી તેથી અલક્ષ્ય નામે ઓળખાય છે. દુનિયાનો કઈ પ્રાણી તેમને જાણી, સમજી, લખી શક્યો નથી તેથી તેમનું અલક્ષ્ય નામ અપાય છે તે સાર્થક છે. તેઓનું એક વધારે નામ “નિરંજન” છે. કર્મનો કોઈ પણ પ્રકારનો લેપ નથી. કર્મનું તેમના સંબંધમાં એક પણ પડ આવેલું નથી, તેથી તેઓ નિરંજન નામને યોગ્ય છે. અથવા અંજન એટલે આંજણ. તેઓમાં કઈ પણ પ્રકારની કર્મની મશ-મશી ન પાઠાંતર–“વચ્છલું સ્થાને એક પ્રતમાં “વછલુ પાઠ છે. અર્થ તે જ છે. “આતમરામ’ સ્થાને એક પ્રતમાં આતમ શબ્દ છે. (૪) | શબ્દાર્થ—અલખ = સંસારી છવથી જેની કલ્પના ન થઈ શકે તેવા. નિરંજન = જેમને કમને અંજન એટલે લેપ નથી તેવા. વછલું = અનેક પ્રાણીઓનું હિત કરનાર. સકળ જતુ વિસરામ = સર્વ પ્રાણીઓના આશરા, સવ પ્રાણીઓને ઊંચામાં ઊંચી સત્તા પામવાના સ્થાનકે અને તેમના વિશ્રામસ્થાન. અભયદાનદાતા = બીકથી બચાવનાર, આશ્રિતને અભયદાન આપનારા. સદા = હમેશાં. પૂરણ = સંપૂર્ણપણું પામેલા. આતમરામ = આત્મામાં રહેલા. (૪) Page #205 -------------------------------------------------------------------------- ________________ ૭ : શ્રી સુપાશ્વ જિન સ્તવન [૧૮૯ હોવાથી તેઓ “નિરંજન” નામે જગતમાં પ્રસિદ્ધ થયા છે. અંજનને અર્થ અજ્ઞાન પણ થઈ શકે છે. ભગવાન શ્રી સુપાર્શ્વનાથ વત્સલ છે. એટલે સર્વ પ્રાણીને હિતકારી. ભગવાન આ જીવના હિત કરનારા છે, એને મેક્ષ, દેવલોક કે મનુષ્યલેક અપાવવામાં મદદ કરનાર છે; અને માતાપિતા જેમ પુત્રનું વાત્સલ્ય કરે તેમ વાત્સલ્ય કરનાર છે. આથી તેઓને વત્સલ-ભલું કરનાર તરીકેનું ઉપનામ મળે તે તદ્દન એગ્ય છે. વળી, તેઓ સર્વ પ્રાણીને આરામ અપાવનાર હોવાથી તેઓનું નામ સકળજતુ વિશ્રામ થઈ શકે છે. આ પ્રાણી તે સંસારમાં અનેક ગતિમાં જઈ થાકી ગયા છે, હજુ ઠરીઠામ ન થાય ત્યાં બીજે જાય છે. આ પ્રભુ પાસે એ ચમત્કાર છે કે એ જન્મમરણના ફેરા અળસાવી દઈ પ્રાણીને હમેશને માટે આરામ અપાવનાર છે. તમે ડુંગર ચડે ત્યારે એવા વિસામાનું મૂલ્ય જાણે. પ્રભુ થાક્યાપાક્યાને આશરે છે, સર્વ પ્રાણીના આશરા છે. પ્રભુ પિતે જીવને સર્વ પ્રકારનું અભયદાન આપનારા છે, કઈ પણ જીવને તેમની નજીકમાં કઈ પ્રકારને ભય નથી. તેઓની આજુબાજુમાં પણ કોઈ જાતનો ભય નથી–સ્લિાસિટાયાં તાન્નિધૌ વૈરહ્યા. અને તેથી સર્વદા તેઓ અભયદાનના દાતા એ નામને સાચું કરે છે. વળી, પ્રભુ જાતે પૂર્ણ હોવાથી તેઓ પૂર્ણના નામને યોગ્ય છે. પૂર્ણમાંથી પૂર્ણ લેતાં પણ પૂર્ણ જ બાકી રહે છે, આવા અદ્ભુત સ્વભાવવાળા પ્રભુ પૂર્ણ નામને બરાબર લાયક છે. અને પ્રભુ પિતે આત્મારામ છે, આત્મામાં જ રહેલા છે અને આરામ પણ ત્યાં પામનારા છે. એવા આત્મારામ પ્રભુને સે, વદો, પૂજે અને તેમને તેમના સ્થાનને યેગ્ય “આતમરામ” તરીકે માન આપો. (૪) વીતરાગ મદ કપન, રતિ અતિ ભય સેગ, લલના; નિદ્રા તંદ્રા દુરંદશા, રહિત અબાધિત યોગ લલના. શ્રી સુપાસ૫ પાઠાંતર—એક પ્રકાર પ્રથમ પાઠમાં “શ્રી” શબ્દ ઉમેરે છે. “મદ ” સ્થાને એક પ્રતનો લેખક “મત” કરે છે; તેને અર્થ ફાવે તેમ નથી, “યોગ” સ્થાને એક પ્રતમાં “ગ” પાઠ છે, એ પ્રાકૃતિને કારણે જણાય છે. “નિદ્રા” સ્થાને એક છાપેલ પુસ્તકમાં નિંદ્રા પાઠ છે, તે અશુદ્ધ જણાય છે. અબાધિત ને સ્થાને એક પ્રતમાં “અબાહિત” પાઠ છે; અર્થમાં ફેર પડતો નથી. (૫) શબ્દાર્થ–વીતરાગ = જેમના રાગ-ઇષ્ટ પદાર્થોને પ્રેમ–નાશ પામી ગયો છે જેઓ વહાલી ચીજ તરફ પણ પ્રેમ નથી કરતા. મદ = અભિમાન, મહત્તા બતાવવી તે. કલ્પના = મનમાં આહટહટ વિચારવા, પોતાની સજક શક્તિ છોડી મૂકવી તે, મનનાં સંકલ્પવિકલ્પ કરવા. રતિ = રાજી થવું, પ્રેમ કરવો તે. વસ્તુપ્રાપ્તિને અંગે તેમાં રાચી જવું તે. અરતિ = વસ્તુ ન ગમે તેવી હોય તેના તરફ અરાજી થવું, અપ્રીતિ, પ, ભય = બીક, ઉપર જે ભય (સાત) કહેલા છે તે પૈકી એક અથવા વધારે. સોગ = શેક. પ્રિય વસ્તુની અપ્રાપ્તિ અથવા અપ્રિય વસ્તુની પ્રાપ્તિ વખતે થતી દિલગીરી. નિદ્રા = પાંચ પ્રકારની ઊંધ : ૧. નિદ્રા. ૨. નિદ્રાનિદ્રા, ૩. પ્રચલા, ૪. પ્રલાપ્રચલા અને ૫. સ્વાર્ધિ. તંદ્રા = આળસ, ઊંઘ આવી જવા જેવી સ્થિતિ. દૂર દશા = ખરાબ સ્થિતિ, દુર્દશા. રહિત = એ મદ, કલ્પના, રતિ, અરતિ, ભય, શોક, નિદ્રા તંદ્રા અને દુરંદશાને લાગે છે. તે વિનાના અબાધિત = પીડા વગરના યોગ સાથે જેમના મન, વચન અને કાયાના યોગો = ઉપયોગ કોઈને પીડા કરતા નથી. (પ) Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] શ્રી આન‘ઘન-ચાવીશી અને સર્વ પ્રકારના ગ, આળસ, ખરાબ સ્થિતિથી વીતરાગ છે. અથ—તેઓના રાગદ્વેષ ગયેલા હેાવાથી તેએ કલ્પના, આનંદ (રતિ), પીડા (અરતિ), બીક (ભય), શાક, ઊ ંઘ, રહિત હાવાથી તેઓ મન-વચન-કાયાના યેગોથી પીડા વગરના છે. (૫) ઢો—વીત કહેતાં ગયા છે, રાગ કહેતાં ઇષ્ટપ્રાપ્તિના હર્ષી. મ તે પ્રાપ્ત વસ્તુને ઉત્કર્ષ, કલ્પના તે સંકલ્પજાલ, ઇષ્ટની બહુમાનતા તે રતિ, તદ્વિપરીત તે દીનતા તે અતિ, ભય તે પૂર્વોક્ત, શાક તે ગત વસ્તુ સંબંધી ખેદ-આક્રંદન આદિ, નિદ્રા તે ઊંઘ, તંદ્રા તે આળસ, દુર'દશા તે અશુભાધ્યવસાય. ઇત્યાદિક અશુભ દશાથી રહિત, એટલા જ માટે અખાધિતયાગ, સાધ્યા સકલ જોગ. (૫) વિવેચન—હવે આપણે પ્રભુનાં બીજા થાડાંક નામે પણ લઇએ. પ્રભુ વીતરાગ છે, તે રાગદ્વેષ વગરના છે; તે એમાં પણ રાગ મીઠો દુર્ગુણ હોવાથી ખાસ તે વગરના છે એમ કહી તે દ્વેષ વગરના છે એમ સમજાવી દીધું, કારણ કે દ્વેષ તે જાણી જવાય તેવેા દુગુ ણુ છે. પ્રભુ મદ-અભિમાન વગરના છે, વીતમદ છે. એ પ્રભુમાં જે અનેક ગુણા છે તેનું તેમને અભિમાન નથી. પ્રભુ કલ્પના રહિત છે. પેાતાનું શું થશે કે એવી કોઈ જાતની કલ્પનાજાળથી તેઓ રહિત છે. કલ્પના સ’કલ્પ-વિકલ્પ કરાવે છે, અનેક જાતના આહૃદોષટ્ટ કરાવે છે. આવી કલ્પનાના જાળા પ્રભુમાં નથી તેથી તેએ વીતકલ્પના છે. અને કોઈ પણ બાબતમાં પ્રભુ આરામ કરતા નથી. તેઓને તેમાં મજા આવતી નથી. આ વીતરુતિને તમે વાંદો, પૂજો. રતિ એટલે પ્રીતિ. પણ જેને કોઇ મારું તારું નથી, સં પેાતાનાં છે એવા પ્રભુમાં રાગ કે દ્વેષ જ ન હોય ત્યાં પ્રીતિની વાત જ કેમ હાય ? પ્રભુમાં અરતિ બિલકુલ નથી, તેથી તેઓ વીતઅરિત છે. અતિ એટલે આરામ કે પ્રેમથી ઊલટી દશા, જેમાં મનમાં ઉશ્કેરણી થાય અને પોતે શું નું શું કરી નાખે એવી ઉશ્કેરાણી થાય, તેથી પ્રભુ દૂર જ છે. તેએમાં અરિત નહાવાથી તેએ અરતિઅબાધિત નામને યેાગ્ય છે. તે ઉપરાંત પ્રભુને કોઇની ખીક લાગતી નથી. આવા ભીતિ વગરના પ્રભુ ખરેખર વીતભય છે. આવું નિ યપણું તેઓએ પેાતાની જાતમાં કેળવેલ હાવાથી તેઓ યાગ્ય રીતે વીતભય નામને યાગ્ય છે. પ્રભુ શાક વગરના છે, વહાલી વસ્તુના વિરહથી અથવા ન ગમે તેવી વસ્તુની સાથે તેમના સંયેાગ સબંધ થવાથી તેમને કોઇ પણ પ્રકારના ખેદ થતા નથી. આવા શાકથી અબાધિત પ્રભુ જ રહી શકે. દુનિયામાં તે વહાલાના વિયેાગે અનેક પ્રકારના શેક થાય છે, અને ધનના નાશ તે કેટલીક વાર શરીરને ખરાબ કરીને જીવિતવ્યના પણ નાશ કરાવે છે. પ્રભુ તે શેકથી અબાધિત હોવાથી આનદમાં રહે છે. વળી પ્રભુ વિનિદ્ર છે, એટલે નિદ્રા વગરના છે. ઉજાગર દશાને પ્રાપ્ત થયેલા હેાવાથી તેને ઊંધ આવતી નથી અને પ્રભુ તંદ્રા વગરના છે. તેમાં કોઈ જાતનું આળસ નથી, તેએ તે પેાતાની આત્મિક દશામાં જાગૃત છે, મન-વચન-કાયાના યાગ વગરના છે, અને જરા પણ તંદ્રામાં પડતા નથી તદ્રા એ ઊંઘ પહેલાંની સ્થિતિ છે. પ્રભુ તે નિરંતર જાગૃત રહેવા છતાં જરા પણ તંદ્રામાં પડતા નથી, આવા વિત...દ્ર પ્રભુને નમે, પૂજા, સેવા. તે ઉપરાંત પ્રભુ દુ શાથી તદ્ન રહિત છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ [૧૯૧ ૭: શ્રી સુપાર્થ જિન સ્તવન પ્રભુને કોઈ પણ ગો બાધા-પીડા કરતા નથી. તેઓને શરીર તે છે પણ શરીરના મેગે જે હેરાનગતિ કરે છે તે પ્રભુને થઈ શકતી નથી. તેથી આવા અબાધિત યોગીને નમે, વંદ. આ ગાથામાં જે વિકાર બતાવ્યા તેમાં રાગ, મદ, કલ્પના રતિ, અરતિ, ભય, શેક અને દુર્દશા એ સર્વ માનસિક યોગે છે અને નિદ્રા અને તંદ્રા એ શારીરિક યોગ છે. આ સર્વ યેગે પ્રભુમાં ન હોવાથી તેઓ એક એક નામને ધારણ કરનારા થાય છે. એ અબાધિત ભેગી છે અને એ નામને સાર્થક કરે છે. (૫) પરમ પુરુષ પરમાતમા, પરમમેશ્વર પરધાન, લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમ દેવ પરમાન, લલના. શ્રી સુપાસ. અર્થ—તેઓ જાતે પુરુષમાં ઉત્કૃષ્ટ છે (Superman) છે, અને ઊંચા પ્રકારના આત્મા હોઈ પરમાત્મા છે, અને તેઓ જાતે ઈશ્વર છે, આપણે પર રાજ્ય કરનાર છે અને તેઓ ઊંચામાં ઊંચા છે. વસ્તુઓમાં તેઓ ઉચ્ચ છે અને સર્વોત્કૃષ્ટ છે. અને સર્વ દેવેમાં મોટા દેવ છે અને જાતે પ્રમાણરૂપ છે. (૬) ટબો–પરમ ઉત્કૃષ્ટ પુરુષ પરાક્રમી, પરમાત્મા, નિરંજન આત્મા, પરમેશ્વર જગતનાયક પ્રધાન સર્વમાંહી છે. પરમ કહેતાં મોક્ષ તેહી જ અર્થ જેને પરમ જ્ઞાન તેહી જ ઈષ્ટ છે તે પરમઠ્ઠી કહીએ. ઉત્કૃષ્ટ લકત્તર ગુણે કરી દેવ છે તે ઉત્કૃષ્ટ નામ છે. એવાને પ્રણામ થાઓ અરહંતને (૬) વિવેચન—આગલી ગાથામાં પ્રભુનાં કેટલાંક નામે ગણાવ્યાં, આ ગાથામાં વધારે નામે આપવામાં આવેલ છે, આપણે તેને ભાવ સમજવા પ્રયત્ન કરીએ. પ્રભુ પરમ પુરુષ છે, તેઓ બધી રીતે Superman છે, તેઓ ઉત્કૃષ્ટ પુરુષ છે. તેઓ મહાપરાક્રમી હોવાથી અને બીજા સાધારણ માણસ હોય તેનાથી પારંગત હોવાથી તેઓ પરમ પુરુષના અભિધાનને બરાબર યોગ્ય છે. પ્રભુ પરમાત્મા છે. તેમને આત્મા પરમ છે, ઉત્કૃષ્ટ છે અને તેથી આપણે જે ચોથા સ્તવનમાં પરમાત્મસ્વરૂપને સમજી ગયા, તેવા પરમાત્મા હોવાથી તેઓ બહિરાત્મા અને પાઠાંતર–પરમેશ્વર” સ્થાને બે પ્રતમાં “પરમેસર” પાઠ છે, તે ભાષાફેરને લીધે છે; અર્થમાં ફેર નથી. પરમેષ્ટી ” સ્થાને બે પ્રતમાં “પરમીટ્ટી ” એવો પાઠ છે, તે પ્રાકૃતિને લીધે છે; અર્થ તે જ છે. (૬) શબ્દાથ–પરમપુરુષ = Superman, મોટામાં મોટો માણસ, પુરુષમાં પ્રધાન, પરાક્રમી, પરમાતમા = આપણે છઠ્ઠા સ્તવનમાં જોયા તેવા બહિરંગ અને અત્યંતર આત્માથી પણ વધે તેવા પરમાત્મા, સૌથી સુંદર આત્માવાળા પરમેશ્વર = જગતના નાયક, જગત પર શાસન ચલાવનાર. પરધાન = પ્રધાન; સર્વથી શ્રેષ્ઠ, ઉત્તમ, પરમપદારથ = મોક્ષરૂપ પોતે જ છે. એ પરમાત્મા પોતે પદાર્થોમાં ઉત્કૃષ્ટ છે પરમેષ્ઠી = ઉત્કૃષ્ટ જ્ઞાન જેને ઇષ્ટ છે તેવા, પરમ જ્ઞાન જેને ઈષ્ટ છે તેવા. પરમદેવ = ઉત્કૃષ્ટ દેવ, સૌથી મોટા દેવ. પરમાન = પિતે જાતે જ સિદ્ધ થયેલા પ્રમાણરૂપ. (૬) Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર] શ્રી આનંદઘન વીશી અંતરાત્માથી આગળ વધી પરમાત્માના અભિધાનને બધી રીતે યોગ્ય છે. પ્રભુ વળી પરમેશ્વર છે, ઊંચામાં ઊંચા ઐશ્વર્યવાળા છે અને જ્યારે આ દુનિયામાં હતા ત્યારે સર્વની ઉપર શાસન ચલાવનારા-પરમેશ્વર હતા. તે ઉપરાંત પ્રભુ પ્રધાન એટલે મુખ્ય છે. આ નામને મોટો મહિમા છે અને સમજી હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે. એ પ્રધાન તરીકે સર્વમાં છે અને સર્વની ફરિયાદ સાંભળનાર છે. ભગવાન ઊંચામાં ઊંચી મેક્ષ પદવી રૂપ પરમ પદાર્થ છે માટે તેમને નમે, વંદો, પૂજે. તેમ જ ભગવાન પરમેષ્ઠી છે, બધાને ગમે તેવા ઈષ્ટ પદાર્થને પામેલા છે, તથા તેઓ પરમેષ્ઠી નામને તદ્દન સાર્થક કરે છે. આવા મહાપુરુષ ઉત્કૃષ્ટ ઈષ્ટ જ્ઞાનને પામેલા છે તેથી તેઓ ખરેખર પરમેષ્ઠી છે. ભગવાનનું એક વધારે નામ પરમદેવ છે. તેઓ ઉત્કૃષ્ટ દેવ છે, તેમની સાથે સરખાવી શકાય તેવા કેઈ દેવ નથી. તેઓ જાતે પ્રમાણભૂત છે. આ પ્રમાણભૂત પ્રભુને પ્રમાણ ના નામને સાર્થક કરનારા હેઈને તેમને નમે, તેમની સેવા કરે. એમાં તમારા આત્માનું હિત છે, એટલું બરાબર યાદ રાખે. આ ગાળામાં પ્રભુનાં અનેક અભિધાને જણાવ્યાં. પ્રત્યેક અભિધાન તેમને બરાબર લાગુ પડતું હોઈ, આપણી પાસે નમન માગી લે છે. (૬) વિધિ વિરંચિ વિથંભરૂ, હષીકેશ જગનાથ, લલના; અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ, લલના. શ્રી સુપાસ ૭ અર્થ—તેઓ નસીબના અધિષ્ઠાતા છે અને બ્રહ્મા હોઈ જાતે વિરંચિ છે. તથા સર્વ પ્રાણીઓનું પિષણ કરનાર હોઈ તેઓ જાતે જ વિશ્વભર છે. તેમની પિતાની ઇન્દ્રિયના નાથ હોવાથી તેઓ હૃષીકેશ છે અને ત્રણે સચરાચર જગતના નાથ હોવાથી જગન્નાથ છે. તેઓ પાપને દૂર કરનાર છે અને પાપથી મુકાવનાર છે. તેઓ સ્વામી છે, શેઠ છે અને મોક્ષ નામનું જે ઉત્તમ સ્થાન છે ત્યાં પહોંચવાના સાથ છે. (૭) ટબો–દેશક, વિરંચી અનાસા વેગ એ યુગના સાધક, વિશ્વભર વેગક્ષેમના કારક, વિધિ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરરૂપ છે. ઋષીકેશ કહેતાં હૃષીક, ઇન્દ્રિય તેના ઈક એટલે ઈચ્છા, તેના નાશક હોય. ઈચ્છાના સ્પર્ધક છે, જય નાયક. અઘહર=પરના પાપને હરે સ્વયં પોતે. અઘોચન એટલે પાપહર્તા છે, ધણી રવાની છે, કર્મથી મુક્ત રહિત છે, આલંબનભૂત છે. (૭) પાઠાંતર–વિશ્વભર” સ્થાને બે પ્રતમાં “ વિશ્વભર ” પાઠ છે; અર્થ એક જ છે. “મુક્તિ” સ્થાને મુક્ત પાઠ છે, અર્થ ફરે છે, તે માટે વિવેચન જુઓ. (૭) શબ્દાર્થ-વિધિ = સર્વનું વિધાન કરનારા, નસીબદેવી, જીવનનિર્માણ કરનાર નસીબ. વિરંચિ = ગક્ષેમના કરનારા, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરરૂપ. વિશ્વભરુ દુનિયાનું પોષણ કરનારા. ઋષીકેશ =ઋષીક એટલે ઇયિ, તેના માલેક, કારણ કે પ્રભુએ સર્વ ઇન્દ્રિયને વશ કરેલી છે એટલે તેના નાથ છે. જગનાથ = જગતના નાથ, જગતના ધણી. અઘહર = અઘ એટલે પાપને હરણ કરનારા. અધમોચન = પાપથી મુકાવનારા, પોતે પાપથી દૂર છે અને દુનિયામાં પાપને દૂર કરનાર છે. ધણી = પતિ, તેના ઉપર રાજ્ય કરનારા, સ્વામી પરમપદ સાથે = પરમપદ એટલે મોક્ષ, ત્યાં લઈ જવામાં સાથે એટલે સથવારો આપનારા, આલંબનભૂત થઈ રહેનારા. (૭) Page #209 -------------------------------------------------------------------------- ________________ ૭ : શ્રી સુપાર્થ જિન સ્તવન [૧૯૩ વિવેચન- આ સાતમી ગાથામાં ભગવાનનાં વધારે નામ આપવામાં આવે છે તે દીર્ઘ દૃષ્ટિથી વિચારમાં લેજે અને તે અર્થમાં પ્રભુને સમજવા યત્ન કરશે. ભગવાન પિતે વિધિ-વિધાતા છે, આપણે કેવા થાશું તે નિર્માણ કરનાર ભગવાન પોતે છે અને તેથી આ વિધિના નામને યોગ્ય છે. અથવા નસીબદેવી એટલે વિધિને પણ ઉપદેશ આપનાર પ્રભુ છે. ભગવાન પિતે વિરંચિ એટલે બ્રહ્મા છે. આ સૃષ્ટિને ઉત્પન્ન બ્રહ્મા કરે છે. પ્રભુ બધાનું સારું કરે છે. જે પ્રભુને ભજે છે તેનું સારું થાય છે. આવી જાતને શુભ કર્મને બંધ થવાનું કારણ પ્રભુ બને છે તેથી તેઓને વિરચિનું ઉપનામ આપવામાં આવ્યું છે તે તદ્દન સાચું છે. આમાં સૃષ્ટિકર્તા ઈશ્વર છે તે લેકમાન્યતા ચાલુ રાખી છે, બાકી કર્તા કે પ્રભુ તેને સ્વીકાર કરતા નથી. ભગવાન પિતે આખા જગતનું જતન કરનાર છે તેથી તેઓ વિશ્વભર નામને પાત્ર થાય છે. આખી દુનિયાનું જે પિષણ કરે, તે વિશ્વભર નામને પાત્ર થાય. વળી, પ્રભુ ઇન્દ્રિયના ઈશ એટલે નાથધણ હોવાથી હૃષીકેશ કહેવાય છે. ભગવાનને કઈ પ્રકારની ઈચ્છા નથી, તેઓ પિતાની સર્વ ઈચ્છાઓના પ્રભુ છે, નાયક છે; તેવા હૃષીકેશ પ્રભુને તમે સે. ભગવાન જગતના નાથ છે, તેથી તેઓ જગન્નાથ કહેવાય છે. આ સિવાય પ્રભુ અઘડર છે; અઘ એટલે પાપ, તેને હરનારા એટલે દૂર કરનારા છે. આપણે પ્રભુને નમીએ તેથી પાપ હરાઈ જાય તેવા પ્રભુ છે. પ્રભુ પાપને હરનારા છે, એટલું જ નહિ પણ તેઓ અઘમોચન છે એટલે પાપથી છેડાવનાર–મુકાવનાર છે. તેમનું નામસ્મરણ અને એકાગ્રતા પાપ છોડાવે છે તેથી તે અઘમેચન નામને સાર્થક કરે છે. આ પ્રભુ ધણી એટલે સ્વામી છે, એ આપણા માલિક છે. “મુક્તિ પરમપદ સાથ” એવું પ્રભુનું છેલ્લું ઉપનામ છે. આ સંસારના સર્વ તાપને શમાવનાર મોક્ષ છે, ત્યાં અત્યંત એકાંત સુખ છે, ત્યાં જન્મ-જરા-મરણ નથી, ત્યાં આધિવ્યાધિ-ઉપાધિ નથી, ત્યાં પરમસુખ છે; એવા પ્રકારના મોક્ષમાં–પરમપદમાં સથવારો દેનાર પ્રભુ છે. આવી રીતે ભગવાનનાં ૪પ નામો થયાં : ૧. શિવ, ૨. શંકર, ૩. જગદીશ્વર, ૬. ચિદાન, પ. ભગવાન, ૬. જિન, ૭. અરિહંત, ૮. તીર્થકર, ૯. તિસ્વરૂપ, ૧૦. અસમાન, ૧૧. અલક્ષ્ય, ૧૨. નિરંજન, ૧૩. વત્સલ, ૧૪. સકળ જતુના વિશ્રામ, ૧૫. અભયદાનદાતા, ૧૬. પૂર્ણાત્મારામ, ૧૮. વીતરાગ, ૧૯વીતમદ, ૨૦. કલ્પના રહિત ૨૧. વીતરતિ, ૨૨. વીતઅરતિ, ૨૩. વીતભય, ૨૪. વતશોક, રપ. વિનિદ્ર, ર૬. વિતંદ્ર, ૨૭. વીગતદુર્દશા, ૨૮. અબાધિત વેગી, ૨૯. પરમપુરુષ, ૩૦. પરમાત્મા, ૩૧. પરમેશ્વર, ૩૨. પ્રધાન, ૩૩. પરમપદાર્થ, ૩૪. પરમેષ્ઠી, ૩૫. પરમદેવ, ૩૬. પ્રમાણ, ૩૭. વિધિ, ૩૮. વિરંચિ, ૩૯. વિશ્વભર, ૪૦. હૃષીકેશ, ૪૧. જગનાથ, ૪ર. અઘડર, ૪૩. અઘોચન, ૪૪. ધણી, ૪પ. મુક્તિ પરમપદ સાર્થવાહ. આ આપણે ત્રીજીથી સાતમી ગાથામાં વિચારી ગયા. આવાં નામ ધારણ કરનારા જશનામી પ્રભુને તમે વંદો, પૂજે, નમે, સે. ૨૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] શ્રી આનંદઘન–વીશી એમ અનેક અબિધા ઘરે, અનુભવગમ્ય વિચાર, લલના; જે જાણે તેહને કરે, “આનંદઘન” અવતાર, લલના. શ્રી સુપાસ૮ ૮ અથ–આવી રીતે સુપાર્શ્વનાથ તીર્થકર ઘણાં ઘણાં નામોને ધારણ કરે છે. એ નામો અનુભવથી સમજી શકાય તેવાં વિચારણીય છે. આ હકીકત જે જાણે તેને આનંદના સમૂહને ઉતારનાર કરી આપે, તેવા પ્રભુને આપણે નમીએ, વંદીએ, પૂજીએ. (૮) ટબો–એમ અનેક પ્રકારે ગુણનિષ્પન્ન નામ છે, તે નામના વિચાર અનુભવગમ્ય છે, એકનાં અનેક રૂપનામ છે, એવા જે તમારા નામનો અર્થ જાણી ધ્યાન-મરણ કરશે તે પ્રાણી આનંદઘન જ્ઞાનમય અવતાર કરે, અક્ષય ભાવે જ્ઞાન-દર્શનચારિત્રમયપણું પામે. (૮) વિવેચન-આવાં આવાં અનેક નામ-ઉપનામને પ્રભુ ધારણ કરે છે. અહીં તે દાખલા તરીકે પિસ્તાલીશ નામે બતાવીને પિતાની અલ્પતા બતાવી છે, પણ પ્રભુમાં તે તેવાં અને તેને મળતાં સેંકડો નામે છે. જેમ નાનો તે સૌદ્યમ ના એક વિદ્વાને અનેક અર્થ કર્યા છે, આઠ લાખ અર્થ કર્યા છે, તેમ એક બીજા વિદ્વાને પ્રભુનાં અનેક નામે દાખવ્યાં છે, તે સર્વ જાણીને પ્રભુને સેવે, પૂજે. આ પ્રભુને પણ પોતાના લાભ માટે જ નમવાના છે. તેઓની સેવા કરવી એ આત્મસેવા છે. આ નામના વિચારો અનુભવગમ્ય છે, જાતે અનુભવ કરવાથી પ્રાપ્ય થઈ શકે છે. જેમ જેમ પ્રાણીને અનુભવ થાય, સ્વયં સવેદન થાય, તેમ તેને આ નામમાં રહેલે વિચારચમત્કાર જણાય છે. નામે વાંચી જવાં કે પટપટ બેલી જવાં, એ એક વાત છે અને જાતે અનુભવ કરી તેને વધારવા, તે તે ઘણું ઊંચી વાત છે. અનુભવની વાત જ જુદી છે અને તેને મહિમા કેટલે ભવ્ય છે તે તે આપણે અનુભવનાં પદોમાં જોઈ ગયા છીએ. એક વસ્તુનાં અનેક નામ હોવાં, તે સ્વાભાવિક છે, પણ તેને જાતે અનુભવ કરે, પિતાને તે લાગુ પાડવા અથવા તે લાગુ પડી શકે છે એમ અવધારવું, તે તે બહુ જ સરસ વાત છે. એક પ્રભુનાં આ રીતે પિસ્તાલીશ કે તેથી વધતાં નામે જાણીને તમને કઈ વાર આશ્ચર્ય થશે, તમને તેમાં અતિશયોક્તિ લાગશે, પણ જ્યારે તમે જાતે તેનું સંવેદન કરશે, ત્યારે તે સર્વ નામને ચમત્કાર તમને જાતે અનુભવાશે અને ત્યારે તમને માલૂમ પડશે કે આ અનુભવની શાળા કાંઈ ઓર છે. જે એ નામે અનુભવથી-સંવેદનથી જાણે છે, તેને અવતાર આનંદના સમૂહ જે પ્રભુ કરે છે અને તેને પોતાના જેવો જ બનાવી દે છે. માટે પ્રભુને ભજવાનો નિર્ણય કરે, પાઠાંતર–એમ” સ્થાને એક પ્રતમાં “અઈ” પાઠ છે, એનો અર્થ એમ થાય છે. જેને સ્થાને એક પ્રિતમાં “હ” પાઠ છે; અર્થમાં ફેરફાર નથી. (૮) શબ્દાર્થ_એમ = ઉપરોક્ત, ઉપર ગણાવ્યાં છે અને તેવાં. અનેક = એકથી વધારે, ઘણાં. અભિધા = નામ, ચાંદો, વિશેષણો, પદકો અનુભવગમ્ય = જાતઅનુભવ, તેનાથી સમજાય–જાણી શકાય તેવા વિચાર = આ બધા અનુભવથી જાણી શકાય, સ્વસંવેદનથી સમજી શકાય તેવા વિચારો છે. જે જાણે = આ વિચારને જે જ્ઞાનમાર્ગે ઓળખે. તેહને = તેને. કરે = કરે છે. આનંદઘન = આનંદ સમૂહ. અવતાર = જન્મ આનંદમય બનાવે પિતામય-આનંદસમૂહમ્મ કરી દે. (૮) Page #211 -------------------------------------------------------------------------- ________________ ૭ : શ્રી સુપાન્ધ જિન સ્તવન [ ૧૯૫ જેથી તમે અનંત આનંદમય થઇ જાઓ, તમારા રોગ, શાક સઘળા ટળી જાય. પ્રભુમય થયા વગર, પ્રભુનાં અનેક નામેા તમે જાણી શકશેા નહિ. જાણ્યા પછી પણ તેને પોતાના આત્મામાં સંવેદવા યાગ્ય છે અને સંવેદીને છેવટે પ્રભુમય થઇ જવાય છે, એ પ્રભુનાં અનેક નામે જાણવાના ચમત્કાર છે. પ્રભુ પોતે કેવા છે તે આવતા આઠમા સ્તવનમાં જાણશે, ત્યારે તમને આ તેમનાં અનેક નામે જાણવાની મહત્તા વધારે સમજાશે. અત્યારની તમારી ઘનઆવૃત દશામાં આ પિસ્તાલીશ કે તેથી વધારે અનેક નામેા પ્રભુનાં હશે, એ વાતમાં અતિશયાક્તિ લાગશે, પણ એવું કાંઇ નથી. એમાં તે પ્રભુના મહિમાના એક અંશ જ બતાવ્યો છે, તેને ખરેખર અભ્યાસ તે તમે સ્વસ`વેદનથી કરી શકશે. (૮) ઉપસંહાર આ રીતે આ સાતમું સ્તવન વિચાર્યું. આખા સ્તવનમાં પ્રભુનાં અનેક નામેા જણાવવામાં આવ્યાં છે. એ જણાવવાના હેતુ એ છે કે આપણે જેવા થવું છે તેની સાથે આપણે બરાબર ઓળખાણ કરવી જોઇએ. જે તે માણસને પકડી આપણે તેને અનુસરીએ અને તેમાં રાચીમાચી જઇએ એ આપણા જેવાને ઘટતું નથી. જેને પેાતાનું સર્વસ્વ અપીં, તેના જેવું થવું છે, તેને પ્રથમ તા એક દિશાએથી એળખવા જોઈએ; તેનામાં શી શી શક્તિએ છે તેની તુલના આપણે કરવી જોઇએ. જેઓ પોતાના આરાધ્ય દેવની આ રીતે પરીક્ષા કરતા નથી અને આંખા મી’ચીને ચલાવ્યે રાખે છે તેઓ આખરે પસ્તાય છે અને તે પસ્તાવા એવા સમયે થાય છે, કે જ્યારે ઘણું મોડું થઇ ગયેલું હેાય. આવા પ્રકારના પશ્ચાત્તાપના પણ કાંઈ અર્થ નથી. એટલે આપણી જે આદશમૂતિ ( ideal) હાય, તેને અનેક દિશાએથી આળખવી જોઇએ. એ પછી એમના ચરણે શિર ઝુકાવવામાં અને જાતને તેમને સોંપવામાં દીર્ઘ દૃષ્ટિ છે, સાચી સમજણ છે, વ્યવહુારદક્ષતા છે. આ સ્તવનમાં પ્રભુનાં જે અનેક નામે આપવામાં આવ્યાં છે તેને પ્રભુ દરેક રીતે ચેાગ્ય છે, એ તમે જાતે અનુભવી શકશે. અને અંતે એમ વાર વાર ધ્યાવતાં ધ્યાવતાં તમે આનંદના ઘનમાં એકરસ થઈ પ્રભુમય થઈ જશે અને આ તમારા જન્મ-મરણના ફેરા ટળી જશે. આ તે સીધી સડક છે. તમારું નિરતિશય સુખ આ પ્રભુના અનેક નામસ્મરણમાં જ છે. એટલા માટે પ્રભુને શાંતસુધારસના સમુદ્ર અને ભવસાગરના સેતુ કહેવામાં આવ્યા છે. અને, યાદ રાખજો કે, આ યેાગની વાતમાં ગેાટા વાળવા નહિ પાલવે. એમાં મન-વચન-કાયાના યાગાને સારી રીતે સ્થાપવા જરૂરી છે, તેથી આ પ્રભુને બરાબર ઓળખીને, તેમની સેવા એવી કરો કે તેમાં મન, વચન અને કાયાના યોગો એકબીજાના વગર વિષે એકત્વભાવે રહે અને તમારો મુદ્દો, જે પરમપદને પ્રાપ્ત કરવાનો છે, તે પ્રાપ્ત થાય. તે માટે મનમાં કંઈક, વચન જુદી જાતનું અને શરીરપ્રવૃત્તિ જુદી જાતની એમ ત્રિધા યાગ નહિ પાલવે. એમાં તે ત્રણે યેાગેને એકત્ર કરી–એકત્વ સાધી –તે સČને શુભ ભાવે પ્રવર્તાવવાના તમારો મુદ્દો જોઇએ, અને ગમે તેવે ભાગે પણ તે જળવાવા જોઇએ. જો આ ભયસ્થાનકને તમે ધ્યાનમાં રાખશે તે તમારી સેવના સાચી થશે અને તમે પરમપદને પ્રાપ્ત કરશે. એ હેતુ ધ્યાનમાં રાખી પ્રભુને તમે અનેક રીતે, અનેક દૃષ્ટિબિંદુથી ઓળખે તે માટે આ સ્તવનની રચના કરવામાં આવી છે. (૭) ડિસેંબર ૧૯૪૯ ] Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન પ્રભુના દર્શન સંબંધ-પ્રભુનું દર્શન થાય, તે પ્રભુ જેવા થવાની ભાવના થાય, અને, કદાચ તીર્થંકર ન થવાય તે, સામાન્ય કેવળી થઈ સિદ્ધસ્થાનકે પહોંચી જવાય અને આ જન્મ-મરણના ફેરા હમેશને માટે હર થાય. માટે પ્રભુનું દર્શન ભાવ અને વિધિપૂર્વક થવું ઘણું જરૂરી છે. આ અનંત સંસારમાં પ્રાણી ફરી આવ્યું, અનેક ગતિમાં જઈ આવ્યું, પણ તે પ્રત્યેક ગતિમાં હજુ પ્રભુનું દર્શન થયું નથી, કારણ કે દર્શન બરાબર થયું હોય, તે તેને નસીબે લાગેલી આ રખડપટ્ટી હોય નહિ. એ રખડપટ્ટી જ બતાવી આપે છે કે એણે પ્રભુનું દર્શન અગાઉ કોઈ વાર કેઈ ગતિમાં કર્યું નથી. કલ્યાણ મંદિર નામના સ્તોત્રમાં તેના કર્તા કહે છે કે ન વૃત્તિ પ્રષિોડિસિ. મને અનેક અનર્થો થયા છે, થાય છે અને હું સંસારમાં રખડું છું અને મને મમ વીંધી નાખે તેવી પીડાઓ અને અનર્થો હજુ સુધી ચાલુ હેરાનગતિ કર્યો કરે છે, તે સર્વ બતાવે છે કે ભગવાનનું એક પણ વખત દર્શન થયું નથી. એક વાત સમજી લેવાની છે કે હું અસંસી મનુષ્ય સુધીની અનેક ગતિમાં આંટા મારી આબે, પણ મારે મન ન હોવાથી મેં પ્રભુને પ્રભુ તરીકે ઓળખ્યા નથી અને તેમનું દર્શન મને થયું નથી. કેટલાક પ્રાણીઓને સંસારમાં ફરવું ગમે છે. તેને મનમાં ઊંડું ઊંડુ એમ થાય છે કે મેક્ષમાં તે ખાવાનું ન મળે, ફરવાનું ન મળે અને આખો વખત બેસી રહેવું પડે, તેના કરતાં આ સંસારમાં રહી સભાઓમાં ભાષણ કરવાની અને સગાં-સંબંધીઓના વેધવચકા જાળવવાની સ્થિતિ સારી. એવાને માટે આ સ્તવન નથી, પણ જેને સંસાર ઉપર કંટાળે ઊપજે હોય અને જે તેનાથી થાકી ગયા હોય તેણે આ સ્તવનને ભાવ ખૂબ મનન કરવા ગ્ય છે. અંતે અહીંના પરિચયે તે છેડવા જ પડશે અને સર્વ સંબંધને મૂકી જવું જ પડશે, એનો કોઈ બીજે માર્ગ નથી –એમ જેને લાગતું હોય તેણે વિધિપૂર્વક પ્રભુનું દર્શન કરવા જેવું છે. પછી ધીમે ધીમે પરિચય થશે અને પછી પ્રભુ જેવા થવાના કેડ જાગશે. એ જાગૃતિ લાવવા માટે આ સ્તવનને બહુ મોટો ઉપયોગ છે. એમાં પ્રભુનું દર્શન કરી પણ થયું નથી, વિધિ પણ જળવાઈ નથી, એવો ભાવ રજૂ કર્યો છે. એ ભાવ સમજી પ્રભુદર્શનની મહત્તા સમજી આગમાનુસાર પ્રભનું દર્શન કરવું અને પ્રભુ જેવા થવાના કેડ ઉત્પન્ન કરવા એ આ સ્તવનને મુખ્ય આશય છે. એટલી પ્રસ્તાવના કરી આપણે આ સ્તવનનો ભાવ વિચારીએ. એ ઘણું વિચારવા લાયક સ્તવન છે એટલું તે સર્વ પ્રાણીઓ માટે કહી શકાય. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૮ : શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન [ ૧૯૭ સ્તવન ( રાગ કેદારા તથા ગાડી; કુમારી રાવે, આક્રંદ કરે, મુને કોઈ મુકાવે—એ દેશી ) દેખણ દે રે, સખી ! મુને દેખણુ દે, ચંદ્રપ્રભુ મુખચંદ; સખી ઉપશમરસના કંદ, સખી ગત કલિ-મલ-દુ:ખદ દ. સખી ૧ અ—હે સખી ! હું બહેન! મને ચંદ્રપ્રભુ ભગવાનના મુખચંદ્રને જોવા દે, જોઈ લેવા દે, કારણ કે, તે શાંત રસનો કાંદો છે, એ ઉપશમ રસનું મૂળ છે અને એનાં કચરા અને દુઃખનાં દ્રુ નાશ પામી ગયેલાં છે. (૧) ટા——(એહવા પ્રભુનું દન, કુણ ગતિ તેની દુલભતા, કુણ ગતિ સુલભતા તે કહુવાને શ્રી ચંદ્રપ્રભ સ્વામીને... સ્તવે છે; હવે' શુદ્ધ ચેતનાતે અશુદ્ધ ચેતના કહે છે.) અરે સખી, અનાદિ અશુદ્ધ ચેતના આત્માઇ ઉપાધિભાવે આદર્યા માટે શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સુખરૂપ ચંદ્ર પ્રતે જોવાને દિઈ મુઝને. એ પ્રભુ ઉપશમરસના સમતારસના કદક-કાંદો છે. અનેક સુર અને નર તેનાઈ પ્રતે સેવે છે. જેનઈં.વલી જેહથી કલિ-કિલેસ મલદુખના દંદસમુદાય સ ગયા છે જેહથી એહુવાને જોવા દઈં. (૧) વિવેચન—અહીં તે પ્રભુના મુખચંદ્રને દેખવાની વાત છે. એ મુખરૂપ ચંદ્રમા એવા સુંદર છે કે પોતાની સખીને હૃદયની વાત કરે છે, કે હું પ્રિય સખી ! મને એ મુખરૂપ ચાંદાનાં દર્શીન જરૂર કરી લેવા દે; મારા જીવને તેથી નિરાંત થશે અને મને આનંદ આવશે. આ સ્તવનમાં તે હજુ પ્રભુની પ્રથમ ઓળખાણ થાય છે, માટે માત્ર દન કરવાની જ વાત તે પાઠાંતર—એક પ્રતમાં · ચંદ્રપ્રભુ મુખચંદ, સખિ મેનૈ દેખણ દે' એમ આ સ્તવનની શરૂઆત કરી છે. બીજી પ્રતમાં ચંદ્રપ્રભુ મુખચંદ સખી મે દેખણ દે' એ પ્રમાણે શરૂઆત કરી છે. ‘ કલિ ' સ્થાને એક પ્રતમાં ‘ લી ' શબ્દ વપરાયા છે. ‘ ઉપશમરસને કંદ ’એ પાઠ બરાબર છે, પણ એની પાળ ‘ સેવે સુરનરદ ’ એવા પાઠ મૂકે છે, અને તે રીતે ગાથા પૂરી કરે છે. (૧) શબ્દા—દેખણ દે = જોવા દે, અવલાકવા દે. બીજી વાર તે શબ્દના એ જ અથ' છે. મુને = મને. મુખચંદ = મુખરૂપ ચંદ્રમા, મુખચંદ્ર. ચંદ્રપ્રભુ = આડમા તી કર શ્રી ચંદ્રપ્રભુ. ઉપશમરસના = શાંત રસના, શાંતિના, ચિર ઠંડાપણાને. કદ = એ કાંદો છે, એ એનું મૂળ છે. શાંત રસના એ કાંદો છે. ગત = ગયું છે એવું જેવું, ગયેલ છે એટલે નાશ પામેલ છે. લિ = કાદવ, ગાડાના પૈડામાં થતા મેલ. દુઃખ = પીડા, ઉપાધિ. દદ = એટલે એનું જોડલું, જેમને મેલ તથા દુ:ખ બંને નાશ પામી ગયાં છે એવા. (૧) = ૧. આ સ્તવનના ટખામાં વિવેચનકર્તાની સરતચૂકથી કેટલાક ભાગ નવમા શ્રી સુવિધિનાથ ભગવાનના સ્તવનના ટખાતે નોંધાયા હતા, અને બાકીનો ભાગ પણ અધૂરા હતા તેથી આ આખા સ્તવનના ટ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિરની ન. ૩૭૪૧ ની પ્રતને આધારે ઉતારીને અહીં આપ્યા. શ્રી મેાતીચંદભાઈ એ ટખાનો ભાવ માટે ભાગે અત્યારની ભાષામાં ઉતાર્યાં છે, પણ અહીં એમ ન કરતાં ટમે જેમને તેમ જ આપ્યા છે. સ‘પાદક Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] શ્રી આનંદઘનચાવીશી પિતાની વહાલી બહેનપણી પાસે મૂકે છે. ચંદ્રપ્રભુના મુખરૂપ ચાંદ એ સુંદર છે કે એને ધરાઈ ધરાઈને જોવાના આ સ્ત્રી (અશુદ્ધ ચેતના)ને કોડ થયા છે. આ પદમાં “દેખણ દે” શબ્દ બે વાર આવે છે, તેમાં પુનરુક્તિ દોષ નથી, પણ તે દેખનારની અગાઉન જોયેલ ચીજને દેખવાની તીવ્ર ઈચ્છા બતાવે છે. એ મુખચંદ્ર કેવું છે તેનું હવે તે સખી પાસે વર્ણન કરે છે અને પિતાની તેને દેખવાની ઈચ્છા શા માટે થઈ તેનું કારણ ગર્ભિતપણે તે વર્ણનમાં સમાવી દે છે. એ પ્રભુનું મુખચંદ્ર ઉપશમરસના કાંદા સમાન છે. જેમ કાંદામાંથી અનેક અંકુરો જન્મ છે તેમ પ્રભુના મુખચંદ્રમાંથી આખો ઉપશમરસ જમે છે. અને વળી, એ મુખચંદ્રમાંથી કાદવ-કીચડ ગયો છે અને દુઃખનાં દ્વો નાશ પામી ગયેલાં છે. દુઃખનાં કંઠે એટલે સુખ અને દુઃખ તેવી જ રીતે અનેક દ્ર બને છે, જેમ કે સંસાર અને મેક્ષ અથવા ઉપશમ અને અનુપમ. આવાં તેમ જ પુણ્ય-પાપ એ તંદ્ર છે. તે સર્વ છે જેનાં નાશ પામી ગયાં છે, તે ચંદ્રપ્રભુના મુખચંદ્રનાં મને દર્શન કરી લેવા દે. પ્રભુ તે મોક્ષમાં બિરાજમાન થઈ ગયા છે, એને કઈ જાતના સુખ-દુઃખનાં કે બીજા કલ્પી શકાય તેવાં કઈ કંદ્ર રહ્યાં નથી. એવા પ્રભુના મુખચંદ્રને મને જોઈ લેવા દે, એનાં મને દર્શન કરી લેવા દે. હું પછી ધીમે ધીમે તેમની સાથે પરિચય કરીશ. આ સ્તવનમાં દર્શનનો મહિમા બતાવ્યું છે. પ્રભુ કેવા છે તેને પરિચય પછીનાં સ્તવમાં થશે, હાલ તે તેમના મુખચંદ્રને જોઈ લેવાની જ વાત છે. તેમાં બે વાત જણાવી કે એ મુખચંદ્ર ઉપશમરસના કંદ છે અને એમાં કાદવ-કીચડ કઈ પણ જાતને નથી અને એને કોઈ પણ પ્રકારનાં દ્રઢ સંબંધ અગાઉ હશે તે પણ હાલ તે ગમે છે. તેથી મને એમના મુખચંદ્રનાં દર્શન કરી લેવા દે. આ પ્રકારે અશુદ્ધ ચેતના શુદ્ધ ચેતના નામની પિતાની બહેનપણીને વહાલથી ઉદ્દેશી કહે છે. તે જોઈ લઈ તેનાં દર્શન કરવાના કેડ એને કેમ થયા છે તે હવે જણાવે છે. (૧) સુહમ નિગદ ન દેખીઓ, સખી, બાદર અતિહિ વિસ; સખી પુઢવી આઉ ન લેખિયો, સખી, તેઉ-વાઉ ન લેસ. સખી. ૨ પાઠાંતર–પહેલી ગાથા પ્રતમાં બીજી ગાથાને છેડે પૂરી કરી તેને ૧ એક નિર્દેશ કર્યો છે. સુહમ” સ્થાને “સુહુમ” શબ્દ બે પ્રતમાં છે. “વિસેસ ” સ્થાને છાપેલ એક પુસ્તકમાં ‘વિશેસ ” શબ્દ મૂક્યો છે. “અતિહિ” સ્થાને એક પ્રતમાં “અતિહી ” પાઠ છે. “લેખીઓ ” સ્થાને બે પ્રતમાં “લેધીઓ” પાઠ આપે છે. “ન લેસને બદલે “ન દેશ” પાઠ એક પ્રતમાં છે. ત્રીજા પાદમાં ‘આઉ ન’ને સ્થાને “આન ન” એવો પાઠ આપે છે. (૨) શબ્દાર્થ–સુહમ = સૂમ, જે નરી આંખે દેખી ન શકાય તેવી, અત્યંત નાની. નિગોદ = ચૌદ રાજ. લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલ અવ્યવહારરાશિના એકે પ્રિય છો. ન દેખીઓ = ન દેખે, એ મુખરૂપ ચંદ્રમા ન દેખ્યો, ન જે, ન પરખ્યા. બાદર = આંખે દેખી શકાય તેવી, બાદરનિગોદમાંનિગોદમાં શબ્દ અધ્યાહાર છે. અતિહિ = ઘણી, ખૂબ, વધારે. વિસેસ = વધારે, એટલે બાદરનિગોદમાં પણ જે મુખચંદ્રને ખાસ વધારે કરીને ન જોયું, ન દેખ્યું, ન જાણ્યું. પુકવી = પૃથ્વીકાય, એકૅકિય પૃથ્વીના છે. આઉ = પાણી, જળ, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૮: શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન [૧૯૯ અર્થ_એ પ્રભુના મુખચંદ્રને સૂક્ષ્મ નિગોદમાં મેં જોયું નથી અને ખાસ કરીને બાદર નિગોદમાં પણ મેં એને જોયેલ નથી તેમ જ પૃથ્વીકાય અને અપ્લાયમાં એકેદ્રિયમાં મેં તેને જાણ્યું નથી અને તેજસ્કાયમાં અને વાયુકાયમાં એને જરામાત્ર પણ જોયેલ નથી. (૨) ટો–(અનાદિ સંસારિ એટલી જાય ગાઈ તે પ્રભુને ન દેખે તે વિનતિ રૂપે કહે છે.) સુહમનિગેદે અવ્યવહાર નિગેદે અત્યંત અબેધ તીવ્ર મોં કરી પ્રભુને દીઠે નહી. તથા બાદર નિગદમાંહિ પણ ન દેખે. અહીં તે સહિયાણી, પૃથ્વી પાણીમાંહિ પણિ ન દેખે, મિથ્યાત્વના ઘરમાંહિ હે સખિ, વલી તેઉકાય વાઉકાયમાંહિ પણિ લેસ માત્ર દીઠે નહીં; એ સર્વ સૂક્ષમ અને બાદર બેઉ લેવા. એગે દિ નિયમ અનાણી ઇતિ આગમ–“સમપિ ર તે ઘામૂચા રૂતિ ઘરનાના (૨) વિવેચન–આ અશુદ્ધ ચેતના પિતાની બહેનપણીને કહે છે કે સૂક્ષ્મ નિગોદ, જે આ દુનિયામાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે અને જેના અને માત્ર એક સ્પર્શેન્દ્રિય જ હોય છે, તે ગતિમાં એકેન્દ્રિય તરીકે આ જીવે અવ્યવહાર અને વ્યવહારરાશિમાં અનંત કાળ પસાર કર્યો છે. ત્યાં તે જીવવાનો સમય ઘણો ટૂંકો અને એક શ્વાસોશ્વાસ લેવાય તેટલા સમયમાં સાડાસત્તર ભવ નિગદ કરે એટલે સત્તર વાર જન્મ અને મરણ પામે, અને અઢારમી વખત જન્મ, ત્યાં પ્રભુનાં દર્શન કરવાને માટે જે મન હોવું જોઈએ, તે હેતું નથી; એવા નિગેદ તરીકે મેં અનંત કાળ પસાર કર્યો, ત્યાં અનંત કાળમાં મેં ભગવાનનું દર્શન કર્યું નથી. મને ભગવાનને જોવાની ત્યાં ઇચ્છા થાય તે પણ તે બની શકે તેમ નહોતું, કારણ કે ભગવાનને ઓળખવા માટે જે મન જોઈએ તે મન જ મારી પાસે નહોતું. અવ્યવહારરાશિમાંથી નીકળી પ્રાણ વ્યવહારરાશિમાં ઘર્ષણથૂર્ણન ન્યાયે આવે છે. જેમ નદીમાં પથરો ઘડાઈને પિતાની મેળે ગોળ મજાને પાંચીક થઈ જાય છે, તેમ હું વ્યવહારરાશિમાં આવ્યું. પણ ત્યાં પણ એક જ ઇંદ્રિય હોય છે અને મન હોતું નથી. મેં એ અનંત કાળમાં એક વાર પણ પ્રભુને દેખ્યા નહિ. અને સૂકમ નિગોદ મટીને બાદર નિગોદમાં આવ્યું ત્યાં પણ મને પ્રભુને દેખવાને વિશેષ કરીને મોકે ન જ મળે; કારણ, બાદર નિગોદમાં આ જીવ વ્યવહારીઓ થાય છે, પણ તેને ઈંદ્રિય એક જ હોય છે અને તેને મન હોતું નથી. અને ત્યાર પછી હું પૃથ્વીકાયમાં આવ્યા, ત્યાં પણ મારા એકેદ્રિયપણાને લીધે મેં પ્રભુનું દર્શન ન કર્યું, તેનું મુખચંદ્ર જોયું નહિ અને તેમને ઓળખ્યા નહિ. તેથી પૃથ્વીકાય પણ વિચારપથમાં લેવા લાયક નથી. ત્યાર પછી, ઘર્ષણધ્રૂણન ન્યાયે, હે અપ્લાયમાં ગયે. ત્યાં પાણી-જળ થયે, પણ મેં તે ગતિમાં પણ પ્રભુને દેખ્યા નહિ. અપ્લાયને પણ એકલી સ્પશેન્દ્રિય જ હોય છે, તેઓને દેખવાને સવાલ જેમાં અકાય એકે પ્રિય છે છે તે ગતિમાં હું ગયો, ત્યાં પ્રભુમુખચંદ્રને મેં ન જોયું, ન ઓળખ્યું. તેઉ = તેજસ્કાય, અગ્નિના એકૅકિય છે, ત્યાં ગયો એટલે તેજસ્કાય એકેન્દ્રિયપણે ઊપજ્યો ત્યારે પણ મેં પ્રમુખચંદ્રને ન જોયું. વાઉ = વાયુકાય, પવન, હવાના એકે યિ જીવોની ગતિમાં ગયો ત્યાં પણ પ્રભુમુખચંદ્ર ન જોયું. એકેયિને મન હેતું નથી, તેથી તે છેવો પ્રભુને જુએ તો તેને પરખી–ઓળખી શકે નહિ. ન લેશ = જરા પણ નહિ. એકેંદ્રિયગતિમાં પ્રભુમુખચંદ્રને જરા પણ જોયું કે ઓળખ્યું નહિ. (૨) Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] શ્રી આનંદઘન-ચાવીશી જ રહેતું નથી. ત્યાર પછી આગળ વધતાં હું અગ્નિકાયમાં આવ્યું. ત્યાં મેં અનેક ભવ તેજસ્કાય–અગ્નિકાય તરીકે પસાર કર્યા. તેમને એક જ સ્પર્શેન્દ્રિય હોવાથી ત્યાં પ્રભુને દેખવાને સવાલ જ નહોતું. જ્યાં આંખ નથી, મન નથી, ત્યાં પ્રભુના દર્શનને સવાલ જ ક્યાં રહે? ત્યાર પછી નદીગોળપાષાણ ન્યાય અને અકામ નિર્જરાના બળે હું વાયુકામાં આવ્યું. વાયુકાયના જીવને પણ માત્ર સ્પર્શેન્દ્રિય હોવાથી અને મન ન હોવાથી ત્યાં પ્રભુમુખચંદ્ર જેવી અસાધારણ ચીજ જોઈ જ શકાય તેમ નહોતું, તેથી મેં એ ગતિમાં પણ પ્રભુને જોયા જ નથી. આ રીતે મારી અનેક રખડપાટ છતાં મને હજુ સુધી પ્રભુના મુખચંદ્રનાં દર્શન એક વાર પણ થયાં નથી. સૂક્ષ્મ નિગોદને અવ્યવહારરાશિ કહે છે. ત્યાર પછી તે બાદર એટલે દેખી શકાય તેવી નિગોદમાં આવે, ત્યારે તેને વ્યવહારરાશિ જીવ કહે છે. ત્યાર પછી એ અનેક વાર સૂક્ષ્મ નિગોદમાં જાય, તે પણ તે વ્યવહારરાશિ કહેવાય છે. આ અનંત સૂક્ષ્મ નિગોદમાં અને ત્યાર પછી એકેંદ્રિય પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય અને વાયુકામાં પ્રાણી અથડાઈ પછડાઈને આવે છે. જેમ નદીમાં સુંદર પાષાણુ હોય તેને કઈ ઘડવા જતું નથી, પિતાની મેળે અથડાઈને ઘડાય છે, તેમ મારા હાલ થયા અને અકામ નિર્જરા કરેતે કરતે હું આગળ વધતે ગયે; પણ આંખ ન હોવાથી પ્રભુને દેખી શક્યો નહિ. આ પ્રમાણે આનંદઘન અથવા અશુદ્ધ ચેતના શુદ્ધ ચેતનાને પિતાની થયેલી સ્થિતિ અને મુખચંદ્ર આટલા લાંબા અનંત કાળમાં જવાની પિતાને તક મળી નથી તે બતાવે છે. (૨) વનસ્પતિ અતિ ઘણુ દિહા, સખી દીઠે નહીં ય દીદાર; સખી બિ-તિ-ઉરિદી જલ લીહા, સખીગતસન્નિ પણ ધાર. સખી. ૭ પાઠાંતર–પ્રતમાં ‘વનસ્પતિને તી દીધ ર્યો છે એક છાપેલ પુસ્તકમાં ‘વનસપતિ એવો પાઠ છે. “ઘણ” સ્થાને પ્રતમાં “ ઘણી” પાઠ છે. “દિયા ' શબ્દને સ્થાને “દીહા’ શબ્દ એક પ્રતમાં છે. “ચઉરિદી’ પ્રતમાં ઉરદી” પાઠ છે અને “જલ’ શબ્દ વધારે છે. “પણ” સ્થાને એક પ્રતમાં “પણ” પાઠ આપ્યો છે.(૨) શબ્દાર્થ-વનસ્પતિ = ઝાડ કે છોડની વનસ્પતિકાયમાં ઘણા દિવસ ગયો, ત્યાં પણ મેં પ્રભુને દીઠા નહિ, દીઠા હોય તો ઓળખ્યા નહિ, જાણ્યા નહિ. અતિ અત્યંત. ઘણ=ઘણાં, બહુ, એકથી વધારે દિવા= દિવસે, અનેક દિવસો સુધી હું વનસ્પતિકાય એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયો, પણ ત્યાં મન ન હોવાને કારણે પ્રભુને જોયા નહિ, જોઈને ઓળખ્યા પણ નહિ. દીઠે જોયે, જાણે, ઓળખ્યો. નહીં=નહિ, નહિ જ. ત્યાં પ્રભુને પિછાન્યા નહિ. દીદાર ચહેરે, મુખ, મુખડું. વનસ્પતિકાય એકેન્દ્રિયમાં પણ પ્રભુને દેખ્યા નહિ, જોયા હોય તો ઓળખ્યા નહિ. બિ=બેઇન્દ્રિય છે. હું જળો, પિરો વગેરે થયો, પણ ત્યાં મનને અભાવે પ્રભુને ઓળખ્યા નહિ. તિ=dઇન્દ્રિય થયો, માંકડ, જૂ વગેરે થયો, તેઈન્દ્રિયના અનેક ભવ કર્યા, પણ ત્યાં ભગવાનને ઓળખ્યા નહિ. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા જીવને મન હોતું નથી. ચઉરિંદી વીંછી થયો, ભમરી થયો અને ચૌરિન્દ્રિયના અનેક ભવ કર્યા, પણ ત્યાં પ્રભુને ઓળખ્યા નહિ. જળલીહા–પાણીમાં રેલ લીંટી; પાણીમાં દેરેલ લીંટી તે જોતજોતામાં નકામી થઈ જાય છે, નાશ પામે છે, વધારે વખત ટક્તી નથી, એમ મારું ત્યાં જવું પણ નકામું થયું. એટલે આટલે સુધી આવ્યો, પણ ત્યાં પ્રભુને જોયા નહિ ગતિનિ=જેની સંજ્ઞા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૮: શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન [ ર૦૧ અર્થ_એકેન્દ્રિયમાં અતિ ઘણા દિવસ હું રહ્યો, પણ ત્યાં તે મુખચંદ્રને જોઈ શક્યો નથી. એ ચહેરો મારે તે તદ્દન જોયા વગર રહ્યો છે, અને બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં હું રહ્યો, ત્યારે જાણે પાણીમાં લીટી કાઢતો હોઉ, તેમ તેમનાં દર્શન વગર હું રહ્યો અને સંજ્ઞા રહિત પંચેન્દ્રિયમાં પણ તેમને જોયા વગરનો છું. (૩) ટબ-વનસ્પતિપણિ અનંત કાલ, માટિ ઘણુ દીહા કહિઈ. રીટિ વાર્તરૂ ત્તિ આગમ, પાકે. તિહા પણિ દીદાર-દર્શન ન પામે. દ્રવ્ય થકી પિણ દેખવું નથી તિહાં. બંદી, તેંદી, ચઉદી એહને પણિ જડની રેખા વિકલૈંદ્રિય માટે અપર્યાપ્ત પર્યાપ્તા સંવે" જાણવા. ગતિ સન્નિયા પાંચ ઠામ ઍ તિહાં પણ ન દીઠે. (૩) વિવેચન–એમ કરતાં ઘર્ષણવૃર્ણન ન્યાયે, નદીગોળ પથ્થરની પેઠે, ફરતે–રખડતે હું ઘણા કાળ સુધી વનસ્પતિકાયમાં રહ્યો. વનસ્પતિ અનેક પ્રકારની છે. કોઈ વખત હું ઝાડને છોડો થઈ આવ્યો અને કંદમૂળાદિમાં હું ઘણી વાર ગયો. ત્યાં એક શરીર અને અનંત જીવો હોય; તેઓ સર્વ એક જ શરીરને ભેગવ્યા કરે. આવી વનસ્પતિમાં હું ઘણા દિવસ રહ્યો. એ રીતે વનસ્પતિકાયમાં હું ઉત્પન્ન થયે, પણ ત્યાં મને માત્ર એક સ્પશેન્દ્રિય મળી હતી તે ચાલુ રહી, તેમાં કોઈ વધારો થયો નહિ. ત્યાંથી આગળ જતાં, ઘણો સમય પસાર કર્યા પછી, હું બેઇંદ્રિય થયું. ત્યાં મને પશેન્દ્રિય સાથે રસેંદ્રિય મળી. હવે હું સ્વાદ લેવા લાગે, પણ આંખને અભાવે મેં પ્રભુને દેખ્યા નહિ. બેઈન્દ્રિય ગતિમાં ઘણા સમય કાઢયા પછી હું તેઈદ્રિય થયે. મને સ્પર્શન અને રસના સાથે નાસિકાની ઇંદ્રિય મળી અને હું જગતમાં તેઈદ્રિય તરીકે ઓળખાયે, પણ આંખ ન હોવાથી અને મન ન હોવાથી, મેં પ્રભુનાં દર્શન જ કર્યા નહિ. મારે જન્મ એ રીતે વૃથા ગયે. ત્યાર પછી આગળ વધતાં હું ચઉરિન્દ્રિય થયે. આંખ મળી, પણ મન ન મળ્યું. પ્રભુને મેં આંખો વડે દેખ્યા હોય તો પણ મન ન હોવાથી પ્રભુ તરીકે જાણ્યા નહિ. મારી દશા તે પાણીમાં કાઢેલ લીટી જેવી થઈ. પાણીમાં લી ટી કાઢે તે જોતજોતામાં ખલાસ થઈ જાય છે, પાણીના વિભાગ પડતા નથી અને લાઈન દોરવાની મહેનત માથે પડે છે, તેના જેવી મારી દશા થઈ. આ રીતે ચઉરિન્દ્રિય ગતિમાં પણ મેં પ્રભુનાં દર્શન કર્યા નથી. અને ત્યાર પછી હું અસંજ્ઞી પંચેન્દ્રિય થયે. પુરુષનાં નવ દ્વારે અને સ્ત્રીઓનાં બાર દ્વારે હું ઉત્પન્ન થયે, મને વધારામાં પાંચમી શ્રોત્રેન્દ્રિય મળી. હું હવે સ્પશન, રસના, ગંધ, ચક્ષુ અને શોત્રયુક્ત થયે, પણ મને મન ન હોવાથી પ્રભુને પ્રભુ તરીકે મેં જાણ્યા નહિ, અને મારી રખડપટ્ટી ચાલુ રહી. ગયેલી છે એવા પંચેન્દ્રિયપણે મેં પ્રભુને ઓળખ્યા નહિ. પણ = પંચેન્દ્રિયપણામાં, પાંચ ઈન્દ્રિય મળી, પણ મને અસંજ્ઞીપણામાં મન ન મળ્યું એટલે પંચેન્દ્રિયપણું પણ મારું નકામું ગયું. ધાર = સમજ, વિચાર, જાણ; એમાં પણ એવી જ સ્થિતિ થઈ એમ તું જાગુ. તિયચી પંચેન્દ્રિયપણામાં જળચર, સ્થળચર (ભૂચર), અને ખેચર થાય છે, અને કઈ ઉર પરિસ અને ભુજ પરિશપ થાય છે, ત્યાં પણ મન ન હોવાથી પ્રભુને દેખ્યાજાયા-પિછાન્યા નહિ. (૩) Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] શ્રી આનંદઘનચોવીશી ઉપર ચઢયા પછી પાછો જીવ પડી પણ જાય છે, એ રીતે આગળ વધતાં અનેક વખત હું પાછો પણ ગમે, પણ પ્રભુનું અત્યાર સુધીમાં ક્યારેય દર્શન થયું નથી. થીયરી એફ ઈલ્યુશન (Theory of Evolution)–ઉત્ક્રાંતિવાદમાં અને જૈનધર્મની સિદ્ધ વ્યવસ્થામાં ફેરફાર એ છે કે ઇવેલ્યુશનવાળા જીવની આગળ પ્રગતિ માને છે, પણ એમાં જીવ પાછું પડતું નથી, પણ જૈન સિદ્ધાંત પ્રમાણે જીવ પડી પણ જાય છે; એ આગળ જ વધ્યા કરે એમ સમજવાનું નથી. એ, વિષયકષાયમાં લુબ્ધ થયે હોય તે, પાછે નિગદમાં પણ જાય. આ રીતે પડતાં-આખડતાં અને આગળ વધતાં એ અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી પહોંચે છે, પણ અત્યાર સુધી એને પ્રભુનાં દર્શન થયાં નથી; મન ન હોવાથી એણે પ્રભુને કદી પણ પ્રભુ તરીકે પિઝાન્યા નથી અને હજુ સુધી તેને તેવી તક પણ મળી નથી. એને રખડપાટે તે ચાલુ જ રહ્યો છે અને તે મોટાં નાનાં આયુષ્ય ભેગવે, છતાં તેણે હજુ સુધી પ્રભુને ભગવાન તરીકે જાણ્યા-દેખ્યા નથી. શુદ્ધ ચેતનાને અશુદ્ધ ચેતના કહે છે કે તું હવે મને પ્રભુને દેખવા દે. (૩) સુર તિરી નિરય નિવાસમાં, સખી મનુજ અનારજ સાથ; સખી. અપજત્ત પ્રતિભાસમાં, સખી ચતુર ન ચઢીઓ હાથ. સખી. ૪ અથ_એ ઉપરાંત, દેવે, તિર્યંચ અને નારકેનાં ઉત્પત્તિસ્થાનમાં પણ એના દર્શનથી વંચિત રહ્યો છું. અને અનાર્ય માણસોના સંગાથમાં પણ હું તેના દર્શનથી વંચિત રહ્યો છું. વળી, આગળ ચાલતાં, અપર્યાપ્તાના પ્રતિભાસને વખતે પણ એ ચતુર ભગવાન મારે હાથ ચડ્યા નથી, હું એમનું મુખકમળ જોયા વગર રહી ગયું છું. (૪) ટબો–સુર-દેવતા, તિર્યંચ, નારકી રૂ તેહના નિવાસમાં મનુષ્ય છે તેમાહિ, વલી અનાર્ય ઇત્યાદિક સમુદાયમાં સન્નિયા મધ્યે પણ યદ્યપિ સન્નિયા પર્યાપ્તા છે તે પણ અપર્યાપ્તાભાસ ધર્મસંજ્ઞા વિના ત્યાં પણ ચતુર સર્વ કળાકલનકુશળ, દીનાનાથ, હાથ ન આવ્યા, માટે તું મને જોવા દે એમ તુજને કહું છું. (૪) વિવેચન–ત્યાર પછી હું દેવગતિમાં પંચેન્દ્રિય તરીકે ગમે, પણ ત્યાં મેં પ્રભુને પ્રભુ તરીકે જાણ્યા નહિ. દેવગતિમાં દેવતાઓ આનંદ-મેજ-મજામાં અને વિષય-કષાયમાં એવા પડી જાય છે પાઠાંતર–એક પ્રતમાં “નિવાસ સ્થાને નીવાસ” શબ્દ મૂક્વામાં આવ્યો છે. બે પ્રતમાં “અનારજ' સ્થાને અનારિજ” પાઠ મૂક્યો છે. “અપજતા ” બદલે એક પ્રતમાં “અપજતા” પાઠ છે. ચતુર ન’ સ્થાને એક પ્રતમાં “ચતુર નર’ પાઠ છે. “હાથ’ સ્થાને એક પ્રતમાં “હાથી ” પાઠ છે. (૪) શબ્દાર્થ—-સુર = દેવતા, દે અને અસુર, ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક તિરી = તિય"ચ, જળચર અને સ્થળચર અને ખેચર, નિરય = સાત નારકી, નારની ગતિ. નિવાસમાં = તેમને રહેવાનાં સ્થાનમાં, ઠેકાણામાં. મનુજ = મનુષ્ય, પણ તે કેવા ?–અનારજ = અનાયર, આય નહિ તેવા, હિંસક અને પાપી લો. સાથ = અનાય” મનુષ્ય સાથે, સેબતમાં. અપજત્તા = અપર્યાપ્તા, એટલે જેણે પિતાને ગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી ન હોય તેવા. પ્રતિભાસ = દેખાવમાં, દેખીતા. એવા સર્વ પંચેન્દ્રિમાં, ચતુર = ડાહ્યો માણસ, શુદ્ધ ચેતન, પ્રભુ, ભગવાન, ન ચઢીઓ = ન ચડ્યો. હાથ = મારા હાથમાં ન આવ્યો. (૪) Page #219 -------------------------------------------------------------------------- ________________ ૮: શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન [૨૦૩ કે તેમને મન હોવા છતાં પ્રભુને પ્રભુ તરીકે બરાબર ઓળખી શકતા નથી. તે હે શુદ્ધ ચેતના ! અત્યારે મને પ્રભુને બરાબર જોઈ લેવા દે. હું કૈક વાર પંચેન્દ્રિય તિર્યંચગતિમાં ગયા. ત્યાં હું જળચર થયું અને મને મગરમચ્છ વગેરે જળચરનું રૂપ મળ્યું ત્યાર પછી ગાય, ભેંસ, બકરે, બકરી વગેરે સ્થળચર થયું. અને પછી અનેક પ્રકારનો હું ખેચર પક્ષી થયા. પછી ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ થયે, પણ મને મન હોવા છતાં મેં ત્યાં પણ એ ગતિમાં પ્રભુને પ્રભુ તરીકે જાણ્યા નહિ. વળી, હું અનેક વાર નારક થઈ આવ્યું, ત્યાં મેં અનેક પ્રકારની પીડા ખમી, ત્યાં ક્ષેત્રવેદના, અન્ય કૃત વેદના અને પરમાધામીકૃત વેદના મેં સહન કરી અને મને મન હતું પણ મેં પ્રભુને પ્રભુ તરીકે દેખ્યા નહિ, જાણ્યા નહિ. અને પરિણામ એ થયું કે એ શુદ્ધ ચેતનાવાળા પ્રભુ મારે હાથ ન ચઢયા અને મેં એમનાં દર્શન ન જ કર્યો. હું તે આ રીતે બધી ગતિમાં રખડ્યો, પણ પ્રભુનું દર્શન પ્રભુ તરીકે કદી કર્યું જ નથી. હે શુદ્ધ ચેતના ! મારી સ્થિતિ આવી થઈ અને હવે તેમાં ફેરફાર કરે છે. પ્રભુને એકાદ વખત ભાળું, તે તેમના જેવા થવાનું મન પણ થાય, તેથી આ વખતે તે હે બહેન! તેમનાં દર્શન ધરાઈ ધરાઈને મને કરી લેવા દે અને મારી અભિલાષા પૂર્ણ થવા દે. (૪) ઇમ અનેક સ્થળ જાણીએ, સખી, દરિસણ વિણુ જિનદેવ; સખી આગમથી મત આણીએ, સખી, કીજે નિરમળ સેવ. સખી. ૫ અર્થ_આવી રીતે જિનેશ્વરદેવનાં દર્શન કર્યા વગર હું અનેક સ્થળે રખડ્યો છું, હવે તે જૈન શાસ્ત્રોથી બુદ્ધિને ભાવિત કરીને એમની સેવા કરીએ એવી મારી ઇચ્છા છે. (૫) –એમ અનેક સ્થાનક રાશી લક્ષ છવાયેનિમાં, હે દેવ ! તુમ્હારા દર્શન વિના સર્વ સ્થાનકો મેં ફરસ્યાં. સંજ્ઞીપણામાં પણ દેખ્યા તેમ કહ્યું. સદાગમથી નિર્મળ મતિ કરી શઠ-હઠાદિક દેવશુદ્ધિવાળી બુદ્ધિ કરી જયો નિર્મળ નિભથી સેવા કરવી. (૫) વિવેચન–આવી રીતે એકેદ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં અનેક સ્થાનમાં મેં જિનેશ્વરદેવનાં દર્શન કર્યા નથી અને હું તે અત્યાર સુધી પ્રભુને જોઈ-ઓળખી શક્યો નથી. કેઈ પણ જાતિ નથી, કઈ પણ ગતિ નથી, કેઈ પણ નિ નથી, જ્યાં આ જીવ અનેક વાર ન ગયો પાઠાંતર–જાણીએ સ્થાને પ્રતમાં “જાણીઈ' પાઠ છે, તે અસલ ગુજરાતી સૂચવે છે. “વિણુ ” સ્થાને એક પ્રતમાં “વિણ” પાઠ છે. “મત ” સ્થાને “મતિ ” પાઠ એક પ્રતમાં છે. “કીજે 'ને સ્થાને એક પ્રતમાં “ કાજે ” પાઠ છે, તે જૂની ગુજરાતીને લઈને છે. એક પ્રતમાં “મત” ને સ્થાને “મન” પાઠ છે. “આણીએ સ્થાને એક પ્રતમાં “યાણીએ” પાઠ છે. (૫) શબ્દાર્થ—ઈમ = એમ,આગળ જણાવ્યા છે. અનેક = એક નહિ તે બહુ, ઘણાં. થળઃસ્થળ, સ્થાન, ઠેકાણાં. જાણીએ = પ્રત્યક્ષ જોઈએ. દરિસણ = દર્શન, જેવું તે, જાણવા તે. વિષ્ણુ = વિનાના છે, એ સ્થાને ભગવદશન થતાં નથી, ભગવાન ત્યાં જણાતા નથી. જિનદેવ = જિનેશ્વર ભગવાન, એએ સ્થાનોએ ભગવાનનાં દર્શન થતાં નથી. આગમથી = શાસ્ત્રથી, સમયથી, આગમથી. મત = મતિ, અભિપ્રાય. આણીએ = કરીએ, કીજે = કરીએ, સેવીએ. ભાઇએ. વિચારીએ. નિરમળ = નિર્મળ, મેલ વગરની, ચાખી, શુદ્ધ, સેવ = સેવા માટે અત્યારે સેવા કરવી. (૫) Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] શ્રી આનંદ્યન-ચાવીશી હાય; એ સવ યોનિમાં ગયા, પણ મેં પ્રભુને ભાળ્યા નથી અને કદાચ જોવાનો બનાવ બની ગયા હોય તે મે તેમને પ્રભુ તરીકે ઓળખ્યા નથી; જૈનશાસથી આ પ્રમાણે વાત સમજીએ; શાસ્ત્રમાં કહ્યું છે કે— ન સા ગારૂં ન સાલોની, નાત' ટાળ ન ત` ' । न जाया न मुआ जन्थ, सव्वे जीवा अण तसेो ॥ આવી રીતે આગમમાં કહ્યું છે તે ઉત્તરાધ્યયનની સાક્ષીએ તને જણાવું છું કે હું ખધી ગતિએમાં સર્વ સ્થાનકે જઈ આવ્યો છું અને મને એ અનેક ગતિએમાં પ્રભુનાં દર્શન થયાં નથી. આ વાત તને જૈન આગમમાંથી જાણીને કહું છું. અને તને બીજી વાત કહું છું કે આવા મારા રખડપટ્ટીના હાલ પરથી પણ હું તને કહી શકું છું કે જે મે કોઇ પણ વખત, અનેક ગતિમાં જવા છતાં, પ્રભુનાં દÖન કર્યા' નથી. શાસ્ત્રગ્રંથામાં કહ્યું છે કે જે પ્રભુની નિળ ભક્તિ કરે તે પ્રભુ થાય અથવા પ્રભુ જેવા થાય. મને એ વચન પર શ્રદ્ધા છે, તેથી આ આગમગ'થાથી તને જણાવું છું : આ રીતે આ વખતે ભગવાનને પહેલી વખત જોઇને તેમની અનન્ય સેવા કરવી અને તેમની અને મારી વચ્ચે પડેલા આંતરા તોડી નાખવા. તે પ્રભુની સાચી ભક્તિ કેમ થાય તે પણ હવે બતાવે છે, જે પ્રમાણે પ્રભુની નિમ`ળ ભક્તિ તમે કરો. એમ કરવાથી તમે પ્રભુ થઇ શકશે, અથવા પ્રભુ જેવા તે; જરૂર થશે! અને અત્યાર પહેલાંના તમારા પ્રયત્ના ઠેકાણે આવશે. તમને આવે! અવસર વારવાર મળતા નથી, તે આ અવસરને લાભ લે અને અનન્ય ચિત્તે પ્રભુની ભક્તિમાં તરબોળ થઇ જાએ. આ સ` મૂળ આગમના હુકમો છે અને તેને અનુસરવાને મેં નિશ્ચય કર્યા છે. આ મારા નિશ્ચયને હે શુદ્ધ ચેતના ! તું વધાવી લેજે અને હવે પછી કહેવામાં આવશે તેવી રીતે ભક્તિ કરવાની મારી ભાવનાને ટેકા આપજે. (૫) નિરમળ સાધુ ભગતિ લહી, સખી॰ યાગ–અવંચક હોય; સખીક્રિયા-અવચક તિમ સહી, સખી॰ ફળ-અવચક જોય. સખી ૬ અમેલ વગરની સંત-સાધુ પુરુષોની ભક્તિને પ્રાપ્ત પ્રથમ થાય છે, પછી ક્રિયાવ ચક થાય છે અને છેવટે તેને જોઇએ છીએ. (૬) કરીને પ્રાણી યેગાવ ચક ફળાવ'ચક તરીકે આપણે પાઠાંતર— તિમ ’ સ્થાને એક પ્રતમાં ‘તેમ’ પાડે છે, ‘ જોય ’ સ્થાને એક પ્રતમાં ‘હાય’પાડે છે. ‘નિરમળ’ સ્થાને એક પ્રતમાં ‘નિમંળ’ પાટ છે. ‘ ક્રિયા ’ સ્થાને એક પ્રતમાં ‘ કિરિય ’ પાડે છે. શબ્દા—નિરમળ = નિ`ળ, મેલ વગરની. સારી, સાચી. સાધુ = સારા માણસની, સંત પુરુષની. ભગતિ = ભક્તિ. ઉપાસના. લહી = લઈ ને, મેળવીને, પામીને યાગ-અવાંચક = યોગાવ ́ચક પ્રાણી થાય, એટલે વસ્તુ ન મળવાનું નથી તેવા અવચક થાય, વસ્તુના યોગ થવો તે યોગાવ’ચકતા છે. ક્રિયા-અવંચક = ક્રિયા બરાબર કરવી તે ક્રિયાવ’ચકતા. ફળ-અવંચક = ફળાવ ચકપણુ, આ યોગાવચક ક્રિયાવાંચક અને ફળાવ'ચક માટે વિવેચન જુએ. ોય = જોવું, સમજવું. (૬) Page #221 -------------------------------------------------------------------------- ________________ ૮: શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન [ ૨૦૫ ટબ -- નિર્મળ નિરાશસ સાધુભક્તિ પામીને વળી યોગ જો અવંચક હોય તે ગ, જ્ઞાન, દર્શન ચારિત્રનું અવંચકપણું કિયા અવંચકપણે આશંસાદિ દોષે કિયાનું અવંચકપણું ન થાય એટલે સફળ થાય, ફળઅવંચક તે ચારિત્રફળ, નિર્વાણ ઈણે જેગે એકીવારે નીપજે. (૬) વિવેચન–આગલી ગાથામાં દેવની નિર્મળ ભક્તિ કરવાનું કહ્યું. એ તે જિનદેવના દર્શનની વાત થઈ. હવે અહીં સાધુમહારાજની ભક્તિ બરાબર કરવાનું જણાવે છે. આ છઠ્ઠી ગાથામાં ગાવંચકપણાની, ક્રિયાવંચકપણાની અને ફળાવંચકપણાની ગની વાત કરે છે. સાધુમહારાજની નિર્મળ ભક્તિ પ્રાપ્ત કરીને પ્રાણી પ્રથમ તે ગાવંચક થાય. યોગ એટલે જોગ. આત્માના ગુણને ઠગનારી નહિ એવી જોગવાઈ થાય, પ્રથમ થવી જોઈએ. એને યોગની પરિભાષામાં ગાવંચકપણું કહે છે. વેગને અવંચકભાવ, ન ઠગનારે ભાવ, તે વંચકર્યું. એવી ભક્તિ પ્રાપ્ત થવી અને તેમાં રસ લે તે ગાવંચકહ્યું છે, એટલે એનો જોગ થવો એ ઘણું મુશ્કેલ છે. પહેલાં પિતે સંસારમાં ઘણું રખડ્યો છે, પણ એને સાધુમહારાજની ભક્તિને યોગ થયો નથી. અત્યારે તેને તે કરવાનો ગાવંચક ભાવ પ્રાપ્ત થયેલ છે તેથી તે પ્રાણી ગાવંચકભાવને પામે એમ કહેવાય છે. ગાવંચકત્વની પછી તેને કિયાવંચકત્વ મળે છે, એટલે જે કાળે જે કિયા કરવાની હોય તે કાળે તે તે કિયા કરવાની તેને વૃત્તિ થાય. પ્રભુનાં દર્શન કરે તે પણ શાસ્ત્ર કહેલી રીત પ્રમાણે. બધી વિધિ જળવાઈને ક્રિયા થાય તેને કિયાઅવંચકત્વ પ્રાપ્ત થયું છે એમ કહેવાય. એ કિયાઅવંચકત્વ કેમ પ્રાપ્ત થાય અને કિયા કેમ કરવી જોઈએ તે માટે દેવવંદનભાગમાં વિધિ છે. ત્યાં દશ ત્રિક તથા અધિગમ જાળવવાના છે, તેને વિસ્તાર કરવામાં આવ્યું છે. આવું કિયાવંચકત્વ એટલે ખોટી રીતે ક્રિયા કરવાનું પ્રાપ્ત થાય તેનાથી ઊલટું, તેનું અવંચકાવ મળે, ત્યાર પછી ત્રીજુ ફળાવંચકત વેગ માર્ગમાં સાંપડે છે. જે જે ક્રિયા કરવામાં આવે, તે જે બરાબર કરવામાં આવે તે આખર જતાં તેનાં ફળ જરૂર મળે છે. કારણ કે યા યા ક્રિયા, સાં સાં રેવતી. એટલે બધી રીતે વિધિપૂર્વક અને કહી છે તે સર્વ રીતિને જાળવીને ક્રિયા કરવામાં આવે, તે જરૂર ફળાવંચકવ પ્રાપ્ત થાય છે, એટલે ફળની બાબતમાં પ્રાણી ઠગાતે નથી. આવી રીતે ગાવંચકત્વ, ક્રિયાવંચકવ અને ફળાવંચકત્વ પ્રાપ્ત કરવું જોઈએ એ ભાવ અહીં આપણને પ્રાપ્ત થાય છે. દર્શન કરવું અને તે બધી રીતે યુગ્ય થાય તો તે ફળ આપ્યા વગર રહેતું નથી, એ આ ગાથામાં છુપાયેલે ભાવ છે. તેને માટે દર્શનના પ્રાથમિક પગથિયાની જરૂર છે. ભગવાન મને તે જરૂર આપો એવી મારે માટે આપને વિજ્ઞપ્તિ કરવાની છે, તે છે શુદ્ધ ચેતના ! મને પ્રાપ્ત કરાવ. આ ગાવંચકત્વ અને ફળાવંચકત્વ એ ખાસ યોગના વિષય છે અને પૂર્ણ શ્રદ્ધાથી સમજવા યોગ્ય છે; એને જે સમજે તે ખરું દશન પ્રાપ્ત કરે અને એનું નામ સફળ દર્શન કહેવાય. જોય એટલે જોઈ લેવું. જે શુદ્ધ દર્શન કરે, જે ફળવતી ક્રિયા કહેલ વિધિ અનુસાર આદરે, તે સાચી ક્રિયા કરી, આખરે ફળાવંચકત્વ, આવતી ગાથામાં કહેશે તેમ, મેળવે. (૬) Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬] શ્રી આનંદઘન-વીશી પ્રેરક અવસર જિનવરૂ, સખી, મોહનીય ક્ષય જાય; સખી કામિતપૂરણ સુરતરૂ, સખી. “આનંદઘન પ્રભુ પાય. સખી. ૭ અર્થ-જ્યારે વખત આવી લાગશે, ત્યારે જિનેશ્વરદેવ પ્રેરણા કરશે અને તે વખતે મેહનીય નામના ચોથા કમની સર્વ પ્રકૃતિને ક્ષય થઈ જશે, એ પ્રભુ ઈચ્છાના પૂરનારા છે અને જાતે કલ્પવૃક્ષ સમાન છે, તેમ જ પ્રભુના પાદકમળ આનંદની છોળો ઉડાડનાર છે. એવા પ્રભુનું હવે મને દર્શન કરી લેવા દે. (૭) ટબો–પ્રેરક કર્મવિવરે ઉદ્યમાદિ પંડિત વીર્યાદિ, તે સમયે જિનવરદર્શન નિમિત્તે મેહનીય કર્મ ક્ષય જાતે હતે, કામિત ઈષ્ટફલ તે મોક્ષપ્રાપ્તિ લક્ષણ, તે વિષે સુરતરુ કલ્પવૃક્ષ સમાન આનંદઘન પ્રભુ-પરમાત્મા ભગવંતના પદ, તે સેવે, એવે દુર્લભપણે સેવા પામીએ. (૭) વિવેચન–જ્યારે ખરે વખત આવી પહોંચશે ત્યારે ભગવાન પ્રેરણા કરનાર છે. સર્વ બાબતમાં એ અંતે ભગવાનની સામે જુએ છે, ભગવાનની પ્રેરણું થશે તે સર્વ સારાં વાનાં થશે એમ તે માને છે. અને ભગવાન પ્રેરણા કરે ત્યારે ક્રિયા સફળ થાય અને એ રીતે ત્રણે અવંચકત્વ પ્રાપ્ત થાય. આ ભગવાનની સાથે આત્મા તદાકાર પ્રમાણે વર્તે છે, કારણ કે સત્તાગતે ભગવાનને આત્મા જે છે તેવો જ સર્વ કેઈને આત્મા છે. અવસરે ભગવાન પ્રેરણા કરે, તે તેથી મેહનીય કર્મને ક્ષય થઈ જાય, બધાં કર્મોમાં મેહનીય કર્મ આકરું છે, તે સર્વ કર્મમાં રાજા છે અને તે ક્ષાયિકભાવે પતી જાય તે મારું કામ થઈ જાય, તેથી ભગવાનની પ્રેરણાની રાહ જોઈને બેઠો છું. મેહનીય કર્મને ક્ષય આ પ્રાણી માટે જરૂરી છે. જ્યારે મેહનીય કર્મને સંપૂર્ણ ક્ષય થઈ જાય, ત્યારે મારી સર્વ આશા પૂરી થાય અને મારા સર્વ પ્રયત્ન સફળ થાય. એ પ્રભુચરણ અને જિનેશ્વરદેવની પ્રેરણા કેવી છે તે હવે છેલે છેલ્લે બતાવે છે. પ્રાણીની જે જે ઈચ્છા હોય તે સર્વને એ પ્રભુપ્રેરણા પૂરી કરનાર છે, એ કલ્પવૃક્ષ જેવી જ છે. જેમાં પ્રાણી કલ્પવૃક્ષ પાસે જઈ જે માગે તે મળે છે, તેમ આનંદના ઘટ્ટ સમૂહ પ્રભુના પાદે તે કલ્પવૃક્ષ જેવા જ છે. એટલે એની પાસે જઈ જે માગીએ તે સર્વ તે આપનાર છે. અને તેની સાથે સ્તવનને છેડે કર્તાએ પિતાનું “આનંદઘન નામ પણ આડકતરી રીતે જણાવી દીધું. પાઠાંતર–“જિનવરૂ સ્થાને એક પ્રતમાં ‘નવ” પાઠ છે. (૭) શબ્દાર્થ –પ્રેરક = પ્રેરણા કરનાર, ફરમાવનાર, દેરનાર. અવસર = વખતે, જ્યારે તેને વખત આવશે ત્યારે, તેને લાયક વખતે. જિનવરૂ = જિનેશ્વર મહારાજ, ભગવાન, પ્રભુ. મેહનીય = ચોથું મોહનીય કમ; એ સર્વથી વધારે નુકસાન કરનાર કમ છે. ક્ષય = નાશ, કપાઈ જાય. જાય = થાય, ખલાસ થાય. કામિત = ઇચ્છિત, ઈમ્બેલ વસ્તુને. પૂરણ = પૂરું કરવાને, પૂરવાને. સુરતરુ = કલ્પવૃક્ષ, એ ઝાડ નીચે ઊભા રહીને જે માગીએ તે આપે, આનંદધન = આનંદના ભરેલા, એ આનંદથી જાડા થયેલા, એ આનંદથી ભરેલ, પ્રભુ = ભગવાન, તીર્થકર (તેના). પાયે = પદ છે. આનંદથી ભરેલા પ્રભુના પગે છે. (૭). Page #223 -------------------------------------------------------------------------- ________________ ૮: શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન [૨૦૭ આવી રીતે અનેક ગતિમાં હું જઈ આવ્યો છું, પણ કોઈ પણ સ્થાનકે મેં અત્યાર સુધી પ્રભુનાં દર્શન કર્યા નથી. એ પ્રભુનાં દર્શન હું પામ્યો છું અને હવે તે તે કલ્પવૃક્ષ જેવા હોવાથી તેની પાસે જે માગીશ તે મળશે અને મારી સર્વ ઇચ્છાઓ તે પૂરી કરશે, એથી મેં એ પ્રભુનાં સાચાં દર્શન કરવા અને તેમને બરાબર ઓળખવા નિશ્ચય કર્યો છે. જેમ યુગલિક નર કલ્પવૃક્ષ પાસે જઈ પોતાનાં સર્વ વાંછિતે પૂરાં કરતા હતા, તેમ પ્રભુના સંબંધમાં હું કરીશ. તે પ્રભુ કેવા સ્વરૂપના છે તે બરાબર જાણે, કારણ કે તમારે પ્રભુ જેવા પરમાત્મા થવું છે, તે માટે તમારે તેમને બરાબર ઓળખવા જોઈએ અને એમને સાચા કલ્પવૃક્ષ સમજવા જોઈએ. એ તે તમારી સર્વ ઇચ્છાના પૂરનાર પરમાત્મા છે. (૭) ઉપસંહાર એ પ્રભુનાં દર્શન કરીને અટકતા નહિ; એમની તે, હવે પછી જણાવવામાં આવે છે તેમ, પૂજા કરજે, અને, માત્ર દર્શન કરીને સંતોષ ન પામતા, તેઓ કેણ છે, કેવા છે, તે બરાબર અભ્યાસ કરે છે. તમે જાણતા નહિ કે પ્રભુદર્શન એ તમારું સર્વસ્વ છે. પ્રભુદર્શનથી તે માત્ર તમે પ્રભુને જોશે, પણ એથી તમારું બધું કામ નહિ થાય, તમારે તે દર્શન કર્યા પછી પ્રભુની પૂજા, પ્રભુની સેવા કરવાની છે. એ સેવા કેમ થાય તે હવે પછીના નવમા સ્તવનમાં બતાવી તમને જણાવવામાં આવશે કે તમે પ્રભુને સેવે, પ્રભુના પદકમળની પૂજા કરે અને પ્રભુને વાંદ. આ રીતે દરેક સ્તવનને સંબંધ છે અને તેની વિગત તદ્યોગ્ય ઉદ્દઘાતમાં તમને પ્રાપ્ત થશે. અહીં તે એક જ વાત કરી છેપ્રભુને દેખ્યા, એ પણ મારા પુણ્યને ઉદય છે અને પ્રભુનાં દર્શનથી હું અત્યારે કલ્પવૃક્ષને પામ્યો . પ્રભુનાં દર્શન થાય તે મનવાંછિત ફળે. આપણા વ્યવહારનાં બે સૂત્રો છે તે યાદ કરવા જેવાં છે : પ્રભુદર્શન સુખ સંપદા, પ્રભુદર્શન નવનિધ; પ્રભુદશનથી પામીએ, સકળ પદારથ સિદ્ધ અને दर्शन' देवदेवस्य, दर्शन पापनाशनम् । दर्शन स्वर्ग सोपानं, दर्शन मोक्षसाधनम् ॥ આ બને સૂત્રોને ભાવ બરાબર સમજી પ્રભુનાં દર્શન થાય તે પણ ઘણું લાભકારક છે. એ લાકેને ભાવ સમજે. એમાં જરા પણ અતિશક્તિ નથી, એ સમજીવિચારી સફળ દર્શન કરે, અને ત્યાંથી આગળ વધો. (૮) જાન્યુઆરી : ૧૯૫૦ ] Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથ જિન સ્તવન સંબંધ–ઘણું મુશ્કેલ છતાં, અનંત ભવે આ સંસારચક્રમાં ફરતાં ફરતાં, પ્રભુનું દર્શન તે, આગલા સ્તવનમાં બતાવ્યા પ્રમાણે થઈ ગયું. પંચેન્દ્રિયપણું મળ્યું, મનુષ્ય જન્મ મળે, દેવગુરુની જોગવાઈ થઈ, સારે ધર્મ મળે, સારું ક્ષેત્ર મળ્યું અને ધર્મશ્રદ્ધા પણ સારી રીતે થઈ. આ બધી ચીજો મળવી મુશ્કેલ છે તે તે નદીગળપાષાણ ન્યાયે મળી ગઈ અને વળી, નીરોગતા મળી, પ્રભુની ઓળખાણ પણ મુશ્કેલ છે, તે થઈ ? એમ પ્રત્યેક મુશ્કેલી મારી દૂર થઈ. હવે પ્રભુની પૂજા કરવાની છે તે કેવી રીતે અને કેવે પ્રકારે કરવી જોઈએ, તેને ભાવ આ નવમા સ્તવનમાં આવે છે. આ મુશ્કેલીઓ માટે શાસ્ત્રકાર દશ દષ્ટાંત આપે છે. એ દશ દાખલાએ આ મનુષ્યભવાદિ સામગ્રી મળવી અત્યંત મુશ્કેલ છે. આપણે એ દશ દષ્ટાંતની બાબતને ઉલ્લેખ આગલા સ્તવનમાં કરી ગયા. એ દશ દેખાતે “સિંદૂરપ્રકર' ગ્રંથની શરૂઆતમાં “પ્રકરણરત્નાકર” ભાગ પહેલામાં આપવામાં આવ્યાં છે. આવી રીતે આપણને મુશ્કેલીઓ મળતી ચીજે મળી ગઈ તે જેમ તેમ વેડફી નાખવા જેવી ચીજો નથી, પણ જો આ ભવને સફળ કરે હોય તે અતિ મુશ્કેલીએ મળેલ અત્યારની સગવડને ખરેખર ઉપયોગ કરી લેવું જોઈએ. - એ ઉપગની બાબતમાં બહુ સંભાળ રાખી પ્રભુની પૂજા કરવી અને તે પૂજા કરતાં પ્રભુને આદર્શ સ્થાને રાખવા. આદર્શ એટલે ભાવનામય મૂર્તિ. આપણે જેવા થવું હોય તેને આદર્શ રખાય; તેના જેવા થવાના નિર્ણયને વળગી રહેવાય. અત્યારે જે પૌગલિક વાતાવરણના આનંદમાં આપણે મચ્યા રહીએ છીએ તેને બદલે આ જન્મમરણના ફેરા મટી જાય અને નિરંતરના અવ્યા બાધ સુખમાં આપણે મગ્ન થઈ રહીએ, એવી સ્થિતિ આપણે પિતે જ નીપજાવી શકીએ; કારણ કે આ સંસારના સર્વ સંબંધો તે સ્વાર્થ ઉપર રચાયેલા છે અને છેડે વખત ટકનાર છે. તેને બદલે પ્રભુ-ભગવાનની પેઠે સ્થાયી સુખ મેળવવું હોય તે ભગવાનને જ આદર્શ સ્થાને રાખી તેમના જેવા થઈ જવાને આદર્શ રાખવો અને તે દિશાએ બને તેટલા પ્રયત્ન કરી નિરંતરનું સુખ પ્રાપ્ત કરવું. પૂજાના અનેક પ્રકાર છે. પ્રથમ બે પ્રકાર ખાસ વિચારવા યોગ્ય છે. તે આ રહ્યા : દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજામાં અનેક સારી સારી ઊંચી વસ્તુઓ વડે પ્રભુની પ્રથમ પૂજા કરવી, તેના અનેક પ્રકાર આ સ્તવનમાં કહેવામાં આવશે તે વિચારવાનું અને સાથે હમેશ ધ્યાનમાં રાખવું કે દ્રવ્ય તે ભાવનું નિમિત્ત છે. ભાવપૂજા ઉત્તમ પ્રકારે થાય તે આશયને બરાબર લક્ષ્યમાં રાખે અને એકલી દ્રવ્યપૂજા કરતાં તેને ઇતિકર્તવ્યતા ન માનવી; પણ ભાવપૂજા બહુ જ જરૂરી છે, ઉપયોગી છે અને આદર્શને પહોંચી વળે તેવી છે, તે ધ્યાનમાં રાખીને ભાવપૂજા વધારે સારી રીતે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૯ : શ્રી સુવિધિનાથ જિન સ્તવન [ ૨૦૯ કરવી. આ ભાવપૂજા કરવાથી આદ્યશને પહોંચી જવાય છે અથવા તે માગે ઘણી પ્રગતિ થાય છે, એ હમેશાં યાદ રાખવું. અને દ્રવ્યપૂજાનું મહત્ત્વ પણ ભાવપૂજાના અધિકારી થવા માટે છે. તેથી દ્રવ્યપૂજા સાથે ભાવપૂજા કરવી અને તે બનતી સારી રીતે કરવી તે આદશ છે. એકલી દ્રવ્યપૂજા અધૂરી છે, અને માત્ર સારી ગતિ અપાવનાર થાય છે. એટલા માટે આ કાળમાં ભાવપૂજા ઉપર અને તેટલે ભાર મૂકવામાં આવ્યા છે. આદશને પહોંચવાના આ માર્ગ છે અને તે સાચા શુદ્ધ માગ છે એમ વિચારવું. આ કાળમાં તે દેરાસરે જવાની વાત પણ ઘણા ભાઈઓને જરૂરી લાગતી નથી. દન કરવાની જે મુશ્કેલી આગળના સ્તવનની અંદર બતાવવામાં આવી તે ઊભી જ રહે છે. નવયુગના માણસોએ જાણવું જોઇએ કે મહામુશ્કેલીએ મળે એવી આ સગવડો અત્યારે મળી છે, માટે તેના લાભ ઉઠાવવા જોઇએ. અને યાદ રાખવું કે અત્યારના સંબંધ તે ટૂંકા વખતના છે અને અચાક્કસ છે. આવા જીવનમાં અનેક ખટપટો, રાજદ્વારી રમત રમવી, તે કતવ્ય નથી, પણ પેાતાની જાતનું બને તેટલું સુધારી લેવું, અક્ષય સુખ પ્રાપ્ત કરવા અન પ્રયાસ કરવે। અને આ જીવન વગેરે મળેલી સામગ્રીએના પૂરતો લાભ લેવા એ જ જરૂરી છે. માટે દ્રવ્ય-ભાવપૂજા કરવી અને પ્રતિપત્તિપૂજા કરવાની ભાવના રાખવી એ જ કન્ય છે, એમ સમજી દેરાસરે તે જરૂર જવું અને દ્રવ્યપૂજાને! તથા ભાવપૂજાના એકસરખા લાભ લેવા. આટલી પ્રસ્તાવના સાથે આપણે હવે આ સ્તવનને સમજવાના પ્રયત્ન કરીએ અને પ્રભુદશનના સાચા લાભ ઉઠાવી, આગળ વધી નિરંતરનું સુખ પ્રાપ્ત કરવા ઉદ્યમવત થઇએ. સ્તવન (રાગ--કેદારા; એમ ધન્નો ધણીને પરચાવે-એ દેશી) સુવિધિ જિનેસર પાય નમીને, શુભ કરણી એમ અતિ ઘણા ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી કીજે રે; પૂજે રે. સુવિધિ॰ ૧ ' 9 પાઠાંતર્— જિણેસર ’ સ્થાને પ્રતમાં “ જિનેસર ’ શબ્દ છે; અ ફરતા નથી. ‘ પાય ’ સ્થાને પ્રતમાં · પાદ છે; અથ એક જ રહે છે. ‘ એમ ' તે સ્થાને પ્રતમાં ‘ હમ ’ છે; અથ ફરતા નથી. ‘ ઊલટ ’ સ્થાને પ્રતમાં ‘ ઉલટ પાડે છે ‘ અતિધણા ’ સ્થાને પ્રતમાં ‘ અતિગુણ ' પાડે છે છે; ધણાગુણા એવા એના અથ થાય છે. ‘ પૂછજે રે ’ સ્થાને ‘પૂજે રે ' એવા પાઠ પ્રતમાં છે; એ જૂની ગુજરાતી છે. ‘ શુભ ’ સ્થાને ‘સુભ ’ પાડે એક પ્રતમાં છે; અં એ જ છે. પૂજે રે ’ સ્થાને એક પ્રતમાં ‘ પૂજા રચીજે રે’ એવા પાઠ છે; અર્થાંમાં ફેર નથી. (૧) શબ્દા ——સુવિધિ = સુવિધિ નામના નવમા તીર્થંકર. જિજ્ઞેસર = ભગવાનને. પાય = પગને. નમીતે = વાંદીને, પૂજીને, શુભ કરણી = સારી ક્રિયા, જે ક્રિયા કરવાથી સારો બંધ અને સારી ગતિ થાય તે. એમ = આ પ્રકારે, હવે પછી કહેવાય છે તે રીતે. જીજે= કરવી અતિ = ખૂબ ધણેા = પુષ્કળ ઉલટ = હેાંસ. અંગ ધરીને = મનમાં લાવીને, શરીરે પુલકિત થઇ ને. પ્રહ = સવારના પહેારમાં. પૂછજે – પૂજવા, સેવા કરવી, આરાધના કરવી. (૧) = २७ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] શ્રી આન‘ઘન-ચાવીશી અથ —નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથના પગને નમીને સારાં કમ ધાય, એવી કારવણી કરીએ, એ સંબંધી વિગતવાર કહેવાશે તેમ અને મનમાં ખૂબ હેાંસ આણીને, તે પ્રભુની સવારમાં ઊઠીને સેવા કરીએ. (૧) ટમા—આ સ્તવનના જ્ઞાનવિમલસૂરિના ટખો નીચે પ્રમાણે વમાન ગુજરાતી ભાષામાં સુધારીને મૂકયો છે : એવા પ્રભુનું દન દુલ ભ કહ્યું, તા તેથી તેનું દર્શન પામી કેમ સેવા કરવી તે વિધિ કહેવાને સુવિધિનાથને સ્તવીએ છીએ. આ સુવિધિનાથ જિનેશ્વરના પગ નમી કરીને, કેમ કરીએ તે કહું છું : શુભ કરણીય યતના અને ભક્તિએ કરણી તે શુભ કરણી. ૨. આ વિધિએ કરવી. ઘણા ઊલટ-હર્ષ અગમાં આનંદ આણી—ધરીને પ્રભાતે ઊઠી-જાગી-સાવધાન થઇ, પૂજા કરીએ. (૧) વિવેચન—શ્રી સુવિધિનાથ ભગવાન નવમા તીર્થંકર, તેમનાં દર્શન તે આઠમા સ્તવનમાં કર્યા, હવે તેમની પૂજા કરવી છે. આપણા આદશ સ્પષ્ટ હોય તે તે આદશે પહોંચવાને અને તેમના જેવા થવાના નિશ્ચય થઈ શકે. એ આદશે પહેાંચવું એ આપણી ભાવના છે. ઘણા માણસા આદર્શીને રાખી મુદ્દામ વખતે વીસરી જાય છે અને આદશને સ્થાને ગમે તેની સ્થાપના કરીને આખા વ્યવહાર બગાડી નાખે છે. એમ ન થવું જોઈએ. આદશ જે ભાવનામાં હાય તેને ખરે વખતે ખરાખર યાદ રાખવેા જોઇએ. તેને યાદ રાખવા માટે આ સ્તવન દ્વારા પૂજાના અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. એ આદશની પૂજા કરવાનું ફળ અંતે જરૂર મળે છે, માટે તેની ભક્તિ—સેવા–ઉપાસના કરવી અને તે રીતે આદશને આદર્શ સ્થાને રાખી તેનું બહુમાન કરવું. તે કાંઇ આપણી પૂજા માગતા નથી, પણ જો પ્રભુ જેવા થવું જ હાય તા આપણી પોતાની ખાતર જ તેની પૂજા કરાય. એ પૂજાને પરિણામે એ આદશ જેવા કાળક્રમે થઇ જવાય. આદર્શ પૂજાનું આ અનિવાર્યું પરિણામ છે. આદશને નિરંતર પૂજ્ય સ્થાને રાખવા અને તેમણે આ સયાગામાં કેમ કામ કર્યુ હશે તે ખરાખર સમજી લઇ, તેને અનુસારે પોતાનું જીવન ઘડવું એ આદર્શોના મહિમા છે. તેમના પગને નમન કરીને લઇએ. આપણે નિરંતરના ક્રિયા કરવાથી સારો સંબંધ સુવિધિ જિનેશ્વરના અથવા આપણા જે કોઇ આદશ હોય આપણે આગળ વધીએ, અને આપણા ઉદ્દેશ શેશ છે તે ધ્યાનમાં સુખસ્થાને પહોંચવું છે અને ભગવાન આપણા આદશસ્થાને છે. જે થાય અને આપણી ગતિ સુધરે, તેવી સારી ક્રિયા આપણે કરવી છે. આ ક્રિયામાં પૂજાને મુખ્ય સ્થાન મળે છે એટલે સુવિધિનાથને પગે લાગીને સારી ક્રિયા કરવી : આ જાતના સ્તવન સાથે ઉપદેશ આપ્યા. જે કામ કરવું તે ખૂબ હેાંશપૂર્ણાંક કરવું. ઘણા માણસ મન વગર કામ કરે છે. એ કામમાં કોઈ જાતના ક્રમ હાતા નથી. પણ જે કામ કરવું તે મનના ઉત્સાહથી કરવું. અહી જે પૂજાના પ્રકાર બતાવવામાં આવે છે તે પણ સવારના પહેારમાં અત્યંત હાંશપૂર્વક કરવું અને તે રીતે પૂજા કરવી. વહેલાં ઊઠવાના લાભા તે પારાવાર છે : Page #227 -------------------------------------------------------------------------- ________________ ૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન [૨૧૧ રાતે વહેલાં જે સૂઈ વહેલા ઊઠે વીર; બળ, બુદ્ધિ, બહુ ધન વધે, સુખમાં રહે શરીર. એટલે વહેલાં ઊઠી, સૂર્યોદય પહેલાં જાગીને હોંશપૂર્વક પ્રભુને નમીને આ કામ કરવું. એમાં બળ, બુદ્ધિ અને ઘણું ધન વધે છે અને શરીરની પણ સુખાકારી થાય છે. બળ વધવાનું કારણ શરીરની સુખાકારી છે; તે પરસ્પર કાર્યકારણભાવરૂપે કામ કરે છે. અને મગજ સારું હોય તે ધન કમાય છે, તે પણ એક એનું સુંદર પરિણામ છે. એટલા માટે વહેલાં ઊઠી, જે વખતે મન કઈ જાતના વિકારને આધીન ન થયું હોય ત્યારે, સુવિધિનાથને અથવા આપણા આદર્શના સ્થાને જે હોય તેને હોંશપૂર્વક પગે લાગીને આ પૂજનકાર્ય કરવું, એ પ્રથમની ગાથાને આશય જણાય છે. (૧) દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેરે જઈએ રે દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે; સુવિધિ. ૨ અર્થ-દ્રવ્યથી એટલે બહારથી અને ભાવથી પવિત્ર ભાવને ધારણ કરીને આનંદપૂર્વક દેરાસરે જવું અને ત્યાં દશ ત્રિક અને પાંચ અભિગમ સાચવતી વખતે પ્રથમ તે એકસરખા મનવાળા થઈએ. (૨) ટબો–શુચિ-પવિત્ર, આશંસાદિ આશયે કલુષિત-મલિન નહિ એવો જે ભાવ-પરિણામ તેણે દ્રવ્ય ૧, ભાવ ૨, બને પૂજા કરીએ. હરખી-ચિત્તસમાધિ કરીદેરે જઈએ. ત્યાં પ્રથમ દશ ત્રિક સાચવીએ તે કેમ? ત્રણ નિસીહી ૧. ત્રણ પ્રદક્ષિણ ૨. ત્રણ પરિણામ ૩. ત્રિવિધા પૂજા ૪. અવસ્થા ત્રણ ભાવવી પ. ત્રણ દિશાએ ન જોવું ૬. ત્રણ વાર ભૂમિપદ પૂજવા ૭. ત્રણ અવલંબન ૮. મુદ્રા ત્રણ ૯. ત્રણ પ્રણિધાન ૧૦. એ પ્રકારના ૩૦ (ત્રીસ) બોલ સાચવવા. પાંચ અભિગમ-વંદનચિહ્ન સાચવવાં. સચિત્ત દ્રવ્યત્યાગ ૧. અચિત્ત દ્રવ્યઅનુજ્ઞા ૨. મનની એકા પાઠાંતર ધરીને ” સ્થાને પ્રતમાં “ધરીનૈ રે” એવો પાઠ છે, એ જૂની ગુજરાતી છે. “શુચિ” સ્થાને પ્રતોમાં “સૂચિ” પાઠ છે; અર્થમાં ફેર પડતો નથી. “હરખે ” સ્થાને એક પ્રતમાં “હરષી ” પાઠ છે, તે જની ગુજરાતી છે. (૨) શબ્દાર્થ-દ્રવ્ય = સારાં કપડાં પહેરવાં, શરીરે મર્દન કરવું વગેરે દ્રવ્ય, પૌગલિક પદાર્થો. ભાવ = ભાવપૂર્વક મનને શુદ્ધ કરવું તે. શુચિ ભાવ = શૌચ; આની બે પ્રકારની વિગતો માટે જુઓ પ્રશમરતિ. શ્લેક-૧૭૧; બાહ્યથી અને અંતરંગથી પવિત્ર થઈને. ધરીને = લઈને, ધારણ કરીને. હરખે = આનંદ સહિત, આનંદમાં આવી જઈને, ઉલ્લાસ પામીને. દેરે = મંદિરે, જ્યાં પ્રભુને સ્થાપેલ હોય તે જગ્યાએ. જઈએ રે - પિતે ચાલી–ચલાવીને જઈએ, જવું તે. દહ તિગ = દશ ત્રિક (આની વિગત માટે જુઓ વિવેચન), દેરાસરમાં દશ ત્રિક જાળવવાનાં હોય છે. પણ = પાંચ. અહિંગમ = અધિગમ. ( વિગત માટે જુઓ વિવેચન): દેરાસરમાં પાંચ અધિગમ જાળવવાના છે, તે જાળવવા. સાચવતાં = જાળવી રાખતાં, કરતાં. એમના = Concentrated, એકાગ્રમનવાળા, સ્થિરચિત્ત, લબ્ધલક્ષ્ય. ધરિ = પ્રથમ તો, શરૂઆતમાં. થઈએ = થઈ જઈએ. (૨) Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] શ્રી આનંદઘન-ચાવીશી ગ્રતા ૩. એક સાટિકા-ઉત્તરાસણ ૪. જિન દીઠે અંજલિ પ્રણામ ૫. અથવા વળી રાજા ખડગ ૧. છત્ર ૨. ઉપાનહ (જેડા) ૩. મુગટ ૪. ચામર પ–એ રાજ્યચિહ્ન મૂકે ઈયાદિક વિચાર દેવ વાંદવાના ર૦૭૪ બોલ થાય, તે સર્વ ભાગ્ય પ્રમુખ આવશ્યકનિર્ય ક્તિ તથા પ્રવચનસારોદ્વારથી જાણવા, ભક્તિ ઉલ્લાસે કરીને. (૨) વિવેચન—દ્રવ્યથી પવિત્ર થઈને એટલે સ્નાન કરી, તદ્દન ખાં વસ્ત્રો પહેરીને અને ભાવથી એટલે હંસથી-મનની ઇચ્છાપૂર્વક, હર્ષ પૂર્વક–દેરાસરે જઈએ. દેરાસરે જવામાં અને પૂજા કરવામાં દ્રવ્ય તથા ભાવની પવિત્રતા રાખવી અને આનંદપૂર્વક દેરાસરે જવું. વ્યવહારથી નાહીધોઈ સારાં વસ્ત્રો પહેરવા અને ભાવથી–ઉલ્લાસપૂર્વક દેરાસરે જવું અને મનમાં આનંદ રાખો, એટલે શેક કે દુIછા કે કોઈ જાતની અરતિ દેરાસરમાં જતાં કે પૂજા કરતાં ન જોઈએ. આવા દ્રવ્ય અને ભાવથી પવિત્ર થનારને ખરેખરું ફળ મળે છે. પ્રવચનસારોદ્વારાદિક ગ્રંથમાં કહ્યું છે તે પ્રમાણે દશ ત્રિક અને પાંચ અધિગમ જાળવવાં. આ સર્વ વિધિ બહુ સમજવા યોગ્ય છે. ચૈત્યવંદનભાગમાં દશ ત્રિક અને પાંચ અધિગમ જાળવવાનો કહ્યાં છે. ત્રિક એટલે ત્રણ-ત્રણ બાબતેને સમૂહ; તેને જાળવવાં, તે નીચે પ્રમાણે : (૧) નિસીહત્રિક–પ્રથમ નિસીહી દેરાસરમાં દાખલ થતી વખતે ઘર સંબંધી કે વ્યાપાર સંબંધી સર્વ વિચાર કે વ્યાપાર કરે નહિ કે સંભાર નહિ, તે આ પ્રથમ નિસહી નૈધિકી)નું લક્ષણ છે. પછી દેરાસરમાં ત્રણ પ્રદક્ષિણા દેવી અને ભવનો ફેર મટાડ, પછી દેરાસરના મધ્યદ્વારમાં પેસતાં બીજી નિસહી કહેવી. ત્યાર બાદ દેરાસર સંબંધી કઈ વાતની ખટપટ તજવી; માત્ર પૂજાભક્તિ ઉપર જ ધ્યાન આપવું. પ્રભુની પૂજા કર્યા પછી છેવટે ચૈત્યવંદન કરવામાં આવે તેની શરૂઆતમાં ત્રીજી નિસહી કરવી. ત્યાર પછી પૂજા સંબંધી પણ કઈ દ્રવ્યને વિચાર ન કરો. આ પ્રમાણે દેરાસરમાં પેસતી વખતે પ્રથમ, દેરાસરના અગ્રેદ્વારે બીજી અને ચૈત્યવંદન કરતી વખતે ત્રીજી નિસીહી બોલવી. આ રીતે પ્રથમ નિસીહત્રિક થયું. (૧) પ્રદક્ષિણાત્રિક—આપણુ પૂજ્યને જમણી બાજુએ રાખી તેની ફરતા ત્રણ ફેરા મારવા. આમાં પૂજ્ય પુરુષનું બહુમાન જળવાઈ રહે તે માટે તેમને જમણી બાજુએ રાખવા. આ ત્રણ પ્રદક્ષિણા પ્રથમ નિસીહી પછી કરવાની છે. (૩) પ્રણામત્રિક-ત્રણ પ્રકારનું નમન તે પ્રણામત્રિક કહેવાય છે. અંજલિબદ્ધ પ્રણામ એટલે માત્ર બે હાથ જોડી પગે લાગવું તે. અર્ધ વિનત પ્રણામ એટલે જે પ્રણામ કરતી વખતે અધું નમાય તે. અને ત્રીજા પંચાંગ પ્રણામમાં બે હાથ, બે ઢીંચણ અને મસ્તક નમે છે. આ રીતે અંજલિબદ્ધ પ્રણામ, અર્ધવિનત પ્રણામ અને પંચાંગ પ્રણામ એમ ત્રણ પ્રકારના પ્રણામનું પ્રણામત્રિક થાય છે. (૪) પૂજાત્રિક–અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા. જળ, ચંદન અને પુષ્પ (ફૂલ) અંગપૂજા કહેવામાં આવે છે. ધૂપ, દીપક, અક્ષત, ફળ, નૈવેદ્યથી પૂજા કરવામાં આવે તેને અપૂજા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન [ ૨૧૩ કહેવામાં આવે છે. ભાવપૂજામાં ગીત, સંગીત અને એકાગ્ર કરીને પરમાત્મપદનું ધ્યાન થાય છે. આમાં સ્તવનાદિનો સમાવેશ થાય છે. આ રીતે અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા તે પૂજાત્રિક કહેવામાં આવે છે. અથવા પ્રકારોતરે વિનઉપશામિની, અભ્યદયસાધિની અને નિવૃત્તિદાયિની એમ પણ પૂજા ત્રિક ગણાય છે. (૫) અવસ્થાત્રિક–પિંડ, પદસ્થ અને રૂપાતીત. તીર્થકર કેવળજ્ઞાન પામે, તે અગાઉની તેમની છદ્મસ્થ અવસ્થાને પિંડસ્થ અવસ્થા કહેવામાં આવે છે. પદસ્થ અવસ્થા તે ભગવાન સર્વજ્ઞ, સર્વદશી થાય તે પછીની અવસ્થા. આ પદસ્થદશામાં સમવસરણમાં ઉપદેશ દેવાના સર્વ કામને પણ સમાવેશ થાય છે. અને રૂપાતીત અવસ્થા તે સર્વ કર્મ થી મુક્ત થઈ ભગવાન સિદ્ધ થાય તે દશા. હુવણ અને અર્ચન કરતી વખતે પ્રભુની છઘર અવસ્થા ભાવવી. અશોક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ તથા છત્ર ચામરાદિ અષ્ટ પ્રાતિહાર્ય પ્રભુને કેવળજ્ઞાન થયા પછીની પદસ્થ અવસ્થા અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા તે ભગવાનની રૂપાતીત અવસ્થા. આ રીતે પિંડ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાનું અવસ્થાત્રિક થાય. (૬) ત્રિદિશનિવૃત્તદષ્ટિત્રિક–પ્રભુ સામે જ દષ્ટિ સ્થાપિત કરી ઊર્વ (ઊંચે), અધે અને તીરછું એ ત્રણ દિશા અથવા પિતાની પુંઠ પછાડીની દિશા તેમ જ જમણી અને ડાબી દિશા એ ત્રણ દિશા તરફ દષ્ટિ દેવી નહિ એ ત્રિદિશનિવૃત્તદષ્ટિ એ છઠું ત્રિક થયું. (૭) ભૂમિપ્રમાજનવિક–પ્રભુને પંચાંગ પ્રણામ કરતી વખતે કે ચૈત્યવંદન કરતી વખતે ત્રણ વખત ભૂમિશુદ્ધિ કરવી તે. સાધુ રજોહરણ વડે અને ગૃહસ્થ ઉત્તરાસંગ વડે ત્રણ વખત ભૂમિમાર્જન કરે એ સાતમું પ્રમાર્જનત્રિક. (૮) આલંબનવિક–પ્રભુ પાસે ચૈત્યવંદન કરતાં જે સૂત્રાદિક બેલવામાં આવે તેના અક્ષરે જે હસ્વ કે દીર્ઘ હોય છે તેવી રીતે ન્યૂનાધિકરહિતપણે તેનાં પદ, સંપદા પ્રમુખનું લક્ષ્ય રાખીને બેલવા તે વર્ણાલંબન. તે વર્ષો બોલતાં તેના અર્થનું હૃદયમાં ચિંતવન કરવું તે અર્થાલંબન. અને તે સાથે પ્રભુની પ્રતિમાનું ઉત્તમ આલંબન લેવું તે પ્રતિમાલંબન. આ રીતે વર્ણાલંબન, અર્થાલંબન અને પ્રતિમાલંબન નામનું આલબનત્રિક થાય છે. (૯) કાત્રિક-હાથની દશે આંગળીઓને માંહોમાંહે આંતરી કમળના છેડા પેઠે બને હાથ રાખી બંને હાથની કેણીએ પેટ ઉપર સ્થાપવાથી જેગમુદ્રા થાય છે. પગના બે આગળના ભાગમાં ચાર આંગળનું અંતર રાખવું અને તેથી કાંઈક ન્યૂન અંતર પાછળના ભાગમાં રાખી ઊભા રહેવું તે બીજી જિનમુદ્રા. હાથની આંગળીઓને આંતર્યા વગર બન્ને હાથ પહોળા રાખીને લલાટ સ્થળે રથાપવા તેને ત્રીજી મુક્તાશુક્તિમુદ્રા કહેવાય છે. આ રીતે જોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા એમ નવમું મુદ્રાઝિક થાય છે. (૧૦) પ્રણિધાનવિક–જાવંતી ચેઈઆઈ, જાવંત કેવિ સાહુ અને જ્યવિયરાય (આભવમખંડા પર્યત) એ ત્રણે પ્રણિધાન ત્રિકના નામથી ઓળખાય છે. અથવા મન-વચન-કાયાના Page #230 -------------------------------------------------------------------------- ________________ [૨૧૪ શ્રી આનંદઘન-ચોવીશી યોગને એકાગ્ર કરવા, તે રૂપ પણ પ્રણિધાનત્રિક કહેવાય છે. દેવગુરુ પાસે જતાં, ખાસ સાચવવા યોગ્ય મર્યાદા જાળવવી જોઈએ તે સાચવવાની પાંચ મર્યાદાઓને પાંચ અધિગમ કહેવામાં આવે છે. એ પાંચે અધિગમ સહ કોઈને સામાન્ય (એકસરખા) સાચવવાનું ફરમાન છે. (ચૈત્યવંદનભાષ્ય અનુસારે) તે પાંચે અધિગમ નીચે પ્રમાણે છે : (૧) આપણા નિમિત્તે રાખેલાં ખાનપાન, આપણું ભેગમાં લેવા ધારેલી સચિત્ત વસ્તુઓ વગેરે સાથે લઈ અંદર પેસવું નહિ, એટલે દેવગુરુ પાસે જતાં સર્વ સચેત વસ્તુઓ અંદર ન લઈ જવી. (૨) વસ્ત્ર, અલંકાર પ્રમુખ અચિત્ત વસ્તુઓ ખુશીથી સાથે રાખવી. એ બીજો અધિગમ છે. (૩) મનમાં કશે વિક્ષેપ સંકલ્પવિકલ્પ ન રાખતાં જે કાંઈ મનમાં સંકલ્પવિકલ્પ થતા હોય તેને શમાવી દઈ એકાગ્ર ચિત્તે દેવગુરુ પાસે અંદર પ્રવેશ કરે. (૪) એક અખંડ વસ્ત્રનું ઉત્તરાસંગ કરવું, જેને જોઈની પેઠે રાખી, વંદન કરતી વખતે તેના છેડા વડે ત્રણ વાર ભૂમિનું પ્રમાર્જન કરવું, તેમ જ તે ઉત્તરાસંગને પૂજા કે સ્તુતિ કરતી વખતે મુખ આગળ ધરી રાખવું. (૫) ગમે તેટલે દૂરથી પ્રભુ દષ્ટિએ પડે કે તરત જ બે હાથ જોડી, મસ્તક નમાવવારૂપ અંજલિબદ્ધ નમસ્કાર કરે. આ પાંચ પ્રકારના અધિગમ (rules of decent approach ) સર્વને સામાન્ય પ્રકારે દેવગર પાસે જતાં જાળવવા યોગ્ય મર્યાદા છે. એ પાંચે અધિગમ અગ્રદ્વારમાં પેસતી વખતે સાચવવાં એવી શાસ્ત્રકારની મર્યાદા છે. પ્રથમ દેરાસરમાં જતાં પહેલાં અથવા ગુરુ સન્મુખ જતાં પહેલાં એકાગ્ર ચિત્તવાળા થવું એટલે મનને કોઈ પણ જાતના વિચારમાં ન જવા દેતાં પૂજા કરવાના એક નિશ્ચયથી દેવ-ગુરુ પાસે એકાગ્ર ચિત્તે જવું : આ પૂજા કરવાની પ્રથમ શરત છે એ ધ્યાનમાં રાખવું. આ પ્રમાણે દ્રવ્યથી અને ભાવથી પવિત્ર થઈને દેરાસરે જવું. શ્રી સુવિધિ અથવા કોઈ પણ ભગવાન, જે મોક્ષે ગયેલા છે, તેની આવી રીતે પવિત્ર થઈ નિર્મળ થઈ પૂજા કરવી. હવે તે પૂજાના પ્રકારે આગલી ગાથામાં બતાવશે. (૨) કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુવિધિ. ૩ પાઠાંતર–એક પ્રતમાં કુસુમ આગળ ૧, અક્ષત આગળ ૨, અને વર સુગંધી આગળ ૩, એવા અક્ષરો મુકેલા છે. બીજી પ્રતમાં એવા અક્ષર નથી “અક્ષત” સ્થાને એક પ્રતમાં “અધ્યત’ શબ્દ છે; બીજી પ્રતમાં અક્ષર ” પાઠ છે. ધૂપ” પછી એક પ્રતમાં ૪. અક્ષર મૂકે છે. “દીપ’ પછી એક પ્રતમાં પ અક્ષર મૂક્યો છે. સાખી ને બદલે બન્ને પ્રતમાં સાથી” શબ્દ છે; એક પ્રતમાં “સાષિ” એવો પાઠ છે. અંગપૂજાને આખો પાઠ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૯ : શ્રી સુવિધિનાથ જિન સ્તવન [ ર૧પ અર્થ—કુસુમ (૧), અક્ષત (૨), સુંદર વાસક્ષેપ (૩), ધૂપ (૮), દીપક-દી (૫) મનમાં રાખીએ. આવી રીતે પાંચ પ્રકારની પૂજા છે. તેમાં કેટલીક અંગપૂજા છે. આ સર્વ વાત અમે ગુરુમહારાજને મુખેથી જાણે છે અને આગમગ્રંથમાં કહેવામાં આવી છે. (૩) - ટબ - વિવિધવણી ગ્રંથિમ ૧, પશ્ચિમ ૨, પૂરન ૩, સંઘાતન –એ ચારે ભેદે કુસુમની પૂજા ૧. અક્ષત ફલ-નાણાદિક ૨. પ્રધાન ગંધ એ વાસચૂર્ણ ૩. ધૂપ કૃષ્ણાગર પ્રમુખ ૪. દીપતિ પ્રકટ ૫. એમ પૂજા મન સાથે કરે. એ પાંચ પ્રકારની પૂજા તે અંગપૂજા અગ્રપૂજાદિકે હોય. ગુરુમુખથી વાત સાંભળી આગમ-સિદ્ધાંત ભાષિત. (૩) વિવેચન–૧. કુસુમ, ૨. અક્ષત, ૩. સુગંધી વાસક્ષેપ, ૪. દશાંગ ધૂપ અને પ. દીવો. એમાં હવણ, કેસર અને પુષ્પની એમ ત્રણ અંગપૂજા કહેવાય છેઆ ગાથમાં તે પૈકી પુષપૂજા જ આપવામાં આવી છે. વાસક્ષેપપૂજા પણ અંગપૂજામાં આવે છે. આ પાંચે પૂજાને કદાચ અગ્રપૂજા કહેવામાં આવતી હશે એમ જણાય છે, તેનું રહસ્ય સમજાયું નથી. પણ અત્યારે ઉપલબ્ધ થતાં શાસ્ત્રોમાં તે કુસુમ અને વાસક્ષેપ પૂજાને અંગપૂજા બતાવવામાં આવેલ છે અને અક્ષત-ખા, ધૂપ અને દીપક–દીવાની પૂજાને અગ્રપૂજા ગણવામાં આવેલ છે. એ ગુરૂમુખથી ચાલી આવતી સાંપ્રદાયિક વાતે વચ્ચેના અંધકારના વખતમાં વીસરાઈ ગયેલ છે, તે તત્ત્વજ્ઞાની જાણે. અને આ પાંચ પ્રકારની પૂજા તે અમે અમારા ઘરની નથી કહેતા, પણ જેવી અમે ગુરુમુખે સાંભળી છે તેવી, અને શાસ્ત્રમાં વર્ણવી છે તેવી બતાવી છે. - આ પાંચે પૂજાને અંગપૂજાના નીચે કેમ ગણી તે એક કેયડે છે; પણ, ઉપર જણાવ્યું તેમ, સંપ્રદાયજ્ઞાનને નાશ થવાને કારણે તે સમજમાં ઊતરતી નથી. તેથી તે વાતને આપણે બહુશ્રુતજ્ઞાની ઉપર છેડીએ છીએ. તે જ પ્રમાણે સામાયિક કે પ્રતિકમણ કરતી વખતે હાથને અમુક રીતે શા માટે રાખવા, ઊઠતી વખતે અમુક રીતે શા માટે રખાય છે, એવી એવી વાત ગુરુ શિષ્યને સમજાવે છે, તે સંપ્રદાયજ્ઞાન નાશ પામવાને કારણે આજે આપણે જાણી-સમજી શકતા નથી. આ પ્રમાણે અંગપૂજાના પાંચ પ્રકાર છે તે કરવા. પૂજા કરવાનું ફળ શું થાય તે હવે પછીની ગાથામાં મૂળ સ્તવનમાં બતાવે છે. (૩) એક પ્રતમાં નથી. “સુગંધી’ સ્થાને ભીમશી માણેની આવૃત્તિમાં “સુગંધ” પાઠ છાપે છે. “એમ” સ્થાને ભીમશી માણેકે છાપેલ પુસ્તકમાં “એમ” એવો પાઠ છે. (૩) શબ્દાર્થ-કુમુમ = ફૂલ, સુંદર પુષ્પો (૧). અક્ષત = ચોખા, તાંદુલ (૨). વર = સારો, સરસ. વાસ = વાસક્ષેપ, વાસખેપ (૩). સુગંધી = ખુશબોદાર, સારી ગંધ-સુવાસ આપનાર. ધૂપ = પ્રભુ પાસે બાળવાના પદાર્થો, જેમાંથી સુગંધી ધૂમાડા ઊડે છે તે (૪). દીપ = દીવ, દેરાસરમાં જાગતે દીવો રાખે છે તે (૫). મનસાખી = મનની સાક્ષીએ, સાચેસાચ, એમાં ગોટાળે ન કર. અંગપૂજા = પ્રભુને શરીરે લાગે તેવી પૂજા અંગપૂજા અને અગ્રપૂજા પૈકી પણ = પાંચ. ભેદ = પ્રકારે. સુણી = સમજી, સાંભળી. ઈમ = એ પ્રકારે. પ્રમુખ = ગુરુમહારાજની પાસે, ગુરુમહારાજને મોંએ, આગમભાખી = શ્રી સિદ્ધાંતમાં બતાવેલી છે, શ્રી આગમશાસ્ત્રમાં વર્ણવી છે તે. (૩) Page #232 -------------------------------------------------------------------------- ________________ ર૧૬] શ્રી આનંદઘન–વીશી એહનું ફળ દેય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે; આણાપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે. સુવધિ૪ અર્થ એ દ્રવ્ય-ભાવપૂજાનું ફળ બે પ્રકારનું છે તે તમે સાંભળે : એક તુરતનું ફળ (અનંતર ફળ, જેમાં આંતર નહિ તેવું), અને બીજુ પરંપરાએ–આખરે-છેવટે થતું ફળ. આજ્ઞાનું પાલન કરવાથી ચિત્તની પ્રસન્નતા રૂપ ફળ થાય છે. અને મુક્તિ–મોક્ષરૂપ સારી ગતિ થાય છે અથવા મોક્ષ થાય છે અથવા મનુષ્યાદિ સારી ગતિ થાય છે અને રૈવેયકાદિ સુંદર દેવગતિ થાય છે. (૪) ટબો–એ બને પૂજાનાં ફળ બન્ને પ્રકારે બને ભેદે-એમ સાંભળીને અનંતર-આંતરા રહિત સાક્ષાત્ ફલ નિર્વાણ સાધે અને પરંપરાએ મોક્ષ સાધે, તે પરંપર ફલ કહાય. આજ્ઞાનું જ્યાં સંપૂર્ણ ચારિત્ર એક ફલ તે અનંતર અને ચિત્ત પ્રસને વિશિષ્ટ દ્રવ્યાદિકનું જોડવું તે પરંપરા ફલ કહીએ. એટલે ઉત્કૃષ્ટ પૂજા મુગતિ, સ્વર્ગ ફળ અને ઉત્કૃષ્ટ યતનારૂપ ભાવાજ્ઞાપાલન જે મુક્તિમંદિર. (૪) - વિવેચન–પૂજાનાં બે પ્રકારનાં ફળ થાય છે. એક અનંતર ફળ અને બીજુ પરંપર ફળ. એટલે એક ફળ તાત્કાલિક થાય છે અને બીજુ ફળ ધીમે ધીમે થાય છે. આ બે પ્રકારનાં ફળ બતાવવાને આશય એ છે કે એમ વિગતવાર ફળ બતાવવાથી તેની પૂજા તરફ ભાવના થાય. તેટલા માટે બને પ્રકારનાં ફળ એ બતાવે છે. અનંતર ફળમાં આજ્ઞાનું પાલન અને પરંપરા ફળમાં મુક્તિ મેક્ષ), સારી ગતિ અથવા દેવગતિ. આ બન્ને પ્રકારનાં ફળ ખૂબ લક્ષ્યમાં લેવા ગ્ય છે. આપણે કેઈની આજ્ઞાનું પાલન કરીએ ત્યારે તે માણસ આજ્ઞા કરવાની સ્થિતિમાં હું જોઈએ. રાજા કે ઉપદેશક આજ્ઞા કરે તે આપણે જાણે તેણે આપણું ઉપર મહેરબાની કરી હોય એમ ગણીએ છીએ. પ્રભુની આજ્ઞાનું પાલન કરવું તે અનંતર-તાત્કાલિક ફળ છે એમણે જે વાતને પોતાના જ્ઞાનથી હિતદષ્ટિએ જોઈ હોય તે, કઈ પ્રકારના બદલાની પાઠાંતર-એહનું ફળ સ્થાને એક પ્રતમાં “હવો ફળ” એવો પાઠ છે. “ય” સ્થાને એક પ્રતમાં ” પાઠ છે. “ભેટ” સ્થાને એ પ્રતમાં “ભાવ” પાઠ છે “સુણીને ” એ સ્થાને “સુણિને” એવો પાઠ એક પ્રતમાં છે; એક પ્રતમાં “સુણીની પાઠ છે. “પરંપર ' સ્થાને એક પ્રતમાં ‘પર પરે રે” એવો પાઠ છે. પાલણ” સ્થાને એક પ્રતમાં “પાલગ ” એવો પાઠ છે. “સુગતિ સુરમંદિર ” સ્થાને એક પ્રતમાં સુરમુગતિ ” પાઠ છે. (૪) શબ્દાર્થ –એહનું = ઉપર જણાવેલ પૂજાનું, એનું. ફળ = લાભની, જમે બાજુની. દેય = બે (હવે પછી કહે છે તે બે) ભેદ = રીતે, પ્રકારે. સુણીજે = સાંભળીએ, જાણીએ. અનંતર = આંતરારહિત, દરમ્યાનગિરિ વગરનું, તાત્કાલિક, તુરત. પરં પર = પરં પરાએ, છેવટે. આણાપાલણ = હુકમનું માનવું તે, ફરમાનનો અમલ. ચિત્તપ્રસન્ની = મનમાં પ્રસન્નતા થાય તેને પરિણામે તે હક ( પ્રથમ સ્તવન જુઓ, ગાથા છઠ્ઠી). મુગતિ = મુક્તિ, મોક્ષ, નિરંતરને માટે જન્મમરણનો નાશ. સુગતિ = સારી ગતિ, મનુષ્ય દેવગતિ. સુરમંદિર = દેવતાની ગતિ. (૪) Page #233 -------------------------------------------------------------------------- ________________ ૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન [ર૧૭ આશા વગર, એકાંત આપણા હિત ખાતર કહી. અને તેને તેમના ગણધર શિષ્યએ આગમમાં ગૂંથી લીધી છે, એ આજ્ઞાનું પાલન કરવું, એ આપણી ફરજ છે. આ રીતે અનંતર ફળમાં પિતાના ચિત્તની પ્રસન્નતા થાય છે. આ પણ અનંતર–તાત્કાલિક ફળ છે. ચિત્તપ્રસન્નતા કેવી રીતે થાય છે તે આપણે પ્રથમ સ્તવનમાં જઈ ગયા છીએ. તાત્કાલિક લાભ આત્મિક જ હોવો જોઈએ. આ આત્મિક લાભ તે આજ્ઞાપાલન અને ચિત્તની પ્રસન્નતા એ બે જ છે. અને પરંપરાએ ફળ તે મોક્ષપ્રાપ્તિ છે. આપણે અનંત સુખ મેળવવું હોય તે તે મોક્ષમાં જ મળે તેમ છે. તે સુખ અનંત કાળ માટેનું છે અને તે કદી નાશ પામવાનું નથી. જે સુખની પાછળ દુઃખ થાય તેને ખરેખરું સુખ કહી શકાય નહિ. આ મોક્ષસુખ માટે આપણે સર્વ પ્રયાસ છે. પણ આપણે કદાચ આયુષ્ય બાંધી દીધું હોય, તે પરંપરાએ પ્રાપ્ત થવાના ફળમાં આપણી સારી ગતિ થાય, આવતે ભવે મનુષ્યગતિ કે દેવગતિ મળશે, એટલે નરકાદિક ગતિનું એ નિવારણ થશે. આ કાળમાં મોક્ષ મળતું નથી, તે સધિયારાની વાત છે કે આપણને દેવગતિ મળશે. આ ગાથામાં આપણે બન્ને પ્રકારનાં ફળ જાણ્યાં. પણ ફળની અપેક્ષાએ પૂજા ન કરવી. જે પ્રાણ એવી રીતે તથા હવે પછી કહેવાનારી રીતે પૂજા કરશે તેણે ખાતરીથી સમજવું કે પૂજાનાં અનંતર અને પરંપર ફળ સારાં છે જે માટે અનંત ભવ પછી આ મનુષ્યને દેહ અને નરેગિતા, ધર્મ અને ધર્મને બતાવનારા, પોતાની શ્રદ્ધા અને સમજણશક્તિ મળ્યાં છે, તેને પૂરેપૂરો લાભ લઈ આ મળેલ અનુકૂળ સાધનને પૂરતો લાભ લે. આ ગાથામાં બતાવેલી પૂજાએ તે પિતાનું કર્તવ્ય કરવાનું પ્રથમ પગથિયું છે, પછી શું કરવું તે આગળ ઉપર જણાશે. હવે આપણે બીજા પ્રકારની પૂજાઓ વિચારીએ. (૪) ક્લ અક્ષત વર ધૂપ પઈવો, ગંધ નિવેદ્ય ફલ જળ ભરી રે; અંગ-અંગ્રપૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભ ગતિ વરી રે. સુવિધિ. ૫ પાઠાંતર–કૂલ” પછી એક પ્રતમાં ૧-એકડે મૂકે છે. “અક્ષત” પછી એ જ પ્રત લખનાર ૨-બગડો મૂકે છે. ધૂપ” પછી એ પ્રત લખનાર ૩-તગડો મૂકે છે. “પઈવ ” પછી એક પ્રત લખનાર ૪-ચગડે મૂકે છે. બીજી પ્રતમાં એ ચારે અક્ષરો છે. “ગંધ” પછી એ પ્રત લખનાર -પાંચડો લખે છે ને પ્રતમાં એમ જ છે. નૈવેદ્ય” પછી ૬-છગડા મૂકે છે; બીજી પ્રતમાં ‘નિવેદ્ય” પાઠ છે. ફળ પછી એક પ્રતમાં છ-સાત લખે છે. “જલ ભરી રે’ પછી બીજી પ્રતમાં ૮-આકડો મૂકે છે, અને “ફલ પૂજલ ભરે રે' એવો પાઠ આપે છે. “મળીને સ્થાને “મિલિન” એવો પાઠ એક પ્રતમાં છે. “અડવિધ” સ્થાને “અદવિધિ” એવો પાઠ છે. (૫) શબ્દાર્થ –કૂલ = પુષ્પ, ફૂલ. અક્ષત = ચોખા, તદુલ. વર = સરસ, સુંદર, સારા, ઊંચી જાતના. ધૂપ = દેવતા ઉપર ધુમાડો થાય તેવો સુંગધવાળા પદાર્થ, પઈ = દી, લાઈટ, પ્રકાશ, ગંધ = કેસર, સુખડ વગેરે સુગંધવાળા પદાર્થો. નૈવેદ્ય = રાંધેલી કે તૈયાર કરાવેલી સુંદર રસોઈ, પકવાન કે મીઠાઈ. ફળ = ઝાડનાં ફળ, તરબૂજ, જમરૂખ વગેરે, ટેટી અને રાયણાદિ. જળ = પાણી. ભરી રે = પાણી ભરેલા કળશે. અંગ = પ્રભુને २८ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮]. શ્રી આનંદઘન-ચોવીશી અથ–ફૂલ, અક્ષત, સુંદર ધૂપ, દી, કેસર, નૈવેદ, ફળ, જળ (કળશ ભરીને)–એ આઠ પ્રકારની અંગ અને અગ્રપૂજાઓ છે. અને એને આચરવાથી ભવ્ય પ્રાણીઓ સારી ગતિને પામે છે. (૫) ટબો–કુસુમ-કૂલ ૧, અક્ષત-ધાન્ય તંદુલાદિ ૨, પ્રધાન ધૂપ ૩, પઈ-રી ૪, ગંધવાસાદિ પ, નૈવેદ્ય-આહારાદિ ૬, ફલ-બીજ પૂરાદિ, જલ ૮-એમ અંગપૂજા અગ્રપૂજા મળી આઠ ભેદ થાય. આદિ શબ્દ ઘણા પ્રકાર હોય. જે ભવિક શુભ ગતિના પામણહાર, તેવે ભાવે પૂજા કરે, તે શુભ ગતિ વરે. વિવેચન-પૂજા આઠ પ્રકારી છે. એ આઠ પ્રકાર આ રહ્યા : ૧, ફૂલ, ૨. અક્ષત (ચોખા), ૩. વર એટલે સુંદર ધૂપ, ૪. ગંધ, કેશર સુખડાદિ સારી સુવાસવાળા પદાર્થો, કસ્તૂરી વગેરે, ૫. દીપક–દી, ૬. નનૈવેદ્ય-મીઠાઇ, પકવાન, ૭. ફળ-જમરૂખાદિ, ૮. જળ-પાણી–એમ અષ્ટપ્રકારી પૂજા થાય છે. આ પૂજાના પ્રકાર કરતાં હાલમાં જુદી રીતે પૂજા થાય છે. તેમાં પણ આઠ પ્રકારે જ, પણ તેને કમ ફરી જાય છે. તેમાં જળને અભિષેક પ્રથમ આવે છે. બીજી કેશરપૂજા, તેમાં કસ્તુરી, સુખડ વગેરે સુંદર સુગંધી પદાર્થો મળે છે. ત્રીજી પૂજા ત્યાર પછી અત્યારે પુષ્પ-ફૂલની થાય છે. જેથી દશાંગધૂપની પાંચમી દીવાની-દીપકની પૂજા, છઠ્ઠી ચોખાતાંદુલની, સાતમી જમરૂખ, બદામ આદિ ફળની, અને આઠમી નૈવેદ્ય-પકવાનની પૂજા થાય છે. એ અષ્ટપ્રકારી પૂજામાં પ્રથમ ત્રણ (જળ, કેશર અને પુષ્પની પૂજા) તે અંગપૂજા કહેવાય છે અને બાકીની પાંચ અગ્રપૂજા છે. અંગપૂજામાં પ્રભુના શરીરને અડીને પૂજા કરવાની હોય છે અને અગ્રપૂજામાં પ્રભુને અડવાનું નહિ પણ પ્રભુ સન્મુખ ઊભા રહી કરવાની હોય છે. એ અષ્ટપ્રકારી પૂજાને કરવાથી ભવ્ય પ્રાણીઓ સારી ગતિને પામે. આ સ્તવનનું આ રહસ્ય છે. પૂજા કરવાને આ કાળમાં લાભ તે સારી ગતિ મેળવવાને છે. દેવની કે મનુષ્યની ગતિ સુગતિમાં ગણાય છે. જે પ્રાણી રખડપાટાથી કંટાળી ગયા હોય એણે પૂજા કરી આવતા ભવે સારી ગતિ મેળવવી એ પૂજા કર્યાને પરંપરાએ થતે લાભ છે. અને તે લાભ આ અનંત સંસારમાં કોઈ વાર જ મળે છે, માટે પૂજા કરી લાભ ઊઠાવ એ આપણી ફરજ છે. આ કાળમાં આ ક્ષેત્રે મેક્ષ થવાને નથી, તેથી સુગતિથી પણ સંતોષ માનવે અને આગળ જતાં પરંપરાએ મોક્ષ મળશે એમ જાણવું. હજુ પૂજાના વધારે પ્રકાર છે તે તરફ આવતી ગાથામાં ધ્યાન ખેંચશે. (૫) શરીરે અડીને થાય તે પૂજાને અંગપૂજા નામ અપાય છે. અગ્રપૂજા = પ્રભુ સન્મુખ પૂજા કરવામાં આવે તેનું નામ અગ્રપૂજા છે. બહુવિધ = ઘણે પ્રકારે. અડ = આઠ, અષ્ટનું અર્ધમાગધી રૂ૫. ભાવે = હૃદયના ઉલ્લાસપૂર્વક, ભવિક = ભવ્ય પ્રાણીઓ, મોક્ષમાં જવાની યોગ્યતાવાળા જીવો. શુભ ગતિ = સારી ગતિ; દેવતા, મનુષ્યના ભવ તે સારી ગતિ ગણાય છે. વરી = પામી, મેળવી. (૫). Page #235 -------------------------------------------------------------------------- ________________ ૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન [૨૧૯ સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠોત્તર સત ભેદે રે; ભાવપૂજા બહુવિધ નિરધારી, દેહગ દુરગતિ છેદે રે. સુવિધિ. ૬ અથ–વળી પૂજા સત્તર પ્રકારે થાય છે, એકવીસ પ્રકારે પણ થાય છે અને એક ને આઠ પ્રકારે પણ થાય છે. ભાવપૂજા તે બહુ પ્રકારે થાય છે અને તે દુર્ભાગ્ય અને ખરાબ ગતિને છેદી નાખે છે, દૂર કરે છે. (૬) ટો–સત્તર ભેદવાળી પૂજાના પ્રકાર : હવણ ૧, વિલેપન ૨, અંગમાં ચક્ષુ જુઅલ અને વાસપૂજા ઈત્યાદિ. તથા વળી એકવીશ પ્રકારે યથા–નાન ૧, વિલેપન ૨, વિભૂષણ ૩, પુષ્પરાસ ૪, ધૂપ ૫, પ્રદીપ ૬, ફળ ૭, તંદુલ ૮, પત્ર ૯, પૂગ (સોપારી) ૧૦, નૈવેદ્ય ૧૧, વારિ (પાણી) ૧૨, વસન (કપડાં) ૧૩, ચામર ૧૪, આતપત્ર ૧૫, વાજિંત્ર ૧૬, ગીત ૧૭, નટ ૧૮, સ્તુતિ ૧૯, કેશ ૨૦, વૃદ્ધિ ૨૧–એ પ્રમાણે એકવીશ વિધા જિનરાજપૂજા માટે વ્યાખ્યાન કરવામાં આવ્યું છે– इत्येकविंशतिविधा जिनराजपूजा ख्याता सुरासुरगणेन कृता सदैव । खण्डीकृता कुमतिभिःकलिकालयोगात् यद्यत्प्रिय तदिह भाववशेन योज्यम् ॥ તથા વળી અઠોતર સો (૧૦૮) ભેદે પણ પૂજા. એવં દ્રવ્યપૂજા અનેક પ્રકારે કહી. ભાવપૂજા શુદ્ધાજ્ઞા પાળવારૂપ, ઉગ્ર વિહાર સ્વરૂપે. તે પણ બહુ પ્રકારે નિરધાર-નિર્ણય કરીને. દડગ -મિથ્યાત્વાદિ, દુઃખ જન્મ-જરા-મરણાદિ, ઈત્યાદિકની ગતિ પરંપરાને ઉછેદક થાય. (૬) વિવેચન-દ્રવ્યપૂજા સત્તર પ્રકારે છે. સકળચંદજી ઉપાધ્યાયની તથા આત્મારામ (આનંદવિજય)ની સત્તરભેદી પૂજા પ્રસિદ્ધ છે. એમાં શ્રી સકળચંદજીએ સત્તર પ્રકાર નીચે પ્રમાણે પાડ્યા છેઃ ૧. હવણ પૂજા, (પાણીનું સ્નાન, અભિષેક), ૨. ચંદન (તેનું શરીરે વિલેપન કરવું), ૩. વસ્ત્રયુગલ, ૪. વાસપૂજા (વાસક્ષેપ), પ. પુષ્પપૂજા (છૂટાં ફૂલ), ૬. ફૂલની - પાઠાંતર–પ્રકારે” સ્થાને એક પ્રતમાં “પ્રકાશે” એવો પાઠ છે. “સત” સ્થાને “સો” એવો પાઠ બને પ્રતમાં છે. પૂજા’ સ્થાને “પૂજન” પાઠ એક પ્રતમાં છે. “દુરગતિ ” સ્થાને એક પ્રતમાં “ભાવિ ભાવિક શભ ગતિ વરી રે” પાઠ છે; એક પ્રત “દુખગતિ” એવો પાઠ પણ આપે છે. “છેદે રે’ સ્થાને એક પ્રતમાં છેદે રે’ એવો પાઠ છે, (૬) | શબ્દાર્થ–સત્તર ભેદ = સત્તરભેદી પૂા. (એના વિસ્તાર માટે વિવેચન જુઓ). એકવીશ પ્રકારે = એકવીશ પ્રકારની પૂજા (વિસ્તાર માટે જુઓ વિવેચન), પ્રકાર = જાતની. અઠોત્તર સત = એકસો ને આઠ (૧૦૮) ( વિસ્તાર માટે જુઓ વિવેચન) સ ઉપર આઠ, શત એટલે સે, અઠોત્તર = એટલે જેમાં આઠ વધારવાના છે તે. એટલે ૧૦૮ પ્રકારી પૂજા. આ સર્વ દ્રવ્યપૂજા થઈ. ભાવપૂજા = ત્યાર પછી ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ થાય તે ભાવપૂજા, હૃદયના ઉલ્લાસથી થતી પૂજા. એ દ્રપૂજન અને ભાવપૂજા એમ પૂજાના બે પ્રકાર છે. બહુવિધ = અનેક રીતે, ઘણા પ્રકારે. ભાવપૂજાના અનેક ભેદો, પ્રકાર છે. નિરધારી = બતાવી છે. આગમ અને ત્યાર પછીના અનેક ગ્રંથોમાં તેને વિધિ કહ્યો છે. દેહાગ = ખરાબ નસીબ, દુર્ભાગ્ય, કમનસીબ. દરગતિ ' ખરાબ ગતિ, નારકી, તિર્યંચાદિ ખરાબ ગતિ, નીચ ગતિ. છેદે = દૂર કરે, મટાડે. (૬) Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] શ્રી આનંદઘન ચોવીશી માળા (ફૂલને પરવવાં માળામાં), ૭. ફૂલની આંગી રચવી, ૮. ચૂર્ણ પૂજા (બરાસ ચૂર્ણ), ૯. દેવજપૂજા (ધજા), ૧૦. આભૂષણપૂજા, ૧૧. કુસુમગૃહપૂજા, (ફૂલનું ઘર), ૧૨. કુસુમમેઘ ( ફૂલ વરસાવવાં), ૧૩. અષ્ટ માંગલિક (હાથમાં કેબીમાં અષ્ટમાંગલિકને ધરીને ઊભા રહેવું), ૧૪. ધૂપ-દીપક પૂજા, ૧૫. ગીત પૂજા (તાલ સહિત પ્રભુગુણગાન કરવું), ૧૬. નૃત્યપૂજા (પ્રભુ આગળ નાચ કરે), ૧૭. વર્ષ વાદ્યપૂજા, જે કાળે જે વાજિંત્રો મળતાં હોય તે સર્વ વગાડવાં. આત્મારામજીએ સત્તર પ્રકાર નીચે પ્રમાણે પાડ્યા છે : 1. હવણ, ૨. વિલેપન, ૩. ચક્ષુયુગલ (અહીં અને સકળચંદની સત્તરભેદીમાં ફેર છે), ૪. ગંધપૂજા (એમાં અને સકળચંદની વાસપૂજામાં ફેર નથી.), પ. પુષ્પપૂજા, ૬. ફૂલની માળા, ૭. આંગી રચવી તે, ૮. ચૂર્ણ પૂજા, ૯. ધ્વજાપૂજા, ૧૦. આભરણુપૂજા, ૧૧. પુષ્પગ્રહપૂજા, ૧૨. પુષ્પવર્ષણપૂજા (એ સકળચંદજીની પૂજામાંથી ૧૨મી કુસુમમેઘપૂજા જ છે.), ૧૩. અષ્ટમંગલપૂજ, ૧૪. ધૂપપૂજા, ૧૫. ગીત પૂજા, ૧૬. નાટક (એ સકળચંદજી નૃત્યપૂજા પ્રમાણે જ છે.), ૧૭. વાજિંત્રપૂજા (એ સકળચંદજીની સર્વ વાદ્યપૂજા પ્રમાણે જ છે), એટલે એમાં ચક્ષુયુગલ રથાને વસ્ત્રયુગલને ફરક આવે છે. મતલબ કહેવાની એ છે કે સારાં સુગંધીવાળાં દ્રવ્ય લઈ તેનાથી પ્રભુની સત્તરભેદી પૂજા કરવી. આ સર્વ પ્રથમ ભેદે દ્રવ્યપૂજા છે. ઉચ્ચ દ્રવ્યની અહીં મેળવણી છે. એમાં નોંધવા જેવી વાત ગીત અને નૃત્ય-નાચની છે. સંગીતથી એકાગ્રતા થાય છે, તે ખાસ સમજવા જેવી વાત છે. એ જ સકળચંદજી ઉપાધ્યાયે એકવીસ પ્રકારની પૂજા બતાવી છે. તેમણે એકવીસ પ્રકારે આ પ્રમાણે આપ્યા છે : ૧. જલપૂજા, ૨. વસ્ત્રપૂજા ૩. ચંદનપૂજા, ૪. પુષ્પપૂજા, ૫. વાસપૂજા, ૬. ચૂઆચૂર્ણ પૂજા (બરાસના ચૂર્ણમાં ચંદન નાંખવું.), ૭. પુષ્પમાળા, ૮. અષ્ટમાંગલિક પૂજા (ધરવા), ૯. દીપક પૂજા, ૧૦. ધૂપપૂજા, ૧૧. અક્ષતપૂજા, (ચોખા), ૧૨. ધ્વજાપૂજા, ૧૩. ચામર. પૂજા, ૧૪, છત્રપૂજા, ૧૫. મુકુટપૂજા, ૧૬.દર્પણપૂજા (અરીસકાચ), ૧૭. નૈવેદ્યપૂજા, ૧૮. ફૂલપૂજા, ૧૯ગીતપૂજા, ૨૦. નાટકપૂજા (પ્રભુ સન્મુખ નાટક કરવું.), ૨૧. વાજિંત્રપૂજા. આમાં સુંદર દ્રવ્ય વધારે આવે છે. મતલબ, આ એકવીસ પ્રકારી પૂજા દ્રવ્યપૂજાને જ વિભાગ છે એમ સમજવું, પ્રભુ આગળ સુંદર ફળ-નૈવેદ્ય ધરી એકસો આઠ પ્રકારની પૂજા કરવી. એ હાલમાં અષ્ટોત્તરી સ્નાત્ર તરીકે ઓળખાય છે. તેમાં ઉપર જણાવેલ અષ્ટપ્રકારી પૂજા અનેક સ્નાત્રીઆ વહેંચી લે છે અને તે વખતે ગીત-વાજિંત્ર વાગે છે. એ અષ્ટોત્તરી પૂજાને ખાસ વિધિ છે તે શાસ્ત્રોથી જાણી લે. આ અષ્ટોત્તરી પૂજા એ પણ દ્રવ્યપૂજા જ છે અને તે ઉત્કૃષ્ટ પ્રકારની દ્રવ્યપૂજા છે. આ ઉપરાંત ચોસઠપ્રકારી, નવાણુપ્રકારી વગેરે પૂજાઓ છે. કહેવાની મતલબ એ છે કે ઉત્તમ દ્રવ્ય મેળવીને તે વડે પ્રભુની દ્રવ્યપૂજા કરવી; જે મળે તે દ્રવ્યને ઉપયોગ કરે અને પ્રભુનું અનેક રીતે બહુમાન કરવું. અને ભાવપૂજા તે અનેક પ્રકારે કરવાની છે. પછી તેમાં જગજીવન જગ વાલા” જેવું ભાવવાહી સામાન્ય સ્તવન બોલે કે આનંદઘનની વીશીમાંથી કોઈ સુંદર સ્તવન કહીને ભાવ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન [૨૨૧ પૂજા કરે. દ્રવ્યપૂજાના અંગપૂજા અને અપૂજ એમ બે પ્રકાર પડી જાય છે. દ્રવ્યપૂજા તે ભાવપૂજાનું નિમિત્ત છે એટલે એ દષ્ટિએ એ કરવા યોગ્ય છે. ભાવપૂજા તે મનની એકાગ્રતા થાય, પ્રભુ ઉપર બરાબર ચિત્ત લાગે એ એને ઉદ્દેશ છે. દ્રવ્યપૂજા ભાવપૂજાનું નિમિત્ત બને તેટલા પૂરતે જ તેને ઉપગ છે. એટલા માટે સાધુઓ દ્રવ્યપૂજા નથી કરતા, પણ માત્ર ભાવપૂજા જ કરે છે. એ હેતુ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. આ ભાવપૂજા દુર્ભાગ્ય અને દુર્ગતિને નાશ કરનારી છે. દુર્ભાગ્ય એટલે ill luck-ખરાબ નસીબ. ભાવપૂજા આ બેટા નસીબને પણ સારા નસીબમાં ફેરવી શકે છે અને ખરાબ વખતને પણ સુધારી શકે છે. એટલા માટે ભાવપૂજા ખાસ કરવા યોગ્ય છે અને તેને માટે જ આ સર્વ ઉપદેશ છે, એટલું જ નહિ પણ નારકાદિ ખરાબ ગતિને પણ કાપી નાખે છે, દૂર કરે છે. નરક ગતિમાં તે આખે વખત ક્ષેત્રવેદના, અ ન્યકૃત વેદના અને પરમાધાર્મિકકૃત વેદના–એમ ત્રણ પ્રકારની વેદનાથી પ્રાણી રહેંસાઈ જાય છે, એટલે એને દુર્ગતિમાં ગણેલ છે. એ દતિને ભવિષ્ય માટે છેદનાર પણ આ ભાવપૂજા છે, તેટલા માટે પૂજાના ત્રણ પ્રકારો અત્રે બતાવ્યા. અંગપૂજા, અગ્રપૂજા એ બે પ્રકાર દ્રવ્યપૂજાના થયા અને ત્રીજો પ્રકાર ભાવપૂજાને છે તે ખૂબ આદરવા યોગ્ય છે; અને તે દુર્ભાગ્ય અને દુર્ગતિને છેદનાર હોવાથી ખાસ આદરણીય છે, એમ શાસ્ત્રાધારે આ ગાળામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હવે પૂજાના બીજા પ્રકારો આપણે જોઈએ. અહીં સુધી પૂજાના ત્રણ પ્રકાર થયાઃ અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા. (૬) તુરિય ભેદ પડિવત્તીપૂજા, ઉપશમ ખીણ સયોગી રે; ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવળભેગી રે. સુવિધિ. ૭ અર્થ_ો પ્રકાર તે પ્રતિપત્તિપૂજાને છે. તે પૂજા અગિયારમા ઉપશમ ગુણઠાણે. બારમાં ક્ષીણમેહ સ્થાનકે અને તેરમા સયાગી કેવળી ગુણસ્થાનકે થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એમ ચાર પ્રકારની પૂજા કેવળી–ભગવાને કહેલી છે. (૭) - ટબ એટલે અંગ, અગ્ર અને ભાવપૂજા દેખાડી થોથે ભેદ પ્રતિપત્તિપૂજા. તે પ્રતિપત્તિ શબ્દ ચરણ, સમાચરણ, સમાપત્તિ લક્ષણ જાણ. ઉપશમ ક્ષીણમાહ સગી ઈત્યાદિક ફલ" પાઠાંતર–ખીણ સ્થાને–પીણ પાઠ પ્રતમાં છે. “સોગી ” સ્થાને એક પ્રતમાં “સગા” પાઠ છે. માં વસેગી’ પાક છે. એક પ્રતમાં “સત્યાગી’ પાડે છે. ‘ભાખી’ સ્થાને ‘ભાપી’ પાઠ પ્રતમાં છે. (9) શબ્દાર્થ-તુરિય = ચા Fourth, ચતુર્થ, તુરીય. ભેદ = પ્રકાર, જતિને વ્યક્તભાવ. પડિવી = પ્રતિપત્તિ, પિતાનું અસલ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ, સ્વરૂપનું ભાન થાય તે ચોથા પ્રકારની પૂજને ભેદ, પૂજ = પૂજા, સેવાનો ચોથો પ્રકાર, ઉપશમ = ઉપશાંતમૂહ નામના અગિયારમે ગુણસ્થાનકે (જુઓ કમ ), ખીણ - ક્ષીણમોહ નામના બારમે ગુણસ્થાનકે (જુઓ કર્મગ્રંથ) સયોગી = કેવળીને મળે તે યોગીકેવળી નામનું તેરમાં ગુણસ્થાનક. ચઉહા = ચાર પ્રકારની. પુજા = પૂજનાં ચાર પ્રકાર. ઉત્તરઝયણે = ઉત્તરાધ્યયન નામના સૂત્રમાં (મળ સત્ર છે), ભાખી = કહી બતાવી. કેવળ -- કેવળજ્ઞાનીએ, જ્ઞાની મહારાજે; ભાગી = કેવળી, કેવળના ભોગ કરતાં, અનુભવ કરતાં (૭). Page #238 -------------------------------------------------------------------------- ________________ आप ૨૨૨] શ્રી આનંદઘન-ચોવીશી પ્રાપ્તિરૂપ તે પ્રતિપત્તિપૂજા ચોથી જાણવી. એમ ચાર પ્રકારની પૂજા ઉત્તરાધ્યયનમાં ભાખીકહી, કેવળજ્ઞાનીએ. અથવા પ્રતિપત્તિ તે અનાશાતના-વિનયરૂપ. તત્ર દોષાવિનયો યથા– आभुठ्ठाणं अंजलि आसणदाणं च अतिहिपूया य । लोगोवयार विणओ देवयपूया य विहवेणं ॥ ઇતિ ઉત્તરાધ્યયન વૃત્તિમાં. તથા अहओ वयारिओ पुण दुविहो विणओ समासओ होइ । पडिरूवजोगजुंजण तह य अणासायणाविणओ ॥१॥ पडिरूवो खलु विणओ, काइयजोगो य वाइमाणसिओ। अट्टचउठिवहदुविहो परुवणा तस्सि इमा होइ ॥२॥ ફુર રજૂ ઇતિ અધ્યાહાર છે. અથવા પ્રતિપત્તિ તે અનાશાતના કહી છે તે પણ અર્થ જાણવો, સહ. ઇતિ (૭) વિવેચન અને ભાવપૂજાને પ્રકાર એક પ્રતિપત્તિ પૂજા છે. એ દ્રવ્યપૂજાના બે ભેદ અંગપૂજા અને અગ્રપૂજા અને ચાલુ સ્તવનાદિકવાળી ભાવપૂજા એમ ત્રણ ભેદ ઉપરાંત આ થે ભાવપૂજાને ભેદ છે. એ રીતે સામાન્ય ભાવપૂજા અને આ પ્રતિપત્તિપૂજા એમ ભાવપૂજાના બે ભેદ થાય છે. પિતાના મૂળ સ્વભાવમાં આવવું અને વિભાવદશામાંથી પડી જવું એ પ્રતિપત્તિ પૂજાને ભાવ છે. તે ઉપશાંત મેહ, ક્ષીણમેહ અને સગી કેવળી નામના ૧૧ મા, ૧૨ માં અને ૧૩ મા ગુણસ્થાનકે ઉત્પન્ન થાય છે. એ ભાવપૂજામાં પ્રાણી પિતાની મૂળ દશામાં આવી જાય છે અને વિભાવદશામાંથી એને પાત થાય છે. આ ૧૧ મા, ૧૨ મા, ૧૩ માં ગુણસ્થાનકે થતી પ્રતિપત્તિપૂજા ચોથા પ્રકારની ભાવપૂજા છે તેથી પૂજાના ચાર પ્રકાર થયા ઃ (૧) દ્રવ્યપૂજા–અંગપૂજા, (૨) દ્રવ્યપૂજાને અંગે અગ્રપૂજા, (૩) ત્રીજી સામાન્ય ભાવપૂજા અને (૪) પ્રતિપત્તિ ભાવપૂજા. એટલે કુલ ચાર પ્રકારની પૂજાઓ કેવળજ્ઞાનીએ “ઉત્તરાધ્યયન” નામના સૂત્રમાં બતાવેલી છે. કેવળજ્ઞાનનો ઉપગ બતાવતી વખતે આ ચાર પ્રકારની પૂજા શ્રી ઉત્તરાધ્યયન નામના મૂળ સૂત્રમાં કેવળનાનીએ બતાવી છે. આ પ્રતિપત્તિપૂજામાં ચેતન પરભાવ-વિભાવદશા છોડીને એના જ્ઞાન-દર્શનચારિત્રમાં રમતારૂપ મૂળ ધર્મમાં–અસલ રૂપમાં આવે છે. એમાં સર્વ પર વસ્તુને પર તરીકે પ્રાણી જાણે છે અને સર્વ પ્રકારના મમત્વને ત્યાગ કરે છે. ત્યાં એને પ્રથમની બન્ને દ્રવ્યપૂજા કરવાનું રહેતું નથી, કારણ કે તે આત્માના મૂળ ગુણ જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરી આત્મસ્વરૂપમાં એકાગ્ર થઈ જાય છે અને એને દ્રવ્યપૂજા કરવાને કાંઈ પણ હેતુ હતું જ નથી. આ પ્રતિપત્તિપૂજા એ આદર્શ પૂજા છે, તે અંતે અગિયારમે, બારમે અને તેરમે ગુણસ્થાનકે ઉદયમાં આવે છે. આ પ્રકારે ઉત્તરાધ્યયન, નામના સૂત્રમાં કેવળજ્ઞાનીએ બતાવેલ ચારે પ્રકારની પૂજા આ ગાથામાં બતાવી. મનુષ્યજન્મ, આર્ય ક્ષેત્ર, કર્મભૂમિ, શરીરે નીરગતા, ધર્મશ્રવણની અનુકૂળતા, દેવગુરુની જોગવાઈ, ધર્મશ્રદ્ધા વગેરે અનુકૂળતા પામીને તેને જેટલું બને તેટલો લાભ લે. આ જીવ અનંતી વાર તે દર્શન કે પૂજાને લાભ મેળવી શક્યો નથી, પણ અત્યારે તેને લાભ મળે છે. તે સર્વ જોગવાઈને જેટલું બની શકે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન [૨૨૩ તેટલે લાભ લે. આવો અવસર પાછો ફરી ફરીને મળ અતિ મુશ્કેલ છે, તેથી નકામાં કામ મૂકી દઈ, આ આત્મિક કામો કરવાં. જે આવી રીતે પૂજાને લાભ લેશે તે પિતાની જિંદગી સફળ કરશે અને એની ઉત્તરેત્તર મંગળિકમાળા વિસ્તરશે. ચિદાનંદજી કહે છે કે “વાર અનંતી ચૂકીઆ ચેતન, ઈણ અવસર મત ચૂકે.” એવી વાત ન થાય તે ધ્યાનમાં રાખવું અને ભાવપૂજા કરવી અને દ્રવ્યપૂજા તે ભાવ નિમિત્ત છે એમ સમજી પિતાની ભવિષ્યન્ ગતિને સુધારી લેવી. (૭) ઈમ પૂજા બહભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, “આનંદઘન પદ ધરણી રે. સુવિધિ૦ ૮ અર્થ આ પ્રકારે પૂજાના ભેદો જાણીને સુખને આપનાર સુંદર કિયાઓ જે ભવ્ય કરશે, અમલમાં મૂકશે તે આનંદના સમૂહની ભૂમિકાએ જશે. (૮) ટઓ એ પ્રકારે પૂજાના ઘણા ભેદ સાંભળીને એહી જ નિર્ધાર જે વિધિસ્ય જિનપૂજા તે સુખદાયક અને શુભ કરણી કહેતાં અનુબંધે નિરવ કરણી એવા જે ભવિ પ્રાણી કરશે તે જ પ્રાણી પામશે એ નિઃસંદેહ જાણવું, પરમાનંદની ઘન ચિત્ત ધરણી-ભૂમિકા. તે જ વીતરાગની ભક્તિ છે. એ સુવિધિનાથને વિધિથી પૂજીએ, શા માટે? શીતળતા પામીએ તે માટે. એવી ભક્તિ કરતાં આત્મા પણ રાગદ્વેષરૂપ મલથી શીતળ થાય. તે ભણી શ્રી શીતળનાથ સ્વામીનું સ્તવન કહીએ છીએ. (૮) વિવેચન–છેવટે કહે છે કે આ પ્રકારે પૂજાના બહુ ભેદો જાણીને અને એ સુખ આપનાર સારી કિયા છે અને આત્માની પ્રગતિ વધારનાર છે, માટે તેને સાંભળીને–જાણને, જે પ્રાણીઓ એને આદરશે તે આનંદઘન ધરણી એટલે પરમાનંદ રથાન મેક્ષ, તેને પામશે અને ત્યાં અનંત કાળ લહેર કરશે. પૂજાની બાબતમાં ઘણી ગેરસમજૂતી ચાલે છે તે આ સ્તવનથી દૂર કરી દેવા જેવી છે અને પૂજાના અનેક ભેદો જાણીને આ મોક્ષ મેળવવાને માર્ગ આદરવા ગ્ય છે. આ પ્રાણીઓ અનેક વખત મળેલી તકે ગુમાવી છે. આ અવસરે વિભાવદશામાં ન પડતાં આ ભાવપૂજાના કામમાં પડી જઈ પિતાના ભવિષ્યન્ ભવોને સુધારી લેવા જેવું છે. નહિ તે અને તે કાળ જેમ ગમે તેમ આ અવસર પણ ચાલ્યા જશે અને જીવનને અંતે કાંઈ લાભ નહિ મળે અને ખાલી હાથે જેવા આવ્યા તેવા ચાલ્યા ગયા જેવું થશે. મોડે મોડે પસ્તા થાય. પાઠાંતર–સુણીને સ્થાને “સુણીનૈ” એ પાઠ છે. “લેશે” સ્થાને એક પ્રતમાં “લહસ્થે' પાઠ છે: બીજી પ્રતમાં “લહસ્ય” પાઠ છે. ભીમસી માણેકની આવૃત્તિ “લેસેછાપે છે. પદો ગોટાળે ચઢયાં છે (એક પ્રતમાં). “ભવિક' સ્થાને “ભાવિક” ભીમસી માણેક છાપે છે. (૮) | શબ્દાર્થ–ઈમ = એ પ્રકારે, એ રીતે, સદરહુ જણાવ્યા પ્રમાણે. પૂજા = સેવાના, પૂજનના બહુ = ઘણા પ્રકાર છે, અનેક રીતે-ભેદે પૂજા થાય છે. ભેદ = પ્રકાર. સુણીને = સાંભળીને. સુખદાયક = સુખ આપનાર, પરિણામે લાભ કરી આપનાર. શુભ = મજાની, સુંદર, કરણી = કિયા. ભવિક = ભવ્ય, મેક્ષમાં જવાની લાયકાતવાળા. જીવ = પ્રાણી, સંસારી કરશે = એને અમલમાં, ગતિમાં, ક્રિયામાં મૂકશે. લેશે = મેળવશે. પહોંચશે. આનંદધન = આનંદને સમૂહ, આનંદના થર, ધરણી = વાળી પૃથ્વી, જગા. (૮) Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] શ્રી આન’દ્રુઘન-ચાવીશી શરીર શિથિલ થઇ ગયા પછી સમજણ આવે તે કાંઇ બહુ કામની નથી. જો આ ક્રિયાને શુભ તરીકે મનાય અને કેવળજ્ઞાનીએ એને અનંત સુખ અપાવનાર છે એમ કહ્યું છે તે વાતની ખાતરી હાય, તે તેને કરવા યાગ્ય જાણી કરવી અને આચરીને પરમાનંદ ભાવમાં વિલાસ કરવે; અને નહિં તે જન્મમરણના ચાલુ રગડામાં પડથા રહેવું અને જેવા આવ્યા છીએ તેમ ચાલ્યા જવું. આવી તક ફરી ફરીને નિહ મળે, એમ સમજવું અને સમજીને મળેલ તકના સદુપયોગ કરવેા. બાકી તો આ જીવનની ખટપટો એટલી છે કે એને પાર જ ન પમાય. માટે એ સ પર વિજય મેળવવા હાય તેા પૂજા કરવી અને ભાવપૂજાને બરાબર કરવી. એમ કરતાં જ્યારે પ્રતિપત્તિ ભાવપૂજા કરવાનો વખત આવશે ત્યારે બધું સમજાઇ જશે. તે વખતે કાંઈ અભ્યાસ કરવા જવું નહિ પડે. આ જીવન ફગાળી દેવા યેાગ્ય નથી અને જીવન તા એવુ છે કે, પાંચ પ્રકારની ઉપાધિને નિકાલ આવે, ત્યાં બીજી પંદર પ્રકારની ઉપાધિઓ ઊભી થાય. માટે શું જોઇને આમ રફથી ચાલવુ' અને પેતાને આત્મવિશ્વાસ ન રાખવે ? આ સગાંસંબધીએ અંતે થાડા વખત માટેનાં છે. તેથી પેાતાના વિકાસ કરવાની આ મળેલી તક ગુમાવવી નહિં અને અંતે આનંદની ભૂમિકા પ્રાપ્ત કરવાનો વિચાર કાયમ રાખવે. તે કાંઈ આમ ગેટા વાળે ન મળી શકે. મન-વચન-કાયાની એકતા થાય ત્યારે જ એ આનંદઘનની ભૂમિકા મળે અને તે મેળવવા માટે ચાલુ પ્રયત્ન કરવા પડે. આ વાત જો મન પર રહેશે, તો રસ્તો ખુલ્લા છે અને કોઇ તેમાં અડચણ કરે તેમ નથી. માટે આ મળેલ તક ન ગુમાવવા નિશ્ચય કરવા અને આનંદની ભૂમિકાએ પહોંચવું અથવા તે માટે જાગતા રહેવું : આવે આ ગાથાના ભાવ છે. (૮) ઉપસ’હાર આ રીતે પૂજાના અનેક ભેદો સમજાવનાર આ સ્તવન પૂર્ણ થયું. આનંદઘનજીએ એમાં કમાલ કરી છે અને તદ્ન રસ વગરના વિષયને રસવાળો બનાવ્યા છે. પ્રથમ તે આપણે દ્રવ્યપૂજાનું હિત માત્ર નિમિત્ત જ છે તે ધ્યાનમાં લઇએ. ‘દ્રવ્ય તે ભાવ નિમિત્ત' આ સદૈવ જાગતો સિદ્ધાંત છે અને તેથી દ્રવ્યપૂજામાં આપણે કદી ઇતિકતવ્યતા ન સમજીએ. એનાથી પુણ્યબંધ જરૂર થાય, પણ પુણ્યને પણ સાનાની બેડી કહી છે; એટલે એમાં સેાના ઉપર ભાર નથી, પણ એડી ઉપર ભાર છે, એ સદૈવ લક્ષ્યમાં રાખવું. અને ગમે તે અષ્ટપ્રકારી કે અષ્ટોત્તરશતપ્રકારી કે બીજી ગમે તેટલા પ્રકારવાળી પૂજા કરીએ, તે સર્વ ભાવપૂજાનું નિમિત્ત છે, એમ ન સમજીએ તે પુણ્યંધ ા થાય, પણ એ સેનાની ખેડી આપણને સ’સારમાં રાખે અને આપણી જે આકાંક્ષા મોક્ષપ્રાપ્તિ માટેની છે, તે તે મનની મનમાં જ રહી જાય. પૂજાને અસલ આ ઉદ્દેશ નથી. અલબત્ત, ચા યા ક્રિયા સા સા જીવતી એટલે ફળ તો જરૂર મળે, કોઈ ક્રિયા નકામી જતી નથી, પણ તે સંસાર વધારનાર ફળ છે : આ વાત નિરંતર ધ્યાનમાં રાખવી. ભાવપૂજાના બે પ્રકાર બતાવ્યા : એક સામાન્ય પૂજા અને બીજી પ્રતિપત્તિ પૂજા. એમાં પ્રતિપત્તિ પૂજા તે અગિયારમે, ખારમે અને તેરમે ગુણસ્થાનકે થાય છે, તેની વાત તે આ કાળમાં કાંઇ થવાની નથી પણ ભાવપૂજા ઘણી મહત્ત્વની છે અને દ્રવ્યપૂજા એ માટે કરવાની હોવાથી તેની Page #241 -------------------------------------------------------------------------- ________________ ૯ : શ્રી સુવિધિનાથ જિન સ્તવન [૨૨૫ પણ મહત્તા છે. માટે ભાવપૂજા તે સારી રીતે કરવી અને તેમાં મન-વચન-કાયાની એકતા લાવવી. પૂજા કરતી વખતે મને ગમે ત્યાં દોડે, તે પાલવે નહિ. પણ આ સંબંધમાં આગળ ઉપર વિચાર કરવાનું છે તે વાત તે વખત માટે મુલતવી રાખી, હાલ તે એટલું જ જણાવવાનું કે મન-વચન-કાયાની એકતા કરવી અને એકાગ્ર ધ્યાને પ્રભુની સેવા કરવી. ભાવપૂજાની બલિ હારી છે અને તે જેને મન-વચન-કાયાની એકત્વતાએ મળે તેનાં અહેભાગ્ય છે. આવાં અહોભાગ્ય પ્રાપ્ત કરવાને આપણે પ્રયાસ છે અને તેમાં સફળતા મેળવવી એ આપણું કર્તવ્ય છે. બાકી, ખાલી દ્રવ્યપૂજા કરવી અને ભાવપૂજા ઉપરોક્ત પ્રકારે કાંઈ ન કરવી તેમાં તે દ્રવ્યપૂજાને ઉદ્દેશ આખો માર્યો જાય છે. તમે અષ્ટોત્તરી સ્નાત્ર જેવી ઉત્તમ દ્રવ્યકિયા કર્યા પછી, ભાવપૂજા ન કરે તે તમને ખરેખર લાભ ન થાય—એવું વિચારી દ્રવ્યપૂજાને હેતુ બરાબર સમજી ભાવપૂજા અંતઃકરણથી કરવી. તે કરતી વખતે તમને જે આનંદ થશે તે પારાવાર છે, અકથ્ય છે અને સર્વને અંત્યત લાભકારી છે. એમાં પૂજા કરનારની વર્તમાન સ્થિતિ ન જેવી, પણ એ ભવિષ્ય માટે કે સારો સંચય કરે છે તે પર લક્ષ્ય રાખવું અને આ રીતે મંગલિકમાળા વિસ્તારી, આ જીવન મળ્યાને પૂરતો લાભ ઊઠાવે. આ અવસર ફરી ફરીને મળ નથી. આનંદ એ બજારુ ચીજ નથી, એથી અંદરથી પ્રેમ જાગે અને આનંદનું આખું વાતાવરણ ઊભું થાય, તેમ કામ લેવું જોઈએ. એ પ્રમાણે જે કરશે તે આ મનખાદેહને સફળ કરી આત્મિક શ્રેયને માર્ગે ચઢશે. એ પૂજા પુણ્ય કરાવનારી છે, એ ખ્યાલથી કરવાની નથી, પણ તે કર્મની નિર્જરા કરનાર છે, એ દુઃખ અને દુર્ભાગ્યને ઓછા કરનારી છે એમ સમજીને કરવાની છે. પુણ્ય તે, અગાઉ જણાવ્યું તેમ, સેનાની બેડી છે, અને ભલે તે સેનાની બેડી હોય પણ અંતે તે બેડી છે, એ નજરે પૂજા કરવી અને દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા ઉપર વધારે ધ્યાન આપવું. હવે પ્રભુ સંબંધી વધારે વિચાર કરતાં તે કેવા છે, કોણ છે, તે સમજવાનું છે. આપણા આદર્શને આપણે સારી રીતે જાણતા હોઈએ તે તે પછી તેને આદર્શ તરીકે સ્વીકારવાનું મન થાય છે. એટલા માટે પ્રભુમાં રહેલી ત્રિભંગીઓ સ્તવનમાં વર્ણવે છે. (૯) જાન્યુઆરી : ૧૯૫૦ ]. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી શીતળનાથ જિન સ્તવન સબધ—આપણે શ્રી જિનેશ્વરદેવને આદશ તરીકે રાખવા અને આપણા સ વ્યવહાર એ આદશ પ્રમાણે રાખવા. એ વાત તે ઠીક છે, પણ કોઈ પણ વ્યક્તિને આદર્શ તરીકે રાખવા સાથે તે કેવા છે તેની ખરાબર એળખાણુ કરવી જોઇએ; કારણ કે આદશને ખરાખર એળખ્યા વગર તેની પૂજા કરવા મંડી જઈએ તે, ખરાખર અણીને વખતે એ આદર્શોને છેડી દઈ, ખીજી ભળતી વ્યક્તિ જ આદર્શ તરીકે લેવાના પ્રસ`ગ આવી પડે. એટલે આદર્શ વ્યક્તિને આદર્શ તરીકે સ્વીકારવા માટે એ જિનેશ્વરદેવ કેવા છે તે ખરાખર ધ્યાનમાં લેવું જોઇએ. એટલે પછી એક વાતને સ્વીકાર કર્યા પછી તેને મૂકી દેવાના પ્રસંગ ન આવે. એવી કફોડી સ્થિતિમાંથી બચી જવા માટે આદર્શની પિછાણુ આ સ્તવનમાં આપવામાં આવી છે તે વાત બહુ યેાગ્ય છે. તેથી તીથ કરદેવ અનેક રીતે આ આદશ તરીકે સ્વીકાય છે, એ બતાવવા તેઓએ અનેક રીતે આશ્ચય કારી કામેા કર્યા છે તે ઠસાવવા અનેક ત્રિભ'ગી તેએ અનુસર્યા છે તે આ સ્તવનામાં બતાવે છે. એ સર્વ વિસ્તાર સ્તવનમાં કરવામાં આવ્યા છે તે સમજી પછી તે ભગવાનને આપણા આદર્શ તરીકે સ્વીકારવા અને આદર્શ`ને પછી નિમકહલાલ ( faithful) રહેવું અને તેમ કરીને આપણી જીવનયાત્રા સફળ કરવી. ઘણા માણસા કાં તે આદશ સ્વીકારતા નથી અથવા પ્રસગ આવી પડે ત્યારે આદશને મૂકી દે છે. આ બન્ને વાત અયેાગ્ય છે. સારા માણસ તે આદને સમજીને સ્વીકાર્યા પછી, ગમે તેવા સયાગેામાં, આશને છેડતા જ નથી અને તે ચીવટના તેને અંતે બદલે મળે છે. આ આદ` ન છેડવાની ચીવટને પૂરેપૂરો ન્યાય મળે તે સારુ અત્ર આદર્શનું આળખાણુ કરવામાં આવેલ છે. આ સ્તવનમાં પ્રથમ દૃષ્ટિએ વિચિત્ર લાગતી અનેક ત્રિભ’ગીએ બતાવવામાં આવી છે તે પ્રભુને લાગુ પડતી છે, તે આપણે તેમના જીવનથી જાણીએ છીએ; એટલે આદશ નક્કી કરવા પહેલાં અને પૂજા કરવા પહેલાં આ આદશ સ્થાને રાખવા યાગ્ય છે કે નહિ તેને નિર્ણય કરવામાં આ અતિ ઉપયાગી સ્તવનના એકેએક અક્ષર પર આપણે વિચાર કરીએ, અને પછી, આપણને બેસે તે, આદશ મુકરર કરવાનું કામ આપણે હાથ ધરીએ. સ્તવન (રાગ ધન્યાશ્રી ગેડી; ગુગૃહ વિશાલા માંગલિકમાલા –એ દેશી.) શીતળ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન માહે રે; કરુણા કામળતા તીક્ષણતા, ઉદાસીનતા સાહે રે. શીતળ ૧ પાઠાંતર—એક પ્રતમાં મલતા પછી ૧ અને તીક્ષણતા પછી ૨ છે. એક પ્રતમાં ‘વિવિધ સંગી મનમાહી રે' એવા પાડે છે, ‘ત્રિભ’ગી’ સ્થાને એક પ્રતમાં ‘ ત્રીભ’ગી ’ પા છે, ‘ તીક્ષણતા ’ સ્થાને એક પ્રતમાં Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૦: શ્રી શીતળનાથ જિન સ્તવન [૨૨૭ અર્થ–શીતળનાથ નામના તીર્થકરની સરસ ત્રિભંગીઓ તેમ જ અનેક ભંગીઓ મનને આકર્ષણ કરે છે. કરુણા, કમળતા અને સાથે તીક્ષ્ણતા સાથે ઉદાસીનતા–એ ત્રિભંગી શોભે છે. (૧) ટબો-જ્ઞાનવિમળસૂરિન ટબ નીચે પ્રમાણે છે (ફેરફાર સાથે) –: હે શ્રી શીતળ જિન! સામાન્ય કેવળીના સ્વામી ! તમારી ત્રિભંગી-ત્રિપદી તે લલિત છે. સુખાધે પામીએ. વિવિધ –અનેક પ્રકારે ભંગી-રચનાએ કરી ભલી પ્રાણીનાં મન મેહે છે, મન હરે છે. કરુણા તે કમળતા-અહિંસકભાવ, ૧. તીક્ષણતા તે ક્રૂરતા ૨. ઉદાસીનતા તે બન્ને સર્વ અનેરે ધર્મ શોભીએ. (૧) વિવેચન–હવે આપણે આપણા આદર્શને બરાબર ઓળખવા પ્રયત્ન કરીએ. એમાં ભારે નવાઈની વાત એ છે કે તેમાં ઉઘાડી રીતે વિચિત્ર દેખાય, પણ વિચાર કરતાં ઘડ બેસી જાય એવી અનેક ત્રિભંગીઓ દેખાઈ આવે છે. ઉઘાડી રીતે આ વિરોધ દેખાય તેવી વાત છે, પણ તે આભાસ માત્ર જ છે અને વધુ વિચાર કરતાં તે સમજાઈ જશે. આ ત્રિભંગી એક સ્થાને એકીવખતે શ્રી તીર્થકરમાં–જિનેશ્વરમાં રહેલ છે, તે ભારે નવાઈની વાત છે, પણ તે એકીસાથે લભ્ય થઈ શકે છે, તે હકીકત છે. આપણે પ્રથમ તે એક એવી સુંદર ત્રિભંગીને વિચાર કરીએ અને એવી એકબીજાની વિરુદ્ધ જાય તેવી દેખાતી હોય તે ખરેખર ભગવાનમાં લભ્ય છે એમ જાણી એ પ્રભુને આપણે પોતાના આદર્શ સ્થાને સ્થાપીએ. એ ત્રિભંગીઓ બહુ સુંદર છે, આકર્ષક છે અને મનને પ્રભુ તરફ આકર્ષણ કરે તેવી છે. પ્રથમ ત્રિભંગી તે ૧. કરુણા, ૨. તીક્ષ્ણતા અને ૩. ઉદાસીનતા છે. આનું સ્વરૂપ તમે જાણશે ત્યારે ઉઘાડી રીતે તમને આશ્ચર્ય લાગશે કે એકબીજાની વિરુદ્ધ જાય તેવી આવી ત્રણ વાત એક સ્થાને કેવી રીતે હોઈ શકે ? અહીં ગુરુગમને અને ભગવાનના ચરિત્રને વિગતવાર જાણવાની જરૂર છે. તમે જરા ધીરજ રાખી સમજવા પ્રયત્ન કરે. આ પ્રથમ ત્રિભંગી તમને વિચિત્ર લાગશે, પણ સ્તવનકર્તા શ્રીમદ્ આનંદઘનજીએ જ તેને ખુલાસો કર્યો છે તેથી તમારા જાણવામાં આવશે કે, એ ત્રિભંગી પ્રભુમાં એકીસાથે હેવી શક્ય છે. કરુણા સાથે તીક્ષ્ણતા હોવી અને સાથે ઉદાસીનતા હોવી, તે તમને પ્રથમ નજરે વિચિત્ર અને અણઘટતી વાત લાગશે, પણ એ તુરત તીક્ષા' એવો પાઠ છે “હે રે’ સ્થાને “સહિરે' એવો પાઠ છે; અર્થ ફરતો નથી. પ્રતમાં ૧ અને ૨ ઉપર પ્રમાણે લખેલ છે. એક પ્રતમાં ઉદાસીનતા આગળ ૩-તગડે છે. વિવિધ” સ્થાને એક પ્રતમાં “વીવીધ’ પાઠ છે. (૧) | શબ્દાર્થ–શીતલ = દશમાં તીર્થપતિ શ્રી શીતળનાથ મહારાજની. લલિત = સુંદર, મજાની, સરસ. ત્રિભંગી = જેના ત્રણ ભંગ-ભાંગા થાય છે તે. વિવિધ = પૃથક પૃથફ. ભંગી = ભાંગાઓ, વિભાગે, મન = ચિત્તને, મનને. મોહે રે = આકર્ષણ કરે છે, પ્રેમમાં નાખે છે. કરુણ = યા, સહાનુભૂતિ. કમળતા = તે જ કરુણા, તે જ કોમળતા = અહિંસારૂપ કમળતા. તીક્ષણતા = ખડબચડાપણું, આકરાશ. ઉદાસીનતા = નિલેપભાવ, અંદર જઈ ને ઈરાદાપૂર્વક લેપાઈ જવું તે. સોહે રે – સારી લાગે છે. (૧) Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] શ્રી આનંદઘન-ચાવીશી વિચારમાં ઊતરી જાય તેવી સહેલી, આકર્ષક અને સાચી વાત છે તે તમે આવતી ગાથામાં સ્તવનકર્તાને શબ્દોમાં જ જેશે. વિરુદ્ધ દેખાતી વાત પણ વિચાર કરતાં અકકલમાં ઊતરે છે. એટલા માટે તમે અમારી સાથે સહાનુભૂતિથી થોડો વિચાર કરે એટલે તમારી નજરમાં એ દેખીતા વિધવાળી વાત પણ બેસી જશે અને તમે પ્રભુને આદર્શ સ્થાને સ્થાપવાના તમારા વિચારમાં મક્કમ થશે. પરમાત્માની અપરંપાર દયા આગળ આ ત્રિભંગી એકીસાથે પ્રભુમાં ઘટે તેવી છે. તમે કઈ પણ પ્રભુનું ચરિત્ર જુઓ, તે તેમાં તમને દેખાઈ આવે તેવી છે. અને પ્રભુ પ્રત્યે તમને તેથી જરૂર આકર્ષણ થાય તેવી તે ચીજ છે. હવે તમે ધીરજ ધરીને આ ત્રણે વિરુદ્ધ લાગતી બાબતે પ્રભુમાં કેવી રીતે એકીસાથે છે તે સમજે. અને પછી તમને આ વાત દીવા જેવી લાગશે. (૧) સર્વ જંતુ હિતકરણ કરુણ, કર્મવિદારણ તીક્ષણ રે; હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શીતળ૦ ૨ અથ–સર્વ પ્રાણીઓના હિતની કરનારી કરુણા, અને કર્મોને કાપી નાખવાને સમર્થ તીકણુતા અને ત્યાગ અને ગ્રહણ કરવાથી રહિતપણું તથા તેમાં તન્મય થવાપણું એ ત્રિભંગીને જેવી, સમજવી. (૨) ટબો—એ ત્રિભંગી સલ્લક્ષણ વિવિધ રીતે કહે છે. સફળ જંતુ ત્રાસ-સ્થાવર જીવ–ને હિતચિંતનરૂપ તે કરુણા. અને સ્વકમ વિદારવા વિષે તીણા સમૂલકાષ કરીએ છેદવારૂપ પ્રકૃતિ ૨. અને હાનિ કહેતાં છાંડવું, આ દાન કહેતાં લેવું; ઈષ્ટ અનિષ્ટ વસ્તુમાં સમપરિણામે વર્તવું તે ઉદાસીનતા. વીક્ષણ કહેતાં દેખીએ છીએ. (૨) વિવેચન-હવે એ ત્રિભંગી પ્રભુમાં એક સ્થાને કેમ છાજે ? કેમ રહી શકે?—તે સ્પષ્ટ કરતાં સવાલ ઉપજાવે છે. પ્રથમ આ ત્રિભંગીને આપણે બરાબર સમજી લઈએ, કારણ કે સ્વરૂપ સમજવા પહેલાં જે નિર્ણય કરી બેસીએ તે આપણે પણ મૂખ-અણસમજમાં ગણાઈએ. આપણે “અધ્યાત્મકલ્પદ્રુમની શરૂઆતના પહેલા પ્રસ્તાવમાં જોયું છે કે “પરદુઃખ છેદન ઈચ્છા પાઠાંતર–કરુણ” સ્થાને એક લખનાર પ્રતમાં “ કરતા” પાઠ મૂકે છે. અને ‘કરણી” સ્થાને એ જ પ્રતમાં “ કરણિ” એવો પાઠ છે. “હાનાદાન” સ્થાને એક પ્રતમાં “દાનીદાન” એવો પાઠ છે “પરિણામી” સ્થાને એક પ્રતમાં “પરિણમૈ ' એવો પાઠ છે. “વીક્ષણ રે’ સ્થાને એક પ્રતમાં ‘વિઘણા રે' એ પાઠ આપે છે. કરુણા અને તીક્ષણ પાસે એક પ્રત લખનાર ૧ અને ર મૂકે છે (૨) શાથ–સર્વ = સમસ્ત, કુલ. જંતુ = જીવ, પ્રાણી. હિત = લાભ, નફાકારક, કરણી = કરનારી કરવું છે. કરણી = દયા, સહાનુભૂતિ. કમ = બંધાય તે કમ ( પારિભાષિક ), વિદારણ = કાપી નાખવા માટે, દૂર કરવા માટે. તીર્ણ = અણીદાર, પાણીદાર, તીક્ષ્ણતા. હાનાદાન = તજવું અને લેવું, ગાગ અને લેવું તે. રહિત = વગરની. પરિણામી = તન્મય થઈ જવું તે, તે-મય થઈ જનાર. ઉદાસીનતા = બેદરકારી, તે તરફ નિલક્ષ્યપણું. વીક્ષણ = જેવું, દેખવું, સમજવું. (૨) Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : શ્રી શીતળનાથ જિન સ્તવન [૨૯ કરુણા એટણે મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્ય ભાવના પૈકી પારકાનાં દુઃખને છેદ કરો એ કરણાભાવના છે, પારકાને દુઃખી થતાં જઈને એની પર દયા રાખવી તે કરણાભાવના અને શરૂઆતના પંદરમાં કલેકમાં કહે છે : જે તદ્દન ગરીબ બિચારા હોય, વ્યાધિ કે બીજાથી પીડાતા હોય, જે ભયગ્રસ્ત હોય, તેનાં દુઃખ દૂર કરવાની બુદ્ધિ રાખવી તે કરુણાભાવના છે. હવે આપણે કોઈ પણ તીર્થકરનું ચરિત્ર જોઈએ, તેમાં દુનિયાદારીના સંસારી પ્રાણીઓને પેટ માટે પ્રયાસ કરતાં અને સાચું-જૂઠું બેલતા તથા પારકાની નિંદામાં પડેલા જોઈએ. અને તેના તરફ એ દુઃખમાંથી એમને બચાવી લેવાની બુદ્ધિ પ્રભુમાં ઝળહળતી જોવામાં આવે છે. તેઓ તે બની શકે તેટલા માણસને બચાવી લેવાની ભાવનાથી રંગાયેલા હોય છે. સવી જીવ કરૂં શાસન રસી એસી ભાવદયા મન ઉલ્લસી” એવી રીતે સર્વ ને શાસનના રસિયા કરવાની અને આ દુનિયાની અનેક આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી બચાવી લેવાની તેમની ભાવના જણાઈ આવશે. આવી અનેક જીવને દુઃખ-દર્દમાંથી બચાવી લેવાની ભાવના-ઇચ્છા તે કરણ છે. અને તે પ્રભુમાં ભરપૂર હોય છે, અથવા પ્રભુ આ ભાવનાને પરિણામે જ પ્રભુ થાય છે તેથી આ ત્રિભંગી પૈકી પ્રથમ કરુણા પ્રભુમાં સંભવે છે. આ ભાવના એટલી બધી જાણીતી છે કે તે પર વધારે વિવેચન કરવાની જરૂર ન જ પડે. હવે એ ત્રિભંગી પૈકી બીજા “તીક્ષ્ણતા ભાંગાને જોઈએ. જ્યારે ભગવાન કર્મને ક્ષય કરવા માંડે છે ત્યારે તે ઘણું ક્રૂર અને એટલા બધા અણીદાર હોય છે કે અનેક રીતે તેઓ કર્મના ચૂરેચૂરા વગર દયા કરી નાખે છે. એમને કર્મો ઉપર દયા નથી આવતી કે એ બિચારા કયાં જશે કે એનું શું થશે? જે વખતે આ કરુણાભાવ હોય તે જ વખતે કર્મના સમૂહને કાપી નાખવાની તેઓની અણીદારપણાની સ્થિતિ જોવામાં આવે છે. આ રીતે પ્રભુમાં કરણા અને તીક્ષ્ણતા એકીવખતે જોઈ આપણને નવાઈ લાગે છે. એમાં દેખીતે વિરોધ વિચાર કરવાથી ટળે છે, કારણ કે કરુણા કરવા યોગ્ય પ્રાણી અને કર્મ તદ્દન જુદાં છે, તે રીતે વિરોધ દૂર થાય છે. એ ત્રિભંગીમાં ત્રીજી ઉદાસીનતા આવે છે. એટલે અમુક વસ્તુનું હાન કરવું એટલે તજી દેવી અને અમુક વસ્તુનું આદાન કરવું એટલે અમુકને પકડી લેવી, એવી ઈચ્છાને પ્રભુને ત્યાગ હોય છે. આ વસ્તુ વહાલી છે અને પેલી વસ્તુ રાખવા યોગ્ય છે એવી વૃત્તિ પ્રભુને હોતી નથી, અને તે સર્વ વસ્તુ સરખી છે, કારણ કે તેઓ આત્મજ્ઞાનને પામ્યા છે. એ હાનાદાન રહિત પરિણામ જેના થયા છે એનું નામ ઉદાસીનતા છે. પિતાને ઈષ્ટ વસ્તુ લેવી અને અનિષ્ટ વસ્તુને ત્યાગ કરે–એવી મારાતારાપણાની બુદ્ધિ ભગવાનને હોતી નથી. એને તે સર્વ વસ્તુ સરખી છે. એમને તજવાનું અને લેવાનું હોતું નથી; એનું નામ ઉદાસીનતા-બેદરકારી છે. તે કરણ અને તીક્ષ્ણતા સાથે એકીવખતે કેમ સંભવે?—એવી ઉપલક દષ્ટિએ આશંકા થાય છે. શિષ્યને પ્રશ્ન થયે અને સ્તવનકર્તા તેને જવાબ પોતે જ આપે તે રીત જ્ઞાન પ્રાપ્ત કરવાની છે. અત્રે ઊઠાવેલ સવાલ જવાબ સ્તવનકર્તા પિતે જ આવતી બે ગાથામાં આપશે, આ દેખીતે વિરોધ મનમાંથી દૂર કરી પ્રભુમાં એ ત્રણે વસ્તુઓ-કરુણા, તીણતા અને ઉદાસીનતા Page #246 -------------------------------------------------------------------------- ________________ ર૩૦] શ્રી આનંદઘન-વીશી –એકીસાથે રહી શકે છે એ સંભવિતતાને બરાબર ખ્યાલ કરી પ્રભુને આદર્શ સ્થાને આપણે મુકરર કરીએ, એ સવાલને જવાબ આપવામાં હેતુ છે. “ઉદાસીનતા વીક્ષણ રે' એટલે ઉદાસીનતાને જેવી. ત્રણે ચીને એક સ્થાને હોઈ શકે તેમ જવું કે સમજવું. એ કેમ હોઈ શકે તે આપણે સમજવા પ્રયત્ન કરીએ. (૨) પરદુ:ખ છેદન ઇચ્છા કરુણા, તીક્ષણ પરદુ:ખ રીઝે રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શીતળ૦ ૩ અર્થ–પારકાંનાં દુઃખને દૂર કરવાની જે મરજી, હસ, ઇચ્છા તે; એમાં કરુણા છે. અને બીજો પ્રકાર જે તીણતા નામને છે તે બીજાને દુઃખમાં દાખલ થતાં જોઈને રાજી થાય છે. એ કરુણા અને તીણતા બનેથી તદ્દન ઔર જ પ્રકારની ઉદાસીનતા. એ ત્રણે એક સ્થાને કેવી રીતે રહી શકે ? એક જ માણસમાં એ એકીસાથે કેમ સંભવે ? (૩) ટબે-વળી ભંગ્યુંતરે ત્રિભંગી દેખાડે છે. પરનાં દુઃખ છેદવાની ઇચ્છા તેને કરુણા કહીએ. તીષણ તે પરદુઃખ દેખીને રીઝવું. ઉદાસીનતા તે બેહથી વિલક્ષણ ભાવે, જે માટે કરુણા છે, પણ ઇચ્છા નથી, તે ક્ષણે કર્મવિપાક દેખવું છે પણ રીઝ નથી, તે એક ઠામે ભેળી કેમ રહે? તે માટે બન્નેને વિલક્ષણ ધર્મ અને એને એકઠી એમ કરતાં વિરોધ થાય. હવે એક ઠામે તમારે વિષે બનેને દેખીએ છીએ. (૩) - વિવેચન-આપણે ઉપર જોઈ ગયા કે પરને દુઃખી થતાં જોઈ તેઓનાં દુખે કેમ દૂર થાય એવી ઈચ્છા રાખવી તે કરુણું છે. આ કરુણા ભાવના આપણે “અધ્યાત્મકલ્પદ્રુમ” ગ્રંથમાં જોઈ ગયા છીએ કે પારકાનાં દુઃખને જોઈને તેને દૂર કરવાની અને અન્યને કોઈ પણ પ્રકારનાં દરખો ન હોય તેમ જોવાની ઈચ્છા થાય છે. એ તે પારકાને દુઃખી થતાં દેખીને એ દુઃખમાંથી એને હમેશને માટે કેમ છોડાવવાં તેની ઇચ્છા જ રાખ્યા કરે. આવી પારકાને-કોઈ પણ પ્રાણીને દુઃખમાંથી છોડાવવાની ઈચ્છા તે ખરેખરી કરુણા છે. કરુણાનું લક્ષણ જ એ છે અને તે ભગવાનમાં હોય છે. હવે આવી કરુણ સાથે ભગવંતમાં પારકું દુઃખ જોઈને રીઝવું, આનંદ પામો, રાજી થવાપણું હોય છે. પુદ્ગલેને દુઃખ પામતાં જોઈ ભગવાન રાજી થાય છે. પુગલના સંયોગથી પુદ્ગલને દુઃખ થતું જોઈ અથવા પુદ્ગલ ભગવાનને છોડી જાય ત્યારે તેને પાઠાંતર–દુ:ખ સ્થાને એક પ્રતમાં દુખ” પાઠ લખ્યો છે. ‘એક ઠામે સ્થાને એક પ્રતમાં એક હામિ’ પાઠ છે. “કેમ” સ્થાને એક પ્રતમાં ‘કીમ’ પાઠ આપે છે. (૩) | શબ્દાર્થ–પર = પારકાનાં, બીજાં, અનેરાં. દુઃખ = પીડા, ઉપાધિ, હેરાનગતિ. (તેને) છેદન = ઓછાં કરવાં, કાપી નાખવાં, દૂર કરવાં. ઈચ્છા = મરજી, હાંસ, મનથી કરવાની વાત-(તે જ) કરુણા = દયા. તીક્ષ્ણ = તીક્ષ્ણતા, અણીદાર પણું. પરદુઃખ = અન્ય પ્રાણીની પીડા, અન્યની ઉપાધિથી. રીઝે ર = રાજી થાય, મજામાં આવી જાય, ઉદાસીનતા = બેદરકારી ઉભય = બનેથી, ઉપર કહેલા બન્નેથી. વિલક્ષણ = પૃથક પ્રકારની, જુદી જાતની. એક ઠામે = એક સ્થાનકે, એક જગાએ. કેમ = કેવી રીતે, શી રીતે સીઝે = હોઈ શકે, સંભવી શકે, રહી શકે. (૩). Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : શ્રી શીતળનાથ જિન સ્તવન [ ૨૩૧ થતાં દુ:ખને જોઈને રાજી થવું એ કરુણા સાથે પ્રભુમાં એ જ વખતે હોય છે. જડ પુદ્ગળના દુઃખે એ રાજી થાય. પ્રભુને પુગળાને દુઃખ આપવામાં મજા આવે છે અને તે તેમાં રાજી થાય છે. તેએ ઇંદ્રિયના દમનમાં અને પુદ્ગળાને દમવામાં રસ લે છે અને ખુશી થઈ તે વખતે અણીવાળા શસ્રની પેઠે તેને વધારે વધારે દખાવે છે. આ રીતે ભગવાનમાં જીવ ઉપર કરુણા અને પુદ્ગળો તરફ પાણીદાર તીક્ષ્ણ હથિયારપણું એકસાથે જ લભ્ય થઈ શકે છે. આ કરુણા અને તીક્ષ્ણતાથી તદ્ન જુદી જ જાતની ઉદાસીનતા પ્રભુમાં હેાય છે. ઉદાસીનતા એટલે બેદરકારી. આ રીતે જીવ તરફ કરુણા, પુદ્ગળ તરફ તીક્ષ્ણતા અને એ બન્નેથી તન મધ્યસ્થતા એ જ વખતે હોય છે. અનેક પ્રાણીએ કમ કરે છે, કોઇ સાચુ ખાલે, કોઈ જુહુ ખેલે, પૈશુન્યવૃત્તિ રાખે, કોઈ ક્રોધી, અભિમાની કે માયાવી થાય, તે સČના તરફ પ્રભુ ઉદાસીન રહે છે. · એ જાણે અને એનાં કમ જાણે '—એ કરુણાથી તદ્ન જુદી જાતની વૃત્તિ રાખવી તે ઉદાસીનતા છે. આ ત્રણે ચીજો એકસાથે એકીવખતે કેમ હાય ? એ અતિ આશ્ચર્યની વાત છે. આ ત્રિભંગી પ્રભુમાં છે : પ્રભુ કરુણાવત છે, પણ પુગળો તરફ તીક્ષ્ણ છે અને અનેક પાપ કરનારા જીવાને જોઈ તેના તરફ ઉદાસીન રહે છે. આવી પરસ્પરવિરુદ્ધ વાતા પ્રભુમાં આવે છે. એટલે તેઓ આદશ સ્થાનને યાગ્ય છે, એમ જણાવી નવાઈ બતાવી. આવી વિરોધાભાસ યુક્ત ત્રિભંગી ભગવાનમાં એકીસાથે છે, એ બતાવી હવે આવતી ગાથામાં એને વિધ શમાવશે. (૩) અભયદાન તિમ લક્ષણુ કરુણા, તીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરણ વિણ્કૃતિ ઉદાસીનતા, ઇમ વિરોધ મતિ નાવે રે. શીતળ ૦ ૪ અ—પ્રાણીને જીવિતવ્યનું દાન આપવું તે કરુણાનું લક્ષણ છે. અને તીક્ષ્ણતા ગુણ અને ભાવમાં વર્તે છે. પ્રેરણા વગર માત્ર સકલ્પથી રહેતી કૃતિ-ક્રિયા તેથી તેમાં ઉદાસીનતા છે. આ રીતે વિરોધબુદ્ધિ કે અભિપ્રાય ન થાય. (૪) ઢો—સકળ જીવને અભયદાને કરી કમ` મળના ક્ષય, અહિંસક પરિણામે સકળ હિ'સક ભાવ નાશ તે કરુણા જાણવી અને તીક્ષણુતા—અકરાપણું તે ગુણ પ્રગટ થવાપણામાં અક્ષય ભાવે જ સર્વ ગુણાધારપણું; અને પ્રેરણા વિના કરવાપણું એક ઉદાસીનતા. रागादिषु नृशंसेन सर्वात्मसु कृपालुना । भीमकान्तगुणेनोच्चैः साम्राज्यं साधितं त्वया ॥ इति वचनात् । —શ્રી વીતરાગ તેંત્ર પાઠાંતર— લક્ષણ કરુણા ' સ્થાને એક પ્રતમાં ‘ મલવિક્ષય કરુણા ' એવા પાડે છે. ‘ વિણ કૃતિ ' સ્થાને એક પ્રતમાં વિનુ મૃત ’ પાડે છે. ‘ નાવે રે' સ્થાને એક પ્રતમાં ‘નાવૈ રૅ’ પાડે છે. (૪) શબ્દા—અભયદાન = જીવિતવ્યનું આપવું તે. તિમ = તેમ, એ રીતે, ઉપર જણાવ્યા પ્રમાણે, સદરહુ રીતે. લક્ષણ = ચિહ્ન ( ડેફીનીશન ) કરુણા = યા, અહિ ંસા, અભયદાન એ કરુણાલક્ષણ છે. તીક્ષણતા = તીક્ષ્ણતા, અણીદાર હેાવાપણું'. ગુણ ભાવે રે = ગુણ અને ભાવમાં છે. પ્રેરણ = પ્રેરણા, પછવાડેથી ધક્કો મારવો તે. વિષ્ણુ = વિના, વગરની. ઉદાસીનતા = મેદરકારી. મ = એમ, એ રીતે, એ પ્રકારે. વિરાધ = પરસ્પરવિરુદ્ધ જાય તેવી. મતિ = મુદ્ધિ, નિણૅય. નાવે =ન આવે, ન થાય, સર્વે... ગોવાઈ જાય (૪) Page #248 -------------------------------------------------------------------------- ________________ ર૩ર] શ્રી આનંદઘન-વીશી –એમ એક ઠામે ત્રિભંગી કરતાં વિરોધ ન આવે. (૪) વિવેચન-એ રીતે પ્રાણીને અભયદાન આપવું એટલે જીવિતવ્યનું દાન આપવું તે ભગવાનમાં રહેલી કરુણા છે. કરુણાનું લક્ષણ જ અભયદાન છે, અને તે પ્રભુમાં હોય છે. કેઈ પણ પ્રાણી પ્રભુ પાસે આવે ત્યારે તેને લાગે કે હું હવે અભય થયે છું. અથવા નિર્ભયતાપ્રાણી કેઈની બીક વિનાને થાય છે—એ ભગવાનમાં રહેલ કરુણા છે. પ્રાણુને જીવિતને ભય સર્વથી વધારે હોય છે, પણ પ્રભુ તે સર્વ પ્રાણાતિપાતથી વિરમેલ હોવાથી તેઓ ખરેખર કરુણાના ભંડાર છે અને તેથી તેઓ પૂજાને સ્થાનકે આવેલા છે અને તેથી તેઓમાં કરુણ સદૈવ જાગતી છે. આ રીતે તેઓ કરુણાસમુદ્ર છે. અને તે તેઓનું લાક્ષણિક ઉપનામ સર્વ પ્રકારે ગ્ય છે. અને ભગવાનમાં તીક્ષ્ણતા ગુણમાં અને ભાવમાં છે. પોતાના સ્વરૂપને બોધ થતાં તેઓ પુદ્ગલ તરફ અરાગી થાય છે. પુદ્ગલના સંબંધથી ક્યારે છૂટું એ વિચાર તેમનામાં અણીદાર–તીક્ષ્ણ હોય છે. પુગલને સંગ દૂર કરવા માટે તેઓ તેના દુશ્મન તરીકે કામ કરે છે. તેઓને વિચારમાં પણ એ જ આવે છે કે આ બધી પીડા પિદુગલિક જ છે અને એ પુદ્ગલને મોટું સ્થાન આપવાથી જ થયેલી છે. હવે પુગલને સંબંધ કેમ એ છે કરવો તેને જ તેઓ રાતદિવસ વિચાર કરે છે. એટલે ખરી રીતે તેઓ પુદ્ગલના દુશ્મન જ છે. આ પુદ્ગલના ભાવની વિચારણા જ તેઓને પુદ્ગલના પાકટ શત્રુ બનાવે છે. પ્રભુ વારંવાર આ પૌગલિક ભાવને અને તે તજવા ગ્ય છે એ વિચાર કર્યા જ કરે છે. એને લઈને એનામાં તીણતા જામી ગયેલી હોય છે. આવી રીતે એક (જીવ)ના તરફ કરુણું અને બીજા (ગલ) તરફ તીક્ષ્ણતા પ્રભુમાં એક જ વખતે રહેલી હોય છે. બંનેનાં પાત્રો જુદાં હોવાથી એ જુદા જ છે, પણ વિરોધને આભાસ કરાવે છે. આ રીતે પ્રભુમાં પુદ્ગલ તરફની દુશ્મનાઈ ભાવમાં છે. અને કેઈ પ્રકારની પ્રેરણાને અભાવે પ્રભુમાં એક પ્રકારની ઉદાસીનતા હોય છે. પ્રાણી કર્મને વશ છે, ખાટકી હોય ને અને મારે તે તેને ભારે પડશે, સ્ત્રીઓ કે પુરુષે નિંદા કરે, તેના ભારે કમ પણથી પ્રભુ ઉદાસીન થઈ જાય, તેના તરફ બેદરકાર થઈ જાય, એ ઉદાસીનતા છે. ઉદાસીનતા કુદરતી છે અને પ્રેરણા વિના થાય છે. આપણને અમુક વેપાર કે નોકરી કરાવે તે સર્વ આ પ્રેરણા ઉપર આધાર રાખે છે અને દુનિયાના ઘણાખરા ભાવને પ્રેરણા ઉપર આધાર છે. પ્રભુ તે આ દુનિયાનું સર્વ સ્વરૂપ જાણે છે એટલે એમનામાં પ્રેરક તત્વ જ હોતું નથી. અને આ પદાર્થ પિતાને ગમે છે, પેલે પદાર્થ ગમતું નથી એવા પ્રકારની પ્રેરણા પ્રભુમાં હોતી નથી. પ્રેરણા એ કિયાનું આગામી સ્વરૂપ છે. તેથી પ્રભુમાં કરુણ અને તીક્ષ્ણતા સાથે જ બેદરકારીરૂપ ઉદાસીનતા હોય છે. આ ત્રણે એક સ્થાને એકીવખતે પ્રભુમાં જ મળી આવે છે. આ પ્રમાણે એ ત્રણે વસ્તુ એક ઠામે એકીવખતે હોય તેમાં જે આશ્ચર્ય થયું હતું તે વિરોધ માત્ર દેખાવમાં જ હતો. આવી રીતે દેખીતે વિરોધ શમી જાય છે, નહિવત્ થઈ જાય છે અને બધી વાત સ્પષ્ટ થઈ જાય છે. પ્રેરણા કરીને જ્યારે કામ થાય ત્યારે એક જાતની Page #249 -------------------------------------------------------------------------- ________________ [૨૩૩ ૧૦: શ્રી શીતળનાથ જિન સ્તવન કામ પ્રત્યે ઉદાસીનતા આવે છે. એ કામ જાણે પોતે કર્યું છે એવું લાગતું નથી. ઉદ્યોગી હોવું કે નામ કાઢવું કે આળસ કરવું કે પ્રખ્યાતિ મેળવવી એ સર્વ કામ કરવાની પ્રેરણું હોય છે. માણસ એને લઈને કામ કરે છે, પણ થયું તે પણ ભલે અને ન થયું તે પણ ભલે, એવી વૃત્તિ કેળવવાથી આવે. પ્રેરણા કોઈ પ્રકારની ન હોય, હેતુ કે આશય ન હોય, છતાં કામ તો થયા જ કરે, તે પ્રેરણું વગર થયેલ કૃતિ કહેવાય છે. તીર્થંકર મહારાજને આબરૂ મેળવવી નથી, નામના કાઢવી નથી, એ વગેરે કામ કરવાની પ્રેરણાઓ હોય છે, તે પ્રભુમાં નથી, એ પ્રેરણા વગરની કૃતિ એટલે ઉદાસીનતા કામ તરફ આવે છે અને પ્રભુનું જીવન જોતાં એમની કૃતિને અંગે કઈ પ્રકારની પ્રેરણા હોય એમ લાગતું નથી. એટલે કામ તરફ તેમની ઉદાસીનતા હોય છે. તેઓ વ્યાખ્યાન કરી ઉપદેશ આપે છે, સમવસરણમાં બેસે છે, પણ સમવસરણ હોય તેયે ભલે, ન હોય તે પણ ભલે, ઉપદેશ વખતે પર્ષદા ભરાણી હોય તો પણ ભલે, અને ન એકઠી થાય તે પણ ભલે, આ પ્રકારની વૃત્તિ થવી એ જ ઉદાસીનતા છે, એ તીર્થકરમાં હોય છે. આ રીતે કમળતા (કરુણા), તીણતા અને ઉદાસીનતા એ ત્રણે એક સ્થાનકે એકીવખતે રહે છે. હવે આપણે બીજી ત્રિભંગીઓ વિચારીએ. (૪) શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ચથતા સંગે રે; યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગે રે. શીતળ૦ ૫ અર્થ—શક્તિ એટલે પિતાનું સામર્થ્ય, વ્યક્તિ તે તે બતાવવાપણું અને તેની સાથે ત્રિભુવનની–સ્વર્ગ મૃત્યુ અને પાતાળની-શેઠાઈ–ઉપરીપણું તે; નિર્ચથતા, કાંઈ ગ્રંથિ-ગાંઠ ન હોવા સંબંધે એક સ્થાને કેમ સંભવે ? અને મન-વચન-કાયા ભેગને સાધનાર ભેગી કેવી રીતે હોય? યોગીને વળી ભેગ શા? બોલનાર તથા મનમાં રહેનાર એકસાથે કેમ હોય અને ઉપયોગ વગર ઉપયોગમાં કેમ સંભવે? (૫) ટો–શક્તિ ગુણે કરૂણા, વ્યક્તિ તીણતા અને ત્રિભુવન પ્રભુતાઈ એ ઉદાસીનતા અથવા શક્તિ ૧, વ્યક્તિ ૨, ત્રિભુવનપ્રભુતા ૩-એ ત્રિભંગી. અથવા નિર્ચ થતા ને સંગે એ ત્રિભંગી. અથવા એ ત્રણ ગે નિર્ચથતા છે. યેગી ૧, ભેગી ૨, વક્તા અથવા મૌની ૧, અનુપયેગી ૨, ઉપયોગી ૩-એ પણ કરુણાદિકે અથવા જ્ઞાન, દર્શન અને મૌની સર્વ સરે, - પાઠાંતર–વ્યક્તિ” સ્થાને એક પ્રતમાં “વ્યક્તી’ પાઠ છે. “માની’ સ્થાને એક પ્રતમાં “મોનિ” પાઠ છે; અર્થ એ જ રહે છે. “ઉપયોગે રે’ સ્થાને “ઉપયોગી” પાઠ બે પ્રતમાં છે. (૫) શબ્દાર્થ–શક્તિ = સામર્થાઈ, બળ. વ્યક્તિ = દેખાડે. અને તેની સાથે ત્રિભુવન પ્રભુતા = સ્વર્ગ, મૃત્યુલોક-મત્યલોક અને પાતાળની શેઠાઈ એ નિગ્રંથતા = કાંઈ ન રાખવાપણું સાથે છે. સંયોગે = સંબધે છે. યોગી = મન-વચન-કાયાના વેગને સાધનાર. ભોગી = તે જ વખતે ભોગને ભગવનાર. વક્તા = બોલનાર. મૌની = ચૂપ રહેનાર, અનુપયોગી = ઉપયોગ વગરના. ઉપગે રે = ઉપયોગમાં હોય ત્યારે સત ઉપયોગી છે. (૫) ૩૦ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] શ્રી આનંદઘન-વીશી અનુપયોગી ગનિરુદ્ધાવસ્થા એ સ્વરૂપ સિદ્ધપણે સકલ કર્મમલ નાશે, કેવલેપમેગી તે ભણી ઉપયેગી. ૩ (૫) વિવેચન–હવે આ ગાથામાં બીજી પાંચ ત્રિભંગીઓ બતાવે છે. પ્રથમ દૃષ્ટિએ એ પણ મુશ્કેલ બાબત છે, અને છતાં એને વિરોધાભાસ સમજીએ ત્યારે પ્રભુમાં તે એકસાથે એકીવખતે હોવાનું આપણે એમના ચરિત્ર ઉપરથી જોઈ શકીએ છીએ. પ્રભુના પ્રમાણમાં આનંદઘન તે સામાન્ય છમસ્થ હતા, તેઓ પણ મંત્રાલરમાં વદે કે “તેરે પતિ વશ હોવે ઉસમેં આનંદઘન ક્યા? ઔર તેરે પતિ વશ ન હવે ઉસમેં આનંદઘનકું ક્યા ?” આવી વૃત્તિ કેળવી શકે તે પ્રભુ ઉદાસીનતાની વૃત્તિ અભ્યાસથી જરૂર કેળવી શકે છે. આપણે એક બીજી ત્રિભંગી જોઈએ. ભગવાનમાં શક્તિ છે; અનંત વીર્યના ધણી પ્રભુ પિતાનું અનંત વીર્ય બતાવી શકે છે. તેઓને મેરુ ઉપાડવો હોય તે તેને પણ ઉપાડી શકે અને સમુદ્રને પણ કરી શકે. પોતાના સ્વગુણ-પર્યાયને ગ્રહણ કરવાનું સામર્થ્ય તે પ્રભુની અજબ શક્તિ છે; એ પ્રભુને આત્મિક ગુણ છે. આવા અનંત શક્તિવાળા પ્રભુમાં શક્તિ છે, એ તે એમના ચરિત્ર ઉપરથી જણાઈ આવે છે. એક પગ ચાંપવાથી આખો મેરુ પર્વત જે અચળ કહેવાય છે, કંપી ઊઠડ્યો અને મોટો ઘડઘડાટ અને હાહાકાર સમસ્ત પૃથ્વી ઉપર થઈ ગયે, જાણે મોટો ધરતીકંપ થઈ ગયે, એવી અજબ શક્તિ ભગવાનમાં છે. અને આવી અજબ શક્તિવાળા પ્રભુમાં વૈયક્તિક ભાવ હોય છે પિતાની જાતને વ્યકત કરવી, પિતાપણું બતાવવું, તે વૈયક્તિત્વ છે. પ્રભુ જ્યાં હોય ત્યાં તેઓ છાના રહેતા નથી. તેમને યોગ્ય સમવસરણ દેવો ઠામ ઠામ રચે છે. આ રીતે એમનું વ્યક્તિત્વ પ્રસિદ્ધ થાય, વ્યક્ત થાય છે. આની સાથે જ ન વ્યક્તિ ન શક્તિ. એટલે આત્મામાં જે ગુણો હતા તે જ પ્રગટયા અને વ્યક્તિત્વ જેવું હતું તેવું જ પડયું, બીજુ ન પડવું, એ ત્રીજી ત્રિભંગી ન શક્તિ ન વ્યક્તિ. પ્રભુએ કાંઈ શક્તિત્વ કે વ્યક્તિત્વ ઇરાદાપૂર્વક બતાવવા પ્રયત્ન કર્યો નથી. આવી રીતે શક્તિ, વ્યક્તિત્વ અને ન શક્તિ અને ન વ્યક્તિત્વ એ ત્રણ ગુણે-ત્રિભંગીએ એકી સાથે પ્રભુમાં રહેલી છે અને તેથી તેઓ આદર્શ સ્થાનને યેગ્ય છે, એમ આપણને સહજ જણાય છે. આ રીતે બીજી અજાયબીથી ભરપૂર પણ જુદા જુદા પ્રસંગે દેખાતી આ લલિત ત્રિભંગી પ્રભુને આદર્શરૂપે ગ્રહણ કરવા આપણને પ્રેરણા કરે છે. આવી જ રીતે એક વધારે આશ્ચર્યકારક ઘટના આપણે બીજી ત્રિભંગીમાં વિચારીએ. પ્રભુ ત્રિભુવનના પ્રભુ છે. તેઓના ત્રીશ અતિશયે કે આઠ મહાપ્રાતિહાર્યોને વિચાર કરતાં ત્રણે ભુવનની ઠકુરાઈ જાણે તેમનામાં ઓતપ્રેત થઈ ગઈ હોય અને તેની મોટાઈને તેઓ યોગ્ય હોય. એમ આપણને લાગે છે. તેઓ ખરેખર ત્રણ ભુવનને પૂજ્ય છે અને તેઓ મહાકલ્યાણના કરનારા છે. આ ત્રિભુવનની પ્રભુતાને એક ગુણ થયે. અને આ ત્રિભુવનપ્રભુતાને ગુણ હોવા સાથે જ પિતે નિગ્રંથ છે; એટલે પ્રભુમાં નિગ્રથતા છે, બાહ્ય અને આત્યંતર ગાંઠને જે છેદી નાખે, જેને દુનિયા સાથે કઈ પ્રકારની લેવા દેવા નથી, જેમને કઈ વસ્તુ ઇષ્ટ નથી કે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : શ્રી શીતળનાથ જિન સ્તવન [ ૨૩પ અનિષ્ટ નથી, તે નિર્ચથતા છે. આવા નિગ્રંથ પ્રભુ છે એટલે ત્રણ ભુવનની શેઠાઈ સાથે તેઓ જાતે તે નિગ્રંથ છે. પરિગ્રહ રહિત હોય તે સર્વ નિગ્રંથ કહેવાય. એટલે ઈંદ્ર અને ચક્રવર્તીથી પૂજનિક માણસમાં ત્રિભુવનપ્રભુતા, પણ તે જ વખતે જાતે નિગ્રંથ ગુણથી ભરેલા હોઈ તેઓમાં નિર્ચથતા ગુણ છે આ રીતે પરસ્પરવિરોધી લાગતા ત્રિભુવનપ્રભુતા અને નિર્ચથતા નામના બે ગુણો ભગવાનમાં છે. આ રીતે ત્રિભુવનપ્રભુતા હોવા છતાં, પિતે જાતે નિગ્રંથ છે અને તેમ છતાં, તેઓમાં ત્રિભુવનપ્રભુતાને ગુણ છે, સાથે તેઓ જાતે નિગ્રંથ છે અને તેમાં ન ત્રિભુવનપ્રભુતા છે અને ન નિJથતા છે. તેઓ જાતે આવી રીતે અજાયબીથી ભરેલા છે, અને એકબીજાની સામે જતા ત્રણે ગુણો એકીવખતે ધરાવે છે, આ રીતે બીજી ત્રિભંગી પ્રભુમાં જણાવી. હવે આપણે એક બીજી ત્રિભંગી વિચારીએ એ વિરુદ્ધ લાગતી–દેખાતી ત્રણ વાત પ્રભુમાં એકીવખતે રહેલી છે. પ્રભુ જાતે યોગી છે, તેઓ મન-વચન-કાયાને પિતાને વશ રાખનાર છે. ગીના સર્વ ગુણ તેમનામાં છે એટલે તેઓને ભેગી કહી શકાય. અને તે જ વખતે ભગવાન સ્વગુણને, આત્મિક ગુણને અનુભવે છે એ દષ્ટિએ વિચારતાં પ્રભુ ભેગી છે. ભેગી હમેશાં ભેગ ભોગવનાર હોય છે. એટલે ભગવાન યોગી અને સાથે ભાગી છે એમ કહી શકાય. સર્વ કર્મને ક્ષય થાય ત્યારે અગી ગુણસ્થાનકે અને મોક્ષ ગયા પછીની અવસ્થામાં તેઓ ન ભેગી કે ન ચગી છે. તેઓના સર્વ ગો દૂર થઈ જાય છે. અને અગી ગુણસ્થાનકને પંચ હસ્વાક્ષર બેલતાં જેટલો સમય લાગે, તે વખતે અને સિદ્ધ અવસ્થામાં તેઓ અગી અને અભેગી છે. એટલે તેઓ ન તે યોગી છે કે ન તે ભગી છે. આવી રીતે એક વધારે ત્રિભંગી થઈ. આવી રીતે આપણે આ ગાથામાં ત્રણ ત્રિભંગીઓ સંબંધી વિચાર કર્યો. હવે આપણે એક થી ત્રિભંગી જોઈએ. ભગવાન પિતે દ્વાદશાંગીના બોલનારા તેથી વકતા છે. અને તેઓ દ્વાદશાંગીના બેલનાર તથા અનેક જીવને ઉપદેશ આપનાર હોવા છતાં, તે સાથે જ આસ્રવ સંબંધી બોલનાર કે ઉપદેશ આપનાર ન હોવાથી, તેઓ મૌની છે, એટલે વક્તા હોવા છતાં આસ્રવને અંગે તેઓ મૌની છે. અને એ વક્તા અને મૌની હોવા છતાં તે જ વખતે તેઓ દ્વાદશાંગી સિવાય કાંઈ વચન બોલતા ન હોવાથી તેઓ એ જ વખતે ન વક્તા ન મૌની છે. આવી રીતે થી ત્રિભંગી પ્રભુમાં અજબ રીતે મળી આવે છે. હવે એક પાંચમી ત્રિભંગી વિચારીએ. સામાન્ય છદ્મસ્થ જ્ઞાનવાળાને કોઈ વાત કહેવી કે જાણવી હોય તે તેને ઉપગ મૂકવો પડે છે. પણ ભગવાન તે કેવળજ્ઞાનના ધણી હોવાથી, વગર ઉપગે તે વાતને જાણી શકે છે, તેથી તેઓ અનુપયેગી છે એટલે તેઓને સામાન્ય વાત જાણવા–સમજાવવા માટે ઉપયોગ મૂકવાની જરૂર પડતી નથી. વળી, કેવળજ્ઞાન સાથે કેવળદનને ઉપગ તો પ્રભુ મૂકે છે, એટલે તેઓ ઉપગવાન છે. જ્ઞાન અને દર્શન ભિન્ન છે. અને તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉપયોગ કરે છે. એટલે ભગવાન કેવળજ્ઞાન અને કેવળદનને અંગે ઉપગી–ઉપગવાળા થયા. અને ગર્ધન થયા પછી, તેમને જ્ઞાનને Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬] શ્રી આનંદઘન–ચોવીશી ઉપગ કે દર્શનને ઉપયોગ મૂકવાનું પ્રયોજન રહેતું નથી, તે વખતે તેઓ ન ઉપયોગી છે ન અનુપયોગી છે. આ ત્રણે ભાંગાઓ પ્રભુને એકી વખતે લાગે છે, પણ તેને કાળ જુદો છે, તેથી ઉપયોગી, અનુપયોગી અને ન ઉપયોગી ન અનુપયોગી એ ત્રિભંગીને લઇને આપણને અચંબો ઉત્પન્ન કરનાર થયા તેથી તેઓ આપણા આદર્શ સ્થાનને યોગ્ય છે. ૫) ઇત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે, અચરિજકારી ચિત્ર-વિચિત્રા, “આનંદઘનપદ લેતી રે. શીતળ૦ ૬ અથ–ઉપર જણાવેલ વગેરે સવ બહુ પ્રકારના ભાંગાઓ અને ત્રિભંગીઓ ચિત્તને આશ્ચર્યમાં ગરકાવ કરી દેનારી છે. આ વિચિત્ર પ્રકારની નવાઈઓ આનંદઘનના પદને પ્રાપ્ત કરે છે. (૬) ટ –એ રીતે એક ત્રિભંગી સર્વમાં અથવા ઉત્પાદ-વ્યય, ધૃવાત્મક તથા દ્રવ્ય-ગુણપર્યાયરૂપે તથા સત્-૧, અસત્-૨, સદસત્-૩, ઈત્યાદિ ઘણી ત્રિભંગી પંડિતજનનાં ચિત્તમાં ચમત્કાર ઉપજાવતી; એ ત્રિભંગી વિચારીને તમારી ત્રિભંગી વિચિત્ર–નાના પ્રકારની આશ્ચર્યકારી ચરિત્ર છે. એ ત્રિભંગી વિચારીએ તે આનંદઘન–પરમાનંદપદને લેતા પામતા છે. એ ત્રિભંગીના અર્થ ગુરુપરંપરાથી જાણવા. એટલે શ્રી શીતલનાથનું સ્તવન સંપૂર્ણ થયું. એવા ત્રિભંગીને ગુણે કરી શીતલતા પામ્યા, તે જિન. એવા જિન તેહી જ પરમાત્મા, શ્રી શ્રેયાંસ શ્રેયકારી તે માટે શ્રી શ્રેયાંસ જિનને સ્તવે છે, પ્રમાદ હર્ષણ (૬) વિવેચનઆ સર્વ ત્રિભંગીઓ આપણને નવાઈ પમાડે છે. પ્રભુમાં કરુણ અને તીણતા અને ઉદાસીનતા છે એ એક વાત થઈ. પછી શક્તિ, વ્યક્તિ, ન શક્તિ ને વ્યક્તિ એ બીજી વાત થઈ. ત્રિભુવનપ્રભુતા સાથે નિગ્રંથતા અને વળી ન ત્રિભુવનપ્રભુતા કે ન નિગ્ર"થતા એ ત્રીજી વાત થઈ. અને તેઓશ્રી ગી છે, ભેગી છે અને ન યોગી કે ન ભોગી છે, એ ચોથી વાત થઈ. વક્તા છે, અને મૌની છે અને સાથે અવતા–અમૌની છે એ પાંચમી વાત થઈ. અને તેઓ ઉપયોગી છે, અનુપયેગી છે અને વળી ન ઉપગી ન અનુપયોગી છે એ છઠ્ઠી વાત થઈ. એ સર્વ ત્રિભંગીઓ અને અનેક ભાગાઓ, જે સર્વ ઉપર કહેવાઈ ગયા છે, તે પ્રથમ નજરે આશ્ચર્ય ઉપજાવનાર છે; એ વિચારીને, સાંભળીને, ઘણી નવાઈ લાગે છે મનમાં ચમત્કાર આવે છે કે આવી ત્રિભંગીઓ પ્રભુમાં કેમ સંભવતી હશે ? એને ખુલાસો જ્યારે ચચીએ છીએ અને સમજણવાળા પાસેથી જાણીએ છીએ ત્યારે આપણા મનમાં એ વાતનો ખુલાસે સાંભળી આનંદ આવે છે. પાઠાંતર–“ઇત્યાદિક બહુ...લેંગી” એમ લખાયેલ છે. “બહુ’ સ્થાને “બ” પાઠ છે. તે પછી “બદ્ધ કઇ ' શબ્દ મૂક્યો છે. ચિત્ર સ્થાને “ચરિત” પાઠ બે પ્રતમાં છે. (૬) | શબ્દાર્થ-ઇત્યાદિક = એ વગેરે, એ અને એ ઉપરાંતની, અનેક. બહુ = અનેક, ઘણાં. ભંગ = ભાંગાએની, પ્રકારોવાળી. ત્રિભંગી = ત્રણ ભાંગાવાળી. ચમત્કાર = આશ્ચર્ય, નવાઈ બી. ચિત્ત = મનમાં, ચિત્તમાં. દેતી - આપે છે, દે છે. અચરિજકારી = આશ્ચર્યકારક, નવાઈ ભરેલી. આનંદઘન = આનંદના સમૂહને. પદ = સ્થાન, મોક્ષપદ. લેતી = લાવનાર છે. (૬) Page #253 -------------------------------------------------------------------------- ________________ [ ર૩૭ ૧૦: શ્રી શીતળનાથ જિન સ્તવન આવી વિચિત્ર ત્રિભંગીઓ ગુરુ પાસે સમજવી, તેમાં કોઈ જાતનું પારખંય નથી. ગુરૂમાં એટલે અનુભવ હોય છે, કે તેઓ આ વિચિત્ર લાગતી વાતને પણ ઘટાવી દે છે અને ગુરુના જ્ઞાન પાસે કોઈનું તેમના જ્ઞાન સાથે સરખાવી શકાય તેટલું જ્ઞાન હોતું નથી. આ ત્રિભંગીઓ આપણા જન્મ-મરણના ફેરાને અટકાવનારી છે અને આનંદના ઘન-સમૂહમાં મોક્ષમાં લઈ જનારી છે, માટે આ પ્રભુ આદશને સ્થાને રાખવા યોગ્ય છે. આ ત્રિભંગી કેઈ ન સમજાય તે ગુરુને પૂછવી. ગુરુને પૂછવાથી જ્ઞાન થાય છે, કારણ કે સર્વ વાતે પુસ્તકમાં લખેલી હોતી નથી. આ સર્વ સંપ્રદાયજ્ઞાન છે તેને મહિમા આગળ વર્ણવવામાં આવશે. આ રીતે આ સ્તવનનો ભાવ વિચારીને પ્રભુને આદર્શ સ્થાને સ્વીકારવા અને સ્વીકારી હજુ આગળ વધવું. આવતા સ્તવનમાં પણ પ્રભુને એને યથાયોગ્ય સ્થાને રાખવા એને મહિમા વર્ણવશે. અને તેમ કરી એ પ્રભુ આદર્શ સ્થાને રાખવા યોગ્ય છે તે વાતને વધારે પુષ્ટિ આપશે. (૬) ઉપસંહાર આ રીતે આ સ્તવન પૂર્ણ થયું. પ્રભુમાં અનેક પ્રકારની ત્રિભંગીઓ લભ્ય છે એ એને પ્રધાન સૂર છે, અને એ ત્રિભંગીઓ કેમ ઘટમાન થઈ શકે તે આપણે વિવેચનમાં જોઈ ગયા છીએ. વાત એ છે કે એ રીતે અનેક દષ્ટિબિન્દુથી પ્રભુને ઓળખી એને યોગ્ય આપણું વર્તન રાખવું અને પ્રભુને આદર્શ કરી મૂકી દેવો નહિ. આદર્શને મહિમા જ ત્યાં છે. આદર્શ બરાબર સમજી વિચારી મુકરર થાય તે પછી કઈ રીતે પસ્તાવાનું કારણ રહે નહિ; કારણ કે આદર્શને આદર્શ સ્થાને રાખવાનું કારણ એ છે કે પછી કઈ વખતે આદર્શને વીસરી શકાય નહિ અને આપણને કામ કરતી વખતે કોઈ પ્રકારની ગૂંચવણ પડે નહિ. બાકી જેઓ કઈ જાતને આદર્શ રાખતા નથી અને જેવા તેવા કામમાં પડી જાય છે, તેની સ્થિતિ તે હડકાયા કૂતરા જેવી થઈ જાય છે. પછી તે નથી રહેતે ઘરને કે નથી રહેતે ઘાટને. આવી કડી સ્થિતિ ન થાય તે માટે અહીં દીવાદાંડી ધરવામાં આવી છે. જે તમારે આદર્શ મુકરર કરેલું હશે તે અંતે પરમાનંદ સ્થાનની પ્રાપ્તિ થશે અને તમારા જીવનને હેતુ સફળ થશે. આ દૃષ્ટિએ આ સ્તવનમાં ઘણી ઘણું ત્રિભંગીઓ આપવામાં આવી છે. તે જ વાત આવતા સ્તવનમાં બીજા દુષ્ટિબિંદુ ઓથી મુકરર કરી, તમને આદેશ તરીકે ભગવાનને ઓળખવા અને સ્વીકારવા આગ્રહ કરશે. આ સ્તવન ઉપલક દૃષ્ટિએ વાંચવા જેવું નથી. એ બરાબર વિચારીને આચરણાને પાત્ર છે. જેઓ એ આચરણાને અમલ કરશે તે આનંદઘન(મોક્ષ)ને જરૂર પામશે અને અનેક પ્રકારને લાભ પ્રાપ્ત કરશે. (૧૦) ફેબ્રુઆરી : ૧૯૫૦ ] Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન સંબંધ– આ સ્તવનમાં સાચા અધ્યાત્મી કેણ, અને બેટા કેણ, તેને સૂકમ વિચાર કરી પ્રભુને સાચા અધ્યાત્મી બતાવ્યા છે અને તે સ્વરૂપે તેઓ આદર્શ સ્થાનને એગ્ય છે, એ બતાવ્યું છે. બાકી, સામાન્ય ઉક્તિ છે કે વધ્યાતિમા નો માન્તિ પાતાને વાઢા થા – આ કળિકાળમાં અધ્યાત્મી હેવાને દાવો કરનારા ફાગણ મહિનાના બાળક જેવા લાગે છે. ફાગણ માસમાં હોળી પાસે આવતી હોય તેવે વખતે સારું બાળક હોય, તે પણ અપશબ્દ બેલવામાં મજા લે છે, તેમ અધ્યાત્મીઓ પિતામાં અધ્યાત્મ છે એમ દા કરી, ફાગણ મહિનામાં બાળક જેવા દેખાય છે, તેવા દેખાય છે, એટલે તેઓના મુખમાં અધ્યાત્મ શોભતું નથી એમ બતાવે છે. આ વાત સર્વથા સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે ઉમાસ્વાતિ મહારાજ, ઉપાધ્યાય શ્રીમદ્ યશવિજયજી વગેરેએ અધ્યાત્મની ઘણુ મજાની વાત કરી છે અને તે પણ આજ કળિકાળમાં થયેલા છે. તેથી આપણે “અધ્યાત્મ” શબ્દને એના જુદા જુદા આકારમાં બરાબર સમજવા અને સમજીને અધ્યાત્મ આચરવા પ્રયાસ કરીએ. કારણ કે સમજ્યા વગર કિયા કરવામાં તે એડને બદલે ચેડ વેરાઈ જાય અને આપણને પસ્તાવાનું કારણ રહી જાય. એક વાત સમજી લઈએ કે, સર્વ પ્રકારનાં અધ્યાત્મ આદરવા યોગ્ય નથી, એમ તે અધ્યાત્મ કલ્પદ્રુમ'ના લેખક મુનિસુંદરસૂરિ મહારાજ પણ જણાવે છે, એટલે એમાં એક પ્રકારનું અધ્યાત્મ એવું આવશે કે જે ગ્રહણને યોગ્ય હોય. આવા પ્રકારના અધ્યાત્મને તમે આદર અને તેના પર તમારું ધ્યાન લગાવજે, પણ પસંદગી કરવા પહેલાં અધ્યાત્મના જુદા જુદા પ્રકારે કેટલા છે તે સૂકમ બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરશે. પણ એમાં એક એવો સારે પ્રકાર છે કે જેને લઈને તમારા આ સંસારના ફેરા તદ્દન આળસી જશે. તમે માત્ર અધ્યાત્મ શબ્દથી જ લલચાઈ ન જશે. પણ આ સ્તવનમાં કહેલી સર્વ બાબતે જે પૂરી પાડે તેવું તે અધ્યાત્મ હોય, તે તેને જ સ્વીકાર કરશે, એટલે આ ભવાટવીના તમારા ફેરાઓ મટી જશે. આ વાતની પુષ્ટિમાં અધ્યાત્મના જુદા જુદા અર્થોને વિચાર કરવામાં આવ્યું છે, તે હવે આપણે જોઈએ. એમાં એક પ્રકાર એ આવશે કે જે તમારી સર્વ ગૂંચવણે કાઢી નાખશે. એટલે તમારી સર્વ ક્રિયાઓ કુળવતી થશે અને તમારો પ્રયાસ નકામે નહિ જાય. આપણા લાભ માટે ગ્રંથíએ પિતાના સ્તવનમાં અધ્યાત્મ અને અધ્યાત્મીઓની જ ચર્ચા કરી છે તે આપણે વિચારીએ. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૧ :શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન [૨૩૯ ૧૧ સ્તવન | (રાગ ગોડી; અહો મતવાલે સાજના–એ દેશી) શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમપદ પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી શ્રેયાંસ. ૧ અથ–શ્રી શ્રેયાંસ નામના અગિયારમા તીર્થંકર પ્રભુ તે આપણું મનના ભાવને જાણ નારા છે, તે આત્મસ્વરૂપમાં રમણ કરનાર છે અને પિતાનું નામ કાઢનાર અર્થાત્ કર્મરૂપ શત્રુને નમાવનાર છે, અધ્યાત્મજ્ઞાનના પૂરેપૂરા અભ્યાસ અને અનુસરણ પ્રાપ્ત કરીને વગર મહેનતે તેઓ મેક્ષમાં ગયેલા છે. (૧) બો–જ્ઞાનવિમળસૂરિ આ સ્તવનને ટબ નીચે પ્રમાણે પૂરે છે : એવા શ્રી શ્રેયાંસ જિન, જે અંતર્યામી છે, ચિત્તમાં વસ્યા છે, ઘણું જ વહાલા છે. તે શ્રી શ્રેયાંસ જિન આત્મામાં રમતા સહજ ગુણગી છે, કર્મને નમાવનાર માટે નામી છે, શબ્દાર્થ છે. અધ્યાતમ આત્મસ્વરૂપ પૂર્ણ પામીને સહજ મુગતિ નિરુપાધિક સ્વભાવ ગતિને પામતા છે, પામ્યા છે. (૧). વિવેચન–શ્રી શ્રેયાંસ નામના અગિયારમા તીર્થંકર-જિનવર આપણા હદયમાં—અંતઃકરણમાં થતા સર્વ ભાવને જાણનારા છે, ઊંડા અંતરની પણ કોઈ વાત એમનાથી ખાનગી રહેતી નથી; એવા એ સર્વ વ્યાપક અને સર્વ વસ્તુના જાણકાર છે. તેઓ પિતાના આત્મિક ગુણોમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને વીર્યમાં–રમનારા છતાં નામાંકિત છે, એ ભારે નવાઈની વાત છે. આ ઉપરાંત તેઓ અધ્યાત્મમત, જે પર આપણે તરતમાં વિવેચન કરવાના છીએ, તેને સંપૂર્ણ આકારમાં પામેલા છે અને જે અધ્યાત્મ આપણે વખાણશું, તેને તેઓ પામેલા છે એ એક વાત થઈ. અને બીજી વાત એ છે કે તેઓ વિના કટૈ મુક્તિગતિને વરેલા છે. મોક્ષ મેળવવાની ઈચ્છા તેઓને હોતી નથી. તેઓ તે, આગળ સોળમા શાંતિનાથના સ્તવનમાં કહેવામાં આવશે તેમ, મોક્ષ અને સંસારને સરખે ગણનારા છે, પણ તેઓનું વર્તન એવા પ્રકારનું છે કે જરાયે મહેનત ર્યા સિવાય તેઓ મોક્ષગતિને પામી ગયા છે. સંસારમાં ચાર ગતિ છે : પાઠાંતરદેશીમાં એક પ્રતમાં સાંજનાં” શબ્દ મૂકે છે, તે “સાજના” ને બદલે છે. “અંતરજામી.” સ્થાને એક પ્રતમાં “અંતરયામી’ પાઠ છે; અર્થ તે જ રહે છે. “પદ સ્થાને એક છાપેલ પુસ્તકમાં મત” શબ્દ છે. “ગામી’ સ્થાને એક પ્રતમાં ગીમી” પાઠ છે અને બીજી પ્રત “ગામી” પાઠ આપે છે. (૧) “શબ્દાર્થ–શ્રી શ્રેયાંસ = અગિયારમા તીર્થંકર, ભગવાન, પ્રભુ. જિન = તીર્થકદેવ, ભગવાન, જિનેશ્વરદેવ. અંતર્યામી = મનના ભાવને જાણનાર, ઊંડા ભેદોને જાણનાર, સવજ્ઞ. આતમરામી = સ્વસ્વભાવમાં–આત્મસ્વરૂપમાં રમણ કરનાર, આત્મારામી. નામી = પિતાનું નામ કાઢનાર, પ્રખ્યાત, જાણીતા, પ્રસિદ્ધ, દુશમનોને-કમ દુશ્મનોને વંદાવનાર, નમાવનાર (શત્રુઓને). અધ્યાતમ = આત્માને ઉદ્દેશીને જણાવાયેલું, લખેલું, શાસ્ત્ર પ્રસિદ્ધ આત્મા સંબંધી વાતો. મત = અભિપ્રાય, વિશેષ નિશ્ચય હોય તે તે. પૂરણ = સંપૂર્ણ રીતે. સવિશેષ, સારી રીતે. પામી = પ્રાપ્ત કરી, મેળવીને. સહજ = સ્વાભાવિક રીતે, મહેનત વગર. મુગતિ = મોક્ષ, સર્વ કર્મોથી મુકાવું, સર્વ કમથી રહિત એવી. ગતિ = પાંચમી ગતિ. ગામ = ગયેલા છે તે, જનારા છે તે. (૧) Page #256 -------------------------------------------------------------------------- ________________ ર૪૦] શ્રી આનંદઘન-વીશી દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નારકગતિ. એ ચારે ગતિને છોડી દઈ, તેઓ પાંચમી ગતિ, જે મોક્ષગતિના નામથી ઓળખાય છે, તેને પામ્યા છે. જ્યારે પ્રાણી નિઃકર્મા થાય છે, જ્યારે એને સર્વ કર્મભાર મુકાઈ જાય છે, ત્યારે લાકડું જેમ પાણીમાં તરી ઉપર આવે તેમ સહજ ભાવે તેઓ પાંચમી ગતિ, જે મોક્ષ છે, તેને પામે છે. તે રીતે તેઓ સહજ સ્વભાવે મેક્ષને પામેલા છે. આવા અંતરની વાત જાણનારા પૂર્ણ જ્ઞાની, નામના કાઢનાર, અધ્યાત્મનિશ્ચયમાં સાચા રસ્તે લેનાર અને વગર પ્રયાસે મેક્ષ મેળવનારને આપણે આદર્શ સ્થાને રાખીએ અને તેમના ગુણો બરાબર સમજવા માટે અધ્યાત્મના બધા પ્રકારે જોઈ જઈએ, અને પ્રભુએ તેમાંથી કે પ્રકાર પકડી લીધે તે સમજવા યત્ન કરીએ, કારણ કે આપણી પસંદગી ઉપર આપણું ભવિષ્યને આધાર રહે છે. આદશની પસંદગી કરવી ત્યારે સારામાં સારી કરવી, નહિ તે આપણે ડામાડોળ સ્થિતિમાં આવી જઈએ. પસંદગી સર્વોત્કૃષ્ટ હોય તે પછી આપણને આને આદર્શ બનાવ્યા હતા તે ઠીક થાત’, એ વિચાર પણ ન આવે. આ આપણા નિર્ણય માટે અધ્યાત્મને વિવિધ દષ્ટિબિન્દુથી પ્રથમ વિચારીએ : (૧) સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિકામી રે. શ્રી શ્રેયાંસ ૨ અર્થ–સંસારમાં રહેલા અને સંસારને પિતાને માનનારા ઇન્દ્રિમાં રમનારા છે. પણ સાધુ-યતિઓ તે આત્મિક ગુણોમાં જ રમણ કરનારા છે. મુખ્યત્વે કરીને જે આત્મારામમાં રમણ કરનારા છે, તે તદ્દન નિઃસ્પૃહી-ઈરછા વગરના હોય છે. (૨) પાઠાંતર–મુખ્યપણે” સ્થાને બન્ને પ્રતમાં મુખ્યપણે” એવો પાઠ છે. (૨) શબ્દાર્થ–સયલ = બધા, સવે. સંસારી = સંસારમાં અટવાઈ ગયેલા પ્રાણી, જીવના બે ભેદ પૈકી સંસારમાં ભટકનારા છે, ઇન્દ્રિયોને વશ પડેલા, પંચેન્દ્રિયને વશ પડેલા, તેમાં રમનારા. મુનિ = સાધુમહારાજો. યતિઓ. ગુણ = પિતાના આત્મિક ગુણમાં. આતમરામી = આત્મસ્વરૂપમાં રમણ કરનારા છે. મુખ્યપણે = મુખ્યત્વે કરીને. જે = જે સંસારી જીવો. આતમરામી = સ્વરૂપમાં જે રાચનારા અને રમનારા હોય છે. તે = તે સર્વ કેવળ = માત્ર, તદ્દન નિઃકામી કામના વગરના હોય છે), કઈ પ્રકારની સ્પૃહા વગરના હોય છે) (૨) - ૧, આ સ્તવનના વિવેચક શ્રી મોતીચંદભાઈએ “મુનિ ગુણ આતમરામી રે” એવો પાઠ સ્વીકારીને એ પ્રમાણે જ એને અર્થ કર્યો છે, એનું વિવેચન પણ એ રીતે જ કર્યું છે. પણ પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે સંપાદિત કરેલ “શ્રી આનંદ-ધનચોવીશીમાં “મુનિગણ આતમરામી રે' એવો પાઠ છે. અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની મૂળ સ્તવનેવાળી ને. ૨૦૧૩ તથા ૩૦૮૫ ની પ્રતમાં પણ મુનિગણ આતમરામી રે' એવો પાઠ મળે છે. આ પાઠમાં અર્થસંગતિ સહજપણે બેસી ન્ય છે. આ રીતે આ ગાથાના પૂર્વાર્ધને અર્થ એવો થાય છે કે–બધા સંસારી છે ઈકિયસુખમાં રાચે છે, જ્યારે મુનિગણ-મુનિવરોને સમૂહ-આત્માના ગુણોમાં રમણ કરે છે. પણ “મુનિ ગુણ આતમરામી' એ પાઠ રાખવાથી અર્થસંગતિ કંઈક ખેંચીને બેસારવી પડે છે. આ સ્તવને ઉપરના શ્રી જ્ઞાનવિમળસરિકત ટાવાળી પ્રતે શ્રી મોતીચંદભાઈએ સ્વીકારેલ મુનિ ગુણ આતમરામી રે ' એ પાઠ આપે છે. –સંપાદક Page #257 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૧ ૧૧ : શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન ટ –સકળ સંસારી જીવ તે ઇંદ્રિયના સોપાધિક સુખને આરામી છે. તે શ્રી શ્રેયાંસ નાથ જિન કેવા છે? મુનિ ગુણ જે જ્ઞાનદર્શન, તન્મયી છે. આત્મા, તેને વિષે રમતા છે, મુખ્યપણે નિશ્ચયથી જે આત્મારામી છે, તેહી જ કેવલ શુદ્ધપણે નિકામી છે અને વ્યવહારકિયાએ જે આત્મા તે કેવળ નિકામી–અસદારંભનિવર્તન માટે પર સહજ મુગતિગામી નહિ એવું પણ જણાવ્યું છે તે આગળ કહે છે. (૨) વિવેચન-જીના સંસારી અને સિદ્ધ એવા બે ભેદ છે. તેમાં જેઓ સંસારી છે, અને સંસારમાં મસ્ત રહે છે, તેઓ એક અથવા વધારે ઇદ્રિમાં આનંદ માનનારા હોય છે. એ તે ઇદ્રિના ભેગેને ભગવે અને એને પરિણામે સંસારમાં રખડ્યા કરે અને એ વાતને આરે જ આવે નહિ. ઇંદ્રિયરામી એટલે ઈંદ્રિયમાં રમણ કરનાર. આ પ્રકારના જીવો દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ ગતિમાં ભટક્યા કરે છે, એક ગતિમાંથી બીજીમાં જાય અને એવી રીતે સંસારમાં આંટા માર્યા કરે છે, પણ તેઓને નિતાર થતું નથી. પણ જે ખરા યતિ અથવા મુનિ છે તે તે પિતાના ગુણમાં રમણ કરે છે, તેઓ દશે યતિધર્મમાં મહાલે છે અને સાધુગુણમાં રંજી તેને જ અનુરૂપ સર્વને ઉપદેશ આપે છે. દશ યતિધર્મો માટે જુઓ “પ્રશમરતિ', પ્રકરણ સાતમું. એ એક સ્થાને લખેલા હોવાથી અત્ર તેનું પુનરાવર્તન કરતું નથી. મુનિ કે અત્યારે તે સંસારી જ છે, પણ યતિધર્મમાં રમણ કરે છે, અને તેને માટે પિતાનું સર્વ ધ્યાન વાપરે છે; અથવા મુનિ–યતિ જ્ઞાનાદિક આમિક ગુણમાં રમે છે. આ આત્મિક ગુણ તે જ્ઞાન, દર્શન, ચરિત્ર અને વીર્ય; તેઓ સંસારમાં રહેવા છતાં આત્મિક ગુણમાં રમણ કરે છે. તેઓની અને સામાન્ય સંસારી વચ્ચે આ ફેર હોય છે. હવે આ સંસારી છે અને યતિધર્મો પૈકી, જેઓ આત્મિક ગુણમાં રમણ કરનારા હોય છે, તેઓ તદ્દન નિષ્કામ અને નિસ્પૃહ હોય છે. સંસારી છે જ્યારે લાડીવાડી.ગાડીમાં આનંદ માને છે ત્યારે મુનિઓ નિજ ગુણમાં રમતા હોય છે અને તેને કોઈની કોઈ પ્રકારની પૃહા હોતી નથી. તેઓ પુદ્ગલના તે સંગમાં પણ આવતા નથી. તેઓ યતિધર્મો અને સમાચારીએ કહેલા આચરણમાં એટલા મશગૂલ હોય છે કે તેમને પુદ્ગલરંગમાં રંગાવાનું હોતું જ નથી. આ વાત સાચા અર્થમાં જે યતિ હોય, દુનિયાદારીથી દૂર રહી શકતા હોય, તેને જ લાગુ પડે છે. માત્ર વેશ પહેરવાથી મુનિ કે યતિ, સાધુ કે ત્યાગી થવાતું નથી, પણ આચરણમાં દશે યતિધર્મોને મૂકવા જોઈએ. મુનિઓ ખરેખરી રીતે કોઈની આશા રાખતા નથી અને આત્મિક ધર્મમાં રોકાયેલા રહી માત્ર આત્મતત્વનું ચિંતવન કરે છે. સાધુધર્મ બરાબર પાળવામાં આવે તે તે એ છે કે મુનિને આખે વખત આત્મિક ચિંતવન જ થઈ શકે, પણ તે યતિ શબ્દના મૂળ અર્થ પ્રમાણે વર્તનાર અને અમલ કરનાર જોઈએ. હવે અધ્યાત્મ ખરેખર અર્થમાં શું છે, તે સમજી પ્રભુને તે કેટલે અંશે લાગે છે, તેને નિર્ણય કરીએ અને પ્રભુને આદર્શ સ્થાને રાખવામાં કઈ પ્રકારને વાધ આવે છે કે કેમ તે વિચારીએ. (૨). ૩૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ [૨૪ર શ્રી આનંદઘન-વીશી નિજસ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી શ્રેયાંસ) ૩ અર્થ-જે પ્રાણી પિતાની આત્મિક ક્રિયા કરે તે ક્રિયાને અધ્યાત્મની ક્રિયા સમજવી, પણ જે કિયા કરવાથી ચાર ગતિમાંથી કોઈ પણ એક ગતિ મળે, તેને અધ્યાત્મ નામે ન ઓળખી શકાય. (૩) ટબો–જે ક્રિયા-સંયમાનુષ્ઠાન ચરણાદિ નિજ સ્વરૂપ સાથે તેને જ અધ્યાતમ લહીએજાણીએ. જ્ઞાને કરી જે કિયા કાયિકી આદિ, ધનરૂપ કરીને, ચાર ગતિને સાથે તે ક્રિયા અધ્યાત્મ કિયા ન કહીએ, એટલે ભવાટવીબંધન ગુણસ્થાન પ્રાપ્તિ થકી સકામ કિયા ત્યાંથી માંડી યાવનિજસ્વરૂપ પ્રકટન લગે, તે ક્રિયા અધ્યાતમ. (૩) વિવેચન–ખરેખરા અર્થમાં નિજ સ્વરૂપની જે કિયાઓ હોય તેને સાધનાર તે જ સાચા અધ્યાત્મી કહીએ. અધ્યાત્મી હંમેશાં નિજ સ્વરૂપમાં રમણ કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર કે વીર્ય એ સર્વ આત્મિક ધર્મો કે દશ યતિધર્મો એ સર્વ સૂઝે અને એમાં રમણ કરે તેને ખરેખરા અધ્યાત્મ જાણીએ. અધ્યાત્મીઓને આ અનેરો આનંદ છે. નિજ સ્વરૂપની ક્રિયા સાધવી એ એનું કર્તવ્ય હોય છે અને તે તેમાં જ રસ લે છે, અને પિતાનું અધ્યાત્મ સાચેસાચું ઝળકાવે છે. તેઓની સર્વ કિયામાં આત્મસ્વરૂપ ઓતપ્રેત થઈ જતું દેખાય છે. આવા આત્મસ્વરૂપને ખરેખરૂં યાવનાર જ ખરા અર્થમાં મુનિ છે, સાચા યતિ છે અને તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો ઝળકતા હોય છે. આવા મુનિ જ ખરેખરું અધ્યાત્મ સમજ્યા છે અને સમજીને તેને અમલમાં મૂકી રહ્યા છે એમ સમજવું. આવા આત્માથી ખરા મુનિ છે, અધ્યાત્મી છે. પણ જે કિયા કરીને મનુષ્યાદિ ચાર ગતિ પૈકી કોઈ પણ ગતિ સાધે તે અધ્યાત્મી કહી શકાય નહિ. તેઓ કિયા કરીને પરિણામે દેવગતિ મેળવે તે પણ અંતે તે નકામી છે; તેઓ અધ્યાત્મી નામને યોગ્ય નથી. દુનિયાદારીના લોકોને દેવગતિ સુંદર લાગે, પણ અંતે એ સોનાની બેડી છે, અને સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. અને તિર્યંચગતિ કે નારકગતિમાં તે લેશમાત્ર પણ સુખ નથી. એટલે ટૂંકામાં દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી ગતિમાંથી કોઈ પણ એક ગતિ એના પરિણામે પ્રાપ્ત કરે પાઠાંતર– સાધે’ સ્થાને પ્રતમાં “સાધઈ' પાઠ છે, તે ફેર જૂની અને નવી ગુજરાતીને છે, “કહિએ.” સ્થાને પ્રતમાં “કહિઈ' પાઠ છે, તે જૂની-નવી ગુજરાતીને ફેર છે. “સાધે’ સ્થાને પ્રતમાં “સાર્ધ” પાઠ છે, ફેરફાર ઉપરને કારણે છે. (૩) શબ્દાર્થ—-નિજ સ્વરૂપ = સ્વસ્વરૂપ, પિતાનું સ્વરૂપ, તેની. જે = જે કાંઈ. કિરિયા = ક્રિયા એટલે જે પિત્તાની સ્વરૂપસિદ્ધિ માટે તપ-જપ-સંયમાદિ ક્રિયા. સાધે = કરે. તેહ = તે (સંબંધક) અધ્યાતમ = તે ક્રિયાનું નામ અધ્યાત્મ ક્રિયા, આત્મસંબંધી ક્રિયા એટલે આમિક ક્રિયા; એટલે આત્મિક ક્રિયા તે અધ્યાત્મ યિા. લહિયે = લઈ લઈએ, સમજીએ. જે કિરિયા = જે ક્રિયા કરી ચગતિ સાધે = પામે મેળવે. કરી = કરવાને પરિ. ગામે. ચઉગતિ = ચારમાંથી કોઈ એક ગતિ, દેવતા, મનુષ્ય, તિયચ, નારકી એ ચાર ગતિ પૈકી. સાધે = મેળવે, પ્રાપ્ત કરે. તે ન = તેવી ક્રિયાને નહિ, ન અધ્યાતમ = અધ્યાત્મ. લહિયે રે = લઈએ, ગણીએ નહિ, ધારીએ નહિ. (૩) Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : શ્રી શ્રેયાંસનાથ જિત સ્તરન [ ૨૪૩ તેને અધ્યાત્મ ન કહેવાય. એટલે અધ્યાત્મ ખરેખરું પ્રાપ્ત થયું હોય તે આત્મિક ગુણામાં રમણતા જોઇએ. અને ચારમાંથી કોઇ પણ એક ગતિમાં જવાપણું જ્યારે ન રહે ત્યારે જ સાચા અધ્યાત્મ સાથે સબંધ થાય. અધ્યાત્મની આ વ્યાખ્યા બહુ સમજવા લાયક છે; એમાં જરાયે વાંધા નથી. આત્મિક ગુણામાં રમણતા તે અધ્યાત્મ, અને ચાર પૈકી કોઇ પણ ગતિ સાથે તેને અધ્યાત્મ ન કહેવામાં જ અધ્યાત્મની ખરી સિદ્ધિ છે, એમ જાણી જે યતિએ આત્મિક ગુણુમાં રમણુ કરનારા હાય તેને જ ખરો આશ્રય લેવાય તે તમારા હિતની નજરે ઇચ્છવા યાગ્ય છે. જ્યાં પોતાના સ્વરૂપને સાધવાની ક્રિયાએ ચાલતી હોય ત્યાં ખરા અધ્યાત્મને વાસા છે અને ચાર ગતિને સાધનારી જેની ક્રિયા હોય ત્યાં અધ્યાત્મની ગંધ પણ સમજવી નહિ. એવા માણસા ગમે તેટલા મોટા દાવા કરે, પણ તે જરા પણ અધ્યાત્મી નથી, એમ સમજવું. અહીં જે નિજસ્વરૂપસાધનાના માર્ગ બતાવ્યા છે તે માના જે અર્થીએ છે, તે સાચા અધ્યાત્મી છે અને આદર્શ સ્થાનને યાગ્ય છે. પ્રભુને એ માગે` સ'ચાર છે એ આપણે તેના ચરિત્ર પરથી જાણીએ છીએ. અને તેટલા માટે તેઓ આપણા આદર્શીને યોગ્ય છે એમ સમજવું. આમાં બાહ્ય ઉપલક ક્રિયા કરનાર સાધુ-યતિનું શું સ્થાન છે તે સમજી લેવું અને આત્મિક ક્રિયાના આદર કરવા એવા ઉપદેશ છે તે બહુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરવા યાગ્ય છે. આ વાતની વધારે ચાખવટ કરવા માટે હજુ અધ્યાત્મના નામાદિ ચતુષ્ટયને વિચારી તેના વિભાગેા પાડવામાં આવશે તે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવા યોગ્ય છે. (૩) નામ અધ્યાતમ ઠવણુ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છડા રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહશું રઢ મડો રે. શ્રી શ્રેયાંસ૦ ૪ અ અધ્યાત્મ પૈકી જે માત્ર અધ્યાત્મ શબ્દોચ્ચાર છે તેનું નામ નામ અધ્યાત્મ. અધ્યાત્મની સ્થાપના કરવી તે સ્થાપના અધ્યાત્મ. બાહ્ય દેખાવ માત્ર તે દ્રવ્ય અધ્યાત્મ. આ ત્રણે અધ્યાત્મો ત્યાગ કરવા યાગ્ય છે. ચેાથુ` ભાવ અધ્યાત્મ છે, તે પોતાના ગુણને પ્રાપ્ત કરે છે, તે તેની સાથે રટના માંડો, તેને લાગી જાઓ અને તેના મય થઈ જાઓ. (૪) ૦૮ પાઠાંતર— નામ અધ્યાતમ ’ સ્થાને પ્રતમાં ‘ અરથ અધ્યાતમ ' પાડે છે; અથ` તે જ રહે છે. ‘ તો તેહશું ’ સ્થાને ‘તે તેહશું' એવા પાડે એક પ્રતમાં છે. ‘ ર’ સ્થાને એક પ્રતમાં ‘ર’િ એવા પાઠ આપ્યા છે. (૪) શબ્દા —નામ = માત્ર નામનુ જ, કહેવામાત્ર અધ્યાતમ = અધ્યાત્મ, આત્મા સંબધી, અધ્યાત્મ એવું નામ તે વણ = સ્થાપના, થાપેલ, સ્થાપેલ, આરોપણ કરેલ. અધ્યાતમ = સ્થાપના કરેલ અધ્યાત્મ, એટલે સ્થાપેલ અધ્યાત્મ. દ્રવ્ય = દેખાવમાત્ર, ખરેખરું નહિ તેવા પ્રકારનુ અધ્યાત્મ, એમાં આત્મા ખોવાઈ જાય, ગાત્યા જડે નહિ. અધ્યાતમ = આત્મા નામના જ માત્ર, દેખાવમાં છડા મૂકી દો, છેડી દો. ભાવ અધ્યાતમ = ખરેખરું', ભાવથી, હૃદ પૂર્ણાંકનું અધ્યાત્મ. નિજ ગુણ = પોતાના ગુણ, આત્મિક ગુણ સાધે = મેળવે, પ્રાપ્ત કરે. તે = તે ખાતર, તેટલા માટે. તેહશું = ભાવ અધ્યાત્મમાં. ર = પ્રેમ, સ્નેહ, વારંવાર કહેવુ તે. મડો – માંડા, શરૂ કરો. (૪) = Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] શ્રી આનંદઘન-ચાવીશી ટબો–વળી ચાર નિક્ષેપે અધ્યાતમ : નામ અધ્યાતમ ૧. સ્થાપના અધ્યાતમ ૨. દ્રવ્ય અધ્યાતમ ૩. એ ત્રણને રેયપણે કરી હેયપણે કરવા. ભાવ અધ્યાતમ નિરુપાધિક નિરાશંસપણે જે ક્રિયા સાધક એ જે પરિણામ, તે ભાવ અધ્યાતમ પિતાના ગુણને સાધે-નિપજાવે-નિરાવરણ કરે, તે માટે એ અધ્યાતમમાં દેવાનુપ્રિયે ! લેકરતિ-ચિરાગ માંડે (૪) - વિવેચન–અધ્યાત્મને ચાર નિક્ષેપથી અત્રે જણાવવામાં આવે છે. પ્રથમ તે નામમાત્ર અધ્યાત્મ, અધ્યાત્મનો શબ્દમાત્ર જાણે, પણ તે શું છે, તેને ઊંડો આશય શો છે, તે વિચારે નહિ, માત્ર નામથી અમે અધ્યાત્મી છીએ એવું જાણે, પણ તેને આશય જાણે નહિ. એ નામ અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મ શબ્દને સ્થાપવો, તેને માટે માનવો, પિતામાં તેના કાંઈ ગુણ ન હેવાપણું તે બીજે સ્થાપના અધ્યાત્મ નામને પ્રકાર જણ. ઉપર ઉપર યુગને ડોળ કરી કે રોચક, કુંભક, પૂરક નાડી દ્વારા બાહ્ય અધ્યાત્મને ડોળ રાખો કે પ્રાણાયામાદિ કરવા તે દ્રવ્ય અધ્યાત્મ કહેવાય. આ પ્રકારમાં દેખાવ સિવાય અંતરવૃત્તિ જરા પણ સુધરી ન હોય. અધ્યાત્મના આ ત્રણે પ્રકારે–નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ અને દ્રવ્ય અધ્યાત્મ –એ માત્ર જાણવા યોગ્ય છે, તે સમજી રાખવા ગ્ય છે, પણ છોડવા યોગ્ય છે, તજવા યોગ્ય છે. તે સાચા અધ્યાત્મને સમજવા માત્ર ય વિભાગમાં આવે છે. રેય વિભાગની કોઈ પણ ચીજ જાણવા યોગ્ય છે, એટલે એના એટલા વિભાગ થઈ શકે છે, તે સમજવા ગ્ય છે પણ એ નિક્ષેપ સંઘરવા યોગ્ય નથી. હવે અધ્યાત્મને ચે નિક્ષેપ ભાવ અધ્યાત્મને છે, તે આદરવા યોગ્ય છે. તે શું છે તે આપણે વિચારીએ. વસ્તુના ત્રણ પ્રકાર પડે છેઃ હેય, રેય અને ઉપાદેય. હેય એટલે તજવા યોગ્ય, રેય એટલે જાણવા મેગ્ય અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. એમાં અહી ઉપર જે અધ્યાત્મના ત્રણ પ્રકાર બતાવ્યા તે ય વિભાગના છે, પણ જાણીને તજવા ગ્ય છે. એમાં કાંઈ લાભ થાય નહિ; અને તેમાં આપણને સંસારને છેડી દઈ, નિરંજન નિરાકાર સ્થિતિ પ્રાપ્ત કરવાનું થઈ શકે નહિ અને આપણે આશય મેક્ષ જવાને છે, તે કાંઈ અમલમાં મુકાય નહિ; અને આપણા જન્મમરણના ફેરા તે ચાલુ જ રહે. આ ચોથો ભાવ અધ્યાત્મને વિભાગ તે બહારની અને અંદરની સ્થિતિને એકસરખી રાખી અને પિતાના આત્મિક ગુણમાં પ્રવૃત્તિ કરાવી પિતાના આત્મિક ગુણને પ્રકટ કરે છે, અને તેમાં જ રમણ કરાવે છે; તે ઉપાદેય નિક્ષેપ છે. માટે નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ તથા દ્રવ્ય અધ્યાત્મને છોડી દઈ આ ભાવ અધ્યાત્મ ખાતર રઢ લગાવે. એમાં આત્માનું આ ભવસાફલ્ય છે અને એથી જીવનને ઉદ્દેશ પાર પડે છે, માટે એને ઉપાદેય ગણીને સ્વીકારે. સંસારના ફેરામાંથી બચવાને આ એક જ ઉપાય છે અને તે અમલમાં મૂકવા યોગ્ય છે. (૫) Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન [ ૨૪૫ શબ્દ અધ્યાતમ અર્થ સૂણીને, નિર્વિકલ્પ આદરજે રે શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે. શ્રી શ્રેયાંસ પ અર્થ-અધ્યાત્મ એવો શબ્દમાત્ર જાણીને તેને અર્થ સાંભળજો અને પછી વિકલ્પ સર્વ મૂકી દઈને તેને ભાવાર્થ સ્વીકારે. શબ્દમાત્ર અધ્યાત્મમાં સાચાપણું હોય કે ન પણ હોય, તે સમજીને ત્યાગ અથવા ગ્રહણને નિશ્ચય કરજે. (૫) ટબે—એ અધ્યાત્મ શબ્દનો અર્થ પરમાર્થથી સાંભળીને નિવિકલ્પપણે સત્યપ્રીતિ તે કલ્પનાજાળ રહિત, તે જ ભાલ અધ્યાતમ આદર. શબ્દથી જે અધ્યાત્મ બોલીએ તેમાં ભાવ અધ્યાત્મની ભજના જાણવી. જેમ દાન ગ્રહણાદિ શબ્દ. જેમ શબ્દ અધ્યાતમ શબ્દ અધ્યાતમ મતિ ધરીએ તેમ શબ્દ અધ્યાત્મની ભજના ધરવી. (૫) વિવેચન-તમે અધ્યાત્મ” શબ્દ સાંભળીને બેશકપણે તેને સ્વીકાર કરજે. જ્યારે તમે અધ્યાત્મ જાણો અને તેને આદરે ત્યારે તમને એવી મજા આવશે કે એની સાથે સરખાવી શકાય એવી આ દુનિયામાં કોઈ પણ વસ્તુ નથી, એ તે અણમૂલી વસ્તુ છે, એવા પ્રકારનું અધ્યાત્મનું મૂલ્ય છે. પણ એના મેહમાં ન પડતા; અને મેહ તે જગતમાં ફસાવનાર છે. તેથી અધ્યાત્મ શબ્દથી લેવાઈ ન જશે, પણ એને ખરા અર્થમાં સમજીને સ્વીકારજે. નામ, સ્થાપના અને દ્રવ્ય અધ્યાત્મ તજવા ગ્ય છે અને માત્ર ભાવ અધ્યાત્મ આદરવા ગ્ય છે. પણ તેને બરાબર અર્થ શું છે તે વિચારે અને સાચા અર્થમાં જ અધ્યાત્મને આદરે છે. બાકી માત્ર શબ્દ અધ્યાત્મ હોય ત્યાં ગુણ હોય કે ન પણ હોય; ગુણ ન હોય તે તેને છોડી દેવાની અને ગુણ હોય તે તેને પકડી લેવાની બુદ્ધિ રાખજે. એકલા અધ્યાત્મ શબ્દમાં જ રાચી ન જતા. એવા તે અનેક અધ્યાત્મીઓ હોય છે કે જેઓ પોતાની જાતને અધ્યાત્મી હોવાનો દાવો કરે છે, પણ જે તેઓ માત્ર શબ્દ અધ્યાત્મી હોય, તેનાથી ફસાઈ ન જતા, અંતે તેઓ સંસારની નાવમાં અટવાઈ પડે છે. ભાવ અધ્યાત્મ ખરા અર્થમાં અધ્યાત્મ છે. બાકીના ત્રણ અધ્યાત્મમાં સંસારમાંથી તરવાની તેની મરજી છે કે નહિ, તે તે વિકલ્પ છે-ભજના છે અને ગુરુ પિતે ન તરે, તે બીજાને પણ તારવાના નથી જ, એટલે ગુરુને ગુરુપદે સ્થાપવા પહેલાં તે સાચા અર્થમાં અધ્યાત્મ સમજ્યા છે કે નહિ અને સમજીને તેને આચરનાર છે કે નહિ તે વાતની ખાતરી કરી તેને અસ્વીકાર કે સ્વીકાર કરજે. અધ્યાત્મને અંગે આ ચેતવણી બહુ સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવી છે. (૫) પાઠાંતર–આદરજો રે' સ્થાને ‘આદર રે પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “ જાણી’ સ્થાને પ્રતમાં જાંણી પાઠ છે, તે જૂની ગુજરાતી છે “હાન” સ્થાને પ્રતમાં “દાન” પાડે છે, અહીં અર્થ ફરી જાય છે; દેવું. લેવાના અર્થમાં આ શબ્દ છે. “ધર” સ્થાને પ્રત લખનાર “ધર” પાઠ આપે છે; જયનો જૂની ગુજરાતીમાં અભેદ છે. (૧) શબ્દાર્થ–શબ્દ = અધ્યાત્મ શબ્દ જ, એનું નામમાત્ર. અધ્યાત્મ = શબ્દમાત્ર અધ્યાત્મ, અધ્યાત્મ શબ્દ જ તેના. અર્થ = ભાવાર્થ, કહેવાનો હેતુ. સૂણીને = સમજીને, સાંભળીને. નિર્વિકલ્પ = વિચાર કર્યા સિવાય. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬] શ્રી આનંદઘન-ચવીશી અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, “આનંદઘન મત વાસી રે. શ્રી શ્રેયાંસવ ૬ અથ—અધ્યાત્મમાં તે વસ્તુને વિચાર જ હોય, બાકીના સર્વ માણસો બેટા છે, ગટાળિયા છે. વસ્તુ જેવી હોય, તેવી જે પ્રકટ કરે અને તેના પર અજવાળું ફેકે તે આનંદના સમૂહ(મોક્ષ)માં વાસ કરે, ત્યાં રહેનાર થાય. (૬) ટબે–વસ્તુગતે જે વિચારીને કહે તે અધ્યાત્મ કહીએ, બીજા જે વચનવિચાર તે લવાસી -વચનમાત્ર અને વરતુગતે જે પરમાર્થ જાણી વસ્તુ પ્રકાશે–કહે, આનંદઘનમત–સ્યાદ્વાદમત તેના વાસી જાણવા, એટલે અગીઆરમા શ્રી શ્રેયાંસ જિનનું સ્તવન પૂરું થયું. (૬) વિવેચન વિચારવાની પ્રાણ તેટલા માટે અધ્યાત્મને એના ખરા અર્થમાં સમજે. જેઓ ડળઘાલુ હોય છે, તેનાથી ચેતે, જેમાં વિષય-કષાયની મંદતા થયેલી ન હોય, તેને છોડી દે અને જ્યાં પૂરા અર્થમાં અધ્યાત્મ દેખાય ત્યાં તેને સ્વીકાર કરે અને ત્યાં આત્મસમર્પણ કરે. આ રીતને વિચાર કરી સાચા અર્થ સમજનારને આપણે આધ્યાત્મી તરીકે બીજે બધે વિચાર કરીને, રવીકારો. અને જે ખરા અર્થમાં ભાવ આત્મીય ન હોય તેને લબાડી કે હૈંગી જાવા. એવા લબાડ-લુચ્ચા માણસને વગર શંકાએ ત્યાગ કરવો. જે સંસારમાં રાચતા હોય, જે ઇન્દ્રિયને વશ પડેલા હોય, જેને વિષય-કષાય ઉપર કાબૂ ન આવ્યું હોય, તેવા માણસો પોતે તરે નહિ અને પિતાના આશ્રિતને તારે નહિ, માટે જે ભવિષ્યમાં પિતાનું શ્રેય ઇચ્છતા હોય, તેમણે આવા ગુરુને વગર શકાએ ત્યાગ કરે. જે પુરુષ વસ્તુગતે વસ્તુઓને જણાવે તે અંતે આનંદના સમૂહને પ્રાપ્ત થનાર છે. આનંદને ઘનમાં વસનાર છે અને અંતે આ સંસારને વિસ્તાર પામી ઊર્ધ્વગમન કરનાર છે. તેમને સમજી, ઓળખી, આદરવા અને તેમને સ્વસમર્પણ કરવું. અને તેમની નિશ્રાએ ચાલી પિતાનું ભવિષ્ય પણ સુધારવું. (૬) સંકલ્પ-વિકલ્પ વગર, વગર શંકાએ. આદર = સ્વીકારજે, તેને અમલ કરજે. શબ્દ અધ્યાત્મ = માત્ર અધ્યા શબ્દ જ. ભજના =હોય કે ન પણ હોય, વિકલ્પ હોવાપણું. જાણી = સમજી. હાન = ત્યાગ, ત્યજી દેવું તે. ગ્રહણ = સ્વીકારવું, આદરવું. મતિ = બુદ્ધિ, નિર્ણય. (૫) પાઠાંતર–વસ્તુ’ સ્થાને પ્રતમાં “વસુ” પાઠ છે; પણ જ્ઞાનવિમળસૂરિ વસ્તુ અર્થ કરે છે. “જાણ સ્થાને પ્રતમાં “જાણિ” પાઠ છે, અર્થ ફરતો નથી. જૂની ગુજરાતી છે. “ગ” સ્થાને પ્રતવાળો ગતૈ” પાઠ આપે છે, તે જૂની ગુજરાતી છે. પ્રકાશે સ્થાને ‘પ્રકાશ પાઠ છે, તે જૂની ગુજરાતી લઈને છે. “મત” સ્થાને મતિ પાઠ છે. આનંદઘનમત એટલે સ્યાદ્વાદમતે એ તેનો અર્થ છે. આનંદધનને અર્થ બીજે છે તે માટે જુઓ વિવેચન (૬) શબ્દાર્થઅધ્યાત્મ = અધ્યાત્મી પુરુષ, જે ખરેખરા અધ્યાત્મરંગથી રંગાયેલા હોય છે. જે = જેઓ વસ્તુવિચારી = વસ્તુનો વિચાર કરનાર હોય તે, સાચા આધ્યાત્મી. બીજા = અન્ય, કઈ પણ એ સિવાયનાજાણ = સમજ, લે. લબાસી = ખોટા, જૂઠા. વસ્તુગતે = વસ્તુ જેવી હોય તેવી વાત જેવી હોય તેવી, જે = જેઓ. વસ્તુ = વાતને. પ્રકાશ = જાહેર કરે, સમજાવે આનંદધન = આનંદના સમૂહને વરનોર. મત = માર્ગ. રસ્તો. તેમાં. વાસી રે = વસનાર છે. (૬) Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન [ ૨૪૭ ઉપસંહાર આવી રીતે અધ્યાત્મને આપણે જુદા જુદા અર્થમાં અહીં સમજ્યા. એ અથ આપણા જીવન સાથે એટલા બધા અતલગના (છેક નજીકના ) સબંધ ધરાવે છે કે એના પર જેટલું વિવેચન કરવામાં આવે, તે અલ્પ ગણાય; પણ એની વિચારણામાં સર્વથી વિશેષ મહત્ત્વની વાત ચાર નિક્ષેપે અધ્યાત્મને એળખવાની બાબત છે. એક નામ માત્ર અધ્યાત્મ હાય, પણ આત્માના એક અક્ષર જાણે કે સહે નહિં, તે માત્ર નામ અધ્યાત્મી કહેવાય. પછી અધ્યાત્મની સ્થાપના કરે તે સ્થાપના અધ્યાત્મ કહેવાય. દ્રવ્ય અઘ્યાત્મીઓ પ્રાણાયામાદિક કરે છે, સાધુના સર્વ આચાર પાળે છે, પણ આ ત્રણે નિક્ષેપા તજવા યાગ્ય છે. આદર તા ભાવ અધ્યાત્મના જ કરવા યાગ્ય છે. જેનામાં વિષય-કષાયની મંદતા હાય, જે ખરા સાધુ-યતિ નામને દીપાવનાર હાય, તેને આદર કરવા અને બીજા—બાકીના ઉપર કહ્યા તે સર્વ નિક્ષેપાને લેભાગુ વમાં મૂકવા અને તેમને આશ્રય ન કરવા, એ આખા સ્તવનનું રહસ્ય છે. જો ગુરુસ્થાને જેવા તેવાને રખાઈ જાય તે આપણા અવતાર એળે જાય છે, તેથી ભાવ અધ્યાત્મીને જ આદરવા અને તેમને જીવન અ`ણુ કરવું. ગુરુ કે દોરવણી આપનારની જેવી તેવી કસોટી ન કરવી. તે આપણી સ` કસોટીઓમાંથી પસાર થાય તે જ તેને ચરણે શિર ઝુકાવવું. આ બાબતને ઘણું મહત્ત્વ એટલા માટે આપવામાં આવ્યું છે કે આપણા ભવિષ્યના આધાર ગુરુની પસંદગી ઉપર રહે છે. સાચા ભાવ અધ્યાત્મી ગુરુ મળે તે સંસારને પાર પમાય છે. અને આપણે પાતે કયે પગથિયે ઊભા છીએ એ પણ આ ચાર પ્રકારના નિક્ષેપના જ્ઞાનથી સ્પષ્ટ થઈ જાય છે. ઘણીવાર પ્રાણી દેખાવમાત્રમાં દોરવાઈ જઈ, પોતામાં જે ગુણે ન હોય તે છે, અથવા હશે એમ માનીને ચાલે છે. તેની ધારણા કેટલી ખાટી છે તે આ સ્તવનને પાતાને લાગુ પાડવાથી ખરાખર સમજાઈ જશે. વાત એ છે કે ચેતન પોતાને પણ કોઇ કોઇ વાર છેતરે છે અને પાતામાં ન હોય તેવા ગુણા પોતાનામાં હશે, એમ ધારી લે છે. એવી કફોડી હાલતમાંથી બચવા માટે આ દીવાદાંડી છે અત્યારે જે જે અનુકૂળતાએ મળી છે તેને જો ખરેખરો લાભ લઇ લેવા હોય તો સદ્ગુરુને ચરણે આત્મસમર્પણ કરવું. આવે! અવસર ફરી ફરીને નહિ મળે, તે માટે આદશ તેા તીર્થંકરના જ રાખવા, એ આદર્શની પસંદગીમાં મદદ કરે તો સ્તવનની કૃતિ ઉપયેગી થઈ ગણાય; એ દૃષ્ટિથી આ સ્તવન સમજવા યેાગ્ય છે અને તેના પ્રત્યેક ભાગ વિચારણીય છે. એ દૃષ્ટિએ ખારમા ભગવાનનું સ્તવન પણ વિચારવા યાગ્ય છે. આપણે તે જોઇએ. ફેબ્રુઆરી : ૧૯૫૦ ] Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન સંબંધ-હવે આપણે બારમા ભગવાન શ્રી વાસુપૂજ્યના સ્તવન પર વિચાર કરીએ છીએ. એ સ્તવનમાં આત્મવિચારગુ કરેલ હોવાથી બધાં સ્તવમાં જુદા જ પ્રકારની ભાત પાડે તેવું એ સ્તવન છે. આત્મવિચારણાને અંગે વિચારવાનું કે આત્મા કેણ છે, હું કોણ છું, એ વિચાર તે દરેકને આવે જ, પણ એના નિશ્ચયમાં એ એ પાછો પડી જાય કે એ પિતાની જાતને જ ઓળખતે નથી, એમ કહી શકાય. તમારું જે નામ હોય એ પણ તમે નથી. ત્યારે તમે કોણ? તમે શું આ પંચ ભૂતનાં પૂતળાં? એ સર્વ કાંઈ નથી; એ સર્વ તે તમે જાઓ ત્યારે અહીં પડી રહેનાર છે. એવી પરિસ્થિતિ હોવાથી તમારામાં એક સ્થાયી તત્વ છે, જે તમારાં સર્વ કૃત્યનાં સારા-નરસાં ફળ આપે છે અને અંતે તે એક જ તમારી સાથે રહે છે. જેને તમે તમારા પિતાનાં માને છે, તે પણ વધારેમાં વધારે તે મરણ સુધી જ સાથે રહેનાર છે. તમારે ઈષ્ટ મિત્ર પણ અહીં જ રહી જનાર છે. આ સર્વ વિચારણા કરી પિતાની સાથે કોણ આવનાર છે તેને પાકે વિચાર કરે તે આત્મવિચારણા છે. આત્મા એક જ તમારી સાથે આવનાર છે. કર્મને કરનાર આત્મા, તેને ભેગવનાર પણ આત્મા અને એ આત્મા, તે જ તમે પિતે છે. તમને ગતિમાં મૂકનાર, તમને સ્થિતિમાં રાખનાર આત્મા છે. એટલા માટે આપણી જાતને (પ્રથમ પુરૂષ એકવચનને) અનેક દૃષ્ટિબિંદુથી ઓળખવાની જરૂર છે. ઘણી નવાઈની વાત છે, કે તમે પિતે કોણ છે, તે જાણતા જ નથી, અથવા તમારે ખ્યાલ ઉપરચેટિયે છે. તમારી જાતને ઓળખો અને અત્યારે જે વિસંવાદમાં તમે પડી ગયા છે, તેમાંથી ઊગરી જાઓ. આખા સ્તવનમાં તમારી જાતને ઘણી ઘણી રીતે ઓળખાવી છે, એ સમજી આવા વિચાર જે કરી ગયા છે તેને પગલે ચાલે, એટલા માટે આ બારમું વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન છે. આ સ્તવનની વિચારણા તમને ઘણી મદદગાર થઈ પડશે. સ્તવન (રાગ : ગોડી તથા પરજીઓ; તુંગી ગિરિશિખર સોહે-એ દેશી.), વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી ઘનનામી પરનાની રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફળ કામી રે. વાસુપૂજ્ય. ૧ પાઠાંતર–પનામી” એ સ્થાને “પરિણમી ” પાઠ પ્રતમાં છે, પણ એ આગળ જતાં પુનરાવર્ત થાય છે, તેથી પનામી પાઠ પસંદ કર્યો છે. “સચેતન” સ્થાને પ્રતમાં “ચેતના” પાઠ છે; અર્થ ફરતો નથી, પણ વિચારણીય છે. “ નિરાકાર' સ્થાને પ્રતમાં “નરંકાર” પાઠ છે, પણ અસલ પાઠ સારો અથ આપે છે. કરમ કરમ' સ્થાને એક પ્રતિકાર કરમ કરે ” પાઠ આપે છે; અથ ફરતો નથી; જુઓ વિવેચન (૧). Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન [ ૨૪૯ અવાસુપૂજ્ય નામના બારમા તીર્થંકર સુરાસુરથી પૂજિત, ત્રણ ભુવન એટલે સ્વ, મનુષ્યલોક અને પાતાળના સ્વામી અને અનેક નામવાળા-નામધારી અને પિરણામ પામવાવાળા છે. એ પ્રભુ નિરાકાર છે, અને આકાર સહિત પણ છે. તેમ જ ચેતના(બે પ્રકારની)વંત છે. તે આત્માના મૂળ ગુણ યુક્ત છે, કરમ કરનારા છે, અને એ સારા-ખરાબ કર્મ થાય, તેના ફળના વાંછક છે. (૧) ટમે —આ સ્તવન ઉપર જ્ઞાનવિમળસૂરિના એ વમાન ગુજરાતી ભાષા પ્રમાણે નીચે મુજબ છે : હુવે બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય-સકળ દેવાધિદેવનું સ્તવન કહેશું. આ વાસુપૂજ્ય પ્રભુ ત્રણ ભુવનના સ્વામીનાથ છે, ઘન બહુ નામ છે, અરિહંત ભગવંતાદિક તે પરિણામી છે—તે સ્વભાવે છે. નિરાકાર-સાકાર ચેતના તે સામાન્ય-વિશેષ ઉપયેાગવત છે, કમ અને ક ફલના કામી એટલે ધધર્મી ઉભયના પ્રાપક (મેળવી લેનાર) છે. (૩) વિવેચન—વાસુપૂજ્ય નામના બારમા ભગવાન, જે સ્વ, મ` અને પાતાળ એમ ત્રણે લેાકના સ્વામી છે, જે દેવેન્દ્રથી પૂજ્ય છે, જે ચક્રવર્તીથી પૂજ્ય છે અને જે અસુરેન્દ્રથી પૂજ્ય છે અને નારકીના જીવાના પણ સ્વામી છે, જેઆ અનેક નામે જાણીતા છે—‘ઘન' એટલે સમૂહ એમાંથી જ ‘ઘણા' શબ્દ નીકળ્યે—આપણે એ પ્રભુનાં અનેક નામેા સાતમા સ્તવનમાં વિચારી ગયા, જેએ પાતે સારામાં સારા નામધારી છે, અતિ વિખ્યાત છે અને જે પિરણામ પામેલા છે, તીથ 'કર પદને વરેલા છે અથવા જેએ! દુશ્મના-રાગદ્વેષાદિક કષાય–ને નમાવનાર છે. આના સબંધક તે હવે આવશે. એ આત્માને સમજાવનાર હોવાથી આખું સ્તવન ખૂબ સમજીને પચાવવા યાગ્ય છે, કારણ કે આખા સ્તવનમાં આત્મવિચારણા જુદાં જુદાં અનેક દૃષ્ટિબિ’દુએથી કરેલી છે. આ બધા ભાવાને જાણી-સમજી-વિચારી પ્રભુ આત્માના મૂળ ગુણમાં રમી રહેલ છે તેથી યગ્ય રીતે તે આપણા આદશ સ્થાનને યોગ્ય છે. આ આત્મા મૂળ ગુણે નિરાકાર છે, એને કોઈ આકાર નથી, અને વ્યવહારથી પુદ્ગળ સંગે તેનામાં અમુક આકાર હોય છે. એ રીતે આત્મા એ પ્રકારના ગણાય : મૂળ ગુણે નિશ્ચયનયે—એ નિરાકાર છે, અને સ'સારમાં હાય ત્યાં સુધી, વ્યવહારનયે, એ આકાર-આકૃતિને ધારણ કરનાર-શરીરવ્યાપી—હાય છે. પ્રભુ જ્યારે દેશના આપે ત્યારે તે સાકાર છે અને જ્યારે મેક્ષમાં જાય ત્યારે નિરાકાર છે. આ દૃષ્ટિબિંદુએ આત્માના બે પ્રકાર થયા; તે બન્ને પ્રભુમાં સાબિત થયા. પ્રત્યેક આત્માને એ પ્રકારે શબ્દા—વાસુપૂજ્ય = વાસુપૂજ્ય નામના બારમા તીથંકર, જિનપતિ. જિન = કેવળજ્ઞાન પ્રાપ્ત તી``કર ભગવાન. ત્રિભુવન = સ્વ`, મ` અને પાતાળ–ત્રણ લોક. સ્વામી = શેઠ, માલેક. ધનનામી = અનેક નામવાળા, અનેક નામ ધારણ કરનાર, એમાં ધન એટલે સમૂહ. પરનામી = બહુ ઊંચા પ્રકારનું જેનું નામ છે તે, પરતે નમાવનાર. નિરાકાર = જેને દેખી શકાય એવી આકૃતિ વગરના, સિદ્ધદશામાં વતા. સાકાર = દુનિયામાં હતા તે વખતે આકૃતિયુક્ત, સાકારી, આકારવાળા, સચેતન = ચેતનામય. ચેતના ( તેમની ) બે પ્રકારની હતી. કરમ = કમ`, કામ, ક્રિયા. કરમફળ = કર્મફળ, કર્મીનુ પરિણામ. (૧) ૩૨. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] શ્રી આન‘ઘન-ચાવીશી સમજવાના છે. આત્માને જુદી જુદી અવસ્થાને અંગે નિરાકાર અને સાકાર એમ કહેવા એમાં જરા પણ વિરોધ નથી, કારણ કે એ અવસ્થાભેદે છે, એમ ધ્યાનમાં રાખવું. આત્મા વ્યવહારનયે કર્માં ના કર્તા છે અને કમ–ફળને ઇચ્છનારે છે. જ્યાં સુધી આ સંસારમાં હોય ત્યાં સુધી તે કમ કરે છે, અને સારાં કર્મો કરે તે સારાં ફળ મળે અને ખરાબ કર્મો કરે તો ખરાબ ફળ મળે. પછી નિ:કર્મા થઈ તે સિદ્ધ થાય, ત્યારે તેને કોઈ કમ કરવાનું નથી અને ફળ ભાગવવાનાં નથી. આવે। આત્મા છે, આવે! ચેતન છે. કમ તે પોતાનાં સારાં-માઠાં ફળ આપે જ છે. તે ટાળી શકાય તેમ નથી; તેમ ઇચ્છવું તે ક ફળકામીનું સમજવા જેવું સ્વરૂપ છે. એઠું ખેલનાર અથવા આંખે કાણા થાય, લૂલા થાય, તે સર્વ કર્માંનાં ફળ છે, અનિવાય ફળ છે, અને મેાક્ષમાં ગયા પછી તે કમ કરવાનાં રહેતાં નથી, પ્રાણી તદ્ન નિઃકી થઈ જાય છે, નિજ ગુણામાં પ્રવૃત્ત થાય છે તેથી તે જ્ઞાનદન-ચારિત્ર ગુણમાં રહે છે, તેથી તેને કમ કરવાપણું રહેતું નથી. આવી રીતે આત્માની સ્થિતિ સમજીને નિઃકર્મી થવાના આદશ કાયમ કરવા અને તે માટે વિષયકષાયની માંદ્યતા કરવી અને પરિણતિની નિર્મળતા કરવી; કારણ કે કાંઇ કર્યા વગર બેઠા બેઠા મેક્ષ જેવી ચીજ મળે તેમ નથી. એ સહેલી વાત નથી, પણ એ મેળવ્યા વગર ખીજો માગ નથી અને વગર કામ કયે તે સ્થિતિ મળવાની નથી, માટે એ વાતને અનુકૂળ કામ કરવું અને એ સ્થિતિ મેળવવાની ભાવના રાખવી. અતિ ઉપયોગી બેધ આપનારા આ સ્તવનને આપણે વધારે સમજવા યત્ન કરીએ. (૧) નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક સાકારો રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે. વાસુપૂજ્ય ૨ અર્થ આત્માના નિરાકારપણાના તેઓ ગ્રાહક છે અને ભેદ ગ્રાહક હેાવાથી તેમનામાં સાકારપણું રહેલ જ છે. દન અને જ્ઞાન તેઓમાં અભેદભાવે વર્તે છે તેથી તેએની ચેતના કહેવાય છે, અને તે ચેતના વસ્તુને જાણવાના ધંધા-વ્યાપાર કરે છે. (૨) ટા—નિકારાર ને અભેદગ્રાહક સામાન્ય ઉપયોગ રૂપ, સાકાર તે ભેદગ્રાહક વિશેષ પાઠાંતર—— અભેદ’ સ્થાને એક પ્રતમાં ‘દુભેદ ' પાઠ છે; અથ ફરતા નથી. ‘વ્યાપારા ' સ્થાને · વિચાર! ’ પાર્ક એક પ્રતમાં છે. ‘ નિરાકાર ’ સ્થાને એક પ્રતમાં ‘ નિર કાર ’પાઠ છે, એ અશુદ્ધ લાગે છે. ‘ દર્શન’ સ્થાને ‘ દર્શન' એવા પાઠ એક પ્રતમાં છે; એને અથ સમજાતા નથી. ‘ દુભેદ ’ સ્થાને એક છાપેલ પુસ્તકમાં ‘ અભેદ ’ પાડે છે, તે ઠીક નથી લાગતા. ‘ ચેતના' માથે-એક પ્રત ‘ચેતના ' લખીને ૦ મૂકે છે. · ગ્રહણ ’ સ્થાને એક પ્રતમાં ‘ વ્રણ ’ પાઠ છે. જે અશુદ્ધ જણાય છે. (ર) C - = શબ્દા —નિરાકાર = એમની ચેતના, જે આકાર વગરની છે તે. અભેદ = વિભાગ–ભેદને અભાવ. સંગ્રાહક = સંગ્રહનયે, સંગ્રહનયના દૃષ્ટિબિંદુએ. ભેદ = વિભાગ. ગ્રાહક = ગ્રહણ કરનાર આકારો રે= આકૃતિ કાઈ પણ હાય તે સાકાર કહેવાય. દર્શીન = દેખવું તે. જ્ઞાન = જાણવું તે, સમજવું તે.દુભેદ = બે ભેદે, એ પ્રકારે. ચેતના બે ભેદે છે. વસ્તુગ્રહણ = વસ્તુને-ચીજને લેવાની એ રીત છે. વ્યાપાર = વેપાર, તેને હસ્તગત કરવાની રીત. (૨) Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન [૫૧ જ્ઞાનપયોગ. કેવળજ્ઞાન કેવળદર્શન. એ બે ભેદે ચેતના, તેણે કરી સકળ પદાર્થના ગ્રહણ વ્યાપારવંત છે. (૨) વિવેચન–અત્યારે સુખ અથવા દુઃખને અનુભવ થાય છે. કોઈ વખત ઘરનો બધો પરિવાર અનુકૂળ હોય છે, પિતાને શરીરે સારું હોય છે, તે સુખને સારે અનુભવ સમજે. અને કોઈ વખત કેઈ સગાં નેહીઓ હોય તે શત્રુની ગરજ સારે છે, ઘરમાં પાંચ દિવસ ચાલે તેટલું અનાજ પણ હોતું નથી અને શરીર અસ્વસ્થ રહે છે. આ દુઃખને કડવે અનુભવ સમજ. આ બન્ને જણાવેલાં સુખ અને દુઃખ તે કર્મનું ફળ. આપણે આગલા ભવમાં જેવાં કર્મો કરીને આવ્યા હોઈએ અથવા આ ભવમાં કરીએ તેને પરિપાક તે કાળે થાય છે અને તેનાં ફળ આપણે ભોગવવા પડે છે, તેથી સુખ કે દુઃખને અનુભવ થાય તે કર્મનાં ફળ છે એમ સમજવું. વ્યવહારમાં તેને કર્મનાં ફળ સમજવાં. બાકી નિશ્ચયનયને મતે તે આત્મા એક આનંદમય છે. તે કર્મને કર્તા નથી, અને તેને ભોગવવાનું પણ કાંઈ નથી. આત્મા પિતાના અનંત આત્મિક ગુણમાં આનંદ કરે તે નિશ્ચય દષ્ટિબિન્દુ છે. ભગવાન જિનચંદ્રદેવ કહી ગયા છે કે ચેતનપણું પરિણામ કદી ન ભૂલે, એ તે આંખ મીંચીને પિતાનું ફળ જરૂર આપે છે. પછી કઈ રાજા થાય, કે રખડુ થાય કે પાંચમાં પુછાય તેવો થાય, પણ તે સર્વ ચેતનતા છે, તન્મય-પરિણામના ભાવ છે. એ અનિવાર્ય પરિણામી ભાવ પ્રાણીને તન્મય બનાવે છે અને જાણે તે તદ્રુપ હોય, તેવી રીતે તે વર્તે છે. તેથી આપણે કેઈને સુખી કે દુઃખી જોઈએ, કેઈને પૈસાદાર, કેઈને ગરીબ, કેઈને ધનધાન્યથી સમૃદ્ધ જોઈએ, તે સર્વ વ્યવહારથી કમેનાં ફળે છે, એમ ખુદ તીર્થંકર મહારાજ કહે છે અને તેને આપણે વ્યવહારથી અનુસરવાનું છે. બાકી, નિશ્ચયનયે તે આત્મા અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રમાં રમણ કરનાર હોઈ આનંદ સ્વરૂપ છે, આનંદમય છે, પણ વ્યવહારથી કમેનાં ફળની અપેક્ષા રાખનારે છે અને તેને ઈચ્છક છે. આ વ્યવહાર અને નિશ્ચય બને પરસ્પર સામે જતાં તમાં જરા પણ વિરોધ નથી, એમ તીર્થંકરદેવ કહી ગયા છે અને તેને તે આકારે સમજવામાં આપણી ધન્યતા છે. આ વ્યવહાર-નિશ્ચયને સમન્વય સાધવે એમાં પ્રાણીની વિશિષ્ટતા છે. ઉપર જે જ્ઞાન-દર્શન-ચારિત્રની વાત કરી તેમાં દર્શન એ સામાન્ય ઉપયોગ જાણ. સામાન્ય એટલે અમુક જાતિ, દાખલા તરીકે માણસ, જનાવર વગેરે. એમાં અમુક ચોક્કસ માણસ એવો બેધ થાય તે જ્ઞાને પણ સમજ. પ્રથમ જાતિને બંધ થાય તે દર્શન, પછી વિશેષ બોધ થાય તે જ્ઞાન. આ બે તફાવત બરાબર ધ્યાનમાં રાખવા. નિરાકારમાં તે તદ્દન અભેદ હોય છે, ત્યારે સાકાર બંધ ભેદને ગ્રહણ કરે છે. આવી રીતે ચેતનાના બે ભેદ છે : સામાન્ય બોધ તે દર્શન અને વિશેષ બોધ તે જ્ઞાન. વઘુગ્રહણ કરતી વખતે આ બંને પ્રકારના બોધ થાય છે. વસ્તુવ્યાપારમાં પ્રથમ સમયે સામાન્યને બોધ થાય છે અને પછી વિશેષ બોધ એટલે બીજે સમયે જ્ઞાન થાય છે. આ તફાવત ખાસ લક્ષ્યમાં રાખે. વસ્તુગ્રડણવ્યાપાર આ રીતને થાય છે, અને તે લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. (૨) Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉપર] શ્રી આનંદઘન-ચાવીશી કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયે રે; એક અનેક રૂપ નયવાદે, નિયતે નર અનુસરીએ રે. વાસુપૂજ્ય. ૩ અથ–તેઓ કર્તાય છે અને પરિણામ ભાવને પામીને પરિણમે પણ છે. આ પૈકી જે કરે તેને “કમ કહેવાય. એ રીતે આત્મા (તેમને) એક રીતે એક છે, અને બીજી રીતે અનેક છે. આ સર્વ જુદા જુદા નયનાં દષ્ટિબિંદુએ છે. આ જુદા જુદા નાએ તેમને અનુસરવું જોઈએ. (૩) ટબેન્કર્તા છે. શુદ્ધનયે નિજ સ્વભાવના, અશુદ્ધનયે કર્માદિક, પણ તે માટે પરિણામી. જે પરિણામે જીવે કરીએ તે કર્મ, એટલે પરિણામને પરિણામી, તે માટે શુદ્ધ નિશ્ચયન એક નયવાદી અનેક રૂપ છે. નિયતિ-નિશ્ચય થકી તેને જ અનુસરીએ, અવલંબીએ (૩) વિવેચન—આ આત્મા કર્તા પણ છે. વ્યવહારથી એને કમને કર્તા કહેવામાં જરા પણ વાંધો નથી. એ વ્યવહારથી કર્તા છે તેનું કારણ એ છે કે એને સ્વભાવ પરિણમનશીલ છે. અને એ પરિણામને લાવનાર છે. આવી રીતે વ્યવસ્કારથી એ કર્તા હોવાને કારણે અને તન્મય થઈ જતા હોવાથી તે પરિણમનશીલ છે અને પરિણામ બતાવે છે. એટલી જ પ્રથમ પાદમાં વાત કરી. અને જીવ જે કર્મ કરે તેને કર્મ કહેવાય. આપણે અગાઉ ભગવાનને ભેગકર્મના કામી કહ્યા, તે કર્મ એ જીવ વડે કરાય છે. દારૂ ની હેરું સત્તાવન બંધહેતએ જીવ વડે જે કરાય તેને કર્મ કહેવાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના સત્તાવન પ્રકાર થાય છે. તેની વિગત મારા કર્મ સંબંધી લેખમાં આપી છે. તે પ્રાણી વડે આ બંધહેતુને લઈને જે કરવામાં આવે તે કર્મ કહેવાય છે. આ કમને યોગે પરિકમના શુભઅશુભ યોગ વડે પ્રાણી સારા-નરસા પરિણમનભાવને પામે છે અને તપ થઈ જાય છે, પ્રાણી સંસારમાં મોટા દીવાન કે ભીખારીરૂપ થઈ જાય છે અને તે વખતે તે તન્મય થઈ જાય છે તે એને પરિણમન રવભાવ છે. આ ચેતન જુદા જુદા નયના દષ્ટિબિન્દુએ જોતાં એક પણ લાગે છે અને અનેક પણ પાઠાંતર–“છ” સ્થાને પ્રતમાં “” પાઠ છે, તે જૂની ગુજરાતીને લઈને લાગે છે. બીજા પાદમાં “કમ જે જીવે કરિયા” એવો પાડે છે. “કરિયે રે સ્થાને એક પ્રતમાં કરીઈ” એવો પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “નયતિ તે અનુસરીઈ રે’ એ પ્રમાણે ચોથું પાદ એક પ્રતમાં છે, જૂની ગુજરાતી છે. અનુસરીએ ” સ્થાને છાપેલ પુસ્તકમાં “અનુસરિયે ' પાઠ છે, તે અત્યારના ગુજરાતીના નિયમે પણ અશુદ્ધ છે; પુસ્તકમાં આપેલ પાઠ જ શુદ્ધ લાગે છે. “અનુસરીએ ” સ્થાને પ્રતમાં “અનુસરઈ' પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. (૩) શબ્દાર્થ –કર્તા = કરનાર. પરિણામી = પરિણમન થાય તેવું, પરિણામી ભાવ પામે તેવી વસ્તુ. પરિણામો = પરિણમન, તન્મય થઈ જવું. કમ = ક્રિયા, અગાઉ કરેલ કમ. જે = તે, જેને કરવામાં આવે છે. કરીએ = કરવામાં આવે છે, જે ક્રિયા છવ કરે તે. એક = માત્ર, એક, એક. અનેક = એકથી વધારે, ઘણા. રૂપ = અનેકરૂપી, નાયવાદ = દષ્ટિબિંદુએ. નિયતે = નક્કીપણે, નિશ્રયે. નર = આત્માને અનુસરીએ = સમજીએ. જણીએ, અનુસરીએ. (૩) Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૨: શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન [૫૩ લાગે છે. જોકે આત્મા તે એક જ છે, પણ જે ગતિમાં જાય તે રૂપ તે ધારણ કરે છે. તેથી આત્મા અનેક હોય તેમ લાગે છે. એ જરા વખત પછી હાથી–ઘડો થાય, ત્યારે તે જનાવર લાગે છે અને વળી પાછો વીંછી કે સંકેડો થાય, ત્યારે ચઉરિંદ્રિય કે તેઇંદ્રિય લાગે છે. આવી રીતે આત્માના પરિણમનભાવને લઈને અનેક રૂપ થાય છે. પણ નિશ્ચય મતે આત્મા છે, એક જ છે, અંતે એ સ્વરૂપે રહેનાર છે, તેનું જે અસલ સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રમય તેને જ અનુસરીએ, તેને જ સ્વીકારીએ. આવી રીતે વ્યવહાર અને નિશ્ચયના આત્માને અંગે થતાં અનેક રૂપ સંબંધી ખુલાસે કરી નિશ્ચય મને તેના એક રૂપને અનુસરવાની સલાહ તે આ કર્તાએ આપી. નિયતે એટલે નિશ્ચયપૂર્વક, ચોકકસ રીતે. આત્માની સાચી ઓળખાણ તે આ નિશ્ચય નયની ઓળખાણ છે અને તે અનુસરવા ગ્ય છે અને આપણે ગમે તે પ્રયાસ કરી આ નિશ્ચય મતવાળા આત્માને એના અસલ રવરૂપે પ્રાપ્ત કરવાનું છે એ જે આદર્શ રાખવામાં આવે તે આપણા સંસારના સર્વ ફેરા મટી જાય છે. બાકી પ્રાણી અનેક રૂપે પરિણમે, તદ્રુપ થઈ જાય, તે સર્વ વ્યવહાર છે, કર્મનું ફળ છે, પરિણમનભાવ આત્માની શુદ્ધ દશા નથી. (૩) દુ:ખ-સુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદ રે; ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જિનચંદો રે. વાસુપૂજ્ય. ૪ અથ_આ પ્રાણીને દુઃખ થાય, તે પણ તેના કર્મનું જ ફળ છે, અને સુખ થાય છે તે પણ તેના કર્મનું ફળ છે, એ સર્વ વ્યવહાર-દષ્ટિબિંદુ છે. બાકી, નિશ્ચયનયે તે તે એક આનંદમય છે. ચૈતન્ય પિતાના સ્વભાવમાં જરા પિતાના પરિણામને ચૂકતે નથી; તેને જિનચંદ્ર શ્રી તીર્થકરેદેવ ચેતન-વિશુદ્ધ આત્મા કહે છે. (૪) ટો–દુઃખ રૂપ તે સર્વકર્મફળ હેતુ રૂપે જાણીએ, વ્યવહારથી કોણે, નિશ્ચયથી એક આનંદ સ્વભાવે છીએ. એવી ચેતનાને પરિણામ ન ચૂકે સમય સમય પ્રતે. એ ચેતન તે જિનચંદ કહીએ અથવા ભગવંત તે જિનચંદ એ કહેવાય. (૪) વિવેચન—આ પ્રાણીને જે દુઃખને અનુભવ થાય છે, તે તેનાં કર્મનું ફળ છે એ ગરીબ પાઠાંતર—દુઃખ” સ્થાને પ્રતમાં “દુખ’ પાઠ છે, તે પ્રચલિત ગુજરાતીને અનુરૂપ છે; સંસ્કૃત કેશ કાર “દુઃખ’ શબ્દ ગણે છે. “ જાણે” સ્થાને એક પ્રતમાં “જા' પાઠ છે. તે અશુદ્ધિ લાગે છે. ચેતના” સ્થાને “ચેતના” પાઠ છે; અર્થ ફરતો નથી. “ચુકે સ્થાને પ્રતવાળા “ચૂકે ” પાઠ આપે છે, તે પ્રાચીન ગુજરાતી છે. (૪) શબ્દાર્થ–દુઃખ = જેનાથી આત્મા પીડા ભેગ, હેરાન થાય તે ( વ્યવહારિક નજરે). સુખ = જેનાથી આત્મા સુખનો અનુભવ કરે છે. રૂપ = તન્મય, તે પ્રકારનું. કરમ = ક્રિયા, કાર્ય. ફલ = તેનો નતીજો, ફળ. જાણો = જાણવા, સહવા. નિશ્ચય = નિશ્ચયનયને વિચારે. એક = માત્ર. આનંદે રે = આત્માનંદ, નિજગુગરમણ. ચેતનતા = ચેતન રહેવાપણું. ચૈતન્યપણું, પરિણામ = તન્મયતા. ન ચૂકે = ન ભૂલે, ન વિસરે. ચેતન = ચેતન, માત્ર આત્મા. કહે = કહે છે, જણાવે છે. જિનચંદે = જિનચંદ્ર, ભગવાન, તીર્થપતિ. (૨) Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] શ્રી આનંદઘન–વીશી થાય, વ્યાધિગ્રસ્ત થાય, અને રાજા મહારાજા થાય, ભૂખ લાગે તે પહેલાં રસોઈ તૈયાર થઈ જાય, અને તેને પડવો બેલ ઉપાડી લે તેટલા નેકરે હાજર જ હોય, અને ખમીખમાં થાય, તે સર્વ સુખ છે. આ દુઃખ અને સુખ થવાં તે કર્મના ફળ ઉપર આધાર રાખે છે : સારાં કર્મ હોય તે શુભ ફળ મળે છે અને ખરાબ કર્મ હોય તે અશુભ ફળ મળે છે. આવી રીતે દુઃખ અથવા સુખને કર્મનું ફળ જાણવું, કારણ કે નિશ્ચયનયે તે આત્મા કર્તા નથી, અને સુખદુઃખ થતાં આપણે જોઈએ છીએ. પણ એ સુખદુઃખ તે કર્મનું ફળ છે, એની સાથે આત્માને નિશ્ચયનયના દષ્ટિબિંદુથી જોતાં કાંઈ લાગતુંવળગતું નથી; એ તે માત્ર કર્મનું જ ફળ છે અને એ કર્મ એણે આ ભવમાં કે પૂર્વના કોઈ પણ ભવમાં કરેલાં હોય, તેનું એ પરિણામ છે. એના કરનાર વ્યવહારથી આત્મા છે. પણ નિશ્ચયનયે તે એને કર્મ સાથે સંબંધ નથી; ઊલટો નિશ્ચયનયના દષ્ટિબિંદુથી એ જ્ઞાન-દર્શન ચારિત્રમય છે, અનંત આનંદમય છે અને એ આનંદમાં તે લહેર કરનાર છે. ચેતનની આ નિશ્ચયનયની અનંત આનંદમય દશા બરાબર ધ્યાનમાં રાખવી. પણ વ્યવહારદષ્ટિબિન્દુથી, એની સાથે, લક્ષ્યમાં રાખવું કે ચેતનતા છે તે પરિણામને કદી ચૂકતી નથી. એ તે જેવાં કર્મ બાંધ્યાં હોય તદ્રુપ થઈ જાય છે, અને તેમાં જરા પણ ગફલત થતી નથી. આ વિચિત્ર પરિણમનદશા વખતે પણ ચેતન તે ચેતન જ રહે છે, એ ફરતો નથી. - સ્તવન કર્તા કહે છે કે આ હકીકત હું મારી પિતાની કહેતો નથી, પણ ભગવાન તીર્થ કર શ્રી જિનેશ્વરદેવ કહી ગયા છે અને તેઓએ પિતાના અનંત જ્ઞાનમાં એ જોયેલી છે, તે અનુસાર હું કહું છું, ચેતન તે નિશ્ચયનયે ત્રણે કાળમાં ચેતન જ રહે છે અને આ સુખદુઃખ તેને થાય છે તે માત્ર કર્મનાં પરિણમે છે. આત્માના આઠ રુચકપ્રદેશ તે સર્વ કાળે નિર્મળ જ રહે છે, તેને કર્મોની અસર જરા પણ થતી નથી. તે નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા કર્મને કર્તા નથી, પણ તેને જે દુઃખ અથવા સુખ અનુભવવાં પડે છે, કર્મનું ફળ છે. આ વાત ભગવાન જણાવે છે અને તેને તે આકારમાં સમજવાની આપણી ફરજ છે, છતાં તેનું શું થાય છે તે હવે પછીની પાંચમી ગાથામાં કહેવામાં આવશે. તમે આ નિશ્ચય અને વ્યવહારનાં દષ્ટિબિન્દુએથી જરા પણ મૂંઝવણમાં ન પડતા; એને બરાબર સમન્વય કરો તેમાં જ જૈન ધર્મની મહત્તા છે. (૪) પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમફળ ભાવી રે; જ્ઞાન કરમફળ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે. વાસુપૂજ્ય પ પાઠાંતર–પરિણામી’ સ્થાને એક પ્રતમાં પરિણામ કર્યું છે, પરિણામી’ પણ વાંચી શકાય. પ્રથમ પાદમાં “પરિણામે ચેતન પરિણામો ” પાઠ છે એક પ્રતમાં, પણ તે પાઠ અવ્યવસ્થિત લાગે છે અને તે આ ગાથાને થી ગાથા કહે છે. આ પ્રતમાં ચોથા પાદમાં “લેચો' પાઠ છે. અહીએ' સ્થાને કહીઈ' પાઠ છે. તે પ્રાચીન ગુજરાતી છે. “લેજો' સ્થાને ચેથા પ્રતમાં “લે ” એક પાદમાં પાઠ છે, તે જૂની ગુજરાતીને આભારી છે; બીજી પ્રતમાં પણ લેય” પાઠ છે; જૂની ગુજરાતીમાં “જ” અને “ય ને અભેદ છે. (૫) Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૨: શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન [૨૫૫ અર્થ–ફેરફાર થતા પરિણામવાળો ચેતન છે, તેથી આત્મા પરિણમી છે, અને કિયાનાં ફળ એને અવશ્ય થનાર છે. તેટલી સમજણ અને કરમનું ફળ એને જ ચેતન કહી શકાય. એ અભિપ્રાય તમે માન્ય કરે અને બીજાને મનાવજે અને ખુદ તમારા આત્માને પણ તે રીતે સ્પષ્ટ કરે. (૫) ટ –પરિણામી ચેતના પરિણામને જ્ઞાનકર્મ તે ભાવી ફલ કહીએ, અને જ્ઞાનકર્મફળ તે ચેતન કહીએ. પ્રારંભ અને પ્રાપિફળનો અભેદ ભાવી રહ્યો તે ચેતન કહીએ, તે જ મનાવીને પ્રાપ્તિ રૂપે. (૫) વિવેચનપરિણામને પામી તન્મય થઈ જાય એવા ચેતનના-આત્માના પરિણામો છે. એ જેવું કામ કરે તે વખતે તે તે તદ્રશ્ય થઈ જાય; ચેતનને આ પરિણામીભાવ છે, એ આપણે જોઈ પણ ગયા. ચેતન જ્યારે કર્મમાં પ્રવર્તે ત્યારે વ્યવહારથી એ તેના જેવો જ થઈ જાય છે, કારણ કે એ પરિણામી સ્વભાવવાળે છે. એ તે સંસારમાં વતે ત્યારે તન્મય થઈ જાય પણ તે વ્યવહારથી છે. નિશ્ચયનયને મતે તે તે આનંદસ્વભાવ છે અને તેમાં જ આ વખત મસ્ત રહે છે. અને કર્મના ફળ એને ચક્કસ મળનાર છે એનું એને જાણપણું થાય છે. તે જાણે છે કે કરેલાં કર્મનાં ફળ અવશ્ય મળનાર છે. એ કુષ્ટી થાય, રૂપાળે થાય, શરીરે ખોડખાંપણવાળે થાય, તે તેનાં કર્મનાં ફળ છે. અને તે જાણે છે કે કર્મનાં ફળ અવશ્ય ભેગવવાનાં છે, એ ગમે તેટલે ઊંચનીચે થાય, પણ એને કરેલાં કર્મનાં ફળ તે જરૂર ભેગવવાં પડશે : એ એનું જ્ઞાન એ ચૈતન્યલક્ષણ છે. એને સમજાવી લે, કે ન સમજાવે, પણ એ અવશ્ય તેને થવાનું છે. અને કર્મની વાત તે એવી છે કે એમાં કાંઈ ગોટાળે ચાલે તેમ નથી; એનું જાણપણું એ ચેતનભાવ છે, એ અવશ્ય ચેતન-આત્માનું લક્ષણ છે અને તે એને પુગલ કે બીજા પદાર્થોથી જુદા પાડે છે. આ ચેતન અને અચેતન વચ્ચે તફાવત છે અને તે તફાવતને હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. જ્યારે કાંઈ બનાવ ચેતનને અંગે બને તે પૂર્વકાળમાં કરેલ કોઈ કર્મનું તે ફળ છે એમ તેને લાગવું જોઈએ. દરેક કિયા ફળ જરૂર આપે છે. પુદ્ગલને કે બીજા કોઈ પણ પદાર્થને આ વિજ્ઞાન મળતું જ નથી, તેથી તે અચેતન કહેવાય છે. પણ કર્મના ફળ જરૂર મળે છે એમ જાણે તે ચેતન છે. આ તફાવત બરાબર ધ્યાનમાં રાખવો અને ચેતનને અચેતનથી જુદો સમજો. (૫) | શબ્દાર્થ——પરિણામી = તન્મયભાવ, તદ્રુપભાવ. ચેતન = આત્મા. પરિણામો = જ્ઞાન-દર્શનરૂપ પરિણમન, તમ્યતા. જ્ઞાન = જાણવું તે. કરમ = ક્રિયા, કમ, કરવું તે ફળ = કમનું ફળ, પરિણામ. ભાવી = હોવાનું છે, થવાનું છે. જ્ઞાન = જાણવું તે, ઉપર કહેલ અથ. કરમ = કમ, ક્રિયા. ફલ = ફળ, પરિણામ. ચેતન = આત્મા, કહીએ =સમજીએ, સમજવું. જો = તમે અવધારશે. તેહ = તેને (આત્માને). મનાવી = જાણી, સમજી (૫) Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી આન‘ઘન-ચાવીશી આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તા દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકારો, ‘આનંદધન’મત સંગી રે. વાસુપૂજ્ય૦ ૬ અ—આત્માનું જે જ્ઞાન ધારણ કરે તે સાચા સાધુ સમજવા, અને બીજા સવ વેશ પહેરનારા તે માત્ર દ્રવ્યલિગી છે. જે વસ્તુ જેવી હાય તેવી જાહેર કરે, જણાવે, સમજાવે, તેએ જ સર્વ કાળના આનંદની સેાખત કરે છે અને તે આનંદના સમૂહના સ્થાન સાથે સંગ કરે છે એમ જાણવું. (૬) ૨૫૬ ] ટા—તે માટે આત્મજ્ઞાની તે શ્રમણ કહીએ. નાળ ચ મુળી ઢોર, સમયા સમળો દોર સમતાએ આત્મજ્ઞાની તે શ્રમણુ; બીજા તે સર્વ દ્રવ્યલિંગી કહીએ. વસ્તુગતે જે વસ્તુધર્માંને પ્રકાશે, તેહી જ આનંદઘનમતસંગી–પરમાત્મ સ્વરૂપ પ્રસંગી તેને જ જાણવા. એટલે બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનુ' એ સ્તવન થયું. (૬) વિવેચન—આ પ્રમાણે આત્માના સ્વરૂપને જાણનાર તે શ્રમણ-ખરા સાધુ મુનિ, યતિજાણવા. આત્મા પોતે આનંદમય છે, તેનામાં નિશ્ચયથી અનંત જ્ઞાન, દર્શીન અને ચારિત્ર છે, વ્યવહારથી એ કર્માંના કર્તા અને ભેાક્તા છે: આવું જે સાચેસાચું જાણે તે ખરા સાધુ; બાકી ખીજા સ તે વેશધારી છે, દ્રવ્યલિંગી છે, બાહ્ય દેખાવમાં જ સાધુ છે. વેશને અને સાધુતાને (ખરેખરા અર્થાંમાં) તે બન્નેને સબધ નથી. દેખાવમાં સાધુ હોય, રાત્રે ફેંટો બાંધી ફરવા નીકળી પડતા હોય, તેનામાં વિષય-કષાયની મંદતા ન હોય, તે નામમાત્ર સાધુ છે. જ્યાં સુધી તેણે આત્માને પૂરેપૂરા જાણ્યા નથી અને આત્મા તથા અનાત્મા સંબંધી તફાવત જાણ્યા નથી, ત્યાં સુધી તે માથું મુંડાવે કે તપ-જપ કરવાના દેખાવા કરે, જગલમાં રહે કે અનેક જાતના હાયેગા કરે તે માત્ર બાહ્ય દેખાવ અને તેથી તે ખાદ્ય લિંગે સાધુ કહેવાય, પણ ખરેખરો સાધુ નથી. આત્મજ્ઞાનમાં મસ્ત હાય અને જડ-ચેતનના ભેદ જાણતા હાય તે જ ખરેખરા સાધુ છે. એની નજરે રાજા અને રકમાં ભેદ ન હોય; એ ગરીબ-તવંગરમાં તફાવત ન પાડે; એ સર્વ જીવાને સરખુ સન્માન આપે; ત્યારે એ સમજે કે એને આત્મા અનંત ગુણથી ભરેલા છે પાઠાંતર— જ્ઞાની ’તે બદલે એક પ્રતમાં ‘જ્ઞાનિ' પાડે છે, તે સમજણુફેરનું પરિણામ જણાય છે; બીજી પ્રતમાં ક્યાનિ' પાડે છે, તે જૂની ગુજરાતી છે. ‘ કહાવે સ્થાને ‘કહાવે ’ પાડે એક પ્રતમાં છે, તે જૂની ગુજરાતી છે. ‘ પ્રકાશે ’તે બદલે એક પ્રતમાં ‘ પ્રકાસે' એવા પાઠ છે; બીજી પ્રતમાં પ્રકાશે ' પાડે છે, તે જૂની ગુજરાતી છે. ‘ મત' સ્થાને એક પ્રતમાં ‘મતિ' એવા પાઠ છે. (૬) = શબ્દા આતમનાની = આત્માને જાણનાર, સમજનાર; જે એને બેધ થયા છે તે. શ્રમસાધુ, ત્યાગી, યત્તિ. હાવે = વદી શકાય, કહી શકાય. ખીન્ન = અન્ય, બાકીના સર્વે'. દ્રવ્યલિંગી = માત્ર સાધુને પરિધાન ધારણ કરનાર, ડ્રેસ પહેરનાર. વસ્તુગતે = જે વસ્તુને જેવી હાય તેવી કહે. જે = જે કોઈ પણ. વસ્તુ = ચીજ. પ્રકાશે = બેલે, કહે, જણાવે. આન ધન = મેાક્ષ. મત = અભિપ્રાય, ખેાધ. સંગી = સાથ આપનાર, સામતી, સાથે જનાર. (૬) . Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન [ ૨૫૭ જે વસ્તુને યથાસ્વરૂપે કહી બતાવે, સમાવે તે જ આનંદઘનના મતમાં જોડયેલા છે, અંતે મેક્ષમાં જઇ અનંત આનંદમાં લહેર કરનાર છે, અને તે આનંદ જેને થાય તે સાધુ નામને બરાબર યાગ્ય છે. જેમાં એ ન હેાય તે તે વેશધારી છે, નાટિકયા છે, રમત કરનારા છે. માત્ર સાધુના વેશ લેવાથી ખરેખરા સાધુ થવાતું નથી. જેમ નાટકિયા રાજસિંહના પાઠ ભજવે તે કાંઈ ખરેખરા રાજસિ’હુ થતા નથી, તેમ આત્માને ન એળખનાર શ્રમણ નામને યોગ્ય નથી. વસ્તુગતે જે વસ્તુને કહે, વસ્તુ જેવી હોય તેવી તેને જણાવે, બીજા પાસે પ્રકટ કરે, તે આનંદઘનના મતના પ્રેમધારી છે, તેના મતમાં રહેનાર છે, તેના હિમાયતી છે. મેાક્ષવાચી શબ્દના અમાં, અગાઉ પેઠે, આનંદઘને પેતાનું આ સ્તવનના કર્તા તરીકે નામ પણ જણાવી દીધું. આનંદઘન મત એટલે જેમાં આત્મા આનંદઘનના સમૂહ સાથે જોડાઇ જાય તેવે અભિપ્રાય. બાકી આનદઘનના મત' એવા કોઈ સપ્રદાય થયા નથી અને જ્યાં આત્માને એળખવાની વાત હોય ત્યાં જુદો સંપ્રદાય ચલાવવાની વાત હેાય જ નહિ. આ સ્તવન ઉપરથી આત્માનું ખરુ' ભાન થાય છે અને તે અતિ મહત્ત્વના પ્રશ્નને આ સ્તવનમાં ચર્ચવામાં આવેલ છે, તેને બરાબર સમજી તે પ્રમાણે જીવનક્રમ ગેાઠવવા એ સ્તવન સમજવાના હેતુ છે. નાળળ ચ મુળી હોર્ફે એવું શાસ્ત્રવચન છે. જ્ઞાન વડે મુનિ થવાય. એમાં જ્ઞાન જે કહ્યું છે, તે આત્મજ્ઞાન સમજવાનું છે. જે વસ્તુ જેવી હેાય તેવી જણાવે, કૂતરાને જે કૂતરા જ કહે, તેમાં શરમ ન રાખે, તે સાચા સાધુ છે—એમ જાણવું. બાકીના તે નાટક કરનારા છે એમ સમજવું. મેાક્ષમાં જનાર અને ખશ આત્માનદ માણનાર તેા જુદા જ છે અને તે સાચા શ્રમણના નામને ચેગ્ય એમ જાણવું. (૬) ઉપસંહાર આ રીતે આ અગત્યનું સ્તવન પૂર્ણ થયું. તેના પ્રધાન સૂર એ છે કે ચેતનને ચેતન તરીકે જાણા અને પછી તેમાં જ મસ્ત બનીને રહેા. કં પોતાનું ફળ આપે જ છે, એ જરૂરી હકીકત છે. પ્રાણી રાજા, રંક કે ભિખારી થાય તે તેનાં કનું ફળ છે. પણ કર્મો અ'તે પૌદ્ગલિક છે અને આત્માને આત્મા તરીકે સમજવા એ જ્ઞાન જરૂરી છે. જ્યાં સુધી આત્માની આત્મા તરીકે જાણુ ન થાય અને પુદ્ગલને પુદ્ગલ તરીકે ન એળખાય, ત્યાં સુધી બધાં ફાંફાં છે, અને એમાં આત્માના ઉદ્ધાર થતા નથી. આત્માના ઉદ્ધાર માટે આત્માને બરાબર એળખવા જોઇએ. અને તે પુદ્ગલથી ન્યારો છે, એમ સ્પષ્ટ જ્ઞાન થવું બહુ જરૂરી છે. એવા ચેતન અને અચેતનના ખરાખર ખ્યાલ વગર પ્રાણી ઘણું રખડથો છે. અત્યારે એ જાણવા-સમજવાની એને બરાબર તક મળી છે. તે આત્માને આત્મા તરીકે એળખી, પુદ્ગલને પુદ્ગલ તરીકે એળખવાની અને તેનું સાર-રહસ્ય જાણવાની આ તકને લાભ લેવાની ખાસ આવશ્યકતા છે. મળેલી તકનો લાભ લેવે એ આ સ્તવનના પ્રથમ સૂર છે. અત્યારે તે આ પ્રાણીના પૌદ્ગલિક પ્રેમ જોયા હોય તેા ભારે નવાઇ લાગે. એ શરીરને પેાતાનું માને, ઘરને ઘરનું ઘર માને અને સગાંને પેાતાનાં સગાં ૩૩ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] શ્રી આન ઘન-ચાવીશી માને, પણ જ્યારે શરીર જવા બેસે છે, ત્યારે કોઈ વસ્તુ કે કોઇ સગાંસંબંધી સાથ આપતાં નથી. અને આ જીવ એકલા આવ્યા છે અને એકલા જવાના છે એના પૂર્ણ વિચાર કરી આત્માને બરાબર આળખવે અને અત્યારના ખાટા વિચારોના ત્યાગ કરવા. પ્રાણી જો એક વખત આત્માને ઓળખે અને તે પુદ્ગલથી અલગ છે એમ જાણે, ચેતનને જીવ જાણે, અને પુદ્ગલને અજીવ જાણે, તે એનું કામ થાય તેમ છે અને તેની સર્વ ઉપાધિ મટી જાય તેમ છે. અત્યારે તે અમુકને પોતાનાં ગણે છે, અને બીજાને પારકાં ગણે છે, તે સ` પૌલિક ભાવ છે. તેને જેમ જલદી મુકાય તેમ આત્માનું શ્રેય છે. પછી અત્યારનું જે હરીફાઈનું વાતાવરણ છે, જે પરનિંદા કરવાની ટેવ છે, જે ચાડી ખાવાની ટેવ છે, વાતવાતમાં ક્રોધ, માન, માયા થઈ જાય છે, વિષયા તરફ પ્રેમ થાય છે, રાગદ્વેષ કરાય છે, કોઇ સાથે કજિયા થાય છે, એ સ` પૌલિક ભાવ છે, તેને છેડયે જ છૂટકો છે. અને તે ભાવ છેડીને અંતે ખરા આત્મિક ભાવને ઓળખી લેવાની અત્યારે તક છે. અને અત્યારે એ કરવા જેવું કામ છે. આવેા અવસર વારવાર મળતા નથી, તેથી અત્યારની તકના પૂરતો લાભ લેવા એ આપણું કર્તવ્ય છે. સમજુનું કર્તવ્ય છે કે આત્માને બરાબર ઓળખી, આ પુદ્ગલેનો સંબંધ અસ્થાયી છે, ટ્રૅક વખત માટે છે, તે છેડી દઈ અનંત જ્ઞાન, દર્શીન, ચારિત્રમાં નિરંતરને માટે આનંદ માનવેા. તેના રસ્તા હવે બતાવે છે અને તે સ્વીકારવા આગ્રહ કરે છે. એને માટે આગળ તેરમુ સ્તવન જુએ અને એમાં મતાવેલા આદશે પહોંચવા પ્રયત્ન કરો. (૧૨) જાન્યુઆરી : ૧૯૫૦ ] Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રી વિમળ જિન સ્તવન સંબધ અહીથી સ્તવનાના ઝોક ફરી જાય છે. અત્યાર સુધી જે અધ્યાત્મ સાથે એકતાની વાત હતી, તેને બદલે આનંદઘનજી શુદ્ધ ભક્તિમાં ઊતરે છે. શુદ્ધ ભક્તિ એકતા આણે છે અને આપણને તન્મય કરી દે છે. એના ઝોક તે આદસ્થાને પ્રભુને રાખવાના જ છે, અને અટ્ઠી' તેનાં કારણેા બતાવી એક નવા પ્રકારનું જેમ આપણામાં ઉત્પન્ન કરે છે. ભક્તિયુગની મહત્તા એ જ છે કે ભક્તને એ પોતામય બનાવી મૂકે છે. અને તન્મય થયેલેા ભક્ત આખરે તેની ભક્તિ વડે તદ્રુપ થઇ જાય છે. આ તદાકાર કરવાની જે શક્તિ ભક્તિમાં છે તે અન્યત્ર પ્રાપ્ત થઈ શકતી નથી; અને આદ્યસ્થાને ભગવાનને રાખવાની આપણી માગણીને વધારે મજબૂત બનાવે છે, તેથી આપણે આ ભક્તિનો આદશ સ્વીકારી તન્મય થવા પ્રયત્ન કરીએ. એક સામાન્ય કીડા હોય તે ભમરાને વિચારતાં વિચારતાં છેવટે પેતે જ ભ્રમરરૂપ થઈ જાય છે, તેમ ભક્તિના બળે પ્રભુને ધ્યાવતાં આખરે આ પ્રાણી તદ્રુપ થઇ જાય છે, પાતે જ ભગવાન બની જાય છે. અને તેમ થાય ત્યારે એની સંસારની રખડપાટી દૂર થાય છે અને ભવના ફેરા મટે છે. આ કાંઈ જેવી તેવી વાત નથી. અનંત કાળથી આ પ્રાણી ભટકયા જ કરે છે અને એક ખાડામાંથી ખીજામાં પડે છે અને એમ ઉત્તરોત્તર ચાલ્યા જ કરે છે. એના છેડે આવતા જ નથી. આ ભવના આંટાનો કોઇ પણ રીતે અંત લાવવા જ જોઇએ. આ પ્રાણી અક્ષય સ્થિતિએ ટકી જાય, તેા જ એના ભવના ફેરા અટકે અને તેને અનંત આનંદ થાય છે. આ સ્થિતિ સેવા ભક્તિ આણે છે. માટે આ સ્તવનમાં ભક્તિ-ભાવને મહાન સ્થાન મળે છે અને એ આદર્શો સ્થાન અપાવનાર હોવાથી આપણી બધી ઇચ્છાઓનું અંતિમ ધ્યેય છે. જોકે આગળ જતાં તે એવી સ્થિતિ ઇચ્છવાની પણ ના કહેશે, પણ આ તેા વ્યવઙારની વાત છે અને પ્રાથમિક નજરે રસ્તે ચઢાવનાર છે તેથી આદરણીય અને ઇચ્છવા જોગ છે. સેવા-ભક્તિમાં જે તન્મયતા આવે છે, તે અસાધારણ છે. માણસ જ્યારે સેવા-ભક્તિમાં લીન થયેલ હાય, ત્યારે તે દુનિયાની સર્વ આળપંપાળ ભૂલી જાય છે અને પ્રભુ સાથે એકતા કેળવે છે અને અ ંતે તે પ્રભુમય થઇ જાય છે. આવો સેવાભાવનાને સુંદર મહિમા છે અને તે અનંત આનંદ આપનાર સ્થિતિ હોવાથી સર્વ પ્રકારે આદરણીય છે. ભક્ત જયારે ભક્તિરસમાં પડેલા હાય ત્યારે તે પોતાના કામને પણ વિસારી મૂકે છે, અને સર્વાંમાં પ્રભુને જ જુએ છે. આવી અદ્ભુત શક્તિ સેવા-ભક્તિમાં છે. રાવણુ અષ્ટાપદ પર્યંત ઉપર ચઢવો, ત્યાં સેવામાં પ્રભુ સાથે તન્મય થતાં જે ભાગ ભજવે છે તેને માટે લેખકને કહેવું પડયું કે બનંત તિવાો-ગીતવાજિંત્રથી અનંતગણુ ફળ થાય છે એ તન્મયતા Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] શ્રી આનંદઘન-ચાવીશી બતાવે છે અને તન્મય થયેલ આખરે તપ થઈ જાય છે. અને ભક્તિમાં લીન થયેલા પ્રાણીને બીજું કશું સૂઝતું નથી. એ પિતાના ઈષ્ટ આદર્શને જ સર્વત્ર દેખે છે, એમાં જ એને સંતોષ થાય છે અને એને સર્વ આનંદ એનામાં જ આવી જાય છે, સમાઈ જાય છે. આવી તન્મયતા પ્રાપ્ત કરવાની ખરી જરૂર છે અને તે માટે કરેલા પ્રયાસથી તે સિદ્ધ થઈ શકે તેમ છે, માટે બીજુ કામ મૂકી દઈ આ પ્રભુસેવા-ભક્તિને આદર્શ સ્વીકારે અને તે માટે બનતું કરવું, કારણ કે આ સંસારના ફેરા મટાડવાને એ સીધે અને ઇષ્ટ માર્ગ છે. સ્તવન (રાગ મલ્હાર, ઇડર આંબા આંબલી રે ઇડર દાડિમ ટ્રાક્ષ-એ દેશી; તથા અરિ બાઈ ભલો ભરનાર - દેશી.) દુઃખ-દેહગ દૂરે ટળ્યાં રે, સુખ-સંપદશું ભેટ; ધીંગ ઘણી માથે કિયે રે, કુણ ગાજે નર બેટ. વિમળ જિન, દીઠાં લેયણ આજ, મારાં સીધા વંછિત કાજ. વિમળ જિન. ૧ અર્થ_વિમળનાથ નામના તેરમા પ્રભુને આજે નજરે જોયા તેથી મારા ભૂતકાળનાં સર્વ દુઃખો અને વર્તમાને તેને અનુભવ તથા ભવિષ્યકાળની આપત્તિનું ખરાબ નસીબ—તે સર્વ છેટાં ગયા અને સુખની સંપત્તિ સાથે મેળાપ થયે. મેં મારે માથે મજબૂત ધણીને શેઠને ધારણ કર્યો છે, તે કયે તોફાની શિકારી લુચ્ચે માણસ હઠાવી કે હરાવી શકે ? (૧) 1 પાઠાંતર–પ્રથમ પંક્તિમાં આંકણીરૂપે એક પ્રત લખનાર “વિમળ જિનેસર દીઠી લોયણે રે’ એવો પાઠ લખે છે. “દુઃખ” સ્થાને “દુષ’ એમ એક પ્રતમાં પાઠ છે; અર્થ ફરતો નથી. ‘દૂર ગયાં રે” ને સ્થાને * દરિ ટટ્યા રે” એવો પાઠ એક પ્રતમાં છે. ‘સંપદ’ સ્થાને એક પ્રતમાં “સંપદિ ” પાઠ છે. “ભેટ” સ્થાને તે જ પ્રતમાં “ ભેટિ” પાઠ છે. “ધીંગ’ સ્થાને ‘કિંગ’ એવો પાઠ એ જ પ્રતમાં છે. “કિ રે” સ્થાને તે પ્રકાર ૮ ધર્યો રે' એવો પાઠ લખે છે. ‘ગ જે’ સ્થાને તે જ પ્રતમાં “ગરજે એ પાઠ છે. એક પ્રત Aખનાર દેષ” પાઠ “ દુઃખને બદલે લખે છે. * સુખ સંપત્તિ સ્ય ભેટ ' એ પ્રમાણે પાઠ એક પ્રત લખનાર આપે છે. * ધણી'ને સ્થાને એક પ્રતમાં “ધણિ’ પાઠ છે. “ગરજે 'ને સ્થાને “ઘ'જે' એ પાઠ એક પ્રતમાં છે. ચોથા પદમાં “દીઠા લેણે એવો પાઠ એક પ્રતમાં છે. (૧) શબ્દાર્થ –દુઃખ = પીડા, અસુખ. દેહગ = દુર્ભાગ્ય, નસીબના ખરાબ લેખ. દૂર = છે. ટળ્યાં = ગયાં તેની નિરા થઈ ગઈ), તે અળગાં થઈ ગયાં. સુખ = માનસિક આનંદ, મનનો આનંદ, સંપદ = સંપત્તિ, મિલકત સાથે. ભેટ = મળવું તે, આવવું તે. ધીંગ = બહાદુર, મેટા, શક્તિશાળી. ધણી = શેઠ, ઉપરી, હકમ Sા માથે = નિજ ઉપર, હાંએ. કિયો રે = કર્યો, કબૂલ રાખ્યા. કુણ = ૩ણ, શો, કઈ પણ. ગંજે = તેડાવી શકે. ગાંજી શકે, હરાવે. નર = માણસ, મનુષ્ય. ખેટ = હલકી જાતિને માણસ, મનુષ્ય રાક્ષસ, નીચ માણસ. વિમળ = તેરમા ભગવાન. જિન = તીર્થકર. દીઠાં = જોયાં, ભાળ્યાં લેયણ = મારી અંતરની આંખ વ. લેચને, નજરે. આજ = આજે, અધુના, હમણાં. મારાં = પોતાનાં, મારાં પિતાનાં, સીધાં = સિધ્યાં, સફળ થયાં, જ્યાં. વંછિત = ઈચ્છિત, ઈલાં, વહાલાં ગણેલાં. કાજ = કામ, કાય. (૧) Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : શ્રી વિમળ જિન સ્તવન [૨૬૧ ટબે—આ સ્તવનને જ્ઞાનવિમળસૂરિને અર્થ નીચે મુજબ છે (ફેરફાર સાથે) : હવે તેરમા તીર્થકર વિગતમલ તે ગમે છે કર્મને મેલ જેથી તે શ્રી વિમલનાથનું સ્તવન કરે છે. ઘણા હર્ષ કરી વિમલ કહેતાં કર્મમલરહિત શ્રી વિમળ જિનેશ્વર જે વારે નયણુએ દીઠા તે વારે દુઃખ, ચતુર્ગ તિભવદેહગ-મિથ્યાત્વ અજ્ઞાન જનિત, તે વેગળાં ગયાં, સુખસંપદ આત્મજનિત, તેને ભેટીને પ્રસન્ન થયે. સમરથ ધીંગ ધણી માથે કીધે, તે વારે ખેટજન મહાદિક કુગ્રહ અથવા ખલજન તેણે ગંજી જીતી ન શકે. (૧) વિવેચન—આ તેરમા વિમળનાથ કે બીજા કેઈ પણ તીર્થકરને દેખવાથી ચાર ગતિનાં સર્વ દુઃખ દૂર ગયાં, અને દુર્ભાગ્ય પણ ગયું. ચારે ગતિમાં દુઃખ ને દુઃખ જ છે: દેવગતિમાં બીજા દેને ઉત્કર્ષ જોઈ તેમની પ્રત્યે અસૂયા થાય છે અને મરણ નજીક આવે ત્યારે જ્યાં ત્યાં જન્મપીડા થવાની છે, એ વિચારથી દુઃખ જ છે. અને મનુષ્યગતિમાં વેર વિરોધ, નિદાઓ, ભયે, અપવાદ, અવર્ણવાદ અને ખારથી દુઃખ ને દુઃખ જ છે. તિર્યંચ ગતિમાં તે સમજે પણ બેલી શકે નહિ. અને નરકમાં તે પરસ્પર જેવો જ દુઃખ આપે છે, ક્ષેત્રની વેદના પણ સખત ઠંડી અને અસહ્ય ગરમીનું દુઃખ. એમ ચારે ગતિમાં દુઃખ દુઃખ અને દુઃખ જ છે. પણ પ્રભુના દર્શનથી, ભક્તિયેગને કારણે, એ સર્વ દુઃખ દૂર થઈ જાય છે, એ ભક્તને એક મોટો લાભ થશે. અને બીજે મોટો લાભ દુર્ભાગ્યના નાશને છે. ભવિષ્યમાં સર્વ પીડાઓ દુર્ભાગ્યથી થાય છે. દુર્ભાગ્ય એટલે ખરાબ નસીબ, કમનસીબી. પણ પ્રભુપૂજાથી ખરાબ નસીબ હોય તે પણ, સંક્રમણ, પરાવર્તન અને અપવર્તનને યોગે, ફરી જાય છે. આ રીતે પ્રભુભક્તિ કે પ્રભુદર્શનથી દુઃખ અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. પ્રભુના ખરા ભક્તને દુઃખ સહન કરવાનું હોય જ નહિ, ભૂતકાળનું દુઃખ અને ભવિષ્યમાં થનારી પીડારૂપ દુર્ભાગ્ય દૂર ખસી જાય છે, તેથી રીઝીને સેવક બોલે છે કે વિમળનાથ પ્રભુનાં દર્શન થવાથી પિતાનાં દુઃખ અને દુર્ભાગ્ય દૂર થઈ ગયાં. પ્રભુદર્શનનો લાભ લેવાઈ ગયું છે તેનું આ અનાયાસે થતું ફળ સમજવું, કારણ કે ખરે ભક્ત તે પૂજાનું ફળ છે જ નહિ, પણ આ ફળ તે થાય જ છે, કારણ કે તે અનિવાર્ય ફળ છે. આવું સુંદર ફળ આપનારની ભક્તિ કરવાનું મન જરૂર થાય એમાં જરા પણ નવાઈ નથી. અને આ તે દુઃખ ને દુર્ભાગ્ય ન થવાથી નકારાત્મક વાત થઈ, પણ હવે બે હકારાત્મક વાત કરે છે. સીધી રીતે સુખ અને સંપત્તિ સાથે મેળાપ થાય છે એ પ્રભુદર્શનનું હકારાત્મક ફળ છે. સુખ એટલે ઈષ્ટપ્રાપ્તિથી થતા આનંદ. એમાં વ્યાવહારિક અદ્ધિ મળે, અનુકૂળ સંતતિ થાય, સારી રીતે ખાવાનું અને સારા સોબતીએ; ટૂંકામાં સર્વે અનુકૂળ છે. આવી મળે અને નિશ્ચયદષ્ટિ કે સુંદર જ્ઞાન થાય, સાચા-ખોટાને બરાબર ઓળખાય અને સુદેવ, સગર અને સુધર્મની પ્રાપ્તિ થાય. આવી રીતે પ્રભુદર્શનને પરિણામે સુખ અને સંપત્તિ આવી મળે. આ સર્વ ફળે વગર ઈચ્છાઓ મળે છે. જે માંગે તેને એ ફળ મળે, પણ તે તરફ દરકાર ન હોય તેને પણ એવાં ફળની ભેટ થાય છે, એટલે એને બધી વાતે સુખ સુખ અને સુખ જ મળી આવે છે. એને બધી રીતે આનંદ વતે છે અને તે પણ વગર માંગ્યે મળે છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘન-ચાવીશી આવી રીતે પ્રભુદર્શનથી દુઃખ અને દુર્ભાગ્ય દૂર હઠે છે, અને સુખ-સંપત્તિ આવી મળે છે, એ પ્રભુદર્શન કરનાર ગણાવી આવે છે અને પછી ઉગારરૂપે બોલે છે મારે માથે તે મેટો બહાદુર મજબૂત ધણું શેઠ છે, તેથી જેને માથે આવે મજબૂત ધણી બેઠો હોય, તે માણસ કેનાથી હારે? કોનાથી ગાયે જાય? મારે હવે તેનાથી બચવાનું રહ્યું? ગમે તેવા “ખેટ” એટલે તેફાની શિકારી માણસથી હઠવાનું પણ પ્રયજન શું? જીવનમાં આ આધાર અને આધેય તત્વની બહુ મહત્તા છે. આધાર આપનાર શેઠ આધેયને ટકાવી રાખે છે અને મને આવા પ્રભુ મળ્યા છે, મને એનાં દર્શન થયાં છે, તે પછી મારે કોઈનાથી બીવાનું કે ગભરાવાનું કારણ રહ્યું નથી. આ આધારતવ દુનિયામાં ઘણું કામ કરે છે. સ્ત્રીને એના પતિને આધાર હોય કે બાળકને એના બાપને કે વડીલને આધાર હોય કે સારા મિત્રથી પિતાનો બચાવ થવાની ખાતરી હોય તે માણસ પિતાના બચાવ માટે તેના ઉપર આધાર રાખે છે. આધેયને કાંઈ આધારને ટેકે વારંવાર લેવો પડતો નથી, પણ એને મનમાં શ્રદ્ધા હોય છે કે એ વખત આવી પડશે, તે પિતાને દિલે કરાર છે મારે માથે તે ભગવાન જેવા ધણી હેવાથી મને આફત વખતે તેને ઘણો મોટો આધાર છે; હવે મને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સંપદા મળી ગયેલી હોવાથી અને મારા દુઃખ અને દુર્ભાગ્ય દૂર ગયેલાં હોવાથી, અને માથે આવ શક્તિશાળી શેઠ હોવાથી સર્વ ફિકર નાશ પામી ગયેલી છે. તે વિમળનાથ પ્રભુ ! આપ મારા ખરા સમર્થ શેઠ છે અને આપને દેખવાથી મારાં સર્વ કામ સિદ્ધ થયાં છે. હવે એ ભગવાન કેવા છે તે વર્ણવે છે. (૧). ચરણકમળ કમળા વસે રે, નિર્મળ થિર પદ દેખ; સમળ અથિર પદ પરિહરે રે, પંકજ પામર પેખ. વિમળ જિન ૨ અર્થ-આપ (વિમળનાથ)ના પદકમળમાં–પગમાં લક્ષ્મી નિવાસ છે, કારણ કે આપની મેલ વગરનું સ્થિર-સ્થાયી રથાન દેખીને એ ત્યાં આવી રહેલ છે, અને એણે મેલવાઈ, કાલું. ઘેલું, અસ્થાયી પદ છોડી દીધેલ છે—જેમ કાદવમાં ઉત્પન્ન થયેલ કમળ પંકને–કાદવને સાધારણ જાણીને છોડી દે છે તેની પેઠે. (૨) | પાઠાંતર–વસે' સ્થાને એક પ્રતમાં “વશ” પાઠ છે; એક પ્રતિમાં “વશે' એ પાઠ છે. “ નિર્મળ સ્થાને નિરમલ” પાઠ બને પ્રતમાં છે, ભીમશી માણેક પણ એ જ પાઠ છાપે છે. “સમળ’ સ્થાને એક પ્રતમાં “સંમલ” પાઠ છે; બીજી પ્રતમાં “સમલ” પાઠ છે. પરિહરે રે' સ્થાને એક પ્રતમાં “પરિહરે રે ? એ પાઠ છે. “ખ” સ્થાને “પષ” પાઠ બન્ને પ્રતમાં છે, તે જૂની ગુજરાતી છે. “પરિહરે’ સ્થાને ભીમથી માણેક “પરહરિ’ એવો પાઠ છાપે છે. “ખ” સ્થાને એક પ્રત લખનાર “વે' એવો પાઠ મૂકે છે. (૨). શબ્દાર્થ –ચરણ = પગ, ચણ, આપના પગે. કમળા = લક્ષ્મી, દોલત. વસે રે = રહે છે, વાસો કરે છે નિરમળ = મેલ વગરનું, ચોખું. થિર = સ્થિર, નિશ્રળ, ન હાલેચાલે તેવું. પદ = આપનું પદ, આપને રહેવાન ઠેકાણું. દેખ = જોઈને, જાણીને. સમળ = કાદવ સહિત, મેલ સહિત. અથિર = અસ્થિર, હાલેચાલે તેવું પદ = સ્થાન, દેકાણું. પરિહરે = ત્યજી દે, છોડી દે, મૂકી દે. પંકજ = કમળ, કચરામાંથી થયેલ. પામર = નકામ. હળવું, હલકું, પખ = પ્રેક્ષીને, સમજીને. (૨) Page #279 -------------------------------------------------------------------------- ________________ [૨૬૩ ૧૩: શ્રી વિમળ જિન સ્તવન - ટબે-જે ભગવંતના ચરણકમળ વિષે કમળા–લમી, તે સદા વસે છે, તે ચરણકમળ નિરમળ થિર નિશ્ચળ દેખીને લક્ષ્મી અને લક્ષ્મીને વસવાનું કમળ અથિર સમલ-સપંક દેખીને પિતાનું હતું તે પણ છાંડીને પંકજથી ઉત્પન્ન થયું પામર-નીચ દેખીને. (૨) વિવેચન-આપ (પ્રભુ) વિમળનાથ ભગવાનનું મેલ-પંક વગરનું સ્થાન જોઈને કમળા – લક્ષમી આપના પદકમળમાં વાસ કરે છે. આપ સદા લફર્મવંત છે, અને આપના પદકમળમાં આકર્ષણ હોવાથી લક્ષ્મી પણ ત્યાં વાસ કરે છે. આપનું પદકમળ તદ્દન નિર્મળ છે, તેમાં કોઈ જાતને મેલ નથી અને આપના પદકમળમાં તે લક્ષ્મીને વાસ નિર્મળતાને કારણે હોવાથી આપ જનતાને આકર્ષી રહ્યા છે. જ્યાં લક્ષ્મી વાસો કરે ત્યાં સર્વ રદ્ધિ-સિદ્ધિ આવી મળે છે અને આખે વખત આનંદ પ્રસરે છે. ભગવાન તે જ્ઞાન-દર્શન-ચારિત્રની સંપદામાં એવા રાચેલા છે કે ખુદ લકમી પણ તેમના પદકમળમાં નિવાસ કરે છે, અને ત્યાં જ પિતાનું સ્થાન જમાવે છે. લક્ષ્મી જેવા તેવાને ત્યાં જતી નથી, પણ પ્રભુ તે સંપત્તિથી ભરેલા છે, તેમના ચરણકમળમાં વાસ કરે છે. કેટલાક સંપત્તિવાળાને પગે પડ્યા હોય છે. તેઓને પિતાને તે લીલાલહેર હોય છે, એટલું જ નહિ, પણ એ એવા સારા શુકનવંતા હોય છે કે એ જ્યાં જાય ત્યાં પણ ધનદોલત અને વસ્તુની વિપુલતા હોય છે. આ દુનિયામાં પણ આવા પગે પદ્મવાળા માણસોનું અહ સાર બેલાય છે અને તેઓ સારા પગવાળા ગણાય છે. પ્રભુના નિર્મળ અને સ્થિર પગે દેખીને પગે ચાલીને પ્રભુના પગમાં લક્ષ્મીએ રહેવાનું સ્થાનક જમાવ્યું છે. એટલે પ્રભુ એવા સારા શુકનવંત છે કે પોતે જ્યાં વસે ત્યાં બધી રીતે આનંદ આનંદ થાય. લક્ષ્મી પિતાના લંછન કમળને તદ્દન સામાન્ય ગણે છે, કારણ કે કમળનું ઉત્પત્તિસ્થાન કાદવ છે. આવા કાદવમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી પ્રભુના નિર્મળ પગ પાસે આવીને વાસ કરે છે; એ જાણે છે કે એ પગ તદ્દન મેલ વગરના અને સ્થિર છે. મતલબ, પ્રભુ લક્ષમીવંત છે અને સારા શુકનિયાળ છે. આ સર્વ પ્રભુ તરફના ભક્તિભાવને અંગે ભક્ત બોલી બતાવે છે અને તે સાચી વાસ્તવિક હકીકત છે. કહેવાને ભાવ એ છે કે લક્ષમી પોતાનું અસ્થિર સ્થાન છોડી દઈને પ્રભુ પાસે આવીને રહેલી છે : એવા પ્રભુ સુંદર છે. જેનાં પદકમળ-પગમાં લક્ષ્મી વાસો કરે, તે ઉત્તમ માણસ હોય છે. અને તેઓ જ્યાં જાય ત્યાં પણ સુંદર કામ થાય છે? એવા મારા પ્રભુ છે, આવા ધીંગા ધણીને મેળવીને હું રાજી થયે છું. (૨) મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણમકરંદ રંક ગણે મંદર-ધરા રે, ઈંદ્ર ચંદ્ર નાગૅદ્ર. વિમળ જિન. ૩ પાઠાંતર–મુજ મન’ સ્થાને “મન મધુકર” પાઠ એક પ્રતમાં છે; પછીનો પાઠ તે પ્રતમાં આપે છે તે “તુજ પદ પંકજે રે’ એવો પાઠ લખે છે. “લીને ” સ્થાને “લીષ્ય ” પાઠ એક પ્રતમાં છે. “ ગણે” સ્થાને એક પ્રતમાં “ગિર્ણ” પાઠ છે. “ચંદ્ર' સ્થાને પ્રતકાર “ચંદ” પાઠ લખે છે. “નાગૅદ્ર' સ્થાને “નાગૅદ' પાઠ આપે છે, બીજી પ્રતમાં “નાનિંદ” પાઠ છે. (૩) Page #280 -------------------------------------------------------------------------- ________________ ર૬૪] શ્રી આનંદઘન-વીશી અર્થ–મારું મન તમારા પદકમળમાં લાગી ગયું છે, વિલીન થઈ ગયું છે, તમારામાં તન્મય થઈ ગયું છે. જેમ ફૂલની રજ ઉપર ભમરો લીન થઈ જાય તેમ તમારા ગુણરૂપ રજમાં મારું ચિત્ત ચોંટી ગયું છે તે મેરુ પર્વતની ભૂમિને ગરીબ-રાંક જેવી ઓછી કિંમતની ગણે છે અને દેવના પતિ ઇંદ્રના લેકને, ચંદ્રલોકને અને પાતાળવાસી નાગેન્દ્રની ભૂમિને પણ ગરીબનકામી ગણે છે, તેની પેઠે આપના પદકમળને જ એ ચાહી રહેલ છે. (૩) - ટબો–મારે જે મનરૂપ મધુકર તમારા પહેકમલને વિષે ગુણરૂપ જે મકરંદ-પરાગમાં લીન પામે છે, એવો લીન છે, જે મંદર–મેરુ, ધરા–પૃથ્વી, જે મકરંદ મેરુ ધરા, પૃથ્વી, ઈંદ્ર, ચંદ્ર અને નાગેન્દ્ર ઇત્યાદિક સર્વને રંકમાત્ર ગણે છે. અથવા રંક જે મલ્લ તે એ પદાર્થપ્રાપ્તિએ જેમ ગર્વિત થાય તેથી અધિક લીનપણું છે. (૩) વિવેચન–ભમરે ફૂલના પરાગ ઉપર જાય છે એ એને બહુ આકર્ષક દેખાય છે, એવી રીતે મારું મન આપના ગુણરૂપ પુષ્પપરાગ તરફ લીન થઈ જાય છે. ભમર જોશે તે તે ફૂલના પરાગ ઉપર વારી જઈ ફૂલ ફરતે ફેરફૂદડી ખાધા જ કરે છે, એમ હું આપના અનંત ગુણે તરફ આકર્ષાયે છું. પંકજ-કમળ કાદવમાંથી ઉત્પન્ન થાય છે, પણ તે અલગ થઈ જઈ ભ્રમરને ખૂબ આકર્ષણ કરે છે, તેમ આપણું ગુણરૂપ મકરંદ તરફ હું ખેંચાવું છું. સ્વાભાવિક રીતે જ પ્રાણ પ્રભુના ગુણ તરફ લીન થઈ જાય છે. આપનામાં અનંત ગુણો છે તે મને ખેંચે છે અને હું આપને ભક્ત, આપને આધીન થઉં છું, આપના ગુણનું બહુમાન કરું છું. એવા ગુણના આકર્ષણને પરિણામે મારું મન મેરુ પર્વતની ધરાને તદ્દન નકામી ગણે છે. મેરુ પર્વત તે સેનાને છે, પણ પ્રભુના ગુણો પાસે તે કાંઈ હિસાબમાં નથી. એક બાજુ આપના ગુણ જોઉં છું અને બીજી બાજુ મંદરાચળ પર્વતની સેનાની ભૂમિ જોઉં છું તે આપના ગુણ આગળ એ ભૂમિ તદન રાંકડી લાગે છે. ઈલેકની સૌધર્મેદ્રની ભૂમિ મને નાની, સાંકડી કે રાંકડી લાગે છે. એ ભૂમિ ગમે તેવી હોય, પણ આપના ગુણ પાસે એ નિર્માલ્ય લાગે છે. ક્યાં આપના ગુણ અને ક્યાં ઈલેકની જમીન ! મને એ તુચ્છ લાગે છે. એ જ પ્રમાણે ચંદ્રલેકની જમીન આપના ગુણ આગળ તદ્દન ગરીબ લાગે છે. આપના ગુણો પાસે નાગકની પાતાળભૂમિ પણ રાંકડી લાગે છે. ભક્તજન પ્રભુગુણ સ્તવે, ત્યારે તેના મનની આવી દશા વતે છે. ગુણ માનસિક છે અને ભૂમિ સ્થળ છે. એ પૌગલિક ભૂમિ ભક્તના હૃદયમાં જરા પણ સ્થાન લેતી નથી; એની નજરમાં તર્ક નિર્માલ્ય લાગે છે. આ સાચા ભક્તની રીત છે અને તે અનુકરણ ગ્ય છે. અહીં મનને ભ્રમર સાથે સરખાવ્યું છે. પ્રભુગુણ તે સમજી શકાય તેવી ચીજ છે. તેમાં આપણું મન લીન થવું જરૂરી છે તે સાચા ભક્તની પાકી નિશાની છે. (૩) શબ્દાર્થ –મુજ = મારું. મન = માનસ. તુજ = તમારા, આપના. પદ = પગરૂપ, પાદરૂપ. પંકજે રે= મળ પર. લીને = લાગી ગયું છે, વશ થઈ ગયું છે, ચાંટી ગયું છે. ગુણ = આપના ગુણમાં. મકરંદ = ફૂલની રજ, ધૂળ, રંક = રાંક, નકામા, તુચ્છ. ગણે = સમજે, જાણે. મંદર = મેરુ પર્વત. ધરા = પૃથ્વીને. ઈંદ્ર = ઇંદ્રની જગ્યા. દેવકની જગ્યા. ચંદ્ર = ચંદ્રલોકનું સ્થાન, અંતરીક્ષ. નાગૅદ્ર = પાતાળની જગા = નીચેની જગ્યા. (૩) Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : શ્રી વિમળ જિન સ્તવન [૨૬પ સાહેબ ! સમરથ તું ધણી રે, પાપે પરમ ઉદાર; મન વિસરામી વાલો રે, આતમ આધાર. વિમલ જિનવ ૪ અર્થ–હે સાહેબ, તું શક્તિશાળી શેઠ છે અને તે ખૂબ ઉદારને હું મેળવી શક્યો છું. તારામાં મારું મન નિરાંત પામે છે. તેને આધારે તે ટકે છે, અને તું મારા આત્માને ખરે ટેકે છે. (૪) ટબો–સાહિબ સમરથ તું સ્વામી પરમ ઉત્કૃષ્ટ ઉદાર પરમોત્કૃષ્ટ વસ્તુ દાતાર. વળી સર્વ સુખ પરમ દાતાર છે, મનને વાલો મનને વિશ્રામભૂત વિસામા ઠામ, આત્મગુણને આધાર અવલંબન. (૪) વિવેચન–હે સાહેબ! વિમળનાથ પ્રભુ ! હું ઉદાર અને સમર્થ પ્રભુને પામે છે. આપ એવા ઉદાર છે કે તેની ગણતરી થઈ શકે નહિ. આપે વરસીદાન આપી જગતનાં દુઃખ હર્યા છે અને કીર્તિપડતું વગડાવ્યો છે. આપ પૂરા સમર્થ છો. આપના અનંત બળ પાસે કઈ ટકી શકે તેમ નથી. આવા અગણિત શક્તિશાળી પુરુષને મેં ભકતે પ્રાપ્ત કર્યા છે, એ મારે અભ્યદય છે. પ્રગતિને પંથે ચઢનારને આવા સામર્થ્યવાળા ઉદાર પુરુષની પ્રાપ્તિ થાય તેમાં નવાઈ નથી. મારું ભકત હદય જણાવે છે કે, આવા ઉદાર અને શક્તિશાળી પુરુષને મેળવવા હું ભાગ્યશાળી થયેલ છે. અને વળી મારું મન ટેકે પામી શકે એવા આપે છે. આપને જોઈ આપ મારા આશ્રયદાતા હો એમ મારું મન કહે છે. આપને મને આધાર છે. અને આપ વિમળનાથ ! મારા વહાલા છે, આપના ઉપર મને ખૂબ વહાલ આવે છે અને છેવટે આપ મારા આત્માના આધાર છો. આપ વગર તે હું ક્યાંય રખડતે હોત, પણ આપ મારા ટેકા છે એટલે હું વહેલે મોડો આપ જે થઈ શકવાની આશા સેવ હાલ તે અહીં ટકી રહ્યો છું. ભક્તહદય પ્રભુના ગુણ ગાવા માંડે છે, ત્યારે તે બધા ગુણ વર્ણવી બતાવે છે. તેમાં જ ભક્તની ભક્તિ અને મહત્તા છે અને તે ઉપર જ ભક્ત પિતાની સર્વ આશા બાંધે છે. આપનાં દર્શન કેવાં પવિત્ર છે, કેટલાં છે તે આપને તરતમાં જ જણાવું છું. આપ તે અવધારશો અને મને આપનાં દર્શન આપશે અને અંતે મને તમે જે સ્થાનકે છે ત્યાં લઈ જશો. (૪) પાઠાંતર--“સાહેબ” સ્થાને પ્રતવાળો સાહિબ” પાઠ લખે છે. શબ્દાર્થ–સાહેબ = માનને યોગ્ય, મોટા, ઉપરી. સમરથ = સમર્થ, શક્તિશાળી, બહાદર. તું = આપ, ધણી = તેને માલિક તરીકે મેળવીને. પામ્યો = મેળવ્યો, પ્રાપ્ત કર્યો. પરમ = ખૂબ, ઘણે. ઉદાર = પૈસા આપનાર, ખર્ચનાર, વિશાળતાવાળા. મન = મારું મન, જીવન. વિસરામી = વિશ્રામી, જ્યાં આરામ પામે તેવું વાલ = ગમી જાય તે, પ્રેમાળ, વહાલો આતમો = આત્માને, મારા આત્માને, મારો. આધાર = ટેક. (૪) ૩૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ ર૬૬] આનંદઘન-ચાવીશી દરિસણ દીઠે જિનતાણું રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસતા રે, અંધકાર પ્રતિષેધ. વિમલ જિનવ પ અર્થ_શ્રી તીર્થકર દેવનાં દર્શન પામીને, તેને જોઈને, કોઈ પણ પ્રકારના વિરોધનું સ્વપ્ન પણ આવે નહિ; જેમ સંસારમાં સૂર્ય એક હાથ જેટલે પસાર પામે, ત્યાં અંધારાની અટકાયત થાય છે તેની પેઠે, અથવા સૂર્ય કે કિરણને સમૂહ છે, તે પસાર થતાં અંધારાનો નાશ થાય છે તેની પેઠે. (૫) ટો–દર્શન દેખીને શ્રી વીતરાગને સંશય-મનભ્રાંતિને વેધ ન રહે, જેમ દિનકરસૂર્યનાં કિરણ પ્રસરેતે હવે અંધકારને પ્રતિષેધ થાય, તેમ જિન દર્શને મારું મિથ્યાત્વ નિષેધ થાય. (૫) - વિવેચન—આપનું દર્શન કેવું સરસ છે, તે હું ગણી બતાવું છું. જિનેશ્વરનાં દર્શન કરવાથી મનમાં વેધ એટલે સામા પડવાપણાને સંશય રહેતો નથી. વ્યવહારમાં કહેવાય છે કે સંસાચારમાં વિનરાતિ એટલે જેને મનમાં સંશય પડે, તે મય જે થાય, તે વિનાશ પામે છે. પણ આપનું દર્શન તે એવું સરસ છે કે મનમાં જે સંશય હોય, શંકા હોય, તે ભાંગીને સ્વયમેવ ભુક્કો થઈ જાય છે. ગુરુ મહારાજ મન રહે તેનાથી શિવે જેમ શંકા વગરના થઈ જાય છે, તેમ આપને દૂરથી દેખવાથી બધા સંશ-શંકાઓ નાશ પામી જાય છે અને વિરોધ બધે નાશ પામે છે. જેમ દિનકર એક હાથ જેટલે પસાર પામે, ત્યાં અંધારાને નાશ થઈ જાય છે, તેમ આપનાં દર્શનથી વિરોધ સર્વ નાશ પામે છે. સૂર્ય તે એક હાથ લાંબો દેખાય છે, પણ તે જ્યારે દેખાય ત્યારે સર્વ અંધકારને અટકાવ થઈ જાય છે. સૂર્યથી જેમ અંધારું અટકે છે, તેમ આપનાં દર્શનથી સર્વ વિરોધ અટકી જાય છે અને ચારે તરફ અજવાળું–જ્ઞાનને ઉદ્યોત–થઈ જાય છે. આપ આવા પ્રકાશમય હોવાથી આપનું દર્શન મને ખૂબ વહાલું લાગે છે અને મારું મન એમાં રીઝે છે અને આપને આદર્શ પણ મને કમનીય લાગે છે. આવા આપના દર્શનથી મારાં સર્વ કામ ફળે, સફળ થાય એ બાબતની મારા મનમાં જરાય શંકા નથી. અને આપને મારા આદર્શ તરીકે હું સ્વીકારી લઉં છું. (૫) પાઠાંતર–“દરિસણ દીઠે જિન તણે રે ' પાઠ પ્રથમ પંક્તિમાં મૂકે છે. “સંશય ન રહે ભેદ' એ પાઠ બીજા પાદમાં મૂકે છે અથવા આ પંક્તિ મૂકી દે છે. “દીઠે ” સ્થાને પ્રતમાં “દીઠે” પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “તણું રે' સ્થાને એક પ્રતિકાર “તણી પાઠ લખે છે, તે લિંગવ્યત્યય છે. “સંશય” સ્થાને એક પ્રતમાં “સાંસો” પાઠ છે. “ રહે’ સ્થાને પ્રતિકાર ‘રહૈ” પાઠ આપે છે, તે જૂની ગુજરાતીને લઈને છે. પ્રસરતા રે” સ્થાને એક પ્રકાર “વરસતાં રે' એવો પાઠ આપે છે. (૫) શબ્દાર્થ –દરિસણ = દર્શન, દેખવું તે. દીઠે = જોયે, મને, પ્રાપ્ત થયે. જિનતણું = તીર્થકર મહારાજનું. સંશય = શકા, સંદેહ. ન રહે = થાય નહિ, નીપજે નહિ. વેધ = વાંધા વચકો. દિનકર = સૂય. કરભર = હાથ જેટલે, જેનું માપ હાથ થાય છે તે. પરંતા = પસાર પામતાં, પ્રસરતાં. અંધકાર = અંધારું, તિમિર. પ્રતિવેધ = ને નાશ, અટકાયત. (૫) Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : શ્રી વિમળ જિન સ્તવન [ ૨૬૭ અભિય ભરી મૂરતિ રચો રે, ઉપમા ન ઘટે કેય દષ્ટિ સુધારસ ઝીલતી રે, નિરખત પતિ ન હોય. વિમલ જિન ૬ અર્થ-આપની મૂર્તિ (પ્રતિમા) અમૃત ભરેલી બનાવેલી છે અને તે એવી સરસ બનેલી છે કે તેને કોઈ સાથે સરખામણીમાં મૂકી શકાય તેમ નથી, અને તેવી વસ્તુ ન હોવાથી તે યોગ્ય પણ થઈ શકે તેમ નથી. એ પ્રતિમાની દષ્ટિ અમૃત રસને ઝીલનારી છે, અને એને જોતાં જોતાં ધરવ પણ થતું નથી, સંતોષ પણ થતા નથી. (૬) ટ–અમૃતથી શીતળ તારી મૂર્તિ તે પ્રતિમા–પ્રતિબિંબ તેનું ઉપમાન કેઈ ન ઘટે. જે વીતરાગની દષ્ટિ અમૃત સુધારસે નાહતી અંધાલતી છે, તે દેખતાં દેખતાં વૃદ્ધિ પામતી નથી. (૬) વિવેચન—આપની મૂર્તિ અમૃતથી ભરપૂર બનાવવામાં આવી છે. જેના હાથમાં હથિયાર નહિ અને રૌદ્ર રૂપ નહિ, એવી દેખતાં પણ શાંતિ થઈ જાય એવી આપની મૂર્તિ બનાવવામાં આવી છે. તમે દુનિયાના કોઈ પણ દેવની મૂર્તિ છે, તે તમને જણાશે કે, કાં તે તેના હાથમાં ભયંકર હથિયાર હશે, અથવા ભયંકર રૂપ હશે, ઉઘાડી આંખ અને ભયંકર રૂપ જોતાં જ માણસ ગભરાઈ જાય, પણ આપની મૂર્તિ તે પર્યકાસને અને પડખે કામદેવની મૂર્તિ સમાન સ્ત્રી નહિ, આવી શાંત રસમાં નિમગ્ન થયેલી રચવામાં આવી છે. એક વાર ધનપાળ પંડિતને ભોજરાજાએ હુકમ કર્યો કે, તેણે દેવપૂજન કરી આવવું; દેવનું નામ ન આપ્યું. ધનપળે પણ હાથમાં કેશર, ફૂલ વગેરે લીધાં, કાળીની મૂર્તિ જોઈ, પાછો ફર્યો, પછી કૃષ્ણની મૂર્તિ સાથે રાધાને જોઈ, પડદો કરી ચાલ્યા ગયે, અંતે દેવાધિદેવ તીર્થકરની મૂર્તિ જતાં તે બે ઃ प्रशमरसनिमग्न दृष्टियुग्म प्रसन्न, वदनकमलमङ्क : कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्य, तदसि जगति देवो वीतरागस्त्वमेव ।। પ્રશમ રસમાં ઓતપ્રેત થઈ ગયેલી જેની બન્ને આંખો છે, વદનકમલ પ્રસન્ન છે, બળે શ્રીસંગ રહિત છે, હાથમાં શસ્ત્રને સંબંધ નથી. હે ભગવાન ! તું જ ખર વિતરાગ છે, તું જ મારી પૂજાને યોગ્ય છે. આવી રીતે અમૃત ભરેલી, શાંતિનું સામ્રાજ્ય બતાવતી શ્રી તીર્થંકરદેવની મૂર્તિ ખરે. ખર આદર્શ દેવના પ્રતીક સમાન છે. એ ખરેખરી દેવની મૂર્તિ છે, માટે પૂજ્ય છે અને ખરો પાઠાંતર–ઉપમા” સ્થાને એક પ્રતમાં “ઉપમ’ પાઠ છે. ઘટે” સ્થાને એક પ્રતમાં “ગ” પાઠ છે. - દષ્ટિ સુધારસ સ્થાને છાપેલ બુમાં “શાંત સુધારસ પાઠ છે. “નિરખત’ને સ્થાને “નિરષિત” પાઠ ભીમશી માણેક છાપે છે. એક પ્રતનાં નિરખી પાઠ છે. (૬) | શબ્દાર્થ—અભિય = અમૃત, દેવોને પીવાનું પય ભરી = ભરેલી, પૂણ. મૂરતિ = પ્રતિમા, મૂતિ. રચી = બનાવી, ઘડી. ઉપમા = તેની સરખામણી ન ઘટે = ને લાયક થાય. દષ્ટિ = નજર. સુધારસ = અમૃતરસ. લતી રે – લે છે, પકડતી. નિરખત = દેખતાં, તેને જોતાં. તૃપ્તિ = સંતાપ, હાશ શબ્દોચ્ચાર. ન હોય = થતી નથી. (૬) Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] શ્રી આનંદઘન-ચાવીશી છે. અને તે કોઇ ઉપમાને વસ્તુ નથી જે કોઈ વસ્તુના દુનિયામાં કોઈ પણ વસ્તુ જ આનંદ આપનાર છે. એ સાચા દેવ છે અને આદર્શ સ્થાને પૂજ્ય યેગ્ય નથી. આપની તુલ્ય ઉપમા આપી શકાય, તેવી કોઇ પણ ગુણ વિચારું છું, તે આપની સાથે સરખાવી શકાય એવી આ નથી. આપ તો ખરેખર અનુપમેય છે. અને આપની દૃષ્ટિ અમૃતરસને-શાંતરસને પકડનારી છે. શાંતરસ કેવે! હાય તે આપણે શાંતસુધારસ ગ્રંથમાં જોઇ આવ્યા છીએ. આવી શાંતરસને ઝીલનારી મૂર્તિને જોતાં આંખને ધરવ ન હોય; એમાં એને એમ થયા કરે કે, આને જોયા જ કરુ, એવી સુંદર શાંત આપની પ્રતિકૃતિ છે. મારી આંખે એને જોતાં ધરાતી જ નથી અને ફરી ફરીને એને વારંવાર જોયા કરે છે, (૬) એક અરજ સેવકતણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજિયે રે, ‘આનંદધન’પદ સેવ. વિમળ જિન॰ ૭ અ”—આ સેવકની એક અરજી આપ સ્વીકારો, ધ્યાનમાં લે, પસાર કરી, આપ તે જાતે તીર્થંકર દેવ છે એટલે મારી અરજી ઉપર ‘હા’ના શેશે જ કરશે. મહેરબાની કરી મને આનંદના સમૂહની—તેને કરનારની સેવાભક્તિ મળ્યા કરે, એવું મને આપજો. એટલે આપની સેવાભક્તિ નિરતર મળે એવું આપજો ! (૭) ટા—એક અરજ–વિનતિ પેાતાના સેવકની હેજિનેશ્વરદેવ ! તે ચિત્તમાં—મનમાં અવધારીને મુજ સેવક ઉપર કૃપા કરીને દીજિએ-આપીએ, આનદઘન તે પરમાત્માના ચરણકમળની સેવના આપે મુજને, એટલે તેરમા શ્રી વિમળજિનનું સ્તવન સપૂર્ણ. (૭) વિવેચન—હે તીથ કર દેવ ! વિમળનાથ પ્રભુ ! આ સેવકની એક અરજ સાંભળે, આપ તેના પર લક્ષ્ય આપે। અને મારી વિજ્ઞપ્તિને સ્વીકારો. આપ તો મોટા છે અને હું સેવક એકલે છું, આપને મારા જેવા અનેક અરજદારા હશે, પણ છતાં આપને હું જણાવું છું કે મારી અરજ ધ્યાનમાં લે. તે અરજ સાવ સાદી છે, એટલે એ અરજી સ્વીકારાઇ જશે, એમ સેવકની ભક્તની ખાતરી છે. તે અરજ શું છે તે આપણે જોઇએ. આ રહી તે અરજી : મને કૃપા કરીને–મહેરબાની કરીનેઆનંદના સમુદાય આપ પોતે જ છે, તેની સેવના આપા અને મને આપના જેવા બનાવેા. મારે કાંઇ ઘરબાર કે પૈસા માંગવા નથી, આ ભવમાં દ્વ પાઠાંતર— તણી રે ' સ્થાને ‘ તણિ રે’ પાડે એક પ્રતમાં છે. ‘ જિનદેવ ’ સ્થાને એક પ્રતમાં ‘જીનદેવ ’ પાડે છે. ‘ દીજિયે ’ સ્થાને એક પ્રતમાં · દિઈ ' પાડે છે, તે જૂની ગુજરાતી છે; એક બીજી પ્રતમાં ‘દીજિયે ' સ્થાને દીઈ ' એવા પાઠ છે. (૭) શબ્દા—એક = માત્ર એક જ, એકથી વધારે નહિ, સેવકતણી = આપના તોકરતી. વધારા = ધારણ કરા, સ્વીકારો. જિનદેવ = તીથંકર મહારાજ ! કૃપા = દયા, મહેરબાની. કરી = લાવીને, ધારણ કરીને. મુજ = મને, પ્રાના કરનારને. દીજીએ = આપીએ, દઇએ. આનંદધન = આનંદના સમૂહ, આપ પોતે. પદસેવ પગની નોકરી, ચાકરી, સેવા. (૭) = Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : શ્રી વિમળ જિન સ્તવન [ ૨૬૯ અને પરભવમાં આપના પઢની સેવા મને મળ્યા કરે, એટલી જ મારી અરજી; મારે કાંઇ આપની પાસે જમીન કે દોલત માગવી નથી, પણ મન દુખ્ત સેવા મળે મવે તુમ્દ વહેળાનું આપની ચરણસેવા મને ભવેાભવ મળ્યા કરે એવી મારી આપને વિજ્ઞપ્તિ છે. તમે ચઢેરાળસ્થ રાગ્ય ! મૂયાઃ— આપની સેવા, આપનું શરણ ભવેાભવમાં મને મળ્યા કરો, એટલી જ મારી માગણી છે. આપ તે માગણી સ્વીકારો, ધ્યાનમાં લે અને મને સેવા આપ્યા કરો. આ માંગણીમાં ભારે રહસ્ય છે. ‘જય વીયરાય’માં કહે છે કે ‘આપના શાસનમાં નિયાણાનું બાંધવું અટકાવ્યું છે, છતાં હું તે એક નિયાણું કરુ છું કે-આપના પદની સેવા મને ભવેાભવ મળજો. આવી સાદી માંગણી છે તે પૂરી કરવાની ભગવાનને વિનંતિ છે. આ પદની સાથે લાભાનંદજી જેએ આનંદઘનના નામથી પો અને સ્તવના લખતા હતા, તેઓએ પેાતાનું નામ પણુ આડકતરી રીતે જણાવી દીધું છે. એમણે કોઇ સ્થાને ‘લાભાનંદજી' એવું નામ આપ્યું નથી, પણ તેની સ કૃતિને છેડે ‘આનંદઘન’ નામ આપ્યું છે. આ સંબંધમાં ખૂબ વિચાર કરવા યોગ્ય છે, તે માટે જુએ ઉપેદ્ઘાતમાં આનંદઘનચરિત્ર. આ રીતે મા આદશ યાગ્ય છે અને હું તે પ્રભુને જ મારા આદર્શ સ્થાને રાખવા ઇચ્છું છું. એ મારા પ્રભુ કેવા છે અને એ કેવાં વચન ખેલે છે તે આગળ ઉપર આવતા સ્તવનમાં પણ જોશું. આ તે શાસ્ત્રનું નવનીત–માખણ છે, જોઇ-વિચારીને કાઢેલ છે અને સંઘરી સમજવા યોગ્ય છે. (૭) ઉપસંહાર તન આ રીતે તદ્દન જુદી દીતે લખાયેલું વમળનાથ ભગવાનનું સ્તવન પૂર્ણ થયું. તે જુદી જ કૃતિ છે, અનેાખી કૃતિ છે. પદની અને આ સ્તવનની ભાષામાં ઘણો ફેર છે. પદની ભાષા હિંદીને લગતી છે. આ સ્તવનની ભાષા ગુજરાતીને લગતી છે. આટલા ભાષાને અંગે ફેર કેમ થયા હશે તે વિચારતાં એમ લાગે છે કે આ સ્તવના બનાવતી વખતે તેએશ્રીને-લાભાનંદજીના વિહાર ગુજરાતમાં થયેલે હોવા જોઇએ, છતાં તેમાં હિંદી ભાષાની અસર તે છે જ, તેથી તે સ્તવનને ભાષા દૃષ્ટિએ ગુજરાતી તે ન કહી શકાય. આપણે પ્રથમ ગાથામાં જોયું કે ધીંગ' શબ્દ આવે છે, ખેટ' શબ્દ આવે છે, તે ગુજરાતીને તે સમયના શુદ્ધ લેખક ડાય તે લખે નહિ, એટલે આ ભાષાનું લઢણ ગમે તેવું ગુજરાતી હોય, તેપણ તેમાં બુંદેલખંડના સંસ્કારના પાસા તે છે જ. આખુ` સ્તવન પ્રભુના અનેક રીતે ગુણાને બતાવનારું છે તે નજરે વિચારતાં પ્રભુને આદશ સ્થાન રાખવાનો લેખકનો આગ્રહ ઉઘાડો જણાઈ આવે છે. પછી તે આત્મિક ગુણની વિચારણા અને તેની પૌદ્ગલિક ગુણા સાથે સરખામણીમાં પ્રભુની સાથે ઉપમા આપી શકાય તેવી કાર્ય વસ્તુ કે વ્યક્તિ નથી, એમ બતાવી પ્રભુ તરફના પેાતાના પ્રેમ બતાવતાં તેને કોઈ ઉપમા ન ઘટે, ત્યાં સુધી કહી નાખીને, પ્રભુને અનુપમેય સત્ય રીતે બતાવ્યા છે, એમાં જરા પણ અતિશચેક્તિ નથી. તમે દુનિયાના કોઇ પણ મોટામાં મેટો પદાથ જુએ કે કોઇ મોટા માણસને Page #286 -------------------------------------------------------------------------- ________________ રહo] શ્રી આનંદઘન-ચાવીશી શોધી કાઢે, પણ પ્રભુની સરખામણીમાં તે કાંઈ નથી અને પ્રભુ સાથે તેને સરખાવવા પ્રયત્ન કરો એ નકામું છે. એવી કઈ ચીજ નથી, કે એવી કોઈ વ્યક્તિ નથી, જેને પ્રભુ સાથે સરખાવી શકાય. ભલા–ભેળા ભકતે માગણી તે તદ્દન સાદી કરી છે. એ તે માત્ર પ્રભુની સેવા જ માગે છે, પણ એનું આંતર રહસ્ય વિચારતાં એ ભારે માગણી છે. અને પ્રભુમય થવાની તીવ્ર ઈચ્છા એ માંગણીમાં વ્યક્ત થાય છે. માંગીને આવી માંગણી કેમ કરી, તે માંગનારની બુદ્ધિમત્તા અને દીર્ઘ નજર સૂચવે છે. ઐહિક નશ્વર ચીજ ન માંગતાં એ તે પ્રભુની સેવા ભવભવ માગે છે અને તે દ્વારા પિતાનું કામ કાઢી લે છે. આવી વૃત્તિ સદાકાળ રહે તે પ્રાણીને મોક્ષ નજીકમાં જ છે એમ સમજવું. સ્તવનમાં એક સરસ વાત કરી છે. એ ભ્રમર પ્રભુગુણ મકરંદમાં લીન થઈ ગયે છે. ગુણ મકરંદમાં લીન થઈ જવું, તન્મય થઈ જવું, તેના ઉપર એકાગ્રતા લગાડવી એ કાંઈ જેવી તેવી વાત નથી. એ તે યુગની મહાસિદ્ધિ અને કર્તવ્ય છે, જેને પરિણામે આખરે પ્રભુમય થઈ જવાય છે. આ સર્વ સાધ્યના માર્ગો છે. અને ખરે સેવક આ દીર્ઘ નજરની જ માગણી કરે, કારણ કે નશ્વર ચીને તો અંતે અહીં રહી જનાર છે અને અસ્થાયી છે. એ આપણી નથી અને આપણી કદી થઈ નથી અને થવાની નથી. બાકી પ્રભુગુણમાં લીન થઈ જવું એ તે માટે રાજયોગ છે અને જરૂર કર્તવ્ય છે. આવી રીતે સદ્વિચારણા કરી અને પિતાની મુક્તિ સાધી. જે પ્રાણ એ પ્રમાણે ભવ્ય વિચારણા કરશે તે અંતે મંગલિકમાળાને વરશે એ નિશ્ચિત હકીકત છે. આ બતાવે છે કે પ્રભુ-તીર્થંકરદેવને આદર્શ સ્થાને રાખવાની આપણી પૂર્વ વિચારણા વધારે મજબૂત થાય છે. વિમળનાથ ગર્ભે આવ્યા પછી એમની માતા ખૂબ નિર્મળ થાય છે અને તે ચેમ્બો ન્યાય કરવાની બુદ્ધિ દાખવે છે. તેઓ કપિલપુરના કૃતવર્મ રાજાના પુત્ર થાય, તેમની માતાનું નામ શ્યામા, સુવરનું લંછન અને સાઠ ધનુષ્ય કાયા–એવા મહાપુરુષ શ્રી વિમળનાથી આપણે આદર્શ સ્થાને હો ! (૧૩) ફેબ્રુઆરી : ૧૯૫૦ ] Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી અનંતનાથ જિન સ્તવન સંબંધ-આવા પ્રભુની સેવા કરવાનું-ભક્તિ કરવાનું–આપણે આગલા સ્તવનને છેડે નક્કી કર્યું. એ સેવા કરવાનું કામ કેટલું મુશ્કેલ છે અને પ્રભુના ઉપદેશ પ્રમાણે ચાલનાર કેટલા છેડા છે, તે આપણે જુદા જુદા મુદ્દાઓથી તપાસીએ. સેવા કરવા યોગ્ય છે અને તે સારી છે એમ તે કેટલાયે કહે, પણ સેવા બરાબર સમજવા જેવી ચીજ છે અને તે કરવી, તેમાં એકાગ્રતા કરવી, એ ઘણું મુશ્કેલી ભરેલું કામ છે, તે ચેડાના જ સમજવામાં આવે છે. તેઓ તે ધારે કે એકદમ સેવા થઈ જશે, પણ સેવાધર્મ સર્વથી મુશ્કેલ છે એમ કવિઓ પણ કહે છે. શ્રી ભર્તુહરી પણ કહે છે કે સેવાધર્મ: માનો યોનિનામાન્ય એનો અર્થ એમ છે કે સેવાધર્મ અત્યંત મુશ્કેલ છે અને તે ગિઓને પણ ગૂંચવણમાં પાડી દે તેવે છે. આ રીતે કેઈની સેવા ઊઠાવવી એ અનેક મુશ્કેલીઓથી ભરપૂર માગે છે. સામાન્ય રીતે એમ ધારવામાં આવે, કે સેવા કે ભક્તિ, એમાં શું છે? એ તે ગમે તે, ગમે ત્યારે કરી શકે. પણ આ સ્તવનકારના કહેવા પ્રમાણે તે, તે અત્યંત મુસીબતથી ભરપૂર માગે છે. તેથી આપણે એ વાત પ્રથમ ધ્યાનમાં રાખવી જોઈએ. સાધારણ ઔપચારિક સેવા તે આપણે વારંવાર કરીએ, પણ જે ભક્તિ કહેવાય તે તે લાકડાના લાડુ છે; અને યથાતથ્ય તેને અમલ કરે એ તે બહ આકરી વાત છે. તેથી તેમાં એકાગ્રતા કરી એકધ્યાનથી તેનું અનુકરણ કરવું અને જે પરમપદને આપણે મેળવવાની આશા રાખીએ છીએ, તેને અપાવનારની ભક્તિ કરવી. ભક્ત જ્યારે એકાગ્ર થાય છે અને સેવાકાર્યમાં પ્રવર્તે છે ત્યારે તેને બીજું કાંઈ પણ સૂઝતું નથી. એને મન પ્રભુ એ જ સર્વસ્વ હોય છે. તેની સાંનિધ્યમાં ગમે તેમ કરી રહેવું અને તેના સંબંધના દરરોજ વિચાર કરવા એ સિવાય કોઈ કામમાં એને મજા આવતી નથી આ સેવાભાવને અને ભક્તિપૂજાને મહિમા છે. તે ઉપરાંત એક ઘણો અગત્યને પ્રશ્ન આ સ્તવનમાં ચર્ચવામાં આવ્યા છે. તે સમજ્યા વગર ગતાનુગતિક ક્રિયા કરવાને સવાલ છે. કેટલાક કિયાવાદીઓ કિયામાં જ સર્વસ્વ માને છે. તેમને અમુક પડિલેહણ કે પ્રતિક્રમણમાં એટલે રસ આવે છે કે તેના હેતુ, રહસ્ય કે અર્થને જરા પણ ન સમજતા હોય, પણ યંત્રવત્ કિયા કયે જ જાય છે. તેઓને જે ક્રિયા કરવાનો શોખ થાય છે તે યંત્રની માફક કિયા કરે છે, તેનું ફળ સંસાર વધવામાં જ આવે છે. ફળ તે થાય, પણ તેથી સંસાર વધે છે અને મોક્ષ દૂર થાય છે. આ માત્ર સમજણ વગરની ક્રિયા સંચા માફક કર્યો જવાનું ફળ છે. એવી તે અનેક કિયા આ જીવે કરી, પણ એમાં એને ખરે ઉદય ન થયા. ખરે ઉદય તે ત્યારે જ થાય કે જ્યારે આ જીવ પ્રભુ સરખે થાય અને એનાં આધિ, વ્યાધિ અને ઉપાધિ હમેશને માટે દૂર થઈ જાય. સમજ્યા વગરની Page #288 -------------------------------------------------------------------------- ________________ ર૭૨] શ્રી આનંદઘન વીશી કિયા આવા નિરવધિ આનંદનું કારણ નથી, પણ સમજણપૂર્વકની ક્રિયા છે. સમજ્યા વગર તે પ્રાણીઓ અનેક ક્રિયા કરી, તેથી સારું કુળ, દેવનિ, વગેરે મળે, પણ એ સર્વ સંસારવૃદ્ધિનાં કારણ છે, અને સંસાર વધારનાર હોઈ અનિષ્ટ છે. એમ કહેવાય છે કે આ જીવે મેરુ પર્વત જેવડો મોટો ઢગલે થાય તેટલાં ઓઘા-મુહપત્તિ ક્ય, પણ આત્મિક દષ્ટિએ હેતુ-રહસ્ય વગર કર્યા, એમાં એની ઉપાધિને અંત આવ્યો નથી. જ્યાં સુધી કોઈ પણ ક્રિયા સમજીને ન થાય, ત્યાં સુધી સર્વ કામ યંત્રવત્ થાય છે તેનું ફળ સંસાર છે, તે આપણે તદ્યોગ્ય સ્થાનકે વિચારશું. આવા અનેક પ્રશ્નો આ સ્તવનમાં વિચારવામાં આવ્યા છે. સ્તવન (રાગ રામગિરિ, કડખાની દેશી વિમલ કુલકમલના હંસ તું જીવડાએ દેશી.) ધાર તરવારની સેહલી દોહલી, ચઉદમાં જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના-ધાર પર રહે ન દેવા. ધાર૦ ૧ અર્થ—તરવારની ધાર સહેલી છે, પણ ચૌદમા તીર્થંકરના ચરણકમળની સેવા એ તેથી વધારે મુશ્કેલ છે. તરવારની અણી પર રમત કરનારાઓને જોઈને મજા આવે છે, પણ એ ભગવાનની સેવાની અણી ઉપર દેવતા પણ રહી શકતા નથી, સેવા કરી–આચરી–આદરી શકતા નથી. (૧) ટબ-જ્ઞાનવિમળસૂરિ આ સ્તવનના અર્થમાં જણાવે છે કે—એ આગલા તેરમા સ્તવનમાં પ્રભુ પાસે સેવના માગી, તે હવે ચઉદમાં શ્રી અનંતનાથ ભગવાનના સ્તવનમાં તે સેવા, તેનું ટક્કરપણે દેખાડી કહે છે, તે પૂજા કેવી છે? તરવારની ધાર સહવી તે સોહીલી-સુગમ, પણ તેથી દોહિલી-દુર્ગમ ચૌદમાં જિનવરની સેવના. તરવારની ધાર પર નાચતા-ખેલતા અનેક બાજીગર–ભવાયાદિક દેખે છે. પણ સેવનાની ધાર ઉપર રહેવું–તે આજ્ઞાએ ચાલવું, તે ધાર ઉપર રહેવું, તે દુર્ગમ છે. (૧) પાઠાંતર–સોલી ” સ્થાને ભીમશી માણેક “સોહેલી ” પડ છાપે છે. “દેહલી’ સ્થાને ભીમશી માણેક હેલી” પાઠ છાપે છે. સેહલી” સ્થાને પ્રતમાં “સોહિલી ” પાઠ લખે છે. “દેહલી” સ્થાને પ્રથમ પાદમાં હિલી” પાઠ છે. “નાચતા ' સ્થાને પ્રતવાળા “નાચતી” પાઠ લખે છે; અર્થ ફરતો નથી. ‘દે’ સ્થાને બને પ્રતમાં “દેષિ” એવો પાઠ લખે છે. “રહે ” ને બદલે પ્રતવાળો રહે” પાઠ લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે. દેવા” ને બદલે એક પ્રતમાં “હેવા” પાઠ છે; તેનો અર્થ “ચાલવું ” આપે છે. “ધાર' સ્થાને એક પ્રતમાં “ધારિ” પાઠ છે; અર્થ ફરતો નથી. (1) શબ્દાર્થ –ધાર = અણી, છેવટનો ભાગ. તરવારની = મારી નાખવાનું લેઢાનું શસ્ત્ર. સોહલી = સહેલી, સુલભ, સારી. દેહલી = મુશ્કેલ, દુર્લભ. ચૌદમા = ૧૪મા. જિનતણી = તીર્થંકર દેવની. ચરણસેવા = પગની સેવા, ચાકરી, ધાર પર = તરવારની અણી પર. નાચતા = રમતા, ગમત કરતા, ખેલતા. દેખ = દેખો, જુઓ. સેવના = સેવારૂપ. ધાર પર = અણી પર રહે ન= ટકે નહિ. દેવા = દેવતાઓ પણ. (૧) Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૪: શ્રી અનંતનાથ જિન સ્તવન [ ર૭૩ વિવેચન—તરવારની અણી ઉપર નાચવું ઘણું મુશ્કેલ છે. એમાં જરા ભૂલ થાય તે જીવને દો જ થઈ જાય. એને કદાચ પ્રયાસથી અને પ્રયોગથી બરાબર કરી શકાય તેવી એને સહેલી ચીજ ગણવામાં આવે, તે એ સામાન્ય થઈ જાય. તમે કઈ બાજીગરને જોશે તે ચારે તરફ તે તરવારને ગઠવી તરવારની વચ્ચેથી એવા આબાદ નીકળી જાય છે કે તમને તે હર્ષનાં આંસુ આવે. અત્ર કહેવામાં આવે છે કે તરવારની ધાર પર નાચવું તે સહેલું છે, પણ ચૌદમા જિનેશ્વરદેવની સેવા કરવી એ ખાંડાની ધાર ઉપર ચાલવાથી પણ વધારે મુશ્કેલ છે. એ સવાલ અહીં રજૂ કરવાનું કારણ એ છે કે આગલા સ્તવનમાં છેવટે સેવાને મહિમા કહ્યો, હવે અહીં કહે છે કે સેવા એ રમતની વાત નથી. તરવારની ધાર ઉપર રમત કરવી કે નાચવું એ તે પ્રમાણમાં સહેલી વાત છે, પણ ચૌદમા તીર્થ પતિની સેવા ઉઠાવવી તે તરવારની ધાર ઉપર નાચવાથી પણ વધારે મુશ્કેલ બાબત છે, જે દેવતા જેવા અનુકૂળતાવાળા પણ કરી શકતા નથી. દેવતાઓ તે અવ્રતી હોય છે, તેઓને વ્રત નિયમ ઉદયમાં આવતાં જ નથી. તેઓને કહેવામાં આવે કે નિયમ કરે તે એક નવકારશી જે નિયમ પણ કરી શકતા નથી. તેઓ સેવાની આવી આકરી અણી પર કેમ રહી શકે? સેવા એ તે સમજીને ઈરાદાપૂર્વક કરેલ ભક્તિ છે. તે અતિ સુખમાં ચમન કરતા દેવતાઓને અશક્ય લાગે, તે સમજી શકાય તેવી હકીકત છે અને મુખે બોલી ન શકે તેવાં અવાચક તિર્યંને સેવા બનવી લગભગ અશક્ય છે. અને નારકે તે સદા અનેક પ્રકારનાં દુઃખમાં નિમગ્ન છે. તેઓને સેવાની ધાર પર નાચવું મુશ્કેલ છે. એટલે સેવાની શકયતા માત્ર મનુષ્યગતિમાં જ છે. આવી દેવતાને પણ મળવી દુર્લભ સેવા મનુષ્યને મળે, એ જેવો તે લાભ નથી. (૧) એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે. ધાર૦ ૨ પાઠાંતર–“ કહે” સ્થાને એક પ્રતમાં “કહૈ” પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી પાઠ છે. વિવિધ’ સ્થાને એક પ્રતમાં “વિવધ” પાઠ છે તે અશુદ્ધ જણાય છે. “કિરિયા” સ્થાને પ્રતમાં “કીરીઆ પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “ન દેખે માં એક પ્રતમાં “ન” છોડી દીધો છે. “કિરિયા ' ત્રીજા પાદમાં કરીયા” શબ્દ લખે છે તે અશુદ્ધ જણાય છે. “રવડે’ સ્થાને એક પ્રતમાં રડવર્ડ' પાઠ છે, એ જૂની ગુજરાતી છે. “ચાર” સ્થાને અને પ્રતમાં “ચ્ચાર” પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “ગતિમાંહે' સ્થાને પ્રતમાં “ગતમાહે” એવો પાઠ છે તે શુદ્ધ લાગતો નથી, એક પ્રતિકાર ગતિમહી” પાઠ આપે છે તે અશુદ્ધ જણાય છે. “લેખે ' સ્થાને એક પ્રતમાં “લેબં” પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. (૨) | શબ્દાર્થ_એક = કોઈક, some. કહે = જણાવે છે, બોલે છે. સેવિયે = અમે પૂજીએ છીએ, ભજીએ છીએ. વિવિધ = જુદી જુદી જાતની. કિરિયા = ક્રિયા (માત્ર) કરી = કરીને, અમલમાં મૂકીને. ફળ = પરિણામ, અનેકાંત = ફળ થાય તે ચેકસ નહિ, તે પ્રમાણે લાભ થાય કે ન પણ થાય. લોચન = નયન, આંખો. ન દેખે. = જેનાર નથી. ફળ = પરિણામ. અનેકાંત = જેનું ફળ થાય અને ન પણ થાય. કિરિયા = ક્રિયા કરી = બનાવી, અમલમાં મૂકી. બાપડા = મૂખ માણસો, અણસમજુ લેકે. રડવડે = રખડે, આથડે. ચાર ગતિ = દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી. માહિ = માં, તેમાં લેખે = ચાર ગતિમાં રખડે, હિસાબે. (૨) ૩૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] શ્રી આનંદઘન-ચાવીશી અર્થ-કોઈ કોઈ લોકો કહે છે કે જુદા જુદા પ્રકારની સેવા-ભક્તિ, અથવા ક્રિયા કરી ભગવાનની સેવા કરીએ છીએ, પણ તેની નજરે ક્રિયાનું ફળ જણાતું નથી, દેખાતું નથી. તેઓ બિચારા એકસરખા ફળને ન આપનારી ક્રિયા કરી ચારે ગતિમાં (દેવતા, મનુષ્ય, તિય ઇંચ અને નરક ગતિમાં) રખડે છે, આંટા માર્યા કરે છે. અને તે તે ચાર ગતિમાં આખડે છે, તેના નિસ્તાર થતા નથી, (ર) ટમે—હમણાં કેટલાએક એમ કહે છે જે વિવિધ-બહુ પ્રકારની ક્રિયા કરીને સેવીએ, એકાંત ક્રિયાવાદી તે ખેલ્યા, પણ તે અનેકાંતદૃષ્ટિ–રયાદ્વાદષ્ટિનું ફલ દેખતા નથી, કેટલાએક અનેકાંત ક્રિયા કરીને સ્યાદ્વાદળ નથી દેખતા, જિનમત નથી જાણતા, તે ખાપડા પ્રાણી જાણતાં ચાર ગતિમાં રજે-ફ્રે-ભમે. એકાંત જ્ઞાનને, એકાંત ક્રિયાને અનેકાંત દૃષ્ટિ ન કહીએ, જ્ઞાનક્રિયાએ મેાક્ષ જાણીએ. તે અનેકાંત મત. (ર) વિવેચન— યા યા ત્રિયા સા સા જ્જતી એ સૂત્રને માન આપનાર કેટલાક ક્રિયાવાદીએ કહે છે કે, અમે ક્રિયા કરીને ભગવાનને મેળવશું, પણ ક્રિયાનું ફળ તે એકાંત નથી. કેટલીક વખત ક્રિયાનું ફળ મેાક્ષમાની પ્રાપ્તિમાં થાય અને કેટલીક વખત સંસાર વધારનાર થાય. જેમ સંગમના જીવને દાન દેવાથી શાલિભદ્રના અવતાર મળ્યા, પણ આખરે તે તેમના સંસાર વધી જ ગયા. તેઓ અનેક ઋદ્ધિ પામ્યા, પણ તે તે થાડા વખત માટેની હતી. સંસાર વધી જવા એ, વિશાળ નજરે જોતાં, કોઇ પ્રકારના લાભ નથી, એ તો ‘ખાધું એટલે ખેાયુ” જેવી વાત છે. પછી તમે દૂધપાક ખાધા હોય કે ઘેંસ ખાધી હોય, તે જોવાનું નથી. પેટમાં ગયા પછી સં સરખું બની જાય છે. ક્રિયાનું ફળ તાત્કાલિક લાભમાં તે આવે, પણ એથી અન'તકાળના લાભ મળતા નથી; અને સુખ તે ભેગવ્યું એટલે ખલાસ થઇ જાય છે. ક્રિયાના લાભ તો મળે, પણ તે પૌદ્ગલિક પ્રાપ્તિમાં હોય તો એને કાંઇ અર્થ નથી. એ તે અસ્થાયી વસ્તુ છે અને જતી વખતે કચવાટ મૂકી જનાર છે. સ` ક્રિયાનો સાચેાસાચ લાભ જ મળે એમ ન સમજવું, કાંઇક લાભ મળે, તે અનંતકાળને હિસાબે કાંઇ ગણતરીમાં નથી; અને આવા અનેકાંત લાભ પર આધાર બાંધી શકાય નહિ. ક્રિયાવાદી માત્ર ક્રિયામાં જ માને છે, એ સમજ્યા વગર આખા વખત યંત્રની જેમ ક્રિયા જ કર્યા કરે, પણ હેતુ સમજ્યા વગરની સચા માફક કરેલ ક્રિયા તે સ્થાયી લાભ આપનાર નીવડતી નથી. એમાં દુનિયાદારી અને સુખસગવડ મળે, પણ મેક્ષ જેવા અનંત સુખ પાસે એ કાંઇ ગણતરીમાં નથી. જે ફળ હુંમેશ ટકે નહિ, તે અંતે અથ વગરનું છે અને પરિણામે સંસાર તરફ ગમન કરાવનાર છે. આવું ફળ કદાચ થાય તેા, તેઓ સિાખ આપવા ચારે ગતિમાં જાય–આવે છે. કોઇ વાર ગાય-ભેંસ થાય. કોઇ વાર નારક થાય, કોઇ વાર દેવ થાય અને કોઈ વાર મનુષ્ય થાય, પણ એનો છેડો આવે નહિ. અને જે સુખની પછી તેના અભાવ આવવાના હાય, તેને સુખ જ કહી શકાય નહિ. ચાર દિવસનુંચાંદરડું અને ઘેર અંધારી રાત' જેવી એમાં વાત થાય છે. ક્રિયા અનેકાંત ફળને આપે પણ ખરી, પણ એને આપણે ખરા અર્થમાં ફળ કહેતા જ નથી. આપણે તે સ્થાયી સુખ આપનારને જ ફળનું નામ Page #291 -------------------------------------------------------------------------- ________________ [ ર૭પ ૧૪: શ્રી અનંતનાથ જિન સ્તવન આપીએ, બાકી એક ગતિમાંથી બીજીમાં, અને બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં ભમાવે, અને જરા સુખ આપે તેને સુખ કહેવું તે સુખની ખાટી વ્યાખ્યા છે. ઘણી વખત તે એવું પૌગલિક સુખ પણ કિયાના ફળ તરીકે મળતું નથી, કારણ કે ફળ તે અનેકાંત છે; એ મળી જાય પણ ખરું અને ન પણ મળે. આવા અનેકાંત ફળને ફળ કહેવું કે સુખ કહેવું, તે અજ્ઞાન છે અને તે ખાતર માત્ર સમજ્યા વગર કિયા કરવી. એને ખરેખરું ફળ કહેવાય જ નહિ. આ તે ચાર ગતિમાં જવાને એક રતે છે, તે સુજ્ઞને નકામે છે અને સંસાર વધારનાર હોઈ અગ્રાહ્ય છે. આવી રીતે કેટલાક કિયાવાદીઓ, જેઓ માત્ર સમજ્યા વગર કિયા કરે છે, તેઓ સેવાને એક પ્રકારની ક્રિયા સમજી તેને અર્થ સમજવાને પ્રયત્ન કર્યા વગર, પિતાને લાભ થશે એમ માને છે, તેઓ ખરેખર સંસારને વધારે છે અને એક ગતિમાંથી બીજી ગતિમાં જઈ એક ખાડામાંથી બીજા ખાડામાં પડે છે. અને પ્રથમ કહેલ (થા વા ાિચા સા સા ઢગતી) ને ખુલાસો થાય છે. ફળ મળે પણ સંસાર વધારનાર ફળ મળે છે તે કાંઈ તાત્વિક દૃષ્ટિએ ફળ નથી. થોડું સુખ મળે, કે ન મળે, પણ એમાં આપણું સાધ્ય જરા પણ જળવાતું નથી અને પ્રાપ્તવ્ય જરાય મળતું નથી, માટે કિયાવાદીની સૂચના આપણને અગ્રાહ્ય છે એમ જાણવું જોઈએ. આ સંસાર વધારનારને ફળ કહેવું, કે તે ખાતર ક્રિયા કરવી, અથવા તેવી ગણતરીએ ક્રિયા કરવી તે પરિણામે લાભ કરનાર નથી અને તે ખાતર આપણે પ્રયાસ પણ નથી. એ તે રખડપાટો જ છે. સંસાર વધે તેવા ફળને તાત્વિક દષ્ટિએ ફળ જ કહી શકાય નહિ. (૨) ગચ્છના ભેદ બહુ યણ નિહાલતાં, તરવની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં મેહ નડિયા કલિકાલ રાજે. ધાર૦ ૩ અર્થ–ગચ્છના પ્રકારે, સંપ્રદાયભેદે અનેક પ્રકારના હોય છે, તે નજરે જોતાં તેઓ મુખેથી તત્ત્વની વાત કરે છે, તેમાં તેઓને શરમ આવતી નથી, તેઓ લાજતા નથી, પણ પાઠાંતર-નયણ” સ્થાને એક પ્રતમાં “નયણિ” પાઠ છે, તે જૂની ગુજરાતી જણાય છે. “થક સ્થાને ત્રીજા પાદમાં ‘થિકા પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “રાજે સ્થાને એક પ્રતમાં “રાજૈ” પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “કરતાં થકાં” સ્થાને એક પ્રતમાં “કારતાથી ” એવો પાઠ છે તે અશુદ્ધ જણાય છે. “કલિ” સ્થાને ચોથા પાદમાં એક પ્રતમાં “કલુ” પાઠ છે, તે અશુદ્ધ લાગે છે. “કલિકાળ” સ્થાને પ્રતમાં “કલિકાલ” પાઠ છે, છાપનારે છાપ્યો છે પણ તે જ પાઠ. નિહાલતા સ્થાને ભીમશી માણેક “નિહાલતાં છાપે છે. “કરતાં થક સ્થાને ભીમશી માણેકને છાપેલ પાઠ કરતા થકા છે. (૩) શબ્દાર્થ –ગચ્છના = વિભાગના, પટાભેદના. ભેદ = પ્રકાર, ભેદો, પેટભેદ. બહુ = ઘણાં, એકથી વધારે. નયણ = આંખે નિહાલતાં = જોતાં, દેખતાં. તત્ત્વની = નવતત્ત્વ સંબંધી, આત્મિક, વાત = વાર્તા, સંબંધી વાત કરવી તે કરતાં = કહેતાં, વદતાં. ન લાજે = શરમાય નહિ, ભાંઠા પડતા નથી. ઉદરભરણ = પિતાના પેટને ભરવું તે, પેટે હાથ પંપાળવો. આદિ = વગેરે. નિજ = સ્વીય, પિતાનું. કાજ = કાય, કામ, કરતાં = અમલમાં મૂકતાં. થક = કરતાં હતાં. મોહ = મોહ રાજા, મૂંઝવનાર રાજા. બળવાન કમ. નડિયા = હેવાન કરાયેલા. કલિકાલ = કળિને સમય. રાજે = રાજ્યમાં, અત્યારે વર્તતા કળિકાળના વખતમાં. (૩) Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬] શ્રી આનંદઘન–ચવીશી એ વાત તેમના મુખમાં શોભતી નથી. તેઓ તે પિતાના પેટને ભરે છે, એ પેટભરાનું કામ વગેરે કરતાં તેઓને જોઈને મેહરાજા તેઓને આ કળિયુગરાજમાં હેરાન કરી રહ્યો હોય એમ જરૂર જણાય છે. (૩) ટ –નજરે જોતાં ગચ્છના ભેદ બહુ દેખાય. મમત્વે કરી, અને તત્વની વાત કરતાં લાજે પણ નહિ. વચનશૂરાપણું કરે અથવા ગચ્છાદિકના મમત્વકાર રાખે અને તત્ત્વની વાત કરે, તે શું જાણીએ છીએ. લાજતા નથી તે માટે કહ્યું છે. ચત્ર હિ માનો, તત્ર શ્રેયસ ઘમ્ રૂતિ વવનાનું લાક્ષાત્રસાર પરમાર્થ ન્યૂના: રૂલ્યાટા એવા ઉદર ભરવાદિકનું પિતાનું કાર્ય કરતા હંતા મહારાજાના પરાભાવ્યા કળિયુગ તે પંચમ કાળના રાજ્યમાં એ બહુ દેખાય વદુ મુer બધું સમળા રૂત્તિવરના શેયમ્ (૩) વિવેચન–અને આ સેવાની વાત ઉપરથી ગચ્છના ભેદ ઉપર સ્વાભાવિક રીતે કર્તાશ્રી જાય છે. એને મુદ્દો પણ ભક્તિ-સેવાને જ છે. ગચ્છના ભેદ જતાં તપગચ્છીય છું, તમે પાયચંદગ૭વાળા છે, એવા એવા મમત્વ કરે કે પિતાને ગ૭ જ સાચો છે. તેઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે સર્વ કરનારા છે, પણ પિતે જ સાચા છે એમ માને છે અને પિતાને ગ૭ એ જ પ્રભુને ગ૭ છે એમ માની બીજા સર્વની નિંદા-કૂથલી કરે છે. અને પિતાના ગચ્છની મહત્તા સ્થાપવા માટે કંઈક તફાને મચાવે છે; એવા માણસ તત્ત્વની વાત કરતાં પણ શરમાતા નથી. મમત્વ હોય ત્યાં તત્ત્વ નહિ અને તત્વ હોય ત્યાં મમત્વ નહિ; પણ આ તે જાણે ઝઘડાના કેન્દ્ર હોય તેવા થઈ તત્વની મોટી મોટી વાત કરે, પણ તેવા લાજ વગરના માણસોએ શરમાવું જોઈએ અને ગચ્છના પક્ષકારોએ જાણવું જોઈએ કે એવા ગચ્છવાદીઓના મુખમાં તત્ત્વ ભત નથી. તેઓ ગચ્છના પક્ષકાર થયા એટલે તત્ત્વ તે તેમનાથી રસ માઈલ દૂર નાસે છે. આવા ગચ્છના આગ્રહી માણસો પોતાનું પેટભરાપણું વગેરે કરવાને કારણે, આ કળિકાળમાં મહરાજ તેઓને પડે છે એમ સમજવું. તેઓ ગચ્છની ભાંજગડમાં એટલા બધા પડી જાય છે કે બીજી વાતે તેમની નજરે ગૌણ બની જાય છે. પછી બૂમબરાડા પાડીને ક્રોધ કરે કે અભિઆત કરે કે માયા-કપટ કરે, પણ તેઓ સંસારમાં ભટકનાર છે અને જે સેવા-ભક્તિ માટે અગાઉ અનેક વાત કરી તેને માટે તેઓ તદ્દન અયોગ્ય છે. આનંદઘનજી ગમે તે સંપ્રદાયના હેય, પણ તેમણે આ વાત ઘણું મક્કમપણે કરી છે. ગચ્છાચારી અને ગચ્છમાં પૂર્ણતા માનનારા વાસ્તવિક રીતે કેવા હોય છે તે આ ગાથાથી સમજવા જેવું છે. ગચ્છના મરચા ન માંડવા અને ગચ્છની મોટી મોટી વાત ન કરવાને અંગે આ વાત કરી છે. અને જે સેવા-ભક્તિ માટે આગ્રહ કરવામાં આવ્યું છે, તેને માટે આ ગરછના મોહમાં પડેલા લાયક રહેતા નથી, એ વાત બરાબર લક્ષ્યમાં લેવા જેવી છે. આ ગચ્છમોહ તજવાને યોગ્ય ઉપદેશ છે અને આ કળિકાળમાં તે અત્યંત આવશ્યક છે. (૩) Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : શ્રી અનંતનાથ જિન સ્તવન [ ૨૭૭ વચનનિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચનસાપેક્ષ વ્યવહાર સાચો વચનનિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચો. ધાર૦ ૪ અર્થ-કારણ કે અપેક્ષા–દષ્ટિબિંદુ વગરને સર્વ વ્યવહાર, આચરણ તે સર્વ બોટ વ્યવહાર છે એમ કહેલું છે, પણ અપેક્ષા સહિતનું વચન–બેલિવું અને તેને વ્યવહાર કરે તે સાપેક્ષ હોઈ બરાબર જાણ, તે અનુકરણીય સમજે. હવે એ પૈકી જે દૃષ્ટિબિંદુ-અપેક્ષા–ની બહારનું ભાષણ છે તે તે સંસારને વધારનાર છે, તેના ફળમાં સંસાર જ વધે છે. એવાં વચનને સાંભળીને અથવા તેના પ્રત્યે પ્રેમ બતાવી, તેને સ્વીકારીને શા અથે ખુશી થઈ જાઓ છો ? (૪) ટ -જ્યાં વચન અપેક્ષાએ નહિ, એટલે આગમાનુસારી નહિ, એ જે વ્યવહાર તે જૂઠ જાણ. અને જે વ્યવહાર વચનને અપેક્ષે–વાં છે એટલે આગમાનુસારી વ્યવહાર તે સાચે, ખરે સહ-ધારે તે માટે વચનનિરપેક્ષ ભવ્ય એટલે આગમ સાખીને ચાલે એવો એ અર્થની સૂઝ મહાનિશીથ, વ્યવહાર, અંગપૂલીયા શ્રત હીલનાધ્યયન પ્રમુખ બહુ ગ્રંથે છે. તે શુદ્ધ વ્યવહાર સાંભળીને તથા આદરીને કિશ્ય મનમાં રાચવું, માચવું તે અશુદ્ધ વ્યવહારને અજ્ઞાન ફળ-સંસાર જાણ, શું હર્ષવું જે અમે વ્યવહારી છીએ. (૪) વિવેચન—આ ગચ્છના મમત્વને અંગે યાદ રાખવું કે અપેક્ષા વગરનું કોઈ પણ વચન કહેવામાં કે ઉચ્ચારવામાં આવે, તે તે તદ્દન ખોટું છે. જૈનધર્મ આખે નયવાદ પર ચાલે છે. એક વાત એક દષ્ટિબિંદુથી સાચી હોય તે બીજા દષ્ટિબિંદુથી તદ્દન ઊલટી જ લાગે. આ અપેક્ષાવાદ બરાબર સમજીને જે બોલે, તે બરાબર, પણ જેણે અપેક્ષા અથવા દષ્ટિબિંદુ બરાબર ન પકડી લીધું હોય, તે તેની સર્વ વાત ખોટી સમજવી, કારણ કે કયે વખતે તે પડી જશે. તે કાંઈ કહી શકાય નહિ. અપેક્ષા ધ્યાનમાં લીધા સિવાયનું વચન ગમે તેવું હોય, તે પણ તે ખોટું છે એમ સમજવું. આ દષ્ટિએ ગચ્છના શેખીને અપેક્ષા સમજ્યા વગર વાત કરે તે તેમનું વચન જૂઠ છે એમ ધારી લેવું. આ રીતે જ તમને સત્ય જ્ઞાન મળશે અને સાપેક્ષવચન હોય તે વ્યવહાર સાચો થાય છે. તમે અમુક માણસને મુદ્દો સમજે અને તેનું દષ્ટિબિંદ પાઠાંતર– “ફળ” સ્થાને પ્રતમાં “ફેલ” પાઠ છે. “સાંભળી ” સ્થાને પ્રતમાં “સાંભલી” છે. “જો ” પાઠને બદલે “જુઠો” પાઠ એક પ્રતમાં છે. (૪) શબ્દાર્થ–વચન = બોલવું તે. નિરપેક્ષ = મુદ્દા–અપેક્ષા વગરનું. વ્યવહાર = અમલ, બાહ્ય આચરણ. જૂઠો = ખટ, ન પસંદ કરવા ગ્ય. કહ્યો = જણાવ્યા છે. વચન = બલવું તે. સાપેક્ષ = અપેક્ષા સહિત. મુદ્દામ. વ્યવહાર = વર્તવું તે, અમલ. સાચે = બરાબર. વચન = બોલવું તે, વદવું તે, નિરપેક્ષ = અપેક્ષા વગરનું, દષ્ટિબિંદુ વિનાનું, વ્યવહાર = વર્તન, વર્તવું તે. સંસારફળ = જેનું ફળ સંસાર વધે તેવું થાય તે, સંસાર વધારનારું. સાંભળી = જાણી, સમજી, આદરી = સ્વીકારીને, ગ્રહણ કરીને. કાંઈ = શા માટે. રાો = તેમાં શું મજામાં આવી પડી છે ? (૪) Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] શ્રી આનંદઘન-ચાવીશી ધ્યાનમાં લે તે તમારી વ્યવહાર પણ સાચા થાય અને તમે મેક્ષને માગે ચઢી જાઓ. અપેક્ષા વગરના અને અપેક્ષાવાળા જ્ઞાનમાં આટલા તફાવત છે, માટે ખેલવા પહેલાં સામાનું દૃષ્ટિબિંદુ શું છે તે ધ્યાનમાં રાખીને જ તમે મેલે તે તમારું' વચન અને વ્યવહાર ખરાબર છે, એમ તમારે ધ્યાનમાં રાખવું. આ રીતે સેવાને તમે વિચારજો. અને તમારે યાદ રાખવું કે અપેક્ષા વગરનું વચન । માત્ર સંસારવૃદ્ધિમાં પરિણમે છે, એમાં તમારા સંસારનો અંત આવતા નથી. સ'સારફળ તમને મળે, એ આપણા ઉદ્દેશ નથી. સંસાર વધે કે તમે ખાડામાં પડા એ માટે આ વાત થતી નથી; તમારો સ`સાર ન વધે અને તમે હંમેશને માટે સુખી થાએ, એ નજરે નિરપેક્ષ વચનનું મૂલ્ય કોડીનું છે. છતાં તમે એવાં નિરપેક્ષ વચન સાંભળી, તેને સ્વીકાર કરી, તેમાં કેમ રાચેા છે ? તમે એવી વાતેને કેમ ગ્રહણ કરો છે? તમે એને તમારી વાત કેમ બનાવેા છે ? તમને એમાં મજા કેમ આવે છે? હવે તમે એ નજરે સેવાના વિચાર કરો. નિરપેક્ષ વચનના કઢી સ્વીકાર કરી લેશે નહિ. એમાં તમારો જયવારી નહિ થાય. તમે સમજુ હા તેા સાપેક્ષ વચન ખાલજો અને આદરો. એમાં સરવાળે તમને ઘણા પ્રકારના લાભ થશે. અને તમારે તે ઘણી શ્રદ્ધાપૂર્ણાંક જ બધી વસ્તુ તપાસવી જોઇએ. એ શ્રદ્ધા-પ્રતીતિને મહિમા હવે આવતી ગાથામાં કહેશે. (૪) દેવ-ગુરુ-ધર્માંની શુદ્ધિ કહા કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આા; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરે, છાર પર લીપણું તેહ જાણેા. ધાર૦ ૫ અથ—એવાં અપેક્ષા વગરનાં વચન ખેલનારથી દેવ, ગુરુ અને ધર્મની પવિત્રતા કેમ જળવાઈ રહે અથવા આપ જણાવા કે દેવ, ગુરુ અને ધર્મની શુદ્ધિ કેમ રહે? અને શુદ્ધ શ્રદ્ધા કેમ રહી શકે?–તેની ધારણા કરો, કારણ કે શુદ્ધ પ્રતીતિ વગર, જે કાંઈ ક્રિયા કરવામાં આવે તે અપવિત્ર-મેલીઘેલી, ભેાં ઉપર કરેલ લીપણું જેવી છે, એમ તમારે ધ્યાનમાં રાખવું. (૫) ટમે—તે અશુદ્ધ વ્યવહુાર પ્રવર્તાવકથી શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મની શુદ્ધિ કર્ય પ્રકારે રહે, અને કેમ કરી શુદ્ધ શ્રદ્ધાન-પ્રતીત આણીએ. ‘પુરુષ પ્રમાણે વચન પ્રમાણ' એ ન્યાય પાઠાંતર કેમ ' સ્થાને પ્રત્તમાં ‘ ક્રિમ ' પાર્ટ છે, જૂની ગુજરાતી છે (તે સ્થાન). રહે' સ્થાને પ્રતમાં ‘રઢું ’ પાડે છે. ‘ બ્રહાન ’ સ્થાને ‘સરધાન ' પાડે છે, તે પ્રાચીન ગુજરાતી છે. ‘લી પણું ‘ લિ’પણા સરિસ ’ પાડે છે. ‘ કિરિયા ’ સ્થાને ‘ ક્રિયા ’ પાડે એક પ્રતમાં છે.(૫) તેહ ’ સ્થાને = શબ્દા—દેવ = ઈષ્ટદેવ, પરમાત્મા, મેાક્ષમાં ગયેલા જિનેશ્વર દેવ. ગુરુ = ધર્માંના ઉપદેશ કરનાર, કુળને ધર્માં સમજાવનાર અને વિદ્યા શીખવે તે વિદ્યાગુરુ. ધમ' = ખરાબ ગતિમાં પડતાં જીવને રશકે, બચાવે તે ધ". શુદ્ધિ = પવિત્રતા. કેમ = કઈ રીતે, કેવી રીતે. રહે=જળવાય, મળે. શ્રદ્ધાન = ખાતરી. ચેસાઈ. આણા - ધારણ કરો. શુદ્ધ = પવિત્ર, શંકા વગરની. શ્રદ્ઘાન = ખાતરી. વિષ્ણુ = વગર, વિના. સ` = કોઈ પણ, સવે, બધી. કિરિયા = ક્રિયા, વના. કરે = અમલમાં મૂકે, ગાડવે તે. છાર = કચરા, મેલ, ગંદું. પર = ઉપર, માં, લીંપણું = લીપણ, ગાર કરવી તે. જાણેા = સમજો. (૫) Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૪: શ્રી અનંતનાથ જિન સ્તવન [ ર૭૯ છે અને શુદ્ધ શ્રદ્ધાન વિના જેટલી કિયા-અનુષ્ઠાન કરીએ તે સર્વ છાર ઉપર જેમ લીપણું તે સરખી જાણવી, જેથી મોક્ષ પામીએ તેવી નિર્જરા ન થાય, ભય હેતુ થાય. (૫) વિવેચન-સમ્યકત્વ વગર સર્વ નકામું છે, એકડા વગર સર્વ મીંડાં નકામાં છે, માટે પ્રથમ સમ્યકત્વ શું છે તે આપણે જાણી લઈએ. આપણે આગલા સ્તવનમાં સમકિતના સડસઠ બોલ જોઈ ગયા. અહીં સંક્ષેપમાં જણાવવામાં આવે છે કે તમારે દેવ, ગુરુ અને ધર્મની શેખોળ શી રીતે રહી શકે તેની નિરંતર ચિંતા રાખવી ઘટે. અનેક ગુણેથી યુક્ત દેવ, જે અઢાર દોષ રહિત હોય, તેને દેવ સમજી, તેની સેવા-ભક્તિ કરવી. ગુરુના ગુણને યોગ્ય હોય તેની પાસેથી ધર્મને બોધ લે અને નરકમાં પડતા ધારી રાખે તેવા સાચા ધર્મનાં ફરમાનેને અમલમાં મૂકવા અને કુદેવ, કુગુરુની અને કુધર્મની સેવા ત્યાગવી. એમ બધી રીતે હકારાત્મક રીતે અને નકારાત્મક રીતે વિવેક અને શ્રદ્ધાથી તે ત્રણને સ્વીકાર કરવો એ ખરું નિણત ચિતવન છે. તે દેવ, ગુરુ અને ધર્મ વિશુદ્ધ કેમ મળે એની સેવા કેમ થાય તેને પ્રાણી વિચાર કરે અને તે માટે સતત ચિંતવન કર્યા કરે અને નિરંતર તે માટે જાગ્રત રહે, અને તેમાં પણ વિશદ્ધ શ્રદ્ધા કેમ રહે તે હંમેશની ચિંતાને વિષય હોવો જોઈએ. સંસાર વધારનાર સેવા-ભક્તિ હોય; તે તેને કઈ અર્થ નથી; જરા સુખ આપે, પણ અંતે તે થોડા વખતની જ રમત છે. પ્રાણીઓ જે પિતાને નિસ્તાર કરે હોય તે શ્રદ્ધાપૂર્વક દેવ, ગુરુ અને ધર્મની પ્રતીતિ કરવી, જોઈએ અને તેને આનંદપૂર્વક વળગી રહેવું જોઈએ. આ શ્રદ્ધા અને દેવ-ગુરુ-ધર્મની શોધ ઉપર જીવનની ફત્તેહને આધાર છે. આ જીવનમાં જેટલું એ કામ થાય, તે આપણું પિતાનું છે, કારણ કે સર્વ ચીજો, ઘરબાર અને સગાં સંબંધી તે બધાં અહીં રહી જવાનાં છે, એટલે તેઓ સાથે જે સુખદુઃખ ભેગવ્યાં હોય, તે પિતાની સાથે આવનાર નથી, પણ આ દેવ-ગુરુ-ધર્મની શુદ્ધિ સ્થાયી ચીજ છે, પરભવમાં પણ સાથે આવનાર છે, તેથી વિચારણા પૂર્વક તેની શોધ કરવી, અને એ રીતે સંસાર ઘટાડીને જીવનકાર્ય કરવું. આ પિતા પ્રત્યેની ફરજ છે અને એને કરવામાં દીર્ઘ કાળને કે સર્વ કાળને સાચો આનંદ છે. કારણ કે ચેખી શ્રદ્ધા વગર ગમે તેટલાં કામ કરવામાં આવે, તે સર્વ મેલીઘેલી જમીન ઉપર લીંપણ બરાબર છે. જેમ મેલી, બગડેલી, વાસીદુ વાળીને સાફ કર્યા વગરની ભૂમિ ઉપર ગાર કરવામાં આવે, તે તે નકામું થઈ પડે છે, તેમ શ્રદ્ધાથી સાફ કરેલ ભૂમિ એટલે મન પર દેવ-ગુરુ-ધર્મની ચીવટ પૂર્વક કરેલી શોધ હોય, તે જ તે ફળ આપે છે, ભૂમિકા આકર્ષક બને છે અને તે પર કરેલ લીંપણની સાફસૂફી કારગત નીવડે છે, તેમ શુદ્ધ આત્મભૂમિકા ઉપર કરેલ કિયા ફળે છે અને કારગત થાય છે. ભૂમિ ઉપર લીંપણ કે ચિતરામણ કરવા પહેલાં તેને વાળીઝૂડીને સાફ કરવી ઘટે, પછી તેના પર લીપણ થાય કે ચિત્ર કાઢવામાં આવે તે બરાબર ઝળકી જાય છે, તેમ તમારે સેવા-ભક્તિ કરવી હોય તે શ્રદ્ધાપૂર્વક સુદેવ, સુગુરુ અને સુધર્મની પ્રતીતિ કરે, તેને ઓળખીને આદર એટલે તમારી ઈચ્છા મોક્ષ મેળવવાની છે તે પાર પડશે અને તમારું ખરું અંતિમ ધ્યેય પ્રાપ્ત થશે. આ સેવાને સાચે અને એક જ માર્ગ છે તે સમજીને સ્વીકારે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦] શ્રી આનંદઘન-વીશી આ ગાથામાં શ્રદ્ધાને મહિમા ગાય અને તેની સાથે શ્રદ્ધાપૂર્વક દેવ-ગુરુ-ધર્મની પ્રતીતિ કરવી તે ખાસ સેવા કરવાને અંગે જરૂરી છે અને તે પ્રમાણે ભૂમિકાશુદ્ધિ વગરની કરેલી સર્વ સેવા-ભક્તિ છાર ઉપર લીંપણ સમાન છે એમ જાણવું. આ ઘણી રહસ્યની વાત છે અને સમજવા યોગ્ય છે. (૫) પાપ નહીં કેઈ ઉસૂત્ર ભાષણ જિ, ધર્મ નહીં કઈ જગસૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખે. ધાર૦ ૬ અર્થ–તમે સમજો કે સૂત્રમાં જે જણાવ્યું છે તેનાથી ઊલટું બોલવું તેના જેવું કોઈ પાપ નથી અને મૂળ સૂત્રમાં કહેલી વાતને અનુસરવું તેના જેવો કઈ ધર્મ નથી. સૂત્રમાં જે રીતે કહેલ છે તેને અનુસારે ભવ્ય પ્રાણી જે ક્રિયા કરે તેનું ચારિત્ર શુદ્ધ છે, એમ તમારે જાણવું જોઈએ. (૬) ટબો–તે માટે ઉત્સુત્ર-સૂત્રથી વિપરીત ભાષણ સરખો બીજો કોઈ અશુભ-પાપ નથી અને સુત્ર અનુસાર પ્રવર્તીએ-તે જ ચારિત્રીઓ. (૬) વિવેચન–અને સેવા-ભક્તિને અંગે બીજી અગત્યની વાત કરી દે છે, તે પણ ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે; એ રીતે કરેલી સેવા ખરું ફળ આપે છે અને અંતે આપણી સર્વ ધારણું પાર પડે છે. મુદ્દો એ છે કે સૂત્રસિદ્ધાંતમાં કહેલી વાતથી વિરુદ્ધ વાત કરવી કે બેલવું, તેના જેવું કંઈ પાપ નથી અને અંતે આ જીવને તે પાપ-પુણ્ય સાથે જ સંબંધ છે. તે ઘરબાર, વસ્તુ કે સગાંસંબંધી તે અહીં જ રહી જવાનાં છે; પણ પાપ અને પુણ્ય એ તે એની સાથે જવાનાં છે. તેમાં મુદ્દો એ છે કે સૂત્રસિદ્ધાંતમાં જે વાત જે પ્રકારે કરવાની કહી હોય તેનાથી ઊલટું બોલવું તેના જેટલી કોઈ પાપની હદ નથી, માટે સૂત્રમાં કહેલી વાત પ્રમાણે જ બલવું–ચાલવું. જે સાધુ અથવા શ્રાવક સૂત્રથી વિરુદ્ધ બોલે, તેમાં જેમ કહ્યું છે પાઠાંતર–“નહી ' સ્થાને એક પ્રતવાળે “નહી ' લખે છે, તે જૂની ગુજરાતી છે. “જિ” સ્થાને જિસ્સૌ” પાઠ એક પ્રતમાં છે, એક છાપેલ પુસ્તમાં “જિસ” પાઠ છે. “જગ” સ્થાને “જગિ” પાઠ એક પ્રતમાં છે. “સરિખો ” સ્થાને એક પ્રતમાં “સરિષ” પાઠ છે. “અનુસાર ” સ્થાને એક પ્રતમાં “અનુસરિ” પાઠ છે. “તેહનું ” સ્થાને એક પ્રતમાં “હ” પાઠ છે; ભીમશી માણેક પણ તે જ પાઠ આપે છે. પરિખો” સ્થાને એક પ્રતમાં “પરિષ” પાઠ છે, ખ અને ૫ ને અભેદ હતા. (૬) શબ્દાર્થ–પાપ = અશુભ કર્મબંધ, પાપ (પ્રસિદ્ધ છે.) નહિ = ના. ઉસૂત્ર = સૂત્ર સિદ્ધાંતથી ઉલટું, સૂત્ર વિરુદ્ધ. ભાષણ = વદવું તે. જિયો = જે, સરીખડે. ધમ = પુણ્ય, શુભ કર્મબંધ. નહિ = ના, નગ્નાત્મક. કોઈ = કઈ પણ, એક પણ. જગ = દુનિયામાં, વ્યવહારમાં. નહિ = ન હોઈ શકે, ન થઈ શકે, નગ્નાત્મક. કઈ = એકે. સુત્ર = મૂળ સૂત્ર, આગમ. અનુસાર = તે પ્રમાણે, તે રીતે. ભવિક = ભવ્ય પુરુષ, મેક્ષમાં જવાને યોગ્ય સંપત્તિ મળે તે જનાર. જે = કોઈ પણ કિરિયા = ક્રિયા, ગતિ, હિલચાલ કરે = અમલમાં મૂકે, આચરે. તેહનું = તેનું, તે વ્યક્તિનું શુદ્ધ = પવિત્ર, અનુકરણીય. ચારિત્ર = વર્તન, વર્તવું તે. પરિ = જાણો, પરખો, સમજો, પરીક્ષા. (૬) Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : શ્રી અનંતનાથ જિન સ્તવન [ ૨૮૧ તેમ ન બેલે, તેવા ભાષણ જેવું આ દુનિયામાં કોઈ મોટું પાપ નથી. સૂત્રથી વિરુદ્ધ બેલાય તે મહાપાપ લાગે છે અને તેનાં પરિણામ ભોગવવાં જ પડે છે. તેથી સૂત્રની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય નહિ તેની ખાસ ચીવટ રાખવી. અને સૂત્રમાં કહેલ વાત પ્રમાણે ચાલવું, તેના જેવો આ દુનિયામાં બીજો કોઈ ધર્મ નથી. સૂત્રમાં કહ્યું છે, તે પ્રમાણે વર્તવું, એ આ દુનિયામાં ઘણી અગત્યની અને મોટા પુણ્યની વાત છે. આ બે નિયમો સેવન કરનારે બહુ ધ્યાનમાં રાખવા. સૂત્ર વિરુદ્ધ ન બોલવું અને સૂત્રમાં કહેલ કરવું, તે ખરેખર ધર્મ છે. શું કરવું અને શું ન કરવું તે સૂત્રમાં પ્રભુએ બતાવેલ છે, તેને અનુસાર સર્વ કિયા કરવામાં આવે તે શુદ્ધ ચારિત્ર છે, એમ તમે સમજે. એટલે સૂત્રમાં કહેલ હોય તેની વિરુદ્ધ કાંઈ ન કરવું અને તેમાં કહેલ છે તે પ્રમાણે કરવું તે વિશુદ્ધ ચારિત્રની નિશાની છે. શુદ્ધ ચારિત્રવાન માણસ સૂત્રમાં કહેલ સર્વ કરે અને તેની વિરુદ્ધ કાંઈ ન કરે. આ શુદ્ધ ચારિત્રવાળા સૂત્ર અનુસાર ક્રિયા કરે તે શુદ્ધ ચારિત્રશાળી છે, એમ સમજવું અને એ રીતે કરેલી સેવા ફળવાન થાય. પછી તે ફળને ઈચ્છવાની કાંઈ જરૂર રહેતી નથી, પણ તે સ્વતઃ ફળ આપે જ છે અને સારું ફળ આપે છે. આ અગત્યને નિયમ શુદ્ધ સેવા કરનારે લક્ષ્યમાં રાખવો એ સેવાને અંગે ઘણી જ જરૂરની વાત છે. આ સૂત્ર સિદ્ધાંતની વાતને ટૂંક સાર એ છે કે પરિણતિની નિર્મળતા કરવી અને વિષય-કષાયની મંદતા કરવી બાકી તે સૂત્રમાં ઘણી ઘણી વાત કરેલ છે. આપણને એ સર્વ સમજવાની શક્તિ કે ફુરસદ ન હોય તે ઉપર જણાવેલ ટૂંક સાર સમજમાં રાખે અને તેને અનુસરીને કામ લેવું, અને ચારિત્રીઓમાં પેટભરા કણ છે અને શુદ્ધ ચારિત્રવાન કેણ છે તે આ ધોરણે સમજી લેવું. અને કોઈ વાતને મમત્વ ન કરતાં સદા આનંદમાં રહેવું અને પરિણતિની નિર્મળતા રાખવી. જે કરડે ગ્રંથમાં કહ્યું તે ટૂંકામાં આ સ્તવનકર્તા પણ જણાવશે, અને તમારે તેને અનુસરવું. આ નિયમ સર્વ ધ્યાનમાં રાખી તમારે સેવા-ભક્તિ કરવાની છે, એને નિરંતર ખ્યાલ રાખવો એ તમને પિતાને જ અંતે લાભ કરનાર છે. (૬) એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત “આનંદઘન” રાજ પાવે. ધાર ૭૭ પાઠાંતર–“ઉપદેશન” સ્થાને ભીમશી માણેક “ઉપદેશનું ” પાઠ છાપે છે, તે કરછી ભાષા ફેર છે; એક પ્રતમાં એ પાઠ છે. ચિત્તમાં સ્થાને ભીમશી માણેક “ ચિત્તમે ” પાઠ આપે છે. તે નરા” સ્થાને પ્રતમાં તેહ નારા” પાઠ છે. “ધ્યાવે” સ્થાને “સ્થા” પાઠ એક પ્રતમાં છે, એ પ્રાચીન ગુજરાતી શૈલી છે. “પા” સ્થાને પ્રતમાં “પાવૈ' પાઠ છે. (૭) શબ્દાર્થ_એહ = એ, દિશાસૂચક, તે. ઉપદેશને = શિખામણને. સાર = રહસ્ય, પરમાર્થ. સંક્ષેપથી = ટૂંકમાં, ડાં વચનમાં. જે નરા = જે માણસે. ચિત્તમાં = મનમાં, માનસમાં. નિત્ય = અહોનિશ, દરરોજ. ધ્યાવે = ધ્યાનમાં લે, સહે, વિચારે. તે = તેઓ. નરા = માણસો, મનુષ્યો. દિવ્ય = દેવતાઓનું, દેવ સંબંધી. બહુ = ઘણું, અનેક. કાળ = વખત સુધી, લાંબા સમય સુધી, સુખ = પુણ્યનું ફળ, આનંદ અનુભવી = જાતે ભોગવી. નિયત = જરૂર, ચોરસ, આનંદધન = આનંદને જ્યાં સમુદાય છે તેવું, આત્મિક સુખ. પાવે = પામે, ભોગવે, પ્રાપ્ત કરે. (૭) Page #298 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ શ્રી આનંદઘન-વીશી અર્થ_એ શિખામણરૂપ ઉપદેશનું રહસ્ય જે ટૂંકમાં જાણે છે અને તેની મનમાં વિચારણા કરે છે તે વ્યક્તિ બહુ કાળ સુધી દેવતાઓનું સુખ ભેળવીને અંતે જરૂર આનંદના સમૂહનું રાજ્ય પ્રાપ્ત કરે એટલે એ જરૂર મોક્ષે જાય છે. (૭) ટબો–ઉપદેશ–શિખામણને સાર તે જ સંક્ષેપથી જાણ, જે પ્રાણી ચિત્તમાં–મનમાં નિત્ય-સદા ધ્યાઈધારે-પાળે તે પ્રાણી દેવલેકના ચિરકાળ લગે સુખ અનુભવીને નિયત–નિશ્ચયે આનંદઘન રાજ્ય-પરમાનંદ સુખ પામે પ્રાણી. એટલે ચૌદમાં શ્રી અનંતનાથનું સ્તવન પૂરું થયું. (૭) વિવેચન—આપણે આ સર્વ પ્રયત્ન મોક્ષ જવાનું છે, આ સેવા પણ મોક્ષપ્રાપ્તિ માટે છે, તેથી જે લેકે ઉપર જણાવેલ ઉપદેશનો સાર સંક્ષેપમાં સમજી જાય, પતે તે રહસ્યને વિચારી અનુસરે, તે બહુ કાળ સુધી દેવગતિનાં સુખ અનુભવી, છેવટે જરૂર આનંદઘનનું રાજ્ય પામે એટલે મોક્ષ જાય. આ સ્તવનમાં કહેલ ઉપદેશ નિરપેક્ષ વચન ન બોલવાને અને ઉસૂત્ર ન બોલવાને તથા ગચ્છવાદી બની ન જવાનો છે. આ સર્વ વાત પર વિચાર કરવાને છે અને એનું રહસ્ય. જે આ સ્તવનમાં ટૂંકાણથી કહેવામાં આવેલ છે, તેને પકડી લઈ તેને અનુસરવાને છે. જે પ્રાણું એમ કરે તે ઘણુ વખત સુધી દેવગતિનાં અનેક સુખે ભેગાવીને જરૂર અંતે આનંદઘનનું રાજ્ય પામે, આનંદસમૂહમાં લયલીન થઈ જાય. અને એવું થાય ત્યારે ઉપદેશ જાણ્યાનું ફળ પ્રાણીને પ્રાપ્ત થાય. તેથી આ સ્તવનમાં કહેલ ઉપદેશને વિચારી લેવાની પ્રાણીની ફરજ છે. દેવતા સંબંધી સુખને દિવ્ય સુખ કહેવામાં આવે છે. ત્યાં ખૂબ આનંદ કરવાને અને કરવાનું છે અને એ સુખ અનુભવી અંતે મોક્ષ જવાનું છે. એ આપણું સાધ્ય છે માટે મોક્ષ અપાવે એવા આ સ્તવનના વિસ્તારમાં ટૂંકા ઉપદેશને બરાબર અનુસરો અને એમ કરવામાં આપણે કઈ ભેગ આપવાનું નથી. સાપેક્ષ વચન બેલવું, નિરપેક્ષ વચન ન બોલવું, ગચ્છની બેટી મારામારીમાં કે ચડસાચડસીમાં ભાગ ન લેવો અને સૂત્ર વિરુદ્ધ ન બોલવું એ કાંઈ પ્રયત્ન કે ભેગ માગે એવી વસ્તુ નથી. એટલે આ ઉપદેશને બરાબર સમજ અને સમજીને તેને અમલ કરે. માત્ર એકલું સમજવાથી પણ લાભ નથી, અને સમજીને તેને અમલ ન કરવામાં તે ઉઘાડું નિર્બસપણું છે. તેથી આખા સ્તવનમાં કહેલ ભાવને બરાબર સમજ અને સમજીને તે પ્રમાણે વર્તન રાખવું. આ મોક્ષપ્રાપ્તિને ઉપાય છે અને તુરત વગર અપવાદે અમલમાં મૂકવા ગ્ય છે. એ બધાનો ઝોક તે અંતે સેવા-ભક્તિમાં જ આવે છે. સેવા તે જરૂર કરવી, પણ સેવા કરતી વખતે આ આખું સ્તવન યાદ કરવું અને તે અનુસાર જીવન વહુન કરવું. આ તે માણસ પારકી વાત કરે ત્યારે ડાહ્યો થઈ જાય, પણ એના વર્તનનું ઠેકાણું નહિ. પિતાની વાત કરે, તે જાણે પિતાની અકકલ દુનિયાના માણસમાં હોય છે, તેથી વધારે ચાલે છે, એમ વાત કરે અને ચાલે ત્યારે છાતી કાઢીને ચાલે, પણ તે વખતે તેણે યાદ રાખવું જોઈએ કે ઘડપણમાં બધું શરીર નિર્બળ થશે અને પોતે જર્જરિત દેહવાળો નબળો થઈ જશે. અને અંતે એ સર્વ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૪: શ્રી અનંતનાથ જિન સ્તવન [ ૨૮૩ છેડા વખત માટે જ મામલે છે આ ઉપદેશ ધ્યાનમાં રાખી સેવા કરશે તે ઉત્તરોત્તર માંગલિક માળા પામશે અને અંતે છેડા વખતમાં ધારેલ સ્થળે પહોંચશે. આ સર્વ વાત વિચારણા માગે છે. ખુદ વર્તન પણ વિચારણા માગે છે અને એ સર્વ માટે આનંદઘન જેવા સાચા વચને કહેનારની જરૂર છે. આ સાચાં વચનને જે અનુસરવા નિર્ણય કરશે અને તદ્દનુસાર જે જીવન ગોઠવશે તે અંતે મોક્ષપદ પ્રાપ્ત કરશે. આ સ્તવનની આખરે આનંદઘન એના કર્તા છે એમ સમજાવ્યું. લાભાનંદજીએ આનંદઘનના નામે જ અત્યારે ઉપલબ્ધ થતી કૃતિઓ લખી છે એ ધ્યાનમાં રહે. (૭) ઉપસંહાર સેવાને માટે તૈયારી કરવાના માર્ગને બતાવનારું આ અતિ મહત્ત્વનું સ્તવન પૂર્ણ થયું. તેમાં અનેક પ્રકારને બોધ આપવામાં આવ્યું છે. તે પ્રભુસેવા માટે બહુ વિચારવા જેગ છે. ગચ્છના ભેદની વાત આનંદઘનજી જેવા નિઃસ્પૃહી માણસ જ ચોખા અક્ષરમાં કહી શકે. આનંદઘનજીને એ પ્રશ્ન પર પ્રકાશ પાડવાની જરૂર લાગી હતી એમ લાગે છે. એક તે જેની સંખ્યા જ ઘણી નાની છે, તેમાં પણ વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર; અને તેમાં પણ ગચ્છના ઝઘડાઓ-એમ ભેદના પણ પિટાભેદ થઈ જાય છે. મૂળમાં તે ગ૭ના ભેદ વહીવટ કે વ્યવસ્થા માટે થયા હશે, પણ વખત જતાં પિતાની સામાચારી ખરી અને સામાની ખોટી એ હઠાગ્રહ થઈ જાય છે અને હઠ પછી આગ્રહનું રૂપ લે છે અને પોતાને કક્કો ખરો કરવા ગમે તેવી દલીલ ચલાવે છે. પછી તે શાસ્ત્રના દાખલા અપાય છે અને લડાઈઓ ચાલે છે અને યુદ્ધક્ષેત્ર જામી જાય છે. આને માટે આનંદઘનજી તે કહી દે છે કે આવા ગચ્છાચારીઓ તત્ત્વની વાત કરે ત્યારે લજવાતા પણ નથી. તેના મુખમાં એ વાત શોભતી નથી. એક બાજુએ ગ૭ની સામાચારી માટે તકરાર કરવી અને બીજી બાજુએ તત્ત્વની વાત કરવી તે બે વાતને બને તેવું નથી. તેઓને તે આનંદઘને પેટભરા તરીકે વર્ણવ્યા છે. આવી ભાષા તે આનંદઘનજી જ વાપરી શકે. એ તેમનું નિખાલસ યેગી દિલ બતાવી આપે છે. અને બીજે હિતોપદેશ તેઓ કેવી રીતે આપે છે તે ખાસ વિચારણીય છે. તેઓ કહે છે કે નિરપેક્ષ વચન બેલિવું, તે ખરા જૈનને પાલવે નહિ. તેને આ પ્રદેશ સાપેક્ષ વચન બોલવામાં આવી જાય છે. આખા નયવાદ પર જૈનધર્મને આધાર છે અને નયને ધ્યાનમાં રાખવા એ બહુ જરૂરી છે. સ્યાદ્વાદને અર્થ વ્યવસ્થા નથી, પણ જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓ ઉપર લક્ષ્ય રાખવાની વાત છે. એકને એક માણસ અમુક અપેક્ષાએ પિતા હોય તે બીજી અપેક્ષાએ પુત્ર પણ હોય છે. આ બન્ને વચનમાં અપેક્ષાભેદ છે. એ અપેક્ષા ધ્યાનમાં રાખી જે વચનવ્યવહાર કરે તે સાચે છે અને તે મુદ્દો ભાષાનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જુદા જુદા દષ્ટિબિંદુથી એકબીજાથી જુદી પડતી કે વિરુદ્ધ પડતી વાત પણ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] શ્રી આનંદઘન-વીશી સાચી હોઈ શકે છે એની શક્યતા જે ધ્યાનમાં લે, તે સાચે વહેવારુ જૈન કહેવાય. આ નયવાદ માટે ઘણું કહેવાનું છે અને આયુષ્ય હશે તે તે પર એક લેખ લખવાને મારો વિચાર છે. જૈનશાસનમાં આ નયવાદ અને સ્વાદ્વાદ બહુ અગત્યના સિદ્ધાંત છે અને તે સમજીને પચાવવા યોગ્ય છે, એટલું તે અહીં ખાસ કહેવું જોઈએ. અને જે બોલવું તે સૂત્ર-મૂળ-સૂત્ર-ને અનુસરીને બેલવું અને સૂત્ર-સિદ્ધાંતને વિરોધ કરે તેવી વાત કદાપિ પણ બલવી નહિ અને તેને આશય કે ઉદ્દેશ સમજવા પૂરતે પ્રયત્ન કરો. કોઈ કોઈ વાત ન સમજાય, ત્યારે પૂર્વકાળના લેખકોએ જાહેર રીતે લખ્યું કે–આ મત સિદ્ધાંતકારનો છે અને આ મત કર્મગ્રંથકારને છે, તત્ત્વ કેવળી જાણે. એટલે એમણે બેમતે હોય ત્યાં તત્ત્વ શું છે, ખરી વાત કઈ છે, તે જણાવવાને સ્થાને “તત્ત્વ કેવળી જાણે” એટલું જ કહ્યું છે. આવા ઘણુ મતફેરેને પુરસ્કાર શ્રીમદ્ યશવિજ્યજીએ કર્યો છે. અહીં કહેવાની વાત એ છે કે સૂત્ર-સિદ્ધાંતના મતે વિરુદ્ધ વાત બેસતી હોય ત્યાં પણ સરળતા રાખવી અને પિતાને મત આપતી વખતે યાદ રાખવું, કે આ કાળમાં, આ ક્ષેત્રમાં તે બુદ્ધિની મર્યાદા છે. આવી સરળતાપૂર્વક બોલવાની ના નથી, પણ આખરે આપણી બુદ્ધિને પણ મર્યાદા છે. અને તેની હદમાં રહી શોભે તેવું બોલવું અને સૂત્ર સિદ્ધાંત વિરુદ્ધ તે ન જ બોલવું. આ હિતોપદેશ છે. તે હિતેપદેશ ધ્યાનમાં રાખી શુદ્ધ-ગુરુ-ધર્મને ઓળખી જે ક્રિયા કરશે તે પરમપદને પામશે અને આ ભવજળને અંત લાવી મુક્તિ સુંદરીને સહેજે વરશે. આ વાત પર ધ્યાન રહે. (૧૪) ફેબ્રુઆરી : ૧૯૫૦ ] Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન સંબંધ-આપણે અગાઉનાં સ્તવમાં પ્રભુપૂજા–સેવા-ભક્તિનો મહિમા વર્ણવ્યા. એ સેવામાં કેવી રીતે લીન થઈ જવું જોઈએ તે બતાવવાના અનેક દિશાએથી પ્રયત્ન કરવાના છે, કારણ કે આપણે સેવા-ભક્તિ કરી પ્રભુનું સામ્ય પ્રાપ્ત કરવું છે. આવો મજબૂત મુદ્દો હાથમાં આવી ગયું છે તેને હલાવવા અને તેને પ્રધાન સ્થાન પર લાવવાને આ પ્રયત્ન છે, અને તેથી પ્રભુસેવા-ભક્તિને આપણે જે એક મુદ્દો નક્કી કર્યો છે, એ જ મુદ્દા ઉપર આપણે કેટલાંક સ્તવને તપાસ્યાં. એમાં લેખકને એક જ આશય છેઃ સેવા-ભક્તિને જુદા જુદા દષ્ટિકણથી તમે બરાબર સમજી જાઓ અને તે દ્વારા તમારી પ્રગતિ વધારે. એ પ્રમાણે કરવું તમારે જરૂરી છે. બાકી, આ દુનિયાનાં કાર્યોમાં ફસાઈ જશે, તેમાં જ તમારી ઈતિકર્તવ્યતા માનશે, તે તમારે આરે નહિ આવે. તમે સંસાર સમુદ્રમાં ગોથાં ખાધા જ કરશે અને એને પાર કદી પણ નહિ પામો. તમે જરા સંસારનાં વાંધા-વચકા, નિંદા, કૂડ-કપટ અને રાજ્યક્રારી રમતે જુઓ અને તેમનું પૃથકકરણ કરતાં જણાઈ આવશે કે તે પણ એક જાતને સંસાર જ છે અને તમને દુન્યવી બનાવવાને જ પ્રયાસ છે અને રાગદ્વેષના પૂતળાને ચાવી દઈ જેમ નચાવશે તેમ નાચે, તેવા તે સર્વ પ્રયત્ન છે. આ પ્રયત્નમાંથી માખણ તારવવું અને તે પ્રયત્નોને લાભ લેવો તે તમારી અનિવાર્ય ફરજ છે. અને પ્રાણી એક વાર આત્મસન્મુખ થાય ત્યાર પછી તેને સૂઝી રહે તેવો તે માર્ગ છે. આત્મસન્મુખતાની વાત પર છીએ, ત્યારે કહી નાંખીએ કે એ અત્યંત મુશ્કેલ માર્ગ છે, પણ જરૂર આદરવા યોગ્ય છે, માટે તમારી જાતે વિચાર કરે અને વસ્તુ તેમ જ આજુબાજુના સંયોગનું મૂલ્યાંકન કરે. અને તમે જેમ જેમ વિચાર કરશે તેમ તેમ તમને ખરી વસ્તુસ્થિતિ જણાશે અને દુન્યવી વાતાવરણ કરતાં વધારે બીજા સ્વચ્છ વાતાવરણમાં તમે આવી પડશે. આ રીતે તમે પ્રભુભક્તિમાં લીન થઈ જાઓ અને તેને જ તમારું કર્તવ્ય માને એ દષ્ટિએ તમારા મન પર ઠસામણ કરવા માટે આ સ્તવન લખાયેલું છે. તમારે બહુ ચેતવાનું છે, ઘણું સમજવાનું છે. આ દૃષ્ટિ ધ્યાનમાં રાખી આપણે સેવના કેળવવા માટે આ સ્તવનને વિચાર કરીએ. સ્તવન (રાગ ગોડી, સારીગ; દેશી રસીઆની; કઈ સ્થાને સારંગ રસીઆની દેશી એમ લખેલ છે.) ધમ જિનેશ્વર ગાઉ રંગશું, ભંગ મ પડશે હો પ્રીત, જિનેશ્વર; બીજો મનમંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત, જિનેશ્વર. ધર્મ. ૧ પાઠાંતર– જિનેશ્વર” સ્થાને પ્રતમાં “જિનેસર” પાઠ છે. “ગાઉ ” સ્થાને “ગાવું ” પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “રંગશું” સ્થાને રંગમ્યું' પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “પડશે” “પડીયો” સ્થાને પાઠ બે Page #302 -------------------------------------------------------------------------- ________________ ર૮૬] શ્રી આનંદઘન-ચાવીશી અથ–ધર્મનાથ નામના પંદરમા તીર્થંકરને હું આનંદપૂર્વક ગાઉં છું, તેમનાં ગુણગાન કરું છું. આ પ્રેમના વિષયમાં જરા પણ આંતરે ન પડશે, એ તે હમેશાં ચાલુ રહેજો. મારા ચિત્તરૂપ મંદિરમાં–સ્થાનમાં આપ સિવાય બીજા કોઈને લાવું નહિ, એમ કરવું એ અમારા સારા કુલીનપણાની રીતિ છે, સારા કુટુંબમાં હોવાની એ અમારી ટેક છે. (૧) ટબે–આ સ્તવનને બે જ્ઞાનવિમળસૂરિ નીચે પ્રમાણે વર્તમાન ગુજરાતીમાં જણાવે છે. એ ચૌદમા સ્તવનમાં સેવાનું દુષ્કરપણું કહ્યું. સેવામાં સ્તુતિસેવા વળી વિશેષે છે, એટલા માટે ધર્મનાથના સ્તવનમાં પ્રભુના ગુણ ગાવા કહે છે. શ્રી ધર્મનાથ જિનેશ્વરની રંગકારી–પ્રેમધરી હું ગુણવર્ણન કરું, એ શ્રી વીતરાગ સાથે પ્રીતિ પ્રેમને ભંગ મ પડો. હે જિનેશ્વર ! તમારા વિના બીજે અવર દેવ મનમાં ધ્યાવવા રૂપે ન આણું તે સેવનાની વાત એ તમારા કુલવટની–સમ્યગ્દષ્ટિના કુલની એ જ રીત છે, વીતરાગ વિના બીજે દેવબુદ્ધિએ ચિત્તમાં ન વંછું, ન વાસ કરવું. (૧) વિવેચન-પૂજા–સેવા-ભક્તિ ભગવંતની કરવી તેને ગરિમા જુદાં જુદાં દૃષ્ટિબિંદુએથી બતાવ્યું અને આ પ્રાણીઓએ જે પ્રભુની પેઠે મેક્ષ મેળવવું હોય અને સંસારમાં એક ખાડામાંથી બીજા ખાડામાં થોડા વખત માટે પડવાની રીતને છેડે લાવ હોય, તે તેને એક રસ્તો સાચા દિલની સેવાને અને તે પણ ભગવંતની સેવાને છે એમ જાણ્યા પછી હવે તેની સેવા કેમ થાય તેને તે વિચાર કરે છે, તે આપણે જોઈએ: ધર્મનાથ નામના પંદરમા તીર્થંકરના ગુણેને હું ગાઉં છું, હું તેના ગુણ વર્ણવી બતાવું છે, તે તમે સાંભળો અને તે પણ રંગરાગપૂર્વક હોંશથી હું કહી બતાવું છું. મને કોઈ તે ગુણ ગાવાની ફરજ પાડતું ન હતું, પણ મારા હૃદયના ઉમળકાથી રંગરાગપૂર્વક સ્વતઃ હોંશથી એ ગુણ ગાઉં છું. મારે પ્રભુની પેઠે મોક્ષ મેળવવું છે, તેથી સર્વ કર્મ પર વિજ્ય મેળવી મેક્ષમાં ગયેલા પ્રભુનાં ગાન કરું તે આખરે હું પણ પ્રભુના જેવો થઈ જઉં, તે ગાવાનો પ્રયત્ન હું કેવી રીતે કરું છું કે હું તમને કહી બતાવું છું. (આ આપણને આનંદઘન કહે છે.) તેમાં પહેલી શરત એ છે કે પ્રભુ સાથે મને જે પ્રેમ થયો છે તેમાં જરા પણ વધે ન આવે એવું આપ કરશો એટલે હું નિરંતર પ્રભુનાં ગુણગાન કર્યા કરું. મારા મનરૂપ મંદિરમાં બીજા કેઈ દેવને હું લાવું નહિ, પણ પ્રભુ તરફના પ્રેમને લીધે હું નિરતર પ્રભુના ગુણનાં ગાને પ્રતમાં છે, તે વિચારણીય છે. “રીત” સ્થાને એક પ્રતમાં “રીતિ પાઠ છે; બીજી પ્રતમાં રિત્તિ” શબ્દ છે. “ધમ ” સ્થાને પ્રથમ પંક્તિમાં “ધર્મો પાઠ છે. “જિનેશ્વર” સ્થાને બન્ને પ્રતમાં “જિનેસર” પાઠ છે, અર્થ ફરતે નથી. (૧) શબ્દાર્થધમ = ધર્મનાથ નામના પંદરમા તીર્થંકર. જિનેશ્વર = દેવ, જિન ભગવાન, તીર્થકરદેવ. ગાઉ = ગાન કરું, વણવું. રંગશું = હોંશપૂર્વક, સ્નેહથી. ભંગ = અટકાયત, આંતરો. મ પડશે = ન થજો, ન હજો. પ્રીત = પ્રીતિ, પ્રેમ, આકર્ષણ, જિનેશ્વર = જિનેશ્વર, પ્રભુ, દેવ. બીજે = અન્ય કઈ કઈ પણ, મનમંદિર = મનરૂપ મંદિરમાં, મનરૂપ સ્થાનમાં. આણું નહિ = લાવું નહિ, લઉં નહિ. એ = ઉપર પ્રમાણે વાત કરવી. કુલવટ = અમારા ઘરની, કુળની, કુટુંબની ટેક. રીત = હદ, પરંપરા. (૧) Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : શ્રી ધર્મનાથ જિન સ્તવન [ ૨૮૭ કર્યા કરું એ બીજી વાત થઈ. અમારા કુળની એવી રીત છે કે અમારા મનમાં કે સંકલ્પમાં બીજો કોઈ કદી આવે નહિ અને અમે જે કુળમાં જન્મ્યા છીએ તેની રીતિ અને વટ એવાં છે કે, એમાં બીજી ભળતી વાત હૃદયમાં આવે જ નહિ. જેમ સતી સ્ત્રીઓને એ કુળવટધર્મ હોય છે કે તેના મનમાં અન્ય કોઈ પુરુષ પ્રવેશે જ નહિ; એ તે પતિને જ ઇરછે અને બીજાને સંકલ્પ કદી કરે નહિ, તેમ મારા કુળવટની રીત છે કે હું એક માત્ર પ્રભુને જ મારા હૃદયમાં ધારી રાખ્યું અને બીજે મારા હૃદયમાં કદાપિ પણ દાખલ થાય જ નહિ. અહીં બીજા સર્વ દેવેને હદયમંદિરમાં સ્થાન ન આપવાને અને માત્ર એક જ ધર્મનાથ સ્વામીની આરાધના કરવાને અને તેને વળગી રહેવાને નિર્ણય પ્રાણી કરે છે અને તેને વળગી રહેવાને જાહેર એકરાર-કબૂલાત કરે છે, એમાં પ્રભુ તરફને એનો પ્રેમ દેખાઈ આવે છે. એને બીજા દેવ તરફ ઠેષ નથી, પણ પ્રભુ તરફ પ્રેમ છે, પ્રીતિ છે, એનું એ પ્રદર્શન કરે છે. ઘણી અગત્યની વાત સેવા–ભક્તિમાં એકાગ્રતાને અંગે કરવાની છે તે આપણે હવે એક પછી એક દેશું. પણ કુળવટ આ રીતે નેધવા લાયક છે અને અનુકરણ ગ્ય છે. અને પ્રભુ પણ જેવા તેવા મળ્યા નથી. એ નિરંજન નિરાકાર છે, એમનામાં અરાગ, અષ, વિકથાને ત્યાગ વગેરે અસાધારણ ગુણો છે. અને તેને વશ પડેલે આ જીવ પ્રભુમાં એકાગ્ર થઈ, તેમના ગુણનું ગાન કરવાને અંગે તેને થયેલ નવીન અનુભવો વર્ણવે છે. (૧) ધરમ ધરમ કરતે જગ સહુ ફીરે, ધરમ ન જાણે હો મર્મ, જિનેશ્વર; ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે છે કર્મ, જિનેશ્વર. ધર્મ અર્થ–દુનિયા આખીના લેકે મુખેથી ધરમ ધરમ કરતા ફરે છે, પણ તેઓ ધર્મનું રહસ્ય કે ધર્મને સાર જાણતા નથી, સમજતા નથી. ધર્મનાથ તીર્થંકરના પદકમળને પકડ્યા પછી કઈ પ્રાણી કર્મથી લેપાય નહિ, ખરડાય નહિ. (૨) ટો-ધર્મ, ધર્મ' નામ કહેતા સૌ ફરે. “ધર્મ” શબ્દ કુલ દેશ પાર્કંડાદિ ઘણાએ નામ છે, પણ “ધર્મ” શબ્દને મર્મ નથી લેતે; દુર્ગતિમાં પડતાં ધરઈ તે ધર્મ અથવા આત્મ પાઠાંતર–“જગ સહુ ફરે’ સ્થાને “કાં સી ફીરે એ પાઠ પ્રતમાં છે, ભીમશી માણેક ‘ફિરે છાપે છે: એક પ્રતમાં “કાં સુ ફિરે એમ પાઠ છે. જાણે સ્થાને પ્રત લખનાર “જાણે પાઠ લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે. “જિનેશ્વર ” સ્થાને એક પ્રતમાં “જિનેસર ” પાઠ છે બંને સ્થાને. “પછી' સ્થાને ભીમશી માણેક પ”િ છાપે છે. (૨) શબ્દાર્થ –ધરમ = ધમ, ફરજ બજાવવી તે. ધરમ = ધમ ધમ ર્યા કરે છે, મુખેથી બોલ્યા કરે છે. જગ = દુનિયા, માણસે. કર = બોલતા, ધમી થાઓ એમ કહેતા. ફીરે = ફરે છે, બેલતો જાય છે. પણ ધરમ = ધર્મ, એ ધર્મ શબ્દ શું છે. ન જાણે = સમજે નહિ, આદરે નહિ. મમ = રહસ્ય, તત્વ, સાર. ધરમ = ધમ, પંદરમા પ્રભુ. જિનેશ્વર = તીર્થકર દેવ, પ્રભુ. ચરણ = પગે, તે ગ્રહ્યા = પકડવા પછી. કોઈ = ગમે છે. કઈ પણ ન બાંધે = ન સ્વીકારે, ન આદરે. કમ = કઈ જાતનું કમ", સંસારી પ્રાણીને બંધાતાં કર્મો. (૨) Page #304 -------------------------------------------------------------------------- ________________ ર૮૮] શ્રી આનંદઘન-ચોવીશી સ્વભાવ તે ધર્મ, દુનિકપતwાળિધારાદ્ધ ઉચ્ચા સંચમારિરવિઘઃ સર્વજ્ઞોત્તો વિમુક્યો તે માટે ધર્મ જિનેશ્વરના ચરણ ગ્રહ્યા–ધ્યાયા. એ પ્રમાણે કોઈ ધ્યાયતે કઈ કર્મ ન બાંધે, જે શબ્દને ભાવે આદરે જાય, તેમ તેમ કર્મના બંધ ન થાય. (૨) વિવેચન-હવે ભક્તિ કરવા પહેલાં પ્રાણીને તૈયાર કરવાની શરતે વધારે કહે છે. આ દુનિયા “ધર્મ, ધર્મ ” એમ પિકાર કરતી ચાલે છે, પણ ધર્મને ખરે સાર (રહસ્ય) જાણતી નથી. એ તે ધર્મની વાત કરવામાં જ અને ધમી દેખાવામાં જ આનંદ લે છે, પણ ધર્મ શું અને ખરે તે કેવો હોય તે જાણતા નથી. ધર્મમાં આત્માને બરાબર ઓળખો, આત્મિક ધર્મ શું છે તે સમજવું, તે ખરો ધર્મ છે એમ સમજવું અને આત્મા પુદ્ગલથી ત્યારે છે એમ સમજવું એ બહુ અગત્યની વાત છે. ધમી હોવાને દેખાવ કરવાથી સાચો ધર્મ મળતું નથી. અને જ્યાં સુધી આત્મા પુદ્ગલથી જુદ છે એમ સમજાય નહિ ત્યાં સુધી સાચો ધર્મ સમજાતું નથી. અને એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી ધર્મી હવાને દેખાવ કરવાથી કાંઈ વળતું નથી, સાચો લાભ ઉઠાવી શકાતે નથી અને આપણું સાધ્ય પ્રાપ્ત થતું નથી. ખરી રીતે આત્માને ઓળખો અને તેને પુદ્ગલથી જુદો જાણો એ ધર્મના જ્ઞાનની પ્રાણીને બહુ જ જરૂર છે. જ્યાં સુધી આત્મા બરાબર ઓળખાય નહિ અને તેની અને પુગલ, જે અજીવ છે, તે વચ્ચે તફાવત જણાય નહિ ત્યાં સુધી પિતાને ધમ માનવે કે ધમી હોવાને દાવો કરે એ બેહુદી વાત છે. માટે આ આત્મિક ધર્મનું રહસ્ય પ્રાણીએ જાણ્યું નથી અને પછી તે ધમી હોવાનો દાવો કરે તે વાત બરાબર નથી. ધમ ખરે કોણ હોય તે હવે સાથે જણાવી દેશે. પહેલી વાત તો એ છે કે ધર્મનાથ નામના પંદરમા તીર્થ પતિ કે બીજા કોઈના ચરણકમળ ઝાલ્યા પછી પ્રાણી કોઈ પણ કર્મને બાંધો નથી; કર્મ બાંધતો નથી એટલે નિકાચિત કર્મ બાંધતે નથી એમ સમજવું. બાકી નિકાચિત ન હોય તેવાં સામાન્ય પ્રદેશદયથી ઉદયમાં આવનાર કર્મ તે પ્રાણી છેલ્લી ઘડી સુધી બાંધે છે. વાત એ છે કે સંસારમાં રખડાવનાર નિકાચિત કર્મોને પ્રાણી બાંધતે નથી, એ સાચા ધમ હોવાની નિશાની છે. અને એ દષ્ટિએ એને ધર્મી હોવાને કે ધમી દેખાવાને દાવ ટકી શકતું નથી. હું શિવધર્મ છું કે બૌધ્ધ છું એ દાવો કરીને લેકે પિતાની જાતને કે જગતને છેતરવા પ્રયત્ન કરે છે, પણ જ્યાં સુધી એ આત્માને બરાબર ઓળખે નહિ અને પુદ્ગલથી અલગ છે એમ જાણે નહિ, ત્યાં સુધી ધર્મી દેખાવાના તેના ડેળને જરાયે વજૂદ આપવું નહિ. ખરે ધમી માણસ તે તે કહેવાય કે જે નવાં નિકાચિત કર્મ ન બાંધે અને સંસારનું પર્યટન પૂરું કરે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે તેને ધર્મી હોવાનો દાવો ટકે છે, સાચે થાય છે. સાચા ધર્મને તે આત્માના પૃથક્કરણપૂર્વકના જ્ઞાનની જરૂર છે અને તે સંપૂર્ણ શ્રદ્ધા રાખનાર સમકિતી પ્રાણીને જ પ્રાપ્ત થવા સંભવ છે. માટે ધમી હોવા કે દેખાવાને ખોટો દાવો કરે નહિ અને નવાં નિકાચિત કર્મ બાંધવાં નહિ, એ ખાસ આવશ્યક શરત છે. આ તફાવત જે જાણે તે પ્રાણી જ ખરે ધમી હોઈ શકે અને તે સિવાયના પ્રાણી સંસારમાં રખડનાર છે એમ સમજવું (૨) Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : શ્રી ધર્મનાથ જિન સ્તવન [[૨૮૯ પ્રવચન અંજન જે સદૂગુરુ કરે, દેખે પરમ નિધાન, જિનેશ્વર, હૃદય-નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન, જિનેશ્વર. ધર્મ ૦ ૩ અર્થ–સાચા ગુરુ જે આગમરૂપ આંજણ કેઈની આંખમાં આજે તે તેના પ્રતાપે મહામૂલ્યવાન દાટેલ ભંડારને જુએ, હદયરૂપ આંખ જગતના શેઠને-ઉપરીને જોઈ શકે અને એને મહિમા તે ખૂબ મોટો છે, મેરુ પર્વત જેટલે તે ઊરો છે, મોટો છે તેમ જુએ. (૩) ટબો–તે ધર્મ તે પ્રવચનરૂપ અંજન જે સશુરુ કરે તે પરમનિધાન ધર્મરૂપ તે દેખીએ, હૃદય-ચિત્ત-નયનને વિષે જે નિડાળે-ચિંતવે, તે ત્રિભુવન ધણી, તેને મહિમા-પ્રભાવ મેરુથી પણ અધિક હોય. (૩) વિવેચન—આવી રીતે ધર્મ ધર્મ કરતે હું તે ભારે ગોટાળે ચઢી ગયે, પણ એમાં મારું કાંઈ વળ્યું નહિ; મારા અનંત ફેરા નકામા ગયા અને નફામાં હું અહીંતહીં રખડતે ફર્યા જ કર્યો અને મારા હાલ બેહાલ થઈ રહ્યા છે. હવે તે સાચા ગુરુ મહારાજ મને પ્રવચનરૂપ આંજણ આજે તે જમીનમાં દાટેલ મહામૂલ્યવાન ખજાને દેખાઈ આવે. અસલ મેલી વિદ્યાને પરિણામે જમીનમાં દાટેલ ખજાને પણ ઘટતા આંજણને પ્રાગે મનુષ્ય જોઈ શકતા હતા, પિતે અદશ્ય થાય. અને હાલ જેમ કેટલાક જમીનમાં રહેલ પાણીની હાજરી ભાખી શકે છે (diviner કહેવાય છે), તેમ પ્રવચનરૂપ આંજણ જે સદ્ગુરુ આંજે, તે મહામૂલ્યવાન ખજાને મારી નજરે પડે. આ પરમ ખજાને તે આત્મિક જ્ઞાન છે. એક વાર જીવ અને પુદ્ગલ જુદાં છે એમ જણાઈ જાય અને તેને ઉપદેશ અને ગુરુ મહારાજ કરે, તે જમીનની અંદર દાટેલ ખજાનાનાં દર્શન થાય. આ વાતમાં સેના-રૂપાની કે બીજી કોઈ મૂલ્યવાન દાટેલ વસ્તુની વાત નથી, પણ સાચો ભંડાર તે આત્માને ઓળખે તે જ છે. એ રૂપ દાટેલ ધન દેખાઈ આવે, પ્રગટ થાય એવા સુગુરુની મારે અત્યારે જરૂર છે. એવા ગુરુથી જ્યારે સુંદર વક્તવ્ય થાય, તે મને સાચી સ્થાયી વસ્તુનું ભાન કરાવે, ત્યારે મારે આ ફેરે સફળ થાય અને મારું ચોક્કસ કામ થઈ જાય. ત્યારે મારી પાઠાંતર—“ કરે” સ્થાને પ્રતમાં “ કરે ' એ પાઠ છે, તે જૂની ગુજરાતી છે. પ્રથમ પાદમાં “ કરે ? સ્થાને બીજી પ્રત લખનાર “કેરે ” પાઠ લખે છે. “દેખે સ્થાને બંને પ્રત લખનાર “ ” પાઠ લખે છે. તે પ્રાચીન ગુજરાતી છે. “નયન’ પછી એક પ્રતિકાર “ન’ શબ્દ ઉમેરે છે. “નિહાળે ” સ્થાને ભીમશી માણેક નિહાલે” છાપે છે; પ્રતમાં પણ તે જ પાઠ છે. (૩) શબ્દાર્થ–પ્રવચન = શાસ્ત્ર, આગમ, અ જન = આંજણ, મસ, જે = સંબંધક; જે, તે. સદ્ગર = સારા ગુરુ, શિખવનાર મહાપુરુષ. કરે = આજે, ભરે, ભરી આપે, આંખમાં આંજણ આંજે. દેખે = જુએ, ઓળખી શકે. પરમ = મૂલ્યવાન, કીમતી. નિધાન = જમીનમાં દાટેલ નિધિ. હૃદય = અંદરથી, આત્મિક. નયન = આંખ, ચક્ષ. નીહાળે = નિરખે, જુએ, જાણે. જગધણી = જગતના શેઠને, દુનિયાના શિરતાજને. મહિમા = વડપણ, ગરતા. મેર = મેરુ પર્વત ઊંચાઈમાં લાખ ગાઉ છે, ખૂબ ઊંચી જગા, સમાન = બરાબર. (૩). ૩૭ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦] શ્રી આનંદઘનચોવીશી હૃદયરૂપ આંખો જગતના ધણીને બરાબર દેખે, નજરોનજર જુએ ત્યારે એને માલુમ પડે કે એ તીર્થપતિને મહિમામોટાઈ તે મેરુ પર્વત જેટલી મહાન છે. એક લાખ જેજનને સેનાને મેરુ આ જબુદ્વીપની વચ્ચે આવેલ છે. એ જેટલે ઊંચે છે તેટલે જ મારા તીર્થપતિ શ્રી જિનેશ્વર દેવને મહિમા મોટો છે. આવી રીતે પ્રભુને ઓળખવાનું પરિણામ તેની એક વૃત્તિઓ સેવા કરવામાં અને તેમાં તમન્ના લગાવવામાં આવે છે. ગુરુ મહારાજ-સગુરુને કે પ્રભાવ છે અને તેને માટે કેટલું માન હોવું જોઈએ, એ આ પદ્યથી સ્પષ્ટ થાય છે. તીર્થપતિને મહિમા કેટલે મેટો છે, તે પણ આ ગાથાથી સ્પષ્ટ થાય છે. એ મહિમા મેરુ જેટલું છે એમ એને ખાતરી થતાં અને પિતાના ગુરુ પાસે એનું પ્રવચન સાંભળતાં એ રાજી થઈ જાય છે અને પિતાના કાર્યમાં લાગી જાય છે. તે આ દુનિ યાના ફાંદાઓ જુએ છે અને સર્વ પૌગલિક છે એમ તેને ખાતરીપૂર્વક જણાય છે અને પિતાની સેવાભાવનાના વિચારમાં એ દઢ થાય છે. ખરી પિછાન પોતાની જાતને ઓળખવામાં છે. એક જાણે તે સર્વને જાણે, એક આત્માને બરાબર પરિચય થતાં તે અનેક આત્માને પણ જાણે. એને પરિણામે એ સાચા દેવની સેવામાં ચાલુ રહ્યા કરે અને જે સેવાભાવની મુશ્કેલી અગાઉ જણાવી છે, તે હળવી થઈ જાય અને આ પ્રાણીનું કામ થઈ જાય. આત્માને બરાબર ઓળખવાની અત્ર પ્રેરણા છે. ઘણું જૂના કાળથી છુપાયેલું આત્મ-દ્રવ્ય પિતાની પાસે જ છે, અને પિતામાં જ ભરેલું છે એ જાણવાની અને એને ઓળખવાની બહુ જ જરૂર છે. એ જાણે એટલે સર્વ જાણ્યું અને એના જાણ્યા વગરના સર્વ પ્રયાસો નિરર્થક છે, એવું બરાબર સમજવું. માટે હદયને ખુલ્લા કરે અને આવડો મોટો મેરુ પર્વત, તેના સરખા પ્રભુના મહિમાને બરાબર જાણે અને પ્રભુસેવા માટે તૈયાર થઈ જાઓ. (૩) દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ, જિનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજે રે જેડ, જિનેશ્વર. ધર્મ ૦ ૪ અથ_આ પ્રાણી તે દોડતાં–નાસતાં-ભાગતાં દોડ્યો જ ગયે, એના મનની જેટલી દોટ હતી તેટલે તે ભાગી ગયે-દોડ્યો, પણ પિતાની નજીકમાં જ જે સૌહાર્દની ખાતરી છે તે તો વિચારો અને તે વિચાર કરી ગુરુ મહારાજ પાસેથી મળતું જ્ઞાન જેડી લેજે, જમાવજે. (૪) પાઠાંતર–“દેડિ” સ્થાને પ્રતિકાર “દોડીઓ” લખે છે; અર્થ ફરતો નથી. “દોડ” સ્થાને બીજા પાદમાં પ્રતકાર ‘દેડી' શબ્દ લખે છે. * પ્રતીત’ સ્થાને ‘પ્રતીતિ’ શબ્દ પ્રતમાં મૂકેલ છે. ૮ કડી' સ્થાને પ્રતવાળા “ટુકડી” શબ્દ લખે છે, બીજી પ્રતમાં ‘ફ્રેંકડી” પાઠ છે; ભીમશી માણેક એ પાઠ છાપે છે. તેને સ્થાને પ્રતવાળો “લેજો ” શબ્દ લખે છે. | શબ્દાર્થ–ડત = દેડતાં, ચાલતાં, વર્તાતાં. દેડિયો = દોડ્યો, આગળ વધ્યા. જેતી = જેટલી, જેવી. મનની = અંદરની. દોડ = નાસવું તે. પ્રેમ = આકર્ષણ, ખેંચાણ. પ્રતીત = પ્રતીતિ, ખાતરી, ચોખવટ. વિચારો = જાણો. ઓળખો. ટુકડી = નજીકની, પાસેની. ગુરુગમ = ગુરુ પાસે સમજણ લેવી તે. લેજે = સમજજે, જાણજો. જોડ = જેડી લેજે, એને સાથે રાખજે. (૪) Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૫: શ્રી ધર્મનાથ જિન સ્તવન [૨૯૧ ટ –દેડિ–આત્માની સંકલ્પાદિકે કરી અનેક પ્રકારે દોડે, જેટલી એક મન કલ્પના તેટલા લગે દોડે, પણ પ્રેમ પ્રતીતિ વિચારી જોતાં, તે ધમની –દડિ (?) ટૂંકડી છે. જે ગુરુગમ-ગુરુપરતંત્ર્યની જોડે લઈએ એટલે ગુરુપરાધીને પ્રવચનથી પામીએ. (૪) વિવેચન–અને મારા પ્રભુ! મારી કેટલી કથની કહું? મેં ધમ ધર્મ એમ કહ્યા કર્યું, ધમ હોવાનો દાવો કર્યો, દેખાવ કર્યો, અને હું દોડતાં દોડતાં એટલું દોડ્યો કે મારું મન જ્યાં સંકલ્પ-વિકલ્પ કરે ત્યાં પહોંચી ગયે. મન તે આપણે અહીં હોઈએ ત્યાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જઈ આવે. મને એવી રીતે આખે વખત અનેક સંકલ્પ-વિકલ્પ કરે છે. અને ઘણુ સંકલ્પ-વિકલ્પને પરિણામે એ ગમે ત્યાં જઈ આવે છે. આવી રીતે ઘણીવાર મારા મનથી તે અનેક જગ્યાએ જઈ આવ્યું અને હું જાતે તે અહીં જ રહ્યો. ઘણીવાર આ તીર્થમાં પ્રભુ હશે એમ ધારી ત્યાં આંટા મારી આવ્યો અને ધમને પણ નિષ્ફળ રીતે અનેક જગ્યાએ બે, છતાં મારે કાંઈ દિવસ ઊગે નહિ. મારે જે કરવાનું હતું તે ન કરતાં આમ વલખાં માર્યા જ કર્યા. પણ પ્રેમની-સ્નેહની ખાતરી તે તમારી નજીકમાં જ છે. ખરેખરું તે મારે આત્માની ઓળખાણ કરવાનું છે અને તે માટે ગમે ત્યાં જવાનું નથી, એ તે તમારી પાસે જ છે. તેને આ પ્રાણી ઓળખતે ન નથી, અને તેને માટે જ્યાં ત્યાં દોડાદોડ કરી, તેને શોધવા આકાશ-પાતાળ એક કરે છે. આ પ્રાણી પાસે રહેલ વિભૂતિને ઓળખી લેજો, અને તેને પિછાનવા માટે સ્તવનકર્તા ભલામણ કરે છે કે તમારી નજીકની વસ્તુને પ્રેમ કરવા સારુ તમે ગુરુ તરફની દેરવણી ઉપર ધ્યાન આપજે. એમાં ગુરુની તરફ એક પ્રકારનું પાતંત્ર્ય થાય છે એમ ન ધારતા. આવી પ્રભુની સેવા માટે ગુરુ તમને કેટલીક દોરવણી આપશે, કેટલીક ચાવીઓ અને ટૂંકા માર્ગો બતાવશે. આ આત્મા, જે તમારી સાથે જ છે, તમારી પાસે જ છે, તમે જ છે, તે તમારી જાતને તમે બરાબર ઓળખી લેજે અને તેમાં આનંદ માનજો અને પછી પ્રભુની સેવા કરવાને નિર્ણય કરશે. આ રીતે આત્માની ઓળખાણ કર્યા પછી તમે સેવા કરશો તે તદ્દન જુદી જ જાતની અને સાચી સેવા થશે માટે ખોટી દોડાદોડ છોડી દો અને તમારી નજીકની જે ચીજ છે, તમારા પિતાના મનમાં જે છે, તેને સારી રીતે ઓળખી લે અને તેને નખશિખ જાણી લે. અને ગુરુ મહારાજ જે કહે તે સમજજે. તેઓ આત્માને ઓળખવાની અનેક ચાવીઓ બતાવશે, તે તમારા ધ્યાનમાં રાખો અને તેમાં કોઈ પણ સંકેચ ન રાખતા. તે ગુરગમ લેવામાં તમે પરાધીન થાઓ છો એમ તમે ગણશે નહિ. તમારું કામ સરળ અને સીધું થશે અને તમને ફાયદો જ થશે. તમે જરા પણ પાતંત્ર્યને અનુભવ નહિ કરે; આ ખાલી દોડાદોડ મૂકી દો અને તમારા આત્માને જરૂર ઓળખે. એટલે પરિણામે તમને ખૂબ મજા આવશે અને આત્માને ઓળખ્યા પછી સેવા કરવામાં મજા આવશે, સાચી સેવા થશે. (૪) Page #308 -------------------------------------------------------------------------- ________________ ર૯૨]. શ્રી આનંદઘન-વીશી એક પખી કિમ પ્રીતિ પરવડે, ઉભય મળ્યા હોય સંધિ, જિનેવર; હું રાગી હું મેહે કુંદીઓ, તું નીરાગી નિબંધ, જિનેવર. ધર્મ ૦ ૫ અર્થ_એક બાજુની પ્રીતિ-સ્નેહ કેમ પાલવે ? બને જે ભેગા થાય તે સાંધણ થાય, એક યોગ થાય. આ તે હું તે સંસારના ઉપર ઉપરના રાગમાં તણાઈ-જકડાઈ–રહેલે છું અને તું તે તદ્દન નેહ-પ્રેમ વગરને અને બંધન-આકર્ષણ વગરને છે. ત્યારે આપણે પ્રેમ કેમ જામે? કેમ થઈ શકે? (૫) ટબો–એક પખી કાંઈ પ્રીતિ વરે ન પડે, કામ ન આવે, ફેકટ થાય. ઉભય પક્ષ મળે જ સંધિ થાય. જ્ઞાન કિયા તથા નિશ્ચય-વ્યવહાર તથા વચન પ્રવચનાનુસાર ગુર્વાજ્ઞા ઈત્યાદિ ઉભય ભાવે જ મોક્ષ પામે. તથા સેવક રાગી, મેહી, ફુદી-માયાવી એવો હું; તમે નીરાગી, નિબંધન, નિર્માથી. તે માટે સમાન ધર્મ જ સંધિ-પ્રીતિ હોય, વિષમ ધમેં ન હોય. (૫) વિવેચન– આમાં પ્રભુની પ્રીતિ પણ નજીક જ છે એ વાતને પણ સમાવેશ થઈ જાય છે. એ પ્રમાણે ધર્મ ધર્મની બૂમ માર્યા કરી અને પ્રભુને શોધવા માટે જ્યાં ત્યાં ગયે, રખડ્યા કર્યું, પણ આટલા અનંત ભ થઈ ગયા, પણ મારું કાંઈ વળ્યું નહિ અને હું તે જે હતું તે ને તે જ રહી રખડ્યા કર્યો. મને તે સંબંધમાં શું લાગે છે તે પણ કહી બતાવું. એક પક્ષને જે પ્રેમ-સ્નેહ હોય તે કેમ નભાવી શકાય? તેને કેમ ચલાવી શકાય? એ વાત કરી જામે જ નહિ. એક પક્ષને પ્રેમ હોય, અને બીજાને તે તે સંબંધમાં બેદરકારી જ લાગે, એને એ વાતમાં કાંઈ લાગે જ નહિ, એ પ્રેમ-સ્નેહસંબંધ કેટલે ટકે? અને એ જામે કેમ? હું તે રહ્યો રાગી, મોહ-માયા-મમતામાં રાચી રહેલે અને જેની તેની સાથે પ્રીતિ–પ્રેમ-સ્નેહ કરવા જાઉં. અને ભગવાન ! તું તે તદ્દન રાગ વગરને અને નિકાચિત કર્મ પણ નહિ બાંધનારે. એવા તારી સાથે એક પક્ષને નેહ કેમ જામે? તમે તે તદ્દન રાગરહિત અને મારા પક્ષે હું રાગ સહિત–આવી એક બાજુની પ્રીતિ કેમ ટકે ? શી રીતે નભે ? વરે પડે એ પાઠ છે. વરવું અર્થ કેશમાં “પસંદ કરવું” એમ થાય છે, એટલે એવા પ્રકારની મારા પાઠાંતર–પરવડે” સ્થાને ભીમશી માણેક “વરે પડે” પાઠ છાપે છે. “મળ્યા” સ્થાને “ મિલ્યા” એમ ભીમશી માણેક છાપે છે. “એક પખી’ સ્થાને બન્ને પ્રતમાં “એક પછી પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. સંધિ” સ્થાને પ્રતવાળા “ સિદ્ધિ પાઠ લખે છે. “તું” સ્થાને પ્રતમાં “તું” પાઠ છે. (૫) શબ્દાર્થ –એકપખી = એક બાજુની, એક તરફની, એકલાની. કિમ = કેમ, શી રીતે ? પ્રીતિ = પ્રેમ, આકર્ષણ. પરવડે = નભાવી લેવાય, ચાલે. ઉભય = બને, બેય. મળ્યા = બે હાથે તાળી પડે, એક થઈ જાય તે. સંધિ = એક યોગ, મેળ થાય, મળવાનું બને. હું રાગી = હું તો રાગી છું, પ્રેમી છું. હું = પહેલે પુરુષ એકવચન. મોહે = મોહ વડે. ફુદીઓ = લપટાયેલે, દાયલે, તેમાં રસ લઈ રહેલો. અને તું = તું પતે તા. નીરાગી = વીતરાગ, રાગવગરનો. નિરબંધ = બંધન વગરને, કઈ જગાએ બંધાઈ ગયેલો કે જવાને નહિ. (૫) Page #309 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૩ ૧૫ : શ્રી ધર્મનાથ જિન સ્તવન તરફની એકપક્ષીય પ્રીતિ કેમ પસંદ કરાય? એ કેમ જામે? તું તે તદ્દન નીરાગી રહ્યો, વીતરાગ રહ્યો અને હું તને વળગતે ચાલું એમાં પસંદગી શી કરાય? દુનિયામાં પણ એવું જેવાય છે કે એક માણસ બીજા ઉપર પડતે જાય, તેને સ્નેહસંબંધ જાળવી રાખવા અને તે કરે, અને સામને મનમાં તે સ્નેહઊર્મિ હોય જ નહિ–એવી એક પક્ષની પ્રીતિ તે કેમ કરીને જામે? તે પ્રમાણે હું પ્રીતિ કરવા ઈચ્છું છું અને તમારા મનમાં તે એ કાંઈ આવતું નથી, તે આપણે મેળ જ કેમ જામે? આપણી વચ્ચે પ્રીતિ જામતી નથી તેનું કારણ એ છે કે હું પ્રેમ કરવા પ્રયત્ન કરું છું, પણ સામેથી તમારા પક્ષે કાંઈ જવાબ મળતું નથી, તમે વીતરાગ હોવાથી કઈ પ્રકારને જવાબ આપતા નથી, સ્નેહ દાખવતા નથી, એટલે મારે એક પક્ષને સ્નેહ માર્યો જાય છે. આ કારણે મને આપની ઉપર સ્નેહ થતું નથી. પણ મારા સ્નેહને કાંઈ જવાબ આપો અને મને આપને પિતાને સેવક ગણે તે તે બધી વાત બની આવે. અત્યારે તે હું આપની સેવામાં પડ્યો પાથર્યો રહું છું અને આપમય થવા યત્ન કરું છું, પણ આપ તે નીરાગી રહ્યા; તેથી જવાબ આપતા નથી. હું અને તમે બને મળીએ, તે તે કાંઈ મેળાપ થાય પણ ખરે, પણ આપ રહ્યા વીતરાગ અને હું તે સંસારમાં સરાગી. આ કારણે આપણે બે બચ્ચે પ્રીતિ થતી નથી અને થાય તે નભતી નથી, આવી વિચિત્ર પરિસ્થિતિ છે તે છતાં એક વાત છે, તે ખૂબ વિચારવા ગ્ય છે. (૫) પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંધી હો જાય જિનેશ્વર; જાતિ વિના જુઓ જગદીશની, અંધ અંધ પુલાય, જિનેશ્વર ધર્મ ૦ ૬ અર્થ—ઊંચામાં ઊંચે ખજાને તે મુખ આગળ જ પડે છે, અને આ પ્રાણી તે આખી દુનિયાને ટપી જાય છે, જ્યાં ત્યાં ફર્યા કરે છે અને રખડ્યા કરે છે. પ્રભુ તરફના તેજ વગર જુઓ તે ખરા, એ તે આંધળાની પાછળ આંધળાની હાર લાગે, તેની જેમ વર્તે છે, ચાલે છે. (૬) પાઠાંતર–પરમ નિધાન’ સ્થાને પ્રતમાં “પર નિદાન” પાઠ છે. “નિધાન” સ્થાને પ્રતમાં નિધી” પાઠ છે. “પ્રગટ સ્થાને પરગટ” પાઠ પ્રતમાં છે, અર્થ ફરતો નથી. “મુખ” રથાને પ્રતમાં મુષ' પાઠ છે. તે પ્રાચીન ગુજરાતી છે. આગળે” સ્થાને પ્રત લખનાર “આગ” પાઠ લખે છે તે જૂની ગુજરાતી છે. - ઉલ્લંઘી’ સ્થાને “ઉલંગી” પાઠ છે (બને પ્રતમાં); અને ભીમશી માણેક “ઉલંઘી’ છાપે છે. “જુઓ” સ્થાને પ્રતમાં “જોઉં” પાઠ છે. “જગદીશ” સ્થાને પ્રતમાં ‘જગદીસ” પાઠ લખે છે. “પુલાય’ સ્થાને બને પ્રતમાં “પિલાય” પાઠ છે. (૬) શબ્દાર્થ–પરમ = સરસમાં સરસ, મહામૂલ્યવાન. નિધાન = ભંડાર, જમીનમાં દાટેલ. પ્રગટ = સ્પષ્ટ, ઉઘાડે. મુખ = મોટું, મોં. આગળ = આગળ, સામે. જગત = સવ લેકે, ઘણા ખરા. ઉલ્લંઘી = તેની આડા થઈ, ટપી જાય. હે જાય = તેને ઓળંગી જાય, ટપી જાય. જ્યોતિ = પ્રકાશ, તેજ. વિના = વગર, સિવાય. જગદીશની = ઈશ્વરની, નાથની. અ = આંધળા પાછળ, પછવાડે. અંધ = આંધળો, આંધળા પછવાડે આંધળો, આંધળાની હાર લાગે. પુલાય = ચાલે છે, અનુસરે છે. (૬) Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] શ્રી આનંદઘન વીશી ટબ–પરમ ઉત્કૃષ્ટ નિધાન પ્રકટ મુખ આગળ દેખીને, જેમ દર્શન, તે રૂપ મહાનિધાન દેખીએ; જગત-અજ્ઞાની લેક–તે ઉલંઘી જાય, દેખે નહિ. નિધાન જગદીશની તિ વિના તે દેખે નહિ, અધે જેમ પીલાય તેમ અજ્ઞાની અજ્ઞાને કરી પલાય છે. (૬) વિવેચન–તે વાત એ છે કે ભારે મૂલ્યવાન સુંદર પ્રજાને તે આ પ્રાણીના મેં આગળ પડેલે છે અને તેને શોધવા એ આખા જગતને શોધવા ફર્યા કરે છે પણ તે જાણ નથી કે એ ખજાને તે પિતાનામાં અંદર ભરેલે પડેલે છે, પિતામય છે, પિતે જ છે. અને તે જાણતા નથી કે એ ભંડાર શેધવા માટે દૂર જવાની કે પરદેશ જવાની કે રખડપાટો કરવાની જરૂર જ નથી. આત્મિક જ્ઞાન મેળવવા માટે દૂર દેશ જવું પડે તેમ નથી. તે ખજાને તે પિતે જ છે, એનું બરાબર જાણકારપણું થાય અને તે પિતાને બરાબર ઓળખે, એટલું જ બસ છે. એ જે આત્માને–પિતાના મહામૂલ્યવાન ખજાનાને-જાણે, ઓળખે તે પછી આ જ્યાં ત્યાં રખડવાની તેને જરૂર પડતી નથી. ખજાને શોધવા માટે દીવાના તેજની જરૂર પડે છે, કારણ કે કોઈ પણ વસ્તુની શોધખોળ કરવા માટે પ્રકાશની જરૂર પડે જ છે; પ્રકાશ વગર કઈ પણ ખજાને હાથ લાગતું નથી અને હાથ લાગે તે ખજાનાને જાણી શકાતું નથી. અંધારામાં કોઈ વસ્તુ જડે નહિ અને અંધારામાં વસ્તુ શેધવા પ્રયાસ કરે તે તદ્દન નકામું છે. અંધારામાં વસ્તુ હોય તે પણ તેને પત્તે લાગે જ નહિ. અહીં વીતરાગ ભગવાન જે સ્વયં પ્રકાશ ન આપે તે આંધળાની પાછળ આંધળે ચાલે અને તેની હાર લાગે તેવી સ્થિતિ થાય છે. તેટલા માટે આંધળાની પાછળ આંધળે ચાલે તેવી આપણી સ્થિતિ થઈ છે. આંધળે વસ્તુને દેખે જ નહિ તેવી મારી સ્થિતિ થઈ છે. હું વીતરાગ ભગવાન, જે મારા સાચા પરમેશ્વર છે, તેની દોરવણી વગર જ્યાં ત્યાં આંધળાનું અને કરણ કરી રહ્યો છું, પણ એ આંધળાની હારની હાર ચાલે તેમાં મારે શું શુક્રવાર વળે ? અત્યારે તે હું આંધળાનું અનુસરણ કરી રહ્યો છું. જેઓ પોતે સ્વયંજ્ઞાની ન હોય તે મને શું દોરવણી આપે? પ્રભુની તિ વગર મારી સર્વ શોધખોળ નકામી છે, હવે તે કઈ પણ રીતે મને પ્રભુ તરફને પ્રકાશ મળી જાય અને હું મારામાં રહેલ અચિંત્ય મૂલ્યવાન ખજાનાને જાણી જોઈ, પિછાની લઉં એવી મારી ભાવના, સાચી સેવાના કેની કરવી તેની શુધને અંગેની છે. આત્મિક જ્ઞાન એટલે પોતાના આત્માની પિછાણ. તે થઈ જાય તે કામ સરેડે ચઢી જાય તેમ છે. તે એક વસ્તુને બરાબર ઓળખવા માટે પ્રયાસ કરે તે મારું અત્યારનું કર્તવ્ય છે. અને તે માટે મારા આંટાફેરા નકામાં છે. મારે તે હવે શાંત બેસી રહી મારા આત્માને ઓળખે અને તે માટે પ્રયાસ કરે એ એક જ મારું કામ છે. અંધારામાં કઈ વસ્તુ શોધાય નહિ અને શોધાય તે તેના ઉપર પગ પડે છતાં બીજે જ્યાં ત્યાં શેધવાનું ચાલ્યા જ કરે. આત્મિક અને પ્રભુના પ્રકાશ વચ્ચે અભેદ છે, એક હોય ત્યાં બીજાની હાજરી જરૂર હોય. તે પ્રમાણે પ્રભુની તિના પ્રકાશમાં જે પરમ નિધાનને શોધીને મેળવવો હોય તે તે કામ કરવા જેવું છે અને તેને માટે અજવાળું જોશે જ, માટે એ મેળવવા પ્રયાસ કરે. એમ કરવામાં Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૫: શ્રી ધર્મ નાથ જિન સ્તવન [ ૨૯૫ નહિ આવે તે આંધળાએની હારનું અનુકરણ જ થશે. આંધળા પાતે દેખે નહિ અને ખીજાને શું દોરવણી આપી શકે ? તમારે પ્રભુની સેવા કરવી છે તે તેને બરાબર ઓળખા. તેને કેમ એળખાય તેના મા આવતી ગાથામાં બતાવશે. (૬) નિરમળ ગુણમણિ રોહણુ ભૂધરા, મુનિજન માનસ હંસ, જિનેશ્વર; ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માત-પિતા કુળ વંશ, જિનેશ્વર. ધ ૦૭ અ—તદ્ન ચાખ્ખા, મેલ વગરના ગુણુરૂપ રતનની ઉત્પત્તિભૂમિ રાહણાચળ પંત છે અને મુનિ મહારાજના મનરૂપ માનસરોવરને કાંઠે હુસ ખેડેલ છે. તે નગરી નસીબદાર છે, તે વખત અને તે સમય ભાગ્યવાન છે, અને તે માબાપ, જેમને ત્યાં એમના જન્મ થયા છે, તે તથા તેમનું કુળ અને વંશ નસીબદાર છે, જ્યાં તેમના જન્મ થયા છે. (૭) ટબા—હે નિ`ળ ગુણરત્નના રોહિણાચળ–રત્નાપત્તિ-સ્થાનક ! મુનિજનના માનસરોવરને વિષે હંસ સમાન ! ધન્ય-પ્રધાન તે નગરી, તે વેળા—અવસર, ઘડી તે ધન્ય, જ્યાં તમે જગત્ ઉપકારી ઉપન્યા, માત-પિતા કુળ વંશ ગોત્ર-તે પણ ધન્ય. (૭) વિવેચન—એક રાહણાચળ નામના સિલેનમાં પંત છે. એ પતમાં અનેક રત્ના થાય છે અથવા એ પત રત્નમય જ છે, પ્રભુ તે અનેક ગુણાનું સ્થાન છે. જેમ રોહણાચળમાં અનેક રત્ના થાય છે, તેમ પ્રભુ પોતે અનેક ગુણુરૂપ રત્નાના રાહણાચળ પર્યંત જેવા છે. પ્રભુમાં એ ગુણા ભરેલા જ છે. એમના અનેક ગુણાની ગણતરી કરવી એ બહુ મુશ્કેલ બાબત છે, પણ તમે દુનિયાના અનેક સદ્ગુણાની ગણતરી કરે; એના સર્વાં ગુણેા પ્રભુરૂપ રાહણાચળમાં સમાઈ જાય છે. તેથી પરમાત્મા આપણી સેવા-પૂજા-ભક્તિને પાત્ર છે એ નિઃસદેહું વાત છે. આવા અનેક ગુણુના ઉદ્ભવસ્થાન પ્રભુરૂપ રાહણાચળને હું નમું, સેવું છું અને મુનિઓના મનરૂપ માનસ હું તે પર્યંત પર કલ્લેાલ કરે છે. મુનિએનાં મન તદ્ન પવિત્ર છે, જેવા માનસરોવરના હુસા હોય તેવા માનસરોવરને કાંઠે ક્રીડા કરે છે અને ખૂબ આનંદમાં મસ્ત ખને છે. આવા નિળ ગુણ્ણાના રાહુણાચળ અને મુનિઓના મનરૂપ હુંસેા જેમાં કલ્લાલ કરી રહ્યા છે એટલે અનેકણા અને પવિત્રતાના ધામ રૂપ બની ગયેલા આપ પ્રભુ મારે તે આધારભૂત છે, મારે મન સર્વસ્વ છે, મારી ઇચ્છાના આદશ છે. આવા પ્રભુની પાઠાંતર—— નિરમળ ’પ્રથમ પાદમાં ‘ નિર્બંધ મલ ગુણુ મણિ' પાઠ પ્રતમાં છે. (૭) શબ્દા —નિરમળ = નિ`ળ, મેલ વગરની પવિત્ર. ગુણ = સદ્દગુણ, ઉચ્ચ ચારિત્ર. મણિ = રત્ન. રાહણ = રાહણાચળ પર્વત, જ્યાં મણિ થાય છે તે રાહણાચળ પ`ત. ભૂધરા = પર્યંત, ડુ ંગર. મુનિ = સાધુ, યોગી પુરુષ. મન = તેમનું ચિત્ત માનસ = માનસરોવરમાં, જ્યાં એકલા હંસા જ વસે છે તે સરોવર. હંસ = હંસ પક્ષી, જે એકલા મેતીના ચારા કરે છે તે પક્ષી. ધન્ય = નસીબદાર, ફાવેલી, ભાગ્યવાન. નગરી = શહેર. ધન્ય = નસીબદાર, સરસ, સુંદર. વેળા = વખત, ટાઈમ. ધડી = ૨૪ મિનિટ, તે સમય. માતપિતા = માબાપ, કુળ = કુટુંબ, જે કુળમાં તેના જન્મ થયા તે. વંશ = વિસ્તાર, પરિકમ્મા. (૭) = Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] શ્રી આનંદઘન-ચાવીશી સેવા કરવી, તેમની ભક્તિ કરવી, એ મારા જીવનના હેતુ છે અને તે ગુણની પ્રશંસા હું પૂરેપૂરા શબ્દોમાં તે કરી શકતા નથી. આપ પ્રભુની દાનશક્તિ તે સ્થૂળરૂપે પણ પારાવાર છે અને આપે જે ત્રિપદીદાન આપ્યું તેના જોટો આ દુનિયામાં મળવા મુશ્કેલ છે. આપની નિખાલસતા અને નિભતા, નિલેભતા અને નીરાગતા વગેરે આપના અનેક ગુણામાંથી હું કેટલા ગુણા ગણાવું ? હું તે વિચારમાં આભા જ બની જાઉં છું અને આપના અનેક ગુણેા મને સેવા કરવાની પ્રેરણા કરે છે. મને આપ પ્રત્યે ભક્તિપરાયણ બનાવે છે. આપના આદશ પ્રમાણે પ્રાણી અંતે તન્મય થઇ જાય છે. મારે આપના જેવા થવું છે, માટે હું આપના અનેક ગુણ જાણી આશ્ચય પામુ છું. માનસરોવરને કાંઠે જેમ હુડસ મેાતીના ચારો ચરે તેવા મૌન ધારણ કરનાર મુનિ નિર્મળ વિચારો કરે છે અને તેને અમલમાં મૂકે છે. મારાથી પણ આપ ગુણના રાણાચળને દેખતાં અને મુનિ જેવા આપના મનને અવલેાકતાં ઉગારરૂપે ખેલાઈ જવાય છે જ્યારે પ્રભુ જન્મ્યા તે વખતને, તે નગરીને ધન્ય છે, એમનાં માબાપને અને જે કુળ વંશને એમણે અલંકૃત કર્યા. તેમને પણ ધન્ય છે, તે ખરાં નસીબદાર હતાં. જરા વિચારીએ, પ્રભુ જ્યાં જાય ત્યાં ઇતિ, ઉપદ્રવ, દુકાળ ન થાય, તે ખાલે, ત્યારે બધાં પ્રાણીઓ અને તિય ચા પણ પોતપોતાની ભાષામાં સમજે. જે નગરીમાં પ્રભુ હરેફરે ત્યાં મજા હાય; તે નગર પણુ નસીબદાર ગણાય અને જે કુળમાં તેનો જન્મ થાય તે પણ ભાગ્યશાળી ગણાય. આવા ઉદ્ગારો સાહજિક છે, મારા મનમાં એમ આવે છે કે જે વખતે પ્રભુ આ ભારતભૂમિને અલંકૃત કરતા હતા અને તે વખતે જે સમય વંતો હતા તે પણ નસીબદાર છે. જેમ આપણે ગૌરવ લઈએ છીએ કે મહાત્મા ગાંધીના સમયમાં જ આપણે જીવ્યા, તેથી આપણે ખરા નસીબદાર છીએ; આપણે દુનિયાની બંને લડાઇ પણ જોઈ અને મહાત્મા જેવા શાંતિના સ ંદેશકને પણ જોયા : આવા આપણે ભાગ્યશાળી છીએ. પણ પ્રભુ જે સમયમાં પૃથ્વીને પાવન કરતા તે સમય તો ભારે નસીબદાર અને યાદગાર હતો. ધનાથ પ્રભુ ગર્ભામાં આવ્યાથી પ્રભુનાં માતપિતા રૂડી રીતે દાનાદિ ધ પરાયણ થયાં એવે ગના મહિમા જાણીને તેમણે પ્રભુનું અનુભવસિદ્ધ ‘ધર્મનાથ’ નામ પાડ્યું. એમનું રત્નપુર નગર, ભાનુ રાજા પિતા, સુત્રતા રાણી માતા. એ માતપિતાને ખરેખર ધન્ય માનું છું. જેમને આવા સુંદર જગવિખ્યાત પુત્ર થયા. આવા ધમતીના પ્રવર્તાવનાર પુત્રના પિતા કે માતા થવું તે પણ માટી વાત છે. (૭) મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ, જિનેશ્વર; ધનનામી ‘ આનંદધન ' સાંભળેા, એ સેવક અરદાસ, જિનેશ્વર. ધ ૦૮ પાઠાંતર——— કહે ' સ્થાને પ્રતમાં ‘કહે` ' પાઠ છે, તે જૂની ગુજરાતી છે. ‘ નિકટ ' સ્થાને એક પ્રતકાર ‘ ની કટ’ શબ્દ લખે છે, તે અશુદ્ધ જણાય છે. · નામી ' સ્થાને પ્રતકાર ‘નામિ’ લખે છે. ‘સાંભળેા ’ સ્થાને પ્રત લખનાર ‘સાંભલા ’ લખે છે, તે બાલાવબોધ લિપિફેર છે. (૮) Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : શ્રી ધનાથ જિન સ્તવન [ ૨૯૭ અથ—મનરૂપ ભ્રમર સુંદર હાથ જોડી–પગે લાગી–કહે છે કે આપના ચરણકમળની નજીકમાં મારો વાસ હો. અનેક નામવાળા હું આનંદના સમૂહ ! આપ શ્રવણ કરે, આ સેવકની એ જ અરજી છે, એટલી જ વિનતિ છે. (૮) ટા—પ્રધાન મનરૂપ મધુકર–ભ્રમર એ કર જોડી-હાથ જોડીને—કહું છું : તમારા પદકજચરણકમળને નિકટ-સમીપે વાસ-વસવું તે આપે એ માગું છું. ઘન આનંદ નામી બહુ નામ બિરુદ્ઘ એવા જે આનંદઘન પ્રભુ વીતરાગ ! તે સાંભળેા. એ જ સેવકની અરદાસ-વિનતિ છે. એટલે શ્રી પંદરમા ધર્મનાથ જિનેશ્વરનું સ્તવન, તેના અપૂર્ણ રહ્યો. (૮) વિવેચન—મારા મનરૂપ ભ્રમર હાથ જોડીને વિજ્ઞપ્તિ કરે છે કે આપના ચરણકમળની પાસે મારા નિરંતર વસવાટ–રહેવાનું બનો, એટલે આપને હું હંમેશાં યાદ કરું અને આપની સેવા કર્યા કરું. ચરણની પાસે વાસ કરવાની ઇચ્છા તે સેવા કરવાની તમન્ના સમજવી. જ્યારે આ પ્રાણી પેાતાના ગત અનુભવ પર વિચાર કરે છે ત્યારે તેના મનમાં નિશ્ચય થાય છે કે પ્રભુની પાસે પેાતાના નિવાસ થાય ત્યારે જ પ્રભુની સેવા અને તેવી છે, તેથી આ સેવા હમેશ માટે બન્યા કરે તે માટે આ સેવાભાવી વ્યક્તિએ પ્રભુ પાસે વાસ માગ્યા. આપણે કલ્યાણમદિરમાં માગણી કરીએ છીએ કે— यद्यस्ति नाथ ! भवदङ्घ्रिसरोरुहाणां, भक्तेः फलं किमपि संततिसंचितायाः । तन्मे त्वदेकशरणस्य शरण्य ! भूयाः, स्वामी त्वमेव भुवनेऽत्र भवान्तरेऽपि ॥ ! જો આપની પદસેવાનું કાંઈ પણ ફળ હાય તો આપનું શરણુ મને હમેશાં હેજો. એવી જ રીતે જયવીયરાયમાં વિ મમ દુગ્ગ સેવા મને મવે તુ ્ ચાળ—આપના પદ્મની સેવા મને ભવે ભવે મળો—આવી માગણી આપણે વારવાર કરીએ છીએ; અથવા મુમુક્ષુ પ્રાણી કરે છે. તે સર્વાંના એક જ હેતુ છે કે પ્રભુસેવાની આ જીવને હવે તમન્ના બરાબર લાગી છે અને તેને માટે તે અનેક જાતના પ્રયત્ના કરે છે. પ્રભુની પાસે સ્થાન મેળવવું અને ત્યાં પેાતાના નિવાસ કરવા એટલે એ સ્થાને રહેવું તે પ્રભુસેવા માટેના એક જાતના પ્રયત્ન છે. અને આ પ્રાણીની એવી ઇચ્છા છે કે જો આવું સ્થાન મળી જાય તો ત્યાં પેાતાના મુકામ જમાવી દે અને પ્રભુ પાસે નિવાસ કરે, તો પ્રભુની સેવા-ભક્તિમાં પોતાની જાતને જોડી દે. દુનિયાના આપણને અનુભવ છે કે આપણી પાસે જે હાય તેની આપણે વિચારણા કરીએ અને તે યાગ્ય હાય તે સેવા કરીએ. તે નિયમે પ્રભુની પાસે આ જીવે વાસ માગ્યા. ખાલે, ભાષે, વદે. પદજ = આપના પગરૂપે રહેવાની જગા. ધનનામી = અનેક નામવાળાં; ( પ્રભુ પોતે ). સાંભળો = સૂણે. એ = તે, ઉપર વિનતિ. (૮) શબ્દા—મન = ચિત્તરૂપ, ચિત્ત. મધુકર = ભમરા.. વર = સુંદર, સરસ. કમળ. નિકટ = નજદીક, નજીક. નિવાસ = સ્થાન, ઠેકાણું, બહુ-ધણાં નામધારી. આનંદધન = આનંદના સમૂહ, જણાવેલ. સેવક = તાબેદાર, તાર્. અરદાસ = વિજ્ઞપ્તિ, ૩૮ જોડી = પગે લાગી. હે = Page #314 -------------------------------------------------------------------------- ________________ ર૯૮] શ્રી આનંદઘન-વીશી આ પ્રાણુએ ધન, મિલકત, ઘરબાર કે છોકરા છોકરી ન માગતાં માત્ર વિજ્ઞપ્તિમાં પ્રભુની નજીકમાં પિતાને વસવાટ માગે, એમાં બહુ ડહાપણ છે. ધનસંપત્તિ તો પૌગલિક છે, થોડા વખતની છે, પણ પિતાની સાથે કાંઈ આવવાનું હોય તો તે પુરુષની કરેલી સેવા છે. આવી સેવાના કારણભૂત નિવાસસ્થાન માંગવામાં આ જીવે દીર્ધદષ્ટિ વાપરી છે અને સેવા-ભક્તિની ખરી જડ શોધી કાઢી છે. અને પરિણામે એ સારી રીતે સેવા-ભક્તિ મેળવશે અને એની મુરાદ પાર પડશે. એને ખાતરી થઈ ગઈ છે કે, પ્રભુની સેવા-ભક્તિ વગર બીજાં સર્વ કાર્ય નકામાં છે. તેથી એણે પ્રભુને વિનંતિ કરીને તેમની પાસે હંમેશ રહેવાનું માંગી લીધું અને તે દ્વારા પિતાની સેવા કરવાની તમન્ના બતાવી આપી. એક આંધળા ઉપર ભગવાન પ્રસન્ન થયા, ત્યારે તેણે એક વાક્યમાં માગણી કરી કે મારા દીકરાના દીકરાની વહુને સાતમા માળની હવેલીએથી સેનાની દેઘડીમાં છાશ લેવી જોઉં. આમાં એણે સાત માળની હવેલી માગી, દીકરાના દીકરા માગ્યા, તે થાય ત્યાં સુધી પોતે જીવે એમ માગ્યું અને સોનાના ઠામ માગવાને અંગે પિતાને એવી ઋદ્ધિ-સિદ્ધિ થાય એમ માગ્યું. આ પ્રાણીએ તો એવી સ્થૂળ ચીજ માગી જ નહિ, એણે તો માંગણી એક જ કરી, પ્રભુની પાસે હંમેશને માટે એને નિવાસ થાય. પિતે તેને પરિણામે પ્રભુને ઓળખે અને સેવે એટલું જ માગ્યું. તેમાં તેની દીર્ઘ નજરે અને સેવા કરવાની તમન્ના છે. (૮) ઉપસંહાર આ પ્રમાણે આ પંદરમાં પ્રભુનું સ્તવન પૂર્ણ થયું. પ્રભુમાં કેટલી ભક્તિ-ભાવના ઉત્પન્ન થઈ છે, તે આ સ્તવન બતાવે છે. બાકી, આ પ્રાણીનાં પાપ એટલાં બધાં હોય છે કે તેને તે વિચાર જ કરતો નથી. તે તો આ વખત કૂથલી કરે, બીજાના અપવાદ-અવર્ણવાદ બોલે. પિતે ક્રોધ, માન, માયાથી મસ્ત રહે અને હાસ્ય કે શેકમાં દિવસો પસાર કરે અને ખોટ રડે; મનમાં કાંઈ ન હોય, તોપણ મટી પિક મૂકે અને બીજાને રડાવે અને પ્રેરણા કરીને બીજાને કુટાવે, અને પોતે રાગદ્વેષનું પૂતળું હોય તે થઈ જાય, આમાંથી એ ઊંચા આવે તો જ પ્રભુને યાદ કરે. પોતે ધમી હોવાને દેખાવ તો એ કરે કે ન પૂછવી વાત! આ સર્વ ધાંધલ છે, અને એમ કદી પ્રભુ નજરે દેખાય નહિ અને સેવા થઈ શકે નહિ. માટે પાપનાં દ્વારે ઓછાં કરી નાખો, બને તો બંધ કરી દો અને દાન, શિયળ, તપ, ભાવનામાં પ્રવૃત્ત થાઓ. અને ધ્યાનમાં રાખો કે અત્યારનો પરિવાર તો અસ્થાયી છે. એ કાંઈ હમેશને માટે ચાલવાનું નથી અને તેને માટે સાચાખોટાં કરવાં કે તર્કટ કરવું અને સાથે ધમ હોવાનો દાવો કરે એ કઈ પણ રીતે બંધ બેસતી વાત નથી. તમે વિચાર કરશો તે કાળા બજાર કરનાર કે સરકારી નોકરને લાંચ આપનાર કોણ છે? કંટ્રોલનો લાભ લે છે અને કાળા બજાર કરવાં છે, છતાં પ્રભુની સેવા ઉઠાવવી છે, એ બે વાત કેમ બની શકે ? એ તે ઉઘાડે વિરોધાભાસ છે અને એ માગે તમને પ્રભુનું દર્શન પણ થવાનું નથી. અને સેવાની વાત તે દૂર રહી ! હે પ્રભુને મેળવવા હોય તો પ્રથમ પાપને ત્યાગ કરી સાચે રસ્તે આવી જાઓ અને તમારી અત્યારની દોડાદોડી મૂકી દે. તમને જ્યાં ત્યાં પ્રભુ મળી જશે એમ ખોટી ભ્રમણામાં ન રહો. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : શ્રી ધર્મનાથ જિન સ્તવન [ ર૯૯ પ્રભુને મેળવવા માટે તમારી જાતને બરાબર ઓળખો અને પ્રભુને સેવવાની યેગ્યતા સંપાદન કરે. પ્રભુસેવા કાંઈ બજારુ બાબત નથી અને ગમે તેને તે મળતી નથી, તે માટે પણ યોગ્યતા મેળવવી પડે છે. આવી યોગ્યતા કેમ પ્રાપ્ત થાય તે આ સ્તવનમાં સમજાવ્યું છે. બાકી, ચાલુ પાપ કર્યા કરવા અને અનેક તીર્થોમાં દોડાદોડ કરવી એ રસ્તે પ્રભુ મળતા નથી અને પ્રભુની સેવા થતી નથી. માટે આ તો મેળો છે એમ માની લઈ તું યેગ્ય વર્તન ચલાવ અને પ્રભુસેવાને સ્વીકાર અને તેને યોગ્ય થવા પ્રયાસ કર. પ્રભુસેવાને યોગ્ય કેમ થવાય તે આવતા સ્તવનમાં પણ કહેશે. તેને ગ્ય તું થા અને પછી જોઈ લેજે કે તને આ ધાંધલ, દેડાદોડી અને દેખાવ સર્વ નકામાં જ લાગશે. પોતાની પાસે જ મોટો ભંડાર પડેલ હોય, છતાં એને શધવા દૂર જવું એ બિનજરૂરી છે. માટે આ પ્રભુને શોધવા માટે તારા અંતરમાં જ રહેલ તારી જાતને ઓળખ અને પછી પ્રયાસ કરવા નહિ જ પડે; પ્રભુ તને મળી આવશે. તારી પાસે રહેલ આત્મા મોટો ખજાને છે અને તેને ઓળખવા પ્રયાસ કરવો એ પ્રભુની શેધની બરાબર છે. પણ તું તો દોડાદોડ કરી જ્યાં ત્યાં શોધ કર્યા કરે છે, પણ તારી પાસે રહેલા ઉત્તમ મહા મૂલ્યવાન ખજાનાને જ બરાબર ઓળખી લે અને જ્યાં ત્યાં દોડ્યા જવાની તારી ટેવ છે તે છોડી દે. જેઓ ખજાને શોધવા ઠેકાણે ઠેકાણે જાય છે, તે ભ્રમમાં છે, તેઓએ તે પિતામાં રહેલ ખજાનાને બરાબર ઓળખ જોઈએ. એને જ્યારે તે બરાબર ઓળખશે ત્યારે તેની સેવા-ભક્તિની સર્વ કામના પૂરી થશે અને પછી તે અનંત સુખ પામશે. પ્રભુને સેવવા માટે તેમના સમયની, તેમનાં માતા-પિતાની, તેમના કુળ-વંશની પ્રશંસા કરવી, એમાં કઈ જાતની ખુશામત નથી. એ પ્રશંસાને લઈને પ્રાણીને પ્રભુ પર રાગ થાય છે અને પિતાની સેવાની ઇચ્છા તમન્નામાં ફેરવાઈ જાય છે. આથી પ્રભુની સાચી સેવા કરવા માટે પ્રભુની સર્વ બાબતેને પોતે વખાણનાર છે એમ કરવું. મનને ભ્રમર એટલા માટે કહેલ છે કે ભમરે જેમ એક ઝાડેથી ઊડી બીજા પર બેસે છે, તેમ ભમરા જેવું મન જ્યાં ત્યાં ગયા જ કરે છે. એને પ્રભુ પાસે રહી ત્યાં સ્થિરવાસ કરવાને ઉપદેશ છે. (૧૫) ફેબ્રુઆરી : ૧૯૫૦] Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી શાંતિનાથ જિન સ્તવન સંબંધ—આ સોળમા સ્તવનમાં શાંતિનું સ્વરૂપ વર્ણવ્યું છે, તે ઘણી અગત્યની બાબત છે. આ જીવે સેવાભાવના નક્કી કરી, ભગવાનના આદશ ચેસ કર્યાં, પણ કામ ઉપર શાંતિ ન આવે તો વિનયવિજય ઉપાધ્યાયે કહ્યું છે તે પ્રમાણે :1 સમતા વિષ્ણુ જે અનુસરે, પ્રાણી પુન્યનાં કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. જેવું ખને છે. પ્રાણી શાંતિ રાખ્યા વગર જો સારાં કામ કરે, સુખનો અનુભવ થાય તેવું પુણ્યનું કામ કરે, પણ તેની દોડાદોડી ઊભી હાય, તેના મનમાં સ્થિરતા જામી ન હોય, તે તે ગટ્ટી ભૂમિ ઉપર ગાર કરવા જેવું કે ઝાંખરા ઝંટીઆની ભૂમિ ઉપર ચિત્ર દોરવા જેવું કામ થાય છે, તે નકામુ છે, તેનું કાંઈ મૂલ્ય નથી. વાસ્તે સમતા-શાંતિ ઘણી અગત્યની વાત છે, અને તે ઉપર આ ઘણું લખાણ સ્તવન વિવેચન કરે છે, તે ઘણું મહત્ત્વનું હાવાથી તે પર ખાસ ધ્યાન આપવા યોગ્ય છે. ખાકી, આ પ્રાણીની વાત જોઇ હોય તો નવાઇ લાગે તેવું છે. તે તો ટ્રૂક વખતના કુટુંબના વેધ-વચકા કરવામાં, પારકી નિંદા કરવામાં, પોતાનાં-પારકાં કરવામાં, રાગદ્વેષ કરવામાં તથા પેશુન્યમાં અને ખાટાંસાચાં કરવામાં એટલે બધા મશગૂલ રહે છે કે એનું કદાચ મોટામાં મેટુ આયુષ્ય હાય તાપણુ તે નિષ્ફળ જાય છે અને આ ભવ તેને માટે માત્ર એક ફેરા સમાન જ થઇ પડે છે. તમે એને નકામી વાતેા કરતાં કે ગપ્પાં મારતાં જોશે તે જાણે અહીથી એને કહીં જવાનું જ નથી, એ તે પાકે ગરાસ લખાવી લાવ્યો હાય, તેટલા બધા તેને આગ્રહ, મમત્વ અને તંત હોય છે એમ તમે જોઇ શકશે. અને પ્રાણી ચાલે છે પણ કેવા ? એની અભિમાની અને ધમાલીઆ વૃત્તિ, એની દાંભિક વૃત્તિ અને એના ક્રોધી સ્વભાવ એની ચાલમાં જ જણાઇ આવે છે. અને એ વાતો કરવા બેસે, ત્યારે એ કઈ દિવસ મરવાના જ નથી એવું બતાવી આપે છે; એનામાં સ્થિરતા કે શાંતિ શી ચીજ છે એ દેખાશે નહિ. અને એના વેપાર કે નાકરી જોયાં હાય તો તો તેની કાંઈ વાત કરવી નહિ. તેમાં એ અનેક કૌભાંડો, સાચાંજૂઠાં કરશે. એ વેપાર નોકરી કરતી વખતે એ કદી મરવાના છે એ એના ધ્યાનમાં પણ નડુિ રહે. આવા પ્રકારની સ્થિતિમાં શાંતિ કેવી ? અને તેની વાત કેવી ? પણ પ્રાણી વાત કરે ત્યારે આવતી કાલને પણ ભરોસે નથી એવી ચગાવીને વાત કરે; અને વન કરે ત્યારે તેનું કાંઈ ઠેકાણું જ નહિ. આ વાતના અને વનના મેળ મળતા નથી અને શાંતિ વગરનું એ જીવન એને પોતાને આકરું પડી જાય છે અને અનંતા ભવ કર્યો તેમાં માત્ર એકને Page #317 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૧ જીવનને કશે। ઉપયાગ નથી અને તેને ફળ બેસતું નથી. તે ચાલ્યા જાય છે અને પછી તે તેનું ઘણે વર્ષે નામ પણ ભુલાઈ જાય છે એ નિશાન પણ નાશ પામે છે. આવા જીવતરનું કાંઈ મૂલ્ય નથી. ૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન વધારે થાય છે. પણ એ નિષ્ફળ તા આવ્યા હોય તેવા ને તેવે જ જો જીવનને મૂલ્યવાન કરવું હોય તે સ્તવનમાં બતાવવામાં આવી છે તેવી શાંતિ પ્રાપ્ત કરો અને મનમાં આવે તે સ કરો, પણ જે કરો તેમાં મનમાં શાંતિ રાખેા. ઉકળાટવાળો માણસ ગમે તે કામ કરે તે સવ નિષ્ફળ થાય છે, અને, ઉપર જણાવ્યું તેમ, આંખરા ઉપર ચિત્રકામ જેવું થાય છે, માટે જો તમારું જીવન સફળ કરવું હોય તે આ સ્તવનમાં રજૂ કરેલ શાંતિને રાખવાની ટેવ પાડો અને તેની ટેવ પડતાં ધીમે ધીમે તમે તેમય થઈ જશે અને જીવનને ફળવાન કરશે. આ વાતની મહત્તા ખાસ સમજવા જેવી છે અને અનુસરવા યાગ્ય છે. બાકી અનંત ભવ કર્યો, તેમાં એકના વધારા કરવા હાય, તે તે કાંઈ કહેવાની કે વિચારવાની જરૂર નથી; ચાલે છે તેમ ચાલવા દો! આ પ્રકારની ગેરસમજૂતી અને મારામારી ઊભી કેવી રીતે થાય છે તે વિચારતાં એમ લાગે છે કે પ્રાણી પેાતાની જાતને વિચાર કરતા નથી અને અમરપટા લખાવીને અહી આવ્યા હાય, તેમ વતે છે. અંતે તે એ ખાટલામાં પડવો પડયો પોતાની ભૂલ જુએ છે, પણ પછી ઘણું મોડું થઇ જાય છે. અને શરીર ચાલે નહિ, તે વખતના પશ્ચાત્તાપ નિરર્થક છે. પાણી ચાલ્યા ગયા પછી પાળ બાંધવા જેવા તે મૂર્ખાઈના નમૂના છે અને પોતાની અકલમંદીનું પ્રદર્શીન છે. એ સ્થિતિ ન થવા દેવી હેાય તેા આ નીચેના સ્તવનમાં બતાવેલા વિચારે ધ્યાન પર લે અને તે પ્રમાણે વર્તો. સ્તવન (રાગ મલ્હાર; ચતુર ચામાસું પડિકમી–એ દેશી. ) શાંતિ જિન એક મુજ વિનતિ, સુણા ત્રિભુવનરાય રે શાંતિસ્વરૂપ કેમ જાણીએ, કહા મન કિમ પરખાય રે? શાંતિ- ૧ ' પાઠાંતર- વિનતિ ' સ્થાને એક પ્રતમાં ‘વીનતિ ’ પાડે છે. ‘ જાણીએ ’ સ્થાને ‘ જાણીઇ' પાડે પ્રતમાં છે. ‘ મન ક્રિમ ’ સ્થાને ‘જિન મતિ' પાડે છે. ‘શાંતિ’ સ્થાને એક પ્રતમાં ‘શાતી શબ્દ છે, ‘મન કમ પરખાય રે' સ્થાને એક પ્રતમાં કહેા મન પરસ થાય રે' એવા પાડે છે. (૧) શબ્દા—શાંતિ જિન = શાંતિનાથ નામના સોળમા તી`પતિ, સાળમા જિનદેવ. એક = માત્ર એક, નાનીશી, નજીવી. મુજ મારી વિનતિ = વિજ્ઞપ્તિ, માગણી. સુણા = સાંભળો. ત્રિભુવનરાય = સ્વ, મૃત્યુ અને પાતાળના રાજા, ઉપરી, પતિ. શાંતિસ્વરૂપ = શાંતિનું સ્વરૂપ, મનમાં ઉકળાટની ગેરહાજરી. કેમ = ડેવી રીતે, યે માગે.... જાણીએ = સમજીએ, પામીએ. કહેા = કહી બતાવેા, જણાવેા. પરખાય = જણાવા, સ્પષ્ટ કરો, નિવેદન કરે. મન = ચિત્ત, આંતર વૃત્તિ. પરખાય = જાણી શકાય, પરખી શકાય. (૧) = Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] શ્રી આનંદઘન–વીશી અર્થ–હે શ્રી શાંતિ પ્રભુ! મારી એક વિનતિ તે, હે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના રાજા ! આપ સાંભળો, નિસ્ણ, અને શાંતિસ્વરૂપ કેમ પામીએ અને પિતાના દિલમાં એ કેવી રીતે સમજાય તે આપ સમજાવે. (૧) ટબે–આ સ્તવનને અર્થ કરતાં જ્ઞાનવિમળસૂરિ નીચે પ્રમાણે જણાવે છે તે વર્તમાન ગુજરાતીમાં મેં મૂકેલ છે. પંદરમા સ્તવનમાં પ્રભુચરણકમલે નિકટ વાસ માગ્યો તે આત્મા શાંતિ ગુણવાળો કરે. હવે સોળમાં શાંતિનાથના સ્તવનમાં આત્માને શાંતિસ્વરૂપ કેમ જાણીએ, ત્યારે કહે છે હે શાંતિનાથ! એક અદ્વિતીય મારી વિનતિ, હે ત્રિભુવનનાથ! રાજા ! સુણે સાંભળો. તમે કેવા છે? સ્વર્ગ મૃત્યુ પાતાળના રવામી છે. આત્માને શાંતસ્વરૂપ કેમ જાણીએ ? પ્રભે! મનમાં પરખીને તેવું લખીએ સાહેબજી. (૧) વિવેચન–હે શાંતિનાથ ભગવાન ! સોળમા તીર્થપતિ ! એક મારી વિનતિ સાંભળો. આપ તે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણના રાજા છે! મારે એક સવાલ છે. આપ જ્યારે ગભે આવ્યા ત્યારે આપનાં માતુશ્રીએ પાણીનાં છાંટણાં છાંટી મરકીને ઉપદ્રવ મટાડ્યો હતે; અને તેથી, આપના પ્રતાપે, મરકી શાંત થઈ હતી, તેથી ગુણનિષ્પન્ન આપનું શાંતિનાથ નામ આપવામાં આવ્યું. આપનું ગજપુર નગર, આપના પિતા વજસેન અને અચિરા રાણી આપની માતા. આવા, જન્મ પહેલાં શાંતિના કરનારા આપનું નામ પણ શાંતિ છે અને આપ પોતે શાંતિમય છે. આવા આપને હું એક સવાલ પૂછું છું. પ્રશ્ન પૂછીને જ્ઞાન મેળવવાની એક રીતિ છે. ભગવતી સૂત્રમાં શ્રી મહાવીરસ્વામીને હજારે સવાલ પૂછવામાં આવ્યા છે અને શ્રી મહાવીરસ્વામીએ એના જવાબ આપેલા છે. એ પદ્ધતિ આ સ્તવનમાં સ્વીકારી આપણા ઉપર શ્રી આનંદઘનજીએ પરમ ઉપકાર કર્યો છે અને વસ્તુની ચોખવટ કરેલ છે, જે પર વાચકનું ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. શાંતિનાથ ભગવાનને નામે શાંતિનું સ્વરૂપ કહેવામાં આવે, તે તેમાં બાકી શું રહે? અત્યાર સુધીની સ્તવનની મર્યાદા મૂકીને સ્તવનકારે આ સ્તવન મેટું બનાવી પંદર ગાથાનું કર્યું છે; છતાં પોતે જ કહે છે કે આ શાંતિનું સ્વરૂપ ટૂંકામાં જણાવ્યું છે. ટૂંકામાં ઘણી મુદ્દાની વાત કરી નાખી છે અને તે લક્ષ્ય પૂર્વક સમજવા અને અનુસરવા ગ્ય છે. અત્યાર સુધી પ્રભુસેવાને મહિમા જણાવ્યું. તેને માટે પ્રાણીને તૈયાર કર્યો, તેની પાસે પ્રભુને આદર્શ સ્વીકારાવ્યો. અને આ સ્તવનમાં પ્રભુની શાંતિને જોઈને એ શાંતિનું સ્વરૂપ અનુયાયીઓ (શિગે) પ્રભુને સીધા સવાલના આકારમાં પૂછયું. પ્રભુ તેને જવાબ આપે છે. આ પદ્ધતિએ શાંતિ કેમ થઈ શકે? તેને મુદ્દામ રીતે ટૂંકામાં ખ્યાલ આપે છે અને તેવા થવા તેને અનુકરણ કરવા પ્રભુએ પોતે ભલામણ કરી છે. અહી પ્રભુને ત્રણ ભુવનના રાજા કહેવાનું કારણ એ છે કે પ્રભુને આખી દુનિયાને અનુભવ છે અને તેથી તે શાંતિમય અને શાંતિ નામના હોવાથી આ વિષયમાં પૂરતે પ્રકાશ પાડવાને Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન [૩૦૩ યોગ્ય છે. તેઓ જે પ્રકાશ પાડે અથવા તેઓના નામે જે પ્રકાશ પડે, તે ઉચિત બાબત હોવાથી ખાસ ધ્યાન આપવા યોગ્ય છે, અને આ જીવને ઉપકારક હોવાથી તેણે તેનું અનુકરણ કરવું તે તેના હિતનું જ કાર્ય છે. આ પ્રાણી હવે ભગવાનને સવાલ કરે છે, તે આ પ્રમાણે છે : આ જે શાંતિ છે તેનું ખરેખરું સ્વરૂપ શું છે? તે કેમ પામીએ? અને પામીએ ત્યારે તે આપણામાં છે એમ કેમ જાણી શકાય? તેને ઓળખવાને રસ્તે શું? ટૂંકામાં, આપ શાંતિની વિગતે મને સમજાવે અને બધી શાંતિની વાતે મને કહો અને તેવી શાંતિ મારામાં છે, તેની ખબર મને કેમ પડે?—તે જણો, આવો સવાલ જિજ્ઞાસુએ પ્રભુને કર્યો અને પોતે ખરી શાંતિની ઓળખાણ સમજવા ઈચ્છે છે એમ જણાવ્યું. તેના બાહ્ય ચિલ્લે જાણવાની ઈચ્છા જણાવી. ભગવાન અને પ્રશ્ન સાંભળી, તેને જે જવાબ આપશે તે હવે પછી આ સ્તવનમાં કહેવામાં આવશે. (૧) ધન્ય તું આતમ જેહને; એહવો પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળે, કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ૨ અન્તરે આત્મા, જેને આ સવાલ ઊભા થયા છે અને જેને આ સવાલ કરવાનું મન થયું છે, તે ખરેખર ભાગ્યશાળીનસીબદાર છે. તે એ શાંતિનું પ્રતિબિંબ કેમ પડે, તે મનમાં હૈયે રાખીને બરાબર સાંભળે. (૨) ટ –ધન્ય-કૃત પુણ્ય તું, અરે આત્મા! જેને એવો પ્રશ્ન પૂછવાને અવકાશ થયો. વૈર્ય મન કરીને એ પ્રશ્નને અવકાશ સાંભળે: શાંતિજિનને પ્રતિભાસ કહું છું યથાર્થ. (૨) વિવેચન-–હવે પ્રભુ એ સવાલ જવાબ શું આપે છે તે આપણે જોઈએ. પ્રથમ તે સવાલને જવાબ આપવા પહેલાં તે સવાલ પૂછનારને ધન્યવાદ આપે છે. તારા મનમાં આવે સવાલ થયે તેથી ધન્ય છે, નસીબદાર છે, ભાગ્યશાળી છે, તારા અત્યંત ગંભીર સવાલને જવાબ આપું છું તે તારા સવાલના જવાબને મારા મનમાં ધૈર્ય ધારણ કરીને તું સંભાળ. તારા સવાલના જવાબમાં હું હવે શાંતિનું બરાબર પ્રતિબિંબ તારી પાસે કહી સંભળાવું છે. તારો સવાલ ભારે અગત્ય ધરાવે છે અને તેને જવાબ ઘણી મહત્તાથી ભરપૂર છે. તેની મહત્તાને પાઠાંતર–આતમ ” શબ્દ એક પ્રત મૂકી દે છે; બીજી પ્રતમાં “આતમા” પાઠ છે. “તું” સ્થાને પ્રતવાળા “તૂ' લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે. “જેહને’ સ્થાને પ્રતિકાર “જેહનૈ” લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે. “એહવો” સ્થાને પ્રતમાં “એહેવો હો’ શબ્દ લખે છે. પ્રશ્ન અવકાશ” સ્થાને પ્રતમાં પ્રશ્નવકાશ’ પાઠ છે. “પ્રતિભાસ ” સ્થાને બન્ને પ્રતવાળાઓ “પ્રભાસ” લખે છે. (૨) શબ્દાર્થ –ધન્ય = નસીબદાર, ભાગ્યશાળી. તું = તારા. આતમ = આતમાં. જેહને = જેને. એહો = એવો, એવા પ્રકારને. પ્રશ્ન = સવાલ, તપાસ અવકાશ = ઈચ્છા, વિચાર, હોંસ. ધીરજ = વૈર્ય, શાણપણ, મન = ચિત્ત, અંદરના ભાગમાં. ધરી = ધારણ કરી. સાંભળો = નિર્ણો, સમજો. કહું = સમજાવું, જણાવું. શાંતિ = એક્તા, ગડબડ રહિત સ્થિતિ. પ્રતિભાસ = પ્રતિબિંબ, આકાર. (૨) Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] શ્રી આનંદઘન-ચાવીશી અનુરૂપ ધીરજ ધારણ કરીને તું મારે જવાબ વિચારજે. ધીરજ રાખ્યા વગર તું એ જવાબને સંક્ષેપમાં સમજી શકીશ નહિ. - હવે હું શાંતિના પ્રતિબિંબને રજૂ કરીશ. આપણા પ્રતિબિંબમાં અને આપણી આકૃતિમાં જરા પણ ફેરફાર હોતું નથી, તેથી પ્રતિબિંબ સમજાતાં અસલ શાંતિને તને ખ્યાલ આવી જશે. આ રીતે શાંતિની મૂતિને પ્રસ્તુત કરી હવે શાંતિ કેવી હોય તે પ્રતિબિંબ સ્વરૂપે સમજાવે છે. શાંતિ કેવી હોય તે તેના પ્રતિબિંબ પરથી સમજાવવાને આ અભિનવ પ્રયાસ છે. શાંતિનું પ્રતિબિંબ શા માટે કહેવામાં આવ્યું તે મને બરાબર સમજાયું નથી. શાંતિની વાત શાંતિના પ્રતિબિંબથી શા માટે કહેવી પડે? શાંતિનું સ્વરૂપ જ સવાલ કરનારે પૂછયું છે અને તેના જવાબમાં શાંતિની વાત જ કરવી જોઈએ. મને તેના બે ખુલાસા સૂઝે છે એક તે, શાંતિને અર્થ “મૂતિ' (Image) કરે એ વધારે બંધબેસતું છે. અને બીજુ, આનંદઘને આ શબ્દ “અવકાશને અનુપ્રાસ મેળવવા વાપર્યો હોય. અનુપ્રાસ મેળવવા ગમે તે શબ્દ વાપરે એ આનંદઘનની પદ્ધતિ નથી. તેમણે પદમાં તથા સ્તવમાં એક પણ નકામો શબ્દ વાપર્યો નથી. એ જોતાં આ બીજે ખુલાસે બરોબર લાગતું નથી. એ વાત ગમે તે હોય, આપણે હવે શાંતિને બરાબર સમજવા અને તેને પારખવા યત્ન કરી, આ વાતને અહીં છોડી આગળ વધીએ. આખા સ્તવનને ખાસ મહત્ત્વનો ભાગ હવે શરૂ થાય છે. અને આ સરસ સવાલ કરનાર અથવા ઉઠાવનારને ધન્યવાદ આપી હવે આ કેન્દ્રસ્થ પ્રશ્નને ન્યાય આપવા સ્તવનકાર આગળ વધે છે. (૨) ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવરદેવ રે, તે તેમ અવિતત્વ સદ્દહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે. શાંતિ. ૩ અર્થ– તીર્થપતિએ જે જે ભાવે છે જે પ્રકારે બતાવ્યા છે, પ્રરૂપ્યા છે, તે અશુદ્ધ અને વિશુદ્ધ ભાવો ઉપર તે તે પ્રમાણે બરાબર યથાર્થ પણે શ્રદ્ધા રાખે, તેને અનુસરે, એ શાંતિપદની સેવા કરવાની પહેલવહેલી વાત છે. (૩) - પાઠાંતર–“અવિશુદ્ધ’ સ્થાને “અશુદ્ધ છે ” એવો પાઠ એક પ્રતમાં છે. “ સુવિશુદ્ધ જે ” રથાને પ્રતમાં “શુદ્ધ છે ” પાઠ છે. “કહ્યા ” સ્થાને પ્રામાં “જે કહ્યા” પાઠ છે. તેમ’ સ્થાને પ્રતમાં “ તિમ” પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “અવિતસ્થ” સ્થાને ભીમશી માણેક ‘અધ્ય’ છાપે છે. “સહે” સ્થાને પ્રતનો લહિયો સદહૈ' પાઠ લખે છે. (3) | શબ્દાર્થ –ભાવ = વસ્તુની જુદા જુદા પ્રકારની સ્થિતિ. અવિશુદ્ધિ = શુદ્ધ નહિ એવા, ખરાબ, તુચ્છ. સુવિશુદ્ધ = સરસ, સારા, સુંદર. હ્યા = બતાવ્યા. સમજાવ્યા. જિનવર = પ્રભુ, તીર્થંકરદેવે. તે = તે ભાવોને. તેમ = ભગવાને કહ્યા છે તે જ આકારે. અવિતસ્થ = તે જ પ્રકારે, વગર વાંધે, વગર તકરારે. સદ્હે = અનુસરે, જાણે, માને, શ્રદ્ધ. પ્રથમ = સર્વથી પહેલી શરત. એ = તે (દર્શક સર્વનામ) શાંતિપદ = ધીરજપદ, મનના આહદોહની ગેરહાજરી, કુદરતી રીતે. સેવ = સેવનાની પ્રથમ શરત. (૩) Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન [૩૦૫ ટબો–સંસારમાંહે શુદ્ધ અને અશુદ્ધ ભાવપદાર્થ, એ બે ભાવ શ્રી જિનવરદેવે કહ્યા છે, તે તેમ જ અવિતત્થ સાચા સદ્દહે. અસ્તિ ૧, નાસ્તિ ૨, અસ્તિ-નાસ્તિ ૩. પણ પ્રથમ સહણ શુદ્ધિ-શાંતિપદપણે એમ સેવવી. (૩) વિવેચન-શાંતિના સ્વરૂપ સમજેલની પ્રથમ શરત એ છે કે તીર્થપતિએ જે સારા અને ખરાબ ભાવે વર્ણવ્યા છે, તે તે પ્રકારના છે એમ સમજે, એના ઉપર શ્રદ્ધા રાખે અને તેમ જ છે એમ જાણે એ શાંતિને બરાબર સમજે છે એમ જાણવું. આપણામાં અનેક ભાવો હોય છે. ભાવ એટલે પ્રકૃતિ અથવા સ્વભાવ, અથવા અભિપ્રાય. તીર્થંકરદેવે જે પ્રકારે મૂળ સૂત્રમાં બતાવ્યા છે, જીવ સંબંધી વિચારે, નવ ત અને બીજા અનેક ભાવે પ્રભુએ જે પ્રકારે જણાવ્યા છે, તે પ્રકારે જ બરાબર છે, એવી શ્રદ્ધા રાખે એ શાંતિને સાચા સ્વરૂપે સમજવાની પ્રથમ શરત છે. પ્રભુએ ખરાબ ભાવ પણ બતાવ્યા છે. અનેક હલકા જ કર્મનાં કેવાં પરિણામ ભોગવે છે તેનાં ચરિત્રો પણ વર્ણવ્યાં છે અને કર્મનાં માઠાં ફળ જણાવ્યાં છે, તથા સૃષ્ટિકર્તુત્વને સવાલ ચચી લઈ તેને ખુલાસો મૂળ સૂત્રમાં આવે છે. એ સર્વ ભાવને ભગવાને કહ્યા છે તે જ આકારમાં સાચા છે એમ જે સંકેચ વગર માને અને સ્વીકારે, તેમાં જરા પણ શંકા ન કરે અને તેને તે પ્રકારે અનુસરવાને સંકેત કરે, એના મનમાં જરા પણ અરુચિ હોય નહિ, એ તીર્થકરના આધારભૂતપણાની ખાતરી કરી લે, પણ પછી તો પુરુવિધારે વનવિશ્વાસ: એટલે કહેનાર પુરુષ ઉપર વિશ્વાસ પડે એટલે એના કહેલાં વચને ઉપર પણ વિશ્વાસ બેસે. એટલે દેવ સંબંધી એને મનમાં જરા પણ શંકા રહે નહિ. મારા દેવે કહેલ છે, સારા ને ખરાબ ભાવે બતાવ્યા છે, તે તે જ પ્રકારે સાચા છે એવા નિર્ણયથી જ એ ચાલે, એ શાંતિસ્વરૂપની પ્રાથમિક શરત છે. અને આવી શ્રદ્ધા રાખનાર પ્રાણી જ ખરા ધર્મને અને શાંતિને પામી શકે છે, એ વાતની મનમાં પ્રતીતી લાવવી એ બહુ જરૂરી બાબત છે. કેટલાક ભાવે તો દેખી શકાય છે, પણ દૂરના ભાવે દેખાતા નથી, કાલેકની વાત આંખે જોઈ શકાતી નથી, દેવલોક અને નારકી દૂર છે—એ સર્વ તે જ પ્રકારે છે, ભગવાને જણાવ્યા તે જ રીતે છે, એમ વગર શંકાએ જે કબૂલ રાખે તે શાંતિની પ્રથમ શરત છે. આ સમ્યકત્વનું લક્ષણ છે. દેવને દેવ તરીકે જાણે અને દેવે કહેલ વાતને, તે ગમે તેવી હોય તેને, તે પ્રમાણે જાણે, સમજે, સ્વીકારે અને એમાં કઈ જાતની શંકા-કુશંકા ન કરે તે શાંતિને બરાબર સમજવાની પ્રથમ શરત છે. આ શાંતિને સેવવાથી શાંતિનાથની સેવા થાય છે, કારણ કે શાંતિ અને શાંતિનાથ સ્વરૂપે એક જ છે. આ ગાથામાં શાંતિને બરાબર સમજવાનું લક્ષણ કહેવામાં આવ્યું. આ સમ્યકત્વ પ્રાણીનું . લક્ષણ છે અને શાંતિનું સ્વરૂપ પ્રથમ ભૂમિકામાં છે. દેવ સંબંધી એના મનમાં જરા પણ ગોટાળો ન હોય, એને પ્રભુ પર પરમ વિશ્વાસ હોય અને તેમનાં કહેલાં વચન પર પૂરેપૂરી શ્રદ્ધા હોય. પ્રભુએ ભાખેલ છ દ્રવ્યને વિચાર અને પ્રાણીઓના આંતરભા-સારા અને ૩૯ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬]. શ્રી આનંદઘન-ચોવીશી ખરાબ–એ જ પ્રકારે છે એમ શ્રદ્ધાપૂર્વક માને, તેમ જ નવ તત્ત્વ અને અઢાર પાપસ્થાનકને તે જ પ્રકારે જાણે, માને અને મનાવે એ શાંતિનું પ્રાથમિક સ્વરૂપ છે એમ ભગવાન જણાવે છે. હવે આ શાંતિના સ્વરૂપની બીજી શરત આપણે જોઈએ. (૩) આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, સુચી અનુભવાધાર રે. શાંતિ૪ અર્થ–બીજી શરત : તેના શિક્ષક મૂળ સૂત્રોને ધારણ કરનાર, શુદ્ધ દેવ-ગુરુને ઓળખનાર અને ઓળખાવનાર અને ક્રિયા કરવામાં એટલા તત્પર હોય કે નવીન કર્મબંધનની સામે બારણું બંધ કરનાર એટલે નવાં કર્મબંધન ન કરનાર હોવા જોઈએ, તેમ જ વડીલના અભિપ્રાય અનુસાર વર્તનાર અને કેઈને છેતરનાર નહિ, તેમ જ જાતે પવિત્ર અને અનુભવરૂપ સમુદ્રને ધરનારા હોવા જોઈએ. (૪) ટ -આગમ-પ્રવચનના ધારણહાર એવા સમકિતી ગુરુ અને સંવરની કિયાએ કરી સાર–પ્રધાન, એટલે જેણે એ કરી આશ્રવાનુબંધ ન થાય તે ક્રિયા, તે સંવરક્રિયા. સંપ્રદાયી -પરંપરાગત આમ્નાયવંત. વળી, નિરંતર ક્રિયાયો સ્ત્રના– અવંચક–પવિત્ર અનુભવના આધાર એટલે ગુરુપરતંત્રી. (૪) વિવેચન–અત્યાર સુધી શાંતિધારક સમકિતી કે હોય તેનું એક જાતનું વર્ણન કર્યું. હવે એના ગુરુતત્વને વર્ણવે છે. સમક્તિવંત પ્રાણી જેમ દેવ સંબંધી નિણીત હોય છે, તેમ ગુરુ સંબંધમાં પણ નિર્ણત હોય છે. તે કેવા પ્રકારના નિર્ણયવાળો હોય તે હવે ગુરૂપરત્વે બતાવે છે. શાંતિની આ બીજી શરત છે. એ શાંતિવાણુના ગુરુ આગમના ધારણ કરનારા હોય, એવાને જ એ ગુરુ માને. આગમ એટલે જૈનના સૂત્રગ્રંથે. ભગવાને કહેલ બાબતોને ધારણ કરી શ્રી સુધર્માસ્વામીએ પુસ્તકના આકારમાં આગમરૂપે ગોઠવી; તેના અભ્યાસી. આવા પઠિત મુનિ આ શાંતિવાણુના ગુરુ હોય. એવા આગમના અભ્યાસી ગુરુને અનુસરવામાં એ સાચે શાંતિવાંછક છે, કારણ કે મૂળ આગમાં બહુ અસરકારક રીતે ઉપદેશક વાત કહેલી છે. પાઠાંતર–સમકિતી’ સ્થાને એક પ્રતમાં “સમિષ્કતિ ” પાઠ છે; ભીમશી માણેક ‘સમયેતી' છાપે છે. * કિરિયા” સ્થાને પ્રતકાર “ ક્રિયા ” લખે છે, અર્થ એક જ છે. સંપ્રદાયી ” સ્થાને બન્ને પ્રતોમાં “સંપ્રદાઈ પાઠ છે, અર્થ ફરતો નથી, “અવંચક” સ્થાને “અવચક’ પાઠ છે. “સુચી’ સ્થાને બન્ને પ્રતમાં “સુચિ પાઠ છે (૪) | શબ્દાર્થ—આગમધર = મૂળ સૂત્રના ધારણ કરનારા, સિદ્ધાંતને સમજાવનારા. ગુરુ = શિક્ષક, શિક્ષણ આપનાર. સમકિતી = દેવ-ગુરુ-ધમ ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખનાર. કિરિયા = ક્રિયા કરનાર, પ્રવૃત્તિ કરનાર. સંવર = કર્મોનું રોકાણ, કર્મના આવતા પ્રવાહનું બારણું ઢાંકનાર. સાર = રહસ્ય, સુંદર, તેના કરનાર, સંપ્રદાયી = સંપ્રદાયથી, ઉપરથી ઉતરી આવેલી, વૃદ્ધ સંપ્રદાયને અનુસરનાર. અવંચક = નિદભ ભાવે રહેલ, ભોળા, ઉઘાડા. સદા = હંમેશાં, ક્રિયા કરવામાં દરરોજ તૈયાર. સુચી = વિશાળ મનવાળા, પવિત્ર. અનુભવાધાર = અનુભવના મોટા દરિયા, સમુદ્રરૂપ. (૪) Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન ૬ ૩૦૭ તે ઉપરાંત એના ગુરુ એકલા અભ્યાસી જ ન હોય, પણ તેઓ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર સાચી શ્રદ્ધા રાખનાર અને ધર્મ સંબંધી પડ્યો બોલ ઉપાડી લેનાર, તત્ત્વજ્ઞાનના અભ્યાસી અને સાચી દોરવણી આપનાર હોય. આવા ચારિત્રધારી લાયકને ગુરુ ધારે એ શાંતિવાના ગુરુતત્વની પસંદગી કરવામાં આ સમકિતની બાબત બરાબર ધ્યાનમાં રાખે : આ બીજી શરત છે. ગુરુની પસંદગીમાં બહુ સંભાળ રાખવાની જરૂર છે. ચૌદમાં સ્તવનમાં કહેલા ઉદરભરી કે સાધુને વેશ લઈ નીકળી પડેલા કે આખો વખત વેશ કાઢનારા અને ચારિત્રનાં ઠેકાણાં વગરનાને શાંતિવાંછુ ગુરુ કરે નહિ. એ તે સાધુના સત્તાવીશ ગણો કે આચાર્યના છત્રીશ ગુણ ચકાસી ગુરુરથાને શુદ્ધ ચારિત્રના ખપી જીવને સ્થાપન કરે. તેઓ સંવરભાવે ક્રિયા કરનાર હોવા જોઈએ. ગતાનુગતિક કિયા કરનાર કે દેખાવ માત્ર કિયા કરનાર ગુરુસ્થાન માટે લાયક નથી. આવા ધાંધલિયાને, શાંતિવાંછુ હોય તે, સ્થાન જ ન આપે. સંવર એટલે આવતા કર્મના દ્વારને રેકે, બારણાં બંધ રાખે તે માર્ગ. સંવરના સત્તાવન પ્રકાર અગાઉ જણાવી ગયા છીએ. તે ભાવે કર્મ રેકે તેવી સંવરકિયા કરનારને એ ગુરુસ્થાને સ્થાપે; અને ચારિત્રમાં ઢંગધડા વગરનાને એ ગુરુથાને રાખે જ નહિ. પૌગલિક સુખમાં આસક્ત આવા ગુરુઓ પિતાનું કે પારકાનું કાંઈ પણ સુધારી શકે નહિ. આવા કુગુરુને ગુરુસ્થાન આપે નહિ. હજી પણ કેવા માણસને ગુરુસ્થાને રાખે તે વધારે જણાવે છે. સાચા ગુરુ સંપ્રદાયમાં માનનાર હોય છે. ગુરુ શિષ્યને સામે બેસાડી કિયાના હેતુ-રહસ્ય સમજાવી જે જ્ઞાન આપે તેને મહિમા ઔર છે. સંપ્રદાયમાં ખાસ માનનાર હોય તે ગુરુપદને દીપાવે છે. આવા સંપ્રદાયમાં માનનાર ગુરુને ગુરુ કહે, બીજા વાડીઆ કુથલી કરનારા કે જેવા તેવાને ગુરુસ્થાને ન મૂકે. સાચા ગુરુને ઓળખવાની આ બધી ચાવીઓ છે. સંપ્રદાયને મહિમા જ મરે છે. બધું જ્ઞાન પુસ્તકમાં લખી શકાયું નથી, પણ પિતાના સંપ્રદાયમાં માનનારને સાચા ગુરુ માનવા, એ વૃદ્ધા પાસેથી કુળકમાગત વાત જાણતા હોય છે અને તે શિષ્યને સમજાવે છે. આ ત્રીજી ચાવી વિચારી. વળી, ગુરુ નિષ્કપટ ભાવે–ભેળે ભાવે, દંભ-દેખાડો કર્યા વગર, ક્રિયા કરનારા કે વર્તન કરનારા હોવા જોઈએ. આવા ગુરુને શાંતિવાંચ્છક ગુરુ માને. તે ઉપરાંત તેઓ પવિત્ર, નિર્મળ હોવા ઘટે. જે પિતે તરે અને પિતાના આશ્રિતને તારે એને સાચા ગુરુ માનવા. ચાલચલગતના ઠેકાણા વગરના માણસથી એવું જરા પણ થઈ શકે નહિ. પથરાઓ કદી તર્યા નથી અને તેથી ગુરની પસંદગી બરાબર નિયમે કરવી. અને બહુ ટૂંકાણમાં છેવટે કહે છે એ ગુરુ અનુભવના સમુદ્ર હોય. તેઓ અનેક આસ્માની-સુલતાની જઈ, ઘડાઈને સીધા થઈ ગયેલ હોય છે. એવા અનુભવના દરિયાને પોતાના ગુરુને સ્થાને સ્થાપવાની તેની ઈચ્છા હોય છે. આવી રીતે જેવા તેવાને ગુરુ ન કરે, પણ શાંતિના ઈચ્છક પ્રાણી હોય તે ૧. આગમધારી, ૨. સમકિતી અને સંવરની ક્રિયા કરનાર, તેમ જ ૩. સંપ્રદાયમાં માનનાર ૪. અને નિભ ૫. અને પવિત્ર ૬. અનુભવના દરિયે હોય તેને પોતાના ગુરુ બનાવે. આ શાંતિવાંચ્છક દેવને Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮] શ્રી આનંદઘન-ચોવીશી ઓળખ્યા પછી, આવા સુગુરુ કરે એ બીજી શરત કહી. એમાં સંપ્રદાય અને અનુભવના સમુદ્રની વાત ખૂબ મનન કરી અનુસરવા ગ્ય છે. પાંદડું પિતે તે તરે છે, પણ બીજાને તારી શકતું નથી. તેના પાંદડા જેવાને ગુરુ કરવા નહિ. એ તે આગમ ધરનાર અને સંપ્રદાયમાં માનનાર હેવા જોઈએ. આવા ગુરુ વહાણની પેઠે ભરદરિયામાં પણ પિતે તરે છે અને આશ્રિતને પણ તારે છે. આવા ગુરુને પિતાનું સર્વસ્વ સેંપવામાં વાંધો નથી, એમ શાંતિને ઇચ્છનારે જાણે, (૪) શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાળ રે; તામસી વૃત્તિ સવી પરિહરે, ભજે સાત્વિક સાલ રે. શાંતિ પ અર્થ—અને શાંતિચાહક સાચાં-શાસ્ત્રમાં કહેલાં-અવલંબન (આધારો)ને સ્વીકાર કરે અને તેને કરતી વખત કોઈ પણ પ્રકારની ખટપટ મૂકી દે, તેમ જ ઉશ્કેરણી કરે તેવી તામસ બુદ્ધિને છોડી દઈ, સાત્વિક શાળ (વણકરની) પિતે ગ્રહણ કરે. (૫) ટ –વળી કેવા શુદ્ધ આલંબન આગમાનુયાયી આદરે, અપર અશુદ્ધ જાળને મૂકતાં તામસી વૃત્તિ કષાયજનિત જે કિયા તે સર્વને છેડે, સાત્વિક આત્મગુણથી ઉપની જે વૃત્તિ તે ભજે-સે--આદરે. (૫) વિવેચન–હવે ત્રીજી બાબત ધર્મ માટે કહે છે. એ (શાંતિવાંછુ) શેમાં ધર્મ માને ? તે અહીં જણાવી શાંતિનું સ્વરૂપ કહે છે. તે ધર્મ કોને મને?—તે અહીં જોઈએ. એ ટેકો જેવા તેવાને ન લે; પણ પુષ્ટ અવલંબનને જ કરે, એટલે એની મૂર્તિપૂજા અટકે નહિ. એ જેવાં તેવાં પુસ્તક વાંચે નહિ અને જ્યાં ત્યાં અટક્યા કરે નહિ. એ સારા ટેકાના આશ્રયમાં રિથર રહે અને સ્થિરતાને પૂરત લાભ લે. અને એવા વિશુદ્ધ ધર્મને અવલંબને ચાલે, ત્યારે તે બધી જંજાળને છોડી દે છે. આખી દુનિયા ગમે તે કરે તે કાંઈ તેને લાગતું નથી, પણ એનું વિશુદ્ધ ધર્મનું અવલંબન એટલું મજાનું હોય છે કે એ વિશુદ્ધ ધર્મને ખેલે છે. અને એ પ્રાણી સર્વ પ્રકારની તામસી બુદ્ધિને છોડી દઈને આગળ વધે છે, તામસી વૃત્તિ એટલે અંધકારને વધારનાર ક્રોધી પ્રવૃત્તિ. તામસી સામે રાજસી અને સાત્વિક વૃત્તિ ધરવા યોગ્ય છે. રાગદ્વેષજન્ય કોધી પ્રવૃત્તિ એ અશુદ્ધ ધર્મ માં હોય છે, તેને ત્યાગ કરે છે. આ રીતે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મને તે આદરે અને કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ કરી તે શું કરે તે હવે કહે છે. એ સાત્ત્વિક વૃત્તિને ધરે. સાલ એટલે શાલિ-ચોખા અને શાલ એટલે શાલા; કઈ પાઠાંતર– તજી અવર” સ્થાને પ્રતમાં મૂકતા” પાઠ છે; બીજી પ્રતમાં “જિ” પાઠ છે. ભજે' સ્થાને પ્રત લખનાર “ભજે ” પાઠ લખે છે. સાત્ત્વિક સ્થાને પ્રતવાળો “સાવિઝી” લખે છે. (૫) શબ્દાર્થ–શુદ્ધ = પવિત્ર, શાસ્ત્રસંમત, અલંબન = ટેકો, સાધ્ય. આદરે = સ્વીકારે પિતાનું કરે. તળ = છોડી દઈ, મૂકીને, અવર = દૂસરી, બીજી, જંજાળ = માથાઝીક. તામસી = ક્રોધી, ઉશ્કેરણી કરે તેવી. વૃત્તિ = વર્તાવ, બુદ્ધિ, સવી = સર્વ, એકેએક પ્રકારની, સંપૂણ. પરિહરે = છોડી દે, મૂકી દે સાત્ત્વિક સાત્ત્વિક ભજે = પિ, આદર, સ્વીકારે. સાલ = વણવાનું યંત્ર. (૫) Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન [ ૩૦૯ એને શાલટ્ટુશાલા પણ કહે છે. એ તામસી વૃત્તિ છોડી દે, અને સાત્ત્વિક વૃત્તિને ધારણ કરે અને એ કેવા ધર્માંને આદ૨ે તે આવતી ગાથામાં જણાવે છે. આવા સુધર્મને તે આદરે. (૫) ફળ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અ સફળ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સબંધી રે; સંધિ રે. શાંતિ ૬ અથ—જેમાં આવું કુળ થશે કે ખીજા પ્રકારનું થશે આવી અસંગતિ જ નથી, પ્રભુએ ખેલેલ શબ્દ અને તેના અંના સંબધમાં વિરોધ નથી; પણ સર્વાંત્ર કલિતાવાળા દૃષ્ટિબિંદુના નયવાદ ફેલાઇ રહ્યો છે અને એ પ્રકારના અવિરોધ અને અપેક્ષાવાદ મેક્ષ મેળવવાના સાધનનું મમ સ્થાન છે અને છેવટે તે અપાવે જ રહે છે. (૬) ટબા—ફળ-મોક્ષ. તેને વિસંવાદ-ભ્રાંતિ જેમાં ન હેાય, તેવા શબ્દ અને અં; તેને સંબંધ સા યેગી. સકળ નયવાદ જેમાં વ્યાપી રહ્યો, એવા જે સ્યાદ્વાદ, તે જ મેાક્ષસાધનના સધિ પ્રતિજ્ઞા છે, જેને. (૬) વિવેચન—હવે એવા શાંતિને ઇચ્છનાર શાંતિવાંકની સામાન્ય ચાલચલગત કેવી હાય, તેનું સામાન્ય ચારિત્ર કેવા પ્રકારનું હાય, તેનું વર્ણન અગિયારમી ગાથા સુધી કરે છે. આવી રીતે ત્રીજીથી અગિયારમી કુલ નવ ગાથાએ શાંતિવાંક કેવે હાય, તે સ્પષ્ટ કર્યું છે, અને છતાં તે બહુ ટૂંકામાં વણુ`વ્યું છે અને વિસ્તારથી જાણવા ઇચ્છનારને આગમ ગ્રંથોના હવાલા આપ્યા છે. આવી રીતે ઉપર જણાવેલ નવ ગાથામાં બહુ ટૂંકી રીતે શાંતિનું સ્વરૂપ બહુ મુદ્દામ રીતે વર્ણવેલ છે તે, જીવનમાં બહુ અગત્યનું હાવાથી, ધ્યાનપૂર્વક સમજી લેવાનું છે. શાંતિઇચ્છકને વર્ણવતાં જણાવે છે કે એના મનમાં ફળની અસંગતિ ન હાય. આ કામ કરું છું તેનું ફળ મળશે કે નહિ, કચારે મળશે કે કેમ મળશે–એવી જેના મનમાં શંકા કે કુશકા પણ ન હેાય, તે શાંતિના ફળની બાબતમાં જરા પણ શાંકા કરતા જ નથી. જે કરે છે તેનું ફળ ખરાખર મળવાનું છે અને સારું જ ફળ મળવાનું છે, એમ જાણે છે. ફળ સબધી હા-નાની બેવડી ગૂંચવણેા તેના મનમાં થતી નથી. તે જાણે છે કે યા યા ત્રિયા સા સા ઋગતી, અને એને પ્રયાસ કે એની ક્રિયા કદાચિત્ પણ એવી નહાય કે તેને ફળ સંબંધી મનમાં સંકલ્પ–વિકલ્પ કે દ્વિર્ભાવ થાય. જ્ઞાનવિમલસૂરિ મેાક્ષ ફળ અથ કરે છે તે વિચારણીય છે. પણ સ` ક્રિયાનું તે જ ફળ છે એમ હેતુ નથી, છતાં તે અથ વિચારવા. પાઠાંતર—સંબંધી રે ' સ્થાને ‘સંબંધ રે ’ એવા પાઇ પ્રતમાં છે. ‘સંધિ રે' સ્થાને ‘ સિદ્ધ રે ’ પાઠ પ્રતમાં છે. પ્રતવાળા ‘ તે' શબ્દ મૂકી દે છે, ‘ નયવાદ ’ સ્થાને ‘ નય ’ પાઠ છે. ‘ સકલ ' સ્થાને ભીમશી માણેક ‘ શકલ ' પાડે છાપે છે. એક પ્રતમાં છેલ્લા પાદમાં ‘તે' મૂકી દે છે. (૬) શબ્દાર્થ—ફળ = પરિણામ, અમુક કાયનું ફળ, વિસ ંવાદ = અસ ંગતિ, ગોટાળો. જેમાં = જેમાં, તેમાં, શબ્દ = પ્રભુએ કહેલ, ભાખેલ. અ = તેને માના, ભાવ. સંબંધી = લગતા. સફળ = ફલસહિત, સિદ્ધ સાક, નયવાદ = દષ્ટિબિદુએ જોવાનો મુદ્દો, ભાંજગડ. વ્યાપી રહ્યો = ચારે તરફ ફેલાયા. શિવસાધન = મેાક્ષ પામવાનું સાધન, યંત્ર. સંધિ = વચલા ભાગનું મામિ`ક સ્થળ, અપાવનાર. (૬) Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] શ્રી આનંદઘન-ચોવીશી અને ભગવાને કહેલા શબ્દો કે તેના ભાવાર્થ સંબંધમાં પણ તેને શંકા પડતી નથી. એ પ્રભુના શબ્દને બરાબર સમજે છે અને તેને અર્થ પણ બરાબર જાણે છે. એને મનમાં આવે અર્થ હશે કે બીજો અર્થ હશે એવી શંકા થતી નથી. એના જે શબ્દો હોય છે અને તેને જે અર્થ હોય છે તે વગર વિરોધે કે વગર વાંધાએ એ સમજે છે અને કબૂલ રાખે છે. અને તેના સંબંધમાં તેને જરા પણ ગોટાળે થતું નથી અને આગળ પાછળ અર્થમાં કે ખૂદ શબ્દોમાં જરા પણ વાંધો ન આવે અને પરસ્પર વિરોધ ન આવે ત્યાં એ સડસડાટ વગર શંકાએ સમાધાન આપે છે અને એ અવિરેધપણું જાણતા હોવાથી એના નિર્મળ માનસમાં શંકા કે કુશંકાને સ્થાન જ હોતું નથી. શાંતિને ઈચછક આ નિર્મળ માનસવાળો હોય છે. તેથી વધારે તે જાણે છે કે, એ વચને અને તેમના રહસ્ય–અર્થમાં ચિતરફ નયવાદ–અપે. ક્ષાવાદ જામી રહેલ છે. અમુક વસ્તુનું તે તરીકે અસ્તિત્વ પણ જાણે અને બીજી અપેક્ષાએ નાસ્તિત્વ પણ જાણે. એ આખા શબ્દશાસ્ત્રમાં અપેક્ષાવાદ છે તે સમજાવે અને બહલાવે. એના મનમાં મિથ્યા ભ્રાંતિ થતી નથી અને એ અપેક્ષાવાદને વીસરતે નથી. એના મનમાં સર્વ ચોખવટ હોય છે. તે જાણતા હોય છે કે અમુક અપેક્ષાએ ચીજ રહેલી હોવાથી તેમાં અપેક્ષા પ્રમાણે અસ્તિત્વ નાસ્તિવ વગેરે ભાવ ભરેલા હોય છે. આ અપેક્ષાવાદને સમજવો–સમજાવો તે મોક્ષપ્રાપ્તિને અંગે મર્મરથાન છે. એનાથી જરૂર તેને મોક્ષ થાય છે અને મર્મસ્થાને હોવાથી તેના મોક્ષપ્રાપ્તિના સહાયકે તેને મદદ કરે છે. તે અપેક્ષાવાદના જાણકાર અને બહલાવનાર હોય છે; અને દરેક ગૂંચવણ આ અપેક્ષાવાદની મદદથી એ દૂર કરે છે. અને એને અપેક્ષાવાદ એટલે સરસ હોય છે કે તે તેનાથી જરા પણ ચસ નથી. આ જુદાં જુદાં દષ્ટિબિંદુઓ સમજનાર અને સમજાવનાર શાંતિસાધક છે અને શાંતિને ઈચ્છનારે છે એમ સમજણ થાય છે. (૬) વિધિ-પ્રતિષેધ કરી આતમાં, પદારથ અવિરોધ રે; ગ્રહણુવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈ આગમે બેધ રે શાંતિ- ૭ અર્થ—આત્માએ આ કાર્ય આમ કરવું જોઈએ, અને અમુક કાર્ય ન જ કરવું જોઈએ એમ જણાવી પદાર્થને અવિરોધપણે જણાવે છે અને તેમાં વસ્તુને કેમ લેવી તેને વિધિ બતાવે પાઠાંતર— વિધિ’ સ્થાને પ્રતવાળો ‘વિધી ' લખે છે. “પ્રતિષેધ” સ્થાને પ્રતમાં પ્રતિપેદ” પાઠ છે. આતમાં ” સ્થાને એક પ્રતમાં યાતમા” પાઠ છે. “મહાજને ” સ્થાને પ્રતમાં “મહાજન” પાઠ છે. “ આગમે સ્થાને બન્ને પ્રતમાં આગમ” પાઠ છે. “બાપ રે” સ્થાને પ્રતવાળા “બુધ રે' પાઠ લખે છે. (૭) શબ્દાર્થવિધિ = આ કાય આમ કરવું તેની સ્થાપના. પ્રતિષેધ = અમુક કાર્ય ન કરવું તે હર્મ. કરી = એ બેથી, એને લઈને. આતમાં = આત્મા. પદારથ = પદાર્થ, વસ્તુ, અવિરોધ રે – તેની સામે ન થાય તેવું. ગ્રહણ = લેવું તે, સ્વીકારવું તે. વિધિ = કરવું તે, તેની રીતિ. મહાજને = મોટા માણસોએ. પરિચહ્યો = લીધે, સ્વીકાર્યો. ઈસ્ય = એ પ્રકારનો. આગમે = મૂળ સૂત્રમાં. બેધ = જાણવું તે, સમજાવટ. (૭) Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન [ ૩૧૧ છે. અને એને માટા માણસોએ સ્વીકારેલ છે. આવા પ્રકારના મૂળ સૂત્રોમાં ખુલાસે આપવામાં આવ્યા છે. (૭) ટબા—વિધિ અને નિષેધ, તેણે કરી આત્મપદા' તે અવિધી છે એટલે વિધિકરણના વિધિ આચાર વિધિ; અનાચાર પ્રતિષધ; એક જીવ પદાર્થીને બેઉ ધ રહ્યા છે—અન્યાન્ય રહ્યા છે. અને મહારાજ તે સજ્જન લેાકે પરિગ્રહ્યો-આદર્યાં જે ગ્રહણવિધિ છે, એવા જે આગ મના બેધ એટલે શૅયપણે સર્વ આશ્રવ સંવર, હેયપણે વિધિ-પ્રતિષેધના પરસ્પર, ઉપાદેયપણે વિધિ-ગ્રહણ એહુવા જે બેષ જાણા, ભાષણશુદ્ધિ-શાંતિ પદ. (૭) 6 વિવેચન—અને શાંતિવાંછક પ્રાણી કે હાય તેનું વર્ણન કરતાં આગળ વધારે જણાવે છે કે અમુક કા આમ જ કરવું જોઇએ તેને વિધિ’ કહેવામાં આવે છે; અને અમુક કાર્ય ન જ કરવું જોઇએ એને ‘ પ્રતિષેધ ’ કહેવામાં આવે છે. આવા વિધિ અને નિષેધમાં એ અપેક્ષાવાદને કારણે જરા પણ વિરોધ દેખાતા નથી. એની શાણી નજર વિધિને સ્વીકારે છે અને પ્રતિષેધ અથવા નિષેધને ત્યાગી દે છે. એને વિધિ-પ્રતિષેધમાં દૃષ્ટિબિંદુના જ્ઞાનથી જરા પણ ગૂંચવણ થતી નથી, શાસ્ત્રમાં ગરમ પાણી (જળ) પીવાનું કહ્યું હાય, એ વિધિ છે, અને રાત્રે કોઈ પણ પદાર્થ ન લેવાનું કહ્યું હાય, એ પ્રતિષેધ છે. એ બન્ને વાદ એના શાંતિવાંકના અપેક્ષાવાદને કારણે તેને બરાબર 'ધબેસતા લાગે છે. એક વાતમાં આમ કરવું જોઇએ અને ખીજી વાતમાં આમ ન કરવું જોઈએ એના ગેાટાળા એને થતા નથી. શાંતિના ઇચ્છકની આવી સ્થિતિ હોય છે. શાંતિના ઇચ્છક કેવા હોય તે ઉપરથી શાંતિનું સ્વરૂપ જાણવું. અત્ર તે શાંતિઇચ્છકના વર્ણનથી શાંતિનું સ્વરૂપ સમજાયું તે મનમાં શાંતિ ઇચ્છનારે ધરવાનું છે. એને લેવાના વિધિ મેાટા માણસો અગાઉથી સ્વીકારતા આવ્યા છે અને આગમ ગ્રંથામાં મૂળ સૂત્રોમાં ઉપદેશ છે. એ ઉપદેશ પ્રમાણે ચાલનાર આ શાંતિવાંછક જન હાય છે. આગમ ગ્રંથામાં—સિદ્ધાંતમાં અમુક બાબત ગ્રહણ કરવા યેાગ્ય એમ કહ્યું હાય, તે શાંતિઇચ્છક સ્વીકારે અને તે પ્રમાણે પેાતાના જીવનને ગેાઠવી દે. એ બાબતમાં તેને ફેરફાર કરવાને નથી તે વાત તે જાણે છે. અને જે વાત કરવાની ના કહી હોય તે કરે નહિ. આવા ઉપદેશને તે ખરાખર શબ્દશઃ અને અત: અનુસરે છે અને તેમાં જરા પણ ફેરફાર હોય એવું તેના મનમાં પણ આવતું નથી. પ્રકારના આપણામાં એક જાણીતા નિયમ છે કે મહાનનો ચેન તઃ સ પન્થાઃ (મોટા માણસે જે રસ્તે જાય તે મા` ). મોટા માણસોએ સ્વીકારેલા અને આદરેલા તે રસ્તે છે, એટલે આપણે પણ તે માર્ગે વળીએ અને દરેક વિચાર, વચન કે ક્રિયાને, દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખી, ગ્રહણ કરીએ. આ શાંતિવાંછકના માર્ગ છે અને મહાજન-માટા માણસોએ તેને પોતાના કરી લીધા છે. તેથી શાંતિવાંછક હુમેશાં દૃષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરે. અને વસ્તુતઃ તે કોઈ પણ વાત સ્વતઃ સારી કે ખરાબ નથી—વાતને સારી કે ખરાબ દૃષ્ટિબિંદુ અપેક્ષા બનાવે છે. આ અપેક્ષા સમજાય તે ઘણા ઝઘડાનો અંત આવી જાય. આ શાંતિને સમજવાનો માર્ગ છે. (૭) Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] શ્રી આનંદઘન–વીશી દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગસામર્થ્ય ચિત્તભાવે જે, ધરે મુગતિ નિદાન રે. શાંતિ. ૮ અર્થ—આ શાંતિવાંછુ પ્રાણી ખરાબ માણસની સોબત છોડી દઈ, સારા ગુરુઓના ચેલાઓને સેવે, ભજે. તેના મનમાં ગની સમર્થાઈ તે ઘણી જ હોય. આ માણસ ચક્કસ અંતે ને આખરે તેને મેળવે જ, પામી જાય. (૮) ટો–વળી શું કહે છે? દુષ્ટ જન--અસદુગ્રાહીની સંગતિ પરહરે, સુપરંપરાને ભજે–વે. મન, વચન, કાય યોગ સામર્થ્ય ભાવે તથા ઈચ્છા ૧, શાસ્ત્ર ૨, સામર્થ્ય ૩–યોગ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને મુગતિનિદાનકરણ તે જ વેગને સેવે, એવું શાંતિપદ ભાવે. (૮) વિવેચન–જે હલકા સ્વભાવના લેક હોય, જાતે દયાહીન હોય, નીચ હોય તેવા માણસે સાથે એ નેહ સંબંધ ન કરે, જે શાંતિવાછક હોય તે કૂર, હલકા માણસ સાથે ભળે નહિ અને તેને અને હલકા માણસને મેળ ખાય નહિ. માણસ જેવી સેબત રાખે છે તે તે હોય છે. શાંત માણસનું મન સ્વાભાવિક રીતે જ નીચ માણસ સાથે મળતું નથી. સોબત એકસરખા મતવાળા માણસની જામે છે. મિત્ર પાસે–બતી પાસે–તે માણસ પોતાની ગુપ્ત વાત કરે છે, સેબતીની સલાહ લે છે અને સરખેસરખાની પ્રીતિ જ જામે છે. જ્યાં નજર જ જુદી હોય ત્યાં મેળ બેસતું નથી. શાંતિને વાંછુ માણસ એવા હલકા સ્વભાવના માણસને પરિચય કરે નહિ અને કરે તે લાંબે વખત નભે નહિ. અને એ શાંતિવાંછુ માણસ સારા કુટુંબના માણસને સેવે છે. એને સારા કુળના માણસે માટે પક્ષપાત હોય છે. તે તેની સેવા-ભક્તિ કરવામાં પણ મોજ માણે છે અને પડી-આખડીને તેની નોકરી સ્વીકારે છે. એનું મન તુચ્છ ન હોવાથી એને સારા કુટુંબના માણસે તરફ પ્રેમ અને પક્ષપાત હોય છે. એ સારા માણસ પર વારી જાય છે અને તેની ભક્તિ કરવામાં રાજી રાજી થઈ જાય છે. બાકી, પિતાને મોટા માનનારા હલકા માણસની સોબત એ કદી કરતું નથી, અને એના તરફ નૈસર્ગિક રીતે જ તેને અભાવ હોય છે. અને મન-વચન-કાયાના યોગોને કબજે કરવા, અને ગસામર્થ્ય બતાવવું, તેના તરફ તેનું વલણ જ હોય છે. તે યોગસામર્થ્યની વાત આવે ત્યારે તેને પકડી પાડે છે અને તેના પાઠાંતર—પરિહરી' સ્થાને પ્રતમાં “પરિહરે ” પાઠ છે. “ધર” સ્થાને “ધરો ” પાઠ એક પ્રતમાં છે. (૮) | શબ્દાથદુટ = ખરાબ, હલકે, નીચ. જન = માણસ, મનુષ્ય. સંગતિ = સબત, સંગ, મળવું તે. પરિહરી = 10 દઈ, મૂકી દઈ, મૂકી. ભજે = તાબે રહે, સે. સુગુરુ = ઉત્તમ ગુરુનો. સંતાન = શિષ્ય, ચેલો. જોગ = રોગ, મેક્ષની સાથે આત્માને જોડે છે. સામર્થ = શક્તિ (ટેકનીકલ), યોગશક્તિ. ચિત્ત = મન, અંદરનું. ભાવ = અંદરની ઇચ્છી. ધરે = ધારણ કરી દે, પામે, મેળવે. મુગતિ = મુક્તિ, મોક્ષ. નિદાન = જરૂર, છેવટે. (૮) Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન [૩૧૩ ઉપર સ્વાભાવિક રીતે પ્રેમ દાખવે છે અને પિતાના સંગ પ્રમાણે યોગસામર્થ્યને અંગે જે બની શકે તેટલું કરે છે અને તેને ગની વાતમાં ખૂબ મજા આવે છે. એ નકામી કૂથલી કરવામાં પિતાને સમય પસાર કરતા નથી, પણ ગસામર્થ્યની વાતોમાં ખૂબ રસ લે છે. જેને “ગદષ્ટિસમુચ્ચય'માં હરિભદ્રસૂરિ સામગ કહે છે તેમાં તે રસ લે છે અને પારકી નિદા કે પારકાના અવર્ણવાદ બોલવાને તેને સમય પણ મળતું નથી. એ તે કર્મના વિનાશ માટે મન-વચન-કાયા કેમ કાબૂમાં આવે તેને જ અહર્નિશ વિચાર કરે છે અને તેમાંથી બને તેટલું કરે છે. આ રીતે શાંતિવાંછુ માણસ અંતે જરૂર મેક્ષને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી એ કમને ક્ષય કર્યા કરે છે અને એ કામમાં જ એને જ આવે છે. એ પ્રયત્નમાં એટલે મંડ્યો રહે છે કે એને બીજા કામની સૂઝ પડતી નથી. એ તે જ્યારે ફુરસદ મળે ત્યારે કર્મને ક્ષય કરી અંતે મુક્તિને મેળવે છે. પછી એના જન્મમરણના ફેરા મટી જાય છે અને હમેશને માટે આપત્તિને દૂર કરનાર મુક્તિને એ જરૂર મેળવીને જ રહે છે, પછી એને દુનિયાનો દર દૂર થાય છે અને તે ધમધમાટ કરતે, છાતી કાઢીને ચાલતે અને ક્રોધ-માન-માયાનું પૂતળું હોય તે તે તરીકે અટકી જાય છે અને અનંત સુખમાં રહી નિરંતરને માટે મોજ માણે છે. એને મોક્ષની એટલી તાલાવેલી લાગેલ હોય છે કે એ મન-વચન-કાયાના વેગોને પિતાના સામર્થ્યથી પિતાના કબજામાં રાખે છે અને એ કાબૂને અંતે એ મોક્ષને જરૂર પ્રાપ્ત કરે છે અને હમેશને માટે આનંદનો અનુભવ કરે છે. શાંતિપ્રિય પ્રાણી આ હોય, તેનું ભગવાન પોતે વર્ણન કરે છે અને જે જીવને એ હોય તેને શાંતિ છે એમ પ્રભુ કરેલા સવાલના જવાબમાં જણાવે છે. વળી, આ શાંતિને સમજનાર માણસ કેવો હોય તેનું વર્ણન કરે છે તે આપણે આવતી ગાથામાં જોઈએ. ગસામર્થ્ય પર ઘણું કહેવાનું છે તે સંક્ષેપમાં મારા “જૈન દૃષ્ટિએ ગ” માં, પૃ. ૮૮–૯૧માં લખાઈ ગયું છે. અત્રે તેને પુનઃ પ્રવેશ કરતું નથી. એમાં ધર્મસંન્યાસ અને પેગસંન્યાસને અંગે વાત કરી “ગદષ્ટિસમુચ્ચય' (હરિભદ્રસૂરિ મહારાજકૃત)ને હવાલે આપવામાં આવ્યું છે. “જૈન દૃષ્ટિએ ગ’ના બીજા વિભાગમાં હું એ વિષય ઉપર “યોગબત્રીશી' વગેરેના અભ્યાસને સાર આપવા ઇચ્છું છું. હાલ સદર ઉલ્લેખ વાંચી છે અને શાંતિ ઈચ્છક જનતાએ એ વિષય “ ષ્ટિસમુચ્ચય' માંથી જેઈ જ. આ અતિ ગહન વેગને વિષય સમજવા જેવું છે. (૮) માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક-પાષાણ રે; વંદક-નિંદક સમ ગણે, દો હોયે તું જાણું રે. શાંતિ. ૯ પાઠાંતર–ગણે સ્થાને એક પ્રતમાં ‘ગિણે પાઠ છે; એક પ્રતમાં ગર્ણ પાઠ છે. “ઇસ્યો હોયે તું જાણ રે', પ્રતિકાર આ પાકને દ્વિતીય પાદ તરીકે મૂકે છે. નિંદક’ સ્થાને નંદકી પાઠ પ્રતમાં છે. “ગણે સ્થાને ગિણે પાઠ તૃતીય પાદમાં છે; એક પ્રતમાં “ગણે પાઠ છે. “તું સ્થાને એક પ્રકાર “તું” પાઠ લખે છે. (૯) ४० Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] શ્રી આનંદઘન-વીશી અથ–શાંતિવાછક પ્રાણીનું કોઈ આદર-સન્માન કરે અને કેઈ તિરસ્કાર કરે તે બંને તેને મન એકસરખું જણાય અને શાન્તિ ઈચ્છક પ્રાણી સેનાને અને પથ્થરને સરખાં જ ગણે, તેમજ તેમને પૂજનાર અને તેમની ટીકા કરનાર બંનેને એકસરખા ગણે–આવા પ્રકારને પ્રાણ તને ઓળખનાર હોય છે, ખરે શાંતિવાળુ છે, એમ જાણવું. (૯) - ટબો–વળી માન અને અપમાન બંનેને સમાન ગણે, તેષ-રેષ ન આણે, દાનાંતરાયને ઉદય ઉપશમ વિચારે, વળી કનક-પાષાણ સરખાં ગણે, વળી વંદક-નિંદક સરખાં ગણે ઉપભેગાંતરાયને ઉદય-ઉપશમ સમાન ગણે; અરે આત્મન્ ! એ તું જાણુ થા. (૯) વિવેચન—આગળ પણ વેગને અંગે શાંતિવાછકને વર્ણવે છે તે આ ગાથામાં આપણે જોઈએ. તેને કોઈ માન આપે અને કેઈ અપમાન કરે તે સરખું ગણે. આવી શાંતિ ઘણી મુશ્કેલીમાં રહી શકે છે. અપમાન કરનાર અને માન આપનારને સરખા ગણવા એ કહેવું જેટલું સહેલું છે તેટલું જીવવું સહેલ નથી. પ્રાણ ઘણેભાગે માનને અભિલાષી હોય છે, પાંચ-પંદર માણસ તેનાં વખાણ કરે તે તેને ગમે છે. અને ભાઈ ! અમે તે કાંઈ નથી ! એમ કહેવાને દેખાવ તે બધા શાણા માણસે કરે છે, પણ તે માત્ર દેખાવ જ છે. માન આપીને કઈ પોતાની ખુશામત કરે છે ત્યારે તેને અંદરખાનેથી તે ગમે છે. અને પાંચ માણસે તેને ન ગમે તેવી વાત કરે તે જાણીને કે સાંભળીને તેને દુઃખ થાય છે. ભગવાન પાર્શ્વનાથ ઉપર કમઠ મોટો વરસાદ વરસાવે અને ધરણે તેમની સેવા કરી છત્ર ધરી ઊભે રહે, તે બંનેને સરખા ગણવાની વૃત્તિ કેળવવી એ ભારે મુશ્કેલીની બાબત છે, પણ કરવા યોગ્ય છે, વિકાસ કરીને કેળવવા યોગ્ય છે. અને એવી સમાન વૃત્તિ થાય ત્યારે જ સાચી શાંતિને આપણે જાણી છે, એમ સમજવું. આવી વૃત્તિ કેળવવી એ બહુ મુશ્કેલ બાબત છે, પણ એવા થવું એ જરૂરનું છે, એ પ્રાણ જ મોક્ષને માટે લાયક થાય, અને જરૂર મોક્ષ મેળવે. હવે આપણે શાંતિની આગળ વ્યાખ્યા જોઈએ. ખરો શાંતિવાછક સોનાને અને પથ્થરને એકસરખાં ધારે. એની એક બાજુ સેનાને ઢગલે હોય અને બીજી બાજુ પથ્થરને ઢગલે પડ્યો હોય, તે બંને ઢગલાને તે એકસરખા જુએ. એને એના ઉપર પ્રેમ અને પથ્થર તરફ ઘણા ન થાય. આ વૃત્તિ કેળવાવી વધારે મુશ્કેલ છે. અને તે ખૂબ વિકાસ માગે છે. આટલે સુધી જેની વૃત્તિ કેળવાય તે બહુ મોટી વાત છે. બાકી, આ પ્રાણી એ છે કે એને લાલચ મળે તેને એ લાત મારે અને સીધે રસ્તે ચાલે શબ્દાર્થ–માન = સન્માન, ઊંચે ચઢાવવું તે. અપમાન = અવહેલના. ચિત્ત = પિતાને મને. સમ = સરખા. ગણે = સમજે, લેખ. સમ = ઉપર પ્રમાણે. ગણે = ધારે, જુએ. કનક = સુવર્ણ. પાષાણ = પથ્થર, પથરાને. વંદક = તેને વાંદનારને, પૂજનારને. સમ = એક્સરખા, એક જ ધોરણસર. ગણે = માને, લેખ. નિંદા = અવર્ણવાદ બોલનાર. સમ = એક જ ધોરણે સરખા. ગણે = લેખ, ટેવે, જાણે. ઈસ્ય = એવો. હોય = થાય. જાણ = જાણકાર, સમજનાર (૯) Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન [૧૫ જાય, ત્યારે એ ખરેખર દિવ્યમાંથી પસાર થઇ જાય છે અને એની નજરમાં જ ફેર પડી જાય છે. તેની નજરે સોનું અને માટી કે પથ્થર સરખાં જ દેખાય છે. આ શાંતિનું વજ્જુન છે. એમાંથી શાંતિની વિચારણા સમજી લેવી. અને શાંતિવાંછકની નજરમાં એની સેવા-પૂજા કે નિંદા કરનારા બંને સરખા જ લાગે. એ જાણે છે કે પૂજક મને કાંઇ આપી જવાના નથી અને નિંદક મારું કાંઇ લઇ જવાના નથી. એની નજરે સંગમ દેવ કે ઇંદ્ર ને એકસરખા જ લાગે. એને એકની તરફ રુચિ નથી, બીજાની તરફ અભાવ નથી. આ સેવક કે નિંદકને સરખા ગણવા તે સિદ્ધાંતમાં વાત સરસ લાગે છે, પણ ચાલુ વ્યવડારમાં અશકય જેવી વાત છે, કારણ કે માણસ સામાન્ય કક્ષા પર પોતાની પ્રશંસા કરનાર તરફ પક્ષપાતને ટેવાયલા હોય છે. પ્રભુને સાચાસાચ જાણનાર આવે! હાય, ખરે શાંતિના વાંછક આવે હાય. તેવે જે હાય તે શાંતિને જાણે છે, એનું સાચેસાચું સેવન કરે છે. હે પ્રાણી! તું આવે! જાણકાર થા. વિકાસ થતાં તે શાંતિની આ મુશ્કેલ શરતે જરૂર આવે છે. એ ટેવથી આવે છે, અને શાંતિ ચાહનારે તેા એવા જ થવું જોઈએ, હજી પણ શાંતિના વાંછકનું વધારે સ્વરૂપ કહે છે તે વિચારવું. (૯) સ` જગજંતુને સમ ગણે, ગણે તૃણ-મણ ભાવ રે; મુક્તિ-સંસાર બેહુ સમ ગણે, મુણે ભવજલિનિધ નાવ રે. શાંતિ- ૧૦ અથ-અધા જગતના પ્રાણીઓને એકસરખા ગણે, નાનામોટા ન ગણે. અને એક નકામા તરણાને–તરખલાને અને રતનને એક ભાવે સહે, તેમ જ સર્વાં કર્માંથી મુક્તિ અને સંસારમાં સરકવાને જે પૌલિક ભાવ, તે બન્નેને એકસરખા ગણે અને આ સંસારસમુદ્રને તરવાની શાંતિ નાવડી છે, ખલામડી છે, એમ જાણે, સમજે, સ્વીકારે. (૧૦) ટબા——સકળ પ્રાણીને મૈત્રીમાં સરખા ગણે, તૃણુ અને મણિમાં સમાન ભાવ રાખે, મુક્તિ અને સંસાર બન્ને પ્રતિબુદ્ધભાવે-પંક્તિભાવે સરખા ગણે. સંકલેશ પિરણામ તે સંસાર–સંકલેશ, તેમાં સ’સારસમુદ્રના એવા સ્વભાવ છે એવું શાંતિપદ્ય છે. (૧૦) પાઠાંતર—— ગણે' સ્થાને ‘ ગણૈ ' પાઠ વિવેચન—શાંતિને ઇચ્છનારો માણસ જગતના સર્વ પ્રાણીને સરખા ગણે. એને રાય અને પ્રતમાં છે, તે પ્રાચીન ગુજરાતી છે; ‘ગણે ' સ્થાને બીજી પંક્તિમાં ‘ગણે’ પાઠ પ્રતમાં છે. તે પણ સદર કારણે જ છે. ‘ ભાવ રે' સ્થાને પ્રતમાં ‘એ ભાવ રે ’ એવા પાડે છે. બીજી પંક્તિમાં · ઝ્યા હોય તું જાણું રે ' એવા પાડે એક પ્રતવાળો લખે છે. ‘સંસાર 'ને બદલે ‘સંસાર સમ ' એવા પાઠ એક પ્રતમાં છે. ‘ મુણે’ સ્થાને એક પ્રતમાં ‘ ગણે' પાઠ છે. (૧૦) = શબ્દા—સ = સફળ, કુલ. જગજંતુને = જગતના પ્રાણીઓને. સમ = એકસરખા. ગણે = માને, સમજે, ટેવે. તૃણ = તરખલું, નકામી ચીજ. મણિ = રત્ન, મહામૂલ્યવાન ચીજ. ભાવ = વસ્તુ, ચીજ; બન્નેને સરખા ગણે. મુક્તિ = મેાક્ષ, સર્વાં કર્મોથી મુકાવું તે. સંસાર = પૌદ્ગલિક ભાવ, સંસારમાં સંચરવું તે, એહુ = બન્નેને, ધ્યેયને. સમ = સરખા, એકસરખા. ગણે = લેખવે, ટેવે. મણે = જાણે, લેખવે. ભવ – સંસારને તરવા માટે. જલનિધિ – દરિયા, સમુદ્ર. નાવ = હોડી, અલામડી. (૧૦) = Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬] શ્રી આનંદઘન-ચોવીશી રંકને ભેદ ન હોય; એને શેઠ અને મજૂરમાં તફાવત ન લાગે, એ ઝાડુ કાઢનાર અને ખુરશી પર બેસનારને સરખા ગણે; એની નજરમાં રાણી અને દાસીને તફાવત ન હોય. એને મન તિર્ય અને માણસમાં તફાવત ન લાગે; એ જનાવર અને માણસ સર્વના આત્માને સરખા ગણે. એને એક ઇંદ્રિયવાળા જી અને પાંચ ઇન્દ્રિયવાળા જ સરખા જણાય. એ આત્મદષ્ટિએ વિચારે કે સવજીને આત્મા તે સરખો જ છે, અને પર્યાયભેદ એ શાંતિપ્રિયની નજરમાં કાંઈ તફાવત પાડતું નથી. સર્વ જીવોની આત્મિક દૃષ્ટિએ સમાવસ્થા જુએ છે, અનુભવે છે અને તે દૃષ્ટિએ એ પ્રત્યેક પ્રાણીને એકસરખા જુએ છે, માને છે, સમજે છે. શાંતિના વાંછક તણખલાને અને મણિરત્નને સરખાં જ જુએ, તેની નજરમાં તણખલું હલકું લાગતું નથી અને રતન મૂલ્યવાન લાગતું નથી. વસ્તુઓના વસ્તુગત ધર્મને સમજનાર તે બન્નેમાં સરખાઈ જ ગણે છે. એને એક હલક, ફેકી દેવા જેવું લાગતું નથી અને બીજે જાળવીને તિજોરીમાં મૂક્વા લાયક લાગતું નથી. અત્યારે લેકોએ જે નફા કર્યા છે તે નજરે આ પણ મુશ્કેલ વૃત્તિ છે, પણ તેવી વૃત્તિ વગર અંતે મોક્ષ નથી અને તે કેળવવાની જરૂર છે. અંતે એ વૃત્તિ જ મુક્તિને આણી દે છે અને જેને મુક્તિમાર્ગ મેળવવા પ્રયાસ છે તેને તે આ વૃત્તિ વિકસાવે જ છૂટકે છે. વળી, વધારે જણાવે છે કે ખરે શાંતિને ઈચ્છક મોક્ષ અને સંસારને એકસરખા ગણે. એની મોક્ષ મેળવવાની ઇચ્છા પણ સાતમે ગુણસ્થાનકે નાશ પામે છે. એને ત્યાં (મોક્ષ) જવાની હોંસ પણ મરી જાય છે. એના મનમાં મોક્ષ અને સંસાર એ બન્ને એકસરખા હોય છે. આવી સ્થિતિ પ્રાપ્તિ કરવી એ ઘણી મુશ્કેલ છે, પણ એવી સ્થિતિ જરૂરી છે. શાંતિની સ્થિતિ આવી હોય છે તેનું વર્ણન ચાલે છે તે ધ્યાનમાં રાખવું. આવી વૃત્તિને વિકાસ કરે તે બહુ આકરી બાબત છે, પણ તે શાંતિવૃત્તિનો એક આવિર્ભાવ છે તે હકીકતરૂપે અત્રે જણાવ્યું છે. એ સ્થિતિને સમજવી અને સમજીને તેને સ્વીકારવી એ આપણું કર્તવ્ય છે. આ શાંતિઈચ્છક માણસ તેને સંસારસમુદ્ર તરવાનું નાવ માને. એ સમતાને જ વહાણ ગણે અને સમતા જ તેને તરતા માટે જરૂરી છે એમ સમજે. એને શાંતિની એટલી રટના લાગેલી હોય કે તે સમતાને એટલે શાંતિને સંસારસમુદ્ર તરવાને પ્રવડુણ સમાન માને. સંસાર-ભવ એ મોટો દરિયો છે. દરિયે પિતાથી તરી શકાય નહિ, તેને તરી પાર ઊતરવા માટે વહાણ જોઈએ. શાંતિ એવા પ્રકારનું વહાણ છે અને તરવાને અંગે એ અતિ જરૂરી છે એમ તે માને. (૧૦) આપણો આતમભાવ જે, એક ચેતના ધાર રે, અવર સવી સાથે સંયોગથી, એહ નિજ પરિકર સાર રે. શાંતિ. ૧૧ પાઠાંતર–આતમભાવ જે સ્થાને “આતમાં ભાવ જે” પાઠ એક પ્રતમાં છે. સાથ” સ્થાને બને પ્રતવાળા “સવિ” પાઠ લખે છે. “નિજ' સ્થાને “જન” પાઠ એક પ્રત લખનાર આપે છે; “નિજ' સ્થાને બીજી પ્રતિમાં “ નિન્જ' પાઠ છે. (૧૧) Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન [ ૩૧૭ અથ—આપણા પોતાના આત્મવભાવ છે તે તે માત્ર એક ચેતનાશક્તિને અવલ એ છે એમ તું સમજ, જાણ; અને એ સિવાયના ખીજા સર્વાંની સોબત તે માત્ર સયોગ સંબધે થઇ આવેલ છે. ખરો પોતાના પરિવાર–સથવારે તે પોતાના આત્મસબંધનો છે. અને તેને જ તુ તારા પોતાના પિરવાર તરીકે માન; એ તારી સાથે આવનાર છે એમ તું સમજ. (૧૧) ટા—પોતાના આત્મા ચિદાનંદમયી એક શુદ્ધ ચેતનાના આધાર અનંત વિજ્ઞાન વિદુર એવા ભાવ જે અપર પુદ્ગલાદિક સર્વાં સયોગ જનિત છે, એ તારું નથી, પોતાના પરિકર જ્ઞાન, દર્શીન, ચારિત્ર પ્રમુખ તે જ સાર–પ્રધાન છે; એ એ ધણી પદ્મ શાંતિને પામે. (૧) વિવેચન—શાંતિના સ્વરૂપ માટે નિવેદન કરવાની આ છેલ્લી ગાથા છે. આપણે શાંતિનું સ્વરૂપ ત્રીજી ગાથાથી વાંચીએ છીએ. એ માત્ર વાંચવા માટે અત્રે રજૂ કરવામાં આવ્યું નથી, પણ જીવવા માટે—આદરવા માટે-એ બહુ જરૂરી ભાગ ભજવે છે. એ દૃષ્ટિએ આ છેલ્લી ગાથા વિચારો. આપણેા સ્વભાવ છે, આપણા પોતાના ભાવ છે તેને વિચારો, તે સંબધી સાચાં મતવ્યે ઉપર જણાવ્યાં છે અને એ ચૈતનભાવ એકલેા જ આત્મભાવના આધારભૂત છે, બાકી આપણી આજુબાજુ જે સંબધ થયેલો છે તે તે તદ્ન આકસ્મિક છે. આપણે જેને આપણા મિત્ર કે સગાંસ...બધી માનતા હોઇએ તે આકસ્મિક જ છે, અને સયાગથી મળી ગયા છે, અને આ ભવ પૂરતા જ તે સથવારે મળ્યા છે; અને આ ભવ પૂરો થશે ત્યારે, સવાર પડતાં જેમ પખીએ ઊડી જાય છે તેમ, ચાલ્યા જશે. અથવા એક તીમાં મેળેા મળે ત્યારે કોઈ માલ વેચવા આવે, કોઇ તડાકા મારવા આવે અને કોઇ પોતાના બીજા કામે આવે, પણ મેળા પૂર્ણ થતાં સૌ પોતપોતાનાં સ્થાનકે ચાલ્યા છે તેમ અત્યારના મેળા સમજવેા. આપણી દોલત કે ઘરબાર હોય તે સ મૂકીને અંતે ચાલ્યા જવાનું છે અને કોઇ વસ્તુ કે સંબધી કે માલમિલકત સાથે આવવાનાં નથી. આપણે તે એકલા આવ્યા છીએ અને એકલા જ જવાનું છે; નફામાં આ ભવમાં કરેલાં સારાં-ખરાબ કામે આપણે ભોગવવાનાં છે. આવી રીતે પરિવાર કે ધનદોલત પણ સચેગ સંબધે અને આકસ્મિક રીતે થયેલ સમજી લેવી અને એ આકસ્મિકપણાને જેમ તુરત સમજાય તેમ સારું છે. આપણા ચૈતન્ય ભાવ એ જ આપણી સાથે આવનાર છે. એક ભેળો માણસ પેાતાના પરિવારને બહુ માનતા હતા તે માંદો પડ્યો. ઉસ્તાદ વૈદ્ય તેના સ` વ્યાધિ એક ઘૂંટડે પી જવાય તેવા પાણીમાં ઉતારી દીધા, પણ તે વ્યાધિવાળુ પાણી = શબ્દા—આપણા = પોતાના, પ્રાણીના, વા. ચેતનભાવ = ચૈતન્ય, ચેતના, હાલવારૂપ, અજીવથી જુદો પાડનાર પોતાના સ્વભાવ. એક = માત્ર. ચેતના = જીવનરૂપ, આત્માની અચિંત્ય શક્તિ, ધાર. રે = વિચાર, સમજ. અવર = બાકીનું, ખીજું, તે સિવાયનું સ`. સા = સથવારા, આવી પડેલો, સાબત. સયાગથી સંજોગને લઇ ને; સંયોગી, આવી ચઢેલ. એહ = એ જ. નિજ = પોતાના, આપણેા. પરિકર = પરિવાર, સાથે આવનાર. સાર = ખરા. (૧૧) = Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] શ્રી આનંદઘન–વીશી કેઈએ મેઢે પણ અડાડ્યું નહિ. તેની પોતાની પત્નીને થયું કે હું તે જીવની જઈશ અને એ રહેશે તે બીજીને પરણશે. તેમ ભાઈ, બહેન, મા, બાપ, કાકા, વગેરે કઈ એ વ્યાધિનું પાણી પીવા ન આવ્યાં. આ તે એ મેળે મળે છે; સૌ પોતપોતાના સ્વાર્થનાં સગાં છે અને જેની ખાતર તું આ બધું કરી રહ્યો છે તેને મન તે કોઈ ચીજ નથી. સ્વાર્થ પૂરે થયે કઈ તારું સગું નથી અને કોઈ ઊભું રહેવાનું નથી. પણ તારી આત્મિક શક્તિ છે તે તારી પિતાની છે અને તારી સાથે આવનારી છે. આ રીતે બરાબર આત્માને અને આકસ્મિક સગાને ઓળખી લે અને તારા પિતાને માટે તેને યોગ્ય લાગે તે કર. આ ચૈતન્યશક્તિને બરાબર ઓળખી લેવી એ શાંતિવાછકનું લક્ષણ છે. અને ઓળખ્યા પછી તદનુસાર પિતાનું જીવન બહુલાવવું એ આ આત્માનું કર્તવ્ય છે. આ ચૈતન્યસ્વરૂપ સમજીને તું ખરી શાંતિને ધારક થા અને નકામો આ દિવસ વગર આરામે ફર્યા કરે છે એ સર્વ નકામું છે એમ હું સમજી લે. તારા પરિવાર તરીકે તારા પોતાના આત્માને જ તું જાણું, કારણ કે એ પર્વ મિત્ર તને કઈ કઈ કાળે જ મળે છે, પણ તે તારે ખરો મિત્ર છે અને તે નિત્ય તારી સાથે રહેનાર છેઆવી ચોખવટપૂર્વક જે આત્માને ઓળખે તે ખરે શાંતિવાંચ્છું છે અને તે તું થા એમ શાંતિનાથ ભગવાન ઇચ્છે છે. (૧૧) પ્રભુમુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તાહરે દરિસર્ણ નિરતર્યો, મુજ સિધાં સવિ કામ રે. શાંતિ. ૧૨ અથ_ભગવાનના પિતાના મુખે એ સર્વ વાત સૂણીને મારો ચેતન કહે છે કે આપના (તારા) દેખાવ થકી હું તે તરી ગયે, પાર પામી ગયું અને મારાં બધાં કામ ફળવાળાં થયાં, સફળ થયાં. (૧૨) બે—એવા શ્રી શાંતિનાથ પ્રભુના મુખથી એમ ભાવ ષટ્ પદાર્થ સાંભળીને હર્ષ પામે આત્મા એમ કહે છેપ્રભુ ! હું તારે દશન–સમકિત તથા શાંતિમુદ્રા દેખતે કરી સંસાર પાર પાપે-નિસ્તર્યો, મારાં સર્વ કામ-કાર્ય સિદ્ધ થયાં. (૧૨) વિવેચન—ઉપર પ્રમાણે ત્રીજી ગાથાથી માંડીને અગિયારમી એમ કુલ નવ ગાથાથી પાઠાંતર–સાંભળી” સ્થાને એક પ્રતમાં ‘સંભળી” પાઠ છે. “સવિ” સ્થાને “સ ' પાઠ પ્રતમાં છે. “એમ” સ્થાને “ઇમ’ પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “કહે” સ્થાને એક પ્રતમાં “કહું ' પાઠ છે. “તારે' સ્થાને એક પ્રતમાં “તહર” પાઠ છે, એ જૂની ગુજરાતી છે. “દરિસ ” સ્થાને પ્રતમાં “દરિસર્ણ ” પાઠ છે. તે પ્રાચીન ગુજરાતી છે. “નિસ્તર્યો’ સ્થાને “ નિસતર્યો ” પાઠ છે, અર્થ ફરતો નથી. (૧૨) શબ્દાર્થ–પ્રભુ = તીર્થ પતિના, તીર્થ કરના, શ્રી શાંતિનાથ ભગવાનના. મુખથી = મોંએથી. એમ = એ પ્રમાણે, ઉપર પ્રમાણે, સાંભળી = સૂણી, નિસૂણી, સમજીને. કહે – વદે, બોલે. આતમરામ = આત્મા, ચેતન. તાહ = તારા, આપના. દરિસર્ણ = દર્શને, જોઈને, દેખીને. નિસ્ત = પાર પામ્યો, ઓળંગી ગયો. મુજ = મારાં. સિદ્ધાં = સિધ્યાં, ફળીભૂત થયાં, સફળ થયાં. સવિ = સર્વ, બધાં. કાજ = કાય, કામ, હોંસ. (૧૨) Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન [૩૧૯ શાંતિનું સ્વરૂપ પ્રભુના પિતાના મુખેથી સાંભળીને અથવા તેમણે જે આગમમાં બતાવ્યું તે તેમના કહેવા પ્રમાણે જાણીને પ્રાણી શું કહે છે, રસિક શ્રોતા શું વદે છે અથવા કેવા ઉદ્ગારે ઉચ્ચરે છે તે આપણે હવે પછી આ જ ગાથામાં જોઈશું. આ શાંતિનું સ્વરૂપ નવ જ ગાથામાં ઘણા ટૂંકાણમાં લેખકે વર્ણવ્યું છે. કોwાન પ્રવામિ યહુતિ પ્રસ્થaોમિ–જે કરોડ ગ્રંથમાં કહ્યું છે તેને સાર અર્ધા કલેકમાં હું તમને કહીશ. આગમાં તે શાંતિનું સવિસ્તર સ્વરૂપ આપવામાં આવ્યું છે. તે આનંદઘને બહુ ટૂંકામાં માત્ર ઉપરની નવ (૩–૧૧) ગાથામાં જણાવ્યું. પણ આ જણાવવામાં શ્રી આનંદઘને અદ્ભુત સારરહસ્ય આપણા માટે હિતદષ્ટિએ કર્યું છે. અગાઉ સૂત્રની પણ આવી જ પદ્ધતિ હતી. એના ઉપર ભાષ્ય કે ટીકા ગમે તેટલી કરી શકાય, પણ ઘણાં સૂત્રોમાં તે તે વાત ટૂંકમાં પતાવવામાં આવે છે. ઘણી વાતને ટૂંક સાર આ રીતિથી પ્રાણી ગ્રહણ કરી શકે છે. વાતને મુદ્દો આ રીતે પ્રાપ્ત થાય છે અને તે વ્રણ કરનારના લાભ માટે જ છે. એ રીતે પ્રાપ્ત થયેલ સારને પછી શ્રોતા વધારી શકે છે. જેમ ત્રીજીથી અગિયારમી ગાથાને આપણે વિસ્તાર કેટલાંક પાનાંમાં કર્યો એ રીતે ટૂંક સાર હોય તે તેને વધારી શકાય છે. તીર્થકર દેવે જે ભાવ કહ્યા તે ગણધરેએ સૂત્ર–આગમરૂપે ગૂંથ્યા તેથી આ સંક્ષેપમાં ભગવાનનાં પિતાનાં વચન છે એમ સમજવું. ભગવાનનાં વચનને ટૂંક સાર અત્ર આપવામાં આવ્યું છે. પણ એમ ટૂંકામાં મુદ્દામ વાત કરી છે અને તે આ જીવના એકાંત હિતની વાત જ છે. તે સમજવા ઉપરાંત તેને જીવી જાણવી અને આદરપૂર્વક તેને સંવ્યવહાર કરે. જ્યારે શાંતિના સ્વરૂપને પિતાના જીવન સાથે વણી દેવામાં આવશે ત્યારે તે ખરેખર ભવ્ય સ્વરૂપ ધારણ કરશે. ગ્રંથકર્તા–સ્તવનíએ એ આ નવ ગાથામાં જે વાત સંક્ષેપમાં કરી છે તે અતિ આકર્ષક છે અને એ પ્રમાણે વતી શકાય તે પરિણામ બહુ સરસ આવે તેમ છે. આટલે ઉપદેશ પ્રભુએ કરેલ અથવા તેમના નામથી રચાયેલાં શાસ્ત્રોમાં બતાવેલે તેને સંક્ષેપસાર સાંભળીને આ આત્મારામ એટલે બધો લાગણીવશ થઈ ગયા છે કે તે આભારની લાગણીના શબ્દો બોલી નાખે છે. તેના એ શબ્દો આ પ્રમાણે છે : હે પ્રભુ! આપના દર્શનથી હું તે ખરેખર તરી ગયો છું અને મારાં તે સર્વ કામ સિદ્ધ થઈ ગયાં છે, પાકી ગયાં છે. દર્શનથી એટલે આપને જેવાથી, આપની વાણી સાંભળવાથી અથવા આપે જે દર્શન બતાવ્યું તે દર્શનને જાણવાથી હું ખરેખર સંસાર સમુદ્રને પાર પામી ગયે છું. દર્શનના અહીં બે અર્થ સમજવા યોગ્ય છે : દર્શન એટલે દેખવું, અને દર્શન એટલે ભગવાને પ્રરૂપેલા દર્શનની પ્રાપ્તિ. આ બન્ને અર્થે બેસતા આવે છે અને પ્રાણી પિતાને નિસ્તાર થયેલે માને છે. આવા હગાર પ્રાણ જ્યારે ખૂબ આનંદમાં આવે છે ત્યારે કાઢે છે અને ઘણી મહત્ત્વની વાત સંક્ષેપમાં જાણવાનું પિતાને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું તેથી તેનાથી સહજ ઉદ્ગાર નીકળી જાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦] શ્રી આનંદઘન-વીશી આટલું શાંતિસ્વરૂપ સાંભળીને પ્રાણીને થયું : પિતે જ્યારે તે શાંતિ અનુભવે, અમલમાં મૂકે, ત્યારે તે કેવો આનંદ થાય! આને ઉગારરૂપે જ હર્ષોલ્લાર છે, પણ જ્યારે તે પ્રકારે પિતાને જાતઅનુભવ થશે ત્યારે તે ખરેખર આનંદ થશે. અને પછી એની (શાંતિની) ખરી મજા એ અનુભવશે. હવે આપણે શાંતિનું સંક્ષિપ્ત સ્વરૂપ માનનાર ચેતનના ખરા આંતરિક ઉગારે જોઈએ. (૧૨) અહો હો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે, અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. શાંતિ. ૧૩ અથ–હું મારી જાતને કહું છું કે, “અરે! અરે !—મને નમે મને નમે !' કારણ કે જેનું માપ થઈ ન શકે તેવા દાન આપનારને તને મેળાપ થયે છે તે કાંઈ જેવી તેવી વાત બની નથી. (૧૩) ટબો–અહો શબ્દ અતિશયે, તારે દર્શન, તેણે કરી ધન્ય થયે, તુજને ધન્ય છે, એવા આત્માને મારે નમસ્કાર હુઓ, જે મારાને અમિત ફલદાન દાતારની-પ્રભુની ભેટના મુજને થઈ, તે માટે હું ધન્ય. (૩) વિવેચન–અહો ઇતિ આશ્ચર્યો. જ્યારે નવાઈ ભરેલી ઘટના બને ત્યારે અંતરાત્મા ઉગારરૂપે અહો બોલે છે! અહો અહો ! મને નમે ! મને ન ! મારે કોઈને નમવાની જરૂર રહી નથી. મારી સર્વ ઇચ્છાઓ પૂરી થઈ ગઈ છે. મને નમ! મને નમ! હે અંતરાત્મન ! પિતાને નમી જા. તેમ કરવાનું કારણ શું છે તે આગળ ઉપર કહેશે, પણ પિતાની જે અત્યાર સુધીની બીજાને નમવાની અને તે માટે જ્યાં ત્યાં દોડી જવાની ટેવ હતી તે નકામી હતી એમ તેને જણાય છે. જે અંતરાત્મભાવ પામે તેને અંતરાત્મા જ નમવા ગ્ય છે. એ કહે છે કે મને નમ! મને ન ! હું મારા અંતરાત્માને નમસ્કાર કરું છું. કારણ કે હું કે છું?–મેં પ્રભુ પાસેથી શાંતિનું સ્વરૂપ જાણ્યું છે અને પ્રભુ સાથે મને મળવું થઈ ગયું છે. આ નસીબદાર પાઠાંતર–અહો અહો ”—બીજા “અહી” સ્થાને પ્રતમાં “હું હું' પાઠ છે. “મુજને ” સ્થાને એક પ્રતમાં “મુજને” પાઠ છે. “કહું” સ્થાને પ્રતમાં ‘ક૬ ” પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “મુજ ' સ્થાને બીજા પાદમાં બન્ને સ્થાને બન્ને પ્રતવાળા “મુઝ” પાઠ આપે છે; એક પ્રતમાં “મુજઝ પાઠ છે. “દાન’ સ્થાને પ્રતમાં ૮ દાન’ શબ્દ છે. “ દાતારની’ સ્થાને પ્રતમાં દાતારને' ' પાઠ છે; એક પ્રવાળે “ દાતાર હે” પાઠ આપે છે. “જેહની” સ્થાને પ્રતમાં “જેહનૈ” પાઠ છે. “ભેટ” સ્થાને “ભેટિ રે’ શબ્દ સર્વથી છેડે મૂકે છે. હું” સ્થાને એક પ્રતમાં ‘દૂ” પાઠ છે. “તુજ' સ્થાને “તું જ” પાઠ એક પ્રતમાં છે. (૧૩) શબ્દાર્થ—અહો = અહો ઈતિ આશ્રયે, ધન્ય, ઊર્મિવાચક શબ્દ. અહો = અરે, અરે. હું = હું પોતે, આત્મા. મુજને = મને, જાતને, મારી પિતાની જાતને. નમો = વંદ, પૂજે, ધ્યા. મુજ = મને પિતાને, આત્માને. નમો = સેવ, વિચાર. મુજ = મને, આત્માને. ચેતનને. અમિત = જેનું માપ ન થઈ શકે તેવું, (Immeasurable). ફળ = પરિણામ, બદલે. દાન = આપવું તે. દાતાર = આપનાર (ની) જેહની = જેની. ભેટ = મળવું તે, મેળાપ. તુજ = તને. આત્માને. (૧૩) Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન [ ૩૧ માણસ નમવા ગ્ય છે અને એને જેને તેને અથવા ઉચ્ચને નમવાની જરૂર રહેતી નથી. એક સાર્વજનિક સત્ય જાણવામાં આવે ત્યારે પ્રાણી કેવા હુ†માં આવી જાય છે અને કેવું કેવું ખાલી નાખે છે તેના આ નમૂના છે. આટલા જ્ઞાનથી થયેલા પોતાના આનંદ તે છુપાવી શકતા નથી અને હવે પાતે નમવા યેાગ્ય થયા છે એમ બતાવે છે : પ્રભુના દર્શન અને મેળાપને આવે માટે મહિમા છે. એને જ્ઞાન થયું અને પચ્યું તેના આ હર્ષાગાર છે. આવા અપરંપાર ફળ આપનાર પ્રભુનાં જાતે દર્શન થયાં એ કાંઈ જેવી તેવી ભાગ્યની નિશાની નથી. પ્રાણીને પોતાની જાતને ભૂલી જઈ ઉદ્ગાર કાઢવાની દશા–સ્થિતિમાં તે મૂકી દે છે. જ્ઞાનીના મહિમા આવે છે. જયારે અસાધારણ વાત જાણવા કે સાંભળવામાં આવે ત્યારે પ્રાણી નાચી ઊઠે છે અને તેની સ` ગરીબાઈ નાશ પામે છે, અને તે પગે લાગવાની સ્થિતિમાં આવે છે. મનુષ્યસ્વભાવ જોતાં આમ થવું વાસ્તવિક અને કુદરતી છે, તે નિભેળ સત્ય પણ આપણને સમજાય છે. પ્રભુ અપરંપાર દાન આપનાર છે તે તેા કોઈ પણ તીથંકરના ચરિત્ર પરથી જણાય છે—તેમણે વાર્ષિક દાન આપ્યું તે છદ્મસ્થભાવ વિચારતાં અથવા કેવળજ્ઞાન થયા પછી જ્ઞાનદાન અને ઉપદેશ આપ્યા તે વિચારતાં અને સંક્ષેપમાં શાંતિનું આવું સ્વરૂપ કહી બતાવ્યું તે સાંભળવા જે ભાગ્યશાળી થયેલ હોય તેના ઉદ્ગારા અને હોદ્રેકની સ્થિતિ સારી રીતે સમજવા યાગ્ય છે, અને સમજીને વિચારવા અને વિચારીને આદરવા અને આચરવા ચેાગ્ય છે. (૧૩) શાંતિસરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ-પર-રૂપ રે; ગમમાંહે વિસ્તર ઘણા, કહ્યો શાંતિ જિન ભૂપ રે. શાંતિ- ૧૪ અં—શાંતિનું સ્વરૂપ ઘણું ટૂંકામાં ઉપર બતાવ્યું તે પાતારૂપ અને પરરૂપ છે, બાકી એના સંબંધી આગમ-મૂળ ગ્રંથમાં ઘણા વિસ્તાર છે અને તેને શાંતિનાથ ભગવાને કહ્યો છે (પેાતે). (૧૪) ટા—એના વિસ્તાર બહુ છે પણ સંક્ષેપથી શાંતિપદનું સ્વરૂપ કહ્યું, પોતાનું તે પરરૂપે પ્રભુ નાના રૂપે, આગમમાં ઘણા વિસ્તાર કહ્યો છે, શ્રી શાંતિજિનરૂપે. (૧૪) વિવેચન—આવી રીતે શાંતિનું વર્ણન ટૂંકમાં કરવામાં આવ્યું. એ વિષયમાં જો પૂરેપૂરું અવગાહન કરવું હોય તે મૂળ આગમ ગ્રંથા વાંચવા. એમાં ખૂબ વિસ્તારથી એ .. પાઠાંતર—-‘ ઘો’ સ્થાને કહ્યું ઃ પાઢ પ્રતમાં છે, તે એક જ અથ'માં છે. પરરૂપ ' સ્થાને એક પ્રતવાળા ‘પ્રરૂપ' લખે છે. ‘માંહે’ સ્થાને ‘માંહિ' પાઠ બન્ને પ્રતમાં છે, અ` એમ જ રહે છે. ‘ વિસ્તર ’ સ્થાને પ્રતમાં · વિસ્તાર ’ પાઠ છે. ‘ ભૂપ ’ સ્થાને ‘રૂપ' પાઠ પ્રતમાં છે. (૧૪) શબ્દા—શાંતિ = ધીરજ, ધૈય. સંક્ષેપથી = ક્રૂ કામાં. વિસ્તર = લંબાણુ. ધણા = ખૂબ. કથો = મૂળ અસલ જણાવવું. ૪૧ કહ્યો = જણાવ્યો. આગમમાંહી = મૂળસૂત્રોમાં. શાંતિ જન ભૂપ = સોળમા તીથંકર. (૧૪) Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩રર] શ્રી આનંદઘન-ચોવીશી હકીકત આપવામાં આવી છે. અહીં તે માત્ર અગિયાર ગાથામાં ટૂંકાણમાં શાંતિવાચ્છક માણસ કેવો હોય તેનું વર્ણન કરવામાં આવ્યું છે. જેને વિસ્તારની ઈચ્છા હોય તેમણે મૂળ આગમ ગ્રંથે જોવા અને ત્યાંથી શાંતિનો અહેવાલ મેળવી તેને સમજો અને સમજીને તે પ્રમાણે વર્તન કરવું. માત્ર વાંચવાથી ખાસ લાભ નહિ થાય પણ તેને અનુસરે પોતે જીવવાથી સાચો સ્થાયી લાભ થશે. ઉપટિયા જ્ઞાનમાં અને ચારિત્રમાં મૂકવામાં ઘણું મોટો તફાવત છે. અને જેઓ તેને અમલમાં મૂકે છે અને પિતાની શક્તિ પ્રમાણે તેને અમલ કરે છે તેને જુદી જ લિજજત આવે છે. તેથી આ ભવને સફળ કરવાના પ્રયત્ન માટે જે પ્રાણી ઉત્સુક હોય તેમણે ઉપર જણાવેલ સંક્ષિપ્ત વર્ણન આગમના બોધથી વધારવું. અહીં ટૂંકાણમાં તે બતાવવાને હેતુ એ છે કે ટૂંકા જ્ઞાનથી માણસને એને રસ પડે તે એ જરૂર વિસ્તાર વાંચવા અને તેને પચાવી તેને અનુસરવાને. એટલા માટે ટૂંકાણની પણ જરૂરીઆત છે. એ જે તમને રસાળ લાગે તે પછી તમારું જ્ઞાન વધારે અને આવી રીતે વધારેલ જ્ઞાનનું ક્ષેત્ર તમને પૂરતે બદલે આપી રહેશે, અને શ્રી આનંદઘનજી કહે છે કે અહીં ત્રીજીથી અગિયારમી ગાથામાં કહેલ શાંતિનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્રી શાંતિનાથ ભગવાને પોતે કહેલું છે. એ ભગવાન તે એ જ ભવમાં ચકવતી હતા. તેવા પુરુષે કહેલું શાંતિનું વર્ણન બહુ જ ટૂંકાણમાં મેં (આનંદઘનજીએ) તમારા લાભ માટે તમારી સમક્ષ કહી બતાવ્યું છે. તે તમને સમજવા જેવું લાગે તે વિસ્તારપૂર્વક એ આગમ ગ્રંથમાંથી તમને પ્રાપ્ત થશે. આ હકીકત પણ વાચકના લાભ માટે બતાવી છે. (૧૪) શાંતિરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુ માન રે. શાંતિ. ૧૫ અર્થ_એ પ્રમાણે જે શાંતિના સ્વરૂપને ખ્યાલ કરશે અને તે વખતે પવિત્ર મનઃશુદ્ધિ કરશે, એકચિત્ત કરશે, તે આનંદના ભરને–સમૂહને પામશે અને પ્રાણી મેટા સન્માનને મેળવશે. (૧૫) એ રીતે જે શાંતિપદનું સ્વરૂપ ચિત્તમાં ભાવશે, શુદ્ધ વિષયકષાયરહિત પ્રણિધાન મનની અલતાઈ ધરે, તે પ્રાણી આનંદઘન પામશે, પરમાનંદ પદ તરફ તે જશે, ઘણું યશમાનપણે. એટલે સાળમાં શ્રી શાંતિનાથ જિનનું સ્તવન થયું. એવું શાંતિપદ ભાવવું તે મનથીરતા કરવાને, જેમાં છે મન તે વિષમ છે, એક મન જીત્યે તે તેણે સર્વ જીત્યા વર – પાઠાંતર–ભાવશે સ્થાને એક પ્રતમાં “ભાવશ” પાઠ છે, “પામશે” સ્થાને પ્રતમાં “પામસે” પાઠ છે. તે પ્રાચીન ગુજરાતી છે “લહેશે’ સ્થાને લહસ્ય” પાઠ છે, તે જૂની ગુજરાતી છે. (૧૫) | શબ્દાર્થ –શાંતિ = ધીરજ, સ્વરૂપ = હકીકત, રચના. એમ = ઉપર કહ્યું તેમ. ભાવશે = વિચારશે. ધરી = ધારણ કરી. શુદ્ધ = પવિત્ર પ્રણિધાન = એકાગ્રતા આનંદધન = આનંદને સમૂહ. પદ = સ્થાન એટલે મોક્ષ. લેશે = મેળવશે. બહુમાન રે = મોટું સન્માન, ખૂબ આબરૂ. (૧૫) Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન [ ૩૨૩ मणमरणेदियमरणं, इदियमरणे म ति कम्माइ। कम्ममरणेण मोक्खो, तम्हा य मणं वसीकरणं ॥ એ ન્યાય છે તે ઉપર મન જીતવાને શ્રી કુંથુનાથની સ્તુતિ કરે છે. વિવેચન—આ પ્રમાણે આ સ્તવનમાં કહેલ શાંતિનું સ્વરૂપ એ આખા સ્તવનનું હાર્દ છે. એને પ્રણિધાનપૂર્વક વિચારપથમાં લેવું જોઈએ. જેઓ એને એક નવલકથા કે એવા આકારમાં વાંચી જાય તેને બહુ લાભ નહિ થાય, પણ જે સમજી-વિચારીને એને ભાવશે તે પ્રાણીને શું શું લાભ થશે તે સ્તવનરચયિતા પિતે જ કહે છે. આમાં “ભાવશે' શબ્દ પર ભાર છે. ભાવશે એટલે સમજીને તેને અમલ કરશે, અથવી જીવી જાણશે. આ કાંઈ મુખમાં મૂકીને ચાવીને ફંગોળી નાખવા જેવી વાત નથી, પણ પચાવવા જેવી હકીકત છે. જે તમારામાં રસ હું (આનંદઘન) કાંઈ પણ કરી શક્યો હોઉં, તમને શાંતિના સ્વરૂપને પ્રાપ્તવ્ય ગણનામાં રાખવા સમજાવી શક્યો હોઉં, તે તમે એને આગમગ્રંથી અભ્યાસ કરશે અને શાંતિને બરાબર સમજશો અને તેને ભાવીને એકાગ્રતાપૂર્વક એની સહણ કરો અને તેને જીવી જજે. એ તમને ખૂબ લાભ કરાવનાર વસ્તુ છે. પ્રાણી નકામી વાતમાં વખત કાઢે તેમાં કાંઈ માલ નથી અને દુનિયાદારીનાં અનેક પાપસ્થાનકે આચરે તે અંતે સંસાર વધારનાર છે, પણ આ શાંતિનું સ્વરૂપ એ અનોખી જ વસ્તુ છે. તેનાથી તમને શું લાભ થશે તે સ્તવનકર્તા પિતે જ કહે છે જે પ્રાણી એ રીતે શાંતિ સ્વરૂપ જાણી તેને એકાગ્રતાપૂર્વક વિચારશે તે આનંદના સમૂહનું પદ પામશે. નિરંતરનો આનંદ તે મોક્ષમાં જ લભ્ય છે. પછી ત્યાંથી એક ગર્ભમાં આવી બીજામાં જવાનું નથી અને જન્મમરણના આંટામાં અટવાઈ જવાતું નથી. આવી મુક્તિ પામવી તે તમારો વ્યવસાય છે અને આનંદઘન પ્રયત્ન છે. અહીં સ્તવનકર્તાએ આડકતરી રીતે પોતાનું નામ પણ જણાવી દીધું. આ સંપ્રદાય સારે છે, અનુકરણ યોગ્ય છે. આ તે અહીંથી ગયા પછીની વાત થઈ. અહી તેને શું થશે તે કહે છે. તે આવતા ભવમાં તે મોક્ષ પામશે, પણ આ ભવમાં પણ ઘણું માનસન્માન પ્રાપ્ત કરશે. તેને અનેક પ્રકારે ધન્યવાદ મળશે. જોકે તે માન લેવા શાંતિ કરતું નથી, પણ દુનિયા જેમ પોતાના કામમાં લાગી જાય છે તેમ સારા માણસને માન આપવું તે પણ મહત્વની વાત છે, તે તે બજાવે છે. અને આપણા વર્તુળનું સન્માન કેને નથી ગમતું? લેકે તે આરીસે . તે જેવું દેખે તેવું બોલે. શાંતિવાને પરભવમાં મોક્ષ અપાવનાર અને આ ભવમાં અનેક માનેને અપાવનાર આ શાંતિને સમજવા યોગ્ય અને આદરવા યોગ્ય છે. શાંતિનું ફળ આ ભવ અને પરભવમાં બહુ સરસ હોવાથી તેને વરવાની તમન્ના તમારામાં ઉત્પન્ન કરે એ આ સ્તવનકર્તાને ઉદ્દેશ સમજી તેને અનુસરવા ઉદ્યમ કરે. (૧૫) Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪] શ્રી આનંદઘન–વીશી ઉપસંહાર આ પ્રમાણે આ શાંતિના સ્વરૂપને દર્શાવનારા સ્તવનનું અત્ર વિવેચન પૂર્ણ થાય છે અને શાંતિના સ્વરૂપનું સાધન વિચારતાં અહીં એમ લાગે છે કે શાંતિ ઘણી દુર્ગમ વસ્તુ છે. માણસ તીથે તળે દોડાદોડી કરી મૂકે છે અને અહીંથી શાંતિ લઉ કે પેલી જગાએથી લઉં એવી બ્રાંતિમાં શાંતિને બદલે અશાંતિ વહોરે છે. માટે શાંતિ ક્યાં મળે અને કેમ મળે, તે ખાસ વિચારવા યોગ્ય છે. એ દોડાદોડીમાં મળતી નથી, અને રખડવાથી મળતી નથી. પણ પિતે જ શાંતિમય છે તેમાંથી શોધી કાઢવાની છે : આખા સ્તવનને આ પ્રધાન સૂર છે અને તે ખાસ સમજવા યોગ્ય છે. બાકી, પ્રાણીના આખા વર્તનને વિચારતાં એને આપણે કષાયથી પ્રેરિત જોઈએ છીએ. એને ખોટું સાચું બોલવું, નિંદા-કૂથલી કરવી અને પાપસ્થાનકમાં મચ્યા રહેવું એ એને વિષય થઈ ગયું હોય છે. પરિણામે એ એક ખાડામાંથી બીજા ખાડામાં પડે છે અને એને છેડે આવતું જ નથી. સવારથી સાંજ કેમ પડે છે. અને દિવસે કેમ પસાર થાય છે તેને એ કદી વિચાર જ કરેત નથી. એ તે “મા જાણે દીકરે મોટો થયે, પણ આઉખામાંથી ઓછો થયે, આવી આવી વાત તે કરે છે, પણ એ એનું રહસ્ય જાણતો નથી. દરેક દિવસ જાય છે તે અંતે હાથમાંથી સરી જાય છે અને ગયેલે વખત પાછો આવતો નથી તે એ જાણે છે, છતાં કેટલે કાળ કેવી રીતે ગયે તેનું તેને ભાન જ રહેતું નથી. એ તે દિવસ ઉપર દિવસ પસાર જ કરતો જાય છે. બીજાને મરતાં જોઈ એને ત્રાસ પણ થતું નથી અને પિતાને તે અમરપટ્ટો હોય તેમ વર્તે છે. અંતે એક વખત આવે છે ત્યારે તે ચાલ્યા જાય છે અને ભવમાં ભટકે છે. આ એની રખડપાટને અંત જ આવતું નથી. અને તેનું કારણ એ છે કે એ ખરી શાંતિ કેમ મળે? ક્યારે મળે? કોને મળે –તે વિષે વિચાર જ કરતું નથી. શાંતિ એ રમતમાં મળી જાય એવી ચીજ નથી, પણ એ અશક્ય હોય તેવી પણ ચીજ નથી. એને મેળવવા એ પ્રામાણિક યત્ન કરે તે તેને તે પ્રાપ્ત થઈ શકે એવી વસ્તુ છે. એની ગુપ્ત ચાવીઓ પણ આ સ્તવનમાં હસ્તગત થઈ શકે તેવું છે. તેથી પ્રાણીએ નકામા આંટા મારવાને બદલે અને પારકાને માટે મહેનત કરવાને બદલે આ શાંતિ મેળવવા માટે પ્રયત્ન કરવાને છે. બાકી શાંતિ મેળવવાની ઈચ્છામાં એ અશાંતિ વહોરે છે એમાં જરા પણ શંકા નથી એને આખો કારભાર જોઈએ, એની પ્રવૃત્તિ વિચારીએ, તે અર્થશૂન્ય પ્રવૃત્તિ અને વિચારશુન્ય કે પરિણામશૂન્ય વાતાવરણમાં એ રહેંસાઈ જતે જોવામાં આવે છે. કેઈ છોકરાએ બાપને આભાર માન્ય નથી, છતાં તે ખાતર તે અનેક કાળાંધળાં કામ કરવા દોરવાઈ જાય છે અને પાછો ખાડામાં અટવાઈ પડે છે. તે ખરી શાંતિને સમજવા કોઈ કોઈ વાર યત્ન તો કરે છે, પણ અનેક વખત શાંતિને નામે અશાંતિ લઈ આવે છે અને હેરાન થાય છે. આનું કારણ એની વિચારણાને અલ્પભાવ કે અભાવ છે. આ બધું કોને માટે અને શા માટે ? Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન [૩૨૫ તું વિચાર કર કે આ તારા પ્રયત્નની સાથે તારે તે બે કે ચાર જેટલી જ જોઈએ અને તેને બદલે તું ધનના ઢગલા કરે છે, ને આખરે તે તારાં કર્મોનું ફળ તારે જ ભેગવવું પડશે; અને તે વખતે જેને તું તારા માની રહેલ છે તે કઈ જરાય મદદ કરવા ઊભા રહેનાર નથી, માટે તારે પિતાને વિચાર કર અને ખરી શાંતિ કેને અને ક્યારે મળે છે તેને પાકે અભ્યાસ કર. આવા આનંદઘન (લાભાનંદ) જેવા કહે છે તે વિચારી ને અને ન્યાયથી તને તે વાત બેસતી હોય તો તારા પિતાના હિતને માગ પકડી લે અને અત્યારની વાતને વીસરી જા, અને સાચી વાતને સમજ. આ તે ત્રીજથી અગિયારમી ગાથામાં બહુ ટૂંકાણમાં મુદ્દામ વાત કરી છે તેની પાછળ તારું હિત જ માત્ર હેતુભૂત છે, તેને તું વીસરીશ તે આ ભવ માત્ર એક ફેરા સમાન થઈ જશે. અને ઘણાખરા આપણે આંખ બંધ રાખીને જ ચાલીએ છીએ, નહિ તે આપણા ડિતની આવી ઉઘાડી વાતમાં વિચાર કરવાનું હોય જ નહિ. પણ કમનસીબે પ્રાણી વિચાર જ કરતે નથી અને છતાં “ફુરસદ મળતી નથી” એવી ફરિયાદ કરે છે, અને આ સર્વ કુરસદ મળતી નથી એટલાં કામ એ કોને માટે અને તેના લાભની ખાતર કરે છે તે જ્યારે તે વિચારે ત્યારે તક ગુમાવવા માટે એને પશ્ચાત્તાપ થાય છે, પણ આ પશ્ચાત્તાપ નકામો છે. એ તે જ્યારે આ પરિસ્થિતિનો અંત લાવશે અને પિતાને માટે નિરંતરનું હિત શેધી તે માટે પ્રયત્ન કરશે ત્યારે એની આખી દશા જ ફરી જશે. અને ખરી રીતે તે દશા ફેરવવાની જ આ વાત છે. એક વાર સ્વહિત દેખાય તે પછી સાચો રસ્તે સમજવામાં આવી જાય છે અને પરિણામે જીવન ઉદ્ધાર થાય છે. માટે આ સ્તવનનું વારંવાર મનન કરવું અને તે પિતાને માટે ઉપકારી પુર લખ્યું છે એમ સમજી તેને યથાર્થ સ્વરૂપે ભજવું. એને રસ્તે જ અત્યારે જુદે છે. પણ સાચો રસ્તો જડે તો તેને શોધવો જોઈએ અને પિતાનું એકાંત હિત શેમાં છે, તે નજરે વાત કરવી જોઈએ, બાકી બધાં ફાંફાં છે. ઊઠ, વિચાર કર અને જાગૃત થા ! તને કેટલીક અગત્યની વાત આ સ્તવનની વિચારણામાંથી જરૂર મળશે. (૧૬) માર્ચ : ૧૯૫૦ ] Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી કુંથુનાથ જિન સ્તવન મન સબંધ—આવા નિરંજન નિરાકાર પ્રભુની સેવા કરી તેના જેવા થવાના પ્રાણીએ નિણ્ય કર્યા. તેને એમ થયું કે ગુણુપ્રાપ્તિના માગ સેવાને આશ્રયીને રહેલા છે. ત્યાં એના મનમાં એક સવાલ ઊભા થાય છે. તે જાણે છે, અને તેને વહેવારુ અનુભવ છે કે—મન છુ મનુષ્યાળાં હારળ' વમ્પમોચો: એટલે મનુષ્યને ક`બંધનનું અને કથી તદ્ન છૂટી જવાનું કારણ માત્ર મન જ છે. તે મનને જેમ વારે અને એક જગાએ બાંધી રાખવા પ્રયત્ન કરે તેમ તે તો છેટું અને છેટું ભાગતું જાય છે. સામાયિક કે પૂજનનેા ખાસ અભ્યાસ કરું છું ત્યારે મને માલૂમ પડે છે કે મનની સ્થિરતા કે એકાગ્રતા મેળવવી અને એને એક સ્થાન પર આંધી રાખવું ઘણું મુશ્કેલ કામ છે. તેટલા માટે તે પ્રભુ પાસે જણાવે છે કે મનને વશ રાખવું ભારે દુર્ઘટ ઘટના છે. એ પ્રસન્નચંદ્ર રાષિનું દૃષ્ટાંત જાણે છે. એ એક રાજા હતા. શત્રુ રાજાએ એને હરાવી દીધા પછી એણે મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી હતી. એ સમવસરણની નજીકમાં જ તપ તપી રહ્યા હતા. તેઓના તપના દેખાવ તા ભારે સરસ હતા, પણ શ્રેણિક રાજાના એ સેવકો વાતા કરતા હતા. તેમાંથી એકે રાજિષ શ્રી પ્રસન્નચંદ્રનાં વખાણ કર્યા; અને બીજો કહે : છોકરાને રખડાવી આવી રીતે ભટકવું તે તું સારું ધારે છે? છોકરો તો રાજાને પુત્ર હોવા છતાં ભીખ માગે છે! આવી દીક્ષાથી તે સયું...!” પછી રાજા શ્રેણિકની સવારી આવી. રાજા રાજર્ષિને નમ્યા, અને ત્યાર પછી ભગવાનના સમવસરણમાં પહોંચી ગયા. આજે ઉપદેશ પણ મન સ`બધી ચાલ્યા. એટલે શ્રેણિકે ભગવતને સવાલ કર્યો કે ‘ભગવન્! રાજર્ષિં પ્રસન્નચંદ્રને મેં વાંધા તે વખતે તે કાળ કરત તો તેમની શી ગતિ થાત ?” ભગવાન કહે કે તે વખતે કાળ કરત તો તેઓ જરૂર નરકમાં જાત.' ત્યાં તો દેવદુંદુભિ વાગ્યા. ભગવાને જણાવ્યું કે ‘પ્રસન્નચંદ્ર રાજિષને કેવળજ્ઞાન થયું, તેને આ મહિમા દેવતાએ કરી રહ્યા છે.' નરકે જવા યાગ્ય કાર્ય કરનારને આટલા થાડા વખતમાં કેવળજ્ઞાન કેમ થાય ?–એવે! સ્વભાવિક પ્રશ્ન ભગવતને રાજાએ પૂછ્યો. ભગવંત કહે : ‘જ્યારે તારા સેવકોને મુખે પુત્રની કરુણાજનક સ્થિતિની ચર્ચા પ્રસન્ન સાંભળી તે વખતે તેના મનમાં યુદ્ધ થવા માંડ્યું. શત્રુ રાજાને લડતાં લડતાં જાણે પાતે બધાં શસ્ત્રાસ્ત્રો ખાઇ બેઠો અને છેવટે માથા ઉપરનુ ખખ્ખર તેને મારવા માટે માથા પર હાથ ફેરવવા લાગ્યા ત્યારે તેને ભાન થયું કે સાધુએ જીવહિંસા તો સથા ત્યાગવી જોઇએ. કોના છોકરા અને કોણ માપ ? મારે અને પુત્રને હવે સંબધ શે ? ત્યાર પછી ધ્યાનધારાએ ચઢતાં અને મન પર કાબૂ આવતાં શુકલ ધ્યાને ચઢી ગયા અને કર્મોને ખપાવી એમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું!' નરકગામી જીવ બહુ જ થાડા વખતમાં મેક્ષ જવાના છે એટલું મનનું સામ્રાજ્ય Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન [૩ર૭ જાણી શ્રેણિક રાજા આશ્ચર્ય પામી પ્રભુભક્તિમાં વધારે સાવધાન થયો. આવું મનનું પરિબળ છે : એક ઘડીમાં કર્મબંધન કરાવે અને બીજી ઘડીએ પ્રાણીને કેવળ કરાવે. આ મનના વિષયને વધારે ગૂંચવણવાળે જાણી એના પર આ આખું સ્તવન રચવામાં આવ્યું છે. એમાં મનની જ ચર્ચા છે અને તે બહુ અગત્યની હોવાથી આ સ્તવનમાં તેને જ ચર્ચેલ છે. આ વિષય અગત્યને હાઈ આપણે માનસિક બંધારણ બરાબર સમજવા પ્રયત્ન કરીએ. મનને આખા બંધારણ અને એને વશ કરવાની રીતિ ઉપર ખાસ ધ્યાન આપવાની વિજ્ઞપ્તિ કરી આ મહત્વના વિષયને વિચારીએ. સ્તવન | ( રાગ ગુજરી તથા રામક્લી, અંબર દેહુ મુરારિ હમાર-એ દેશી.) કુંથુજિન! મનડું કિમહી ન બાઝે, હો કુંથુજિન! મનડું, જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગુ ભાજે હો. કંથ૦ ૧. અથ—અહો કુંથુનાથ ભગવાન! મારું મન કઈ રીતે પણ એકાગ્ર થઈને અમક એક વિષયમાં લાગતું નથી. જેમ જેમ એને માટે પ્રયાસ કરી હું ઉદ્યમ કરું છું, તેમ તેમ એ દૂર ખસી જાય છે, વધારે આવું થાય છે. (૧) ટો–આ સ્તવનને અર્થ કરતાં જ્ઞાનવિમળસૂરી લખે છે કે, એવું શાંતિપદ ભાવવું–તે મનઃસ્થિરતા કરવાને માટે. મન વિષમ છે, એક મન જિત્યે સર્વ જિતાય, ચાર मणमरणे दियमरण', इदियमरणे मरति कम्माइ। कम्ममरणेण मोक्खो, तम्हा य मण बसीकरण॥ એ ન્યાય છે, તે ઉપર મન જિતવાને શ્રી કુંથુનાથની સ્તુતિ કહે છે. હે કુંથુનાથ ! મનડું– ચિત્ત તે કેમ (ગમે તેટલું) કર્યા છતાં કેઈ ઉપર ન બાઝે; જેમ જેમ ઉદ્યમ કરીને રાખવા જાઉં છું, તેમ તેમ અવળું અવળું વિપરીત મુક્તિનામ ગ્રંથિ ભાજે છે. (૧) વિવેચન–હે કુંથુનાથ ભગવાન ! મારું મન એક જગ્યાએ બાઝતું જ નથી, એકાગ્ર પાઠાંતર– કિમહી ' ને સ્થાને બન્ને પ્રતમાં “કિણહી’ પાઠ છે, તેને અર્થ “કઈમાં” થાય છે. બા” સ્થાને “બાઝે” પાઠ પ્રતમાં છે, તે પ્રાચીન ગુજરાતી છે; ભીમશી માણેક “બાજે' છાપે છે. “રાખું સ્થાને અને પ્રત લખતાર “રાખું” લખે છે; “ખ” લખવાની એ પ્રાચીન રીત છે. “ભાજે' સ્થાને પ્રતવાળા ભાજે' લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે. “કુંથુ’ સ્થાને એક પ્રતમાં “કુયૂ ” શબ્દ છે તે અશુદ્ધ જણાય છે. (૧) શબ્દાર્થ-કુંથુજિન = કુંથુનાથ નામના સત્તરમા તીર્થંકર. મનડું = મન, મનનું નાનું રૂપક. જેની દરકાર ન કરવી ઘટે તેવું નાનું મન. કિમહી = ગમે તે કઈ પણ રીતે, ગમે તેમ કરીને. બા} = લાગતું, એકાગ્ર થતું નથી. જિમ જિમ = જે પ્રકારે મહેનત કરીને, ગમે તેટલા પ્રયોગ કરીને. જનત = પ્રયત્ન, મહેનત. કરીને = લઈને. રાખું = જાળવું, વશ રાખવા પ્રયત્ન કરું. તિમ તિમ = તેમ તેમ, ઊલટાનું, સામું. અળગું = દૂર, છે. ભાજે = નાસી જાય. દૂર થાય છે. (૧) Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮] શ્રી આનંદઘન ચોવીશી થતું નથી. હું ગમે તેટલા પ્રયત્ન કરું છું, પણ તે એક ઠેકાણે કે એક ચીજમાં એકાગ્ર થતું જ નથી; એ એવું રખડું થઈ ગયું છે કે એ એક પ્રાણી કે વસ્તુ ઉપર ચુંટતું જ નથી. મનને બરાબર ઓળખ્યું હોય તેની રખડુ પદ્ધતિ આપણને જણાઈ આવે. એ તે ઘડીકમાં અહીં જાય, ઘડીકમાં પણ જાય અને ઘડીકમાં ત્રીજે ઠેકાણે જાય, પણ ઠરીઠામ થઈને એક સ્થાને એકાગ્ર કદી થાય જ નહિ. પ્રાણી કદાચ આરામ લે, જરા નિરાંત કરે, પણ મન તો ચકળવકળ થયા જ કરે છે. એ તે એક જગાએ લાંબો વખત સ્થિર થઈને બેસતું નથી, મનને અભ્યાસ કરતાં જણાય છે કે એ તો તોફાની ચપળ છોકરા જેવું છે. જેમ ચપળ છેક એક બાબતમાં મન પવી ન શકે, એ તો દોડાદોડ અને ધમાધમ કર્યા જ કરે છે, અને પિતાનું ચપળપણું પ્રગટ કરે છે. આવું ધમાલીઆ બાળક જેવું મન આપ પરમાત્મામાં કદી એકાગ્ર થતું જ નથી. એને એક સ્થાને, એક વસ્તુ કે પ્રાણીમાં સ્થિર કરવું તે અશક્ય છે. એ તો બીજે-ત્રીજે સ્થાનકે રખડ્યા જ કરે છે, પણ એ કદી સ્થિર થતું નથી. મને ખબર છે કે આપ મારા પરમાત્મા છે અને આપમાં મનને એકાગ્ર કરવું જોઈએ અને આપનું ધ્યાન કરવું જોઈએ અને તેમાં એકાગ્ર-સ્થિર થવું જોઈએ. આપની સેવા-ભક્તિ કરવા મને ઘણી હોંસ છે, પણ મન આપમાં કે બીજે કઈ સ્થાનકે એકાગ્ર થતું જ નથી. અને જેમ જેમ એને એક ઠેકાણે બાંધી રાખવાને પ્રયાસ કરું છું, તેમ તેમ તો ઊલટું તે દૂર જ જતું જાય છે. મારાં અનેક ફાંફા છતાં એ તો મારું થતું જ નથી, મનને એકાગ્ર કરવા પ્રયાસ કરવામાં આવે ત્યારે તે સામું બંડ ઊઠાવીને વધારે છેટું થઈ જાય છે અને મારા બધા પ્રયાસને નિષ્ફળ બનાવે છે. આપ મારા તારણહાર છે એ જાણું છું, તેથી આપનામાં એકાગ્ર થઈ આપને જ ધ્યાવવા મેં નક્કી કર્યું છે, પણ મારું મન એવી વિચિત્ર રીતે કામ કરે છે કે તે આપનામાં બાઝતું જ નથી, આપનામાં લાગતું જ નથી હે પ્રભુ ! મારું મન આવું છે. હું મારા મનની કેટલી વાત કરું? મારા સર્વ પ્રયત્નને નકામા બનાવનાર એ મન કેવું છે તેની થોડીક વાતો આપને કરું, તે આપ ધ્યાન રાખી સાંભળશે. હવે એ મનની જ વાતે ભગવાન પાસે કરે છે તે આપણે વિચારીએ. (૧) રજની વાસર વસતી ઉજડ, ગયણ પાયાલે જાય; “સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય હો. કુંથુર ૨ પાઠાંતર-રજની' સ્થાને એક પ્રતમાં “રજનિ” પાઠ લખે છે. “પાયોલે” સ્થાને પ્રતમાં “પયાલે” પાઠ છે, અથ ફરતો નથી. “ખાય” સ્થાને બન્ને પ્રતમાં “પાય ” પાઠ છે, તે ૫, ખના અભેદને લઈને છે; ભીમશી માણેકને પાઠ “ખાઓ” છે. “મુખડું' સ્થાને મનડું” પાઠ એક પ્રતમાં છે. “એહ” સ્થાને પ્રતમાં એ” પાઠ લખે છે; બીજીમાં કઈ શબ્દ નથી, “ઉખાણ' સ્થાને “ઉષાણું” પાઠ પ્રતમાં છે. ભીમશી માણેક ઓખાણે” પાઠ આપે છે “ન્યાય ' સ્થાને પ્રતમાં “નાય” પાઠ છે; તેને અર્થ એ જ છે. “ગયણ સ્થાને ગણિ” પાઠ એક પ્રતમાં છે. “ જાય” સ્થાને “જાઉં” પાડુ છે પ્રતમાં. (૨) Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન [૩૨૯ અર્થ_એ તે રાતને વખત હોય કે દિવસને વખત હોય, લેકે વસતી–સમુદાયમાં હોય કે એકાંત વાસમાં હોય એ તે આકાશમાં અને પાતાળ–અલેકમાં જાય. સર્પ ખાય અને તેનું મેં ખાલી ને ખાલી રહે, કદી એનું પેટ જ ભરાય નહિ, એ વાળી એ વાત છે. એ કહેવત સાચી ઠરે છે. ટ– રાત દિવસે વસ્તીમાં તથા ઉજડમાં–રાનમાં ગગન આકાશે, પાતાળ-અલેકે જ્યાં જાઉં ત્યાં કેમે ન બાઝે, કેણ દઈ, જેમ સપ ભશે, પણ થોથું-ક સ્વાદ ન પામે ચાવ્યા ચગળ્યાને દાઢ-દાંત વિના, તેમ સવે કરે, પણ મન પાખે થયું, એ ઉખાણો. અથવા વળી એ ઉખાણના અર્થને દેશની ભાષાવાળાને પૂછ. (૨) વિવેચન–અને હે ભગવન! આપ ધારતા હશો કે ફરે તે ચરે તેવી રીતે મારું મન તે રાત અને દિવસ વિચાર કર્યા વિના ફર્યા કરે છે. એને તો અંધારી રાત અને દેળે દિવસ એકસરખાં છે. કેટલાક માણસ રાત્રે ઠંડા પડે, પણ મનડું તે રાત કે દિવસને વિચાર કર્યા વગર ફર્યા જ કરે છે. એ રાત્રે પણ એકાગ્ર થતું નથી અને દિવસે પણ ફર્યા કરે છે, અને કોઈ પણ વખતે ઠરીઠામ બેસતું જ નથી. એ તો મને અહીં રહેવા દઈને વસતી કે તદ્દન રણ જેવા ઊજડ પ્રદેશમાં પણ ફરી આવે છે. એ તો ઘડીકમાં અમેરિકા જાય અને ઘડીકમાં સહરાના રણમાં જાય છે, અને આ વખત ફર્યા જ કરે છે. આવું ચપળ મારું મન છે. અને એ ઘડીકમાં આકાશમાં જાય અને બીજી પળે અલેકમાં ચાલ્યું જાય, હું તે એની ભાળ લઉં તે પહેલાં તો આકાશમાં ઊડે છે અને બીજી પળે અલેકમાં જાય છે. એ તો ભટક્યા જ કરે છે અને ધ્યાનમાં આવે ત્યાં જઈ આવે છે અને એ એક મિનિટ પણ ઠેકાણે બેસતું જ નથી. આવું મારું મનડું ચપળ છે અને તે પિતાની ચપળતા દાખવે છે. ટૂંકામાં કહું તે એક માણસને કે પશુને સાપે ખાધે; અને તેના મુખમાં તે કાંઈ જ ન આવ્યું; એ વાળી વાત સાચી બનાવે છે. કેમ કહેવાય છે કે ફલાણાને સાપે ખાધે, પણ સાપનું મુખ તે તદ્દન હતું તેવું ને તેવું જ અતૃપ્ત રહે છે એ વાળી વાત થાય છે. મન ગમે ત્યાં જ આવ કરે છે, ગમે ત્યાં રખડે, રાતદિવસ જોયા વગર આકાશ-પાતાળ એક કરે અને વસતી કે વેરાનમાં જાય; એમાં એનું કાંઈ સપની જેમ વળતું નથી. એ કઈ ચીજમાં એકાગ્ર થઈ શકતું નથી. આવું મારું ચપળ મને ગમે ત્યાં જાય છે, આવે છે, હરેફરે છે, પણ એને કઈ વાતની તૃપ્તિ થતી નથી. (૨) શબ્દાર્થ –રજની = રાત્રિ, રાત હોય છે. વાસર = દિવસ હોય. વસતી = મનુષ્યોની વચ્ચે, મનુષ્યો રહેતા હોય તેવી જગા. ઉજડ = મનુષ્ય ન રહેતા હોય તેવી રણની માણસ વગરની જગ્યાએ. ગયણ = ગગન, આકાશ, ખાલી જગાએ. પાયાલે = પાતાળે, જમીનની નીચે, અધોલકમાં. જાય = ત્યાં એ આવજા કરે છે, ફરે છે, આંટા મારે છે. સાપ = એરું, સપ. ખાય = ગ્રાસ કરે, કરડે, ભરડે. મુખડું = મેં. થોથું = કોઈ જાતની તૃપ્તિ વગરનું, ભૂખ્યું. એહ = તે, એ. ઉખાણો = કહેવત, સામાન્ય રૂપક, ન્યાય = એ ન્યાયે, એના જેવા બનાવે. (૧) ૪૨ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] શ્રી આનંદઘન-ચાવીશી મુગતિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિત્તે, નાખે અવળે પાસે હા. કુથુ ૩ અથ—માક્ષને ઇચ્છવાવાળા પાતે નવુ' જાણે અને એકાગ્રતામાં લયલીન થાય અને તેને અભ્યાસ કરે. પણ એ મારું વહાલું નાનકડું દુશ્મન એવા વિચાર કરે કે તેમને પણ ઊંધા નાખીને ગડદાપેચ કરી દે. (૩) ટા—મુક્તિની વાંછાએ પિયા તપ કરે, જ્ઞાની જાણુણહાર જ્ઞાનને અભ્યાસે, ધ્યાની પણ સાધનાદિ ધ્યાન અભ્યાસે, પણ કોઈ મન વૈરિડા એવા છે જે ચિંતવે કાંઇ અને અવળે પાસે નાખે, વાંકુ કરે. (૩) વિવેચન—હે ભગવન્! મનની તે આપની પાસે શીશી અને કેટકેટલી વાત કરું ? મેાક્ષમાના ઇચ્છક માણસે જ્ઞાનમાં મશગૂલ રહે અને ધ્યાન કરવા માંડે અને તેને માટે અભ્યાસ કરે. તેઓ સમજે કે જ્ઞાન-ધ્યાનમાં સમય જાય તે સારું, તેથી જ્ઞાની તરીકે વખત કાઢવા માંડે અને ધ્યાનમાં મસ્ત થઇ પડયા કરે અને આખા વખત ઈશ્વરપ્રણિધાનમાં વખત કાઢવાના અભ્યાસ કરે. આવા જ્ઞાની અને ધ્યાની જ્ઞાન અને ધ્યાનના અભ્યાસ કરે ત્યારે એનુ' મનડુ તે કયાં કચાં ફરતું હાય છે. આવા ધ્યાનના અને જ્ઞાનના અભ્યાસ કરનારના એ કેવા હાલ કરે છે તે સાંભળે. મનરૂપી દુશ્મન એવા વિચાર કરે છે કે એવા માટા જ્ઞાની અને ધ્યાનીને પણ ઊંધા પાડી ગડદાપેચ કરી દે છે. જ્ઞાની જ્ઞાનમાં મસ્ત હાય કે ધ્યાની ધ્યાનમાં પડે તે વૈરી મન તે ગમે ત્યાં ચાલ્યું જાય છે અને જ્ઞાનીના અને ધ્યાનીના હાલહવાલ કરી નાખે છે. આવા માક્ષમાના અભ્યાસીને પણ મનરૂપ વૈરી બચાવતું નથી પણ એને ચત્તોપાટ કરી મૂકે છે, અને રખડ્યા જ કરે છે. આવું મન છે. હજુયે મન કેવાં કેવાં કામ કરે છે તે ભગવન્ ! આપ જાણા અને આવા મનને માટે મારે શું કરવું તે કહેા. તેને આપનામાં એકાગ્ર કેમ કરવું તે જ હું વિચારી રહ્યો છું. એ મનની કથા હું આપને હજુ વધારે વર્ણવી બતાવું. (૩) ' ' પાઠાંતર—— તપિયા ’ સ્થાને એક પ્રતમાં ‘તપીયા' પાર્ડ લખેલ છે. ‘ જ્ઞાનને' સ્થાને ‘જ્ઞાની' પાડ છે, તે પ્રાચીન ગુજરાતી છે. ‘ જ્ઞાન ' સ્થાને પ્રતમાં ‘ ગ્યાન ’ પાઠ છે. ‘ તે ’ બીજા પાદમાં પ્રતમાં મૂકી દીધા છે. અભ્યાસે ' સ્થાને પ્રતકાર · અભ્યાસી ' લખે છે. ‘ વયરીડું ' સ્થાને પ્રતવાળો ‘ વયરીડો ’ લખે છે; એક પ્રતમાં‘વૈરિડા ’ પાડે છે. ‘નાખે ’ સ્થાને પ્રતમાં ‘નાખે ’ પાડે છે. ‘ અવળે’ સ્થાને ભીમશી માણેક ‘અલવે ’ પાડ છાપે છે. પાસે' સ્થાને પ્રતવાળો ‘ પાસે` ’ લખે છે; ભીમશી માણેક પણ એ જ પાડે છાપે છે. ‘ચિ ંતે’ સ્થાને ‘ચિતઈ ' પાડે પ્રતમાં છે, તે જૂની ગુજરાતી છે. (૩) " શબ્દાર્થ—મુગતિ = મુક્તિ, મેક્ષ, સ`કમથી રહિતપણું. તણા = ‘ ના ’, છઠ્ઠી વિભક્તિના પ્રત્યય. અભિલાષી = વાંછું, હાંસવાળા, ઇચ્છાવાળા. તપિયા = તપનારા, તપ કરનારા. જ્ઞાન = અભ્યાસ, જ્ઞાન ભણવું તે. ધ્યાન = એકાગ્રતા, ધ્યાન કરવુ, એના વિચાર કરવા. અભ્યાસે = કરે, એને અમલ કરે. વૈરીડુ` = હલકા દુશ્મન, વેરી, સામું કામ કરનાર. કાંઈ = હરકોઈ, કોઈ પણ એહવુ – એવું, એવા પ્રકારનું ચિંતે = વિચારે, યેજે, ઘના કરે. નાખે = ઝાપટે, પાડે. અવળે = ઊલટે, સાની. પાસે = બાજુએ. (૩) Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન [૩૩૧ આગમ આગમધરને હાથે, નાવે કિણ વિધ આંકુ કિંહાં કણે જે હઠ કરી હટકું, તો વ્યાલ તણી પરે વાંકું હો. કુંથુ. ૪ અર્થ–પૂર્વધારીઓ મોટા આગમ-સૂત્રગ્રંથ વાંચીને મોટા આગમધર થાય. પણ તેમના જેવાને હાથે પણ એ અંકુશમાં આવતું નથી, અને હું કઈ જગોએ આગ્રહ ધરીને એને બળાત્કાર ધકેલી દઉં તે એની પેઠે એ તે વક થઈ જાય, પણ એ ઠેકાણે તે ન જ આવે, એવું મારું મન છે. (૪) –આગમધરને હાથે યદ્યપિ આગમપ્રવચન છે, પણ કેઈ વિધિ પ્રકારે આંકડે મનને ન પામીએ. કોઈ વેળાએ જે હઠ કરી-કદાચડ હગે તાણી રાખું તે વ્યાલ-સર્ષની પેઠે વાંકું થાય, વિપરીત ફળ આપે, કુરંડ બરડાદિકની પરે. (૪) વિવેચન-ખુદ આગમના અભ્યાસીઓ દશ પૂર્વ સુધી ભણી જાય તે પણ મન તે જરા પણ અંકુશમાં આવતું નથી. આગમધારીઓ આગમમાં મનને અધિકાર વાંચતા હોય ત્યારે પણ તેમનું પિતાનું મન અંકુશમાં આવતું નથી. અને એવા આગમધારી પુરુષે મારી નજીકમાં હોય ત્યારે પણ મારું મન અંકુશમાં રહેતું નથી. હું કહી કહીને થાક્યો કે આવા પૂજ્ય વિદ્વાની હાજરીમાં તે હે મન ! તું જરા કાબૂમાં આવે, પણ તે તે મારું કહેવું માનતું નથી અને ભટક્યા જ કરે છે. અને કઈ જગ્યાએ હું એને કદાગ્રહ કરીને રેકું ત્યારે તે એ ઊલટું સર્ષની જેમ વાંક થઈ બેસે છે. જેમ જેમ એ મનને રોકું તેમ તેમ એ વધારે આડું થઈ વધારે જોરથી ફર્યા કરે છે. સામાયિક કરતા સસરાને માટે વહુએ જવાબ આપ્યો કે “સસરા તે ઢઢવાડે ગયા છે!” સસરાએ સામાયિક પૂરી થયા પછી આ જવાબ આપવા માટે વહુને ખુલાસો પૂછો તે વહએ જવાબ આપે કે તેઓ (સસરા) તે મનમાં સામાયિક જલદી પૂરું કરી ઢેઢવાડે ઉઘરાણી કરવા જવાને વિચાર કરતા હતા ! સસરાને માટે આવું બેલાવનાર મનને હું આગ્રહ કરીને પાઠાંતર–આગમધરને બદલે પ્રતમાં “આગમધરીને ” પાઠ છે, બીજી પ્રતમાં આગમધરને પાઠ છે હાથે ને સ્થાને પ્રતમાં “હાથે' પાઠ છે; બીજી પ્રતમાં “હાથે ” પાઠ છે; “નાવે ને સ્થાને એક પ્રતમાં ના” પાઠ છે. “કિણ ને બદલે “કિણે” પાઠ પ્રતમાં છે. ‘કિહાંકણે” સ્થાને પ્રત લખનાર “કેહિ જો” પાઠ લખે છે; બીજી પ્રતમાં “કિંહારે કિણિ’ પાડે છે. “હડ’ સ્થાને પ્રતમાં “હટ' પાઠ છે. “ કરી’ સ્થાને પ્રતમાં કરિ” પાઠ છે. “હટકું ” સ્થાને પ્રતમાં “હડકુ' પાઠ છે. “તણી’ સ્થાને પ્રત લખનાર “તણિ” પાઠ લખે છે. “પરે’ સ્થાને “પર” પાઠ પ્રતમાં છે. “વાંકુ ' સ્થાને “વાકુ’ પાઠ પ્રતમાં છે. (૪) | શબ્દાર્થ–આગમ = સૂત્ર, સિદ્ધાંત. આગમધર = આગમના મુખે જાણનાર, મૂળ સૂત્રના જાણકાર, આગમધારી. હાથે = પાસે, સામે, પડોશમાં. નાવે = ન આવે, થઈ શકે નહિ. કિણ = કોઈ એક પણ, વિધિ = વિધ, રસ્ત. આંક = અંકુશમાં, તાબામાં, કબજામાં. કિંહ = કઈ કણે = કને, સ્થાને. હઠ કરી = આગ્રહ કરી, જબરાઈ કરી. હટકું = લગાડું, વળગાડું. તે = તે બાબતમાં. વ્યાલ = વાંકે પ્રાણી, વાધ, સં૫. વાંક = ઉદ્ધત, તોફાની, આડું. (૪) Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩] શ્રી આનંદઘન-ચાવીશી કાંઈ કામમાં રોકી રાખું તે એ સપની પેઠે વાંકું થઈ જાય છે અને વાંકાઈમાં ને વાંકાઈમાં વધારે રખડે છે અને મને હેરાન પરેશાન કરી મૂકે છે. મનને અહીં સર્પ સાથે સરખાવ્યું છે, તે તેનું આબેહૂબ વર્ણન છે. સર્પ મૂળ તે વાંકે જ છે. એને ઉશ્કેરે તે એ પિતાની વાંકાઈ વધારે બતાવે છે. મારું મન સર્ષની જેમ જાતે વાંકુ અને હું એને ઉશ્કેરું અને એને કાબૂમાં રાખવા પ્રયત્ન કરું તે તે વધારે વાંકું થાય છે. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી, તેમ મનનું પણ એવું જ સમજવું. એને જેમ જેમ હું ઠરીઠામ બેસવા કહું છું તેમ તેમ તે વધારે વાંકાઈ કરે છે અને જરા પણ મારા અંકુશમાં આવતું નથી. એ તે નવા નવા બુટ્ટા ઉડાડી વધારે આડાઈ કરે છે અને જ્યાં ત્યાં ફર્યા જ કરે છે. ભગવાન ! મને મારા આવા હાલ કર્યા છે. હજુ પણ આપ મારા મનની કથની સાંભળે. (૪) જે ઠગ કહું તે ઠગતે ન દેખું, શાહુકાર પણ નાંહિ; સર્વમાંહે ને સહુથી અળગું, એ અચરિજ મનમાંહિ હો. કુંથુ ૫ અથ–જે એને લુચ્ચું કહું તે એને કોઈને છેતરતાં પણ હું જેતે નથી. અને મને ખાતરી છે કે એ સાહુકાર ( સાવકાર)-પિતાને વટ રાખનાર પણ નથી જ. એ તે બધામાં છે અને બધાથી જુદું-દૂર રહેનાર છે. આવી આશ્ચર્યકારક ઘટના એને અંગે થયેલી છે. (૫) ટબો– મનને ઠગ કહે તે દ્રવ્યથી ઠગાઈ કરતાં દેખતે નથી, પિતે છઘસ્થ છે માટે. અને સાહુકાર-ભલુંયે નથી જ, પુદ્ગલધમ માટે. એ મન સર્વમાં-પ્રશસ્ત અપ્રશસ્ત સર્વ સં૫માં છે અને આત્માના સર્વ પ્રદેશથી અળગું, એ મનમાં મોટું અચરિજ-વિરમયપણું છે. (૫) વિવેચન–એ મનને ઠગારું કહું તે કોઈને છેતરતાં એને દેખતે નથી, એટલે એને લુચ્ચું કે ઠગારું પણ કહી શકાય તેમ નથી, કારણ કે યંગ્ય માણસે નજરે જોયા વગર કોઈના ઉપર તે ઠગાર–છેતરનાર છે એવું તહોમત ન મૂકવું જોઈએ. અને એને હું ઠગનાર તરીકે જેતે નથી; ઉઘાડી રીતે તે ઇંદ્રિયે જ કામ કરે છે. અને જ્યાં સુધી મનને હું છેતરપીંડી કરતું ન જોઉં ત્યાં સુધી એક ભલા માણસ તરીકે મારાથી એના ઉપર તહોમત ન જ મુકાય. એ એવી સિફતથી કામ કરે છે કે એને ઠગારું પણ ન કહેવાય. આવી રીતે એ ઠગારાના ઈલકાબને નથી. પાઠાંતર—“ કહું’ સ્થાને એક પ્રતમાં “કહ્યું” લખે છે. “દેખુ’ સ્થાને બન્ને પ્રત લખનાર “દેવું” એમ લખે છે, કારણ વ્યક્તિ છે. “પણ”ને સ્થાને પ્રતને પાઠ “પણિ છે. “નહી” સ્થાને પ્રતને પાઠ “નહી” છે. સવ' સ્થાને પ્રતને પાઠ “સવિ' છે; બીજી પ્રતમાં “સહુ” પાઠ છે. “ને’ સ્થાને પ્રતવાળો ને ” લખે છે. “માહી' સ્થાને પ્રત લખનાર “માંહિ” લખે છે (છેલ્લા પાદમાં). (૫) શબ્દાર્થ—જે = કદાપિ, કોઈ બાબતમાં, કેઈવાર. ઠગ = લુચ્ચો, ધમાલીઓ. કહું = વણવું, બતાવું, દર્શાવું. ઠગતો = લુચ્ચાઈ કરતો. ન દેખું = દેખાતો નથી. હું જોઈ શકું નહિ. સાહુકાર = સાવકાર, ભલો માણસ, સારો માણસ. નહી = નથી, નહિ. સર્વમાંહે = બધામાં, સર્વમાં. સહુથી = સર્વથી. અળગું = દૂર, જાદૂ. અચરિજ = અચરીજ, આશ્રય, નવાઈ. મનમાંહી = મનમાં, દિલમાં. (૫). Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન [૩૩૩ અને એ શાહુકાર પણ નથી. પ્રમાણિક શરાફને વટ તે એ જાણીને હોય છે કે એ રાતના બાર વાગે પણ પિતાને વટ રાખી પૈસા દેવાના હોય તે ભરી આપે. મારું મન એવું જબરું છે કે એને શાહુકાર પણ કહી શકાય નહિ. જેમ એને ઠગબાજી કરતાં મેં નજરે જોયું નથી તેમ એના અંદરખાને રહીને કામ કરવાને અંગે એને શાહુકાર પણ કહેવાય તેમ નથી. આવી રીતે તેને કેમ વર્ણવવું અને તેને માટે કયું વિશેષણ વાપરવું તે મને માલુમ પડતું નથી. એ મન તે બધામાં છે અને બધાથી દૂર રહે છે, એવું વિચિત્ર છે. એ ઈદ્રિય દ્વારા કામ કરે છે, સર્વમાં છે અને કઈમાં નથી એમ છે ને છેટુ રહે છે. ઘણા માણસે પણ એવા હોય છે. એને પૂછ્યા વગર કે એના હુકમ વગર તરખલું પણ ચાલે નહિ, છતાં એ, પિતાના આડતીયા મારફત ત્રીજા પક્ષકાર પાસે, એવી સિફતથી કામ લે કે એણે અમુક કામ કર્યું છે તેમ જણાય જ નહિ; તેમ મારું મન પણ એવું યુક્તિબાજ છે કે ઈદ્રિય દ્વારા કામ લે છે. અમુક વસ્તુ મીઠી છે કે નહિ, અમુક જેવા લાયક છે કે નહિ કે અમુક કૃતિપ્રિય કે સુગંધી છે કે નહિ તેને નિર્ણય એ કરે, પણ કામ ઇંદ્રિયે-કમે ક્રિયે મારફત લે. એટલે એ સર્વમાં છે અને કોઈમાં જાણે નથી એમ લાગ્યા કરે છે. આવી રીતે મને કોઈ પણ કામ કરે છે એમ કહેવું તે પણ ગ્ય નથી. અને આવી રીતે બધામાં હોવા છતાં કઈમાં નથી એમ કહેવું અને એ સર્વથી દૂર હોય તેમ રહેવું એ વાતની મારા મનમાં નવાઈ લાગે છે. મને થાય કે દરેક બાબતમાં ભાગ લેતું હોવા છતાં તે દૂર ને દૂર કેમ રહી શકતું હશે ? આવી મનની કાર્ય પદ્ધતિ જાણું મને નવાઈ લાગે છે અને એના સંબંધમાં કયું વિશેષણ વાપરવું તેની મને ખબર પડતી નથી. હજુ હું એ મન કેવું છે તે આપની પાસે જણાવું છું. તે આપ જાણે અને મને રસ્તો બતાવો. (૫) જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો: સુર-નર-પંડિતજન સમજાવે, સમજે ન મારો સાલે છે. કુંથુ ૬ અર્થ છે જે કાંઈ પણ એને કહું છું તે એ સાંભળતું નથી, કાને ધરતું પણ નથી અને પિતાની બુદ્ધિએ મેલું જ રહે છે. એને દેવે કે માણસો કે ભણેલગણેલ માણસો સમજાવે પણ મારું સાણું એ તે કાંઈ સમજતું નથી અને એને અંગેના મારા પ્રયત્ન નકામા થઈ પડે છે. (૬) પાઠાંતર–કાન' સ્થાને પ્રત લખનાર “ કાને પાઠ લખે છે; બીજી પ્રતમાં ‘કાનિ ' પાઠ છે. “સુર” સ્થાને પ્રતમાં ‘સૂર’ પાઠ છે. “આપ મતે ' સ્થાને પ્રતમાં “આપ મતિ ” પાઠ છે. “રહે’ સ્થાને પ્રનમાં રહૈ” પાઠ છે. “સમજાવે” સ્થાને પ્રતમાં “સમજાવૈ ' લખેલ છે. “મારો ” સ્થાને પ્રતમાં “માહરો” પાઠ છે. (૬) | શબ્દાર્થ-જે જે = જે કાંઈ કાંઈ પણ કહું = જણાવું, બેલી બતાવું. કાન ન ધારે = સાંભળે નહિ. આપ મતે = પિતાની બુદ્ધિએ, પિતાની સમજણ પ્રમાણે રહે = થાય, ચાલુ રહે. કાલે = મેલવાળું, કાળો. સુર = દેવતાઓ, મોટા દેવો. નર = માણસો, જને. પંડિતજન = સમજુ માણસો, ભણેલા માણસો સમજાવે = ઠેકાણે લાવવા પ્રયત્ન કરે. સમજે ન = ગળે ઉતારે નહિ. મારો = આપણો, પોતાનો. સાલ = પત્નીને ભાઈ, વહુને ભાઈ. (૬) Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] શ્રી આનંદઘન-વીશી ટબો—જે જે કહીએ તે કાનમાં ધરે જ નહિ, એટલે તેમાં પરિણમે નહિ, જેમ કાલે ને ઘેલે આપ મતે ચાલે, કેઈને કહ્યું પ્રવતે નહિ, દેવ વા મનુષ્ય પંડિતજન સર્વ મળી એ મનને સમજાવે, પ્રાર્થે, પણ મારે સાળે સમજે નહિ. અથવા મારી સાથે તે ઘણી રીસઈષ્યવંત તે સમજે નહિ. અથવા સાથે તે દેશ વિશેષે ધણિયાણીના ભાઈને કહે છે ત્યાં અશુદ્ધ ચેતના ધણિયાણુને ભાઈ, અશુદ્ધ સંકલ્પી મન કહો એ છે તથા કોઈ દેશ વિશેષમાં ભાંડભવાયાને સાળ કહે છે. (૬) વિવેચન–હું જે કાંઈ કહું છું અને તે કાને જ ધારતું નથી; એક કાને કહું તે બીજે કાને ફેકી દે છે અને મારી સર્વ શિખામણ બહેરા આગળ કહેવા જેવું થાય છે. બધિર માણસ પાસે વાત કરવી એ જેમ નકામું છે, તેમ હું કહું તે મન તે કાને જ પૂરતું નથી અને મારે ગળાને શેષ તદ્દન નકામે થાય છે, તેની પાસે હજારે વાત કરું તે પણ તે તે પિતાના મતમાં કાલે એટલે મલિન થઈને રહે છે. અથવા કાલે એટલે બાળકના જેવી ભાંગીતૂટી કે તેતડી ભાષા બોલનાર. એને અર્થ મસ્ત પણ થાય. તે તે પોતાના અભિપ્રાય પ્રમાણે ચાલનાર અને તેમાં મસ્ત રહ્યા કરે છે. એ તે પિતાનું ધાર્યું જ કરે છે, એને (મનને) મારા અભિપ્રાયની જરાય દરકાર નથી. એને સમજાવવું એ તે કાંઈ બચ્ચાના ખેલ નથી. એ તે પિતાને મતે ચાલે છે અને પિતાને ફાવે ત્યાં જાય આવે છે. અને એને મોટા મોટા દેવતાઓ સમજાવે, કે માણસો સમજાવે, એને અનેક ડાહ્યા વિદ્વાન મોટા માણસ સમજાવે, એને ઠેકાણે લઈ આવવા પ્રયાસ કરે, પણ એ તે કોઈનું કહેવું સાંભળતું જ નથી. એ તે મારું સાજું સમજતું જ નથી. અહીં મનને સાળું કહેવામાં આવ્યું છે. વાક્યમાં વપરાતાં સટતા ને મમતામાં એ શબ્દ વપરાય છે—એમ ગુજરાતી શબ્દકોષ કહે છે. લેકે “મને સાળાને આ શું સૂઝયું.” અમ પણ બોલે છે. એટલે સાળાને અર્થ પિતાની વહુને ભાઈ એમ જ કરે એવી ચક્કસ વાત નથી. નહિ તે લોક પિતાને સાથે કેમ કહે? ઉપરના વાક્યથી તે પ્રોગ થઈ શકે છે એમ જણાય છે. સાળાને અર્થ વહુનો ભાઈ તેમ કરે હોય તે અત્ર અશુદ્ધ ચેતનાને ભાઈ થાય છે. મારા સમજવા પ્રમાણે એ શબ્દ વહાલ અથવા તિરસ્કાર સૂચક છે અને સાળે શબ્દ વાપરી હિંદી ભાષામાં નપુંસકલિંગમાં કેઈ શબ્દ આવતું નથી તે બતાવ્યું છે. જોકે આવતી ગાથામાં એને સ્તવનના લેખક નપુંસકલિગે કહે છે છતાં તેને માટે અહીં “સાલે' શબ્દ વાપરવાથી તે નરજાતિ થાય છે. સ્તવનકર્તાની દેશભાષા ઉપર આ પ્રકાશ પાડે છે. હિંદીમાં નપુંસકલિંગ-નાન્યતરજાતિ નથી તેથી તેને અહીં નરજાતિમાં વાપરેલ છે. એ તિરસકારને જ શબ્દ છે એમ મને સંબંધ ઉપરથી સમજાય છે. મોટા મોટા પંડિતે કે દેવ આવીને સમજાવે, પણ એ મારું સાલું તે સમજતું જ નથી એની પાસે પંડિત માણસે અનેક સમજાવટ કરે છે, પણ મારું એ મન તે કોઈને ગણતું નથી, નાના મોટાને તફાવત રાખતું નથી અને બધી સમજાવટ ઉપર પાણી ફેરવે છે ! કવિ (આનંદઘન)ને ખબર છે કે એ અસલ નાન્યતરજાતિને શબ્દ છે, છતાં તે એને અહીં Page #351 -------------------------------------------------------------------------- ________________ [૩૩૫ ૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન નરજાતિમાં વાપરે છે તે દેશભાષાના ધરણની વાત જણાય છે. અને આ વિષયમાં આનંદઘનની ભાષા પરત્વે ઉપઘાત ઉપર ધ્યાન ખેંચવામાં આવે છે. મનને સમજુ, ભણેલા અને મોટા મોટા પંડિતે ગમે તેટલું સમજાવે, પણ એ તે સમજતું જ નથી અને પિતાની ધારણા પ્રમાણે જ કયે જાય છે. ભગવદ્ ! મારું મન આવું છે અને હાલ તો તે જ આધિપત્ય ભોગવે છે. (૯) મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન જેલે હો. કુંથુ. ૭ અથ મને ખબર પડી ગઈ છે કે એ નાન્યતરજાતિનું નાનકડું મન બધા માણસોને ધકે ચઢાવે છે. મેં તો એની ત્રીજી જાતિ હોવાથી એ દમ વગરનું હશે એમ ધાર્યું હતું, પણ માણસ બીજી બધી વાતે શક્તિમાન છે, પણ એને પકડીને ઝીલી શકે એ કોઈ પણ માણસ નથી. (૭) ટો–વળી કહે છે, મન શબ્દ તે નપુંસક લિગે છે, એ શું કરશે એમ જાણુતા, પણ તે તો ન બન્યું. સમસ્ત મર્દ-પુરુષ કામી, કોધી સર્વને એ મન તે ઠેલે–હણ કરે. બીજા સંસારમાં સર્વ વાતે સાધવાને સમરથ છે પુરુષ, પણ એને-મનને કઈ રૂધે તે વિરલા (૭) વિવેચન-સંસ્કૃતમાં તથા ગુજરાતીમાં ત્રણ જાતિનાં નામે હોય છે : નરજાતિ, નારીજાતિ અને નપુંસક અથવા નાન્યતરજાતિ. મને એમ ખબર હતી કે એ સંસ્કૃતમાં નપુંસક લિંગને શબ્દ છે; હિંદીમાં એ નાન્યતરજાતિ ન હોવાથી નરજાતિમાં વપરાય છે. “સાલે ” એ મન માટે પ્રયાગ આગલી છઠ્ઠી ગાથામાં કરવામાં આવ્યું તે સ્તવનકર્તાની દેશભાષાને લઈને છે. સંસ્કૃતના ધોરણે એને “સાળું” પ્રયાગ જોઈએ. એ નપુંસકલિગે હોવા છતાં તે કોઈને છોડતું નથી અને મોટા મોટા મજબૂત માણસને પણ એ હઠાવે છે. એ નપુંસકજાતિ શબ્દ હોવા છતાં નરજાતિના મઈ માણસને પણ હરાવે છે, ધક્કે ચઢાવે છે અને લડાઈમાં હરાવી દે છે. એ જરાય કાચું પડ્યું નથી. એ તો ગમે તેવા બહાદુર હિંમતવાન માણસને પણ પહોંચી પાઠાંતર–પ્રથમ પાદમાં “જાણ્યું ” સ્થાને એક પ્રતમાં “જાણું” પાઠ છે. “નપુસંક” સ્થાને પ્રતવાળો પ્રથમ પાદમાં “નપુસગ” લખે છે. “મરદને સ્થાને પ્રતવાળો “મરદને” લખે છે. “ટેલે સ્થાને પ્રતવાળો “ ” પાઠ લખે છે. બીજી’ બદલે પ્રતમાં “બિજિ ” પાઠ છે. “વાતે સ્થાને પ્રતમાં “વાતે ” પાઠ છે. સમરથ” સ્થાને પ્રતમાં “સમરપ્ર” પાઠ છે. “છે' ત્રીજા પાદમાં “છે ” લખે છે, તે પ્રકાર લહીઆનું જનું ગુજરાતી છે. “જેલે’ સ્થાને પ્રતવાળો “ગેલે” લખે છે, બીજી પ્રતમાં “જાલે’ પાઠ છે. (૭) શબ્દાર્થ–મેં જાણ્યું = હું એમ ધારતા હતા, હું એમ સમજ્યા હતા. એ = (મન) મનડું. લિંગ = જાતે. નપુંસક = નાન્યતર, ત્રીજી જાતિ હોવાથી એનાથી ડરવાની જરૂર નથી. પણ એ = મન તો. સકળ = સવ. બધા. મ = નરજાતિના માણસને. ઠેલે = ધમધમાવે, ચલાવે. બીજી = અનેક બાબતે. સમરથ = સમર્થ, શક્તિમાન, સશક્ત, નર = માણસ, મનુષ્ય. એને = એને, મનને. કેઈ = એક પણ મનુષ્ય. ન = નહીં, જેલે = પકડી શકે, ઝડપી શકે, ઝીલી લે. (૭) Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] શ્રી આનંદઘન–વીશી શકે છે અને હરાવી દે છે. મનને નપુંસક જાણીને હું નિર્માલ્ય ધારતો હતો, પણ મારું જાણપણું બરાબર નહોતું. કારણ કે માણસ બીજી ઘણી બાબતમાં હિંમતવાળો છે, તે અનેકને જીતી જાય છે અને બહાદુરી બતાવે છે, પણ કોઈ એ માણસ (નીચેના અપવાદ સિવાય) મારા જેવા કે જાણવામાં આવ્યો નથી કે જે એ મનને પકડી લે. મન એવું જબરું છે કે મોટા મોટા માણસના હાથમાં આવતું નથી અને એવું છટકી જનારું છે કે આવેલ પકડને પણ એ નકામી કરી આગળ વધી જાય છે. ક્રિકેટની રમતમાં અનેક રમનારના હાથમાંથી આવેલ દડો પણ છટકી જાય છે તેવી જ રીતે એ હાથમાં આવેલ હોય તે પણ ચાલ્યું જાય અને એને પકડીને કબજામાં રાખી શકે એવો કોઈ માણસ હું તો જોતો નથી. આવું ચપળ મારું મન છે અને તેને હું મારે વશ રાખી શકતો નથી. આવી મારા મનની સ્થિતિ છે, તેને હે ભગવદ્ ! આપ જાણો છો. (૭) મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત તે મોટી હો. કુંથુ૮ અર્થ–જેણે મનને કાબૂમાં આપ્યું હોય તેણે બધાને કાબૂમાં લીધા છે એ હકીક્ત અસત્ય નથી, એ સાચી જ વાત છે; છતાં કોઈ એવો દાવો કરે કે પોતે પોતાના મનને કાબૂમાં લીધું છે તો તેની વાત કબૂલ કરવાને હું તૈયાર નથી, કારણ કે એ વાત તો ઘણી મુશ્કેલ છે અને એ વાત તો ખરેખર અગમ્ય છે. (૮) ટબે—મન સાધ્યું તેણે સર્વ સાધ્યું એ વાત ખોટી નથી. મનને વશ કરતાં સર્વ રાગાદિ વશ કીધા. પણ કોઈ એમ કહે કે મેં મનને સાધ્યું, વશ કીધું, પણ એ વાત મોટી દુર્ગમ છે, ખોટી છે. અતિશયવંત કે શ્રુતજ્ઞાનીને તે પ્રમાણે હોય, પણ પિતાના માટે કરે તે ખોટું (૮) વિવેચન–માટે જેણે પિતાના મનને કાબૂમાં આપ્યું, એકાગ્ર કર્યું, તેણે સર્વ વાતને સિદ્ધ કરી, સાધી લીધી છે, એમ હું સ્વીકારું છું. માણસ ગમે તેટલી ક્રિયા કરે, ઉનાળે પાઠાંતર–તેણે” સ્થાને એક પ્રતમાં “તિણે પાઠ છે. એ વાત ને સ્થાને પ્રતમાં “એ કહેવત” પાઠ છે. “ નહિ બેટી ” સ્થાને એક પ્રતવાળો “નહિ ષટી ” લખે છે. એમ કહે ” સ્થાને પ્રતવાળો અમુકે ” લખે છે. “માનું સ્થાને માન્યું ' પ્રતમાં છે. “કહી વાત” સ્થાને પ્રતમાં “કહેવત' લખે છે. (૮) શબ્દાર્થ–મન = દિલ, ચિત્ત. સાધ્યું = કાજે આપ્યું, પિતાનું કર્યું. તેણે = તે માણસે, તે મનુષ્ય. સઘળું = સર્વ, બધાને. સાધ્યું = મેળવ્યું, કબજે કર્યું. એહ = એ, તે, પેલી વાત = વાર્તા, સામાન્ય ઉક્તિ. બોટી = અસત્ય, ન માનવા લાયક, ન બનવા જોગ. એમ = એ પ્રમાણે, એમ કોઈ પણ દાવો કરે. કહે = સ્થાપન કરે, દાવો કરે. સાધ્યું = કબજે કર્યું , વશ ક્યું", હુકમ-તાબામાં આપ્યું. તે = એવો દાવો, એવું કથન. નવિ = નહીં. માનું = સ્વીકારી ન લઉં, કબૂલ ન કરું. એ = તે. કહી = કીધેલ, દાવો કરેલ. વાત = વાર્તા, કથન, દા. મોટી = મુશ્કેલ, દુઃખે કબૂલ કરાય તેવી. (૮) Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન [૩૩૭ સેવે કે કાયકલેશ સહન કરે અથવા તપસ્યા કે જાપ કરે, પણ જે મનને કાબૂમાં લે તો સર્વ સાધના એની સફળ થાય છે. એકલા કાયાના કલેશની કોઈ કિંમત નથી; એમ તે દ્રવ્યક્રિયા કરવામાં ઢગલા થાય તેટલાં ઘા-મુપત્તિ કર્યા પણ મન સાધ્યા વગર, મનને વશ કર્યા વગર તે કષ્ટકિયા તદ્દન નકામી ગઈ અને કાંઈ ફળ મળ્યું નહિ. આ વાત ખોટી નથી; એ સાચેસાચી વાત છે અને તેથી મનને વશ કરવાની વાત વધારે ચક્કસ થાય છે. જે પ્રાણીઓ મનને કાબૂમાં લઈ વશ કર્યું તેની સર્વ કિયા સફળ થાય છે, એ વાતમાં સત્ય છે, પણ મનને વશ રાખવું અને એના ઉપર કાબૂ ચલાવ તે ઘણી મુશ્કેલ વાત છે. પણ મનને કાબૂ વગરનું રાખવું અને કાયકિયાના ફળની અપેક્ષા રાખવી એ બે વાત બને તેમ નથી, કારણ કે તે પરસ્પર વિરેધવાળી વાત છે. હું કબૂલ કરું છું કે જેનું મન કબજે થયું તેણે સર્વ વાતને સિદ્ધ કરી લીધી. પણ કોઈ માણસ કહે કે “પિતે પિતાના મનને કાબૂમાં આપ્યું ” તો તે વાત હું સ્વીકારતો નથી. મને એમ લાગે છે કે એ દાવો ન ચાલે છે અને ખોટો છે. એનું કારણ એ છે કે મનને સાધવું એ કાંઈક મેટી વાત છે અને મોટી વાતને જેને તેને દાવો સ્વીકારવા હું તૈયાર નથી. મોટી વાત તે મોટા માણસને જ શોભે, નાના મોઢાને ન શોભે. આવી રીતે અનેક દાવાઓને પતાવી દઈ હવે એ પિતાને અંગે પ્રભુને વિનતિ કરે છે, તે ખાસ વિચારવા લાયક છે. (૮) મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ ! મારું આણો, તે સાચું કરી જાણે હો. કેયુર ૯ અર્થ–આવા પ્રકારે દુઃખે કરીને કાબૂમાં લાવી શકાય એવા મનને તમે વશ કર્યું છે એ મૂળ સૂત્રથી હું સ્વીકારું છું, પણ હે આનંદના સમૂહ ! જે મારું મન કાબૂમાં લાવે તે જ હું એ વાતને સત્ય તરીકે સ્વીકારું. (૯) ટબો–મન તે દુરારાધ્ય–દુઃસાધ્ય છે-વશ આણવાને તે પણ અગમથી મતિ આણું. પાઠાંતર—દુરારાધ્ય” સ્થાને પ્રતમાં “દુરાસદ' પાઠ છે. “તે સ્થાને “તે ' પાઠ પ્રતમાં છે. “વશ” સ્થાને પ્રથમ પાદમાં “વસિ ' પાઠ છે, “ આપ્યું ' સ્થાને પ્રતમાં પ્રથમ પાદમાં ‘ આણું' પાઠ છે. “માહ' સ્થાને પ્રતવાળા “માહર” લખે છે; બીજી પ્રતમાં પણ એ જ પાઠ છે. “તો ” સ્થાને છેલ્લા પાદમાં “તે” પાઠ છે. “સાચું ' સ્થાને પ્રતમાં “સાચી ' લખે છે. “કરી ' સ્થાને પ્રતમાં “કરિ’ પાઠ છે. “જાણું ' સ્થાને પ્રતમાં ‘જાણું” પાઠ લખે છે. (૯) | શબ્દાર્થ–મનડું = ચિત્ત, દિલ. દુરારાધ્ય = પ્રયત્ન જીતી શકાય તેવું. તે = આપે, આપશ્રીએ, તમે. વશ = કાબૂમાં લીધેલ છે, તાબે કરેલ. આણ્ય = કર્યું, તાબે કર્યું. આગમથી = ધમસિદ્ધાંતથી, તમે બતાવેલ શાસ્ત્રગ્રંથોથી. મતિ = બુદ્ધિ, નિર્ણય, કલ્પના. આણું = લાવું, સ્વીકારું. આનંદધન = આનંદના સમૂહ, પ્રભુ. માહરું = મારું, મમ (મન). આણો = લાવો, કરો. તે = તે વિષયમાં, તે બાબતમાં, સાચું = ખરું, બરાબર, કરી = બનાવી, સમજી. જાણું = માનું, સ્વીકારું. (૯). ૪૩ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] શ્રી આન ઘન-ચાવીશી અરે આનંદઘન પ્રભુ ! હે પરમાત્મન ! હે વીતરાગ ! જો મારું મન વશ આણ્ણા તો તે સાચુ કરી માનું. તું જ શરણ છે. એટલે સત્તરમા કુથ્રુ જિનનું સ્તવન થયું. (૯) વિવેચન—હે પ્રભુ ! તે મહામુશ્કેલીએ મનને વશ કર્યું છે—આવી વિચારણા હું આગમને અનુસારે માનું છું. મન દુ:ખે વશ થઇ શકે તેવું છે તે આપણે ઉપર જોઇ ગયા. આવા મહામુસીબતે વશ થાય તેવા મનને પણ તે (પ્રભુએ) પેાતાના કાબૂમાં લીધુ હતુ. એ આગમ વાંચીને કે સાંભળીને મારી બુદ્ધિને વિષય બનાવું છું. મન કેટલુ મુશ્કેલીએ આરાધ્ય છે તે ઉપર જણાવાઇ ગયું છે. આગમની વાત ઉપર શ્રદ્ધા રાખવી જોઇએ, તે બીજી વાત કરવામાં આવી. મૂળ સિદ્ધાંતમાં કહેલી વાતને સ્વીકારે તે સમકિતી હોવા જોઇએ. બધી મૂળ વાતને સ્વીકારી ચાલવાનું આપણું વલણ હોવું જોઇએ શુદ્ધ શ્રદ્ધાવાનનું એ લક્ષણ છે. આગમે વાંચવા-સાંભળવા ઉપરથી હુ એટલું માનવા–સ્વીકારવા તૈયાર છું કે તે તો તારા મનને રાખર કાબૂમાં આવ્યું, મારે આ નિય મારા આગમ તરફના માનને અગે છે. મારા દિલમાં હે પ્રભુ ! આપનું ચરિત્ર સાંભળતાં લાગે છે કે આપે આવા આકરા મનને પણ કાબૂમાં લીધેલ જ એ વાત ખરી છે, હું તે સાચી માનું છું પણ મનને કાબૂમાં લેવાની જરૂર છે અને આપે મનને કબજામાં લીધેલ હતુ તે વાતને હું આનંદના સમૂહ ! હે પ્રભુ ! જો આપ મારું મન કાબૂમાં આણી દો અને મારે વશ બનાવી દે, તે હું સાચું માનું. આપ તો એવી અચિત્ય શક્તિના ધારનારા છે કે આપ જે ધારશે તે કરી શકશેા. તો પછી આપ મારા મનને કાબૂમાં લાવી દો એટલે પ્રત્યક્ષ પ્રમાણથી હું સાચું માની લઉં કે પ્રભુનું મન પણ વશ થયું હતું. આ એક માગણી કરવાની રીત છે. જો પોતાનું મન વશ થાય તો પ્રભુએ તેમનું પોતાનું મન વશ કર્યું હતું, એ વાતને આ પ્રાણી સાચી માને ! મતલબ, મારું પોતાનું મન કાબૂમાં લઇ આવે એ મારી આપને વિજ્ઞપ્તિ છે. આપની વાત પ્રત્યક્ષ પ્રમાણથી હું પછી જરૂર માની લઇશ અને આપ તો આનંદના ઘન છે, આનંદમય છે, તો આટલું મારું કામ જરૂર કરી આપશે। એટલી આપ પ્રત્યે મારી વિનતિ છે. અનુમાન કે શબ્દપ્રમાણને બદલે આ પ્રત્યક્ષ પ્રમાણની વાત વધારે યાગ્ય થશે અને મારું કામ થશે. આવી રીતે બેવડો લાભ થશે અને મને ખાતરી થઇ જશે કે પ્રભુ પણ એ જ કોટિમાં છે. માટે હે પ્રભુ ! મારું મન વશ આણા, એ કાબૂમાં રહે તેમ કરે અને મને ખાતરી આપો કે આપે પણ દુરારાધ્ય મનને વશ આણ્યુ હતું. (૯) ઉપસહાર આવી રીતે મનને વશ કરવા સંબંધી આ ઘણું મહત્ત્વનું સ્તવન પૂર્ણ થયું. તેમાં આનંદઘનજી ઘણી અગત્યની વાત કરે છે. તે મનનું વણુન કરતાં એને ગમે ત્યાં રખડતું અને આકાશ-પાતાળને એક કરતુ બતાવે છે. ઘડીકમાં અહીં જાય અને પાછું તુરતમાં ત્યાં જાય, Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન [૩૩૯ આવા વિચિત્ર મનને પિતાના કાબૂમાં રાખવું અને પ્રભુ-ભગવાનમાં એને લગાડી એકાગ્ર કરવું, તેવી સ્થિતિ કરી દેવા પ્રભુને વિજ્ઞપ્તિ કરવી એ આ સ્તવનને ભાવ છે. અને જ્યારે આપણે મનને બરાબર અભ્યાસીએ છીએ ત્યારે જણાય છે કે એને કાબૂમાં રાખવું એ ઘણી મુશ્કેલ વાત છે. મનનાં કામો બરાબર વિચારીએ છીએ ત્યારે જણાય છે કે એ તે જરા જરામાં પણ આકાશ ને પાતાળ એક કરી નાંખે. અને નવરા પડીએ કે જરા એકાંત સાધીએ ત્યારે તે એ વધારે જોર કરી જ્યાં ત્યાં રખડવા ચાલ્યું જાય છે અને આપણો સરસ વખત બગાડી નાખે છે. સામાયિક-પૂજામાં પણ એની ચપળતા એટલી બધી છે કે એ સમતાભાવે આરામ લેતું નથી, પણ અતિ ચપળ થઈને દૂર દેશમાં જાય આવે છે અને તેટલા માટે “સસરા હેઠવાડે ગયા” એમ વહુ પાસે સામાયિક કરતા શ્વસુર માટે બોલાવે છે. મનની એક બીજી ખાસિયત છે કે અમુક વિચાર મનમાં ન કરે એ આપણે નિશ્ચય કરીએ ત્યારે તો તે વિચાર બેવડા જોરથી આવે છે. દાખલા તરીકે આપણે કૂતરા સંબંધી આજે કાંઈ વિચાર કરે નથી કે અમુક માણસને યાદ જ કરવો નથી, એમ નિશ્ચય કરીએ ત્યારે તે કૂતરા અને અમુક માણસ તો બરાબર સાંભરે જ. અમુક કામ ન કરવા વિચાર કરીએ તે કામ ખૂબ વખત યાદ આવી આપણા નિશ્ચયને છિન્નભિન્ન કરી નાખે છે. આવું મન હોવાથી એને એક ઠેકાણે પ્રભુમાં એકાગ્ર કરવું એ ભારે મુશ્કેલ કામ છે. એ તો હજાર જાતનાં છટકાઓ શોધશે અને ન યાદ રાખવા જેવી વાતને ફરી ફરીને આપણી યાદદાસ્ત પર લાવશે. આવા મનને વશ કરવા, એકાગ્ર કરવા શું કરવું તે સમજાતું નથી. અને મનને જેમ જેમ સમજાવવામાં આવે છે તેમ તેમ તે વધારે ચપળ બનતું જાય છે. એટલા માટે મનને એકાગ્ર કરવાને વાસ્તુ અંતે પ્રભુને વિનતિ કરવામાં આવે છે. જ્યારે પિતાનું કંઈ ન ચાલે ત્યારે અંતે પ્રભુનો આશ્રય લેવો પડે છે. પ્રાણી જાણે છે કે પ્રભુ તે શુભ નિમિત્ત છે. એ કાંઈ કરવાના નથી અને એનાથી કાંઈ થઈ શકતું નથી, પણ ભગવાન કંઈ કરશે એવી આશામાં પ્રભુને તે વિનવે છે. વસ્તુસ્થિતિ એ છે કે પ્રભુ તે જાતે નિરંજન નિરાકાર છે. એ કદી અવતાર લેતા નથી અને આપણી પાસે આવતા નથી. માટે સર્વ વિજ્ઞપ્તિ એક રીતે નિષ્ફળ છે. પણ પિતે જ જે સર્વ પૌગલિક સંગને ત્યાગ કરી પિતાનું આત્મતત્વ વિચારે તો આ અનંતશક્તિવાળે આત્મા પિતાની ધારણામાં સફળ થાય છે અને તે સ્થિતિ પિતે જ લાવી શકે છે. માત્ર પિતાના આત્માને તે વસ્તુને ક્ષમ કરે જોઈએ અને ધ્યાનધારાએ વધવું જોઈએ. આ ઉપાય પિતાની પાસે હોવા છતાં એ પોતાનું મન વશ કરવા પ્રભુને વિનંતિ કરે છે એ ભક્તિની દષ્ટિએ ઠીક છે, પણ વસ્તુતઃ તો પિતે જ જાતે કમસર આગળ વધવું જોઈએ. મને આવું છે એ સમજી તેને વશ કરવા પ્રયત્ન કરવો અને મનને બરાબર ઓળખવું, એ આખા સ્તવનને ભાવાર્થ છે. એને સમજી જે એને એકાગ્ર કરવા પ્રયત્ન કરશે તે આ ભવ પરભવમાં સુખી થશે અને અંતે અજરામર સ્થાનકે પહોંચશે. માટે મનને કાબૂમાં લેવા પ્રયત્ન કરે અને બહારના કોઈ કરી આપશે એ આશામાં પડી રહેવું નહિ. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦] શ્રી આનંદઘન-ચોવીશી આ કુંથુનાથ ભગવાન, જેમને અત્ર વિનંતિ કરવામાં આવી છે, તેનું નામ કુંથુનાથ પાડવાનું કારણ એમ બન્યું કે ભગવાન જમ્યા પછી કથુઆ વગેરે ની જયણા દેશમાં પ્રવર્તી : એ ભગવાનને પ્રભાવ હતે. અથવા બીજું કારણ એમ કહેવાય છે કે “કુ' એટલે પૃથ્વી, તેમાં સ્થિત એટલે ભગવાન ગર્ભમાં આવ્યા પછી તેમની માતાએ રત્નમય રાશિ પૃથ્વીમાં જે. આ કુંથુનાથ ભગવાન એ જ ભવમાં ચકવર્તી થયા હતા. આવા મોટા આખા ભારતદેશના મહાન સમ્રાટ અંતે દીક્ષિત થયા અને આખું રાજપાટ સેંપી દીધું. તેમનું નગર હસ્તિનાપુર, તેમના પિતાનું નામ શુર રાજા, માતાનું નામ શ્રીમતી રાણી અને તેમની શરીરયષ્ટિ પાંત્રીશ ધનુષ્યની હતી. આવા પ્રભુ તમારી સર્વ વાંછના પૂર્ણ કરે અને મનને એકાગ્ર કરવાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરાવે. (૧૭) ફેબ્રુઆરી : ૧૯૫૦ ] Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરનાથ જિન સ્તવન ધર્મ સંબંધ–મન જ્યાં ત્યાં રખડ્યા જ કરે છે. તેને ઠેકાણે લઈ આવી એક ઠેકાણે એકાગ્ર કરવાની જરૂર છે. હવે આ જીવને વિચાર થાય છે કે દુનિયા “ધમ ધમ કરે છે અને દોડાદોડ કરે છે. એક મંદિરેથી બીજે મંદિરે દોડતા જાય છે, તીર્થમાં જાય છે, ‘જ્ય જ્ય’ કર્યા કરે છે. અને જ્યાં ત્યાં ધર્મને શોધે છે. તો દુર્ગતિમાં પડતાં ધારી રાખે-પકડી રાખે તેવો ખરે ધર્મ ક, એમ પ્રભુ અરનાથને સવાલ કરે છે. ધર્મની બાબતમાં એટલી બધી અક્કસ સ્થિતિ છે કે એમાં ધર્મ કેને કહે અને કેને ન કહે તે સમજ પડતી નથી. આવા સવાલનો જવાબ આપી પ્રભુ ધર્મને સમજાવે છે. આ સંબંધી ઘણું મહત્ત્વના વિચારે પ્રભુએ બતાવ્યા છે. વાત એ છે કે ઉપમિતિભવપ્રપંચ કથાના આઠમા ભાગને અંતે સાચા વૈદ્યની વાર્તા કહી છે એ સાચા વૈદ્યના કહેવા પ્રમાણે જેમણે વર્તન કર્યું, તેના સર્વ વ્યાધિઓ ગયા તેમ એક દેવ અને એક મોક્ષમાં માની કેટલાય માણસોએ પિતાનું કામ સાધ્યું છે અને નિરંતરને માટે વ્યાધિઓથી મુકાયા છે. આ આખી કથા અને તેને ઉપનય સમજવા ગ્ય છે. તે ઉપમિતિભવપ્રપંચ કથા ભાગ ત્રીજાના પ્રસ્તાવ આઠમાં, પૃ. ૨૦૪૩ થી પૃ. ૨૦૨૩ સુધીમાં, છપાઈ ગયેલ છે. આ દર્શનની કેટલી વ્યાપકતા છે તે એ વિભાગ વાંચવાથી સમજાશે. અત્ર સ્થળ સંકેચથી વૈદ્યકથા અને તેને ઉપનય રજૂ કર્યો નથી, પણ તે જૈનની વિશાળતા બતાવે છે અને એક નવીન પદ્ધતિએ આ જમાનાના પુરુષોને બહુ મહત્વની લાગે તેવી રીતે-લખાયેલી હકીકત છે, અને તે સારી રીતે સમજણ-વિચારણા માગે છે. કોઈ પણ શાસ્ત્રકારે અને ખાસ કરીને પુરાણ કાળમાં આવી વિશાળતાપૂર્વક સમજણ કરી હોય તેવું જોવામાં આવતું નથી, તેથી આ વાત સમજવા ગ્ય છે. આવા વિશાળ દર્શનને આ સ્તવનમાં સ્પષ્ટ કર્યું છે. કોઈની સાથે વિરોધ નથી એમ બતાવી પરમસહિષ્ણુતાના પાઠ શીખવવામાં આવ્યા છે અને અહિંસા અને સત્યને આગળ કરી શાસ્ત્રનું રહસ્ય કહેવામાં આવ્યું છે. એમાં સંહિતાની વાત કરેલ છે, તે સંહિતા એટલે સમુચ્ચય કે સંગ સમજ. પદ કે લખાણના સંગ્રહને સંહિતા કહેવામાં આવે છે. તેમાં જ્યાં જ્યાં જૈન મતને અનુકૂળ વાત હોય તે જૈન મતનાં શુદ્ધ બિંદુઓ છે અને તેટલે અંશે તે અનુસરણીય છે. આવી પરમસહિષ્ણુતા તમે અન્યત્ર કવચિત્ જ જશે. અને પિતાને ધર્મ –મત ટૂંકામાં સમજાવે અને તેને છેડી ગાથામાં લઈ મૂકો અને લેકે સમજે તેવી ભાષામાં તેની હકીકત રજૂ કરવી એ અત્યંત મુશ્કેલ કામ Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘન ચોવીશી છે. નકામી વાતો કરનારા અને ટાયેલાં કરનારા તે અનેક માણસો હોય છે, પણ મુદ્દામાં થોડી ગાથામાં આવી અગત્યની વાત સમજાવનારા બહુ થોડા હોય છે તે આપણે સ્તવનની આખરે જોઈશું. રહસ્યને આટલા ટૂંકા સ્તવનમાં સમજાવવું તે અત્યંત મુશ્કેલ કામ છે, તે આનંદઘનજીએ સફળતાથી કરી આપણું ઉપર મોટો ઉપકાર કર્યો છે તે આપણે નીચે જઇશું. આખું સ્તવન રહસ્યમય છે અને ખૂબ લક્ષ્યપૂર્વક સમજવા ગ્ય છે. તમે તેને ખૂબ લક્ષ્યપૂર્વક સમજવા યત્ન કરે એવી ભલામણ કરવામાં આવે છે. આ સ્તવન ખાસ રહસ્યભૂત હેવાથી ખાસ વિચારણા માગે છે અને ઘોળી ઘોળીને પચાવવા યોગ્ય છે. સ્તવન (રાગ પરછ માસ : અષભવંશ યણાય-એ દેશી.) (એક પ્રતમાં ઋષભનો વંશ રાયણાયરો-એ દેશી એમ લખેલ છે.) ધરમ પરમ અરનાથનો, કિમ જાણુ ભગવંત રે; પર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે. ધરમ૦ ૧ અથ–ભગવાન પ્રભુ શ્રી અરનાથને ધર્મ ઉત્કૃષ્ટ છે, બહુ જ સરસ છે, તેને હે ભગવાન ! હું કયા પ્રકારે, કઈ રીતે જાણું? તે માટે આપ પિતાને ધર્મ અને પારકે ધર્મ અથવા બીજો ધર્મ મને ખુલાસાપૂર્વક જણાવે. આપ તે અણિમા–મહિમા વગેરે ગસિદ્ધિવાળા છો અને આપ પિતે મેટા ત્યાગી છે ! આપને ઉદ્દેશીને હે સાધુપુરુષ ! આપ મારા પર કૃપા કરી એ બન્ને વાત સમજાવે. (૧) ટો—આ સ્તવન પર જ્ઞાનવિમળસૂરિને ટબ ભાષાને વર્તમાન બનાવી નીચે પ્રમાણે આપે છે. એ શ્રી કુંથુ જિનના સ્તવનને વિષે મન વશ કરવું તે દુર્ગમ કહ્યું તે મન વશ કરવાને ધર્મ એક હેતુ છે, તે ધર્મસ્વરૂપે પ્રભુને-શ્રી અરનાથ જિનને–સ્તવે છે-કહે છેઃ ભવ જલને આરે–પરતરે પહોંચાવે તે શ્રી અરનાથ સ્વામીને પરમ ઉત્કૃષ્ટ ધર્મ, તેને હે ભગવન ! કેમ કરી જાણું છું? સ્વસમય–સ્યાદ્વાદ, પરસમય અપર કુદર્શન ગ્રહે કેમ સમજાવીએ તે પરમ ધર્મને, મેટા મહિમાવંત હે પ્રભુ ! અથવા સ્વસમય! (૧) પાઠાંતર—“સમય” સ્થાને એક પ્રતમાં “સમલૈ” પાઠ છે. “સમજાવીએ” સ્થાને પ્રતવાળે “સમાવઈ ' પાઠ લખે છે. (૧) શબ્દાથ ધરમ = ધમ, પ્રાણીને દુર્ગતિએ પડતાં જે ધરી રાખે તે ધર્મ. પરમ = સુંદર, સાર, સવથી સરસ અરનાથને = અરનાથ નામના અઢારમા પ્રભુ. કિમ = કેમ, કઈ રીતે, ક્યા પ્રકારે. શું પ્રકારે. જાણું = સમજી : શક, ગળે ઉતાર્ડ, ગ્રાહ્યમાં લઉં. ભગવંત = નાથ, પ્રભુ, પરમાત્મા. સ્વસમય = આપને સ્યાદ્વાદ સમય, આપે સ્વીકારેલે ધમર, પરસમય = અન્ય સ્વીકારેલે ધમ, અન્ય-પર લોકોને-પારકાને ધર્મ. સમજાવીએ = ખુલાસા. પૂર્વક વણવીએ, સંક્ષેપમાં કહીએ. મહિમાવંત = હે પ્રતાપવાન, યશવાન ! મહિમા સિદ્ધિવાળા ! મ ટે સ્વરૂપ યોગની સિદ્ધિવાળા. મહંત = મોટા સાધુ, મઠાધિકારી, માણસ ! ( સંબોધન) (૧) Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : શ્રી અરનાથ જિન સ્તવન [૩૪૩ વિવેચન--અરનાથ ભગવાનને ઉત્કૃષ્ટ ધર્મ શું છે તે છે મોટા ભગવાન ! આપ મને સમજાવે. આપને પિતાને ધર્મ શું છે અને પારકાને ધર્મ શું છે, તે મને આપ કૃપા કરીને કહો. આ સવાલના જવાબમાં ઘણું સંક્ષેપથી પોતાના અને પારકાના ધર્મને સાર શો છે તે કહે છે. અહીં પ્રાણું પિતાની અજાણ દશા બતાવે છે. તે કહે છે કે હું તે સંસારમાં ફસાઈ ગયેલ છું અને ધર્મનું રહસ્ય શું હશે તે હું કાંઈ જાણી શકતો નથી, તો આપ મને સમજાવો કે આપને પિતાને ધર્મ શું છે અને પરધર્મ શું છે ? જ્ઞાન પ્રાપ્ત કરવાને અંગે સવાલ પૂછીને તેના જવાબ મેળવવાની રીતિ બહુ પ્રચલિત છે. ભગવતીસૂત્રમાં જાણે ભગવાનને ગૌતમસ્વામીએ સવાલે પૂછયા હોય અને ભગવાને તેના જવાબ આપ્યા હોય તે રીતે લગભગ છત્રીસ હજાર સવાલજવાબ આપ્યા છે. જેનની આ જ્ઞાન મેળવવાની રીતિ સુપ્રસિદ્ધ છે. આનંદઘને પણ એ પદ્ધતિ સ્વીકારી છે. આપ પિતે મહિમાવાળા મેટા માણસ છે તેથી કૃપા કરીને આપ સ્વ અને પરસમયને મુદ્દામ રીતે બતાવશે અને આ સેવકનું આટલું કામ જરૂર કરી આપશે. આપના પ્રતાપની તો હે મહંત પુરુષ ! વાત શી કરવી ? જે દેવાધિદેવ ઇંદ્રને કે ચક્રવર્તીને પૂજિત છે તે બધી રીતે મોટા છે એ વાત હું જાણું છું. મનને વશ કરવાની વાત પછી સ્વસમય અને પર સમયને સવાલ ઊઠે તે તદ્દન સ્વાભાવિક છે. ભગવાન આ અગત્યના સવાલને શું જવાબ આપશે. તે આગમી ગાથામાં આવશે. (૨) શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસ રે; પરબડી છાંહડી જે પડે, તે પર સમય નિવાસ રે. ધરમ૦ ૨ અર્થ તેના જવાબમાં ભગવાન ઉત્તર આપે છે–જ્યાં પવિત્ર આત્માને અનુભવ થાય ત્યાં હમેશાં સ્વસમય-મારે ધર્મ છે અને તે ત્યાં જ કરે છે, એમ (તારે) સમજવું. અને જ્યાં વાર તહેવારે કઈ કોઈ વાર મેડી મેડી છાયા પડે, એને આત્માનુભવ કોઈક જ વાર પાઠાંતર–શુદ્ધાતમ’ સ્થાને પ્રતમાં “ સુધાતમ’ પાઠ છે. “પરબડી’ સ્થાને પ્રતવાળો “પરવડે ” પાક લખે છે. જે ” સ્થાને પ્રતમાં “જિહાં ” લખે છે; એક પ્રતમાં “જિહ” પાઠ છે. “પડે ' સ્થાને પ્રતવાળા પ” લખે છે. (૨) શબ્દાર્થ –શુદ્ધ = પરમ પવિત્ર, એકલે, જેમાં માત્ર આત્માનુભવ થાય છે. આતમ અનુભવ = આત્માને અનુભવ, જેમાં એક્લી આત્માના અનુભવની વાત કહેલી હોય તે. સદા = સર્વદા, એક્લી, માત્ર, સ્વસમય = પતાને સમય-ધર્મ, સ્વસમય-મારા ધર્મનું એ લક્ષણ છે. એહ = તે જ, તે એલી. વિલાસ = મેજ, કીડા, આનંદ, પરબડી = ડુંગરની, કેઈક વારે આવે તેવી, મોડી મોડી કોઈ વાર થાય તેવી. છાંહડી = છાયા. , કોઈ વાર અને મોડી મોડી આવે છે. જે = જે કઈ કઈ કઈ વાર આવી ચઢે. પડે = ઓચિંતી આવી પડે, કઈ કઈ વારે થાય, મોડી મોડી થાય. તે = ત્યાં, તેવી જગાએ. પરસમય = પારકાના ધમને. પિતા સિવાયના ધર્મને. નિવાસ = સ્થાન છે, ત્યાં પરધર્મ રહે છે એમ જાણવું. (૨) Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪] શ્રી આનંદઘન–વીશી થાય તે પરસમય-મારા સિવાયનો ધર્મ છે. (એમ તારે સમજવું), ત્યાં પરસમય (તારે જાણવું). (૨) ટબો–શુદ્ધ નિરુપાધિક જે આત્માનો સ્વભાવ, સદા-નિરંતર અહી જ સ્વસમય-જૈન આગમ તે જ; વિલાસ-લીલા છે. પર કહેતાં પુગળની વડાઈની છાંડી-છાયા તથા પરબડિ કહેતાં સ્વ ઇચ્છા જ્યાં પડે તે જ પરસમયને વિલાસ, એટલે જે ઇચ્છાચારી અશુદ્ધ અનુભવ તે જ પરસમય. (૨) વિવેચન-અહીં ભગવાન પિતે જવાબ આપે છે. આ જવાબ ઘણો જ ટૂકે છે. આખા શાસ્ત્રનું એ રહસ્ય બતાવે છે આવો એ મહત્ત્વને જવાબ છે. વિશુદ્ધ આત્માનો-કર્મ મેલથી રહિત આત્માને-જ્યાં અનુભવ થતો હોય, જેમાં આત્માનુભવની વાત કરેલ હોય, ત્યાં સ્વસમય છે, એમ તારે સમજવું, આત્મિક દશા મોક્ષમાં કેવી હોય એટલે આત્મા મોક્ષમાં એની અસલ સ્થિતિએ કેવો વતે છે, એને અનુભવ કરવાની જે વાતે હોય તે સર્વ સ્વસમયની વાત છે. એટલે આત્માને સ્વભાવ ઊર્ધ્વગામી હોવાથી એના અનુભવની વાત હોય. આત્માની જુદી જુદી દશાએ કેવી વર્તતી હોય છે અને મૂળ સ્વભાવે એ કેવો વર્તતે હોય છે એ ઉન્નતગામી ઊર્ધ્વ વાતે સર્વ સ્વસમયની છે. આત્માનુભવ એની મૂળ વિશુદ્ધ અવસ્થામાં કે થાય, તેનું જ્યાં જ્યાં વર્ણન કરવામાં આવેલ હોય ત્યાં પોતાના સમયની વાત છે એમ જાણવું. શુદ્ધ નિર્મળ આત્માના સંબંધી સર્વ વાતે સ્વસમયમાં આવે છે. આત્મા એની કર્મમલરહિત દશામાં કે નિર્મળ હોય, એ કેમ વતે, એ સંબંધી થયેલ અનુભવની વાત જ્યાં હોય ત્યાં સ્વસમય -જૈનધર્મ છે એમ તારે જાણવું. આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે અને પુદ્ગલને સ્વભાવ અધોગામી છે. જ્યાં આત્માના મૂળ ગુણને અનુભવ થતું હોય, તેવી વાતે જૈન ધર્મમાં છે. આ જૈનધર્મના તત્વજ્ઞાનની ચાવી સમાન વાત છે અને બરાબર સમજવા યોગ્ય છે. તમે જસવિલાસ, જ્ઞાનવિલાસ કે વિનયવિલાસ જેશે તો તેમાં આત્માના નિર્મળ ગુણની વાત કરેલ છે. આત્મા નિર્મળ હોય ત્યારે કેવો હોય અને શું કરે તેની વાત એ સ્વસમયની વાત છે. આ “વિલાસ’ શબ્દ બહુ સમજવા યોગ્ય છે. ખેલ” અથવા “કીડા” એને પર્યાય છે. માણસ આનંદ કરે ત્યાં પણ આવા પ્રકારને આત્માનુભવ કરે અને એમાં મોજ માણે. આ વિલાસ વિનયવિલાસ, જસવિલાસ કે જ્ઞાનવિલાસમાં તમે જોશે. આનંદઘનજીનાં પદોમાં અને અનેક સ્તવન–સઝા (સ્વાધ્યાય)માં એ જ વાત છે. અને પરબના દિવસે, વાર-તહેવારે, કઈ કઈ વાર છાંયડીની જેમ જે આવી ચઢે તે પારકાના શાસ્ત્રનું નિવાસસ્થાન–રહેવાની જગ્યા છે એમ તમારે જાણવું. એટલે, કોઈ કોઈ વાર એવી છાયા આવે, ઘણી વાત તે બીજી-ત્રીજી હોય, પણ જયારે આત્માનુભવની કથા કઈ વાર જ આવતી હોય તે તે પરસમયસ્થાન છે એમ વિચારણામાં લેવું. સમય કે પારકાના Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧૮: શ્રી અરનાથ જિન સ્તવન [૩૪૫ ધર્મમાં આત્માનુભવની વાતે કઈ કઈ વાર જ હોય છે, એમાં પગલિક ભાવની વાતે વધારે હેય છે. આવું જે શાસ્ત્રલક્ષણ હોય તે પરસમય છે એમ તમારે સમજવું. સ્વસમયમાં આત્માનુભવની વાત હોય છે અને પરસમયમાં પૌગલિક વાત હોય છે. સમયને ઓળખવાની ચાવી આવી રીતે સંક્ષેપમાં બતાવી. “પરબડી એ “વારપરબ” પરથી આવેલ શબ્દ છે. એને અર્થ કેઈ વાર તહેવાર એમ થાય છે. એટલે કેઈ કોઈ વાર છાયા માત્ર આત્માનુભવની વાત આવે તે પરસમયની વાત છે એમ સમજવું. અન્ય સર્વ શાસ્ત્રોમાં આત્માનુભવ, વૈદ્યકથાનકની પેઠે કઈ કઈ વાર જ જોવામાં આવે છે. બૃહસ્પતિ જેવા પરલોકને માને નહિ, તેનામાં આત્માનુભવની વાત ન હોય તે પણ પરસમય છે; અને કોઈ કોઈ વાર જરા આત્માનુભવ થાય તે પણ પરસમય છે, એમ તારે સમજવું. જ્ઞાનવિમળસૂરિ તે “પર” એટલે “પુદ્ગલ” અને “બડી” એટલે “કથન' એવો અર્થ કરી જ્યાં પૌગલિક વિષેની ચર્ચા હોય એટલે જેનામાં પૌગલિક વાતે જ હોય તેને પરસમય કહે છે. તે અર્થ પણ વિચારવા જેવો છે. પર એટલે બીજાની–પુગલની વાતે : આ પ્રમાણે અર્થ પણ શક્ય છે; પણ મૂળમાં જે અર્થ આપે છે તે ઉપર જણાવ્યું છે, તે પ્રમાણે અર્થ કરવો મને વધારે ઠીક લાગે છે. અમુક વાતને નિષેધ નહિ, પણ, વૈદ્યકથાનકની પેઠે, કોઈ કઈ વાર છૂટીછવાઈ છાયા આવી જાય તે પરસમયને ઓળખવાની રીત છે, એ વાત અહીં બતાવી. અમુક તત્ત્વજ્ઞાન સ્વસમય કે અપરે છે તે જાણવાની આ વાત કહી તે નયના જ્ઞાનની ખૂબ વિચારણા માગે છે, અને સારી રીતે સમજવા યોગ્ય ચાવી પૂરી પાડે છે. એ જ વાતને વિસ્તારથી આગળ કહેવામાં આવશે. (૨) તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જ્યોતિ દિનેશ મોજાર રે દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધાર રે. ધરમ૦ ૩ પાઠાંતર–“નક્ષત્ર” સ્થાને બન્ને પ્રતમાં “નધ્યત્ર” લખ્યું છે. “દિનેશ 'ને બદલે એક પ્રતવાળે “દિનાસ” લખે છે. મજાર” સ્થાને પ્રતવાળા “મઝારિ ” લખે છે; એક પ્રતમાં “માઝારિ” છે. “ચરણ થકી” સ્થાને ચરણ તણી” લખ્યું છે. “શકિત” સ્થાને પ્રતવાળા “શક્તિ” લખે છે. “નિજાતમ’ સ્થાને બને પ્રતમાં ન જાતિમ” પાઠ છે. “ધાર રે ” સ્થાને “મઝારિ” પાઠ છે; તેનો અર્થ “તેમાં ” એમ થાય છે. બીજી પ્રતમાં સારીસે' લખ્યું છે. શબ્દાર્થ –તારા = આકાશમાં અનેક તારાઓ છે, આપણે રાત્રે તેને દેખીએ છીએ, તેઓ ઝળઝળાટ પ્રકાશ કરે છે. નક્ષત્ર = કૃત્તિકા, રોહિણી વગેરે અનેક નક્ષત્રો રાતે ઝળકે છે. ગ્રહ = બુધ, ગુરુ, શુક વગેરે રહે આકાશમાં રાતે ઝળકે છે. ચંદ = ચાંદે આકાશમાં શુદ પક્ષમાં પ્રકાશે છે. જ્યોતિ = તેજ, પ્રકાશ, ઝળઝળાટ. દિનેશ = સુય; એ સર્વની જ્યોત સૂર્યમાં છે, સૂર્ય પાસે તે ઝાંખાઝબ લાગે છે તેમ. દરસન = દર્શન, સામાન્ય જ્ઞાન, વિશેષ વિગતો વગરનું જાણવાપણું. જ્ઞાન = વિશેષ જાણવાપણું, વિગતવાર સમજણ. ચરણ = ચારિત્ર, ચર્યા. થકી = થી, લીધે, તેનાથી થયેલી. શક્તિ = બળ. નિજાતમ = નિજ આત્માની, પિતાના આત્માની. ધાર = સમજ, ગણી લે. (૩) ४४ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬] શ્રી આનંદઘન-વીશી અથ–આકાશમાં (અનેક) તારાઓ છે તથા (કૃત્તિકા, રહિણી આદિ) નક્ષત્ર છે તેમ, જ ગુરુ, શુક વગેરે ગ્રહો છે તથા ચાંદે છે. તે સર્વની તિ–સર્વને પ્રકાશ-સૂર્યના પ્રકાશ પાસે કાંઈ નથી, એમાં સર્વ ઝળકાટને સમાવેશ થઈ જાય છે. તેમ જ વિશેષતા વગરનું જાણુપણું, વિશેષતાવાળી સમજણ અને ચર્યાની શક્તિ-બળ પિતાના આત્મામાં છે એમ તું જાણીસમજી-વિચારી લે. (૩) ટબે–તારા, નક્ષત્ર, ગ્રહ, ચંદ્રમાની તિ દિનેશ-સૂર્યમાં સમાણી, પણ સૂર્યતેજ નિજ જાતિ વિના ન રહે, તેમ દર્શન, જ્ઞાન, ચારિત્રની શક્તિ શુદ્ધાતમ અનુભવ સ્વસમયમાં, પણ અપર જ્યોતિ પરસમય, તેમાં ન માને. (૩) - વિવેચન—તારાઓ, નક્ષત્ર, ગ્રહો અને ચંદ્ર–એ સર્વનું તેજ સૂર્ય આગળ ઝાંખું થઈ જાય છે. એક સૂર્યના પ્રકાશમાં તે સર્વને પ્રકાશ સમાઈ જાય છે. ગ્રહો અને ચંદ્રને પ્રકાશ સ્વતંત્ર નથી, પણ તેઓ સૂર્યના પ્રકાશને જેરે પ્રકાશે છે એમ આધુનિક વિજ્ઞાન કહે છે. પણ સ્તવનકર્તાને આશય એ છે કે એ તારા વગેરે સર્વને પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે, સૂર્ય ઊગે ત્યારે તેને પ્રકાશ દેખાતું નથી. આ અર્થ બરાબર છે. જ્ઞાનવિમળસૂરિ કહે છે કે તારા વગેરેને પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે તે અર્થ મને વધારે બંધબેસતે લાગે છે. બાકી તે એને માટે જે શેધળ થવી જોઈએ તે હજુ થઈ નથી. એટલે એની વાત તે જ્ઞાનીગમ્ય જ રહેશે. કહેવાની વાત, દાખલા તરીકે, મને એમ લાગે છે કે સૂર્ય ઊગે ત્યારે તેના પ્રકાશ પાસે તારા, ચંદ્ર, ગ્રહો અને નક્ષત્રો એટલા બધા ઓછા ઝળકે છે કે તેને પ્રકાશ સૂર્યના પ્રકાશ વખતે નકામા થઈ જાય છે; સૂર્યના પ્રકાશમાં સર્વ પ્રકાશને સમાવેશ થઈ જાય છે. એ વાતને હવે આત્માનુભવ સાથે સરખાવે છે. તે દાખલાને કેવી રીતે લાગુ કરે તે હવે આપણે જોઈએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેના અનેક પર્યાયે થાય છે. દર્શનથી નિરાકાર સામાન્ય જ્ઞાન થાય છે. માણસ છે કે હેર છે વગેરે વિગતે જ્ઞાનથી જાણે. ચારિત્રના સામાયિક ચારિત્રથી માંડી યથાખ્યાત ચારિત્ર સુધી અનેક પર્યાય જાણે. આ જ્ઞાન-દર્શનના અને ચારિત્રના અનેક પર્યાય જાણે પણ તે સર્વ એક આત્મિક દ્રવ્યને બતાવે છે, તેને ઉદ્દેશીને થાય છે. જેમ પર્યાયે અનેક છે, પણ આત્મિક દ્રવ્ય એક જ છે, તેમ અનેક તારા, નક્ષત્ર, ચંદ્રનું તેજ હોય, પણ સૂર્યના તેજ પાસે તે ઝાંખું થઈ જાય છે. આત્મા તે એક જ દ્રવ્ય છે, તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર અનેક પર્યાયે થાય, પણ તે આત્માને ઉદ્દેશીને થાય અને તે અંતે એ આત્મામાં સમજાઈ જાય છે. આ સર્વ આત્માના ગુણ છે એમ હે પ્રાણ ! તું ધાર-સમજ. આ સર્વ એક આત્મિક દ્રવ્યનાં પરિણામ છે તેમ તું જાણુ. આત્મા ન હોય તે તેને પર્યાયે પણ ન હોય એમ સમજી એક આત્મિક દ્રવ્યની મહત્તા તું સમજ. એટલે આ સર્વ પર્યાયે આત્માના છે. એટલે સર્વ પ્રકારનાં તેને—પછી તે તારાનાં હોય કે ચંદ્રનાં હોય, તે સર્વ–સૂર્યના તેજમાં સમાઈ જાય છે તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રના અનેક જુદા જુદા પર્યાયે થાય, પણ તેને સર્વને સમાવેશ એક આત્માનુભવમાં થાય છે. પર્યાયે ગમે તેટલા થયા કરે, પણ તે મૂળ દ્રવ્ય એક આત્માને Page #363 -------------------------------------------------------------------------- ________________ [૩૪૭ ૧૮ : શ્રી અરનાથ જિન સ્તવન અંગે જ છે એમ તારે સમજવું. આત્મા દ્રવ્ય એક છે, પણ એના પર્યાયે અનંત છે. આ આત્માના અનંત પર્યાયે હોવા છતાં આત્માને એક જ દ્રવ્ય સમજે એ ચાવી છે. આત્માને બરાબર ઓળખાય તે સર્વ વસ્તુ સહેલાઈથી સમજાઈ જાય છે. મતલબ, એ જ્ઞાન, દર્શન, ચારિત્ર પણ આત્માના જ આવિર્ભાવ છે અને આત્મા એક જીવવાળું માત્ર દ્રવ્ય છે એમ સમજ. આ મુષ્ટિજ્ઞાન બહુ મુદ્દામ છે. આ વાતને આવતી ગાથામાં પણ દાખલે આપી વધારે મક્કમ રીતે સમજાવશે. (3) ભારી પીળા ચીકણો, કનક અનેક તરંગ રે; પર્યાયદષ્ટિ ન દિજીએ, એક જ કનક અભંગ રે. ધરમ૦ ૪ અર્થ–તેલમાં ભારે, રંગે (વણે) પીળા હળદર જેવા અને ગુણે ચોંટી જાય તેવા સોનાને એકથી વધારે જાતને દેખાવ થાય છે, પણ એ પર્યાય (રૂપ-આવિર્ભાવ)ની નજરે ન જોઈએ તે સોનું એકલું અખંડ દેખાય છે. (૪) – ભારી–ગુર, પીલે તે પીતવર્ણો, ચીકણો–સ્નિગ્ધ—એ સર્વ અનેક તરંગ-વિલાસ કનકને વિષે એ સર્વ પર્યાયદષ્ટિ; અને તેણે ન જોઈએ તે વારે કનક તે અભંગ દ્રવ્યર્થ છે તેમ ઉપને કરે છે. (૪) વિવેચન—એક સોનાને દાખલે આપણે લઈએ. એના વિશેષ આકારમાં એ તેલમાં ભારે ધાતુ છે. કલઈ કે મારા જેવી ધાતુના કરતાં તે તેલમાં ભારે છે. એની specific gravity એટલે સ્પષ્ટ ગુરતા સર્વ જાણીતી સાત ધાતુઓથી વધારે છે. આવી તેલમાં ભારે ધાતુને આપણે સોન તરીકે જાણીએ છીએ. એ એને વિશેષ આકાર છે અને બધી જાણીતી ધાતુથી એને જ પાડે છે. અને એનો રંગ પીળું દેખાય છે. ચાંદી સફેદ કે લેતું કાળું પણ સેનું રંગમાં પીળું હોય છે. આ સોનાની પીળાશ એ એને બીજી ધાતુઓથી જુદું પાડે છે. અને એ ગુણે કરીને ચીકાશદાર-સ્નિગ્ધ હોય છે. એના પરમાણુ એકબીજાને વધારે જોરથી લાગેલા હોય છે. સેનાને તમે જરડે ચઢાવે તે તેના પરમાણુઓ એકબીજાને જોરથી વળગી રહેશે, તે તૂટી નહિ જાય, લાંબું લાંબું થયા જ કરશે. આ જાતને ગુણ સેના ધાતુમાં સવિશેષ હોય છે અને સ્નિગ્ધતા-ચીકાશી ગુણ એને એ બધી ધાતુમાંથી જુદું પાડે છે. આવી રીતે સેનાની હરાઠી, મેહનમાળા, કંદરે : એવા એવા સેનાના અનેક પ્રકારે થાય છે, એ એનાં વિશેષણ છે. - પાઠાંતર-પીળો” સ્થાને પ્રત “પાલી ” લખે છે. “દિજીએ સ્થાને પ્રતવાળા “ દિજિયે લખે છે બીજી પ્રતવાળા “દીજી ” લખે છે. પર્યાયદષ્ટિ” સ્થાને પ્રતમાં “પર્યયદૃષ્ટિ” છે, અર્થ એક જ છે. (૪) શબ્દાર્થ –ભારી = તોલમાં ભારે, સર્વ ધાતુમાં સુવર્ણ ભારે હોય છે. પીળા = વણે પીળા, રંગે હળદર જે. ચીકણો = ગુણે ચુંટી રહે તેવું. કનક = સુવર્ણ, સોનું. અનેક = બહુ, એકથી વધારે. તરંગ = જાતિનું, જુદા જુદા પ્રકારનું. પર્યાયદષ્ટિ = જુદા જુદા રૂપની અપેક્ષા. ન દિજિયે = ન આપીએ, ન કરીએ તો. એક જ = એકલું. કનક = સુવર્ણ, સેનું. અભંગ = અખંડ, માત્ર, એકલું, (૪) Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] શ્રી આનંદઘન-ચાવીશી એ એને માટેની પર્યાયષ્ટિ છે. પર્યાયષ્ટિએ સાનું ખીજી ધાતુથી આવી રીતે જુદું પડે છે. અને સેાના ધાતુ તરીકે પર્યાયષ્ટિએ જાણીએ છીએ, બીજી ધાતુથી જુદું પાડીએ છીએ. પણ એ પર્યાયષ્ટિ મૂકી જોઇએ તે એક અને અભંગ સોનું જ છે, એના કાંઇ ભેદ પડી શકતા નથી. સેાનું ત્રણ કાળમાં સાનું જ રહે છે, તેથી સેાનામાં ભારેપણાની પીળાપણાની કે સ્નિગ્ધતા કે જુદાં જુદાં ઘરેણાંની કલ્પના કરવી તે પર્યાયષ્ટિ છે. આટલા ઉપરથી શું સમજવું તે આવતી ગાથામાં કહેશે. આ દ્રષ્ટિ અને પર્યાયષ્ટિ ખરાખર સમજવાની વ્યાખ્યા છે અને તે માટે ઉપાધ્યાય શ્રીમદ્ યજ્ઞેશવિજયજીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ બનાવી આપણા ઉપર મેટો ઉપકાર કર્યા છે. એ જોવાથી દ્રવ્ય, ગુણુ અને પર્યાય સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવે છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયાને સ્પષ્ટ જુદા જુદા સમજવા તે જૈન તત્ત્વજ્ઞાન સમજવાની ચાવી છે; અને બહુ વિચારણાપૂર્વક ગઠવાયલા એ જૈન તત્ત્વજ્ઞાનના અગત્યના વિષય છે. આ દાખલાની સમજણુ આવતી ગાથામાં કરવામાં આવશે. (૪) દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક રે; નિરવિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિર ંજન એક રે. ધરમ૦ ૫ અ—તે પ્રમાણે સામાન્ય ઉપયેગે, વિશેષ ઉપયાગે અને ચારિત્ર દૃષ્ટિએ અલક્ષ્ય આત્માના અનેક આવિર્ભાવ નજરમાં આવે, છે, પણ ભેદ વગરનું તેનું ધ્યાન કરવામાં તે તે જાતે પવિત્ર છે, દોષ વગરના છે અને એક જ માત્ર છે, તે આત્મા તે વખતે અભેદ્યપણે દેખાય છે. (૫) ઢો—તેમ આત્મા દર્શીન, જ્ઞાન, ચારિત્રપર્યાયે અલખ સ્વરૂપ : લખ્યું-કલ્પ્યા ન જાય એવા છે, અનેકલેન્રી છે. પર્યાય દ્રવ્યે જ્યાં રહે નિર્વિકલ્પ નિરુપાધિક રસે પીજીએ. અત્યંત સાદરે, પણ આત્મસ્વરૂપ ગવેષીએ તે વારે શુદ્ધ નિરંજન દ્રવ્યાથે` એક છે. (૫) વિવેચન—તે જ દાખલા પ્રમાણે—જેમ સોનાના અનેક તરંગ થાય છે તેમ-દનથી, જ્ઞાનથી અને ચારિત્રથી આત્માના-અલક્ષ્યના અનેક તર ંગા-પર્યાયેા થાય છે. સામાન્ય ઉપયેગે તે જાતિઓને જુએ છે, તેનામાં તે તન્મય થઇ જાય છે, અને તે તેનું દન બને છે. તેમાં તે માણસાને, જનાવર કે પક્ષીને, સુખદુઃખને સામાન્ય પ્રકારે જુએ છે. પછી જરા જ્ઞાન-ઉપયાગ થાય ત્યારે તે વધારે વિગતવાર હકીકતા જુએ છે. માણસનાં નામ, તેને ર'ગ, તેની જાતિ અને અનેક વધારે વિગતે તેના જાણવામાં આવે છે. આ સર્વ જ્ઞાનનું પરિણામ છે. તેવી જ પાઠાંતર— પીજિયે ' સ્થાને પ્રતવાળા ‘ પીછઇ' લખે છે, અ ફરતો નથી. (૫) — શબ્દા — જ્ઞાન = વિશેષ વિગતવાર જાણવું તે. દરશન = સામાન્ય જાતિનું ભાન. ચરણ = ચર્ચા, ક્રિયા –ચારિત્રની નજરે. થકી = થી. અલખ – અલક્ષ્ય, ન સમજી શકાય તેવા, આભા. સરૂપ = સ્વરૂપ, આવિર્ભાવ. અનેક = ધણા, એકથી વધારે. નિવિકલ્પ = ભેદ વગરનું. રસ = ધ્યાન. પીજિયે = પીએ, લઈ એ. શુદ્ધ = દોષ –મેલ રહિત. નિરંજન = લેપ–દોષ વગરના. એક = માત્ર એક જ છે. (૫) = Page #365 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : શ્રી અરનાથ જિન સ્તવન [૩૪૯ રીતે ચારિત્ર ઉપગ મૂકે તે અનેક ચર્યા કરતે દેખાય છે. તે સામાયિકમાં સ્થિત હોય તે તેમાં તથા યથાખ્યાતાદિ ચારિત્રમાં રમણ કરતા દેખાય છે. આવી રીતે દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિવિધતાથી તે જે ઉપગ મૂકે તે તેને પર્યાય દેખાય છે. છતાં તે જ વખતે, એ અલક્ષ્ય -આત્માના આ રીતે અનેક પર્યાયે થાય છે, તે ઉપરાંત એના કર્મના સંગે પણ અનેક પર્યા થાય છે તેને એકેદ્રિયથી માંડીને પંચેદ્રિયપણું મળે, તેમ જ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી આદિ ગતિ મળે વગેરે તેના અનેક પર્યાયે થાય છે. એ જ અલખ-આત્માને નિવિકલ્પભાવે જોઈએ, શાંતભાવે નીરખીએ તે સેના તરીકે તે એક જ જણાય. આત્માના જ્ઞાનાદિ ભાવે કે કર્મસંગે અનેક પર્યાયે થઈ શકે છે, પણ સર્વ સંકલ્પ-વિકલ્પ તજી દઈએ અને શાંત ભાવે એકલા આત્માને જોઈએ તે આવરણ વગરને તે એકલે જ લાગે. જેમ સેનાનાં અનેક ઘરેણાં થાય છે, પણ અંતે તે એકલું સોનું જ રહે છે, તેમ અલક્ષ્યના અનેક પર્યાયે થાય પણ તે આત્મા સર્વ વિકલ્પ છોડે તે આવરણ વગરને એક આત્મા જ દેખાય. કારણ કે એની અંતિમ દશામાં તે શુભ કર્મો પણ એને છોડી જ દે છે. કારણ કે તે પણ સેનાની બેડી છે. અને, સેનાની હોય કે ગમે તેની, બેડી તે અંતે બેડી જ છે. આત્માના સંકલ્પ જાય ત્યારે તે આવરણ વગરને એક આત્મા જ દેખાય છે અને તેના સર્વ પર્યાયે તરફ નજર પણ નથી પડતી. આ ઉપરથી નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરી આત્માનું આત્મત્વ જ ધ્યાવવા અને પ્રાપ્ત કરવા ગ્ય છે એ વાત પણ કરી નાખી. આ અનેક પર્યાયે અત્યારે આત્માના થઈ રહ્યા છે તે દર કરી એની અસલ સ્વાભાવિક રિથતિએ એ નિરાવરણ એક જ છે, એ સ્થિતિ સોનાના દBતે વિચારવી અને તે પ્રાપ્ત કરવા પ્રયાસ કરે, એ જૈનધર્મનું તત્વજ્ઞાન સમજવાની એક અતિ અગત્યની ચાવી છે. આ ગાથાથી આત્માનુભવ અને પરબડી છાંયડી દાખલાપૂર્વક સમજવામાં આવ્યાં હશે. (૫) પરમારથ પંથે જે કહે, તે રંજે એક તંત રે; વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે. ધરમ૦ ૬ પાઠાંતર–પંથ સ્થાને એક પ્રત લખનાર “પંચ” લખે છે. “ કહે ” સ્થાને પ્રત લખનાર “ કહે ” લખે છે. જે સ્થાને પ્રત લખનાર “જે ' લખે છે: “વ્યવહાર સ્થાને પ્રતમાં “વ્યવહારી' શબ્દ લખેલ છે. “રહે સ્થાને પ્રતમાં રહૈ” લખે છે. (૬) શબ્દાર્થ–પરમારથ = પરમાર્થ, નિશ્ચયનયની નજરે જોતાં. પંથ = માર્ગ, રસ્તો. જે = જે મનુષ્યો. કહે = સમજાવે, બેલે. તે = તે માણસ. જે = રીઝે, રાજી થાય, આનંદ પામે. એક = માત્ર એક વધારે નહિ. વ્યવહાર = વ્યવહારનયે, ચાલુ પરિસ્થિતિમાં. લખ = સાધ્ય, લય, દેખાય તેવા રૂપને. જે = જે માણસ. રહે = જોઈ રહે, સમજે, ટેક, જાણે. તેહના = તેના ભેદ = પર્યાય, જુદાપણું. અનંત = અંત વગરના, છેડા વગરના. (૬) Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦] શ્રી આનંદઘન-વીશી અર્થ_નિશ્ચયમાગે જે ચાલે છે તે એક તંત્રમાં રાજી થઈ જાય છે, બાકી વ્યવહારનયની દૃષ્ટિએ જે લક્ષ્યને ધ્યાન પર લે છે તેના તે અનંતા પ્રકારે છે. (૬) ટબો—જે પરમારથ પંથે-મોક્ષપથ, તે કરે તે એક આત્મદ્રવ્ય, શુદ્ધ નિશ્ચય એકને નિર્ણય કહે. અને જે વ્યવહારે લખે તેના તે અનંત ભેદ છે, આજ્ઞા આચરણ ભવ્યત્વાદિ ઉપાદાનકારણુતા અનેક ભેદ ભાવે-શુદ્ધ વ્યવહારે નેવે (૬). વિવેચન–પિતાના ઉત્કૃષ્ટ પરમાર્થને માર્ગ કહે તે એક તંત્રમાં-આત્માના એકત્વમાં–રીકે છે, રાજી થાય છે, આનંદ પામે છે. આ પરમાર્થને માર્ગ એટલે નિશ્ચયને માર્ગ. એમાં સાત ન પૈકી પ્રથમના ત્રણ અથવા ચાર ન વ્યવહારનયના નામથી ઓળખાય છે અને છેલ્લા ત્રણ ન તે પર્યાયાર્થિક હોવાથી નિશ્ચય જ છે. આત્માને ઉદ્દેશીને વાત કરાય ત્યારે શુદ્ધ રીતે તે નિશ્ચયથી વાત કરે છે. એના સંબંધમાં દાખલાઓ અનેક આપે છે. આપણે આ વાતની ચોખવટ કરવા એક સુપ્રસિદ્ધ દૃષ્ટાંત જોઈએ. છ આંધળાઓએ હાથીને . નયાભાસનું કેવું વિચિત્ર પરિણામ આવે છે તે આપણે જોઈએ. અમુક સત્યને અંશ તે દરેક અંધને પણ હોય છે, તેઓને પિતાના અભિપ્રાય માટે આગ્રહ હોય છે અને આગ્રહ હોય ત્યાં શુદ્ધ જ્ઞાન હોતું નથી. એક અંધના હાથમાં હાથીને કાન આવ્યો; તેણે કહ્યું કે હાથી સુપડા જેવો હોય છે. બીજા આંધળાએ હાથીની સૂંઢ પકડી હતી; તે કહેવા લાગ્યું કે હાથી સાંબેલા જેવો હોય છે. ત્રીજા આંધળાએ હાથીના જંતુશળ પકડ્યા હતા તેને આગ્રહ હતું કે હાથી ભૂંગળા જેવો હોય અને તે પિતાના મતમાં મકકમ હતે. ચેથા આંધળાએ, જેણે હાથીના પગ પકડયા હતા, તે જણાવતું હતું કે હાથી થાંભલા જેવું છે. પાંચમા અધે હાથીનું પિટ પકડ્યું હતું, તે કહે કે હાથી પખાલ જે હોય છે. છઠ્ઠા આંધળાએ હાથીનું પૂંછડું પકડ્યું હતું તે કહે હાથી સેટી જેવું હોય છે. આ છયે નયાભાસવાળાઓ પિતાના મતમાં ખૂબ આગ્રહ રાખતા હતા. સાતમે દેખતે તેમની સાથે હતે. તે તે હાથીનું આખું સ્વરૂપ જાણ હત અને ને આગ્રહ સાંભળીને હસતે હતે. નયાભાસીઓ પિતાના મતને આગ્રહ રાખે અને બીજાના મતને સમજવાની પણ જરાય તકલીફ ન ઉઠાવે. હવે આપણે નયનું ઉદાહરણ વિચારીએ. છ દેખતા સરલ પુરુષ અને એક વિચક્ષણ પુરુષનું પણ તે માટે જાણીતું ઉદાહરણ છે. એક ગામમાં હાથી નહોતે આવ્યો અને આવી પહોંચે. તેને પેલા સાતે પુરુષોએ જોયે. હાથીને જોઈને તેઓમાંના પ્રથમ પુરુષે કહ્યું કે હાથી દ્વિપ છે, કારણ કે તે બે મેઢેથી (સૂંઢથી તેમ જ મુખથી) પાણી પીતા હતા. બીજાએ કહ્યું કે તે “દંતી’ છે, કારણ કે તેના દાંત બહાર દેખાતા હતા. ત્રીજાએ કહ્યું કે હાથી હસ્તી છે, કારણ, એના હાથ, જે સૂંઢ, તે વડે એ સર્વ કામ કરે છે. ચેથાએ મદ ઝરતે જોઈ કહ્યું કે તે જ છે. પાંચમાએ બે દાંત પર લક્ષ્ય આપ્યું હતું, તે કહે કે આપણે એને “દ્વિરદ’ કહેવો જોઈએ. છઠ્ઠાએ એની હડપચી જઈ તેથી એને “કુંજર' કહ્યો. આવી રીતે એક એકનાં દષ્ટિબિંદુઓ હોય તે નયજ્ઞાન છે. એ સર્વ એક પર્યાયના જ્ઞાનથી થયેલ છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : શ્રી અરનાથ જિન સ્તવન [૩૫૧ હવે વ્યવહારનયને આશ્રય લઈ જે બોલે તેના તે અનંતા ભેદ થાય છે. આપણે એક સુવર્ણના દાખલાથી ઉપર જઈ ગયા કે તેની અનેક વસ્તુઓ થાય છે, તેમ વ્યવહારનયે આપણે દરેક વસ્તુના અનેક પ્રકાર જાણીએ, પણ આત્મા તે એક જ છે અને આ સર્વ તેનાં જુદાં જુદાં સ્વરૂપ છે. આવી રીતે માણસ કઈ અપેક્ષાથી બોલે છે અને એના ધ્યાનમાં શો મુદ્દો છે તે ધ્યાનમાં રાખી, તે વ્યવહારને આશ્રય લઈને બોલે છે કે નિશ્ચયનયે તે બોલે છે, તે સમજી તેને નિર્ણય કરે તેમાં નયના જ્ઞાનની અને અપેક્ષાના જ્ઞાનની બહુ જરૂર છે. આવી રીતે એક જ આત્માના અનેક પર્યાય થાય તે વિચારવા માટે નયના જ્ઞાનની ચાવી પ્રાપ્ત કરવી જોઈએ. આ ચાવીઓ બરાબર હાથ આવી ગઈ છે તેથી તેને બરાબર ઝળકાવી તે જ વાતનું સ્પષ્ટીકરણ કરે છે. (૬) વ્યવહારે લખ દોહિલો, કેઈ ન આવે હાથ રે શુદ્ધ નય થાપના સેવતાં, નવી રહે દુવિધા સાથ રે. ધરમ૦ ૭ અથ–વ્યવહારનયે તે લક્ષ્ય સ્વરૂપને પ્રાપ્ત કરવું એ ઘણું મુશ્કેલ કામ છે; એમાં કાંઈ પણ હાથમાં આવતું નથી; બાકી જે નિશ્ચયનયાને સ્થાપન કરવામાં આવે તે દ્વિધાભાવ આપો ખલાસ થઈ જાય છે. (૭) ટબો–(ટબાકાર જ્ઞાનવિમળસૂરી સાતમી ગાથા મૂકી દે છે.) વિવેચન~વ્યવહારનયે લક્ષ્ય મળ દુર્લભ છે. વ્યવહારથી ગમે તેટલી ક્રિયા કરવામાં આવે કે ગમે તેવો વેશ પહેરવામાં આવે, તેમાં કાંઈ વળતું નથી. વ્યવહારનયને આશ્રય લેનાર અંતે પિતાને માત્ર કાયકષ્ટ જ આપે છે. એમ તે પ્રાણીઓ મેરુ પર્વત જેટલે ઢગલે થાય તેટલાં ઘા-મુહુપત્તિ કર્યા, પણ એ ગતાનુગતિક રીતે સર્વ વાતે થઈ. એમાં તે સંસારભ્રમણ જ થયું. એમાં અનેક સુખસગવડ મળી, પણ આ જન્મ-મરણના ફેરા ટળ્યા નહિ એક ખાડામાંથી બીજામાં પડવાની વાત ગઈ નહિ. વ્યવહારથી ગતાનુગતિક ગમે તેટલી કિયા કરે પણ તેનું તેમાં કાંઈ વળતું નથી, તેના આ જન્મના ફેરા ટળતા નથી. અલબત્ત, તેને પાઠાંતર–એક લખનારે પ્રતમાં આ આખી ગાથા મૂકી દીધી છે. બીજી પ્રતમાં “વ્યવહાર” સ્થાને - વ્યવહારી' મૂક્યું છે. “લખ” સ્થાને એક પ્રતમાં “લષ” આપેલ છે. “હાથ” સ્થાને એક પ્રતમાં “હાત” લખે છે. “થાપના” સ્થાને એક પ્રતમાં “થાપિ” પાઠ છે. “દુવિધા ને બદલે “દુવીધાઈ' એક પ્રતમાં છે. સાથ” સ્થાને પ્રતમાં “સાધ્ય” પાઠ છે. (૭) શબ્દાર્થ-વ્યવહારે = વ્યવહારનયે, ચાલુ રીતે. લેખ = લક્ષ્ય, દેખાય તેવું સ્વરૂપ. હિલે = દુર્લભ્ય, દાએ કરીને મેળવી શકે. કાંઈ = કઈ ચીજ, કઈ વસ્તુ ન આવે=ન મળે, લાભ થતો નથી. હાથ રે = હાથથાં, કબજામાં. શુદ્ધ = નિશ્ચયન. નય = દષ્ટિબિંદુ. થાપના = સ્થાપના, પાકે વિચાર. સેવતાં = પાકે રાખતાં. નવી = ના, ન રહે. રહે = થાય, હાય. દુવિધા = ગોટાળો, બેપણું, બે વિચારો સાથ = સથવારે (૭) Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર ] શ્રી આનંદઘન-ચોવીશી લાભ તે થાય છે, સારી ગતિ અને ત્યાં સગવડ મળે છે, પણ તેને જે ખરેખર લાભ થશે જોઈએ તેના પ્રમાણમાં તે લાભ દમ વગરને છે. અને એવા લાભ ખાતર દીર્ઘદ્રષ્ટા માણસ કઈ કામ કરે નહિ. સમજુ માણસ તે સ્થાયી લાભ માટે જ પ્રયાસ કરે. ક્રાફર્ડ મારકેટથી એક બે ઉપાડી ગ્રાંટ રોડ જાય અને મજૂરીને માત્ર એક પૈસે મળે તેના જેવી એ વાત છે. અલબત્ત, કાંઈ ન મળે તેના પ્રમાણમાં તે એ કાંઈ મળ્યું ગણાય, પણ જે મેળવવાનું છે તેને પ્રમાણમાં તદ્દન ઓછું અથવા નહિવત્ ગણાય. આ બે દિવસ સમજણ વગર ક્રિયા કરવી તે આવી છે અને એ રીતે ભવના ભવ નીકળી જાય તેમાં કોઈ મુદ્દામાં વળતું નથી. વ્યવહારે લખ એટલે લક્ષ્ય-દેખાતું સ્વરૂપ પ્રાપ્ત થવું અત્યંત મુશ્કેલ છે. એમાં કોઈ મુદ્દાસરની વાત આપણને મળે નહિ. અને શુદ્ધનય, જે નિશ્ચયનય છે, તેની સ્થાપનાને સ્વીકારતાં કઈ જાતનું બેપણું રહેતું નથી. પછી તે પૌગલિક ભાવ અને આત્મિકમાંથી કેને સ્વીકાર કરે તેને સવાલ જ રહેતે નથી. શુદ્ધ નિશ્ચયનયે તે આત્માને અંતે મિક્ષ કેમ થાય તેમ જ વર્તન ચલાવવાનું રહે છે. અને જાણીતું સૂત્ર છે કે એકલી કિયા એ તે માત્ર વ્યવહાર છે, પણ વાત એમ છે કે જ્ઞાનવિયાખ્યાં મોક્ષ એટલે સમજણપૂર્વકની કિયાથી મોક્ષ થાય છે, નહિ તે માત્ર વ્યવહારપિષણ થાય છે, પણ એ તે એકંદરે નકામી છે. જે ક્રિયા કરવાથી આ આંટાફેરા અને દોડાદોડી ન મટે તેવી ક્રિયા સરવાળે નકામી નીવડે છે અને જ્ઞાનપૂર્વકની કિયા તે અંતે મોક્ષને અપાવી અત્યારની માથાકૂટને હમેશને માટે અંત લાવે છે. આ ઉપરથી જણાય છે કે વ્યવહાર જળવાય તેટલા પૂરતી ગમે તેટલી ક્રિયા કરવામાં આવે તેથી કાંઈ ખરેખરે અર્થ સધાતું નથી અને એમાં આત્મિક દષ્ટિએ ખરે લાભ સ્થાયીપણે થતું નથી. પણ જે જ્ઞાનપૂર્વકની ક્રિયા થાય તે સ્થાયી લાભ મળે છે. અને તે રીતે સર્વ કામ કરવા જોગ છે. શુદ્ધ નિશ્ચયનયે એ કિયા સમજણપૂર્વક કરવા જેવી છે. અને શુદ્ધ નિક્ષયનય અને વ્યવહારનયને સમન્વય કરવા જોગ છે. આ રીતે ચેતનને પ્રાપ્ત કરે અને તેને બરાબર સમજી ગઠવે એ જ અંતે કર્તવ્ય તરીકે પ્રાપ્ત થાય છે. અને આ પૌગલિક ભાવ અને આત્મિક ભાવ વચ્ચે તફાવત બરાબર ધ્યાનમાં રાખીને માત્ર નિશ્ચયનયે આત્મિક ભાવ આદરવા યોગ્ય છે, કારણ કે એમાં પછી કોઈ જાતને દુવિધાભાવ એટલે બેપણું કે ગોટાળે રહેતું નથી અને અંતે એનાથી જ પિતાનું કામ સરે છે. આના ઉપરથી છેવટે પ્રભુને વિનંતી કરે છે. તે કેવા પ્રકારે કરે છે તે હવે આપણે જોઈએ. (૭) એકપખી લખ પ્રીતની, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખજો, ચરણ તમે ગ્રહી હાથ રે. ઘરમ૦ ૮ પાઠાંતર–પખી’ સ્થાને પ્રત લખનાર “પંપી ” લખે છે. “લખ” સ્થાને ભીમશી માણેક લખિ” છાપે છે; એક પ્રતમાં “લષ' પાઠ છે. “પ્રીતની ' સ્થાને બન્ને પ્રત લખનાર “પ્રીતડી ' લખે છે. “સાથે” સ્થાને એ સાથે” છાપે છે; એક પ્રતમાં પણ તે પાઠ છે. “તમે ” સ્થાને ભીમશી માણેક “તલે ' છાપે છે. નાથ” સ્થાને એક પ્રતમાં “નાથા” પાઠ છે. “કરીને ' ને બદલે “કરીને ' લખેલ છે, તે પ્રાચીન ગુજરાતી Page #369 -------------------------------------------------------------------------- ________________ [૩૫૩ ૧૮: શ્રી અરનાથ જિન સ્તવન અથ–મારી પ્રીતિ તે એકતરફી પ્રેમ છે અને તે હે જગતના નાથ ! આપની સાથે છે આપની તરફ છે તે મારા ઉપર મહેરબાની કરીને આપના પદકમળની નીચે આપ મારો હાથ પકડી રાખજે. (૮) ટબો–હે જગનાથ ! તારી સાથે એકપખી પ્રીતિ લાખેગમે નરની છે તથા સરાગીને લાખોગમે શુદ્ધ વ્યવહાર તારી સાથે મિલવાને પ્રીતિ બાંધનાર છે, તે માટે કૃપા કરીને તમારા ચરણતળે હાથે ગ્રહીને રાખજે, જેમ પરમ ચરણધર્મ, તે ધર્મ તમારે જાણીને આદરીએ. (૮) વિવેચન – આપની સાથે મારો પ્રેમ તે એકપખે છે, હું રાગી અને તમે નીરાગી, હું દ્વેષીલે અને તમે દ્વેષ વગરના, હું હાસ્યરતિમાં ફસાયેલે અને તમે તેનાથી રહિત, હું વેદી અને તમે નિર્વેદી; આવી અરસપરસ વિરુદ્ધ મારી એકતરફી પ્રીતિ આપના તરફ છે. હું ગમે તેટલે આપના તરફ પ્રેમ કરું તે એક પક્ષને જ પ્રેમ છે, કારણ કે આપ તે કેઈના તરફ પ્રેમ કરતા નથી, આપ વીતરાગ અને વીતદ્વેષ છો, મારી આપ તરફની પ્રીતિ એકપક્ષીય છે; પણ આપ ગમે તેવા મોટા જગતના નાથ છો પણ નિશ્ચયનયે તે આપના જેવો જ હું શુદ્ધ છું, તો આપ મારી એક વિજ્ઞપ્તિ સ્વીકારજે. મોટાની સાથે પ્રેમ કરવા પહેલાં વિચાર કરવો જોઈએ. કહેવત છે કે સરખા માણસની પ્રીતિ શોભે, અને તે પ્રીતિ ટકે પણ ખરી. આપના જે જ હું શુદ્ધ આત્મા છું. તેથી હું આપની પાસે વિજ્ઞાપન કરીને જણાવ્યું છે કે તમે મારો હાથ પકડીને આપ મારી સેવા સ્વીકારે અને આપ મને આપશ્રીના પગ નીચે રાખજે. આને મળતી સ્તુતિ એ “જય વીયરાય” અને “કલયાણુમંદિરમાં પણ કરે છે અને અનેક સ્તવનમાં સીધે કે આડકતરે એ જ ઘોષ હોય છે. મમ દુન્ન સેવા મ મ તુ IIM –તમારા પદોની સેવા મને ભાભવ મળજે. આટલી જ મારી આપ પ્રત્યેની વિજ્ઞપ્તિ છે. જોકે એ આપને એકપક્ષીય દેખાય તેવી પ્રીતિ છે, પણ મને ખાતરી છે કે આપને આદર્શ, જે હું સેવી રહ્યો છું, તે વારંવાર મને મળ્યા કરે તેમ આપ કરજે. હું આ વિનંતિ મારા હિત ખાતર કરું છું કે આપ મારે હાથ પકડી રાખીને મને આપના ચરણકમળની સેવા જરૂર આપજે. મેં આપને આદર્શ સ્વીકાર્યો છે અને નિશ્ચય કર્યો છે કે એ આદર્શને અનુરૂપ થવું તે છે. રાખજો ' ને બદલે બને પ્રત લખનાર “રાષ” લખે છે. “ગ્રહી ' સ્થાને પ્રતવાળો “પ્રહા” લખે છે. હાથ” સ્થાને એક પ્રતમાં “ હાશ્ય’ પાઠ છે. (૮) | શબ્દાર્થ—એકપણી = એકતરફી. લખ = લક્ષ્ય, પ્રેમ. પ્રીતની = પ્રેમની. તુમ = તમારી. આપની, તારી. સાથે = જડે, સંબંધ. જગનાથ = જગન્નાથ, જગતના નાથ, સર્વ પ્રાણીના ઉપરી. કૃપા = મહેરબાની, દયા, સૌહાદ. કરીને = ભજવીને, અમલમાં મૂકીને. ચરણ = પગ, પાદ. તમે = આપ પિતે. ગ્રહી = પકડી, ઉપાડી. હાથ = હસ્ત. (૮) Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] શ્રી આનંદઘન–વીશી આપને વિનતિ કે મારે હાથે આપ જેવા સમર્થ પુરુષ પકડે અને મને હમેશા આપના ચરણકમળની સેવા મળ્યા કરે, તે અંતે જે અત્યારે મારી એકપક્ષીય સેવા છે તેને પણ મને જરૂર લાભ મળે અને મારાં સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય. એકપક્ષીય પ્રેમ હોવા છતાં તે નિશ્ચયનયની નજરે શુદ્ધાત્માને શુદ્ધ આત્મા સાથે પ્રેમ છે અને તે યોગ્ય હોઈ અંતે તે મારું કામ સિદ્ધ કરી આપે તેમ છે. આપ કેવા છે તે હું જાણું છું અને તે આપને આવતી ગાથામાં કહી બતાવું છું. આપ મારી ઉપર કૃપા કરજે અને કૃપા કરી મારી આટલી વિનતિ ધ્યાનમાં લેશો. (૮) ચક્રી ધરમતીરથતણો, તીરથફળ તતસાર રે; તીરથ સેવે તે લહે, “આનંદઘન” નિરધાર રે. ધરમ૦ ૯ અથ_આપ તે ધર્મતીર્થના મોટા ચક્રવર્તી છે અને તીર્થનું પરિણામ તે તત્વની પ્રાપ્તિ છે. આવા સાચા તીર્થની જે ભક્તિભાવે સેવન કરે તે આનંદના સમૂહને જરૂર પ્રાપ્ત કરે. (૯) ટબો—તમે ચકી છે, ધર્મતીર્થનાથ છે, તે સર્વ જિન છે. વળી તમે સાતમા ચકી પણ છે, અનાથનાથ છે, તીરથ–પ્રવચનફલ એ તત્ત્વસાર-પ્રધાન છે. તે જે તમારું તીર્થ સેવે તે નિશ્ચયે આનંદઘન આત્મા પરમાત્મા સ્વરૂપ પામે. એવા ધર્મચકી મહમલ્લને જિતે. એટલે શ્રી અરનાથ અઢારમા તીર્થંકરનું સ્તવન થયું સંપૂર્ણ. (૯) - વિવેચન—શ્રી અરનાથ ભગવાન એ જ ભવમાં ચક્રવર્તી હતા. શાંતિનાથ, કુંથુનાથ તથા અરનાથ એ અનુકમે બાર પૈકી ત્રણ ચકવતી હતા. અને એ ચકવતી હતા એ ઉપરાંત ધર્મ ચકના પ્રવર્તાવનાર હતા. “અર’ એટલે આરે, કાંઠે. પૈડાને છેડો-આરે હોય છે. સંસાર સમુદ્રની પાર પામવાને લઈને તેમનું “અર’ નામ પડ્યું છે. “અને અર્થ “પહોળું” એમ પણ થાય છે. અથવા “અરે” એટલે “વૃદ્ધિ.” પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાએ રત્નમય આર તથા શુભ પાઠાંતર–“ચક્રી ” સ્થાને ભીમશી માણેક ચક્ર ' છાપે છે; પ્રતમાં “ચક્રી ” પાઠ છે.” “તત’ સ્થાને અને પ્રતમાં “તન” લખેલ છે. “તીરથ ને બદલે પ્રતમાં બન્ને સ્થાને “તીરધ્ધ” પાઠ છે તેને બદલે સેવે પ્રતમાં લખેલ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “લખે ' લખવાની રીત પ્રત લખનારની “લહૈ' છે. (આઠ ગાથાએ સ્તવન એક પ્રતવાળે પૂરું કરે છે, બીજી પ્રતમાં નવ ગાથા છે. (૯) શબ્દાર્થ_ચક્રી = ઉપરી, મોટા ચક્રવતી, પણ શેના? ધરમ-તીરથ = ધમતીથ, પ્રવર્તાવેલ ધર્મરૂપ તીર્થના અધિપતિ. તણો = ને (છઠ્ઠી વિભક્તિને પ્રત્યય). તીરથ = તીર્થનું (છઠ્ઠી વિભક્તિ અધ્યાહાર ). ફળ = લાભ, પરિણામ, તતસાર = તત્ત્વસાર, તતબ માલ મળે તે, સારા તત્ત્વની પ્રાપ્તિ. તીરથ = તીર્થ, જેનાથી તરીએ તે તીર્થ. સેવે = પૂજા કરે, અનુસરે. તે = તે મનુષ્ય પ્રાણી. લહે – લે મેળવે, પ્રાપ્ત કરે. આનંદઘન = આનંદના સમૂહને, આનંદની ઘટનાને. નિરધાર = નક્કી, ચોક્કસ, (૯) Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : શ્રી અરનાથ જિન સ્તવન [ ૩૫૫ દીઠાં, માટે જન્મ થયા પછી તેમનું “અર’ નામ આપ્યું. તેમનું ગજપુર નગર, સુદર્શન રાજા પિતા, દેવી રાણી માતા, ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય. સુવર્ણ જે તેમને દેહ ઃ આવા અરનાથ પ્રભુ ધર્મચકના પ્રવર્તાવનાર હતા. તેઓએ જે ધર્મ પ્રવર્તાવ્યા છે ત્યાર પછી ઘણાં વર્ષ ચાલ્ય. તેમની આગળ ધર્મચક્ર ચાલતું. ચક એ ગોળ વસ્તુ હોય છે અને સૂર્યથી દશગણી તેની ભવ્યતા હોય છે. આવા ધર્મચક્રના પ્રવર્તાવનાર હોવાથી મારા આદર્શમય છે. અને તેઓ મુક્તિ ગયેલા હોવાથી બધી રીતે આદર્શ સ્થાને સ્થાપન કરવા ગ્ય છે. તેઓ દુનિયામાં ચક્રવર્તી થયા તે માટે નહિ, પણ દુનિયામાં પડતા આ જીવને ધારી રાખે અને તેને ઊંચે રાખે તે ધર્મચકી હોવાથી મારા ખરેખરા આદર્શ સ્થાને છે, પૂજ્ય છે અને સંસારને આરે પામેલ હોવાથી અરનાથના નામને યોગ્ય છે. તીર્થ એટલે કે તારે તે તીર્થ. સામે કાંઠે જવાને રસ્તો બતાવે, પૂરો પાડે તે તીર્થ. આપણે ગંગા, નર્મદા કે તાપી નદીમાં જે આરા હોય છે, સામા કાંઠા પર જવાના માર્ગો હોય છે, તે આર અથવા તીર્થ કહેવાય છે. ભગવાન જે તીર્થની સ્થાપના કરે તેનું ફળ તત્વબુદ્ધિ છે. સાત અથવા નવ તત્વે, જેનું સુંદર સંક્ષિપ્ત વર્ણન પ્રશમરતિ ગ્રંથમાં કર્યું છે, એ તત્વજ્ઞાન એ તીર્થનું ફળ છે. સાત કે નવ ત જાણવાં, સડવાં, એ તીર્થ પામ્યાનું ફળ છે. આવું તીર્થ ભગવાન અરનાથે સ્થાપન કર્યું. એ સમજવું, નવ તત્વ કે સાત તને સમજીને સ્વીકારવાં, એ તીર્થ પામ્યાનું ફળ છે. દરેક ભગવાન “નમો તિસ્થર’ કહી સમવસરવણમાં બેસે છે. એ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુવિધ સંધ, તેને આપ જેવા મોટા માણસે નમસ્કાર કરે છે તેને હું નમું છું. આખા તીર્થને સાર તત્ત્વજ્ઞાનમાં સહણારૂપ છે. એવા તીર્થને હું પામ્ય અને સંસારને આરે બેઠો છું. એ સાત અથવા નવ તત્ત્વને જાણું એ આપના પ્રરૂપેલા તીર્થને સાર છે, આવું જે પ્રાણી જાણે તેને આનંદનો સમૂડ એના પુષ્ટ આકારમાં પ્રાપ્ત થાય છે અને એની જિંદગી સફળ થાય છે. આવા તીર્થને પ્રાપ્ત કરીને મારા આદર્શ તરીકે આપશ્રી નાથને હું સ્વીકાર કરું છું અને તેને અનુસરું છું. આપના તત્ત્વ આનંદસમૂહને હું પ્રાપ્ત કરું તેવી મારી જિજ્ઞાસા છે અને તેથી મને જરૂર આનંદને ઘન મળશે એવી મારી ખાતરી છે. અહી આ સ્તવનના કર્તા “આનંદઘન નામથી લખનાર એક મહાપુરુષ છે એ વાતને પણ અર્થથી જણાવી. જૈન સંપ્રદાય પ્રમાણે લેખકનું નામ ગ્રંથને છેડે આવવું જોઈએ, તે સંપ્રદાય લાભાનંદજીએ અનંદઘન શબ્દ દ્વિઅર્થમાં મૂકી જણાવી દીધું છે, તે આ ગાથાપરથી માલૂમ પડે છે. તીર્થની સેવન કરે તે આનંદના ઘન(સમૂહ)ને જરૂર પામે એ એને બીજો અર્થ છે. આ સ્તવનમાં ઘણી અગત્યની વાત કરીને લેખકશ્રીએ મોટો ઉપકાર કર્યો છે. ૯) Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬] શ્રી આનંદઘન–વીશી ઉપસંહાર આવી રીતે આ અગત્યનું સ્તવન પૂર્ણ થયું. એમાં નયવાદની અગત્યની વાત કરી છે. આત્માનુભવ એ એક વસ્તુ છે, એ જ આત્માના અનંત પર્યાય છે, પણ અંતે આત્મા તે એક જ છે. જે સહભાવી (સાથે રહેનાર) ધર્મો હોય તેને ગુણ કહેવામાં આવે છે અને જે કમભાવી ધર્મો હોય, જે એક પછી એક થયા કરે, તે પર્યાય કહેવાય છે. પર્યાય એટલે રૂપે અથવા આવિર્ભાવ, દાખલા તરીકે પ્રાણી તિર્યંચ, નારક, દેવ કે મનુષ્ય થાય તે તેના પર્યાય કહેવાય છે, તેમાં પણ લે, લંગડે, એકેદ્રિય વગેરે સર્વ પર્યાય કહેવાય છે. પર્યાય તો ફરતા જ જાય છે. તે સર્વ કમભાવી ધર્મો છે અને એક પછી એક થયા કરે છે. એ અનેક પર્યાને મટાડવા આદર્શ સ્થાને રાખેલ છે. પર્યાય કેવું કેવું રૂપ લે છે તે ખાસ લક્ષ્યમાં રાખવા જેવી હકીકત છે. આગળ જણાવ્યું તેમ તે પ્રાણીને ચાર ગતિમાં રખડાવી દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક બનાવે. તેમાં તિય". ચેની અંદર એકે દ્રિય, દ્વિદ્રિય, તેઈ દ્રિય, ચઉરિદ્રિય અને પચંદ્રિયને સમાવેશ ગણવામાં આવ્યો છે. ૫ એપ્રિયમાં એ જળચર, ભૂચર, ખેચર, ઉરપરિ સર્ષ અને ભુજપરિસર્પ ગમે તે થાય. તેમાં પાછું સારું સુંદર શરીર, મળવું, શરીરે સ્વાચ્ય રહેવું, સર્વ અંગોપાંગ બરાબર તેને સ્થાને થવાં અને કદરૂપાપણું, વાંકાચૂંકા ચાલવું તેમ પણ થાય છે. તેમાં સારા-ખરાબ કુળમાં જન્મ થાય છે, સ્વર ગંભીર અને લોકપ્રિય થવો તે વધારાની વાત છે, જેમાં પ્રિયતા મેળવવી કે યશકીતિ થવી એ અથવા ન થવાં એવાં અનેક રૂપે થાય છે. ચાલે ત્યારે પૃથ્વી ધણધણે, અને કઈ વાર તે માંદો અને મરવાને વાંકે જીવતે જણાય. શરીર રોગરહિત પ્રાપ્ત કરવું કે રોગિષ્ઠ શરીર થવું તે બીજા પર્યાયે છે. ટૂંકા આયુષ્યમાં આ દુનિયા છોડવી પડે અથવા શરીર ન ચાલતું હોય અને વખત પસાર થતું ન હોય તેમ ઘસડીને જીવન પૂર્ણ કરવું એવાં પણ રૂપ આ પ્રાણીનાં થાય છે. ધર્મને અભ્યાસ કરે અને કાંઈ યાદ ન રહે અથવા એક આઠ વસ્તુ પર એકીવખતે ધ્યાન આપી શકે, એ થાય, અને દુનિયાને ચકિત કરે તેવા પ્રયોગો કરે આવા અનેક પર્યાયે પ્રાણીએ કર્યા છે અને કરતો જાય છે. આ જુદાં જુદાં રૂપ ધારણ કરવાં તે પર્યાયદષ્ટિ છે. તે નજરે જોતાં અનેક રૂપ થાય છે, પણ આત્મા એક છે, એક જ્ઞાન-દર્શન -ચારિત્રનું સ્વરૂપ છે, અનંત ગુણથી ભરેલ, અક્ષય, અજર, અમર છે અને તે નિત્ય છે, એમ વિચારવું તે આત્માનુભવ છે. આવી રીતે પર્યાયદષ્ટિએ અનેક રૂપ ધારણ કરવા છતાં આત્મા તે એક જ છે અને નિત્ય છે એ રીતે વિચાર કરવા અને નિજ સ્વરૂપ સાબિત કરવાને આ સર્વ પ્રયાસ છે. આ આત્માને દ્રવ્યની દૃષ્ટિએ એક અને નિત્ય તરીકે ઓળખવાને આ સર્વ પ્રયત્ન છે. તેને બરાબર ઓળખ અને એની પર્યાયષ્ટિ મૂકી દેવી એ આપણને કર્તવ્યરૂપે પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : શ્રી અનાથ જિન સ્તવન [ ૩૫૭ આ પર્યાયષ્ટિ ન છૂટે ત્યાં સુધી એક ખાડામાંથી બીજામાં પડવાનું અને સસારના પરિભ્રમણમાં ભમવાનું જ છે, અને સારા કે ખરાબ જે પ્રકારના આકાર મળે તેને ભોગવવાનું જ છે. એ ભાગવટે થાડા કે વધારે સમય માટે થાય તે પર્યાયદૃષ્ટિ; અને તેને ત્યાગ કરી આત્માને અનંત નિત્ય અવ્યાબાધ રૂપે આળખવા તે આત્મિક દૃષ્ટિ. આ બીજા પ્રકારની દૃષ્ટિને જમાવવાના અને તેને બરાબર ઓળખી કાઢવે તે માટેના આ સર્વ પ્રયાસ છે. તમે નિર'તરના સુખમાં રહેા એવી ભાવના આનંદઘન કરાવે છે. આત્માને બરાબર એળખવા તે, આ કારણે, આપણી ફરજ થઇ પડે છે. આપને સર્વાંને એ સાચુ આત્મજ્ઞાન પ્રાપ્ત થાઓ એવું ઇચ્છી અત્ર વિરમીએ છીએ. આ આત્માનુભવ અને પર્યાયપલટનના પ્રધાન સુરનિત્ય સ્મરણમાં રાખવા યાગ્ય છે. (૧૮) માર્ચ : ૧૯૫૦ ] Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલિનાથ જિન સ્તવન અઢાર દૂષણો સંબંધ-આ ઓગણીશમા સ્તવનમાં અઢાર દે–દૂષણોને બતાવીને એ અઢાર દેને પ્રભુ નિવારનાર હતા, તે દ્વારા પ્રભુ આપણુ આદર્શ છે અને આદર્શ હોઈ પૂજનિક છે, એ પ્રધાન સુર, જે કેટલાંક સ્તવનેથી ચાલ્યા આવે છે, તેને મુકરર કર્યો છે. પ્રાણી જ્યારે આદર્શ મુકરર કરે ત્યારે તે આદર્શને પહોંચવા પિતાના બની શકતા સર્વ પ્રયત્ન શરૂ કરી દે છે, કારણ કે અંતે પિતાના આદર્શને પહોંચવું અને આદર્શમય થઈ જવા પતે પ્રયાસ કરે એ તેની ઇચ્છા હોય છે. એટલા માટે એ પ્રભુ કેવા હતા તે પ્રથમ નકકી કરી નાખવું જોઈએ. અને તે ચોક્કસ થયા પછી પિતે તે આદર્શમય થવા પ્રયત્ન કરવા જોઈએ. એટલા માટે પ્રભુના ગુણો વિચારવા અને ખાસ કરીને તેમાં એક પણ દોષ નહેતે એમ ધારી રાખવું જોઈએ. આ અઢાર દે પર ભરૂચનગરનિવાસી વિર્ય શ્રાવકરત્ન શેઠ અને પચંદભાઈએ એક પુસ્તક છપાવ્યું છે એમ મને, તે પુસ્તક વાંચેલ હોઈ, યાદ છે. મારા પુસ્તકાલયમાંથી તે પુસ્તક મળી શકયું નથી, પણ તે વાંચી લેવા યોગ્ય છે એટલું જણાવવું અત્ર પ્રાસંગિક છે. જ પ્રભુ સંબંધી વિચાર કરતાં પ્રભુને આ જગતના કર્તા માનવાની ભૂલ ન કરવી; તર્ક અને ન્યાયની દલીલે તેને સૃષ્ટિકર્તા તરીકે સિદ્ધ કરી શકે તેમ નથી. અને કોઈ સુષ્ટિ બનાવે તે આવી આપત્તિ અને આફતોથી ભરપૂર સૃષ્ટિ બનાવે તે મગજમાં પણ ઊતરવું મુશ્કેલ છે. બનાવે, અને આવી અનેક આશાભંગ અને આઘાતથી ભરેલી સુષ્ટિ કેમ બનાવે ? તેની પાસે નંદનવનનો આદર્શ તે હાજર હતે; છતાં આવી રેગ-શાક-દારિદમય પૃથ્વી તેણે બનાવી? તે કાંઈ સમજાતું નથી. અને શેમાંથી બનાવે ? આ છેલ્લો સવાલ ખાસ વિચારવા યોગ્ય છે. સૃષ્ટિ શેમાંથી બનાવે ? જે પ્રથમથી કથક વગેરે પુદ્ગલેને કંધ હતે તેના ચાણક થયા અને આખરે તેને કપાટ થયે એમ માનીએ તો એ પુદ્ગલને બનાવનાર કેણ?_એમ અનવસ્થા દોષ લાગી જાય છે. એટલે પ્રભુને આદર્શ સ્થાને રાખવા છતાં પ્રભુ સૃષ્ટિ બનાવનાર હોય એમ માની શકાય તેવું નથી. પિતાના વિનેદ માટે સુષ્ટિ બનાવી એમ પણ માની શકાતું નથી. એક તો આદર્શ પ્રભુમાં વિનોદ જ ન હોવો જોઈએ, કારણ આપણા આદર્શમાં એ વિનેદને ભાવ પણ હતું જ નથી. આ સંબંધમાં પ્રભુની લીલાને અંગે ચેડા વિચારે પ્રથમ સ્તવનમાં આદર્શને અંગે બતાવ્યા છે, ત્યાંથી યાદ કરી જવા. આ સર્વ વિચાર કરતાં સૃષ્ટિ અનાદિ જ માનવી પડશે અને આપણે પ્રભુ જેવા થવું છે, તે માટે પ્રભુને આદર્શ સ્થાને-ભાવનામય સ્થાને જ રાખવા પડશે. પ્રભુમાં અઢારે પ્રકારના દોષ નહેતા તે આપણે જોઈ જઈએ. એ અઢાર દોષ દશમી ગાથામાં ગણવશે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : શ્રી મલ્લિનાથ જિન સ્તવન [ ૩પ૦ સ્તવન (રાગ કાફી, સેવક કિમ અવગુણીએ—એ દેશી) સેવક કિમ અવગણીએ, હે મહિલજિના એહ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી. હે મહિલ૦ ૧ અર્થહે મલ્લિનાથ ! આપ આ સેવકને કેમ અવગણે છે? એમ કરવામાં આપની આબરૂ શું વધશે? આપની પ્રતિષ્ઠા અત્યારે ઘણી જામી ગયેલી છે. આપ તો એવું કરે છે કે બીજા લે કે જેને આદરસત્કાર કરે, માને તેને તદ્દન વિસારી મૂકે છે! એ તે કાંઈ સારી વાત કહેવાય? આપે એમ ન કરવું ઘટે. અથવા જે આશાતૃષ્ણાને બીજા લેકે સમાને છે, તેને તો આપે મૂળથી અટકાવી દીધી છે. આપે આશા પર વિજય મેળવ્યું છે. (૧) ટબો-જ્ઞાનવિમળસૂરિ આ સ્તવનને અર્થ નીચે પ્રમાણે કરે છે. (ભાષાને વર્તમાન લીમાં મૂકવા પ્રયત્ન મેં કર્યો છે.) એવા ધર્મ મહામહ મલ્લને જીત્યા તે માટે મલ્લિનાથ જિન ભગવાનની સ્તુતિ કહીએ છીએ. હે શ્રી મલ્લિજિન! એ તમારી હમણું અજબ-ભલી શોભા દીસે છે. સદા સંસારી અવર-સહુને અત્યંત આદર દીજીએ બહુજનને, તે તો તમે મૂળથી નિવારી, તે કોણ તે કહે છે. (૧) વિવેચન–હે મલ્લિપ્રભુ જિન ! આપ આ સેવકની કેમ અવગણના કરે છે? આપ એને કશા લેખામાં પણ કેમ લેતા નથી? આપ જાણો છો કે બેદિલ સેવક હોય તે તો દલ્મનની ગરજ સારે. આપ આવા સુજ્ઞ હોવા છતાં આ સેવકની–મારા જેવા સેવા ઉઠાવનારની– અવગણના કેમ કરી રહ્યા છો ? એમાં આપની ભા–મે કાંઈ વધે છે? એ સારી વાત કરો છો? એ આપ જેવા મોટા માણસને ઉચિત છે? હું આપની સેવા ઉઠાવું અને આપના ધ્યાન પર પણ એ વાત ન લે એમાં આપની મહત્તા વધે છે? અથવા આપ કેવળલક્ષમીને વર્યા અને સારી સારી શભા થઈ તે વિચારતાં આપ મુજ સેવકની કેમ અવગણના કરે છે? આપ તો એવા છે કે બીજા લેકે જે આશાને અતિ આદરસત્કાર આપે તેને મૂળથી જ અટકાવી પાઠાંતર–સેવક કિમ અવગણીએ ” એ પાઠ પ્રત લખનાર મૂકી દે છે (બંને પ્રતમાં). જેને સ્થાને પ્રતમાં જેહનિ’ પાઠ લખે છે. * અબ’ સ્થાને ‘જબ” પાઠ છે પ્રતમાં. “અવર જેહને’ સ્થાને પ્રતમાં “અવસર જાણી” પાઠ છે. “આદર અતિ ને સ્થાને પ્રતમાં “આદર દહિ જે પાઠ છે; ભીમશી માણેક મારા પાઠને મળતો પાઠ છાપે છે. “દીએ સ્થાને પ્રતવાળા “દિઈ' પાઠ લખે છે. (૧) શબ્દાર્થ–સેવક = ભક્તિ–નોકરી કરનાર, સેવા ઉઠાવનાર. કિમ = કેમ ? શા માટે ? અવગણીએ = તિરસ્કારીએ, બેદરકાર રહીએ, આપ અવહેલના કરે છે. મહિલજિન = ઓગણીસમા તીર્થંકર-પ્રભુત્વનાથ. અબ = હવે, હાલ, હમણાં. શોભા = મહત્તા, આબરૂ. સારી = સરસ, મજાની; એ આપને ધટે છે ? અવર = બીજા માણસ, અન્ય લે, ગમે તેવા સાધારણ વહેવારુ માણસ. જેહને = જેને, જેમને. આદર = માન, સન્માન, આવો પધારે કરી રિઝ, માન સન્માન. અતિ = ઘણે, ઘણું. દીએ = આપે છે. તેને = તેને, તેવા માણસને મૂલ = મૂળથી, પહેલેથી પાયેથી. નિવારી = અટકાવી, પ્રતિબંધ કરી. (૧) Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬] શ્રી આનંદઘન–વીશી દીધી છે. આપને કેઈની આશા નથી. આશાનું સૂત્ર શું છે તે આપણે અઠ્ઠાવીશમા પદમાં જોઈ ગયા છીએ. આ આશાને બીજા લે કે તો ખૂબ વધાવી લે છે, તેને આપે મૂળથી અકટાવી દીધેલ છે. પ્રભુના જે અઢાર દોષને ત્યાગ આ સ્તવનમાં બતાવે છે, તેમાં આશાને ત્યાગ કરે એ પ્રથમ દોષને ત્યાગ છે. પારકાની આશા રાખવી તે સદા નિરાશામાં જ પરિણમે છે. આપણામાં જે કાંઈ પણ સત્ત્વ હોય તો આપણે બરાબર તેને બહલાવવું ઘટે; પણ પારકો આપણું કામ કરી આપશે તે વાત જ બેટી છે. અને આપે તો એ આશાદાસીને ધરમૂળથી સર્વથી પ્રથમ ત્યાગ કર્યો છે, તે એટલે સુધી કે આપ બારમે ગુણસ્થાનકે ચડ્યા ત્યારે તો આપે મોક્ષની પણ આશા છોડી દીધી છે. આવા મૂળથી આશાને ત્યાગ કરનાર આપને હું વિચારું છું અને દુનિયાને જોઉં છું ત્યારે મને સવાલ પૂછવાનું મન થઈ જાય છે કે આપ આ સેવકને કેમ અવગણે છે? ક્યાં આપને આશાત્યાગને ગુણ અને ક્યાં લેકની આશા ! એ બે વાતને મેળ જ મળતો નથી. એટલા માટે આપની આશા પરની જીત મને કુતૂહળી બનાવે છે કે આપની શોભા મારા જેમ નમ્ર સેવકને ત્યાગ કરવામાં નથી. પણ એને આપના જેવો બનાવવામાં છે. સેવક તો પ્રભુને આ વિજ્ઞપ્તિ કરી દૂર રહે છે અને પ્રભુ તે વિનંતી સ્વીકારે છે કે નહિ તે જાણવાનો કે જવાનો એ પ્રયાસ પણ નથી કરતો. એ પણ એની વિનંતીમાં વિશ્વાસ રાખે છે અને તે સ્વીકારાઈ ગઈ જ હશે એમ ધારીને ચાલે છે. આ પ્રથમ ગુણના સંબંધમાં જરા મતભેદ છે કેટલાક ટીકાકારે તેને આશા-તૃષ્ણાના ત્યાગને ગુણ બતાવે છે ત્યારે કેઈ એકાદ ગુણ વર્ણવનાર એને આશાતના-ત્યાગને ગુણ બતાવે છે. તેઓ દેવવંદનભાષ્યમાં પ્રભુ પાસે તજવાની ચોરાશી આશાતના વર્ણવે છે. એ તો દેવવંદન ભાષ્ય અને ભાષ્યત્રયંમાં છપાઈ ગયેલ છે. તેઓ એક સૂત્ર લખે છે. તે સૂત્રમાં જણાવે છે કે આશાતનાની હાણ.” આ પાઠ કોને છે કે ક્યાં છે તે જણાવવામાં આવ્યું નથી. ભગવાન કેવળજ્ઞાન પામ્યા પહેલાંના વખતમાં કેટલાક મત્સરી જીવ ભગવાનના અવર્ણવાદ બેલતા હોય છે. તે વખતે ચેતન પિતાની શક્તિ ફેરવીને પેલા ગમે તેવું બોલનારને અટકાવે અથવા દર કરે તેને સમજાવીને તેને સ્થિર કરે અને દેવવંદનની રાશી આશાતના ટાળે એવો વિચાર બતાવે છે. અહીં આશા અને આશાતનાને ગોટાળો થયે છે એમ જણાય છે અને નિર્ણય આપણે આપી શકતા નથી. આ ગાળામાં પ્રભુના અઢાર પૈકીના પ્રથમ દોષના નિવારણની વાત કરવામાં આવી છે. હવે આપણે બીજા દોષે વિચારીએ. જ્ઞાનવિમળસૂરિ આશા-તૃષ્ણાના અર્થમાં તેને સમજ્યા છે. જ્ઞાનસાર પણ આશા–તૃષ્ણના અર્થમાં તેને સમજે છે. મને તે અર્થ સ્વીકારવામાં જરા પણ વધે લાગતો નથી. ગાથાને અર્થ સુગમ છે. લેકે જે આશાને આદર દે છે તેને તે આપે મૂળથી છોડી દીધી છે તેવા પ્રભુ! મારી અવગણના કેમ કરે છે ? (૧) Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : શ્રી મલ્લિનાથ જિન સ્તવન [ ૩૬૧ જ્ઞાનનુરૂપ અનાદી તુમારું, તે લીધું તમે તાણી; જુઆ અજ્ઞાન દશા રીસાવી, ાતાં કાણુ ન આણી. હા મલ્લિ૦ ૨ અ—આપ તો અનાદિકાળથી જ્ઞાનસ્વરૂપી હતા. તે આપનું અસલ સ્વરૂપ આપ ખે'ર્ચને લઇ આવ્યા. જુએ, અજ્ઞાનપણામાં જે દશા હતી તેને આપે એટલી બધી રિસાવી દીધી, ખસિયાણી કરી કે એ અંતે રિસાઈને ચાલી ગઈ, દૂર ભાગી ગઈ. ત્યારે એને જતી જોઈને આપે એને માટે કાણ પણ ન માંડી, કાંઇ આપે તેની વાર્તા કે કથાયે ન કરી! (૨) ટા—હે નાથ ! તમારું અનાદિ જ્ઞાન સ્વરૂપ-નિરુપાધિક જ્ઞાન તે તમારું' તમે તાણી લીધું, નિરાવરણી થઈ સંગ્રહ્યું; તે દેખી અજ્ઞાનદશા અનાદ્ધિની હતી તે રિસાઇ ગઇ, તે જતી દેખીને કાંઈ મનમાં શકા કાલિ ન આણી, મનાવી પશુ નહિ. (ર) વિવેચન—આપનું જ્ઞાનરૂપ તે આપે ખેચી લીધુ, આપનું પોતાનું જ્ઞાનસ્વરૂપ હતું તેને આપે ઝૂંટવી લીધું અને આપની કેટલાક કાળથી અજ્ઞાનદશા હતી તે તો આપનાથી રિસાઈ ગઇ; તે એટલી બધી રિસાણી કે આપની પાસેથી તે ચાલી ગઇ, પણ આપે તેને જતી જાણીને કાણુ પણ માંડી નહિ ! આર્યાવર્ત માં એવા નિયમ છે કે પરગામ કોઇ મરણ થયું હોય તો સગાંસંબંધી તેના લેાર્કિકે આવે તેને કાણુ કહેવામાં આવે છે. આવા અર્થાંમાં ‘કાણુ’ શબ્દ વપરાયે છે એમ મને લાગે છે. જ્ઞાનવિમળસૂરિ અને જ્ઞાનસાર અને કાણુના અથ ‘કથા' કરે છે. તેના કરતાં હું જે અર્થ ઉપર સૂચવું છું તે વધારે બંધબેસતો જણાય છે. પણ ‘કાણુ આણી’ એવે શબ્દોપયોગ થતો નથી. કાણુ માંડી' એમ કહેવાય છે. તેથી મૂળ લેખકના શે। આશય હશે તે જાણવું મુશ્કેલ પડે છે. આ ગાથામાં કહેલ અજ્ઞાનદોષ અનાદિના છે. તેથી આત્મા શું ચીજ છે, શરીર શુ' ચીજ છે, સુખ-દુઃખ શાથી આવે છે, તેનું યથાર્થ જ્ઞાન થતું નથી. પ્રાણી શરીરના દુઃખે દુખિયા પાઠાંતર—— સુરૂપ’ સ્થાને પ્રતમાં ‘સરૂપ' પાડે લીધા છે. ‘અનાદિ' સ્થાને પ્રતમાં ‘અનાદિતા' પાડે છે. ‘તમારુ’' સ્થાને એક પ્રતમાં ‘માહરૂ' પાડે છે. લીધું' સ્થાને પ્રતવાળા ‘લીધા' લખે છે. એક પ્રતમાં ‘લિધુ’ પાઠ છે. ‘તમે' સ્થાને પ્રતવાળે ‘તુમે' લખે છે. ‘જીઆ' સ્થાને એક પ્રતમાં ‘જોઉ’ પાડે છે. રીસાવી' સ્થાને પ્રતમાં ‘વીજાતાં’ ઊઠે લખેલ છે. ‘કાણ' સ્થાને પ્રતમાં ‘કાંણિ’ શબ્દ મૂકયો છે; અથ' માટે વિવેચન જુએ. (૨) શબ્દા—જ્ઞાનસુરૂપ ! = જ્ઞાનસ્વરૂપ, ખીજી વસ્તુને જાણવાના સ્વભાવ. અનાદિ આદિ વગરના કાળથી; એટલે તમારુ સ્વભાવિક અનાદિ કાળથી પોતાનું સ્વરૂપ, નિરૂપ, તમારે સ્વાભાવિક અનાદિ ભાવ. તેહ = તેને, તે અનાદિ સ્વભાવને. લીધું તાણી = આકર્ષી લીધું, ખેંચીને લઈ આવ્યા, જોર કરીને પોતાનું બનાવ્યું. તમે = આપે, પોતે. જુએ = અને લોકો ! નજર કરો, દેખો. અજ્ઞાન દશા = અજાણપણું, નહિ જાણવાપણુ, અણુજાણપણું. રીસાવી = ક્રેધથી નારાજ થઈ, દૂર જઈ રિસાઈ બેઠી. કાણુ = મરણ પાછળ રોવું, ફૂટવું, ન આણી = ન કરી, ન સ્વીકારી, ન માંડી. (૨) ૪૬ = Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨] શ્રી આનંદઘન–વીશી થાય છે, કુટુંબના દુઃખે દુખિયે થાય છે, સુગુરુને કુગુરુ માને, કુદેવને સુદેવ માને અને સુદેવને કુદેવ માને, સુધર્મને કુધર્મ માને છે અને પાંચ ઇંદ્રિયના ત્રેવીશ વિષમાં લુબ્ધ થઈ પ્રવર્તે છે, અને ધન, કુટુંબ, જે પર વસ્તુ છે, તેને પિતાનાં માને છે. તે કર્મને ઓળખતો નથી અને કર્મ કેમ ઉદયમાં આવે છે અને તેને કેમ નિર્જરી શકાય તે જાણતો નથી. પ્રાણી અનેક ખોટાં કામ કરે છે. ષટ્ર દ્રવ્યને એ ઓળખતો જ નથી. એ અજ્ઞાનદશામાં ચાલતો આવ્યો છે અને ચાલે છે અને અનાદિકાળથી સંસારમાં રખડે છે. આ અજ્ઞાનદશાનો સર્વથા ત્યાગ કરી જ્ઞાનગુણને સ્વીકારે તે ઘણી મહત્વની બાબત છે. જ્ઞાનથી કાલેક પ્રકટ થાય છે અને જે ભાવ મહાજ્ઞાની કહી શકે તેને શ્રુતજ્ઞાનથી તે કહી શકે છે. આપે જે જ્ઞાનદશાને સ્વીકાર કર્યો અને અજ્ઞાનદશાને રિસાવી મૂકી તે એટલે સુધી કે તેની કાણું પણ ન માંડી, અને આપને તેના ચાલી જવાને અંગે મનમાં પણ કાંઈ ન આવ્યું તે આપને બીજો ગુણ છે. આપે અઢાર દોષને નિવાર્યા તેમાં અજ્ઞાનદશાને આપે ત્યાગ કર્યો અને જ્ઞાનદશાને સ્વીકાર કર્યો તે કાંઈ જેવું તેવું કામ નથી કર્યું. જ્ઞાન એ તો દી છે. જેમ દીવો પ્રકાશ આપે તેમ આપનું જ્ઞાન સંદર ઝળકાટ આપે છે. અને આપે આ જ્ઞાનને સ્વીકાર કરી મેટો સુંદર દાખલે બેસાડ્યો છે. આપ આવા મોટા છો તો આ સેવકની કેમ અવગણના કરે છે? આપે આ સેવકને તદ્દન વિસારી ન દેવું જોઈએ એવી મારી આપને વિનતિ છે. નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવરથા આવી; નિદ્રા સુપનદશા રીસાણી, જાણી ન નાથ મનાવી. હે મહિલ૦ ૩ અર્થ_ઊંઘ, સ્વપ્નાવસ્થા, જાગ્રતદશા અને ચોથી ઉજાગરદશા એ પૈકી ચેથી ઉજાગર દશા આપને મળી. આપની નિદ્રાદશા અને સુપનાની દશા-સ્વપ્નદશા એટલી બધી રીસાણી, આપનાથી છેટે ચાલી ગઈ અને આપે તે વાત જાણી પણ આપે–નાથે ન મનાવી, ફોસલાવી પણ નહિ, તે જાય તેને જવા દીધી. (૩) ટ -નિદ્રા ૧, સ્વદશા ૨, જાગરતા ૩, ઉજાગરતા ૪. 'मोहो अणाइनिद्दा, सुपणदशा भव्ववोहिपरिणामो। अपमत्तमुणी जागर जागर, उयागर वीयराउ त्ति ।।' પાઠાંતર–“ જાણી’ને બદલે બન્ને પ્રતમાં “ણિ” લખ્યું છે. (૩) શબ્દાર્થ – નિદ્રા = ઊંધા સૂઈ જવું તે, પિઢી જવું તે, પલંગ કે તળાઈમાં ઊંઘી જવું તે. સુપન = સ્વખદશા, ઊંઘમાં સ્વનાં આવે છે. જાગર = જાગરૂકદશા, જાગતી સ્થિતિ, સમાધિ પણ જાગરૂક દશામાં ગણાય. ઉજાગરતા = સવિશેષ જાગૃત દશા, જેમાં ઊંધ જ ન આવે તેવી દશા. તુરીય = ચોથી (જે ઉપર કહેલ ઉજાગર દશા છે તેને). આવી = મેળવી, આપને પ્રાપ્ત થઈ આપે આંણી. નિદ્રા – ઊંધવાની દશા. જેને ઉપર પહેલી દશા કહી છે તે. સુપનદશા = સ્વન, જેમાં સોણલાં આવે તે ઉપર કહેલ બીજી દશા. રીસાણી = રિસાઈ ગઈઊઠીને દૂર થઈ ગઈ અળગી થઈ. જાણી = એમ ખબર હતી છતાં, સમજીને. ન = નહિ, નકાર, નાથ = ભગવાન, પ્રભુ. મનાવી = ફેસલાવી, સમજાવી. (૩) Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : શ્રી મલિનાથ જિન સ્તવન [ ૩૬૩ રૂતિ વિજ્ઞત્તિવાન્ ચેથી અવસ્થા આવી તે વારે-નિદ્રાદશા ૧, સ્વપ્નદશા ૨, રીસાણી જાણી, પણ હે નાથ ! તમે મનાવી નહીં. ભલી ભા. (૩). વિવેચન—ઊંઘ અને જાગવાની સ્થિતિને અંગે ચાર પ્રકારની સ્થિતિ હોય છે. તેમાં પ્રથમની સ્થિતિ નિદ્રાદશા છે. આપણે જેમાં ઊંઘીએ છીએ તે નિદ્રા. સુખે-સહેલાઈથી જાગ્રત થઈ જાય તે નિદ્રા. મહામુશ્કેલીએ ઘણાં હલાવ્યા, બેલાવ્યા કે હોકારા કર્યા પછી જાગે તે નિદ્રાનિદ્રા. ઊઠતા બેસતાં ઊંઘ આવે તે પ્રચલા. અને હાલતાં-ચાલતાં ઊંઘ આવે તે પ્રચલપ્રચલા. અને દિવસે ચિંતવેલ કામ રાત્રે ઊંઘમાં કરે તે થીગુદ્ધિ અથવા ત્યાદ્ધિ. આ પાંચ પ્રકારની નિદ્રામાં દર્શન તદ્દન બંધ થઈ જાય છે, દર્શન માટેની આંખે જ બંધ થઈ જાય છે. નિદ્રા દશાને અંગે આ પ્રથમ નિદ્રાદશા થઈ. નિદ્રાની બીજી સ્થિતિ સ્વપ્નદશા છે. એમાં ચિત્રવિચિત્ર સ્વપ્ન આવે અને તે પણ ઊંઘની એક દશા હોઈ તેમાં પણ દર્શન તદ્દન અટકી પડે છે આ સ્વદશા તે નિદ્રાની બીજી દશા થઈ. એમાં દર્શન તદ્દન બંધ થઈ જાય છે. આ ઊંઘ પણ ખરાબ છે અને તેનાથી દર્શન થતું અટકે છે. ઊંઘવા-જાગવાને અંગે ત્રીજી જાગ્રતદશા છે. માણસ જાગતો હોય ત્યારે સર્વ ચીજોને દેખી શકે છે અને તેનું દર્શન જાગતું રહે છે. એ જાગ્રતદશા તે નિદ્રાદશાથી તદ્દન ઊલટી છે. જાગવા-ઊંઘવાને અંગે ચોથી દશા તે ઉજાગરદશા કહેવાય છે, તે કેવળી, તીર્થંકર ને સિદ્ધના જીવોને હોય. તેઓ ઊંઘ ઈચ્છતા પણ નથી અને રાતદિવસ જાગતા રહે છે. આ ચોથી ઉજાગરદશામાં દર્શન સદૈવ જાગ્રત રહે છે અને આખો વખત દર્શન થયા કરે છે. બાકી તો, વ્યાખ્યાનમાં પણ શ્રવણ કરતાં માણસ નિદ્રાના જોરથી ઝોકાં ખાય છે અને ઘેર કે દુકાને ચેર ચોરી કરી જાય ત્યારે પણ ભાઈશ્રી તો ઊંઘતા જ રહે છે. આપ આ ચેથી ઉજાગરદશા રાખી છે અને નિદ્રાદશા તથા સ્વપ્નદશા તો આપથી સંપૂર્ણ રિસાઈ ગઈ છે. આપે તો, તેની સાથે ઘણા કાળને પરિચય હોવા છતાં, એને મનાવવાનો પ્રયાસ પણ નથી કર્યો. આ આપને ત્રીજો ગુણ છે. જે અઢાર દોષને આપે ત્યાગ કર્યો છે તેમાં આ નિદ્રા ત્રીજે દોષ છે. હે પ્રભુ! આપ આ સેવકની કેમ અવગણના કરે છે અને મારી સામે નજર પણ કેમ કરતા નથી? અહીં ત્રીજે નિદ્રાદશાને ત્યાગ અને ચોથે સ્વપ્નદશાને ત્યાગ એમ આ ગાથામાં બે ગુણનાં અથવા દોષનિવારણનાં વર્ણને કર્યા. (૩) સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. હે મલ્લિ૦ ૪ પાઠાંતર–“સમતિ” સ્થાને પ્રતવાળા “સમકત” શબ્દ લખે છે. “સાથે સ્થાને એક પ્રતમાં “સાર્થે પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “પરિવાર શું ' સ્થાને પ્રતવાળા પરિવારસ્યું ” લખે છે. “અપરાધણ” શબ્દને સ્થાને બન્ને પ્રતમાં “અપરાધણિ” શબ્દ લખ્યો છે. (૪). Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] શ્રી આનંદઘન-વીશી અર્થ—આપે તો સમ્યક્ત્વ-શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ પર શુદ્ધ શ્રદ્ધા સગપણ સંબંધ–કર્યું, તે એકલા તેની સાથે જ નહિ, પણ તેના સગાસંબંધીઓ સાથે પણ પાક સંબંધ કીધે અને મિશ્યામતિને તહોમતદાર તરીકે કે ગુનેગાર તરીકે ઓળખી લઈને એને તે ઘરમાંથી જ બહાર હાંકી દીધી, કાઢી મૂકી. (૪) - ટબો–સમકિત સગાઈ કીધી, સદારામ સબોધાદિ પરિવાર સાથે સુદઢપણે મિથ્યામતિને અપરાધિણી–પાપકારિણી જાણીને ઘરથી-મનમંદિરવાસના ઘરથી સંજ્ઞારૂપથી પણ બહાર કાઢી. (૪). | વિવેચન—આ ગાથામાં પાંચમા મિથ્યાત્વ દોષના નિવારણની વાત કરે છે. સમકિત સાથે એના આખા પરિવાર સાથે સંબંધ-સગપણ કર્યું અને તે પણ ગાઢ સંબંધ કર્યો. અને મિથ્થાબુદ્ધિ-મિથ્યાત્વ સાથે એને એટલે વાંધો પડી ગયું કે તેને અપરાધ કરનારી તહોમતદાર ગણીને ઘરથી બહાર ધકેલી દીધી. સમ્યફવના સડસઠ બલની વાર્તામાં સમિતિના સંબંધીઓ શમ, સંવેદ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપાને ઉપર જણાવી ગયા છીએ. એની સાથે–એ સમ્યકૃવના પરિવારની સાથે–એણે સગપણ–સ્નેહસંબધ કર્યો. ખરી વસ્તુને ખોટી માનવી તે મિથ્યાત્વ; બટાને-સાચું માનવું, ધર્મને અધમ માન તે મિથ્યાત્વ. એના અનેક પ્રકાર છે – પ્રથમના મિથ્યાત્વને અભિગ્રહમિયાત્વ કહે છે. તેમાં કુદેવને સુદેવ માને, કુગુરુને સુગુરુ માને, અધર્મને ધર્મ માને. આવી રીતે ગર્દભપુચ્છ પકડ્યું તેને છોડે જ નહિ, હઠ કદાગ્રહથી બાપદાદાની હઠ પકડીને કુગુરુને મૂકે નહિ. બીજે મિથ્યાત્વદોષ અનભિગ્રહિક મિથ્યાત્વ. તે બધા દેવને સરખા માને. સુદેવ અને કુદેવને સરખા માને. એને ખરાખોટાને ભેદ થતું નથી. એ ખરે વિચાર જ કરતું નથી. એ અધર્મને પણ ધર્મ માને. ત્રીજે મિથ્યાત્વને પ્રકાર તે અભિનિવે શિક મિથ્યાત્વ. તેમાં તે સત્યદેવને માને નહિ, પણ બાપદાદાએ કર્યું તેમ જ કર્યા કરે. સાચો ધર્મ જાણે પણ તેને સ્વીકારી ન શકે. ચેથે સાંશયિક મિથ્યાત્વ. એ વીતરાગનાં વચનમાં શંકા કરે. એના સંશયનું નિવારણ થાય જ નહિ. મૂઢતાથી ખબર ન પડે તે પાંચમું અનાગિક મિથ્યાત્વ. એકે દ્રિય પ્રમુખ જીને આ મિથ્યાત્વ હોય છે. એને ધર્મકર્મની ખબર જ પડતી નથી. | શબ્દાર્થ–સમતિ = શુદ્ધ દેવ-ગુરુ-ધમ ઉપર શુદ્ધ શ્રદ્ધા. સાથે = જોડે, ના સંબંધમાં. સગાઈ = સ્નેહસંબંધ, પ્રેમ, કીધી = કરી. સપરિવાર તેના પરિવાર સાથે, શમ, સંવેગ વગેરે તેના કુટુંબીજને. સુ = ની સાથે. ગાઢી = ગા, પાકી, જીવ હાડોહાડ. મિથ્થામતિ = બેટી બુદ્ધિ, બોટામાં સારાપણાની બુદ્ધિ. અપરાધ = અપરાધિની, તહોમતદાર જાણી = ઓળખી, શેાધી કાઢી. ઘરથી = પિતાના ગૃહમાંથી, પિતાના ઘરેથી. બાહિર = બહાર, છેટે, આધે. કાઢી = ફેકી દીધી. (૪) Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૯: શ્રી મહિલનાથ જિન સ્તવન [૩૬૫ આવી અનેક પ્રકારની મિથ્યાત્વની બુદ્ધિ હોય છે તેને આપે ત્યાગ કર્યો છે અને શમ, સંવેગ આદિ આખા પરિવાર સહિત સમકિત-શુદ્ધ દેવ-ગુરુ-ધમ પર શુદ્ધ શ્રદ્ધા આપે આપનામાં જમાવી છે. સમક્તિના પ્રકારે અગાઉ વર્ણવી ગયા છીએ. મિથ્યાત્વને અનેક પ્રકારે વર્ણવેલ છે. મતલબ, આપે સમકિત સાથે, એના પરિવાર સહિત, ગાઢ સંબંધ કર્યો અને પાંચમા દોષ મિથ્યાતને ઘરથી બહાર કાઢી મૂકવાને અને તેની સાથે સંબંધ ન કરવાને નિશ્ચય કર્યો. (૪) હાસ્ય અરતિ રતિ શોક દુર્ગછા, ભય પામર કરસાલી; નોકષાય શ્રેણિ ગજ ચઢતાં, થાન તણી ગતિ ઝાલી. હો મલિ૦ ૫ અર્થ-હાસ્ય, અરતિ, રતિ, શાક, દુર્ગછા અને પેલી ત્રણ સાંધાવાળી દંતાળીને જ્યારે આપ નેકષાયરૂપ હાથી ને શ્રેણીની ઉપર ચઢયા તે વખતે એની બાપડીની કૂતરા જેવી ગતિ પકડાવી દીધી. (૫) ટ —હાસ્ય ૧, રતિ ૨, અરતિ ૩, શેક ૪, દુગંછા પ, ભય ૬, ઈત્યાદિક પામર-નીચા લેક ધુરસાલી–રસાલી ભુ (?) છ નેકષાયાદિક એ ધાનની ગતિ–દશા લાધી; જેમ ગજ વાટે–રાજમાર્ગો જાય તે વારે શેરીમાં કૂતરા ભસે, પણ હાથી સ્વગતિ ન ભાજે, તેની સામે પણ ન થાય. (૫) વિવેચન—આ ગાથામાં અઢાર દૂષણે પૈકી બીજા છ દૂષણ કહેવામાં આવશે. એને જૈન પરિભાષામાં નવ નેકષાય કહેવામાં આવે છે. નેકષાય એટલે કષાયના ઉત્તેજક, કષાયને ઉત્પન્ન કરનાર. આપણે પ્રથમ છટ્ઠા દૂષણ અને કષાયને ઉત્પન્ન કરનાર પ્રથમ નોકષાયરૂપ દૂષણને વિચારીએ. હાસ્ય એટલે હસવું તે. હસવામાંથી ખસવું થઈ જાય છે અને માણસ હસે છે ત્યારે સામાને શું લાગશે તેને તેને વિચાર રહેતો નથી. હસી હસીને માણસ એટલું હસી નાખે છે કે તેની હદ થઈ જાય છે. મારા એક મિત્ર એક વાર હસવા માંડે તે અંતે રૂએ ત્યાં સુધી હસ્યા જ કરે. અને મશ્કરી કે હાંસીમાં બોલેલા વચનને તો પ્રાણી કદી ભૂલી શકતો પાઠાંતર–“અરતિ રતિ ' સ્થાને પ્રતવાળો ‘રતિ અરતિ” લખે છે; બીજી પ્રતમાં “રતી અરતી ” પાઠ છે. “કરસાલી ” સ્થાને બન્ને પ્રતમાં “ધુરસાલી” શબ્દ પ્રતકાર લખે છે; અર્થ માટે વિવેચન જુઓ (૫) શબ્દાર્થ –હાસ્ય = મશ્કરી, ઠઠ્ઠા, હસવું તે અરતિ = અપ્રેમ, મનમાં ધીરજ નહિ તે, ચિત્તવ્યાકુળતા. રતિ = પ્રેમ, પ્રીતલડી શોક = ખેદ, માનસિક ઉગ, દિલગીરી. દુગછો = નાક મચકોડવું તે, નાકમાં પીડા થવી. ય = ભે, બીક. પામર = તુચ્છ, સાધારણ, હલકી. કરસાલી = દંતાળી, ત્રણ દાંતાવાળી (સ્ત્રી-પુરુષનપુંસકવેદ ). નોકષાય = નવ નોકષાય, હાસ્યાદિ નવ ગજ = હાથી, હસ્તી. શ્રેણિ = પંક્તિ, પદ્ધતિ. ચઢતાં = આગળ વધતાં. શ્વાન = કૂતરું. તણી = ની, તેની. ગતિ = ચાલ, ગત, રીત. ઝાલી = પકડી, લીધી, આદરી, સ્વીકારી (૫) Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬] શ્રી આનંદઘન-ચાવીશી નથી. કુમારપાળની બહેનને રમતાં રમતાં રોગઠાબાજીમાં જ્યારે પિતાના ધણીએ એટલું કહ્યું કે માર એ કુમારપાળનાં મુડીને, ત્યારે એ રિસાઈને પિયર આવી. કુમારપાળે એ વાત જાણી ત્યારે આવું બોલનારની જીભ ખેંચાવી લઉં એમ જાહેર કરી મેટી લડાઈ જાહેર કરી. અને એના વખતમાં બે મોટી લડાઈઓ થઈ, તે પૈકી આ લડાઈ એક મોટી લડાઈ ગણાય છે. અંતે લડાઈમાં પિતાના બનેવીને હરાવ્યો. અને અંતે પ્રધાને સમજાવ્યું ત્યારે કુમારપાળે જામાની પાછળ ચીતરેલ જીભને ખેંચી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. આવી હાસ્યની વાત છે. હાસ્યની ટેવવાળા લોકોમાં મકરા કહેવાય છે. આ હસવાની પ્રવૃત્તિ આત્મિક ગુણથી વિપરીત છે અને એ અનર્થદંડને ઘણે વધારી મૂકે છે. પછી તે હસતાં બાંધેલાં કર્મો રડતાં પણ છૂટતાં નથી અને નવીન કર્મબંધ કરાવે છે. માટે ભગવાનની પેઠે હસવાને ત્યાગ કર. હસવાની ટેવ ખોટી છે; એમાં જરા પણ લાભ નથી. અને એ કોધને ઉત્પન્ન કરનાર છે. અને હસે એના ઘર વસે' એ કહેવત છેટે રસ્તે દોરનારી છે. ખરા આ ત્મિક ગુણને એ અટકાવનારી પદ્ધતિ છે અને તેથી પ્રભુને આદર્શ રાખનારને એ સર્વથા ત્યાજ્ય છે. એ ટેવથી કઈ જાતનો લાભ નથી અને એકંદરે-સરવાળે નુકસાન જ છે. હસવામાંથી ખસવું થઈ જતાં વાર લાગતી નથી, તેથી આ હસવાની કે મશ્કરી કરવાની ટેવ રાખવી યોગ્ય નથી. આવી રીતે હસવાની પદ્ધતિનો ત્યાગ કરે એ પ્રભુને આદર્શ તરીકે સ્વીકારનારને માટે ખાસ જરૂરી છે. એ પ્રમાણે અઢાર પૈકી છઠ્ઠો દેષ થયો. એ જ પ્રમાણે રતિ નામને સાતમે દોષ પણ પ્રભુને થતો નથી. અનુકૂળ પગલિક પદાર્થ મળે ત્યારે રાજી થવું તે રતિ નામને નોકષાય છે. તે દૂષણ પ્રભુને જરા પણ નથી. અનુકુળ પદાર્થોમાં રાજી થવું, તેને ચેનમાં પડી જવું, એથી પ્રાણ ભારે કર્મબંધ કરે છે. પદાર્થને અનુકૂળ માનો તે જ અજ્ઞાનતા છે. પદાર્થ તો જડ હોઈ અંતે વિનાશી છે. શરીર કે કઈ પણ પદાર્થમાં રતિ ન કરવી, એ પ્રભુને માર્ગ છે અને પ્રભુના માર્ગને અનુસરી આ સાતમા દૂષણને ત્યાગ કરવો. આઠમું દૂષણ અરતિ છે. રતિથી તે ઊલટો દુર્ગુણ છે. અરતિ એટલે ચીજ પર અરાગ. કઈ વસ્તુ ઉપર અપ્રીતિ ન કરવી. આપણે લેણદાર ધન માગે ત્યારે તેને આપવું. સર્વ ચીજો અહીં મૂકી જવાની છે, આપણે સાથે કેઈ આવનાર નથી, એમ વિચારી કોઈ ચીજ પર અને કેઈ બનાવ પર અપ્રીતિ ન કરવી. આ આઠમા દૂષણને ભગવાને નિવાર્યું. અને ભગવાન આપણું આદર્શ હોઈ આપણે તેને અનુસરવું ઘટે. ધન ચાલ્યું જાય ત્યારે પણ અરતિ ન કરવી. ચોથે નોકષાય અને નવમું દૂષણ શેક છે. કોઈ માંદુ પડે કે મરી જાય ત્યારે ખેદ થાય એ શક છે. માણસ શેકથી તંદુરસ્તી ખેઈ બેસે છે, બજાર વચ્ચે અમર્યાદ કૂટવું, વરસ સુધી મેં વાળવા, છાજ્યિાં લેવાં, એ પણ શેકને એક પ્રકાર જ છે. આમાં શુભા મળતી નથી અને આપણે પણ જવાનું જ છે એ વાતનું ભાન રહેતું નથી. આ ભવ ને પરભવમાં હાનિ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૧૯: શ્રી મલિનાથ જિન સ્તવન [૩૬૭ કરનાર, સંયોગને વિયોગ થાય જ એ નિયમને વીસરાવનાર અને પરભવમાં દુર્ગતિ અપાવનાર આ દૂષણ પર પ્રભુએ વિજય મેળવ્યો છે. આ પ્રમાણે શક નામનું નવમું દૂષણ વિચાર્યું. દશમું દૂષણ દુર્ગછા નામનું છે. કોઈ ગંદી ચીજ કે વિષ્ટાને જોઈ એની ગંધ આવતાં મેં મચકડવું તે દુર્ગછા છે. કઈ પ્રાણીને હલકો માનવે નહિ અને અછુત ઉદ્ધાર માટે પ્રયત્ન કરે એ દુગંછાને ત્યાગ છે. આ દશમા દૂષણને પ્રભુએ ત્યાગ કર્યો છે. આદર્શ સ્થાને સ્થાપનાર આપણે એને પ્રભુને અનુસરવું એ આપણી ફરજ છે. ભય સાત છે : આલેકભય, પરેલેકભય, આદાનભય, અકસ્માતૃભય, આજીવિકાભય, મરણ ભય અને અપકીર્તિભય. આને જુદા દૂષણમાં ગણવામાં નથી આવ્યું પણ તે તજવા યોગ્ય છે. એ સર્વ નોકષા બાપડા–બિચારા છે. કષાય રૂપ હાથીની શ્રેણિ પર ચડતાં જેમ હાથી પછવાડે દૂર દૂરથી કૂતરા ભસે તેવા તેના હાલ છે. પ્રભુ તો હાથમાં દંતાળી લઈ ત્રણે વેદો ઉપર વિજય મેળવી એ સર્વને નિવારે છે. હાથી પછવાડે કૂતરાના ભસવાની કોઈ અસર થતી નથી. આ ગતિ આપે પકડી છે અને આપ મારી આદર્શ હોઈ મારે તે માગે કામ લેવા યોગ્ય છે. આ નેકષાયે નવ છે તેના પર મારે વિજય મેળવે એવો મારે આદર્શ છે. (૫) રાગ દ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણ મોહના યોધા; વીતરાગપરિણતિ પરિણમતાં, ઊઠી નાઠા બોધા. હો મલિ૦ ૬ અર્થ_ચારિત્રમોહનીયના મોટા લડવૈયાઓ તો રાગ દ્વેષ અને અવિરતિની રીત છે, તે આપનામાં વીતરાગભાવ જામતાં બાપડા બાઘડ ભૂત જેવા થઈ ઊઠીને નાસી જ ગયા. (૬) ટો–રાગ દ્વેષ અવિરતિ પરિણામ એ સર્વ ચારિત્રમોહ નૃપતિના ધા-સુભટ છે. તે સઘળા એ વીતરાગભાવની પરિણતિ પરિણમતે હું પોતાની મેળે તે આફણહી જ ઊઠી નાઠા. અત્યંત અબોધ અજ્ઞાન છે તે. (૬) વિવેચન–રાગ એટલે મનને પસંદ પડે તેવી ચીજ પર પ્રીતિ અને ષ એટલે મનને પસંદ ન પડે તેવી ચીજ પર તિરસ્કાર વિરતિભાવને અભાવ-એ સર્વ મેહનીય કર્મ, જે રાજા પદે છે, તેના લશ્કરીએ છે. મેહનીય કર્મને રાજાનું સ્થાન અપાય છે અને તેના લડયા-લશ્કરી સ્થાને રાગ, દ્વેષ અને અવિરતિની પરિણતિને અપાય છે. રાગ એટલે પ્રીતિ અને પાઠાંતર–અવિરતિની’ સ્થાને પ્રતમાં “અવિરતિ પાઠ છે; એક પ્રતમાં “અવીરતી પાઠ છે. રાધા સ્થાને પ્રતમાં “જેધા’ પાઠ છે. “પરિણમતાં’ રથાને એક પ્રતમાં “પરિણા રમતા” પાઠ છે. (૬) . | શબ્દાર્થ–રાગ = પ્રેમ, સ્નેહ. ઠેષ = અપ્રીતિ, અપ્રેમ. અવિરતિ = ત્યાગભાવને અભાવ, વિરમવાની ગેરહાજરી. ચરણમોહ = ચારિત્રમોહનીયના. ચોધા = લડવૈયા, આગળ ચાલનારા, કાનિશાને. વીતરાગ = જેનો રાગ કપાઈ ગયો છે તે, ભગવાન, પ્રભુ. પરિણતિ = તેના જેવી હૃદયેચ્છા, વૃત્તિમાં તદ્રુપ થવું તે પરિણમતાં = પામતાં. ઊઠી = ઊભા થઈને. નાઠા = દૂર થયા, ભાગી ગયા. બધા = અકકલ વગરના, સાદી અક્કલના પણ નહિ. (૬) Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] શ્રી આનંદઘન-વીશી દ્વેષ એટલે ધિક્કાર અને વ્રત ન લેવાં તે અવિરતિ પરિણતિ. રાગકેસરી, શ્રેષગજેન્દ્ર અને મેહુરાજાને અવિરતિભાવ એ સેવે મેહરાજાના સેનાનીઓ છે, લડયા છે, અને ચારિત્રમેહનીય અને સમ્યકતવમેહનીય તરીકે રહી મેહરાજાના સૈનિક તરીકે કામ કરનારા છે. પણ આપ ભગવાનની વીતરાગવૃત્તિનો પ્રસાર થતાં એ લડવૈયા સુભટો તો ક્યાંના ક્યાં નાસી ગયા; તેઓ પિતાનું મુખ પણ બતાવતા નથી અને મૂર્ખ બનીને નાસી છૂટયા છે. એમને થયું કે જે તેઓ સામે લડવા જશે તો વીતરાગપરિણતિ પાસે હાર પામશે. આવો આપને મહિમા છે. આપે જે ત્યાગ કર્યો છે તે અવર્ણનીય છે. આ ગાથામાં અગિયારમા રાગ અને બારમા દ્વષ દૂષણનો આપે સર્વથા ત્યાગ કર્યો છે તેનું વર્ણન છે. આ રાગત્યાગ અને દ્વેષત્યાગ એ બહુ મોટા ગુણ છે. આ ગાથામાં બતાવ્યું એ રાગદ્વેષને પ્રભુએ ત્યાગ કર્યો છે અને તેરમો અવિરતિ પરિણતિને દોષ, જે કર્મબંધ કરાવે છે, તેને પણ પ્રભુએ ત્યાગ કર્યો છે. (૬) વેદોદય કામા પરિણમા, કામ્યક રસ સહુ ત્યાગી નિ:કામી કરુણારસસાગર, અનંત ચતુષ્ક પદ પાગી. હો મલિ૦ ૭ અથ–વેદના ઉદયથી થતા કામના જે પરિણામ થાય છે, એ આખા કામરસને આપે તજી દીધું અને આપ તો કામના રહિત-ઇચ્છા વગરના થઈ જે આપનામાં ચાર અનંત છે તેને પગલે પગલે આપે ચાલવા માંડયું. (૭) ટબો–વેદ ત્રણને ઉદય, કામ એવું અપર નામ છે, કામ્ય વિષયાદિક અને કર્મ જે નિપજાવીએ તે સર્વને ત્યાગી, સર્વથા નિકામી-નિરભિલાષી અને કરુણારસને સાગર, અનંત ચતુષ્ક-તે અનંતજ્ઞાન ૧, દર્શન ૨, સમકિત ૩, વીર્ય ૪, તેના પદને પ્રાપક. (૭) વિવેચન—આ ગ્રંથમાં ચૌદમું દૂષણ કામને ત્યાગ અથવા કામ્યક રસનો ત્યાગ કરી આપે એ દેષનું પણ નિવારણ કરેલ છે તેનું વર્ણન છે. વેદ એ કષાય છે. કષાયને ઉત્પન્ન કરનાર પુરુષની સ્ત્રી સાથે ભેગ ભેગવવાની ઇચ્છા થાય તે ખડના તાપ તુલ્ય પુરુષવેદ, સ્ત્રીને પાઠાંતર–વેદોદય’ સ્થાને બંને પ્રતમાં વેદ ઉલ્ય લખ્યું છે. “કામ” ને સ્થાને પ્રતમાં “ કાયા” પાઠ લખ્યો છે. પરિણામ” સ્થાને બંને પ્રતમાં “પરનામા” પાઠ છે. “રસ ” સ્થાને બંને પ્રતમાં “કરમ” પાઠ છે. “નિઃકામી’ સ્થાને પ્રતમાં “નીકાની ' પાઠ છે. “ચતુષ્ક” સ્થાને પ્રતમાં “ચતુષ્ક ” પાઠ લખે છે. (૭) શબ્દાર્થ–વેદોય = પુરુષ, સ્ત્રી, નપુંસકને ભોગવવાની ઈચ્છા. કામા = કામભોગની ઈચ્છા, સ્ત્રીને પુરુષની, પુરુષને સ્ત્રીની તથા નપુંસકને બંનેની, પરિણામ = ભોગવવાની ઈચ્છા, મરજી. કામ્યક = પિતાને પસંદ આવે તેવા. રસ = તેને ભોગવવામાં રસોત્પત્તિ. સહુ = સવ; કુલ, બધો. ત્યાગી = તજી દઈ, છોડી દઈને. નિકામી = ઈચ્છા વગરના, હોંસ વગરના. કરુણું = દયા, સર્વવ્યાપી પ્રેમ, રસ = તત્ત્વ. સાગર = દરિયે. અનંત = અપરંપાર, પાર વગરની. ચતુષ્ક = ૧. જ્ઞાન, ૨. દશન, ૩. ચારિત્ર, ૪. વીયએ ચારેનો સમૂહ. પદ – ઠેકાણું, પદડામ. પાગી = ગેતનારા, શોધનારા. (૭) Page #385 -------------------------------------------------------------------------- ________________ [૩૬૯ ૧૯ : શ્રી મહિલનાથ જિન સ્તવન પુરૂષને ભેગવવાની ઈચ્છા થાય તે છાણાની-અડાયાની અગ્નિ સમાન સ્ત્રીવેદ, અને પુરુષને તથા સ્ત્રીને બંનેને ભેગવવાની ઈચ્છા થાય તે નગર-અગ્નિ સમાન નપુંસક વેદ. આ કામ્યક રસ, જે સર્વ ઇંદ્રિયથી ઉત્પન્ન થાય છે, તે બહુ અધમ છે. આ કામ્યક રસને કવિઓએ અલંકારની ભાષામાં વર્ણવ્યા છે. આપને તે એ કામ્યક રસ જરા પણ ગમ્યું નથી. આપે તો કામરસને સર્વથા ત્યાગ કરી આ તેરમું દૂષણ સર્વથા ત્યાગ કરેલ છે. પાંચ ઇંદ્રિયના તેવીશ વિષય છે. તેને આપે તજી દીધા છે. અને હે કરુણારસના સાગર ! આપ તે તદ્દન નિકામી થયા છે. આપને દેવતાની દેવીઓ કે મનુષ્યની ગમે તેવી બાહ્ય રંગે રૂપાળી સ્ત્રીઓ પણ લલચાવી શકતી નથી. આપની આ ઉપદેશકથા સાંભળવા ગમે તેવી રૂપવતી સ્ત્રીઓ આવે તેની આપને પરવા નથી. આપ તે અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યશક્તિને શોધનારા છે અને એ અનંત ચતુષ્કમાં મસ્ત થઈ રહેલા છે. હે કરુણરસના દરિયા ! આપ કઈ પણ પ્રકારે મારી અવગણના ન કરો અને આપના જેવો થવાના મારા મનમાં કેડ જાગ્યા છે તે પૂરા કરે. આપ અનંત શક્તિના ધણ છે તે બધું કરી શકશે. આ ગાળામાં પ્રભુના નિકામી ભાવની પ્રશંસા કરી. આ આદશે આપણે પહોંચવું છે. આપણું આદેશમાં સુદર્શન શેઠ છે. એણે રાણીની પ્રાર્થના સાંભળી નહિ અને શૂળી સ્વીકારી. એને અને સ્થૂળીભદ્ર તથા તેમનાથને આપણો આ આદર્શ છે એ લક્ષ્ય ચુકાય નહિ. (૭) દાનવિઘન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભવિઘન જગવિઘન નિવારક, પરમ લાજરસ માતા. હો મલિ૦ ૮ અર્થ–દાનાન્તરાયને અટકાવી આપ તે સર્વને અભયદાન આપે છે. આપ તેને જીવવા દે છે. અને આપ આખી દુનિયાના લાભમાં જે અંતરાય આવે તેને અટકાવનાર છે અને આપ પરમ મહારસમાં લદબદે છે. (૮) પાઠાંતર–“દાન” સ્થાને “દાન’ પાઠ પ્રતમાં લખ્યા છે. “જનને’ સ્થાને પ્રતમાં “જનનૈ' પાઠ છે. જગ” સ્થાને પ્રતમાં “જગિ” પાઠ છે. (૮) શબ્દાર્થ –દાન = બીજાનું આપવું -દેવું તે. વિધાન = વિદ્મ, અડચણ, અંતરાય. વારી = અટકાવીને, મટાડી દઈને. સહુ = સર્વ, બધા, કુલ. જનને = માણસને, મનુષ્યને. અભયદાન = કોઈની પણ તારે બીક નથી, જીવતદાન. પદ = સ્થાન. દાતા = આપનાર. લાભ = પ્રાપ્તિ, મળવું તે, એક વાર જે વસ્તુ ઉપભોગમાં આવે તેની મેળવણી. વિધન = વિન્ન, તેમાં અંતરાય. અડચણ, ન મળવું તે. જગ = અને જગતના (બીજાના), અન્યત. નિવારક = અટકાવનારા, રોકનારા. પરમ લાભ = ઉત્કૃષ્ટ પ્રાપ્તિ, સારામાં સારી મોટી વસ્તુનું આવી મળવું તે. રસ = તેને મહિમા, સ્વાદ, માતા = તે મેળવીને તેમાં એકરૂપ થઈ ગયેલા, મગ્ન થયેલા. (૮) ४७ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦] શ્રી આનંદઘન–ચોવીશી ટો – દાનવિઘન-પિતાનું દાતાન્તરાય-વારીને સર્વ જનને અભયદાનપદદાયક થયા, લાભતરાય વારી જગતના વિધ્રો નિવારવાને પરમ લાભભરરસે કરી માતા-પુષ્ટ છે; સર્વ સંસાર ઉદાર પરમ મૈત્રી કરુણ રસે માતા. (૮) વિવેચન—આ ગાથામાં પંદરમા તથા સેળમા દૂષણને પ્રભુએ કેવી રીતે ત્યાગ કરી દીધે તે વર્ણવે છે. દાન પાંચ પ્રકારનાં છે : અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, કીર્તિદાન અને ઉચિતદાન. સુપાત્રદાન તે તીર્થકર, કેવળજ્ઞાની, આચાર્ય, ઉપાધ્યાય, મુનિરાજ, ઉત્તમ શ્રાવક, સમ્યગદૃષ્ટિ કે માર્ગાનુસારીને દાન આપવું તે. એવા પુરુષને ગ બને અને પોતાની પાસે આપવા યોગ્ય વસ્તુની જોગવાઈ હોય તે આપવી તે સુપાત્રદાન. આ મરતા જીવને બચાવી લે, એને અંગે તકલીફ પડે તે ઉઠાવી લેવી, તે અનુકંપાદાન, કોઈ દુઃખી હોય તેને જોઈતી વસ્તુ પિતાની પાસે હોય તે આપવી તે પણ અનુકંપાદાનને પ્રકાર છે. અધમી જીવને જ્ઞાનને બોધ કરવો તે પણ અનુકંપાદાન. ઔષધાદિ આપવું તે પણ અનુંકપાદાનનો એક પ્રકાર છે. ટૂંકામાં બીજા જીવને સુખી કરવા કાંઈ આપવું તે અનુકંપાદાન છે. પિતાની કીર્તિ ગવાય તે સારુ આપવું તે કીર્તિદાન છે. સંસારી કુટુંબાદિકને ઉચિત પ્રમાણે દાન આપવું તે ઉચિતદાન છે. દાનને અંતરાય એટલે ઉપર જણાવેલા પાંચ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનું દાન કરનારને કહે જે દાન આપવું તે કરતાં પિતાના પેટમાં ખાવું તે વધારે ઠીક છેતે છોડીને લેકેને આપવામાં શું ફાયદો છે? ગુણવંતને નિર્ગુણી કરાવી દાન આપે નહિ; દાન આપનારને ના કહેવી, અથવા દાન આપનારની નિંદા કરવી, તેને ઉડાઉ કહે, અને પોતે શક્તિમાન હોય અને દાન આપનારનો મહિમા થાય તે જોઈ તેના ઉપર રેષ કરે; પિતાથી બને તે દાન દેનારનું બગાડે અથવા તેની અવહેલના કરે અથવા કદાપિ દાન આપે તે તેને અહંકાર કરે પિતાને કણદાનેશ્વરી ગણાવે; એ વિચારે નહીં કે ભગવંતના વરસીદાન આગળ પિતાનું દાન કાંઈ પણ નથી આવી રીતે પ્રાણી કાં તે દાન આપી અથવા આપનારને અટકાવી દાનાંતરાય બાંધે છે. આપે તે દાનાંતરાયને અટકાવીને સર્વ પ્રાણીઓને અભયદાન આપ્યું અને આ રીતે દાનાંતરાયરૂપ પંદરમા દૂષણને આપે ટાળ્યું, તેથી મારા આદશસ્થાને આપે છે. આપે દાનાંતરાયને તદ્દન દૂર કરી દીધો છે, અને વરસીદાન, ઉપદેશ અને જ્ઞાનદાન આપી જગતનું દારિદય કાપી નાખ્યું છે. અને આપે લાભાંતરાયને ત્યાગ કરી એ સોળમાં મહાદૂષણને અટકાવી જગતનાં વિદનને અટકાવી દીધાં છે. સાંસારિક લાભ અને બીજા આત્મિક લાભ, એ બન્ને પ્રકારના લાભના અંતરાને આપે દૂર કરી દીધા છે. નીરોગી શરીરને લાભ થવો, ધન મળવું, નકરે મળવા. ઈટ વસ્તુ મળવી, વિદ્યા-કળા શીખવી તે સર્વ લાભ છે. તેને અંતરાયને નિવારીને આપ તે Page #387 -------------------------------------------------------------------------- ________________ ૧૯: શ્રી મલ્લિનાથ જિન સ્તવન [૩૭૧ ઊંચામાં ઊંચા પ્રકારના રસમાં લચપચી રહ્યા છે. આપને એ સર્વ વસ્તુ મળે છે, કારણ કે આપને લાભાંતરાય નામના સોળમા દેષને સર્વથા અભાવ છે. આ સળગે દોષ આપનામાં જરા પણ નથી તેથી આપ મારા આદર્શ સ્થાનને યેગ્ય છે. આપે આવા બે અંતરાયના દૂષણ ઉપર વિજય મેળવ્યો છે તે ખરેખર પ્રશંસાપાત્ર છે. (૮) વીર્યવિઘન પંડિત વીયે હણી, પૂરણ પદવી યોગી; ભેગોપભગ દોય વિઘન નિવારી, પૂરણ ભેગ સુભગી. હો મહિલ૦ ૯ અર્થ અને આપ તે વર્યાન્તરાયને પણ પંડિત શક્તિએ કરી તદ્દન હઠાવી દઈ સંપૂર્ણ પદવી સાથે જોડાઈ ગયા છે. અને ભેગાંતરાય તથા ઉપભેગાન્તિરાય એ બને અટકાવીને આપ તે સંપૂર્ણ ભેગને સારી રીતે ભેગે છે. (૯) ટબે–વીર્યંતરાય હણવે પંડિત વીર્યના ઉલ્લાસ સર્વ જગને સ્વભાવધર્મ સંપાવક છે. સ્વભાવપ્રતીતજ્ઞાપકોપદેશાચરણાદિ અનેક નિમિત્તે પૂરણ પદવી ભોગી તીર્થકર નામકર્માદિકે ભેગાંતરાય, ઉપભેગાંતરાય વિઘન નિવારીને પરમ ભેગરસ અનંતધર્માત્મક ફેય વસ્તુના ભેગી છે. (૯) વિવેચન—આ ગાથામાં ત્રણ દૂષણને ત્યાગ વવશે; અને એ રીતે સળમા, સત્તરમાં અને અઢારમા દેષનું નિવારણ થશે. આપનામાં અનંત શક્તિ છે. આપની શક્તિ પાસે ચકવતની શક્તિ પણ વિસાતમાં નથી. અને આપની ગતિને વજા પણ રોકી શકતું નથી. આપે સમજુ-જાણકારના જોરથી વીર્યાતરાયને કાપી નાખી-દૂર કરીને સંપૂર્ણ પદવી, જે મેક્ષ સ્થાનમાં મળે છે, તેને વેગ સાધ્યું છે અને આપ એ સ્થાને પહોંચી ગયા છે. મારે પણ તેવા થવાની ભાવના છે. આપે તે આપની શક્તિને આત્મકાર્યમાં જોડી દીધી છે. જોકે તમાસ જોતી વખતે દોડાદોડ કરે છે, પણ ધર્મકરણી કરતાં પિતાની શક્તિ નથી એવાં બહાનાં કાઢે છે. પ્રતિકમણ બેઠા બેઠા કરવામાં તંદુરસ્તીનું નિમિત્ત બતાવે અને તપસ્યા કરતી વખતે અશક્તિ દાખવે. મન બળવાન હોય તે સર્વ બની શકે છે. ધર્મ સાંભળવા માટે ફરસદ ન મળે અને નકામાં ગપ્પાં મારવામાં કલાકે કાઢી નાખે. આ સર્વથી વીર્યંતરાય બંધાય છે. પાઠાંતર–“વીર્ય સ્થાને પ્રતમાં “વિરજ' પાઠ છે. “વિઘન” પ્રતમાં “વીધન' એમ લખેલ છે. “વીયે' સ્થાને “વીરજે' એમ પાઠ પ્રતમાં છે, અર્થ એ જ રહે છે. “નિવારી' સ્થાને પ્રતમાં નીવારી ” લખ્યું છે. “પૂરણ સ્થાને “પરમ” પાઠ છે. “ભગ સુભાગી ” સ્થાને પ્રતમાં ‘ભોગસ ભોગી” પાડ છે. (૯) * શબ્દાર્થ –વીર્ય-શક્તિ, જેર, બળ, તાકાત. વિઘન = તેનું વિઘ, તેની અટકાયત. પંડિત = પિતાની અકલથી, હુંશિયારીનું. વીયે = તાકાતના જોરથી, સામથ્થર, બળે. હણી = દૂર કરી, હડફેટી. પૂરણ = પૂર્ણ, મોટામાં મોટી, પારાકાષ્ઠાવાળી પદવી = સ્થાન, સ્થળ. યોગી = જોડનાર, મેળવનાર. ભોગપભગ = એક વાર ભગવાય તે ભેગ, અનેક વાર ભેગવાય તે ઉપભેગ. દેય = બન્નેના, બેના. વિઘન = વિદ્ય, અંતરાય, અડચણ નિવારી = અટકાવી, દૂર કરી. પૂરણ = પૂર્ણ, સર્વા, સઘળા. ભોગ = ભોગવવું તે. સુભોગી = તેને સારી રીતે ભોગવનાર. (૯) Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨] શ્રી આનંદઘન-વીશી જે એક વાર વસ્તુ ભગવાય તેને ભેગ કહેવામાં આવે છે. કેવળી કે તીર્થપતિ કેવળ જ્ઞાનને ભેગવે તે કેવળજ્ઞાન બારમા ગુણસ્થાનકને અંતે પ્રાપ્ત થાય છે. સાંસારિક જીવને પૌ ગલિક ભોગ્ય વસ્તુ ન મળે તે ભેગાંતરાય સમજો. આપે તે બુદ્ધિપૂર્વકના પ્રયાસથી ભેગાંત રાયને હણું નાખે છે અને આપ અનંત આત્મિક સુખના ભેગને ભેગવી રહ્યા છો. એ આપને મહિમા મોટો છે, અને મારે એવા થવું છે. જે વસ્તુ વારંવાર ભગવાય તે ઉપયોગની વસ્તુઓ જેમ કે ઘર, કપડાં, પાટલા, ખુરશી એ સર્વ વસ્તુ એકની એક અનેક વાર વપરાય છે. આપનારની મશ્કરી કરવાથી, પોતે ન આપવાથી ન આપવાની સલાહ આપવાથી, અથવા આપનારની નિંદા કરવાથી પણ એ કર્મ બંધાય છે, આવી રીતે આત્મિક અને પૌગલિક વસ્તુને અંતરાય ન પડે તેવું કરીને આપે ઉપભેગાંતરાય દૂષણ પર વિજય મેળવ્યું છે અને આપના એ આદર્શને મારે અનુસરે છે. પ્રભુએ આ રીતે સોળમા, સત્તરમા અને અઢારમાં દૂષણ પર વિજય મેળવ્યો છે. એ પ્રભુને મહિમા આ ગાથામાં વર્ણવ્યું. આપે તે કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું અને દુનિયાને માર્ગ બતાવી સિદ્ધપણું પણ મેળવ્યું; એવા આપ કૃતકૃત થયેલા છે. એ જબરી વાત આપે કરી નાખી છે. આપે તીર્થકરપણું અને સિદ્ધપણું મેળવી મહાન કાર્ય કર્યું છે અને તેથી આપ મારા આદર્શ સ્થાને છે. (૯) એ અઢાર દૂષણ વરજિત તન, મુનિજનવૃંદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિરદૂષણ મન ભાયા. હો મલિ૦ ૧૦ અર્થ_એ ઉપર ગણાવ્યા તે અઢાર દેને નિવારી-અટકાવી આપે તે શરીરને પણ તે અંતરા વગરનું કરી નાખ્યું છે. અને આપને મહિમા અનેક મુનિઓના સમૂહ ગાઈ બતાવે છે. એ અઢારે દે એ તે અવિરતિના–ત્યાગ ભાવના અભાવના છે. આપ તે તે દેથી રહિત છે અને મને પસંદ આવી ગયા છે. (૧૦) ટ –એ અઢાર દૂષણે કરી વર્જિત શરીર મુનિજન જ્ઞાની સમુદાયે ગાયા-સ્તવ્યા અવિરતિરૂપ જે દોષ, તેનું જે રૂપણ-કહેવું, તેણે કરીને નિરદૂષણ; અથવા અવિરતિ–અસંવર રૂપ શબ્દાદિ દેષ મિથ્યાત્વાદિ, તેની જે નિરૂપણ તેણે નિરષણ એવા પાચ-મનસિ માયા. (૧) પાઠાંતર–“ દૂષણ” સ્થાને પ્રતમાં “દોષણ” પાઠ છે. “વંદે' સ્થાને પ્રતમાં ‘વંદ” પાઠ છે. “ગાય” સ્થાને પ્રતમાં “ગાય” પાઠ છે. “નિરૂપણ' સ્થાને પ્રતવાળો નીરૂપણ' લખે છે. “નિરદૂષણસ્થાને પ્રતમાં નિરદોષણ” પાઠ છે. મન ભાયા” સ્થાને પ્રતમાં “મિતિ નાયા” પાઠ છે. (૧૦) શબ્દાર્થ—અઢાર = ૧૮, દશ અને આઠ. દૂષણ = દોષ, સંસારનાં દુઃખો, પાપિ. વરજિત = વગરના. વિનાના, નિવારક, તનું = શરીર. મુનિ = સાધુઓ, ત્યાગી, મૌનધારી. જન = માણસ. વંદે= ટોળું, એકઠા મળેલા. ગાયા = વર્ણવ્યા, ગુણગાન કરાયા. અવિરતિ = વિરતિ–ત્યાગભાવ, તજવું, તેને અભાવ. રૂપ =રૂપધારણ કરેલ, સ્વરૂપ સ્વીકારેલ. દોષ = સંસારમાં રખડાવનાર, પાપો. નિરૂપક = બતાવનાર, નિરૂપણ કરનાર. નિરદૂષણ = દોષ -પાપ-મેલ વગરના, તેનાથી રહિત, તેવા. મન = ચિત્ત, દિલ. ભાયા = પસંદ આવ્યા, મનમાં રહ્યા (૧૦) Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૯: શ્રી મલિનાથ જિન સ્તવન [૩૭૩ વિવેચન—ઉપર વર્ણવેલા અઢાર દોષથી રહિત આપનું શરીર છે. એ અઢાર દેશનું છેલ્લી નવ ગાથામાં સંક્ષેપથી વર્ણન કર્યું તેમાં જરા મતભેદ છે. તે અઢાર દેશે એક મતે નીચે પ્રમાણે થાય છે :૧. આશાને ત્યાગ. ૧૦. દુર્ગાને ત્યાગ. ૨. અજ્ઞાનને ત્યાગ. ૧૧. રાગને ત્યાગ. ૩. નિદ્રાદશાને ત્યાગ. ૧૨. દ્વેષનો ત્યાગ. ૪. સ્વપ્નદશાને ત્યાગ. ૧૩. અવિરતિને ત્યાગ. ૫. મિથ્યાત્વને ત્યાગ. ૧૪. કામ્યરસને ત્યાગ. ૬. હાસ્યને ત્યાગ. ૧૫. દાનાંતરાયને ત્યાગ. ૭. રતિને ત્યાગ. ૧૬. લાભાંતરાયને ત્યાગ. ૮. અરતિને ત્યાગ. ૧૭. ભેગાંતરાયને ત્યાગ. ૯. શેઠને ત્યાગ. ૧૮. ઉપભેગાંતરાયને ત્યાગ. કઈ તેમાં સ્વપ્નદશાને લેતા નથી, અજ્ઞાનને પણ જુદો ગણતા નથી. આશાને બદલે આશાતના કહે છે. ભરૂચના સુપ્રસિદ્ધ અનેપચંદભાઈ મેળાપચંદે એ અઢાર દે સંબંધી પુસ્તક છપાવી પ્રસિદ્ધ કર્યું છે. પણ અઢાર દોષે કયા કયા છે તે ગણાવ્યું નથી. એ ગમે તે હોય, આપનું શરીર અઢાર દોથી રહિત છે. અને અનેક મુનિજનેએ આપનાં ગુણગાન અનેક પ્રકારે કર્યા છે. દેવચંદ્રજી મહારાજ જેવાએ આપના ગુણનું ગાન કરેલું છે. ઉપાધ્યાય શ્રીમદ યશોવિજયજી તથા વીરવિજયજી જેવા અનેક પુરુષએ આપના ગુણની સ્તુતિ કરી છે. એ સર્વ વીશી-વીશીસંગ્રહમાં છપાઈ ગયા છે. તે દષણોનું નિરૂપણ કરીને એક નિષણ વ્યક્તિ કેવી હોઈ શકે તેને જીવતે-સાચો દાખલો આપે છે. અને તેથી આપ મારા મનમાં પસંદ આવે છે. જેમાં મોટા મુનિઓનાં ટેળાઓ ગુણગાન કરે અને જે જાતે નિર્દૂષણને દાખલો પૂરો પાડે તે મનમાં કેમ ન ભાવી જાય? આપ તેવા છે, તે આપને કહી બતાવીને હું એક સવાલ પૂછવા માગું છું કે આપ આ સેવકની કેમ અવગણના કરી છે? (૧૦) ઈણ વિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહિર નજરથી, ‘આનંદઘન” પદ પાવે. હો મહિલ૦ ૧૧ પાઠાંતર–વિધ” સ્થાને પ્રતમાં “પર” પાઠ છે. “પરખી’ શબ્દ પ્રતવાળો “પરથી” લખે છે, “મન” સ્થાને પ્રતવાળા “મનિ” લખે છે. “વિસરામી’ સ્થાને પ્રતમાં “વિસરામી” પાઠ છે. “ગાવે” સ્થાને “ ગાવે પાઠ પ્રતમાં છે. “પા” સ્થાને પ્રતમાં “પાવૈ ' પાઠ છે. એક પ્રત ૧૦ ગાથાએ સ્તવન પૂરું કરે છે. (૧૧) | શબ્દાર્થ-ઈણ = એ, તે. વિધ = રીતે, માગે, રસ્તે. પરખી = જાણી, સમજી, વિચારી. મન = ચિત્ત, દિલ. વિસરામી = વિશ્રામી, મન જ્યાં આશ્રય પામે, નિરાંત પામે. જિનવર = ભગવાન, પ્રભુ. ગુણ = સારી Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] શ્રી આન ઘન-ચાવીશી અ-એ પ્રકારે જે પેાતાના મનમાં પરીક્ષા કરીને જિનેશ્વર ભગવાનના ગુણાનું ગાન કરે તેના ઉપર પ્રભુની કૃપા થાય (મહેરબાની થાય ), તે તે મીઠી સુંદર નજરથી તે પ્રાણી અંતે મેાક્ષને મેળવે. (૧૧) ટમે—એ પ્રકારે પરખી વિભાવભાવથી વીરમીને–ટાળીને મનમાં વિસરામીને થાપીને જે એકાગ્ર અને જિનગુણ ગાવે તે પ્રાણી દીનબધુ જે વીતરાગ દુઃખિત જન શરણની કૃપા મહેરનજરથી–કૃપાદૃષ્ટિથી આનંદઘન-મોક્ષપદ આત્મસ્વરૂપ પદ-પામે. એટલે ઓગણીશમા મલ્લિનાથનુ સ્તવન પૂર્ણ થયું. (૧૧) વિવેચન—આવી રીતે પરીક્ષા કરી મન જ્યાં વિશ્રામ પામે, અને પરીક્ષા કરીને જે જિનેશ્વર પ્રભુના ગુણનું ગાન કરે, જે ગુણા પૂના અનેક મુનિએના સમૂહને અનુસરે, તેને શું થાય, કેવા પ્રકારના લાભ થાય, તે નીચે કહેશે. પ્રભુના ગુણ ગાવા, તે પણુ પરીક્ષા કરીને ગાવા, અને સંધને એકસરખું માન આપવું, પણ ગુણગાનને યાગ્ય તો આ જિન પ્રભુ જ છે એમ સમજવું. કારણ કે તમે કોઈ પણ ધમ જોશે તે તેમાં આવા અઢારે દોષોનુ નિવારણ કરનારા તમને મળશે જ નહિ. એ અઢાર પૈકી એક રાગ અથવા દોષ ગુણુ જ એવા છે કે એ સર્વાંને ઢાંકી દે છે. મારાં તારાં થાય, સ્ત્રીઓ સાથે પ્રેમ કરવા, તેને અને આ દોષનિવારણને કાંઇ સબધ જ નથી. અઢાર પૈકી પ્રત્યેક દોષથી મુક્ત રહેવું તે લગભગ અશકય વાત છે. આવી વિશાળ ભવ્યતા અને દોષ દૂર કરવાની વૃત્તિ તમે કોઈ પણ સ્થાને જોશે નહિ. ધના કે ધર્મોના નાયકના સ્વીકાર સમજીને-પરીક્ષા કરીને કરવેા; એમાં કઇ જાતના ગોટાળા ચાલે નહિ. એ તે રત્નની પરીક્ષા કરવાની વાત છે. આજના યુગમાં પરીક્ષા પસાર કરવી એ ભારે આતુરતા દેખાડે છે. પરીક્ષાનાં પરિણામને દિવસે ખાવાનું મન ન થાય કે ભાવે નહિ એવા વિદ્યાર્થીઓને મે જોયા છે. આવી જિજ્ઞાસાપૂર્વક પરીક્ષા કરીને પ્રભુને સ્વીકાર કરવા; બાપદાદા કે પૂર્વીને પૂજતા હતા માટે તેને પૂજવા, એ વૃત્તિ કાઢી નાખવી; અને પરીક્ષા કરી પોતાની પરીક્ષામાં જે અઢાર દોષ રહિત લાગે તેની જ પૂજા કરવી, અને તેના જ ગુણ ગાવા એ પદ્ધતિ સ્વીકારવામાં આપણને સંતેષ થાય તેમ છે. એથી એમ લાગે કે આપણે પોતે જ પરીક્ષક છીએ અને એ પરીક્ષામાં પસાર થનાર આપણી ભાવનાને અનુરૂપ છે. આ રીતે પરીક્ષા કરીને અઢાર દૂષણ રહિત પ્રભુ હાય તેને સ્વીકાર કરવા અને તેનાં ગુણગાન કરવાં. પછી ગરીબના બેલીની કૃપાનજરથી આ પ્રાણી આનંદઘન પદ એટલે જ્યાં નિર'તરને આનંદ થાય છે તેવું મેાક્ષ પ્રાપ્ત કરે. વના, સાચી વાતા. ગાયે = વર્ષોંન કરે, એટલે, સમજીને કહી દેખાડે. દીના'ની = પામરના મદદગાર, ગરીબની પડખે ઊભા રહેનાર. મહિર = મહેર, મહેરબાની, કૃપા, મીઠી નજર. નજરથી = જોવું તે, દષ્ટિ આપવી તે. આનંદધન = મેાક્ષ, આન ંદને જ્યાં સમૂહ છે તેવું સ્થાન, સ્થળ, જગ્યા. પદ = સ્થાન, જગ્યા. પાવે = મેળવે, પ્રાપ્ત કરે, પામે. (૧૧) Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : શ્રી મલ્લિનાથ જિન સ્તવન [ ૩૭૫ આવા મનના વિશ્રામી પ્રભુને શોધવા, અને શેાધીને સ્વીકારવા, અને પરિણામે થતા લાભને મેળવવેા; પણ ઘણા માણસા એને સ્વીકારે છે માટે તેને સ્વીકારવા એમ વાત નથી. પેાતે જાતે પરીક્ષા કરીને સ્વીકાર કરવા. પ્રભુની મહેરનજર—કૃપાદૃષ્ટિ એટલે કાળની પરિપક્વતા, વખત થતાં પ્રાણી માક્ષસ્થાનને મેળવે : આ આપણા આદર્શો હાવા જોઇએ. પાંચ સમવાયી કારણમાં કાળની ગણના ઘણી અગત્યની ચીજ છે. એ પર ઉલ્લેખ અન્યત્ર થઇ ગયા છે. અત્ર તેનું પુનરાવર્તન ન કરતાં તેને માત્ર ગણાવવામાં જ આવે છે. બાકી, પ્રભુ કોઈને માક્ષ દેતા નથી અને કોઇની ઉપર નજર કરતા નથી. તેએ તે નિરજન નિરાકાર છે. આપણે આ રીતે સાચા આદર્શોને જમાવીને આપણા પાતાના પ્રયત્નથી મેાક્ષસ્થાન મેળવવું એ અત્ર ભાવ છે. (૧૧) ઉપસ હાર આવી રીતે આ એગણીસમું સ્તવન પૂર્ણ થયું. એ સ્તવનમાં પ્રભુ અઢાર દોષોના નિવારક છે એ બતાવી આપ્યું. એ અઢાર દોષોને કેમ ગણવા તે અગત્યના સવાલ નથી. અઢારને આંક શાસ્ત્રમાં બાંધેલ છે અને તે સ્વીકારી આનંદઘન ચાલે છે. કર્તાએ આ સ્તવનમાં ઘણી અગત્યની ખાખત કહી નાખી છે, અઢાર દૂષણેાનું નિવારણ કરવું એ કાંઈ જેવી તેવી વાત નથી. એ દૂષણ્ણાના ત્યાગ કરનાર–તેને નિવારનાર-પ્રભુ છે તે સમજવું. દોષ ઉપર નજર કેમ નાખી ? આદશ સ્વીકારવામાં તે ગુણુ ઉપર નજર નાખવી જોઇએ. એના જવાબ એ છે કે દોષ ગયા પછી જ ગુણના આવિર્ભાવ થાય છે. દોષોને દૂર કરવા, તેનું નિવારણ કરવું, એટલે સ્વાભાવિક રીતે, તે દોષનું નિવારણ કરવા જતાં, સામેના ગુણેા આવે જ છે. અને દોષો એટલી આકરી વસ્તુ છે કે તે હાય ત્યાં સુધી ગુણ આવી શકતા નથી. દોષના ત્યાગ કે નિવારણ એટલે જ ગુણનું ગ્રહણ, એમ સમજવું. તમે કોઈ પણ દોષ જોશે તો તેની સામેના ગુણ ગ્રહણ એ દોષના નિવારણમાં જ છે. આટલા માટે દોષને દૂર કરી ગુણ ગ્રહણુ કરવા એ ખાસ જરૂરી બાબત છે. મલ્લિનાથ ભગવાન સ્રીતીર્થંકર હતા. જ્યારે તેએ ગર્ભમાં આવ્યા ત્યારે માતાને એક ઋતુમાં સર્વાંઋતુનાં સુરભિ ફૂલની શય્યા ઉપર સૂવાના દોહલા ઉત્પન્ન થયા. તે દેહલાને દેવતાએ પૂરો કર્યા, અને તેમણે પરિષહરૂપ મલ્લને જીત્યા તે માટે માતા-પિતાએ તેમનુ મલ્લિનાથ નામ પાડ્યું'. તેમની મિથિલા નગરી. તેમના પિતાનું નામ કુંભ રાજા. તેમની માતાનું નામ પ્રભાવતી રાણી. તેઓએ રાજકુમારોને બેધ આપવા માટે પોતાના જેવડી જ સુવર્ણ પ્રતિમા બનાવી, અને તેમાં દરરોજ એક એક કોળિયા અનાજ નાખી એના માથા પર રહેલું ઢાંકણું ઉઘાડી નાખી સંત્ર દુર્ગંધ બતાવી, અને આવી એક કોળિયા સગ્રહનારમાં આટલી દુર્ગંધ છે. તા અનેક કોળિયા ખાનાર પેાતાના શરીરમાં કેટલી દુર્ગંધ હશે તે દ્વારા અનેક રાજકુમારોને મેધ આપ્યા. તેમનું ચરિત્ર વાંચીને વિચારવા યાગ્ય છે. બાકી, પરીક્ષા કરીને પ્રભુના આદશ તરીકે Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] શ્રી આનંદઘન-વીશી સ્વીકાર કરે તે વાત ખાસ વિચારણા માગે છે. જેનામાં ન્યાયબુદ્ધિ વિકાસ પામી હોય તે જ આ રીતે વિચાર કરી શકે છે. પિતાની વિચારણાશક્તિનો ઉપયોગ કરી આ સ્તવનનું હાર્દ સમજવું એ ઘણી મહત્વની અને પિતાના લાભની વાત છે. છેલ્લી ગાથામાં આડકતરી રીતે કર્તાએ પિતાના નામનો ઉલ્લેખ કર્યો છે તે પદ્ધતિ સ્વીકારવા યોગ્ય અને સમાજમાં લેવાયેગ્ય છે. આનંદઘન નામથી આ કૃતિ પ્રસિદ્ધ થયેલી છે. તે નામ પણ અતિ મને રંજન કરનાર છે. એ રીતે આ અતિ મહત્ત્વના પ્રશ્નનો નિકાલ થાય છે. મોક્ષમાં ગયેલ પ્રાણી પાછા આવતા નથી. અને ત્યાં અનંત સુખમાં અનંત કાળ રહે છે, તે વિચારી તેવા થવા પ્રયત્ન કરે અને આ સાંસારિક માયા-મમતાને ત્યાગી સમભાવમાં રહેવું અને જાતે પરીક્ષા કરી સત્યને સ્વીકાર કરે એ આ સ્તવનની ઉપયુક્તતા છે. (૧૯) માર્ચ : ૧૯૫૦ ] Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન આત્મતત્ત્વ સબંધ—ઘણા ખેદની વાત છે કે આપણા પેાતાના આત્મા સંબંધમાં ઘણા મતાગ્રહુ દુનિયામાં ચાલે છે અને આપણે આપણી જાત માટે પણ નિર્ણીત મત પર આવી શકયા નથી; અને દરેક દનવાળાએ પાતાનાં જુદાં જુદાં મંતવ્યોને પણ એટલાં ખેચ્યાં છે કે પોતે સાચા અને ખીજા સર્વાંને જૂઠા સમજે છે. ખુદ આત્મા સબધી આવી ગૂંચવણુવાળી સ્થિતિ એટલી બધી પ્રવર્તી રહેલ છે કે આપણને તે ખેલતાં પણ શરમ આવે અને મનમાં ખેદ થાય. આવી વિષમ સ્થિતિ છે તે સમજીને આત્માને એવી સારી રીતે આળખવા જોઇએ કે એનું મૂળ સ્વરૂપ ખરાખર લક્ષ્યમાં રહે અને આપણે તદ્રુપ થઇ એની એવી સુંદર પ્રાગતિક સ્થિતિને અનુભવ જાતે કરી આપણા જીવન પંથ સીધા, સરળ અને આપણને પોતાને લાભકારક કરી દઇએ. આત્મા કેવા છે ? કેવા હોવા જોઇએ ?–તેની તાર્કિક ચર્ચામાં પણ આટલા બધા મતફેર જોવામાં આવે છે, ત્યારે જો તેએની કથા-વાર્તાઓ, દ'તકથાએ વિચારવામાં આવે તે તે વળી વધારે ગૂ'ચવણમાં પડીએ. એટલે આનંદઘન મહારાજે તે એકલી તાર્કિક દૃષ્ટિએ અન્ય મતની માન્યતામાં કેવાં કેવાં દૂષણા આવે છે, તેની જ માત્ર ચર્ચા કરી છેવટે પોતાનું સમ્યક્ મંતવ્ય રજૂ કર્યુ છે. તેની મરજી હેાત તે તે, આખા વિષય ઘણી સરસ રીતે ચર્ચી, દતકથાની ચર્ચા ઉપાડી વિષયને વધારે મજબૂત બનાવી શકયા હાત, પણ તેએએ તે રસ્તા લીધે નથી. માત્ર ન્યાય—તની નજરે પોતાથી અન્ય મંતવ્યોમાં કયાં કયાં કૂષણે। આવે છે તે જણાવી તે સમધી પાતે પેાતાના મત બતાવ્યા છે. આત્મા જેવા અગત્યના વિષયમાં દરેક દન જુદું પડી પોતાના મતના આગ્રહ ધરાવે તે ઘણું અનિષ્ટ છે, પણ જન્મની પાછળ અને મરણ પહેલાંની સ` ખાખત એવી ગૂ'ચવાયેલી સ્થિતિમાં છે કે દરેક પ્રાણીને જેમ ફાવ્યું તેમ પોતાના નિરનિરાળા મતની સ્થાપના કરી ગયા છે. એ સર્વાં ગૂંચવણુ વચ્ચેથી સાચા રસ્તે બતાવવે તે અતિ આકરું કામ છે અને તેમાં કેઇ જાતના આવેશ વગર કામ કરવું ઘણું મુશ્કેલ છે. ખાકી, આત્માના વિષય એટલે વિશાળ છે કે એના પર અનેક પુસ્તકો લખાય. આવા અગત્યના વિષયને અંગે આનંદઘન એક સ્તવનની થેાડી ગાથાઓ રચી મહાપ્રકાશ પાડે અને પેાતાનું મંતવ્ય આદશ રૂપે રજૂ કરે તે આ સ્તવનની મહત્તા બતાવે છે. આ સ્તવનની અંદર કહેલા—ચચે'લા વિષયની મહત્તા બહુ છે અને તેને ન્યાય તેા લાભાનદજી જેવા માણસ જ આપી ૪૮ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮] શ્રી આનંદઘન-વીશી શકે. આટલી આ વિષયની મહત્તા જાણી-વિચારી ફેસલે કરો એ મોટું મુશ્કેલ કાર્ય આપની ઉપર અંતે રહે છે. આપ આ સ્તવનના વિષયની મહત્તા વિચારી આપ પિતે કેણ છે? કેવા છે?—એ સર્વ વિચારશે અને આપને ઇચ્છિત સ્થાનકે જવું હોય તે શુદ્ધ તર્કની નજરે બરાબર વિચાર કરશે અને આનંદઘનના મંતવ્યને ખૂબ લક્ષ્યમાં લેશે. આ વિષય કાંઈ જેવો તે કે ગબડાવી દેવા જેવો નથી. એ મહત્ત્વને વિષય આપની પાસે ખૂબ વિચારણા માગે છે. આપ એ સંબંધી નીચેની હકીકત વાંચશે અને સ્વતંત્ર વિચાર કરશે. કહેવાની વાત એ છે કે આ મહત્ત્વના વિષય ઉપર આપની તર્કબુદ્ધિ પણ સાથોસાથ ચલાવશે અને અંતે નિર્ણય પર આવી જશે. ખેદની વાત છે કે આપ પિતે કેણ છે તે સંબંધમાં પણ આટલે બધે મતભેદ છે. પણ નિર્ણય તે એક જ છે. આપ તે નિર્ણયને સ્વીકારે એ આગ્રહ નથી, પણ આપ આપની બુદ્ધિશક્તિ જરૂર લગાવશે અને સ્વતંત્ર તર્કશક્તિને પૂરેપૂરે ઉપયોગ કરશે. એવા મતભેદોથી જરા પણ ગભરાઈ જવાનું નથી. આ આત્મા કેણ છે અને કેવું છે તેના સંબંધમાં જે મતભેદ પ્રવર્તે છે તે વિચારવાનું કામ આ રેલવે, ટેલીફેન અને એરપ્લેન તથા રેડીઓના યુગમાં પણ આપને જ કરવાનું છે. હવે આ સંબંધમાં વધારે સમય ચર્ચામાં ન કાઢીએ; લખવું હોય તે ઘણું લખાય. તે ન કરતાં આપણે સ્તવનર્તા સાથે હાલમાં તે ગમન કરીએ અને વિષયની મહત્તા તર્કની નજરે જાણીએ. સ્તવન (રાગ કાફી, આધા આમ પધારે પૂજ્ય-એ દેશી) મુનિસુવ્રત જિનરાજ, એક મુજ વિનતિ નિસુણો. (ટેક) આતમતત્ત્વ કર્યું જાણ્યું જગતગુરુ, એહ વિચાર મુજ કહિયે, આતમતવ જાણ્યા વિણ નિરમળ, ચિત્તસમાધિ નહિ લહિયા. મુનિ ૧ પાઠાંતર– જિનરાજ' સ્થાને “જિનરાય” પાઠ પ્રતમાં છે. એક પ્રતમાં ટેકને પાઠ નથી. “ જાણું ? સ્થાને “ જાણું” પાઠ એક પ્રતમાં છે. “કહિયે” સ્થાને બન્ને પ્રતમાં “ કહીઓ” પાઠ છે તે બરાબર લાગે છે. લહિઓ” સ્થાને એક પ્રતમાં “લહીઓ” પાઠ છે તે બરાબર છે; એક પ્રતમાં “લહિયે ” પાઠ છે. “ વિણ સ્થાને “ વિણું” પાઠ પ્રતમાં છે. “નવિ” પ્રતમાં એ પાઠ “નવી” તરીકે આપે છે. (૧) શબ્દાર્થ–મુનિસુવ્રત = તે નામના વીસમા તીર્થંકરજિનરાજ = તીર્થ પતિ, જિનદેવ. એક = માત્ર એક જ, એકથી વધારે નહિ. મુજ = મારી. વિનતિ = વિજ્ઞપ્તિ. નિસુણ = શ્રવણ કરો, કાને ધરો. આતમતત્ત્વ = આત્મા કેવો છે, તેનું રહસ્ય. કયું = કેમ, શી રીતે જાણું = આપે ધાર્યું. અવધાયું. જગદ્ગુરુ = સર્વના ગુરુ, દુનિયાના ઉપરી. એહ = એ, તે. વિચાર = નિર્ણય, સમજણપૂર્વકનું તત્વજ્ઞાન, મુજ = મને. કહિ = કહો, જણાવો. આતમતત્ત્વ = આત્મા સંબંધી હકીક્ત જાણ્યા = સમજ્યા, અવધાર્યા. વિણ = વગર. નિરમળ = મેલ વગરનું, શુદ્ધ, તે ચિત્તસમાધિનું વિશેષણ છે. ચિત્તસમાધિ = દિલની શાંતિ, મનની ઠંડક. નવિ = નહિ, ન. લહિયે = લીધી. (૧) Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન [૩૭૯ અર્થ–હે મુનિસુવ્રત નામના તીર્થકર ! મારી એક વિજ્ઞપ્તિ આપ ધ્યાન રાખીને સાંભળે. હે જગતના ગુરુ ! આપે આત્માને કેવી રીતે જાણે છે ઓળખે છે, એ વિચાર મને કહી બતાવે. મારા સવાલનું કારણ એ છે કે ખેચેનું આત્મતત્ત્વ જાણ્યા વગર હું મારા મનની સમાધિ, સ્થિરતા, એકતા, ધીરજ લઈ શકતું નથી. - ટબો–આ વીશમાં સ્તવનને અંગે જ્ઞાનવિમળસૂરિ (થોડા ફેરફારો સાથે લખે છે કે હવે આગલા સ્તવનમાં મત કહેશે, તે તે બહુ છે, પણ લગારેક સ્વરૂપ-આતમતત્વ કેમ કરી જાણીએ એ વિચાર મારા પ્રતિ કહો. કારણ કે આતમતત્ત્વ જાણ્યા વિના, સ્વસ્વરૂપ લહ્યા વગર, નિર્મળ વિશુધે નિરુપાધિક ચિત્તસમાધિ-મનઃસ્વાથ્ય કેમ પામીએ, એટલે ન પામીએ જ. (૧) વિવેચન–હે મુનિસુવ્રત તીર્થકર દેવ! મારી એક નમ્ર વિજ્ઞપ્તિ આપ જરૂર સાંભળે. મહારાજ ! આત્માને તમે કેવી રીતે જાણે એ બાબતને નિરધાર આપ મને જણાવો. સત્ય હકીક્ત સમજવા માટે સવાલ જરૂર પૂછવું જોઈએ. આગમની પદ્ધતિ એ જાણીતી છે. એકલા ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામીએ છત્રીસ હજાર સવાલે કર્યા છે. એ દ્વારા સારું તત્વજ્ઞાન અને ક્રિયાજ્ઞાન મેળવી શકાય છે. ભગવાન પિતાને અભિપ્રાય, જે તેમણે જાતે અનુભલે હોય છે, તે શિષ્ય-પ્રશિષ્યના લાભ અને જાણ માટે પિતાના જવાબ દ્વારા જણાવે છે અને તે રીતે લેકેને તત્વજ્ઞાન જણાવે છે. અને એ રીતે તત્ત્વજ્ઞાનને સારો ફેલાવે થાય છે. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની આ પદ્ધતિ આનંદઘનજીએ સ્વીકારી તે લેકેને ખૂબ લાભ કરનાર છે. આ સવાલ-જવાબ પૂર્વ પક્ષ અને ઉત્તરપક્ષપદ્ધતિ હોઈ આખી વાત ઘણી આકર્ષક પદ્ધતિએ રજૂ થાય છે. તેને આપણે લાભ લઈએ. સવાલ-જવાબની પદ્ધતિ ખ્રિસ્તી પંથમાં ખૂબ જાણીતી છે. | હે મુનિસુવ્રત પ્રભુ! આપે આત્માને કેવા પ્રકાર છે એમ જાણ્યું છે-માન્યું છે, એ સવાલ હું આપની સમક્ષ પૂછું છું. તે સવાલ પૂછવા ખાતર જણાવતા નથી, પણ મારે તે સવાલ પૂછવાનું કારણ છે તે નીચે જણાવું છું, તે આપ તે સવાલને જવાબ આપો. આપે આત્માને કેવી રીતે જાણે છે તેને મને જવાબ જણાવો. તેનું કારણ એ છે કે આત્મતત્વને જાણ્યા વગર નિર્મળ ચિત્તની શાંતિ મને થતી નથી. એટલા માટે, મારા દિલની શાંતિ માટે, આપના જાણવા પ્રમાણે આત્મા કે છે તે મને જણાવે. કેટલાક માણસો મુવમરતીતિ વચં–માં છે માટે કાંઈ બેલિવું જોઈએ અને પોતાની હયાતી અને હાજરી જણાવવી જોઈએ તે ખાતર પણ બોલે છે. હું તે માટે બેલ નથી, પણ મારા મનની નિર્મળ શાંતિ મેળવવા માટે આ તત્વજ્ઞાનનો સવાલ આપની પાસે પૂછું છું. આને માટે જુદાં જુદાં મંતવ્ય શાં શાં છે અને કેવી રીતે તે મતભેદ પડેલા છે તેની સાથે પ્રભુનું મંતવ્ય આ સવાલ-જવાબમાં આવી જશે. આવી રીતે તત્વજ્ઞાનને એક મૂળ સિદ્ધાંત (Fundamental Point) જિજ્ઞાસુએ ઉપસ્થિત કર્યો તેના અનુસંધાનમાં હવે અન્ય મતનાં મંતવ્ય તે જણાવે છે, તે આપણે આવતી ગાથામાં જોઈશું. (૧) Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦] શ્રી આન ઘન-ચાવીશી કોઈ અબંધ આતમતત માને, કિરિયા કરતા દીસે; કિરિયાતણું ફળ કુણુ કહેા ભાગવે, શ્રમ પૂછ્યું ચિત્ત રીસે. મુનિ॰ ૨ અ—કેટલાક લોકો આત્માને બધ વિનાના માની પોતાના વહીવટ ચલાવે છે, છતાં તે લેકે જ પાછા ક્રિયા કરતાં—તપ, જપ, દાન, સેવા કરતાં—દેખાય છે. હવે એ ક્રિયાનું જે ફળ બેસે, પિરણામ થાય, તે કોણ ભગવે—એમ જ્યારે તેને પૂછીએ છીએ ત્યારે મનમાં ગુસ્સે થાય છે. (૨) ટા—કેઇક સાંખ્યાક્રિકને મતે આતમતત્ત્વ અકર્તા-અબધ માને છે, વિત્તુળો ન ધ્યતે ન મુખ્યતે એ વેદવાકય છે, પ્રકૃતિ કાર્યકર્તા માનીએ છીએ, ભોક્તા કેમ ન હેાય તે મતે પણ ક્રિયા કરતા દેખીએ છીએ અને ક્રિયાનું ફળ કોણ ભોગવે છે? જો અક્રિય છે, તે ક્રિયા કાં કરે અને ક્રિયા કરે તેા તજ્જન્ય ફળ એમ વિચાર પૂછતાં તો રીસાવે, પણ પરમારથ આત્મતત્ત્વ ન પ્રીછે. (ર) વિવેચન—આ સંબંધમાં કેટલાંક દર્શના કે મા કેવા ગૂ`ચવાડા કરે છે તે આપને જણાવું. સાંખ્યમતના લોકો કહે છે કે ‘વિષ્ણુળો ન વધ્યુંતે, ન મુખ્યતે' તે આત્માને વિગુણી માને છે. એવા આત્માને અધ થતા નથી અને મેક્ષ પણ થતો નથી. આત્મા ક` આંધતા નથી અને કર્માંથી છુટકારો પણ તેને કઢી થતો નથી. આત્માને નિર્ગુણુ માને છે. તેઓ એમ સમજે છે રજોગુણ, તમેગુણ અને સત્ત્વગુણ એ ત્રણે ગુણે! આત્માને ખાધા કરતા નથી, અને આત્મા જાતે વિગુણી હાઈ એ કમ બાંધતા કે છોડતો નથી. આવા પ્રકારની તેની માન્યતા હોવા છતાં તે ક્રિયા કરે છે, દાન દે છે, કાશીમાં જઈ ગંગાસ્નાન કરે છે, પણ આત્મા જ્યારે કમ બાંધતા કે ઇંડતા નથી ત્યારે આ ક્રિયાએ એ કોને માટે કરે છે? જે ક્રિયા કરવામાં આવે છે, તેના કરનારને ફળ તે મળવાં જ જોઇએ; એ જ્યારે ક્રિયા કરે ત્યારે તેનાં ફળ કોણ ભાગવે ? ક્રિયા કરવી છે અને આત્માને તેા તેની સાથે સંબંધ નથી, કારણે કે આત્મા વિષ્ણુણ છે. પાઠાંતર— અબંધ ’ સ્થાને ‘ અવધ ’ પાઠ ભીમશી માણેક છાપે છે. ‘તત’ સ્થાને એક પ્રતમાં ‘ તત્ત્વ ’ પાઠ છે. ‘માને' સ્થાને પ્રત લખનારે ‘માન્ ’ લખ્યું છે. ‘ દીસે ’ને પ્રત લખનારે ‘ દીસે ’ લખ્યું છે. ‘ કિરીઆ ’ સ્થાને ક્રિયા ' છાપેલ છે; અને પ્રતમાં પણ તેમ જ છે. ‘ પૂછ્યુ ’ સ્થાને પ્રતમાં ‘ પૂછ્યો ’ પાડે છે. ‘ ભોગવે ’ સ્થાને પ્રતવાળા ભાગયૈ ' લખે છે, તે જૂની ગુજરાતી છે. (૨) * શબ્દા—કોઈ = વેદાંતી, સાંખ્ય. અબંધ = બંધ ન કરે તેવા, બંધાય નહિ તેવો, શુદ્ધ. આતમતન = આત્મતત્ત્વ, આત્માને. માને = સ્વીકારે છે, ખૂલે છે. કિરિયા = ક્રિયા, તપસ્યા, યજ્ઞ, જાપ વગેરે, પૂજા, સેવા, ભક્તિ આદિ. કરતો = અનુસરતા, અમલ કરતા. દીસે = જણાય, દેખાય છે. ક્રિયાતણું = અનુષ્ઠાનનું, જપતપનું. કહે = જણાવો, ખેલા. કુણ = કાણુ, ક્યા માણસ. ભોગવે = પ્રાપ્ત કરે, અનુભવે. મ = એમ, એ પ્રમાણે. પૂછ્યુ = સવાલ કર્યાં, પ્રશ્ન કર્યાં. ચિત્ત = મનમાં, દિલમાં. રીસે = રીસાઈ ને, સામા પડીને, ગુસ્સામાં. (૨) Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : શ્રી મુનિસુવ્રત જિન સ્તવન [ ૩૮૧ વેદાંતીએ આત્માને નિર્ગુણુ માને છે. નિશ્ચયનયે આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્રમય જ છે, પણ વ્યવહારનયે કર્મના કરનાર પણ છે. અને ભગવાનને મતે તે સ` નય ઉપયાગી હાવાથી એ એને વ્યવહારથી ક`ના કર્તા માને, પણ વેદાંતી તે આત્માને અખધ માને છે, ત્યારે તે ક્રિયા–તપ, જપ, અનુષ્ઠાન-કાને માટે કરતા હશે? આત્માના અને ક્રિયાના સબધશે ? અને એ ક્રિયાનું ફળ કાણુ ભગવે ?–આવે સવાલ પૂછીએ ત્યારે તે સામેા રીસે ભરાય છે અથવા મારા (સવાલ કરનારના) ચિત્તમાં રીસ ભરાય છે; અને એ સવાલ કરે છે કે આ વેદાંતીની સર્વ ક્રિયાનું ફળ કોણુ ભગવશે ? આત્મા તે કર્મ માંધતા કે છોડતા નથી, છતાં તમારી ક્રિયા ચાલુ રહે છે ઃ એવી પરસ્પર મેળ ન ખાનારી વાત કેમ કરે છે ? આવી રીતે આત્માને અંગે વેદાંત અને સાંખ્ય દર્શનની વાતમાં દેખીતે પરસ્પર વિરોધ છે. એમ માનવામાં ફળ ભેગવનાર કાણુ ?–આ સવાલ સામે વાદી પોતાના મનમાં રીસ લાવીને કરે છે એવા અથ થાય. જ્ઞાનવિમળસૂરિ એ પદ્મના આવા વાદીના સવાલ સાંભળીને સાંભળનાર રીસે ભરાય એવેા અથ કરે છે તે પણ વિચારવા જોગ છે. ‘રીસે’ના કર્તા કોણ છે તે સ્તવનકર્તાએ અધ્યાહાર રાખ્યું છે. આ જ્ઞાનવિમળસૂરિના અર્થ પણ સારા અથ આપે છે. આ રીતે સાંખ્ય અને વેદાંત દનને આત્માના મત તક દૃષ્ટિએ બરાબર લાગતા નથી તેથી આત્માનું સ્વરૂપ સવાલ કરનાર પ્રભુ પાસેથી ખરાખર જાણવા માગે છે. (૨) જડ-ચેતન એ આતમ એક જ, સ્થાવર-જંગમ સિરખા; સુખ-દુ:ખ-સંકર દૂષણુ આવે, ચિત્ત વિચાર જો પિરખા. મુનિ॰ ૩ અપૌદ્ગલિક જડ પદાર્થો અને હાલતાચાલતા એ એક જ, આત્મા જ છે; હાલતાચાલતા અને સ્થિર રહેતા બંને પદાર્થો એ એકસરખા જ છે, એમ કોઈ માને છે, પણ એમાં શાતાના અનુભવ અને અશાતાના અનુભવ એની ગૂંચવણ થાય છે અને એ રીતે ન્યાયમાં સંકર પાઠાંતર આતમ એક જ ' સ્થાને એક પ્રતમાં ‘આતમ એ જ તત ' એવા પાડે છે; બીજી પ્રતમાં ‘આતમ તત માને' પાડે છે. ‘સરખો ' શબ્દને ‘ સરિ’ લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે, (બંને પ્રતમાં) ‘ સુખ-દુઃખ ’ સ્થાને એક પ્રતમાં ‘દુઃખ-પ’ પાડે છે, ‘સ’કર' સ્થાને એક પ્રત લખનાર ‘સંકે' શબ્દ લખે છે. ‘ આવે' ને બદલે એક પ્રતમાં આવે. પાર્ટ છે, તે જૂની ગુજરાતી છે. ‘ પરિખા ’ સ્થાને તે પ્રતમાં પરિષો ' લખે છે. (૩) = શબ્દા—જડ = હાલેચાલે નહિ તેા પુદ્ગલ. ચેતન = હાલે, સમજે તેવું. આતમ = આત્મા. એક જ = એકના એક આત્મા, માત્ર સ્થાવર = સ્થિર રહેલ કે રહેવાને પદાથ", હાલેચાલે નહિ તેવા. જંગમ = ચાલતા હરતાફરતા પદાં સરિખા = સરખા, એના જેવા, એકના એક. સુખ = સારો અનુભવ. દુઃખ = કડવા અનુભવ, અપ્રિય દશા, અસુખ. સ ંકર = એક પ્રકારનો દોષ, એકમેકમાં ભળી જવું તે. દૂષણ = દોષ, ગોટાળા. આવે = લાગે, થાય, આવી પડે. ચિત્ત = મનમાં, વિચારણામાં, દિલમાં. વિચાર = વિચારીને, સમજીને. પરિખા = પરીક્ષા કરો,સમજીને તેનું પૃથક્કરણ કરા તા. (આ ગાથામાં અદ્વૈત મત જણાવ્યા.) (૩) Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨] શ્રી આનંદઘન-વીશી દેષ કહે છે તે આવે છે. જો તમે તમારા મનમાં વિચાર કરશે તે તમને એ પ્રમાણે પરીક્ષા થશે. (૩) ટબો–કેટલાએક જડચેતનાદિકે સર્વ ઠામે એક આત્મતત્વ “હે વિદg: થ વિષ્ણુ એવું કહે અથવા આત્માદ્વૈતવાદી એક આત્મા સર્વ જગત સ્થાવર જંગમ જાતાં આત્માં એક સરખે છે, દુઃખ સુખ એક સ્વરૂપે, એમ કરતાં સંકર દુષણ આવે છે, ત્રિકાલે એક અવસ્થા એમ વિચાર પૂછતાં અનવસ્થા, બ્રાંતી પ્રમુખ અનેક દૂષણ આત્મતત્ત્વ થાય. (૩) વિવેચન—આવી રીતે તર્કની કેટથી, અન્ય સર્વ દર્શનેને લઈને, તેમને દૂષણ આપી આત્મા કે છે તે સવાલ પ્રભુને પ્રસ્તુત બનાવે છે. ખૂબીની વાત એ છે કે આ ચર્ચા વિચારણામાં દંતકથાઓને જરા પણ સ્પર્શ લેખકશ્રીએ કર્યો નથી, માત્ર ન્યાય–તકની દલીલે જ જુદા જુદા દર્શનમાં આવી રહેલ દુષણ બતાવ્યું છે, એ ચિત્તની અને સવાલ કરનારની ઉદારતા બતાવે છે. કેટલાક દર્શનકારે જડ અને ચેતનને એક જ માને છે. આ મતવાળા આખા સચરાચર જગતને બ્રહ્મમય માને છે. સર્વત્ર માત્ર એક બ્રહ્મ જ છે અને તેથી જડ અને ચેતાન. એ આત્માને એક જ સ્વભાવ છે. હાલ ચાલી ન શકે તે જડ અને હાલી ચાલી શકે તે ચેતન. તેમના મતે આખું જગત્ બ્રહ્મમય હવાથી જડ પણ જ્યારે ચેતનમાં ભળે છે ત્યારે એક જ થઈ જાય છે. આ અદ્વૈત મતના ત્રણ પ્રકાર છે: અદ્વૈતમતવાદીઓ, વૈતાદ્વૈતમતવાદીઓ અને વિશિષ્ટાદ્વૈતમતવાદીઓ. તેઓને મતે આત્મા : સર્વતો નિત્ય છે. અને આ કૃતિને આધારે જડ અને ચેતનને તેઓ એકસરખાં માને છે. વળી, તેઓની નજરે સ્થાવર અને જંગમ એટલે એક સ્થાને રહેનાર અને હરતું ફરતું તત્ત્વ પણ એકસરખું જ છે. તેમના આ મતમાં પણ ન્યાયની નજરે દોષ આવે છે તે હવે બતાવવામાં આવશે, તેઓના આત્મા સંબંધી વિચાર યોગ્ય નથી એમ જણાવવામાં આવશે. તેઓ જણાવે છે કે “ àહ્મ, દ્વિતીયં નારિત' એટલે આ સચરાચર જગતું આખું બ્રહ્મમય છે, બ્રહ્મ છે અને બીજું કાંઈ નથી. તેઓ જણાવે છે કે ત્ત વિદા, થ વિદgs, વિષ્ણુ પર્વતમસ્ત એટલે જળમાં, સ્થળમાં અને પર્વતના શિખર ઉપર પણ વિષ્ણુ છે. આ વાત સ્વીકારવામાં ઘણું વાંધો આવે છે. એક તે ન્યાયમાં જેને સંકર દૂષણ કહે છે તે તેમાં આવે છે. “સંકર એટલે મિશ્ર. આ મિશ્ર દૂષણ એટલે અંદર અંદર ભળી જવું તે, ગોટાળો. સુખ એટલે શાતાને સારે અનુભવ અને દુઃખ એટલે અશાતાને કડવો અનુભવ. એ સર્વત્ર-સર્વ સ્થાને એક બ્રહ્મમાં માનવાથી સારા કે ખરાબ અનુભવને ગોટાળે થઈ જાય છે. જે બરાબર વિચાર-પરીક્ષા કરવામાં આવે તે જરૂર આ પ્રમાણે સર્વત્ર બંધ હોય તે પછી દુઃખ અને સુખ અથવા સારે અનુભવ અને કડ અનુભવ મિશ્ર થઈ જાય છે. તેથી અદ્વૈતવાદીની આ વાત બેસતી નથી. અને સર્વત્ર બ્રહ્મ માનનાર પણ સારા અનુભવ અને કડવા અનુભવને તે જુદા જ માને છે. આ ગોટાળે; ભારે મોટી ગૂંચવણ ઊભી કરે છે અને એમાં હેત્વાભાસ હોય તેમ ચેખું દેખાય છે. તેથી આત્મા કે છે તે સંબંધી આપને સવાલ પૂછું છું. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૨૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન [૩૮૩ - અદ્વૈતના ત્રણ મત છેઃ અદ્વૈત, દ્વૈતાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત. વિશિષ્ટાદ્વૈત મતવાળા તે વિષ્ણુના ઉપાસકે; તેઓ જડ અને ચેતનને એક માને છે, સ્થાવર-જંગમ સર્વ વસ્તુમાં વિષણુને જુએ છે. તેમના મતે જીવાત્મા કદી પણ પરમાત્મા થતું નથી. આમાં સુખદુઃખને. ભારે ગોટાળા થાય છે અને તર્કમાં જેને “સંકર” દૂષણ કહેવામાં આવે છે તે થાય છે. સામાન્ય રીતે સુખ અને દુઃખ જુદાં છે, જુદાં જણાય છે, તેને એકસરખાં માનવાની વાત કોઈ રીતે બેસી શકતી નથી. સ્વૈતાદ્વૈત નિબાર્કના મતના અનુયાયીઓ પણ આ જ પ્રકારનો ગોટાળો કરે છે અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત વચ્ચે દ્વૈતાદ્વૈતને મત આવે છે. તેઓ પણ સ્થાવર-જંગમ સરખાં માને છે અને સુખદુઃખ વચ્ચે કાંઈ તફાવત ન કરતાં “સંકર દૂષણ લાવે છે. એટલે મનમાં આત્મા સંબંધી જે ગોટાળો થયે તે તેમના મતે તે કાયમ જ રહે છે, માટે આપ ખરું આત્મતત્ત્વ જણાવે. (૩) એક કહે નિત્ય જ આતમતત, આતમદરસણ લીને; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહી. મુનિ જ અથ કેટલાક લેકે આત્મતત્વ એક જ-એકસરખું જ રહે છે એમ કહી આત્માને નિત્ય માને છે અને આત્મદર્શનમાં એકમેક થઈ જાય છે, પણ તેમાં કરેલા કામને નાશ અને નહિ કરેલા કામના ફળની પ્રાપ્તિ નામને દોષ આવે છે, તે બુદ્ધિ વગરને માણસ જોઈ શકતો નથી. (૪) ટબે–એક તે એમ કહે છે–આત્મા નિત્ય એકાંત છે, આત્મદર્શન દેખવામાં લી રહે છે, તે વારે કૃતકને વિનાશ-ક્ષય અને અકૃતને આગમ એ દૂષણ ઉપજે છે, તે દૂષણ મતિહીનપણે દેખતે-જાણ નથી. (૪) | વિવેચન–વળી, કોઈ આત્માને નિત્ય માને છે. અદ્વૈત મતે આત્મા નિત્ય છે, આ આત્મદર્શન કરવાના કામમાં લીન થયેલા તેમાં પિતાની ભૂલ કેવા પ્રકારની થાય છે તે જોઈ શક્તા પાઠાંતર–કહે ”એક પ્રતમાં “કહૈ' લખે છે. “તત ” ને બદલે “તત ” એક પ્રતમાં છે. “લીનો સ્થાને એક પ્રતમાં “લી” પાઠ છે; બીજી પ્રતમાં ‘લિણો પાઠ છે. “અકૃતાગમ ને બદલે એક પ્રતમાં “અકૃતાનાગમ” પાઠ આપે છે. “દેખેને એક પ્રતમાં “ટે ' લખ્યું છે, તે જૂની ગુજરાતીમાં “પ ને “ખ'ની લખવાની રીત છે. “મતિહી’ સ્થાને એક પ્રતમાં “મહીણે ” પાઠ છે. (૪) શબ્દાર્થ –એક = કેઈ (અદ્વૈતવાદી અથવા તેરાપંથી), એક એવો મત છે જે. કહે = જણાવે છે, સમજાવે છે. નિર્દેશ છે. નિત્ય જ = નિત્ય, સર્વ કાળે એકસરખું રહે તેવું, જેમાં વધારો ઘટાડો ન થાય તેવું. આતમ = આત્માનું, આત્મિક, આત્મા. તત = તત્ત્વ. આતમ = આત્મ, સ્વ. દરસણ = દશન, સ્વરૂપ, નિજભાવ. લીન = લય પામેલો, મગ્ન, કેન્દ્રિત થયેલ. કૃતવિનાશ = અગાઉ કરેલાં કે કરાતાં કામનાં ફળને નાશ, ફળનો અભાવ, કરેલા કામના ફળને ક્ષય. અકૃતાગમ = ન કરેલા કામના ફળનું થવું, ન કરેલા કામના ફળની પ્રાપ્તિ. દૂષણ = દોષ, પાપ, આવી પડવાને ગોટાળો. નવિ=નહિ, ન (નકારાત્મક). દેખ = જુએ, વિચારે, જાણે. મતિહીણ = વિચારણાશક્તિ વગરને, લાબી નજરે ન જેનાર. (૪) Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪]. શ્રી આનંદઘન-વીશી નથી. એમાં જે દૂષણો આવે છે તે આ રહ્યાં - આ જીવનમાં પ્રાણીને સુખદુઃખ થાય છે. સારે કે કડવો અનુભવ થાય છે. સ્વરૂપમાં લીન હોય તે આત્મા કરણી–ક્રિયા કાંઈ કરી શકતું નથી, છતાં આત્મા તે સારા-માઠાં પરિણામો ભગવે છે, તે તે આપણે દરરોજ જોઈએ છીએ. આપણે સારી સખાવત કરનારને જોઈએ છીએ, તપ-જપ-અનુષ્ઠાન કરનારને જોઈએ છીએ. આત્મદર્શનમાં લીન આત્મા તે ભક્તા થઈ શકતે નથી, છતાં આપણે રાજા અને રંકન તથા ધનવાન અને ગરીબના તફાવતે તો દેખીએ છીએ. ત્યારે નિત્ય આત્માને નહિ કરેલા કર્મનું ફળ મળે અને કરેલાં કર્મોને નાશ થાય. આવી રીતે કૃતનાશ અને અકૃત અભ્યાગમના દોષ આવે એ તે તર્કમાં પ્રવીણ માણસોને તુરત સમજાઈ જાય તેવું છે. નિત્ય આત્માને આ રીતના બેવડા દૂષણમાંથી બચવાને કઈ ઉપાય નથી, તે બુદ્ધિ વગરને માણસ જોઈ શકતા નથી, પણ પિતાના મતે તેને નિત્ય માનવાનું ચાલુ રાખે છે. આ કરેલાને નાશ અને નહિ કરેલાની પ્રાપ્તિ એ દૂષણ બરાબર સમજવા યોગ્ય છે. માણસના સંગમાં તફાવત જરૂર પડે છે. કેટલાક પાણી માગે ત્યાં દૂધ હાજર થાય છે અને બીજા કેટલાક આ બે દિવસ માગે તે છ આના પણ મેળવી શકતા નથી. આ તફાવત આત્માને નિત્ય માનનારની નજરમાં કેમ આવી શકે તે તેઓ કહી શકતા નથી. અને માણસ માણસ વચ્ચે તફાવત તે આ યુગમાં વધેલા છે, તેને આ આત્માને નિત્ય માનનાર ખુલાસો કરી શકતા નથી. આત્મા જે નિત્ય હોય તે તે કદી ભોક્તા થઈ શક્તો નથી અને કરેલી સર્વ ક્રિયાનો નાશ થાય છે, ન કરેલ ક્રિયાનું ફળ મળે છે. એ વાત અનુભવ અને આજુબાજુની સ્થિતિ જોતાં અક્કલમાં ઊતરતી નથી. આપ તેને મારી નજરમાં ઊતરે તે ખુલાસો જરૂર કરે; મને ખરું આત્મસ્વરૂપ જણાવે. મને આ વાતમાં કોઈ દમ લાગતું નથી. હું આપની પાસેથી વિરોધ વગરનું સત્ય આત્મતત્વ જાણવા ઈચ્છું છું. (૪) સીંગતમતરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો; બંધ–મેક્ષ સુખ–દુ:ખ નવિ ઘટે, એહ વિચાર મન આણો. મુનિ ૫ પાઠાંતર—સૌગત” સ્થાને પ્રતમાં “સુગત” પાડ છે; ભીમશી માણેક “સુગતિ પાઠ છાપે છે. “ક્ષણિક સ્થાને ભીમશી માણેક “ક્ષિણક’ છાપે છે. “આતમ ને બદલે પ્રતમાં “આતમા” પાઠ છે. “નવિ ઘટે સ્થાને તે ન ઘટે” એ પાઠ છે. ‘મન’ સ્થાને પ્રતાવાળા “મનિ” લખે છે. (૫) શબ્દાર્થ-સૌગત = બુદ્ધ મત = પંથ, રસ્ત, ધર્મ, રાગી = તેના તરફ પ્રેમ કરનાર, તેને અનુયાયી કહે = જણાવે, સમજાવે. વાદી = વાદવિવાદ કરનાર, પૂર્વપક્ષ કરનાર. ક્ષણિક = દરેક પળે ઉત્પન્ન થાય, નવ, તાજે. આતમ = આત્મા. જાણે = જાણ, સમજ, અવધારો. બંધ = કમને બંધ (જુઓ, બીજો કમ. ગ્રંથ), બંધાવું લપટાવું તે. મોક્ષ = સર્વ કર્મોથી મુક્તિ, મુકાઈ જવું તે. સુખ = શતાને અનુભવ દુઃખ = અશાતાને અનુભવ. નવિ =ન, નહિ (નકારાત્મક ). ઘટે = શેભે, ભળે, હોઈ શકે. એહ = એ જ, એ. વિચાર = નિર્ણય, તર્ક. મન = ચિત્તમાં. આણે = લાવો, (૫) Page #401 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : શ્રી મુનિસુવ્રત જિન સ્તવન [ ૩૮૫ અ—બૌદ્ધ મત ઉપર પ્રેમ ધરનાર વાદવિવાદ કરનાર એ આત્માને ક્ષણવારમાં ઉત્પન્ન થનાર અને નાશ પામનાર કહે છે, એ તમે જાણા, પણ એ વિચાર પ્રમાણે તે આત્માને અંધ-માક્ષના કે સુખ-દુઃખના અનુભવ શેાલે નહિ, એવા તમે વિચાર તમારા દિલમાં કરે. (૫) ટા—સુગત કહેતાં ઔદ્ધાદિક મતરાગી, તે ક્ષણિકધર્મી આત્મા માને છે, એક સમયે ઉપન્યા, અન્ય સમયે નાશે. તેને મતિ બધ, મેક્ષ, સુખ અને દુઃખ ઇત્યાદિ તનુ-શરીરાર્દિકે ઉપજવું ઘટતું યુક્ત નથી—એ વિચાર મનમાં આણુતાં આગમતત્ત્વ ઠરતું નથી. (૫) વિવેચન—ૌદ્ધમતાનુયાયી આત્માને ક્ષણિક માને છે, એટલે એક સમયે આત્મા વિચાર કરે તે આત્મા જુદો અને બીજે સમયે ખાજો વિચાર કરે છે તે આત્મા જુદો. આમ ક્ષણે ક્ષણે પલટાતા આત્મા જુદા જુદા વિચારસ્વરૂપને ધારણ કરે છે. તેમના મત પ્રમાણે આત્મા નિત્ય નથી, એકના એક નથી, આપણને જે જુદા જુદા વિચાર આવે છે તે કરનાર દરેક ક્ષણે આત્મા બદલાય છે. વિજ્ઞાનસ્ક ધને તેઓ આત્મા કહે છે. એનાથી જ્ઞાન થાય છે, એટલે · અહુ−હું ' એવું જેનાથી જ્ઞાન થાય છે તે કંધ અને બીજા સ્કા ક્ષણે ક્ષણે બદલાય છે, કારણ કે જ્ઞાન તો દરેક ક્ષણે બદલાતું જ રહે છે. તેમના મતે આત્મા ક્ષણિક છે. આટલી ક્ષણવારમાં સુખદુઃખના અનુભવ કેમ થાય ? તેમ જ કર્મના અધ અને કમની મુક્તિ પણ સંભવતી નથી. છતાં બૌદ્ધો ચાર મહાસત્યને માને અને તેને આ સત્ય કહે છે. એમ તો પ્રાણી અનેક સારાં કે ખરાબ કામેા કરે છે, તે ત્યાર પછી અનેક ભવ ગયા પછી ઉયમાં આવે છે. એ ક્ષણિક આત્માને કેમ સભવે ? અને એ ભાગવનાર તો કોઈ બીજો જ આત્મા હોય એ વાતમાં સત્ય કે ન્યાય કેમ જણાય ? અને બુદ્ધદેવે ઓગણપચાસ દિવસ સુધી સમાધિનું સુખ ભોગવ્યું' એમ તેમના માન્ય પુસ્તકમાં કહ્યું છે તે ક્ષણિક આત્મા માનનાર માટે કેમ સભવે ? ઓગણપચાસ દિવસોમાં તો હુજારો આત્મા બદલાઈ જાય. માટે આત્માને ક્ષણિક માનવા એ મને ઉચિત લાગતું નથી. બાકી, આત્માના અનેક પર્યાયે ક્રે છે તે નજરે આ વાત બેસી જાય છે, પણ આત્માને ક્ષણિક માનવેા, તેની સાથે આ વાત અધબેસતી થઈ શકતી નથી. તેથી સૌગત મતવાદી આત્માને ક્ષણિક કહે છે અને છતાં આત્માના બંધ અને મેાક્ષને માને છે તે વાત પરસ્પર ઘાટ ન બેસે તેવી છે. આ ગાથામાં કરેલ પૂર્વ પક્ષને અથ એ છે કે સૌગત મતવાદીએ આત્માને ક્ષણિક એટલે એક સમયે વિચાર કરનારો અને ખીજે સમયે નાશ પામનારા માને છે, તેમને તા બધ અને મેક્ષ એ વાત સ ́ભવતી જ નથી, પરસ્પરવિરુદ્ધ છે. આ વિચાર કરવા જેવી ખાખત છે. પછી સખાવત કેતપ કરવાને પણ હેતુ રહેતા નથી અને આ સ'સારના પટનથી મુકાવાના અથ જ રહેતા નથી, કારણ કે અધ (કમ ના) કરનાર આત્મા પણ જુદો અને મુક્તિ પામનાર આત્મા પણ જુદો. આ વાતની ઘડ બેસતી નથી, માટે આત્મતત્ત્વમાં સત્ય શું છે તે સમજાવે : આવી પ્રભુ પ્રત્યે પ્રાથના કરે છે. હજુ પૂર્વ પક્ષ ચાલુ જ છે અને શિષ્યની સત્ય જાણવાની તીવ્ર ઇચ્છા જણાઇ આવે છે. (૫) ૪ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬] શ્રી આનંદઘન-વીશી ભૂતચતુષ્ક વજિત આતમતત, સત્તા અળગી ન ઘટે; અંધ શકટ જે નજર ન દેખે, તો શું કીજે શકટે? મુનિ ૬ અથ–પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર મૂળ પદાર્થો સિવાય આત્મા નામનું જુદું તત્ત્વ છે જ નહીં અને તે સિવાય આત્મા છે જ નહિ એમ કેટલાક કહે છે). હવે જે આંધળો ગાડાને દેખી જ શકતે ન હોય, નજર પણ તે પર માંડી શકતે ન હોય, તે એવા ગાડાને શો અર્થ છે? અને તેમાં ગાડાને વાંક-ગુને પણ શું છે? (૬) ટબો–કેટલાએક ભૂતચતુષ્ક પૃવ્યાદિક વરજી એટલે પંચભૂત વિના આત્મતત્વની સત્તા સદ્ભાવ તે અળગી-જુદી માનતા નથી, કાયતિક મતના ચાર્વાક-નાસ્તિક; જેમ અંધ શકટને નજરે ન નિરખે-ન દેખે તેણે અધે શકટે શું કીજે ? (૬) વિવેચન–વળી લેકાય અથવા નાસ્તિકવાદીઓ કહે છે. પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ મૂળ ચાર પદાર્થો સિવાય કાંઈ જુદી સત્તા નથી; તેઓ તે આત્માની હયાતી જ સ્વીકારતા નથી. તેઓ કહે છે કે ચાર ભૂતે એકઠા થાય ત્યારે તેમાંથી સત્તા અથવા આતમા નીકળે છે અને જ્યારે ભૂતે ખલાસ થાય ત્યારે એ સત્તાને વિલય-નાશ થઈ જાય છે. તેઓ કહે છે કે જેમ Chemical Compound એટલે વસ્તુનું મળવું થાય ત્યારે કેઈ નવી શક્તિ તેમાંથી નીકળે છે, તેવી રીતે સદર ચાર ભૂતોથી આ સત્તા જમે છે અને તે ચાર ભૂતને નાશ થાય ત્યારે મરણ થયું કહેવાય છે. પણ આત્મા નામને કઈ જુદો પદાર્થ હોય તે તેઓના મત પ્રમાણે ઉચિત નથી. ચાર મહાભૂતની હાજરી અથવા મિલનથી જ આ હાલચાલે તેવી વસ્તુ ઉત્પન્ન થાય છે, પણ આત્મા નામને જુદો પદાર્થ થતો નથી : આ પણ આત્માને અંગે એક મત છે. નાસ્તિક મતવાળા આ પ્રમાણે આત્માની જુદી હયાતી જ સ્વીકારતા નથી એટલે તેઓ તે બધી બાબતમાં ના, ના અને ના કહીને નન્ને વાસે છે. તેને અંગે તે સવાલ કરનાર જ પિતે જવાબ આપી દે છે. આ સવાલજવાબ વિચારવા લાયક છે. પાઠાં ૨–“ભૂત” શબ્દને પ્રતમાં “ભુત” લખ્યો છે. “વજિત” શબ્દને પ્રતમાં “વરજિત” લખેલ છે બીજી પ્રતમાં “વરજી” પાઠ છે. “ઘટે” સ્થાને પ્રતવાળાએ “ઘટે” લખેલ છે; બીજી પ્રતમાં “ઘટે” પાઠ છે. જે સ્થાને પ્રતમાં “તો” પાઠ લખેલ છે (બને પ્રતમાં). “નજર ન દેખે ' સ્થાને પ્રતમાં નિજરે ન નિર” પાઠ છે; બીજી પ્રતમાં “નિજરે નિરખો’ પાઠ છે. “કીજે સ્થાને એક પ્રતમાં “કીજૈ ' પાઠ છે. (૬) શબ્દાર્થ–ભૂત = ચાર મૂળ પદાર્થો. ચતુષ્ક = ચારને સમૂહ, પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર, વજિત = છોડીને, બાકી રાખીને. સત્તા = હોવાપણું, સત્તાપણું. અળગી = જુદી, તેનાથી અપર-બી. ન = નહિ, ના. ઘટે = લાગુ થઈ શકે. અંધ = આંખે ન દેખી શકે તેવા માણસ, આંધળા, આંખે અપંગ, શકટ = ગાડાને, કઈ પણ વસ્તુ લઈ જવાનું વાહન. જે = યદ્યપિ, ગમે તે કારણે. નજરે = આપ, જાતે જ તે. દેખે. ન = નહિ (નકારાત્મક) દેખે = જુએ, માલૂમ પડે તે = તે પછી, તે વખતે, ત્યારે. શું = કેમ. કીજે = કરીએ, ઉપયોગનું શું, એમાં ગાડાનો ગુન્હો શું? શકટ = વાહન, ગાડાએ. (૬) - Page #403 -------------------------------------------------------------------------- ________________ ર૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન [૩૮૭ એક આંધળો માણસ હોય, તે ગાડાને નજરે ન દેખે તે કાંઈ ગાડાની ગેરહાજરી બતાવે છે કે સિદ્ધ કરે છે? તેના જેવી આ વાત છે. આંધળાની નજરમાં ગાડું ન આવે, એટલે ગાડું નથી એમ જેમ સ્થાપન ન કરી શકાય, તેમ નાસ્તિકની નજરમાં કદાચ આત્મા જેવી અલગ વસ્તુ ન આવે તેથી કાંઈ આત્મા નથી કે આત્માની હાજરી કે હયાતી નથી એમ સાબિત થતું નથી. આત્મા તે અનુભવથી દેખાય છે અને જણાય છે. અને મરેલા માણસ કે જનાવરમાં ચારે ભૂત હોય છે, છતાં તે હાલતાચાલતું નથી તે ઉપરથી જણાય છે કે આત્મા જેવી કોઈ અલગ વસ્તુ તે જરૂર છે. આંધળો માણસ ગાડાને ન દેખે તેથી કાંઈ ગાડાની ગેરહાજરી કે અભાવ થઈ જતું નથી. આ નાસ્તિકવાદ પણ સમજવા જેવું છે. અત્યારને પાશ્ચાત્યવાદ પણ કાંઈક આને મળતે છે, તેથી જવાબ લક્ષ્યપૂર્વક સાંભળો અને અંતરમાં સમજ એ આપણું કર્તવ્ય થાય છે. વર્તમાન સાયન્સ-વિજ્ઞાન પણ માત્ર ભૌતિકવાદ પર રચાયેલું છે અને તેને આત્મા સંબંધી કાંઈ ગતાગમ પડતી નથી. એના ઉપર ન ટકતાં વધારે ઊંડે વિચાર કરે અને પ્રભુએ બતાવેલ માગે આત્મતત્વની શોધ કરવી એ આપણો ધર્મ છે અને ભૌતિકવાદમાં આનંદ ન લેતાં આત્મવાદ સમજવા પ્રયત્ન કરે. આત્માને અંગે આવાં આવાં જુદાં જુદાં મંતવ્ય છે, તેમાં સાચી વાત શું છે અને ક્યાં છે તે આપ મને સમજાવો. આપની પાસેથી સાચું આત્મતત્વ હું જાણવા માગું છું અને આપે અનેક બાબતે કહી છે તે મને સાચી લાગી છે અને આપ આધારભૂત છે તેથી આપને હે મુનિસુવ્રત જિનરાજ ! સવાલ કરું છું તે સમજાવે. અહીં સવાલ પૂરો થાય છે. આત્માને અંગેનાં જુદાં જુદાં મંતવ્ય અત્ર બતાવી સાચા તત્ત્વને જાણવાને સવાલ કર્યો. હવે મુનિસુવ્રતસ્વામી જવાબમાં શું કહે છે તે આવતી સાતમી ગાથામાં વિચારશું. (૬) એમ અનેક વાદી મતવિભ્રમ, સંકટ પડિ ન લહે; ચિત્તસમાધ તે માટે પૂછું, તુમ વિણ તત કાઈ ન કહે. મુનિ ૭ અર્થ–આવી રીતે અનેક વાદવિવાદ કરનારે મારા મનમાં ગૂંચવણ ઊભી કરી છે અને હું તે આફતમાં પડી ગયું છું, તે માટે મારા મનની શાંતિ કરવા આ બાબતને સવાલ પાઠાંતર—પડિયો ” સ્થારે પ્રતમાં “પડિઉં” પાઠ છે. “લહે” સ્થાને પ્રતમાં “લહઈ” પાઠ છે. “સમાધ’ સ્થાને સમાધિ ” પાઠ છે. માટે સ્થાને પ્રતમાં ‘માટે” પાઠ છે. “તત’ સ્થાને પ્રતમાં “તાત” પાઠ છે. કહે” સ્થાને પ્રતમાં “ કહે ” પાઠ છે. (૭) શબ્દાર્થ_એમ = એ પ્રમાણે અનેક = એકથી વધારે, છૂટા છૂટા ઘણા. વાદી = સામો પક્ષ લેલાર. મતવાદી = મતીઆ, એક મતને અનુસરનારા. વિભ્રમ = ફેર, ભ્રમ, મતભેદ. સંકટ = કષ્ટ, ગૂંચવણ. પડિયો = પડો, મત ધારણ કરી તેમાં પડેલો એક મતધારી પુરુષ. ન = નહિ, ના (નકારાત્મક). લહે = મેળવે, પામે, લે. ચિત્ત = મનની, દિલની. સમાધિ = ઠંડાપણું, એકતા. તે માટે = તે જાણવા ખાતર. પૂછું = સવાલ કરું. તુમ = આપ, તમે, તમારા વિણ = વગર, સિવાય. તત = તત્ત્વ, સાર, સાચું રહસ્ય. કેઈ = બીજો કોઈ અન્ય. ન કહે = જણાવે નહિ. (૭) Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] શ્રી આનંદઘન-વીશી આપને પૂછું છું. આપના વગર એમાં સાચું તત્ત્વ શું છે તે અન્ય કોઈ પણ કહે તેમ નથી, તેથી આપને આ સવાલ કરું છું (૭) ટબો–ઈતિ આતમ તત્વ જાણ્યા વિના એમ અનેક પ્રકારે એકાંતવાદીઓના મત કદાગ્રહ તેના વિશેષ ભ્રમરૂપ સંકટમાં પડયું, તે આતમતત્ત્વ ન પામે. આતમતત્ત્વ પામ્યા વિના ચિત્ત સમાધિ ન પામે. તે ભણી હે પ્રભે! તમને એ પૂછું છું, જે માટે તમારા સિવાય તત્ત્વકથક બીજે કઈ નથી. (૭) વિવેચન આવી રીતે અનેક વાદીઓના મત સાંભળી હું તે ગૂંચવણમાં પડી ગયું છું અને એવા સંકટમાં પડી ગયું છું કે મારા મનની સ્થિરતા અને એકતાને પણ બેઈ બેઠે છું. આપના સિવાય કઈ ખરું તત્વ મને સમજાવશે કે કહેશે નહિ એ બાબત ખાતરી હેવાથી આપને પૂછું છું કે આત્માનું ખરું તત્વ આપ જ જણા અને મારા ચિત્તની કાંઈક સમાધિ થાય એવું કરી આપો. માણસને જ્યારે અનેકની વાત સાંભળવી પડે છે ત્યારે તેને સ્વાભાવિક રીતે ગૂંચવણ–ગડબડ થાય છે; આ સાચું હશે કે પેલું તે વાતને નિશ્ચય કરી શકો નથી અને દિલમાં અસ્તવ્યસ્તતા થઈ જાય છે. અસ્તવ્યસ્તતા કે શંકા એ ગડબડનું એક રૂપ જ છે અને માણસ તે સારે છે, તેથી પિતાની સમાધિ-ચિત્તશાંતિ માટે ભગવાનને કહે છે કે આપ આમાં ખટી-ખરી વાત શું છે તે સમજાવે. આપના તરફથી જે વાત આવશે તે નિઃસ્પૃહ હોવાથી મારી ચિત્તશાંતિ જરૂર લાવશે અને મને થયેલી ગડબડને એ અટકાવશે. તે મારા ઉપર કૃપા કરીને મને ખરું આત્મતત્ત્વ સમજાવે. આ જાતના પ્રશ્ન દ્વારા જૈનદર્શન આત્માને કે માને છે તે વાતને પ્રાસંગિક બનાવી છે. હવે જૈન ધર્મના મત મુજબ આત્મતત્ત્વ કેવું છે તે આગળ ઉપર આવતી ગાથામાં ખુદ તીર્થકરદેવ શ્રી મુનિસુવ્રત ભગવાન કહેશે, તે ખૂબ અગત્યનું હોઈ બરાબર સમજવું અને સહવું. આવી રીતે જૈનદર્શનાનુસાર આત્મતત્વ કેવું છે તે વાતને પ્રાસંગિક બનાવવામાં આવી છે. આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. (૭) વળતું જગગુરુ ઈણિ પરે ભાખે, પક્ષપાત સબ ઇંડી; રાગ દ્વેષ મોહ પખ વર્જિત, આતમરું રઢ મંડી. મુનિ ૮ પાઠાંતર–વળતું ” સ્થાને પ્રતમાં “વલતું” પાઠ છે. “ઈણિ” સ્થાને પ્રતવાળે “અણ” પાઠ લખે છે. “ભાખે” લખવાની રીત પ્રતવાળાની “ભાષે ” છે તે પ્રાચીન છે. “સબ” સ્થાને પ્રતમાં “સવિર્ય પાઠ છે. “પખ” શબ્દને “પણ” એ રીતે લખે છે. “રઢ” સ્થાને “રતિ” પાઠ પ્રતમાં છે. (૮) શબ્દાર્થ–વળતું = સામું, સવાલના જવાબમાં. જગગુરુ = જગદ્ગુરુ, તીર્થકર દેવ. ઈણિ પરે = એ રીતે. ભાખે = વદે, સમજાવે. પક્ષપાત = એક બાજુએ ઢળવાપણું. સબ = સેવ, કુલ. ઈડી = ત્યાગી, છોડી દઈ તજી દઈ. રાગ = પિતાના મતનું આકર્ષણ–પ્રેમ. ઠેષ = કઈ પણ મતનો વિરોધ, મોહ = મૂંઝવે તે, પદગલિક પ્રેમ, પંખ = પક્ષ, એક બાજુ લેવી. વજિત = છોડી દઈને, તજી દઈને. આતમરું = આત્મામાં. રઢ = આકર્ષણ, ખેંચાણ. મંડી = માંડીને. (૮) Page #405 -------------------------------------------------------------------------- ________________ ર૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન [૩૮૯ અર્થ—ઉત્તરમાં જગતના ગુરુ શ્રી મુનિસુવ્રતસ્વામી સર્વ પ્રકારનો પક્ષપાત છોડી દઈને કહે છે. રાગદ્વેષ–મારાતારાપણું અને મોહને છોડી દઈને આત્મામાં પ્રેમ લગાવ તે સાચી વાત છે. આત્મા રાગદ્વેષમેહ રહિત હોય. (૮) ટબે—એમ પૂછે વળતું જગગુરુ એમ કહે છે, સર્વ એકાંત મતને પક્ષપાત-હઠ છેડીને, રાગદ્વેષ અને મોહ-અજ્ઞાન તેને પખ વરજીને એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રતિ માંડીને એ લીનતા. (૮) વિવેચન—આ સવાલ જિજ્ઞાસુએ પૂછડ્યો તેના જવાબમાં જિનેશ્વરદેવ ઉત્તર આપે છે અને એ ઉત્તર આપતાં સર્વ પ્રકારને પક્ષપાત છેડીને સીધે અને સાદો જવાબ આપે છે. અને જવાબ આપતી વખતે સાચેસાચી વાત કરવી અને વાદીઓ ગમે તેટલા હોય તેને પક્ષપાત કરે નહિ, સાચા અને સીધા સવાલને કોઈને પક્ષ લીધા વગર, માણસ સમજે તેમ, જવાબ આપ. જ્યારે માણસ કોઈનો પક્ષ લઈને જવાબ આપે છે ત્યારે તે સત્યવાદી પણ ઉપર છીણી મૂકી દે છે, અને કોઈ પણ એક બાજુ ઢળી જાય છે. તીર્થપતિએ કોઈનો પક્ષ લીધા વગર પોતે જેવું આત્મતત્ત્વ જાણ્યું તે જવાબ આપે, તે જવાબ શું આવે તે જોઈએ. રાગ અને દ્વેષ-આકર્ષણ અને અરુચિ–એ બે વસ્તુ જગતમાં સર્વથી વધારે હેરાન કરે છે. કાં તે કઈ વસ્તુ તરફ આકર્ષણ હોય અને કાં તે તેના તરફ અભાવ હોય, કાં તે તે ખૂબ ગમે, કાં તે તેના તરફ દાંતિયાં કઢાય અને ક્યારે તે દૂર થાય એવી વૃત્તિ થાય. આ રાગદ્વેષ દુનિયાને ખરેખર રખડાવનાર છે, પૌગલિક છે. એને ત્યાગ કરીને હું અથવા મારું એ મોહ છોડી દઈને શું કરે તે આવતી ગાથામાં કહેશે. (૮) આતમ ધ્યાન કરે છે કેઉ, સો ફિર ઈણમેં નાવે; વાગજાળ બીજુ સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે. મુનિ ૦ ૯ અર્થ—જે કોઈ પ્રાણી સ્વધ્યાન કરે તે ફરી વખત આમાંના કોઈ પણ પદાર્થમાં આવે જ નહિ. આ સિવાય બીજું સર્વ વાણુને વિલાસ છે, બોલવાની ગૂંચવણ છે અને તે પ્રાણી તે એ જ સાચી વાતને હૃદયથી ચાહે છે, તેને તે ઈચ્છે છે. (૯) પાઠાંતર_જો” સ્થાને “જે પાઠ પ્રતમાં છે. “ફિર ” સ્થાને પ્રતમાં “ફિરિ પાઠ છે. “અણમેં ” સ્થાને પ્રતમાં “ઈણમા” પાઠ છે. “ના” પાઠ પ્રતવાળો બનાવૈ' લખે છે. “જાણ’ સ્થાને પ્રતમાં “જાણો” પાઠ છે (બંને પ્રતમાં). “લાવે” સ્થાને પ્રતમાં “ચા” પાઠ છે. (૯) શબ્દાર્થ–આતમધ્યાન = આત્મધ્યાન, આત્માની પિછાણ. કરે = અનુસરે જે = જે કરે. તે = તે, તે માણસ. ઇણમં = સંસારમાં, સંસારના ચક્કરમાં, રગદોળામાં. નાવે = ન આવે. વાગજાળ = મોઢેથી બોલવાની જાળ, અગડંબગડું બોલવું તે. બીજુ = અન્ય સવ. એથી અન્ય કોઈ પણ. સહુ = સવ. બધું. એહ = આ, એ જ. તત્ત્વ = સાર. ચિત્ત = મન, દિલ. લાવે = પસંદ કરે છે, ચાહે છે. (૯) Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦] શ્રી આનંદઘન-વીશી ટબો-જે કોઈ સ્વરૂપધ્યાન કેઈ જે કરે તે ફરીને સંસારમાં એ મતના ભ્રમમાં ન આવે, ન પસે એ વિના બીજે વચનવિલાસ તે જાળરૂપ જાણવો, એ જ તત્ત્વજ્ઞાન ચિત્તમાં–મનમાં વિચારવું. (૯) વિવેચન–આત્મતત્ત્વનું અહીં જે પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે, તેના ઉપરથી આત્મતત્ત્વ જે કબૂલ કરે તે આત્માને બરાબર ઓળખે છે. તે વાત એમ થઈ કે રાગદ્વેષ અને મેહને તજી દે એ આત્મતત્ત્વ જાણવાની પહેલી શરત છે. અને બીજી વાત શું છે તે કહે છે. આ પ્રાણી (રાગદ્વેષમેહ વર્જિત હોઈને) આત્મધ્યાન કરે એટલે આત્માને જ ધ્યેય બનાવે. પ્રાણ આત્મા સંબંધી વિચારની એકાગ્રતા કરે એટલે પગલિક કઈ પણ ચીજને ધ્યેય ન કરતાં આત્માનું જ ધ્યાન કરે અને બીજી કોઈ લપ્પન-છપ્પનમાં ન પડેઃ આ બીજી શરત છે. આ રાગદ્વેષમહને તજી દેનારે પ્રાણ આત્માનું જ ધ્યાન કરે. તેને આત્માને ઓળખવાની ત્રીજી શરત એ છે કે એક વખત એ પૌગલિક ચીજને સંબંધ મૂકે અને તદ્દન નિઃકર્મા થાય પછી તે કઈ પણ વાર આ સંસારમાં પાછો ન આવે; એને જન્મમરણના ફેરા મટી જાય. તે તદ્દન કર્મ વગરને થઈ આત્માને પામી મોક્ષ નગરે હમેશને માટે જાય છે અને પછી આ સંસારમાં ફરીને કદી પણ આવતા નથી. આત્માને ઓળખવાની આ રીતે ત્રણ શરતે થઈ - (૧) રાગદ્વેષ અને મોહને તજી દેવા. (૨) આત્માનું ધ્યાન કરવું, તેમાં એકાગ્ર થઈ જવું. (૩) એકવાર કર્મ છોડ્યા પછી સંસારમાં કદી પણ પાછા ન આવવું. આત્માના આ વર્ણન ઉપરથી આત્મતત્વ કેવું છે તે સમજી લેવું, અને તેવી રીતે આત્માને ઓળખી લેવો. આત્માને વર્ણન દ્વારા ઓળખવાને આ પ્રકાર છે અને તેમાં જ ખરી આત્માની પિછાણું છે. બીજાં સર્વ તે વાણીનાં જાળાં છે, બોલવાની ગૂંચે છે અને સંસારની રખડપાટી છે. એ સર્વ વિચારણા ન સ્વીકારતાં આ ત્રણ શરતવાળે આત્મા પસંદ કરવા લાયક છે. જે આવા પ્રકારના આત્માને બરાબર ઓળખશે અને બીજી આળપંપાળ છોડી દેશે તે બધી રીતે આત્મસુખ પામશે અને નિત્યાનંદ અનુભવી સંસારને હમેશને માટે મૂકી દઈ પરમ મહોદય પામશે. બાકી, સંસારમાં અવતાર લે કે રખડપટ્ટી કરે અને દુનિયાને વ્યવહાર કરે તે રીતને આત્મા જ છે નહિ, એ તે સર્વ વાણીના વિલાસ છે અને બેલવાના ભામાં છે. બાકી, સંસારમાં કદી પણ ફરીવાર આવવાનું કે સંવ્યવહાર કરવાનું ન જ થાય તે પ્રકારે આત્માને ઓળખવા જેવો છે. અને ગમે તે કામે સંસારમાં આવવું ન પડે તેવા પ્રકારની સ્થિતિને સમજી લેવા જેવી છે. તે ખરી છે અને હમેશને માટે સંસારની ઉપાધિ મટાડનાર છે. આવી રીતના આત્માને જે ઓળખ, તેમાં જ મેજ છે, અને તેને ધ્યાનમાં ઇષ્ટસિદ્ધિ છે. (૯) Page #407 -------------------------------------------------------------------------- ________________ ૨૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ૩૯૧ જેણે વિવેક ધરી એ પખ ગ્રહિયો, તે તતજ્ઞાની કહિયે; શ્રી મુનિસુવ્રત કૃપા કરો તે, “આનંદઘન પદ લહીએ. મુનિ ૧૦ અર્થ—જેણે સાચા ખોટાની સમજણ કરી એ અભિપ્રાયને ધારણ કર્યો, ઝીલ્યો તેને સાચે તત્ત્વજ્ઞાની કહે; તે તે અભિધાનને યોગ્ય છે. હે શ્રી મુનિસુવ્રતનાથ ! આપ દયા કરે, મહેર કરે, તે આમ સમજીને અમે ખૂબ આનંદસમૂહના સ્થાનને–ઠેકાણને પ્રાપ્ત કરીએ. (૧૦) ટો—જે પ્રાણીઓ વિવેક ધરીને એ પક્ષ-જ્ઞાન, દર્શન, ચારિત્રનું સ્વરૂપ-ગ્રહિયે, આદર્યો તે જ પ્રાણ તત્ત્વજ્ઞાની કહીએ. તે શ્રી મુનિસુવ્રત સ્વામી ! જે કૃપા કરે–નિમિત્ત સહાયી થાઓ તે આનંદઘન પરમાતમ તત્ત્વપદ લહીએ–પામીએ. એટલે વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીનું સ્તવન થયું. (૧૦) વિવેચન—જે વ્યક્તિએ વિવેક રાખીને એ આત્માનું તત્ત્વ ધારણ કર્યું અને જેની માન્યતા એવી છે કે મોક્ષમાં ગયેલ પ્રાણ કદી સંસારમાં આવતા નથી તે સાચે તત્ત્વજ્ઞાની કહેવાય. વિવેક એટલે સાચા-ખોટા બન્નેમાંથી સાચાને તારવવું અને સ્વીકારવું. આ વિવેક તે દશમે નિધિ કહેવાય છે. સાચા ને ખાટા બન્ને સાથે ચાલતા હોય તે વખતે સાચાને આદરવાની અને તેને શોધી સ્વીકાર કરવાની જરા મુશ્કેલી છે, પણ જેણે એ મુશ્કેલી પસાર કરી સાચા પક્ષને પકડી લીધું છે તે સાચો તત્ત્વજ્ઞાની છે, અને તે સાચા માર્ગ ઉપર છે; એટલે વિવેકપૂર્વક સાચા પક્ષનો સ્વીકાર કરે એ અત્યુત્તમ અને આદરણીય વાર્તા છે. દુનિયામાં આત્મા સંબંધી અનેક મંતવ્ય ચાલે છે. તે બધાંમાંથી વિવેકબુદ્ધિને ઉપયોગ કરી જે સાચું તત્ત્વ સ્વીકારે, જે વિષે તીર્થંકરદેવે પોતે જ ઘણા સંક્ષેપમાં વાતને સાર જણાવી દીધું છે, તે સાચો તત્વવેત્તા છે એમ જણાવ્યું છે. અને હે મુનિસુવ્રત મહારાજ ! હે તીર્થંકરદેવ! જે આપ મારા ઉપર મહેર કરે તે હું આનંદઘનપદ એટલે અનંત આનંદના રથાનના પદને પ્રાપ્ત કરું. એટલે હું આ સ્તવન બોલનાર–મોક્ષ નગરના પદને પ્રાપ્ત કર્યું. આ પદ એવું સરસ છે કે ત્યાંથી કદી કોઈ પણ વખતે પાછા આવવાનું થાય જ નહિ. અને એવા આનંદમાં દાખલ થઈ જવું કે પછી આ ચક્રગતિવાળા સંસારમાં આવું જ નહિ. આ પદ પ્રાપ્ત કરવા મારા સર્વ પ્રયત્ન છે અને તે પાઠાંતર-જેણે ' સ્થાને પ્રતમાં “જિણિ” પાઠ છે (બને પ્રતમાં) “ખ” ને બદલે પ્રાચીન પ્રત “પ” આપે છે. “તતજ્ઞાની ને સ્થાને “તત્ત્વજ્ઞાની પ્રતિમાં છે. ‘પદ’ સ્થાને બંને પ્રતમાં “મત” પાઠ છે. (૧૦) શબ્દાર્થ-જેણે = જે પ્રાણીઓ, જે વ્યક્તિએ. વિવેક = સાચા ખોટાની પરીક્ષા. ધરી = ધારણ કરી. એ = સદરહુ. ખ = પક્ષ બાજૂ. ગ્રહિ = લીધો, ધારણ કર્યો. તે = તે વ્યક્તિએ, તે મનુષ્ય. તતજ્ઞાની = તત્ત્વજ્ઞાની, સાર જાણનાર. કહીએ = સમજવો, જાણો, સ્વીકાર. શ્રી = લક્ષ્મીવંત. મુનિસુવ્રત = વશમા તીર્થપતિ. કૃપા = દયા, મહેર. કર = અમલમાં મૂકો. આનંદધન = મોક્ષ, અનંત આનંદથી ભરેલ સ્થાન. પદ = પદવી. લહીએ = લઈએ, મેળવીએ. (૧૦) Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] શ્રી આનંદઘન-વીશી પ્રાપ્ત કરવાની આ સ્તવન બેલનારની ભાવના છે. આ સ્તવનના કર્તા આનંદઘન-લાભાનંદ છે એ આડકતરી રીતે જણાવી દીધું. સંપ્રદાય પ્રમાણે સ્તવનíએ સ્તવનને છેડે પિતાનું નામ જણાવવું જોઈએ, તે અનુસાર લાભાનંદે પિતાનું નામ “આનંદઘન” તરીકે જણાવી દીધું. (૧૦) ઉપસંહાર આ રીતે આ અતિ મહત્ત્વનું સ્તવન પૂર્ણ થાય છે. તેમાં આનંદઘનજીએ આત્મતત્ત્વની અતિ મહત્ત્વની ચર્ચાની વાત કરી છે કે રાગ દ્વેષ અને મેહને સર્વથા ત્યાગ કરવાથી અને આત્માને એકાગ્ર ચિત્તે ધ્યાવવાથી આ આત્મા ફરીને સંસારમાં આવતું નથી. આ રાગ-દ્વેષ કેવા છે તે આપણે જોઈએ, મને બરાબર પિછાનીએ અને આત્મતત્વ ઉપર એકાગ્રતા કરવાને અંગે બરાબર નિર્ણય કરીએ. અને આત્મતત્ત્વ સમજાતાં નિર્ણય કરીએ કે એની સર્વ કર્મોથી મુક્તિ થાય તે પછી એ કદી સંસારમાં આવતું નથી. આવું આત્મતત્ત્વનું એક સ્વરૂપ સારી રીતે જાણી લેવાની અને તેને પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાની જરૂર છે. આ આત્મતત્ત્વ ભગવાને કેવી રીતે જણાવ્યું તે વાત પર જ વિચાર કરીએ એટલે આ સ્તવનરચનાને ઉદ્દેશ પણ પાર પડે અને આપણે આપણું કર્તવ્ય બજાવ્યું ગણાય. - રાગ અને દ્વેષ આ સંસારવૃક્ષનાં મૂળે છે, કારણ કે કષાય એનાથી જ ઉત્પન થાય છે. અમુક ચીજ કે વ્યક્તિ પિતાનાં છે, પિતાનાં માનેલાં છે, અને અમુક ચીજ કે માણસ આપણને દીઠાં જ ગમતાં નથી, આ ભાવ અને અભાવ તે રાગ-દ્વેષનું મૂળ છે અને તે સંસારને વધારે છે. અને આપણને બીજી વસ્તુ કે વ્યક્તિ તરફ મહ થાય, તેને દુઃખે દુઃખી થઈએ, તેને સુખે રાજી થઈએ, અને દારૂ પીધેલ માણસની પેઠે સંસારમાં પડ્યા રહીએ તેને લઈને બીજી વાત ન સૂઝે, એ સંસારને મેહ કહેવાય. મેહુ પ્રાણીને મૂંઝવી નાખે છે અને આ સંસારમાં ગમનાગમન કરાવે છે. અનંત કાળથી આપણે એ પ્રમાણે આંટા માર્યા કરીએ છીએ અને આ ચકભ્રમણને છેડે જ આવતો નથી એ રાગ-દ્વેષ અને મને લઈને જ છે. એ ત્યાગવા ગ્ય છે, એને છેડે લાવવા ગ્ય છે અને એના ઉપર કોઈ પણ પ્રકારને વિશ્વાસ મૂકવા લાયક નથી, એવા પ્રકારની બુદ્ધિ થાય અને તેને ત્યાગ કરવાનો નિર્ણય થાય તે આત્મજ્ઞાનની પ્રથમ શરત છે. પછી બીજી આત્મજ્ઞાનની વાત એ છે કે જે રાગ-દ્વેષ અને મહે કરેલાં તથા બીજાં કર્મોને એક વાર છોડી દે છે, એનું આ સંસારમાં ચંદ્રમણ કે આગમન થતું નથી; એ કાંઈ કઈ પણ વખતે આ સંસારમાં પાછો આવતો નથી, તે તે ગમે તે હમેશને માટે ગ. ભગવાન અવતાર લે એ આ સિદ્ધાંત આત્મજ્ઞાનને કબૂલ નથી. જે મક્ષ ગમે તે સદા માટે ગયે. એક વાર જનાર કોઈ પણ કારણે આ દુનિયાના આંટાફેરામાં પાછો આવતો નથી અને જન્મમરણના ચકરાવામાં પડતો નથી. ધર્મની પ્લાનિ થાય અને અધર્મનું અભ્યત્થાન થાય ત્યારે હું અવતાર લઉં છું—એવો કોઈ દર્શનને સિદ્ધાંત છે તે ખરા તત્વજ્ઞાન પાસે ટકી શક્તો નથી. એક વાર સર્વ કર્મથી મુક્તિ થાય તે કદી કઈ પણ હેતુએ સંસારમાં આવી જન્મમરણમાં પડતા નથી, એવી જૈન આત્મજ્ઞાનની બીજી શરત છે. અને ત્રીજી શરત એ છે, કે Page #409 -------------------------------------------------------------------------- ________________ ૨૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન [ ૩૯૩ આવા પ્રકારના આત્માને ચાહવે. એના મૂળ ગુણુ, જે જ્ઞાન, દન, ચારિત્ર વગેરે છે, તે નિશ્ચયપણે પ્રગટ કરવા, અને આત્મિક ગુણને ચાહવા, તે પ્રગટ કરવા પૂરતા પ્રયાસ કરવા, તેને માટે એકાગ્રતા કરવી એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ત્રીજી શરત છે. આવી રીતે આત્માને બરાબર જાણવા, તેના ઉપર એકાગ્રતા કરવી, અને સેનાનું સુવણુત્વ પ્રગટ કરવા જેમ અગ્નિ લગાડી તેને ગરમ કરવામાં આવે છે તેમ આત્માના આ નિશ્ચયનયના મૂળ ગુણા પ્રકટ કરવા એને ધ્યાનાગ્નિમાં લગાડવા—આ ત્રણ શરત પૂરી પાડે તે ખરેખરો આત્મા છે અને તે તરીકે તેને સમજવા તે સાચી સમજણુ છે. આવા સારા દેશ મળે, દેવગુરુની જોગવાઇ મળે, પેાતામાં સમજશક્તિ અને તંદુરસ્તી સારી હોય, એના પૂરતા લાભ લેવા એ આપણી ફરજ છે. નિહુ તે આ ભવ માત્ર એક ફેરો થશે અને અનાદિ કાળથી આ પ્રાણીએ જે ફેરા મારેલા જ છે તેમાં એકનો વધારો થશે. સમજુ માણુસ આવી સરસ તકને ગુમાવે નહિ; એ તકના લાભ જ લે, અને દુનિયા શું કહેશે સાંભળવા તે અટકે જ નહિ. દુનિયા તે ખેચીતાણીને પાતા તરફ લાવે છે અને પાતા તરફ આકષી તેને પછાડી પેાતા જેવા કરે તેવી છે, તે તરફ પ્રાણી ધ્યાન ન આપે, પણ તે પેાતાની ફરજ બજાવવા સન્મુખ રહે. (૨૦) એપ્રિલ-મે : ૧૯૫૦ ૫૦ Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથ જિન સ્તવન સંબંધ–હિંદમાં છ દર્શને છેઃ બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, વેદાંત, કાયતિક (નાસ્તિક) અને જૈન. એ સમયપુરુષનાં અંગે છે અને અમુક નયની અપેક્ષાએ તેમની પ્રત્યેકની અથવા કોઈની પણ સેવા કરવી તે જૈનદર્શનની સેવા બરાબર છે, અને એ દર્શનને ઉતારી પાડવાને પ્રયત્ન કરે તે દુર્ભયતાને બતાવનાર છે, તે આ સ્તવનને પ્રધાન સૂર છે. જેનેએ સહિષ્ણુતા કેટલી કેળવી છે તે આ સ્તવન-વિચારણામાં આપણું ગંભીરપણે ધ્યાન ખેંચે છે અને નાસ્તિકને પણ કૂખમાં દબાવી દે ત્યાં તે હદ કરે છે. આવી સહિષ્ણુતા હરિભદ્રસૂરિના વખતમાં કેળવાયેલી હતી અને બસ કે અઢી વર્ષ પહેલાં લાભાનંદે પણ એને અપનાવી હતી તે ખાસ સમજવા જેવી વાત છે. અત્યારે તે બીજા ધર્મની વાત સાંભળીને લડાઈના મોટા મોરચા મંડાય છે અને ધર્મને નામે ઝઘડા ચાલ્યા જ કરે છે. એવા વખતમાં આવી ધર્મસહિષ્ણુતા દલીલપુર:સર બતાવવામાં આવે તે આપણું સારું નસીબ છે. અને આટલું વિચારઔદાર્ય બતાવવા માટે આપણે લાભનંદને ધન્યવાદ જ આપીએ. એ વિચારની મોટી ઉદારતા બતાવે છે અને આપણી તરફ એક જાતને બોધ કરે છે. આવી વિચારણું જરૂર કરવા યોગ્ય છે અને બહુ સમજણપૂર્વક વિચારણા માગી રહે છે. મતઔદાર્ય રાખવું અને તે પરધર્મની દૃષ્ટિએ રાખવું એ કોઈ જેવી તેવી વાત નથી. ખૂબ વિચારણા કરી નિર્ણય કરેલ હોય અને આજુબાજુના તુચ્છ વિચારોથી જે પર ગયેલ હોય તે જ આવા વિચાર કરે છે. અને વિચાર તે કેટલાક કરે, પણ બીજાને તે સમજાવી શકે અને તેને માટે દલીલે રજૂ કરે એવી વિશાળતા બહુ ઓછી દેખવામાં આવે છે. એને બદલે નાની-નજીવી વાતના ઝઘડા અને પિતાનું પુચ્છ પકડી રાખવાની ચીવટ લેકમાં એટલી બધી હોય છે કે એક જ દર્શનના અનુયાયીઓ એલચીને સચિત્ત ગણવી કે અચિત્ત કહેવી એવી બાબતમાં મોરચા માંડી દે છે. પારકા દર્શનને તિરસ્કારનારા તો એટલી મોટી સંખ્યામાં હોય છે કે તે બાબતમાં તે આપણે છેલ્લી હદે ઊતરી ગયા છીએ. આવા દુઃખદ સંગોમાં મતસહિષ્ણુતા ગાવી અને તે પર દલીલ આપવી તેવું અદ્ભુત કામ આ નાના સ્તવનમાં આનંદઘનજી કરી બતાવે છે. આ રીતે જયારે દર્શનની સ્થાપના અને અન્ય તરફના ભાવમાં વિશાળતા થશે ત્યારે જ આપણે ઉદ્ધાર થશે. તે દૃષ્ટિએ આ સ્તવન સંતોષકારક રીતે સારે ભાગ ભજવે છે. અને મને આ સ્તવનને ભાવ વિચારીને જીવવા યોગ્ય લાગે છે. એ દષ્ટિએ ખૂબ સહૃદયતાથી અને અત્યંત ધીરજથી આ સ્તવનને ભાવ વિચારવા યોગ્ય છે. ધર્મ-દર્શન-વિચારણામાં આટલી વિશાળતા રાખવી અને દીર્ઘદર્શિતા બતાવી મતફેરને મુખ્યતા ન આપતાં તેમાં સમદર્શિતા જેવી તે ભારે વિચારણા માગે છે. અગાઉ હરિભદ્રસૂરિના Page #411 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : શ્રી નમિનાથ જિન સ્તવન [ ૯૫ સમયમાં તો વિશાળ નજર સાત્રિક હતી, પણ આનંદઘનજીના સમયમાં તે વાત અસાધારણ હતી; છતાં આનંદઘનજીએ એવી ભવ્યતા બતાવી છે, તે બતાવે છે કે શાસ્ત્રના સમજનાર સત્તરમી સદીમાં પણ હતા. અને જોકે વ્યક્તિગતે વિશાળ નજર અને વિચારઔદાય થવું કે રહેવું મુશ્કેલ છે, પણ તે દલીલથી સમજનાર પણ આવા કઠણ કાળમાં પ્રાપ્ય થઇ શકે છે. આ વિશાળ નજરે આ સ્તવનના ભાવ વિચારવા અને ઉદારતાને અવકાશ આપવા પ્રાથના કરી હવે આનંદઘનજીની વિશાળતા અભ્યસીએ. સ્તવન ( રાગ–આશાઉરી; ધન ધન સંપ્રતિ રાજા સાચા-એ દેશી.) ષડ્ દર્શન જિન અંગ ભણી, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણઉપાસક, ષડ્ દરશન આરાધે રે. ષ ૧ અ—યે દર્શોના જિન ભગવાનનાં જુદાં જુદાં અંગો-અવયવે છે. છયે દ્રુના જે જુદાં જુદાં અગા છે તેની સ્થાપના કરવાથી આ વાત માલૂમ પડશે. જેએ એકવીશમા પ્રભુ તીર્થંકર શ્રી નમિનાથ ભગવાનના પગને સેવે તે છયે દર્શનની સેવા કરે છે, આરાધના કરે છે. (૧) ટબા— —આ એકવીશમા સ્તવનના અર્ધાં કરતાં જ્ઞાનવિમળસૂરિ જણાવે છે (થાડા જરૂરી ફેરફાર સાથે), તે નીચે પ્રમાણે છે : હવે જિનમતમાં સ` આવે તે રીતે આગલા સ્તવનમાં દેખાડે છે; તે જાણે તે વારે કશત્રુને નમાવે, તે શ્રી નમિનાથ જિનના ધ્યાન-સ્તુતિથી નીપજે એ કહે છે. ષડ્ દર્શીન જે કહ્યું તે શ્રી જિનમતનાં અંગ છે, તે માટે ‘કારણે કાર્યોપચાર’ તે જિનનાં અંગ કહીએ. દ્રવ્ય ષડંગ ન્યાસ તે આવર્તાદિક, અંગીકાર ન્યુસન રૂપ; ભાવ ષડંગ ન્યાસ ઇંદ્રિયના ઇંદ્રિય રૂપે ધ્યાનલીનતાના ષડંગન્યાસ સાધે, તો જે જ્યાં તે તેટલે સાધે, તે શ્રી મિનાથના જે ચરણસેવક સ્યાદ્વાદમતને જાણે છે તે જ ષટ્ દનના આરાધક હાય. જે જિનમત જાણે તે જ સને તે રૂપે જાણે. (૧) પાઠાંતર— દર્શન ’ સ્થાને પ્રતમાં ‘ દરસણ ' લખેલ છે. ‘ ભણીજે' સ્થાને એક પ્રતમાં ‘ ભણિજે ’ લખેલું છે. જો સાધે સ્થાને એક પ્રતમાં જે સાધે’ લખ્યુ છે. ‘સાધે ' સ્થાને પ્રતમાં ‘ સાધે ' લખેલ છે. ‘ ઉપાસક' શબ્દ એક પ્રતમાં મૂકી દીધેલ છે. ‘ આરાધે’ સ્થાને પ્રત લખનાર ‘આરાધે ' લખે છે. (૧) શબ્દાર્થ—ષડ્ દ ન = છંદને સાંખ્ય, યોગ, બૌદ્ધ, મીમાંસક, ચાર્વાક અને જૈનદર્શીન (હરિભદ્ર સૂરિ પ્રમાણે ) . જિન = જૈનદર્શનના ( દ"નની અહીં મનુષ્ય તરીકે ૫ના કરી છે.) અંગ = દર્શીનશરીરનાં અંગો, જુદા જુદા અવયવેા. જાણીજે = જાણવા, સમજવા. ન્યાસ = સ્થાપના, મૂકવું તે. ષડંગ = છ અંગોને, છ અવયવેાને. સાધે = આરાધના કરે, અનુસરે નમિ જિનવર = નમિનાથ નામના એક્વીશમા તીથ કર. ચરણ = ના પગ, નાં પાદકમળ. ઉપાસક = તેની સેવા કરનાર, તેના ઉપદેશ પ્રમાણે ચાલનાર. ષડ્દર્શીન = કે દર્શીતાને. આરાધે = પૂજે, સેવે, ભજે. (૧) Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬] શ્રી આનંદઘન–વીશી - વિવેચન- ઉદાર મતની ઝાંખી કરાવતાં શ્રીમદ્ આનંદઘનજી શરૂઆત જ ઘણું ભવ્ય કરે છે. તેઓ જણાવે છે, છયે દશને કે જે અમુક દષ્ટિબિન્દુ લક્ષ્યમાં રાખી તે દષ્ટિબિન્દુએ બતાવવામાં આવ્યાં છે તે, એક જૈનદર્શન સિવાય, સમયપુરુષનાં અંગો છે અને જે એની વિરુદ્ધને પ્રચાર કરે તે સંસારી છે, અને કોઈ પણ રીતે મુક્તાત્મા થઈ જ શકતું નથી. એક પણ અંગને છેદ કરવાથી તે ખોડખાંપણવાળે રહી જાય છે. અને તેવું કરનાર પ્રાણી તે આ અનંત સંસારમાં રખડ્યા જ કરે છે અને એ સંસારસમુદ્રને કાંઠે પહોંચતો જ નથી. આવી ઉદારતા બતાવવી અને દરેક દષ્ટિબિન્દુઓ સમજી તેને ગ્ય સ્થાન આપવું તે આનંદઘનજીથી જ બની શકે. જોકે આનંદઘને આ સ્તવનમાં નવી વાત કહી નથી, છતાં સત્તરમી શતાબ્દીની આખરે અને અઢારમી શતાબ્દીની શરૂઆતમાં આવા ઉદાર વિચાર બતાવવા તે, તે કાળનો ઈતિહાસ વિચારતાં, અત્યંત કપરું કામ છે. અને ધર્મયુદ્ધમાં આ વિચારે નિઃશંકપણે બતાવવા તે ભારે વિચારશક્તિ દાખવે છે. તેઓશ્રી તો ત્યાં સુધી કહે છે, જેમ શરીરના હાથ કે પગ કે કોઈ પણ અવયવ કપાય તો પ્રાણ ખેડખાંપણવાળો કહેવાય છે અને રહી જાય છે, તેમ છયે દર્શનમાંથી કોઈ પણ દર્શનને કાપી નાખવું કે તેની ટીકા કરવી એ દુર્ભવીનું લક્ષણ છે. આવા વિચારને બતાવતાં તેઓના ધ્યાનમાં છે કે તેમાં નાસ્તિક જેવા મતને પણ તે (છ દર્શન)માં સમાવેશ થાય છે. તેમના મત પ્રમાણે છ દશને મુખ્યત્વે છે : બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, વેદાંત, નાસ્તિક લેકા યતિ) અને જૈન. આ દરેકના મુદ્દા સમજવા અને કેઈની પણ ટીકા ન કરવી અને જેટલાપૂરતી તેમણે દર્શનની પ્રરૂપણ કરી છે તેટલે અંશે તેઓ સત્ય સમજ્યા છે. આવી મતઉદારતા તમે અન્યત્ર કઈ પણ દર્શનમાં નહિ જુઓ. તેઓ તો પિતે સાચું સમજ્યા છે અને પિતાથી અન્ય દર્શનકારે સત્ય સમજ્યા જ નથી અથવા જૂઠા છે એવી વાત સ્થાપશે, અને પિતા સિવાય કોઈ અન્ય કોઈ સત્ય સમક્યું જ નથી એવી સ્થાપના કરશે, અને દર્શનને નામે મટી જાદવાસ્થળી ખડી કરી દેશે. છયે દશને જુદાં જુદાં અંગે છે અને અંગ તરીકે ઉપયોગી છે તેને તેટલા અંશસત્ય તરીકે સમજીને તેમને સ્થાપન કરવા અને સ્વીકારવા એ યોગ્ય વાત છે. અને તેની ટીકા કરવી, તેને કાપી નાખવા તે અયોગ્ય છે. સત્યના અંશ તરીકે તેને સ્વીકાર કરે તેમાં જ વ્યવહાર દક્ષતા છે. જે નમિનાથના ચરણની સેવા કરે તે છ દર્શનને સ્વીકારે છે અને તેની ટીકા કરવાથી કે તે જૂઠા છે એમ કહેવાથી દૂર રહે છે. ન્યાસ’ શબ્દ યોગને છે. “ન્યાસ” એટલે “સ્થાપના.” “ન્યાસ” એટલે એને મોટા ગણી તેની આરાધના કરનાર. છયે દર્શનની આ દષ્ટિએ આરાધના-પૂજા–સેવા કરનાર ખરી રીતે તીથી કરદેવની સેવા કરે છે. સત્ય બે પ્રકારનું છે. સર્વસત્ય અને દષ્ટિબિંદુસત્ય. આ દશનકારમાં સર્વસત્ય નથી પણ દષ્ટિબિંદુપૂરતા તેઓ સાચા છે તેમ માનવું અને તે તરીકે તેટલા પૂરતા તેઓને સાચા સમજવા એમાં કઈ પણ પ્રકારને વધે નથી. (૧) Page #413 -------------------------------------------------------------------------- ________________ ર૧ : શ્રી નમિનાથ જિન સ્તવન [૩૯૭ જિન સુરપાદપ પાય વખાણો, સાંખ્ય-ગ દોય ભેદ રે; આતમસત્તા વિવરણ કરતાં, હો દુગ અંગ અખેદે રે. પ૦ ૨ અથ–તીર્થકર ભગવાનરૂપ કલ્પવૃક્ષનાં મૂળિયાં અથવા પગરૂપ સાંખ્ય અને યોગ દર્શને; તેઓ આત્માની સત્તા ઉપર વિવેચન કરે છે, એમ એ બન્નેને જિનમતના બે પગરૂપ અંગ-અવયવ તરીકે વગર થાક્ય તમે ધારી લે. (૨) ટો-જિનમતરૂપ જે સુરપાદપ–કલ્પવૃક્ષ, તેહના પાય કહેતાં પાદ શાખારૂપ કહીએ, તે કેશુ? તે સાંખ્યમત અને ગમત એ ભેદે કપિલમતને ભેદે, તે માટે આત્માની સત્તા. અનેકતાનું વિવરણ તે આત્મનિષ્ઠિત માને છે. લઘુ સામાન્યપણે દુગ-બેહ દર્શન તે જિનભંગ અખેદપણે છે. (૨) વિવેચન–જૈનરૂપ જે કલ્પવૃક્ષ-ઈચ્છા પૂરનાર ઝાડ-છે તેનાં મૂળિયાં અથવા સમયપુરૂષનાં બે અંગ-પગરૂપે તે સાંખ્ય અને યોગ દર્શને છે. આત્માની સત્તાને તેઓ સ્વીકાર કરે છે, એને સત્ વસ્તુ માને છે, અને તમે તેમને ખેદ રહિત થઈને પ્રાપ્ત કરો : આ આ ગાથાને ભાવાર્થ છે. આપણે તે સમજવા યત્ન કરીએ. આ બન્ને દર્શન–સાંખ્ય અને યોગ, અનુક્રમે કપિલ અને પતંજલિનાં દર્શને-આત્માની અસ્તિતા સ્વીકારે છે. સાંખ્ય મતવાળા ચોવીશ પદાર્થને માને છે. પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કમેંદ્રિય, પાંચ ભૂત, પાંચ તન્માત્રા, મન, બુદ્ધિ-ચિત્ત અને અહંકાર, પચીસ પદાર્થ આત્માને માને છે, પણ તેને અકર્તા ગણે છે. આત્મા તો માત્ર દ્રષ્ટા છે, તે સાક્ષીભાવે સર્વ જુએ છે. અને રાગદ્વેષ વગેરે પ્રકૃતિનાં કાર્ય છે. આત્મા કર્તા પણ નથી અને ભક્તા પણ નથી; તે તો માત્ર સાક્ષીભાવે છે. એક દૃષ્ટિએ સાંખ્ય મતની આવી સમજણ છે. જૈનના નિશ્ચયનયની અપેક્ષાએ પણ એ જ વાત આવે છે. આ દર્શન કપિલ મુનિનું દર્શન કહેવાય છે તેના આદ્ય સ્થાપક કપિલ મુનિ થઈ ગયા. આ સાંખ્ય દર્શન જૈનદર્શનના નિશ્ચયદ્રષ્ટિબિંદુની ઘણું નજીક આવે છે. જૈનદર્શન પણ નિશ્ચયનયે આત્માને કર્મને કર્તા માનતું નથી. અને નિરીશ્વર સાંખ્ય તો ઈશ્વરને પણ ઉડાવી દે છે, તે પાઠાંતર–વખાણ” સ્થાને બન્ને પ્રતમાં “વખાણું” અને “વષાણું' એમ લખેલ છે. સાંખ્ય ” સ્થાને એક પ્રતમાં “સાંખ” પાઠ છે. “ભેદે સ્થાને “યોગે ” એવો પાઠ પ્રતમાં છે. “કરતાં” સ્થાને પ્રતવાળા ર્તા” લખે છે. “લહો ” સ્થાને પ્રતમાં “લહુ’ પાઠ છે. “દુગ’ સ્થાને પ્રતમાં “દુષ' લખે છે. “અખે” સ્થાને પ્રતમાં “અભેદે” પાઠ છે તે વિચારણીય છે. (૨) શબ્દાર્થ-જિન = જેન, જૈનદર્શનાનુયાયી. સુરપાદપ = કલ્પવૃક્ષ, પાસે આવી માગણી કરવાથી ઇચ્છિત વસ્તુ આપનાર વૃક્ષ. પાય = પગે, જમણ અને ડાબા બે પગ. વખાણ = જાણો, વણો. સાંખ્ય = કપિલઅનિપ્રણીત સાંખ્યદર્શન, સેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય. જોગ = યોગદશન દેય = બે, બે પગે, મૂળિયાં ભેદે = પ્રકારે, વિભાગે. આતમસત્તા = આત્માની સત્તા, શક્તિ. વિવરણ = વિવેચન, વર્ણન કરતાં = વણવતાં, સ્વીકારતાં. લહો = લે, સ્વીકારો, ધ્યાનમાં રાખે. દુગ = બનેને. અંગ = અવયવ, વિભાગ. અમે રે = જરા પણ મૂંઝાયા સિવાય, ઉઘાડી રીતે. (૨) Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮] શ્રી આનંદઘન-ચોવીશી તો જૈન મતના નિશ્ચયનયની પાસે ઘણું નજીક આવે છે. આવા સાંખ્ય દશનને બે પગમાંથી એક પગ ગણવે. આ સમયપુરુષની કલ્પનાને લંબાવવામાં આવે છે. મોક્ષદશામાં અનંત વીર્ય હોય છે તે મેક્ષમાં ગયેલ પ્રાણી કદી ફેરવતા નથી, વાપરતા નથી, તેથી તે, આગમમાં કહેલ વીર્ય વાપરતા ન હોવાથી, નિરીશ્વર સાંખ્યની નજીક લગભગ પહોંચી જાય છે. અને વેગ મતવાળા પતંજલિ–ગદર્શનના આદ્ય પ્રણેતા–ચિત્તવૃત્તિના નિધિ માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિના ઉપાય હઠગના પ્રયોગથી બતાવે છે. આ ગદર્શન પણ આત્માને સત્ પદાર્થ તરીકે સ્વીકારીને ચાલે છે. તેથી સાંખ્ય અને પેગ બન્ને પગ-અવયવનું કામ કરે છે. આત્મા વગર તો કોઈ કામ થઈ શકતું નથી એવી આત્માની સત્તા-હોવાપણું આ બન્ને દર્શનકારે સ્વીકારે છે, તેથી તેઓ સમય-પુરુષના બે પગ જેવા બની રહે છે. “અખેદે એ ક્રિયાવિશેષણ છે અને તેને સંબંધ “વિવરણ” અને લ”—એમ બન્ને સાથે લઈ શકાય છે. અખેદે વિવરણ કરતાં પ્રાણીને એમ જણાય છે કે આ બને દર્શને સમયપુરુષના પગસ્થાને છે. જૈનોની વિચારધારામાં હગને રથાન નથી. તેઓ તંદુરસ્તી–તબિયતને અંગે હઠાગને સ્વીકારે છે, પણ ભલામણ તો રાજગની જ કરે છે. છતાં આ બન્ને દર્શને આત્માને સત્ તરીકે સ્વીકારતાં હોવાથી સમયપુરુષના પગસ્થાને યોગ્ય છે અને અમુક દષ્ટિએ એટલા સત્યને સ્વીકારતાં હોઈ આરાધ્ય છે. - જ્ઞાનવિમળસૂરિ ‘અખેદને “અંગ” સાથે લઈ અર્થ કરે છે તે પણ વિચારવા યોગ્ય છે. એ રીતે ‘અખેને ત્રણ જુદી જુદી રીતે સમજાવવામાં આવે છે. મને ‘લહો’ સાથે તેને લઈ લેવું તે બરાબર-ઉચિત લાગે છે. આ બને મતો આત્માને વ્યવહારથી પણ અકર્તા માને છે, ત્યાં જૈનદર્શનને અને તેમને વિરોધ થાય છે. તેમના દર્શન પ્રમાણે આત્મા નિર્ગુણી છે. જૈનદર્શન સેશ્વર સાંખ્યની પણ નજીક આવે છે અને નિરીશ્વર સાંખ્યની તો ઘણું નજીક આવે છે. વિસ્તાર માટે અને ન્યાયદષ્ટિએ એ તફાવત સમજવા માટે “પડદશનસમુચ્ચય'ની ટીકા વાંચવા ભલામણ કરવામાં આવે છે. જૈન મતને કલ્પવૃક્ષ કહેવા છતાં બીજા મતોની અવગણના ન કરવાને સુંદર રીતે ઉપદેશ આપેલ છે તે ધ્યાનમાં લેવા યોગ્ય છે અને દરેક યુગમાં ધમાલીઆ વૃત્તિની બહલતા હોવા છતાં ખાસ ઉપદેશ લેવા ગ્ય દશા સૂચવે છે અને પરમસહિષ્ણુતાને સુંદર દાખલે પૂરો પાડે છે. “સત્તા” એટલે “શક્તિ” અર્થ પણ થાય અને થવાપણું, સત્પણું, હેવાપણું (existance) એવો અર્થ પણ થાય. અહીં બને અર્થ ઘટે છે. રાજયગમાં હઠને સ્થાન નથી, તે સુંદર છે અને બધી રીતે માન્ય થાય તે મત છે. જેને હગમાં માનતા નથી. આત્માની હયાતી સ્વીકારનાર આ બન્ને મતોને જૈન મત સ્વીકારે છે. (૨) Page #415 -------------------------------------------------------------------------- ________________ ર૧ : શ્રી નેમિનાથ જિન સ્તવન [૩૯ ભેદ અભેદ સુગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક આલંબન ભજીયે, ગુરુમુખથી અવધારી રે. ષડૂ૦ ૩ અથ–સુગત-બુદ્ધદર્શનકાર–આત્માને ભેદ માને છે. અલગ માને છે અને વેદાંતીમીમાંસકે આત્માને અભેદસ્વરૂપે જુએ છે. એ સદર સમયપુરુષના બે મોટા-તોલવાળા હાથ છે, એક જમણો હાથ છે, એક ડાબો હાથ છે. તે દર્શનના કહેવા પ્રમાણે લેક (જેમાં છ દ્રવ્ય હોય છે) અને અલેક (પલાણ, જેમાં માત્ર આકાશાસ્તિકાય રહે છે, તેના ટેકાને આપણે સ્વીકારીએ–સેવીએ અને એની સમજણ માટે ગુરુમહારાજથી હકીક્ત જાણુ અપેક્ષાએ તેમની હકીક્ત પણ ધ્યાનમાં લઈએ. (૩) ટબો–સુગત-બૌદ્ધ અને મીમાંસક એ બે મત તે જિનેશ્વરમતના કર-હસ્તભૂત છે. જિન ભેદભેદરૂપે માને તે ભણી કરણકિયા લક્ષણથી ભારી ગંભીર છે. જ્યાં લેક-પંચાસ્તિકાયાત્મક, અલેક–એકાસ્તિકાયાત્મક, તેનું અવલંબન આશ્રીને એ ભાવ ગુરુગમે જાણીએ અથવા લેકને અવકીએ; રૂપી-દ્રવ્ય, અલેક અરૂપી અવલંબન ઈત્યાદિ વિચાર ગહન તે ગુરુપરંપરાથી લઈએ. (૩) વિવેચન–સુગત આત્માને ભેદસ્વરૂપે માને છે, અને મીમાંસક-વેદાંતીઓ આત્માને અભેદરૂપે માને છે. એ સમયપુરુષના ડાબા-જમણે ભારે હાથ છે. “ભારે કહેવાનું કારણ એને સમજવાની મુશ્કેલી છે. લોક એટલે સ્વર્ગ, મત્ય અને પાતાળ, તથા અલેક માત્ર આકાશપિલાણ જ છે. એવો છ દ્રવ્યવાન લેક અને માત્ર આકાશવાળે અલેક, એને ટેકારૂપે ભજીએ. આ સ્વરૂપની ડાબા-જમણા હાથ તરીકે કલ્પના કરવી, અને જ્યાં સમજ ન પડે ત્યાં ગુરુગમથી તેને સમજી લેવી. બૌદ્ધો આત્માને ક્ષણિક માને છે. બીજે ક્ષણે બીજે વિચાર આવે તે અન્ય આત્માને, એમ સમજવું. આવી રીતે વિજ્ઞાનઘન આત્મા પ્રત્યેક ક્ષણે બદલાય છે. જૈનદર્શનકાર આને પર્યાયભેદ ક્ષણે ક્ષણે બદલાય છે એમ કહી તેને ખુલાસો કરે છે. આ સમયે સમયે થતા ફેરફારને બૌદ્ધ દશને મૂળ ફેરફાર માન્યા છે. પર્યાયાર્થિક નયે બૌદ્ધ દર્શન સત્ય છે એમ માની સમયપુરુષના અંગ તરીકે છે એમ જાણી લેવું અને એની ટીકા ન કરવી. મીમાંસક અભેદવાદી છે. તેઓ એક આત્માને જ માને છે, પ્રસાતો નિત્ય: વિશુળ વધ્યતે મુખ્ય પાઠાંતર–મીમાંસક” સ્થાને પ્રતમાં મીમાંસક ” પાઠ છે; બીજી પ્રતમાં “મીમાંસક” પાઠ છે. દેય” સ્થાને પ્રતયાં “ઈ' પાઠ છે. “ભારી” સ્થાને પ્રતમાં “ભારિ ” પાઠ છે. “ભજિયે” સ્થાને પ્રતમાં “ભજી' પાઠ છે; બીજી પ્રતમાં “ભજિઈ ” પાઠ છે. “અવધારી ” સ્થાને એક પ્રતમાં “અવધારિ” પાઠ છે. (૩) | શબ્દાર્થ–ભેદ = આત્મા જુદી છે એવી માન્યતાવાળા બૌદ્ધો. અભેદ = આત્મા જુદો નથી એવી માન્યતાવાળા મીમાંસકો-વેદાંતીઓ. સુગત = બુદ્ધના અનુયાયીઓ. મીમાંસક = વેદાંતના અનુયાયીઓ, શંકરાચાર્યના અનુયાયીઓ. જિનવર = તીથ કરદશનરૂપ શરીરના. દેય = બને. કર = હાથ, જમણો અને ડાબો. ભારી રે – તેલદાર, તેલમાં ભારે. લેક = જેમાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો રહે છે તે પુરુષાકૃતિ, ચૌદ રાજલોક, અલક = જેમાં એક આકાશારિતકાય રહે છે તે લોકને અંતે આવેલ. અવલંબન = ટેકે, અંધાર. ભજીયે = સેવીએ, સમજીએ. ગુરુગમ = પિતાને શીખવનાર ગુરુએ બતાવેલ રસ્તે અવધારી = જાણી, સમજી. (૩) Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦] શ્રી આનંદઘન-વીશી એ સિદ્ધાંતથી એ આત્માને સર્વગત અને નિત્ય માને છે. જેના નિશ્ચયનયાનુસાર આ વાત બરાબર છે : આમા બંધાતો નથી અને મુકાતો પણ નથી, પણ તેમાં અંશસત્ય છે. એ અંશસત્યને સર્વસત્ય ન માનવું, પણ તેની ટીકા ન કરવી. એમાં મતદાઈ છે. એક બીજી રીતે જોઈએ : બ્રહ્મરંધ્રની નીચેનો ભાગ તે લેક અને ઉપરનો ભાગ તે અલેક. આવી રીતે લેક-અલેકની કલ્પના કરી સાલંબન-નિરાલંબન ધ્યાન કરવા આ વેદાંતમાં બતાવેલ છે. આમાં જ્યાં સમજ ન પડે ત્યાં ગુરુગમથી તેને જાણી લેવું, પણ પૂરું સમજ્યા વગર ટીકા-ચર્ચા ન કરવી. u gવ દિ મૂતામાં તે મૂતે વ્યવસ્થિત એ જળમાં રહેલા ચંદ્રમાની પેઠે અલગ અલગ દેખાય છે એવો અભિપ્રાય આપી અભેદને આગળ કરે છે. તે પણ સમયપુરુષને જમણે હાથ છે અને તે તરીકે તેની આરાધના કરવી યુક્ત છે. સાલંબન ધ્યાન રેચક, પૂરક, કુંભક નાડીઓથી થાય છે અને નિરાલંબન ધ્યાનમાં તો આલંબન કે કશાની જરૂર પડતી નથી. ચંદ્રનું દષ્ટાંત સમજવા યોગ્ય છે. અહીં આ પ્રસંગે જણાવવું યોગ્ય છે કે જેને પ્રમાણસત્ય ધ્યાનમાં લઈ બધા સત્યાંશને સ્વીકારી આત્માને ભેદભેદરૂપે માને છે, એટલે દ્રવ્યાર્થિક નયે આત્માને અભેદ અને તે સાથે જ પર્યાયાર્થિક નયે આત્માને ભેદ માની ભેદભેદભાવ સ્વીકારે છે. આ રીતે બૌદ્ધ અને મીમાંસકે વચ્ચે બીજે જ માર્ગ કાઢી જૈનદર્શન પિતાની સર્વનયાશ્રિતતા સાબિત કરે છે. આવી રીતે બૌદ્ધમતને ક્ષણિકવાદ અને વેદાંતને શુદ્ધ અદ્વૈતવાદ પતાવ્યો. આ સંબંધી જાણવા લાયક હકીકત અને તેની ન્યાયદષ્ટિએ ચર્ચા “સર્વદર્શનસંગ્રહ અને હરિભદ્રસૂરિકૃત ‘ષદર્શનસમુચ્ચય'માં મળશે. ડ્રદર્શનસમુચ્ચય'નું ગુજરાતી ભાષાંતર સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કર્યું છે, અને પં. બેચરદાસે પણ સદર ગ્રંથનું ભાષાંતર કર્યું છે, તેને સહેતુક અત્ર ઉલલેખ કરવામાં આવ્યું છે. (૪) લોકાયતિક કૂખ જિનવરની, અંશવિચાર જે કીજે રે; તત્ત્વવિચાર સુધારસધારા, ગુરૂગમ વિણ કિમ પીજે રે? ષ૦ ૪ પાઠાંતર–ખ સ્થાને એક પ્રતમાં ‘કુષિ શબ્દ લખે છે; બીજી પ્રતમાં “કૃષી' છે. “જિનવરની” સ્થાને “ જિનવરના” એક પ્રતમાં છે; બીજી પ્રતમાં “છનવરની” છે. “ અંશ’ સ્થાને એક પ્રતમાં “અંસ” છે, બીજી પ્રતમાં “અંજસા” છે. “ વિચાર ને પ્રતમાં “વિચાર” તરીકે લખેલ છે. “કીજે ” સ્થાને પ્રતમાં કીજૈ ' મૂકેલ છે. “ગમ” સ્થાને એક પ્રતમાં “ગુણ” લખેલ છે. “કિમ’ સ્થાને પ્રનમાં “કિં' લખ્યું છે. પી” સ્થાને પ્રતમાં “પીજે ” લખે છે. (૪) શબ્દાથ–લોકાયતિક = નાસ્તિક, એ બૃહસ્પતિના અનુયાયી છે (વર્ણન માટે વિવેચન જુઓ. કૃખ = કુક્ષી, બગલ, હાથને છેડે. જિનવરની = જિન તીર્થકર ભગવાને બનાવેલ જૈનદર્શનની. અંશ = વિભાગ, તે મતનો એક ભાગ, તેને વિચાર = કલ્પના, ધારણા, જેવું તે. કીજે = કરીએ, કરવામાં આવે. તત્ત્વ = રહસ્ય, તેને બરાબર ખ્યાલ કરી રહસ્ય-સાર કાઢવામાં આવે છે. સુધારસ = અમૃતરસ, સારભૂત રહસ્ય. ગુરુગમ = એને ઉદ્દેશ સમજાવનાર ગુરુ તરફથી મળેલ જ્ઞાન, ગુરુએ સમજાવેલ જ્ઞાન, વિણ = વગર, સિવાય. કિમ = કેમ (જૂના વખતની વપરાશ). પીજે = પિવાય, ગળે ઉતારાય, (૪) Page #417 -------------------------------------------------------------------------- ________________ ૨૧: શ્રી નમિનાથ જિન સ્તવન [૪૧ અર્થ લેકાયતિક (નાસ્તિક-બાસ્પત્ય) તીર્થકરદેવની–સમયપુરુષની-કૂખ છે. એવા તે દર્શનના એક ચોક્કસ ભાગને આપણે ધ્યાનમાં લઈએ તો આપણને સમજાઈ જાય તેમ છે. દર્શન–તત્ત્વજ્ઞાનના અમૃતરસની ધાર ગુરુ મહારાજની દોરવણુ વગર કેમ પી શકાય? (૪) ટ –લેકાયતિક-ચાર્વાક, વૈશેષિકાદિક તે અંશવાદી. તે સર્વ કુખ મધ્યે જિનવરના મતમાં નિરંશ—અવિભાગ વિભાગપલિચ્છેદાદિ વિચાર કીજે, તે વારે તે કૂખમાં એવી તત્વ વિચારની સુધારસધાર, તે ગુરુગમ વિના કેમ પીજીએ? બૌદ્ધ, સાંખ્ય, નાસ્તિક, પંચભૂત યા અદ્વૈતવાદી એ સર્વ વાદી જાણવા. શાસનમાર્ગને ઓળવે તે માટે મિથ્યાદષ્ટિ જાણવા. કિયાવાદી તે આત્મા–ક્રિયાકારકને કર્તા માને તેના ભેદ ૧૮૦ થાય; અકિયાવાદી–આત્મા અર્જાવાદી તેના ભેદ ૮૪ થાય; અજ્ઞાનવાદી ૬૭ થાય, વિનયવાદી ૩ર થાય. એ સર્વ મળી ક૬૩. અથવા ગુરુ મેટા ગુણ વિના જ્ઞાનાદિ વિના કેમ જાણી શકાય ? (૪) વિવેચનલેકાયતિક-બાહસ્પત્યનાતિક એ સમયપુરુષનું કૂખ નામનું અંગ છે. એના અંશને વિચાર કરીએ તો એ સમયપુરુષની કૂખનું સ્થાન લે છે. વાણી કૂખમાંથી ઉત્પન્ન થાય છે તે પૂરતો એ વિચાર છે. અને નાસ્તિકે પણ ત્યાંથી ઉત્પન્ન થાય છે તે અંશે તે કુખનું સ્થાન લે છે. કૃખને ભાગ હમેશ પિલો રહે છે અને ખભા નીચે દબાય છે તેથી સમયપુરુષના આ દબાયેલા–કચરાયેલા અંગ તરીકે એક વિભાગ છે. પાંચે દર્શને વાણીથી ઉત્પન્ન થાય છે તે નજરે પણ નાસ્તિકને અને પેટને સ્થાન છે. નાસ્તિકની શરીરના દબાયેલ અંગ તરીકે ગણના કરવી એ વિશાળતા તો જૈન જ દાખવી શકે. આ વિચારધારા ન બેસે તેણે તે ગુરુગમથી સમજવા પ્રયત્ન કરે. આ હકીકત ખૂબ વિચારપૂર્વક લખાયેલી છે. સાધારણ રીતે પરભવ ન માનનાર અને બને તેટલાં ઇંદ્રિયસુખ ભોગવી લેવામાં જિંદગીને સાર્થક માનનાર નાસ્તિકને કશું સ્થાન નથી. તેઓ તો આ કાળના materialists (વસ્તુમાં જ માનનાર) છે. તેને પણ એક દર્શન તરીકે શરીરનો અવયવ ગણવામાં આનંદઘને કે હરિભદ્રસૂરિએ કમાલ કરી છે. નાસ્તિકને પણ એક દર્શન ગણવામાં નાસ્તિકને દેખીતી રીતે અવગણ્યા છે કે વખાણ્યા છે તે ખૂબ દીર્ઘ નજરથી સમજવા યોગ્ય છે. મને લાગે છે કે કુખને સ્થાને તે દબાવી રાખવા ગ્ય છે અને માથું ઊંચકે તો બેસાડી દેવા ગ્ય છે. અને તેમને કુખ ગણીને–ગણાવીને તેમની હરિભદ્રસૂરિએ ઠેકડી કરી છે, પણ તેમના દર્શનની પણ ગણના કરી છે, તે સર્વ ગુરુ પાસેથી સમજવા જેવું છે. આ ગાથાને અર્થ કરતાં જ્ઞાનવિમળસૂરિએ પાખંડીના ત્રણસે ત્રેસઠ ભેદ પાડ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે કિયાવાદી ૧૮૦, તેઓ આત્માને કર્તા માને છે. અકિયાવાદી ૮૪, જેઓ આત્માને અકર્તા માને છે. અજ્ઞાનવાદી ૬૭ અને વિનયવાદી ૩૨. મારી પાસે જે પ્રત પ૧ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] શ્રી આનંદઘન-ચોવીશી છે તેના જણાવ્યા પ્રમાણે આ છેલ્લા વિનયવાદીના ૨૩ ભેદ લખેલ છે, પણ દર્શનસમુચ્ચયની ટીકા તપાસતાં તે ૩૨ જ ભેદ છે અને તે રીતે સરવાળે ૩૬૩ થઈ શકે છે. આવા અનેક પેટભેદો છે. આ પાખંડીઓને આનંદઘન શું સ્થાન આપત તે વિચારવા યંગ્ય છે. પણ તેઓની ઉદારતા જોતાં તેઓ તેમને પણ શરીરના કોઈ અવયવમાં જરૂર દાખલ કરી દેત. આવી વિચારણા કરવામાં આવે ત્યારે તત્ત્વવિચારના અમૃતની ધારા ગુરુગમથી પી શકાય. ગુરુ એને સમજાવી શકે કે એને પણ સમયપુરુષનું અંગ જ ગણવાનું છે, પણ એને કૂખસ્થાને મૂકવામાં ભારે અક્કલ વાપરવામાં આવી છે. અને આવા અંગને અવયવ ગણવું કે હસી કાઢવું તે ગુરુ સમજાવી શકે. (૪) જેન જિનેશ્વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે. ષ૦ ૫ અર્થ છેલ્લું જૈન તીર્થકરનું અંગ સમયપુરુષના મસ્તકરૂપ છે. તે બહિરંગ-બાહ્યથી અને અંતરંગથી એવા બે પ્રકારનું છે. જેઓ એના અક્ષરેઅક્ષરનું સ્થાપન કરી તેની ધરાપૃથ્વીને પૂજે છે તે તેની સાથે સદર દર્શનનું પૂજન કરે છે. (૫) ટબેઅને જિનેશ્વર મત તે વર–પ્રધાન ઉત્તમ અંગ છે, અંતરંગ અને બાહિર અંગે. અંતરંગ ઉત્તમ અંગ છે. સર્વાશ માટે બાહિરગત પર્યાયાદિક અંશે, તેણે કરી બને મીલીએ, કાય, અક્ષરન્યાસે આગમ; આ ત્યાં જે ન્યાસ થાપનાદિ કરે તે આરાધક કહીએ; તે જ પ્રાણી જિનશાસન સંગે હય, તે જ આરાધક કહેવાય. (૫) વિવેચન—ઉત્તમ અંગ એટલે મરતક, માથું. આપણે હવે જે દર્શન સંબંધી વિચાર કરવાનું છે તે જૈનદર્શન છે. એ જૈનદર્શન સમયપુરુષના મુખને સ્થાને છે. શરીરના જુદા જુદા અવયવ હોય તેમ જૈનદર્શન એ સમયરૂપ પુરુષનું મુખરૂપ અવયવ છે. આ ગ્રંથના લખનાર જૈન છે માટે તેમણે જૈન મતને સારા અંગ તરીકે બતાવ્યું છે એમ નથી, પણ એ એક દષ્ટિ બિન્દુએ ઢાલની એક જ બાજુ જેનાર ન હોવાથી અને સર્વ દષ્ટિબિન્દુઓ ધ્યાનમાં લઈ કઈ પણ મુદ્દા ઉપર બોલતા હોવાથી તે વિચારને વાસ્તવિક ઉત્તમાંગ-મગજ-મુખનું સ્થાન આપ પાઠાંતર–અંગ” સ્થાને એક પ્રતમાં “અંગે ” લખ્યું છે. વાસ’ સ્થાને પ્રતમાં બનાસ” છે. “આરાધે સ્થાને એક પ્રતમાં “આરાધે” એમ લખેલ છે; “આરાધે સ્થાને બન્ને પ્રતમાં “આરાધક” છે; એક પ્રતમાં આરાધક” એટલું વધારે છે. “ધરી’ સ્થાને બને પ્રતવાળા “ધરિ લખે છે; બીજી પ્રતમાં “ગુરુ” લખેલ છે. (૫) શબ્દાર્થ જૈન = જૈનદર્શન. જિનેશ્વર = દર્શન પુરુષનું. તીર્થંકરનું ઉત્તમ અંગ = માથું, મગજ મસ્તિષ્ક. અંતરંગ = હૃદયપૂર્વક, નિષ્ઠા-પ્રેમપૂર્વક. બહિર ગે = ઉપર ઉપરથી, વ્યવહાર જાળવવા, દેખાવ ખાતર, અક્ષર = ક, ચ, 2, ત, પ વગેરે અક્ષરા, ન્યાસ = સ્થાપના. ધરા = જમીન, સ્થળ. સંગે રે - સાથે સબતે. (૫) Page #419 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : નમિનાથ જિન સ્તવન [ ૪૦૩ વામાં આવ્યું છે; અને જૈનદર્શીન તે સ્થાનને પાતાની યાગ્યતાએ પ્રાપ્ત કરે છે. એ અવયવ પ્રાપ્ત કરવાને અંગે જૈનદન ઉપર કાંઈ મહેરબાની કરવામાં આવેલ નથી, પણ તે સ્થાન તેણે વાસ્તવિક રીતે પ્રાપ્ત કરેલ છે. આ સુંદર સ્થાન મેળવીને તેણે પોતાના યાગ્ય મહિમા સિદ્ધ કરી આપ્યા છે અને સવ" દૃષ્ટિબિન્દુએ ઉપરાંત તે પ્રમાણુસત્ય સ્વીકારતું હોવાથી તે બધી રીતે ચેાગ્ય છે. તેનાં એ અંગ છે ઃ ૧. બહિરંગ અને ર. અંતરંગ. બાહ્ય ક્રિયા કરવી, ઉપર ઉપરથી સમાચારી પાળવી, ચરણસિત્તરી અને કરણસિત્તરી પાળવી તે બહિરંગે જૈનધર્મ છે. અને રાગદ્વેષને સર્વથા ત્યાગ કરી આત્માના ગુણો પ્રગટ કરવા તે એને અંતર’ગ વિભાગ છે. આ વૈરાગ્યવિભાગ છે અને તેમાં આત્માના અનેક ગુણા કેમ પ્રાપ્ત કરી શકાય તેને અંગે કારણુ અને પરિણામ સાથે બતાવવામાં આવેલ છે. આવી રીતે બતાવેલ બહિરંગ અને અંતરંગ જૈનદનનું સ્થાન સમયપુરુષના અવયવ તરીકે મુકરર કરવામાં આવ્યું. એના બહિરંગ અને અંતરંગ વિભાગને જેવા બતાવવામાં આવ્યા છે તે અક્ષરેઅક્ષર અનુસરવા, એટલે આવશ્યક પડિલેહણાદિ એના બહિરંગ અને રાગદ્વેષ અને ત્યાગભાવ એના અતરગ વિભાગ વગર અપવાદે કે વગર શકાએ અનુસરવેા અને તે બન્ને વિભાગને ખહલાવવા-તે રીતે એની ઉત્તમાંગ તરીકે ગણના થાય છે. આ રીતે જૈનદનને સમયપુરુષના મગજનું-માથાનું સ્થાન આપવામાં આવ્યું છે. અહી અક્ષરન્યાસની વાત કરી તે અક્ષરમાં વધારો, ઘટાડો કે આગળપાછળ ન કરતાં જે રીતે તે અક્ષરો બતાવવામાં આવ્યા છે તે રીતે જ તેની સ્થાપના કરવાના અને તેનું સેવન કરવાનો આગ્રહ બતાવવામાં આવ્યા છે. એટલે અમુક મુદ્રાએ ‘જય વીયરાય' કહેવું કે અમુક મુદ્રાએ ‘નમ્રુત્યુ’ કહેવું, તેને તે પ્રકારે જ કહેવું એ અક્ષરન્યાસરૂપ પૃથ્વીનું આરાધન છે. અને તે જ પ્રમાણે અનુસરણ કરવું એવા જે સાથે સાથે આગ્રહ રાખે છે તે એને સેવે છે, પૂજે છે, આરાધે છે. Six Schools of Indian Philosophy' પુસ્તકમાં પ્રે. મેકસમ્યુલરે બૌદ્ધ, સેશ્વર સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક, વેદાંત અને નિરીશ્વર સાંખ્યની ગણના કરી તેનું વિસ્તૃત વણુ ન આપ્યું છે. સૃષ્ટિકર્તા ઇશ્વર છે એમ જૈને ન માનતા હોવાથી તે (જૈન) હિંદ–ભારતની છ સ્કૂલેામાં આવતા નથી એમ તેની માન્યતા અનુમાનથી જણાય છે. જેનું જ્ઞાન ન્યાય—તમાં ખૂંચેલ હાય તેમને ગુણરત્નસૂરિવિરચિત ‘ષડૂદનસમુચ્ચય’ની ટીકા જોવાથી આ દનાનો ખ્યાલ આવશે. મૂળ હરિભદ્રસૂરિના ૮૭ àાકાને તેમણે વૃત્તિ કરીને હજારો લેકમાં અવતરણ કર્યુ છે. આ પ્રકારનું નદનનું સ્થાન સમજી તેને અક્ષરશઃ સ્થાપી આરાધના કરે અને સ દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખી તેને સેવે તે પ્રાણી, તે દન પ્રમાણે હમેશને માટે મુક્તિના સુખને મેળવે. જૈનદર્શનનું સ્થાન સમયપુરુષને અગે છે, તે આ ગાથામાં જણાવ્યું. આ ઘણી અગત્યની વાત હેાવાથી જૈનદન સંબધી ઘેાડી ભલામણુ આવતી થોડીક ગાથામાં કરશે. (૫) Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪] શ્રી આનંદઘન-ચોવીશી જિનવરમાં સઘળાં દર્શન છે, દશને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે. ષડૂ૦ ૬ અથ-જિનવર-તીર્થકર-જૈનદર્શનમાં સઘળાં દર્શનનો સમાવેશ થઈ જાય છે. પ્રત્યેક બીજા દર્શનમાં જનધર્મ આવે કે નહિ તે વિકલ્પ છે, હોય પણ ખરું અને ન પણ હોય; જેમ કે દરિયામાં સર્વ નદીઓ જરૂર આવી મળે છે, પણ નદીમાં સમુદ્ર હોય પણ ખરે અને ન પણ હોય. (૬) ટ-શ્રી જિનેશ્વર જિનાગમમાં સર્વ દર્શન છે, પણ બીજા એકેક દર્શનમાં જિનમતની ભજન જાણવી. જિનમત અપર દર્શનમાં હોય અને ન પણ હોય, કોણ દૃષ્ટાંતે, તે કહે છે ? જેમ સાગર-સમુદ્રમાં સઘળી તટિની-નદી સમાય સહી, પણ નદીમાં સમુદ્ર ન સમાય. તટિની– નદીમાં સાગરની ભજના છે. અને નહીં તે માટે છતિના. (૬) વિવેચન-જિનવરના દર્શનમાં સઘળાં દર્શને છે, કારણ કે તે પ્રમાણુવાદને માન આપે છે, અને બીજાં દર્શન એક બિંદુએ જુએ છે, તેથી બીજા દર્શનમાં જૈનદર્શન હોય કે ન હોય તે વાત વિકલ્પ છે. જૈન મત તેમાં હોય પણ ખરે, અને ન હોય તેમ પણ બનવા જોગ છે. જૈનદર્શનમાં સઘળાં દર્શને તે આવી જ જાય છે, કારણ કે એ એકદેશીય મટીને સર્વદેશીય થાય છે. બીજા દર્શનેમાં જૈન દર્શન આવે પણ ખરું અને ન પણ આવે, કારણ કે સર્વ દેશીથતા જૈનધર્મેન્દશને સ્વીકારી છે તે બીજા દેશોએ, તે પૈકી કેઈએ, સ્વીકારેલ નથી. એના પર એક સરસ દાખલે આપે છે. સર્વ નદી અનેક ટેકરા, ડુંગર, ખાડા વટાવી અંતે સમુદ્રને મળે છે તેથી સમુદ્રમાં તે નદીઓ જરૂર હોય જ; પણ નદીમાં સમુદ્ર હોય પણ ખરે અને ન પણ હોય, આ વિકલ્પવાદ છે. તે જ પ્રમાણે જૈનદર્શનમાં સર્વ દર્શનેને સમાવેશ જરૂર થાય છે. ખાડા, ટેકરા, ખીણ એ ક્રિયાના ભેદ સમજવા. જૈન મતને કે દર્શનને અહીં સમુદ્રનું સ્થાન છે, નદીરૂપ જુદાં જુદાં દર્શને સમજાય છે. જેના મતરૂપ સમુદ્રમાં સર્વ દર્શનેને તે જરૂર સમાવેશ થાય છે, કારણ એ સર્વ દૃષ્ટિબિંદુને સ્વીકારે છે. આવી જૈનદર્શનની મહત્તા બતાવી તેમાં ભારે વિશાળતા ભરેલી છે એ વાતને એક વાર વધારે સ્પષ્ટ કરી છે. આવી વિશાળતા અન્યત્ર જ્યાં હોય ત્યાં નદીમાં પણ સમુદ્ર છે એમ જણાવ્યું. આવી વિશાળતા ખાસ આદરણીય પાઠાંતર દરશન’ સ્થાને પ્રતમાં “દરિસન” શબ્દ લખેલ છે; બીજી પ્રતમાં “અંતર દરિશન” છે. દને સ્થાને બીજા પાદમાં ‘દર્શન શબ્દ છે. “સહી ” સ્થાને એક પ્રતમાં “છે.” પાઠ છે. અંતમાં ભજના” સ્થાને પ્રતમાં છતિના ” લખેલ છે. (૬) શબ્દાર્થ-જિનવર = તીર્થકર, પ્રભુ, ભગવાન. સધળા = સવ, કુલ, બધાં. દર્શન = મત, અભિપ્રાયો. દર્શન = મત, સંપ્રદાયભેદમાં. જિનવર = જૈનદર્શનની. ભજના = વિકલ્પ, હોય કે ન પણ હોય. સાગરમાં = દરિયામાં, સમુદ્રમાં. સધળી =બંધી, સર્વ, કુલ. તટિની = નદી, તટિનીમાં = નદીમાં. સાગર = સમુદ્ર, દરિયો. ભજના = હોય કે ન હોય, વિકલ્પ. (૬) Page #421 -------------------------------------------------------------------------- ________________ ર૧ : શ્રી નમિનાથ જિન સ્તવન [૪૦૫ છે તે જણાવી તે જૈનદર્શનને આદર કેવી રીતે કરવો તે પણ આગલી ગાથામાં બતાવવામાં આવ્યું છે. આ સંબંધમાં ઉપરોક્ત સàઘકથા જોઈ જવી તે પ્રાસંગિક છે. સત્યના કઈ કઈ અંશે દશનેને પ્રાપ્ત થઈ જાય, પણ સર્જાશે જૈનદર્શનની વિશાળ દૃષ્ટિ તેમાં હોવાને વિકલ્પ છે. એ વિકલ્પને સિદ્ધાંત બરાબર બેસે, સમજાય ત્યારે આ વાતનું રહસ્ય સમજાય તેમ છે. (૬) જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે; ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે. પ૦ ૭ અથ–તીર્થકર મહારાજમય થઈ તીર્થકરનું આરાધન કરે–સેવે તે જરૂર અંતે જિનવર થઈ જાય; દાખલા તરીકે ભમરી ઓળને ડંખે – ચટકે ભરે તે એળ આખરે, જગત જુએ છે તેમ, ભમરી થઈ જાય છે, તેમ જિનવરને ભજનાર અંતે જિનેશ્વર થઈ જાય છે. (૭) ટ –જિનસ્વરૂપ થઈ જે જિનને આરાધે, રાગદ્વેષ અળગો રહી જે ધ્યાવે તે જ નિશ્ચય જિનવર થાય; નિઃસંદેહ છે; જેમ ભંગી-ભમરી તે ઇલિકાને ચટકે દઈ ફરસે તે જ ઈલી તે ભૂંગીને દેખે. (૭) - વિવેચન–જ્યારે પ્રાણી સકળ કષાયમહને જીતનાર થઈ જિનની આરાધના કરે ત્યારે આરાધના કરતાં કરતાં પિતે જિન થઈ જાય અને સર્વ કર્મોને મૂકીને સિદ્ધ થઈ જાય. તેને માટે કુદરતને એક સરસ દાખલે આપે છે. સવાલ એ છે કે જિનને ભજવાથી જિન કેમ થવાય? કુદરતી ભમરી એળને ડંખ મારે છે. પ્રથમ તેને પોતાના દરમાં લઈ આવે, ત્યારે ઇયળ તેના મનમાં વિચાર કરે, હું પોતે જ ભમરી હોઉં તે મજા આવે. ભમરી તો ભારે ઉદ્યમી પ્રાણી છે. તે તો પોતાના સ્થાનને બંધ કરી દે છે, પણ એળ ભમરીપણાના વિચારમાં મરી જાય છે અને તે જ શરીરમાં ભમરી તરીકે ઉત્પન્ન થાય છે. સત્તરમે દિવસે ભમરી પિતાનું દર ખેલી એળને ડંખ મારે છે, ભમરીને કાંટો હોય જ છે. એળ તે જ વખતે ભમરીરૂપે એ દરમાંથી બહાર નીકળી ઊડી જાય છે. આ સર્વ એકાગ્રપણે ધ્યાન કરવાનું પરિણામ છે. તેમ જિનદેવમાં જે એકાગ્રતા કરે, એકધ્યાને, સ્થિર ચિત્તે “જિન”, “જિન” એમ કર્યા કરે અંતે રાગ દ્વેષ-કષાય મેહથી મુક્ત જિનદેવ થઈ જાય. આ સર્વ ધ્યાનની એકાગ્રતા છે. જેમ પાઠાંતર–સ્વરૂપ” પછી એક પ્રતમાં “રૂપ” પાઠ વધારે છે. “આરાધે ” ને બદલે “આરાધ” પાઠ પ્રતમાં લખે છે. “હવે સ્થાને પ્રતમાં “હોવૈ” છે. “ભૃગી ” સ્થાને પ્રતમાં “ભમરી” પાઠ છે. ઇલિકાને સ્થાને “ઇલીકા” અને “ઇલિકાને” ને સ્થાને “ઈલિકા જે ' પાઠ પ્રતમાં છે. “ચટકાવે” સ્થાને પ્રતમાં ચટકા લખેલ છે. જે સ્થાને પ્રતમાં “જે” લખેલ છે. (૭) શબ્દાર્થ-જિન = વિજય કરનાર, જીતનાર. સ્વરૂપ = જેવા થવું તે, તન્મય બની. જિન = તીર્થકર મહારાજ, જિનેશ્વરદેવ. આરાધે = સેવે, પૂજે, ભજે. સહી = ચક્કસ, જરૂર. જિનવર = પ્રભુ, ભગવાન. હોવે = થાય, બને. ભંગી = ભમરી. ઇલિકાને = ઈયળને, એળને. ચટકાવે = ડંખ મારે, ફટકાવે. ભંગી = ભમરી. જગ = દુનિયા, જગત, સંસાર. જે = દેખે, સ્વીકારે. (૭) Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬] શ્રી આનંદઘન-ચાવીશી એળ ભમરીપણાનું એકાગ્ર ચિત્તે થોડા દિવસ ધ્યાન કરતાં ભમરી થઈ જાય છે તેમ નિર્વિકારી જિનદેવનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરતાં પ્રાણી જન્મ-મરણ અને તેને અંગે થતાં અસંખ્ય દુઃખ નિવારીને પોતે જ જિન થઈ જાય છે. આ સર્વ એકાગ્ર ધ્યાનનું પરિણામ છે. એ ભગવાનને-જિનદેવને ધર્મધ્યાન અને શુકલધ્યાનથી એકાગ્ર ચિત્તે સેવવા. એ ધર્મશુકલ ધ્યાનના ઘણા ભેદો અને વિકલ્પ છે, તે માટે “જૈન દષ્ટિએ યુગમાં અવતરણ કર્યા છે, તેથી અત્ર તેનું પુનરાવર્તન કર્યું નથી. ત્યાંથી અથવા હેમચંદ્રાચાર્યના ગશાસ્ત્ર’થી તેને જાણ લેવા. એ જૈનદર્શનને અતિ ઉપયોગી વિષય છે અને ખાસ લક્ષ્યપૂર્વક વિચારવા યોગ્ય છે. અને તેની મહત્તા સમજાય પછી અમલમાં મૂકવા યોગ્ય છે. સત્તર દિવસના ચાલુ ધ્યાનથી એળ પણ ભમરી બને છે તેવી જ રીતે જિનવરનું ચાલુ એકાગ્ર ધ્યાન કરવાથી પ્રાણી પોતે જિન થઈ જાય છે એ વાત વિચારીને સમજવા યોગ્ય છે. પણ દુઃખની વાત એક છે કે જિનદેવ ડંખ કેવી રીતે અને ક્યારે મારે તે આપણે જાણતા નથી. પણ જિન થવાને આ સીધે અને સહેલે માર્ગ છે એ સમજી રાખી જિનદેવના કષાય અને મહત્યાગને અનુસરી જિન થવાના એકાંત ધ્યાનની રીતિને પ્રાણીઓ અનુસરવું જોઈએ. ઘણે વખતે આવું સર્વદેશીય દર્શન મળ્યું છે, તે તકનો લાભ લઈ સુંદર ધ્યાન લગાવવું અને જિનવરના ડંખની રાહ જોવી. જે વગર અંતરાયે એકાગ્ર ધ્યાન લગાવવામાં આવશે તો સર્વ અંશને વિચારનાર જૈનદર્શનની પ્રાપ્તિ પ્રાણીની જિન થવાની ભાવનાને જરૂર સિદ્ધ કરશે. સમ્યકવરૂપ ચટકે લાગે તે ખરેખરું ધ્યાન છે અને તે પણ પ્રાણીઓ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એનાથી આ જન્મ-મરણકૃત અનેક કલેશોનો નાશ થાય છે અને તે પ્રાપ્ત કરવું એ આપણા હાથની વાત છે, એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. આ જૈનદર્શન કેમ પ્રાપ્ત થાય તેની થડીક વાનગી પણ બતાવે છે. (૭) ચૂરણિ ભાષ્ય સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમયપુરુષનાં અંગ કહ્યાં છે, જે છેદે તે દુરભવ રે. જરૂ. ૮ પાઠાંતર–ચૂરણિ” સ્થાને ભીમશી માણેક ચૂરણ છાપે છે; એક પ્રતમાં એ પાઠ છે. પુરષના” સ્થાને પ્રતમાં “પુરુષમાં પાઠ છે. છેદે’ સ્થાને બન્ને પ્રતમાં “છેદૈ” લખે છે. “દુરભવ” સ્થાને “દરભવે પાઠ છે. (૮) શબ્દાર્થ –ચૂરણિ = પૂર્વધરે (અર્ધમાગધીમાં) કરેલ શબ્દાથ. ભાષ્ય = અર્ધમાગધીમાં કરેલ અર્થ. સૂત્ર = ગણધરેએ રચેલ મૂળ પાઠ. નિયુક્તિ = શબ્દને છણીને તેની, વ્યુત્પત્તિ; તે પણ અર્ધમાગધીમાં હોય છે. વૃત્તિ = સંસ્કૃત ટીકાકારે કરેલ અથ; એ સંસ્કૃતમાં હોય છે. પરંપર = સંપ્રદાયથી ચાલ્યો આવતો ગુરએ શિષ્યને બતાવેલ. અનુભવ = જાતે કરેલ અનુભવ. સમય = આગમ, પિસ્તાળીશ સિદ્ધાન્તો. પુરુષ = સમયરૂપ કલ્પેલ માણસ, પુરુષાકાર. અંગ = અવયવ, શરીરના જુદા જુદા વિભાગો. છેદે = કાપી નાખે, કબૂલ ન રાખે, અસ્વીકાર કરે છે. દુરભવ = દુર્ભવી, સંસારમાં રખડનાર. (૮) Page #423 -------------------------------------------------------------------------- ________________ ૨૧: શ્રી નમિનાથ જિન સ્તવન [૪૦૭ અર્થ–સમયપુરુષનાં છ અંગે છેઃ ચૂરણિ એટલે પૂર્વ ધરે માગધી ભાષામાં કરેલા અપરા શબ્દને અર્થ. ભાષ્ય એટલે આખા પદને પ્રાકૃતમાં અર્થ. સૂત્ર એટલે ગણધરે લખેલ અને તીર્થકર ભાલ મૂળ સૂત્ર. નિર્યુક્તિ એટલે શબ્દની વ્યુત્પત્તિ દ્વારા કરેલ અર્થ વૃત્તિ એટલે સંસ્કૃત ટીકા. અને ગુરુ દ્વારા થયેલ પરંપરાનું જ્ઞાન અને કરેલ અનુભવ. આમાનું એક પણ અંગ જે કાપે છે તે દુર્ભવી છે, સંસારમાં રખડનાર છે, એમ જાણવું. (૮) ટબેન્ચૂણિ તે પૂર્વધરકૃત છૂટા પદાર્થ વ્યાખ્યાન, ખંડિત ખંડિત તે ચૂર્ણિ. ભાષ્ય તે સૂત્રને સૂચે તે, તે પણ પૂર્વધરકૃત. સૂત્ર તે ગણધર, પ્રત્યેકબુદ્ધ, દશપૂર્વધર સંપૂર્ણ કત. નિયુક્તિ તે પદના બહુવિધ નિપાદિ રચના તે ચૌદપૂર્વધર કૃત. વૃત્તિ તે સર્વ શબ્દને અર્થ, વ્યાખ્યાન. પરંપરા તે અત્તાગમ, અનંતરાગમ, પરંપરાગમ ગુરુસંપ્રદાયાન્વિત વળી અનુભવ યથાર્થ જ્ઞાન ઇત્યાદિક સઘળા સમયપુરુષ તે સ્યાદ્વાદપુરુષનાં એ અંગ છે. એ પંચાંગીને જે છેદે-ન માને તે દુર્ભવ, બહુલ સંસારી જાણ. (૮) વિવેચન–જૈનદર્શનને પ્રભુનું ઉત્તમાંગ કહેલું છે. તે ગીરાજની દૃષ્ટિએ કેવું સુંદર છે તે માટે ઉત્તમાંગને ક વિભાગ ખાસ અનુસરવાને તેમને આગ્રહ છે તે અત્ર બતાવે છે. ભગવાને ગણધરને ત્રિપદી આપી અને ગણધરએ એ ત્રિપદીમાંથી બાર અંગ રચ્યાં, તે મૂળ ગ્રંથ તરફ ગીરાજની નજર હોય તે તદ્દન સ્વાભાવિક છે. પછવાડેના ગ્રંથ પણ ઉપયોગી છે, પણ પ્રમાણમાં મૂળ આગમ ગ્રંથ વધારે અગત્ય ધરાવે છે. એ બાર અંગો પૈકી અત્યારે અગિયાર આગમને અગિયાર અંગ કહેવામાં આવે છે. તે મૂળ ગણધરકૃત હોવાથી ખૂબ પ્રસિદ્ધિ પામેલ છે, અને ખાસ વિશ્વસ્ત છે, તેના સંબંધી વિચાર કરતાં નીચેની હકીકત પ્રાપ્ત થાય છે ચૂરણિ : એટલે ચૌદપૂર્વધરે કરેલી છૂટા પદની વ્યાખ્યા. આ વ્યાખ્યા કર્ભાગ્ય અર્થ માગધી ભાષામાં છે. ભાષ્ય: મૂળ સૂત્ર, જે ચૌદપૂર્વધર ગણધરોએ રચેલા છે, તેને વિસ્તૃત અર્ધમાગધી ભાષામાં પૂર્વધરે કરેલે સળંગ અર્થ. સત્ર : ભગવંતના ગણધરે પોતે બનાવેલ મૂળ સૂત્ર; અત્યારે જે અગિયાર અંગ ઉપલબ્ધ થાય છે તે સુધર્માસ્વામીએ રચેલાં છે. નિયુક્તિઃ શબ્દનો અર્થ વ્યુપત્તિ દ્વારા પૂર્વધર કરે તે અર્ધમાગધી ભાષામાં લખેલ નિયુક્તિ કહેવાય. વૃત્તિઃ સૂત્ર ઉપર સંસ્કૃત ટીકા. આ ટીકા ગમે તે પૂર્વાચાર્યો લખેલ હોય છે. આ સંસ્કૃત ટીકા ઘણું વિસ્તૃત છે અને અત્યારે પણ ઉપલબ્ધ છે. પર પર અનભવઃ ગુરુએ શિષ્યને સામે બેસાડી પરંપરાનું કરાવેલું જ્ઞાન, દાખલા તરીકે સામાયિક લેતાં હાથની અમુક મુદ્રા કરવી, પારતી વખતે અમુક; પરંપરાથી ગુરૂએ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ] શ્રી આનંઘન-ચાવીશી શિષ્યને સમજાવેલ જ્ઞાન. એ ન હોય તે રજોહરણના અર્થ broom (ઝાડુ) કરવા જેવું થઈ જાય. આ પર`પરા અનુભવજ્ઞાનના મહિમા આપણે ચેાથા સ્તવનમાં વિચારી ગયા છીએ. સમયપુરુષનાં આ છયે અંગેા કહ્યાં છે. એને જે લેાપે અથવા ઓછી અગત્યનાં ગણે તે દુલ્હવી ગણવા. અનેક પ્રાણીએ મેાક્ષમાં જવાની લાયકાતવાળા હાય છતાં મેાક્ષ જવાના જ નથી, જે અભવીની કોટે વળગેલા છે તે દુભ`વી પ્રાણી છે. આ સંસારમાંથી સર્વ ભવી મેક્ષ ચાલ્યા જાય અને માત્ર આ સ`સારમાં અભવી જ ખાકી રહે એવા વખત કી આવવાનેા નથી. જે ઉપયુÖક્ત છમાંથી એક પણ અંગને દે-કાપે તે આવા પ્રકારના દુÖવી છે, સ‘સારમાં રખડનાર છે અને તેના કોઈ કાળે પત્તો લાગવાના નથી. અમુક વ્યક્તિ કે વર્ગ પોતાને જૈન કહેવરાવે છે, અગિયાર અંગને માને છે, પણ ચૂર્ણિ, ભાષ્ય વગેરેને માનતા નથી; તે કેવા છે અને જૈનદર્શીનમાં તેનું કયું સ્થાન છે તે અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તે દુવ્ય છે એમ આ ગાથા ઉપરથી જણાય છે. જેમણે ઉત્તમાંગ તરીકે જૈનદર્શનની આરાધના કરવી હોય તેમણે ઉપર કહેલાં છયે અંગેાને સમજવાં, શીખવાં, અનુસરવાં. છ અંગની જરૂરિયાત સમજી છયેને અનુસરવા. યોગીરાજ ખાસ આગ્રહ કરી હજુ પણ જૈનદર્શન–ઉત્તમાંગની મહત્તા યાગ નજરે તાવે છે, અને તે દ્વારા ક્રિયાઅવચક યાગ બતાવે છે. (૮) ષડ્થ ૯ મુદ્રા બીજ ધારણા અક્ષર, ન્યાસ અરથ વિનિયોગે રે; જે ધ્યાવે તે નવ વચોજે, ક્રિયાઅવાંચક ભાગે રે. અં—મુદ્રા એટલે જુદી જુદી આરાધના માટે શરીરની વિવિધ આકૃતિ. ખીજ=મૂળ પાયાનું ધ્યાન. ધારણા = અવધારવું તે, ધારણા કરી રાખવું. અક્ષરન્યાસ એટલે કે, ચ, ૮, ત, ૫ ઇત્યાદિ અક્ષરોની સ્થાપના. અરથ એટલે ભાવાર્થ. વિનિયોગે એ છયેના વિનિયેાગે-મૂકવું, તે દ્વારા જે એનું ધ્યાન કરે તે ક્રિયાઅવચકપણાના ઉપભોગ કરે છે; તેને તે પ્રાપ્ત થાય છે, તે ક્રિયાઅવંચક થાય છે. (૯) ટએ-મુદ્રા તે કરન્યાસ આવર્તાદિક, ખીજ તે શ્રદ્ધાન, ધારણા તે ગ્રહણાદિ પટુતા, અક્ષર સંજ્ઞા લખેલું વગેરે, ન્યાસ તે હૃદયે થાપના, અર્થવિનિયોગ તે તત્ત્વજ્ઞાનાદિકે ફળ પ્રાપ્તિ પાઠાંતર——‘અક્ષર ’તે એક પ્રતમાં ‘ અય્યર ’ લખે છે. ‘ વિનિયોગે 'ને સ્થાને પ્રતમાં ‘ વિનયેગે ' પાડે છે. વાંચીજે ’ સ્થાને ‘ વંચીજે ' પાડે એક પ્રતમાં છે, ‘ ક્રિયા સ્થાને પ્રતમાં ‘ કિરિયા ' લખેલ છે. · ભાગે ' સ્થાને પ્રતમાં ભાગે...' પાઠ લખ્યા છે. (૯) : શબ્દા મુદ્રા = આકાર, યાગમુદ્રા, શરીરની જુદી જુદી આકૃતિએ. બીજ = મૂળ અક્ષર, ૩, હીં શ્રી વગેરે. ધારણા = ધારણ કરી રાખવા, તેને ધ્યાવવા, ધ્યાન કરવું. અક્ષર = એકાદ અક્ષર, ક, ચ, ટ, ત, ૫ કે અ, ઇ, ઉ, ૠ વગેરે. ન્યાસ = થાપના, સ્થાપન કરવા, હૃદ્યાદિ સ્થાને અક્ષરા ગેાઠવવા. અરથ = અથ વિનિયેાગ = લક્ષ્ય, મૂકવું તે, કાય, ક્રમનું વિધાન ધ્યાવે = ધ્યાન કરે, એ મય થઈ જાય. વાંચીજે – છેતરાય ( નહિ ). ક્રિયાવ ચક્ર = ક્રિયા ન મળવાથી ડગાવું−છેતરાવું તે. ભાગે રે = ભોગવે, પ્રાપ્ત કરે (૯) = Page #425 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : શ્રી નમિનાથ જિન સ્તવન [૪૦૯ લક્ષણ. એ ષડગે જે સમયપુરુષને ધ્યાવે તે વંચાય-ઠગાય નહિ. કિમેતે, તે વાત કહે છે : ૧. કિયાવંચક, ૨. ગાવંચક, ૩. ફલાવચંકાદિ લોગે ન વંચાય (૯) વિવેચનઆ ગાથા યોગને અંગે ઘણી ઉપયોગી છે. એને આશય જ્ઞાનસાર જેવા ત્રીશ વર્ષ વિચાર કરનારને પણ બેઠો નથી; આપણે તે સમજવા યત્ન કરીએ. જૈનદર્શનને ઉત્તમાંગ કહ્યું છે તેમાંથી યોગને અંગે શું શું મળે છે તેની અહીં વિગતે આપેલ છે. પ્રથમ તે યુગમાં અનેક મુદ્રાઓશરીરની આકૃતિઓ–બતાવવામાં આવેલ છે. નવકારવાળી અમુક મુદ્રાએ જપવી અને “જય વીયરાય” અમુક મુદ્રાએ કરવા : એ સર્વે હાથ, પગ, માથું વગેરેની મુદ્રાઓ ભાષ્યમાં કહી છે. યોગ્ય સમયે યોગ્ય મુદ્રાઓ ધારણ કરવાની વાત કરવી એ યોગના મુદ્રા શબ્દને ભાવ પ્રથમ છે. બીજુ, બીજધારણ એટલે હીં વગેરે અક્ષરને બીજાક્ષરે ગણવામાં આવેલ છે. કઈ મુદ્રા ધારણ કરી કયા અક્ષરનું કેવી રીતે ધ્યાન કરવું તે બીજાક્ષરધારણું છે. એમાં અષ્ટદળ નાભિકમળમાં અક્ષરે કેમ સ્થાપવા તેની માહિતી યેગશાસ્ત્રમાં આપવામાં આવી છે. તે ગ્રંથ પરથી પદસ્થ ધ્યાન અંગે કેટલીક અગત્યની વાત જૈન દષ્ટિએ ગ’માં લખી છે, તેમાં જ્ઞાનાવણને પણ આધાર જરૂરી સ્થાને લેવામાં આવ્યો છે. તે જુદા જુદા બીજાક્ષની જુદી જુદી રીતે સ્થાપના કરવી તે બીજાક્ષરધારણ અથવા બીજની ધારણા કરવી એમ અર્થ ન કરતાં બીજ અને ધારણા એમ જુદો અર્થ પણ કરી શકાય. આ યુગના છઠ્ઠા અંગ પરત્વે હેમચંદ્રાચાર્ય બહુ સંક્ષેપમાં વિવેચન કરે છે. ધ્યેય પર ચિત્તને સ્થાપન કરી ત્યાં તેને એકાગ્ર કરવું તેનું નામ ધારણા છે (૩–૧): ભગવાન પતંજલિની ધારણા શબ્દની આ વ્યાખ્યા સ્વીકારાયેલી છે. ધારણ શબ્દની ચર્ચા કરતાં તેના બે વિભાગ બતાવવામાં આવ્યા છે. બાહ્ય અને આત્યંતર. બાહ્યમાં સગુણ ઈશ્વરનું ધ્યાન; આત્યંતરમાં નાસિકા, જિહ્વા તથા સપ્ત ચકોની વ્યવસ્થા બતાવેલ છે. પૃથિવી વારુણી વગેરે ધારણાની વિગત જૈન દૃષ્ટિએ ગ’માં બતાવાઈ ગઈ છે. (જુઓ, પૃષ્ઠ ૧૫૯) અક્ષર–અમુક અક્ષરમાં ચમત્કાર છે, ગ છે, અ, ઈ, ઉ વગેરે અક્ષરની અમક ઢબે સ્થાપના કરવી તેની વિગત પિંડસ્થ ધ્યાનને અંગે બતાવવામાં આવી છે. એ યોગને વિષય છે. (જુઓ, સદર પુસ્તક, પૃષ્ઠ ૧૫૮ અને આગળ.) ન્યાસ–સ્થાપના. એ પણ યુગનો વિષય છે. વિધિપૂર્વક એનું સ્થાપન એ બેગમાં આવે છે, અથવા અક્ષરવાસ એટલે અક્ષરની અમુક બતાવેલ શાસ્ત્રસંમત વિધિએ સ્થાપના કરવી અને અક્ષર ઉપર જ ચિત્તને એકાગ્ર કરવું. એની વિવિધ રીતિઓ અન્યત્ર બતાવવામાં આવી . અર્થવિનિયોગ એટલે અર્થને સંબંધ–ફેરફાર–સ્થાપના કરવી તે. આ છ અથવા આઠ પ્રકારે જે ધ્યાન કરે, એકાગ્રતા કરે તે ક્રિયાઅવંચકપણને પામે. કિયાઅવંચકપણું કેમ સધાય અને પ્રાણી કિયાઅવંચક ક્યારે થાય તે પર આઠમા સ્તવન વિવેચન થઈ ગયું છે, તે વિચારી આ ઉત્તમાંગ જૈનદર્શનને ધ્યાવવું. પર Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦] શ્રી આનંદઘન-ચોવીશી આ રીતે ગદષ્ટિએ આરાધના કરવાને અંગે આ ગાથામાં ચાર અથવા છ માર્ગો બતાવ્યાઃ ગમુદ્રા, બીજધારણા, અક્ષરની સ્થાપના અને અર્થવિનિયોગ, આ ચાર વાત કરી; અથવા મુદ્રા, બીજ, ધારણા, અક્ષર, ન્યાસ અને અર્થવિનિયોગ એમ છ વાત કરી. આ ધ્યાન કરવાના સર્વ માર્ગો ખૂબ વિચારીને સમજવા યોગ્ય અને સમાજને એ સર્વ અમલમાં મૂકવા યોગ્ય છે. એ કિયાઓ કરવી એટલે ક્રિયાઅવંચકપણું પ્રાપ્ત થાય છે. જૈન દર્શનની આ રીતે અનેક પ્રકારે આરાધના કરવી; કારણ કે એ સર્વદેશીય દર્શન છે અને સમગ્ર દષ્ટિબિંદુઓ ધ્યાનમાં રાખનાર હોઈ ગીરાજ એને અનુસરવા માટે ભલામણ કરે છે. આ ગાથાને અર્થ લખવામાં જ્ઞાનસારજીને લાગેલી મુશ્કેલી કાંઈ જણાતી નથી. પછવાડેના બીજા ટીકાકાર પ્રમાણે અર્થ ગનજરે સરળ લાગે છે. (૯) શ્રત અનુસાર વિચારી બેલું, સુગુરુ તથાવિધ ન મિળે રે, કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્ત સઘળે રે. ષડૂ૦ ૧૦ અથ–શાસ્ત્રમાં જે રીતે કહેલ છે તે રીતે વિચાર કરીને હું બોલું છું-વચનવ્યાપાર કરું છું. પણ સારા ગુરુને મને જેવો જોઈએ તેવો વેગ મળતું નથી, તેવા ગુરુ ધ્યા મળતા નથી. ક્રિયા કરવામાં આવે અને સાધના ન થાય, એવી કચવાટ-કંકાસવાળી સ્થિતિ મનમાં થયા કરે છે, એ વાતની મને પીડા છે. (૧૦) ટબે–તે માટે શ્રત-આગમને અનુસરીને-વિચારીને કહું છું. તથાવિધ શ્રદ્ધા ૧, જ્ઞાન ૨, કથક ૩, કરણી ૪. શુદ્ધ ગુરુને યોગસંબંધ ન મળે અને સૂત્રોક્તાનુસારિણી કિયાએ કરી ચરણધર્મ સાધી ન શકીએ, અને મોક્ષ તે જ્ઞાન સમ્યગદર્શન યુક્ત, અને ચરણકિયા તેણે કરીને સાધીએ એ જ ચિત્તમાં સબલ સઘળે ઠામે વિષવાદ વતે છે. (૧૦) વિવેચન-સમ્યગ શ્રુતજ્ઞાનને અનુસરીને હું બધી વાત કરું છું, ઉપર જણાવેલ સર્વ વાત શાસ્ત્રમાં કહેલ છે. પ્રાણી બીજા સાથે વાત કરે કે બીજા સંબંધી વાત કરે ત્યારે પહોળે પહોળા થઈ જાય છે, તે વખતે જાણે દુનિયાનું બધું ડહાપણ તેનામાં સમાઈ ગયું છે તેમ તે ડાહી ડાહી પાઠાંતર–અનુસાર” સ્થાને પ્રતમાં “અનુસારિ” પાઠ લખેલ છે. “વિચારી' સ્થાને પ્રતમાં “વિચારીને પાઠ છે. “તથાવિધ” સ્થાને ભીમશી માણેક ‘તથાવિધી” છાપે છે; પ્રતમાં પણ તથાવિધી” પાઠ છે. કિરિયા સ્થાને પ્રતમાં “ કિરીયા” પાઠ છે; અર્થ ફરતો નથી. “વિવાદ ” સ્થાને “વિષાદ” પાઠ પ્રતમાં છે. સઘલે” સ્થાને પ્રતમાં “સઘલૈ” પાઠ છે. (૧૦) શબ્દાર્થ-બૃત = સાંભળેલ જ્ઞાન, બીજા પ્રકારનું જ્ઞાન. અનુસાર = પ્રમાણે, શ્રુતજ્ઞાન જેમ જણાવે તે પ્રમાણે બોલું, વિચારી = સમજી, બોલવા યોગ્ય હોય તેટલું જ બોલું = જણાવું, શબ્દોચ્ચાર કરું. સુગુરુ = સદગાર. શિક્ષણ આપનાર-માગદશન કરાવનાર, દોરવણી આપનાર. તથાવિધ = તેવા પ્રકારના, તદિધ, મિલે = પ્રાપ્ત થાય, મળે. કિરિયા = ક્રિયા, અનુષ્ઠાન કરી = અમલમાં મૂકી. નવી = નહિ (નકારાત્મક) સાધી = પ્રાપ્ત કરી, મેળવી. શકીએ = શક્તિમાન થઈએ. વિષવાદ = દિલગીરી, ઝેર પેદા થાય તેવી તકરાર, કજીઓ, ચિત્ત = મન, સર્વના મનમાં. સધળે = બધે, સર્વમાં (૧૦) Page #427 -------------------------------------------------------------------------- ________________ [૪૧૧ ૨૧ : શ્રી નમિનાથ જિન સ્તવન વાત કરે છે. બીજાને ઉપદેશ આપવામાં તે ખૂબ ડહાપણ બતાવે છે અને એમ માને છે કે દુનિયામાં વહેંચાયેલી અરધી અક્કલ અને તેથી કંઈક વધારે અકકલ પિતે જ ઉપાડી લાવ્યા છે અને અડધાથી ઓછી અક્કલ આખી દુનિયામાં વહેંચાયેલી છે, એટલે મારી અકકલ જેટલી ચાલે તેટલી તે દુનિયામાં કોઈની ચાલે જ નહિ ! વાત એવી છે કે સદ્ગુરુ તરફથી જેવી દોરવણી મળવી જોઈએ તેવી મળતી નથી, પરંપરા-અનુભવ-જ્ઞાન, જેને સૂત્ર-સિદ્ધાંત જેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે તેવા પ્રકારની દોરવણી ગુરુ તરફથી પણ આ કાળમાં મળતી નથી. જે યુગમાં એકલા તપગચ્છમાં જ બાવન વિદ્વાન પુરુષ થઈ ગયા અને જે યુગમાં યશોવિજય ઉપાધ્યાય જેવા બે હજાર વર્ષમાં પડેલા સંશય કાઢનાર જીવી ગયા, તેવા યુગમાં પણ આનંદઘનને કહેવું પડ્યું કે સદ્ગુરુ જેવા જોઈએ તેવા અને દોરવણી આપે તેવા અત્યારે મળતા નથી, તે પછી ત્યાર પછી તે બસો વર્ષો તદ્દન ઠંડાં ગયાં અને અત્યારના નવયુગમાં તે માણસેને ધર્મના નામને પણ તિરસ્કાર છે, તેવા યુગની વાત શી કરવી? ગુરુ તે સર્વને મળે છે, પણ શાસ્ત્રમાં બતાવેલા છે તેવા સદ્ગુરુને વેગ આ કાળમાં પણ થતું નથી. તેઓ ભગવંત પાસે જણાવે છે કે સાધુઓના કે આચાર્યના ગુણથી સંપન્ન ગુરુને આ કાળમાં પણ જોગ થતું નથી. ગુરૂ બતાવે તે અને તેમ કિયા થાય તે બરાબર ફળવતી હોય છે. આ તે ગતાનગતિક કેટલીક કિયા થાય છે, પણ જેવા કહ્યા છે તેવા ગુરુ અત્યારે મળતા નથી, તેઓ કોઈ પ્રકારની દોરવણી આપતા નથી. ગુરુ તરફની દોરવણી બંધ થતાં અથવા અધૂરી થતાં પરિણામ એ થયું છે કે અનેક પ્રકારની ક્રિયા કરીએ છીએ, દ્રવ્યક્રિયા કરીએ છીએ, પણ ભાવસાધુનાં જે લક્ષણ શાસ્ત્રમાં કહ્યાં છે તેને અમે કઈ રીતે પહોંચી શકતાં નથી. તેથી અમારું જે સાધ્ય છે તેને જમાવી– મેળવી શકતા નથી અને બાહ્ય ક્રિયા કરી ખાલી પુણ્યબંધ કરી સંસારમાં રખડીએ છીએ અને ખરેખરી નજરે અમારું એમાં કાંઈ વળતું નથી, અને એ વાતનો ખટકે અમારા દિલમાં નિરંતર રહ્યા જ કરે છે. અમને એમ લાગે છે કે આટલી બધી બાહ્ય ક્રિયા કરીએ અને જે મોક્ષપ્રાપ્તિ માટે એ સર્વ કરીએ છીએ તે ફળ તે સિદ્ધ થતું નથી, અને સંસારમાં ડાંક સુખ મળે તે પિગલિક હોઈ થોડા વખત માટેનો છે. આ વાતની અમારા મનમાં દિલ ગીરી રહ્યા કરે છે; અમને એમ થાય છે કે આ તે ઘણી મહેનતને પરિણામે ડું સંસારફળ જ મળે છે. આનું કારણ ગુરુમહારાજની દોરવણીની ગેરહાજરી છે. ભગવાનની પાસે આવી કબૂલાત કરતાં આ પ્રાણીને જરા પણ વસવસે થતું નથી, કારણ કે તે પિતે કોણ છે, શું કરી રહ્યો છે, કેવું થાય છે તે સર્વ જાણે છે. પિતાને હજ વિસ્તાર થવાને માર્ગ મળ્યું નથી એ પણ તે જાણે છે અને પ્રભુની પાસે મુક્ત કંઠે સ્વીકાર કરે છે કે જેવા ભગવાને કહ્યા છે તેવા સદ્ગુરુ તરફથી થવી જોઈતી દોરવણી આ કાળમાં થતી નથી. જૈનદર્શનના ઇતિહાસમાં સત્તરમી સદીને અંત એક સારે ઉદયકાળ હતું. તે વખતે પણ આવી ફરિયાદ અથવા કબૂલાત કરવી પડે, તે પછી વર્તમાન યુગ માટે તે કહેવું જ શું ? Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ] શ્રી આન ઘન-ચાવીશી પ્રાણી સમ્યગ્ શ્રુત અનુસારે ખેલે છે, પણ હજુ તે ખરાખર સાધના કરી શકતા હોય એમ સદ્ગુરુની દોરવણી વગર ધારી શકતા નથી. (૧૦) તે માટે ઊભા કર બેડી, જિનવર આગળ કહીએ રે; સમય-ચરણુ-સેવા શુદ્ધ દે, જિમ ‘આનધન' લહીએ રે. ષ ૧૧ અ”—તેટલા માટે બે હાથ જોડી ઊભા રહી અમે-તું તીર્થંકર દેવ પાસે વિજ્ઞસિ પૂર્ણાંક કહીએ છીએ-કહું છું કે, મને શાસ્ત્રમાં કહેલી ચરણની સેવા એટલે ચારિત્રની સેવા અથવા આપના ચરણની સેવા ચાખેંચાખ્ખી આપજો, જેથી કરીને હું આનંદના સમૂહને પ્રાપ્ત કરી શકુ. આટલી મારી વિજ્ઞપ્તિ સાંભળો. (૧૧) ટા—તે કારણ માટે ઊભા રહી નિગ પણે બે હાથ જોડી શ્રી જિનેશ્વરની આગળ કહીએ છીએ. સમયચરણ તે આગમાક્ત ચરણ-ચારિત્ર શુચિ-પવિત્રપણે તેની સેવા દેજો. હું ખુશાલ થા" જેમ આનંદઘન-પરમાનંદ રવરવરૂપ પદ પામીએ. એટલે શ્રી નમિનાથના એકવીશમા તીર્થ’કરને–સ્તવન સંપૂર્ણ થયા. (૧૧) વિવેચન—આવે। વખત વતે છે, સદ્ગુરુના યાગ પણ મળતા નથી, તેવા વખતે હું તા હાથ જોડીને અતિ નમ્રતાથી આપની પાસે ઊભા રહી આપની ભક્તિ કરુ છું. અત્યારે ગુરુના અભાવે મને કોઇ દોરવણી આપતું નથી. તેથી આપની ભક્તિ-સ્તવના કરી આપશ્રીને વિજ્ઞપ્તિ કરું છું કે આપે સમય એટલે શાસ્ત્રમાં કહ્યુ છે તેવું શુદ્ધ ચારિત્ર અને તેની સેવાભક્તિ મને બરાબર આપજો, જેથી હું આનંદના ઘન (સમૂહ) હમેશને માટે પામુ. આ પદ્ધતિએ ભક્તિયોગની પ્રધાનતા જણાવી છે. જ્યાં ગુરુ તરફથી જેવી દારવણી મળવી જોઇએ તે મળી શકે તેવું નથી, તેવા સમયમાં આ પ્રાણી વતે છે, તેથી ભક્તિયેાગની મહત્તા બતાવતાં પ્રભુને આ જીવ પ્રાથના કરે છે કે મને શુદ્ધ ચરણ આપજો. આ વિજ્ઞપ્તિને પરિણામે હું 'મેશને માટે આનંદનાં રહીશ અને મારુ કામ થઇ જશે. આમ છેલ્લી પ્રાર્થના કરવામાં ગ્રંથકર્તાએ આ કાળમાં ભક્તિયોગનું માહાત્મ્ય બતાવ્યું અને જે આનદધનના તખલ્લુસથી તેઓએ અનેક સ્તવના બનાવ્યાં છે તેમ આ સ્તવન પણ તેમની કૃતિ છે એમ કર્તાશ્રીએ પોતાના નામના ઉલ્લેખ પણ કરી દીધા. ' , પાઠાંતર— માટે ’ સ્થાને પ્રતમાં · માટિ પાર્ટ છે. આગળ ' સ્થાને પ્રતવાળા આગલી' લખે છે. 4 અ ફરતા નથી. લહીએ' સ્થાને પ્રતમાં ‘લહિઈ લખે છે, : કહીએ ’ સ્થાને પ્રતમાં ‘ કહિઈ' લખે છે, અથ ફરતા નથી. (૧૧) શબ્દા—તે માટે = તેને લીધે (સદ્ગુરુ મળતા નથી તે કારણે). ઊભા = ખડો થયા, હાજર થયા. " * કર = હાથ. જોડી = એકઠા કરી, ભેગા કરી. જિનવર = તીથંકર, ભગવંત. આગળ = પાસે. કહીએ = જણાવુ = છું, કહું છું. સમય = શાસ્ત્રમાં જણાવેલ. ચરણ = ચારિત્ર. સેવા = પૂજા, આરાધના. શુદ્ધ = ખરાખર, કહી છે તેવી. દેજો = આપજો. જિમ = જેમ. આનંદધન = આનંદને સમૂહ, ખૂબ આનંદ. લહીએ = પ્રાપ્ત કરીએ, લઈ એ. (૧૧) Page #429 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : શ્રી નમિનાથ જિન સ્તવન [૪૧૩ ચારિત્ર જે સમ્યક પ્રકારનું-શુદ્ધ હોય તે જ્ઞાન અને દર્શને આવે છે તે માટે ચરણ સિત્તરી અને કરણસિત્તરીની મહત્તા વધારે બતાવી; અને આત્માના મૂળ ગુણે આ આરાધનાથી આવે છે તે જણાવવા દ્વારા જ્ઞાન-દર્શન-ચારિત્ર પૈકી ચારિત્રની મહત્તા સર્વથી વધારે છે એમ જણાવ્યું. ચારિત્ર હોય તે જ્ઞાન અને દર્શન સમ્યક્ પ્રકારનાં આવે છે, જ્ઞાન અને દર્શન હોય તે સમ્યફ ચારિત્ર હોય પણ ખરું અને ન પણ હોય, એ વિકલ્પ બતાવવા દ્વારા કુલ આત્મિક ગુણ પ્રાપ્ત કરવા તરફ પિતાની શી વિજ્ઞપ્તિ છે તે જણાવી આ સ્તવન પૂર્ણ કર્યું. હાથ જોડીને ઊભા રહેવું એ વિનયીનું કાર્ય છે અને ભક્તિયેગને અંગે જરૂરી છે. આપણને કોઈ પ્રત્યે પૂજ્યભાવ કે માન હોય તે, હાથ જોડીને બતાવવાને નિયમ છે અને આનંદઘનજીના સમયમાં તે તે સિદ્ધ નિયમ હતે. અત્યારે પણ માન બતાવવા માટે હાથ જોડવામાં આવે છે, એટલે એ રીતે એ નિયમ અત્યારે પણ પ્રચલિત ગણાય. સમય એટલે શાસ્ત્ર, અથવા વખત. શાસ્ત્રમાં કહેલ છે તે પ્રકારના ચારિત્રને મેળવવાની આ રીતે પ્રાર્થના કરી. આ પ્રાણી જાણે છે કે જ્યારે છેલ્લું અર્ધપુદ્ગલપરાવત બાકી રહે ત્યારે જ આવા પ્રકારના ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે પહેલાં તે મળતું નથી. એટલે સમય-ચારિત્રની વિજ્ઞપ્તિ કરી પિતે શાસ્ત્રને આ સિદ્ધાંત માને છે અને સ્વીકારે છે એમ જણાવ્યું. પ્રભુ જેવા આપનાર હોય અને આ સેવક જેવો લેનાર હોય તેમાં પ્રાર્થના કરતાં કેટલો વિવેક જાળવીને વાત કરી છે તે સેંધવા જેવી છે. આ પ્રાણીને નિરંતર આનંદ લે છે, અને તે સદ્ગતિ કે એવી કોઈ પૌગલિક બાબત માગતા નથી, એ એની ખરે આનંદ કોને કહેવાય તેની વિશિષ્ટ સમજણ તેને થઈ ચૂકી છે તેનું નિદર્શન છે. અત્ર આનંદઘનજીનું એકવીસમું સ્તવન અને તે પરનું વિવેચન પૂર્ણ થાય છે. નિયમ પ્રમાણે તે પર થડે વિચાર કરી જવો એ અત્રે પ્રસ્તુત છે. ઉપસ હાર, આ રતવનમાં આનંદઘનજીએ છયે દર્શનને સમયપુરુષનાં જુદાં જુદાં અંગે ગણાવ્યા અને તેમને જુદું જુદું યોગ્ય સ્થાન આપ્યું અને પછી ઉત્તમાંગ, જે મસ્તક, તેની સેવા કેવી રીતે કરવી તે સંબંધી થોડી વાતે બતાવી. યાદ રાખવા જેવી વાત એ છે કે જૈનદર્શનને ઉત્તમાંગ–મસ્તક અવયવે ગણવામાં તેમણે પક્ષપાત નથી કર્યો, પણ દલીલને સ્થાન આપી દરેકને યોગ્ય સ્થાન આપેલ છે. તેમણે નાસ્તિક-લે કાયતિકને પણ કૂખનું સ્થાન આપીને ખરેખર કમાલ કરી છે. આ સંબંધી વિશેષ સમજણ કરવાને અંગે શ્રી હરિભદ્રસૂરિરચિત “દર્શનસમુચ્ચય” ગ્રંથ છે. જૈનદર્શનની સેવાને અંગે ચારિત્રને ખૂબ સરસ સ્થાન આપ્યું અને તે પણ શુદ્ધ જોઈએ તે આગ્રહ સૂચવ્યું. આ ચારિત્રને અંગે ચરણસિત્તરી અને કરણસિત્તરીને અભ્યાસ કરવા યોગ્ય છે. તે સંબંધી વિવેચન “પ્રવચનસારદ્વાર ” ગ્રંથમાં છે, ત્યાંથી એમ સમજાશે કે આ પ્રાણીના સંસારમાં રખડપટ્ટાને આરે દ્રવ્યત્યાગ અને ભાવત્યાગથી થઈ શકે Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ] શ્રી આનંઘન-ચાવીશી તેમ છે. એ ઉપરથી જણાય છે કે આ જન્મ-મરણના છેડો લાવવાના એક માત્ર ઉપાય આ સંસારના ત્યાગના છે અને મોક્ષ જેવુ' અનંત સુખ હમેશ માટે પામવું હોય તેા તેને માટે પ્રયત્ન તા કરવા પડે; એ કાંઈ ઝાડ ઉપરનું ફળ નથી કે વગર પ્રયાસે ચૂંટી લેવાય. પ્રયાસ વગર તે કાર્ય સિદ્ધિ થતી નથી, પણ હું મેશનું સુખ થઈ જતુ હાય અને આ જન્મ-મરણના ફેરા આળસી જતા હોય તો એ પ્રયાસ કરવા જોગ છે. અને તે સિવાય બીજા કોઈ કામ માટે પ્રયાસ કરવા તે એક રીતે નકામા છે, કારણ કે થાડા પૈસા કે માનકીતિ મળે તે તે આ જીવનપૂરતાં મર્યાદિત છે અને પિરણામે તે સં અહીં રહી જવાનું છે. જ્યારે બધું અહીં મૂકી જવાનુ છે ત્યારે તેના માતુ શા માટે કરવા ? અને અત્યારે તે આયુષ્ય પણ પિરિચત છે. કદાચ નસીબયેાગે પૂરેપૂરું સા-સવાસેા વર્ષોંનું આયુષ્ય હોય તેપણ તેને જતાં વાર લાગતી નથી, અને પછી તેા ચાર નાળિયેર બંધાવેલાં હેાય તે પણ સાથે આવતાં નથી. આ પ્રમાણે આપણા દરરોજના અનુભવ છે. આપણી સાથે ખેલ્યા, રમ્યા, હસ્યા તે ગયા; તેમને આપણે પેતે સ્મશાન મૂકી આવ્યા, પણ તેની સાથે કોઇ ચીજ ગઈ નહિ અને તેએનું શું થયું તે આપણે જાણતા પણ નથી. માટે પ્રયત્ન કરી આપણુ પોતાનું સારું કરવા પ્રયાસ કરવા અને તે જ આપણી સાથે આવનાર છે એમ સમજવું. અને તે મા, આનંદઘને આ સ્તવનમાં બતાવ્યુ તેમ, ચારિત્રના છે. તેથી ચરણસિત્તરી, કરણસિત્તરી આચરવા પ્રયાસ કરવા અને તેને અંગે દુનિયા શું કહેશે તે સાંભળવાની દરકાર બહુ ન કરવી કારણ કે દુનિયાને પેતાના પરિવારમાંથી કોઈ પશુ દૂર જાય તે ગમતું નથી; તેના પ્રયાસ તે આપણને નાસીપાસ બનાવવાના છે. તેથી દુનિયા શું ધારશે તે બહુ વિચારવામાં વખત ન કાઢવા, પશુ અત્યારે મનુષ્યદેહ, બુદ્ધિ, શક્તિ, તેમ જ આ દેશ અને સામગ્રી મળી છે તેને પેતાને માટે પૂરતો લાભ લેવે; તેમાં સ્વાથી ગણાઇએ તોપણ એવા ઊંચા સ્વાર્થને સાધા, તે પરમાર્થ છે; અને હુંમેશને માટેની આધિ, વ્યાધિ અને ઉપાધિને અંત લાવવાના તે અનુભવસિદ્ધ માગ છે. આ અનુભવ આપણા પોતાના નથી, પણ કોઈ કોઈ તે માર્ગે ગયા છે, તેએ જણાવે છે કે આ સ`સારનાં સર્વ સુખા, દેવગતિની સગવડો એ મેક્ષમુખ પાસે ગણતરીમાં નથી. તે સુખ તે માત્ર જ્ઞાની–કેવળજ્ઞાની જ જાણે, પણ જાણે પણ કહી ન શકે. મોટું આયુષ્ય હોય અને કહેવા બેસે તે આખા મેોટા જીવનમાં તે સુખને કેવળી કહી ન શકે, કારણ કે તે ભાષાને સ ́પૂ વિષય થઈ શકતા નથી. આવા સુખની તમને આકાંક્ષા હાય, તે મેળવવા તમે નિશ્ચય કરો તે વખતે દુનિયાના સાંસારિક અભિપ્રાય તમારી આડા આવે એ વાત અયેાગ્ય છે. તમારે જે મહાન સ્થાન પ્રાપ્ત કરવું છે તેની સાથે તે વિચારોની તુલના થઇ શકે તેમ નથી, અને તમારું ભવિષ્ય અત્ય'ત રમણીય છે, માટે તે રસ્તે આગળ વધો અને બીજા દુન્યવી માણસોના અભિપ્રાય સાંભળી જરાય નબળાઈ ન બતાવેા. એ આનંદઘન-સ્થાન મળે ત્યાં સુધી પ્રયાસ આદરી. આવી વાતા આ સ્તવનમાં કહી છે, તેના કાંઇક ભાવ અત્ર રજૂ કર્યાં છે. (૨૧) મે : ૧૯૫૦ Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ જિન સ્તવન સંબંધ—આનંદઘનજીએ એકવીશ સ્તવનમાં, એક અથવા બીજા આકારમાં, તત્ત્વજ્ઞાનની હકીક્ત આણેલ છે અને દ્રવ્યાનુયેગના મહત્ત્વને બતાવેલ છે, જ્યારે આ બાવીશમાં સ્તવનમાં વિષય તરીકે કથા મૂકેલ છે. આ સ્તવન સત્તર ગાથાનું બનાવેલ હોય તે જરા નવાઈ જેવું લાગે છે. અત્યાર સુધી એક શાંતિનાથના સ્તવન (ગાથા ૧૫) સિવાય કોઈ પણ સ્તવનની આટલી મોટી લંબાઈ આવેલ નથી. ગ્રંથકાર વિવિધતા લાવવા માટે દ્રવ્યાનુયોગનો વિષય બદલે એ લેખકની મહત્તા છે. દ્રવ્યાનુયોગના કડક વિષ પછી સરળતાને અંગે વાર્તા કે કથાનો આશ્રય આનંદઘન લે એ બનવા યોગ્ય છે. આનંદઘને પિતે સ્તવનના વિષયે ઘણું ફેરવ્યા છે. સ્તવન જુદી જ ઢબનું છે, તેથી તેનું વિવેચન પણ જુદી જ રીતે થશે. આપણે તેમાંથી તેને સાર ખેંચવાને છે, એથી સ્તવન પર વિચારણા કરી સાર-રહસ્ય સમજવા યત્ન કરીએ. સ્તવન (રાગ મારૂણી; વણરા દેલા—એ દેશી.) અષ્ટ ભવાંતર વાલહી રે, તું મુજ આતમરામ રે, મનરા વાલા. મુગતિ-સ્ત્રી શું આપણે રે, સગપણ કેઈ ન કામ. મન૦ ૧ અથ–આગળના આઠ ભાવમાં હું આપની વહાલી-પ્રિય પત્ની હતી અને તમે તેમનાથ મારા વહાલા પતિ અને આરામ હતા. આપણે મોક્ષરૂપ સ્ત્રી સાથે કોઈ સગાઈ નથી. અને હું મારા મનના વહાલા! આપણે–તમારે કે મારે–તેનું કઈ પ્રકારનું કામ પણ નથી. (૧) ટબ-જ્ઞાનવિમળસૂરિને અર્થ નીચે પ્રમાણે (ફેરફાર સાથે) છે. હવે તેમનાથ, તેનું નામ અરિષ્ટનેમિ, અરિષ્ટ એટલે વિઘ, તેને વિષે નેમિ એટલે ચક સરખા, તે નેમનાથ, તેની પાઠાંતર-વાલહીપછી “વાલા” શબ્દ પ્રતમાં ઉમેરે છે; બીજી પ્રતમાં “વાલહિ” પાઠ છે. “સ્ત્રીશું ને બદલે પ્રતમાં “નારીશું” પાડે છે; બીજી પ્રતમાં ‘નારિસ્ય’ પાઠ છે, ભીમશી માણેક “સ્ત્રી' પાઠ છાપે છે. “આપણે” સ્થાને પ્રતમાં “આપણે” શબ્દ લખે છે. “મનરા વાલા” પાઠ પ્રથમ યાદને અંતે છે, “વાલા” શબ્દ ત્રીજા પદને અંતે એક પ્રતમાં વધારે છે. “કામ” ને “કામ” તરીકે પ્રતમાં લખેલ છે. (૧) શબ્દાર્થ—અષ્ટ = આઠ. ભવાંતર = આગળના ભવ. વાલહી = વહાલી, પ્રેમી, પ્રેયસી. તું = તમે. મુજ = મારે. આતમરામ = મારે પતિ, મારા આત્માને ઉપરી, સ્વામી. મુગતિ = મુક્તિ, મોક્ષ, પંચમી ગતિ. સ્ત્રીશું = બૈરી સાથે, નારી સાથે. આપણે રે = મારે અને તમારે, અથવા આપ પિતાને, આપ સાહેબને. સગપણ = સંબંધ, વહેવાર, કન્યાની લેવડદેવડને વ્યવહાર. કોઈ ન કામ = કોઈ ઉપયોગનું નથી, કેઈ કામનું નથી. (૧) Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] શ્રી આન ઘનચાવીશી રાજેમતી સ્ત્રી, તેને મેલી વગર પરણ્યે ગયા તે વારે રાજેમતી વિયેાગના એલ'ભારૂપે કહે છે, અથવા રાજીમતી તે શુદ્ધ ચેતના, તે પ્રીતમ આત્માને એલભા, શિક્ષારૂપપણે કહેવાય; તે માટે પ્રથમ સ્તવનમાં શુદ્ધ ચેતનાને કાંત આત્મા કરી થાપ્યા છે. તે માટે છેડે પણ એમ મેળવ્યાની ભાવના થાય. આઠ ભવના સ્નેહની હું વાલડી છું. ધનકુમાર-ધનવતીના ભવથી માંડી, તે અને ચેતનારૂપે જોઇએ તે, ભવાંતરે ભવાંતરે આઠ ક` પ્રેરણાએ તારી હું, મારે તું આતમ, રાજીમતી કહે છે, આપણે એ મુગતિ સાથે સગપણ છે, ત્યાં મળ્યાના સ્યું કામ છે ? (૧) વિવેચન—આ આખુ સ્તવન કર્તાએ ઉગ્રસેનપુત્રી રાજીમતીના મમાં મૂકયુ છે. ખીજા બધા તીર્થંકરો કરતાં નેમનાથનું ચરિત્ર ઘણું અદ્ભુત છે અને રાજેમતીનાં મેણાં-ટોથાં તેની અદ્ભુતતામાં વધારો કરે છે. આ સ્તવનના અર્થ કરતાં ધ્યાનમાં રાખવું કે નેમનાથ ભગવાન માળ બ્રહ્મચારી છે અને આજીવન બ્રહ્મચારી તરીકે જ રહ્યા છે. મલ્લિનાથ અને તેમનાથ એ એ તીર્થંકરો જ પરણ્યા નથી, બાકીના બાવીશ પરણેલા છે. અને પછી તેઓએ દીક્ષા લીધી છે. રાજેમતીને અંગે યાદ કરવું કે નેમનાથ તેને પરણવા માટે જાન કાઢીને વરઘોડે ચઢીને આવે છે. બધાં પશુ-પક્ષીઓને મારી નાખવા અને જાનૈયાને જમાડવા એક બંધ જગ્યામાં એકઠાં કર્યા છે. તેઓ પાકાર કરે છે, કારણ કે તે સ ંજોગે જોઇને સમજી ગયાં છે કે તેઓ સર્વાંના ઘેાડા વખતમાં જમણને અંગે વધ થવાના છે. તેમનાથ પેાતાના સારથિને પૂછે છે કે આ પશુઓ પાકાર શા માટે કરે છે ? સારથિએ કહ્યું કે તે આનંદથી નથી ખેલતાં, પણ તેઓના થાડા વખતમાં વધ થવાના છે તેને અંગે દયા માગે છે અને પાકાર કરે છે. તેમનાથને ખેઢ થયા કે પોતાના લગ્ન નિમિત્તે આ અધાં પશુઓની હિંસા થાય તે યેાગ્ય નથી. તેમણે તે વખતે સાથિને રથ પાછો ફેરવવા ફરમાવ્યું. રાજીમતી ઝરૂખામાંથી આ સર્વ જોઈ રહી હતી. તેણે તેમનાથને આવતા પણ જોયા હતા અને રથ પા વાળતા પણ જોયા હતા. તે આક્રંદ કરે છે અને કેટલાંક વ્યાવહારિક મેણાં આપે છે. રાજીમતી કહે છે : આગલા આઠ ભવમાં હું તમારી વહાલી હતી અને તમે (નેમનાથ) મારા પતિ હતા. આપણને બન્નેને મુક્તિ-સ્ત્રી સાથેનું સગપણ કે સંબંધ શા કામનું છે? હું તે તમારી વાટ જોઈને અહી બેઠી છું અને તમારે તે મુક્તિ-સુંદરી સાથે સગપણ કરવું છે, એ કેમ ઉપયેગી થાય ? તમારે ઉપયેગની દૃષ્ટિએ વિચારવું ઘટે કે આપને મારી સાથેના સબંધ આઠ ભવના જૂના છે અને તમે તો મુક્તિ સુંદરી સાથે સબંધ કરવા ધારો છે. એમાં તમને શું લાભ મળશે ? સગપણ તો સમાન શીલ-વ્યસનવાળા સાથે થાય. મારા જેવી રાજકુમારી સાથે સગપણ કશે તો હું તમારી સમેોવડી કહેવાઉં. એને બદલે તમે તો મુક્તિ-સુંદરી સાથે સગપણ કરી તેને વરવા ચાહે છે, પણ એમાં કોઈ કામ સરશે નહિ. મારી સાથે તો આપની આઠ આઠ ભવની ઓળખાણ છે, તેને મૂકી દઇને આપ આવી અજાણી મુક્તિ સુંદરી સાથે સગપણુ કરવા ઈચ્છા રાખેા છે? તે તમારા કોઈ પણ પ્રકારના કામની નથી. તેથી મારી સામુ જોઇ મારી સાથેના સંબંધ યાદ કરો અને અજાણી મુક્તિ-સુંદરી સાથે સંબધ જોડવાનુ` માંડી વાળા. (૧) Page #433 -------------------------------------------------------------------------- ________________ | [૪૧૭ ૨૨: શ્રી નેમિનાથ જિન સ્તવન ઘર આવો હો વાલિમ ! ઘર આવો, મારી આશાના વિસરામ; મન રથ ફેરો હો સાજન ! રથ ફેરો, મારા મનરા મરથ સાથ. મન૨ અર્થ–માટે હે પ્રિય પતિ ! મારી સર્વ આશાઓને પત્તો લાવી આપનાર ! મારે રહેવાને સ્થળે આપ પધારે. અને હું સજજન પુરૂષ! આપ આપના રથને પાછો ફરે અને તેની સાથે મારા મનની અંદર રહેલી સર્વ હેસ સાથે રથે પાછો ફેરવીને પધારે. મારા મનને આપ ખૂબ વહાલા છે. (૨) ટબોતે માટે હો વાલમ ! પ્રીતમ! મારા ઘરને વિષે આવે. અને, ભાવાર્થ જોઈએ તે, શુદ્ધ ચેતના કહે છે જે મારા ઘરને વિષે આવશે તે વારે મુક્તિ એ વિશેષ છે? મારી આશા–સંકલ્પના વિશ્રામ, વિવિધ સાંસારિક ભાવ-મરથરૂ૫ રથ ફેરવીને મારા ઘરમાં આવે. અરે સાજન! અરે વલ્લભ! મારા મને રથની સાથે વિરલે રથ પાછો ફેર, મારા ઘરમાંહી પધારે. (૨) વિવેચન–એટલા માટે હે પ્રિય નાથ ! ઘર–મારા પિયરે–પધારે. આપ તે મારી આશાના કેન્દ્ર છે, આધાર છે, માટે આપ રથને ફેરવી ગયા છે તે અસલની દિશાએ પાછો ફેર, કારણ કે આપ મારા મને રથના સાથી છે. આ ગાથામાં નીચેની ત્રણ વાત કરી: પિતે રાજેમતી જે સ્થાને રહે છે તે સ્થાન બતાવ્યું. હાલ કુંવારી હોવાથી પિયર રહે છે તે સ્થાન તરફ અંગુલીનિર્દેશ કર્યો. સ્ત્રીઓને અને તેમાં ખાસ કરીને કુંવારી કન્યાને પિતાના પિયરના સ્થાન તરફ પ્રેમ હોય છે તે કહ્યું. એનું ઘર તે લગ્નથી બદલાઈ જવાનું છે, પણ જે સ્થાનમાં પિતે રમી, ઊછરી હોય, નિર્દોષપણે આનંદ કર્યો હોય તેના તરફ એને પક્ષપાત ખાસ હોય છે, અને કુંવારી અવસ્થામાં તે તેને પિતાનું ઘર ગણે છે રાજેમતીને પણ મળ્યા વગર નેમનાથ તરફ એટલે પ્રેમ છે કે એને તે વિશ્રાંતિનું સ્થળ ગણે છે. જેમ આપણે ડુંગરે ચઢીએ અને વિસામે આવે ત્યાં હાશ કરી શાંત થઈએ છીએ, તેમ રાજેમતીને મને તેમનાથ આશાને આધાર છે. કુમારી છોકરીની બધી આશાઓ ભવિષ્યના પતિ પર અવલંબે છે. એણે જાગૃત અવસ્થામાં અનેક સ્વપ્ન સેવેલાં હોય છે, તે સર્વને આધાર પતિ પર હોય છે. પાઠાંતર–“ઘર” સ્થાને પ્રતમાં “ઘરિ પાઠ છે (બન્ને સ્થાને). “આવો” શબ્દ પ્રત લખનાર મૂકી દે છે. “મારી’ સ્થાને પ્રતમાં “માહરી ” પાઠ છે ‘ફેરો” સ્થાને એક પ્રતમાં “ફેર્યો ” પાઠ છે. “ર” સ્થાને પ્રતમાં “રશ્ય” પાઠ લખેલ છે. “મનોરથ' શબ્દને “મરણ્ય' તરીકે પ્રતમાં લખેલ છે. સાથ” શબ્દને બદલે એક પ્રતમાં “સાધ્ય ” લખેલ છે; બીજી પ્રતમાં સાધિ’ પાઠ છે; ભીમશી માણેક “સાધ ' છાપે છે. (૨). શબ્દાર્થ—ઘર = મારે રહેવાને સ્થાને. આ = પધારો. વાલિમ = નાથ, વહાલા, પ્રેમી, ધર = મારે રહેણાકે. આ = પધારે, મને પરણે. મારી = પિતાની. આશાના = મનોરથના, હોંસના, ભવિષ્યના. વિસરામ = વિશ્રામ, આરામનું ઠેકાણું, આરામસ્થાન. રથ = બેસવાનું વાહન, ચાર પૈડાંનું ઘડા જોડેલ વાહન. સાજન = સજજન, સારા માણસ, આધાર રાખવા લાયક પુરુષ. મારા = અમારા, પોતીકા. મનરા = મનના, આંતરિક, મનોરથ = હીંસ, ઈચ્છા પૂર્વની ભાવના, સાથ = સાથી, સાથે આવનાર, સથવારો. (૨) ૫૩ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮] શ્રી આનંદઘન-વીશી તે મનના મનોરથના સાથી તરીકે પણ તેમનાથને જ ગણે છે, આશા એ જ મનોરથ; પણ અહીં એક જ વાત બે રૂપે રાજેતી કરે છે. એ જોઈ રહી છે કે તેમનાથે રથને પાછો ફેરવવાને હુકમ કરી વાળે છે. એણે અનેક સ્વપ્ન સેવ્યાં હતાં તે બધાંના સારથિ નેમનાથ હતા. આ ગાથામાં “ઘરે આવો” અને “રથ ફેરવો’ એ વાત બે વખત કહી છે તે પુનરુક્તિ દોષ નથી પણ, પ્રશમરતિમાં ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે તેમ, પ્રેમ અને વ્યાધિમાં પુનરુક્તિ દેષ લાગતું જ નથી (જુઓ પ્રશમરતિ કલેક ૧૫). ફરી વાર એ જ વાતની માગણી કરવાથી વાત ઉપર ખાસ ભાર આવે છે. રાજેમતીએ પોતાના પિયરને, દુનિયાની રીત પ્રમાણે, પિતાનું ઘર માન્યું હતું ત્યાં પધારવાનું અને તે માટે રથ પાછો ફેરવવાનું નેમનાથને વીનવવામાં કવિતાની દષ્ટિએ પણ પુનરુક્તિ દોષ થતું નથી. આ રીતે રાજીમતીએ ૧. નેમનાથને પિતાને ઘેર આવવા અને તે માટે રથને પાછો ફેરવવા વીનવ્યા; ૨. નેમનાથને મને રથના કેન્દ્ર-આરામસ્થાને વર્ણવ્યા; ૩. તેમને આશા–મને રથના સારથિ તરીકે જણાવ્યા. તેમાં કાવ્ય નજરે કાંઈ પણ વાંધો નથી. તેણે તેમ કરવામાં અને સાદી વિનવણી કરવામાં યેગ્ય વિજ્ઞપ્તિ જ કરી છે. રાજેમતી શુદ્ધ ચેતના છે, એ ભાવ લાવવા કઈ અર્થ કરનારે પ્રયાસ કર્યો છે, તેના કરતાં સાદો અર્થ કરે તે મને ઠીક લાગ્યું છે. એક તે તે અર્થ દુન્યવી છે અને બીજું, રાજેમતીને આ અવસરે શુદ્ધ ચેતના ગણવી તે મને ગ્ય લાગ્યું નથી. (૨) નારી પખે નેહલે રે, સચ્ચ કહે જગનાથ; મન, ઈશ્વર અને ધરી રે, તું મુજ ઝાલે ને હાથ. મન૦ ૩ અર્થ_એકલો સ્ત્રી પક્ષને પ્રેમ-સ્નેહ, તેને હેત કેમ કહી શકાય ? અને હે જગતના નાથ ! સાચેસાચું કહેવાઈ જાય છે. જુઓ ! મહાદેવ જેવા મોટા ભગવાને પાર્વતીને પોતાના અર્ધા અંગે ધારણ કરી, પણ તમે તે મારા એક હાથ જેવા નાનકડા અંગને પણ પકડતા નથી. આ વાત યોગ્ય છે? (૩) પાઠાંતર–મુજને સ્થાને ભીમશી માણેક “મુઝ” પાઠ છાપે છે. “પ” સ્થાને એક પ્રતમાં “ખ” પાઠ છે; બીજી પ્રતમાં ‘પષઈ” પાઠ છે. “ નેહલે 'ને સ્થાને બને પ્રતમાં ‘નાહલે લખેલ છે. “સ” સ્થાને ભીમશી માણેકમાં અને પ્રતમાં “સાચ” પાઠ છે; બીજી પ્રતમાં આણી ” પાઠ છે. “અર્ધાગે'ને બદલે બને પ્રતમાં અધ અંગે” પાઠ છે; ભીમશી માણેક “અરધંગે ” છાપે છે. “તું 'ને બદલે પ્રતમાં “તૂ ” લખેલ છે. કાલે ન હાથીને સ્થાને પ્રતમાં ઘર આધાર ” પાઠ છે. ‘ઝાલે” સ્થાને પ્રતમાં “ઝાલી ” પાઠ લખેલ છે. (૩) શબ્દાર્થ –નારી = સ્ત્રી, પખો = પક્ષને, એક સ્ત્રીને પ્રેમ હોય તે નારી પખો પ્રેમ કહેવાય. શ = કેવો. નેહલ = સ્નેહ, પ્રેમ, હેત. સચ્ચ = સાચું, સત્ય, ખરેખરું, કહે લેકે કહે છે, જગતના નાથ કહે છે. જગનાથ = ત્રણ જગતના નાથ, પૃથ્વી, સ્વર્ગ અને પાતળના ધણી. ઈશ્વર = શિવ, મોટા દેવ, જાણીતા દેવ, ઈશ્વરે. અર્ધાગે = અર્ધ શરીરે, પોતાનું ડાબું અંગ ખાલી કરીને, કાપીને. ધરી = ધારણ કરી લીધી, પિતામાં સમાવી. તું = તું મારો પતિ, ધણી. મુજ = મારે. ઝાલે = પકડે, ગ્રહે, લે. હાથ = હસ્તને પણ અડતો નથી, મારું અંગ પણ ઝાલતો નથી. (૩). Page #435 -------------------------------------------------------------------------- ________________ રર : શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૧૦ ટો–શુદ્ધ ચેતના વિના કંત–આત્મા તે કિસ્યો? અશુદ્ધોપગી કામ આવે નહિ. જગનાથ-ભગવાન પણ એમ જ સાચું કહે છે. જેમ ઈશ્વર-મહાદેવે અર્ધાગે ગૌરી-પાર્વતીને રાખી. અને, જે શુદ્ધ ચેતના પક્ષે ભાવીએ તે, ઈકવર–પરમેશ્વર સરીખા પણ અવગાહના રૂપે અર્ધાગે રાખે છે. અને તે તે કર માત્રે પણ મુજને મમત્વ બુદ્ધિએ ફસંતે નથી. મમત્વ બુદ્ધ અને તું તે મને ઈ હાથી પણ ઝાલતેફરસ નથી એવું રાજેમતી કહે છે. વિવેચન–અને મારા પક્ષને–એક પક્ષનો-નારી પક્ષને એકલે પ્રેમ હોય તે, સાચું કહું તે, ટકે નહિ; જેમ જગતના નાથ મહાદેવે ઉમાને પોતાનું અરધું શરીર આપી પોતામય બનાવી દીધી, પણ તું તે મારે હાથે પણ ઝાલતે નથી, મને અડતે પણ નથી. આ આખું વ્યવહારનું વચન છે, અને વ્યવહારદષ્ટિએ સમજતાં આનંદ આપે તેમ છે. આમાં બે વાત કરી છે. મારે તે તમારા ઉપર આટલે બધો સ્નેહ છે, પણ તે નેહ એકપક્ષી છે; બરીને સ્નેહ હોય અને સામાને મનમાં જરા પણ સ્નેહ હોય જ નહિ, એ સ્નેહ કેમ નભે? રાજેમતી કહે છે કે મારા સ્નેહના બદલામાં તમારે પણ સ્નેહ કરવો જોઈએ, મારા નેહને જવાબ તમારે પણ નેહથી આપ જ જોઈએ. એક પક્ષી-નારીપક્ષી સ્નેહ કેમ નભે? તેને એક દાખલે જાણીતો છે. જગતના નાથ મહાદેવ-શંકર દેવી પાર્વતી વગર એક ક્ષણ વાર પણ રહેતા નથી અને સ્નેહને કારણે એને પોતાના ડાબા પડખા સાથે જોડી દીધી–સ્નેહ તે એ હોય. એક સ્નેહ જામે જ નહિ. અને એવા એક પક્ષીય નેહને નેહ કહે તે એગ્ય જ નથી. અને તમે તે મારે હાથ પણ ઝાલતા નથી. તે એને સ્નેહ કેમ કહેવાય? સાધુપુરુષ સ્ત્રીને અડતા પણ નથી. અને નેમનાથે રથ ફેરવ્યું એટલે એ જરૂર સાધુ થઈ જશે એ ગણતરીએ રાજીમતી કહે છે કે તમે તમારા હાથને અડવા પણ દેતા નથી. રાજીમતી તે પોતાના સ્વાર્થને અંગે ઠપકો આપે છે. પણ એ ઠપકો આપણે માટે તે સરસ ઉપદેશને સ્થાને છે. અખંડ બાળબ્રહ્મચારી નેમનાથ તે ખરેખર, આદર્શ સ્થાને છે, અને જેને આદર્શ જીવન જીવવું હોય તેને સમજવા લાયક છે. હવે આપણે ગ્રંથકર્તા સાથે આગળ વધીએ. (૩) પશુજનની કરુણા કરી રે, આણી રૂદય વિચાર; મન, માણસની કરુણા નહિ રે, એ કુણ ઘર આચાર, મન૪ પાઠાંતર– કરી રે” સ્થાને ભીમશી માણેક “ કરીને ' છાપે છે. “ રૂદય” સ્થાને એ “ હદય' છાપે છે. * માણસની ” સ્થાને એક પ્રતમાં ‘માણસરી’ પાઠ છે. ‘આચાર’ને બદલે બને પ્રતમાં “ધર આધાર’ને સુધારી. આચાર ” લખ્યું છે. “કુણને કૂણ” તરીકે પ્રતમાં લખેલ છે. (૪). શબ્દાર્થ–પશુ = જનાવર, એકઠાં થયેલાં, એકત્ર કરેલાં. પશુજન = પશુ જાતની, જનાવરની. કરણા = યા, લાગણી. કરી = બતાવી, દાખવી. આણી = લાવી. રૂદય = અંતઃકરણમાં. વિચાર = ધારણા. માણસની = મનુષ્યની, મારી, હું માણસ છું તેની. કરુણ = નેહ, દયા, લાગણી. કુણુ = ક્યા, કેના. ઘર = પોતીકે, ઘરઘરાઉ. આચાર = સભ્યતા. (૪) Page #436 -------------------------------------------------------------------------- ________________ કર૦] શ્રી આનંદઘન-ચોવીશી અથ–આપે હદયમાં પશુઓ-જનાવની દયા કરી, પણ આપનામાં માણસની જરા પણ દયા નથી. આવા પ્રકારનું વર્તન એ કોના ઘરની સભ્યતા છે ? (૪) - ટબો–પશુ-પક્ષીજનની કરુણા–દયા કરી અપ્રાપ્તબોધ પશુપ્રાય જનની કરુણાને ચિત્તમાં આણો છે, કરુણા કરે છે. હૃદયમાંહી વિચાર્યું જે સર્વને સુખી કરીએ, પણ મારી સરખા માણસની કરુણા નહિ. સહાયી ઉદારિક તનુની-શરીરની કરુણા નહિ આવી. બાવીસ્ટણ વિધીસ્ટર નિધીત્રણ રૂતિ ગાવાવનાતા એ કે તમારા ઘરને આચાર-વ્યવહાર છે? (૪) વિવેચન—આટલાં બધાં જનાવરની હિંસા થશે, એમ દયાભાવ લાવે છે અને દયાને પરિણામે મારે ત્યાગ કરે છે, પણ તેનાથી વધારે અગત્યની એક વાત તમે ભૂલી ગયા છે : શાસ્ત્રમાં કહ્યું છે કે પશુ કરતાં પણ મનુષ્યની દયા વધારે અગત્યની છે; તમે તે મારી–માણસની દયા જ કરતા નથી, એ વ્યવહાર કોના ઘરને છે ? એ કઈ જાતની વાત છે? એ આપને ઘટે છે? રાજીમતીએ આ વક્રોક્તિમાં તત્ત્વજ્ઞાનનું એક મહાન સૂત્ર ખડું કરી દીધું છે. ભગવાને શીખવ્યું છે કે દ્રવ્યદયા અને ભાવદયાને અંગે ચઢ-ઉતર કમ રાખે. એકેદ્રિય કરતાં બે ઈન્દ્રિય જી એ કમમાં વધે અને બે ઇન્દ્રિય કરતાં પંચેંદ્રિય પશુઓ વધે; અને તેનાથી પણ મનુષ્ય- પદ્રિયની દયાનું મૂલ્ય વધારે થાય. આપે પશુઓને પિકાર સાંભળી તેની દયા કરી, પણ તેમ કરવા જતાં મુજ-મનુષ્યની દયા ભૂલી ગયા છો અને, કમ પ્રમાણે તે, મનુષ્યદયાને વધારે મહત્ત્વ મળવું ઘટે. આપના લગ્ન નિમિત્તે એ સર્વ પશુઓની હિંસા થશે એ વિચારતાં આપ મારી-મનુષ્યની દયા વિચારતા નથી તે તેના ઘરના શુદ્ધ વ્યવહાર? આપે પશુની દયા કરતાં મનુષ્યની દયા વધારે કરવી જોઈએ. તે આપ જવાબ આપો કે એ આપને આચાર કેવો છે? એમાં જે દેખીતે વિરોધ છે તે આપને યોગ્ય છે? એ અનેક તીર્થકરના શિક્ષણની વિરુદ્ધ છે અને આપને એ આચાર શોભતે નથી. (૪) પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરિયા યોગ ધતુર, મન ચતુરાઈ કુણ કહા રે, ગુરુ મિલિયો જગસૂર. મન ૫ અર્થ—આપે તે પ્રેમરૂપ કલ્પવૃક્ષને કાપી નાખીને તે સ્થાને જેગરૂપ ધરે રેપી દીધે પાઠાંતર–પ્રેમ’ સ્થાને પ્રતમાં ‘પેમ” લખે છે. “કલ્પતરુ' સ્થાને પ્રતમાં “કલપતર’ શબ્દ લખેલ છે. દિયો’ સ્થાને છેદીઓ” પ્રતમાં છે. “ધરિયો” સ્થાને બંને પ્રત લખનારે ધરિઓ' લખ્યું છે. “ચતુરાઈ' પછી દાપણ કહો” એવો પાઠ એક પ્રતમાં છે. “કહે રે’ સ્થાને પ્રતમાં કહે રે લખેલ છે. મિલિયો” સ્થાને પ્રતમાં ‘મિલિઓ” લખેલ છે. (૫) શબ્દાર્થ–પ્રેમ = પ્રીતિ, સ્નેહ, લાગણી. કલ્પતરુ = કલ્પવૃક્ષ ઈચ્છા થાય તે આપનાર કલ્પવૃક્ષ. છેદિયો = કાપી નાખ્યો, નાશ કર્યો. ધરિ = ધાર્યો, લીધો, વહાર્યો, ધારણ કર્યો. ગ = જેગ, ત્યાગ, તજવું તે. ધતુ ર = ધતુરે (જાણીતું). ચતુરાઈ = ચાતુર્ય, હોશિયારી, ઠાવકાઈ. કુણુ = કેશુ. કહો = જણાવો, એલે. ગુર = માર્ગદર્શક, રસ્તો બતાવનાર. મિલિય = મળે, સાંપડો. જગસૂર = દુનિયાને કાંટો, સૂળ; અથવા હે જગતમાં સૂર્યસમાન. (૫) Page #437 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૨૧ છે. આવી ચતુરાઈને પાઠ ભણાવનાર, જગતના સૂળ જેવા પાઠ પઢાવનાર આપને કણ મળી ગયે છે? (૫) - ટબો-પ્રેમરૂપ કલ્પવૃક્ષ ઉપાડીને, શુદ્ધ ચેતના પક્ષે અનાદિ પ્રેમ શબ્દાદિક ઉછેરીને, ગધતૂર સુવર્ણ દેખાડવા માટે ગક્રિયારૂપ ધતૂર વૃક્ષ ધર્યો એ ચતુરાઈને દેખાડનાર કેણ ગુરુ મળે જગમાં ? અથવા હે જગને વિષે સૂર્યસમાન ! (૫) વિવેચન–રાજીમતી એક વહેવારુ સ્ત્રી તરીકે જ હજુ સુધી વાત કરે છે. અનેક અર્થ કરનારે એને શુદ્ધ ચેતનાનું રૂપક બનાવવા પ્રયત્ન કર્યો છે, પણ તે અર્થ બરાબર ઘટિત લાગે નથી. આ ગાથા પણ રાજીમતીના મુખમાં જ મૂકી છે. તેને ભાવ નીચે પ્રમાણે મને બેઠો છે ? તમે તેમનાથ) પ્રેમ-કલ્પવૃક્ષને છેદી નાખે છે, અને તેના સ્થાન પર ગોગરૂપ ધતૂરે વાવ્યું છે. આવી હોંશિયારી શીખવનાર આપને કેણ ગુરુ મળે? એ તે મારા માનવા પ્રમાણે જે હોય તે, આ દુનિયામાં કાંટા જે છે! - કલ્પવૃક્ષનું વર્ણન આદીશ્વરચરિત્રમાં હેમચંદ્રાચાર્ય વિસ્તારથી આપ્યું છે. તેની નીચે જઈ માણસ જે માગે, જે ઈચછે તે સર્વ ઈચ્છાઓને કલ્પવૃક્ષ પૂરી પાડે છે, તે કથન પ્રમાણે તે ચિંતામણિરત્ન જેવું દેવઅધિષ્ઠિત ઝાડ હોય છે. અને એ અપેક્ષાએ કલ્પવૃક્ષ તરફ લેકે અત્યંત માનની નજરે જુએ છે, એમ તે વર્ણનમાં આપેલ છે. તેની સરખામણી કામદુહા ગાય (કામધેનું) સાથે કરેલ છે. આપે આવા સરસ અને સફળ કલ્પવૃક્ષ-ઝાડને, પ્રેમરૂપ કલ્પતરુને મૂળમાંથી ઉખેડીને કાપી નાખ્યું છે, અને એ પ્રેમકહપતરુની ખાલી પડેલી જગ્યાએ ધતૂરાનું ઝાડ અથવા રે વાવેલ છે. કાઠિયાવાડમાં ધતૂરે ઘણે થાય છે અને માણસને તે ન ચઢાવે છે. ધતૂરામાંથી દૂધ પણ જરા જરા નીકળે છે. એ ગાંડપણમાં વ્યાધિના ઉપચાર તરીકે વપરાય છે. આપે પ્રેમકલ્પતરુને કાપીને તે જ જગાએ સ્થાન ખાલી પડવાથી ધતૂરે વાવ્યું છે. કલ્પવૃક્ષને મૂળમાંથી ઉખેડવું અને તેને સ્થાને ધતૂરો વાવો તેવી પામર અક્કલ કોણે-ક્યા ગુરુએ શીખવી–આપી ? ગુરુ વગર કઈ જ્ઞાન થતું નથી, તે ખરેખર તે ગુરુ જગતના શૂળ એટલે કાંટા સરખા હોવા જોઈએ. આવી જાતની ચતુરાઈ તમને બતાવનાર જગતને ક કાંટો નીકળે ? આ આખું ગર્ભિત વચન છે, કટાક્ષવાણી છે, આડી વાચા છે. આપી આપીને એ ગુરુએ આવી અકલ-સમજણ આપી, જેને પરિણામે આપે ઈચ્છાપૂરક કલ્પવૃક્ષને મૂળમાંથી ઉખેડી તેને બદલે ધતૂર વાવ્યા! આ કેવી જાતની સમજણની વાત ! “જગસૂર’ને બીજો અર્થ જગતમાં બહાદૂર–શૂરવીર પણ થઈ શકે. એ જગતમાં કોણ બહાદૂર નીકળ્યો, જેણે આપને આવી સમજણ શીખવી ? એ તે ભારે ચતુરાઈનું કામ કર્યું છે! આ ગાથામાં ચતુરાઈ શબ્દ માર્મિક રીતે વપરાયેલ છે. આવી અક્કલ આપનારને પણ ધન્યવાદ ઘટે છે ! Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનચોવીશી હજુ સુધી મુગતિને એ નકામી–બિચારી–બાપડી ગણે છે અને અમને કહપતરુ ગણે છે. એ જ આખરે ફરી જાય છે અને જેણે હાથ પકડ્યો તેની પાસે સંયમ લઈ માથા ઉપર હાથ મુકાવવાનું માન લે છે. અત્યાર સુધી રાજેમની દુન્યવી સંસ્કારવાળી સામાન્ય રાજપુત્રી છે, તે અંતે ફરી જશે, પણ એ સ્થિતિ આવતાં હજુ વખત લાગશે. અત્યારે તે એ સાંસારિક પ્રેમને -દુન્યવી પ્રેમને-કલ્પવૃક્ષ ગણે છે અને જગને ધતૂર ગણે છે. આ વાતને કર્તાએ મોટું સ્થાન આપ્યું છે. તે ૨૧ સ્તવનમાં દાખલ કરેલા તત્વજ્ઞાનથી તદ્દન જુદી જ પદ્ધતિ છે. (૫) મારું તો એમાં કહીં નહિ રે, આપ વિચારો રાજ, મન રાજસભામાં બેસતાં રે, કિસહી વધસી લાજ. મન ૬ અર્થ—અને હે રાજપુત્ર ! મારું પિતાનું એમાં કાંઈ નથી, મારી કાંઈ આબરૂ જવાની નથી, આપ મોટા રાજકુમાર છે તેથી આપ જ તે ધારીને જુઓ. જ્યારે આપ રાજસભામાં રાજકુમાર તરીકે બેસશો ત્યારે તમારી શેભા કેમ વધશે? કેવા પ્રકારની થશે?—તેને જરા વિચાર તે કરે. (૬) ટો–મારું તે એમાં કોઈ નથી, પિતે પિતાનું વિચારી જુઓ. વડા-વડા રાજવિયામાં બેસતાં કેવી શોભા વધશે? (૬) વિવેચન–રાજીમતી તે આજે મર્યાદામાં રહીને મેણું ઉપર મેણાં દેવા માંડી છે. તે હજુ પણ નેમનાથને કહે છે અને મેણું આપે છે. તેના મનમાં જેવું આવ્યું તેવું બોલી બતાવે છે. તે કહે છે કે અત્યારે તમે રણે ચઢીને તેણે આવ્યા છે અને લગભગ તેરણ પાસે આવીને રથ પાછો ફેરવી પાછા વળી ગયા છો, એમાં મને કોઈ પ્રકારનું લાંછન લાગે તેમ નથી. આપ તે તરત રાજસભામાં રાજપુરુષ પાસે બેસશે, ત્યાં આપની આબરૂ કેવી વધશે? ત્યાં કોઈ પૂછશે કે રાજમતીને (મને) આપે કેમ તજી દીધી ત્યારે આપ તેને શું ખુલાસો આપી શકશે? આપની લાજ-આબરૂ એ જવાબથી કેટલી વધશે? અને આપ જ્યાં સુધી સતષકારક જવાબ નહિ આપે ત્યાં સુધી આપની આબરૂ કેમ રહેશે કે કેમ વધશે? આ દુનિયામાં પ્રાણી જ્યારે લગભગ સરખેસરખાની મંડળીમાં બેઠા હોય ત્યારે પિતાના પ્રત્યેક વર્તન માટે ખુલાસે આપવો પડે છે. માણસ પોતાના સરીખડા માણસો પાસે ખુલાસો જરૂર આપે છે. આપ શું પાઠાંતર–કહી’ સ્થાને ભીમશી માણેક “કર્યું હી” છાપે છે; પ્રતમાં કયું નહિ પાઠ છે. “વિચાર” સ્થાને ભીમશી માણેક ‘વિચારે છાપે છે. “કિસહી' સ્થાને” પ્રતમાં “ક્સિડી” પાઠ છે. “લાજ' સ્થાને પ્રતમાં “લાજ” લખ્યું છે. (૬) શબ્દાર્થ –મારું = મમ, રામતીનું. એમાં = તમે પાછા ફરો તેમાં. કહીં = કંઈ કઈ પણ ચીજ. આપ = તમે, નેમનાથ. વિચાર = ધારે, કલ્પ. રાજ = રાજન, મહારાજા. રાજસભા = રાજાઓની સભા, મેળાપ થવાની જગા. કિસહી = કિસકી, કેની અથવા કેટલી, વધસી = વધસ્ય, કહેવાશે. લાજ = આબરૂ. (૬) Page #439 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૨૩ ત્યારે પશુના પિકારની વાત કરશે? આપ મટે ઉપાડે જાન જોડીને રથમાં બેસીને પરણવા ગયા અને વગર પરણ્ય પાછા ફર્યા તેને આપના રાજદ્વારી મંડળમાં શું ખુલાસો આપશે? આપ ચાલી-ચલાવીને, જાન જોડીને રથમાં બેસીને, મને પરણવા આવ્યા અને રથને ફેરવી પાછા ગયા, તે કોઈ બહુલા આપની મશ્કરી કરશે અને આપને સીધો સવાલ પૂછશે કે આપનું વગર પરણ્ય પાછા ફરવાનું કારણ શું છે, ત્યારે આપ અકકલમાં ઊતરે તે કાંઈ ખુલાસો કહીને આબરૂ વધારશે કે નહિ? આપના ખુલાસા ઉપર આપની આબરૂને સવાલ રહે છે. આપને હું વિનંતી કરું છું કે રથને પાછો ફેર અને આબરૂની ખાતર પણ મને પરણીને સિધા. રાજીમતીની આ વાત વ્યવહારુ છે અને દુન્યવી માણસને ખૂબ સરસ લાગે તેવી છે. રાજેમતી હજુ વ્યવહારમાં છે અને વહેવારુ વાત કરે છે. (૬) પ્રેમ કરે જગજન સહુ રે, નિરવાહે તે ઓર, મન, પ્રીત કરીને છોડી દે રે, તેનું ન ચાલે જોર. મન૦ ૭ અર્થ_આ દુનિયાના માણસો બધા સ્નેહ તે જરૂર કરે છે, પણ સ્નેહને ટકાવી રાખનાર તે તદ્દન જુદા જ માણસો હોય છે અને એવા પ્રેમ કરીને છેડી દે–તજી દે–તેના ઉપર કોઈ બળ વપરાતું નથી. (૭) ટબો-પ્રેમ-પ્રીત સહુ જગમાં કરે છે, પણ જે જનમ લગે નિર્વાહે તે ઓર, બીજા જે પ્રીત કરીને છોડી દે તેની સાથે કોઈ જોર ચાલે નહિ. (૭). વિવેચન-રાજેમતી એ જ સ્થૂલ રાગમાં આગળ ચલાવે છે. આ દુનિયામાં બધા માણસે પ્રેમ તે કરે છે, પણ કર્યા પછી તેને જાળવી રાખે છે તે તદ્દન અલગ માણસો જ હોય છે. બાકી, પ્રેમ કરીને તેને છોડી દે તે તેની સાથે કાંઈ બળાત્કાર થતું નથી અને કરવામાં આવે તે તે ચાલતે પણ નથી. પ્રેમ એ આંતર હેતુ છે. તે પ્રેમપાત્રોને જોડે છે. આવા પ્રકારને પ્રેમ તે ઘણા માણસો કરે છે, પણ પ્રીતિ કરીને તેને જાળવી રાખે તે તો તદ્દન અલગ માણસો હોય છે. તમે મારી સાથે પ્રેમ કર્યો, પણ તેને નિભાવી રાખનાર તમે નથી, નિભાવનાર માણસે જુદા જ હોય છે. પ્રેમ સ્વાર્થ સાથે અંગત સંબંધ રાખે છે અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં જ પ્રેમ હોય એટલે એકવાર પ્રેમ કરીને તેને ટકાવી રાખનાર તે કોઈક જ માણસો હોય છે. તમે પ્રેમ કર્યો તે ખરે, પણ તેને ટકાવી ન રાખે. એટલે તમે “ઓરેના નાના વર્ગમાં ન આવ્યા. સાંસારિક પ્રેમ તે સર્વ કરે છે, પણ તેને જાળવનારા તે કઈક જુદા જ વિલક્ષણ માણસો પાઠાંતર–સહુ” સ્થાને પ્રતમાં “સદ્દ ” લખેલ છે. (૭) શબ્દાર્થ–પ્રેમ = સ્નેહ, હેત કરે = અનુભવે જગજન = દુનિયાના માણસો, સાંસારિક. સહુ = સર્વ બધા. નિરવાહે = ચલાવે, જાળવે. ઓર = બીજા, પૃથક પ્રકારના. પ્રીત = પ્રેમ, આકર્ષણ કરીને = બતાવીને, અમલમાં મૂક્તી વખતે. છોડી દે= મૂકી દે. તેનુ = તેના સંબંધી, તેની સંગાથે. ચાલે = ઉપયોગમાં આવે. જોર = બળ. (૭) Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪ર૪] શ્રી આનંદઘન-વીશી હોય છે. આ વાતને સાર એ છે કે આપ પણ એ “ઓના વર્ગમાં આવો અને પ્રેમ કરી શક્યા છો તે તેને નિભાવ. પણ પ્રેમ કરીને છોડી દે, પ્રેમપાત્રને તરછોડી દે તેના ઉપર પ્રેમપાત્રનું કોઈ પ્રકારનું બળ ચાલતું નથી. એ એને પ્રેમ કરવાનું કહી શકતું નથી, તાવી શકતા નથી. એટલે આપે મારી સાથે પ્રેમ કર્યો તે ખરે, પણ તેને ટકાવી ન રાખે, તે આપના ઉપર મારું કાંઈ બળ ચાલતું નથી. આપ સામાન્ય કેટીના પ્રેમપાત્ર છે અને ‘આરીના વર્ગના જે છેડા માણસો છે તેમાં આપ આવી શકતા નથી. નહિ તે આઠ આઠ ભવને આપને અને મારે સંબંધ, તે તો વિચારે અને કરેલ પ્રીતને જાળવી રાખે અને પાછા ફેરવેલા રથને પાછો મારી સન્મુખ કરી દો ! રાજીમતી પોતાના પ્રેમને પ્રેમથી જવાબ લેવા આતુર છે તેથી અનેક કેરાં વચન બોલીને એ નેમનાથને પાછા આવવાની, આવા આવા શબ્દોમાં, વિનવણી કરે છે. એ સર્વ દુનિયાદારીની રીત છે. હવે આવતી ગાથામાં એ કડક વલણ લે છે (૭) જે મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણુ; મન નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હુવે નુકસાન. મન ૮ અથ—જે તમારા મનમાં આવા પ્રકારનું હતું તે તે જાણીને–સમજીને પછી તમારી સાથે સંબંધ કે ઓળખાણ પણ ન જ કરત. એકવાર સંબંધ કર્યા પછી તેને ત્યાગ કરવો તેથી તો સામા માણસને હાનિ થાય છે, તે વાતને આપે વિચાર કરવો જોઈએ. (૮) ટબે-જે મનમાં એમ મૂકવાનું હતું તે પહેલાં જ નિઃસંપન્નતા-જના ન કરત; પણ નિઃસંપન્નતા-જના કરીને વળતું મેહલાઈ, તે વારે તે માણસ નુકસાન–કલંકિત થાય. (૮) વિવેચન –સાંસારિક સુખભગવાંછુ રાજીમતી હજુ પણ દૂર રહી રહી નેમનાથને વીનવે છે, જે લય તેણે પ્રથમથી શરૂ કર્યો છે તે આ ગાથામાં પણ ચાલુ રાખે છે. હવે આપણે તે જોઈએ. જે આપને પ્રીત કરીને છોડી દેવી હતી અને ઊંડા મનમાં એવી જ ધારણા હતી, તે જાણી જોઈને પ્રીતિ જ ન કરત; કારણે કે સંબંધ કરીને સામા માણસને તજી દે, તો તે માણસને હાનિ થાય છે. ત્યારે આપની ઈચ્છા પ્રથમથી જ આવી હતી તે આપની સાથે હું સંબંધ જ ન કરત. જાણી જોઈને એવો સંબંધ કેણ કરે ? એમાં તે મોટું નુકસાન થઈ બેસવાને પૂરતે સંભવ છે, તો હાથે કરીને એવો માર્ગ કોણ લે? આ વહેવારુ અને અક્કલની વાત રાજીમતી કરે છે. કારણ કે એકવાર વેવિશાળ થાય અને લગ્નમાં ન પરિણમે તે સામા માણસને મોટું નુકસાન થઈ જાય છે, એવા જોખમમાં હું મારી જાતને કદી પણ ન મૂકત. વેવિશાળ કરેલી પાઠાંતર–કરત ન’ સ્થાને પ્રતમાં “ન કર” છે. “છોડતાં' સ્થાને પ્રતમાં “છાડતાં પાઠ છે. શબ્દાર્થ = યદિ. મનમાં = દિલમાં, હૃદયમાં. એહવું = એવું, એ પ્રમાણે. નિસપતિ = નિષ્પત્તિ, સંબંધ ઓળખાણ, સગાઈ કરત ન = અમલમાં ન મૂત. જાણું = જાણી સમજીને, અથવા હે જાણકાર પુરુષ. નિસપતિ = ઓળખાણ, સગપણ કરીને = અમલમાં મૂકીને. છાંડતાં = મૂકી દેતાં. માણસ = વ્યક્તિને, ખાસ કરીને સ્ત્રીને. હવે = થાય છે. નુક્સાન = હાનિ, ઓછું થવું તે. (૮) Page #441 -------------------------------------------------------------------------- ________________ [ રપ રર : શ્રી નેમિનાથ જિન સ્તવન કન્યાને વર અથવા વરપક્ષના છોડી દે છે તેમાં કન્યાને સારું ઘર કે સારે વર ન મળે એવું મોટું નુકસાનહાનિ થઈ બેસે છે. અને દીકરીની નજરે તે એ ઘણું જ મોટું નુકસાન છે, અને તે નુકસાનને બદલે પણ વળતે નથી. “ જાણુ” એટલે જાણી જોઈને, એવી રીતે ઓલામાંથી ચુલામાં પડત જ નહિ. જે આપની ઈચ્છા પહેલેથી જ મારે ત્યાગ કરવાની હતી અને છેલ્લી ઘડીએ મને છોડી દેવાની હતી તે જાણી જોઈને હું વિવાહ સંબંધ કરત જ નહિ, કારણ કે એવી રીતે વેવિશાળ કરવું એમાં તે કન્યાને નુકસાન થવાને ઘણો સંભવ રહે છે. અને જાણકાર ! આ તે આઠ આઠ ભવને સંબંધ ધ્યાનમાં ન લઈ તમે રથ પાછો ફેરવ્યું અને મારા આટલા સંબંધ ઉપર પાણી ફેરવ્યું તે તે ભારે નવાઈની વાત કરી છે. એમાં કન્યાને કેટલું નુકસાન થવાને ભય છે તેને આપે વિચાર કર્યો નથી. તે મારી આપને વિજ્ઞપ્તિ છે કે આપ આપના રથને પાછો ફેર અને મારા પિયર તરફ એને વાળે. “નિસપતિ’ એને માટે સંસ્કૃતમાં નિષ્પત્તિ, એનો અર્થ “સમાપ્તિ' અથવા “સિદ્ધિ’ એમ કેશમાં કર્યો છે. અહીં સંબંધ ઉપરથી વેવિશાળ અર્થ કર્યો છે તે ઠીક જણાય છે. મેળ મળતું એને એ અર્થ લે તે ઘણા ટીકા–અર્થ કરનારાઓને બેસતે લાગ્યું. આ સમજાવટની નેમનાથ ઉપર અસર ન થતાં રાજીમતી બીજી રીતે સમજાવટ કરે છે. (સામ નીતિને અનુસરે છે. (૮) દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વંછિત પોષ, મન સેવક વંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ. મન, ૯ અર્થ-આપ વરસીદાન આપે છે તે વખતે સર્વ માણસે પોતપોતાની ઇચ્છા પ્રમાણે પિષણ-સંતેષ મેળવે છે; પણ આ સેવક પોતાની ઈચ્છામાં આવે તે મેળવે નહિ તેમાં ગુને સેવકને જ હોવો જોઈએ એમ મને લાગે છે, એટલે વરસીદાનમાં પણ આ સેવકને ઇચ્છિત ન મળ્યું તે તેને વાંક હોવો જોઈએ. (૯) ટબો–સંવત્સરી દાન દેતાં યાવત્ સર્વ પ્રાણી વંછિત પોષ-પુષ્ટ થયા, પણ મુજ સરીખે એ સેવકે વંછિત ન પામ્યું તે સેવકને કર્મ દોષ. (૯) પાઠાંતર–“સંવત્સરી ' સ્થાને પ્રતમાં “સંવત્સરિ ” લખે છે. “સહુ’ સ્થાને પ્રતમાં “સદ્દ ” લખેલ છે. સેવકને દોષ સ્થાને પ્રતમાં “સેવકરો દેય દોષ” પાઠ છે (બે પ્રતમાં). (૯) શબ્દાર્થ–દેતાં = આપતાં, અર્પણ કરતાં. દાન = આપવું તે, માગનારને આપવું તે. સંવત્સરી = વાર્ષિક, વરસી, આપ એક વર્ષ દાન આપવાના છે. સહુ = સવ, બધા. લહે = લે, મેળવે. વંછિત = મનમાં ઈચ્છે છે, પિતાની માગણી હોય છે. પોષ = પિતાના સંતેષ પ્રમાણે સેવક = આ નોકરડી, આ સેવા ઉઠાવનાર. વંછિત = મનમાં ઈચ્છલ, ધારેલ, ઈ.િત. નવિ = (negative). લહે = લે, પામે, મેળવે. સેવકનો = દાસન, નોકરને. દેષ = ગુને, વાંક. (૯) પરું Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬] શ્રી આનંદઘન ચોવીશી વિવેરાન–હવે હતાશ થયેલ રાજમતી નગ્ન થઈને વાત કરે છે. દરેક તીર્થકર દીક્ષા લેવા પહેલાં જે તેમની પાસે માગવા માટે આવે તેને સંવત્સરી–વરસીદાન આપે છે. તેમનાથે હજુ તે રથ પાછો જ વાળ્યો છે. સંવત્સરી દાન દેવાને હજુ વખત છે પણ તત્કાળમાં તે દેવાના છે તે ઉપર જરા ભાર મૂકીને રાજીમતી હજુ પણ બોલે છે. પણ હવે તેની ભાષામાં કડવાશ હતી તેને બદલે નિરાશાને ભાવે છે. તેને ભાવ આ પ્રમાણે છે : આ૫ વરસીદાન આપો છો ત્યારે સર્વ લેક પોતાના મનમાં જે ઇચ્છા હોય તે પ્રમાણે પોષણ લઈ આવે છે, પણ આ સેવકને (મને) મારી ઇચ્છા પ્રમાણે ન મળે તેમાં આપને કાંઈ વાંક નથી, એ તે મારા કર્મને જ વાંક છે. પ્રભુ-તીર્થકર દરરોજ એક લાખ આઠ હજાર સોનામહેર એક વર્ષ સુધી આપે છે અને તે માટે લોકાંતિક દેવે તેમને તીર્થ પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરે છે. દેવે તે સોનામહોર પૂરી પાડે છે. આખા ગામના સર્વ લેકે પોતપોતાની મરજી પ્રમાણે દાન મેળવે અને સંતોષ મેળવે અને હું મારી ઇચ્છા પ્રમાણે આપને હાથ મેળવી ન શકું એ મારા કર્મને દોષ છે, એમાં મારે આપના ઉપર ગુસ્સે થવું કે માઠું લગાડવું એ નિરર્થક છે; હું એમ જ લખાવી લાવેલ હોઈશ. પોષને અર્થ આ ગાથામાં પોષણ કરવાને બેસે છે. પોતપોતાની ધારણા પ્રમાણે પોષ– સંતોષ મેળવીને જાય છે. કોઈને ગાય જોઈએ એને ગાય દાનમાં મળે છે, કોઈને ભેંસ, કેઈને દાણા, કેઈને મીઠાઈ, એ જેની જેટલી જરૂરિયાત હોય તે ભગવાન પૂરી પાડે છે, પણ મારી ઈચ્છા આપને મેળવવાની છે અને આપ મળતા નથી એ મારા કર્મને દોષ છે, એમાં આપનો વાંક નથી. આ વાતમાં પણ એને વાંકું બોલવું હોત તે બોલી શકત, પણ નેમનાથને ન મેળવી શકે તેમાં પોતાના કર્મને વાંક કાઢે છે, તે રાજીમતી હવે વિચાર કરતી થઈ છે અને કામના સિદ્ધાંતનું તત્ત્વજ્ઞાન જાણતી થઈ છે એમ બતાવે છે. (૯) સખી કહે એ સામળો રે, હું કહું લક્ષણ સેત; મન ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત. મન, ૧૦ અથ–મારી બહેનપણીઓ કહેતી હતી, એ (–તમે) કાળા છે, ત્યારે હું તેમને કહેતી હતી કે આપ લક્ષણે--આચારે સફેદ છે. પણ હવે મને એમ લાગે છે કે આપને વર્તાવ જતાં પાઠાંતર–સખી” સ્થાને પ્રતમાં “સષિ” લખેલ છે (બે વાર ). “રે પ્રથમ યાદમાં મૂકી દઈ પ્રતમાં પહેલા તથા ત્રીજા પદને અંતે “વાલા ' ધારે છે. “હું” સ્થાને પ્રતમાં “દુ' લખ્યું છે. “કહું ' સ્થાને પ્રતમાં “કદ્દ” લખેલ છે. “વિચાર” સ્થાને “વિચાર” પાઠ ભીમશી માણેક છાપે છે. (૧૦) શબ્દાર્થ–સખી = સ્ત્રીસ્ત, મિત્ર, સાથે ફરનારી. કહે = જણાવે, નિવેદન કરે. સામળો = કાળો, જેવો રંગ તેવું વર્તન. કહું = જવાબ દઉં, જણાવું. લક્ષણ = વર્તન, વર્તવું તે. સેત = શ્વેત, ધોળા, સારા વર્તનવાળા, એને રંગ કાળે છે પણ વન ધોળું છે. ઈણ = આ, તમારું પાછા ફરવારૂપ આ. લક્ષણ = વર્તનથી, રીતથી. સાચી = સત્ય, ખરેખરી. સખી = બહેનપણી, મિત્ર. આપ = તમે વિચારો = ધારો, કપો. હેત = પ્રેમ કરીને, જરા કલ્પ, પ્રેમપૂર્વક. (૧૦) Page #443 -------------------------------------------------------------------------- ________________ રર : શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૨૭ મારી બહેનપણી કહેતી હતી તે સાચું હતું. આપ પ્રેમપૂર્વક વિચાર કરે તે આપને મારી વાત બરાબર લાગશે. (૧૦) બો–સખીઓ કહેતી હતી જે એ કલ-સામલે તે નિર્દય-નિનેહહદી હોય, તે વારે હું તેમને કહેતી જે લક્ષણે એ વેત હાલ છે; પણ આ લક્ષણે સખીઓ સાચા જાણી ખરે પારખે એવી છે. આપ આપના વિચારને હેતે કરી જુઓ. (૧૦) વિવેચન–રાજીમતીને પોતાની ધારણા પાર પાડવી છે, સ્વાર્થ છે, તેથી હજુ તે ન ગમે તેવું-કેરું બોલે છે અને તેમનાથને દૂરથી સંભળાવે છે, પણ તેની જે મેણાં મારવાની પદ્ધતિ હતી અને આકરા શબ્દો બોલતી હતી તેને બદલે હવે નિરાશા સાથે મિશ્ર થતાં હળવા શબ્દોમાં વિનંતિરૂપે બોલે છે. તે જે બોલીને નેમનાથને હળવે ઠપકો આપે છે તે હવે જોઈએ. મારી સખીઓ કહેતી હતી કે એ રૂપમાં કાળે છે તેમ ગુણમાં પણ કાળે છે તેમને હું જવાબ આપતી કે આપ શરીરના રંગમાં તે કાળા છે, પણ લક્ષણે આપ સફેદ છે. પણ હવે મને લાગે છે કે મારી બહેનપણીઓ કહેતી હતી તે સાચું છે. આપ પ્રેમપૂર્વક વિચાર કરો તે આપને મારી સખીઓની વાતનું તથ્ય જણાશે. દુનિયામાં કોઈ કોઈ લોકેની માન્યતા છે કે જે શરીરે કાળા વર્ણના હોય તે લક્ષમાં પણ ઘણા જ કનિષ્ઠ હોય છે. સખીઓ આપને કાળીઓ કહીને મને ચીડવતી હતી, ત્યારે હું બચાવ કરતી કે આપ વર્ણના શ્યામ છે, પણ સ્વભાવે વેળા છે. આપનું આખું કુટુંબ જ કાળું છે, કૃષ્ણ પણ કાળા અને આપનાં સગાઓ પણ કાળાં. હું આપને બચાવ કરતી હતી. પણ અત્યારનાં તમારા લખણ જોઉં છું અને મારા પ્રેમને આપ જવાબ આપતા નથી તેથી મને એમ લાગે છે કે સખીઓ જે કહેતી હતી તે સાચું છે, આપનાં લક્ષણ પણ કાળાં જ છે, કારણ કે કાળા માણસનાં કામ કાળાં જ હોય છે. આપ પોતે જ પ્રેમ કે સહાનુભૂતિ પૂર્વક જોશો તો આપને એમ લાગશે પણ ખરું, કે મારી સખીઓ જે કહેતી હતી તેમાં સત્ય છે. આપ મારે આંગણે આવીને પાછા જાઓ અને મારી હાંશ પૂરી ન પાડે એ આપનું કાળું કૃત્ય બતાવે છે. માટે હે નાથ! મારી વિનતિ સાંભળો અને આ કાળું કૃત્ય છેડી દો અને મારા પ્રેમને અનુરૂપ જવાબ આપો. આ પણ બોલવાની એક રીત છે. માણસો બીજાને આશ્રય લઈ પોતાનું કામ કાઢી લેવા પ્રયત્ન કરે છે અને તે દ્વારા મેણાં સંભળાવે છે. તેમનાથે જે મહાન સંપત્તિ પ્રાપ્ત કરવા પશુએની દયા કરી છે કે રામતીને પડતી મૂકી છે તે, તેના પ્રમાણમાં, કાળું કૃત્ય ગણાય કે નહિ એ મનુષ્યસ્વભાવ-અવેલેકન અને ધ્યાનને મોટો સવાલ છે અને તેમનાથ સાંભળત તે છે જવાબ આપત તે પણ એક કેયડે જ છે. રામતીનું વચન સ્વાર્થી છે, પોતાનાં હિત અને ઇચ્છા પૂરતું જ છે અને દુનિયાદારીના લેકે આવા પ્રસંગમાં બોલે તેવું છે. પણ તેમનાથ તે વિશેષ મેળવવાના લેભમાં રાજીમતી ભેગ આપવામાં પોતાની કૃતકૃત્યતા માને છે. એ લક્ષણે ધળા છે એમ રાજમતીએ સાચું કહ્યું હતું, પણ એ જ વાતને અત્યારે તે પોતાના લાભની વાતમાં સમજીને, ઇરાદાપૂર્વક ફેરવી નાખે છે. (૧૦) Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮] શ્રી આનંદઘન–વીશી રાગીશું રાગી સહુ રે, વિરાગી શો રાગ; મન રાગ વિના કિમ દાખવે રે, મુગતિ સુંદરી માગ. મન૦ ૧૧ અર્થ આ દુનિયામાં જે રાગ–પ્રેમ કરનાર છે તેના સંબંધમાં સર્વ પ્રેમ ધરાવે છે અને જે વેરાગી રામ જેવા નીરાગી હોય તેની સાથે પ્રેમ કેમ થઈ શકે? તે કરવાને અર્થ શો? પણ વગર પ્રેમે આપ પોતે જ મુક્તિસુંદરીને માર્ગ બતાવી કેમ તેના તરફને રાગ ધરતા જણાઓ છો? (૧૧) ટબો–રાગી સાથે સહ રાગ દાખવે, પણ વિરાગીને શે રાગ? અને રાગ તે વારે વૈરાગ શે? અને રાગ વિના મુગતિસ્ત્રી સાથે રાગને માર્ગ કેમ દાખવે છે? (૧૧) વિવેચનરાજીમતી એ જ પદ્ધતિએ વિનંતિના રૂપમાં રથ પાછો ફેરવવાની માગણી કરે છે. તે નીચે પ્રમાણે બોલે છે – આ દુનિયાને એ નિયમ છે કે સૌ પ્રાણી રાગી પુરુષ ઉપર રાગ કરે છે, પણ જે વૈરાગી હોય, જે રાગ વગરના હોય, તેના ઉપર રાગ શું કરો ? કારણ કે વિરાગી ઉપર કદાચ રાગ કરવામાં આવે તે તેને જવાબ રાગમાં આપવાને જ નથી. પણ એ વાતમાં મારી ભૂલ થાય છે. આપનામાં રાગ ન હોય એમ હું માનતી નથી; જે એમ હોય તે આપ સર્વને મુક્તિસંદરીને માર્ગ કેમ બતાવે છે ? એથી જણાય છે કે આપને મુક્તિમુંદરી ઉપર તે રાગ છે અને તેથી આપ વૈરાગી ન કહેવાઓ. દુનિયામાં એવો નિયમ છે કે જે રાગ દેખાડશે તેના તરફ બચ્ચે પણ પોતાની રાગદશા બતાવશે. આ તે ઉઘાડો નિયમ છે કે રાગ બતાવે તેના તરફ રાગ કરે. પણ આપ તે વૈરાગી થયા એટલે આપ રાગને જવાબ રાગથી ન જ આપો. એટલે આપની સાથે મારે શા માટે રાગ કરે ? પણ એ પણ મારી વાત ખોટી છે; જે આપ રાગ વગરના હો તે મુક્તિ નામની સુંદરીને માર્ગ આપ સર્વને બતાવે છે તેથી આપનો સુંદરી ઉપર રાગ તે છે જ, તેથી આપ રાગ વગરના છે એમ કહેવું પણ યોગ્ય નથી. મુક્તિ મોક્ષ, જેમાં સર્વ કર્મથી મુક્ત થયેલા જ રહે છે, તે શબ્દ સ્ત્રી જાતિને છે. તેને સ્ત્રી ગણીને આ બધી વાત કરી છે. પણ સ્ત્રી પ્રેમ એ તે એક પ્રકારનું મેહનીય કર્મ છે. તેને સ્ત્રીનું ઉપનામ આપીને રાજીમતીએ આ સર્વ ગોટાળે કર્યો છે આપ મુક્તિસુંદરીને માર્ગ સર્વને બતાવવાના છે, તે હું શું ખોટી છું? માટે મારી વિજ્ઞપ્તિ સાંભળો અને ફેરવેલા રથને મારા પિયરના ઘર તરફ પાછે ફેરવો. - પાઠાંતર–શો” સ્થાને ભીમશી માણેક “” છાપે છે. “સુંદરી” સ્થાને પ્રતમાં “સંદરિ ? લખે છે. (૧૧) શબ્દાર્થરાગી = રાગ-પ્રેમ-હેત કરનાર. રાગીશું = રાગ કરનાર–પ્રેમીના સંબંધમાં રાગી = પ્રેમઆકર્ષણ કરનાર સહુ = સવ, બધા, દરેક વ્યકિત. વૈરાગી = વેરાગી, રાગ-પ્રેમ વગરના. શ = શા અને ? કેવો? રાગ = પ્રેમ, આકર્ષણ, ખેંચાણ. વિના = વગર, સિવાય. કિમ = કેમ, શા માટે. દાખવો = જણાવો, બતાવો. મુગતિસુંદરી = મુક્તિસુંદરી, મોક્ષરૂપ સ્ત્રી, સુંદર સ્ત્રી. માગ = માર્ગ, રસ્તો. (૧૧) Page #445 -------------------------------------------------------------------------- ________________ ૨૨: શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૯ ‘માગ’ એ ‘માગ” શબ્દનું અપભ્રંશ રૂપ છે. તેને અ કોઈ ટીકાકાર ‘માગણી’ એમ કરવા જાય છે. તેને બદલે સંબંધ ઉપરથી માગ” અર્થ કરવા વધારે યાગ્ય લાગે છે. અને રાજીમતીની દલીલ હેત્વાભાસેથી ભરપૂર છે. મુક્તિને સુંદરી ધારીને તેના પર આ ચણતર કામ કરે છે, પણ પાયા જ ખાટ છે. ક`ના અભાવ તે મુક્તિ અને સ્રીરાગ–કામ દેવ એ તા માહનીય કર્મ પુરુષવેદની એક પ્રકૃતિ છે. એને અને મેાક્ષને કાંઇ સંબંધ નથી; એ ક`પ્રકૃતિ વગરના થવું એ મેક્ષ છે. હજુ આવતી ગાથામાં એ ને એ પદ્ધતિએ સ્ત્રીસુલભ દલીલ કરવા જાય છે, પણ વીતરાગની મહત્તા કચાં અને કયાં આ સંસારીની દલીલ ! (૧૧) એક ગુહ્ય ઘટતુ નથી રે, સઘળા જાણે લાગ; મનઅનેકાંતિક ભાગવા રે, બ્રહ્મચારી ગતરોગ. મન૦ ૧૨ અએક ખાનગી વાત આપને યગ્ય નથી, અને તે સઘળા માણસો જાણે છે. આપ મોટા બ્રહ્મચારી છે અને આપને કોઈ વ્યાધિ-પીડા નથી, છતાં અનેકાંત (સ્યાદ્વાદ)સુખને ભેગ ભોગવી રહ્યા છે. આવું છાનું કામ આપને યગ્ય નથી. (૧૨) ટમે—એક અદ્વિતીય ઘટના-પેાતાનું ગુહ્ય-રહસ્ય બીજો કોઈ ન જાણે, સઘળા લેાક એમ જાણે છે જે પરણવા આવ્યા, પણ પાછા ફરતા ન આવ્યા, અનેકાંતની દશા, તે જ દશા ભગવા છે, બ્રહ્મચારી છે, ગતશેાક છે. (૧૨) વિવેચન—અને આપના સંબંધમાં એક ખાનગી-ગુપ્ત રાખવા જેવી—વાત શે।ભા પણ પામતી નથી તે આપને જણાવું. આગલી અગિયારમી ગાથામાં જેવી રીતે મુક્તિને સ્ત્રી ગણીને તેને પરણવાની વાત કરી તેના જેવી જ આ વાત છે. આપના સંબંધમાં એક છાની વાત યાગ્ય નથી. આપ એમ જાણેા છે કે આપની એ ખાનગી વાત કોઈ જાણતું નથી, પણ હું કહું છું કે એ વાતને તેા સર્વાં જાણે છે અને તેને ગુપ્ત વાત કહી શકાય નહિ. જાણીતા મોટા માણસની સર્વ વાતા ઉઘાડી હોવી જોઇએ. ગુપ્ત વાત હોય તે આપના નામને છાજે નહું. આપ અનેકાંત બુદ્ધિનાં ફળને ભોગવે છે. જૈનધર્મના સિદ્ધાંત છે કે વસ્તુનાં દરેક પાસાં તપાસવાં, ઢાલની અન્ને બાજુએ જોવી, આત્માને જૈન દૃષ્ટિએ નિત્ય પણ કહેવાય અને અનિત્ય પણ કહેવાય; ? પાઠાંતર— નથી ' સ્થાને પ્રતમાં · નથિ' લખેલ છે, ‘ સધળેા ' સ્થાને ભીમશી માણેક ‘ સધળેાઈ ’ પાડ છાપે છે. ‘ અનેકાંતિક' સ્થાને પ્રતમાં ‘ અનેકાંતતા ’ પાડે છે. ‘ ભાગવા ' સ્થાને પ્રતમાં ‘ ભાગવે ’ પાડે છે. ‘ ગતરાગ' સ્થાને ભીમશી માણેક ‘ ગાતરાગે ' છાપે છે. (૧૨) શબ્દા —એક = માત્ર, અનેક નહિ. ગુહ્ય = ગુપ્ત વાત, ખાનગી, છુપાવેલું કાર્યાં. ઘટતુ નથી – યોગ્ય નથી, પરસ્પર અસંબદ્ધ લાગે છે, ધાટલેટ વગરનુ લાગે છે. સધળા = સવ`, આખા, બધા. જાણ = ખબર છે, અનુભવે છે. લાગ = લોકો, માણસા અનેકાંતિક = સ્યાદ્વાદરૂપી, એકાંત રહિત, એક પક્ષ લીધો તેને પકડી લીધે. ભાગવા = અનુભવા છે. બ્રહ્મચારી = મૈથુનત્યાગી, સ્ત્રીસંગ છેડનાર. ગતરાગ = જેના વ્યાધિએ ગયા છે–નાશ પામેલા છે તેવા. (૧૨) Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦] શ્રી આનંદઘન-ચોવીશી દ્રવ્ય દૃષ્ટિએ એ નિત્ય છે. અને પર્યાયની દૃષ્ટિએ એ અનિત્ય છે. આવી દષ્ટિને અનેકાંતદષ્ટિ કહે છે. એને જાણવી એ આપનું કાર્ય છે. આપ કોઈ વસ્તુને એકાંતે પકડતા નથી. આ પ્રમાણે જ હોવું જોઈએ એવી બુદ્ધિ આપે વિકસાવી નથી; પણ “અમુક દષ્ટિએ બીજું પણ હોય,' એમ આપ માને છે. આ અનેકાંતબુદ્ધિને રીલિંગનું રૂપ આપી, રાજીમતી કહે છે કે આપ કહેવામાં છે તે બ્રહ્મચારી અને પિતે તો ગતરોગ છે, આપને કેઈ રેગ થતું નથી અને આપ અનેકાંતબુદ્ધિને ભેગવે છે, તેમાં રામાચો છે. બ્રહ્મચારીએ સ્ત્રીસંગ ન કરવો જોઈએ, છતાં આપ અનેકાંતબુદ્ધિને ભેગે છે, આપને કોઈ વ્યાધિ થતો નથી અને આપ અનેકાંતબુદ્ધિ સ્ત્રી સાથે આનંદ ભોગવે છે. તે વાતને આપ ગુપ્ત તરીકે માનતા હશો, પણ બધા લેકને તેની ખબર પડેલી છે અને એને ગુપ્ત રાખવામાં આપ ફતેહમંદ થયા નથી. આ વાણીવિલાસ છે. બુદ્ધિને રસ્ત્રીનું રૂપક આપીને પોતાનો અભિપ્રાય બતાવવો, તેના ઉપર ભાર છે અને રથ પાઇ વાળવાની જે વિજ્ઞપ્તિ રાજીમતી કરે છે તેને અનુરૂપ ખોટો ધડાકે છે. અમુક અભિપ્રાય હજુ તો તેમનાથે જણાવ્યા પણ નથી, પણ તે બે વર્ષ પછી સમવસરણમાં બેસી જણાવવાના છે તેને સ્ત્રીનું રૂપક આપી તેને ભેગવો છે અને તે કામ બ્રહ્મચારીને ઘટતું નથી એવો આક્ષેપ કરવો એ એક મેણું મારવાની પદ્ધતિ છે, રથ પાછો ફેરવવાની વાતની પુષ્ટિમાં એ માંગણી છે અને આલંકારિક ભાષામાં સંસારી-દુન્યવી રાજમતીના મુખમાં જ શોભે છે. પ્રભુને રોગ થતો નથી તે વાતને બ્રહ્મચર્ય સાથે શું સંબંધ છે તે બરાબર મને સમજાયું નથી. વાતને સાર એ છે કે તમે રથને પાછો ફેરો અને આ બુદ્ધિસુંદરી સાથે પ્રેમમાં પડીને ધાંધલ કરે છે તે છોડી દો અને મારા પિયરના રથાને પધારી મને આપની સ્ત્રી તરીકે સ્વીકારો. આ ગાથાની દલીલ વધારે પાતળી પડે છે. તેમનાથ જે બુદ્ધિ આપવાના છે તેને ભવિષ્ય કાળને વર્તમાનમાં આપ છે અને ગતરોગ સાચી વાત છે, પણ તેની પ્રસ્તુતતા અત્ર જણાતી નથી. સ્ત્રીને ભેળવવાથી અનેક રોગો થાય છે, અને આપ તે બુદ્ધિસુંદરીની સાથે ભેગા ભગવે છે, તે પણ આપની વાત છાની રહી નથી. સર્વ લોક જાણે તે ખાનગી કહેવાય નહી. આપ આ બધી ભાંજગડ છોડી દો અને રથ પાછો ફેર: આ કોઈ ખુલાસો કરે છે, તે મને બરાબર લાગતો નથી. (૧૨) જિણ જેણી તુમને જોઉં રે; તિણ જેણી જુવો રાજ; મન એક વાર મુજને જુવે રે, તો સીજે મુજ કાજ. મન. ૧૩ પાઠાંતર– ણી” સ્થાને પ્રનમાં “ચોગે ” પાઠ છે. “જુવો’ સ્થાને ભીમશી માણેમાં “જેવો” પાઠ છે. “મુજને” સ્થાને “મુજ તે પાઠ પ્રતમાં છે; પ્રતને પાઠ મુજ તે જોઉં રે” એમ છે. “સી” સ્થાને પ્રતમાં “સિજે” પાઠ છે. (૧૩) Page #447 -------------------------------------------------------------------------- ________________ રર : શ્રી નેમિનાથ જિન સ્તવન ૪૩૧ અર્થ—–જે નજરે હું આપને જોઉં તે જ નજરે, હે રાજકુમાર, તે જ જવાની પદ્ધતિઓ, એકવાર આપ મને જુઓ ! જે એમ કરે તે મારા સર્વ કામ સિદ્ધ થઈ જાય. (૧૩) – જે રીતે તમને હું જોઉં છું, એક તમે જ સ્વામીનાથ ! તે રીતે જુઓ જે મને હે રાજ ! એકવાર પોતાના દાસભાવપણે જે નિરખો તે વંછિત કાર્ય સીજે મારાં સર્વે (૧૩) વિવેચન–રાજીમતીએ તે જે એક આગ્રહ નેમનાથને રથ પાછો ફેરવવાની વિનંતિને અંગે લીધે છે તેમાં જ એ આગળ વધે છે. જે જોવાની રીતે હું તમને નેમનાથને) જોઉં છું, તેવી જ તમે મને હે રાજન ! જુઓ, આખો વખત નહિ તે છેવટે એક વાર મને એ રીતે જુઓ. એમ કરશે એટલે મારાં કામ સરશે. અને આપ રથ પાછો વાળશે જ એમ મારી વિનંતિ છે. જોવાની રીત એ જણ”, ગુજરાતી ભાષામાં જેણે અથવા જોણી એ લેવાની રીત સૂચવે છે. જેથી શબ્દકોશમાં નથી, પણ ભાષામાં વપરાતે મેં અનેક વાર સાંભળે છે. તમારી તેણી જ એવી છે કે એમાં સર્વ વિકૃત દેખાય, જોણું–જેવું તે, પ્રકાશ; એ શબ્દ કોશકારે વાપર્યો છે, જેણ” અને “ણું”ને અર્થ સમાન છે. હું આપને જે પ્રેમની નજરે જોઉં છું તે રીતે આપ મારી સામે જુઓ, આપ રાતદિવસ મારી સાથે પ્રેમદષ્ટિએ નજર કરો તે બહુ સારું, પણ છેવટે એક વાર નજર કરે, તે પણ મારાં કામ સરે, મારી ઈચ્છા પૂરી થઈ જાય. પછી તે હું છું અને આપ છો, આગળ કામ કેમ લેવું તેની મને ખબર છે. એક વાર પ્રેમ નજરે મારી સામું જુઓ અને તે માટે આપને રથ પાછે ફેર, એટલે મારું કામ થઈ જશે. નેમનાથને મનાવવા રાજીમતી અહીં ખુશામત કરતાં તેને “રાજ' કહીને બોલાવે છે. એ માને છે, તેમનાથ એક વાર પ્રેમ કરશે તે પછી છટકી શકશે નહિ. એને પિતાની આવડત ઉપર એટલે બધે ભરે છે કે પછી કેમ કામ લેવું એ પિતાને આવડે છે. આ જાતની માગણી તેની એક વાર માટે છે, એ પિતાની શક્તિ ઉપર એને કેટલે વિશ્વાસ છે તે બતાવે છે. તેમના આ વાત ન સમજે એવા નથી; એક વાર પ્રેમ નજર કરવાનું શું પરિણામ આવે છે તેઓ સારી રીતે સમજે છે. એ આવી ગૂંચમાં પડી જાય તેવા નથી. (૧૩) | શબ્દાર્થ—જિણ = જે. જેણી = જોવાની રીત, “જેવું ' ધાતુ ઉપરથી થયેલ નામ જોણું –જેવું તે પ્રસિદ્ધ છે. યોનિ સાથે સંબંધ નથી. તમને = આપને, તમને, આપશ્રીને. જેઉં = નિહાળું છું, અવલેણું છું. તિણ = તે, એ, પેલી. જેણી = જોવાની રીત, પદ્ધતિથી. જુવો = જુઓ, દેખે, નીરખો. રાજ = રાજકુટુંબના નબીરા. એક વાર = એક વખત. મુજને = મને, રામતીને. જુઓ = દેખશે, જોશો, નજર કરશો. સીજે = જામશે, થઈ જશે. મુજ = મારાં, મારું. કાજ = કામ, મનોકામના. (૧૩) Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨] શ્રી આનંદઘન ચોવીશી મોહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તવવિચાર; મન વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મન. ૧૪ અર્થ–મેં મોહદશાથી આ ભાવના અત્યાર સુધી ધારણ કરી છે, પણ હવે તત્ત્વનો -મુદ્દાનો વિચાર કરીને જેના સર્વ રાગદ્વેષ ગયા છે એવી સ્થિતિ સ્વીકારી છે. હું મારા પ્રાણનાથ ! આ વાત ચોક્કસ છે. (૧૪) - ટબે–એમ મોહિની દશા–રાગદશા કંતરૂપ ભાવતાં ભાવતાં ચિત્તમાં તત્ત્વવિચાર ઉપને, તે શે? વીતરાગ નીરાગ અવસ્થા પ્રાણનાથે આદરી તે માટે. (૧૪) વિવેચન–હવે રાજીમતી ઠેકાણે આવી જાય છે. અત્યાર સુધી રથે પાછો ફેરવવાની વાત કરતી હતી તેને બદલે હવે ભાવના કરે છે, તેમનાથના કામને સમજે છે અને પિતે પણ તે રસ્તે જવાનો નિર્ણય કરે છે. એ નેમનાથને છોડી દઈ બીજાને પરણવાનો નિશ્ચય નથી કરતી; એ તો પિતાની જાતને વાગદત્તા માને છે અને તેમનાથે જે રસ્તે લીધે તે જ લેવાને માર્ગ પિતા માટે પસંદ કરે છે. જેમ ગૌતમસ્વામી-ઈદ્રભૂતિ–પ્રથમ ગણધરને પ્રથમ તે એમ થયું કે લેકવ્યવહાર છે કે મરણ વખતે છોકરા-છોકરીને પાસે બોલાવે; અને મહાવીરસ્વામીએ તે મને બોલાવવાને વ્યવહાર ન જાળવતાં દૂર મોકલ્યા : આ વિચાર ક્ષણવાર આવ્યા પછી એ એકત્વભાવના ઉપર ચઢી ગયા અને પ્રભુ તે ખરેખર વીતરાગ હતા; આ જીવ એકલે આવ્યું છે અને એકલે જવાનું છે એ ભાવના ભાવતાં રાગ તજી બેઠા; તેમ જ રાજીમતી પણ આટલાં મેણું સંભળાવ્યા પછી નેમનાથની વિતરાગતા આરપાર જુએ છે અને તેમનાથી એમ જ કરે એ તત્ત્વવિચાર કરી પિતે પણ નેમનાથનું અનુકરણ કરવા નિર્ણય કરે છે. આ દિશાપલટો અમુક ક્ષણે થાય છે, પિતાની ખરી વસ્તુસ્થિતિને ખ્યાલ થાય છે અને માર્ગદર્શન થતાં તેમનાથને સત્ય સ્વરૂપે ઓળખે છે. તે ફેરફાર સમજવા આપણે પ્રયત્ન કરીએ. તે બોલે છે કે – મેં અત્યાર સુધી જે વિચાર કર્યા તે રાગના–મેહના વિચારે હતા. હવે તત્ત્વવિચારણા કરું છું ત્યારે મને સમજાય છે કે પ્રાણનાથે તે ખરેખરી વીતરાગતા સ્વીકારી છે. હું તેમની પત્ની ત્યારે જ ખરી કે તેમણે મારે હાથ ન પકડ્યો તે મારા માથા ઉપર તેમના હાથને પાઠાંતરદશા” સ્થાને પ્રતમાં દસા” પાઠ છે. “ભાવના સ્થાને “ભાવતાં” પાઠ પ્રતમાં છે. “વિતરાગતા” સ્થાને પ્રતવાળા “વિતરાગતા” લખે છે; ભીમશી માણેક “વીતરાગ મન” પાઠ આપે છે. “આદરી’ સ્થાને પ્રતમાં “આદરિ” પાઠ છે. (૧૪) શબ્દાર્થ–મહદશા = સંસારમાં મૂંઝાવાની સ્થિતિ. ધરી = લઈ પ્રાપ્ત કરી, ધારણ કરી, ભાવના = વિચાર, ચિંતવન. ચિત્ત = દિલ, મન, લહે = લે, કરે તત્ત્વવિચાર = સાત્ત્વિક અંતિમ ધારણા, છેલ્લો નિર્ણય. વીતરાગતા = નિમમત્વીપણું, રાગત્યાગ. આદરી = સ્વીકારી, લીધી, કબૂલી. પ્રાણનાથ = હૃદયનાથ, પતિ. નિરધાર = ચોક્સ જરૂર. (૧૪) Page #449 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૩૩ વાસક્ષેપ લઉં અને પ્રાણનાથ જે માગે ગયા છે તે માર્ગે જાઉં. પ્રાણનાથે તે વીતરાગને આદરે જોઈએ તે જ માર્ગ લીધો છે અને મારે તેમના માર્ગે જ જવું જોઈએ. રાજીમતીને આ સારે વિચાર તે જીવનમાં કોઈ વાર આવતે મોટો ફેરફાર છે. તે એમ વિચાર નથી કરતી કે મારું માત્ર વેવિશાળ થયેલ છે, માટે હવે તેમનાથને મૂકીને બીજાને વરું. તે તે આ જીવ એકલે આવ્યો છે અને એકલે જવાનું છે એ જાતને વિચાર કરી પ્રભુદત્ત વાસક્ષેપ પિતાના માથા પર ધરવા નિર્ણય કરે છે. આ નિર્ણયમાં સહજ સરળતા અને કૃતનિશ્ચયપણું છે અને તેમાં પિતાને વાગ્દત્તા તરીકે શું કરવું જોઈએ તેને નિશ્ચય છે. નિશ્ચય તે જે લેવો હોય તે લેવાય અને રાજમતીએ અન્યને પરણવા નિશ્ચય કર્યો હોત તે હજુ તે માત્ર વાગ્દત્તા જ હોવાથી એના નિશ્ચયમાં વ્યવહારદષ્ટિએ કાંઈ વાંધો લઈ ન શકાત. પણ અદ્ભુત ચારિત્રશીલ રાજમતી તે એક વાર પતિ ધાર્યા તે હમેશને માટે ધાર્યા, એમ તાત્વિક વિચારણું ઉપર ઊતરી જાય છે અને શું નિર્ણય લે છે તે આવતી ગાથામાં લેશું. પણ રાજીમતીએ દિશા બદલી નાખી, નેમનાથને રથ ફેરવવાની વિનતિ કરવાને બદલે પિતે જ નેમનાથને માર્ગ આદરી રાજકુમારી હોવા છતાં સર્વત્યાગના માગે ઊતરી ગઈ, એ એના નિર્ણયની ભવ્યતા છે. તત્ત્વવિચારણામાં એ ગૌતમસ્વામી પેઠે એકત્વભાવના ઉપર ઊતરી જાય છે. આ જીવ એકલે આવે છે અને એકલે અહીંથી જવાનું છે તે વખતે કઈ તેનું સગું થતું નથી અને ભગવાને જે માર્ગ લીધે છે તે વીતરાગને છાજે તેવે માર્ગ છે. પિતાને તે અનુકરણ ગ્ય છે. આ આત્મિક વિચાર એ જ તત્ત્વવિચાર છે અને બહુ સુંદર છાપ પાડે તેવે છે. આપે જે માર્ગ લીધે છે તે ચેકસ વીતરાગને માર્ગ જ છે અને એ જ માર્ગ સમજુને ઘટે તેવે છે. તે હવે મારું કર્તવ્ય શું છે તે હું આવતી ગાથામાં કહું છું. (૧૪) સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ; મન, આશય સાથે ચાલીએ રે, એહી જ રૂડું કામ. મન, ૧૫ અથ–આપની સેવક (હું), તેને જે એવી વીતરાગતા સ્વીકૃત થાય તે સેવકની આબરૂ રહે. આ આશય પ્રમાણે વર્તીએ એ જ સારું કામ છે. (૧૫) ટો–સેવક પણ તે દશા જે આદરે–અંગીકાર કરે તે જ સેવકની મામ-મહત્વ રહેલું પાઠાંતર—આશય” સ્થાને પ્રતમાં “ આસએ” પાઠ છે. “ચાલીએ ' સ્થાને પ્રતમાં “ચાલિઈ” પાઠ લખેલ છે; કોઈ પુસ્તકમાં “ચાલિયે' પાઠ છે. “રૂડું' સ્થાને પ્રતમાં “ રૂડા’ શબ્દ લખે છે; ભીમશી માણેક રૂટૂ' છાપે છે. (૧૫) | શબ્દાર્થ–સેવક = અનુસરવાવાળા, હું અથવા કોઈ પણ અનુયાયી. પણ તે = આપે સ્વીકારેલ વિગતરાગતાને પણ, તેને જરૂર. આદરે = સ્વીકારે, લે. તે = તે સંબંધમાં. રહે = જળવાય. સેવક = અનુયાયીની, મારી અથવા જે સેવક થયા હોય તેની. મામ = આબરૂ, મમત, ટેક. આશય = ધારણા, હેતુ, ઈરાદ. ચાલિયે = વતીએ, પ્રવૃત્તિ કરીએ. એહી જ = એ જ. રૂડું = સારું, બરાબર, યોગ્ય. કામ = કાર્ય. (૧૫) પપ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ] શ્રી આનંદઘન-વીશી જે પતિ-સ્વામીને આશયે-અભિપ્રાયે ચાલે સેવક, તે જે સ્વામીને અભિપ્રાયે ચાલે એ જ મોટાં-ભલાં કામ છે. (૧૫) વિવેચન–હવે આ સેવક (હું) જે તે વિરાગદશા–વીતરાગભાવને આદરું તે જ મારી મામ એટલે ટેક રહે. જે સેવ્યને આશય–અભિપ્રાય હોય એ જ સારું કામ છે. રામતી આવા પ્રકારને વિચાર કરીને એકત્વભાવના કરે છે અને તે દ્વારા સંસારત્યાગ કરવાના નિર્ણય પર આવે છે. આપને સેવક-હું પિતે આપને માર્ગ આદરું, વીતરાગતા-વિરાગતાને વરું તે જ મારી ટેક રહે. મામ શબ્દને અર્થ કેશકાર “મમતા” અથવા “ટેક કરે છે. અહીં “ટેક' શબ્દ લાગુ પડતે છે અને તે ભાવ અર્થ કરનારાઓએ સ્વીકાર્યો છે. જેવો શેઠને અભિપ્રાય હોય એ સારું કામ છે, એમ કરવું એમાં સેવકની સેવક તરીકેની ભાવનાનું અનુકરણ છે. જેવા શેઠ તેવા નેકર, જેવા મુરબ્બી તેવા તેના અનુયાયી, જેવા સેવ્ય તેવા સેવક. આપને પગલે ચાલવું તે મારી સેવક તરીકેની ફરજ છે. આપે વીતરાગભાવ સ્વીકાર્યો તે મારે પણ આપ જે માગે ચાલ્યા તે માગે ચાલવું ઉચિત છે. અને તેમ કરવું તેમાં જ મારી ટેક રહે તેમ છે. આપને માર્ગ તે મારે માર્ગ : એમ કરવું તે સારું કામ છે અને મારે તે જ કરવું ઉચિત છે. રાજીમતીએ સાંસારિક માગણીઓ મૂકી દીધી. જે પ્રમાણે એક માણસને ઉપદેશ આપવા ગૌતમને મહાવીરસ્વામીએ મોકલ્યા હતા, તે તેમનું નિર્વાણ સાંભળી પહેલાં તે મહાવીર પર પ્રેમ કરવા બદલ પસ્તાયા અને છેવટે મહાવીરની વીતરાગતા યાદ કરી તેમણે એગ્ય જ કર્યું છે એમ સમજી ગૌતમ એકત્વભાવનાએ ચઢી ગયા અને તે જ રાત્રે કેવળજ્ઞાન પામ્યા, તેમ રાજીમતીએ એકત્વભાવ વિચારી વિરાગવૈરાગ્ય લેવા, પ્રભુ પાસે જ તેમને માગે અનુસરવા નિર્ણય કર્યો. આવી રીતે સાંસારિકમાંથી આધ્યાત્મિક દશામાં રાજીમતી ઊતરી ગઈ. હજુ પણ એ જ દશામાં આગળ પ્રગતિ કરે છે તે હવે જોઈએ. (૧૫) - ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમનાથ ભરથાર; મન, ધારણ પોષણ તારણે રે, નવ રસ મુગતાહાર, મન, ૧૬ પાઠાંતર_યોગ” સ્થાને પ્રતમાં “ગ” લખે છે. “આદર્યો ' સ્થાને ભીમશી માણેક “આદરો” છાપે છે. “ભરથાર સ્થાને ભીમશી માણેક “ભરનાર' છાપે છે. (૧૬) શબ્દાર્થ – ત્રિવિધ = ત્રણ પ્રકારના યોગ, મન-વચન-કાયાના યોગો, એકાગ્રતા, એવાચતા અને એક પૂજા, યોગ = સંન્યાસ, ત્યાગ. ધરી = લઈ, સ્વીકારી. આદર્યો = સ્વીકાર્યો, કબૂલ્ય, લીધે, તેમનાથ = નેમનાથ નામના ૨૨મા જિનપતિ ભગવાન દેવને. ભરથાર = ભરતાર, પતિ, ધણી તરીકે ધારણ = ધારવાવાળા, ઉપાડવાવાળા, ટેકો આપનાર. પિષણ = પોષનાર, પુષ્ટ કરનાર, મજબૂતી આપનાર. અને તારણો = તારનાર, સમુદ્રમાં પ્રવહણ-વહાણનું કામ કરનાર, નવ રસ = નવે રસ અથવા નવીન રસ, નો રસ. મુગતાહાર = મુક્તાહાર, મોતીને હાર. (૧૬) Page #451 -------------------------------------------------------------------------- ________________ રર : શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૩પ અથ–મન-વચન-કાયાના વેગથી નેમનાથને પતિ તરીકે સ્વીકાર્યા છે. એ જ ખરેખર મને ટકાવી રાખનાર છે, ટેકે આપનાર છે, અને એ જ મને તારનાર છે. ખરેખર, એ નવરસભરપૂર સાચા મોતીને હાર છે. (૧૬) ટ –ત્રિકરણગ-મન-વચન-કાયેગે એ જ સ્વામી આદર્યો, શ્રી નેમિનાથ ભર્તાર નાયક–સ્વામીભાવે. એ નાયક કેવો છે ? ધારણા-જ્ઞાનાદિ ગુણને, સંયમ ગુણને પિષક, તારણો– દુઃખને પાર પમાડવા માટે એ નવ રસ–શાંતરસ તથા નવ રસમાં વિવિધ રસ, તદ્રુપ મોતીહાર. ધારણ, પિષણ, તારણને અર્થ વળી એમ પણ કહ્યો છે, ધારણે જ્ઞાનદશાએ, પિષણે ભક્તિદશાએ, તારણો વૈરાગ્યદશાથી. તથા ધારણો–મને, પિષણો-વચનગોચરે–સત્યાદિકે, તારણો -કાયાદિક કિયાએ, સ્વપર આશ્રી વિનયગુણે. ઈત્યાદિ બહુ અર્થ જાણવા. તથા નવ રસમુગતાહાર તે શું? તે નવ રસ લખીએ છીએ : શૃંગાર ૧, હાસ્ય ૨, કરુણ ૩, રૌદ્ર ૪, વીર ૫, ભયાનક ૬, બીભત્સ ૭, અદ્ભુત ૮, શાંત ૯-એ નવરસ. તથા ગાડપ– वीरो सिंगारा अब्भुओ य, रूद्दो य होइ बोधव्यो। वेलणओ बीभच्छो, हासो कलुणो पसंतो य ।। राज्यराजीमतीपरित्यागे तथा शत्रुजयविनाशादिलक्षणो वीररसः १। हीदयोन्मादजनकगुणखनिरित्यादिसेवनत्यजनादिकः शृङ्गारः २ । अपूर्वकादपि भवोपग्राहिजन्मसम्बन्ध्यतिशयाधुपेतलक्षणोऽद्भुतरसः ३। बद्धपशुदृष्टभृकुटि बिडम्बितमुखदंष्ट्रौष्ठेत्यादिकलक्षणो रौद्ररसः ४। क्षणदृष्टनष्टपदार्थसार्थावलोकनस्वरूपलक्षणो મકાન, લા અશુચિ કડેવર સંગથી ઉત્પન્ન તેહને વિષે આસક્ત થાવા વિરમણ બીભત્સરસ દ. રૂપ, વય, દેશ, ભાષા ઈત્યાદિક વિષે પરિણમન રૂપ ધર્મલક્ષણ હાસ્ય ૭, પ્રિયવિપ્રયાગ. અપ્રિયસંગ, વધ, બંધ, વ્યાધિ, વિનિપાતાદિ સમુભવલક્ષણ કરુણરસ ૮, એ સર્વને વિષે રાગદ્વેષ ત્યજૈ તે સ્વભાવજનિત મધ્યસ્થપણે તે તે સ્વભાવનું અવધારણ કરી શાંતિપણે ત્યજન નિરખ ધિ શાંતરસ ૯, ઈત્યાદિ નવ રસના વિસ્તાર અનુયોગ દ્વારાદિકથી જાણવા. તે માટે નવરસમુગતાહાર તે ભગવાન નેમિનાથ જાણવા. (૧૬) વિવેચન-નેમનાથને પતિ તરીકે મન-વચન-કાયાથી સ્વીકાર્યો છે, તેને મારો ગણે છે અને એ જ મને ધારણ કરનાર અને તારનાર છે, અને જેમ ગળામાં નવે રસમય મેતીને હાર શોભે તેમ શોભે છે, તેથી તેમને જ હું ત્રિવિધે આદરું છું અને તેમને જ અનુસરું છું. નેમનાથે આદરેલ ગ, તે ધારણ કરનાર-ટેકે આપનાર છે. જેમ કોઈ માણસ પડતું હોય તેને ટેકે આપી ટકાવી શકે તે તેને ધારણ કરનાર કહેવાય, તે માટે તેમનાથે આદરેલ ગ–દીક્ષા એ જ મને ટેકે આપનાર છે, માટે હું એ વેગને જ આધાર લઈશ. શરીરને પુષ્ટિ આપનાર પણ એ જ યુગ છે, એટલા માટે હું એને ધારણ કરીશ. અને એ યુગ મને તારનાર છે. જેમ સમદ્રને પાર ઉતારી આપનાર વહાણ કે કઈ તારું હોય છે તેમ ભવજળ-સમુદ્રથી તારવાને એ ગ જ સમર્થ છે, માટે એ મારે ટેકે છે. અને છેવટે એ મારા ગળામાં નવ રસનો મોતીને Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ] શ્રી આનંદઘન-ચોવીશી હાર છે. રસ નવ છેઃ શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંતરસ. એ નવ રસરૂપી મતીને હાર મારા ગળાને શોભાવે છે. શાંતરસનું સત્વ ગણવા તેને નવમે રસ ગણવામાં આવ્યું છે. તે સંબંધી અલંકારશાસ્ત્રના અભ્યાસ અનુસાર એક લેખ લખવાની ઇચ્છા છે. તે નવ રસરૂપી ખેતીને હાર મારા ગળાને શોભાવે છે. આ અર્થ કરવામાં એવા ધારણ કરનાર, પિષણ કરનાર અને તારનાર તેમ જ કંઠને શભાવનાર મોતીના હાર તુલ્ય એ યુગ છે અને તેવા પ્રકારની ગઠીક્ષા લેવાને નિર્ણય કરીને રાજીમતીએ એ અર્થ જ કર્યો છે. એમાં મદીક્ષા અને રામતીની એક્તા છે અને તે એક જ અર્થ મને શક્ય લાગે છે. મન વચન કાયાથી એ યુગને સ્વીકાર રાજીમતીએ કર્યો એટલે મનથી બીજે વિચાર કરે નહિ, વચનથી બીજું બોલવું નહિ અને કાયાથી બીજી ક્રિયા કરવી નહિ. આ ત્રણ ગથી પ્રાણી કિયા કરે છે, પણ એ ત્રણે યોગને કાબૂમાં રાખી જ્યારે પ્રાણી દીક્ષા ગ્રહણ કરી પ્રભુને પગલે ચાલવાનો નિર્ણય કરે છે ત્યારે આવે નિર્ણય કરવા અને સાંસારિક લાલસા મૂકી દેવી એ રામતી માટે સહજમાન થાય છે, અને તે માટે તેનું નામ સોળ સતી સ્ત્રીઓ પૈકી એક ગણાય છે. ધારણ, પિષણ, તારનાર અને હાર શબ્દને ભાવ વિચારો અને તે યોગને લાગે છે એવો અર્થ કરે. આ ગાથાને એ જ ભાવ રાજીમતીને સતીત્વ અપાવે છે. - આ ગાથાને અર્થ લખ્યા પછી જ્ઞાનવિમળસૂરિ લખે છે કે ધારણે જ્ઞાનદશાએ, પિષણો ભક્તિદશાએ અને તારણે વૈરાગ્યદશાએ તથા ધારણ અને પિષણે વચનગોચરે અને તારણે નાનાદિકે. અને નવ રસનાં ઉપર જણાવ્યાં છે તે નામે આપી નેમનાથને નવરસમક્તાહાર ગણાવ્યા છે તે ભાવ વિચારવા યોગ્ય છે. નવીન કઈ અર્થ કર્યો નથી. જ્ઞાનવિમળસૂરિના હાથમાં આનંદઘનજીનાં આ ૨૨ સ્તવન આવ્યાં છે તે પર અર્થ લખ્યું છે તે અત્ર પણ સામેલ રાખે છે અને અર્થ લખતી વખતે તે જે છે. (૧૬). કારણ રૂપી પ્રભુ ભજ્યા રે, ગણ્યા ન કાજ–અકાજ; મન, કૃપા કરી મુજ દીજીએ રે, ‘આનંદઘન’પદ રાજ. મન, ૧૭ અર્થ–ઉપાદાન કારણરૂપ પ્રભુ-સ્વામીને મેં સેવ્યું છે, અને તેમ કરવામાં કાર્ય કે અકાર્યને ગમ્યું નથી. દયા કરીને મને આપ આનંદના સમૂહનું રાજ (મુક્તિ) આપો. (૧૭) | પાઠાંતર–“રૂપી” સ્થાને પ્રત લખનાર “રૂપિ” લખે છે. “મુજ” સ્થાને પ્રતમાં “પ્રભુ” પાઠ છે. જિએ સ્થાને “દીજિઉ” પાઠ પ્રતમાં લખેલ છે. “પદ રાજ’ સ્થાને પ્રતમાં “પદરા” પાઠ છે. (૧૭) શબ્દાર્થ –કારણરૂપ = નિમિત્ત થયેલા, જે હેતુને લઈને કોઈ કામ થાય છે તે નિમિત્તભૂત. પ્રભુ ભગવાન. તેમનાથ. ભજ્ય = સેવ્યા, આરાધ્યો, અનુસરી. ગણ્યો = પરડ્યો, ટે. કાજ = કાર્ય કરવા જેવું કામ. અકાજ = અકાર્ય, ન કરવા જેવું કામ છોડી દેવા જેવું કામ. કૃપા = મહેરબાની, દયા. મુજ = મને. દીજીએ = દેજે, આપજે. આનંદધન = જ્યાં આન દ નિરવધિ-સમૂહરૂપે છે. રાજ = રાજ્ય, અવિચળપણ. આનંદઘનપદરાજ = મોક્ષ, એ ખરું નિરવધિ રાજ્ય છે. (૧૭) Page #453 -------------------------------------------------------------------------- ________________ રર : શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૩૭ ટબતે માટે કારણ સ્વરૂપી એ પ્રભુ ભજીએ, પિતાનાં ઉપાદાન શુદ્ધ થવાને એ પ્રભુ નિમિત્તરૂપી ભજ–સે, બીજુ કાર્ય ન ગણું, અકાર્ય અથવા એ કાર્ય બીજા અકાય. કૃપા કરીને પ્રભુજી! મુજને દીઓઆપજે, સેવક જાણીને આનંદઘનનું રાજ્ય, મોક્ષપદનું આપ પ્રભુજી. એટલે નેમિનાથ બાવીસમા તીર્થંકરનું સ્તવન પૂર્ણ થયું. લાભાનંદજીકૃત સ્તવન એટલાં ૨૨ દીસે છે, યદ્યપિ હશે તે એ આપણે હસ્ત નથી આવ્યાં. અને આનંદઘનની સંજ્ઞા તે સ્વનામની કરી છે એવું લિંગસ્વરૂપ મૂક્યાથી જણાય છે એ જાણવું. (૧૭) વિવેચન—આ સત્તરમી ગાથામાં રામતી અંતિમ પ્રાર્થના કરે છે, પણ તેને લય આત્મિક થઈ ગયું છે તે ચાલુ જ છે. પ્રભુને શુભ વસ્તુના કારણ ગણીને મેં પ્રભુને સેવ્યા છે અને તેમ કરવામાં મેં કાજ કે અકાજ સામે જોયું નથી. મેં તે એક પ્રભુભજનનું જ કામ કર્યું છે; બીજું કામ મારે નથી. બીજા કોઈ કામ સામે, તે કર્તવ્ય હોય કે અકર્તવ્ય હોય, તેની મેં ગણના કરી નથી, તે વાત મેં લક્ષ્યમાં લીધી નથી. મેં તે પ્રભુજીનું ભજન આદરી દીધું છે અને તે અત્યારે પણ ચાલુ છે. જેનાથી કાર્યસિદ્ધિ થાય એટલે કાર્યની પહેલા જરૂર હાજર હોય તે કારણે મારે આત્માને પિછાન છે, તેના કારણરૂપ પ્રભુને પણ ભજ્યા છે અને તેમાં હું કાર્ય અકાર્ય ન ગણતાં તે એક જ કામને લાગી ગઈ છું. મને તે પ્રભુના ભજન–સેવન ઉપર જ મન લાગ્યું છે, અને તે સિવાય બીજાં બધાં સારા કે ખરાબ કામ મેં છેડી દીધાં છે. તે કૃપા કરીને મને નિરતિશય આનંદ થાય, આનંદની ઘટ્ટના થાય તેવું સ્થાન આપજે. ઉપાદાન અને નિમિત્ત એમ બે પ્રકારનાં કારણ હોય છે. ઉપાદાનકારણ તે રાજીમતીને આત્મા છે, પણ નિમિત્તકારણ નેમનાથ છે. એ નેમનાથને રાજીમતીએ એકાગ્ર ધ્યાને એટલા બધા ભજ્યા કે તેણે બીજાં કઈ કામ-સારા કે ખરાબ તરફ નજર પણ ન નાખી. અને એકાગ્ર ધ્યાનને પરિણામે એણે પ્રભુની પહેલાં મોક્ષગમન કર્યું. આવી રીતે રાજીમતીએ રથ પાછો વાળવાની વિનતિમાંથી આગળ વધીને પ્રભુ પાસે દીક્ષા લીધી, અને પ્રભુ પહેલાં એ સિદ્ધ થઈ. આ એની એકવામિનિષ્ઠા અને વાગ્દત્તાનું સ્વરવ હતું અને આ એકનિષ્ઠાને પરિણામે એ સોળ સતીમાં સ્થાન પામી પિતાની જાતને સતી તરીકે ગણાવી ગઈ. આવી એકનિષ્ઠા એ જ મહાફળદાયિની થાય છે અને સતીનું સ્થાન પ્રાપ્ત કરાવે છે. આવી એકાગ્રતાથી પ્રભુને ભજવામાં રામતી પ્રભુની પહેલાં મોક્ષ ગઈ. એ આનંદઘનપદ સર્વને મળે એવી ફર્તાની માગણી છે. (૧૭) ઉપસંહાર આ રીતે બાવીશમા નેમનાથનું સ્તવન પૂર્ણ થયું. આપણે સ્તવનની વિગતેમાં ઊતરીએ ત્યારે મનુષ્યસ્વભાવની એક બાજુ તેમાં તરી આવે છે. પશુઓને પિકાર શા માટે થાય છે તેનું કારણ જાણીને નેમનાથે રથના સારથિને રથને પાછો ફેરવવા કહ્યું. અને તે અનુસાર Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮]. શ્રી આનંદઘન-ચાવીશી સારથિએ રથને પાછો ફેર. વરરાજા કેવા દીપે છે તે જોવા રાજીમતીએ પિતાના મહેલમાંથી જોયું અને એ વિચક્ષણ બાઈ તુરત સમજી ગઈ કે તેમના રથ શા માટે પાછો ફેરવ્યું. તે જ વખતે તે નેમનાથને રથ પાછો ફેરવવા વિનતિ કરે છે અને કેટલાંક દુન્યવી મેણ પણ લગાવે છે. જાણે નેમનાથ તે સાંભળતા હોય, પણ દરકાર કરતા ન હોય એવા આકારમાં આ પ્રાથમિક વિનતિ કર્તાએ બનાવી છે. માણસ ગમે તે વિચક્ષણ હોય, પણ તેને તાત્કાલિક તે આવી જ લાગણી થઈ આવે છે. પણ રાજીમતી આખરે દુન્યવી પ્રેમનું ક્ષણિકપણું સંભારે છે અને નેમનાથે જે કર્યું તે યોગ્ય જ છે એમ વિચારી તેમને માર્ગે જવા પિતે તૈયાર થાય છે. ભવિષ્યમાં ગૌતમસ્વામીના મોક્ષગમનની પણ આવી જ હકીક્ત બને છે. તેઓ પણ પ્રથમ તે મહાવીરના મુક્તિગમનના સમાચારથી ઘણા ખિન્ન થઈ જાય છે, તેમને પ્રાસકો પડે છે, પણ થોડા વખત પછી એ રાગનું સ્વરૂપ વિચારે છે અને એકત્વ ભાવનાએ ચઢી કેવલ્ય પ્રાપ્ત કરે છે. આ બન્ને એકત્વભાવનાના દાખલાઓ છે. આ જીવાત્મા આ જીવનમાં એકલે આવેલે છે અને એકલે જવાને છે, તેનું કઈ સાથી થતું નથી. અને આઠ આઠ ભવને પ્રેમ પણ અંતે પ્રાણીને એકલે જ રાખે છે. નમિ રાજર્ષિ દાહજવરથી પીડાતા આખા શરીરે બાવનાચંદન લગાવવા તૈયાર થયા. પાંચ સે સ્ત્રીઓ બાવનાચંદન ઘસવા લાગી, પણ હાથમાં પહેરેલ બંગડી એકબીજા સાથે અથડાય તે અવાજ રાજર્ષિને અસહ્ય થઈ પડ્યો. હુકમ છૂટયો કે સ્ત્રીઓએ માત્ર એક સૌભાગ્યકંકણે જ રાખવું. અવાજ બંધ થતાં પણ નમિ રાજર્ષિને સવાલ થયે કે શું ચંદન ઘસવાનું બંધ થયું ? જવાબ મળે કે સ્ત્રીઓએ ચંદન ઘસવાને અંગે માત્ર એક એક સૌભાગ્યકંકણે જ રાખ્યું છે તેથી અવાજ નથી થતું, અને ઘસવાનું કામ તે ચાલુ જ છે. ત્યારે નમિ રાજર્ષિને જ્ઞાન થયું કે અહો ! એકત્વમાં જ મજા છે; ખડખડાટે તે એકથી વધારેમાં જ છે. આવી એકતા વિચારી એમને જ્ઞાન થયું. એ પ્રત્યેકબુદ્ધ ગણાય છે. આવી વૃત્તિ રામતીને થઈ આવી. એ એકતા વિચારી, નેમનાથને રથ ફેરવવા વિજ્ઞપ્તિ કરતી હતી તેને બદલે, નેમનાથની દીર્ઘદશિતા જોઈ શકી અને પિતે પણ પિતા માટે એનું જ અનુકરણ કરવાના નિર્ણય પર આવી ગઈ. એકત્વભાવનાને સારે આ દાખલ છે અને સમજીને હદયમાં ઉતારવા યોગ્ય છે. પ્રાણીઓ આવી રીતે એકત્વભાવના ભાવવી જોઈએ અને પિતાની ઉપર તે લાગુ કરવી જોઈએ. (૨૨) મે : ૧૯૫૦ ] Page #455 -------------------------------------------------------------------------- ________________ પુરવણી* તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૩ સ્તવના તથા ચાવીસમા તી કર શ્રી મહાવીરસ્વામીનાં ૩ સ્તવને બાકીનાં સ્તવના આનંદઘનજીના નામનાં છે તેથી તે પણ આખી ચોવીશી પૂ કરવા વિચારી જઈએ. એ આનંદઘનજીની કૃતિ નથી જ, એ તે સવસ્વીકૃત વાત છે. જ્ઞાનસાર ખાવીશ સ્તવનનો અર્થ લખી વિ. સં. ૧૮૬૬ ના ભાદરવા સુદ ૧૪ ને રોજ જણાવે છે કે આ પછવાડેનાં એ સ્તવના આનંદઘનજીનાં જ કરેલાં છે અને પછવાડેથી હાથ લાગેલાં છે : એ રીતે એ સ્વીકૃત વાત પણ અસ્વીકૃત થઇ જાય છે. જ્ઞાનસારે ત્રીસ વર્ષ સુધી આનંદઘનજીનાં સ્તવને પર વિચારણા કરી હતી. તેમના મતને મહત્ત્વ આપવું જોઇએ, પણ કૃતિ અન્યની છે એમ, એમના તરના માન સાથે, જણાવવું જોઇએ. ભાષા અને વિષય જોતાં એ સ્તવના આનંદઘનજીનાં બનાવેલાં લાગતાં નથી, પછી તે તત્ત્વ તુ ાિમ્ય ગણીને તેને અથ સમજવા આપણે યત્ન કરીએ. જ્ઞાનવિમલસૂરિએ રચેલાં બે સ્તવના પર જ્ઞાનવિમલસૂરિના અથ` પણ છે, તે પણ અગાઉ પ્રમાણે આપણે વિચારીશું. * યોગીરાજ શ્રી આન ંદધનજી મહારાજનાં મૂળ સ્તવનાવાળી તેમ જ શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત ટાવાળી જે હસ્તપ્રતા જુદા જુદા ભંડારામાંથી મળે છે, તે ઉપરથી એટલું તેા નિશ્ચિત થઈ જ શકે છે કે શ્રી આનંદ ધનજીએ શ્રી નેમિનાથ ભગવાન સુધીના બાવીસ તીથ' કરાનાં સ્તવને રચ્યાં હતાં, નહીં કે ચાવીસ તીથ કરાનાં. એટલે ચેવીશીમાં ખૂટતાં છેલ્લા બે તીથ કરા–૨૩મા શ્રી પા*નાથ અને ૨૪ મા શ્રી મહાવીરસ્વામી-નાં સ્તવને ખીજા ાંએ રચીને ચોવીશી પૂરી કરવાના પ્રયાસ કર્યાં છે. આ સ્તવનેાના વિવેચનકર્તા શ્રીયુત મેાતીચ ંદ ભાઈ ગિરધરલાલ કાપડિયાએ ૨૩મા તી કર શ્રી પાર્શ્વનાથનાં ૩ સ્તવને અને ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનાં ૩ સ્તવને મૂળ, પાઠાંતર, શબ્દાર્થ, અથ' અને વિવેચન સાથે, આ ગ્ર ંથમાં ઉમેર્યા છે, તે અહી પુરવણીરૂપે આપવામાં આવ્યાં છે—સપાદક Page #456 -------------------------------------------------------------------------- ________________ ર૩ (૧) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ભૂમિકા–આ સ્તવનના કર્તા આનંદઘન નથી એ સર્વસ્વીકૃત વાત છે, પણ ઘણું અટપટુ હોઈ એ ખાસ વિચારણે માગે છે. તેને સમજવા માટે ખાસ તકને અભ્યાસ જોઈએ. મારા ધારવા પ્રમાણે આ સ્તવનને આખો ઝેક “ધ્રુવ” શબ્દ પર છે. આત્મા દ્રવ્યરૂપે ધ્રુવ છે, અને આત્મિક દ્રવ્યરૂપે ધ્રુવ રહેનાર છે. એના પર્યાયે ગમે તેટલા ફરે, તે ગતિઓમાં ફર્યા કરે, ત્યાં એનાં નામ-રૂપમાં ફેરફાર થયા કરે, પણ આત્મારૂપે તે એક સ્થાયી–ધ્રુવ દ્રવ્ય છે. આ એની ધ્રુવતા સમજવી અને સાથે પર્યાયપલટન ભાવ સમજો. આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયદષ્ટિએ અનિત્ય છે. આ રીતે આત્માને નિત્યાનિત્ય ભાવ શીખવનાર એક જૈન દર્શન જ છે. અને જૈન દ્રવ્યાનુયોગનું-તત્વજ્ઞાનનું રહસ્ય એ નિત્યનિત્યભાવ સમજવામાં જ છે. આત્માને અમુક અપેક્ષાએ નિત્ય પણ કહેવાય અને તે સાથે જ અમુક અપેક્ષાએ તેને અનિત્ય પણ કહેવાય. આ ચાવી જે એક વાર બરાબર બેસી જાય તે આખી જૈન ફિલસૂફી (philosophy) સમજવામાં બહુ મુસીબત નહિ પડે. અન્ય મતમાં Àત અને અદ્વૈત મતે અને અદ્વૈતમાં વળી વિશિષ્ટાદ્વૈત અને શુદ્ધાદ્વૈત વગેરેમાં જે ગૂંચવણ પડે છે, તે જૈન તત્વજ્ઞાન સમજનારને નથી પડતી. એ નિત્યપક્ષ પણ સ્વીકારે છે અને અનિત્યપક્ષ પણ સ્વીકારે છે એમાં જરા પણ અનિશ્ચિતતા નથી; માત્ર ઢાલની ડાબી અને જમણી બાજુ જોવાનું દષ્ટિબિન્દુ છે. હાલની એક બાજુ સોનાની હોય, બીજી બાજુ રૂપાની હોય, તે સેનાની બાજુ જેનાર ઢાલને પીળી કહે અને રૂપાની બાજુ જોનાર ઢાલને સફેદ કહે. પણ જૈન તત્વજ્ઞાન કહે છે કે તમે ઢાલની બને અને સર્વ બાજુઓ જુઓ. એ જ સ્યાદ્વાદ છે. અને તે સમજવો અને પચાવવો ઘણો કરે છે. પણ એક વાર તે સમજાઈ જાય તે એ દીવા જેવી વાત છે અને અનિશ્ચિતતા વગરનું એ વસ્તુધર્મનું સત્ય નિરૂપણ છે. આ સ્તવનને મુખ્ય સૂર આ છે. બાકી, પ્રાણી જનાવર થાય, પક્ષી થાય, મગરમચ્છ થાય અને માછલું પણ થાય. એ તે એમ ને એમ ફરતે આવે છે, દરેક સ્થાને મા-બાપ, ભાઈ-ભાંડુ કરે છે અને થોડા વખતમાં ત્યાંથી બીજા ભાઈ-ભાંડુ કરે છે. આ સર્વ ફેરફારને પર્યાયપલટન કહે છે. એવાં અસંખ્ય સગાંસંબંધીઓ આ પ્રાણીએ કર્યા પણ તે તે એક જ રહ્યો. આ નિત્યાનિત્ય ભાવ સમજ એ ચાવીરૂપ છે. એ ખૂબ સાદો છે, પણ ભારે ઝીણવટથી ભરેલું છે. અને એક વાર એની ઘડ બેસી જાય તે આખા જૈનધર્મના તત્ત્વવિભાગને સમજવામાં જરા પણ મુસીબત - ૧. જ્ઞાનવિમળસૂરિએ આ સ્તવનને અર્થ કર્યો હોય તે તે મારી પ્રતમાં આપેલ નથી, તેથી મને સૂઝળ્યો તેવો અર્થ કર્યો છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ર૩-૧ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૪૧ પડે એમ નથી. આ સ્યાદ્વાદના ખુલાસા ઉપર–આ અનેકાંતવાદ ઉપર-નયને આ સિદ્ધાંત રચાયેલું છે. આ વિભાગ અથવા આ સ્તવનને કઈ પણ ભાગ ન સમજાય તે ગુરુ મહારાજ પાસે તે સમજવામાં અને ખુલાસા પૂછવામાં જરા પણ શરમાવું નહિ. ઘણી વખત ખુલાસા પૂછવામાં એક જાતનો ભય રહે છે અને તે કારણે પ્રાણી મનમાં મૂંઝાય છે. આ મૂંઝવણ દૂર કરી શંકા થાય ત્યારે ચોખવટ કરવા માટે ખુલાસા પૂછવા; એમાં જરા પણ શરમાવા જેવું નથી. એને બદલે મનમાં શંકા રાખવી એ વધારે ખરાબ છે. સંસ્કૃતમાં એક નિયમ છે કે વંરાચHI વિનરચત્તિ-જે પોતાના મનમાં શંકા રાખે છે તેને અંતે વિનાશ થાય છે. આ વિનાશથી બચવા માટે ખુલાસા સારું સાધન પૂરું પાડે છે. મનમાં હવાવું અને ગૂંચમાં સબડ્યા કરવું એ ડહાપણની વાત નથી. આ સ્તવનને અર્થ લખવામાં મને અનેક વાર ગૂંચવણ થઈ છે અને કઈ કઈ ગૂંચ તે મેં તદ્યોગ્ય સ્થાને રજૂ પણ કરી છે. એવી જાતની શંકા બતાવવાથી આપણામાં રહેલ અજ્ઞાનતા પ્રકટ થાય છે તે બીવાની વાત નથી, પણ મનમાં શંકા રાખવી તે તે બેવડો સડો છે અને તે નિરાદરણીય છે. આટલી પ્રસ્તાવના સાથે આપણે આ સ્તવનને સમજવા યત્ન કરીએ. સ્તવન ( રાગ સારંગ, રસિયાની દેશી) ધ્રુવપદ રામી હો સ્વામી હમારા, નિકામી ગુણરાય, સુગ્યાની; નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી હો થાય. સુ ધ્રુવ ૧ અથ–હે નિશ્ચળ–શાશ્વત પદ રમણ કરી રહેલા ! અને તે અમારા સ્વામી ! આપ તે કઈ જાતની કામના રાખનારા નથી. અને અનેક ગુણેમાં રાચનારા છે, અનેક ગુણોના સ્વામી છે. અને આપે તે સુંદર જ્ઞાન–કૈવલ્ય મેળવ્યું છે–પ્રાપ્ત કર્યું છે. આપ તે આત્મિક ગુણોના ઇચ્છુક છે, આપને પિતાના શેઠ તરીકે જે મેળવે તે હમેશને માટે આરામમાં–નિજાનંદમાં મોજ કરનારે થાય. (૧) પાઠાંતર–“રામી’ સ્થાને પ્રતમાં “રામિ” લખેલ છે. સ્વામી’ને બદલે પ્રતમાં “સ્વામિ” લખેલ છે; ભીમશી માણેક પણ એમ જ છાપે છે. “નિકામી” સ્થાને પ્રતમાં નિષ્કામી લખ્યું છે. “કામી ” સ્થાને પ્રતવાળાએ “કામિ' લખેલ છે, “પામી’ સ્થાને પ્રતમાં “પામિ' લખેલ છે. “આરામી” સ્થાને પ્રતમાં “આરામિ લખેલ છે. છેલ્લા પાદમાં ભીમશી માણેક “સુ” કે “સુગ્યાની” છાપતા નથી. (૧) શબ્દાથ–ધ્રુવપદ = હમેશ છે છે ને છે એવું નિશ્ચયી, અચળ સ્થાન. રામી = રમણ કરનાર, આરામ કરનાર, સ્વામી = શેઠ, ઉપરી, માલેક, હમારા = અમારા, આપણા. નિઃકામી = નિષ્કામી, ઈચ્છા વગરના. ગુણરાય = ગુણોના રાજા, ગુણોના ઉપરી. સુગ્યાની = સારા જ્ઞાનવાન, કેવળજ્ઞાન યુક્ત, કેવલી. નિજગુણ = પિતાના આત્માના મૂળ ગુણ, કામી = ઈચ્છનારા, ભજનારા. શોધનારા. પામી = મેળવી. તું ધણી = આપ જેવા શેઠને. ધ્રુવ = હમેશના, શાશ્વત, સ્થાયી, આરામી = આરામ મેળવનાર, શાંતિ પ્રાપ્ત કરનાર, હો = જરૂર. થાય = નીપજે, બને. (૧) ૫૬ Page #458 -------------------------------------------------------------------------- ________________ કર] શ્રી આનંદઘન–વીશી વિવેચન—આપ ધ્રુવપદમાં રમણ કરનારા છે, આપને આત્મા આત્મિક-નિજ ગુણમાં વિલસનારે છે અને આપ મારા શેઠ છે, અને આપને કોઈ વસ્તુની કે પ્રાણી તરફની કામના રહેલી નથી. તેમ આપ અનેક ગુણોના રાજા છે, આપ આત્મિક ગુણના ઇચ્છુક છે. આપને પ્રાપ્ત કરીને પ્રાણ ધ્રુવતામાં રમણ કરે એવા આપે છે. આપણે અગાઉ ધ્રુવતા સંબંધી કેટલુંક વર્ણન કરી ગયા. આત્મા દ્રવ્ય તરીકે સ્થાયી છે, ધ્રુવ છે, નિત્ય છે, એ આત્માની નિત્યતા ખાસ વિચારણીય છે, બહુ અસરકારક છે અને ખાસ આહ્લાદ કરાવે એવી સુંદર વસ્તુ છે. એ ઉપરાંત આપ મારા ધણી છે, આપને પગલે ચાલવું એમાં મારે સ્વાર્થ છે, પરમાર્થ છે અને તે મને અનંત સુખ આપનાર છે. અને આપના ગુણો તે એટલા બધા છે કે તેની વિગત હું કેમ જણાવી શકું? મારાં વચનની તે મર્યાદા છે. અને આપના ગુણેને તે કાંઈ પાર આવે તેમ નથી. જાણવામાં આવે તે પણ આપના સર્વ ગુણે કહી શકાય તેમ નથી, કારણ કે આખા જીવન સુધી તે બોલવામાં આવે તે પણ તે કહી–બતાવી શકાય તેમ નથી. હું આપના ડાક ગુણો વર્ણવું છું. એક તે આપને કોઈ જાતની કામના નથી. આપને નથી ખાવાની કામના કે નથી ધનની કામના, નથી આબરૂની કામના કે નથી પ્રશંસાની કામના; આપ તે અનેક ગુણના રાજા છે, આપનામાં એ અનેક ગુણો છે. અને આપ આત્મિક ગુણની ઈચ્છા રાખનાર છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ અનેક નિજ ગુણો છે તે સર્વને આપ ઈચ્છે છે. આપને પ્રાપ્ત કરીને પ્રાણ આપના જે ધ્રુવ રમણ કરનાર અને અનંત આનંદમાં વિલાસ કરનાર થઈ જાય. આપના મૂળ ગુણો એવા સુંદર છે કે આપ જે પ્રાણીને પ્રાપ્ત થાઓ તે આપની જેમ પ્રાણી આરામમાં અનંતકાળ સુધી રમણ કરે. આપના ગુણે એવા સરસ છે કે એ આકર્ષણ કરનાર ગુણે ચુંબકની જેમ પિતાની તરફ ખેંચે. આપના અનેક ગુણનું જેટલું વર્ણન કરું તેટલું ઓછું છે. અને તે ગુણ મારામાં પ્રચ્છન્નપણે હોવાથી હું તેને પ્રગટ કરવા ઇચ્છું છું અને અનંત આનંદના વિલાસમાં મગ્ન થવા ઈચ્છું છું. આપ ધ્રુવતામાં રમણ કરે છે તે આપને મેળવીને હું તેના પરિણામ તરીકે ધ્રુવતા મેળવું એમ ઈચ્છું છું. (૧) સર્વવ્યાપી કહે સવજાણગપણે પપરિણમન સ્વરૂપ; સુત્ર પર રૂપે કરી તત્ત્વપણું નહિ, સ્વસત્તા ચિરપ સુવ ધ્રુવ રે પાઠાંતર–જાણગ” સ્થાને ભીમશી માણેક “જણુંગ” પાઠ છાપે છે. “સ્વરૂપે ” સ્થાને પ્રતમાં “સરપ” છે. “તત્ત્વપણું ' સ્થાને પ્રતમાં ‘તત્ત્વપણે’ પાઠ છે. (૨). | શબ્દાર્થ–સર્વવ્યાપી = બધી વસ્તુમાં વ્યાપેલ, સર્વ સ્થાનકે વ્યાપી કહે = સ્થાપન કરે, નક્કી કરે, વર્ણવે. સર્વ = કુલ જાણકાર હોવાથી, બધાના જાણપણાથી. પર = પારકા, બીજા, અન્ય. પરિણમન = તે તરીકે પરિણામી થાય, તન્મય થઈ જાય. સ્વરૂપ = રૂપ. પર = અન્ય, બીજી રૂપે = આકારે, સ્વરૂપે. તત્ત્વપૂર્ણ તે રૂ૫, તન્મય, તાત્ત્વિક રૂપ. નહિ = નકારાત્મક, હાય નહિ. સ્વસત્તા = આમિક સત્તા, પિતાની સત્તા. ચિરૂપ = અનંતજ્ઞાન રૂપ. (૨) Page #459 -------------------------------------------------------------------------- ________________ ર૩-૧: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૪૩ અથ...આપ સર્વ વાતની જાણકાર છે તેથી આપને કેટલાક સર્વવ્યાપી કહે છે, પણ પર વસ્તુઓમાં પરિણામને પામવાની શક્તિને જોઈએ તે તે દષ્ટિએ સર્વવ્યાપીપણું લાગતું નથી અને તત્વવિધ પણ નથી. પિતાની આત્મિક સત્તા તે જ્ઞાનરૂપ છે, સર્વ જાણપણાથી સર્વવ્યાપિ– આત્મિક સત્તાએ ઘટતું નથી. (૨) વિવેચન—આપ સર્વ હકીક્ત અને ભાવો જાણે છે તેથી આપને કેટલાક સર્વવ્યાપી કહે છે. જે સર્વને જાણે તે સર્વવ્યાપી, એટલા પૂરતી તે વાત સત્ય છે; પણ પારકાની પરિ તિમાં એ પરિણમન કરે છે અને તેટલા માટે એ સર્વવ્યાપી છે એમ કહે છે તે બરાબર નથી. પર રૂપે તીર્થકરને સર્વવ્યાપી પરિણમનભાવ છે એમ કહે છે તે તત્ત્વને-યથાસ્થિત વસ્તુને–પામે નહિ; કારણ કે એની પિતાની સત્તા માત્ર જ્ઞાનરૂપ જ છે. સર્વને જાણે તે સર્વવ્યાપી એટલા પૂરતી વાત બરાબર છે, પણ સર્વવ્યાપી હોવાથી તે પરપરિણતિરૂપ ભાવને વરે છે એમ કહે, તે તે વાત બરાબર નથી. અનેક દ્રવ્ય અસ્થિર સ્વભાવી છે અને કેટલાંક તે અભવ્ય જ હોય છે, અને ભવ્ય છે પૈકી અભવ્યની કેટે વળગેલા અનેક જીવે છે. જે વીતરાગ ભગવાન પર પરિણતિ પામતા હોય તે એ અસ્થિર સ્વભાવને પણ પામે અને અભવ્ય તરીકે પણ પરિણામે, પણ તેમ થતું નથી તેથી તે અર્થમાં સર્વ પિત્વ સ્વીકારી શકાય નહિ. તીર્થકર કે જિનરાજ અસ્થિર સ્વભાવવાળા થતા નથી અને અભિવ્ય તે હેાય જ નહિ, માટે તેમને પર પરિણતિમાં પ્રવૃત્તિ કરે એ અર્થમાં સર્વવ્યાપિ ન સમજવું. તત્ત્વજ્ઞાનને આ મોટો સવાલ છે : પ્રભુને સર્વવ્યાપી ગણવા કે નહિ ? અમુક અર્થમાં સર્વ જાણે તે માટે તેમને સર્વવ્યાપી ગણાય, પણ પરિણમન સ્વભાવમાં એ કદી અસ્થિર ન હોય અને અભવ્ય સ્વભાવમાં પણ પરિણમન પામે નહીં, એટલે એને એ અર્થમાં સર્વવ્યાપી ન ગણવા. પરરૂપે એ પરણિમનભાવ પામે નહિ, કારણ કે એની પિતાની સત્તા જ્ઞાનરૂપ જ છે. આ ભાવ બરાબર સમજે. દ્રવ્યાર્થિક નયે એ સર્વવ્યાપી છે, પણ પર્યાયાર્થિક નયે એ સર્વ વ્યાપી નથી, એમ કિર્ભાવ જે સમજે તે જૈનધર્મને બરાબર સમજે. પ્રભુ તે જ્ઞાન સ્વરૂપે જ સર્વવ્યાપી છે અને પરિણમનભાવે સર્વવ્યાપી નથી જ, એ સમજાય તે ઘણી મોટી વાત છે આત્મા પરભાવમાં રમણ કરવાને નથી. આત્મામાં તે અનંત જ્ઞાન વગેરે અનંત ગુણો છે, પણ એ પરમાં પરિણમી જતો નથી, નહિ તે આત્મા અભવ્ય પણ થઈ જાય. તેમ બનતું નથી તેથી પર્યાયાર્થિક દૃષ્ટિએ આત્મા સર્વવ્યાપી નથી. આત્મા પરિણામી છે, પણ તે મર્યાદિત હકીકત છે. એનું બરાબર સ્વરૂપ સમજવા જેવી છે. એ અનંત જ્ઞાનમય છે, પણ પપરિણતિથી તે અબાધિત છે. આત્માનું આત્મત્વ જે તત્ત્વરૂપે છે તે પરંપરિણતિરૂપે દેખાય નડિ; પરપરિણતિરૂપે દેખાય છે તેનો અંત આવી જાય. આત્માની પિતાની સત્તા સર્વ જાણવાની હેઈ તેને સ્વભાવ જ્ઞાનમય છે અને સર્વ જાણે છે માટે તે સર્વવ્યાપી છે એમ કહી શકાય. (૨) Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪]. શ્રી આનંદઘન-ચાવીશી ય અનેકે હો જ્ઞાન અનેકતા, જલભાજન રવિ જેમ; સુત્ર દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા, નિજ પદ રમતા હો એમ. સુત્ર પ્ર. ૩ અથ–જાણવાની ચીજો અને વ્યક્તિઓ એકથી વધારે હોવાથી જ્ઞાન પણ અનેકપણું પામે છે–જેમ પાણીના ઠામમાં સૂર્ય એકથી વધારે દેખાય તેમ તે થાય છે; પણ સૂર્યની પેઠે જવદ્રવ્ય પણ એક હોવાથી ગુણેની એકતા છે. અને સિદ્ધો તે પોતાના અનેક ગુણેમાં આનંદપૂર્વક રમણ કરતા હોય છે. (૩) વિવેચન–ય, જે જાણવા ગ્ય વસ્તુ છે અથવા જાણી શકાય એવી વસ્તુ છે, જે અનેક છે, તે અનેક હેવાથી જ્ઞાન પણ એકથી વધારે છે–જેવી રીતે પાણીના ઠામમાં સૂર્ય જુદા જુદા દેખાય તેમ. હવે તે વસ્તુ તરફ દ્રવ્યની નજરે જોઈએ તે એક જ ગુણવાળું તે હોય છે. આ ગુણમાં આપ આનંદપૂર્વક રમણ કરતા હો છો. સેય વસ્તુઓ તે અનેક છે અને તેથી પર્યાયની અપેક્ષાએ જ્ઞાન પણ અનેક છે. સેય અનેક એટલે તેના જુદા જુદા આવિ. Íવની નજરે તેનું જાણપણું (જ્ઞાન) પણ અનેક પ્રકારનું છે. પ્રત્યેક વસ્તુ, એની ખાસિયત પ્રમાણે, પર્યાય અપેક્ષાઓ, જુદા જુદા પ્રકારની લાગે છે. દરેક વસ્તુમાં ખાસિયત તે હોય જ છે. ફેડ કહે છે કે એની દરેક મોટરને ચલાવતાં એ દરેકની ખાસ ખાસિયત તે જાણી શકે છે. પર્યાયાંતરગત વ્યક્તિત્વ દરેક વસ્તુમાં જરૂર હોય છે, એટલે પર્યાયદષ્ટિએ જ્ઞાન અનંત છે. જેમ વસ્તુ અનંત તેમ તેના પર્યાય પણ અનંત, તે દરેક જુદા જુદા છે અને પર્યાય નજરે જુદા જુદા જડી આવે છે. - આ ભવ્ય કલ્પના છે. સાચી વસ્તુસ્થિતિ પર્યાયની અપેક્ષાએ છે. તમે બે મોટરમાં વારાકરતી બેસે તે તમે દરેકની ખાસિયત જરૂર જાણી શકે. તમને લાગે કે કોઈ ચાલવામાં અવાજ કરે છે, કેઈની કુલચ અવાજ કરે છે વગેરે. પણ ગુણની નજરે જોઈએ તે તેમાં દ્રવ્યની એકતા જ છે, મોટરને ચાલવાને ધમ સર્વસામાન્ય છે. સહભાવી ધર્મને ગુણ કહેવાય છે અને કમભાવી ધર્મોને પર્યાય કહેવાય છે. આ સહભાવી ધર્મ (ગુણ)ની અપેક્ષાએ સિદ્ધો કે તીર્થકરો તિપિતાના આત્મિક ગુણેમાં આનંદપૂર્વક રમણ કરે છે. ગુણની નજરે તેઓ સર્વ એકસરખા જ છે, કારણ કે તેઓ નિજ પદમાં આનંદપૂર્વક રમણ કરે છે. આપનું આ ગુણપદ દ્રવ્યની અપેક્ષાએ જેવું એ જોઈ-જાણુ-વિચારીને ખૂબ આનંદ થાય છે અને તેવી અખંડ શાંતિ મેળવવા મન થાય છે. આ ભાવની વિશેષ સ્પષ્ટતા પાંચમી ગાથામાં આ સ્તવનમાં જ થશે. અહીં દ્રવ્યનું સ્થાયીપણું અને પર્યાયનું ફેરફાર થવાપણું પાઠાંતર–ય ” ને સ્થાને પ્રતમાં “એય ” લખેલ છે. “જેમ સ્થાને પ્રતમાં તેજ” પાઠ છે. (૩) શબ્દાર્થ–ય = જાણવાની વસ્તુ અનેક = એકથી વધારે. જ્ઞાન = જાણવાપણું. અનેક્તા = 3ય અનેક હોવાથી જ્ઞાન પણ અનેક છે. જલભાજન = પાણીનું ઠામ. રવિ = સૂય, સૂરજ. જેમ = માફક (દાખલા તરીકે ). દ્રવ્ય = આભદ્રવ્ય, વસ્તુ. એકપણે = એક હેવાથી. ગુણ = ગુણોની પણ. એકતા = એકપણું, નિજ પદ = આત્મિક દ્રવ્ય, સવજાણપણું વગેરે. રમતા = રમણ કરતા. એમ = ક્ષેમ, આનંદ, સારું, કલ્યાણ. (૩) Page #461 -------------------------------------------------------------------------- ________________ [૪૪૫ ર૩-૧ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન બતાવ્યું. અને આપ તે નિજ સ્વરૂપમાં રમણ કરતા રહો છે અને આપને પરિણામ પામી પલટનભાવ પામવાને નથી તેથી મને આનંદ થાય છે. આપ ગુણની દષ્ટિએ ક્ષેમકુશળ છે, એ વાત બહુ આનંદદાયક છે. આપનામાં દ્રવ્ય એક જ હોવાથી એને સહભાવી ધર્મ–ગુણની પણ એકતા જ છે અને આપ ક્ષેમકુશળ છે, સ્થિર છે, આનંદમાં છે, એમ જાણી મને હર્ષ થાય છે. આપની આ ગુણકતા છે તે જાણી તે મેળવવા માટે હું પ્રયાસ કરું છું. (૩) પરક્ષેત્રે ગત શેયને જાણવે, પર ક્ષેત્રે થયું જ્ઞાન, સુત્ર અસ્તિપણું નિજ ક્ષેત્રે તમે કહ્યો, નિર્મળતા ગુણમાન. સુવ ધ્રુવ ૪ અર્થ—અન્ય ક્ષેત્રમાં જાણવા લાયક (ય) પદાર્થ હોય તેને જાણવાથી તે પરક્ષેત્રી જ્ઞાન થયું. હવે જ્ઞાન તે પિતાના ક્ષેત્રમાં રહેનાર આત્માને જ થાય છે અને તમે જ તેને અસ્તિભેદે સ્વીકાર્યું છે. આત્માને નિર્મળ કહેલ છે, મેલ વગરને કહ્યો છે. (૪) વિવેચન–પિતાની અવગાહનાથી પરક્ષેત્રમાં જે જ્ઞાન થાય તે પરક્ષેત્રીય જ્ઞાન કહેવાય છે. આ ગાથામાં જ્ઞાનના બે જુદા જ વિભાગો પાડવામાં આવે છે. ય પદાર્થ પિતાની (જ્ઞાનની) અવગાહનામાં ન હોય તે તેને પરક્ષેત્રીય જ્ઞાન કહેવાય, પણ આત્માના તે અસંખ્ય પ્રદેશ છે, અને જ્ઞાનની નિર્મળતા છે તેથી, જેકે ય પદાર્થ જ્ઞાન પાસે આવતું નથી છતાં, તે પરક્ષેત્રીય જ્ઞાન પણ નિજક્ષેત્રીય જ્ઞાન જેવું સ્પષ્ટ રહે છે. જેમ અરીસામાં નિર્મળતા છે અને તેમાં જ્ઞાનને પ્રતિભાસ પડે છે, તેમ આ જ્ઞાનને પણ અરીસાની જેમ પ્રકાશ પડે છે. આ ગાથામાં સ્વક્ષેત્રીય અને પરક્ષેત્રીય એવા જ્ઞાનના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. પિતાની અવગાહનાથી અન્ય ક્ષેત્રમાં રહેલ છવ કે અજીવ દ્રવ્યનું જ્ઞાન થાય તેને પરક્ષેત્રીય જ્ઞાન થયું કહેવાય. પણ ગુણી અને ગુણને અભેદ છે તેથી જ્ઞાન તે પિતાના અનંત આત્મપ્રદેશમાં રહેલું છે, એવું જ્ઞાન પણ અસ્તિપણે કહ્યું છે. નિર્મળતા જ્ઞાનને સ્વભાવ છે તેથી એ જ્ઞાનમાં દ્રવ્ય અરીસાની પેઠે દેખાય છે, પણ એમાં જ્ઞાનને ક્ષેત્રે રેય જતું નથી અને જ્ઞાન તે યમાં આવતું નથી. આમાં ગુણગુણીને અભેદ હોવાથી તે સહભાવી જ્ઞાનકધર્મ એક જ છે અને સાથે રહે છે. તે પ્રવ છે અને નિર્મળ હોઈ જ્ઞાન તરીકે પરિણમે છે. પરભાવમાં સર્વવ્યાપીપણું માનતાં આ મેટો દોષ આવે છે. (૪) પાઠાંતર–પરક્ષેત્ર” સ્થાને પ્રતમાં “પર” (બે વાર ) પાઠ છે. “જ્ઞાન” સ્થાને “ગ્યાન' લખે છે. ” સ્થાને બીજી પ્રતમાં “ ખે” લખેલ છે. “થયું” સ્થાને પ્રતમાં થયૂ ” લખેલ છે; જૂની ગુજરાતી છે. તુમે” સ્થાને “મહે” પાઠ પ્રતમાં છે. (૪) શબ્દાર્થ–પર = બીજા ક્ષેત્રમાં, અન્ય ક્ષેત્રમાં. ક્ષેત્ર = ખેતર, સ્થાન, જગા. ગત = ગયેલા. ય = પદાર્થ, જેને જાણી શકાય એવો પદાર્થ, જાણ = સમજવાને પરિણામે. પર ક્ષેત્રે = અન્ય જગએ. થયું = નીપજેલું, ઉત્પન્ન થયેલું. જ્ઞાન = જાણપણું. અસ્તિપણું = છે છે તે રૂપ. નિજ ક્ષેત્ર = પિતાનું ક્ષેત્ર, પિતાને સ્થાને. તમે = તમે. આપે. કો = જણાવ્યું. નિમળતા = મેલ રહિતપણું, નિર્મળ અરીસાપણું. ગુણ = સ્વભાવ. માન = સમજ, જાણે. (૪) Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ] શ્રી આનંદઘનચોવીશી શેય વિના હો જ્ઞાન વિનશ્વર, કાળ પ્રમાણે થાય; સુત્ર સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પરરીતે ન જાય. સુવ ધ્રુવ ૫ અર્થ—અને જે ય પદાર્થ નાશ પામે તે જ્ઞાનને પણ વિનાશ થાય છે, તે કાળ પ્રમાણે થાય છે. પિતાના કાળે કરી સ્વસત્તા કદી પરાનુયાયી ન જ થાય, એ તે સ્વકાળ પિતાની સત્તાએ લઈ થાય અને પરાનુયાયી ન જ થાય. (૫) વિવેચન–અને પરંપરિણામના રૂપે સર્વવ્યાપીપણું માનવામાં બીજે પણ દેષ આવે છે તે આ ગાથામાં બતાવે છે. રેયને નાશ થાય ત્યારે જ્ઞાનને પણ વિનાશ થાય, એટલે જ્ઞાન નાશવંત થયું; તેથી તે આપણે શરૂઆતમાં ધ્રુવપદરામીપણું કહ્યું તે જ ઘટે નહિ, કારણ કે ગુણગુણીને અભેદ છે. આવું વિચિત્ર પરિણામ આવે તે જાણનાર આત્મા-જ્ઞાતાનો પણ નાશ થાય, પણ સ્વકાળે સ્વસત્તાએ જ્ઞાનને નાશ થતો નથી, પણ પર ય, તેના જ્ઞાનને જ નાશ થાય છે. અને પર વસ્તુ-ય, તેને તે નાશ થતો નથી પણ તે રૂપાંતરપણું પામે છે, એટલે એના પર્યાય ફરી જાય છે, અને એ બીજા પર્યાયે રૂપાંતર થઈ બીજી વસ્તુ તરીકે દેખાય છે. અને પર્યાયાંતર થાય તે પણ વસ્તુ તે કાયમ રહે છે. દ્રવ્યનું આ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણ માનવામાં આવેલું છે. એટલા માટે પ્રભુને ધ્રુવપદરામી કહ્યા છે તે બરાબર જ છે. આવી રીતે અતીત કે અનાગત પર્યાય ફરી જાય ત્યારે અતીત પર્યાય વર્તમાન પર્યાયપણું પામે છે. આ સર્વ પર્યાયને ભાસનધર્મ જ્ઞાનમાં છે. એ ભાસનધર્મ બીજી રીતે પરિણમે છે તેથી જ્ઞાનમાં વિના શિક ધર્મ છે અને તેથી તેમ લાગે છે. તે સ્વીકાલે કરી પિતાના ઉત્પાદ-વ્યયરૂપ પરિણમન જતાં એ જ્ઞાન ઉત્પાદ વ્યયરૂપ છે, તે પણ એને સ્વસત્તા ધર્મ છે તે કદી પણ પરસત્તાપણું પામે નહિ. આ ભાવ આ ગાથામાં છે તે નીચે પ્રમાણે મને સમજાવે છે. તે પરાનુયાયી ચાલને ગ્રહણ કરે તેથી તે સ્વરૂપધર્મ છે. ફેયને નાશ થતાં જ્ઞાનને વિનાશ થવો જોઈએ, વખત જતાં આ પ્રમાણે વાત બને છે. સ્વકાળ અને સત્તાએ જ તે રહે છે અને તે પરકીય દ્રવ્યને કે પરસ્વભાવે ફરી ન જાય, અને પરસત્તાપણે લે તો પણ પરસત્તામાં સ્થિર થતાં રવસત્તા છેડે નહિ. આ વાત આગામી છઠ્ઠી - પાઠાંતર–“ય ને પ્રતમાં “એય” તરીકે લખેલ છે, અર્થ ફરતો નથી. “વિનાશે” સ્થાને ભીમશી માણેક “ વિનાસ” છાપે છે. “જ્ઞાનને પ્રતમાં “ગ્યાન” લખ્યું છે. વિનિશ્વરુ’ સ્થાને ભીમશી માણેક ‘વિનિશ્વર પાઠ છાપે છે, પ્રતમાં તે જ પાઠ છે. “પ્રમાણે પછી ભીમશી માણેક “રે’ વધારે છે. “રીતે ને ભીમશી માણેક રીત છાપે છે. “પરરીતે” સ્થાને “પરીરીત” પાઠ પ્રતમાં છે. (૫) શબ્દાર્થ—ય = જાણવા લાયક પદાર્થ. વિનાશે = નાશ પામે છે. જ્ઞાન = જાણપણું. સમજણ. વિનધરુ = નાશને પાત્ર, અસ્થિર, અચોક્કસ, કાળ = સમ્ય, કાળ, વખત. પ્રમાણે = તેને અનુસરી. થાય = નીપજે, ઊપજે. સ્વકાળે = પોતાને યોગ્ય કાળ. કરી = લઈ, તેથી સ્વસત્તા = પોતાની સત્તા. સદા = હમેશાં. પરરીતે = પરસત્તાએ, પરાનુયાયી. ન જાય = ન થાય, ન જામે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ર૩-૧: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૪૭ ગાથામાં પણ વધારે સ્પષ્ટ કરવામાં આવશે. આ હકીક્ત પ્રભુના જ્ઞાનની પ્રવપદરામીતા બતાવે છે. (૫) પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ, સુર આત્મચતુષ્કમયી પરમાં નહિ, તો કિમ સહુનો રે જાણ. સુત્ર છુ. ૬ અથ–પરભાવમાં રમણ કરતાં જ્યારે તે તેના મય બને છે તે વખતે તે આત્માની સત્તામાં સ્થિર ઠામ-ઠેકાણું પામે છે. હવે આ આત્મિક ચતુષ્ક(અનંત જ્ઞાનાદિ મય જે સ્વસત્તા છે, તે તે પરમાં હોતી નથી, ત્યારે એ સર્વજ્ઞ કેમ હોઈ શકે ? થઈ શકે? (૬) વિવેચન-આવી રીતે પરભાવને જાણવાથી જ્ઞાન પરપણું પામતું નથી, પણ એ સ્વસત્તારૂપ છે. હવે આ ગાથામાં એ જ વાતમાં વિશેષ કહે છે. પરવસ્તુ, જે યાદિક, તેને જાણવાથી પરવસ્તુ પામવા છતાં પણ આત્માની પોતાની જાણવાની સત્તા તે સ્વસ્થાનકે જ સમજવી. અહીં શંકા થાય છે કે આત્મા પરપણું પામતે નથી? તે તેને જવાબમાં કહેવામાં આવે છે કે મને આકારે જ્ઞાન પરિણમે છે, પણ આ પરભાવ પામવા છતાં આત્મા પિતાની સત્તામાં સ્થિર રહે છે. આ સવાલનું સમાધાન આવતી ગાથામાં આપવામાં આવશે. સ્વસત્તારૂપ સ્થિર સ્થાનક છે તે કદી પરપણું પામે જ નહિ અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, તે પરમાં ન પમાય. સર્વ જાણે તેથી તે સર્વવ્યાપી ન ગણાય, તેના સમાધાનમાં આ વાત કરી. સર્વ વસ્તુઓને જાણવાનું કારણ આવતી ગાથામાં જણાવે છે. આ આખું સ્તવન સમજવું ઘણું મુશ્કેલ છે. અને તે આનંદઘનજીની કૃતિ નથી એ સ્વીકૃત વાત છે. પણ એ આનંદઘનની કૃતિ છે એ તરીકે તેના ઉપર જ્ઞાનસારે વિવેચન કર્યું છે. બાવીશમાં સ્તવનની આખરના વિવેચન પરથી જણાય છે કે કૃષ્ણગઢમાં સંવત્ ૧૮૬૬ ના ભાદરવા સુદ ૧૪ લખેલ છે. અત્યારે સંવત્ ૨૦૦૬ ચાલે છે, તે હિસાબે તેને લખાયાને ૧૪૦ વર્ષ થયાં. આ અર્થ કરવામાં એ ટબાની મદદ લીધી છે અને આનંદઘનનાં બાકીનાં ૨૧ અથવા રર સ્તવનને ભાવ લખવામાં તે વાંચીને તેને સીધી રીતે અને આડક્તરી રીતે ઉપયોગ કર્યો છે. (૬) - પાઠાંતર—“થિર ” સ્થાને ભીમશી માણેક “ધિર’ પાક છાપે છે; પ્રતમાં “સ્થિર ” પાઠ છે. “નહિ.” સ્થાને પ્રતમાં “નહી ” પાઠ છે; ભીમશી માણેક તે છાપે છે. “સહુને’ સ્થાને ભીમશી માણેક “સદને ” છાપે છે. (૬) | શબ્દાર્થ–પરભાવ = અન્ય વસ્તુના ભાવ, પર પરિણામરૂપ. પરતા = અન્યપણું, પરભાવમાં હોય ત્યારે પરતા પામે, સ્વને બદલે પરભવમાં રમણ કરે. પામતા = પ્રાપ્ત થતા. સ્વસત્તા = પોતાની આત્મિક સત્તા. થિર = સ્થિર, ઠાણ = સ્થાન. તે (સત્તા) કેવી હોય છે તે કહે છે : આત્મચતુષ્ક = આત્માના ચાર મૂળ ગુણો-અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. મયી = મય, તદ્રુપ. પરમાં = અન્યમાં, બીજી વસ્તુમાં. નહિ = ન હોય. તે કિમ = તે કેમ, કેવી રીતે. સહુને = સવ પરવસ્તુને. જાણ = જાણકાર, સર્વજ્ઞ. (૬). Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૮] શ્રી આનંદઘન–ચોવીશી અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકળ દેખત; સુત્ર સાધારણ ગુણની સામ્યતા, દર્પણ જળ દષ્ટાંત. સુવ ધ્રુવ ૭ અર્થ—જ્યારે તેઓશ્રી પિતાના અગુરુલઘુ ગુણને જુએ છે ત્યારે સર્વ દ્રવ્યોને પણ જુએ છે, અથવા અગુરુલઘુ ગુણને લઈને સર્વ વસ્તુઓને જુએ છે. સર્વ સામાન્ય ગુણની સામાન્યતા એમાં છે, અને તે ઉપર અરીસો અને પાણીને દાખલ છે. કાચમાં ચીજ દેખાય તેમાં ચીજને કાચમાં જવું પડતું નથી. (૭) વિવચન—આગલી ગાથામાં કરેલ શંકાનું હવે નિવારણ કરે છે. અગુરુલઘુ નામને આત્માને ગુણ છે, તેને લઈને આત્મા પવન આવે અને ઊડી જાય તેવો હળવે પણ હોતે નથી અને ડુંગર જેવો ભારે પણ હોતું નથી. તે ગુણને લીધે અગુરુલઘુપણે આત્મા ય વસ્તુમાં ગયા સિવાય, જેમ અરીસામાં વસ્તુ પ્રવેશતી નથી છતાં આખી અણી શુદ્ધ દેખાય છે, અથવા જળમાં વસ્તુ પસતી નથી છતાં તેનું પ્રતિબિંબ તેમાં પ્રવેશ કર્યા સિવાય પૂરેપૂરું પડે છે, તેમ યમાં વસ્તુ પ્રવેશ કરવા સિવાય આમા સર્વ વસ્તુઓને દેખે છે. આ અગુરુલઘુ કર્મના ઉદયથી ગુણ પ્રાપ્ત થાય છે. જેમ અરીસામાં કે જળમાં વસ્તુ પ્રવેશ કરતી નથી, છતાં બરાબર નજરે પડે છે, તેમ આત્મા વસ્તુમાં પ્રવેશ ન કરે, છતાં પણ તેનું પ્રતિબિંબ આત્મામાં પડે છે. આગળ બે ગાથામાં જે શંકા પડી અને તેને ખુલાસે કરવાનું હતું તે અગુરુલઘુ નામકર્મથી થાય છે. અગુરુલઘુ નામકર્મથી બીજી ચીજને નાશ થતાં આત્માના જ્ઞાનગુણુને નાશ થતો નથી. એટલે આગલી ગાથામાં ય વિનાશે જ્ઞાન વિનાશે જ્ઞાન વિનશ્વરુ એવી જે શંકા થઈ હતી એને અહીં નિકાલ થઈ જાય છે. અને જ્ઞાન સર્વવ્યાપી હોય તેથી આત્મા પણ સર્વવ્યાપી છે એને ખુલાસો અગાઉ થઈ ગયા. આ શંકા ઘણી મહત્ત્વની છે. ય વસ્તુને નાશ તે વહેલું કે મેડો જરૂર થાય છે, એટલે જે તેના નાશે જ્ઞાનને નાશ થતો હોય તે આત્મા ક્ષણિક છે એમ થાય તે વાત બરાબર નથી. સ્વકાળે અને સ્વસત્તાએ જ્ઞાનને નાશ થતો નથી, પણ રૂપાંતર તે જરૂર થાય છે. અને પર્યાય બદલાય છે, પલટાય છે. આવી રીતે બદલાયલે પર્યાય જ્ઞાનમાં તે રૂપે દેખાય છે. આ કારણે જ્ઞાનનો નાશ થતું નથી. સ્વકીય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જ્ઞાન તે નિત્ય પાઠાંતર–દેખતાં” સ્થાને પ્રતમાં “દેતાં લખ્યું છે. “સાધમ્યતા’ સ્થાને પ્રતમાં “સાધમ્મતા” લખેલ છે. “દર્પણ” સ્થાને ભીમશી માણેક “દર્પણ” છાપે છે. “જળ’ સ્થાને ભીમશી માણેક “જળને” છાપે છે; પ્રતમાં “જલને ' પાઠ છે. “દષ્ટાંત” સ્થાને પ્રતમાં “દ્રષ્ટાંત” લખેલ છે. | શબ્દાર્થ –અગુરુલઘુ = હળવો નહિ અને ભારે નહિ. નિજ ગુણ = આત્મિક ગુણ. દેખતાં = જોતાં, વિચારતાં. દ્રવ્ય = ચીજો, સત , મૂળ, દ્રવ્ય (દ્રવ્ય, ગુણ અને પર્યાય પૈકી). દેખત = જુએ છે, જાણે છે. સાધારણ = સર્વસામાન્ય, સર્વ જગાએ હોય તેવું (આ તકને શબ્દ છે). ગુણ = તે જ તેને ધમ. સાધમ્યતા = સમાનધર્મી હોવાપણું, સમાનતા હોવાપણું. દર્પણ = અરીસ, કાચ. જળ = પાણી. (૭) Page #465 -------------------------------------------------------------------------- ________________ ૨૩–૧ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [ ૪૪૯ રહે છે. દ્રવ્યની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે જોતાં આ વાત મજબૂત થાય છે. આટલા ઉપરથી પ્રભુને ધ્રુવપદરામી કહ્યા છે તે વાત તદ્દન ચેાગ્ય છે અને તેમનું તે વર્ણન યથાઘટિત છે. એક ટીકાકાર નોંધે છે કે અગુરુલઘુ ગુણ સર્વ દ્રવ્યને સાધારણ છે અને જીવમાં પણ તે સંવ્યાપી છે. તે પોતાના અગુરુલઘુભાવ દેખતાં સર્વ દ્રવ્યને દેખે, સર્વાંને જાણે એટલે દર્શનઉપયાગ, જ્ઞાન ઉપયોગ અને સાધારણ ગુણ, નિત્યત્વાદિકને અને અગુરુલઘુત્વાદિકને સમાનધર્મી હોવાથી એકને જાણવે સંનું જાણવું થાય. આ રીતે જોતાં અરીસાની પેઠે જ્ઞેય વસ્તુમાં જ્ઞાન ગયા વગર પણ વસ્તુ જાણી શકાય છે. એટલે જ્ઞાન જ્ઞેયમાં પરિણમે નહિ એ રીતે સ્વઅવગાહનાગત જ્ઞાનગુણ તે આત્માનું સ્વરૂપ છે : આ દૃષ્ટિએ અથ પણ વિચારવા. આ સ્તવનના અર્થ જરા અટપટા હોવાથી ખૂબ વિચારણા અને કોઇ કોઇ સ્થાને ગુરુની દોરવણી માગે છે. (૭) શ્રી પારસ જિન પારસ રસ સમા, પણ ઇહાં પારસ નાંહિ; સુ॰ પૂરણ રસિયા હૈ। નિજ ગુણ પરસમાં, ‘આનંદધન’ મુજ માંહી. સુ॰ ૦ ૮ અ—શ્રી પાર્શ્વનાથ ભગવાન તે। પારસરસ સમાન છે, એ જેને સ્પર્શે તે સેનાનું થઈ જાય, પણ એ પારસ રસ અહીં મારામાં જ નહિ, સંપૂર્ણ રસિક પેાતાના આત્મિક ગુણના સ્પર્શમાં છે અને તે આનંદના રસસમૂહ મારામાં ભરેલા છે. (૮) વિવેચન—શ્રી પાર્શ્વનાથ ભગવાન તેા પારસ પાષાણના રસ જેવા છે. પારસ પથ્થર એવા હોય છે કે કથાનક પ્રમાણે ચિંતામણિ રત્ન જેમ સ` વસ્તુ પૂરી પાડે છે અથવા કલ્પવૃક્ષ ઇચ્છિત સ` ચીજો આપે છે, તે રીતે પારસનાથ પારસરસ જેવા છે. તેમને એકાગ્રતાથી ધ્યાવવાથી તે સવ મનાવાંછિત પૂરા પાડે છે. પારસ નામના પથ્થરના રસ એવેા સરસ હાય છે કે તે જેને લાગે તેને સુવર્ણમય બનાવી દે છે. પણ હું પારસ એટલે ? (પા) રસ પણ નથી. જ્યાં પોતાનામાં ? રસ પણ ન હેાય ત્યાં એ ધ્રુવપદના રમણુ કરનાર પારસ સાથે શું વાત કરી શકે, પણ એનામાં એક વાત છે. મને તે નિજગુણને સ્પર્શ થાય તેમાં ખૂબ રસ લઉં છું અને આનંદના સમૂહ તો મારામાં જ છે. તમને એ આવિર્ભાવ પામેલે છે અને એ જ રસ મારામાં તિભાવે ભલે છે. મારામાં તે રસ જામે તે માટે હું પ્રયાસ કરુ છું. અને * પાઠાંતર—નાંહિ’ સ્થાને પ્રતમાં ‘નાહિ' પાડે છે; ભીમશી માણેક નાહિ ' પાઠ છાપે છે. ‘ પરસમાં ’ સ્થાને ભીમશી માણેક ‘ પરસના ' પાડે છાપે છે. ‘ મુજ ' સ્થાને પ્રતમાં ‘ મુઝ ’ લખ્યું છે. ‘માંહી ’ સ્થાને ભીમશી માણેકમાં ‘ માંહિ ' પાઠ છે; પ્રતમાં તે જ પાડે છે. (૮) શબ્દા —પારસન્જિન = પાČનાથ એ ઇચ્છિત પૂરૂં પાડે તેવા રસ હોય છે. આ જગાએ. પારસ = ઈચ્છિત પૂરનાર રસ લખદ થયેલા, રસિક. નિજ = પોતાના, આનંદ રસને સમૂહ, ઘટ્ટસ. મુજમાંહી = મારામાં, મારા અંતરમાં. (૮) ૧૭ ભગવાન, ત્રેવીશમા તીથંકર. પારસરસ = પારસના પ્રવાહી જેવા, સમા = સરખા. પણ = ઉલટુ', તથાપિ. i = મારામાં, અહી, નાંહિ = નથી. પૂરણ = સંપૂર્ણ, ભરેલા; તદ્દન, રસિયા = રસમાં આત્મિક પરસમાં = સ્પ'માં, રમણ કરવામાં, આનંદધન = Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦] શ્રી આનંદઘન વીશી આપ તે ધ્રુવપદમાં હંમેશને માટે આરામ કરી રહેલા છે. ધ્રુવપદમાં આરામ કરતા હોય તેની અને મારી વાતની હું સરખામણી કેમ કરું? હું તે પા (3) ભાગે પણ નથી. આપ તે ધ્રુવપદમાં આરામ કરી રહ્યા છે. આ આખું સ્તવન વિચારણા માગે છે અને કોઈ વિભાગ ન બેસે તે પિતાથી વધારે વિદ્વાન કે ગુરુની પાસે તેની સમજણ લેવી, પણ સામાન્ય રીતે વાત બેસાડવા પ્રયત્ન કર્યો છે તે પ્રમાણે અર્થ બેસી જાય તે સારી વાત છે. (૮) ઉપસંહાર આ પ્રમાણે આ આનંદઘનજી (લાભનંદજી)ને નામે કોઈએ બનાવેલ આ પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન પૂર્ણ થયું. તે સ્તવનમાં કર્તાએ પોતાની વિદ્વત્તા દેખાડી છે, પણ તેની ભાષાને અને આનંદઘનજીની ભાષાને જેને પરિચય થયે છે અને શૈલી (slyle)તે જેણે અભ્યાસ કર્યો છે તે આનંદઘનજીએ પ્રથમ ૨૨ સ્તવને માં જે ભાષા વાપરી છે તેનાથી આ ભાષા જુદી પડે છે એ તુરત સમજી શકશે. આ સ્તવન કેઈ વિદ્વાન મુનિએ આનંદઘનજીને નામે બનાવેલ છે અને જોકે જ્ઞાનવિમલસૂરિ આને આનંદઘનના સ્તવન તરીકે જણાવે છે, પણ તે અન્ય કોઈની કૃતિ હોય એમ જરૂર લાગે તેવું છે. આ તેવીશમાં સ્તવનની રચના “ધ્રુવપદ રામી” એ શબ્દ ઉપર થઈ હોય તેમ લાગે છે. તીર્થકર અથવા સામાન્ય કેવળી એક વખત મોક્ષમાં જાય પછી આ સંસારમાં પાછા આવતા નથી, તેઓ અવતાર લેતા નથી; અને તેમનાં જન્મ-મરણને ક્ષય થયે તે જ ધ્રુવપદ છે. આ સિદ્ધના ધ્રુવતાથી હંમેશને માટે એ પદમાં રમણ કરનારા હોય છે. એ ધ્રુવપદને અંગે સ્તવનકારે સારા વિકલ્પ ઉઠાવ્યા છે. તેઓ પ્રથમ તો સવાલ ઉઠાવે છે કે સર્વ વસ્તુ જાણતા હોવાથી તેને સર્વવ્યાપી ગણી શકાય નહિ. હવે સર્વ વ્યાપી ગણવામાં એક મોટો દેષ આવે છે. કેટલાક જીવ અભવ્ય હોય છે, ઘણા જ મિથ્યાત્વી હોય છે. તે પરભાવને કેવળી કે પ્રભુ જાણે ખરા પણ તપ થતા નથી, નહિ તે સર્વવ્યાપી માનવામાં તેઓ પણ મિશ્યામતિ થઈ જાય, આ દષ્ટિબિંદુથી વિચાર કરતાં પ્રભુ કે કેવળી સર્વવ્યાપી નથી. તે તે પિતાની શુદ્ધ દશામાં મસ્ત રહે છે અને ધ્રુવપદમાં આરામ લે છે અને રમણ કરે છે. આ રીતે સર્વ વ્યાપિત્વમાં અનેક દોષે આવે છે તે વિચારી આ સ્તવનમાં એમ બતાવી આપ્યું છે, અને સર્વ વ્યાપિત્વને આખો સિદ્ધાંત જ રદ બાતલ કર્યો છે. આ રીતે આ સ્તવનમાં એક મહાન સિદ્ધાંતનું સ્થાપન કરવામાં આવ્યું છે અને તે રીતે આ સ્તવન ઘણું ઉપયોગી છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે સર્વવ્યાપિન્દુ માનવામાં આવતું નથી, પણ જ્ઞાનની દૃષ્ટિએ સર્વવ્યાપિત્વ છે અને તેમાંથી ખુલાસે મળે છે. અને પારસમણિની વાત તે દંતકથાથી ચાલી આવે છે. તે મણિથી કઈ પણ વસ્તુનું સેનું થઈ જતું હતું. આ વાતનું રહસ્ય આથિક દૃષ્ટિએ બેસે છે, બાકી એવા પારસમણિ Page #467 -------------------------------------------------------------------------- ________________ ર૩–૧ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૫૧ આજના સમયમાં મળતા નથી. તે ગમે તેમ હોય પણ સત્યનિષ્ઠા અને પ્રામાણિકપણું તથા અંગ મહેનત પાસે ધૂળમાંથી પણ સુવર્ણ મળી શકે છે એ રીતે એને બચાવ થાય છે. પણ પારસનાથે આવા પારસમણિને ઉપયોગ તે કોઈ વખત કર્યો હોય એવું જાણવામાં નથી. આ રીતે વાતને મૂકી દેવામાં કઈ જાતને વાંધો નથી. યંગ પાસે કઈ પણ સિદ્ધિ અશક્ય નથી, પણ સુજ્ઞ પ્રાણી તેને ઉપયોગ કરતા નથી, કરે તે મરણ ગણાય છે. મંદિષેણ જેવા સાધુઓ ભલે તેને ઉપયોગ કરે, પણ તે માર્ગ નથી, મુનિને કર્તવ્ય નથી, આવું આ સ્તવનનું રહસ્ય છે, તે અગાઉની પદ્ધતિ પ્રમાણે લખવામાં આવ્યું છે. બીજા અનેકે આ તેવીશમા પ્રભુનાં સ્તવન બનાવ્યાં છે, તે પણ આપણે જોઈ જશું, પણ તે આનંદઘનજીની કૃતિ તરીકે તે નહિ જ ગણવામાં આવે, માત્ર વીશીની સંખ્યા પૂરી કરવા તે અત્ર દાખલ કર્યા છે તેમ સમજવું. (૨૩-૧). મે : ૧૯૫૦ ] Page #468 -------------------------------------------------------------------------- ________________ ૨૩ (૨) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ભૂમિકા–આ સ્તવન જ્ઞાનસારના ટબામાં છે, પણ જ્ઞાનવિમળસૂરિને જે સ્તવન આનંદઘનનું પોતાનું કરેલું સાંપડ્યું તેમાં આ સ્તવન આવતું નથી. તેથી આ સ્તવન પર જ્ઞાનવિમળસૂરિને અર્થ-દબો જણાતું નથી, પણ તે અર્થ વગર મેં સ્તવન પર અર્થ લખે છે તે જ્ઞાનસારના અર્થને અનુસરીને લખે છે, આનંદઘનજીએ બાવીશ સ્તવનમાં બતાવેલ તત્વચર્ચા કેવી પ્રૌઢ અને રમતી ભાષામાં કરેલ છે તે સરખામણું કરવાની વાચકને અનુકૂળતા આવે તે માટે આ સ્તવન પણ મેં આ ગ્રંથમાં આનંદઘનજીની કૃતિ તરીકે, માત્ર સરખામણીની દષ્ટિએ, સ્થાન આપ્યું છે, પણ તે આનંદઘનજીની કૃતિ નથી એ તે ઉપલક ભાષા દૃષ્ટિએ પણ અનુમિત થાય છે. આ સ્તવન પર બહુ વિવેચન કે વિસ્તાર કરવાની જરૂર નથી, પણ તે સરખામણી કરવા યોગ્ય છે અને આનંદઘનજીની ભાષાથી તેની ભાષા તદ્દન જુદી પડી જાય તેવી છે, તે નોંધ કરવા લાયક બીના છે. આ સ્તવનમાં “સત્તા’ શબ્દ ઘણે ઉપયોગી અને કેન્દ્રસ્થાને છે એમ મને લાગે છે. સત્તા એટલે અંગ્રેજીમાં જેને potentiality કહે છે તે છે. એટલે પૂર્વકાળમાં જે કર્મ બાંધ્યાં હોય તે આત્મા સાથે લાગેલાં રહે અને તે તથા સંક્રમણ પામીને ફરી ગયેલાં કર્મો હોય તે આત્મામાં રહે તેનું નામ “સત્તા” કહેવામાં આવે છે. એટલે ઉદયમાં કર્મ ન આવે અને આત્મા સાથે સ્થિતિની રાહ જોતાં પડ્યાં રહે તે સત્તાગત કર્યો છે. એ કર્મો કયાં કયાં હોય એ વગેરેની વિગતવાર હકીક્ત બીજા કર્મગ્રંથમાં વિસ્તારથી ચર્ચવામાં આવી છે. તેવી જ રીતે સત્તાગત આત્મરિથતિ કેવી ભવ્ય છે, અને તેને પ્રયાસથી ઉદયમાં લાવી શકાય છે અને તેને પ્રતિભાસ પ્રાદુર્ભાવ થઈ શકે છે, એ સ્થિતિનું આ સ્તવનમાં વર્ણન છે. પોતાની વાત સત્તા ગતે છે, ભવિષ્યમાં પ્રયાસે પ્રાપ્ત થઈ શકે તેવી તે સ્થિતિ છે. અને એ સ્થિતિ કેવી રીતે પ્રતિભાસમાં લઈ આવવી તેને માટે આ મુમુક્ષુ જીવને સવાલ છે. પોતાની સત્તાગતભવિષ્યમાં પ્રાપ્ત કરવાની–સ્થિતિ અને ભગવાને પ્રાપ્ત કરેલી સ્થિતિ સત્તા અને પ્રાદુર્ભાવથી એકસરખી જ છે એમ આ સ્તવનમાં બતાવવા પ્રયાસ કર્યો છે, અને વ્યવહાર અને નિશ્ચયનયને એક ગણવામાં આવે તે ભગવાન અને આ જીવ એક સરખા જ છે એમ આ સ્તવનમાં બતાવવામાં આવ્યું છે. “આવિર્ભાવથી તેહ સયેલ ગુણ માહરે,' એટલે જ્યારે ભવિષ્યકાળમાં યોગ્ય પ્રયાસથી તે ગુણે મારામાં પ્રકટ થશે ત્યારે નિશ્ચયદષ્ટિએ સર્વ ગુણ મારામાં જ છે, મારા જ છે એમાં તફાવત એટલે જ છે કે તમારા ગુણે પ્રકટ થયેલા છે અને તે જ ગુણે મારામાં અંદર પડી રહેલા છે. આ છુપાયેલા અને પ્રગટ કરેલા ગુણોને મારે અને ભગવાનને આંતરે છે, Page #469 -------------------------------------------------------------------------- ________________ ર૩-૨: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૫૩ અને એ છેટાપણાને દૂર કરવાને જ આ પ્રયાસ છે. આ કેન્દ્રસ્થ વિચારને જુદી જુદી ભાષામાં અને જુદી જુદી પરિસ્થિતિમાં બતાવવામાં આવેલ છે. આ કેન્દ્રસ્થ વિચારને વિકાસ આ સ્તવનમાં કરવામાં આવેલ છે. તેના પર બહુ નેંધ કરવાની જરૂર નથી. આ મુદ્દાની વાત ધ્યાનમાં રહે અથવા ભૂમિકા તરીકે અગ્રવચનમાં ગણવામાં આવે તે આખું સ્તવન બરાબર સમજાઈ જાય તેવું છે. તેથી તે પર પ્રથમ ધ્યાન આપવું અને પ્રભુમાં અનેક ગુણો પ્રાદુર્ભાવ પામેલા છે અને આ પ્રાણીમાં તે સર્વ ગુણે પ્રચ્છન્ન ભાવે છે તે ધ્યાનમાં રહે તે આ સ્તવનને બાકીને ભાવ સ્પષ્ટ થઈ જશે; એ પ્રાથમિક વાત તરફ આ ઉપદ્રઘાતમાં ધ્યાન ખેંચવાની જરૂર જણાઈ છે. આ વાત ધ્યાનમાં રાખી આ સાદા સ્તવનને વિકાસ કરીએ તે માગ ઘણો સરળ થઈ જશે. સ્તવન (શાન્તિ જિન એક મુજ વિનતિ—એ દેશી) પાસ જિન તાહરા રૂપનું, મુજ પ્રતિભાસ કેમ હોય રે, તુઝ મુજ સત્તા એકતા, અચલ વિમલ અકલ જોય રે, પાસ) ૧ અથ_શ્રી પાર્શ્વનાથ ભગવાન ! તારા રૂપને મારામાં સાક્ષાત્કાર કેમ થાય? એક રીતે સત્તાએ તે તારામાં અને મારામાં અભિનપણું છે–એક્તા છે. આપ આપના સ્વરૂપથી ચલાયમાન થાઓ તેવા નથી, તેમ હું પણ સત્તાતે ખસું તે નથી. તમે કર્મરહિત છે, તેમ સત્તાએ મને કર્મ લાગતાં નથી (નિશ્ચયનય). અને આપ કેઈથી કળી–જાણી શકાએ તેવા નથી, તેમ હું પણ અકળ છું તે દેખીને-વિચારીને હું આપને પૂછું છું કે આપનું સ્વરૂપ હું પ્રત્યક્ષ કેમ કરી શકું? (૧) વિવેચન–હે શ્રી પાર્શ્વનાથ પ્રભુ! તારું રૂપ જે છે તેનું જ્ઞાન-આવિર્ભાવ મને કેમ થાય? તે રૂપ ચલાયમાન થતું નથી, તું તે એકસરખે અચલાયમાન-સ્થિર રહે છે, તે તદ્દન નિર્મળ છે-કર્મમેલથી અલિપ્ત છે અને સમજી ન શકાય તેવે છે. અને મારે અને તારે સત્તાએ તે એકતા છે. તે તારું જે સ્વરૂપ છે તેવું મારે કેમ આવિર્ભાવ પામે?—એ મારે આપને સવાલ છે. સત્તાગત કર્મ એ પૂર્વે બાંધેલાં કર્મો પૈકીનાં કર્મો ઉદય અથવા ઉદીરણ પામે, પણ જેને કાળ ન પાક્યો હોય તે સત્તામાં પડ્યાં રહે. પણ સત્તાની નજરે જોઉં અને તમારા અને શબ્દાર્થ–પાસ જિન = તેવીસમા તીર્થંકર, જિનદેવ. તાહરા = તારા, આપના. રૂપનું = સ્વરૂપનું. મુજ = મને. આ જીવને. પ્રતિભાસ = સાક્ષાત્કાર, દેખવું તે. કેમ = શી રીતે. હાય = થાય, બને. તુજ = તમારી, આપની, તારી. મુજ = મારી. સત્તા = Potentiality, હોવાપણું. એકતા = એકત્વ, સરખી. અચલ = ચાલે નહિ તેવી, ખસે નહિ તેવી. વિમલ = નિમળ, મેલ વગરની. ( નિશ્ચયનયે શુદ્ધ.) અકલ = સમજ્યામાં ન આવે તેવી, જાણી ન શકાય તેવી. જેય = જોઈને, દેખીને, જાણીને. (૧) ૧. આ સ્તવન ભીમશી માણેકના પુસ્તકમાં છપાયેલ છે, તે પરથી લીધું છે. બીજી કોઈ પ્રતમાં આ સ્તવન મળ્યું નથી, તેથી આ સ્તવનને કોઈ પાઠાંતર ન નથી. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪] શ્રી આનંદઘન-ચવીશી મારા સ્વરૂપને વિચાર કરું છું તે તમે અચલ, વિમળ અને અકય છે, તેવી જ રીતે સત્તાગતે હું પણ તે જ છું. આપનામાં જે અનેક ગુણે છે તે પૈકી ત્રણ ગુણ અચળતાને, વિમળતાને અને અકખ્યતાને સત્તાગને મારામાં પણ છે, તે હવે મારા ગુણ આવિર્ભાવ શી રીતે પામે અથવા પ્રગટ કેમ થતા નથી તેનું કારણ આપ મને જણાવો, સ્પષ્ટ કરે. આપ અચળ છો, આપના મૂળ ગુણથી ખસતા નથી. આપ નિર્મળ છે, આપને કમને મેલ લાગત નથી, આપ ન સમજી શકાય તેવા અકથ્ય છે. તે અનેક ગુણ પૈકી સત્તામાં એ ત્રણ ગુણે મારામાં પણ છે, તે આપના ગુણે આવિર્ભાવ પામ્યા અને હું તે શું તે જ રહ્યો, તે મારા એ ગુણ આવિર્ભાવ કેમ પામે અને આપના જે હું કઈ રીતે થાઉં, તેનું કારણ મને સમજાવો. આ પ્રશ્ન સ્વાભાવિક છે. હવે તેને પાર્શ્વનાથ શે જવાબ આપે છે, તે હવે પછીની ગાથામાં જણાવે છે તે લક્ષ્ય પૂર્વક વિચારવા જેવો છે. મુઝ પ્રવચન પક્ષથી, નિશ્ચય ભેદ ન કોય રે વિવહારે લખી દેખીએ, ભેદ પ્રતિભેદ બહુ લાય રે. પાસવ ૨ અર્થ–પ્રભુ તે સવાલનો જવાબ આપે છે, શુદ્ધ શાસ્ત્ર દષ્ટિએ, નિશ્ચયનયે જોઈએ તે મારામાં અને તારામાં કાંઈ તફાવત નથી. વ્યવહારનયની અપેક્ષાએ વિચાર કરીએ તો તે મારામાં અને તારામાં તફાવત અને પેટભેદો અનેક છે, તે જોવા લાયક છે. (૨) વિવેચનસત્તાગતે પિતામાં રહેલા પ્રભુના ગુણે પ્રગટ કરવાની ઇચ્છાથી પૂછેલા સવાલને પાર્શ્વનાથ ભગવાન આ જીવને નીચે પ્રમાણે જવાબ આપે છે. મારા પ્રવચન પક્ષથી નિશ્ચયન મારામાં અને તારામાં કોઈ પ્રકારને ભેદતફાવત નથી, નિશ્ચયનયે આત્માને કર્મ લાગતાં નથી સત્તાગને તું મારી પેઠે અચલ, વિમળ અને અકખ્ય ગણી શકાય; અને જ્યારે વ્યવહારનયે વિચાર કરી જોઈએ ત્યારે એના અનેક ભેદ અને પેટભેદ થાય એવી સ્થિતિ છે. જૈન દ્રવ્યાનુયેગમાં નિશ્ચય અને વ્યવહાર બે પ્રકારનાં દૃષ્ટિબિંદુઓ છે, એકને દ્રવ્યાર્થિકનય કહે છે, બીજાને પર્યાયાર્થિકનય કહે છે. એ દ્રવ્યાર્થિકનયના ચાર ભેદ છે અને પર્યાયાથિકનયના ત્રણ ભેદ છે. દ્રવ્યાકિનયની સત્તાગત અપેક્ષાએ જોઈએ તે મારામાં અને તારામાં જરા પણ તફાવત નથી, અને જે પર્યાયાથિકનયે વિચારીએ તે ભેદ અને પેટભેદને પાર નથી. દેવ. મનુષ્ય, નારકી અને તિર્યંચ એના ભેદ છે, અને હાથી, ગાય, બળદ, પોપટ, કાગડે, કબૂતર, સર્પ, શિયાળ વગેરે એના અપરંપાર પેટા ભેદો છે. એમાંથી કઈ નજરે આ જીવ તરફ અને ભગવંત તરફ જોવામાં આવે છે તે ઉપર ઘણે આધાર છે. વસ્તુને જોવા માટે દૃષ્ટિબિંદુ શબ્દાર્થ–મુઝ = મારી. અને પ્રવચન = શાસ્ત્ર, નિશ્ચયનયે પક્ષથી = વાદથી, મતથી. નિશ્ચય = નિશ્ચયનયે ધોરણે. ભેદ = જુદા પડે તેવું સ્વરૂપ. ન કોય = ન કોઈપિ, કોઈ નથી. વિવહારે = વ્યવહાર, વ્યવહારનયે. લખી = જાણીએ. દેખીએ = જોઈએ, અવલોકીએ. ભેદ = જુદા પડવાનું. પ્રતિભેદ = પેટા ભેદ, સામા ભેદ. બહુ = ઘણા. લેય રે= થાય, જણાય, સમજાય. (૨) Page #471 -------------------------------------------------------------------------- ________________ ર૩-૨ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૫૫ ધ્યાનમાં લેવું પડે, કઈ નજરે એની સામે જોવામાં આવે છે તે જોવાનું છે. એક રીતે આ જીવમાં અને ભગવંતમાં જરાપણ તફાવત નથી અને બીજી રીતે તેમની વચ્ચેના તફાવતે પાર વગરના છે. આ જવાબ સમજવા ગ્ય છે અને સાચો છે. દષ્ટિબિન્દુને તફાવત એ જૈન દ્રવ્યાનુયેગને મહત્ત્વને વિષય છે અને તે જુદાં જુદાં દષ્ટિકોણ લક્ષ્યમાં લેવા યોગ્ય છે. (૨) બંધન મેખ નહિ નિશ્ચયે, વિવહારે ભજ દોય રે, અખંડિત અબાધિત સોય કદા, નિત અબાધિત સોય રે. પાસ) ૩ અથ_નિશ્ચયનયથી આત્માને કર્મને બંધ અને કર્મથી મુકાવું થતું નથી, પણ વ્યવહારથી એને બન્ને પ્રકારની બાધા-પીડા થાય છે. અને કદાચિત એ પીડાને ભેગવે છે પણ ખરે, બાકી નિશ્ચયનયે એ અવ્યાબાધ છે, નિરંતર બાધા-પીડા રહિત છે. (૩) - વિવેચન–શ્રી પાર્શ્વનાથ ભગવાન આ જીવને આત્માનું વધારે સ્વરૂપ સમજાવે છે. એને કઈ પ્રકારે બંધ નથી અને બંધ ન હોય તેને મોક્ષ તે હોય જ નહિ. આ સર્વ નિશ્ચયનયની વાત છે, એ અપેક્ષા તારે ધ્યાનમાં રાખવી, અને તારે સવાલ હતો કે એ અચલ છે કે નહિ? તે અમુક દષ્ટિએ એ અખંડિત છે અને બીજી દષ્ટિએ એ ખંડિત છે, અચલ નથી અને નિશ્ચયનયે એ અબાધિત છે, પણ વ્યવહારનયે બાધિત છે. પ્રથમ ઉપર જે વાત કરી તેના અનુસંધાનમાં પ્રભુ પિતે કહે છે એને કમને બંધ જ નથી, આત્માના આઠ રુચક પ્રદેશ તે તદ્દન નિર્મળ રહે છે એમ જ્ઞાની કહે છે. અને નિશ્ચયનયે અરૂપી આત્માને પિદુગલિક કર્મો લાગતાં જ નથી, અને જે આત્માને કર્મને બંધ જ નથી, તેને તેનાથી છૂટાવાનું કેમ જ હોય? એટલે નિશ્ચયનયે આત્માને કર્મને બંધ અથવા મેક્ષ થતો નથી. અને કઈ વાર એ અખંડિત હોય છે. તેને ઉપર અચળને અર્થ કરતાં જણાવ્યું તેમ એ કોઈ વાર અખંડિત ન પણ હોય, એટલે ખંતિ હોય. એ શુદ્ધ દશામાં હોય ત્યારે એને બાધા-પીડા પણ હોય જ નહિ, એટલે એ નિત્ય અબાધિત અવસ્થામાં હોય છે, અને વ્યવહારથી એ બાધિત પણ છે. આવી આત્માની સ્થિતિ છે, એ સમજવું. આ વાત બીજી ગાથામાં કહેલી વાતને વિસ્તાર છે. આ પ્રકારે આત્માને અનેક દષ્ટિબિંદુથી જાણવું જોઈએ. (૩) શબ્દાર્થ–બંધન = કમનું બાંધવું તે, કમને બંધ. મોખ = મોક્ષ, કર્મથી મૂકાવું, તદ્દન કર્મ રહિત થવું. નહિ = નથી, હોય નહિ. નિશ્ચયે = નિશ્ચયનયની અપેક્ષાએ. વિવહારે = વ્યવહાર, વ્યવહાર નયની અપેક્ષાએ. ભજ = સમજ, જાણ, અવધાર. દેય રે = બે છે, જુદા છે. અખંડિત = જેના ટૂકડા ન થઈ શકે તેવો. અબાધિત = જેને કોઈ પ્રકારની બાધા-પીડા ન થાય તેવો. સેય = આત્મા, તે આત્મા. કદા = કોઈ વાર. નિત = નિત્ય, હમેશા. અબાધિત = અવ્યાબાધ, પીડા જેને કોઈ વખતે પણ ન થાય તેવો. (૩). Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] શ્રી આનંદઘન–વીશી અન્વય હેતુ વ્યતિરેકથી, અંતરો તુઝ મુઝ રૂપ રે; અંતર મેટવા કારણે, આત્મસ્વરૂપ અનૂપ રે પાસા ૪ અથ—અન્વયને કારણે અને વ્યતિરેકને (વિવેચન જુઓ) કારણે મારી અને તમારી વચ્ચે આ છેટાપણું પડી ગયું છે, તમે લેકને છેડે ગયા છે અને હું અહીં રહી ગયું છું. અને તેથી તમે અને હું જુદા જુદા રૂપે થઈ ગયા છીએ. એ છેટાપણું અળસાવવા માટે આત્માનું સ્વરૂપ જે અનુપમેય છે, કોઈની સાથે સરખાવી શકાય તેવું નથી, તે જાણવું ઘટે. (૪) વિવેચન–-સવાલને સીધે જવાબ આપતાં ભગવાન કહે છે કે મારે અને તારો જે આંતરે પડ્યો છે, જે છેટાપણું દેખાય છે, તે મારા સ્વરૂપને કારણે છે. હવે એ આંતર દૂર કરવા માટે આત્માનું સ્વરૂપ જે અનુપમ છે, જેને બીજા સાથે સરખાવી ન શકાય તેવું છે, તેને તે પ્રાપ્ત કર. ન્યાયમાં બે પ્રકારની વ્યાપ્તિ હોય છે અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ. ચત્ર ચત્ર ધૂમઃ તત્ર તત્ર વાઢિ –એટલે જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ જરૂર હોય, ધૂમાડાના સદુભાવે અગ્નિને સદ્ભાવ સમજી જ લે. આવી હકારાત્મક સ્થાપનાને, જ્યાં એક હોય ત્યાં બીજાની હાજરી હોય જ એવી સાર્વત્રિક હાજરીને, અન્વયવ્યાપ્તિ કહેવામાં આવે છે. અને ચત્ર વચમાવઃ તત્ર ધૂમ માવ એટલે જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધૂમાડાને અભાવ હોય છે એ વ્યતિરેકવ્યાપ્તિ. અન્વયવ્યાપ્તિ હકારાત્મક હોય છે અને વ્યતિરેકવ્યાપ્તિ નકારાત્મક હોય છે. અહીં પ્રભુ કહે છે કે મારા અને તારામાં આંતરે પડવાનું કારણ અન્વય અને વ્યતિરેકવ્યાપ્તિ છે. એમાં અન્વયવ્યાપ્તિ એ છે કે ચત્ર ચત્ર સ્વરૂપ તત્ર તત્ર પરમાતમમાઃ –જ્યાં સ્વરૂપ હોય ત્યાં પરમાત્મભાવ હોય અને વ્યતિરેકવ્યાપ્તિ એ કે જ્યાં સ્વરૂપને અભાવ હોય ત્યાં પરમાત્મભાવને અભાવ હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં રમણ કરવું એ સ્વરૂપ છે, નિજરૂપ છે, આત્માનું રૂપ છે. આ તારામાં ન હોવાથી તારામાં પરમાત્મભાવને અભાવ છે. આંતરે પડવાનું આ કારણ છે. આ આંતર દૂર કરવા માટે સ્વરૂપની પ્રાપ્તિ કરવી તે અનુપમ ઉપાય છે, કોઈની સાથે સરખામણી કરી ન શકાય તે તે ઉપાય છે. એટલે ઉપર જે વાત સત્તાગને તારામાં હતી તે તારે આવિર્ભાવ રૂપે પ્રાપ્ત કરવી એ જ આત્મસ્વરૂપ પામવાને ઉપાય છે. એટલે સત્તાગતે રહેલા તારા મૂળ રૂપને તું યોગ્ય પ્રયત્ન આવિર્ભાવ પમાડે એ માર્ગ છે. ઉપરની વાત ન્યાયની પરિભાષામાં ભગવંતે જણાવી એ આ ગાથાને ભાવ છે. આ સવાલનો વધારે વિગતવાર જવાબ આવતી ગાથામાં સ્તવન કર્તા આપે છે, તે હવે આપણે જોઈએ. (૪) | શબ્દાર્થ-અન્વય = જ્યાં એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુ હોય. હેતુ = કારણ, તેને લઈને. વ્યતિરેક = જ્યાં એક વસ્તુ ન હોય ત્યાં બીજી વસ્તુ પણ ન હોય ( તે તથા અન્વયે તકના શબ્દો છે.) અંતર = આંતર, છેટાપણું. તુઝ = તું, પૂછનાર. મુઝ = મારી. રૂ૫ રે= જુદા જુદા દેખાય છે. અંતર = છેટાપણું. દરપણું. મેટવા = અળસાવવા, બંધ કરવા. કારણે = કારણથી, આત્મ = આમાનું, આત્મિક સ્વરૂપ = રૂપ, તેની સિદ્ધતા. અનૂપ = જેને કોઈની ઉપમા આપી ન શકાય તેવું, નિરુપમ. (૪) Page #473 -------------------------------------------------------------------------- ________________ ર૩-૨ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૫૭ આતમતા પરમાત્મતા, શુદ્ધ નય ભેદ ન એક રે; અવર આરોપિત ધર્મ છે, તેહના ભેદ અનેક રે. પાસ ૫ અર્થ_આ આત્મા છે, બહિરાત્મા છે કે અંતરાત્મા છે અને તે પરમાત્મા છે, પણ શુદ્ધ નયે એ કોઈ તફાવત નથી. આ અને બીજા આરોપ કરેલા ધારેલા ધર્મ છે, તેને તે ઘણા પ્રકાર છે, પણ તે સર્વ માની લીધેલા ભેદ છે. (૫) વિવેચન–આત્મતા અને પરમાત્મતામાં શુદ્ધ નયની નજરે જરા પણ તફાવત નથી. નિશ્ચયનયથી આત્મત્વ અને પરમાત્મત્વ બન્ને એકસરખાં જ છે, એમાં જરા પણ તફાવત નથી. બાકી બીજા એના ધર્મો છે તે તો આરોપ કરેલા છે, તેના ઉપર ઘારી લીધેલા-લાદેલા ધર્મો છે અને એવા તે અનેક પર્યા છે. અને પ્રત્યેક પર્યાય તે તેના પ્રકારે છે. નિશ્ચયનયની નજરે આગળ જણાવ્યું તેમ, આત્મા એ જ પરમાત્મા છે અને તે બને વચ્ચે જરા પણ તફાવત નથી. બાકી કર્મોથી એ દેવ થાય, મનુષ્ય થાય, નારક થાય કે તિર્યંચ થાય, તેમ જ એકેદ્રિય થાય, દ્વીદ્રિય થાય ગરીબ થાય કે તાલેવત થાય, તેમ જ રેગી કે નરેગી થાય, સૂફમ થાય કે બાદર થાય, કીર્તિમાન થાય કે અકીર્તિમાન થાય વગેરે અનેક ભેદ પડે છે, પણ એ કમેં કરેલા આરેપિત ધર્મ છે; આત્મા એની મૂળ દશામાં તે નિઃકર્મા છે; શુદ્ધ દશાએ તે એ અને પરમાત્મા એકસરખા છે, એમાં જરા પણ તફાવત નથી. બાકી આ આત્મા કે થઈ શકે તે હજુ પણ વધારે જાણવું હોય તે આવતી અને છેલ્લી ગાથા જુઓ. (૫) ધરમી ઘરમથી એકતા, તેહ મુજ રૂપ અભેદ રે; એક સત્તા લખ એકતા કહે તે મૂઢમતિ ખેદ રે. પાસ. ૬ અથ—અને ધર્મ અને ધર્મની તે એકતા કહેલી છે તે દૃષ્ટિએ જોતાં મારામાં અને તારામાં અભેદ છે, કાંઈ તફાવત નથી. સત્તાને એક જાણવાથી તારે એકતા સમજવી; પણ એવી એકતાને એકતા માનવાને મૂખમતિ ખેદ સાથે પ્રયાસ કરે છે, એવું સમજનાર મૂખ છે. (૬) વિવેચન – હવે સત્તાગત એકતાને એકતા માનવામાં એકાંત પક્ષ લેતાં ભૂલ થાય છે તે ' શબ્દાર્થ—આતમતા = આત્મતા, આત્મા હોવાપણું. પરમાત્મા = પરમાત્મા હોવાપણું. શુદ્ધ નય = નિશ્ચયનય. ભેદ = જુદાપણું, પૃથપણું. ન એક = કઈ પણ નથી. અવર = બીજા. આરોપિત = આરોપ કરેલા ધારેલા, માનેલા. ધર્મ = વસ્તુ, ખાસિયત. તેહના = તેના ભેદ = પ્રકાર. અનેક = ઘણા, એકથી વધારે. (૫) . | શબ્દાર્થ –ધરમી = જેને ધમ હોય તે. ધરમથી = ધમ સાથે, ધમ થકી. એકતા = એકત્વ, એકપણું. તેહ = તે. મુજ = મારી, રૂપ = સ્વરૂપે, અભેદ = એક્તા. એક સત્તા = એક સત્તા, એકવ. લખ = જાણે છે. એકતા = એકપણું. કહે = જાણે, સમજે. મૂઢમતિ = મૂખ. ખેદ = પ્રયાસ છે. (૬) ૫૮ Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ] શ્રી આન’ઘન-ચાવીશી બતાવે છે અને પછી છેવટે આત્મા પરમાત્મ કેમ થાય તેના માર્ગ બતાવે છે. પાર્શ્વનાથ ભગવાન હવે સ્યાદ્વાદધર્મનું સ્વરૂપ સમજાવતાં કહે છે: ધર્મી અને ધર્મની એકતા છે, અને તે દૃષ્ટિએ મારામાં (પ્રભુમાં) અને તારામાં અભેદ છે, પણ તે સત્તાગતે એકતા છે, તેને એકતા કહેવી તે મૂખ અણુશીખેલા માણસને નકામા પ્રયાસ છે. જે વાત કરી હતી. તે હવે ફેરવી નાખે છે. ધર્મી અને ધર્માંની એકતા છે એટલે માણસનું મનુષ્યત્વ તે એક જ છે, અને તે રીતે તારામાં અને મારામાં એકતા છે, પણ અનેકાંતાષ્ટિએ સત્તાગત એકતાને–ભવિષ્યમાં થવાની એકતાને એકતા કહેવી તે અયુક્ત છે, એટલે અત્યાર સુધી તે જે પ્રયાસ કર્યાં તે તારી મૂઢતા છે, એવે પ્રયાસ કરવા તે અસ્થાને છે, અણુઘટિત છે. એને માટે કેવા પ્રયાસ કરવા જોઇએ તે છેલ્લી ગાથામાં બતાવશે અને સવાલને છેવટે પ્રભુ જવાબ આપશે. આ ગાથામાં અનેકાંતવાદનું સ્વરૂપ બતાવ્યું છે તે બહુ સુંદર છે. સત્તાગત એકતા તા છે જ, પણ તેને એકતા મનાવવામાં કે માનવામાં મૂર્ખાઇ થાય છે, એકાંત પક્ષ થઈ જાય છે, તે અયેાગ્ય છે; એ તેા ભવિષ્યમાં થવાની વાતને વર્તમાનમાં થવાની છે, એવું રૂપક છે એ એકાંત થઈ જાય છે. (૬) આતમધરમ અનુસરી, ૨મે જે આતમરામ રે; આનંદધન’પદવી લહે, પરમ આતમ તસ નામ રે. પાસ૦૭ અથ—આત્માના મૂળ ગુણુના અંગીકાર−તેનું અનુસરણ કરે અને જે તેમાં રમણ કરે તે આત્મારામ છે. અને તે આનંદના સમૂહની પદવીને પ્રાપ્ત કરે અને તેનું નામ પરમાત્મા છે. એટલે ત્યાં એકતા થાય છે. (૭) વિવેચન—આવી રીતે સત્તાગત એકતા સમજવા જેવી છે. પણ તે પાતે અનુસરવા યાગ્ય કે માનવા યાગ્ય અને તેના પર આધાર રાખવા યગ્ય નથી, કારણ કે અનેકાંતદૃષ્ટિબિન્દુથી જોવાની છે. અને તેની એકાંતાષ્ટિ કરતાં મોટા ગોટાળા થાય તેમ છે. આવી અનેકાંતદૃષ્ટિને એકાંત જોવાની ભૂલ ન કરવી. આવી ગૂંચવણ ઊભી થઈ તેને, ભગવાન કહે છે કે, આત્મધર્મ જાણી-સમજીને તેને અનુસરે, તે પ્રમાણે ન કરે તે આત્મારામ થાય છે, તેમાં રમણ કરે છે. અંતે તે આનદઘનની પદવી પ્રાપ્ત કરી પરમાત્માનું નામ પામે છે. એટલે સ` વાતને આધાર આત્મધર્મીના અનુસરણને અવલંબે છે. આ તે સંસારના ચક્કરમાં પડવું અને આત્મારામની વાત કરવી એ એ વાત અને તેમ નથી. જો આનદઘન પદવી પ્રાપ્ત થાય તે તે પરમાત્મા થાય છે, કહેવાય છે. આપણે પરમાત્માનું સ્વરૂપ પાંચમા સ્તવનમાં વિસ્તારથી જોઈ ગયા છીએ. જે આત્માના મૂળ ગુણમાં રમણ કરી આત્મામાં લીન થઇ જાય એ પરમાત્માનું પત્તુ પામે. શબ્દાર્થ——આતમધર્મ = આત્મધમ', પોતાના ધમ. અનુસરી = તેની પાછળ જઈ, અંગીકાર કરી. રમે = રમણ કરે, તદાકારપણું પામે. આતમરામ = આત્મરામ. તે આનંદધન = આનંદના સમૂહ. પદવી = સ્થાન, મહેાય. પરમ આતમ = પરમાત્મા. તસ = તેનું. નામ = તેનું અભિધાન. (૭) Page #475 -------------------------------------------------------------------------- ________________ ૨૩-૨: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૫૯ આ વાત સમજવા જેવી છે. સંસારમાં કે પૌગલિક ભાવમાં રમવું અને સત્તાગતે હું પિતે પ્રભુ સાથે એક છું એવી વાત કરવી, એમ આનંદઘન પદવી હાથમાં આવી જતી નથી. આત્માના મૂળ ગુણમાં રમણ કરી અંતરાત્મભાવ આદર અને પરમાત્મા થવું એ સર્વ આ જીવથી યોગ્ય પ્રયત્ન બને તેવું છે, પણ તે સ્થિતિ તે પ્રાપ્ત થાય ત્યારે વાત છે. અત્યારે સરખાઈમાં આવી જવાનો પ્રયત્ન કરવા જેવો છે, પણ આરોપિત ધર્મને અંગે ગેરસમજૂતીમાં રહેવા જેવું નથી અને અનેકાંતધર્મને પિતાના એકાંતવાદમાં ખેંચી લઈ જઈ પિતાની જાતે છેતરપીંડી કરવામાં કઈ જાતને લાભ નથી. આનંદઘનના નામે આ કઈ પૂર્વ પુરુષની કૃતિ છે, પણ આનંદઘનજીના કાવ્યથી એ જુદું પડે તેવું સ્તવન છે, પણ કૃતિ સુંદર અને સમજવા લાયક છે. (૭) ઉપસંહાર આ રીતે પાર્શ્વનાથનું આ સ્તવન પૂર્ણ થાય છે. જ્ઞાનસારના ટબા પ્રમાણે તે આનંદઘનજીનાં પિતાનાં કરેલાં આ બે સ્તવને હતાં તે પ્રતે ઉપરથી જડ્યાં. અને તે બે પ્રતના લખનારે એવું લખ્યું હતું કે એ બે સ્તવને આનંદઘનજીનાં સ્વકૃત છે. આ સ્તવને અર્થ જ્ઞાનસારે કર્યો છે. આ સ્તવનને કેન્દ્રસ્થ વિચાર “સત્તા’ શબ્દ ઉપર છે. તે ઉપર કેટલાક વિચાર ભૂમિકામાં બતાવવામાં આવ્યા છે. તેટલે જ અગત્યને વિચાર પરમાત્માને છે. પરમાત્મા શબ્દ ઉપર જરૂરી વિવેચન આગળ પાંચમા સ્તવનના વિવેચનમાં થઈ ગયું છે. આ શરીરે પરમાત્મા થઈ શકાય છે અને અમુક અપેક્ષાએ સત્તાગને આ આમા પરમાત્મા જ છે, આ દષ્ટિબિન્દુ સમજવું અને આ આત્માનું પરમાત્મપદ પ્રાપ્ત કરવું તે માટે આપણો સર્વ પ્રયાસ છે અને આખા સ્તવન એ જ કેન્દ્રસ્થ વિચાર છે. શુ વિચાર છે. બાકી, આત્માના આરેપિત ધર્મમાં મચી જવું નહિ. તે પિતાના ધર્મ તે જરૂર છે જ, પણ હાલ પિતાના ધર્મ છે એમ પિતે માની-મનાવી લેવું નહિ. પ્રયાસ કરતાં એ ધર્મ પ્રાપ્ત કરી શકાય છે. અને આત્મારામ કરવા માટે એ જરૂર પ્રાપ્ત કરવા જેવા છે એ વાત બરાબર લયમાં રાખવા જેવી છે. બાકી આ પ્રાણીને દેહ, ધન, પુત્ર વગેરેને અધ્યાસ એવો પડી ગયે છે કે તે છૂટ અને આત્માના મૂળગુણમાં રમણ કરવું એ જરા પ્રયત્નસાધ્ય વાત છે, પણ અશકય નથી. જે તેના સંબંધમાં ચીવટ રાખવામાં આવે તે તે થઈ શકે તેવી બાબત છે. પણ પ્રાણી અધ્યાસ છેડે નહિ અને છતાં, વાંદરાની પેઠે, એમ માને કે પિતાના સંબંધે જ તેને છોડતા નથી. વાંદરાને પકડવા માટે એક ગાગરમાં બેર ભરે છે. વાંદરે તેમાં હાથ નાંખે છે, પછી હાથ છોડતું નથી અને માને છે કે એને બેરે પકડી રાખે છે. મદારી આવી ગળે દોરડું બાંધી એને એક ચાબુક મારે ત્યાં હાથ છૂટી જાય છે, ત્યારે તેને મેડી મોડી ખબર પડે છે કે બારે તેને પકડ્યો નથી, પણ પોતે બેરને પકડી રાખેલ હતાં! પણ આ સમજણ ઘણી મોડી આવે છે. તેવી જ રીતે આ પ્રાણ ધન, દેહ, પુત્ર વગેરેને પકડી રાખે છે અને માને છે Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦]. શ્રી આનંદઘનચોવીશી એમ કે તેમણે આ પ્રાણીને પકડી રાખેલ છે. વસ્તુતઃ તેમ છે જ નહિ, પણ યમને એક આંચ કે વાગે ત્યારે તેને અધ્યાસ છૂટી જાય છે અને ડહાપણ આવે છે, પણ તે તે ઘણું મોડું થઈ પડે છે. આવી જીવનની સ્થિતિ છે. પણ જેણે પરમાત્મપદ પ્રાપ્ત કરવું હોય તેને વહેલું આવે છે, તે આત્મારામમાં રમણ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે, પણ તેને માટે પુરુષાર્થ કરે પડે છે, દુન્યવી ભેગેને વિચારવા પડે છે અને તપ તપવાં પડે છે. આ અનેક કષ્ટો દુનિયામાં પણ સહન કરવો પડે છે, પણ જેનું લક્ષ્યસ્થાન પરમાત્મા થવાનું હોય છે તે સાધ્ય સ્થાને પરમાત્માને ભજે છે અને સાધ્યના ફેરફારે લાભપ્રાપ્તિને અંગે ઘણો મોટો ફેર પડે છે. આ વાત આ સ્તવનમાં સમજવા જેવી છે અને બરાબર સમજીને વ્યવહારમાં મૂકવા જેવી છે. (૨૩-૨) જૂન : ૧૯૫૦ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૨૩ (૩) શ્રી જ્ઞાનવિમલસૂિિવરચિત શ્રી પાશ્ર્વનાથ જિન સ્તવન ભૂમિકા—આ પાર્શ્વનાથનુ સ્તવન જ્ઞાનવિમલસૂરિએ બનાવી તેની આખરે પોતાનું નામ મૂકયુ છે અને તેના અર્થ પણ લખ્યા છે. જ્ઞાનવિલાસના કર્તા આવું તદ્ન સાદું` સ્તવન લખે એ નવાઇ ભરેલું લાગે તેમ છે. તેને અં પણ ઉઘાડો હોવાથી એના પર બહુ વિસ્તારથી વિવેચન કરવામાં નહિ આવે. એમાં આનંદઘનજીની ભાષા કે ઊંડાણુ મને જણાયાં નથી અને તે સરખામણી કરવા માટે જ એને અહીં ૨૩ (૩) અને મહાવીરસ્વામીના સ્તવનને ૨૪ (૩) તરીકે સ્થાન આપેલ છે. જ્યાં સુધી આ પ્રાણી પૌદ્ગલિક વિષયે કે અહીં મળેલાં સગાંઓમાં રાચીમાચી રહે ત્યાં સુધી એ નિજ સ્વરૂપને ઓળખતા નથી, અને પરભવ–પૌદ્ગલિક ભાવમાં રમણુ કરે છે ત્યાં સુધી એને નિસ્તાર થતા નથી, પણ એ એક ખાડામાંથી નીકળી બીજા ખાડામાં પડે છે અને વિચિત્ર પ્રકારનાં જુદાં જુદાં જીવન પસાર કરે છે. થોડાં વર્ષ સુધી એ રાજ્ય કરે છે. કોઈ પ્રધાન થાય છે, કોઇ દીવાનગીરી કરે છે, કોઈ નોકરી કરે છે, કોઈ શેઢીએ બને છે અને કોઇ ગુલામગીરી કરે છે એમ પેાતાને જે અનેક પ્રકારના પાઠ ભજવવાના મળે તે થાડાં કે વધારે વર્ષો સુધી ભજવી અંતે વીસરાળ થઈ જાય છે અને પાછા બીજી જગ્યાએ બીજો જ પાઠ ભજવે છે અને નવાં સગાંઓ–સંબધીઓ કરે છે. એ અનેક ખટપટા કરે છે, અને દુનિયાની અરધી–ઝાઝી સમજણુ પાતામાં છે એમ માની પોતાની નજર ખૂબ પહોંચાડવાનો દાવા કરે છે. અને આ પ્રમાણે મનુષ્ય થાય ત્યારે તો સમજ્યા, પણ કોઇ વાર તિય ચ ગતિમાં જઇ ત્યાં મૂંગે મોઢે માર સહન કરે છે અને ભૂખ્યા તરસ્યા રહે છે અને મરજી ન હોય તા પણ જોતરે જોડાય છે. આમાં જો એના જીવનનું પૃથક્કરણ કરવામાં આવે તે સુખ જેવુ કાંઈ દેખાતું નથી, છતાં અદ્ભુત વાત તો એ છે કે કોઈને-ઘણાખરાને-આમાંથી નીકળવાનું અને સાચું શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનું મન પણ થતુ નથી અને કોઇ સંસારમાંથી જાય ત્યારે એ પાકે પાક રડે છે. પણ અંતે સર્વને માટે એ જ મા છે એ તે જાણે છે, છતાં તદનુસાર વન કરતા નથી, કરવાનું મન પણ કરતા નથી. આ સ્તવનમાં આવા આવા વિચાર। બતાવ્યા છે તે ચાલુ વિચારે છે, અને ઘણાએ અનેક સ્થાને બતાવ્યા છે, તેથી અર્થ સમજવા પૂરતું જરૂરી વિવેચન જ આ સ્તવનને અંગે કરવામાં આવશે. જ્ઞાનવિમલસૂરિની આ ગંભીર કૃતિ છે એમ ધારી એનું મનન કરવું. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ આનંદઘન-ચાવીશી સ્તવન ( કહેણી કરણી તુજ વિષ્ણુ સાચા કોઈ ન દેખ્યો જોગી—એ દેશી ) પાસ પ્રભુ પણમું શિર નામી, આતમગુણ અભિરામી રે; પરમાનન્દે પ્રભુતા પામી, કામિતદાય અકામી રે, પાસ૦ ૧ અ—મારા મસ્તકને ઝુકાવીને હું પાર્શ્વનાથ ભગવાનને નમું છું, પ્રણમું છું. તે ભગવાન પાતાના ગુણામાં મનાર છે અને ખૂબ આનંદપૂર્વક ભગવાનપણું પ્રાપ્ત કરીને જેની ઇચ્છા હોય તેને આપનારા છે. અને પાતે કોઇ વાતની ઇચ્છા કરનારા નથી, અકામી છે. (૧) વિવેચન—પાર્શ્વનાથ નામના તેવીશમા તીથ પતિને નમું છું. પ્રથમ તેા, એ પાર્શ્વનાથ કેવા છે તે હવે વર્ણવે છે. એ પોતાના ગુણમાં મનેહુર છે. એ બહુ સારા લાગે છે તે તેમના નૈસગિ`ક ગુણાનો મહિમા છે. તેઓએ જે ભગવાનપણું પ્રાપ્ત કર્યુ છે તે અત્યંત આનંદપૂર્ણાંકનું છે. અને તેએ નમનારના કે સ પ્રાણીના ઇચ્છિતને પૂરા કરનાર છે, પ્રાણીને ધન, વસ્તુ કે પુત્ર, દારા કે સગાં-સંબંધીઓ જે ઇચ્છે તે આપનાર છે. અને તેમાં ખૂબી એ છે કે આવા કામિતને પૂરા કરી દેનાર પાર્શ્વનાથ ભગવાન જાતે કામી છે, કોઈ બાબતની પોતાને માટે ઇચ્છા રાખતા નથી, અને પેાતાના ગુણૅ કરી મનેહુર લાગે છે. જેમને કાંઈ બહારની શેભાની દરકાર નથી. તેમને હું પ્રણામ કરું છું, વંદુ છું. (૧) ચાવીશીમાં થેં તેવીસા, દૂરી કર્યા તેવીસા રે; ટાયા જેણે ગતિ-થિતિ ચોવીશા, આયુ ચતુષ્ક પણવીસા રે, પાસ॰ ૨ અ—આ વમાન ચાવીશીમાં જેએ તેવીશમા છે, જેમણે પાંચે ઇન્દ્રિયના તેવીશ વિષયાને ઈંટે જ કરી નાખ્યા છે, દૂર કર્યા છે, જેમણે ગતિ અને સ્થિતિના ૨૪-૨૪ દંડકને શબ્દાર્થ—પાસ પ્રભુ = ત્રેવીશમા શ્રી પાર્શ્વનાથ ભગવાન, પશુમુ = નમન કરું, નમું, પૂજું શિર નામી = મસ્ત નમાવીને, માથું ઝુકાવીને. આતમગુણ = આત્મગુણ, નિજગુણ, આત્માના નિશ્ચય નયે પોતાના ગુણ. અભિરામી = મને હર, સુંદર. પરમાન ંદે = ઉત્કૃષ્ટ આનંદે, પ્રભુતા = મોટાઈ, વડીલપણું. પામી = પ્રાપ્ત કરી. કામિત = ઇચ્છિત, ઇચ્છેલ. દાય = દાતા, દેનારા. અામી = અનિચ્છક, ઇચ્છા નહી કરનારા (૧) શબ્દા ચાવીશી = વમાન ચાવીશ તીથંકર થાય તેમાં, થેં = આપ. તેવીશા = તેવીશમા. દૂરી કર્યા = છેટે રાખ્યા, દૂર કર્યાં. તેવીસા રે = પાંચ ઇંદ્રિયાના તેવીસ દોષા–વિષયાને ગતિ = ગતિના દંડક. થિતિ = સ્થિતિના દંડક. ચાવીશ = ચાવીશ પ્રકારના આયુ = આયુષ્ય, આઉખું, જીવન. ચતુષ્ક = ચાર; પણવીસા = પચીસ; ચાર પચીશી એટલે એક સાવનું. (૨) કે તેથી પુનરા ૧. આ સ્તવન તો જ્ઞાનવિમલસૂરિનું જ કરેલું છે; અને તેમણે પોતાનુ જ નામ આપ્યું છે. તેથી સ્વાભાવિક રીતે તેમાં પાઠાંતર નથી, તેથી તેનું સ્થાન અહી ખાલી છે. વળી, આને અ” તેમણે કરેલા અથ પ્રમાણે કર્યાં છે, તેથી તેમને અ (એ) અહીં લખવાની જરૂર નથી; કારણ વન થાય. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૨૩-૩: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૬૩ અટકાવી દીધા છે, અને જેમનું આયુષ્ય ચાર પચીશી એટલે એકસો વર્ષનું છે, એ પાર્શ્વપ્રભુને હું પ્રણમું છું. (૨) વિવેચન–વીશીમાં જેઓ તેવીસમા તીર્થંકર છે, જેઓએ પાંચ ઇંદ્રિયના તેવીશ વિષ દૂર કર્યો છે, જેમણે ગતિ અને સ્થિતિના ૨૪–૨૪ દંડક દૂર કર્યા છે, અને જેઓનું આયુષ્યચક સો વર્ષનું છે તેવા પાર્શ્વપ્રભુને હું પ્રણામ કરું છું. આ ગાથાને અર્થ સમજાય તે છે. પાંચ ઇન્દ્રિયના વિષયે તેવી છે. સ્પર્શેન્દ્રિયના આઠ, રસેંદ્રિયના પાંચ, ધ્રાણેદ્રિયના બે, ચક્ષુરિંદ્રિયના પાંચ અને શ્રોત્રંદ્રિયના ત્રણ-એ તેવીશે વિષયને એમણે વિજય કર્યો છે અને વિષયમાં જરા પણ લપટાયા નથી. ગતિ અને સ્થિતિના ૨૪–૨૪ દંડક છે. દંડક પ્રકરણમાં ગતિ દંડકનું વર્ણન પ્રથમ દ્વારમાં અને સ્થિતિ-દંડકનું વર્ણન અઢારમા દ્વારમાં છે. ગતિ ચાર છે અને દરેક ગતિમાં કેટલે વખત રહેવાનું થાય તે સ્થિતિ દંડકમાં બતાવ્યું છે. આની વધારે વિગત દંડક નામના પ્રકરણમાં જેવી. પ્રભુનું આયુષ્યચક ચાર પચીશી એટલે સો વર્ષનું છે. એ સો વર્ષના આયુષ્યવાળા પ્રભુ શ્રી પાર્શ્વનાથને હું નમું છું, પ્રણામ કરું છું. (૨) લોહ ઉધાતુ કરે જે કંચન, તે પારસ પાષાણો રે; નિવિવેક પણિ તુમએ નામે, એ મહિમા સુપ્રમાણ ૨. પાસ ૩ અથ—એક પારસ નામને પથ્થર છે તે લેઢા જેવી તુચ્છ ધાતુને સારામાં સારી મૂલ્યવાન સેનાની ધાતુ બનાવી દે છે. તે પારસ તે ખરેખર પથ્થર છે, એક જાતનો પાષાણ છે. તેવી જ રીતે આપના નામે વિવેકની ગેરહાજરી હોય તે પણ સારી ચીજમાં ફરી જાય છે. એ આપના નામની મોટાઈ સારા આધારથી નકકી થયેલ છે, એવો આપના નામનો મહિમા છે. (૩) વિવચન–અને આપના નામને હું કેટલું વર્ણવું ! જે પારસ નામને પથ્થર છે તેને સ્પર્શ થવાથી લેઢા જેવી તુચ્છ અથવા હલકી ધાતુ સેના જેવી થઈ જાય છે, તેમ વિવેકની ગેરહાજરી હોય તે આપના નામથી વિવેકી થઈ જાય છે ? એ આપના નામને મહિમા છે. તેથી હું આપને આપના નામને–વર્ણવું છું. પ્રાચીન કાળથી એવી માન્યતા ચાલુ છે કે પારસ નામના પથ્થરને લગાડવાથી લેહ-લેટું પણ સુવર્ણ થઈ જાય છે, એટલે લેઢા જેવી તુચ્છ ધાતુ પણ સેના જેવી પવિત્ર-મૂલ્યવાન સરસ ધાતુ થઈ જાય છે, તેમ આપના નામના સ્પર્શ માત્રથી નિર્વિવેક હોય તે વિવેકીમાં ફરી જાય છે. આપનામાં એટલા ગુણો છે કે આપનું શબ્દાર્થ–લેહ = લેટું કુધાતુ = સાત ધાતુમાં તુચ્છ-હલકી ધાતુ. કરે = બનાવે, નિપજાવે. કંચન = સોનું, સુવણ. પારસ = પારસ નામને એક જાતને મણિ, જે લેઢાને સોનું કરે છે. પાષણ = પથ્થર, જાતે પથ્થર છે પણ લેઢાને સોનું કરે છે. નિવિવેક = વિવેક રહિતપણું, સાચું ખોટું પારખાની શક્તિની ગેરહાજરી. પણિ = છતાં. તુમ = તમારા, આપના. નામે = નામના ગુણે કરી, મહત્તાથી. મહિમા = મોટાઈ મોટાપણું. સુપ્રમાણે = સારો, આધારભૂત. (૩) Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪] શ્રી આનંદઘન-ચાવીશી નામ પણ પારસ પાષણ જેટલું કામ કરે છે. આ પારસનું રૂપક લઈને આ ગાથાને વિસ્તાર કરવામાં આવ્યું છે, તે પારસનાથને મહિમા બતાવવા માટે છે. આપને મહિમા સારા આધારથી નક્કી થયેલ છે, તે બતાવ્યું. (૩) ભાવે ભાવનિક્ષેપે મિલતા, ભેદ રહે કિમ જાણો રે ? તાને તાન મિલે ઔો અંતર, એહવો લોક ઉષાણ રે. પાસ. ૪ અર્થ—હદયના ભાવપૂર્વક ભાવનિક્ષેપાએ જ્યારે મેળાપ થાય ત્યારે તમે સમજો કે પછી આંતરે કેમ રહી શકે, નભી શકે, ચાલી શકે ? તાનમાં એકસરખા તાનવાળા મળે, પછી આંતરે કે છેટું કેમ ટકી શકે?—એવી લે તેમાં પણ કહેવત છે. આપની સાથે તાન મળે પછી અંતર કેવું ? (૪) વિવેચન–ભાવપૂર્વક ભાવનિક્ષેપે આપને મેળાપ થતાં મારી અને આપની વચ્ચે આંતર કેમ રહે? તાનમાં તાન મળે ત્યારે ખરી મજા જામે–લેકમાં પણ એવી કહેવત છે. તે મારે આપની સાથે તાન મેળવવું છે. જૈન તત્વજ્ઞાનમાં ચાર નિક્ષેપ છેઃ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ ચાર નિક્ષેપ પૈકી ભાવનિક્ષેપાથી આપને ભાવીએ ત્યારે ખરે આંતરિક આનંદ જામે. જેવી રીતે સંગીતકાર ગાયન ગાવા પહેલાં નરઘાં અને હારમોનિયમ સાથે પિતાને રાગ મેળવી પછી ગાયન શરૂ કરે છે, તે પ્રમાણે મારું માન ભગવાનના તાન સાથે મળે, પછી સૂરની જમાવટ પેઠે મારી એકાગ્રતા થાય, તે ઔર આનંદ આપે. તાન સાથે તાન મેળવવાની કહેવત લોકોમાં જાણીતી છે. તેમ જ ભાવપૂર્વક આપને ધ્યાવવાનું થતાં મારી અને આપની વચ્ચે આંતરે કેમ રહે? હું આપના જે કેમ ન થાઉં? આંતરા માટે આપણે છઠ્ઠા પદ્મપ્રભુના સ્તવનમાં વિવેચન કરી ગયા છીએ. આ કારણે ભાવથી આપને હું ભાવું છું અને આશા રાખું છું કે મારે અને આપને આંતર ભાંગી જાય. એટલા માટે હું આપને પ્રણમું છું, તે આપ સ્વીકારશે. (૪) પરમ સરૂપી પારસરસસું, અનુભવ પ્રીતિ લગાઈ રે; દોષ ટલે હોય દૃષ્ટિ સુનિર્મળ, અનુપમ એહ ભલાઈ રે પાસ. ૫ શબ્દાર્થ –ભાવે = ભાવપૂર્વક, હૃદયમિપૂર્વક. ભાવનિક્ષેપ = ચાર નિક્ષેપ પૈકી ભાવ નિક્ષેપે. મિલતા = એકત્ર થતાં, એક થતાં. ભેદ = તફાવત, જુદાઈ, અંતર. રહે = હોય, થાય. કિમ = કેમ. શા માટે, કેવી રીતે. જાણ = સમજે, અવગાહો, તાને = એકસરખા, સરખા તાનસુરવાળા. ો = શું, કેમ. અંતર = આંતર, છેટાપણું. એહો = એવો, એ પ્રમાણે. લેક = જનતામાં, લેકેતિમાં. ઉષાણ = ઉખાણ, લોકોક્તિ, કહેવત. (૪) શબ્દાર્થ–પરમ = ઉત્કૃષ્ટ, સહુથી સરસ, સરૂપી = સ્વરૂપ ધારણ કરનાર, નિજ ગુણના ધારક. પારસરસ = લેહને સેનું બનાવે તે રસ ધારણ કરનાર, પાર્શ્વનાથ. અનુભવ = જાતઅનુભવ, ભોગવવું તે. પ્રીતિ = પ્રેમ, સ્નેહ, સગાઈ, લગાઈ = લગાવી, માંડી, ડી. દેષ = પાપ, સંસારમાં રખડાવનાર કર્મ. ટલે=દૂર થાય. હોય = થાય. દષ્ટિ = નજર, જોવાની શક્તિ, સુનિર્મળ = તદ્દન ચેખી , ખૂલે તેવી થાય. અનુપમ = અદ્ભુત, કોઈની સાથે ન સરખાવી શકાય. એહ = તે, એ. ભલાઈ = સારાવાટ, ભલમનસાઈ, (૫) Page #481 -------------------------------------------------------------------------- ________________ ૨૩–૩: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૬૫ અ—ઉત્કૃષ્ટ—સારામાં સારા-રૂપને ધારણ કરનાર પાર્શ્વનાથ સાથે જ્યારે અનુભવની પ્રીતિ–પ્રેમ લગાડવામાં આવે, એટલે એવી પ્રીતિના સંયેાગ–સંબંધ થાય, ત્યારે સ` રખડાવનાર દૂષણા ટળી જાય, દૂર થાય, અને જોવાની શક્તિ વધારે ચેખ્ખી થાય. એ જે પ્રભુની ભલમનસાઈ છે તે કોઇની સાથે સરખાવી શકાય તેવી નથી. (૫) વિવેચન—પરમરસરૂપી પાયસ(ખીર)ના રસમાં અનુભવને! રસ લગાવવામાં આવે ત્યારે બધા દોષો દૂર થાય છે અને વળી નજર પણ વધારે ચોખ્ખી થાય છે. આ આપની ભલમનસાઈ એવી તે અદ્ભુત છે કે તેની સાથે કોઇની સરખામણી થઈ શકે નહિ. તેથી આપને નમું છું, પૂજું છું, સેવું છું. પાયસરસ એટલે ખીરનો રસ અનેક રસમાં ઉત્તમ ગણાય છે. એ દૂધની બનાવેલી ખીરના રસ સ` રસેસમાં ઉત્તમ રસ આપણે ગણીએ છીએ. એ રસ જેવી અનુભવની પ્રીતિ આપને લાગે. એ અનુભવ એટલે આત્માનુભવ; એ અનુભવથી ઘણું સુંદર કામ થાય છે અને રસામાં જેમ ખીરને સરસ રસ-ઉત્કૃષ્ટ રસ ગણાય છે તેમ આ અનુભવને રસ જામે ત્યારે બહુ સુંદર પરિસ્થિતિ થાય છે, અનુભવમાં પણ જ્યારે આત્માનુભવ કર્યાં હોય ત્યારે સંસારમાં રખડાવનાર સવ દૂષણા દૂર થાય છે, એટલે સાંસારિક વૃત્તિ દૂર થાય છે અને આત્મસન્મુખ વૃત્તિ જાગે છે, જામે છે. અને આપની એ ભલમનસાઈ એવી સુંદર છે કે એની કોઈની સાથે સરખામણી જ થઇ શકે નિહ. આપ આવા અદ્ભુત, અનુપમ, મહાન છે. તેથી શિર નમાવીને આપને પ્રણમું છું, નમું છું. (૫) કુમતિ ઉપાધિ કુધાતુને તજીએ, નિરુપાધિક ગુણ ભજએ રે; સાપાધિક સુખદુઃખ પરમારથ, તેહ લહે નવી ૨જીએ રે. પાસ ૬ અં—ખરાબમાં સારાની બુદ્ધિરૂપ કુમતિને તજી દઇએ, તેને તુચ્છ હલકી ધાતુ જાણીને દૂર કરીએ અને જેમાં કોઇ પ્રકારની સાંસારિક—પૌદ્ગલિક ચીજ ન હેાય તેવી શુદ્ધ ચીજને સેવીએ; ઉપાધિવાળા સારા કે ખરાબ સુખદુઃખના અનુભવ, તે મળી જાય તેમાં આનંદ લહેર ન માનીએ, તેમાં રાચીએ નહિ. (૬). વિવેચન—કુમતિરૂપ ઉપાધિરૂપ તુચ્છ ધાતુને તજી દઇએ, લે ું કે કથીર એવી તુચ્છ ધાતુ સાત ધાતુમાં છે, તેને આપણે છે।ડી દઇએ. ખરાબ તિથી આપણા સંસાર વધે છે અને આપણે સાર વખત જોવા હોય તે। કુમતિરૂપ હલકી ધાતુને હલકી સમજી તેને ત્યાગ કરવા જ જોઈએ, અને ભવિષ્યમાં પણ ઉપાધિ ન કરે તેવા ગુણાને ભજીએ, સેવીએ. ઉપાધિ સહિત સુખ અને દુઃખ આપણને = શબ્દા —કુમતિ = પારકાને-પૌદ્ગલિકને સારા ધારવાની બુદ્ધિ. ઉપાધિ = વળગાડ. કુધાતુને = તુચ્છ ધાતુ, લોઢા જેવી ધાતુને. તજીએ = ત્યાગ કરીએ. નિરુપાધિક = ઉપાધિ રહિત, જેમાં પૌદ્ગલિક ભાવનો અંશ ન હોય તેને. ગુણ = લાભ. ભજીએ = સેવીએ. સોપાધિક = પૌદ્ગલિક, સાંસારિક. સુખ = પૌદ્ગલિક સારા અનુભવ. દુઃખ = પૌદ્ગલિક ખરાબ અનુભવ. પરમારથ = પરમ તત્ત્વે, વસ્તુતઃ, અંતે જતાં. તે = તે. લહે = મળ્યે, પ્રાપ્ત થયે. નવી રજીએ = રાજી ન થઈએ, ખુશી ન થઈએ (૬) ૫ Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ] શ્રી આનંથન-ચેાવીશી થાય ત્યારે સુખમાં આપણે રાજી ન થવું અને દુઃખથી ગભરાઈ ન જવું. એ ખરો પરમા છે, જાણવા લાયક સત્ય છે અને તેમ કરીને આપણે આપણા સંસાર ઘટાડવા જોઇએ. જે સુખને માણે અને દુઃખ વખતે રડે છે કે નિસાસા નાખે છે, તેવા ઉપાધિવાળા સુખમાં આપણે રાજી કે અરાજી થઇ ન જવું. એમાં અંતે-સરવાળે આપણને પરમા લાભ થતા નથી અને પરમા પણુ અંતે ઉત્કૃષ્ટ સ્વા હાઇ એમાં પણ વિવેક રાખવાની જરૂર છે. (૬) જે પારસથી કંચન જાચું, તેહ કુધાતુ ન હોવે રે; તેમ અનુભવ-રસ ભાવે ભેદો, શુદ્ધ સરૂપે જુવે રે. પાસ૦ ૭ અ—હું પારસથી એવા સેનાની યાચના કરું છું કે તે કદી તુચ્છ ધાતુ થાય જ નહિ, તે જ પ્રમાણે જે અનુભવભાવે ભેઠાણેા છે અને સુવર્ણ મય થયેા છે તે વસ્તુને નિળ સ્વરૂપે જુએ, નીરખે. (૭) વિવેચન—એ આગલી ગાથામાં અનુભવ-રસની હકીકત કહી તે કેવ। હાય અને તે થાય પછી તેનું પરિણામ શું આવે તે આ સાતમી ગાથામાં જણાવે છે. હું પારસનાથ પાસે સેનાની યાચના કરું છું; પાછું કદી લેતું ન થાય એવું સેાનું માગું છું. આ અનુભવ જેને ભેદે, થાય તે પાતાને શુદ્ધ સ્વરૂપે જુએ છે, એટલે એ જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે એમ પેાતાની જાતને જુએ છે અને તે અનંત કાળ માટે જુએ છે અને એ સુવણુ થઈ ગયા પછી કદી પાછે તુચ્છ ધાતુ-લાડું થતા જ નથી; એ તેા સ` કાળને માટે સેાનું થાય છે. એવા સુવણ્ વને હું યાચું છું. માગવું ત્યારે વળી સાધારણ શા માટે માગવું? આવી માગણીને નાદર કહેવાનું કારણ એ છે કે એવી માંગણી કરવી એ માગનારને મન સાધારણ છે, પણ વસ્તુતઃ એ મેટામાં મેટી માંગણી છે. અને એ કરવામાં એને અનુભવરસ પ્રાણીની મદદે આવે છે. તેટલા માટે હું પ્રભુને પ્રણામ કરું છું અને તેમની પાસે મારી નાદર માંગણી રજુ કરું છું. અનુભવ-રસના આ ચટકો છે અને અનુભવ-રસથી જાગ્રત થયેલેા ચેતન નમન કરીને આ માગણી કરે છે. (૭) વામાન૬ન ચંદન શીતલ, દર્શન જાસ વિભાસે રે; ‘જ્ઞાનવિમળ’ પ્રભુતા ગુણુ વાધે, પરમાનદ વિલાસે રે. પાસ૦ ૮ શબ્દા—જે = જે ધાતુને. પારસ – પારસ પાષાણથી, અથવા પાર્શ્વનાથ સબ ધથી. જાચું યાચું. માર્ગુ, મેળવવા ઇચ્છું. તેહ = તે, એ. સુધાતુ = તુચ્છ ધાતુ, હલકી ધાતુ. ન હાલે =ન થાય. તેમ = તિમ, તે રીતે, એ પ્રમાણે. અનુભવ = સ્વાનુભવ, આત્માનુભવ. રસ = પ્રવાહી. ભાવે – ભાવ–દ્રવ્યથી, તન્મય થવાથી. ભેદ્યો = તન્મય થયે.. શુદ્ધ = નિમ`ળ, પરમાથે પવિત્ર. સ્વરૂપે = નિજરૂપે. જોવે = નીરખે, સહે. (૭) શબ્દા—વામન દન=વામા દેવીના પુત્ર, શ્રી પાર્શ્વનાથ ભગવાન. ચંદન = સુખડ જેવા. શીતલ = ઠંડા, ટાઢા. `ન = આકાર. જાસ = જેને. વિભાસે = વિશેષ શાભા આપે, જ્ઞાનવિમળ = જ્ઞાન ચોખ્ખુ, નિમળ (ર્તાનું નામ પણ ગભિંત રીતે). પ્રભુતા = મોટાઈ, ભગવાનપણું. ગુણ = તે રૂપ સદ્ગુણ. વાધે = પ્રાપ્ત થાય. પરમાનંદ = ખૂબ આનંદ (ગભિ`ત રીતે આનંદધનજીનુ નામ પણ જણાવ્યુ`.) વિલાસે = લીલા માત્રમાં, સહજ રીતે. (૮) Page #483 -------------------------------------------------------------------------- ________________ ર૩-૩ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૬૭ અથ–વામાદેવીના પુત્ર શ્રી પાર્શ્વનાથ ચંદન જેવા ઠંડા છે, જેમનું દર્શન વિશેષ શેભા આપનારું છે. નિર્મળ જ્ઞાનરૂપ ભગવાનને લીલામાત્રમાં-રમત કરતાં–પમાય છે અને પછી ખૂબ આનંદમાં વિલાસ-મોજમજા કરવામાં આવે છે. (૮) વિવેચન–વામાદેવીના પુત્ર ચંદન જેવા શીતળ છે, એમનું દર્શન એક પ્રકારની શેભા આપનાર છે. જ્ઞાન એનાથી નિર્મળ થાય અને પછી છેવટે પરમાનંદમાં વિલાસ થાય, તે પાર્શ્વનાથ પ્રભુને હું પ્રણામ કરું છું. વામાદેવી ભગવાન શ્રી પાર્શ્વનાથની માતાનું નામ તેમના પુત્ર તે પાર્શ્વનાથ ભગવાન છે. તેમનું દર્શન થવું તે એક જાતની શોભા આપનાર છે. જેમ જ્ઞાનવિલાસે આનંદ કરતાં જ્ઞાનવિલાસ બનાવ્યો, તે તે સરસ આનંદ છે, એક જાતની લહેર છે. એમાં આનંદ લેવાથી પિતાની પ્રભુતા પ્રાપ્ત થાય અને છેવટે પરમાનંદમાં વિકાસ થાય એવા પાર્શ્વનાથ પ્રભુને હું પ્રણમું છું, નમું છું. સેવું છું. પ્રભુ પાર્શ્વનાથને શીતળતા ગુણ અતિ સમજવા લાયક છે. કમઠ અને ધરણેન્દ્ર પર સમાન બુદ્ધિ રાખનારનું નામ લઈએ છીએ તે અત્યારે જ આપણામાં એક જાતની શીતળતા આવે છે, પ્રભુતાને ગુણ પ્રાપ્ત થાય છે, અને અંતે આપણો પરમાનંદમાં વિલાસ થાય છે. આ ગાળામાં જ્ઞાનવિમળસૂરિએ પિતાનું નામ જણાવ્યું અને આનંદઘનજીને આડકતરી રીતે યાદ કર્યા (૮) ઉપસંહાર આ જ્ઞાનવિમળસૂરિના બનાવેલા તેવીશમાં સ્તવનને કેન્દ્રસ્થ વિચાર આત્મિક મૂળ ગુણ પ્રગટ કરવાનું છે. એ મૂળ ગુણો કંચનરૂપે આત્મામાં રહેલા જ છે. પણ અંદર રહેલ કંચનત્વ જેમ સુવર્ણ ઉપર લાગેલ માટી પ્રયાસથી દૂર કરીને પ્રગટ કરાય છે, તેમ આત્મગુણો પ્રકટ કરવાના છે. એ પ્રકટ કરવા માટે અનેક આધ્યાત્મિક અને યૌગિક ઉપાયે કામે લગાડવાના છે. આત્મા જેમ યમ-નિયમાદિકને ઉપગ કરે તેમ તેના મૂળ ગુણો પ્રકટ થાય છે, અને એક વખત એ ગુણો પ્રાપ્ત થાય ત્યાર પછી તે અંત વગરના કાળમાં આનંદમાં લહેર કરે છે. એ આત્મિક આનંદ તદ્દન સ્વાભાવિક છે અને એને અનુભવ એ અલૌકિક છે કે દુન્યવી કોઈ પદાર્થ સાથે એની સરખામણું ન થઈ શકે. દુન્યવી સર્વ વસ્તુઓ આનંદ આપે તે તે મર્યાદિત કાળ સુધી જ હોય છે. એ મર્યાદાને અંત આવે એટલે આનંદ વીસરાઈ જાય છે. વસ્તુતઃ તે આનંદમાં આનંદ જેવું કાંઈ નથી, કારણ કે પૌગલિક સર્વ આનંદ માન્યતામાં જ છે. ગળ્યું ખાવામાં આવે કે ઇન્દ્રિયના કોઈ વિષયને સેવવામાં આવે, તેમાં જરા વખતનું સુખ લાગે છે, પણ એમાં વસ્તુતઃ આનંદ જેવું કાંઈ નથી, છતાં તેને થડા વખતનું સુખ માનીએ તે તે પણ લાંબો વખત ટકતું નથી. પણ આત્મિક આનંદ તે ભારે ચીજ છે; એ એક વાર આવ્યા પછી જતું નથી અને અનંત કાળ સુધી તેમને તેમ ચાલ્યા કરે છે. પ્રાણી છાતી કાઢીને દુનિયામાં ચાલે છે, અને બોલતી વખત ગમે તેવું બોલી નાખે છે. પણ તેને લક્ષ નથી કે વર્તમાન સર્વ દમદમાટ કે ધમધમાટ લાંબો વખત ટકવાનું નથી. અને જે Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮] શ્રી આનંદઘન-ચાવીશી સુખની પાછળ દુઃખ ડોકિયું કરી રહેલ હોય, તેને ક્યા અર્થમાં સુખ કહેવાય? આવી બેટી માન્યતાનાં સુખ પ્રાપ્ત કરવા માટે તે ખટપટ કરે છે, અને પિતાની હોંશિયારી બતાવે છે. પણ માંડેલ બાજીને પલટાતાં વખત લાગતું નથી. અને પછી એકના એક છોકરાના મરણ વખતે કે વહાલાં સગાંઓના વિલય વખતે પિતાનું જીવન પણ અકારું લાગે છે. માન્યતાનાં સુખની આવી સ્થિતિ હોવાથી એ સુખને મેળવવા પ્રયાસ કરો, અને કદાચ થોડા વખત માટે સુખ મળે તે તેમાં રાચવું, એ વસ્તુસ્થિતિનું અજ્ઞાન બતાવે છે. એટલા માટે આત્મિક સુખ પ્રાપ્ત કરવા ઉદ્યમ કરવો તે આ સ્તવનને ઉદ્દેશ છે. તેમાં બહુ વિવેચન આવશ્યક નથી, કારણ, અર્થ સમજાય તેવો ઉઘાડે છે. એટલા માટે આ સ્તવન પર જરૂરી વિવેચન કર્યું છે. સ્તવનની આખરે જ્ઞાનવિમળસૂરિએ પિતાનું નામ પણ આડકતરી રીતે બતાવી દઈ એ કોની કૃતિ છે તે સ્પષ્ટ કર્યું છે. તેઓ સુંદર અર્થ કરનાર અને જાતે કવિ થઈ ગયા. તેમને ધર્મ પ્રેમ વિશાળ હતો અને તપગચ્છની પાટને પિતાના જીવનના સમયમાં દીપાવી ગયા હતા. તેમની કૃતિઓ ઉપલબ્ધ થઈ તે પ્રકટ કરવામાં આવી. તેઓનું નામ અવિચળ રાખવાને યોગ્ય પ્રયત્ન થયે છે તે સુંદર વાત છે. તેમના આદર્શ ચરિત્રની પણ લોકહિતાર્થે જરૂર છે. તેમની કૃતિનું એક મહાવીરસ્વામીનું સ્તવન રજૂ કરી આ આનંદઘન ચોવીશીને અત્યંત રસિક વિષય પૂર્ણ કરવામાં આવશે. (૨૩-૩) જુલાઈ : ૧૯૫૦ ] Page #485 -------------------------------------------------------------------------- ________________ ૨૪ (૧) શ્રી આનંદઘનજીનું કહેવાતું શ્રી મહાવીર જિન સ્તવન ભૂમિકા–આ સ્તવનને કેન્દ્રસ્થ વિચાર વીરપણું–બહાદુરપણું છે. અસલની દષ્ટિએ આપણો ધર્મ ક્ષત્રિયનો ધર્મ હતે. જૈનધમે તે જ્ઞાતિને સ્વીકાર જ કર્યો નથી. પણ આપણે ધર્મ ક્ષત્રિયનો ધર્મ છે એ વાત આપણે ભૂલી ગયા. જે ક્ષત્રિયે એ ધર્મ ઉપદે, જેને પગલે આપણે ચાલીએ છીએ, તેમની નજરમાં સર્વ જ સરખા હતા. અને માણસ ગમે તે જાતને હોય, તેને મોક્ષમાં જવાનો અધિકાર હતે એમ તેઓની સમજણ હતી, અને એ પ્રકારનો ઉપદેશ તેઓએ એકસરખી રીતે આપે છે. એટલે પ્રાણી જે પોતાનું આત્મિક જોર કરે તે તેને મોક્ષ કોઈથી, નાતજાતને કારણે રોકી શકાતું નહોતું. આનું નામ વીરતા છે. આ સર્વ વાત આપણે વીસરી ગયા અને એસવાળ, પિરવાડ, શ્રીમાળીના ઝઘડામાં પડી ગયા એ આપણું દુર્દેવ છે. એને દુર્દેવ કહેવાનું કારણ એ છે કે એ આપણને આપણું ખરું સ્થાન ભુલાવે છે અને ખોટે રસ્તે ચઢાવે છે. આપણે એ રસ્તે છેડી દેવો જોઈએ અને મહાવીરસ્વામીના અસલ રસ્તે આવી જવું જોઈએ. એમાં આપણું શોભા છે. આપણે જે ખરેખર મહાવીરના અનુયાયી હોઈએ તે આપણે તે બહાદુરના પુત્રો છીએ. આપણે મોક્ષ આપણને કુલ સ્વાધીન છે. એ વીરતા વિસરાઈ ગઈ છે તેથી આ સ્તવનની અંદર આપણે એ વીરતા માગી એને ઉદ્ધાર કરીએ છીએ. વીરતા કોઈ આપી જવાનું નથી, એ વસ્તુ માગી મળતી નથી, પણ એ આપણને યાદ કરાવનાર એક સૂત્ર છે અને તે બરાબર યોગ્ય વખતે આપણને સાંપડે છે. આત્મા ખરેખર વિરતાને વરેલે જ હવે ઘટે. એને કષા વિષયને જીતવા છે, અને સમુદુઘાત કરે છે. એને ત્રણે કારણે સાધવાં છે, એને ગુણસ્થાનકમારેહુ કરવું છે, તે પછી એ કામ કાંઈ નિર્બળથી સાધ્ય નથી; એ તે વીરપુરુષ હોય કે થાય તે જ તેને મેળવી શકે. આ વીરતા આ સ્તવનમાં માગી છે. વીરના પુત્ર વીરત્વ કેળવે એ આ સ્તવનને મુખ્ય હેતુ છે. રતવન કઈ કઈ સ્થાને ગૂંચવણ કરે તેવું છે. જે સાદી-સીધી વાત આનંદઘનજી કરતા હતા તે, વિદ્વત્તા ગમે તેવી હોય તે પણ, કર્તા આ સ્તવનમાં લાવી શક્યા નથી. “નમે મુજ નમો મુજ રે' એ સ્તવન (૧૬ મું)ની અને આ સ્તવનની ઘણી ઊંડી વાતે ભાષાફેર બતાવે છે. અને, મારી માન્યતા પ્રમાણે તે, બાવીસ સ્તવનમાં પ્રૌઢ ભાષામાં વિચારોની પ્રૌઢતા જળવાઈ રહી છે, પણ ત્યાર પછી એ સુકરતા આવી શકી નથી, તેથી આનંદઘનજીનું સ્થાન તે અદ્વિતીય જ છે, અને તે તેવું જ રહેશે. આપણે સરખામણી કરવા આ સ્તવન બને તેટલા સંક્ષેપથી વિચારી જઈએ. ૧. આ પદ ઉપર જ્ઞાનવિમલસૂરિને ટબ નથી, બહુ જ જરૂર પૂરતું આ સ્તવન પર વિવેચન કર્યું છે, Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦] શ્રી આનંદઘન-ચોવીશી સ્તવન (રાગ-ધન્યાસરી) શ્રી વીર જિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગું, જિત નગારું વાગ્યું રે. વીર. ૧ અથ–શ્રી મહાવીર પરમાત્માને પગે લાગ્યું અને તેમની પાસે વીરતા–બહાદુરીની માગણી કરું છું. મિશ્યામોહનીયરૂપ અંધકારની બીક ભાગી ગઈ છે અને મારે તેને પરિણામે વિજયકંકો વાગે છે. (૧) વિવેચન–મહાવીરસ્વામીને–વર્ધમાન શ્રીવીરને પગે લાગીને તેમની પાસે વીરતા–બહાદુરી માગું છું. હું પૈસા કે ઘર માંગતે નથી, પણ એ મોટા પુરુષ પાસે હું માંગું છું કે મને એકલી વીરતા આપે; હું મારા દુશ્મનોને પહોંચી શકું તેટલી બહાદુરી–તેટલું શૂરવીરપણું મને આપ” માણસ માગે તે ધન કે ઘરબાર કે છોકરા-છોકરી કે આવું કાંઈ માગે, પણ આ ડાહ્યો માણસ કઈ ચીજ કે કોઈ વસ્તુ માંગને નથી, પણ ભગવાન પાસે વીરતા જ માંગે છે. એ માંગણી કરવાને એને વિચાર દીર્ધદષ્ટિને છે. પૈસા કે સ્ત્રી-પુત્ર તે આ ભવમાં જ કામ આપે છે, પણ શત્રુઓને જીતવા માટે જે શૂરવીરપણું આ પ્રાણી માગે છે એ તે ઘણું કાળ માટેની અને ભવાંતરની વાત છે. એ માગણી કરી એણે અરિહંતપદના અર્થને ચરિતાર્થ કર્યો છે. “અરિ એટલે શત્રુ, તેને હણવા માટે હદયબળ જોઈએ અને તે વીરતામાંથી ઉદ્ભવે છે, એટલે આ માંગણમાં ભારે રહસ્ય રહેલું છે. વીરતાનું નીચેનું વર્ણન વાંચવાથી એ બરાબર સમજણમાં આવશે. મિથ્યાત્વને લીધે અવસ્તુમાં વસ્તુનું ભાન થાય છે અને અવાસ્તવિકમાં વાસ્તવિકતાનું ભાન થાય છે. આ મિથ્યાત્વ તરફને પ્રેમ એ તદ્દન અંધકાર છે. ચારે તરફ ઘોર અંધારું છે અને તેને ભય એટલે બધે છે કે પ્રાણી એને લઈને અનાદિકાળથી સંસારમાં અટવાયા કરે છે. વીરતા હોય તે અંધકારને ભય દૂર થાય અને પ્રાણીમાં હદયબળ આવી જાય. આવી રીતે મિથ્યાત્વમોહનીયના અંધકારને દૂર કરવાની માગણી કરવામાં પ્રાણની દીર્ઘ નજર રહેલી છે અને એ વીરતાને પરિણામે આખરે એને વિજયડંકે વાગે છે. ભગવાનને પગે લાગી તેમની પાસે આવી નાની માંગણી કરી તેમાં ભારે સમજણ રહેલી છે. મારા દીકરાના દીકરાની વહુને સાતમા માળેથી પાઠાંતર– જિનેશ્વર” સ્થાને પ્રથમ પંક્તિમાં “જિન” (“વીર જિન”) એ પાઠ ભીમશી માણેક છાપે છે. ત્રીજા પાદમાં “ભાંગું' એવો પાઠ “ભાનું સ્થાને છે. (૧) શબ્દાર્થ –વીર જિનેશ્વર = ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી ચરણે = પગે લાગું = પાય પડું છું. વીર પણું = શૂરવીરતા, બહાદુરી. માગું = યાચું, પ્રાથું. મિથ્થા = જૂઠો, ખાટો, પ્રથમ ગુણસ્થાનક મેહ = મોહનીય કર્મ, મિથ્યામોહનીયરૂપ. તિમિર = અંધારું. ૫ = બીક. ભાગું = નાશ પામેલ, દૂર થવું, ભાગેલ. જિત = વિજય, જયન. નગારૂ = ડંકે. વાગ્યું રે = ગગડયું, થયું. (૧) Page #487 -------------------------------------------------------------------------- ________________ ૨૪–૧ : શ્રી મહાવીર જિન સ્તવન [ ૪૭૧ સેનાની દોણીમાં છાશ વલેાવતી જો”—એવી અંધ પુરુષની માગણીમાં લાંબા આયુષ્યની, અંધાપા દૂર થવાની અને ઘરનાં ઘરની માગણી આવી જ જાય છે. આવી દીઘ નજરની માગણી વીરતા માંગવામાં છે. તે ભવાંતરના સુખ માટે અને સ્થાયી લાભ માટે છે. (૧) ઉમથ્થુ વીરજ લેશ્યા સગે, અભિસધિજ મતિ અંગે રે; સૂક્ષ્મથૂલ ક્રિયાને રંગે, યાગી થયા ઉમંગે રે. વીર૦ ૨ અ—છદ્મસ્થ વીયના ક્ષયે।પશમથી અને કમ લેવાની દશા અને કમ લેવાની સ્વયં બુદ્ધિ થવાથી તેને અંગે તથા આત્મિક અને સ્થૂળ-વ્યાવહારિક ક્રિયા કરવાના રંગ લગાવી મહાવીરસ્વામી હાંસે હાંસે સાધુ બન્યા. (૨) વિવેચન—છદ્મસ્થ વીલેશ્યાને સંબંધે કમ ગ્રહણ યાગ્ય બુદ્ધિ થાય છે. એ સ જોઈને સ્થૂળ અને સૂક્ષ્મ ક્રિયા કરવાના રંગ લાગવાથી વીરસ્વામી આનંદપૂર્વક–ઉત્સાહથી જાતે યાગી થઈ ગયા. છદ્મ’ એટલે કપટ અથવા છલ. ‹ છદ્મ ' એટલે ઘર પણ થાય છે. છદ્મસ્થ એટલે સાંસારિક છદ્મથ વીય અને મુક્ત વી એ એ જાતનું વીય છે. લેફ્યા એટલે આત્મિક અધ્યવસાય. સાંસારિક. અપેક્ષાએ થતું વી, એને જે લેશ્યા થાય, મનેાવ્યાપાર થાય અથવા આત્મિક અધ્યવસાય થાય એ સ` અભિસંધિજ છે, એટલે કમ ગ્રહણ કરવાને યોગ્ય છે. આ સ` જોઇને શ્રી વીરને તે સ્થૂળ અને સૂક્ષ્મ ક્રિયા કરવાના એવા સુંદર મોકો મળી ગયા, એમને સંસાર પર એવી ઘૃણા આવી ગઈ કે એ ઘણા ઉત્સાહથી સ ́સાર ત્યાગી યાગી થયા, દીક્ષા લીધી અને સંસારથી મુક્ત થયા. આવા વીરના ત્યાગના મહિમા છે, અને તે પ્રશસ્ત હોઇ અનુકરણીય છે. અભિસ`ધિજ એટલે કર્મ ગ્રહણ કરવાને ચાગ્ય; એની વ્યાખ્યા ‘કમ્મપયડી' ગ્રં‘થમાં આપવામાં આવી છે. છદ્મસ્થ વીય અને લૈશ્યાને લીધે ક ગ્રહણ થાય છે. એ સવ જોઇને વીર પરમાત્મા યાગી થયા અને તે પૂરતા ઉત્સાહથી થયા. તે વીરને પગલે ચાલવા જેવું છે. (૨) અસંખ્ય પ્રદેશે વી અસંખા, યોગ અસખિત કખે રે; પુદ્દગલગણ તેણે લેશુ વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. વીર૦ ૩ વીરજ’ સ્થાને ભીમશી માણેક ‘વીરય ’ છાપે છે. ‘ સૂક્ષ્મ ’ સ્થાને ભીમશી માણેક ‘ સુક્ષ્મ પાઠાંતર છાપે છે. (૨) " શબ્દા — છમર્થ્ય ' = છદ્મસ્થ, સાંસારિક. ( વિવેચન જુએ ). વીરજ = વીય, શક્તિ, ક્ષાયેાપશમિક સમતિવાળી આત્મપરિણતિ. સંગે = સાબતે, સાથે. અભિસ ંધિજ = ક્રમ લેવાની દશા, મ` ગ્રહણ કરવાની સ્થિતિ ( જ્ઞાનસાર. ) મતિ = બુદ્ધિ, સમજણ. અંગે = ને લીધે. સૂક્ષ્મ = દેહક પનરૂપ ક્રિયા, આત્મિક ક્રિયા. થૂલ = શરીર સ’કાચાવું, ટાચકા ફૂટવા વગેરે બાહ્ય ક્રિયા. ક્રિયા = કાય, વર્તન. રંગે = ઉત્સાહ, યોગી = ત્યાગી, વૈરાગી. થયા = ઉપન્યા. ઉમ ગ = હાંસ, આનંદ. (૨) પાઠાંતર— પ્રદેશે ' સ્થાને ભીમશી માણેક ‘ પ્રો ' છાપે છે. ‘અસંખા ’ સ્થાને પ્રથમ પાદમાં ભીમશી માણેક ‘ અસ દેખે' છાપે છે. ‘લેખે 'ને બદલે ભીમશી માણેક ‘લેખે ' છાપે છે. (૩) Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] શ્રી આનંદઘન-વશી અર્થ—અસંખ્ય પ્રદેશે વીર્ય-શક્તિ-બળ પણ અસંખ્યાતું છે. અને તેને લઈને આત્મા સંખ્યા વગરના મન-વચન-કાયાના યોગને ઈ છે છે, તેમાં તે જાય છે. અને પુદ્ગલને સમૂહ લેશ્યા અનેક જાતની હોવા પ્રમાણે પિતાની શક્તિ પ્રમાણે બુદ્ધિને ગણે છે, તે અનુસાર બુદ્ધિને માપે છે. (૩) વિવેચન–શરીરમાં આત્માના અસંખ્યાતા પ્રદેશ છે. અને દરેક પ્રદેશે અસંખ્ય યોગ છે. એમ આત્માના ન ગણી શકાય તેટલા વેગે છે એમ “કમ્મપયડી' ગ્રંથમાં કહ્યું છે. પિતામાં –પિતાના આત્મામાં–કેટલી શક્તિ છે તે હવે સંભારે છે. અને સંભારતાં સંભારતાં એને એમ લાગે છે કે પ્રભુ પાસે વીરત્વ માગવાની એની વૃત્તિ થઈ તે પણ અનુચિત હતી. શરીરમાં તે અસંખ્ય પ્રદેશ છે અને તેથી તેની પિતાની જ યોગશક્તિ અસંખ્ય છે એ વાત એને જણાઈ અને પોતે પ્રભુ પાસે જે માંગણી કરી તે પિતામાં જ છે એમ તેને જાણવામાં આવ્યું. વળી તેણે જાણ્યું કે તેને પિતાને પુદ્ગલસમૂહ છે, શરીર છે, લેડ્યાવિશેષે એટલે આત્મિક અધ્યવસાયને ગે કરીને પિતાની બુદ્ધિ પ્રમાણે તેને ગ્રહણ કરે છે. આ પ્રકારને જે આત્મવિશ્વાસ આવ અને પિતાના જ જોર ઉપર આધાર રાખે એ ઘણી મોટી વાત છે, મનુષ્ય ગતિમાં ગોનું જોર હોય છે, બીજી ગતિમાં લેડ્યા-આત્મિક અધ્યવસાયનું જોર હોય છે, અને પોતે ભગવાન પાસે વીરપણું માગી રહેલ છે તે તે પિતામાં ભરેલ છે એ વાત એના ધ્યાનમાં આવી ગઈ. અને સાથે સાથે તેણે જાણ્યું કે બીજી ગમે તે ગતિમાં પિતે જાય તે આત્મિક અધ્યવસાય તે લે, ગ્રહણ કરે તેથી તેને વીરપણે બીજા પાસે માંગવાની જરૂરિયાત નથી. તે તે ગમે તે ગતિમાં પિતામાં છે જ અને વીરપણાની માંગણી પિતે કરી તેની કોઈ જરૂરિયાત નથી. આ તે હજુ વિચારને પરિણામે એનામાં આત્મવિશ્વાસ આવવાની શરૂઆત જ છે. માણસ જ્યારે આત્મવિશ્વાસ રાખે, પિતા પર ભરોસે રાખે, પછી એને બહારથી કઈ વસ્તુની માંગણી કરવાનું કારણ રહેતું નથી. હવે એને વિચાર કરતાં જણાય છે કે પોતે જે વસ્તુ બહારથી માગી રહ્યો છે, તે તે પિતાનામાં જ છે, પિતા પાસે હતી, પોતે જ એટલા આત્મિક બળવાળે હતે. એટલે આવી માંગણી કરવાની જરૂર નહોતી. આત્મવિશ્વાસ એ બહુ મોટી ચીજ છે. પછી એ પિતાના જોર ઉપર ટકી રહે છે અને ગમે તેટલી મુસીબતે આવે તેને ભેદી શકે છે. આવી આત્મવિશ્વાસની વાત તેને આ સ્તવનમાં છઠ્ઠી ગાથામાં સૂઝે છે. તેની શરૂઆત આ ગાથાથી થાય છે. (3) | શબ્દાર્થ—અસંખ્ય સંખ્યા વગરના, ગણ્યા ગણાય નહિ તેવા. “પ્રદેશે '=અંશે, વિભાગે, દરેક ભાગમાં. વીર્ય = શક્તિ, જોર, બળ. અસંખે અસંખ્યાતો, પાર ન આવે તેવું, ગણી ન શકાય તેટલું યોગ = મનવચન-કાયાને સંબંધ, તેને વેપાર. અસંખિત = અસંખ્ય, અનેક, ગણી ન શકાય તેટલા. કંખે = ઇચ્છે છે, કક્ષે છે, કરવા સમર્થ થાય છે. પુદ્ગળ = વસ્તુ, Matter. ગણ = સમૂહ, એકઠા થયેલા. તેણે = તેને લીધે, તે માટે, લેશુ = લેશ્યા. આત્માનાં પરિણામ. વિશેષે = પૃથફ પૃથફ લેશ્યાઓને લઈને યથાશક્તિ = શક્તિને અનુસાર, રાજૂમનતિના મતિ = આવડત, હોશિયારી. લેખે = માપે છે, મર્યાદામાં રહે છે. (૩) Page #489 -------------------------------------------------------------------------- ________________ ૨૪-૧: શ્રી મહાવીર જિન સ્તવન [૪૭૩ ઉત્કૃષ્ટ વીરજને વેસે, યોગક્રિયા નવિ પેસે રે, ગતણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે. વીર. ૪ અર્થ—ઊંચામાં ઊંચા પ્રકારના વીર્યને આધારે મન-વચન-કાયાના ગેની ક્રિયા અંદર દાખલ જ થતી નથી, પિસતી જ નથી. વેગની નિશ્ચળતા આત્મશક્તિને જરા પણ ડગાવી શકે નહિ. (૪) વિવેચન–જ્યારે ચેતન પિતાનું ઉત્કૃષ્ટ વીર્ય ફેરવે-વાપરે, ત્યારે મન-વચન-કાયાના ગો કાંઈ કર્મબંધન કરે નહિ. વેગની ધ્રુવતાનું એ લક્ષણ છે કે એ જ્યારે ઉત્કૃષ્ટ દશામાં હોય ત્યારે મને ગમે તે કામ કરે, વચન બોલે કે કાયા કામ કરે તે કોઈ જાતનું કર્મ બંધન કરાવતાં નથી. તેથી સર્વ કિયાએ અટકી જાય છે. જેમ આત્માના આઠ ફુચક પ્રદેશને કર્મ લાગતાં જ નથી, તેમ આત્મા જ્યારે ઉત્કૃષ્ટ વીર્ય ફેરવે છે તે વખતે ત્રણે પ્રકારના યોગ કઈ કર્મબંધન કરતા નથી, આ ઉત્કૃષ્ટ વીર્યનું પરિણામ છે અને આત્મા જ્યારે ઉત્કૃષ્ટ વીર્ય ફેરવે છે ત્યારે કઈ પ્રકારનું કર્મબંધન થતું નથી, અને આત્મશક્તિ જરા પણ મચક આપતી નથી. પણ તેણે તેનું ઉત્કૃષ્ટ વિર્ય ફેરવવું જોઈએ. આવી રીતે પ્રાણી સર્વ કર્મને ક્ષય કરી મોક્ષમાં જાય છે. એવા વીર્યને પ્રગટ કરવાની મારી ભાવના છે. તેને હે પ્રભુ! પ્રકટ કરો અને હું મારું ઉત્કૃષ્ટ વીર્ય વાપરું એવું આપ મારા સંબંધમાં કરી આપે એવી મારી આપને વિજ્ઞપ્તિ છે. આત્માની ધ્રુવતા કેવી લાક્ષણિક છે તે આપણે આગળ જોઈ આવ્યા છીએ અને તેવા ઉત્કૃષ્ટ વીર્યમાં જ્યારે ચેતન પડે છે ત્યારે ગો મુદ્દલ નવીન કર્મબંધ કરતા નથી, એ સ્થિતિ પ્રાપ્ત કરવાની આ જીવની ભાવના છે. (૪) કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે; સૂરપણે આતમ ઉપયોગી, થાય તેહ અયોગી રે. વીર. ૫ પાઠાંતર–વીરજ' સ્થાને ભીમશી માણેક “વીસ્ય’ છાપે છે. “નવિ” સ્થાને ભીમશી માણેક “નવી ” પાઠ છાપે છે. “શક્તિ” રથાને ભીમશી માણેક “શગતી ” પાઠ છાપે છે, (૪) શબ્દાર્થ–ઉત્કૃષ્ટ = સારામાં સારું, વધારેમાં વધારે, સરસમાં સરસ. અચળ. વીરજ = વય, શક્તિ, બળ. વેસે = હોય ત્યારે, વેશમાં, આવેશમાં. ગક્રિયા = મન-વચન-કાયાની હિલચાલ. નવિ = નહિ, (નકારાત્મક ). પેસે = દાખલ થાય. યોગતણ = મન-વચન-કાયાના યોગોની. ધ્રુવતા = નિશ્ચલપણાને લીધે. લેશે = જરા પણ, લેશમાત્ર પણ. આતમશક્તિ = આત્મશક્તિ, પિતાના આત્માની શક્તિ. ખેસે = ચલાવે, ગતિમાં મૂકે. (૪). પાઠાંતર– “હ” સ્થાને ભીમશી માણેકે “તેહને ' પાઠ છાપ્યો છે. (૫). શબ્દાર્થ-કામ = પુરુષને સ્ત્રીની ઈચ્છા, સ્ત્રીને પુરુષની ઇચ્છો. વીર્ય = ભોગવવાની મરજી, વલણ, વશે = વશ પડીને, તાબે થઈને. જેમ = યથા, જે પ્રમાણે ભોગી = સંસારી પ્રાણી, સાંસારિક જન. તેમ = તથા, તે પ્રમાણે. થ = નીપજ્ય. ભોગી = તેનો અનુભવ કરનાર. સૂરપણે = બહાદુરીથી. આતમ = આત્મા, નિજ ઉપયોગી = ઉપયોગમાં વતી થાય = નીપજે. તેહ = તે, એ જ, યોગી = વેગ વગરનો, ગહીન. (૫) Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪] શ્રી આનંદઘન-ચોવીશી અથ–જ્યારે સ્પર્શ સુખ ભોગવવાની ઈચ્છા થાય છે અને તેમાં પિતાની શકિત વાપરવા પ્રાણું લલચાય છે, ભેગી ભેગને ભેગવવા તત્પર બને છે, તે પ્રમાણે આત્મા ભેગ ભેગવવા તૈયાર થાય છે અને તેટલી બહાદુરીથી તે આત્મા ઉપગને શુદ્ધપણે પ્રવર્તાવે છે અને તેમ કરતાં તે તદ્દન ગ વગરને–અગી થઈ જાય છે. (૫) વિવેચન–આત્માને લગતાં કેટલાંક મહાસત્ય જણાવે છે – જેમ ઈદ્રિયસંગી ભોગવિલાસઆસક્ત પુરુષ ઇન્દ્રિયના ભેગને ઇચ્છે છે, ખાવાના શોખીન પુરુષ ભાવે તેવા પદાર્થ ઘેબર-જલેબી-લાડવાને ભેગા કરવા ખાવા ઈચછે છે, જેમાં સ્ત્રીનો ઈચ્છક પુરુષ સ્ત્રીને મેળવવામાં સુખ માને છે, તેમ આત્માને ભેગા ઇચ્છનારે પુરુષ આત્માના ઉપયોગમાં શૂરવીરતા વાપરી છેવટે પેગ ઉપર વિજય મેળવી અયોગી થાય છે. અને તે રીતે પુરુષ પિતાને આત્મગ શું છે તે દાખવે છે અને તે રીતે પિતાના ભેગનું સ્થાન શું છે તે જણાવી અંતે યોગ વગર થઈ જાય છે. આત્મા જ્યારે શૂરવીર થાય છે ત્યારે તેના મૂળ ગુણમાં ઉપગ રાખી એ જ્ઞાન-દર્શનચારિત્ર ગુણને ભેળવી તેને ભેગ કરે છે અને પિતે મન-વચન-કાયાના પેગ પર વિજય મેળવી અગી થાય છે. આમ નિજગુણરમણતાને ઉપયોગ આત્માનું અગીપણું પ્રાપ્ત કરે છે, એ મહાન સત્ય આ ગાથામાંથી પ્રાપ્ત થાય છે. અગીપણું પ્રાપ્ત કરવાને ઉપાય આત્મા શૂરવીરપણે પિતાના મૂળગુણોના ઉપયોગ કરે–રાખે એ જ છે, એમ તેથી સમજાય છે. આ વાત ગળે ઊતરે તે માટે કામી પુરુષને અને ભોગી, સાંસારિક ધનાથને દાખલ આપે છે. ધન ખાતર માણસ પરદેશ જાય છે, પર્વતને શિખરે ચઢે છે અને સમુદ્રને પેલે પાર જાય છે, તેની પેઠે જેને યેગે પર વિજય કર હોય તે આત્માના મૂળ ગુણમાં રાચે છે, તેમાં મસ્ત બની જાય છે અને ગે પર વિજય પ્રાપ્ત કરે છે. (૫) વીરપણું તે આતમ-ઠાણે, જાણ્યું તુમચો વાણે રે; ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજધુવપદ પહિચાણે રે. વીર. ૬ અર્થ–વીરપણું (જે હું આપની પાસે માગતું હતું તે) તે મારા આત્મામાં જ છે અને એ હકીકત મેં આપની ભાષાથી જ જાણે છે. એને આધાર તે મારા ધ્યાન, સમજણ અને વર્ષોલ્લાસ પર છે અને પ્રાણી પિતાના ધ્રુવપદને એ રીતે જ ઓળખે છે. (૬) પાઠાંતર–શક્તિ” સ્થાને ભીમશી માણેક “શકતિ” છાપે છે. (૬) શબ્દાર્થ –વીરપણું = બહાદુરી, જેરશર, શક્તિવિશેષ. આતમઠાણ = આત્મગુણસ્થાને, ચઢતાં ચઢતાં એ આવે છે, આત્મામાં જ છે. જાણું = પરખ્યું, અનુભવ્યું. તેમચી = તમારી, આપની. વાણે = વાણીએ, વાચાએ, શબ્દોચ્ચારથી. ધ્યાન = ચિંતવન, meditation. વિનાણે = વિજ્ઞાન, જાણવું તે સમજવું તે. શક્તિ = આવડત. પ્રમાણે = માપમાં, તેટલું જ. નિજ = પિતાનું, આત્મિક. ધ્રુવપદ = સ્થિરતા-સ્થાન, મનની સ્થિરતા. પહિચાણ = જાણે, સાધે, પ્રગટ કરે છે. (૬) Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ ર૪-૧ : શ્રી મહાવીર જિન સ્તવન વિવેચન—આ દરેક ગાથામાં મેં વીરપણું માગ્યું છે તેને અંગે ઘણું રહસ્ય છે, તે આપની પાસે જણાવું છું. આ વીર્ય પણું–વીરપણું–બહાદુરી તે મારા પિતામાં જ–મારા આત્મામાં જ-છે એમ આપના કહેવાથી જાણ્યું. અને ધ્યાન–એકાગ્રતા અને વિજ્ઞાનના પ્રમાણમાં તે ધ્રુવપદને ઓળખવાની જ મારે વાર છે. હું ધ્યાનમાં જેટલે સમય કાઢું અથવા વિજ્ઞાનથી મારામાં રહેલું શૌર્ય ઓળખું અને વધારું તેટલી જ વાર છે. જેટલી હું એકાગ્રતા કરીશ અથવા મારા પિતાના વિજ્ઞાનના ગે તેને જાણીશ, તેટલે અંશે તે વધતું જ જશે : એ આપના તરફથી થયેલી માહિતી માટે અને મારી આંખ ઉઘાડવા માટે આપને ત્રાણી છું. મતલબ, જ્ઞાનથી યા ધ્યાનથી આત્માનુભવ કરવાની ઘણી જરૂરિયાત છે, અને આપે જ તે જણાવ્યું તે બહુ સુંદર કામ કર્યું” છે. હવે એ મારી શક્તિ માટે કેવી રીતે પ્રગટ કરવી તેની બાબતને પણ જરા ઉલેખ કરી નાખું છું. (૬) આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દશન જ્ઞાન વિરાગે, “આનંદઘન પ્રભુ જાગે રે. વીર. ૭ અર્થ—ટેકનું સાધન જે મૂકી દે અને પર પરિણતિને દૂર કરે તે ક્ષય ન પામે તેવા દર્શન, જ્ઞાન અને વૈરાગ્યની અનુકૂળતાએ અંતે આનંદઘનના પદને જાગ્રત કરે. (૭) વિવેચન–આ પ્રાણી જ્યાં સુધી સાધ્યને પ્રાપ્ત કરવા માગે હોય ત્યાં સુધી અનેક અવલંબન-ટેકાઓને લે છે. એ પ્રતિક્રમણ કરે, તપસ્યા કરે, વિનય વૈયાવચ્ચ કરે, પ્રભુની મૂર્તિનું પૂજન કરે વગેરે અનેક અવલંબને લે અને અમુક સાધ્ય પ્રાપ્ત કરવા માટે ટેકાઓ અને અવલંબનેને આદરે પણ આખરે એ આલંબને તે બહારની વસ્તુ છે, પરભાવ છે, પર પરિણતિ છે, એમાં ને એમાં અનેક જીવન સુધી પડી રહેવાનું નથી; જ્યારે બને ત્યારે આ પરાવલંબન કે પરસાધનેને છોડી દેવાનાં છે. પોતે પરાવલંબન ત્યાગવાનાં છે, પણ તેની મર્યાદા હોય છે. એ જ્યારે સ્વાવલંબન કરી શકે, પોતાના આત્માની ઉપર આધાર રાખી શકે, ત્યારે આ આલંબને તજવાં જોઈએ; આખા જીવન સુધી કે અનેક ભવાંતર સુધી આ આલંબન અને ટેકાઓ ઉપર આધાર ન રાખે; કારણ કે એ આલંબનો-સાધને આખરે પરવસ્તુ છે, પરપરિણતિ છે. પણ સ્વાવલંબન માટે પોતાની તૈયારી છે કે નહિ તે બરાબર વિચારવું પાઠાંતર-પરિણતિ” સ્થાને ભીમશી માણેક “પરીણતિ' છાપે છે. (૭). શબ્દાથ–આલંબન = ટેકા, પ્રાથમિક દશાને અવલંબને. સાધન = ટેકા, જવર, વાડના વેલા. ત્યાગે = તજી દે, છોડી દે, મૂકી દે. પર = આત્માથી અન્ય, પર વસ્તુ, બીજી વસ્તુ. ભાગે રે = છેટો જાય, આઘો ખસે. અક્ષય = કદી જેને નાશ ન થાય તેવું, હમેશનું. દર્શન = દેખવું તે, મોક્ષ, બીજુ કમ જ્ઞાન = જાણવું તે, પ્રથમ કર્મ, વૈરાગે = વિરાગતાએ આનંદધન = આનંદને સમૂહ, જ. જાગે = જાગૃત રહે. ઊંઘે નહિ. (૭) Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ] શ્રી આન ઘન-ચાવીશી જોઇએ. પરાવલ`બનની જરૂરિયાત છે, પણ અંતે તે છોડી દેવા જેવાં છે, ત્યાગવા જેવાં છે. એમાં જો અણિત ઉતાવળ થાય તે પ્રાણી યાગથી ભ્રષ્ટ થાય છે. માટે તેના સમય અને પેાતાની વૈયક્તિક લાયકાત ખરાખર વિચારવાં ઘટે. પણ હાલ નહિ તે વહેલાંમાડાં આ પરાવલંબન અને સાધનને ત્યાગવાનાં જ છે. પરાવલ`બન ત્યાગવાના પેાતાના સમય પાકી ગયા છે તેને નિશ્ચય ખરાખર કરવા ઘટે. અંતે આત્મા સ્વાવલ`ખી થાય ત્યારે તેની આનંદ મેળવવાની ઇચ્છા પૂરી થાય છે અને આત્માનું વીય સ્ફુરે છે. જ્યારે આ પરાવલંબન અને ખાહ્ય સાધનને ટેકો છૂટી જાય અને આત્મા સ્વાવલંબી થાય ત્યારે જ્ઞાન અને વૈરાગ્યથી એ અક્ષયદન પામે, વસ્તુ કે વ્યક્તિએ એની નજરમાં ખરાખર આવી જાય. તે વખતે એને વસ્તુસ્થિતિને બેધ (જ્ઞાન) અને વિરાગતા એની બાજુએ મદદમાં રહે છે અને વસ્તુતત્ત્વબોધ અને વૈરાગ્યની મદદ લઇ એનામાં આનંદના સમૂહ જાગૃત થાય છે. આ જ્ઞાન અને વૈરાગ્યના મહિમા બરાબર સમજવા ચેાગ્ય છે. જ્ઞાનથી વસ્તુ ખરેખરી અંતિમ અવસ્થાએ શું છે તેનું મૂલ્ય બેસે છે, અને વૈરાગ્યથી તેના ઉપરથી અણઘટતો રાગ કે આકણુ દૂર થાય છે. આવી આત્માની અનંત જ્ઞાન-દર્શનમય સ્થિતિ, જેને મૂળ ગુણ કહ્યા છે, તેનામાં રમણ કરતાં જે આનંદસમૂહ જાગૃત થાય છે તેને અંતે, પરભાવના ત્યાગ કરવાથી અને પાતા ઉપર આધાર રાખવાથી, પોતે જાતે અનુભવ કરે છે. આત્મા પોતાના મૂળ ગુણમાં રમણ કરે એવી ઇચ્છવા યોગ્ય સ્થિતિ તે સાતમા ગુણસ્થાનક પછી પ્રાપ્ત થાય છે; તે આ કાળમાં અને આ શરીરમાં લભ્ય નથી, તેથી આલબનાના લાભ લેવે। અને તેના ત્યાગ આવતા ભવાંતરમાં થઇ જશે એમ આશા રાખવી, અને આલબના અને સાધનાને પુષ્ટ કરવાં, અને છેવટે પ્રગતિ થતાં આત્માના મૂળ ગુણમાં રમણતા કરી આનંદસમૂહ જાગૃત થશે, એમ ધારણા રાખવી. (૭) ઉપસ’હાર આ પ્રમાણે આ ચાવીશમુ` સ્તવન પૂર્ણ થયું. એ કૃતિ જ્ઞાનસારની હોય કે અન્ય કોઈની હાય, તે શકાસ્પદ છે. પણ ખુદ જ્ઞાનસારજી કહે છે કે આ બન્ને સ્તવના પણ આનંદઘનજીનાં સ્વકૃત છે અને જ્ઞાનવિમળસૂરિએ મહાવીરસ્વામીના સ્તવનનો અર્થ પણ લખ્યા છે. આમાં સત્ય શું હશે તેની ખબર પડતી નથી. આમાં ભારોભાર તત્ત્વજ્ઞાન આલેખવા છતાં તત્ત્વજ્ઞાન કેવી શુષ્ક રીતે અપાયું છે તેની સાથે આનંદઘનની કૃતિ કેટલી ઊંચી છે તેને ખ્યાલ આવે એ માટે ત્રેવીશમા અને ચાવીશમા જિનેશ્વરની કૃતિએ સરખામણી માટે આમાં આપવામાં આવી છે. આ કૃતિ આનદઘનજીની હોય એમ મને ભાષાપદ્ધતિને અંગે લાગતુ નથી. વિવેચન તેટલા માટે સંક્ષેપમાં કયુ છે અને જેટલાં સ્તવના પર જ્ઞાનવિમળસૂરિએ અર્થ કર્યાં છે તે પણ અત્ર છાપવામાં આવ્યા છે. આ સ્તવનમાં વીરત્વ-અહાદુરીની માગણી કરી છે તે ભૂમિકામાં જણાવ્યું છે, પણ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૨૪–૧ : શ્રી મહાવીર જિન સ્તવન [૪૭૭ વીરપણુ. તે પોતાના આત્મામાં જ છે અને પ્રભુ પાસે તેની માગણી કરવાની રહેતી નથી અથવા માગણી કરવી નકામી છે એ વાતને ઉપર છઠ્ઠી ગાથામાં જણાવવામાં આવી છે. વાત પોતામાં રહેલ અનંત વી'ને પ્રગટ કરવાની છે અને તે અન્ય પાસે વિનંતિ કરવાથી આવતું નથી અને આવે તે કાંઈ ઉપયાગનું પણ નથી. એથી ખરેખરું આત્મવી પ્રગટ કરવાનુ કામ છે, તે કરવા માટે સ્તવન નિમિત્તે આ સ` ઉપદેશ છે. એ સમયસર જાણી લેતાં પેાતાના આત્માની પ્રગતિ થાય છે: આ સત્ય સમજાય તે સ્તવનની બાકીની વાતા સમજાઈ જાય તેવુ છે. પછી પ્રભુએ સંયમ શા માટે લીધેા તે અને ખીજી અનેક વાતે સ્તવનમાં કરી છે, તેમાંની તત્ત્વજ્ઞાનની વાતો પર તે તે સ્થાનકે પૂરતું જરૂરી વિવેચન સંક્ષેપમાં કરવામાં આવ્યું છે. તે સર્વે વિચારી આત્મપ્રગતિ સાધવા યોગ્ય પ્રયાસ કરવેા. (૨૪–૧) મે ઃ ૧૯૫૦ ] Page #494 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજીનું કહેવાતું શ્રી મહાવીર જિન સ્તવન ભૂમિકા–આ વિશમાં તીર્થકરનું બીજું સ્તવન થયું. તે જ્ઞાનસારની કૃતિ છે કે કોઈ બીજાની કૃતિ છે તે સ્પષ્ટ થતું નથી. જ્ઞાનસારે બે સ્તવન બનાવ્યાં છે. તેની ખાસિયત એ છે કે એના કર્તા તરીકે તેમણે આનંદઘનજીનું નામ આપ્યું છે. પણ ૨૩ (૧)થી ૨૩ (૨) અથવા ૨૪ (૧) થી ૨૪ (૨) એ બેમાંથી કયું સ્તવન એમનું બનાવેલું છે, તે તેઓ સ્પષ્ટ કરતા નથી. પણ ભાષાષ્ટિએ વિચાર કરતાં એ ચારે સ્તવને આનંદઘનજીની કૃતિ તે લાગતી જ નથી, કારણ કે એ ચારે સ્તવનમાં વપરાયેલી ભાષા અને આનંદઘનજીને શબ્દપ્રયોગ છાને ન રહી શકે, જુદો પડી જાય છે. આ સ્તવનમાં બતાવેલા દ્રવ્યાનુયેગના વિચારે પણ ઘણા સંઘટ્ટ છે, અને તેમાં આનંદઘનને સરળ ભાષાપ્રયોગ મળતું નથી તેથી સાહિત્યની દૃષ્ટિએ એ જરૂર અન્યની કૃતિ છે એમ લાગ્યા વગર રહેતું નથી. એ વાત તે અક્કસ સ્થિતિમાં રહેશે, કારણ કે જ્ઞાનસાર, જેમણે ત્રીસ વર્ષ સુધી આનંદઘનનાં ૨૧ અથવા ૨૨ સ્તવન પર વિચાર કરી પિતાના મંતવ્યો નોંધી લીધાં છે તે કહે છે કે તેમને આનંદઘનજીનાં બે સ્તવનો એક પ્રત પરથી જડ્યાં અને તેના પર તેમણે અર્થ લખે. અને તે અહીં દાખલ કર્યા છે. તે ૨૩ (૧) અને ૨૪ (૧) છે કે ૨૩ (૨) અને ૨૪ (૨) છે, કે કયાં છે તે તેમણે સ્પષ્ટ કર્યું નથી. જ્ઞાનવિમળસૂરિએ બાવીસ સ્તવન પર અર્થ લખે છે. ઉપરાંત, તેમણે તેવીસમા અને વીસમા જિનનાં સ્તવને બનાવ્યાં છે. તે પણ સરખામણી ગ્ય હોવાથી અહીં ૨૩ (૩) અને ૨૪ (૩) તરીકે દાખલ કર્યા છે. કાંઈ નહીં તે ભાષાની સમજણ માટે તે સ્તવને ઉપયોગી છે. - આ ૨૪ (૨) સ્તવનને કેન્દ્રસ્થ વિચાર “અકય, શબ્દમાં સમાય છેપ્રભુ-ભગવાનનું સ્વરૂપ બેસે તેવું નથી, કળી-કલ્પી શકાય તેવું નથી, કોઈની સાથે સરખાવી શકાય તેવું નથી. એ કેવી રીતે અકલ્પ છે તે આ સ્તવનમાં બતાવ્યું છે. આપણે તે પર વિચાર કરીએ. બાકી, સંસારની અનેક આંટીઘૂંટીમાં તથા પૌગલિક વાસનામાં લુબ્ધ થયેલા આ પ્રાણીને પરમાત્મતત્વનો વિચાર જ આવતું નથી; એ તે પિતાને જે મળ્યું તે ભેળવવામાં અને વધારે મેળવવામાં ખૂબ આડાઅવળા પ્રયાસો કરે છે, વલખાં મારે છે અને પિતે જે વિચાર, ઉચ્ચાર કે ક્રિયા કરે તે પ્રત્યેકના જવાબ આપવા પડશે, તેને વિચાર પણ કરતું નથી, પણ અભિમાન નમાં છાતી કાઢીને ચાલે છે અને કાં તે તદ્દન રાંકડો બની યાચના કરે છે; અને એવી રીતે અભિમાન કે રાંકપણામાં જીવન ગુજારે છે અને મોતે કમોતે મરી જાય છે. આવા પ્રાણીને અનેક સ્થિતિમાંથી પસાર થવું પડે છે, એ એક ખાડામાંથી નીકળી બીજામાં પડે છે. અને એને Page #495 -------------------------------------------------------------------------- ________________ ૨૪–૨ : શ્રી મહાવીર્ જિન સ્તવન [ ૪૯ ખરી સ્થિતિનું ભાન કરાવનાર કોઇ નીકળી આવે અને તેનું ધ્યાન દોરે તે એનામાં જ્ઞાન ભાસતું જ નથી. અને એ આવ્યા હાય તેવા ખાલી હાથે અત્ર સર્વાં મૂકીને ચાલ્યા જાય છે. તેવા માણસને વિચારમાં નાખી દે તેવું આ સ્તવન છે. તે કેની કૃતિ છે તે સહજ વિચારી ગયા. હવે એ શું કહે છે તે આપણી આવડત પ્રમાણે આપણે વિચારીએ. સ્તવન ( પથડો નિહાળું રે બીજા જિનતણા-એ દેશી ) ચરમ જિણેસર વિગત સ્વરૂપનું, ભાવું કેમ રસ્વરૂપ? સાકારી વિષ્ણુ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂપ. ચરમ૦ ૧ અથ—છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું સ્વરૂપ તે અત્યારે નાશ પામેલ છે; તે શુદ્ધ ચેતના કહે છે કે સાકારી ન હાય તેનું ધ્યાન તે શકય કેમ થઈ શકે ? એ તે પોતે કોઇ જાતના વિકાર વગરના છે, ફેરફાર વગરના છે, પોતાના રૂપ–આકાર વગરના છે. તે શુદ્ધ ચેતના કહે છે કે એનું હું ધ્યાન કેમ કરીને કરું ? મારા રસ્તામાં અનેક મુશ્કેલીએ છે. (૧) વિવેચન—છેલ્લા તીથંકર, જે વિગતસ્વરૂપી છે, જેનું સ્વરૂપ સમજવું ઘણું મુશ્કેલ છે, તે હું કેવી રીતે ભાવું ? કારણ કે સાકારી વગર તે સ્વરૂપને ખ્યાલ આવવે ઘણા મુશ્કેલ છે. અને તે પોતે અવિકારી અને અરૂપી છે. આવા અવિકારી અને અરૂપીનું ધ્યાન પણ કેમ કરવું ? કારણ કે ધ્યાન કરતાં રૂપ તે જોઇએ. આ મુસીબતના જવાબ આપે છે તે આપણે આગળ જતાં વિચારીશું. આ વિગતસ્વરૂપીનું ધ્યાન મનઃપવજ્ઞાનીથી પણ જાણી ન શકાય તેવું છે. રૂપસ્થ ધર્મધ્યાન સુધી આકાર હોય છે અને ત્યાં સુધી તે મૂર્તિપૂજાને સ્વીકાર આગમમાં કર્યો છે. રૂપાતીત ધર્મ ધ્યાનના પ્રકાર પ્રાપ્ત કરવેા એ કેટલેા મુશ્કેલ છે તે આપણે વિચારવા જેવું છે. બાકી, આ કાળનાં સંઘયણ અને સંસ્થાન વિચારતાં તે રૂપ વગર ધ્યાન સંભવતું નથી; ત્યારે કેમ કરીને પ્રભુનું ધ્યાન આ કાળમાં થઈ શકે ?–એવે આ પ્રાણીને પ્રશ્ન થવા તે સાહજિક શબ્દા—ચરમ = છેલ્લા. જિણેસર = જિનેશ્વર, તીથંકર. વિગત = ગયેલું છે, નાશ પામેલ છે, નથી. સ્વરૂપ = પોતાનું રૂપ, દેખાવ. ભાવુ = જાણું, ધ્યાનમાં લઉં. કેમ = કઈ રીતે. સ્વરૂપ = પોતાનું રૂપ, બાહ્ય દેખાવ. સાકારી – આકારને ધારણ કરનાર, આકાર સહિત હોય તે. વિષ્ણુ = વગર, વિના, સિવાય ધ્યાન = એકાગ્રતા, શાસ્ત્રમાં બતાવેલ ધ્યાનના પ્રકારો, ન સંભવે = શક્ય નથી. એ = તે, પેલા, તીથ''કર અવિકાર = જેમાં વિકાર ન થાય તેવા, અવિકારી, ફેરફાર વગરના. અરૂપ= રૂપ વગરના, અરૂપી. (૧) ૧. જ્ઞાનસારનું આ સ્તવન ભીમશી માણેકના ગ્રંથમાં છપાયેલું છે. તેને સરખાવવા માટે ખીજી કોઈ પ્રત મળી નથી તેથી એનાં પાઠાંતર આપી શકાયાં નથી. સ્તવનમાં ભ્રૂણા અ`માગધી શબ્દો આવે છે; તે સમજવા માટે વિવેચન જોવુ. ૨. ભીમશી માણેકના ગ્રંથમાં અહીં ‘સારી' પાડે છે; પણ મને સારી’ને બન્ને સાકારી' પાડે યોગ્ય લાગે છે; એટલે અથને ધ્યાનમાં લઈ મેં સાકારી' પાડે લીધો છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ] શ્રી આન ઘન-ચાવીશી બાબત છે. આમાં અનેક બાબતેનો સમાવેશ થાય છે. પ્રભુ પોતે તે અવિકારી અને અરૂપી છે, તે તેઓનું ધ્યાન કેમ કરવું તે વાત પણ વિચારવા ચેગ્ય છે અને તે તે સાત રાજ અળગા જઈને બેઠેલા છે અને પ્રભુના ધ્યાન વગર પ્રભુ જેવા થઇ શકાય નહિ તે પણ વાત જાણવામાં છે. અહીં આ કાળ અને સર્વ કાળની બેવડી ગૂંચવણ થઈ. ધ્યાન વગર સિદ્ધિ નથી, તે એ અવિકારી અને અરૂપી ધ્યાન કઇ રીતે કરવું ?–તેવેા સવાલ આ જિજ્ઞાસુને ઊચો. તેના જવાબ આ પ્રાણી પ્રભુ પાસે માંગે છે. પ્રભુ એ સવાલના જવાબ આપે છે તે આવતી ગાથામાં જોવામાં આવશે. ધ્યાન સાકારીનું થઈ શકે છે, અને પ્રભુ નિરાકાર છે, તે વિચારી જવાબ આપવાના છે. (૧) આપ સરૂપે રે આતમમાં રમે રે, તેહના ધુર બે ભેદ; અસંખ ઉક્કોસે સાકારી પદે રે, નિરાકારી નિરભેદ. ચરમ૦ ૨ અથ—પેાતાના સ્વરૂપમાં હેાય ત્યારે તે આત્મામાં રમણ કરે છે, આત્મભાવમાં રમે છે; તેના પ્રથમથી તે બે પ્રકાર છે : (૧) અસંખ્ય ઉત્કૃષ્ટ ભાવે એ સાકારી પદે છે, તેનું રૂપ હાય છે. અને (૨) જ્યારે તે સિદ્ધ થાય છે, ત્યારે તે આકાર વગરના, એકસરખા છે અને ભેદ–પ્રકાર વગરના છે. (૨) વિવેચન—આત્મસ્વરૂપે એ પરમાત્મા આત્મામાં રમણ કરે છે. પ્રથમ તે તેના બે પ્રકાર પડે છે: અસંખ્ય વર્ષો સુધી તે સાકારીપણે રહે અને પછી છેવટે તે નિરાકારી અને નિભેદ્યુ થાય. આવા પરમાત્માને તે કેમ ભજવા ? નિરાકારીને આકાર કેમ આપવા ? આત્મા જ્યારે પોતાના સ્વરૂપમાં હોય છે, એટલે કે જ્ઞાન-દર્શીન-ચારિત્રમાં હોય છે, ત્યારે એ પોતાના ગુણમાં રમણ કરે છે. પણ અસંખ્ય વર્ષો સુધી એને ઘાતી ક` લાગેલાં હેાય છે. જ્ઞાનાવરણીય, દ નાવરણીય, મેાહનીય અને અંતરાય કને ઘાતી ક કહેવામાં આવે છે. કેટલાક પ્રાણી ઘાતી ક વાળા હાય છે અને કોઈ કોઈ અઘાતી કર્મોવાળા હોય છે. તે એ પ્રકાર પૈકી કોઈ તીર્થંકર હોય છે, માન-પ્રતિષ્ઠા-પૂજાને પાત્ર હોય છે અને કોઈ અતીર્થંકર હોય છે. ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થંકર લાલે છે અને અતીર્થંકર તેા નવ ક્રોડ હોઈ શકે છે. તીર્થંકર બધા સિદ્ધ થાય છે. તે અવિકારી અને અભેદ્દી કહેવાય છે; કારણ કે સિદ્ધ તરીકે તે પછી કોઈને ભેદ રહેતા નથી, સ` સમાન છે. આવા અવિકારી પ્રભુનું ધ્યાન કેમ કરવું?–એ સવાલ છે અને આ પ્રાણી પ્રભુને તેના સવાલ કરે છે. (૨) શબ્દા—આપ = આત્મા, પોતે, નિજ. સરૂપે = સ્વરૂપે, રૂપે, સ્વભાવે, આતમમાં = આત્મામાં, પોતામાં, રમે = રમણ કરે, વલસે. તેહના = તેના. ર = પહેલેથી, પ્રથમથી. એ = એકને વધતાં એક. ભેદ = પ્રકાર. અસંખ્ = અસંખ્ય, જે ગણી ન શકાય તેટલા. ઉક્કોસે = ઉત્કૃષ્ટ, વધારેમાં વધારે. સાકારી = આકારે કરી સહિત, તી''કર. પદે = પદવીએ. નિરાકારી = આકાર વગરના, રૂપ વગરના, સિદ્ધ. નિરભેદ = ભેદ વગરના, એક્સરખા, નિભેદ. (૨) Page #497 -------------------------------------------------------------------------- ________________ ૨૪-૨: શ્રી મહાવીર જિન સ્તવન [૪૮૧ સુખમ નામકરમ નિરાકાર જે રે, તેહ ભેદે નહિ અંત; નિરાકાર જે નિરગતિ કર્મથી રે, તેહ અભેદ અનંત. ચરમ૦ ૩ અર્થ_એક તે ચર્મચક્ષુથી ન દેખાય તેવું નિરાકારપણું, તેના પ્રકારને અંત આવતે નથી. અને નિર્ગ તિક કર્મના યેગે જે આકારરહિતપણું–નિરંજન નિરાકારપણું પ્રાપ્ત થાય છે, તેના પ્રકાર પણ અનંત છે. (૩) વિવેચન–હજુ સવાલ ચાલે છે. નિરાકારપણે બે જાતનું છે. એક સૂમ નામકર્મને લઈને, અને તેના તે અનંતા ભેદ છે. બીજુ નિર્ગતકર્મથી નિરાકારીપણું પ્રાપ્ત થાય છે, કર્મ ન હોય ત્યારે તેના પણ અનંત ભેદ છે. દરેક સિદ્ધો અસંખ્યાત પ્રદેશાત્મક છે અને અનંતા પ્રાણ સિદ્ધ થયેલા છે તેથી તેના અનંતા ભેદ થાય. સૂમ નામકર્મના ઉદયે અનંત સૂફમ થાય છે. પૃથ્વીકાય, અપકાય, તેજસકાય, વાઉકાય અને વનસ્પતિ–સૂકમને આ સૂમ નામકર્મને ઉદય હોય છે, તેથી પણ તે પ્રાણીનું શરીર ન દેખાય. અને સર્વ કર્મને નાશ થતાં નિરાકારીપણું મળે તે સિદ્ધના જી અનંત હોવાથી સરવાળે અનંતા થાય. આ બે પ્રકારના અનંતા બતાવવાને હેતુ એ છે કે કર્મજન્ય સૂક્ષ્મપણું અને કર્મનાશજન્ય અવિકારીપણું, આવું આપનું તે કાંઈ રૂપ નથી. ત્યારે મારે સવાલ એ છે કે આપને કઈ રીતે ધાવવા? આને માર્ગ અને મળતું નથી. આપ કાંઈ રસ્તે બતાવે ત્યારે મને સૂઝ પડે. નિગદના સર્વ પ્રાણીઓને સૂકમ શરીર હોય છે. તેઓનાં શરીર દેખાતાં નથી અને આપ અને બીજા અનંત સિદ્ધ કર્મ રહિત થવાથી અવિકારી અને અશરીરી થયા છે. આપ નિરાકાર છે, તે પછી મારે આપનું ધ્યાન કઈ રીતે કરવું ? પ્રથમ ગાથાથી જે સવાલ ઉપસ્થિત થયેલ છે તે ચાલુ છે. હજુ તે જ આકારે જુદી જુદી દલીલથી એ સવાલ આ પ્રાણી ચાલુ રાખે છે. (૩) રૂપ નહિ કંઈ મેં બંધન ઘટયું રે; બંધ ન મોક્ષ ન કાય; બંધ મખ વિષ્ણુ સાદિ અનંતનું રે, ભંગ સંગ કેમ હોય? ચરમ૦ ૪ શબ્દાર્થ–સુખમ = સુક્ષ્મ, બાદર નહીં તે સૂક્ષ્મ નામકમને ઉદય. નામકરમ = નામક, સમ દશકા પૈકી પ્રથમ નામકમ. નિરાકાર જે = ચમચક્ષુથી ન દેખાય તેવું. તેહ = તે, સ, એ. ભેદે = પ્રકારે. નહિ = ન (નકારાત્મક). અંત = છેડો, પાર. નિરાકાર = આકાર રહિત, નિરંજન નિરાકાર. જે = કે, જે કોઈ નિરગતિ = નિગતિક, જેમની કોઈ ગતિ નથી. કર્મ = નિઃકર્મા, કમરહિત. ભેદ = પ્રકાર, અનંત = પાર-છેડા વગરના, અપરં પાર. (૩) શબ્દાર્થ—રૂપ = સ્વરૂપ; આકાર. નહિ =ન. કંઈ = ક્યાંથી, ક્યા પ્રકારે, કેવી રીતે. બંધન = બંધાઈ જવું તે. ઘટયું = સંભવ્યું, યોગ્ય થયું. બંધ ન = બંધ નહિ, બંધાવું નહિ. મોક્ષ = મુકાવું તે. છૂટા થવું તે, કર્મ વગરના થવું તે. ન= નહિ. કાય = શરીર. બંધ = બંધન, બંધાવું તે. મોખ = મોક્ષ, મુકાવું તે વિણ = વગર. સાદિ = જેની શરૂઆત છે તેવું. અનંત = અંત વગરનું. ભંગ = ભાંગે. પ્રકાર, સંગ = સાથે હોવાપણું, તેપણું. કેમ = શી રીતે હોય = સંભવે, થાય. (૪) Page #498 -------------------------------------------------------------------------- ________________ ૮૨] શ્રી આનંદઘન-ચાવીશી અર્થ—જે રૂપ ન હોય તે બંધન સંભવ્યું ક્યાંથી? એટલે જેને બંધ નહિ તેને છુટકારો અને શરીર સંભવતાં નથી. અને બંધન અને મેક્ષ વગર સાદિ અનંતને ભંગ છે તે સુસંગત કેમ હોઈ શકે ? (૪) વિવેચન–હવે આ પ્રાણી શંકામાં અંદરની શંકા કરે છે. આપ અરૂપી છે, તે અરૂપીને બંધન ન હોય, કારણ કે બંધન માટે રૂપની જરૂર છે. તે પછી આપને બંધન કેમ સંભવે ? અને જ્યાં કર્મ બંધ ન હોય ત્યાં પછી તેમાંથી મોક્ષ કાંઈ પણ હોતું નથી, કારણ કે બંધન હોય તે તેમાંથી મુકાવાનું–છૂટવાનું હોય. અને જ્યારે બંધ અને મેક્ષ ન હોય તે સાદિ અનંતને આપને ભાંગ કહેવાય છે, તેને સંભવ કેમ હોય ? આ તે મારી ગૂંચવણમાં વધારે જ થતું જાય છે. આપની બધી વાત જેમ જેમ હું વિચારું છું, તેમ તેમ મારી શંકાઓ વધતી જાય છે. તે આપનું ધ્યાન હું કેમ કરું, તે આપ મને સમજાવે. ચાર ભાંગા છેઃ અનાદિ અનંત, અનાદિસાંત, સાદિ અનંત અને સાદિસાંત. તેમાં આપને સાદિઅનંતને ભાંગે છે તે બેસતે કેમ આવે ? સર્વ સિદ્ધો આ સાદિ અનંતને ભાગે વતે છે. સર્વ જેને આશ્રયીને મોક્ષ અનાદિ અને અનંત ભાગે છે, એટલે મોક્ષની આદિ પણ નથી અને અંત પણ નથી. પણ પ્રત્યેક જીવ આશ્રયી મેક્ષની આદિ ખરી, પણ અંત નહિ. તે આપના સંબંધમાં સાદિઅનંતને ભાંગે સુસંગત કેમ થાય, અને આપનું દયાન હું કેમ કરું તે આપ મને સમજાવો. (૪) દ્રવ્ય વિના તેમ સત્તા નવી લહે રે, સત્તા વિણ એ રૂપ? રૂપ વિના કેમ સિદ્ધ અનંતતા રે, ભાવું અકલ સરૂપ. ચરમ૦ ૫ અર્થ-દ્રવ્ય-ચીજ વગર સતા-છતાપણું ન હોય, અને સત્તા વગર રૂપ તે કેમ હોઈ શકે ? અને રૂપ વગર સિદ્ધની અનંતતા કેમ હોઈ શકે ? ત્યારે આપનું અકળ સ્વરૂપ મારે કેમ ધ્યાવવું તે આપ મને જણા–સમજાવે. (૫) વિવેચનઅને વધારે શંકા-સમાધાન કરાવવા માટે પ્રભુને કહે છે કે દ્રવ્ય વગર સતા હોઈ શકે નહિ અને સત્તા વગર રૂપ કેમ સંભવે ? અને રૂપ વગર સિદ્ધની અનંતતા કેમ હોય? તે અકળ–અકલ્પ સ્વરૂપને કેવી રીતે ભાવું? આ ગાથામાં દ્રવ્યાનુયેગનું ઊડું તત્વજ્ઞાન છે, તે આપણે સમજવા યત્ન કરીએ. શબ્દાર્થ-દ્રવ્ય = વસ્તુ, ચીજ. વિના = વગર, સિવાય. સત્તા = સતા, હોવાપણું, છતા પણું. નવી = ન (નકારાત્મક). લહે = પામીએ. સત્તા = સત્તા, હોવાપણું. વિણ = વગર, સિવાય. એ = કેમ, શે. રૂપ = આકાર, રૂપ = આકાર, સ્વરૂપ. વિના = વગર, સિવાય. કેમ = કઈ રીતે, કેવી રીતે. સિદ્ધ = મોક્ષમાં ગયેલાની, મુક્તની. અનંતતા = પાર વગરપણું. ભાવું = ધ્યાવું, જાણું. અકલ = ન કળી શકાય તેવું, અકર્યો. સરૂપ = સ્વરૂપ. (૫). Page #499 -------------------------------------------------------------------------- ________________ ૨૪-૨: શ્રી મહાવીર જિન સ્તવન [૪૮૩ પૃથ્વીતળ ઉપર ઘડે ન હોય તે તેને કાંઈ નામ આપી શકાતું નથી; ભૂતળ ઘટ વગરનું છે એવું તે ન કહેવાય; અભાવને ભાવ છે એમ ન કહેવાય. આ સના સ્વરૂપ વિષે જુદા જુદા દર્શનકારોને જુદા જુદા મત છે. કોઈ દર્શન સત્ પદાર્થને નિરન્વય ક્ષણિક માને છે. તેઓ ઉત્પાદ અને વ્યયને જ સ્વીકારે છે. કોઈ દર્શન આત્માને કેવળ ધ્રુવ (કૂટનિત્ય) અને પ્રકૃતિતત્ત્વ રૂપ સને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) માને છે. કોઈ દર્શન અનેક સપદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાંક સત્ તને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે, પરંતુ જૈનદર્શનનું સત્ના સ્વરૂપ સંબંધનું મંતવ્ય ઉક્ત બધા મતોથી જુદું છે. અને તે કહે છે કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેથી યુક્ત હોય–તદાત્મક હોય–તે સત્ કહેવાય. (તત્ત્વાર્થસૂત્ર, પ–ર૯). જૈનદર્શનનું માનવું એ છે કે સત્ –વસ્તુ છે તે ફક્ત સમગ્ર ફૂટસ્થનિત્ય, અથવા ફક્ત નિરન્વયવિનાશી, અથવા એને અમુક ભાગ કૂટસ્થનિત્ય અને અમુક ભાગ પરિણામી નિત્ય, અથવા એને કોઈ ભાગ તે ફક્ત નિત્ય અને કોઈ ભાગ તે માત્ર અનિત્ય એમ હોઈ શકતું નથી. એના મત પ્રમાણે ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત, સૂકમ અથવા ધૂળ બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપે ત્રિરૂપ છે. આ રીતે દ્રવ્ય જ પિતે ન હોય તે તેની સત્તા નથી. અને સત્પણું ન હોય તે તેને રૂપ કેમ સંભવે? અને સત્તા ન હોય તે સિદ્ધોમાં અનંતતા કેમ સંભવે ? ત્યારે મારે આપનું રૂપ કેમ ભાવવું ?—આ સવાલ પૂછ્યો તેનો ભગવાન શ્રી મહાવીરસ્વામી જવાબ આપે છે તે આવતી ગાથામાં કહેશે. અત્યાર સુધી સંશયમાં પડેલા પ્રાણીને સવાલ પોતાની સમજણ માટે અને વસ્તુરૂપના જ્ઞાન માટે હતો. પ્રભુ-ભગવાન અને સારે જવાબ આપે છે તે આખો વિચારવા ગ્ય છે. તે વિચારી તદનુસાર પિતાની જાતને ગોઠવવી. (૫) આત્મતા પરિણતિ જે પરિણમ્યા રે; તે મુજ ભેદભેદ; તદાકાર વિણ મારા રૂપનું રે, ધ્યાવું વિધ પ્રતિષેધ. ચરમ૦ અથ_પિતાના આત્માની અસલ–મૂળ પરિણતિને જે પ્રાણ પામે તેવા આત્મા સાથે અમુક રીતે મારે ભેદ છે અને અમુક રીતે અભેદ છે; બાકી તસ્વરૂપ આકાર વગર બહિરાત્મપણે મારા સ્વરૂપને તારે ધ્યાવવું, તેને કેમ કરવું અને તેને નિષેધ કેમ કરો (તે મેં બતાવ્યું છે). (૬) વિવેચન–આત્મતા, જે જ્ઞાન દર્શનચારિત્ર, તેની પરિણતિ જે પામ્યા, તન્મય થઈ ગયા, તે પ્રભુની સાથે ભેદભેદરૂપે થઈ ગયેલ છે, એટલે બહિરાભદશાએ પ્રાણી પતે ત્યારે ' શબ્દાર્થ–આત્મતા = અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રતા, સ્વસ્વરૂપ પરિણતિ = તપ થવું, એક્તા પ્રાપ્ત કરવી. પરિણમ્યા = પામ્યા, પ્રવર્તમાન થયા. તે = ત્રીજો પુરુષ એકવચન. મુજ = મારી સાથે. ભેદભેદ = ભેદ અને અભેદ. તદાકાર = તે આકારનું. વિણ = વગર. મારા રૂપનું = સ્વરૂપનું ધ્યાવું = ધ્યાવવું, વિચારવું, જાણવું. વિધ = કરવું તે, બહિરાત્મભાવે કરવું તે. પ્રતિધિ = નિષેધ, ન કરવું તે, અટકાયત કરવી તે. (૬) Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪] શ્રી આનંદઘન-ચોવીશી ભગવાન સાથે તેને ભેદ છે, તે ભગવાનથી જુદો છે, અને આત્મપરિણતિમાં પરિણમે ત્યારે અભેદ રૂપે છે; એટલે ચેતનને ભગવાન સાથેને આ જ અભેદ છે. આ આકારના રૂપ વગર તેના મય થવું તે વિધિ છે અને તેના મય ન થવું તે નિષેધ છે; એટલે અમુક અંશે તન્મય થવું અને રૂપાતીત ભાવે ધ્યાવવની પોતાની યોગ્યતા થાય ત્યારે તેને નિષેધ છે. આ વિધિ અને નિષેધને બરાબર સમજી લેવા, એમાં યોગ્યતા વગર નિષિદ્ધ બાબતેને આદરવી નહિ, અને સાકાર ભાવ હોય તેને આદર-વીકાર. એ વિધિ અને નિષેધ વચ્ચે સમતુલતા રાખવી એ કર્તવ્ય છે. કઈ હદે સાકાર ધ્યાન કરવું અને ક્યારે તેને છોડીને નિરાકાર ધ્યાન કરવું, એના સર્વ વિધિ અને નિષેધે ગગ્રંથમાં વિસ્તારથી વર્ણવવામાં આવ્યા છે. ત્યાંથી સમજીને તે વિધિ અને નિષેધને તે પ્રમાણે અનુસા. પિતાની યોગ્યતા સાકાર ધ્યાન કરવાની હોય, છતાં નિરાકાર ધ્યાન કરે તે તે નિષિદ્ધ વાત છે; તેમ જ ઊલટું પણ સમજવું અને સમજીને પોતાની યોગ્યતા હોય તે પ્રમાણે ગપ્રગતિ કરવી. કોઈ વાત અમુક રીતે જ કરવી અને અમુક રીતે ન જ કરવી એ વિધિ-નિષેધ આમાં છે જ નહિ; લાભની દૃષ્ટિએ જેમાં લાભ દેખાય તે કરવું અને નુકસાન થાય તે ન કરવું. મુદ્દાની વાત એ છે કે ભગવાનના કહેવા પ્રમાણે અધિકારીએ પિતાને અધિકાર જોઈને યોગ્યતા-અયોગ્યતાને નિર્ણય કરે. વાત એવી છે કે આત્મિક પરિણતિમાં પરિણમવું અને બાહ્ય ભાવનો ત્યાગ કરે, અને તે માટે પિતાની યુગપ્રવૃત્તિ કેટલી વધી છે, તેની સમજણ કરવી તે પ્રત્યેક વ્યક્તિનું કામ છે. આ અનેકાંત મત પ્રમાણે એનો એક નિર્ણય નથી; દરેક વ્યક્તિએ પોતા માટે નિર્ણય કરવાનું છે. અંતે તો નિરાકાર ભાવે આત્માની અસલ પરિણતિમાં તન્મય થવાને રસ્તે જ પોતાને ઉદ્ધાર છે, પણ તે માટે સમય અને પોતાની યેગ્યતા જેવી. છેવટે આ નિરાકારભાવને આદરવા છેલ્લી સાતમી ગાથામાં જણાવશે. ભગવાનની આ જવાબ છે. અને તેમાં સર્વ સવાલના જવાબ અંતર્ગત થાય છે. (૬) અંતિમ ભવગણે તુજ ભાવનું રે, ભાવશું શુદ્ધ સ્વરૂપ; તઈ એ “આનંદઘન’પદ પામશું રે, આતમરૂપ અનૂપ. ચરમ ૭ અર્થ–જ્યારે મારે છેલ્લે (અંતિમ) ભવ મને પ્રાપ્ત થશે અને જ્યારે મારે સંસારમાં આવવાનું નહિ હોય ત્યારે–તે ભવમાં—તમારા શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરશું, ત્યારે–તે-વખતે શબ્દાથ—અંતિમ = છેલ્લા, જ્યાર પછી સંસારમાં આવવાનું ન હોય તેવા. ભવ = સંસાયાત્રા, છેલ્લે ભવ. ગહણે = લીધે, પ્રાપ્ત થયે. તુજ = તમારા, તારા, પરમાત્મભાવનું. ભાવેશું = વિચારશું, ચિંતવશું. શુદ્ધ = આત્મિક, વિશુદ્ધ, અંતે પ્રાપ્ત થવાનું સ્વરૂપ = રૂ૫, શુદ્ધ સ્વભાવ. તઈ એ = ત્યારે, તે વારે, દા. આનંદધન = આનંદધન સ્વરૂપ, નિજ સંત-ચિત-આનંદપણું, પોતાનું રૂપ પામશું = પ્રાપ્ત કરશું, મેળવશે. આતમ = આત્માનું, આત્મિક, સ્વકીય, પિતાનું રૂપ = સ્વરૂપ. અનુપ = જેને કેઈ સાથે સરખાવી ન શકાય તેવું incomparable. (૭) Page #501 -------------------------------------------------------------------------- ________________ ૨૪-૨ : શ્રી મહાવીર જિન સ્તવન [૪૮૫ આનંદના સમૂહનું સ્થાન પામશું. અને તે આત્માના રૂપનું એવું સુંદર સ્થાન છે કે જેની સરખામણીમાં કોઈ પદાર્થ સાથે થઈ શકે નહિ. (૭) વિવેચન—આ પ્રાણી જવાબને જવાબ આપે છે કે હે પ્રભુ! મારે છેલ્લે ભવ થશે ત્યારે એ શુદ્ધ સ્વરૂપ, જે આપે બતાવ્યું, તેનું ધ્યાન કરશું. એવો વખત આવશે ત્યારે અખંડ આનંદને અમે પણ પામશું. અને તે આત્મિકરૂપ અનુપમ હશે, એને કોઈ સાંસારિક સુખ સાથે સરખાવી ન શકાય. અંતિમ ભવ આવશે એટલે ત્યાર પછી ભવ કરવાના નહિ હોય, ત્યારે અમે–આ જીવહું પિત-ક્ષપક શ્રેણિ માંડીશ. ક્ષપક અને ઉપશમ શ્રેણીનું સ્વરૂપ ઉમાસ્વાતિ વાચકના પ્રશમરતિ ગ્રંથમાં સવિસ્તર જેવું. આ પ્રશમરતિ ગ્રંથમાં પ્રથમ શ્રેણિમાં શું શું થાય છે તે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. (જુઓ સદર ગ્રંથ, પ્રકરણ ૧૪મું). એ પ્રશમશ્રેણિ જ્યારે આ જીવ કરશે ત્યારે આનંદના સમૂહને પામશે અને તે કોઈની સાથે સરખાવી ન શકાય તેવું આત્માનું રૂપ હશે. આ મારી હોંશ છે, મારે પ્રાપ્ત કરવાને પરમ પદાર્થ છે અને તે વખતે મને અવર્ણ, નિરુપમ આનંદ થશે. ઉપસંહાર આ સ્તવન કદાચ જ્ઞાનસારનું બનાવેલું હોય. એમણે તેવી શકું અને ચોવીશમું એક એક સ્તવન બનાવ્યું, અને પછી તેમને આનંદઘનનાં પિતાનાં બનાવેલાં મૂળ સ્તવન મળી ગયાં, તેને પણ તેમણે અર્થ લખી ચોવીશી પૂર્ણ કરી. આમાંનાં કયાં સ્તવન તેમનાં બનાવેલાં અને ક્યાં આનંદઘનજીનાં બનાવેલાં તેમને મળ્યાં તે સ્પષ્ટ બતાવેલ નથી. પણ મને ર૩ (૧). ૨૪ (૧), ૨૩ (૨), ર૪ (૨) એ ચારે સ્તવનમાંથી એક પણ સ્તવનમાં આનંદઘનની ભાષા દેખાતી નથી. આનંદઘને જે સરળતાથી તત્ત્વજ્ઞાન આપ્યું છે, તેવી સરળતા, મારી માન્યતા પ્રમાણે, જ્ઞાનસાર કે બીજા કોઈ કવિ લાવી શક્યા નથી. આ સ્તવનમાં આત્માનું સ્વરૂપ અનેક દષ્ટિબિંદુથી ચર્ચવામાં આવ્યું છે. આત્માનું સ્વરૂપ બે રીતે વિચારાય: એક તે મૂળ–અસલ સ્વભાવે કેવો છે તે સ્વભાવની અપેક્ષાએ જોઈ શકાય; અને અનાદિ અધ્યાસને લીધે એનું મૂળ સ્વરૂપ અવરાઈ ગયું છે અને પરભાવને એ પિતાને ભાવ માનતે થઈ ગયું છે તે દૃષ્ટિએ જોઈ શકાય છે. એકને નિશ્ચયદષ્ટિબિન્દુ કહેવામાં આવે છે, બીજાને વ્યવહારદષ્ટિબિન્દુ કહેવામાં આવે છે. આ આત્માના નિશ્ચયદષ્ટિબિંદુના સ્વરૂપને વારંવાર ભાવવું, ધ્યાવવું અને વારંવાર વિચાર–ધ્યાન કરી એ પ્રાપ્ત કરવું એ જીવનને મુખ્ય હત છે. અને તેને અંગે સર્વ પ્રયાસ છે. અને પ્રાપ્ત કરવામાં જીવનસાફલ્ય છે અને તેને અંગે આપણું વર્તમાન મહેનત છે. આ આત્માના મૂળસ્વભાવને ઓળખ અને ઓળખીને આપણી સાથે જોડી દેવે એ આપણું કર્તવ્ય છે. એની નજીક જેટલા જવાય તેટલું યોગ્ય છે. બાકી સર્વ નકામી ધાંધલ છે અને અર્થ વગરના આંટાફેરા છે. તેથી આત્માને અનેક દષ્ટિબિન્દુથી Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬] શ્રી આનંદઘન-વીશી ઓળખવા પ્રયત્ન કરે અને ઓળખીને ન અટકતાં પિતે પરિપૂર્ણતામય થવા બનતે પ્રયાસ કરે. અને તે વાતમાં આ ભવમાં પરિપૂર્ણતા ન મળે તે તેની નજીક જેટલા જવાય તેમાં આપણા પ્રયાસની સિદ્ધિ છે; કારણ કે જેમ રસ્તે નજીક થાય તેમ આપણા મુદ્દાની નજીક જવાય તેટલે રસ્તો કપાય છે. અને એ આત્મસ્વરૂપ તે અંતિમ-છેલ્લા ભવમાં મળે તેવું છે, પણ તેની નજીક જવાય તે પણ જીવન સફળ છે. કારણ કે ખૂબ વિચાર કરતાં આ નિજસ્વરૂપ, એ એક જ વસ્તુ મેળવવા યોગ્ય છે. બાકી છોકરાં, બૈરી, ઘરબાર કે પૈસા અહીં ગમે તેટલાં મળે તે સર્વ અહીં જ રહી જવાનાં છે. તેને મૂકીને જવાનું છે અને તે મૂકવાના છે તે ચોક્કસ છે. પછી વહેલાં કે મોડાં–જેટલું આયુષ્ય હોય તેના પ્રમાણમાં–આ વાત સ્વીકારવા યોગ્ય છે. આ જીવ તે એવો છે કે એ સ્વરૂપને સમજાતું નથી, અને સમજે તે પણ પડશે એવા દેવાશે,’ એમ માની અત્યારે તે પરભાવમાં રમણ કરે છે. આ દીર્ઘદૃષ્ટિની કે ડહાપણની વાત નથી, આ સમજણનું સ્પષ્ટ પરિણામ નથી. એ જેટલે અંશે જલદી સ્વીકારવામાં આવશે તેટલે અંશે લાભ થશે અને તે સ્થાયી લાભ છે; અને સ્થાયી લાભ તે જ ખરેખરો લાભ છે. આજે મેટર પિતાની હોય અને ઘરનાં ઘર હોય, પણ અંતે તે સર્વ અહીં રહી જનાર છે, અસ્થાયી છે, તેથી હંમેશને–સ્થાયી લાભ થાય તેવા નિજ પદાર્થ તરફ જવાની અને તેને પોતાના બનાવવવાની જરૂર છે, અને તે પિતાના હિત માટે છે. આવી રીતે આત્માને એના શુદ્ધ સ્વરૂપે ઓળખવા અથવા તેની નજીક જવા માટે પ્રયાસ કરી આ ભવને સફળ કરે. (૨૪–૨) જુલાઈ : ૧૯૫૦ ] Page #503 -------------------------------------------------------------------------- ________________ ૨૪ (૩) શ્રી જ્ઞાનવિમલસૂરિવિચિત મહાવીર જિન સ્તવન શ્રી ભૂમિકા— ।—આ સ્તવન જ્ઞાનવિમળસૂરિએ બનાવેલ છે અને છેલ્લી ગાથામાં તેમનું નામ પણ તેમણે આડકતરી રીતે સૂચવ્યુ છે. સ્તવનની અંદર અનેક પ્રકારની ત્રિભ'ગીએ આવે છે. ત્રિભ’ગીની ખૂબી એ છે કે એમાં ત્રણ વિભાગ બરાબર પાડવામાં આવે તે એક પ્રકારના વિચારરિપૂર્ણ થઇ જાય. આપણે સ્તવનના વિવેચનમાં જોઇશું કે આવી ત્રિભંગીએ જ્ઞાનવિમળસૂરિએ અનેક રીતે પૂરી પાડી છે. એ રીતે આ સ્તવન જુદી ભાત પાડે છે અને તેના લેખકની વિદ્વત્તા બતાવે છે. આ સ્તવન પર બહુ વિવેચન કરવાની જરૂર નથી. સમજવા પૂરતી અને ત્રિભ'ગી બતાવવા પૂરતી વિવેચના થશે. બાકી, આનંદઘનનું તત્ત્વજ્ઞાન કયાં અને તેના પ્રમાણમાં આ કૃતિ કયાં ?–એ સરખામણી કરવા માટે આ સ્તવન અહીં આપ્યું છે; તે બન્ને કવિએની વિદ્વત્તામાં કેટલે ફેર છે તે નિર્દેશČન કરાવવા પૂરતું ઉપયોગી છે. આ પ્રાણીનું અભિમાન જોઈએ ત્યારે નવાઈ લાગે છે કે એ છાતી કાઢીને કેમ ચાલતા હશે ? એનાં તાફાન જોઇએ ત્યારે એને કદી મરવાનુ... હાય એમ લાગતું જ નથી. અને એનાં કાવાદાવા અને ધમાલ તા જોવા જેવાં હાય છે. એના મનમાં રમત જુદી, એની સમજાવટ જુદી. અને એના પેાતાના માનેલા અને પારકા માનેલાની સાથેના વર્તાવના તફાવત જોવા લાયક હોય છે. અને મનના વિકારો અને ગાઠવણા મધું જાણે એ અહીં જ બેસી રહેવાના હોય તે રીતે જ કરતા જોવામાં આવે. એ ચારિત્ર અને સદ્ભાવની વાતા કરે, પણ વન વખતે તેના ગોટાળા તપાસ્યા હાય તે તે જુદી જ જાતને મનુષ્ય જણાય. અને એના પ્રચ્છન્ન ભાવે। અને તદ્ન જુદા જ પ્રકારની વ્યક્તિ બતાવી આપે. આવી વ્યક્તિએ વળી મેાક્ષની વાત કરે ત્યારે એ જુદા જ પ્રાણી હાય તેમ ખેલે, પણ એને કામ કરતાં જોયા હોય તેા તેના વિચારો અને વન વચ્ચેના તફાવતને અંગે એક આખું પુસ્તક ભરાઈ જાય ! આ સંસાર આવેા છે, નિઃસાર છે અને એવા સંસારમાંથી રસ્તા શેાધવાના છે, એ રસ્તા જડવા મુશ્કેલ છે. પણ આ જીવનયાત્રાને સફળ કરવા તેવા સાચા માની પ્રાપ્તિની જરૂર છે. આને અંગે ખૂબ વિચાર કરવાના છે. એ વિચાર આ સ્તવનના કર્તા કેવા શબ્દોમાં બતાવે છે તે હવે જોઇએ અને આનંદઘને તત્ત્વજ્ઞાનને કેવી રીતે રમત કરતાં અપનાવ્યું છે, તે સરખાવીએ. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮] શ્રી આનંદઘન-વીશી સ્તવન (રાગ માંરૂણી ધનશ્રી ગિરિમાં ગેરે ગિરૂઓ મેગિરિ ચઢો રે એ-દેશી) કરુણા-કલ્પલતા શ્રી મહાવીરની રે, ત્રિભુવન મંડપમાંહિ પસારી રે મીસરી રે પરે મીઠી અભયે કરી રે. ૧ અથ_શ્રી મહાવીર સ્વામીની કરુણારૂપ કલ્પવેલ સ્વર્ગ, મર્યાં અને પાતાળ-એમ ત્રણે લેકમાં ફેલાઈ ગઈ છે, તે અભયદાન આપવાના ગે કરી સાકરની પેઠે મીઠી છે, ચોતરફ ત્રણે લેકમાં ફેલાયું છે. (૧) ટો-જ્ઞાનવિમળસૂરિ આ સ્તવનને અર્થ લખતાં જણાવે છે કે-આ મહાવીર જિનની કરુણા પર-દુઃખ ટાળવારૂપ જે કપલતા–વેલડી એટલે ક૯પવેલ તે ત્રિભુવન–સ્વર્ગ, મૃત્ય. પાતાળ-રૂપ માંડવાને વિષે પ્રસરી-વિસ્તરી છે. તે કેવી છે? જેમ મીસરી એટલે સાકર પ્રમુખ મીઠાઈ દ્રવ્ય, તેથી પણ અધિક મીઠી છે, અભયદાન રસે કરીને. (૧) વિવેચન-કરુણા તે કલ્પવેલડી જેવી છે. જેમ કલ્પની વેલડી પાસે જે માંગીએ તે છે. છે, જે ઇચ્છીએ તે હાજર થઈ જાય છે—જેમ યુગલિક સમયમાં બનતું હતું–તેમ મહાવીર સ્વામીની કરુણા કલ્પલતા જેવી છે, એની પાસે જે માગે તે મળે તે સ્વર્ગ, મર્યાં અને પાતાળના લેકમાં પ્રસરેલી છે. ભગવાનની કરુણુ કાંઈ અમુક વર્ગના, ધર્મના કે સગાં સુધીની નથી, પણ એ સાર્વત્રિક છે, દુનિયાના ત્રણ લોકના પ્રાણીને લાગે છે. અને એ કરુણારૂપ કલ્પલતા તે સાકરના જેવી મીઠી છે, તેનું કારણ તેમાં અભયદાનનું તત્વ ભળેલું છે તે છે. મારા સંબંધમાં આવનાર ત્રણ ભુવનને ગમે તે પ્રાણી કઈ પણ પ્રકારને ભય ન પામો, તે સુખી થાઓ, એવા અભયસે કરી એ વ્યાપ્ત છે. આવી સુંદર કરુણ અભયરસથી મિશ્ર થઈ સાકરના જે સ્વાદ આપે છે. એવા મહાવીર પ્રભુ છે, અને એવી તેમની સાકારમિશ્રિત કરણા છે. તે વીર પ્રભુને હું સ્તવું છું. (૧) શ્રી જિન આણે ગુણઠાણે આરોપતાં રે, વિરતિતણે પરિણામ પવને રે; અવને રે અતિ હિ અમાય સભાવ રે. ૨ શબ્દાથ-કરુણા = દયા, sympathy. કપલતા = કલ્પવેલડી, ઇચ્છિત પૂરનાર વેલડી, મહાવીરની = વીશમા પ્રભુ શ્રી મહાવીરસ્વામીની, તીર્થકર વીતરાગ દેવની. ત્રિભુવન = સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં. મંડપ = માંડવો, વિશ્રામસ્થાન, વિશાળ જગા. પસારી = ફેલાવી, વિસ્તારી. મીસરી = મિશ્રી, સાકર, મીઠાઈ પર = પેઠે. મીઠી = ગળી. અભયે = અભયદાનથી, જીવોને અભય આપવાથી. કરી = વડે, તેનાથી. (૧) શબ્દાર્થ_શ્રી જિન = શ્રી તીર્થકર, જિનેશ્વર દેવ—તેમની. આણા = આજ્ઞા, ફરમાન, કહેવું છે. ગુણઠાણે = ગુણસ્થાનકે, ચોથે ગુણઠાણે. આરોપતાં = તન્મય કરીએ, તપ પરિણાવીએ. વિરતિ = ત્યાગભાવે, તજ, એટલે પાંચમે ગુણઠાણે જતાં. તણે = ને, ના. પરિણામ=જમાવીએ, કરીએ. પવને = હવાએ, વાયરાએ. અવને = રક્ષણ, સાચવવું. અતિ હિ = ધણી. અમાય = નિપટ ભાવ. (૨) Page #505 -------------------------------------------------------------------------- ________________ ર૪-૩ : શ્રી મહાવીર્ જિન સ્તવન [ ૪૮૯ અથ—તે અમૃતવેલી તે જિનઆજ્ઞાને અનુસરવાને ગુણસ્થાનકે એટલે ચાથે ગુણસ્થાનકે એટલે અવિરતિ શ્રદ્ધાન ગુણસ્થાનકે તે સમકિતરૂપ પ્રાણ આરોપીએ, પરમ શુભ પવને કરી પરિશુમાવીએ અને એ વેલને નિષ્કપટતારૂપ જે સહજ સ્વભાવ, તેનાથી(અપૂર્ણ છે, તેથી આવતી ગાથા જુએ.) (૨) ટો—તે કરુણારૂપ અમૃતવેલી, તે જિનઆજ્ઞાને ગુણઠાણે શ્રદ્ધાન ગુણુઠાણું તે, સમક્તિરૂપ સ્થાન આરોપીએ; વિરતિ તેણે પિરણામ શુભ પવને કરી પરિણમાવીએ. તે વેલડીનું અવન એટલે રાખવું, સ્પ્રે કરી ? અમાય એટલે નિઃકપરૂપ સહજભાવથી. (૨) વિવચન—જિનેશ્વર ભગવાનની-શ્રી મહાવીર પ્રભુની-આજ્ઞા ગુણસ્થાનકે આરોપણ કરવી અને તે વખતે વિરતિના પરિણામ રાખવા; એ પરિણામરૂપ પવને કરી કરુણા-કલ્પવેલી હાલેચાલે, અને તે વખતે માયાના ત્યાગ કરી સ્વસ્વભાવમાં આવી જવું. આ રીતે એ કરુણા-કલ્પવેલડીનું પોષણ કરવું. પ્રભુની આજ્ઞા સ્વીકારવારૂપ ચતુર્થ અવિરતિ સભ્યષ્ટિ ગુણઠાણે વિરતિ–ત્યાગભાવના પરિણામ કરવા એટલે પાંચમે ગુણસ્થાનકે જવા નિય કરવે. આ ગુણસ્થાનક આરોહણુરૂપ પવન તદ્ન માયાના ત્યાગપૂર્ણાંક ગ્રહણ કરવા. માયાને ત્યાગ કરવાનું અત્ર કહેવામાં આવ્યું છે તે ઘણું સૂચક છે. માણસાને ગોટા વાળવાની ટેવ પડેલી હોય છે. એ કરુણા-વેલડી હોવાનો ઢોંગ કરે તે તેના સ્વભાવ નથી; પણ અનાદ્દિકાળથી વિભાવ એને સ્વભાવ થઈ પડથો છે, તે કારણે ખરા ધર્મને બદલે એ ર્મિષ્ઠ હોવાના દેખાવ કરી પોતાની જાતને અને પરને છેતરે છે. એ સ પદ્ધતિ મૂકી દઈ નિષ્કપટ ભાવે ત્યાગભાવરૂપ પાંચમે ગુણઠાણે આવે. ત્યાં પછી શું થાય તે આગળ આવતી ગાથામાં કહેશે અને કરુણા-કલ્પતાનું વધારે વણુ ન પણ કરશે. (૨) સ સવર ફલે કલતી મિલતી અનુભવે રે, શુદ્ધ અનેકાંત પ્રમાણે ભલતી રે; દલતી રે સંશય-ભ્રમના તાપને રે. ૩ અથ—તે વેલડી (કરુણા-કલ્પલતા) સંવરરૂપ ફળે કરી ભરાવદાર છે, અને એ વેલડી અનુભવને મળતી છે, તેમ જ અનેકાંત પ્રમાણે બહુ મળતી-ભળતી આવે છે. અને કોઇ પ્રકારની શકા થાય કે, આ હશે કે તેમ એવા ભરમ થઈ જાય છે, તેને દૂર કરનારી અને તેને ખલાસ કરનારી છે. (૩) ટા—તે વેલડી સ` સંવરરૂપ ફળે કરી ફળતી છે, અનુભવરસે મિલતી છે, નિષણ શબ્દા—સવ = કુલ, બધા. સંવર = આડા દ્વારબંધ. ફળ = તે રૂપ પરિણામ. ફલતી = ફળ ધારણ કરનારી. અનુભવ = અનુભાવ, experience. મલતી = મળતી. શુદ્ધ = ચોક્કસ. અનેકાંત = એકાંત નહિ, સ્યાદ્વાદ. પ્રમાણે = પ્રમાણ પ્રમાણે, સત્ય જ્ઞાન પ્રમાણે. ભલતી = તત્વરૂપી. સંશય = વહેમ, શંકા, ભ્રમ = આમ હશે કે તેમ તેવી શંકા. તાપ = ગરમી. (૩) ૬૨ Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] શ્રી આનંદઘન-ચોવીશી અનેકાંત સ્યાદ્વાદ પ્રત્યક્ષ પક્ષ પ્રમાણદિકમાં ભળતી છે. વળી કેવી છે? સંશય-ભ્રમરૂપ તાપ, તેને એ દળતી છે. (૩) વિવેચન-એ ભગવાનની કરુણા-કલ્પવેલડી સર્વ સંવરના ફળ વડે કરીને ફળવતી થાય છે, અને એમાં અનુભવરસ મળતું આવી જાય છે તેમ જ અનેકાંતમતના પ્રત્યક્ષ—પક્ષ ભાવને અનુરૂપ છે. આવી એ ભગવાનની કરુણા-કલ્પલતા છે. સંવર, બાર ભાવના વગેરે ભેદે, કર્મની આવક-સામે બંધન છે. તે આવકનાં બારણાં બંધ કરેલાં હોય તેને સંવર કહેવામાં આવે છે. એ સંવરની વિગત “પ્રશમરતિ’માં, “નવતત્ત્વ પ્રકરણમાં તથા કર્મના લેખમાં મેં વિગતવાર લખી છે. આ સંવરરૂપ ફળ તે કલ્પલતા પર થાય છે, એવી સુંદર કલ્પલતારૂપે એ કરુણ-વેલડી. અને એ કરુણાની સાથે અનુભવ અને અનેકાંત ભળતા છે, તેને તે અનુરૂપ છે. અનુભવ એટલે અંદરની મન અને હૃદયપૂર્વકની સારી જાગૃતિ, અને આખે જૈનધર્મ એટલે અનેકાંતવાદ. આ કરુણાભાવમાં અનુભવ અને અનેકાંત અને તેને સિદ્ધ કરનાર પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ અને તેનાથી સિદ્ધ થતે સ્યાદ્વાદ; એમાં બરાબર ભળી જાય એવી ભગવાનની કરુણા છે. અને સંશય અને તેનાથી થતે ભ્રમ અને તેનાથી થતી ગરમીને એ દળી નાખનાર છે. એટલે આ વસ્તુ આમ હશે કે તેમ હશે તેવા પ્રકારની શંકાને લીધે ઉત્પન્ન થતા ભ્રમ, તેનાથી થતા તાપને દળી નાખનાર-કાઢી નાખનારએ કરુણા છે. એટલે ભગવાનની કરુણું સાથે પાછો સંવરભાવ, અનેકાંતન્યાય અને સંશયન દરીકરણ એ ત્રણ ભાવે જોડાયેલા છે. એ કરુણાભાવ સાથે બીજી અનેક ત્રિભંગીઓ લાગે છે, તે આવતી ગાથમાં વિચારશે. (૩) ત્રિવિધ વીરતા જેણે મહાવીરે આદરી રે, દાન-યુદ્ધ-તપ રૂપ અભિનવ રે; ભવોભવિ રે દ્રવ્ય-ભાવથી ભાષી રે. ૪ અર્થ જેણે-ભગવંત શ્રી મહાવીરે-ત્રિવિધ-ત્રણ પ્રકારની–વીરતા આદરી છે, તે કઈ : દાનવીરતા ૧, યુદ્ધવીરતા ૨, તવીરતા ૩. ભવભવથી અભિનવ-નવી દ્રવ્યથી અનભાવથી તે ટઓ જેણે-ભગવતે શ્રી મહાવીરે-ત્રિવિધ-ત્રણ પ્રકારની–વીરતા આદરી છે, તે કઈ ? દાનવીરતા ૧, યુદ્ધવીરતા ૨, તપવીરતા ૩. ભવભવીથી અભિનવ-નવી દ્રવ્યથી અનભાવથી ઉલ્લેષણ કરી છે. (૪) વિવેચન–જે મહાવીર પ્રભુએ ત્રણ પ્રકારની વીરતા આદરી છે, તેનાં નામ માત્ર આ | શબ્દાર્થ –ત્રિવિધ = ત્રણ પ્રકારની, આગળ કહેવામાં આવતા ત્રણ પ્રકારની. વીરતા = બહાદુરી. જેણે - જેમણે. મહાવીરે = મહાવીરસ્વામીએ. આદરી = શરૂ કરી. દાન = બીજાને દેવું તે, આપવું તે. યુદ્ધ = લડાઈ યૌગિક). તપ = ત્યાગ, તપ. અભિનવ = નવીન પ્રકારની. ભવોભવિ = ભવોભવમાં. દ્રવ્ય = પૈસાથી, સત્તાથી, ભાવથી = પ્રેમથી, potentially. ભાષી = ઉદ્ઘોષણા કરી. જાહેરાત કરી. (૪). Page #507 -------------------------------------------------------------------------- ________________ ૨૪-૩ : શ્રી મહાવીર્ જિન સ્તવન [ ૪૯૧ અત્ર ગાથામાં બતાવે છે; તેનું વન હવે પછીની ગાથામાં આવશે. એ ત્રણ પ્રકારની વીરતા તે દાનવીરતા, યુદ્ધવીરતા અને તપાવીરતા. એ ત્રણે પ્રકારની વીરતા તે હે ભવ્ય જીવા! ભાવથી તે અભિનવ એટલે જુદા જુદા નવીન પ્રકારની હેાવાથી દ્રવ્યથી અને ભાવથી સ્વીકારો. આ ત્રણ પ્રકારની વીરતાનું વર્ણન આગળ આવવાનું છે તેથી અત્ર તે નહિ જણાવીએ, કારણ તે પર વન કરવાથી પુનરાવર્તન દોષ થાય. વીરરસના આ દાન, યુદ્ધ અને તપાવીરતા એ સ્થાયી રસે છે, તેથી ભગવતે તેને આદરવા ભાખ્યું છે. તે ત્રણેને તમે આદરો એટલે અહી આ આડકતરો ઉપદેશ છે. દ્રવ્ય અને ભાવ એ નિક્ષેપા છે. એના પર વિવેચન પ્રશમરતિ’ ગ્રંથમાં કરેલું છે, ત્યાંથી જોવું. દ્રવ્યથી અને ભાવથી એટલે વસ્તુ તરીકે અને સમજીને, ભગવાને બતાવી છે તેને, તમારે ભગવાન જેવા થવું હાય તા, હૃદયપૂર્ણાંક સ્વીકારો. એમાં ભગવાનનું સાધ્ય સિદ્ધ થયું છે અને તમારું થઇ શકે તેમ છે. (૪) હાટક કાડ દેઈ દારિદ્ર નસાડી રે, ભાવે અભયનું દાન દેઈ રે; કંઈ રે લેઈ ને સુખીઆ થયા રે. પ અ—કરોડો સોનામહેારનું દાન દઈને ગરીબાઈને ભગાડી મૂકી; અને ભાવપૂર્વક હૃદયથી અભયનું દાન આપ્યું. જરા પણ ખીક ન થાય, તેવું તેમના તરફનું દાન મેળવીને લેનારા અનેક લેાક સુખી થયા, પેાતાની જાતને ભાગ્યશાળી સમજવા લાગ્યા. (૫) ટો—જગત્રયને વિષે દારિદ્રનું નામ નસાડ્યું એ દ્રવ્યથી દાનવીરતા અને ભાવથી દાનવીરતા તો સ` જગજીવનને સાધુપણાને વિષે એવું દાન લઈને કેઇક-અનેક પ્રાણી સુખીઆ થયા. (૫) વિવેચન—આ ગાથામાં દાનવીરતા બતાવે છે. દ્રવ્યથી સ્થૂળ રીતે સેનાનું દાન કર્યુ· અને ભાવથી દીક્ષા લીધા પછી અભયદાન કર્યું, સર્વ જીવેાને નિર્ભય કર્યા. આ એ પ્રકારના દાનથી તેમણે દાનવીરતા બતાવી, તે ત્રણ પ્રકારની વીરતાના પ્રથમ પ્રકાર છે. તેઓએ દરરોજ એક ક્રોડ ને સાઠ લાખ સેાનામહેાર-સાનાનું દાન કરી દારિદ્રને ભગાડી મૂકયુ. અને એ પ્રમાણે દ્રવ્યથી દાન કર્યું. અને ભાવથી દીક્ષા લીધા પછી સર્વ જીવને અભયદાન કર્યું. પ્રભુ પાસે જે દાન મેળવે તે ભવ્ય પ્રાણી જ હાય અને તે ભવમાં પણ સુખી થાય. આ પ્રકારની દાનવીરતા ચેાથી ગાથામાં કહેલ તેમ દ્રવ્યથી અને ભાવથી કરી; અને પરિણામે દાન લેનારા સુખી થયા. સામાન્ય રીતે દાન લેનારના હાથ નીચે હોય છે અને દાન આપનારને લાભ થાય છે; દાન શબ્દા—હાટક = સાનું, સુવણ`. કોડિ = કોટિ. કરોડ, લાખના સોગણા. ઈ = દાન આપી. દારિદ્ર = ગરીબાઈ, ભિખારીવેડા. નસાડી = દૂર કર્યું', ભગાડયું. ભાવે = ભાવથી, પ્રેમપૂર્ણાંક, હૃદયપૂર્વ`ક. અભય = કોઈ ને બીક ન લાગે, સ` ભય વગરના થાએ. દાન = આપવું તે. દેઈ = આપી, આલી કેઈ રે = કેટલાય. લેઈ તે = મેળવીને, પ્રાપ્ત કરીને. સુખીઆ = સુખી (દ્રવ્યથી અને ભાવથી.) થયા = હુઆ, બન્યા. (૫) Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ] શ્રી આનથન-ચાવીશી લેનાર તેા આપનારને શુભ ક`બંધનું નિમિત્ત થાય છે, પણ લેનાર જરા હલકો ગણાય છે. પણ પ્રભુ પાસેથી દાન લેનાર તેા સુખી થાય છે, અને તેને પરિણામે પ્રભુમાં દાનવીરતા પ્રશસ્ય છે. આ ત્રણ પ્રકારની વીરતામાંથી પ્રથમ પ્રકાર થયા. (૫) રાગાદિક અરિ મૂલ થકી ઉખેડીઆ રે, લહી સંયમ-રણરંગ રોપી રે; આપી રે જિણે આપ કલા નિરાવરણની રે. ૬ અર્થ—યુદ્ધવીરતા વીર પ્રભુએ બતાવી : રાગદ્વેષ વગેરેને મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા. દીક્ષા લઈ, રણભૂમિ-યુદ્ધક્ષેત્ર સ્થાપન કરી જેમણે આવરણરહિતતાની પોતાની કળા સ્થાપી (૬) ટબા—હવે યુદ્ધવીરતા કહે છેઃ એ દ્રવ્યથી પરિષદુસહનથી, ભાવથી રાગદ્વેષાદિક અરિ મૂળથી ઉખેડી નાખ્યા—મૂળથી કાઢવા, સંયમરૂપી ર'ગભૂમિકા આપીને વૈરી નિકંદન કર્યાં, જે ભગવાને પોતાની નિરાવરણી કલા આપી એટલે નિ`ળ કરી. (૬) વિવેચન~~આ ગાથામાં પ્રભુ મહાવીરની યુદ્ધવીરતા વર્ણવી તેમને નમન કરે છે, રાગદ્વેષ જેવા મોટા શત્રુઓને જેમણે મૂળથી ઉખેડી નાખ્યા અને જેમણે સયમ લઈને પોતાના પતિવીય વડે વિનોદમાત્રમાં પોતાની જાતને શાભાવી. મેાહનીય ક`માં રાગ અને દ્વેષ સર્વાંથી મોટા દુશ્મન છે. તે બન્નેને અનુક્રમે રાગ-કેશરી અને દ્વેષ ગજેન્દ્રનાં નામ આપવામાં આવ્યાં છે. આ બન્નેની સાથે લડી વિજય મેળવી વીર ભગવાને યુદ્ધવીરતાનું લાક્ષણિક દૃષ્ટાંત આપ્યું છે અને જીતવા યાગ્ય મોટા દુશ્મનો સાથે આમ લડત કરી યુદ્ધવીરતા આમ બતાવાય એમ જણાવ્યું છે. આમ તદ્ન શાંત પણ રાગદ્વેષ સાથે લડવામાં તેએ જરા પણ પાછા પડયા નહિ, અને તેમણે પોતાની જાત પર અસાધારણ સંયમ રાખ્યો, ઇંદ્રિયાને વશ કરી, તેના વિષયાને વશ કર્યા અને નિરાવરણતાને શેાભાવી. જ્યાં જ્ઞાન-દર્શનને આવરણ કરનાર ક` ન હોય, પછી લડવામાં પ્રભુ પાછા કેમ હઠે? પછી તે તેમણે પરિષહેાને જીત્યા, કષાયા પર વિજય મેળવ્યા અને અંતે યાગે પર વિજય મેળવ્યા. આવા લડવામાં પણ બહાદુર વીર અંતે નિરાવરણ થઈ મેાક્ષ પહોંચી ગયા. આ નિરાવરણુતાની કળા-વધારે નિર્માળ કરવાનું કામ-ખૂબ યુદ્ધવીરતા માંગે છે, તે પણ વીર ભગવાને દાખવી. એવા સંયમબહાદુર આંતર શત્રુ પર વિજય મેળવનાર વીરને માટે હું જે કહું તે ઓછું છે. વીરને હું યાદ કરું છું, ભજું છું, નમું છું. (૬) = શબ્દા —રાગાદિક – રાગ, પ્રેમ, આકર્ષણ, આ મારું છે તેવી ભાવના. અરિ = દુશ્મન, શત્રુ સામી બાજુ. મૂલથકી = તેના પાયામાંથી, તદ્દન. ઉખેડીઆ કાઢવા, દૂર કર્યા, તાણીને ફેંકી દીધા. લહી = પ્રાપ્ત કરી, સ્વીકારી. સંયમ = અંકુશ, ત્યાગભાવ, તે રૂપ ભૂમિ. રણરંગ = રણભૂમિ, રાપી = વાવી, એઈ. આપી = નિમ ળ કરી, આપ ચાવ્યા, ગિલ્ડ કરી. જિણે = જેણે. આપ કળા = આત્મકળા, પોતાની કળા. નિરાવરણ = આવરણરહિતતા. (૬) = Page #509 -------------------------------------------------------------------------- ________________ ૨૪-૩: શ્રી મહાવીર જિન સ્તવન [૪૯૩ નિરાશંસ વળી શિવસુખ હેતુ ક્ષમા ગુણે રે, તપ તપી જિણે એમ આપે રે; થાપે રે વર પંડિત વીર્ય વિનોદથી રે. ૭ અર્થકોઈ જાતની આશંસા-ઇચ્છા-આશા નહિ તે ભાવ મોક્ષના સુખનું કારણ થાય છે. અને ક્ષમા ગુણે કરીને તપ તપ્યા. પિતે તપ કર્યો અને પંડિત વીર્યના વિદથી વિરતા સાધી. (૭) ટઓ-દ્રવ્યથી ચવિહાર, ભાવથી નિરાશંસ-નિરનુબંધ, વળી શિવસુખ-મેક્ષનું હતું, ક્ષમાપ્રધાન ગુણે કરી તવે રાખ+ રૂતિ નાકામવચનાત. જેમ ભગવાને એવાં તપ તપ્યાં, પિતે તપવીરતાએ વર પ્રધાન પંડિતવીર્યના વિદથી વિરતા સાધી વિશેષપણે રાજે-શેબે તે વીર. અથવા વિદાયતિ , તારા ૨ વિજ્ઞાન तपोवीर्येण युक्तश्च तस्माद्वीर इति स्मृतः ।। વિવેચનઆ ગાથામાં ત્રીજા તવીરની હકીકત રજૂ કરી છે. કોઈ પ્રકારના આશંસારહિતપણાથી અને મોક્ષનું કારણ બને એવાં તપ પ્રભુએ પંડિત વીર્યથી કર્યા એ એમની ત્રીજી વીરતા છે. આ રીતે વીરતાને આ ત્રીજો પ્રકાર બતાવીને શ્રી વીર પરમાત્માની ત્રિવિધ વીરતા બતાવી. જ્યારે દ્રવ્ય કે સ્ત્રી મેળવવાની ઈચ્છાએ તપ કરવામાં આવે છે ત્યારે તે આશીભાવનું તપ કહેવાય છે. પણ પ્રભુએ જે તપ તપ્યું તે ચેખા મોક્ષ મેળવી આપે તેવા અને તદ્દન નિરાશંસ ભાવે કર્યું અને તે પણ ગરીબ-બાપડા–બિચારા થઈને નહિ, પણ પંડિતવીર્ય પૂર્વક–પહાદુરીથી. આ રીતે પ્રભુ તપાવીર થયા તેનાં ત્રણ વિશેષણે આપ્યાં : (૧) તપ નિરાશસભાવે-વગર ઈરછાએ આશાએ કર્યું. અને (૨) માત્ર મોક્ષ મેળવે એવું ઉત્તમ પ્રકારનું તપ કર્યું અને તે પણ (૩) બહાદુરીથી કર્યું. મહાવીરસ્વામીએ દીક્ષા લઈને સાડા બાર વર્ષ તપ કર્યું. તેમાં પારણાં માત્ર ત્રણસે ઓગણપચાસ દિવસ જ કર્યા, એટલે લગભગ સાડા અગિયાર વર્ષ સુધી બહાદુરીથી તપ કર્યું. એવા વીર ભગવાનને હું નમું છું, પૂનું છું, એવું છું. તેને તમે પણ મે અને તેમને માગે અનુસરે. (૭) દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રિવિધની વીરતા રે, મહાપદ શોભિત ભાવી ભાસે રે; વાસે રે ત્રિભુવન જનમન ભાયણ રે. ૮ શબ્દાર્થ_નિરાશંસ = કઈ જાતની આશાથી રહિત. વળી = અને, પણ, તે, તેમ જ. શિવ = મોક્ષ, મુક્તિ. સુખ = ત્યાં પ્રાપ્ત થતા આનંદ. હેતુ = કારણ. ક્ષમા = માફ કરવાની દયોવૃત્તિ. તપ = શરીરનું દમન. પીઆ = તયા, તપ કર્યા, સેવ્યાં. જિણે = જેણે. આપે = પોતે, જાતે થાપ = સાધે. વર = સુંદર, સરસ. વીર્ય = શક્તિ. વિદથી = મજા કરતાં કરતાં. (૭) | શબ્દાથ-દર્શન = વસ્તુનું સામાન્ય જ્ઞાન, આ છે એટલું દેખવું. જ્ઞાન = વસ્તુનું વિશેષ જ્ઞાન, જાણવું તે. ચારિત્ર = રમણ કરવું તે. ત્રિવિધ = ત્રણ પ્રકારની, આ બીજી ત્રિવિધ વીરતા. વીરતા = બહાદુરી. મહા = પ્રધાન, સરસ, સુંદર. પદ = પદવી, સ્થાન, ઉન્નતિસ્થાન. શોભિત = સુંદર લાગતા, સારા દેખાતા. ભાવી = ભવ્યના. ભાસે = દેખાય. જણાય, લાગે. વાસે = વાસ્યા છે. ત્રિભુવન = સ્વર્ગ, મત્ય અને પાતાળ. જન = લેકે. મન = ચિત્ત. ભાયણ = ભાજન, ઠામ, વાસણ (૮) Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪] શ્રી આનંદઘન-ચોવીશી અર્થ-જ્ઞાન, દર્શન અને ચારિત્રની ત્રણ પ્રકારની બહાદુરી આપને જે પ્રધાન પદ મળવાનું અને મળેલું છે તે ભવ્ય લેકેને ભાસે છે, અને ત્રણ ભુવનના માણસોના મનના આપ ભાજન-પાત્ર થયા છે. (૮) ટબો–વળી દર્શન, જ્ઞાન, ચારિત્રની વિવિધ વીરતા કહે છે. મહાપદે કરી શોભિત મહાદર્શન, મહાજ્ઞાન, મહાચારિત્ર, તેની શોભા ભાવથી ભાસે છે; મહાશબ્દ પ્રધાન કહીએ. એ ત્રણ તત્ત્વની વાસનાએ કરી સવિ જનમરૂપ જે ભાજન, તે જેણે વાસ્યાં છે. (૮) વિવેચન—ઉપર પ્રમાણે એક ત્રિવિધતા થઈ (દાન, યુદ્ધ અને તપની વીરતાન). આ ગાથામાં એક બીજી ત્રિવિધતા કહે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર, જે આત્માના મૂળ ગુણો છે, તે આપના મહાન પદને શોભતા છે અને તેવા જ દેખાય છે. અને ત્રણ ભુવનના લોકેના મનના ભાજન રૂપ થઈને રહેલા-વાસ્યા છે. આ દર્શન એટલે સામાન્ય બોધ અને જ્ઞાન તે વિશેષ બોધ અને ચારિત્ર એટલે રમણતા. આ ત્રણ મૂળ ગુણથી દીપતું ભાવી ભાસે છે અને ત્રણ ભુવનના લેકના મનના ભાજન વાસેલ છે, એટલે આપ તે એ ત્રિવિધતાથી ભરેલા છે. એવા ત્રિગુણ ધરનાર આપના મૂળ ગુણોને એટલે એને ધરનાર આપને હું નમું છું. અને આપના એ ત્રણે ગુણને લઈને આપની જેવો થવા ઇચછા રાખું છું, અને તે મેળવવા માટે આપને સ્તવું છું. આ ગાથામાં મૂળ આત્મિક ગુણ-જ્ઞાન, દર્શન અને ચારિત્રની ત્રિવિધતાની પ્રશંસા કરવામાં આવી છે. આ રીતે એક વધારે ત્રિવિધતા બતાવવા દ્વારા પ્રભુનાં ગુણગાન કરી તેના જેવા થવાની પ્રાણીએ આશા બતાવી અને હોંશ ધરી. (૮) વીર ધીર કટિર કૃપારસને નિધિ રે, પરમાનંદ પદ વ્યાપે રે; આપે રે નિજ સંપદ ફળ યોગ્યતા છે. ૯ અર્થ—આપ બહાદુર છે, ધીરજવાળા છે અને તેમાં મુગટ સમાન છે, અને કપાસની ખાણ છો અને આપ પરમાનંદ રૂપ વાદળાની પેઠે તરફ વ્યાપે છે અને પિતે જાતે જ પિતાની દ્ધિના ફળની યોગ્યતા-લાયકાત બક્ષનારા છે. (૯) ટો–વીરમાં ધીર અથવા કર્મ વિદારવાને વીર, વળી કલેકપ્રકાશકે ધીર, તેમાં કટિર -મુગટ સમાન; વળી કૃપારસને નિધાન; પરમાનંદ, જે પદ એટલે મેઘ, તેણે કરી વ્યાપ -પ્રસરત, કરુણાવેલીને સીંચો છે. વળી આપે–પિતાની સંપદા એટલે સ્વરૂપે–એક ચેતન સ્વભાવ માટે નિમિત્તે–તાવરણ ટાળવારૂપે. (૯) શબ્દાથી—વીર = બહાદુર, બળવાન. ધીર = ધૈર્યવાન, ધીરજવાન. (ને બધામાં) કોટિર = મુગટ સમાન, સર્વથી મોટા, ઉત્કૃષ્ટ. (અને) કૃપા = પ્રેમ, દયા, સહાનુભૂતિ. નિધિ = નિધાન, ખાણ. (અને) પરમાનંદ = ઉત્કૃષ્ટ મજા, અદ્ભુત આનંદ. પદ = (રૂપ, વાદળાં, વરસાદ, મેધ. વ્યાપે = પસરે, ફેલાય. આપ = પોતે, જાતે. નિજ = પિતાની, તેની. સંપદ = સ્વરૂપ, મિલકત. ફળ = પરિણામ. યોગ્યતા = તેને લાયક છે. (૯) Page #511 -------------------------------------------------------------------------- ________________ ર૪-૩: શ્રી મહાવીર જિન સ્તવન [૪૯૫ વિવેચન—આ ગાથા બીજી એક ત્રિવિધ રચના કહે છે, તે વિચારણીય છે. મહાવીરસ્વામી (૧) કૃપારસના મુગટ સમાન વૈર્યવાળા છે, અને (૨) પરમાનંદરૂપ પદ (વાદળ)થી સુગંધિત થયેલા છે અને (૩) પિતાને જે સંપત્તિ મળેલી અને મળવાની છે, તે પ્રાપ્ત કરવાની યોગ્યતા-લાયકાત આપે છે. આ ત્રિપદી સરસ છે અને સમજવા જેવી છે. તેવા તે ત્રિપદીને ધરનાર વીરને હું નમું છું. ઉપર પ્રથમ ગાથામાં જે કૃપારસની કરુણાવેલડીની વાત કરી તેના મુગટને ધીરજથી વહેનાર : આ ત્રિપદીમાંથી એકની વાર્તા થઈ. બીજુ, તેઓ જાતે પરમાનંદ -ખૂબ આનંદરૂપ પદ (પાણીને આપનાર વાદળાં)થી ભરેલા છે. અને ત્રીજુ, પિતે જે સંપદા પામેલા અને પામવાના છે તેની યોગ્યતાવાળા છે. આવા વીર પરમાત્મા ત્રણ પ્રકારે ખૂબ પૂજવાને ગ્ય છે. આવા વીર પરમાત્માને હું નમું છું, એવું છું, તેને તમે પૂજે, સે, અનુસરે, બીજી કેટલીક ત્રિપદી હવે પછીની ગાથામાં વિચારવાની છે તે આપણે જોઈશું. (૯) બંધ ઉદય સત્તાદિક ભાવાભાવથી રે, ત્રિવિધ વીરતા જાસ જાણી રે, આણી રે ત્રિપદીરૂપે ગણધરે રે. ૧૦ અર્થ–બંધ, ઉદય અને સત્તાના જે ભાવે છે, તેની ગેરહાજરીથી જેમની ત્રણ પ્રકારની બહાદુરી સમજાણે છે અને ત્રિપદીરૂપે ગણધર-મુખ્ય શિષ્ય-લઈ આવ્યા છે. (૧૦) - ટબો–બંધ, ઉદય, સત્તા ભાવે કરી કર્મના અભાવ કીધા છે, વિવિધ પ્રકારે એવી વીરતા પ્રગટપણે જેની જાણીએ એવી જ ગણધરે, ત્રિપદીરૂપે આણી છે–હૃદયમાં જ્ઞાન, દર્શન, ચારિત્રભાવે કરી. (૧૦) વિવેચન–હવે એક વધુ ત્રિપદી કહે છે. પ્રથમ, કમને બંધ થાય તે બંધ બાંધવા પછી તેને વિપાકથી કે પ્રદેશથી ઉદય થાય તે ઉદય; અને ઉદય ન થાય, પણ બાંધેલ કર્મ પડ્યાં રહે તે ત્રીજી સત્તા. કર્મના આ બંધ, ઉદય અને સત્તાને જેના સંબંધમાં અભાવ થયે છે, જેમને કર્મ બાંધવાનાં જ નથી એટલે પછી ઉદય કે સત્તાને પ્રશ્ન જ રહેતો નથી, આવી ત્રણ પ્રકારની જેમની વીરતા સમજાણી છે, તે વીર છે એમ આપણે જાણીએ છીએ. ખુદ ગણધરે ત્રિપદરૂપે આ પ્રરૂપી છે : ૩cqનેરૂ વા, વામે વાં, ધુરૂ વા–એ ત્રણ શબ્દોરૂપ ત્રિપદી ભગવાન ગણધરને આપે છે. આ ત્રણ શબ્દો સાંભળી ગણધર વિચાર કરે છે. આ પણ એક ત્રિવિધ રચના થઈ. તે બધા પદાર્થોને ઉત્પન્ન થતા અને કાળક્રમે નાશ પામતા જુએ છે, પણ એ પદાર્થમાં એક નિત્ય તત્વ જાણે છે અને તેઓ સૂત્રની રચના કરે છે. એમને કર્મના બંધ, શબ્દાર્થ–બંધ = કર્મનું આત્મા સાથે જોડાવું. ઉદય = કમને ભોગવવાં, કર્મનાં ફળ મેળવવાં. સત્તા = વે બાંધેલાં કર્મોને ઉદયકાળ ન થવાથી અંદર પડ્યાં રહેવાથી. ભાવ = હોવાપણું, વતવાપણું. અભાવ = ન હોવાપણું. ત્રિવિધ = ત્રણ પ્રકારની, મન-વચન-કાયાની. જાસ = જેની, તેઓની. જાણી = સમજી, લક્ષ્યમાં લઈ આણી = લાવ્યા છે. ત્રિપદી = ઉપૂનેઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વાઃ ઊપજે છે, ક્ષથે પામે છે અને સ્થિર રહે છે, ગણધર = પ્રથમ મુખ્ય શિષ્યોએ. (૧૦) Page #512 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘન–વીશી ઉદય અને સત્તાને અભાવ હોય છે, કારણ કે એમને કર્મ જ નથી. આ વાત ગણધરેએ બનાવેલા આગમ ગ્રંથોમાં કહેલી છે. આ બે ત્રિવિધ રચનાને લઈને પૂજે, સે. (૧૦) ઠાણુગ જાણગ ગુણઠાણુક ત્રિ૯ વિધે રે, કાઢયા જેણે ત્રિદોષ પોષો રે; શોષો રે રેષ-તેષ કીધા તુમે રે. ૧૧ અર્થ—આપે તે ત્રણ પ્રકારનાં સ્થાનકને જાણ્યાં છે અને જેણે ત્રણ દોષ-પ્રમત્ત, ક્ષીણમેહુ અને અગીપણું–તેને દૂર કર્યા છે, અને રેષ-તેષની પોષણાને ત્યાગ કર્યો છે. એમ ત્રણ પ્રકારની અનેક વીરતા ધારણ કરી છે. (૧૧) ટ –સ્થાનક મિથ્યાત્વાદિના જ્ઞાયક, સ્થાનક અવિરતાદિ ગુણસ્થાનક-ગુણઠાણું પ્રમત્તાદિ અથવા અવિરતિ, પ્રમત્ત, ક્ષીણમહાદિ ત્રિવિધ ગુણઠાણે ત્રિદોષ કાઢયા, અથવા પ્રમત્ત, ક્ષીણમોહ, અગી ઈત્યાદિ સ્થાનકે અજ્ઞાન, અસંયમ, અસિદ્ધ એ ત્રિદોષને પોષ નાશ કીધે. વળી રેષતેષનો શેષ જેણે કીધો. પાપપુષ્ટિ, પુણ્યતુષ્ટિ ઉભય નાશ ઈત્યાદિ ત્રિવિધ વીરતા છે. (૧૧) વિવેચન–વળી બીજી ત્રિપદીઓ-વિવિધ પ્રકારે-જુદી જુદી રીતે બતાવે છે. તમે ગુણસ્થાનકે-ગુણઠાણને ઓળખી ત્રણ પ્રકારના દોષને ટાળી નાખ્યા છે, દૂર કર્યા છે અને તમે રેષ-તેષની પિષણ ન કરી; એવા તમને હું નમું છું. અવિરતિ (ચેથું ગુણઠાણું), પ્રમત્ત (છ ગુણસ્થાનક) અને ક્ષીણમેહ (અગિયારમું ગુણસ્થાનક)એ ત્રણે ગુણસ્થાનકે થતા દેને આપ જાણે છે, એટલે આપ ગુણસ્થાનકના જાણગજાણનાર છે. આ એક ત્રિપદી થઈ. અને એ ગુણસ્થાનકે અવિરતિ (ત્યાગભાવને અભાવ) પ્રમાદ અને અસિદ્ધપણાના દોષે આપના લક્ષમાં છે. આ બીજી વિવિધ સંપત્તિ થઈ. અને આપે રોષતોષને શેષ કર્યો છે. રેષ-પાપતુષ્ટિ અને તેષ-પુણ્યતુષ્ટિ, એટલે પાપ-પુણ્ય એ બનેને નાશ કર્યો છે. આવી અનેક ત્રિપદીઓ આપને લાગે છે. આપને હું નમું છું, વંદુ છું. (૧૧) સહજ સ્વભાવ સુધારસ સેચનવૃષ્ટિથી રે, ત્રિવિધ તાપને નાશ હોવે રે; જોવે રે ત્રિભુવન ભાવ સભાવથી રે. ૧૨ શબ્દાર્થ-ડાણગ = સ્થાનક. જાણગ = જ્ઞાયક, જાણનારા. ગુણઠાણક = ગુણસ્થાનક. ત્રિહું = ત્રણ વિધે = પ્રકારે. કાઢથા = દૂર કર્યા. ત્રિદોષ = ત્રણ દોષ : પ્રમત્ત, ક્ષીણમોહ, અગિતા. પોષ = પોષણા. શેષ = શેષણા. રિષ–ષ = પાપપુષ્ટિ અને પુણ્યતુષ્ટિ, કીધા = ર્યા. તુમ = તમે, આપે. (૧૧) શબ્દાર્થ_વિવેચનકાર શ્રી મોતીચંદભાઈએ આ કડીનો શબ્દાર્થ નથી લખ્યો. એટલે એને શબ્દાર્થ હું અહીં આપું છું. સહજ સ્વભાવ = પિતાના મૂળ સ્વભાવ, આત્મભાવરૂપ. સુધારસ = અમૃતરસનું. સેચનવૃષ્ટિથી = સિંચન કરનાર વરસાદથી ત્રિવિધ = ત્રણ પ્રકારને : મિથ્યાત્વ, અવિરતિ અને કવાયરૂપ; અથવા જન્મ, જરા અને મૃત્યરૂપ. તાપ = ગરમી. નાશ = વિનાશ. હવે = થાય. જે = નિહાળે. ત્રિભવનભાવ = સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ-એ ત્રણ લેકના ભાવો-પદાર્થોને. સભાવથી = સ્વભાવથી, આત્માના સહજ સ્વભાવરૂપ જ્ઞાનથી. (૧૨)–સંપાદક Page #513 -------------------------------------------------------------------------- ________________ ર૪-૩: શ્રી મહાવીરે જિન સ્તવન [૪૯૭ અથ–આત્માના સહજ સ્વભાવરૂપ અમૃતરસને સિંચનાર વૃષ્ટિથી મન, વચન, કાયાના કે જન્મ, જરા, મૃત્યુના ત્રણ પ્રકારના દોષને દૂર કરનારા અને સ્વર્ગ, મર્યાં અને પાતાળ એવા ત્રણ ભુવનના ભાવ પિતાના સ્વભાવથી જ પામી ગયા છે (એવા વીર પ્રભુને હું નમું છું.) (૧૨) ટો–વળી ત્રિવિધ વીરતા કહે છે. સહજ સ્વભાવ, પરમ મૈત્રી, પરમ કરુણારૂપ સુધારસ વૃષ્ટિ અમૃતને વર્ષણ સચિવે કરી ત્રિવિધ લેકના ત્રિવિધ તાપનો નાશ થાય, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અથવા જન્મ, જરા, મરણને તાપ, તેને નાશ થાય. વળી દેખે સ્વર્ગ, મૃત્યુ, પાતાળના એકેક ભાવ-પદાર્થને સહજ ભાવથી; ઉત્પાદ, નાશ, ધ્રૌવ્ય પણ જોઈ. (૧૨) વિવેચન–આમાં થોડી વધારે વિવિધતા બતાવે છે. સહજ સ્વભાવ ત્રિપ્રકારે છે. તેની વૃષ્ટિથી, ત્રિવિધ તાપને નાશ કરે અને ત્રણ ભુવનને પિતાના સુંદર ભાવ-સ્વભાવથી પિષે એવા વીરપ્રભુને હું તેટલા માટે નમું છું. જ્ઞાનવિમળસૂરિએ આ ગાથામાં ત્રણ ત્રિભંગી બતાવી છે એમ કર્તા પિતે જ સ્તવનના અર્થમાં જણાવે છે. (૧) અતિ વિશાળ કરુણા (૨) ઉત્કૃષ્ટ પ્રકારને મૈત્રીભાવ અને (૩) સહજ સ્વભાવ–આ પ્રથમ ત્રિભંગી થઈ એમ કર્તા પિતે જ અર્થ કરે છે. આ મૈત્રી અને કરુણાભાવનું ‘શાંત સુધારસ” ગ્રંથમાં વર્ણન થઈ ગયું છે. અને સહજ ભાવ, એ આત્મિક નૈસર્ગિક ગુણો આપણે પદો અને સ્તવમાં જોયા. હવે બીજી ત્રિભંગીમાં ત્રિવિધ તાપ, જે (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ અને (૩) કષાયથી થાય છે, તેને તેઓ નાશ કરે છે. અને તે એક જીવનો કે પિતાને જ નહિ, પણ સર્વ-ત્રણ ભુવનના–જીને (૧) સ્વર્ગ, (૨) મૃત્યુ અને (૩) પાતાળના છેને, સર્વનાં પાપનો નાશ કરે છે. અને ત્રિવિધ તાપને અંગે જ્ઞાનવિમળસૂરિ પોતે જ કહે છે કે (૧) જન્મ, (૨) જરાઘડપણ અને (૩) મૃત્યુના તાપને પણ લઈ શકાય. આવા સ્વર્ગ, મત્ય અને પાતાળના ત્રણ પ્રકારના તાપને મટાડનાર પ્રભુને હું યાદ કરું છું. તેઓને આ સ્વભાવ સહજ છે, કુદરતી છે. પર જીવના તાપને, તે ગમે તે પ્રકાર હોય તેને, એટલે બને તેટલો દૂર કરે તે તેમને સાહજિક છે, નૈસર્ગિક છે. આવી અનેક પ્રકારની ત્રિભંગી જેની પાસે છે તેવા વીરભગવાનને હું સ્મરું છું. (૧૨) જ્ઞાનવિમલ ગુણગણમણિરોહણ ભૂધરા રે, જય જય તું ભગવાન નાયક રે; દાયક રે અખય અનંત સુખનો સદા રે. ૧૩ ' શબ્દાર્થ—જ્ઞાન = જ્ઞાનગુણ. વિમલ = મેલ વગરને, ચોખ. ગુણગણ = આત્મિક ગુણોને સમૂહ મણિ = રન, ઝવેરાત. રેહણ = રોહણાચલ (જેમાં રત્નો પાકે છે.) ભૂધરા = પર્વત, ડુંગર, જ્ય જય = તું ય પામ જય મેળવનાર થા. ભગવાન = પ્રભુ. નાયક = સરદાર, ઉપરી. દાયક = આપનાર, દાતાર. અખય = અક્ષય ક્ષય ન પામનાર, હમેશનું. અનંત = જેનો છેડો ન આવે તેવા. સુખને = આનંદન, મોજનો. સદા = હમેશાં, (૧૩) ૬૩ Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮] શ્રી આનંદઘન–વીશી અર્થ_નિર્મળ જ્ઞાનરૂપ ગુણોના સમૂહરૂપ રત્નોને માટે રેહણાચલ પર્વત સમાન છે પ્રભુ! તું સરદાર છે; તારો જય થાઓ અને ક્ષય ન પામે તેવા અંત વગરના સુખને તું આપે છે. તેવા પ્રભુને હું નમું છું. (૧૩) ટબો-જ્ઞાનવિમળ ગુણના ગણસમુદાય, તદ્રુપ જે મણિ-રત્ન, તેના ભૂધર-પર્વત–રોહણચલ છો. એવા ભગવાન શ્રી મહાવીરસ્વામી જગતના નાયક, શાસનનાયક જયવંતા વર્તો છો જ્ઞાનવંત. વળી, દાયક-દેણહાર છે, અખયખાયિક ભાવે થયા જે અનંત સુખ, સકલ કર્મના નાશથી, તેના સદા-નિરંતર આપ સ્વરૂપે દાતા છો. ઈણ પ્રકારે શ્રી મહાવીર જિન સ્તુતિસ્તવના કહી. (૧૩) આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ટબાનો કળશ ચોવીસ જિનવર વિધહિતકર ગતિ ચકવીસ નિવારતા, ચઉવીસ દેવનિકાયનંદિત સંપ્રતિ કાલે વર્તતા; આનંદઘન બાવીસ (સિ) માંહી દોય સ્તવ પૂરણ ભણી, શ્રી જ્ઞાનવિમલસૂરી ગાતાં અખય સંપદ અતિ ઘણી, વિવેચન–છેવટે કહે છે કે આપ નિર્મળ જ્ઞાનના ધરનારા છે, અને નિર્મળ ગુણના સમૂહરૂપ રત્ન ધારણ કરનાર રેહણાચલ પર્વત સમાન છે. આપ ભગવંત શ્રી મહાવીર પરમાત્મા જય પામે, જય પામે; આપ નાયક-ઉપરી છે અને આપ અક્ષય અને અનંત સુખને આપનારા નાયક છે-ઉપરી છે. રત્નમણિઓ પર્વતમાંથી જડી આવે છે, તેવા ગુણરૂપ મણિઓને અનેકને ધારણ કરનાર આપે છે. અને આપ અક્ષય-કદી ક્ષય ન પામનારા એવા અંત વગરના સુખના આપનારા છો. આપને હું નમું છું એવો અત્ર ભાવ છે. આ ભાવ સમજીને પ્રભુની બને તેટલી સેવના કરી જીવન સફળ કરવું. ઉપસંહાર આ રીતે આ સ્તવન પૂર્ણ થયું. આ મહાવીર સવામીનું સ્તવન જ્ઞાનવિમળસૂરિએ બનાવ્યું છે, અને પિતાનું નામ આપ્યું છે. કહેવાય છે કે આનંદઘનજીએ પોતે પણ પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી બન્નેનાં સ્તવન બનાવ્યાં હતાં, તે ર૩ (૧), ૨૪ (૧), ૨૩ (૨) અને ૨૪ (૨) પિકી ક્યાં હશે તે જડવું મુશ્કેલ છે, કારણ કે તે આનંદઘનજીને નામે લખાયેલાં છે. પણ એમાં મને કોઈ પણ કૃતિ આનંદઘનજીની લાગતી નથી. કારણ કે જે પ્રૌઢ રીતે આનંદઘનજીએ તત્ત્વજ્ઞાન બાવીશ સ્તવનમાં સુંદર રીતે વણી દીધું છે તે ઉપરનાં ચારે સ્તવનમાં નથી એવો મારે મત છે. જોકે “ધ્રુવ સ્વામી’ વાળું સ્તવન કાંઈક થોડું થોડું તેની નજીક જાય છે, પણ તે સંબંધી એક પ્રકારનો નિર્ણય થઈ શકતું નથી. મારા પિતાના મત પ્રમાણે તે પ્રથમનાં બાવીશ સ્તવન આનંદઘન (લાભનંદ)નાં પિતાનાં બનાવેલાં છે અને બાકીનાં ક્ષેપક છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ [૪૯ ર૮–૩: શ્રી મહાવીર જિન સ્તવન આ સ્તવનમાં અનેક પ્રકારની ત્રિભંગીઓ બતાવવા જ્ઞાનવિમળસૂરિએ પ્રયાસ કર્યો છે. જેને તત્ત્વજ્ઞાનની એક ખૂબી એ છે કે તેઓ વિભાગ પાડે તે પરિપૂર્ણ હોય છે, એટલે તેમાં અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિને દોષ ન આવે, અને એ સ્વયં પરિપૂર્ણ હોય. ઉપર જે ત્રિભંગીઓ આપી છે, તે તેવા પ્રકારના ભંગ–વિભાગો છે. એ વિભાગે સ્વયં સંપૂર્ણ છે અને તર્કનુસારી છે. સ્તવનમાં સામાન્ય રીતે ઠીક વિચારે દાખલ કર્યા છેજોકે તે આનંદઘનજીની સાથે ઊભા રહી શકે તેવા ઊંડાણવાળા નથી, પણ સમજવા લાયક છે અને સમજીને અનુસરવા લાયક છે. પૂર્વ પુરુષોએ જપકાર કરવા આવી કૃતિઓ સંદરમાં સુંદર ભાષામાં કરી છે અને આનંદઘનજીનાં પ્રથમનાં બાવીશ સ્તવને તે ભાવવાહી છે, ઘણું ઊંડાણવાળાં છે, અને સ્તવમાં અનેરું સ્થાન ભોગવે છે. એ વાંચીને પચાવવા યોગ્ય છે અને જીવન સાથે વણી દેવા યોગ્ય છે. (૨૪-૩) ઓગસ્ટ : ૧૯૫૦ Page #516 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્તવને ( રાગ–મારુ; ઋષભ જિનેસર પ્રીતમ રીઝો સાહિમ સંગ ન 2 ૧. ઋષમદેવ સ્તુવન [ ખરા પ્રભુપ્રેમનું સ્વરૂપ; અલખની લીલા-વીતરાગતા; ચિત્તપ્રસન્નતા-આનંદમયતા ] પરીક્ષા કરણ કુમર ચલ્યા”–એ રાગ ) માહુરા રે, આર ન ચાહું રે કત; પરિહર રે, ભાંગે સાદિ અનંત. ઋષભ જિનેસર પ્રીતમ માહુરા રે. પ્રીત-સગાઇ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઇ ન કોય; પ્રીતસગાઈ ૨ નિરુપાષિક કહી રે, સાપાધિક ધન ખાય. કોઈ કંત કારણુ કાષ્ઠ-ભક્ષણ કરે રે, મિલસ્યું કતને ધાય; એમેલે નવિ કહિયે... સભવે રે, મેલે કોઈ પતિર’જણ અતિ ઘણા તપ કરે એ પતિર જમે નવિ ચિત્ત ધર્યા રે, કોઈ કહે લીલા ૨ લલક અલખ તણી રે, લખ પૂરે મન આસ; લીલા નિવ ઘટે દોષરહિતને ચિત્ત પ્રસન્ને કપટ રહિત થઈ હામ ત હાય. પતિરંજ તનું તાપ; રે,રજણુ ધાતુ-મિલાપ. *_* પૂજન ફૂલ કહ્યો રે, પૂજા અખ`ડિત એ; આતમ આપણા રે, ‘આનંદઘન' પદ રહુ. ૧. ઋષભ ૨ પડો નિહાલું રે બીજા જિનતા રૂ, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યા રે તિણે હું જીતીયા રે, પુરુષ કસ્યું મુજ નામ. પથડા નિહાલું રે બીજા જિનતા રે. વાટડી વિલાકું ભરે બીજા જિનતણી રે. ઋષભ૦ ૩ લીલા ઢોષ-વિલાસ, ઋષભ૦ ૫ ઋષભ ૪ ઋષભ દે ૨. શ્રી અજિતનાથ સ્તવન [માદનના ચાર ઉપાયા; વત માને ચારે ઉપાયાની વિરલતા; ભવિષ્યમાં પથદર્શનની આશા] ( વેલીની દેશી; મનડું મોહ્યો રે શ્રી સિદ્ધાચલે રે—એ દેશી ) ૧ Page #517 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્તવને ચરમ નયણે કરી મારગ જેવ રે, ભૂલે સયલ સંસાર; છણ નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો. ૨ પુરુષ પરંપરા અનુભવ જેવતા રે, અંધ અંધ પીલાય; વસ્તુ વિચારે રે જે આગમે કરી , ચરણ ધરણ નહીં ઠાય. પથડે. ૩ તક વિચારે છે વાદ પરંપરા રે, પાર ન પહુંચે કય અભિમત વસ્તુ રે વસ્તુ તે કહે છે, તે વિરલા જગ જેય. પથ૦ ૪ વસ્તુવિચારે રે દિવ્ય નયન તરે રે, વિરડુ પડયો નિરધાર; તરતમ જેગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પથડો. ૫ કાળલબધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી! જાણી રે, “આનંદઘન” મત અંબ. પંથડો. ૬ શ્રી સંભવનાથ સ્તવન [સેવન-કારણ: ભગવાનની સેવા અગમ અને અનુપ છે; ભૂમિકામાં નિર્ભયતા શ્રેષરહિતતા, અથાકતા છે; સાચી સેવા પ્રાપ્ત કરવી એ જીવનનો લહાવો છે.] ( રાગ-રામગિરિ; રાતલી રમીને કિહાંથી આવી રે-એ દેશી) સંભવદવ તે ધૂર સે સવે રે, લહી પ્રભુસેવન ભેદ, સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. સંભવદેવ તે ધૂર સેવા સવે રે. ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ: ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે, દોષ અબોધ લિખાવ. સંભવ. ૨ ચરમાવરત ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દેષ ટળે વળી દૃષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. સંભવ. ૩ પરિચય પાતિક ઘાતક સાધુ રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સંભવ. ૪ કારણ ગે હો કારજ નીપજે રે, એહમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉનમાદ. સંભવ છે મુગધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના રે, “આનંદઘન” રસ રૂપ. સંભવ ૬ Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨] શ્રી આનંદઘન-ચાવીશી ૪. અભિનદન જિન સ્તવન [દનપ્રાપ્તિની તલસના દર્શન પ્રાપ્તિની દુર્લભતા; પ્રભુકૃપાથી એની સુલભતા] (રાગ-ધન્યાસિરિ; સિંધુઓ; આજ નિહેજો રે દીસે નાઈલે રે-એ દેશી) અભિનંદન જિન ! દરિસણ તરસીએ, દરસણ દુરલભ દેવ; મત મત ભેદ રે જે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિનંદન જિન! દરિસણ તરસીએ. સામાન્ય કરી દરિસણ દોહિલું, નિરણય સકલ વિશેષ; મદમેં ઘાર્યો રે અંધ કિમ કરે, રવિ-શશિરૂપ વિલેખ. અભિનંદન. ૨ હિત-વિવાદે હે ચિત્ત ધરી જોઈએ, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કે નહીં, એ સબળ વિષવાદ. અભિનંદન. ૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કેઈ ન સાથ. અભિનંદન. ૪ દરિસણ દરિસણ રટતે જે ફિ, તે રણઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. અભિનંદન પ તરસ ન આવે હો મરણ જીવન તણો, સીજે જે દરિસણ કાજ; દરિસણ દુરલભ સુલભ કૃપા થકી, ‘આનંદઘન મહારાજ અભિનનંદન ૬ ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન (રાગ-વસંત તથા કેદારો; ભવિલોકા તુજ દરશન ઈ-એ દેશી) સુમતિ-ચરણ-કજ આતમ અરપણ, દરપણ જિમ અવિકાર, સુગ્યાની; મતિ તરપણ બહુસમ્મત જાણીએ, પરિસર પણ સુવિચાર, સુગ્યાની. સુમતિ ચરણ-કજ આતમ અરપણ. ત્રિવિધ સકલ તનુ ધરગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ, સુગ્યાની; બીજે અંતર આતમા તીસર, પરમાતમ અવિચ્છેદ, સુગ્યાની. સુમતિ આતમબુદ્ધ કાયાદિક ગ્રંહ્ય, બહિરાતમ અઘરૂપ, સુગ્યાની કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ, સુગ્યાની. સુમતિ. જ્ઞાનાનંદે પુરણ પાવને, વરજિત સકલ ઉપાધિ, સુગ્યાની અતી દ્રિય ગુણગણમણિનાગરુ, ઈમ પરમાતમ સાધ, સુગ્યાની. સુમતિ. ૩ ૪ Page #519 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્તવના અહિરાતમ તજ અંતર આતમા–રૂપ થઇ થિર ભાવ, સુગ્યાની; પરમાતમનું હૈ। આતમ ભાવવું, આતમ અરપણ દાવ, સુગ્યાની. સુમતિ॰ આતમ-અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દેષ, સુગ્યાની; પરમ પદારથ સંપતિ સંપજે, ‘આનંદઘન’ રસ પોષ સુગ્યાની. સુમતિ ૬. શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન [આંતરા છેટાપણું (રાગ-મારુ તથા સિંધુએ; ચાંદલીઆ, સ ંદેશા કહેજે મારા કતને એ દેશી ) પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરુ' રે, કિમ ભાંજે ભગવંત ? કરમ વિપાકે કારણ જોઇને રે, કોઈ કહે મતિમંત. પદ્મપ્રભ૦ પાઈ ડિઈ અણુભાગ પ્રદેશથી રૈ મૂળ–ઉત્તર બહુ ભેદ; ઘાતી-અઘાતી હા બંધાદય-ઉદીરણા રે, સત્તા કર્મ–વિચ્છેદ. પદ્મપ્રભ૦ કનકોપલવત્ પયિડ પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સ’જોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મપ્રભ૦ કારણ જોગે હા ખાંધે ખંધને રે, કારણુ મુગતિ કાય; આશ્રવ–સવર નામ અનુક્રમે રે, હેય-ઉપાદેય ગુણાય. પદ્મપ્રભ૦ ચુંજનકરણે હા અંતર તુજ પડયો રે, ગુણુકરણે કરી ભગ; ગ્રંથ ઉતે કરી પડિત જન કહ્યો રે, તુજ મુજ અંતર અંતર ભાજસે રે, વાજસે મંગળ તૂર; જીવ–સરાવર અતિશય વાધશે રે, ‘આનંદઘન’ રસપૂર. પદ્મપ્રભ॰ અંતરભંગ સુઅંગ. પદ્મપ્રભ૦ ૭. શ્રી સુપાર્શ્વ જિન સ્તવન [ અનેક નામે ] ૫ દ ૧ ૨ ૩ [ ૫૩ ૫ ( રાગ–સાર'ગ, મલ્હાર; લલનાની દેશી ) શ્રી સુપાસ જન વંદીએ, સુખ-સ`પત્તિનો હેતુ લલના; શાંત સુધાર જલનિધિ, ભવસાગરમાં સેતુ લલના. શ્રી સુપાસ જિન વ`દીએ. (ટેક) સાત મહાભય ટાળતા, સપ્તમ જિનવર દેવ, લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના. શ્રી સુપાસ૦ ૨ ૧ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪] શ્રી આન‘ઘન-ચાવીશી ભગવાન, લલના; શિવ શંકર જગદીશ્વરુ, ચિ’દાન દ જિન અરિહા તિત્થકરું, યોતિ સ્વરૂપ અસમાન, લલના. શ્રી સુપાસ૦ ૩ અલખ નિરંજન વક્ષુ, સકળ જંતુ વિસરામ, લલના; અભયદાન-દાતા સદા, પૂરણ આતમરામ, લલના. શ્રી સુપાસ૦ ૪ વીતરાગ મદ ૯૫ના, રિત અતિ ભયસેગ, લલના; નિદ્રા તંદ્રા દુર દશા, રહિત અખાધિત યોગ, પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરમ પદાર્થ પરમેષ્ઠી પરમ દેવ વિધિ વિરંચિ વિશ્વંભરુ ઋષીકેશ લલના. શ્રી સુપાસ૦ ૫ પરધાન, પરમાન, જગનાથ, લલના; અઘહુર અમેોચન ધણી, મુક્તિ પરમપદ સાથે, લલના. શ્રી સુપાસ૦ ૭ એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર, જે જાણે તેડુને કરે, ‘આનદુધન’ અવતાર, લલના; લલના. શ્રી સુપાસ૦ ૮ લલના; લલના. શ્રી સુપાસ૦ ૬ ૮. શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન [ પ્રભુનાં દર્શન ] (રાગ-કેદારા તથા ગાડી; કુમારી રાવે, આકદ કરે, મુને કોઈ મુકાવે–એ દેશી ) દેખણ દે રે, સખી ! મુને દેખણ દે, ચદ્રપ્રભુ મુખચંદ્ર; સખી ઉપશમરસને કંદ, સખી ગત કલિ–મલ-દુઃખદ ૬. સખી૦ ૧ સુહુમ નિગેાદે ન દેખીએ, સખી॰ ખાદર અતિહિં વિસેસ; સખી પુઢવી આઉ ન લેખિયા, સખી તેવાઉ ન લેસ. સખી ૨ વનસ્પતિ અતિઘણ દ્વિહા, સખી દીડો નહી ય દીદાર; સખી ષિ-તિ-ચરિંી જલ લીહા, સખી॰ તસન્તિ પશુ ધાર. સખી ૩ સુર તિરી નિય નિવાસમાં, સખી મનુજ અનારજ સાથે; સખી અપજત્તા પ્રતિભાસમાં, સખી ચતુર ન ચઢીએ હાથ. સખી ૪ ઇમ અનેક થળ જાણીએ, સખી॰ આગમથી મત આણીએ, સખી નિરમળ સાધુ ભગતિ લહી, સખી॰ ક્રિયા–અવંચક તિમ સહી, સખી ફળ-અવ`ચક જોય. સખી૦ ૬ પ્રેરક અવસર જિનવરૂ, સખી॰ મેહનીય ક્ષય જાય; સખી૰ કામિતપૂરણ સુરતરૂ, સખી ‘આનંદઘન' પ્રભુ પાય. સખી ૭ ઇરિસ વિષ્ણુ જિનદેવ; સખી કીજે નિરમળ સેવ. સખી પ યેાગ–અવંચક હોય; સખી Page #521 -------------------------------------------------------------------------- ________________ [૫૦૫ ૧ મૂળ સ્તવને ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન (રાગ–કેદાર; એમ ધને ધણીને પચાવે-એ દેશી) સુવિધિ જિનેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે, સુવિધિ. દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેરે જઈએ રે; દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ છે. સુવિધિ કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે; અંગ-પૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુવિધિ એહનું ફળ દોય ભેદ સુણી, અનંતર ને પરંપર રે, આણપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર છે. સુવિધિ ફૂલ અક્ષત વર ધૂપ પઈ, ગંધ નૈવેદ્ય ફલ જળ ભરી રે, અંગ–અગ્રપૂજા મળી અડવિધ, ભાવે ભાવિક શુભ ગતિ વરી રે. સુવિધિ. સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠોત્તર સત ભેદે રે, ભાવપૂજા બહુવિધ નિરધારી, દેહગ દુરગતિ છેદે છે. સુવિધિ તુરિય ભેદ પડિવત્તી પૂજા, ઉપશમ ખીણ સગી રે, ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવળગી રે. સુવિધિ. ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે ભવિક જીવ કરશે તે લેશે, ‘આનંદઘન” પદ ધરણી રે. સુવિધિ. ૫ ઃ ૭ ૮ ૧ ૧૦. શ્રી શીતળનાથ જિન સ્તવન (રાગ-ધન્યાશ્રી ગોડી; ગુણહ વિશાલા મંગલિમાલા-એ દેશી ) શીતળ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે, કરણ કોમળતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે સે. શીતળ સર્વ જંતુ હિતકરણ કરુણા, કર્મવિદારણ તીક્ષણ રે, હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ . શીતળ૦ પરદુઃખ છેદન ઈચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શીતળ૦ અભયદાન તિમ લક્ષણ કરુણા, તીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરણ વિણ કૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે છે. શીતળ૦. ૨ ૩ Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬] શ્રી આનંદઘન–વીશી શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ચથતા સંગે રે, યેગી ભોગી વક્તા મની, અનુપયોગી ઉપયોગે રે. શીતળ૦ ૫ ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે, અચરિજકારી ચિત્ર-વિચિત્રા, ‘આનંદઘન પદ લેતી રે. શીતળ૦ ૬ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન (રાગ-ગેડી; અહો મતવાલે સાજનાએ દેશી) શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે, અધ્યાતમપદ પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી શ્રેયાંસ. ૧ સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિકામી છે. શ્રી શ્રેયાંસ ૨ નિજસ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી શ્રેયાંસ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહશું રઢ મંડે છે. શ્રી શ્રેયાંસ૪ શબ્દ અધ્યાતમ અર્થ સૂણીને, નિર્વિકલ્પ આદરે રે, શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે. શ્રી શ્રેયાંસ પ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, “આનંદઘન” મત વાસી છે. શ્રી શ્રેયાંસ ૬ ૧૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન (રાગ-ગોડી તથા પરજીઓ; તુંગી ગિરિશિખર સહે-એ દેશી) વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી, ઘનનામી પરનામી રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફળ કામી રે. વાસુપૂજ્ય. ૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક સાકાર રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપાર રે. વાસુપૂજ્ય૦ ૨ કર્તા પરિણામી પરિણામે, કર્મ જે જીવે કરિયે રે, એક અનેક રૂપ નયવાદે, નિયતે નર અનુસરીએ રે. વાસુપૂજ્ય૩ Page #523 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્તવના દુઃખ-સુખરૂપ કરમ ફળ જાણેા, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદે રે. વાસુપૂજ્ય ૪ પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમફળ ભાવી રે; સાન કરમફળ ચેતન કહીએ, લેજો તેહ મનાવી. આતમજ્ઞાની શ્રમણુ કહાવે, બીજા તેા દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, ‘આનંદઘન' મત સંગી રે. વાસુપૂજ્ય ૬ વાસુપૂજ્ય પ્ ૧૩. શ્રી વિમળ જિન સ્તવન (રાગ--મલ્હાર; ઇડર આંબા આંબલી રે ઇડર દાડમ દ્રાક્ષ-એ દેશી; તથા અરિ ભાઈ ભલા ભરતાર-એ દેશી) સુખ-સંપદ શું ભેટ; કુણુ ગજે નરખેટ સીધાં વછિત કાજ, દુઃખ-દોહુગ દૂર ટળ્યાં રે, ધીગ ધણી માથે કયા રે, દીઠાં લેાયણ આજ, મારાં ચરણકમળ કમળા વસે રે, નિમ`ળ થિર પદ્મ દેખ; સમળ અથિર પદ પરિહરે રે, 'કજ પામર પેખ. વિમળ જિન૦૨ મુજ મન તુજ પદ્મ પંકજે રે, લીના ગુણમકર ; રંક ગણે. મદર-ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગેદ્ર વિમળ જિન૦ ૩ પામ્યા પરમ ઉદાર; આતમા આધાર. સંશય ન રહે વેધ; અંધકાર પ્રતિષેધ વિમળ જિન પ્ વિમળ જિન૦ ૪ સાહેબ ! સમરથ તું ધણી રે, મન વસરામી વાલહેા, દરિસણુ દીઠે જિનતણું રે, દિનકર કરભર પસરતા રે, અમિય ભરી મૂરતિ રચી ઉપમા ન ઘટે કાય; દૃષ્ટિ સુધારસ ઝીલતી રે, નિરખત નૃપતિ ન હોય. એક અરજ સેવકતણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજિયે રે, ‘આનંદઘન’ પત્તુ સેવ. રે, વમળ જિન દ્ વમળ જિન ૭૦ વિમળ જિન૰ વિમળ જિન૦ ૧ ૧૪, શ્રી અન`તનાથ જિન સ્તવન (રાગ-રામગિરિ; ડખાની દેશી; વિમલ કુલકમલના હંસ તું જીવડા એ દેશી ) ધાર તરવારની સેહલી દોહલી, ચઉદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ માજીગરા, સેવના-ધાર પર રહે ન દેવા. [ ૧૦૭ ધાર૦ ૧ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ] શ્રી આન ઘન-ચાવીશી એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લેાચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી ખાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે. ધાર૦ ૨ ગચ્છના ભેદ્ય બહુ નયણુ નિહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડિયા કલિકાલ રાજે. વચનનિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચનસાપેક્ષ વ્યવહાર સાચા; વચનનિરપેક્ષ વ્યવહાર સ`સારફળ, સાંભળી આદરી કાંઇ રાચેા. દેવ-ગુરુ-ધર્માંની શુદ્ધિ કહેા કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણા; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સ` કિરિયા કરે, છાર પર લીંપણું તેડુ જાણેા. પાપ નહીં કોઇ ઉત્સૂત્ર ભાષણ જિસ્યા, ધર્મ નહીં કોઇ જગ સૂત્ર સરીખા; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખો. એહુ ઉપદેશના સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત ‘આનંદઘન’ રાજ પાવે. ધાર૦ ૭ ધાર૦ ૩ ધાર૦ ૪ ધાર॰ પ્ ધાર૦ ૬ ૧૫. શ્રીધમનાથ જિન સ્તવન (રાગ–ગાડી, સારંગ; દેશી રસીઆની; કોઈ સ્થાને સાર’ગ રસીઆની દેશી એમ લખેલ છે. ) ધમ જિનેશ્વર ગાઉ રગણું, ભંગ મ પડશે। હ। પ્રીત, જિનેશ્વર; . બીજો મનમંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત, જિનેશ્વર. ધર્માં ૧ ધરમ ધરમ કરતા જગ સહુ ફીરે, ધરમ ન જાણે હા મમ, જિનેશ્વર; ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હા કમ જિનેશ્વર. ધર પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન, જિનેશ્વર; હૃદય-નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન, જિનેશ્વર, ધ૦ ૩ દોડત દોડત દોડત દાડિયા, જેતી મનની ૨ દોડ, જિનેશ્વર; પ્રેમ પ્રતીત વિચારો હુંકડી, ગુરુગમ લેજો ૨ જોડ, જિનેશ્વર. ધર્માં૦ ૪ એક પખી કિમ પ્રીતિ પરવડે, ઉભય મળ્યા હાય સ`ધિ, જિનેશ્વર; O હું રાગી હું મેહે ફ્દીએ, તું નીરાગી નિરખધ, જિનેશ્વર. ધર્માં ૫ પરમ નિધાન પ્રગટ મુખ આગળે, જગત ઉલ્લંઘી હા જાય, જિનેશ્વર; જ્યાતિ વિના જુએ જગદીશની, અધો અંધ પુલાય, જિનેશ્વર. ધર્માં ૬ નિરમળ ગુણમણિ રાણુ ભૂધરા, મુનિજન માનસ હંસ, જિનેશ્વર; ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માત-પિતા કુળ વંશ, જિનેશ્વર. ધ છ મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ, જિનેશ્વર; ઘનનામી ‘આનંદઘન' સાંભળેા, એ સેવક અરદાસ, જિનેશ્વર. ધ ૦૮ Page #525 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્તવનો ૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન શાંતિ ૩ ૫ શાંતિ ૬ ( રાગ-મલ્હાર; ચતુર ચામાસું પકિમી–એ દેશી ) શાંતિ જિન એક મુજ વિનતિ, સુણા ત્રિભુવનરાય રે; શાંતિસ્વરૂપ કેમ જાણીએ, કહેા મન કિમ પરખાય રે ? શાંતિ ૧ ધન્ય તું આતમ જેહને, એહુવે પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળેા, કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ॰ ૨ ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવરદેવ રે; તે તેમ અવિતત્ય સહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે. આગમધર ગુરુ સમકિતી, કરિયા સવર સાર રે; સંપ્રદાયી અવ'ચક સદા, સુચી અનુભવાધાર રે. શાંતિ ૪ શુદ્ધ આલેખન આદરે, તજી અવર જ’જાળ રે; તામસી વૃત્તિ સવી પરિહરે, ભજે સાત્ત્વિક સાલ રે. શાંતિ ફળ વિસ ́વાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સબંધી રે; સફળ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સ`ધિ રે. વિધિ-પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિશધરે; ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઇસ્યા આગમે એધ રે, શાંતિ॰ છ દુષ્ટ જન સ`ગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગસામર્થ્ય ચિત્તભાવ જે, ધરે મુગતિ નિદાન રે. શાંતિ૦ ૮ માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક-પાષાણ રે વંદક-નિંદ્યક સમગણે, ઇસ્યા હાયે તું જાણું રે. શાંતિ ૯ સ` જગજ તુને સમ ગણે, ગણે તૃણ-મણિ ભાવ રે; મુક્તિ-સંસાર એહુ સમ ગણે, સુણે ભવજલનિધિ નાવ રે. આપણે આતમભાવ જે, એક ચેતના ધાર રે; અવર સવી સાથે સ`યોગથી, એહ નિજ પરિકર સાર રે. શાંતિ ૧૧ પ્રભુમુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તાહુરે દરિસણે નિસ્તર્યો, મુજ સિધાં સવિ કામ રે. શાંતિ ૧૨ અહે। અહા હું મુજને કહું, નમે મુજ નમે મુજ રે; અમિત ફૂલ દાન દાતારની, જેની ભેટ થઈ તુજ રે, શાંતિ ૧૩ શાંતિસરૂપ સ ંક્ષેપથી, કહ્યો નિજ-પર-રૂપ રે; આગમમાંહે વિસ્તર ઘણેા, કહ્યો શાંતિ જિન ભૂપ રે. શાંતિ ૧૪ શાંતિસરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; ‘આન ઘન’ પદ પામશે, તે લહેશે બહુ માન રે. શાંતિ ૧૫ શાંતિ ૧૦ [૫૯ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦] શ્રી આનંદઘન-વીશી ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન (રાગ-ગુજરી તથા રામકલી; અંબર દેહુ મુરારિ હમારો—એ દેશી) કુંથુજિન! મનડું કિમહી ન બાઝે, હો કુંથુજિન ! મનડું જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભારે હ. કુંથુ૧ રજની વાસર વસતી ઉજડ, ગયણ પાયાલે જાય; “સાપ ખાય ને મુખડું થયું, એહ ઉખાણે ન્યાય હો. કુંથુ. ૨ મુગતિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એવું ચિંતે, નાખે અવળે પાસે છે. કુંથુ. ૩ આગમ આગમધરને હાથે, નવે કિણ વિધ આં; કિહાં કણે જે હઠ કરી હટકું, તે વ્યાલ તણ પરે વાંકું હો. કુંથુ૪ જે ઠગ કહું તે ઠગતે ન દેખું, શાહુકાર પણ નહિ સર્વમાંહે ને સહુથી અળગું, એ અચરિજ મનમાંહિ હો. કુંથુ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલે સુર-નર-પંડિતજન સમજાવે, સમજે ન મારે સાલે છે. કુંથુ. ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કઈ ન જેલે હો. કુંથુ. ૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી . કુંથુ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું આનંદઘન” પ્રભુ ! માધુરું આણો, તે સાચું કરી જાણે છે. કુંથુ. ૯ ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન [ ધર્મ ] (રાગ–પરજીઓ મારુ : ઋષભવંશ યણાયરો-એ દેશી) (એક પ્રતમાં કષભવંશ રાયણાય-એ દેશી એમ લખેલ છે) ધરમ પરમ અરનાથને, કિમ જાણું ભગવંત રે, સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે. ધરમ૦ ૧ શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમાય એહ વિલાસ રે, પરબડી છાંહડી જે પડે, તે પરસમય નિવાસ રે. ધરમ૦ ૨ Page #527 -------------------------------------------------------------------------- ________________ [ ૫૧૧ મૂળ સ્તવન તારા નક્ષત્ર ગ્રહ ચંદની, તિ દિનેશ મોજાર રે, દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધાર રે. ધરમ. ૩ ભારી પીળા ચીકણા, કનક અનેક તરંગ રે; પર્યાય દષ્ટિ ન દિજીએ, એક જ કનક અભંગ રે. ધરમ૦ ૪ દર્શન જ્ઞાન ચરણ થકી; અલખ સ્વરૂપ અનેક રે, નિરવિકપ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે. ધરમ૦ ૫ પરમારથ પંથ જે કહે, તે રંજે એક સંત રે, વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે. ધરમ૦ ૬. વ્યવહારે લખ દેહિલે, કેઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથ રે. ધરમ- ૭ એક પખી લખ પ્રીતની, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખજે, ચરણ તમે ગ્રહી હાથ રે. ધરમ૦ ૮ ચકી ધરમતીરથતણો, તીરથફળ તતસાર રે; તીરથ સેવે તે લહે, “આનંદઘન નિરધાર રે. ધરમ૦ ૯ ૧૯ શ્રી મલ્લિનાથ જિન સ્તવન [અઢાર દૂષણે ] (રાગ-કાફી, સેવક કિમ અવગુણીએ-એ દેશી) સેવક કિમ અવગણીએ, હો મલ્લિ જિન! એહ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી. હે મલ્લિ ૧ જ્ઞાનસુરૂપ અનાદી તુમારું, તે લીધું તમે તાણે જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણું ન આણી. હે મલ્લિ૦ ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી; નિદ્રા સુપનદશા રીસાણી, જાણી ન નાથ મનાવી. હો મલ્લિ૦ ૩ સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથ્થામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. હો મલિ૦ ૪ હાસ્ય અરતિ રતિ શેક દુગંછા, ભય પામર કરસાલી; કષાય શ્રેણિ ગજ ચઢતાં, ધાન તણી ગતિ ઝાલી. હો મલ્લિ પ Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ] શ્રી આનંદઘન-ચાવીશી મેધા. હા મલ્લિ૦ ૬ પદ દાતા; માતા. હા મલ્લિ૦ ૮ રાગદ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણુ માઠુના ચૈાધા; વીતરાગપરિણતિ પરિણમતાં, ઊઠી નાહા વેદોદય કામા પરિણામા, કામ્યક રસ નિ:કામી કરુણારસસાગર, અનંત ચતુ દાનવિઘન વારી સહુ જનને, અભયદાન પદ લાભવિઘન જગવિઘન નિવારક, પરમ લાભ રસ વીર્યવિશ્વન પ`ડિત વીયે હણી, પૂરણ પદવી યાગી; ભાગેાપભાગ દાય વિશ્વન નિવારી, પૂરણ ભાગ સુભાગી. હા મલ્લિ૦ ૯ એ અઢાર દૂષણ વરજિત તનું, મુનિજનવૃંદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણુ, નિરદૂષણુ મન આયા. હા મલ્લિ૦ ૧૦ ઈશુ વિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહિર નજરથી, ‘આનદધન’ પદ્મપાવે. હા મલ્લિ ૧૧ સહુ ત્યાગી; પાગી. હા મલ્લિ૦ ૭ ૨૦. મુનિસુવ્રત જિન સ્તવન [આત્મતત્ત્વ ] (રાગ–કાફી, આધા આમ પધારા પૂજ્ય—એ દેશી ) લ મુનિસુવ્રત જિનરાજ, એક મુજ વિનતિ નિસુણેા. (ટેક) આતમતત્ત્વ કયું જાણ્યું જગતગુરુ, એહુ વિચાર મુજ કહિયા; આતમતત્ત્વ જાણ્યા વિણ નિરમળ, ચિત્તસમાધિ નિવ Rsિયા. મુનિ ૧ કોઈ અમધ આતમતત માને, કરિયા કરતા દીસે; કિરિયાતણું ફળ કહે। કુણુ ભોગવે, ઇમ પૂછ્યું ચિત્ત રીસે. મુનિ॰ ર જડ-ચેતન એ આતમ એક જ, સ્થાવર-જંગમ સરિખા; સુખ-દુઃખ-સ'કર દૂષણુ આવે, ચિત્ત વિચાર જો પરિખા. મુનિ॰ ૩ એક કહે નિત્ય જ આતમતત, આતમદરસણુ લીને; કૃતિવિનાશ અકૃતાગમ દૂષણુ, નવિ દેખે મતિહીણેા. મુનિ ૪ સૌગતમતરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણેા; બંધ-મોક્ષ સુખ-દુઃખ નિવ ઘટે, એહ વિચાર મન આણુા. મુનિ પ ભૂત ચતુષ્ક વર્જિત આતમતત, સત્તા અળખી ન ઘટે; અંધ શકટ જો નજર ન દેખે, તે શુ કીજે શકટે? મુનિ ૬ Page #529 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્તવના પ એમ અનેક વાદી મતવિભ્રમ, ચિત્તસમાધ તે માટે પૂછું, તુમ વળતું જગદ્ગુરુ ઇણિ પરે ભાખે, પક્ષપાત સખ છ'ડી; રાગ દ્વેષ : મેહ ૫૫ વર્જિત, આતમનું રઢ સકટ પડિયા ન લહે; વિષ્ણુ તત કોઈ ન કહે. મુનિ છ મ`ડી. મુનિ॰ ૮ સા ફિર ઇમે નાવે; એહ તત્ત્વ ચિત્ત લાવે. મુનિ॰ ૯ કાઉ, આતમધ્યાન કરે તો વાગજાળ બીજું સહુ જાણે, જેણે વિવેક ધરી એ પખ ગ્રહિયા, તે તતજ્ઞાની કRsિયે; શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો, આનંદઘન’ પદ લહીએ. મુનિ॰ ૧૦ ૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન ( રાગ-આશાઉરી, ધન ધન સંપ્રતિ રાન્ન સાચો-એ દેશી.) ષડ્ દર્શન જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જો સાધે રે; મિ જિનવરના ચરણ ઉપાસક, ષડ્ દરશન આરાધે રે. ષડૂ ૧ જિન સુરપાદપ પાય વખાણા, સાંખ્ય-દ્વેગ દાય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેદે રે. ષડૂ૦ ૨ ભેદ્ય અભેદ સુગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લેાકાલાક આલમન ભજીયે, ગુરુમુખથી અવધારી રે. ષડૂ॰ ૩ લેાકાયતિક કૂખ જિનવરની, અશવિચાર જો કીજે રે; તત્ત્વવિચાર સુધારસધારા, ગુરુગમ વિષ્ણુ કમ પીજે ૨ ? ષડ્॰ ૪ જૈન જિનેશ્વર ઉત્તમ અંગ, અતર’ગ અહિર ગે રે; વૃત્તિ જે ન્યાસ સાગર ભજના રે; ૦ ૬ જિનવર હાવે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે. ષડ્॰ પ જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તિટની સહી, તિટનીમાં જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી ભૃંગી ઇલિકાને ચટકાવે, તે ચૂરણિ ભાષ્ય સૂત્ર નિયુક્તિ, સમયપુરુષનાં અંગ કહ્યાં એ, મુદ્રા ખીજ ધારણા અક્ષર, જે ધ્યાવે તે નવિ ચીજે, ભ’ગી જગ જાવે રે. ષડૂ॰ ૭ પર પર અનુભવ રે; છેદે તે દુરભવ ૨. પ ્॰ ૮ અરથ વિનિયોગે રે; ક્રિયાઅવ’ચક ભાગે રે, ષડૂ॰ ૯ [ ૫૧૩ Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪] શ્રી આનંદઘન–વીશી શ્રત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મળે રે, કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્ત સઘળે રે. ષડૂ૦ ૧૦ તે માટે ઊભું કર જોડી, જિનવર આગળ કહીએ રે, સમય-ચરણ-સેવા શુદ્ધ દેજે, જિમ “આનંદઘન” લહીએ રે. ષડૂ૦ ૧૧ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન (રાગ મારૂણી; વણરા ઢેલા-એ દેશી.) અષ્ટ ભવાંતર વાલહી રે, તું મુજ આતમરામ રે, મનરા વાલા. મુગતિ સ્ત્રી શું આપણે રે, સગપણ કેઈ ન કામ. મન. ૧ ઘર આવે છે વાલિમ ! ઘર આવે, મારી આશાના વિસરામ; મન રથ ફેરે હે સાજન ! રથ ફેરે, મારા મનરા મનોરથ સાથ. મન ૨ નારી પ ો નેહલે રે, સચ્ચ કહે જગનાથ; મન, ઈશ્વર અર્ધા ધરી રે, તું મુજ ઝાલે ન હાથ. મન ૩ પશુજનની કરુણા કરી રે, આણ રૂદય વિચાર; મન માણસની કરુણા નહિ રે, એ કુણુ ઘર આચાર. મન- ૪ પ્રેમ કલ્પતર છેદિયે રે, ધરિયે વેગ ધતુર, મન, ચતુરાઈ કુણ કહો રે, ગુરુ મિલિયે જગસૂર. મન ૫ મારું તે એમાં કહીં નહિ રે, આપ વિચાર રાજ; મન, રાજસભામાં બેસતાં રે, કિસહી વધસી લાજ મન દ પ્રેમ કરે જગજન સહુ રે, નિરવાહે તે ઓર, મન, પ્રીત કરીને છોડી દે છે, તેનું ન ચાલે છે. મન જે મનમાં એવું હતું રે, નિસપતિ કરત ન જાણ; મન નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હવે નુકસાન. મન, ૮ દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વંછિત પિષ, મનો સેવક વંછિત નવિ લહે રે, તે સેવકને દોષ. મન સખી કહે એ સામળો રે, હું કહું લક્ષણ સેત, મન, ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચાર હેત. મન, ૧૦ રાગીશ રાગી સહ રે, વૈરાગી શો રાગ; મનો રાગ વિના કિમ દાખવે રે, મુગતિ સુંદરી માગ. મ. ૧૧ Page #531 -------------------------------------------------------------------------- ________________ [૫૧૫ મૂળ સ્તવન એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો જાણે લેગ; મનો અનેકાંતિક ભેગો રે, બ્રહ્મચારી ગતગ. મન. ૧૨ જિણ જણ તમને જોઉં રે, તિણ જણ જુવે રાજ; મન એક વાર મુજને જુવો રે, તે સીજે મુજ કાજ, મન. ૧૩ મેહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્વવિચાર; મન વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મન. ૧૪ સેવક પણ તે આદરે છે, તે રહે સેવક મામ; મન આશય સાથે ચાલીએ રે, એવી જ રૂડું કામ. મન ૧૫ ત્રિવિધ વેગ ધરી આદર્યો છે, તેમનાથ ભરથાર; મન ધારણ પિષણ તારણો રે, નવ રસ મુગતાહાર. મન. ૧૬ કારણ રૂપી પ્રભુ ભજ્યા રે, ગયે ન કાજ–અકાજ, મન, કૃપા કરી મુજ દીજીએ રે, ‘આનંદઘન પદ રાજ. મન. ૧૭ પુરવણી ર૩. (૧) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (રાગ સારંગ; રસિયાની દેશી.) ધ્રુવપદ રામી હો સ્વામી માહરા, નિકામી ગુણરાય, સુગ્યાની; નિજ ગુણ કામી હો પામી તું ધણી, આરામી હો થાય. સુવ ધ્રુવ ૧ સર્વવ્યાપી કહે સર્વ જાણગપણે, પર પરિણમન સ્વરૂપ, સુ. પર રૂપે કરી તસ્વપણું નહિ, સ્વસત્તા ચિરૂપ. સુવ ધ્રુ૨ ય અનેક હો જ્ઞાન અનેકતા, જલભાજન રવિ જેમ, સુઇ દ્રવ્ય એકપણે ગુણ એકતા, નિજ પદ રમતા હો એમ. સુવ ધ્રુવ પર ક્ષેત્રે ગત રેયને જાણવે, પર ક્ષેત્રે થયું જ્ઞાન, સુ. અસ્તિપણે નિજ ક્ષેત્રે તમે કહો, નિર્મળતા ગુણમાન. સુવ ધ્રુવ સેય વિનાશે હો જ્ઞાન વિનશ્વરુ, કાળ પ્રમાણે થાય; સુત્ર સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. સુવ ધ્રુવ ૫ પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ, સુ આત્મચતુષ્કમયી પરમાં નહિ, તે કિમ સહુને રે જાણ. સુવ ધ્રુવ ૬ Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રી આનંદઘન-ચાવીશી અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકળ દેખત, સુઇ સાધારણ ગુણની સામ્યતા, દર્પણ જળ દષ્ટાંત સુવ ધ્રુ. ૭ શ્રી પારસ જિન પારસ રસ સમે, પણ ઇહાં પારસ નાંહિ; સુત્ર પૂરણ રસિયે હો નિજ ગુણ પરસમાં, “આનંદઘન’ મુજ માંહી સુવ ધ્રુ૦ ૮ ર૩ (૨) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (શાનિ જિન એક મુજ વિનતિ-એ દેશી). પાસ જિન તાહરા રૂપનું, મુજ પ્રતિભાસ કેમ હાય રે, તુઝ મુજ સત્તા એકતા, અચલ વિમલ અકલ જેય રે. પાસ. ૧ મુઝ પ્રવચન પક્ષથી, નિશ્ચય ભેદ ન કોય રે, વિવારે લખી દેખીએ, ભેદ પ્રતિભેદ બહુ લેય રે. પાસ ૨ બંધન મેખ નહિ નિશ્ચયે, વિવહારે ભજ દેય રે; અંખડિત અબાધિત સોય કદા, નિત અબાધિત સંય રે. પાસ૩ અન્વય હેતુ વ્યતિરેકથી, અંતર તુઝ મુઝ રૂપ રે; અંતર મેટવા કારણે, આત્મ સ્વરૂપ અનૂપ છે. પાસ૪ આતમતા પરમાત્મતા, શુદ્ધ નય ભેદ ન એક રે; અવર આરોપિત ધર્મ છે, તેહના ભેદ અનેક રે. પાસ ૫ ધરમી ધરમથી એકતા, તેહ મુજ રૂપ અભેદ રે; એક સત્તા લખ એકતા, કહે તે મૂઢમતિ ખેદ છે. પાસ. ૬ આતમઘરમ અનુસરી, રમે જે આતમરામ રે; આનંદઘન પદવી લહે, પરમ આતમ તસ નામ છે. પાસ ૭ ૨૩ (૩) શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (કહેણી કરણી તુજ વિણ સાચો કોઈ ન દેખે જોગી-એ દેશી.) પાસ પ્રભુ પ્રણમું શિર નામી, આતમગુણ અભિરામી રે, પરમાનંદે પ્રભુતા પામી, કામિલદાય અકામી છે. પાસ. ૧ ચોવીશીમાં છે તેવીસા, દૂરી કર્યા તેવીસા રે, ટાળ્યા જેણે ગતિ-થિતિ વીસા, આયુ ચતુષ્ક પણવીસા રે. પાસ રે Page #533 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્તવનો લેાહ કુધાતુ કરે. જે કંચન, તે પારસ પાષાણે રે; નિર્વિવેક પણિ તુમચે નામે, એ મહિમા સુપ્રમાણેા રે. ભાવે ભાવનિક્ષેપે મિલતા, ભેદ રહે કિમ જાણા રે, તાને તાન મિલે સ્યા અંતર, એહુવા લેાક ઉષાણા રે. પરમ સ રૂપી પારસરસસુ, અનુભવ પ્રીતિ લગાઈ રે; દોષ ટલે હાય દષ્ટિ સુનિ`ળ, અનુપમ એહુ ભલાઇ ૨. કુમતિ ઉપાધિ કુધાતુને તજીએ, નિરૂપાધિક ગુણુ ભજીએ રે; સોપાધિક સુખદુઃખ પરમારથ, તેહ લહે નવીરજીએ રે. જે પારસથી કૉંચન જાચું, તેડુ કુધાતુ નહાવે રે; તેમ અનુભવ-રસ ભાવે લેવો, શુદ્ધ વામન દન ચંદન શીતલ, દન ‘જ્ઞાનવિમળ' પ્રભુતા ગુણ વધે, સરૂપે જાસ પરમાનંદ શ્રી વીર્ જિનેશ્વર ચરણે મિથ્યા માહુ તિમિર ભય ઉમથ્ય વીરજ લેશ્યા સંગે, વિભાસે રે; વિલાસે રે. ૨૪ (૧) શ્રી આનંઘનજીનું કહેવાતું શ્રી મહાવીર જિન સ્તવન ( રાગ-ધન્યાસરી ) પાસ લાગું, વીરપણુ તે માગું ; ભાગું, જિત નગારૂ' વાગ્યુ. રે. અભિસ`ધિજ મતિ અંગે રે; સૂક્ષ્મથૂલ ક્રિયાને રગે, યાગી થયે ઉમ`ગેરે. અસખ્ય પ્રદેશે વી અસખા, યાગ અંસખત કખે રે; પુદ્ગલગણ – તેણે લેશુ વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે, ઉત્કૃષ્ટ વીરજને વેસે, યોગક્રિયા નિ પેસે રે; યેાગતણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન ખેસે રે. કામ વીશે જેમ ભેગી, તેમ આતમ થયા ભોગી રે; સૂરપણે આતમ ઉપયાગી, થાય તેહુ અયેાગી રે. વીરપણુ તે આતમ-ઠાણે, જાણ્યું તુમી વાણે રે; ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજધ્રુવપદ પહિંચાણે રે. આલ અન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે. અક્ષયદર્શીન જ્ઞાન વૈરાગે, ‘આનંદઘન’ પ્રભુ જાગે રે. પાસ૦ જુવે રે, પાસ૦ પાસ૦ પાસ પાસ૦ વીર૦ વીર૦ વીર૦ વીર૦ વીર૦ વીર૦ વી૨૦ ૩ ૪ ૧ ૐ જ h ૧ p ૪ પ ૬ 9 [ ૫૧૭ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮] શ્રી આનંદઘન-વીશી ૨૪. (ર) શ્રી આનંદઘનજીનું કહેવાતું શ્રી મહાવીર જિન સ્તવન (પથડે નિહાળું રે બીજા જિનતણેએ દેશી.) ચરમ જિણેસર વિગત સ્વરૂપનું, ભાવું કેમ સ્વરૂપ? સાકારી વિણ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂ૫. ચરમ૦ ૧ આપ સરૂપે રે આતમમાં રમે રે, તેહના ધુર બે ભેદ, અસંખ ઉકકોસે સાકારી પદે રે, નિરાકારી નિરભેદ. ચરમ- ૨ સુખમ નામકરમ નિરાકાર જે રે, તેહ ભેદે નહિ અંત; નિરાકાર જે નિરગતિ કર્મથી રે, તેહ અભેદ અનંત ચરમ. રૂપ નહિ કઈયેં બંધન ઘટયું રે, બંધ ન મેક્ષ ન કોય; બંધ મોખ વિણ સાદિ અનંતનું , ભંગ સંગ કેમ હોય? ચરમ- ૪ દ્રવ્ય વિના તેમ સત્તા નવી લહે રે, સત્તા વિણ એ રૂ૫? રૂપ વિના કેમ સિદ્ધ અનંતતા રે, ભાવું અકલ સરૂ૫. ચરમ૦ ૫ આત્મતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુજ ભેદભેદ, તદાકાર વિણ મારા રૂપનું રે, ધ્યાવું વિધ પ્રતિષેધ. ચરમ૦ ૬ અંતિમ ભવગહણે તુજ ભાવનું રે, ભાવશું શુદ્ધ સ્વરૂપ; તઈએ “આનંદઘન” પદ પામશું રે, આતમરૂપ અનૂપ. ચરમ- ૭ ૨૪ (૩) શ્રી જ્ઞાનવિમળસૂરિવિરચિત શ્રી મહાવીર જિન સ્તવન (રાગ મારૂણી ધનશ્રી; ગિરિમાં ગેરે ગિરૂઓ મેરૂ ગિરિ ચઢે રે–એ દેશી.) કરણા-કલ્પલતા શ્રી મહાવીરની રે, ત્રિભુવન મંડપમાંહિ પસારી રે, મીસરી રે પરે મીઠી અભયે કરી રે. ૧ શ્રી જિન આણું ગુણ ઠાણે આરોપતાં રે, વિરતિતણે પરિણામ પવને રે; અવને રે અતિહિ અમાય સભાવ રે. ૨ સર્વ સંવર ફલે ફલતી મિલતી અનુભવે રે, શુદ્ધ અનેકાંત પ્રમાણે ભલતી રે; દલતી રે સંશય-ભ્રમના તાપને રે. ૩ ત્રિવિધ વીરતા જેણે મહાવીરે આદરી રે, દાન-યુદ્ધ-તપ રૂ૫ અભિનવ રે; ભભવિ રે દ્રવ્ય-ભાવથી ભાષી રે. ૪ Page #535 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્તવને [પ૧૯ હાટક કોડિ દેઈ દારિદ્ર નસાડીઉં રે, ભાવે અભયનું દાન દઈ રે, કેઈ રે લઈને સુખી થયા છે. ૫ રાગાદિક અરિ મૂલ થકી ઉખેડીઆ રે, લડી સંયમ-રણરંગ રેપી રે, ઓપી રે જિણે આપ કલા નિરાવરણની રે. ૬ નિરાશંસ વળી શિવસુખ હતુ ક્ષમા ગુણે રે, તપ તપીઆ જિણે એમ આપે રે; થાપે રે વર પંડિત વીર્ય વિદથી રે. ૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રિવિધની વસ્તા રે, મહાપદ શોભિત ભાવી ભારે રે વાસે રે ત્રિભુવન જનમન ભાયાણું રે. ૮ ધીર કટિર કૃપારસનો નિધિ રે, પરમાનંદ પદ વ્યાપે રે, આપે રે નિજ સંપદ ફળ યેગ્યતા છે. ૯ બંધ ઉદય સત્તાદિક ભાવાભાવથી રે, ત્રિવિધ વીરતા જાસ જાણી રે; આણી રે ત્રિપદીરૂપે ગણધરે રે. ૧૦ ઠાણગ જાણગ ગુણઠાણુક વિહું વિધે રે, કાલ્યા જેણે ત્રિદોષ પિો રે, - શેષો રે રેષ-તેષ કીધા તમે રે. ૧૧ સહજ સ્વભાવ સુધારસ સેચનવૃષ્ટિથી રે, ત્રિવિધ તાપનો નાશ હોવે રે, જોવે રે ત્રિભુવન ભાવ સભાવથી રે. ૧૨ “જ્ઞાનવિમલ” ગુણગણમણિરોહણ ભૂધરા રે, જય જય તું ભગવાન નાયક રે; દાયક રે અખય અનંત સુખને સદા રે. ૧૩ Page #536 -------------------------------------------------------------------------- _