________________
૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન
[૧૫
જાય, ત્યારે એ ખરેખર દિવ્યમાંથી પસાર થઇ જાય છે અને એની નજરમાં જ ફેર પડી જાય છે. તેની નજરે સોનું અને માટી કે પથ્થર સરખાં જ દેખાય છે. આ શાંતિનું વજ્જુન છે. એમાંથી શાંતિની વિચારણા સમજી લેવી.
અને શાંતિવાંછકની નજરમાં એની સેવા-પૂજા કે નિંદા કરનારા બંને સરખા જ લાગે. એ જાણે છે કે પૂજક મને કાંઇ આપી જવાના નથી અને નિંદક મારું કાંઇ લઇ જવાના નથી. એની નજરે સંગમ દેવ કે ઇંદ્ર ને એકસરખા જ લાગે. એને એકની તરફ રુચિ નથી, બીજાની તરફ અભાવ નથી. આ સેવક કે નિંદકને સરખા ગણવા તે સિદ્ધાંતમાં વાત સરસ લાગે છે, પણ ચાલુ વ્યવડારમાં અશકય જેવી વાત છે, કારણ કે માણસ સામાન્ય કક્ષા પર પોતાની પ્રશંસા કરનાર તરફ પક્ષપાતને ટેવાયલા હોય છે. પ્રભુને સાચાસાચ જાણનાર આવે! હાય, ખરે શાંતિના વાંછક આવે હાય. તેવે જે હાય તે શાંતિને જાણે છે, એનું સાચેસાચું સેવન કરે છે. હે પ્રાણી! તું આવે! જાણકાર થા. વિકાસ થતાં તે શાંતિની આ મુશ્કેલ શરતે જરૂર આવે છે. એ ટેવથી આવે છે, અને શાંતિ ચાહનારે તેા એવા જ થવું જોઈએ, હજી પણ શાંતિના વાંછકનું વધારે સ્વરૂપ કહે છે તે વિચારવું. (૯)
સ` જગજંતુને સમ ગણે, ગણે
તૃણ-મણ ભાવ રે;
મુક્તિ-સંસાર બેહુ સમ ગણે, મુણે ભવજલિનિધ નાવ રે. શાંતિ- ૧૦
અથ-અધા જગતના પ્રાણીઓને એકસરખા ગણે, નાનામોટા ન ગણે. અને એક નકામા તરણાને–તરખલાને અને રતનને એક ભાવે સહે, તેમ જ સર્વાં કર્માંથી મુક્તિ અને સંસારમાં સરકવાને જે પૌલિક ભાવ, તે બન્નેને એકસરખા ગણે અને આ સંસારસમુદ્રને તરવાની શાંતિ નાવડી છે, ખલામડી છે, એમ જાણે, સમજે, સ્વીકારે. (૧૦)
ટબા——સકળ પ્રાણીને મૈત્રીમાં સરખા ગણે, તૃણુ અને મણિમાં સમાન ભાવ રાખે, મુક્તિ અને સંસાર બન્ને પ્રતિબુદ્ધભાવે-પંક્તિભાવે સરખા ગણે. સંકલેશ પિરણામ તે સંસાર–સંકલેશ, તેમાં સ’સારસમુદ્રના એવા સ્વભાવ છે એવું શાંતિપદ્ય છે. (૧૦)
પાઠાંતર—— ગણે' સ્થાને ‘ ગણૈ ' પાઠ
વિવેચન—શાંતિને ઇચ્છનારો માણસ જગતના સર્વ પ્રાણીને સરખા ગણે. એને રાય અને પ્રતમાં છે, તે પ્રાચીન ગુજરાતી છે; ‘ગણે ' સ્થાને બીજી પંક્તિમાં ‘ગણે’ પાઠ પ્રતમાં છે. તે પણ સદર કારણે જ છે. ‘ ભાવ રે' સ્થાને પ્રતમાં ‘એ ભાવ રે ’ એવા પાડે છે. બીજી પંક્તિમાં · ઝ્યા હોય તું જાણું રે ' એવા પાડે એક પ્રતવાળો લખે છે. ‘સંસાર 'ને બદલે ‘સંસાર સમ ' એવા પાઠ એક પ્રતમાં છે. ‘ મુણે’ સ્થાને એક પ્રતમાં ‘ ગણે' પાઠ છે. (૧૦)
=
શબ્દા—સ = સફળ, કુલ. જગજંતુને = જગતના પ્રાણીઓને. સમ = એકસરખા. ગણે = માને, સમજે, ટેવે. તૃણ = તરખલું, નકામી ચીજ. મણિ = રત્ન, મહામૂલ્યવાન ચીજ. ભાવ = વસ્તુ, ચીજ; બન્નેને સરખા ગણે. મુક્તિ = મેાક્ષ, સર્વાં કર્મોથી મુકાવું તે. સંસાર = પૌદ્ગલિક ભાવ, સંસારમાં સંચરવું તે, એહુ = બન્નેને, ધ્યેયને. સમ = સરખા, એકસરખા. ગણે = લેખવે, ટેવે. મણે = જાણે, લેખવે. ભવ – સંસારને તરવા માટે. જલનિધિ – દરિયા, સમુદ્ર. નાવ = હોડી, અલામડી. (૧૦)
=