SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] શ્રી આનંદઘન-ચાવીશી ટબો–પ્રકૃતિબંધ તે કર્મને સ્વભાવ, જેમ જ્ઞાનાવરણ પદ સમાન જ્ઞાનાદિ આવરણ સ્વભાવ (૧) સ્થિતિબંધ તે કર્મના બંધને સ્થિતિકાળ (૨) અનુભાગબંધ તે કર્મના રસ શુભાશુભ રૂપ (૩) પ્રદેશબંધ તે કર્મવર્ગણાનાં દળિયાં (૪) એ ચારે ભેદે બંધ હોય. કેને? કર્મપ્રકૃતિને. તે પણ બહુ ભેદે મૂળ પ્રકૃતિ ૮, અને ઉત્તર પ્રકૃતિ ૧૫૮ ઈત્યાદિક. તે આઠ કર્મમાં પણ ચાર ઘાતી, જ્ઞાન, દર્શન, મેહનીય, અંતરાય એ આત્માના ગુણને હણે તે માટે ઘાતી, અને વેદનીય, નામ, ગોત્ર અને આયુ એ આવનારા જ્ઞાન દર્શન સમ્યક ગુણને ઘાત ન કરે. પ્રકૃતિ રૂપે ધ્રુવ બંધી ૪૭, અધ્રુવ બંધી ૭૩, ધ્રુવોદયા ૨૭, અધૃદયા , ધ્રુવ સત્તા ૧૩૦, અધ્રુવ સત્તા ૧૨૮, ભવવિપાકી ૧૪, ક્ષેત્રવિપાકી ૪, જીવવિપાકી ૭૮, પુદ્ગલવિપાકી ૩૬, સર્વઘાતીય ૨૦, અઘાતી ૭૫, દેશઘાતી ૨પ, પુણ્યપ્રકૃતિ ૪૨, પાપપ્રકૃતિ ૮૨–એની વિગત કર્મગ્રંથથી જાણવી. ઈત્યાદિ. g-વિહાર-સિ-મન-હુ-ચિત્ત-કુ –મંદFરીજું ને सिं भावा कम्माण वि जाण तह भावा । નવતત્ત્વ પ્રકરણ, ગાથા ૩૬ તેણે કરી મળવું થાય તે પ્રકૃતિબંધ. વળી પ્રકૃતિબંધ ૧૨૦, ઉદયે ૧૨૨, સત્તાએ ૧૫૮, એ સર્વ સમજવું. (૨) વિવેચન—આપણે પ્રથમ તે કામ લાગવાનાં કારણે વિચારીએ. કર્મ લાગવાનાં કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ છે. તેને સત્તાવન બંધહેતુ કહેવામાં આવે છે. આત્માની સાથે કર્મનું જોડાણ આ સત્તાવન બંધહેતુ પૈકીના એક અથવા વધારે હતુઓની હાજરીથી થાય છે. આપણે એ સત્તાવન બંધહેતુઓ પર અગાઉ ઉપર વિચાર કરી ગયા છીએ. એ બંધહતના ઉપર આપણે વિજય મેળવીએ પછી કર્મબંધનું અને કર્મને મેળવવાનું કારણ ટળી જાય. એ એક વાત થઈ. કર્મબંધન થાય છે ત્યારે તેની ૧. પ્રકૃતિ, ૨. સ્થિતિ, ૩. રસ, અને ૪. પ્રદેશ એમ ચાર બાબત બંધન વખતે મુકરર થાય છે. તે શાશ્વપ્રસિદ્ધ મેદના દૃષ્ટાંતથી આપણે સમજીએ અને તે સમજી તે કમને વિચ્છેદ કરીએ. તે ચાર બાબત પર પણ વિવરણ ઉપર થઈ ગયું છે, પણ મૂળગ્રંથકારે એને અગત્ય આપી છે તે જોતાં તેને સંક્ષેપથી અહીં વિચારી જઈએ. ૧. પ્રકતિઃ મોદક કઈ વાયુને હરનાર હોય, કોઈ પિત્તને હરનાર, કોઈ કફને હરનાર હોય, તેમ કર્મ કઈ જ્ઞાનનું આવરણ કરનાર હોય, કઈ દર્શનનું આવરણ કરનાર હોય, કોઈ સુખ આપે અને કોઈ પીડા નિપજાવનાર હોય, કેઈ મમતા-માયામાં પાડી દે તેવું હોય, કઈ તે જન્મમાં કેટલાં વર્ષ રહેવાનું થશે તે દર્શાવનાર હોય, કઈ શરીરના આકાર બાંધનાર હાય, કઈ જાતિમાં હલકાભારેપણું કરનાર હોય, અને કોઈ લાભ કે શક્તિને રોકનાર હોય. એવી દરેક કર્મની પ્રકૃતિ મુકરર કરનાર જે વિભાગ તે પ્રકૃતિ. કમને સ્વભાવ મુકરર કરે તે સ્વભાવને દર્શાવનાર પ્રકૃતિબંધ.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy