SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૪] શ્રી આનંદઘન-વીશી હોય છે. આ વાતને સાર એ છે કે આપ પણ એ “ઓના વર્ગમાં આવો અને પ્રેમ કરી શક્યા છો તે તેને નિભાવ. પણ પ્રેમ કરીને છોડી દે, પ્રેમપાત્રને તરછોડી દે તેના ઉપર પ્રેમપાત્રનું કોઈ પ્રકારનું બળ ચાલતું નથી. એ એને પ્રેમ કરવાનું કહી શકતું નથી, તાવી શકતા નથી. એટલે આપે મારી સાથે પ્રેમ કર્યો તે ખરે, પણ તેને ટકાવી ન રાખે, તે આપના ઉપર મારું કાંઈ બળ ચાલતું નથી. આપ સામાન્ય કેટીના પ્રેમપાત્ર છે અને ‘આરીના વર્ગના જે છેડા માણસો છે તેમાં આપ આવી શકતા નથી. નહિ તે આઠ આઠ ભવને આપને અને મારે સંબંધ, તે તો વિચારે અને કરેલ પ્રીતને જાળવી રાખે અને પાછા ફેરવેલા રથને પાછો મારી સન્મુખ કરી દો ! રાજીમતી પોતાના પ્રેમને પ્રેમથી જવાબ લેવા આતુર છે તેથી અનેક કેરાં વચન બોલીને એ નેમનાથને પાછા આવવાની, આવા આવા શબ્દોમાં, વિનવણી કરે છે. એ સર્વ દુનિયાદારીની રીત છે. હવે આવતી ગાથામાં એ કડક વલણ લે છે (૭) જે મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણુ; મન નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હુવે નુકસાન. મન ૮ અથ—જે તમારા મનમાં આવા પ્રકારનું હતું તે તે જાણીને–સમજીને પછી તમારી સાથે સંબંધ કે ઓળખાણ પણ ન જ કરત. એકવાર સંબંધ કર્યા પછી તેને ત્યાગ કરવો તેથી તો સામા માણસને હાનિ થાય છે, તે વાતને આપે વિચાર કરવો જોઈએ. (૮) ટબે-જે મનમાં એમ મૂકવાનું હતું તે પહેલાં જ નિઃસંપન્નતા-જના ન કરત; પણ નિઃસંપન્નતા-જના કરીને વળતું મેહલાઈ, તે વારે તે માણસ નુકસાન–કલંકિત થાય. (૮) વિવેચન –સાંસારિક સુખભગવાંછુ રાજીમતી હજુ પણ દૂર રહી રહી નેમનાથને વીનવે છે, જે લય તેણે પ્રથમથી શરૂ કર્યો છે તે આ ગાથામાં પણ ચાલુ રાખે છે. હવે આપણે તે જોઈએ. જે આપને પ્રીત કરીને છોડી દેવી હતી અને ઊંડા મનમાં એવી જ ધારણા હતી, તે જાણી જોઈને પ્રીતિ જ ન કરત; કારણે કે સંબંધ કરીને સામા માણસને તજી દે, તો તે માણસને હાનિ થાય છે. ત્યારે આપની ઈચ્છા પ્રથમથી જ આવી હતી તે આપની સાથે હું સંબંધ જ ન કરત. જાણી જોઈને એવો સંબંધ કેણ કરે ? એમાં તે મોટું નુકસાન થઈ બેસવાને પૂરતે સંભવ છે, તો હાથે કરીને એવો માર્ગ કોણ લે? આ વહેવારુ અને અક્કલની વાત રાજીમતી કરે છે. કારણ કે એકવાર વેવિશાળ થાય અને લગ્નમાં ન પરિણમે તે સામા માણસને મોટું નુકસાન થઈ જાય છે, એવા જોખમમાં હું મારી જાતને કદી પણ ન મૂકત. વેવિશાળ કરેલી પાઠાંતર–કરત ન’ સ્થાને પ્રતમાં “ન કર” છે. “છોડતાં' સ્થાને પ્રતમાં “છાડતાં પાઠ છે. શબ્દાર્થ = યદિ. મનમાં = દિલમાં, હૃદયમાં. એહવું = એવું, એ પ્રમાણે. નિસપતિ = નિષ્પત્તિ, સંબંધ ઓળખાણ, સગાઈ કરત ન = અમલમાં ન મૂત. જાણું = જાણી સમજીને, અથવા હે જાણકાર પુરુષ. નિસપતિ = ઓળખાણ, સગપણ કરીને = અમલમાં મૂકીને. છાંડતાં = મૂકી દેતાં. માણસ = વ્યક્તિને, ખાસ કરીને સ્ત્રીને. હવે = થાય છે. નુક્સાન = હાનિ, ઓછું થવું તે. (૮)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy