SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રી આનંદઘન-ચાવીશી આવી પડે. તેટલા માટે આ આત્માને હયાતીને અંગે સ્વીકારીને જ ચાલીએ અને તેની જુદી જુદી અવસ્થાએ કેવી થાય છે તે યાગીશ્વરની નજરે સમજવા પ્રયત્ન કરીએ. આટલી પ્રસ્તાવના સાથે આપણે આ પાંચમા પ્રભુ શ્રી સુમતિનાથના સ્તવનમાં પ્રવેશ કરીએ, સ્તવન (રાગ–વસંત તથા કેદારા ભિવ લોકા તુજ દરશન હાઈ એ-દેશી ) સુમતિ-ચરણ-કજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર, સુગ્યાની; મતિ તરપણ બહુસમ્મત જાણીએ, પરિસર પણ સુવિચાર સુગ્યાની. સુમતિ-ચરણ-કજ આતમ અરણા. ૧ અ—પાંચમા શ્રી સુમતિનાથના ચરણ એટલે પગને માટે તેને આત્મસમર્પણ કરવું; જેમ કાચમાં કોઇ જાતનો વિકાર થતા નથી, જેવી હેાય તેવી ખરાબર છાપ પડે છે. બુદ્ધિની તૃપ્તિ થાય છે. એ વાત ઘણા માણસોએ માન્ય રાખેલી છે એમ જાણવું. એથી સારા માણસે પાછા હઠે છે એ સારા વિચાર છે. (૧) ટમે--જ્ઞાનવિમલસૂરિ પેાતાનો આ સ્તવનનો ટએ લખી ગયા છે તે જણાવે છે કેઃ(સુધારીને) (૧) હૈ ચિદાનંદ આતમ ! શ્રી સુમતિનાથના ચરણુકજ-ચરણકમળની શપણા આપણા આત્મામાં કરો. દણુ–અરીસાની પેરે અવિકાર-વિકારરહિત-નિમ ળ છે, પાપપ’કે મિલન નથી. મતિનું જે તણુ થાપવું તે તે બહુસંમત જાણીએ છીએ. અનેકભેદે મતિના વૈભવ છે તે ભલે વિચારે કરી પરિસંપૂર્ણ કરીએ, અવતારીએ, તે વારે પામીએ (૧) વિવેચન—સુમતિનાથ નામના પાંચમા તીર્થંકરના ચરણકમળમાં આત્માપણુ કરવું તે યેાગની પ્રાથમિક ભૂમિકા છે. આત્માપણુ કરે પ્રાણી પેાતાનાં અને પેાતાના શરીરનાં સ કાર્યં પ્રભુને અર્પણ કરે છે. પહેલાં તે આત્માપણુ એ વસ્તુ સમજી લઈએ. તત્ મુજ્બ મહ્ત્વનું એટલે તારાં સ` કાર્યો મને અપણુ કર, જાણીતા વૈષ્ણવીય સિદ્ધાંત છે. એમાં ખાવું કે પહેરવું, તેનાથી માંડીને જે જે કામ કરવાં તે સમાં મમત્વબુદ્ધિ, પોતે કે પોતા માટે કર્યાં' છે એમ ન માનતાં તે પ્રભુને માટે કર્યા છે અથવા પ્રભુએ પોતે આ વ્યક્તિ મારફત પાઠાંતર- · આતમ અરપણા ’તે સ્થાને પ્રતમાં ‘ આતમ રૂપણ' પાઠ છે, પ્રતમાં પ્રથમનુ સુગ્યાની નથી. ‘સમ્મેત ’ સ્થાને પ્રતમાં ‘સુમતિ' એવે પાઠ છે. (૧) શબ્દા—સુમતિ = સારી બુદ્ધિવાળા, પાંચમા તીર્થંકર. ચરણ-કજ = ચરણકમળ. અર્પણા = અર્પણ કરવું તે. દરપણ = દર્પણ, અરીસા, કાચ. જિમ = જેમ, જેવા. અવિકાર = વિકાર રહિત, ફેરફાર વગર. તિ બુદ્ધિ. તરપણ = તર્પણ, તૃપ્તિ, ભરાઈ જવું તે. બહુસંમત = બહુ જનોને પસંદ, ઘણા માણસોને સ્વીકૃત. પરિસરપણ = પાછા હડવું તે, આગળ વધી જવું તે, ફેલાવો થવા દેવા તે. સુવિચાર = એ સારા વિચાર છે, સાચા નિય છે. (૨)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy