________________
બનવા માટે શાંત, એકાંત, એકલવાયું, સમતાસભર અને મસ્તીભર્યું જીવન જીવવાની રાહ અપનાવ્યું હતું. પિતાના આત્મદેવને પ્રસન્ન કરવા માટે તેઓએ આદરેલી આંતરિક સાધના દરમ્યાન એમના હૃદયમહેરામણમાં પ્રાર્થના, પસ્તાવા, મસ્તી કે તત્ત્વદર્શનરૂપે કેટકેટલી લાગણીઓના કેવા તર ગો ઊડ્યા હશે, એ તે કોઈક યોગીપુરુષ જ જાણી શકે. એમાંની જે લાગણીઓ પ્રબળ અને અદમ્ય બનીને ભાષારૂપે વહી નીકળી તે તેઓની હૃદયસ્પર્શી કાવ્યકૃત્તિઓ બની ગઈ
શ્રી આનંદધનજીની બધી કાવ્યકૃતિઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે: પદે અને સ્તવને. એમનાં પદોના સંગ્રહ માટે “આનંદઘન બહોતેરી' એવું નામ પ્રચલિત છે. અને એમના સ્તવનેના સંગ્રહ માટે આનંદઘન-ચોવીશી” એવું નામ પ્રસિદ્ધ છે. આ નામનો અર્થ એવો થાય કે શ્રી આનંદધનજીએ રચેલાં પદોની સંખ્યા બહોંતેર અને સ્તવનોની સંખ્યા એવી છે. પણ વસ્તુસ્થિતિ આથી જુદી છે. નામ પ્રમાણે એમનાં પદો બહોતેર હોવાં જોઈએ, છતાં જે પદને અંતે એમનું નામ મળે છે એવાં પદોની સંખ્યા એથી બરાબર દોઢી એટલે કે ૧૦૮ જેટલી છે. સ્વર્ગસ્થ યોગાભ્યાસી આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ એમના “આનંદધના પદ સંગ્રહ-ભાવાર્થ” નામે ગ્રંથમાં તેમ જ શ્રી મોતીચંદભાઈએ એમના “શ્રી આનંદધનજીનાં પદો” નામે બે ભાગમાં પ્રકાશિત થયેલ ગ્રંથમાં ૧૦૮ પદ ઉપર વિવેચન કર્યું છે. આનાથી ઊલટું, સ્તવને માટે “વીશી શબ્દનો પ્રયોગ થયેલ હોવા છતાં, તેમ જ જેમાં ર્તા તરીકે “આનંદધન” નામને સ્પષ્ટ નિર્દેશ મળે છે એવાં
સ્તવનોની સંખ્યા ૨૪ કરતાં પણ વધારે મળી આવતી હોવા છતાં, કેટલાક પ્રમાણભૂત પુરાવા એવા મળે છે કે જેને આધારે નિશ્ચિતપણે માનવું પડે કે તેઓએ બાવીશ જ સ્તવને રચ્યાં હતાં. આ પુરાવાઓ આ છે : (૧) આ મૂળ સ્તવની પ્રાચીન પ્રતેિમાં બાવીશ જ સ્તવને મળે છે. (૨) શ્રી જ્ઞાનવિમલસુરજીએ બાવીશ સ્તવને ઉપર જ ટ ર છે. (૩) શ્રી જ્ઞાનસારજીએ પણ બાવીશ સ્તવનોનો જ અર્થ લખે છે – જોકે તેઓએ પાછળથી મળેલાં અને અંતમાં “આનંદઘન” શબ્દને ઉલ્લેખ ધરાવતાં બે સ્તવને પણ શ્રી આનંદઘનજીનાં હોવાનું સૂચવ્યું છે ખરું. (૪) શ્રી મોતીચંદભાઈએ પોતે પણ આ ગ્રંથમાં આપેલ ભગવાન મહાવીરસ્વામીનું ત્રીજુ સ્તવન કે જે, એ સ્તવનને અંતે આવતા સ્પષ્ટ નામનિદેશને કારણે, શ્રી જ્ઞાનવિમલસૂરિજીની જ કૃતિ છે, એના વિવેચનના ઉપસંહારમાં (પૂ. ૪૯૮) નિશ્ચિતરૂપે લખ્યું છે કે “મારા પિતાના મત પ્રમાણે તે પ્રથમ બાવીશ સ્તવન આનંદધન (લાભાનંદ)નાં પિતાનાં બનાવેલાં છે અને બાકીનાં ક્ષેપક છે.”
આને સામાન્ય અર્થ એ થયો કે, નરસિંહ મહેતા, મીરાંબાઈ કે કબીરજી જેવા સંતોની કાવ્યકતિઓની જેમ, શ્રી આનંદઘનજીની કૃતિઓ પણ જનસમૂહમાં અને ખાસ કરીને ચાગ દ્વારા આત્મસાધના માટે પ્રયત્નશીલ રહેનાર સાધકોના વર્તુળમાં એવી લોકપ્રિય અને માર્ગદર્શક બની ગઈ હશે કે, આવી સાધના કરતાં કરતાં, કેટલાક આત્માઓએ પિતાના અંતરમાં પ્રગટેલ કાવ્યકૃતિઓને, નિમમભાવે, શ્રી આનંદઘનજીના નામે અર્પણ કરી દેવામાં ધન્યતા અનુભવી હશે. બીજાઓએ આનંદઘનજીના નામે ચડાવી દીધેલી કૃતિઓમાં આનંદધનજીની પોતાની કૃતિઓ જેટલી ગુણવત્તા ન હોય એ બનવા જોગ છે; પણ આ રીતે શ્રી આનંદધનજીને નામે પિતાની કૃતિઓ ચડાવી દેનાર સાધકને આશય ખોટો હતે એવું દષારે પણ તે એમના ઉપર ન જ કરી શકાય. એટલે આપણે તો એવા અજ્ઞાત સાધકોની નિલે પવૃત્તિ અને સમર્પણભાવનાની કદર જ કરવી ઘટે.
પ્રસ્તુત ગ્રંથ અને તેનું સંપાદન આ ગ્રંથમાં શ્રી મોતીચંદભાઈએ કુલ અઠ્ઠાવીસ સ્તવને, દરેકના પાઠાંતરો, શબ્દાર્થ, અર્થ, શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ટબાના અત્યારની ગુજરાતી ભાષામાં અવતરણ અને સવિસ્તર વિવેચન સાથે, આપ્યાં છે, તેની વિગત આ પ્રમાણે છે : શ્રી આનંદઘનજીએ પોતે રચેલાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન સુધીના