________________
૨૪ (૧) શ્રી આનંદઘનજીનું કહેવાતું
શ્રી મહાવીર જિન સ્તવન ભૂમિકા–આ સ્તવનને કેન્દ્રસ્થ વિચાર વીરપણું–બહાદુરપણું છે. અસલની દષ્ટિએ આપણો ધર્મ ક્ષત્રિયનો ધર્મ હતે. જૈનધમે તે જ્ઞાતિને સ્વીકાર જ કર્યો નથી. પણ આપણે ધર્મ ક્ષત્રિયનો ધર્મ છે એ વાત આપણે ભૂલી ગયા. જે ક્ષત્રિયે એ ધર્મ ઉપદે, જેને પગલે આપણે ચાલીએ છીએ, તેમની નજરમાં સર્વ જ સરખા હતા. અને માણસ ગમે તે જાતને હોય, તેને મોક્ષમાં જવાનો અધિકાર હતે એમ તેઓની સમજણ હતી, અને એ પ્રકારનો ઉપદેશ તેઓએ એકસરખી રીતે આપે છે. એટલે પ્રાણી જે પોતાનું આત્મિક જોર કરે તે તેને મોક્ષ કોઈથી, નાતજાતને કારણે રોકી શકાતું નહોતું. આનું નામ વીરતા છે.
આ સર્વ વાત આપણે વીસરી ગયા અને એસવાળ, પિરવાડ, શ્રીમાળીના ઝઘડામાં પડી ગયા એ આપણું દુર્દેવ છે. એને દુર્દેવ કહેવાનું કારણ એ છે કે એ આપણને આપણું ખરું સ્થાન ભુલાવે છે અને ખોટે રસ્તે ચઢાવે છે. આપણે એ રસ્તે છેડી દેવો જોઈએ અને મહાવીરસ્વામીના અસલ રસ્તે આવી જવું જોઈએ. એમાં આપણું શોભા છે. આપણે જે ખરેખર મહાવીરના અનુયાયી હોઈએ તે આપણે તે બહાદુરના પુત્રો છીએ. આપણે મોક્ષ આપણને કુલ સ્વાધીન છે. એ વીરતા વિસરાઈ ગઈ છે તેથી આ સ્તવનની અંદર આપણે એ વીરતા માગી એને ઉદ્ધાર કરીએ છીએ. વીરતા કોઈ આપી જવાનું નથી, એ વસ્તુ માગી મળતી નથી, પણ એ આપણને યાદ કરાવનાર એક સૂત્ર છે અને તે બરાબર યોગ્ય વખતે આપણને સાંપડે છે.
આત્મા ખરેખર વિરતાને વરેલે જ હવે ઘટે. એને કષા વિષયને જીતવા છે, અને સમુદુઘાત કરે છે. એને ત્રણે કારણે સાધવાં છે, એને ગુણસ્થાનકમારેહુ કરવું છે, તે પછી એ કામ કાંઈ નિર્બળથી સાધ્ય નથી; એ તે વીરપુરુષ હોય કે થાય તે જ તેને મેળવી શકે. આ વીરતા આ સ્તવનમાં માગી છે. વીરના પુત્ર વીરત્વ કેળવે એ આ સ્તવનને મુખ્ય હેતુ છે.
રતવન કઈ કઈ સ્થાને ગૂંચવણ કરે તેવું છે. જે સાદી-સીધી વાત આનંદઘનજી કરતા હતા તે, વિદ્વત્તા ગમે તેવી હોય તે પણ, કર્તા આ સ્તવનમાં લાવી શક્યા નથી. “નમે મુજ નમો મુજ રે' એ સ્તવન (૧૬ મું)ની અને આ સ્તવનની ઘણી ઊંડી વાતે ભાષાફેર બતાવે છે. અને, મારી માન્યતા પ્રમાણે તે, બાવીસ સ્તવનમાં પ્રૌઢ ભાષામાં વિચારોની પ્રૌઢતા જળવાઈ રહી છે, પણ ત્યાર પછી એ સુકરતા આવી શકી નથી, તેથી આનંદઘનજીનું સ્થાન તે અદ્વિતીય જ છે, અને તે તેવું જ રહેશે. આપણે સરખામણી કરવા આ સ્તવન બને તેટલા સંક્ષેપથી વિચારી જઈએ.
૧. આ પદ ઉપર જ્ઞાનવિમલસૂરિને ટબ નથી, બહુ જ જરૂર પૂરતું આ સ્તવન પર વિવેચન કર્યું છે,