________________
૧૨: શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[૫૩ લાગે છે. જોકે આત્મા તે એક જ છે, પણ જે ગતિમાં જાય તે રૂપ તે ધારણ કરે છે. તેથી આત્મા અનેક હોય તેમ લાગે છે. એ જરા વખત પછી હાથી–ઘડો થાય, ત્યારે તે જનાવર લાગે છે અને વળી પાછો વીંછી કે સંકેડો થાય, ત્યારે ચઉરિંદ્રિય કે તેઇંદ્રિય લાગે છે. આવી રીતે આત્માના પરિણમનભાવને લઈને અનેક રૂપ થાય છે. પણ નિશ્ચય મતે આત્મા છે, એક જ છે, અંતે એ સ્વરૂપે રહેનાર છે, તેનું જે અસલ સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રમય તેને જ અનુસરીએ, તેને જ સ્વીકારીએ. આવી રીતે વ્યવહાર અને નિશ્ચયના આત્માને અંગે થતાં અનેક રૂપ સંબંધી ખુલાસે કરી નિશ્ચય મને તેના એક રૂપને અનુસરવાની સલાહ તે આ કર્તાએ આપી. નિયતે એટલે નિશ્ચયપૂર્વક, ચોકકસ રીતે. આત્માની સાચી ઓળખાણ તે આ નિશ્ચય નયની ઓળખાણ છે અને તે અનુસરવા ગ્ય છે અને આપણે ગમે તે પ્રયાસ કરી આ નિશ્ચય મતવાળા આત્માને એના અસલ રવરૂપે પ્રાપ્ત કરવાનું છે એ જે આદર્શ રાખવામાં આવે તે આપણા સંસારના સર્વ ફેરા મટી જાય છે. બાકી પ્રાણી અનેક રૂપે પરિણમે, તદ્રુપ થઈ જાય, તે સર્વ વ્યવહાર છે, કર્મનું ફળ છે, પરિણમનભાવ આત્માની શુદ્ધ દશા નથી. (૩)
દુ:ખ-સુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદ રે; ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જિનચંદો રે. વાસુપૂજ્ય. ૪
અથ_આ પ્રાણીને દુઃખ થાય, તે પણ તેના કર્મનું જ ફળ છે, અને સુખ થાય છે તે પણ તેના કર્મનું ફળ છે, એ સર્વ વ્યવહાર-દષ્ટિબિંદુ છે. બાકી, નિશ્ચયનયે તે તે એક આનંદમય છે. ચૈતન્ય પિતાના સ્વભાવમાં જરા પિતાના પરિણામને ચૂકતે નથી; તેને જિનચંદ્ર શ્રી તીર્થકરેદેવ ચેતન-વિશુદ્ધ આત્મા કહે છે. (૪)
ટો–દુઃખ રૂપ તે સર્વકર્મફળ હેતુ રૂપે જાણીએ, વ્યવહારથી કોણે, નિશ્ચયથી એક આનંદ સ્વભાવે છીએ. એવી ચેતનાને પરિણામ ન ચૂકે સમય સમય પ્રતે. એ ચેતન તે જિનચંદ કહીએ અથવા ભગવંત તે જિનચંદ એ કહેવાય. (૪)
વિવેચન—આ પ્રાણીને જે દુઃખને અનુભવ થાય છે, તે તેનાં કર્મનું ફળ છે એ ગરીબ
પાઠાંતર—દુઃખ” સ્થાને પ્રતમાં “દુખ’ પાઠ છે, તે પ્રચલિત ગુજરાતીને અનુરૂપ છે; સંસ્કૃત કેશ કાર “દુઃખ’ શબ્દ ગણે છે. “ જાણે” સ્થાને એક પ્રતમાં “જા' પાઠ છે. તે અશુદ્ધિ લાગે છે. ચેતના” સ્થાને “ચેતના” પાઠ છે; અર્થ ફરતો નથી. “ચુકે સ્થાને પ્રતવાળા “ચૂકે ” પાઠ આપે છે, તે પ્રાચીન ગુજરાતી છે. (૪)
શબ્દાર્થ–દુઃખ = જેનાથી આત્મા પીડા ભેગ, હેરાન થાય તે ( વ્યવહારિક નજરે). સુખ = જેનાથી આત્મા સુખનો અનુભવ કરે છે. રૂપ = તન્મય, તે પ્રકારનું. કરમ = ક્રિયા, કાર્ય. ફલ = તેનો નતીજો, ફળ. જાણો = જાણવા, સહવા. નિશ્ચય = નિશ્ચયનયને વિચારે. એક = માત્ર. આનંદે રે = આત્માનંદ, નિજગુગરમણ. ચેતનતા = ચેતન રહેવાપણું. ચૈતન્યપણું, પરિણામ = તન્મયતા. ન ચૂકે = ન ભૂલે, ન વિસરે. ચેતન = ચેતન, માત્ર આત્મા. કહે = કહે છે, જણાવે છે. જિનચંદે = જિનચંદ્ર, ભગવાન, તીર્થપતિ. (૨)