________________
ર૩-૧: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[૪૪૩ અથ...આપ સર્વ વાતની જાણકાર છે તેથી આપને કેટલાક સર્વવ્યાપી કહે છે, પણ પર વસ્તુઓમાં પરિણામને પામવાની શક્તિને જોઈએ તે તે દષ્ટિએ સર્વવ્યાપીપણું લાગતું નથી અને તત્વવિધ પણ નથી. પિતાની આત્મિક સત્તા તે જ્ઞાનરૂપ છે, સર્વ જાણપણાથી સર્વવ્યાપિ– આત્મિક સત્તાએ ઘટતું નથી. (૨)
વિવેચન—આપ સર્વ હકીક્ત અને ભાવો જાણે છે તેથી આપને કેટલાક સર્વવ્યાપી કહે છે. જે સર્વને જાણે તે સર્વવ્યાપી, એટલા પૂરતી તે વાત સત્ય છે; પણ પારકાની પરિ
તિમાં એ પરિણમન કરે છે અને તેટલા માટે એ સર્વવ્યાપી છે એમ કહે છે તે બરાબર નથી. પર રૂપે તીર્થકરને સર્વવ્યાપી પરિણમનભાવ છે એમ કહે છે તે તત્ત્વને-યથાસ્થિત વસ્તુને–પામે નહિ; કારણ કે એની પિતાની સત્તા માત્ર જ્ઞાનરૂપ જ છે. સર્વને જાણે તે સર્વવ્યાપી એટલા પૂરતી વાત બરાબર છે, પણ સર્વવ્યાપી હોવાથી તે પરપરિણતિરૂપ ભાવને વરે છે એમ કહે, તે તે વાત બરાબર નથી. અનેક દ્રવ્ય અસ્થિર સ્વભાવી છે અને કેટલાંક તે અભવ્ય જ હોય છે, અને ભવ્ય છે પૈકી અભવ્યની કેટે વળગેલા અનેક જીવે છે. જે વીતરાગ ભગવાન પર પરિણતિ પામતા હોય તે એ અસ્થિર સ્વભાવને પણ પામે અને અભવ્ય તરીકે પણ પરિણામે, પણ તેમ થતું નથી તેથી તે અર્થમાં સર્વ પિત્વ સ્વીકારી શકાય નહિ. તીર્થકર કે જિનરાજ અસ્થિર સ્વભાવવાળા થતા નથી અને અભિવ્ય તે હેાય જ નહિ, માટે તેમને પર પરિણતિમાં પ્રવૃત્તિ કરે એ અર્થમાં સર્વવ્યાપિ ન સમજવું. તત્ત્વજ્ઞાનને આ મોટો સવાલ છે : પ્રભુને સર્વવ્યાપી ગણવા કે નહિ ? અમુક અર્થમાં સર્વ જાણે તે માટે તેમને સર્વવ્યાપી ગણાય, પણ પરિણમન સ્વભાવમાં એ કદી અસ્થિર ન હોય અને અભવ્ય સ્વભાવમાં પણ પરિણમન પામે નહીં, એટલે એને એ અર્થમાં સર્વવ્યાપી ન ગણવા.
પરરૂપે એ પરણિમનભાવ પામે નહિ, કારણ કે એની પિતાની સત્તા જ્ઞાનરૂપ જ છે. આ ભાવ બરાબર સમજે. દ્રવ્યાર્થિક નયે એ સર્વવ્યાપી છે, પણ પર્યાયાર્થિક નયે એ સર્વ વ્યાપી નથી, એમ કિર્ભાવ જે સમજે તે જૈનધર્મને બરાબર સમજે. પ્રભુ તે જ્ઞાન સ્વરૂપે જ સર્વવ્યાપી છે અને પરિણમનભાવે સર્વવ્યાપી નથી જ, એ સમજાય તે ઘણી મોટી વાત છે આત્મા પરભાવમાં રમણ કરવાને નથી. આત્મામાં તે અનંત જ્ઞાન વગેરે અનંત ગુણો છે, પણ એ પરમાં પરિણમી જતો નથી, નહિ તે આત્મા અભવ્ય પણ થઈ જાય. તેમ બનતું નથી તેથી પર્યાયાર્થિક દૃષ્ટિએ આત્મા સર્વવ્યાપી નથી.
આત્મા પરિણામી છે, પણ તે મર્યાદિત હકીકત છે. એનું બરાબર સ્વરૂપ સમજવા જેવી છે. એ અનંત જ્ઞાનમય છે, પણ પપરિણતિથી તે અબાધિત છે. આત્માનું આત્મત્વ જે તત્ત્વરૂપે છે તે પરંપરિણતિરૂપે દેખાય નડિ; પરપરિણતિરૂપે દેખાય છે તેનો અંત આવી જાય. આત્માની પિતાની સત્તા સર્વ જાણવાની હેઈ તેને સ્વભાવ જ્ઞાનમય છે અને સર્વ જાણે છે માટે તે સર્વવ્યાપી છે એમ કહી શકાય. (૨)