________________
૨૨૪]
શ્રી આન’દ્રુઘન-ચાવીશી
શરીર શિથિલ થઇ ગયા પછી સમજણ આવે તે કાંઇ બહુ કામની નથી. જો આ ક્રિયાને શુભ તરીકે મનાય અને કેવળજ્ઞાનીએ એને અનંત સુખ અપાવનાર છે એમ કહ્યું છે તે વાતની ખાતરી હાય, તે તેને કરવા યાગ્ય જાણી કરવી અને આચરીને પરમાનંદ ભાવમાં વિલાસ કરવે; અને નહિં તે જન્મમરણના ચાલુ રગડામાં પડથા રહેવું અને જેવા આવ્યા છીએ તેમ ચાલ્યા જવું. આવી તક ફરી ફરીને નિહ મળે, એમ સમજવું અને સમજીને મળેલ તકના સદુપયોગ કરવેા. બાકી તો આ જીવનની ખટપટો એટલી છે કે એને પાર જ ન પમાય. માટે એ સ પર વિજય મેળવવા હાય તેા પૂજા કરવી અને ભાવપૂજાને બરાબર કરવી. એમ કરતાં જ્યારે પ્રતિપત્તિ ભાવપૂજા કરવાનો વખત આવશે ત્યારે બધું સમજાઇ જશે. તે વખતે કાંઈ અભ્યાસ કરવા જવું નહિ પડે. આ જીવન ફગાળી દેવા યેાગ્ય નથી અને જીવન તા એવુ છે કે, પાંચ પ્રકારની ઉપાધિને નિકાલ આવે, ત્યાં બીજી પંદર પ્રકારની ઉપાધિઓ ઊભી થાય. માટે શું જોઇને આમ રફથી ચાલવુ' અને પેતાને આત્મવિશ્વાસ ન રાખવે ? આ સગાંસંબધીએ અંતે થાડા વખત માટેનાં છે. તેથી પેાતાના વિકાસ કરવાની આ મળેલી તક ગુમાવવી નહિં અને અંતે આનંદની ભૂમિકા પ્રાપ્ત કરવાનો વિચાર કાયમ રાખવે. તે કાંઈ આમ ગેટા વાળે ન મળી શકે. મન-વચન-કાયાની એકતા થાય ત્યારે જ એ આનંદઘનની ભૂમિકા મળે અને તે મેળવવા માટે ચાલુ પ્રયત્ન કરવા પડે. આ વાત જો મન પર રહેશે, તો રસ્તો ખુલ્લા છે અને કોઇ તેમાં અડચણ કરે તેમ નથી. માટે આ મળેલ તક ન ગુમાવવા નિશ્ચય કરવા અને આનંદની ભૂમિકાએ પહોંચવું અથવા તે માટે જાગતા રહેવું : આવે આ ગાથાના ભાવ છે. (૮)
ઉપસ’હાર
આ રીતે પૂજાના અનેક ભેદો સમજાવનાર આ સ્તવન પૂર્ણ થયું. આનંદઘનજીએ એમાં કમાલ કરી છે અને તદ્ન રસ વગરના વિષયને રસવાળો બનાવ્યા છે. પ્રથમ તે આપણે દ્રવ્યપૂજાનું હિત માત્ર નિમિત્ત જ છે તે ધ્યાનમાં લઇએ. ‘દ્રવ્ય તે ભાવ નિમિત્ત' આ સદૈવ જાગતો સિદ્ધાંત છે અને તેથી દ્રવ્યપૂજામાં આપણે કદી ઇતિકતવ્યતા ન સમજીએ. એનાથી પુણ્યબંધ જરૂર થાય, પણ પુણ્યને પણ સાનાની બેડી કહી છે; એટલે એમાં સેાના ઉપર ભાર નથી, પણ એડી ઉપર ભાર છે, એ સદૈવ લક્ષ્યમાં રાખવું. અને ગમે તે અષ્ટપ્રકારી કે અષ્ટોત્તરશતપ્રકારી કે બીજી ગમે તેટલા પ્રકારવાળી પૂજા કરીએ, તે સર્વ ભાવપૂજાનું નિમિત્ત છે, એમ ન સમજીએ તે પુણ્યંધ ા થાય, પણ એ સેનાની ખેડી આપણને સ’સારમાં રાખે અને આપણી જે આકાંક્ષા મોક્ષપ્રાપ્તિ માટેની છે, તે તે મનની મનમાં જ રહી જાય. પૂજાને અસલ આ ઉદ્દેશ નથી. અલબત્ત, ચા યા ક્રિયા સા સા જીવતી એટલે ફળ તો જરૂર મળે, કોઈ ક્રિયા નકામી જતી નથી, પણ તે સંસાર વધારનાર ફળ છે : આ વાત નિરંતર ધ્યાનમાં રાખવી. ભાવપૂજાના બે પ્રકાર બતાવ્યા : એક સામાન્ય પૂજા અને બીજી પ્રતિપત્તિ પૂજા. એમાં પ્રતિપત્તિ પૂજા તે અગિયારમે, ખારમે અને તેરમે ગુણસ્થાનકે થાય છે, તેની વાત તે આ કાળમાં કાંઇ થવાની નથી પણ ભાવપૂજા ઘણી મહત્ત્વની છે અને દ્રવ્યપૂજા એ માટે કરવાની હોવાથી તેની