________________
હ૮ વક્તિજીવિત
[૧-૫૭ “આ નિષાદરાજની નગરી છે. જ્યાં મૌલિમણિને ઉતારીને મેં જટા બાંધતાં સુમંત્રે રડતાં રડતાં કહ્યું હતું કે હે કૈકેયી, તારા મનેર સિદ્ધ થયા!” ”
(રઘુવંશ, ૧૩-૫૯) ૧૨૨ અહીં રઘુપતિ આદર્શ મહાપુરુષના બધા ગુણ ધરાવતા હોય એ રીતે વર્ણવાયા છે, એટલે એ રામચંદ્ર કૈકેયી તારા મનોરથે સિદ્ધ થયા” એવાં તુચ્છ વચને યાદ રાખે અને અત્યારે કહી સંભળાવે એ અત્યંત અનુચિત લાગે છે.
કઈ પ્રબંધમાં પણ જે કઈ પ્રકરણના એક ભાગમાં પણ ઔચિત્યને અભાવ હોય તે તે એક ભાગમાં બળેલા વસ્ત્રની પેઠે દૂષિત બની જાય છે. જેમ કે એ રઘુવંશમાં જ દિલીપ અને સિંહના સંવાદમાં–
“જે એક ગાયના રક્ષણમાં નિષ્ફળ જવાના અપરાધને કારણે ક્રોધાગ્નિથી સળગી ઊઠેલા ગુરુથી તું બીતે હોય તે એ ક્રોધને તે તું ઘડાના જેવા આઉવાળી કરડે ગાય આપને શમાવી શકે એમ છે.” (રઘુવંશ, ૨-૪૯) ૧૨૩
એમ સિંહ કહે એ તે ઉચિત જ છે, કારણ, તે રાજાને ઉપહાસ કરવા કહે છે, પણ રાજા દિલીપને તે પોતાના યશનું રક્ષણ કરવામાં પ્રાણે પણ તૃણ જેવા તુચ્છ લાગે છે, એ સિંહને જવાબ આપતાં કહે છે–
બીજી ગાયે આપવાથી મુનિને ક્રોધ શી રીતે શમી શકે? કારણ, આ તે કામધેનુની પુત્રી છે. તે એના ઉપર પ્રહાર કર્યો છે તે રુદ્રના પ્રભાવથી કરી શક્યો છે.”
(રઘુવંશ, ૨-૫૪) ૧૨૪ તેમાંથી બીજી ગાયે એના બદલામાં આપી શકાય એ જે કદાચ સંભવ હોય તે મુનિએ અને મારે એની પ્રાણુરક્ષાની