________________
૩-૪૩]
વાક્તિજીવિત ૨૦૫
“તેં જુવાનીમાં જ શણગારા ઉતારી નાખીને ઘડપણુમાં શેાલે એવું વલ્કલ કેમ ધારણ કર્યુ છે ?” (કુમારસંભવ, ૫-૪૪) ૧૬૦
(૪) કોઈ વાર પરસ્પર સ્પર્ધા કરનાર અનેક ધી એના પહેલાં કહેલા (વિષય, ધર્મ વગેરે) બધા જ બદલાઈ જાય છે. જેમ કે લક્ષણકારે પાતે જ એનું ઉદાહરણ આપ્યું છે—
“તારા બાહુએ તારા દુશ્મન રાજાએને શસ્ત્રના પ્રહાર આપીને તેમની લાંબે કાળે મેળવેલી કુમુદ જેવી શુભ્ર કીર્તિ લઈ લીધી.” (ઈંડી, કાવ્યાદર્શ, ૨-૩૫૬) ૧૬૧ આમ, પરિવૃત્તિને સ્વતંત્ર અલંકાર ગણવા ચાગ્ય નથી, એટલે કહે છે—
૪૩
એક પદાર્થને હટાવી દઈ તેને સ્થાને બીજાને લાવવા એ કઈ અલ‘ફાર ન કહેવાય, કારણ, પહેલાંની પેઠે અને પ્રધાન બને છે.
એક પદાર્થને હઠાવીને તેના સિવાયના ખીજાને તેને સ્થાને ગાઠવવામાં આવે એથી કાંઈ નવા અલકાર ન બને. શાથી? તે કે બંનેને વિનિમય થાય છે એટલે કે બંને મુખ્યભાવે વર્ણવાય છે માટે. કેવી રીતે ? તે કે પહેલાંની પેઠે,' એટલે કે આ પહેલાંના અલ'કાર(ઉપમેયાપમા)માં જોઈ ગયા તે રીતે. જો બંનેને સરખા મુખ્ય ગણવામાં આવે તેા, અથવા કયા પ્રધાન છે અને કયા નથી એ નક્કી કરવા માટે કાઈ નિયમ ન હોય તા, એ એમાં અલ કાર્ય કાણુ અને અલકાર કોણ એના નિર્ણય નહિ થઈ શકે. એ જ વાત અહીં પણ લાગુ પડે છે. એ એ પદાર્થો ભેગા આવ્યા છે એટલા માત્રથી એમની વચ્ચે અલ કાર્ય અલંકાર સંબંધ માની ન લેવાય. એમ જો કરીએ તે પ્રાધાન્યના ખ્યાલ જ
છેડી દેવા પડે.
એનું સ્વરૂપ ગમે તે હોય તયે એમાં સામ્ય
હોવાને કારણે,