________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લે.] ભરતચક્રીને દિવિજય.
૧૧૧ પિતાના રાફડાની પાસે મહાવ્રતધારી મુનિઓને જોયા, એટલે હુંફાડા મારતો અને ત્રણ ફણ ધારણ કરે તે તેઓને કરડવા દોડ્યો. પણ તેઓને ભયવગરના જોઈ તેના મનમાં વિચાર થે કે “આ શાંતમૂર્તિ મનુષ્યો મારાથી ત્રાસ કેમ પામતા નથી? આ કોણ હશે ?' એવા વિચારથી એ સર્ષ તેમની પાસે મંદ મંદ ગતિએ આવ્યું. તે વખતે તે મુનિઓને વિદ્યાધરોની પાસે ઉજવલ ધર્મ અને શગૂંજ્યના માહાભ્યને કહેતા તેણે સાંભળ્યા. તે તીર્થનું માહાસ્ય સાંભળવાથી તેનાં કર્મ ઓછાં થઈ ગયાં, એટલે તત્કાલ જાતિરસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં તેને પિતાના પૂર્વભવ સાંભર્યા. પછી તે સર્વે બીલમાંથી પૂરેપૂરા બહાર આવી કુંડલાકારે થઈ, પિતાને સંપત્તિ પ્રાપ્ત થવાના કારણભૂત મુનિના ચરણને નમરકાર . પ્રણામ કરી રહ્યા પછી તેના ભાવને જાણનારા મુનિએ તેને અનશન આપ્યું અને વિદ્યાધરે તેને પુંડરીકગિરિ ઉપર લઈ ગયા; ત્યાં તે મૃત્યુ પામે. હે ચારણમુનિ! જુઓ, આ તે સર્ષ અહીં પડેલો છે અને તેને જીવ આ હું અત્યારે ઈશાનકનો આવા સ્વરૂપવાળા ઈંદ્ર છું. હે મુનિ ! હું એમ માનું છું કે, આ ભૂમિતલ ઉપર બીજાં અનેક તીર્થો છે, પણ આ શત્રુજ્યગિરિ જેવું પાપ હરનારું બીજું કોઈ તીર્થ નથી.”
(તે ચારણમુનિ ભરતને આ કથા કહે છે.) “હે ભરતરાજા! ટી સમૃદ્ધિવાળા તે ઇંદ્ર આ પ્રમાણે કહીને ચંદન અને કરવડે તે મૃત સપને અગ્નિસંસ્કાર કર્યો અને તે દાહભૂમિ ઉપર એક રનમય પીઠ કરી.” પછી તે મહાતીર્થને પ્રણામ કરી સ્વસ્થાને જઈ ઈશાનંદ્ર પિતાના રાજયનું પાલન કરવા લાગ્યો. હે ચક્રીશેખર ! આવું પ્રત્યક્ષ માહામ્ય જોઈ, અમે તે તીર્થને વારંવાર સમાધિવડે સ્પર્શ કર્યો. હમણાં ત્યાંથી પાછા વળીને અમે અન્યત્ર જતા હતા, ત્યાં તમારું મહા સૈન્ય અમારા જવામાં આવ્યું. “તમે અમારા ગુરૂના પુત્ર છે ” એમ ધારીને અમે તમારું અહીં આદરસાથે દર્શન કર્યું. હવે વિશેષે કરી તીર્થની ભક્તિવાળા એવા અમોને આજ્ઞા આપ. સર્વ જનના વિનય વિવેકને ઉલ્લંઘન કરે તે તમારે વિનય અને વિવેક અમારા જોવામાં આવે છે. આ પ્રમાણે કહી, ચક્રવર્તીએ કરેલું વંદન સ્વીકારી તે બંને મુનિઓ અન્ય ઠેકાણે ગયા.
તે સમયે ચક્રવર્તી પિતાના મનમાં મને રથ કરવા લાગ્યા કે તે દિવસ, તે ક્ષણ અને તે રાત્રિ ક્યારે આવશે કે જયારે હું સંઘસહિત શત્રુંજય તીર્થની યાત્રા કરીશ ?” પછી ભરતે ગંગાદેવીને સમજાવીને આજ્ઞા મેળવી અને ખંડપ્રપાતા નામની ગુફા તરફ પ્રબલ સૈન્યસાથે પ્રયાણ કર્યું. તે ગુહાદ્વાર પાસે આવીને ભ
For Private and Personal Use Only