________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૧ લો બહુ ફળ આપે છે. જે અષ્ટમીપર્વ દાન, શીલ અને તપાદિવડે જિનભક્તિની જેમ સેવેલું હોય તે તે પ્રાણીઓનાં અષ્ટ કર્મને ભેદી નાખે છે. ચૈત્રીપૂર્ણિમાને દિવસે મહામુનિ પુંડરીક સિદ્ધ થયા, તેથી જગતમાં ચૈત્રીપર્વ પ્રસિદ્ધ થયું અને આ ગિરિ પણ પુંડરીક નામે પ્રખ્યાત થે. આ ચૈત્રીપૂર્ણિમાને દિવસે પુંડરીક ગિરિ પર રહેલા પુંડરીકની સંધસહિત યાત્રાવડે પૂજા કરે તેની લકત્તર રિથતિ થાય છે. નંદીશ્વરાદિ દ્વીપમાં રહેલા શાશ્વત પ્રભુના પૂજનથી જેટલું પુણ્ય થાય, તેનાથી શત્રુંજય ઉપર ચૈત્રીપૂર્ણિમાએ પૂજન કરવાથી અધિક પુણ્ય થાય છે. બીજે દિવસે દાન, શીલ, તપ અને પૂજા કરવાથી જે પુણ્ય થાય તેનાથી ચૈત્રીપૂર્ણિમાએ પુંડરીક ગિરિ૫ર જિનાર્ચન કરવાથી કોટિગુણ પુણ્ય થાય છે. ચારિત્ર ચન્દ્રપ્રભ' પ્રભુ, ચૈત્રીપૂર્ણિમા, શત્રુજ્ય ગિરિ, અને શત્રુંજયા નદી–એ પુણ્યવિના કદિ પણ પ્રાપ્ત થતાં નથી. જે મનુષ્ય ચૈત્રીએ જિનાલયમાં શાંતિક કર્મ કે વજારોપણ કરે છે અને આરતિ ઉતારે છે તે રજોગુણરહિત ભવને પ્રાપ્ત કરે છે. ચૈત્રીપૂર્ણિમાએ કદિ બીજે ઠેકાણે સંઘ પૂજા કરે તો પણ રવસુખ પ્રાપ્ત થાય છે, તે વિમલાચલ ઉપરની તો શી વાત કરવી. ચૈત્રીપૂર્ણિમાએ વસ્ત્ર તથા અન્નપાનાદિકવડે જે મુનિને પ્રતિલાભિત કર્યા હોય તો, તે પુણ્ય ચક્રવર્તી અને ઇંદ્રનું પદ આપી પછી મોક્ષને આપે છે. સર્વ પુણ્યને વધારનારૂં ચૈત્રી પર્વ સર્વ પર્વમાં ઉત્તમ અને શ્રેષ્ઠ છે. પુંડરિકગિરિ ઉપર જે તેની આરાધના કરી હોય તો તે પ્રૌઢ ફળ આપે છે. જે ચિત્રીપૂર્ણિમાએ અષ્ટાબ્લિકા મહોત્સવ પૂર્ણ થાય તો તે પર્વ અષ્ટમહાસિદ્ધિને આપનારું કહેવાય છે, તેથી સર્વથી અધિક પર્વ છે. દેવતાઓ પણ નંદીશ્વરદ્વીપમાં આવેલા ગિરિપર જઈને ભક્તિથી જિનપૂજાદિકવડે આ પર્વનું નિત્ય આરાધન કરે છે. માટે ધર્મબુદ્ધિવાળા ભવ્ય પ્રાણીઓ ચિત્રીપૂર્ણિમાએ પ્રમાદના હેતુરૂપ વિકથા, કલહ કીડા અને અનર્થદંડ વિગેરે કાંઈપણ આચરવાં નહીં, માત્ર ધર્મકાર્યમાં જ રતિ કરવી. ચૈત્રીપર્વને વિષે અક્ષયસિદ્ધિને માટે જૈનશાસનની પ્રભાવના અને જિનચૈત્ય, સિદ્ધાંત, ગુરૂ અને મુનિજનની ભક્તિ કરવી.
હવે આ તરફ વિહાર કરી પૃથ્વીતલને પવિત્ર કરતા શ્રી આદિનાથ પ્રભુ અનુક્રમે વિનીતા નગરીની સિમામાં આવેલા સિદ્ધાર્થોધાનને વિષે પધાર્યા. શ્રી આદિનાથ પ્રત્યેની મોટી ભક્તિથી આકાશમાંથી ઉત્પતીને ઈંદ્રાદિક દેવતાઓ તત્કાળ ત્યાં આવ્યા. તેમણે ત્રણ ભુવનના પ્રભુનું ત્રણ ગઢવાળું સમવસરણ એક - જન પૃથ્વીમાં રચ્યું. ઉઘાનપતિએ આવી ભરતચકીને વધામણી આપી. ભરતે હર્ષથી તેને બાર કટિ સુવર્ણ આપ્યું. પછી પેદલ, ઘોડા, હાથી, ર, પુત્રો, સામે, ૧ ચંદ્ર જેવી કાંતિવાળા પ્રભુ.
For Private and Personal Use Only