Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 510
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મે.] કૃષ્ણે ચતુર્માસમાં બહાર ન નીકળવાનો કરેલો નિર્ણય. ૪૫ હું દ્વારકામાં કૃષ્ણ પેાતાના વાસગૃહમાં જિનેશ્વરનું ધ્યાન ધરતા રહેવા લાગ્યા. એક વખતે તેમણે પેાતાના પુત્રોને કહ્યું કે ‘જે પ્રાતઃકાળે નેમિ પ્રભુને પેહેલા નમવા જશે, તેને હું મારા ઈષ્ટ અશ્વ આપીશ. તે વાત પ્રશ્ને અને પાલકે સાંભળી. તેથી પાલક તે। સૂર્ય ઉગ્યા પેહેલાં નેમિનાથને વંદના કરી પાછે આવીને ઉભા રહ્યો અને પ્રધુમ્ર તેા પેાતાના આવાસમાં રહીનેજ નેમિનાથ પ્રભુને ભાવ નમસ્કાર કર્યો. પછી કૃષ્ણે જઇને નેમિનાથ પ્રભુને પૂછ્યું કે, હે સ્વામી ! આજે તમને પ્રથમ કાણે નમસ્કાર કર્યો ?' પ્રભુ મેલ્યા-પાલક અહીં પ્રથમ આવ્યા છતાં તેને આભ્યા ન સમજવા. કેમકે પ્રધુમ્ર રાત્રિએ જવાથી જીવ હિંસા થાય તેના પાપથી ભય પામીને આવ્યેા નહાતા, અને પાલક તે અશ્વના લાભથી અહિં પ્રથમ આવ્યા હતા. માટે હે કૃષ્ણ ! માત્ર કાયા વિગેરેથી ફળ થતું નથી પણ ભાવથીજ ફળ પ્રાપ્ત થાય છે. સર્વ ધર્મને ઉત્પન્ન થવાનું કારણ ભાવ છે.' પછી કૃષ્ણે પૂછ્યું એટલે શ્રી નેમિનાથ પ્રભુ જીવતત્ત્વવિષે બાલ્યા– હે કૃષ્ણ ! આ સંસારમાં ચારાશી લાખ જીવાયેાનિ છે. તેમાં પૃથ્વી, પ્, અગ્નિ, વાયુ અને વૃક્ષ એ પાંચ સ્થાવર અને છઠ્ઠા ત્રસ છે. ભૂમિ વિગેરેમાં ચતુર્માસના દિવસમાં અનેક પ્રકારના જીવા ઉત્પન્ન થાય છે, તેમની કુલ સંખ્યા વિવિધ પ્રકારની જાણવી.” તે સાંભળી કૃષ્ણ વર્ષાઋતુના ચતુર્માસ પેાતાના ધરમાંજ રહ્યા, જીવડુંસાના ભયથી બહાર નીકળ્યા નહિ. તે સમયે સામંતસહિત લૉકા કહેવા લાગ્યા કે, હમણાં હિર ( કૃષ્ણ ) સુતા છે.’ દેવતાઓને જો કે રાત્રિ હાતી નથી છતાં એ ક્રમ લેાકઢીથી ચાલ્યેા છે. ત્યાં આવી ક્રૃષ્ણે સમૃદ્ધિવાન્ દ્વાર એક વખતે નેમિનાથ પ્રભુ સહસ્રામ્ર વનમાં સમાસ. તેમને નમસ્કાર કર્યો, અને પૂછ્યું કે, ‘હૈ પ્રભુ ! આ દેવનિર્મિત કાપુરી અને યાદવે પેાતાની મેળે નાશ પામશે કે ખીજાથી નાશ પામશે ?' પ્રભુ બાલ્યા‘શાંબ વિગેરે તમારા પુત્રો મદિરાપાન કરી દ્વીપાયનને મારશે એટલે તે કાપ કરીને અવશ્ય દ્વારકાપુરીને બાળી નાખશે; અને તમારા ભાઈ જરકુમારના હાથથી તમારૂં પણ મૃત્યુ થશે.” આવાં પ્રભુનાં વચન સાંમળી અંતરમાં ખેદ પામતા કૃષ્ણ દ્વારકાપુરીમાં ગયા. તે વૃત્તાંત સાંભળીને યાદવેએ જરત્કમારના તિરસ્કાર કર્યો. તેથી તેણે કૃષ્ણની રક્ષામાટે દૂર જઇને વનમાં નિવાસ કર્યાં. લે. કાના કહેવાથી તે હકીકત સાંભળીને દ્રીપાયન પણ ત્યાંથી બીજે ઠેકાણે ચાલ્યાં ગયા, અને કૃષ્ણે નગરમાંથી બધું મધ લઇને પર્વતની ગુફાઓમાં નખાવી દીધું. તે મઢીરા કાદંબરી નામની ગુફામાં રહેવાથી કેટલેક કાલે નજીકનાં પુષ્પાના ગંધ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542